Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માંજ આહારક બની જાય છે. આ કથનથી સાબિત થાય કે આહાર પર્યાપ્તિની પૂર્ણતા એક સમયમાંજ થઈ જાય છે. અગર ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને પણ જીવ આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત રહે તે ઉત્તર સૂત્ર આ પ્રકારે બને છે-ગૌતમ, આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. જેમકે શરીર પર્યાપ્તિ આદિને ઉત્તર સૂત્રમાં કહ્યો છે-કદાચિત આહારક પણ બને છે. કદાચિત અનાહારક પણ બને છે. આ બધી પર્યાપ્તિએને સમય પણ અતમુહૂર્ત પ્રમાણ જ છે.
હવે બાદરપૃથ્વીકાયિકેની પ્રરૂપણ કરે છે-બદર પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–બાદરપૃથ્વીકાયિક જીવે બે પ્રકારના છે. તેઓ આ રીતના છે–શ્લફણ બાદર પૃથ્વીકાયિક અને ખર બાદર પૃથ્વીકાયિક, લેટની જેમ મૃદુ પૃથ્વી સ્લણ કહેવાય છે. તદુરૂપ જીવ પણ ઉપચારથી શ્લફણ કહેલા છે. આવા બાદર પૃથ્વી કાયિકને શ્લેણ બાદર પૃથ્વી કાયિક કહે છે. અથવા શ્લફણ, એ પૃથ્વીનું વિશેષણ છે. આવી બાદર પૃથ્વી જે જીવેના શરીર હોય તેઓ શ્લફણ બાદરે વૃશ્વિકાયિક કહેવાય છે (૨) પદથી અનેક અવાન્તર ભેદ સૂચિત કરાયા છે.
ખર પૃથ્વી તે કહેવાય છે કે જે સંઘાતરૂપ હોય અને કઠોર હોય. તકૂપ જીવ પણ ઉપચાર થી ખર કહેવાય છે. એવા બાદર પૃથ્વીકાયિક ખર બાદર પૃથ્વીકાયિક છે.
અથવા ખર (કઠોર) જે બાદર પૃથ્વી છે, તે ખર બાદર પૃથ્વી એજ જે જીવનું શરીર હોય તેઓ ખર બાદર પૃથ્વી કાયિક. અહીં (૨) પદથી આગળ કહેવામાં આવનારા ચાલિશ ભેદ સૂચિત કરાયા છે
હવે શ્લફણ બાદર પૃથ્વી કાયિકેની પ્રરૂપણ કરાય છે-સ્લર્ણ બાદર પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન ઉત્તર દે છે–ક્ષણ બાદર પૃથ્વી કાયિક જીવ સાત પ્રકારના કહ્યા છે. તે આ રીતે છે–
(૧) કાળી માટી રૂપ પ્રકાર (૨) લીલી માટી (૩)લાલ માટી (૪) પીળી માટી (૫) શુકલ માટી. (આ પાંચ ભેદ પાંચ વર્ણોની અપેક્ષાએ છે) (૬) પાંડુ માટી, જે દેશમાં ધૂળ રૂપે બનીને પાંડુ નામે પ્રસિદ્ધ છે. (૭) પનક માટી જે જગ્યાએથી નદીનું પુર વહ્યું હોય અને ત્યાર પછી જમીન ઉપર ક્લષ્ણુ મૃદુ ૩૫ જે પંક રહી જાય છે અને જેને જલમલ પણ કહે છે. તેજ પનક માટી કહેવાય છે. આ બધા શ્લફણ બાદર પૃથ્વીકાયિક કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
७४