Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૃથ્વીકાય અપ૦ તેઉ૦ વાયુ વનસ્પતિકાય કે ભેદ કા સ્વરૂપ નિરૂપણ
ખર બાદર પૃથ્વી કાયિક કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–તે જીવો અનેક પ્રકારના છે, અર્થાત્ તેઓ ના મુખ્ય ભેદ ચાલીસ છે. તે ચાલીસ ભેદ આ રીતે છે
(૧) પૃથ્વી-જેમ “ભામાં કહેવાથી “સત્યભામાં સમજાય છે. એ જ રીતે અહીં પૃથ્વી કહેવાથી શુદ્ધ પૃથ્વી સમજવી જાઈએ, જેમકે નદી કિનારેની ભીંત વિગેરે. અહી (ચ) પદ આગળના ભેદનું સૂચક છે.
(૨) શર્કરા અર્થાત્ પથ્થરને નાને કહે કે કાંકરો (૩) વાલુકા રેતી (૪) ઉપલ–તે પથ્થર કે જે વાટવામાં કામ આવે છે. (૫) શિલા-દેવકુલની પીઠીકને યોગ્ય મોટો પથ્થર (૬) (સમુદ્રનું મીઠું (૭) ઉષ,જેને ઉષર કહે છે.
(૮) અય લેતૂ (૯) તાંબું (૧૦) રાંગા (૧૧) શિશું (૧૨) ચાંદી (૧૩) સેનું (૧૪) વજ-હીરે (વન) (૧૫) હડતાલ (૧૬) હીંગળ (૧૭) મણ શીલ (૧૮) પારે (૧૯) સૌવીર (વિગેરે આંજણ) (૨૦) મુંગા (૨૧) અન્ન પટલ અબ્રખ (૨૨) અભ્રવાલુકા–અબ્રકથી મળેલી વેળુ-રેતી આ બાવીસ ભેદ બાદર પૃથ્વીકાયના સમજવાના છે અને મણિઓમાના ભેદ પણ બાદર પૃથ્વીકાયના ભેદ સમજવા જોઈએ. મણિઓના ભેદ આ રીતે છે
(૨૩) ગોમેદ (૨૪) રૂચક (૨૫) અંક (૨૬) સ્ફટિક (૨૭) લેહિતાક્ષ (૨૮) મરક્તમણિ (૨૯) મારગલ્લ (૩૦) ભુજમેચક (૩૧) ઈન્દ્રનીલ (૩૨) ચન્દન (૩૩) ગેરૂ (૩૪) હંસગર્ભ (૩૫) પુલાક (૩૬) સૌગંધિક (૩૭) ચન્દ્રપ્રભ (૩૮). વૈર્ય (૩૯) જલકાન્ત શીતલ હોવાથી ચન્દ્રકાન્ત અને (૪૦) સૂર્યકાન્ત.
એ રીતે પહેલી ગાથામાં પૃથ્વી વિગેરે ચૌદ ભેદ, બીજીમાં હડતાલ વિગેરે આઠ ભેદ, ત્રીજીમાં ગમેદ વિગેરે નવ ભેદ અને ચોથીમાં ચન્દન વિગેરે ની મણિઓનું કથન કર્યું છે.
બધા મળીને બાદર પૃથ્વીકાયના ચાલીસ ભેદ છે. હવે બાકીના ભેદોનું પ્રતિપાદન કરવાને માટે કહે છે–આજ રીતે પારાગ વિગેરે જે અન્ય મણિયો છે. તેઓને પણ ખર બાદર પૃથ્વીકાય જ સમજવા જોઈએ.
ખર બાદર પૃથ્વીકાયના જીવ સંક્ષેપથી બે પ્રકારના છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૭૫