Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરમાણ સ્થાપિત કરવા જોઈએ. પ્રતર પરિમંડલ ૨૦ વીસ પરમાણુઓને બને છે અને ૨૦ વીસ પ્રદેશોમાં અવગાઢ-વ્યાપ્ત થાય છે.
તે આ પ્રકારે પૂર્વ વિગેરે ચારે દિશાઓમાં ચાર ચાર પરમાણુની સ્થાપના કરવી જોઈએ. અને વિદિશાઓ (ખૂણાઓ) માં પ્રત્યેકમાં એક એક પરમાણુ મૂકાય છે. ઘન પરિમંડલ ચાલીસ પરમાણુઓને બને છે અને ચાલીસ પ્રદેશમાં અવગાઢ થાય છે. તેમાં પ્રથમ કહેલ ૨૦ પરમાણુઓની ઉપર એજ રીતે ૨૦ પરમાણુ એનું સ્થાપન કરવું જોઈએ. ઉત્તરાધ્યયનની નિર્યુક્તિની ગાથાએમ કહ્યું છે –
પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ ચતુષ્કોણ, અને આયત આ પાંચ સંસ્થાન બને છે. તેઓના બે-બે ભેદ છે, ઘન અને પ્રતર પ્રથમ અર્થાત્ પરિમંડલ સંસ્થાન ને ત્યજીને શેષ ચારના એજ પ્રદેશ નિષ્પન્ન અને યુગ્લ પ્રદેશ નિષ્પન્ન એ બે-બે ભેદ બને છે. ૧
વૃત સંસ્થાનમાં પાંચ, બાર, સાત અને બત્રીસ ભેદ હોય છે. ત્રણ, છ, પાંત્રીસ અને ચાર વિકેણમાં હોય છે. પરા
નવ, ચાર, સત્યાવીસ અને આઠ ચતુષ્કોણમાં બને છે, ત્રણ, બે, પંદર અને છ આયત સંસ્થાનમાં હોય છે. પાકા
પીસ્તાલીસ અને બાર આયતમાં, તથા વીસ અને ચાલીસ, પરિમંડલમાં હોય છે કા સૂઇ જા
જીવ ઔર વર્ણ કા પરસ્પર સંવેધ કા નિરૂપણ
હવે પૂર્વોક્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના પારસ્પરિક સમ્બન્ધ-પરિણામની પ્રરૂપણા કરવાને માટે કહે છે.
સૂત્રાર્થ-(ને) જે (વો ) વર્ણથી (જાળવળથી) કાળા પરિણમન વાળા છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧