Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે એકાસ્થિકોની પ્રરૂપણા કરે છે–એકાસ્થિવૃક્ષ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–એકાસ્થિવૃક્ષ નાના પ્રકારના હોય છે. તેઓનું ત્રણ ગથાઓમાં કથન કરે છે. તે આ પ્રકારે છે-લીંબડે, આંબે, જાંબુ (તુરાશ વાળ વૃક્ષ) કેશંખ, શાલ, અંકેઠા (જેને અખટ કહે છે) પીલુ, શેલ, સલ્લકી મોચકી; જે કઈ કઈ દેશમાં પ્રસિદ્ધ છે. માલુક. બકુલ–કેસર, પલાશ-ખાખરે, કરંજ-નક્ત માલ, પુત્ર જીવક, અરિષ્ઠ (અરીઠા) વિભીતક-બેડાં, હરીતક-હરડે, ભલ્લાતક (ભીલામુ) ઉમ્બેભરીયા, ક્ષીરણી, ધાતકી, પિયાલ, પૂતિક, લીંબડે, કરંજ, પ્લક્ષણા, શિશપા, અસન (આહન) પુનાગ-કેસર, નાગવૃક્ષ, શ્રીપણું અશોક (આ બધાં લેક પ્રસિદ્ધ છે.)
આ બત્રીસ જાતના વૃક્ષ એકાસ્થિક હોય છે. અને તેવી જાતના બીજા વશે. જે વિભિન્ન દેશમાં થાય છે, અને જેના ફળમાં એક જ ગેટલી હોય છે. એ બધાને એકાસ્થિ સમજવા જોઈએ.
આ એકાસ્થિક વૃક્ષના મૂળ અસંખ્યાત છ વાળા હોય છે, અર્થાત્ પ્રત્યેક મૂળમાં અસંખ્યાત પ્રત્યેક શરીર જીવ હોય છે. કેન્દ્રની નીચે જમીનમાં અંદર ફેલાએલ ભાગ મૂળ કહેવાય છે. અને મૂળના ઉપર કન્ટ હોય છે.
| શાખાઓ સ્થૂલ મૂળ સ્થાન સ્કંધ કહેવાય છે. વલ્કલ અર્થાત્ છાલને ત્વચા કહે છે. શાલ અર્થાત્ શાખા, પ્રવાલ અર્થાત કુંપળ. પૂર્વોક્ત એકાસ્થિક જીવ વૃક્ષના પાંદડાં પ્રત્યેક જીવ હોય છે અર્થાત્ એક એક પાંદડામાં એક એક જીવ હોય છે. પરંતુ તેના પુપમાં અનેક જીવ હોય છે. તેઓના ફળ એક અસ્થિ વાળો હોય છે.
ઉપસંહાર કરે છે આ એકાસ્થિક વૃક્ષની પ્રરૂપણું થઈ હવે બહુબીજ વૃક્ષની પ્રરૂપણા કરે છે જેના ફળમાં અનેક બીજ હોય છે, તે વૃક્ષો બહુ બીજક કહેવાય છે. પ્રશ્ન પુછાયે છે કે બહુ બીજક વૃક્ષ કેટલા પ્રકારના કહેલા છે?
શ્રી ભગવાને ઉત્તર આપે-બહુ બીજક વૃક્ષ અનેક પ્રકારના કહ્યા છે તેઓ આ પ્રકારે છે–અસ્થિક, તિન્દુક, કપિ, અમ્બાડગ, માતુલિંગ –બીજેરૂં બિલવ, આંબળા, પનસ, દાડમ, અશ્વત્થ, ઉદુમ્બર–ઉંબરડો, વડ, ન્યગ્રોધ, નન્દિવૃક્ષ, પિંપળ, શતરી, પ્લેક્ષ, ખાખરે, કાદંબરી, કુસ્તુભરી, દેવદાલી, તિલક, લવક, છત્રપગ, શિરીષ, સાદડ, દધિપણું, લેધર, ધવ, ચન્દન, અર્જુન; નીપ, કુટજ, અને કદમ્બ.
અસ્થિથી આરંભીને કદમ્બ સુધીના જે બહુબીજક વૃક્ષ બતાવ્યાં છે તેઓમા બિંભવ આદિ કોઈ કોઈ તે બહુ જ પ્રસિદ્ધ છે, અને અસ્થિક આદિ કઈ કઈ કઈ ખાસ પ્રદેશમાં પ્રસિદ્ધ છે.
આવી જાતનાં જે બીજા છે, એ બધાંયને બહુ બીજક જાણવા જોઈએ. આ બહુ બીજક વૃક્ષેના મૂળ પણ અસંખ્યાત જીવાત્મક હોય છે. એના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
८८