Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે રૂદ્ધિપ્રાપ્ત આર્યોની પ્રરૂપણું કરાય છે રૂદ્ધિપ્રાપ્ત આર્ય કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને કહ્યું –તેઓ છ પ્રકારના છે (હાય છે)-(૧) તીર્થકર (૨) ચક્રવતી (૩) બલદેવ (૪) વાસુદેવ (૫) ચારણ અને (૬) વિદ્યાધર આ રૂદ્ધિ પ્રાપ્ત આર્ય છે.
અનદ્ધિપ્રાપ્ત આર્ય ની પ્રકારના છે. તેઓ આ રીતે-(૧) ક્ષેત્રાર્થ (૨) જાત્યાય (૩) કુલાય (૪) કર્માયે (૫) શિલપાર્ય (૬) ભાષાર્ય (૭) જ્ઞાનાર્ય (૮) દર્શનાર્ય (૯) ચારિત્રાય
ક્ષેત્ર અર્થાત્ જન્મ સ્થાન જેઓનું શ્રેષ્ઠ હોય તેઓ ક્ષેત્રાય કહેવાય છે. કેમકે તેઓ શ્રેષ્ઠ ક્ષેત્રમાં જન્મેલા છે. જેઓની આગળ કહેવામાં આવનારી અમ્મષ્ઠ આદિ જાતિ ઉત્તમ હોય તેઓ જાત્યાય છે. જેઓનું કુલ (વંશ) શ્રેષ્ઠ હોય તેઓ કુલાર્ય કહેવાય છે. જેઓની ખેતી વેપાર વિગેરે કર્મ અર્થાત્ આજીવિકાનું સાધન ઉત્તમ હોય તેઓ કર્માયે કહેલા છે. જેનું શિલ્પ અર્થાત્ ચોસઠ કલાઓ ઉત્તમ છે તેઓ શિલ્પાય, જેઓ આર્ય ભાષાનો પ્રયોગ કરતા હોય તેઓભાષાય, જે જ્ઞાનથી ઉત્તમ હાય અર્થાત્ જેમનું જ્ઞાન યથાર્થ છે તેઓ જ્ઞાનાર્ય, જેઓનું દર્શન શ્રેષ્ઠ હોય તેઓ દર્શનાર્ય, જેઓનું ચરિત્ર ઉત્તમ હોય તેઓ ચારિત્રાર્ય કહેવાય છે,
ક્ષેત્રાની પ્રરૂપણ કરાય છે પ્રશ્ન થાય કે ક્ષેત્રાય કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાને ઉત્તર આપે-ક્ષેત્રાય સાડા પચીસ પ્રકારના છે. તેઓ આ પ્રકારે છે.
(૧) મગધ દેશમાં રાજગૃહનગર આય ક્ષેત્ર છે (૨) અંગદેશમાં ચંપા નગરી આર્યક્ષેત્ર છે, (૩) બંગદેશમાં તામ્રલિપ્તિ નગરી આર્ય ક્ષેત્ર છે (૪) કલિંગ દેશમાં કાંચનપુર નગર આર્ય ક્ષેત્ર છે. (૫) કાશી દેશમાં વારાણસી નગરી આર્ય ક્ષેત્ર છે.
(૬) કેશલ દેશમાં સાકેતનગર આર્ય ક્ષેત્ર છે (૭) કુરૂદેશમાં હસ્તિનાપુર આર્ય ક્ષેત્ર છે (૮) કુશાવર્ત દેશમાં સોરિયપુર (સીરિક નગર) આર્ય ક્ષેત્ર છે. (૯) પંચાલ દેશમાં કાંપિલ્યપુર (૧૦) જાંગલ દેશમાં અહિચ્છત્ર નગર (૧૧) સૌરાષ્ટ્રમાં દ્વારાવતી (દ્વારકા) (૧૨) વિદેહ જનપદમાં મિથિલા નગરી (૧૩)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૫૫