Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુકુલી સર્પો કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–તેઓ પણ અનેક પ્રકારના હોય છે, જેમકે દિવ્યાક, ગોનસ, કષાધિક, વ્યતિકુલ, ચિત્રલી, મંડલી, માલી અહિ, અહિ શલાક, અને વાસપતાકા આવી જાતના જે કઈ હોય તેઓને પણ મુકુલી સર્પ સમજવાના છે. આ મુકુલી સર્પની પ્રરૂપણ થઈ અને અહિની પણ પ્રરૂપણા પુરી થઈ. - હવે પ્રશ્ન એ છે કે અજગર કેટલા પ્રકારના હોય છે ?
શ્રી ભગવાને જવાબમાં કહ્યું અજગર એક જ પ્રકારના હોય છે. આ અજગરની પ્રરૂપણ થઈ.
આસાલિયાના કેટલા પ્રકાર છે?
હે ભગવન આ આસાલિકાની ઉત્પત્તિ ક્યાં થાય છે? આસાલિકા ગર્ભ જ નથી પરંતુ સંમર્ણિમ છે. તેથી તેઓ માટે “સંમુરજી ક્રિયાપદને પ્રયોગ કરાવે છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! આ આસલિકે મનુષ્યના ક્ષેત્રની અંદરજ અર્થાત્ અઢી દ્વીપમાં જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય ક્ષેત્ર કહીને અઢાઈ દ્વીપનું જે કથન કર્યું છે તે સ્પષ્ટતાને માટે છે. વસ્તુતાએ મનુષ્ય ક્ષેત્ર અઢાઈ દ્વીપને જ કહે છે. અગરતો એમ સમજવું જોઈએ કે આસાલિકેની ઉત્પત્તિ લવ સમુદ્ર અગર કાલેદધિ સમુદ્રમાં નથી થતી, દ્વીપમાં જ થાય છે, આ પ્રગટ કરવાને માટે જ મનુષ્ય ક્ષેત્રની સાથે “અઢાઈ દ્વીપ ને ઉલ્લેખ કર્યો છે. કેઈ જાતના વ્યાઘાતના અભાવમાં એ પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે.
પાંચ ભરત તેમજ પાંચ અરવત ક્ષેત્રોમાં સુષમ સુષમા આદિ અગર દુષમ દુષમા આદિ કાલ વ્યાઘાત કારી ન હોય તે અર્થાત્ આ આરાઓ ન હૈય તે પંદર કર્મ ભૂમિમાં તેમની ઉત્પત્તિ થાય છે. અગર પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્રોમાં પૂર્વોક્ત વ્યાઘાત હોય તે ત્યાં ઉત્પન્ન ન થાય પાંચ મહાવિદેહમાં ઉત્પન્ન થાય છે.
તેનાથી આ પ્રગટ થયું કે આસાલિકની ઉત્પત્તિ ૩૦ અકર્મભૂમિમાં નથી થતી. પંદર કર્મભૂમિમાં અથવા પાંચ મહાવિદેહમાં પણ સર્વત્ર તેમની ઉત્પત્તિ નથી થતી પરંતુ ચક્રવતીના કંધાવામાં સેનાના પડામાં વાસુ દેવના સ્કન્ધાવામાં બળદેવના સ્કન્ધાવારોમાં, માંડલિક અર્થાત્ અલ્પ સમૃદ્ધિ વાળા સાધારણ રાજાઓના સ્કન્ધાવમા, મહા મંડલિક અનેક દેશના સ્વામી ના સ્કન્ધાવમાં તે ઉત્પન્ન થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧ ૩૩