Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે શક્તિથી ભાષાને યોગ્ય પગલેને ગ્રહણ કરીને તેઓને ભાષાના રૂપમાં પલટાવીને અને આલંબન કરીને ત્યાગ કરાય છે. તે શક્તિ ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
જે શકિત દ્વારા મનને પુદ્ગલેને ગ્રહણ કરીને અને તેઓને મનના રૂપમાં પલટાવીને અને આધાર આપીને ત્યાગ કરાય છે. તે શકિત મન:પર્યાપ્તિ કહેવાય છે.
આ છ પર્યાસિઓમાંથી એકેન્દ્રિય જીવમાં ચાર, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચ તથા સંજ્ઞી પંચેન્દ્રિયમાં છએ મળી આવે છે.
પ્રજ્ઞાપના સૂત્રની મૂળ ટીકામાં કહ્યું છે-એકેન્દ્રિયમાં ચાર, વિકલેન્દ્રિમાં પાંચ અને સંસી છોમાં છ પર્યાસિ હોય છે.
જ્યારે જીવ ના જન્મ ગ્રહણ કરે છે તે જે જીવમાં જેટલી પર્યાપ્તિએ સંભવે છે, તે બધાને તે એકી સાથે નિપન્ન કરી દેવાનો પ્રારંભ કરી દે છે. પરંતુ તેઓની પૂર્તિકમથી જ થાય છે.
કમ આ રીતે છે–સર્વ પ્રથમ આહાર પર્યાપ્તિ, તાત્પશ્ચાત્ શરીર પર્યાપ્તિ અને પછી ઇન્દ્રિય પર્યાપ્તિ, ત્યાર બાદ ઉચ્છવાસ પર્યાપ્તિ, તેના પછી ભાષા પર્યાતિ અને અન્તમાં મન:પર્યાસિ પૂર્ણ થાય છે.
આહાર પર્યાતિ પ્રથમ સમયમાં જ પૂર્ણ થઈ જાય છે, બાકીની પર્યાપ્તિઓને પૂર્ણ થવામાં દરેકને અન્તમુહૂર્ત સમય લાગે છે. પરંતુ એ બધાની પૂતિ. પણ અન્તમુહૂર્ત કાળમાંજ થઈ જાય છે.
આહાર પર્યાસિની પૂર્ણતા પ્રથમ સમયમાંજ થઈ જાય છે. આ વિષયમાં શું પ્રમાણ છે?
તેનો ઉત્તર આ છે કે–આહાર પદના દ્વિતીય ઉદ્દેશકમાં કહ્યું છે કે જે જીવ આહા૨ પર્યાપ્તિથી અપર્યાપ્ત છે હે ભગવાન-તે આહારક છે? કે અનાહારક છે? હે ગૌતમ તે આહારક નથી પણ અનાહારક છે.
અનાહારક જીવ વિગ્રહ ગતિમાંજ હોઈ શકે છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં આવ્યા પછી અનાહારક નથી રહેતો. જે જીવ ઉત્પત્તિ ક્ષેત્રમાં આવી ગયું તે પ્રથમ સમય,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
७३