Page #1
--------------------------------------------------------------------------
________________
बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः।
તત્વાર્થાધિગમ સૂત્ર
અભિનવ ટીકા.
અધ્યાય : ૭
અભિનવટીકાકર્તા પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય
મુનિ દીપ૨૯ના સાગ૨
anel and
Page #2
--------------------------------------------------------------------------
________________
बाल बह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स
શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમઃ
તત્ત્વાર્થાધિગમ સૂત્ર આભિનાળ હીક
અધ્યાયઃ -: પ્રેરક
પૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી માઁ સાક્ષ
:અભિનવટીકા-કર્તા:
અભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર
તા.૧૬/૫/૯૪ સોમવાર ૨૦૫૦
માસઃ વૈશાખ સુદઃ૫
અભિનવ શ્રુત પ્રકાશન- ૩૮
Jain Education international
Page #3
--------------------------------------------------------------------------
________________
વિષય અનુક્રમ
ક્રમ
! વિષય
સૂત્ર
| પૃષ્ઠ 2
ર = 2
૧ વ્રત નું સ્વરૂપ ૨ વ્રત ની સ્થિરતા માટેની ભાવનાઓ
હિંસાદિ પાંચેનું સ્વરૂપ ૪ વતી નુ સ્વરૂપ અને ભેદ ૫ વ્રતના ૧૨ ભેદ દ સંલેખનાનું સ્વરૂપ
સમ્યક્ત આદિ બાર વ્રતના અતિચાર ૮ સંખનાના અતિચાર
દાનની વ્યાખ્યા અને વિશેષતા
૩ થી ૭ ૮ થી ૧૨ ૧૩,૧૪ ૧૫,૧૬ ૧૭ ૧૮ થી ૩૧
8 8
૩૨
૯૨ ૧૪૧ ૧૪૪
૩૩,૩૪
૧૫૨
પરિશિષ્ટ ૧ સુત્રાનુક્રમ ૨ ઝિંકારાદિ સૂત્રક્રમ.. ૩ શ્વેતામ્બર દિગમ્બર પાઠભેદ ૪ આગમ સંદર્ભ ૫ સંદર્ભ સૂચિ
૧૫૪
૧૫૬ ૧૫૮ ૧૫૯
ટાઇપસેટીંગઃ- રેકોમ્યુટર્સ, દિગ્વીજય પ્લોટ, જામનગર,ફોનઃ ૨૩૯ પ્રિન્ટીંગ -
નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,ઘી-કાટા રોડ, અમદાવાદ. પ્રકાશક:- અભિનવશ્રુત પ્રકાશન, પ્ર.જે. મહેતા,
પ્રધાન ડાકઘર પાછળ જામનગર-૩૬૧ ૦૦૧.
Page #4
--------------------------------------------------------------------------
________________
बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः
नमो नमो निम्मल सणस्स
-
-
- - - -
(તસ્વાથધગમ સૂત્ર )
તત્ત્વઃ (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વભાવ તે તત્ત્વ.
(૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે
જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ.
(૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ.
(૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ
કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન.
(૨) જ્ઞાન થવું તે. સૂત્રઃ અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર
વાક્ય તે સૂત્ર.
પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ આશ્રવ-બન્ધ-સંવર-નિરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તાર્યાધિગમ સૂત્ર કહયું છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૪
સાતમા અધ્યાયને આરંભે
તત્વાર્થ સૂત્રકારે દશ અધ્યાયોમાં સમગ્ર ગ્રન્થને વિભાજીત કર્યો છે. તેઓ શ્રી આ દશ અધ્યાય થકી સાત તત્વો નો બોધ કરાવે છે. જેમા જીવતત્વ વિષયક વિચારણા પ્રથમ ચાર અધ્યાયમાં કર્યા પછી, પાંચમાં અધ્યાયમાં અજીવ તત્વ અને છઠ્ઠા અધ્યાયમાં આસ્રવ તત્વ સંબંધિ વિશદ્ ચર્ચા કરી છે
આ અધ્યાયમાં મુખ્યત્વે વ્રત-વ્રતની ભાવના અને વ્રતના અતિચાર એ જ વિષય ક્ષેત્ર છે. આસ્રવ ને જણાવતા અધ્યાય-છઠ્ઠામાં સૂત્રઃ૧૩ માં વ્રતી શબ્દ આવે છે આ વ્રત શબ્દ મૂળ વ્રત શબ્દ ઉપરથી બનેલો છે તેથી વ્રત અને વ્રતી ની વ્યાખ્યા,વ્રત અતી ચાર આદિ સમગ્ર ચર્ચા નો મુખ્યસાર વ્રત વિષયક વિસ્તૃત માહિતી પ્રદાનનો જણાય છે
જીવાદિ સાત તત્વોના સંબંધમાં કહીએ તો આ અધ્યાયનું વર્ણન આસ્રવતત્વ સાથે સંબંધ ધરાવે છે એમ કહી શકાય કેમ કે વ્રતના અતિચારો આસ્રવ રૂપે છે જેનું વર્ણન આ અધ્યાયમાં સવિસ્તાર થયેલું છે
-વળી અતિચાર સમજવા માટે વ્રતોનું જ્ઞાન હોવું એ નિતાન્ત આવશ્યક છે માટે આરંભમાં વ્રત સંબંધિ ઉલ્લેખો પણ કરાયેલ છે. સૂત્રકાર મહર્ષિપ્રથમ સૂત્રમાં વ્રત ની વ્યાખ્યા કરે છે, ત્રીજા સૂત્રમાં વ્રતને માટેની પાંચ-પાંચ ભાવનાનેજણાવેછેસૂત્રઃ૮ થી ૧૬ મધ્યે પ્રત્યેક વ્રતના સ્વરૂપની સ્પષ્ટતા કરી સૂત્રઃ૧૮ થી ૩૨ માં વ્રતાતિચાર જણાવે છે જે પરોક્ષ રીતે આસવો જ છે
આ રીતે થતા આસ્રવ અથવા વ્રત સંબંધિ દુષણો નો યોગ્ય અભ્યાસ જીવને આસ્રવથી દૂર થઇ નિરતિચાર વ્રતપાલન થકી મોક્ષમાર્ગે ગમનકરાવવામાં સહાયક થાય છે
Page #6
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧
श्री उमास्वाति वाचकेभ्यो नमः
અધ્યાયઃ-સૂત્રઃ૧
[1]સૂત્રહેતુ - સૂત્રકાર મહર્ષિ વ્રતના સ્વરૂપને જણાવવાના હેતુથી આ સૂત્ર રચના કરે છે [] [2]સૂત્ર:મૂળ:-હિંસાનૃતસ્તેયાનાપરિપ્રદેમ્યોવિરતિવ્રતમ્
[] [3]સૂત્રઃપૃથ-હિંસા અમૃત - સ્તેય - અન્નદ્ઘ - પરિપ્રદેખ્યો વિરતિ: વ્રતમ્ ] [4]સૂત્રસાર:-હિંસા,અસત્ય,ચોરી,મૈથુન અને પરિગ્રહ [એ પાંચ] થી [જાણીને,શ્રધ્ધાપૂર્વક, મન વચન કાયા વડે ] વિરમવું એ વ્રત છે
] [5]શબ્દજ્ઞાનઃ
હિંસા- હિંસા
અસ્તેય ચોરી
પ્રિ-પરિગ્રહ
વ્રત-વ્રત
૫
અસત્ય
અમૃત -જૂઠ, અવા-મૈથુન વિપત્તિ-વિરમવું,અટકવું
ત-હિંસાદિ થી વિરમવું તે જ વ્રત
[6]અનુવૃત્તિઃ- પ્રથમ સૂત્ર છે માટે પૂર્વના કોઇ સૂત્રની અનુવૃત્તિ અહીં વર્તતી નથી [7]અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિ આસ્રવતત્વનો વિસ્તાર જણાવવા માટે આ અધ્યાયમાં પ્રથમ વ્રતોના સ્વરૂપ નોનિર્દેશ કરી પછી વ્રતાતિચાર થકી, થતા કર્માંસવનો નિર્દેશ કરે છે
હિંસા,અસત્ય,ચોરી,મૈથુન, પરિગ્રહ એ દોષોને સમજી તેમનો ત્યાગ સ્વીકારી પછી તે દોષોને ન સેવવા એ ત્રણ પ્રવૃત્તિ ને વ્રત શબ્દ થી અહીં સૂત્રકાર જણાવે છે. આમ પ્રસ્તુત સૂત્ર માંતો દોષ –છેલ્લે દોષનો ત્યાગ,પુનઃસેવન ન કરવું એ ત્રણ વિગત થકી તો છેલ્લે સંવર જ થાય છે. પણ સૂત્રકારનો આશય અહીં સંવર તત્વને જણાવવાનો નથી પરંતુ સાતાવેદનીય કર્માન્નવમાં આવેલ વ્રતી અનુકંપા શબ્દના વ્રતી શબ્દને સ્પષ્ટ કરવાનો છે
- આ હેતુથી જ પ્રથમ વ્રત નો અર્થ જણાવી આગળ સૂત્રઃ૧૩ માં વ્રતો શબ્દનું કથન કરે છે. * હિંH:- પ્રમત્ત યોગ વડે કરીને પ્રાણનો નાશ કરવો તે હિંસા
મૈં હિંસા બે પ્રકારની કહી છે દ્રવ્ય હિંસા ભાવહિંસા
-દ્રવ્યહિસાઃ- પોતાના કે અન્ય આત્માના દ્રવ્યપ્રાણો કે જેના વડે તે જીવનું શરીરસ્થ જીવન જીવાય છે. તેનો અલ્પાંશે કે સર્વથા થાત ક૨વો તે વ્યહિંસા
- ભાવહિંસાઃ- પ્રત્યેક સંસારી જીવમાં પોત-પોતાના ક્ષયોપશમાનુસારે પોતાના જ્ઞાનદર્શન-ચારિત્ર તપ-વીર્ય ગુણમાં જે-જે પ્રવર્તન હોય છે તે ક્ષયોપશમ ભાવનો ઘાત ક૨વો કે ઉન્માર્ગે પ્રવર્તન કરાવવું તે ભાવહિંસા જાણવી
कषायादिप्रमादपरिणतस्य आत्मनः कर्तुः कायादिकरणव्यापाराद् द्रव्यभावभेदेन प्राणव्यपरोपणं हिंसा ।
* અમૃતઃ-અસત્ય, મિથ્યાકથન તે અસત્ય છે
—જે વસ્તુ [ક દ્રવ્ય]ને જે સ્વરૂપે શાસ્ત્રકારોએ જણાવેલ છે. તેને અન્યથા સ્વરૂપે કહેવું
Page #7
--------------------------------------------------------------------------
________________
s
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
જણાવવું તે અસત્ય વચન જાણવું
सद्भूतनिह्नवासद्भूतोद्भावनविपरीतकटुक सावद्यादि मृषावचनम् । સ્તેયઃ-ચોરી,અદત્ત-કોઇએ નહીં આપેલી વસ્તુનું ગ્રહણ તે ચોરી ૐ જે વસ્તુ પોતાની નથી તેને યેન કેન પ્રકારે પોતાની માની ગ્રહણ કરવી,વાપરવી તે परपरी गृहीतस्य स्वीकरणमाक्रान्त्या चौर्येण शास्त्रनिषिद्धस्य वा स्तेयम् । અનાઃ- મૈથુન,સ્ત્રી-પુરુષનું કર્મ-મૈથુન સેવન તે અબ્રહ્મ છે
ૐ આત્માના જ્ઞાનાદિ ગુણોનો ભોગ-ઉપભોગ ત્યજી ને પર પુદ્ગલ દ્રવ્યોનો યોગ તેમજ ભોગ-ઉપભોગ કરવો તે મૈથુન
कषायादिप्रमादपरिणतस्यात्मनः मोहोदयं सति चेतना चेतनस्रोत सोरासेवनमब्रह्म । * પરિપ્ર:-પરિગ્રહ, મૂર્છા પરિગ્રહ છે
ૐ પર પુદ્ગલોનો સંયોગ તેમજ તેનો વિયોગ ન થાય તેવો પ્રયત્ન તે પરિગ્રહ सचित्ताचित्तभिश्रेषुद्रव्यादिषु शास्त्राननुमतेषु ममत्त्वं परिग्रहः
આહિંસાદિપાંચે દોષોથી જાગૃતિપૂર્વક અળગા રહેવાનોપ્રયત્ન પુરુષાર્થતસર્વેહિંસાદિ વિરમણ-વ્રત કહ્યા છે તે આ રીતે
* વિત્તિઃ- વિરતિ એટલે વિરમવું,અટકવું નિવૃત્તિ
વિરતિ એટલે સમજણ પૂર્વક હિંસાદિ દોષોના ત્યાગનો સ્વીકાર
ૐ વિરતિ-ઉપરમ-નિવૃત્તિ- અકરણ એ બધાં એકાર્થક શબ્દો છે विरति : (इति) ज्ञात्वाभ्युपेत्य अकरणम्
વિરમવું તે વિરતિ,જ્ઞાન દ્વારા જાણીને,શ્રધ્ધા થી સ્વીકારીને અને ભાવથી ન કરવું. ज्ञानश्रद्धानपूर्वकचारित्रम् इति यावत् ।
આ સૂત્રમાં વિરતિ શબ્દ હિંસાદ્દિ પાસે દોષો સાથે જોડાયેલ છે. —હિંસા-વિરતિ– હિંસાના પાપથી અટકવું તે હિંસા વિરમણ —અમૃત-વિરતિ-અસત્યના પાપથી અટકવું તે મૃષાવાદ વિરમણ —સ્તેય-વિરતિ-ચોરીના પાપથી અટકવું તેઅદતાદાન વિરમણ —ગવા-વિરતિ- મૈથુનના પાપથી અટકવું તે મૈથુન વિરમણ —પ્રત્રિ-વિરતિ- પરિગ્રહના પાપથી અટકવું તે પરિગ્રહ વિરમણ
સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં વિતિ શબ્દ એક વચન યુકત મુકેલ છે. તે વિરતિ સામાન્યની અપેક્ષાએ અહીં એકવચનનો પ્રયોગ કરેલ છે, વિષયભેદની અપેક્ષાએ નહીં. –સર્વસાવધ નિવૃત્તિરૂપ સામાન્ય સામાયિક વ્રતની અપેક્ષાએ વિરતિ એક વ્રત છે અને ભેદાધીન છે દોપસ્થાપનાની અપેક્ષાએ ઉક્ત પાંચે વ્રત છે કેમ કે સાવદ્ય ત્યાગ શબ્દથી હિંસાદિ પાંચે સાવઘોનો ત્યાગ થઇ જાય છે
વ્રતઃ-વ્રતની સર્વ પ્રથમ વ્યાખ્યા તો સૂત્રકારે સૂત્રમાંજ મુકી છે
ૐ હિંસાદિ પાંચ દોષોથી વિરમવું તે જ વ્રત. हिंसादिभ्यः कायवाङ्मनोभिर्विरति : व्रतम्
Page #8
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્ર: ૧
# હિંસા, અસત્ય,ચોરી,મૈથુન,અને પરિગ્રહએ પાંચેનીમન-વચન-કાયાથીવિરકિત એ જ વ્રત છે જેમ કે મન-વચન-કાયાથકી હિંસા થી વિરમવું તે હિંસા વિરમણ વ્રત
૪ શિષ્ટ સમાચારી અનુસાર વ્રત શબ્દ નિવૃત્તિ તથા પ્રવૃત્તિ બંને અર્થમાં લોકમાં પ્રયોજાય છે.
- જેમ કે હિંસાથી વિરમવું તે વ્રતનો નિવૃત્તિ અર્થ છે અને હિંસાથી નિવલો શાસ્ત્ર વિહિત ક્રિયા અનુષ્ઠાનમાં જ પ્રવર્તે છે તે હિંસા વિરમણ વ્રતનો પ્રવૃત્તિ અર્થ છે
–સૂત્રકારમહર્ષિએતોવિરમM શબ્દથકીતનાનિવૃત્તિઅર્થનેજ કહેલોછેપણઅર્થપત્તિન્યાય થી નિવૃત્તિના કથનમાં પ્રવૃત્તિનો અર્થ સમાવિષ્ટથઈ જાય છે કેમકેનિવૃત્તિ અને પ્રવૃત્તિએપિતાપુત્રની જેમ સાપેક્ષ છે ફક્ત નિવૃત્તિની પ્રધાનતા સૂચવવા તેનું કથન કરેલ છે
–જેમ સાવદ્ય યોગની નિવૃત્તિ એ નિરવદ્ય યોગનું પ્રવર્તન છે -હિંસાની નિવૃત્તિ એ શાસ્ત્ર વિહિત અનુષ્ઠાનું પ્રર્વતન છે -મૃષાવાદની નિવૃત્તિ એભાષાની સમ્યક્ષ્યવૃત્તિ નું પ્રવર્તન છે –મૈથુન ની નિવૃત્તિ એ બ્રહ્મચર્યનું પ્રવર્તન છે –પરિગ્રહની નિવૃત્તિ એ નિષ્પરિગ્રહીતાનું પ્રવર્તન છે
આ રીતે નિવૃત્તિતથા પ્રવૃત્તિએ બંને અંશોથી જદ્રત પૂર્ણતાને પામે છે. સત્કાર્યમાં પ્રવૃત્ત થવું હોય તો અસકાર્યો માંથી પહેલા નિવૃત્ત થવું પડે અને અસતકાર્યો માંથી નિવર્તન થતા આપોઆપ સત્કાર્યમાં પ્રવર્તન થાય છે મન,વચન,અને કાયાના યોગ કયાંક તો જોડાયેલા રહેવાના છે. આથી જયારે તેને અપ્રશસ્ત થી વિરમવાનું થશે ત્યારે પ્રશસ્ત અથવા શાસ્ત્ર વિહિત અનુષ્ઠાન માં જોડાઈ જવાના છે
-આ રીતે દોષોની નિવૃત્તિ ને વ્રત કહેતા તેમાં સત્ પ્રવૃત્તિના અંશો આવી જ જાય છે એટલે કે વ્રત એ માત્ર નિષ્ક્રિયાતા નથી એમ ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ
જ અહિંસાનું પ્રાધાન્ય -બીજાતોકરતાં અક્ષિા પ્રધાન હોવાથી તેનું સ્થાન પહેલું છે. -જેમ પાકની રક્ષા કરવા માટે વાડજરૂરી છે તેમ બાકીના ચાવ્રતો અહિંસાની રક્ષા માટે હોવાથી અહસાવત તેની પ્રધાનતા માનવામાં આવે છે
જ પ્રશ્ન - રાત્રિભોજન વિરમણ એ વ્રત છે છતાં તેનો ઉલ્લેખ અહીં કેમ કર્યો નથી
સમાધાન -સાધુઓના પાંચ મહાવ્રત સાથે સવારે રામોસણાગો વેર-એમ કહીને રાત્રિભોજન વિરમણ પણ ઘણાં કાળથી વ્રત તરીકે પ્રસિધ્ધ થયેલ છે પરંતુ કેટલાંક કારણોથી અત્રે તેનો ઉલ્લેખ થયો નથી. જેમ કે -
(૧)સર્વસામાન્ય-મુખ્ય કે મહાવ્રતમાં તેની ગણના થતી નથી (૨)રરજિનેશ્વરોના શાસનમાંકેશ્રાવકનાતોમાંપણતેનેઅલગવ્રતતરીકેઉલ્લેખથયો નથી
(૩) મૂળવ્રત એવા અહિંસાવ્રત માંથી નિષ્પન્ન થતાં વ્રતોમાં રાત્રિભોજન વિરમણ વ્રત એક ભાગ રૂપજ છે
(૪)હવે પછીના સુત્ર-૩માં કહેવાનારી પાંચ-પાંચભાવનાઓમાં હિંસા-વિરમણવ્રતની એક ભાવના છે. સાવિત પાન મોગન આ ભાવના માં રાત્રિભોજન વિરમણ વ્રતનો
Page #9
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અન્તર્ભાવ થઇ જાય છે
પ્રશ્નઃ- સર્વસાધનાનું ધ્યેય રાગ દ્વેષને દૂર કરવાનું છે મરણ કે રાગ દ્વેષ થી પાપ પ્રવૃત્તિ થાય છે પાપપ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. કર્મબંધ થી સંસાર પરિભ્રમણ થાય છે.માટે આ સમગ્ર પરિભ્રમણને અટકાવવા માટેવતીઓનેરાગ-દ્વેષકેકષાયોનહીં કરવાનોનિયમહોવોજોઇએ
અભિનવટીકા
જેમ ચાવી ખલાસ થતા ઘડીયાળ અટકી જવાની છે તેમ રાગ દ્વેષ દૂર થતા-કષાય નિવારણ થતાં કર્મનો આસ્રવ અને બંધ આપમેળે જ અટકી જશે. પાપ પ્રવૃત્તિ પણ અટકી જ જશે તો પછી હિંસા આદિથી અટકવાનું વિધાન કરવાનેબદલે રાગ-દ્વેષ નહીં કરવા રૂપ નિયમનું વિદ્યાન કેમ નકર્યુ?
સમાધાનઃ-પ્રશ્નબરાબર છે. એ વાત પણ સત્ય જછે કે મુખ્ય ધ્યેય કષાયની પરિણતિનું નિવારણ કરવું એ જ છે. પરંતુ રાગ-દ્વેષ-કષાય માનસિક પરિણામો હોવાથી તેને સર્વથા દૂર ક૨વા થોડા મુશ્કેલ છે.
– માટે સર્વપ્રથમતો રાગ-દ્વેષને જેનાથી પુષ્ટિ મળતી હોય તેને અટકાવવાની જરૂર છે. આ પુષ્ટિ મળવાનું બંધ થતાં કાળક્રમે રાગ-દ્વેષ પણ સર્વથા નષ્ટ થઇ જાય છે
--જે રીતે રોગનો નાશ કરવા માટે પ્રથમ જે કારણોથી રોગ વધતો હોય તે કારણો ને દૂર કરવામાં આવે છે, પછી રોગની દવા કરવામાં આવે છે.તેમ અહીં કષાયો કે રાગ-દ્વેષની વૃધ્ધિનું કારણપાપ પ્રવૃત્તિ છે માટે પહેલાં પાપપ્રવૃત્તિને અટકાવવી જોઇએ પછી શુભ પ્રવૃત્તિ રૂપ કે શાસ્ત્ર વિહિત અનુષ્ઠાનો કરવાથી કાળક્રમે કષાયનો નાશ થાય છે. પરંતુ જો હિંસાદિ દોષો રૂપ સાવદ્ય પ્રવૃત્તિનું સેવન જ ચાલુ હશે તો કષાયો કે રાગ-દ્વેષ કદાપી અટકવાના નથી માટે હિંસાદિ વિરમણ વ્રતો અંગીકાર કરી તેનું યોગ્ય રીતે પાલન કરવાથી કષાય નિવૃત્તિ આવે છે.
બીજી દૃષ્ટિએઃ- કર્મબંધ ના ચાર કારણો જણાવેલા છે. મિથ્યાત્વ અવિરતિ,કષાયઅને યોગ આ ચાર માં અવિરતિનો ક્રમ પહેલોછે અને કષાયનો ક્રમ પછીનો છે. તેથી મિથ્યાત્વના ત્યાગ પૂર્વક અવિરતિ –પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યા પછી જ કષાયોનો ત્યાગ થવાનો છે
જો કે અવિરતિથી કષાય અને કષાય થી અવિરતિ એકબીજા સાથે જોડાયેલા છે, કેમ કે અપ્રત્યાખ્યાની કષાય ના ઉદયથી અવિરતિ આવે અને અવિરતિ જીવને હિંસાદિ દોષોના સેવનથી કષાયમાં વૃધ્ધિ થાય એટલે સહેજ ગુંચવાડો થતો જણાય પણ આપણને ગુણસ્થાનક ક્રમારોહમાં આ પ્રશ્નનો ઉત્તર મળી રહે છે
પહેલા સર્વવિરતિ ગુણઠાણું છે અને પછી કષાયનો ક્ષય થાય છે માટે અવિરતિના ગયા પછીજ કષાયનો ક્ષય થાય છે તે અપેક્ષાએ અહીં હિંસાદિ દોષોની નિવૃત્તિને જણાવી છે પણ રાગ-દ્વેષ ન કરવાનો નિયમ કહ્યો નથી
—સ્થાનાંગના પ્રથમ સ્થાનના ૪૮માં સૂત્રમાં પણ પ્રાણાતિ પાતાદિ પાંચ વિરમણ કહ્યું છે જયારે ક્રોધાદિ કષાયનો વિવેક કહ્યો છે માટે તેનું પચ્ચક્ખાણ ન હોય
પ્રશ્ન:- સૂત્રમાં કે પૂર્વસૂત્રમાં યિદ્િ શબ્દ ન હોવાછતાં સ્વોપજ્ઞ ભાષ્યમાં હ્રાયવાÉનોમિ: નું ગ્રહણ કેમ કર્યુ?
સમાધાનઃ-વિરતિની સાધના આત્મા વડે જ થાય છે, પણ તે આત્મા અવશ્ય તયા કરણ
Page #10
--------------------------------------------------------------------------
________________
અધ્યાય: ૭ સૂત્ર: ૧
-સાધનની અપેક્ષા રાખે છે તેથી મન-વચન-કાયાનું ગ્રહણ કરેલું છે એ સાધનની અપેક્ષાએ છે અને તેથી જ તે યોગ્ય છે
U [સંદર્ભ
$ આગમ સંદર્ભ-પંપ મહદ્ગય પછી, તંગ સેવા પતિવાવાઝો વેરમM जाव सव्वातो परिग्गहातो वेरमणं * स्था. स्था. ५-उ.१, सू.३८५-१
# તત્વાર્થ સંદર્ભઃहिंसा-सूत्र-७:८ प्रमत्तयोगात् प्राणव्यायपरोपणं हिंसा अनृत - सूत्र-७:९ असदभिधानमनृतम् स्तेय - सूत्र - ७:१० अदत्तादानं स्तेयम् अब्रह्म - सूत्र. -७:११ मैथुनमब्रह्म परिग्रह्य सूत्र- ७:१२ मृर्छा परिग्रहः ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)પાક્ષિક સૂત્ર વૃત્તિ (૨)સામાઈય વય જુનો સૂત્ર-પ્રબોધટીકા U [9]પદ્ય (૧) હિંસા અસત્ય ચોરી મૈથુન પરિગ્રહ અટકવું
વ્રત જાણીએ એમ પાંચ ભેદે પાપકૃત્તિથી વિરમવું (૨) હિંસા અસત્ય ને ચોરી, મૈથુન ને પરિગ્રહ
કાયા વાણી અને તેથી, થવું નિવૃત્તિ તે વ્રત
[10]નિષ્કર્ષ - જીવનમાં સર્વ પ્રથમજીવો એ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. આસમ્યગ્દર્શન પ્રગટ કર્યા પછી સમ્યજ્ઞાનપૂર્વક સ્વ-સ્વરૂપમાં સ્થિર રહેવું તેજ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ પણ જયાં સુધી સ્વ-રૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી અશુભભાવોને દૂર કરી હિંસાદિ દોષોથી નિવર્તવું એ જ શ્રેયસ્કર છે
આ અશુભ ભાવોના નિર્વતના અને સમ્યક ચારિત્ર ના પ્રાગ્ટય માટે જ હિંસા-મૃષાઅદત્ત-અબ્રહ્મ અને પરિગ્રહથી નિવર્તવાનું સૂત્રકાર મહર્ષિ એ સૂચિત કરેલ છે.
અને જયારે જીવ આવા દોષોથી વિરમે છે કે વ્રતથી પરિવરેલો હોય છે ત્યારે તે ક્રમશઃ ગુણ સ્થાનકની શ્રેણિએ ચઢે છે દેશ વિરતિ-સર્વવિરતિ-ક્ષપક શ્રેણી આદિ માંડીને ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કરી મોક્ષ પામી શકે છે. અર્થાત આમ્રવનો ત્યાગ-સંવર અને મોક્ષના સાધન ભૂત આ વ્રતોનો સ્વીકાર એજ આ સૂત્રનો નિષ્કર્ષ છે
OOOOOOO
Page #11
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
(અધ્યાયઃ૭-સૂત્ર-૨) D [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી વ્રતના ભેદોને જણાવે છે D [2]સૂત્ર મૂળઃ-શર્વતોમહતી 0 [3]સૂત્ર પૃથફશ - સર્વત: ગg - મદતી
U [4] સૂત્રસાર [હિંસાદિથી દેશ થકી વિરતિ] તે અણુવ્રત અને સર્વ થકી વિરતિ] તે મહાવત છે
0 [5]શબ્દજ્ઞાનટેશત- દેશથી, અલ્પઅંશે, સ્થૂળ વિરમણ] સર્વતઃ- સર્વથી,સર્વાશે, સૂક્ષ્મ (વિરમણ] અણુ - અણુ વિત]
મ-મહા[વત] U [6]અનુવૃત્તિ-સૂત્ર .૭૭ હિંસાનૃતતેયાત્રાપરિમો વિતવ્રતમ
U [7]અભિનવટીકા- ત્યાગની ઇચ્છાવાળા કે દોષ થી વિરમવા વાળા દરેક વ્યક્તિ દોષથી નિવૃત્ત થાય છે પણ તે બધાંના ત્યાગ કેદોષ નિવૃત્તિમાં સામ્યતા હોતી નથી અને આસામ્યતા નો અભાવ એ સ્વાભાવિક પણ છે કેમકે આત્માને વિકાસક્રમ બધાનો ભિન્ન ભિન્ન હોય છે
અહીં સૂત્રકાર મહર્ષિએ આત્યાગ અથવાનિવર્તનની ભિન્ન ભિન્ન કક્ષાને બે ભાગોમાં વિભાજીત કરી છે (૧)દેશથી કે અંશતઃ વિરમણ (૨)સર્વથા વિરમણ
ઉપરોકત સૂત્રમાં જે હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહએ પાંચે પાપો ગણાવેલા છે. તેનો દેશથી અર્થાત અમુક અંશે ત્યાગ કરવો તે અણુવ્રત છે અને તે પાંચેનો સર્વથા ત્યાગ કરવો એ મહાવ્રત છે.
અહીંસર્વથાત્યાગનો અર્થતો સ્પષ્ટ છે કે મનથી, વચનથી કાયાથી આહિંસાદિ દોષો સર્વથા સેવે નહિ, બીજા પાસે સેવરાવે નહીં, અને સેવનારની અનુમોદના પણ કરે નહીં
જયારે દેશથી ત્યાગમાં તો સંપૂર્ણ વ્રતના ૧ ટકાથી ૯ ટકા સુધીનો કોઈપણ અંશએકદેશ જ કહેવાય એટલે કે સમગ્ર હિંસા વિરમણ માંથી જેટલું પણ વિરમે તે બધું દેશથી જ કહેવાય ફર્ક એટલો કેદેશથી વિરમણમાં અનુમોદનાનો ત્યાગ હોતો નથી
-દેશ શબ્દનો અર્થ એક દેશ છે –સર્વ શબ્દનો અર્થ સકળ છે
-સૂત્રમાંકેશ અને સર્વ શબ્દનો સમાસ કરીને ત{ પ્રત્યય લગાડવામાં આવેલ છે તેથી દેરાસર્વત: પદ બનેલ છે
–એજ રીતે ગણુ અને મહત્વ શબ્દ નો % સમાસ કરીને ગપુમતી પદ બનાવેલ છે
-પૂર્વસૂત્રમાંથીવિરતિ શબ્દની અનુવૃત્તિ લેવામાં આવી છે અને તેનો સંબંધવેશવત: સાથે જોડવામાં આવેલ છે તેથીયેશવિરતિ અને સર્વવિરતિ અથવા ટેશત: વિરતિક અને સર્વત: વિરતિક એવા શબ્દ પ્રયોગો થશે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્ર ૨
૧૧ –મધુમતી શબ્દ નપુંસકલગ પ્રયોગ છે. તેથી પૂર્વસૂત્ર નાનપુંસકલિંગી એવા વત શબ્દ સાથે તેને જોડવાનો છે. તેથી મધુવ્રતમ્ અને (મહત) મહાતમ્ એવા શબ્દો તૈયાર થશે
– આ રીતે તૈયાર થયેલા શબ્દોને સંબંધ અનુક્રમ થી જોડતા देशत: विरति: अणुव्रतम् પર્વત: વિરતિ: મહાવ્રતમ્ એમ બે વાકયો બનશે
જ રેશત: તિતિ: અખુન્નતન્ક્સમગ્ઝત ના કોઈ એક દેશથી કેઅલ્પાંશે વિરમવું તેન અણુવ્રત કહે છે
પૂર્વસૂત્રમાં હિંસાદિ પાંચે દોષોથી વિરમવાનું જણાવેલ છે. તેથી અણુવ્રત પણ પાંચ થશે આ અણુવ્રતને સ્થૂળવ્રત પણ કહે છે -૧-સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ$ દેશથી હિંસાની વિરતિ તે સ્થળ પ્રાણાતિપાત હિંસાવિરમણ વ્રત $ નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પ પૂર્વક અને નિષ્કારણ હિંસાથી વિરમવું તે # ઘૂળ જીવ હિંસા ન કરવી તે - શ્રાવકને આ વ્રત સવા વશા પ્રમાણ ગણવામાં આવેલ છે. ધારોકે સાધુને આ વ્રત વીસ વસા એિક માપ છે) જેટલું ગણવામાં આવેતો
(૧)સાધુને ત્રણ સ્થાવર બંને પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ છે જયારે શ્રાવકને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ છે અને સ્થાવરની જયણા છે આ રીતે વીસ“વસા'' માંથી અડધુ રહેતા દશ “વસા” જેટલું પ્રમાણ થયુ છે
(૨)ત્રસ જીવોની હિંસા પણ બે પ્રકારે છે (૧)સંકલ્પથી (૨)આરંભથી
-ગૃહસ્થોને આરંભ જ હિંસાની જયણા હોય છે. સંકલ્પ જન્ય હિંસાનો ત્યાગ હોય છે તેથી દશ વસામાંથી ફક્ત પાંચ વસા નું પ્રમાણ રહેશે કેમ કે આરંભ જન્ય હિંસાનો ત્યાગ તો થશે નહીં
(૩)સંકલ્પ જન્ય હિંસા પણ બે પ્રકારે છે (૧)સાપરાધી (૨)નિરપરાધી. સાપરાધીના સંકલ્પ વધની જયણા હોય છે અને નિરપરાધીના સંકલ્પ વધનો ત્યાગ છે તેથી હવે બાકી રહ્યું અઢી વસા પ્રમાણ. અહીં અપરાધી જીવના વધ-તાડન આદિની હિંસા ની જયણા છે માટે
(૪)નિરપરાધી વધ-બંધનાદિ પણ નિષ્કારણ અને સકારણ બે રીતે હોઈ શકે છે જેમ કે પશુને પાળેલા હોય કે ખેતી વગેરેના કામમાં રોકેલા હોય તો કારણે તેને બંધન-તાડનાદિ કરવા પણ પડે એ જ રીતે કામ કરનાર નોકરોને પણ કયારેક સજા કરવી પડે છે તેને કારણે સકારણ હિંસા કહી છે. નિરપરાધીની આવી સકારણ હિંસાની ગૃહસ્થને જયણા હોય છે જયારે નિરપરાધી પ્રાણી ને વિના કારણ નિર્દયતા થી મારવુંતે નિષ્કારણ હિંસા છે તેનો ત્યાગ કરવાનો છે
આમ નિરપરાધી જીવને સકારણ મારવો તેનો જ ત્યાગ થતો હોવાથી ફકત સવાવશા પ્રમાણ બાકી રહેશે
ટકાવારીની દ્રષ્ટિએ કહીએ તો ૧૦૦ટકા ના મહાવ્રતપાલનની અપેક્ષાએ અણુવ્રતનું પાલન [૬.૨૫] સવા છ ટકા માત્ર થાય છે
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -- સ્થળ મૃષાવાદ વિરમણ વ્રતઃ– દેશથી જૂઠાણાની વિરતિ તે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત
-કન્યાઅલીક ગો-અલીક,ભૂમિ-અલિક, ન્યાસ-અપહાર,કુટસાક્ષી એ પાંચ પ્રકારના અસત્યો નો ત્યાગ તે સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત
-મૃષાવાદ એટલે જુઠુંબોલવું, આ દોષનો અલ્પ અંશે કે એક દેશ પૂર્વક ત્યાગ કરવો તે
# કન્યાઅલિક-સગપણ વગેરે પ્રસંગોમાં કન્યાના વિષયમાં અસત્ય બોલવું તે, જેમ કે કન્યા શીક્ષિત ન હોવા છતાં તે ખૂબ ભણેલી છે તેમ કહેવું ધઉંવર્ણી હોય અને તેને રૂપાળી કહેવી એવા પ્રકારે જે મૃષાવાદ. તે કન્યા-અલીક કહેવાય છે
જો કે કન્યા શબ્દઉપલક્ષણ થી રૂઢ થતો જાય છે તેના મૂળમાં દ્વિપદ સંબંધિજૂઠું બોલવું છે અર્થાત દાસ-દાસી કે નોકર ચાકર સંબંધે અસત્ય બોલવું તે પણ અહીં સમાવેશ પામે છે. જેમ કે નોકરીમાંથી છૂટા કરેલા નોકરને વિશે જૂઠી વાતો ફેલાવવી તે
# ગો-અલકા- ગાય,બળદ,વગેરે પશુઓના સંબંધમાં જૂઠું બોલવું તે ગો-અલીક અથવા ગવાલીક કહેવાય છે.
જેમ કે એક ગાય દશ લીટર દુધ આપતી હોય છતાં પંદર લીટર દુધ આપે છે તેમ કહેવું અથવા વધુ દૂધ આપતી ભેંસનેન વેચવી હોય ત્યારે ઓછું દુધ આપતી કહેવી કે પશુઓ વિશે સદંતર ખોટા ખ્યાલ ઠસાવવા વગેરે ગવાલીક કહેવાય છે
અહીં પણ ગો-શબ્દ ઉપલક્ષણથી છે ખરેખર ચતુષ્પદ અથવા ચાર પગવાળા સર્વ પશુઓનો અહીં સમાવેશ થઈ જાય છે
# ભૂમિ અલિકા- જમીન, મકાન,વગેરે સ્થાવર મિલ્કતના સંબંધમાં જૂઠ બોલવું તે ભૂખ્યલીક કહેવાય છે
– જેમ કે પડતર જમીનને ખેડાણ યોગ્ય કહેવી, ખેડાણ યોગ્ય ને પડતર કહેવી. રસકસ ન હોવા છતાં ફળદ્રુપ કહેવી, ઝઘડામાં હોય છતાં ચોખ્ખી જમીન કહેવી, આવી કોઈપણ રીતે બીજાને છેતરાવાનો પ્રયાસ કરવા જૂઠબોલવું તે ભૂમિ અલિક
અહીં ભૂમિના ઉપલક્ષણથી સમિક્તો સંબંધે સેવાતા મૃષાવાદ નો સમાવેશ કરવો
# ન્યાસ અપહાર - ન્યાસ એટલે થાપણ અને અપહાર એટલે તેને ઓળવવી તે અર્થાત્ થાપણ ઓળવવી
– કોઈએ સાચવવા આપેલી થાપણને પોતાની કરીને રાખી લેવી અથવા સામાધણીને કહેવું કે હુંઆમાં કંઈ જાણતો જ નથી એવું કહેવા દ્વારા થાપણનો અસ્વીકાર કરવો તે ન્યાસાપહાર
–અહીં એક પ્રકારની ચોરી હોવા છતાં તેમાં મૃષાવાદનું જ પ્રાધાન્ય હોવાથી તેનો સમાવેશ અનૃત-વચનમાં કરેલો છે
& ફૂટ સાક્ષીઃ- કોઈની ખોટી સાક્ષી પૂરવી તે કૂટ સાક્ષી નામનો મૃષાવાદ છે. પૈસા કે સત્તાની લાલચથી, લાગવગ થી, શેહ શરમથી, કોર્ટ-કચેરી અથવા લવાદ કે પંચ આગળ કોઈની પણ ખોટી સાક્ષી પૂરવી એ મહા અનર્થનું કારણ છે. માટે દોષ રૂપ છે
- પરંતુ જો કોઈનો જીવ બચાવવા અસત્ય બોલવું પડે તો તેનો અહીં સમાવેશ થતો નથી
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨
–૩ સ્થળ અદત્તાદાન વિરમણ વ્રત# દેશથી ચોરીની વિરતિ તે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત
જ અદત્તાદાન એટલે અણ દીધેલું લેવું અથવા ચોરી. આ દોષનો અલ્પ અંશ કે એક દેશથી ત્યાગ કરવો તે સ્થૂળ અદત્તાદાન વિરમણ વ્રત.
# જેને વ્યવહારમાં ચોરી કહેવામાં આવે છે તે પરદ્રવ્યહરણ, ખીસું કાપવુંદાણચોરી, ધાડ, લૂંટફાટ વગેરે સ્થળ ચોરીનો ત્યાગ તે સ્થૂળ અદત્તાદાન વિરમણવ્રત
# અર્થાત ચોરી કે પર દ્રવ્ય હરણ બે રીતે છે
(૧)સીધું હરણ - માલિકે આપ્યા વિના બળજબરી થી, ફોસલાવીને અથવા ખાતર પાડીને લઈ લેવું તે સીધુ દ્રવ્ય હરણ કે ચોરી છે
(૨)માલિકને ખબર ન પડે તે રીતે મુકતી થી છેતરપિંડી થી કે રાજયના અધિકારી સાથે મળી જઈને અનૂકુળ કાયદા કરાવવા દ્વારા પડાવી લેવું તે આડકતરું દ્રવ્ય હરણ છે
-૪- સ્થળ મૈથુન વિરમણ વ્રત$ દેશથી મૈથુન ની વિરતિ તે સ્થૂલ મૈથુન વિરમણવ્રત
# સ્વપત્ની સિવાયની અન્ય કોઈ સ્ત્રી અથવા પરસ્ત્રી સાથે મૈથુન નો ત્યાગ, તે સ્થળ મૈથુન વિરમણ
૪ પરદાર કે પરસ્ત્રી ગમન થકી વિરમવું તે
અહીં “પર''એટલે પોતાના સિવાયની. એવોઅર્થકરવોઅન્ય મનુષ્યો સઘળાતિર્યંચો અને સઘળાદેવોએબધા “પર છે તેમની તેમની સ્ત્રીઓ સાથેવિષયભોગથીવિરમjઅથવાજે પોતાની સ્ત્રી નથી તે સર્વત્રી થકી વિરમવું તે. તેને સ્વદારા સંતોષ વ્રત પણ કહે છે -પ-સ્થૂળ પરિગ્રહ વિરમણ વ્રતઃ૪ દેશથી પરિગ્રહ-મમતાથી વિરતિ તે સ્થળ પરિગ્રહ વિરમણ વ્રત
# રોકડ,દુકાન,ઘર,દાગીના, રાચરચીલું વગેરે દરેકનો અમુક અમુક પ્રમાણથી વધારેનો ત્યાગ તે રીતે પરિગ્રહનું પરિમાણ નક્કી કરવું તે પણ પરિગ્રહ પરિમાણ અર્થાત્ સ્થૂળ પરિગ્રહ વિરમણ વ્રત કહેવાય છે.
૪ પરિગ્રહના પરિમાણની મર્યાદા નક્કી કરવી તે * સર્વત: વિરત-મહાવ્રતમ:- હિંસાદિ દોષોથી સર્વથા વિરમવું તેનેમહાવત કહેવાય છે. હિંસાદિ દોષો પાંચ છે માટે મહાવ્રત પણ પાંચ સમજવા.
-૧-સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત-સર્વ પ્રકારના જીવની હિંસાનો ત્યાગ તે [જીવ ના ભેદો માટે ગ.ર-૧૦ થી ૧૫ જૂઓ
s ત્રસ, સ્થાવર સૂક્ષ્મ,બાદર એમ સર્વ પ્રકારના જીવોની હિંસા ને કરવા-કરાવવાઅનુમોદવા થકી વિરમવું તે સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત -૨-સર્વથા મૃષાવાદ વિરમણ વ્રતઃ- સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ
જ ક્રોધ, લોભ, ભય, હાસ્ય એ કોઈપણ કારણે બોલાતા સર્વઅસત્ય વચનથી અટકવું તે સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
-૩- સર્વથા અદત્તાદાન વિરમણ વ્રતઃ-સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ
દાંત ખોતરવા માટેની સળી જેવી નાનામાં નાની વસ્તુથી માંડીને કોઇપણ અણદીધેલી વસ્તુ ન લેવી તે સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત.
-૪- સર્વથા મૈથુન વિરમણ વ્રતઃ- સર્વ પ્રકારના મૈથુનનો ત્યાગ
ૐ માત્ર સ્ત્રી [ક પુરુષ]સાથે વાત કરવા જેટલા અલ્પ પણ [અર્થાત્ સર્વ પ્રકારના] મૈથુન એટલે કે કામનો સંગ,તેનાથી વિરમવું તે સર્વથા મૈથુન વિરમણ વ્રત. -૫- સર્વથા પરિગ્રહ વિરમણ વ્રતઃ- સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ
વસ્તુ વગેરેમાં અલ્પ પણ મૂર્છા ન રાખવી તે સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત આ રીતે દેશથી વિરમવું તેને અણુવ્રત કહેલ છે અને સર્વથા વિરમવું તેને મહાવ્રત કહેલ છે મહાવ્રત અને અણુવ્રત વચ્ચે તફાવત
-૧-વ્રત સ્વીકારની દૃષ્ટિ એઃ- પાંચે મહાવ્રતોનો સાથેસ્વીકાર કરવાનો હોય છે પોતાની અનૂકૂળતા પ્રમાણે એક-બે એમ છૂટાં છૂટાં મહાવ્રતોનો સ્વીકાર થઇ શકે નહીં
જયારે અણુવ્રતોમાં પોતાની અનુકૂળતા મુજબ એક બે વગેરે અણુવ્રતો સ્વીકારી શકે છે ૨- કોટી-ભેદ સંખ્યા:-મહાવ્રતોમાં ૯ કોટી પચ્ચક્ખાણ હોય છે જયારે અણુવ્રતોમાં ૬-કોટી પચ્ચક્ખાણ હોય છે કારણ કે
—પાંચ મહાવ્રતોમાં મન,વચન,કાયાથી કરવું-કરાવવું અને અનુમોદવું એ રીતે ત્રણ યોગ અને ત્રણ કરણથી [૩X૩] નવ ભેદે પચ્ચક્ખાણ હોય છે જયારે અણુવ્રતમાં મન,વચન,કાયાથી કરવું નહીં-કરાવવું નહી એમ ત્રણ યોગ અને બે કરણથી [૩×૨] છ ભેદે પચ્ચક્ખાણ હોય છે પણ અનુમોદના નો ત્યાગ હોતો નથી.
-૩ છૂટછાટની દૃષ્ટિએ ઃ- પાંચ મહાવ્રતોમાં પાંચે પાંચ નો સ્વીકારતો જરૂરી છે જ તદુપરાંત તેમાં કોઇ છૂટછાટ લઇ શકાતી નથી જયારે અણુવ્રતોમાં પોતે સ્વીકારેલા એક-બે કે પાંચે વ્રતોમાં સંક્ષેપ થઇ શકે છે, અનુકૂળતા મુજબ છૂટછાટ લઇ શકે છે.
-૪ અલ્પબહુત્વઃ- મહાવ્રતોની અપેક્ષાએ નાના વ્રતો હોવાથી તેને અનુ-નાના વ્રતો કહે છે અથવા અણુ વ્રતોની અપેક્ષાએ મોટા હોવાથી તેને મહાવ્રતો કહેવામાં આવે છે -પ મહા કે અણુ કેમ કહ્યા
— —ગુણોની અપેક્ષાએ સાધુ મહાવ્રત ધારી કરતા - ગૃહસ્થો દેશ વિરતિધરો અણુ અર્થાત્ નાના હોય છે માટે તેને અણુ કહ્યા અથવાતો ગૃહસ્થોની અપેક્ષાએ સર્વવિરતિધર માં ગુણો વધુ હોવાથી તેને ‘મહા’ કહેવામાં આવે છે
– ૩- ભગવંત પોતાની પ્રથમ દેશના માં પહેલા સર્વવિરતિ નો અર્થાત્ મહાવ્રતો નો ઉપદેશ આપે છે જયારે તિત્પશ્ચાત] તેના પછી અર્થાત્ અનુ દેશ વિરતિનો ઉપદેશ આપતા હોવાથી તેને અનુવ્રતો કહેવામાં આવે છે
[] [8]સંદર્ભ:
♦ આગમસંદર્ભ:-પંવાળુવ્વતા પળત્તા તં નહા શૂઝાતો પાળાવાયાતો વેરમાં શૂછાતો मुसावायातो वेरमणं, थूलातो अदिन्नादाणातो वेरमणं, सादारा संतोषे इच्छापरिमाणे
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨ * સ્થા, સ્થા. ૫. ૨૮૨/
[એજ પ્રમાણે મહાવ્રતો ને માટે પૂર્વ સૂત્ર ૭:૧ માં જણાવેલા મહાવ્રત સંબંધિ આગમ પાઠપણ જોવો સ્થાસ્થા. ૧,૩૨,૨૮૧/૨
૪ તત્વાર્થ સંદર્ભ(૧)હિંસા-પ્રમોતિ પ્રાવ્યપરોપ હિંસા સૂત્ર. ૭:૮ (૨)અનૃત-સમધાનનૃતમ્ સૂત્ર. ૭:૨. (૩)સ્તેય-મત્તાવા તેય સૂત્ર. ૭૨૦ (૪)અબ્રહ્મ-મૈથુનમત્ર - સૂત્ર. ૭:૧૨ (૫)પરિગ્રહ-મૂછપરિપ્રદ સૂત્ર. ૭:૨૨
૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) પાક્ષિક સૂત્ર વૃત્તિ (૨)વંદિતુ સૂત્ર-પ્રબોધટીકા
[9]પધઃ(૧) દેશથી અટકવું તે અણુવ્રત પ્રભુએ કહ્યું
સર્વથી જે અટકવું તે મહાવ્રત શાસ્ત્ર ભર્યું અલ્પાંશે વળી સર્જાશે વિરતિ અણુ-મહાવ્રતો
તે બેની સ્થિરતા માટે ભાવના પાંચ પાંચ હો U [10] નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ સૂત્રમાં તો અણુવ્રત અને મહાવ્રતની વ્યાખ્યા કરવા સિવાય બીજી કોઈ વિશેષ વાત જણાવતા નથી પણ અર્થથી અણુવ્રત અને મહાવ્રત વચ્ચેનો તફાવત સુસ્પષ્ટ થઈ જાય છે
અહીં વ્રત સાથે અણુ શબ્દ લાગે કે મહા, મુખ્ય વાત એટલીજ છે કે વિરમવું તે વ્રત છે જોજીવને પાંચ દોષોથી અટકવાની કે નીવર્તવાની ઇચ્છા હોય તો પછી થોડું અટકવું કે સંપૂર્ણ અટકવવું એ વિચારણા કરી શકાય
અહીં સૂત્રકાર મહર્ષિ રેશત: અને સર્વત: એ બે શબ્દો થકી દોષોના ત્યાગ કરવા ઇચ્છનાર જીવને ૧ ટકાથી ૧૦૦ટકાની કક્ષામાં જેટલો ત્યાગ કરવો હોય તે કરી શકે છે આ અણુવ્રતોની વ્યાખ્યાકેકથન જીવને દોષોથી વિરમવા માટેનો માર્ગદર્શાવે છે અને મહાવ્રતોની વ્યાખ્યા કે કથન જીવને સંપૂર્ણ દોષમુકત થવાનું સિમાચિહૂન જણાવે છે
આ રીતે સૂત્રકારનો આશય સમજી દેશવિરતિ કે સર્વવિરતિ ને પ્રાપ્ત કરી યથાખ્યાત ચારિત્ર પામી મોક્ષને પ્રાપ્ત કરે તે જ અંતિમ નિષ્કર્ષ છે.
U T U T U
Page #17
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય ૭ સૂત્રઃ૩) D [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પાંચે વ્રતોની પાંચ ભાવનાને જણાવે છે U [2]સૂત્ર મૂળ તતઈ રાવના પશ્વ પશ્વ
[3]સૂત્ર પૃથકક-તત્ત્વ ધૈર્ય - મ મવિના પડ્યું પડ્યું 0 [4સૂત્રસાર -તેડૂતોની સ્થિરતા માટે તે દરેકદ્રતની]પાંચ પાંચભાવનાઓ હોય છે I [5]શબ્દજ્ઞાનઃd-તે વ્રતોની
Wયાઈ સ્થિર કરવા માટે ભાવના-ભાવના, વ્રતને અનુકૂળ પ્રવૃત્તિઓ પષ્ય-પગ્યે-પાંચ-પાંચ,સંખ્યાવાચી શબ્દ છે U [6]અનુવૃત્તિ(१)हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् सूत्र. ७:१ (२)देशसर्वतोऽणुमहती सूत्र. ७:२
[7]અભિનવટીકા- ઉપરોકત સૂત્ર માં જે વ્રતનો ઉલ્લેખ કર્યો તે અહિંસા, સત્ય , અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચે વ્રતોમાંના પ્રત્યેક વ્રતની સ્થિરતા માટે પાંચ-પાંચ પ્રકારની ભાવના હોવાનો સૂત્રકાર અહીં ઉલ્લેખ કરે છે
સૂત્રકાર મહર્ષિસ્વોપજ્ઞ ભાષ્યમાં. આ પ્રત્યેક ભાવનાને વ્રત સંબંધિભાવના રૂપે જ જણાવે છે તેઓએ કયાંય આ ભાવના મહાવ્રત સંબંધિ હોવાનો ઉલ્લેખ કર્યો નથી. જયારે ટીકાકાર સિધ્ધસેન ગણિતથા હરિભદ્રયસૂરિજીઆનોસંબંધ મહાવ્રતસાથેછેતેમ જણાવે છે કારણ કે અન્યત્ર આપાંચપાંચ ભાવનાને મહાવ્રત ની ભાવનાઓ તરીકે જ ઓળખાવાયેલ છે.
જો કે ભાષ્યની માફક દિગમ્બરીય ટીકામાં પણ આ ભાવનાઓ નો વ્રત સંબંધિ ભાવના રૂપેજ ઉલ્લેખ કરેલ છે ત્યાં તો પ્રત્યેક વ્રતની ભાવનાને જણાવવા અલગ અલગ સૂત્ર બનાવેલ છે, તો પણ મહાવ્રત કે અણુવ્રત એવો ભેદ જણાવ્યા સિવાય “વ્રત સંબંધિ ભાવનાઓ” એવાજ ઉલ્લેખો તેમની ટીકામાં મળેલ છે.
પંડિત સુખલાલજી આ મતભેદોનો સમન્વય કરતા જણાવે છે કે
જૈન ધર્મ ત્યાગલક્ષી હોવાને કારણે જૈન સંઘમાં મહાવ્રત ધારી સાધુનું સ્થાન પહેલું હોય છે તેથી આ ભાવના ઓ [મુખ્યત્વે મહાવ્રતને ઉદેશીને વર્ણવવામાં આવી છે છતાં વ્રતધારી પોતાની ભૂમિકા પ્રમાણે સંકોચ વિસ્તાર કરી શકે છે એવીતે (ભાવનાઓ) છે તેથી દેશકાળની પરિસ્થિતિ અને આંતરિક યોગ્યતા ધ્યાનમાં રાખી માત્રવ્રતની સ્થિરતાના શુધ્ધ ઉદ્દેશથી આ ભાવનાઓ સંખ્યા અને અર્થમાં ઘટાડી, વધારી કે પલ્લવિત કરી શકાય છે
* પાવના:- પ્રત્યેક વ્રતમાટે જેની સંખ્યા પાંચ-પાંચની કહી તે ભાવના શું છે? અર્થાત એ ભાવનાનું સ્વરૂપ છે શું છે?
व्रतं चोपभोगाभिषिभिः प्राणिभिधृतिसंहननपरिहाण्या प्रमादबहुलै:दूरक्षमतस्तत्प्रतिपातपरिहार्थ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩ भाव्यन्त इति भावनाः
-ખાસ કાળજી પૂર્વક વિશેષ પ્રકારની અનૂકૂળ પ્રવૃત્તિઓ સેવવામાં ન આવેતો સ્વીકારવા માત્રથી વ્રતો કંઈ આત્મામાં ઉતરતાં નથી. તેથી ગ્રહણ કરેલા વ્રતો જીવનમાં ઉંડા ઉતરે તે માટે, દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થૂળ દ્રષ્ટિએ ખાસ ગણવામાં આવી છે જે પ્રવૃત્તિ ભાવનાના નામથી પ્રસિધ્ધ છે.
જ અહિંસા વ્રતની પાંચ ભાવનાઓઃ
–ઈર્યાસમિતિ,મનોગુપ્તિ,એષણાસમિતિ,આદાન નિક્ષેપણ સમિતિ અને આલોક્તિ પાન ભોજન એ પાંચ ભાવના અહિંસા વતની કહી છે
ભાષ્યઃ-હિંસાયા: સમિતિ:, મનપ્તિ, પુષUITત: માનપUIક્ષતિ:, आलोकितपानभोजनमिति ।
દિગમ્બર સૂત્ર-૪-વાર્મનાતીર્યવાનનિક્ષેપણમત્યોકિતનપોઝનીને પૂછ્યું -૧ ઈર્યાસમિતિઃ# સ્વપરને ફલેશ ન થાય તેવી રીતે યતના પૂર્વક ગતિ કરવી તે ઇર્યાસમિતિ
# જયાં લોકોનું ગમનાગમન થતું હોય, અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે જીવ રક્ષા માટે યુગ પ્રમાણ [અર્થાત સાડાત્રણ હાથ દ્રષ્ટિ રાખીને ચાલવું
# પોતાના શરીર પ્રમાણ સાડા ત્રણ હાથ ભૂમિને જોઈને ચાલવું કે જેથી કોઈ જીવની વિરાધના ન થાય તેવા ગમનાગમન ને ઇર્યાસમિતિ કહે છે.
ईरणम् ईर्या-गमनं तत्र समितिः सङ्गतिः श्रुतरूपेणआत्मनः परिणामः, तदुपयोगिना पुरस्ताद् युगमात्रया दृष्ट्यास्थावरजङ्गमानि भूतानि परिवर्जन्नप्रमत इत्यादिको विधिः ईर्या समिति:
-૨ મનોગુપ્તિઃ# મનને અશુભ ધ્યાનથી રોકી શુભ ધ્યાને લગાડવું તે મનોગુપ્તિ # આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાનમાં મનનો ઉપયોગ રાખવો ૪ મનોયોગને રોકવો અથવા રૌદ્રધ્યાનાદિ દુષ્ટ વિચારોને છોડવા તેને મનોગુપ્તિ કહે છે 2 मनसो गुप्ति: मनोगुप्तिः । मनसो रक्षणमार्तध्यानाप्रचारः धर्मध्याने चोपयोगो मनोगुप्ति: -૩-એષણા સમિતિઃ- [નોંધઃ-દિગમ્બરો અહીં વા૫તિ નું કથન કરે છે]
જ વસ્તુનું ગષણ,તેનું ગ્રહણ કે તેનો ઉપયોગ એ ત્રણ પ્રકારની એષણામાં દોષ ન આવે માટે ઉપયોગ [સાવચેતી રાખવી તે એષણા સમિતિ
૪ ગવેષણા,પ્રહરૈષણા ગ્રામૈષણા એ ત્રણ પ્રકારની એષણામાં ઉપયોગ પૂર્વક વર્તવું ૪ શાસ્ત્રોકત ભોજનાદિ ની શુધ્ધિ નું પાલન કરવાને એષણા સમિતિ કહે છે.
एषणा-गवेषणा-ग्रहण-ग्रास भेदात् विधा । तत्र असमितस्य षण्मपि कायानामपघात: स्यात् । यतस्तत् संरक्षणार्थम् एषणासमितिः समस्तेन्द्रियोपयोग लक्षणा । -૪-આદાન નિક્ષેપણા સમિતિ:
વસ્તુને લેવા મૂકવામાં અવલોકન અને પ્રમાર્જન આદિ દ્વારા યતના [કાળજી]
અ. ૭/૨
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા રાખવી તે આદાન નિક્ષેપણ સમિતિ
૪ આદાન એટલે લેવું અને નિક્ષેપણ એટલે મૂકવું
–વસ્તુલેવોય ત્યારે તેનું દૃષ્ટિથી પડિલેહણ અને પ્રમાર્જન કરવું તેમજવસ્તુમૂકવી હોય ત્યારે જયાં મૂક્વી હોય તે ભૂમિ વગેરે સ્થાનનું નિરિક્ષણ દૃષ્ટિ-પડિલેહણ તથા પ્રમાર્જન કરવું તે
$ જોઈને અને તપાસીને કોઈપણ વસ્તુનેલેવી કે મુક્વી તેને આદાન નિક્ષેપણ સમિતિ કહે છે आदानं ग्रहणं, निक्षेपणं-मोक्षणम् औधिको पहिक भेदस्य उपधे: आदाननिक्षेपणयोः समितिः आगमानुसारेण प्रत्यक्षण प्रमार्जना । -પ-આલોકિત પાન ભોજનઃ
$ ખાવાપીવાની વસ્તુ બરાબર જોઈ તપાસીને લેવી અને લીધા પછી તેવીજ રીતે અવલોકન કરીને ખાવી કે પીવી તે આલોકિત પાન ભોજન.
પાન અને ભોજનને પ્રકાશમાં ચક્ષુથી સૂક્ષ્મ રીતે નિરિક્ષણ કરવા પૂર્વક પ્રકાશવાળા સ્થાને બેસીને ભોજન પાન કરવું
# સૂર્યના પ્રકાશમાં યોગ્ય સમયે ચક્ષુ વડે જોઈ-તપાસીને ભોજન કરવું તેને આલોકિત પાન ભોજન કહે છે.
___4 प्रतिगेहं पात्रमध्यपतितपिण्डश्चक्षुः आदि उपयुकतेन प्रत्यवेक्षणीयः तत्समुत्थागन्तुकसत्वसंरक्षणार्थ मागत्य च प्रतिश्रयं भूयः प्रकाशवप्ति प्रदेशे स्थित्वा सुप्रत्यवेक्षितं पान भोजनं विधाय प्रकाश प्रदेश अवस्थितेन वल्गनीयम्
આ પાંચ પ્રકારની ભાવનાવારંવાર ભાવતા તેનોસ્ટયમાં વાસ કરતા વિશેષે કરીને આચરતા સઘળી હિંસા થી બચવા માટેનો પુરુષાર્થ થાય છે અને અહિંસાવ્રતમાં સ્થિરતા આવે છે.
સત્ય વ્રતની પાંચ ભાવનાઃ# અનુવિચિ ભાષણ ક્રોધ પ્રત્યાખ્યાન,લોભપ્રત્યાખ્યાન,નિર્ભયતા અને હાસ્ય પ્રત્યાખ્યાન એ પાંચ ભાવનાઓ સત્યવ્રતની કહી છે प सत्यवचनस्यानुवीचिभाषणं क्रोधपत्याख्यानं लोभप्रत्याख्यानमभीरुत्वं हास्यप्रत्याख्यानभिति
સ્વોપજ્ઞ ભાષ્ય શોધોમ ધીરુત્વાર્થપ્રત્યાહ્યાનાચનુવવિમા વ પંખ્ય-દિગંબર પરંપરા સૂત્ર-૭:૫ -૧ અનુવીચિ ભાષણઃ# વિચારપૂર્વક બોલવું તે અનુવીચિ ભાષણ
અનુવીચિ એટલે વિચાર. ભાષણ એટલે બોલવું. વિચારપૂર્વક બોલવું તે ૪ શાસ્ત્રોકત અને વ્યવહારથી અવિરુધ્ધ વચન બોલવું અનુવાચિ ભાષણ છે अनुवीचीति देशीवचनम् आलोचनार्थे वर्तते । भाषणं वचनस्य प्रवर्तनम् ।। अतोऽयमर्थ, समीक्ष्यालोच्य वचनं प्ररवर्तितव्यम् । अनालोचितभाषी कदाचिम्भृषाऽप्यभिदधीत । -૨ ક્રોધ પ્રત્યાખ્યાન છે ક્રોધ નો ત્યાગ કરવો
Page #20
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩
૧૯
ક્રોધ નિમિત્તે પ્રાયઃ અસત્ય ભાષા બોલવામાં આવે છે તેથી તેનું પ્રત્યાખ્યાન કરવું क्रोधः कषायविशेषो मोहकर्मोदय निष्पन्नोऽप्रीति लक्षण: प्रद्वेषप्रायः । तदुदयायच्च वक्ता मृषाऽपिभाषेत् । अतः क्रोधस्य प्रत्याख्यानं निवृतिरनुत्पादो वा ।
ક્રોધના પ્રત્યાખ્યાન અર્થાત્ તેની નિવૃત્તિ આત્મામાં નિત્ય ભાવવી જોઇએ,આત્મા સદા આ ભાવમાં વસવાથી સત્યાદિ થી વ્યભિચાર પામતો નથી
-૩- લોભ પ્રત્યાખ્યાનઃ
લોભ નો ત્યાગ કરવો
લોભના નિમિત્તે જીવને પ્રાયઃ અસત્ય ભાષા બોલવામાં આવે છે તેથી તેનું પ્રત્યાખ્યાન કરવું
લોભથી નિવૃત્તિ અથવા આત્મામાં લોભ કષાય નો ઉદય ન થાય તે માટે સતત
ભાવના કરવી
लोभ: तृष्णालक्षणः कूटसाक्षित्वादि दोषाणामग्रणीः । समस्त व्यसनैकराजो जलनिधिरिवदुर्भरः कर्मोदयाविभूतो राग परिणामस्तदुदयादपि वितथभाषा भवति ।
अत्र सत्यव्रतमनुपालयता तदाकार परिणामः प्रत्याख्येय इति भावनियम् ।
-૪- ભય પ્રત્યાખ્યાનઃ
ભય નો ત્યાગ કરવો તે ભય પ્રત્યાખ્યાન
ભયના નિમિત્ત થી પ્રાયઃ અસત્ય ભાષા બોલવામાં આવે છે માટે તેનું પ્રત્યાખ્યાન કરવું ભય એટલે ઇહલોક [મનુષ્ય થી] ભય, પરલોક [તિર્યંચ] થી ભય,આદાન[કોઇ લઇ જશે તેવો] ભય, અકસ્માત [વીજળી વગેરેનો] ભય,આજીવિકા [જીવન-નિર્વાહ]ભય, મરણભય, અપકીર્તિભય. આ સાત પ્રકારના ભયથી નિવૃત્તિ અને આત્મા આવા ભયથી વાસીત ન થાયતો તેવી સતત ભાવના કરવી
भयशीलो भीरुः तच्चैहिकादिभेदात् सप्तधा मोहनीय कर्मोदय जनितमुदयाच्च तस्यानृतभाषणं सुलभं भवती इति अभीरुत्वं भावयेत् ।
-૫- હાસ્ય પ્રત્યાખ્યાનઃ
” હાસ્યનો ત્યાગ કરવો તે હાસ્ય પ્રત્યાખ્યાન
હાસ્યના નિમિત્તેપ્રાયઃઅસત્યભાષા બોલવામાં આવે છે માટે તેનું પ્રત્યાખ્યાન કરવું હાસ્યથી નિવૃત્ત થવું અને આત્મા આવા હાસ્યથી વાસિત ન થાય તેવી સતત ભાવના કરવી
हास्य- हसनं मोहोद्भवः परिहासस्तत्परिणतो ह्यमात्मा परिहसन् परेण सार्धमलिकमपि ब्रूयात् । तस्य परिजिहीर्षया च हास्यप्रत्याख्यायनमभ्युपेयम् ।
—આ રીતે પાંચે ભાવના ભાવતા સત્ય વ્રતમાં સ્થિરતા આવે છે અથવા સત્યવ્રત રક્ષણ ક્ષમ બને છે
જૈ અસ્તેય [અચૌર્ય] વ્રતની પાંચ ભાવનાઓઃ
ૐ અનુવીચિ અવગ્રહ યાચન,અભીક્ષ્ણ અવગ્રહ યાચન, અવગ્રહાધારણ,સાધર્મિક
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાસેથી અવગ્રહ યાચન અને અનુજ્ઞાપિત પાન ભોજન એ પાંચ ભાવના અસ્તેય વ્રતની છે.
* अस्तेयस्यानुवीच्यवग्रह याचनमभीक्ष्णावग्रहयाचनमेतावादित्यवग्रहावधारणं સમાનવેમ્યોગવદિયાનેમનુજ્ઞાપિત પાન મોનનીતિ -સ્વોપજ્ઞ ભાષ્ય
શૂન્યા વિમોવતા વાસ પરોપાળમૈસ્મશુદ્ધિ સધવસંવા: પચ્ચે -દિગંબર પરંપરા
-૧- અનુવિચિ અવગ્રહ યાચનઃ
જ બરાબર વિચાર કરીને જ વાપરવા માટે જોઈતા અવગ્રહ અર્થાત્ સ્થાનની માગણી કરવી તે અનુવીચિ અવગ્રહ યાચન
# અનુવીચિ એટલે વિચાર. અવગ્રહ એટલે રહેવાની જગ્યા યાચના એટલે માંગણી
જે સ્થાને રહેવાનું હોય તેના માલિક પાસે બરાબર વિચાર પૂર્વક જઈ રજા લઈને જ તે સ્થાનમાં વસવું જોઇએ. ઈન્દ્ર, રાજા, ગૃહસ્વામી શય્યાતર અને સાધર્મિક એ પાંચે ગૃહસ્વામી છે તેમની પાસે અવગ્રહ યાચન કરીને વસવાટ કરવો તે ભાવના
आलोच्यावग्रहो याचनीयः । स च पञ्चप्रकारः पठितो देवेन्द्र राज गृहपति शय्यातर साधर्मिकभेदेन । अत्र च पूर्वः पूर्वो बाध्य उत्तर उत्तरो बाधकः इति सञ्चिन्त यो यत्र स्वामी स एव याच्यः -૨- અભણાવગ્રહ યાચનઃ
& રોગ આદિને કારણે ખાસ જરૂરી હોય તો તે સ્થાનો તેના માલિક પાસેથી તેને કલેશ ન થાય તે માટે વારંવાર માગ લેવા તે અભીષણા વગ્રહયાચન
6 સામાન્યથી અવગ્રહની યાચના કરી હોય છતાં રોગાદિ અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ કરવો પડે તો જયારે જયારે જે-જે જગ્યાનો જે-જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે તે-તે જગ્યાનો તે-તે રીતે ઉપયોગ કરવાની યાચના કરવી અર્થાત વારંવાર અવગ્રહ યાચના કરવી ___अभीक्ष्णं - नित्यं मुहुर्मुहुः पूर्वलब्धपरिग्रहो ग्लानाद्यवस्थासु मूत्रपुरीषोत्सर्गस्थानानि दातूचित्तपीडापरिहारार्थ: याचनीयानि
-૩- અવગ્રહ અવધારણઃ
$ માલિક પાસેથી અવગ્રહમાંગતી વખતે જ અવગ્રહનું પરિણામ નક્કી કરી લેવું તે અવગ્રહાલધારણ
– અવગ્રહની માગણી વખતે કેટલી જગ્યાની જરૂર છે તેનો નિર્ણય કરી જરૂર જેટલી જગ્યા માગીને તેટલીજ જગ્યાનો ઉપયોગ કરવો ___ एतावत् इति अवग्रहावधारणं, एतत्परिमाणमस्य एतावत् परिमितं सर्वत: क्षेत्रमवग्रहीतव्यं इत्येतदेवावधारणं ।
-૪ સમાન ધાર્મિક અવગ્રહ યાચનઃ
# પોતાની પહેલા કોઈ બીજા સાધમિકતે સ્થાન મેળવી લીધું હોય અને તે સ્થાનનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે તો તે સાઘર્મિક પાસેથી જ તે સ્થાન માગી લેવું તે સાધર્મિક અવગ્રહ યાચના
Page #22
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩
ર૧ # જે સ્થળે ઉતરવું હોય તે સ્થળે આવેલ સાધર્મિકની અનુજ્ઞા લઈને ઉતરવું જોઈએ.
धर्म चरन्ति- आसेवन्ते इति धार्मिका: । समाना: तुल्या: प्रतिपन्नैकशासनाः सम्यक्त्वादि मुकित साधनसमन्विताः ।
-पूर्वपरिगृहीत क्षेत्रभ्योऽग्रहो याच्यस्तदनुज्ञानाम् हि तत्रासनम् । -પ અનુજ્ઞાપિત પાન ભોજનઃ
# વિધિપૂર્વક અન્નપાનાદિ મેળવ્યા પછી ગુરુને બતાવી તેમની અનુજ્ઞા મેળવીને જ તેનો ઉપયોગ કરવો તે અનુજ્ઞાપિત પાન ભોજન..
# ભોજન લેવા ગુરુની આજ્ઞાપૂર્વકજજવું જોઇએઆજ્ઞામુજબગયા પછી શાસ્ત્રોક્ત વિધિએ ભોજન પાણી લાવ્યા બાદ ગુરુને બતાવવા જોઈએ પછી ગુરુની આજ્ઞાપૂર્વક તે વાપરવા જોઈએ
अनुज्ञापितम् - अनुज्ञां प्रापितम् - अनुज्ञया स्वीकृतं पानभोजनं सूत्रोक्तेन विधिना कल्पनीयमानीय गुरवे निवेद्यालोचनापूर्वकमभ्यनुज्ञातो गुरुणा मण्डल्यामेकको वा भुञ्जीत । આ પ્રમાણેની ભાવનાથી આત્માને વાસિત કરતો તે અસ્તેય વ્રતને અતિક્રમતો નથી.
બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ:# સ્ત્રી, નપુંસક અને પશુ વડે લેવાયેલ શયન આદિનું વર્જન,રાગપૂર્વક સ્ત્રીકથાનું વર્જન,સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોના અવલોકનનું વર્જન, પૂર્વે કરેલા રતિ વિલાસના સ્મરણ નું વર્જન અને પ્રણીતરસ ભોજનનું વર્જન એ બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ છે.
ब्रह्मचर्यस्य स्त्रीपशुपण्डकसंसकतशयनासनवर्जनम्, राग संयुकतस्त्रीकथावर्जनम्, स्त्रीणां મનોન્દ્રિયોવવર્ગન, પૂર્વરતાનુસ્મરગવર્નનમ્ ! પ્રીત રસોગનવિર્ગતિ સ્વોપજ્ઞ ભાષ્ય
स्त्री रागकथाश्रवणतन्मनोहाराङ्गनिरीक्षणपूर्वरतानुस्मरणा वृष्येष्ठ स्व शरीर संस्कारत्यागा: પર્વે – દિગંબર પરંપરા સૂત્ર ૭૭.
-૧ સ્ત્રી પશુપંડક સેવિત શયનાસન વર્જન
# બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીએ પોતાની વિજાતીય વ્યકિત દ્વારા લેવાયેલ શયન કે આસનનો ત્યાગ કરવો તે
# જયાં સ્ત્રીઓનું કેવિજાતીય વ્યકિતનું ગમનાગમન વધારે હોય,જયાં પશુઓ અધિક પ્રમાણમાં હોય,જયાં નપુંસકો રહેતા હોય, તેવી વસતિ કે સ્થાનનો ત્યાગ કરવો
स्त्री-देवमानुषभेदाद् द्विविधाः । पशुग्रहणात् तिर्यग्जाति परिग्रहाः तत्र वडवा - गोमहिष्यादिषु सम्भवति मैथुनम् । एताश्च सचित्ताः अचिताः स्त्रियः पुस्तलेप्यचित्रकर्मादिषु बहुप्रकाराः । पण्डकास्तृतीय वेदादयवर्तिनो महामोहकर्माण: योषास्यसेवनाभिरता: कलीबा इति प्रसिद्धाः । संसक्तमाकुलं शय्यते यत्रास्यते च तच्छयनासनं प्रतिश्रयसंस्तारकासनादि, तच्च बह्वपायत्वाद् वर्जनीयमित्येवमात्मानं भावयेत् ।
-૨ રાગ સંયુકત કથા વર્જન - ૪ બ્રહ્મચારી એ કામ વર્ધક વાતો ન કરવી તે # સ્ત્રીનના રૂપ,કંઠ, વસ્ત્રાદિ કથા રાગ થી કરવી નહીં તે मोहोद्भवः कषायो रागः तदाकारपरिणामो रागसंयुकतः । स्वीणा कथा स्त्रीकथा,
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા रागसंयुक्तस्त्रीकथा । अथवा रागसंयुक्ता चासौ स्त्री कथा चेति रागानुबन्धिनी....चित्तोदधेरवश्यतया विक्षोभमातनोमि तस्मात्व् तद् वर्जन श्रेयः ।
-૩- મનોહર ઈન્દ્રિય અવલોકન વર્જનઃ$ બ્રહ્મચારી એ વિજાતીય વ્યકિતના કામોદ્દીપક અંગો ન જોવા તે ૪ રાગથી સ્ત્રીઓની ઇન્દ્રિયો કે અન્ય અંગોપાંગ તરફ દૃષ્ટિ પણ નહીં કરવી જોઈએ તે
मनोहराणि-मानोन्मान लक्षण युकतानि दर्शनीयानि योषिताम् अपूर्वविस्मयरसनिर्भरतया विस्फारित लोचन: प्रेक्षते...तद् आलोकनादि उपरतिः श्रेयसि इति भावयेत् ।
-૪-પૂર્વ ક્રિીડા સ્મરણ વર્જનઃ# પૂર્વના રતિવિલાસાદિના સ્મરણનું વર્જન ૪ પૂર્વ અવસ્થામાં કરેલી કામક્રીડાઓનું સ્મરણ કરવું જોઈએ નહીં
+ पूर्व पर्याय: तत्र रतं क्रीडितं - विलसितं यदङ्गनाभिः सह तस्यानुस्मरणात् कामाग्निस्तत्स्मरणेन्धनानुसन्धानतः सन्धुक्षते अतस्तद्वर्जनं श्रेय इति भावयेत् ।
-૫ પ્રણીત રસ ભોજન વર્જનઃજ કામોદ્દીપક રસવાળાં નાણાં પીણાંનો ત્યાગ કરવો
# દૂધ,ઘી,માખણ વગેરે સ્નિગ્ધ અને મધુર રસવાળા એવા પ્રણીત આહારનો ત્યાગ કરવો જોઈએ
+ प्रणीत: वृष्यः स्निग्धमधुरादि रस: । ततो भेदो मज्जाशुक्रादि उपचयस्तस्मदपि मोहोद्भवः । अत: सतमाभ्यासतः प्रणीतरसाभ्यव्यवहारो वर्जनीय इत्यात्मानं भावयेद्
જ અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાઓ -
–મનોજ્ઞ કે અમનોજ્ઞસ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં સમભાવ રાખવો એ અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાઓ છે..
• आकिञ्चन्यस्य पञ्चानामिन्द्रियार्थानां स्पर्शरसगन्धवर्ण शब्दानां मनोज्ञानां प्राप्तौ गार्ध्यवर्जनममनोज्ञानां प्राप्तौ द्वेषषवर्जनम्
૪ મનોસામનોસેન્દ્રિયવિષયરા વર્ગના પષ્ય દિગમ્બર આખાય સૂત્ર-૭૬૮
# સ્પર્શ, રસ,ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયો મનોજ્ઞ-ઈષ્ટ] હોય તો એમાં રાગ ન કરવો અને અમનોજ્ઞ [-અનિષ્ટ હોય તો તેમાં દ્વેષ ન કરવો તેવી ભાવના
-અહીં સ્પર્ધાદિ દરેકની એક એક ભાવના હોવાથી પાંચ વિષય માં સમભાવ તે પાંચ ભાવના થશે
# રાગ પેદા કરે તેવાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં ન લલચાવું અને દ્વેષ પેદા કરેતેવા સ્પર્ધાદિ પાંચમાં ગુસ્સે ન થવું તેને અનુક્રમે (૧)મનોજ્ઞામનોજ્ઞ સ્પર્શ સમભાવ, (૨)મનોજ્ઞાનનોજ્ઞ રસ સમભાવ (૩)મનોજ્ઞામનોજ્ઞ ગંધ સમભાવ (૪)મનોજ્ઞામનોજ્ઞ રૂપ સમભાવ અને (૫)મનોજ્ઞા મનોજ્ઞ શબ્દ સમભાવ એમ પાંચ ભાવના છે
अपरिग्रहता तद्भावना पञ्च । मनोज्ञ-इष्टानां स्पर्शरसगन्धवर्णशब्दानां प्राप्तौ-ग्रहणे सति नेह वर्जनम् - राग परिणाम: वर्जनम् । अमनोज्ञानां - अप्रीतिहेतुनां ग्रहणे द्वेष वर्जनम् - क्रोध
national
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૪ मान परिणाम: वर्जनम् ।
વ્રતોનાસ્થિરીકરણ માટે અહીં બતાવેલી પાંચ-પાંચ ભાવનાઓનું યોગ્ય પાલન કરવું તેના પાલન થી તે-તે વ્રતોમાં સ્થિરતા આવે છે.
U [B]સંદર્ભ# આગમ સંદર્ભ- પંગામસ્થ પુણવાં માવો પપ્પા જ સમ. ર૫-૨ #અન્ય ગ્રન્થ સંદર્ભ:-શ્રમણ ક્રિયા સૂત્ર સાથે - પરિશિષ્ટ U [9]પદ્યઃ(૧) તે તે વ્રતોની સ્થિરતામાં ભાવના પાંચ પાંચ છે
એમ ભાવનાઓ સર્વમળતાં પચ્ચીશ પૂરી થાય છે (૨) પેલી ત્રીજી ચોથી સમિતિ મનગુપ્તિ ભોજનપાને
સારી પેઠે જોવું એ છે પાંચ ભાવના પ્રથમવ્રત -૧ વિચાર પૂર્વક ભાષા વદવી ક્રોધ લોભ ભય હાસ્યતજી પાંચ ભાવના બીજાવતની વારંવાર એચિંતવવી -૨ વાપરવાનું સ્થાન માંગવું વિચાર પૂર્વક તે જ રીતે વારંવાર વળી સ્થાન માંગવા તેનો તેના સ્વામી કને ખપે તેટલું સ્થાન જ લેવું વળી સહધર્મ જનો થકી રજા લઈ ખાવું પીવું એ પાંચ ભાવના અસ્તેયની -૩ ત્રિવેદી સેવેલ સ્થાન વવા કથા તથા ઈન્દ્રિય રાગ વર્જવા રસાળએભોજન સ્વાદ ત્યાગવાં છે પાંચ ચોથા વ્રતની ભાવના-૪ મનોજ્ઞ અમનોજ્ઞાદિ સ્પર્શાદિ પાંચ વિષયે
ને સમભાવ છે પાંચ અપરિગ્રહ ભાવના -૫ D [10]નિષ્કર્ષ:-સૂત્રકારે ખૂબ સુંદર વાત આસૂત્રમાં જણાવી છે જો જીવને વ્રતોની સ્થિરતાની જાળવણી કરવી હોય, જો જીવોને નિરતિ ચાર ચારિત્રની પરિપાલના કરવી હોય તો આ પચીસે ભાવના ને ભાવવા તથા આદરવામાં પુરુષાર્થ કરવો જ જોઈશે વળી આ ભાવનાઓ એ ફકત ભાવવાની જ વસ્તુ નથી પણ પ્રવૃત્તિ સ્વરૂપે આચરણ પણ કરવાનું જ છે અને તે આચરણા થકી નિર્દોષ ચારિત્રકે નિરતિચાર ચારિત્રની પરીપાલના થવાની છે. મોક્ષે જીવો આ ભાવના ચરિતાર્થ કરી સુંદર વ્રત પાલન થકી મોક્ષ પ્રાપ્ત કરવો
(અધ્યાય -સૂત્રઃ૪) [1]સૂત્ર હેતુ-પાંચે વ્રતોને સ્થિર કરવા માટેની સર્વસામાન્ય એવી પ્રથમ ભાવના આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે
[2]સૂત્રમૂળ હિંસારિખ્રિહામુત્રાપાયાવતનમ *દિગમ્બર આસ્નાયમાં હિંસાહિત્રિદામુત્રાપાયાવદર્શનમ્ એ પ્રમાણે સૂત્ર રચના છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
તવાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [3]સૂત્ર પૃથક્ક-હિંસડુિ ફુદ - અમુત્ર વ માય ગવદ્ ટર્શનમ્
[4]સૂત્રસાર-હિંસા આદિ [પાંચ દોષો] માં આલોક અને પરલોકના અપાય દર્શન અને અવધ દર્શન ભાવવા.
[અર્થાતુ હિંસાથી આલોક અને પરલોકને વિશે પોતાના શ્રેયોનો નાશ એટલે કે અનર્થની પરંપરાએને પાપનો કરુણવિષાકભોગવવાનું થાય છે, તે વાતની વિચારણા કરવીમતલબ કે તેનાથી વિરમવું ,
I [5]શબ્દજ્ઞાન - હિંસા, અસત્ય,સ્તેય,અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ હિંસાવિહુ- આલોક અમૂત્ર-પરલોક -અને
અપાય-અનર્થ પરંપરા એવદ્ય-ગહિત, પાપ તન- ઉપલબ્ધિ U. [6] અનવૃત્તિઃ- (૧)હિંસાવૃતસ્તેયાત્રા પરપ્રદ..સૂત્ર. ૭૨
(ર)તત્ ઐયર્થ સૂત્ર ૭:૩થી માવના શબ્દ ની અનુવૃત્તિ O [7]અભિનવટીકા-જેનો ત્યાગ કરવામાં આવે તેના દોષોનું ખરું દર્શન થવાથી જ ત્યાગ ટકી શકે છે. એ કારણથી સૂત્રકાર મહર્ષિ અહીં અહિંસા આદિ વ્રતોની સ્થિરતા માટે હિંસા આદિમાં તેના દોષોનું દર્શન કરાવે છે
આ હિંસાદિદોષોનું દર્શન સૂત્રકારે બે રીતે જણાવેલ છે (૧)ઐહિક દોષદર્શન ()પારલૌકિકદોષ દર્શન
હિંસા અસત્ય આદિ સેવવાથી જે ઐહિક આપત્તિઓ અનુભવાય છે, તેનું ભાન સદા તાજું રાખવું તે ઐહિક દોષ દર્શન છે
-અને એ હિંસા આદિથી જે પારલૌકિક અનિષ્ટની સંભાવના કરી શકાય છે, તેનું ભાન રાખવું તે પારલૌકિકદેવદર્શન છે અને આ બંને જાતના દર્શનોના સંસ્કારોને પોષવાતે અહિંસા આદિવ્રતોની ભાવનાઓ છે
હિંસતિયું- મયદર્શન અવદર્શન– કઈ રીતે? [૧] હિંસાઃઆ લોકમાં નુકશાન + नित्योद्वेजनीयो नित्यानुबद्ध वैरश्च
# હિંસક માણસ આ જન્મમાં હંમેશ ઉદ્વિગ્ન અને આકુળ-વ્યાકુળ સ્વભાવનો હોય છે. પોતે ઉદ્વિગ્ન રહે છે અને અન્યને ઉગ કરાવે છે
# કોઈને કોઈની સાથે તેને કાયમ વેરભાવ રહે જ છે અને એ રીતે અન્યપ્રાણી સાથે વૈરની પરંપરા ઉભી થાય છે.
આ જન્મમાં તે પાપનું ફળઃ4 इहैव वधबन्धपरिक्लेशादीन् प्रतिलभते ।
Page #26
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૪
૨૫ x વધ, બન્ય,વગેરે અનેક પ્રકારના કલેશો સહન કરવા પડે છે જેમ કે- આ જન્મમાં ફાંસી, શૂળી,પોતાનું ખૂન વગેરેથી વધ-અને જેલમાં પડવું,દોરડાથી બંધાવું વગેરે બંધ આદિ કલેશો સહેવા પડે છે
# તદુપરાંત ટાઢ તડકો વગેરે કષ્ટો કે બીજી અનેકરીબામણો પણ ભોગવવી પડે છે પરભવમાં તે પાપનુંફળઃ4 प्रेत्य च अशुभां गतिं गर्हितश्च भवतीति । # મરીને પરભવમાં નરકાદિ અશુભ ગતિને પામે છે – અને ત્યાં પણ નિંદવા લાયક અવસ્થામાં રહે છે
ભાવના -તેથી આલોક અને પરલોકમાં નિંદા,દુષ્કર્મ અને ફલેશના કારણભૂત હિંસાનો ત્યાગ કરવો જ કલ્યાણકારી છે, એવી ભાવના ભાવવી
[૨] જૂઠ[મૃત આલોકમાં નુકશાનઃ- अनृतवादि अश्रद्धेयो भवति । $ જૂઠ બોલનાર પર કોઈને શ્રધ્ધા કે વિશ્વાસ રહેતા નથી # અસત્યવાદી લોકમાં અવિશ્વસનીય અને અપ્રિય બને છે આ જન્મમાં તે પાપનું ફળ
व इहैव जिह्वाछेदादीन् प्रतिलभते,मिथ्याभ्याख्यान दुःखितेभ्यश्च बद्धवैरेभ्यस्तदधिकान् દુ:વહેતુન પ્રાતિ |
જ તેને જીભ કપાવાનું દુઃખ ભોગવવું પડે છે -જૂઠું બોલવાથી જેને નુકસાન થયું હોય તેને વૈરબંધાય છે -અવસરે તેને દૂ-જૂઠ બોલનારને કોઈ સહાયતા મળતી નથી –આ રીતે જૂઠ બોલનારો આ લોકમાં પોતાના માટે દુઃખના કારણો ઉભા કરે છે પરભવમાં તે પાપનું ફળઃप्रेत्य चाशुभां गति गर्हितचभवतीति ૪ (૧)મરીને દુર્ગતિમાં જાય છે અને
(૨)ત્યાં પણ નિંદવા લાયક દશા ભોગવવી પડે છે.
ભાવના - તેથી આ લોક અને પરલોકમાં નિંદા લાયક તથા અશુભ ફળોને દેનારા મૃષાવાદનો ત્યાગ કરવો કે તેનાથી વિરમવું એ જ કલ્યાણકારી છે એવી ભાવના ભાવવી
[૩]ચોરી તેિય આલોકમાં નુકશાનઃ2 स्तेन: परद्रव्यहरणप्रसक्तमति: सर्वस्योद्वेजनीयोभवति । ૪ ચોરી કરનારા જીવ અનેકને દુઃખી અર્થાત ઉદ્વિગ્ન કરે છે # સદાચોરી કરવાની વૃત્તિમાં જ તેનું મન ભટક્યા કરે છે તેથી તે પોતે પણ ભયભીત રહે છે ૪ બધાં મનુષ્યો તેની ચોરીના સ્વભાવથી ડરે છે -સાવધાન રહે છે
Page #27
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
—આ ભવમાં તે પાપનું ફળઃ
इहैव च अभिघातवधबन्धनहस्तपादकर्णनासोत्तरौष्ठ छेदनभेदन सर्वस्वहरणबध्ययातनमारणादीन्
प्रतिलभते ।
૨૬
માર-ઝુડ મરણાદિ કષ્ટ આવે છે
” હાથકડી,જેલ,દોરડાથી બંધાવું વગેરે બંધન આવે છે ૪ હાથ-પગ-નાકમ્હોઠ કપાય છે, ચીરાય છે
દંડમાં કયારેક પોતાની બધી મિલ્કતની જપ્તિ થાય છે ફાંસી-શૂળી વગેરેની યાતના પણ ભોગવવી પડે છે
ચોરીથી લાવેલી વસ્તુના રક્ષણ અને નિકાલ માટે અનેક કષ્ટો વેઠે છે, ભોગપભોગ પણ શાંતિથી કરી શકાતો નથી. પકડાઇ જવાનો સદાભય રહે છે અને અપકીર્તી પણ ફેલાય છે પરભવમાં પાપનું ફળઃ
* प्रेत्य चाशुभां गति गर्हितश्च भवति ।
(૧)આ દુષ્કૃત્યના નિમિત્તે સંચિત થયેલા પાપકર્મના બળે વિવિધ દુર્ગતિ કે અશુભગતિમાં ભટકવું પડે છે.
(૨)તેમજ પરલોકમાં પણ નિંદાનું પાત્ર બનેછે
ભાવનાઃ- આ રીતે આ લોકઅને પરલોકમાં નિંદા લાયક તથા અશુભ ફળોને દેનારી ચોરીનો ત્યાગ કરવો કે તેનાથી અટકવું એ જ કલ્યાણકારી છે એવી ભાવના ભાવવી
[૪]અબ્રહ્મ:
–આલોકમાં નુકસાનઃ
★ अब्रह्मचारी विभ्रमोद्भ्रान्तचित्तः विप्रकीर्णेन्द्रियो मदान्धो गज इव निरङ्कशः शर्मनो लभते । मोहाभिभूतश्च कार्याकार्यानभिज्ञो न किं चिदकुशल नारभते ।
કામચેષ્ટાથી ભટકતું મન ગાંડા જેવું રહ્યા કરે છે
ઇન્દ્રિયો ઉપર કાબુ ન હોવાથી, આંધળો ભીત થઇને,છકેલા હાથી જેવો, કોઇને કબજે ન રહેવાથી સુખ કે શાંતિ મેળવી શકતો નથી જયારે અને હરાયા ઢોરની માફક ભટકતો થાય છે. મોહના ઘેનથી ચકચૂર થયેલો એ અવિવેકી,કામાન્ય,અનેકર્તવ્યને સમજયા વગરનો હોવાથી જગતમાં તમામ પાપોકરી શકે છે
તેનું હૃદય અનેક પ્રકારના વિભ્રમોથી ઉદ્ધાન્ત રહે છે બેલગામ ઘોડાની જેમ તેની ઇન્દ્રિયો દોડયા કરે છે આ ભવમાં તે પાપનું ફળઃ
परदाराभिगमन कृताश्व इहैव वैरानुबन्धालिङ्गच्छेदनबधबन्धनद्रव्यापहारादीन् प्रतिलभतेऽपायान् । પરદારા ગમન કરતો મનુષ્ય આ ભવ વૈરાનુબન્ધ ની પરંપરા સર્જે છે લિંગ છેદન,વધુ,બન્ધન અને સર્વદ્રવ્યનું અપહરણ થાય છે વીર્યની ક્ષીણતા, અપકર્તિ,અવિશ્વાસાદિ અનેક અનર્થો થાય છે
Page #28
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૪
૨૭ -પરભવમાં તે પાપનું ફળपर प्रेत्य चाशुमां गतिं गर्हितश्च भवति (૧)પરલોકમાં દુર્ગતિમાં ભ્રમણ કરવું પડે છે (૨)ત્યાં પણ અનેક દુઃખ અને હેરાનગતિ ભોગવવા પડે છે
(૩)તથા વ્યભિચારી હંમેશા નિંદા પાત્ર બને છે ભાવનાઃ- આલોક અને પરલોકમાં નિંદા લાયક તથા અશુભ ફળો ને દેનારા અબ્રહ્મનો ત્યાગ કરવો કે તેનાથી નિવૃત્ત થવું એ જ શ્રેયસ્કર છે
પિપરિગ્રહ - આલોકમાં નુકસાનઃहै शकुनिरिव मांसपेशीहस्तोऽन्येषां क्रव्यादशकुनानात्।ि
# જે રીતે કોઈપક્ષી કે જેના પંજામાં માંસનો ટુકડો લાગેલો રહેતો હોય છે, તે બીજા માંસ ભક્ષી પક્ષીઓનો શિકાર બની જાય છે તેની પાસે થી તે માંસભક્ષી પક્ષી માંસના ટુકડાને લુંટી લે છે અને તેમાસનો ટુકડો મેળવવા પેલા પક્ષીને અનેક પ્રકારે ત્રાસ પણ આપે છે એવી જ રીતે પરિગ્રહ ધારી મનુષ્ય પણ પ્રત્યક્ષ આ લોકમાં ચોર,ડાકુ વગેરેનું નિશાન બની જાય છે પરિણામે ચિંતા અને કાયમી હેરાનગતિ સર્જાય છે આ ભવમાં તે પાપનું ફળ
अर्जन रक्षणक्षयकृतांश्च दोषान् प्राप्नोति । न चास्य तृप्तिर्भवतीन्धनैरिवाग्नेर्लोभाभिमूततत्वाच्च कार्याकार्या न पेक्षो भवति ।
# ધન મેળવવું, સંચય કરવો અથવા તેનો નાશ થવો તેના દ્વારાજે વ્યાકુળતાહેરાનગતિ આદિથાય તે સહન કરવા પડે છે, ધન મેળવવા ટાઢ,તડકો,ભૂખ,તરસ વગેરે અનેક કષ્ટો સહન કરવા પડે છે
મેળવવા માટે શારીરિક અનેક કષ્ટો સહન કરવા છતાં જો ન મળતોમાનસિકચિંતાઆદિદુઃખ ઉત્પન્ન થાય છે. કદાચ જો ધન મળી જાય તોતેના રક્ષણ માટે અનેક કષ્ટો સહન કરવા પડે છે
ચોર-લુંટારા આ ધન લઈ ન જાય તેની ચિંતા, ભય વગેરે માનસિક દુઃખો સદા રહ્યા કરે છે. ધન ઘણું મળવાં છતાં તૃપ્તિ થતી નથી
# જે રીતે ગમે તેટલું બળતણ નાખવા છતાં અગ્નિ જેમ વધતો જાય છે તેમ ગમે તેટલું ઘન મળવા છતાં લોભી માણસને સંતોષ થતો જ નથી. ઉલટો તેનો અસંતોષ વધતો જાય છે અતૃપ્તિ વધતી જાય છે અને અતપ્ત માણસ કદી શાંતિ પામતો નથી
# કેટલાંક ને લાંભાતરાયનો ઉદય થતાં ધનનો નાશ થાય ત્યારે સ્ક્રય બંધ પડી જાય છે, અતિસાર, સંગ્રહણી, ઝાડા,પ્રેસર વગેરે રોગો થાય છે, અથવા મરણ પર્યન્ત માનસિક પરિતાપ રહ્યા કરે છે
# લોભીમાણસ ધન મેળવવાની લાલસામાંવિવેક પણ ભૂલી જાય છે કર્તવ્ય કે અકર્તવ્યની દરકાર રાખતો નથી. હું કોણ છું હુંક્યાસ્થાનમાં છું? અમુક કાર્યમારે કરવા જાઈએકેનકરવા જોઈએ? વગેરે બધું ભૂલી જાય છે. આથી આલોકમાં અનેક સાથે કંકાસ-કજીયો-વૈમનસ્ય કરતોઅપ્રિય થવા માંડે છે અને એ રીતે મળેલ જીવનના સદુપયોગને બદલે તેને વેફે છે
Page #29
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
ૐ લાભાન્તરાયના ક્ષયોપશમથી મળેલા ધન ઉપર અશુભ કર્મના ઉદયે આસકિત જન્મે છે. આ આસકિત જ નવા અશુભ કર્મોને બંધાવનારી થાય છે પણ લોભથી વિવેક શુન્ય બનેલોજીવ કાર્યકે અકાર્ય જાણતો કે જોતો નથી અને આલોકમાં પણ અનેક શારીરિક માનસિક કષ્ટો ને સહન કરે છે.
૨૮
પરભવમાં તે પાપનું ફળઃ
★ प्रेत्य चाशुमां गतिं प्राप्तोति, लुब्धोऽयमिति च गर्हितो भवति ।
આ દુર્ભાવોના નિમિત્તે સંચિત પાપકર્મના ઉદયાનુસાર પરલોકમાં અનેક પ્રકારે દુર્ગતિઓને પ્રાપ્ત કરે છે.
ુ આ લોભીયો છે, કંજુસ છે, એવા એવા વચનો કહીકહીને લોક તેની નિન્દા કર્યા કરે છે. જેમ આપણે પણ આ લોકમાં કોઇ લોભી માટે કહીએ છીએ કે ‘‘ચમડી તુટે પણ દમડી ન છૂટે’’ એવો કંજુસનો કાકો છે.
ભાવનાઃ- આ રીતે આ લોક અને પરલોકમાં નિંદા લાયક તથા અશુભ ફળોને દેનાર પરિગ્રહ થી વિરમવું-નિવૃત્તિ પામવી એજ કલ્યાણનો માર્ગ છે તેવી ભાવના ભાવવી આ પ્રમાણે હિંસાદિ પાંચે દોષોના સેવનથી આ લોક અને પરલોકમાં અનર્થની પરંપરા તથા પાપનો કરુણ વિપાક ભોગવવો પડે છે તેથી
આ પાંચે દોષોનો ત્યાગ કે તેની નિવૃત્તિ એજ કલ્યાણકારી માર્ગ છે [] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભ:- આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર -ધ-ટુ: વમેવ વા માં
ભાવનાઓને આશ્રીને અપાયેલ છે
તત્વાર્થ સંદર્ભ:
सूत्र. ७:१०
(૧)હિંસા -પ્રમત્તયોનાત્ પ્રણવ્યપરોપળ હિંસા સૂત્ર. ૭:૮ (૨)જૂઠ -અસમિયાનમનૃતમ્ સૂત્ર. ૭:૨ (૩)ચોરી -ઞવત્તાવાનું સ્તેય (૪)અબ્રહ્મ -મૈથુનમત્રન (૫)પરિગ્રહ -મૂર્છારિત્રહ: સૂત્ર. ૭:૧૨ [] [9]પદ્યઃ
सूत्र. ७:११
(૧)
સૂત્ર-૪ અને સૂત્ર-૫ નો સંયુકત પદ હિંસાદિ દોષો નહિં અટકતા જીવ ઇહભવ પરભવે આકૃત્તિને અનિષ્ટતાના દુઃખ ગણ સવિ અનુભવે સૂત્ર-૪ અને સૂત્ર-૫ નું સંયુકત પદ્ય
હિંસાદિ પાંચ દોષોમાં આલોકે પરલોકમાં
જોવા અનિષ્ટને દુઃખ આપદ્ એ પાંચ ભાવના
[] [10]નિષ્કર્ષ:-આ સૂત્રમાં વૈરાગ્ય ભાવના ભાવવાની દૃષ્ટિએ તથા હિંસાદિ પાંચે દોષોના વિપાક વિચારણાની દૃષ્ટિએ એક અતિ ઉત્તમ સૂત્ર છે કેમ કે તેમાં હિંસાદિ થી
(૨)
Page #30
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૫
૨૯ થતી આ લોક પરલોકસંબંધિ કર્મવિપાકની અદૂભુત વિચારણા તો છે જ સાથે સાથે જો તેનાથી વિરમવા માં આવે, તેનાથી નિવૃત્ત થવામાં આવે તો વૈરાગ્ય માટે પણ ઉત્તમોત્તમ વિચારણા થઈ શકે છે. આ પાંચે ના વિપાકની વિચારણા અને તેના થકી વિરમવું એટલે ભાવથી અને દ્રવ્ય થી સર્વવિરતિ પણું. અને જો જીવ દ્રવ્ય અને ભાવપૂર્વક સર્વવિરતિ પણાને પામે તો પછી ક્રમશઃ એ પાંચે થી વિરમેલો તે કષાયના નિગ્રહ-ઉપશમ કે ક્ષય સુધી પહોંચી જઇને વિતરાગતાને પામનારો અવશ્ય થવાનો છે.
માટે આ પાંચે ભાવના ભાવપૂર્વક ભાવતા-ભાવતા તેના સર્વથા આચરણ થકી મોક્ષને પામવા રૂપ પરંપર ફળની પ્રાપ્તિ એ જ આ સૂત્રનો નિષ્કર્ષ છે
0 0 0 0 0 0
(અધ્યાયઃ-સૂત્રઃ૫) U [1]સૂત્રહેતુ- વ્રતને સ્થિર કરવા માટે સૂત્રકાર મહર્ષિ સર્વ વ્રત માટેની સર્વ સામાન્ય એવી બીજી ભાવનાને અહી જણાવે છે
U [2] સૂત્ર મૂળ-યુવમેવ વા 0 [3]સૂત્ર પૃથક-યુવમ્ વ વા
U [4] સૂત્રસાર:-અથવા [હિંસા આદિ દોષોમાં ] દુઃખ જ છે [એમ ભાવના ભાવવી] [અર્થાત્ હિંસાદિ પાપો દુઃખરૂપ જ છે એમ વિચારવું
U [5]શબ્દજ્ઞાનઃ૩:-દુ:ખ
વ-જ - અથવા U [6]અનુવૃત્તિ - (૧)હિંસકૃતસ્તેયાત્રHપરિપ્રદ..સૂત્ર ૭:૧ (૨)તશ્ચર્થ ભાવની.. સૂત્ર. ૭:૩
U [7]અભિનવટીકાઃ-જેનો ત્યાગ કરવામાં આવે તેના દોષોનું ખરું દર્શન થવાથી જ ત્યાગ ટકી શકે છે એ કારણથી અહિંસા આદિ વ્રતોની સ્થિરતા માટે હિંસા આદિમાં તેના દોષોનું દર્શન કરવું આવશ્યક મનાયેલ છે
એ દોષ દર્શન સંબંધે પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર જણાવે છે કે ત્યાજય વૃત્તિઓમાં દુઃખનું દર્શન કેળવાયું હોય તો જ એમનો ત્યાગ વિશેષટકે, તે માટે હિંસા આદિ પાંચે દોષોને દુઃખરૂપ જ માનવાની વૃત્તિ કેળવવાનો અર્થાત દુઃખ ભાવનાનો અહીં ઉપદેશ કરવામાં આવે છે
અહિંસા આદિ વ્રત લેનાર પોતાને થતા દુઃખની પેઠે બીજામાં પણ તેનાથી સંભવતા દુઃખની કલ્પના કરે એ જ દુ:ખ ભાવના છે. અને એ ભાવના એ-એવ્રતોના સ્થિરીકરણમાં ઉપયોગી છે
વા:- સૂત્રમાં કહેવાયેલ વ શબ્દ નો એક અર્થ વિકલ્પ છે -અર્થાત હિંસાદિમા અપાય-અવદ્યદર્શન ભાવવું જોઈએ. અથવાતો હિંસાદિ પાંચે દોષો દુઃખ
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ છે એવી ભાવના ભાવવી જોઈએ એટલે કે હિંસાદિ નેવિશે આ બેમાંથી એક ભાવના ભાવવી
# સૂત્રોકત એવા વા શબ્દનો બીજો અર્થ સમુચ્ચય છે
–અર્થાત હિંસાદિ પાંચે દોષોમાં અપાયદર્શન અને અવદ્યદર્શનની ભાવના પણ ભાવવી એટલે કે સૂત્ર ૪ અને સૂત્ર ૫ બંને મુજબની ભાવના ભાવવી તે માટે શબ્દ મુકેલ છે
જ દુ:શ્વમેવ-અહીં સૂત્રકાર મહર્ષિએ: શબ્દ સાથે 4 કાર પણ મુકેલ છે. તેનો અર્થ એજ છે કે હિંસાદિ પાંચે દોષોમાં સુખનાછાંટો પણ નથી. એકબિંદુસમાન સુખ પણ કદીઆદોષોમાં પ્રાપ્ત થતું નથી દુઃખ દુઃખ અને દુઃખ જ છે એમ ભાર પૂર્વક જણાવવા માટે અહિં પર્વ મુકેલ છે.
-हिंसादिषु - हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेषु विषयभूयमापन्नेषु दुःखहेतुषुस्वभावेषु च दुःखबहुलतामेव भावयेत् ।
[૧]હિંસાઃ+ यथा ममाप्रियं दुःखं, एवं सर्व सत्त्वानाम्
$ જેવી રીતે મને દુઃખ અપ્રિય છે તેવી રીતે બધાં પ્રાણીઓને તે અનિષ્ટ છે. મારી હિંસાથી જેમ મને દુઃખ થાય તેમ હું બીજાની હિંસા કરું તો તેને દુઃખ કેમ ન થાય? જેવો હું છું તેવાજ બધાં પ્રાણીઓ છે માટે તેમને પણ દુ:ખ કેમ ન થાય? જેવોહું છે તેવાજ બધાં પ્રાણીઓ છે માટે તેમને પણ દુઃખ થવાનું છે. - $ જેમ દુઃખ અર્થાત્ અનિષ્ટ સંયોગ નિમિત્ત,શરીર અને મનને પીડારૂપ હોવાથી મને પ્રીતિકારી થતા નથી. એ રીતે જગતના બધા જીવોને પણ અપ્રિય છે
ભાવના-વધ, બંધન, છેદન, આદિજેવામપીડાકારી છેતેવાબધાનેદુ:ખદાયી છે તેવુંવિચારી હિંસા થી વિરમવું અથવા હિંસાનો ત્યાગ એ જ કલ્યાણકારી છે તેમ ભાવના ભાવવી.
[૨]અસત્ય, જૂઠ,મિથ્યાભાષણઃ
है यथा मम मिथ्याभ्याख्यानेनाभ्याख्यातस्य तीव्र दुःखं भूतपूर्व भवति च तथा सर्वसत्त्वानाम्।
૪ મિથ્યા ભાષણથી જે રીતે મને દુઃખ થાય છે. કદાચ કોઈ મારા વિષયમાં મિથ્યાભાષણ કરે છે અથવા કોઇએ કર્યુ હોય તો તેથી મને તીવ્ર દુઃખ થાય છે ભૂતકાળમાં પણ થયું છે તેનો મને અનુભવ છે એ રીતે પ્રાણિમાત્રને મિથ્યાભાષણ અર્થાત જૂઠથી દુઃખ થાયછે.
# મને કોઈ જૂઠું કહે અથવા મારા ઉપર કોઈ જૂઠું આળમુકે તો તે નિમિત્તે મને પ્રકૃષ્ટ દુઃખ ભૂતકાળમાં ઉત્પન્ન થયું છે. વર્તમાન માં પણ જૂઠા આળથી મને દુઃખ થાય છે તેવી રીતે તમામ જીવોને આ હેતુથી દુઃખ ઉત્પન્ન થાય છે અને બોલનાર ને પણ બીજા જન્મમાં સદા દુ:ખનો અનુભવ થયા કરે છે
ભાવનાઃ- આમ અસત્યવચન કે જૂઠાઆળથી મારા જેટલું જ દુઃખ અન્યને થતું હોવાથી તેનાથી વિરમવું કે અટકવું એ જ કલ્યાણ કારી છે, તેવી ભાવના ભાવવી
[૩]ચોરી,તેયઃ- यथा मम इष्टद्रव्यवियोगे दुःखं भूतपूर्व भवति च तथा सर्वसत्त्वानाम् । # જેમ મારી કોઈ ઈષ્ટવસ્તુનો વિયોગ થાય તો તેનાથી મને ખૂબજ દુઃખ ભૂતકાળમાં
Page #32
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૫ થયું છે, હાલ પણ થાય છે એ રીતે પ્રાણિમાત્રને પોતાની વસ્તુ ચોરાઈ જવાથી દુઃખ થાય છે કેમકે બધાને પોતાની ઈષ્ટ વસ્તુના વિયોગ-અપહરણથી-ચોરાવાથી મર્મ ભેદી પીડા થાય છે
જ જે રીતે મને ઈષ્ટ એવા સ્વદ્રવ્યનું ચોર દ્વારા અપહરણ થવાથી શારીરિક, માનસિક દુઃખ ભૂતકાળમાં થયું છે હાલ પણ થાય છે તે રીતે જગતના તમામ જીવોને પોતાની મન પસંદ ચીજો ચોરાવાથી દુઃખ થાય છે
ભાવનાઃ- આ રીતે ચોરીથી મારા જેટલું જ દુઃખ જગતના તમામ જીવોને થતું હોઈ ચોરીથી અટકી જવું એ જ કલ્યાણકારી છે તેવી ભાવના ભાવવી ૪િ] મૈથુન,અબ્રહ્મઃ
रागद्वेषात्मकत्वान्मैथुनं दुःखमेव । # મૈથુન કર્મકે અબ્રહ્મનું આચરણ પણ દુઃખજછે કેમકે તે રાગદ્વેષરૂપ છેતીવ્રરાગાદિ થી પ્રેરીત રામાન્ય મનુષ્યો જ આવા પ્રકારના દુષ્કર્મ કરવામાં પ્રવૃત્ત થયા કરે છે તેથી દુઃખ થી દૂર રહેવાને સુખરૂપ સમજવું જોઈએ
-કેમ કે રાગ એટલે માયા-લોભ –અને દ્વેષ એટલે ક્રોધ-માન
માયાછે તે છારૂપઅર્થાત ઠગવિદ્યાવાળી છે તેમાં એકમેકથયેલ પરિણામવાળો હિંસા જૂઠ અને ચોરીમાં પ્રવર્તે છે એ જ રીતે લોભ પણ વૃધ્ધિ આસકિત લક્ષણવાળો હોવાથી ચોરી વગેરેમાં પ્રર્વતમાન થાય છે વળી ક્રોઘામાન વડે પ્રેરાયેલો હિંસાદિમાં પ્રવર્તે છે તે વાત અત્યન્ત પ્રસિધ્ધ છે.
મૈથુન એ આવા પ્રકારના રાગ-દ્વેષનું પરિણામ છે અને રાગ-દ્વેષ કારણથી મૈથુન પણ દુઃખ જ છે તેમ વિચારવું
रागद्वेषावात्मन: स्वभाव: कारणं यस्य तद् दुःखमेव रागद्वेषात्मकत्वाद् हिंसादिवत् ।
પ્રશ્નઃ-મૈથુનને દુઃખ કેમ કહોછો? જે સ્ત્રી પુરુષમૈથુન અર્થાત કામસેવનમાં રત હોય છે તેમને તો સ્પર્શઇન્દ્રિય જન્ય અત્યન્ત આનંદ હોય છે, એક પ્રકારની સુખની અનુભૂતિ થતી હોય છે.
સ્ત્રી પુરુષને ઉપભોગમાં અર્થાત મૈથુનમાં,દંતશ્કેદ માં, આંખો થી તે રૂપને પીવામાં, શરીરને આલીંગવામાં, સ્તનોને નખથી મુખથી કે અન્ય રીતે વિદારવામાં, સંયોગમાં,વીર્યના નીસર્ગ સમયે તે સ્પર્શેન્દ્રિય ના દ્વારમાં ઘણાં પ્રાણીઓને થતો સુખનો અનુભવ પ્રમાણ સિધ્ધ છે પછી તમે કઈ રીતે તેને દુઃખ કહો છો, વળી જે સ્ત્રી પુરુષ પરસ્પર મૈથુના સકત હોય છે તે બંનેને તે ઈષ્ટ હોય છે સુખદાયી હોય છે માટે જ પ્રવૃત્ત થયા હોય છે
સમાધાન -ખરેખર! તમારી વાત યોગ્ય નથી. તે ખરેખર સુખ નથી પણદુઃખ જ છે આ વાતને સમજાવવા સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ એક દૃષ્ટાન્ત આપે છે. સાધ્ય-સાધન સંગતિ અને સમાન દૃષ્ટાન્ત વડે તેની પ્રતિપત્તિ-સમજણ અપાયેલ છે
જેમ કોઈ રાજપુત્રીને ક્ષય કે કુષ્ઠાદિ રોગ થયો. તેનો પ્રતિકાર કરવો તે રોગનું નિદાન કરી તેને દૂર કરવા માટે પથ્યનું આસન અને ઔષધનો ઉપયોગ કરે છે ઉદ્ભવેલ વ્યાધિ શરીર અને મનને બધા પહોંચાડે છે. આ બધાને દૂર કરવા ઔષધાદિ ઉપયોગી થાય છે. અહીં કર્મના ક્ષયોપશમાદિથી તે રોગનું નિવારણ થતા સુખનો ભાસ થાય છે પણ તે કંઈ આત્મત્તિક
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સુખને ઉપજાવવાને સમર્થ હોતું નથી તેના વડે માત્ર દુઃખ પ્રતિબંધ થાય છે તો પણ મૂઢ માણસો તે અવસ્થા વિશેષ ને સુખ માને છે
આ રીતે ખરેખર!મૈથુન એ સુખ નથી પણ ઉદ્ભવેલ એક રોગ કે વ્યાધિનું નિવારણ માત્ર છે બીજું તેને ખણજ આદિ વ્યાધિના ક્ષણિક પ્રતિકાર સમાન હોવાથી દુઃખ જ કહેલ છે જેમ કોઇ ગુંમડું પાકી ગયું હોય તે પ્રાણીને તીવ્ર વેદના થતી હોય તેના રસી વગેરે નીકળી જતાં તે માણસને શાંતિ લાગે છે,તેમ પુરુષ વેદાદિના ઉદયથી તીવ્ર દુઃખ અને અતિ થી પીડાતો, વિવેક ભ્રષ્ટ,સદા આર્ત્તધ્યાન થી પીડાતા મનવાળો માણસ સ્ત્રીના સંયોગમાં વીર્યાદિ છોડે છે તે ગૂમડામાંથી નીકળતા રસીની જેમ મોહનીયકર્મના ઉદયથી સુખ માનવા છતાં દુઃખ જ છે
વળી વીર્યાદિ નિક્ષેપ એ માત્ર મોહજન્ય વ્યાધિનો પ્રતિકાર જ છે. માટે કામસુખ એ દુઃખજ છે. ખૂજલી કે ખરજના રોગીને જેમ ખણતી વખતે બહુ મજા આવે છે તે નખ,લાકડાનો ટુકડો,બરછટ કપડું,કાકરો, પત્થર જે હાથ લાગે તેનાથી શરીર ખજવાળવામાંડે છે ત્યારે તેને ખૂબજ મજા આવે છે પણ પાછળથી લોહી આવી જાય છે અને ખરજ મટે છે ત્યારે તેને ગમે તેટલું સુખરૂપ લાગવાછતા અંતે દુઃખદજ બને. છે તે રીતે કામેચ્છારૂપ રોગથી ઘેરાયેલા જીવને મૈથુન સેવન ક્ષણવાર સુખ રૂપ લાગે પણ અંતે તો દુઃખજ છે.
ભાવનાઃ-વિવેકી માણસ આ લોક અને પરલોકમાં દુઃખના કારણભૂત,દુર્ગતિના કારણભૂત એવા મૈથુન થી વિરમવું કે નિવૃત્ત થવું એ જ કલ્યાણકારી છે તે પ્રમાણે ભાવના ભાવવી [૫]પરિગ્રહઃ
परिग्रहवानप्राप्तप्राप्तनष्टेषु काङ्क्षारक्षणशोषोद्भवं दुःखभेव प्राप्नोति
પરિગ્રહ પણ અપ્રાપ્ત ધનની ઇચ્છાનો સંતાપ,પ્રાપ્ત ધનના રક્ષણની ચિંતા, તેના ઉપભોગમાં અતૃપ્તિ,તેનો નાશ થતા શોક વગેરે કારણ દુઃખ જ છે
જયાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની પ્રાપ્તી ની ઇચ્છાનું દુઃખ,પ્રાપ્ત થયા પછી આ નષ્ટ ન થઈ જાય તેવી વિચારણાથી તેના રક્ષણ કરવા માટે ચિંતિત રહે છે. કદાચ જો તે નાશ પામે તો તે ધનના વિયોગથી ઉત્પન્ન થયેલો શોકથી ઉદ્વિગ્ન રહે છે. આ રીતે પરિગ્રહની અપ્રાપ્તી-પ્રાપ્તિ અને વિયોગે દુઃખ જ છે
” પરિગ્રહ શબ્દથી સચિત્ત-અચિત્તાદિ ભેદ અને મમત્વનો સંબંધ છે. તે મમત્વવાળો જ પરિગ્રહવા કહેવાય છે. તેને અપ્રાપ્તિમાં મેળવવાની કાંક્ષા,પ્રાપ્તિમાં રક્ષણ ની ચિંતા અને નાશ થતા શોકનો ઉદ્ભવ એ સર્વેમાં ખેદ હોવાથી દુઃખજ છે
પ્રશ્નઃ- ધન સંચય થી તો સુખ દેખાયજ છે છતાં દુઃખ કેમ કહો છો? સમાધાનઃ-ધનની અપ્રાપ્તિ-પ્રાપ્તિ-નાશએત્રણેસ્થિતિનાદુ:ખોનોસ્પષ્ટઅભિપ્રાયો
કહેલો જ છે તદુપરાંત જો આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલવવામાં આવે તો ધન-સંપત્તિ એ પર વસ્તુ છે. આ પરવસ્તુથી સુખ-દુઃખ કે લાભ-નુક્સાન થાય તે માન્યતા જ મોટી ભ્રમણા છે માટે પહિાદિ દુઃખજ છે તે આત્મિક સુખરૂપ તો કદાપી ન થાય પણ આ લોકને પરલોકમાં પણ દુઃખના કારણ રૂપ હોવાથી દુઃખ જ છે. ભાવનાઃ- આલોક અને પરલોકમાં દુઃખ તથા દુર્ગતિને દેનાર એવા આ દુઃખના કારણભૂત કે સ્વયમ્ જેદુઃખજછે તે પરિગ્રહ થી અટકવું કે તેનો ત્યાગ કરવો એ જ કલ્યાણકારી છે તેમ ભાવના ભાવવી.
Page #34
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્ર: ૫
૩૩ આ પ્રમાણે હિંસાદિ પાંચે દુઃખજ છે. મહા મહોદયે કદાચ સુખ માનતો હોય તો પણ તે વાસ્તવિક સુખ નથી તેમ માનવાથી -ભાવના ભાવવાથી વ્રતોની સ્થિરતા આવે છે
૪ સૂત્ર ચોથામાં આ પાંચને દુઃખના કારણ રૂપ કહેલા આ સૂત્ર માંતો હિંસાદિ પાપો. સ્વયં દુઃખજ છે તેમ ભાવના ભાવવા કહ્યું છે.
પ્રશ્નઃ- હિંસાદિ પાંચ પાપોથી વિરમવાનું કહ્યું પણ તેના કરતાંયે મહાપાપ મિથ્યાત્વ છે છતાં તેને છોડવાનું કેમ ન કહ્યું?
સમાધાન - આ અધ્યાયનાજ અઢારમાં સૂત્રમાં જણાવે છે નિ:શલ્યોવતી-અર્થાત્ વ્રતી જીવ શલ્ય રહિત હોય છે માટે તેનામાં મિથ્યાત્વ શલ્પ પણ ન જ હોય
અને અહીં વ્રતો એવા શબ્દના સંબંધમાં જ આ અધ્યાયની સમગ્ર ચર્ચાનો આરંભ થયો હોય મિથ્યાત્વરહિતપણા પછી ની અવસ્થાના દોષોને ચિંતવવા જ આ સૂત્રો બનાવ્યા હોય તેમ લાગે છે
U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભ સૂત્રઃ૪ તથા સૂત્રપનો સંયુકત
संवेगिणी कहा चउव्विहा पण्णत्ता तं जहा इहलोग संवेगणी परलोग संवेगणी आत्तसरीरसंवेगणी परसरीरसंवेगणी ।
णिव्वेगणी कहा चउव्विहा पण्णत्ता तं जहा इहलोगे दुचिन्ना कम्मा इहलोग दुहफल विवाग संजुता भवंति । इह लोगे दुचिन्ना कम्मा परलोगे दुहफल विवाग संजुत्त भवंति । परलोगे दुचिन्ना कम्मा इहलोगे दुहफल विवाग संजुत्ता भवंति । परलोगे दुचिन्ना कम्मा परलोगे दुहफल વિવા સંગુત્તા મવતિ | થી, થી. ૪,૩.૨ ૪. ૨૮૨/૨-૧૦
સૂત્રપાઠ સંબંધ - આ સાક્ષી પાઠ પ્રત્યક્ષ રીતે સંબંધિત ન લાગેતો પણ અર્થથી તેમાં સામ્યતા જોવા મળેલી છે જે વાત નો ખ્યાલ થી થાના સૂત્ર ની ટીકા જોવાથી આવે છે
U [9]પદ્ય
પૂર્વ સૂત્રઃ૪માં આ સૂત્રના બંને પદ્યોનો ઉલ્લેખ થઈ ગયો
U [10]નિષ્કર્ષ-આ સૂત્ર પણ પૂર્વ સૂત્રની માફક સુંદર બોધને આપનારું તથા વૈરાગ્ય માં ઉત્કર્ષ લાવનારું છે. સૂત્રકાર મહર્ષિ એ નિરુપીત વાત મુજબ હિંસા-મૃષા-ચોરીમૈથુન અને પરિગ્રહ એ પાંચે દુ:ખ જ છે
જગતના જીવો જયારે હિંસાદિ દોષો એ જ દુઃખ છે તે વાત સ્વીકારતા કે વિચારતા થશે ત્યારે તે ભાવનાના પ્રબલ્યથી તેમનો પોતાનો આત્મિક વિકાસ અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિતો અવશ્ય થવાની જ છે. તદુપરાંત આ અશાંત જણાતા સમગ્ર વિશ્વમાં પણ શાંતિનો સુખનો સંદેશો આ સૂત્ર મુજબની ભાવનાથીજ મળવાનો છે
જગતના દરેક જીવને સ્થાને પોતાનો આત્મા કલ્પવાથી આપો આપ હિંસા-જૂઠ-ચોરી ત્રણે નિર્મૂળ થઈ શકે અને વાસ્તવિક સુખની કલ્પનાથી મૈથુન અને પરિગ્રહ પણ દૂર થવાના જ છે અને એ રીતે સમગ્ર જગત ને સુખી થવાની ચાવી આ સૂત્રમાં પડેલી છે
OOOOOOO અ. ૭/૩
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ૦-સુત્રઃ૬) D [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ વ્રતની માટે સર્વ વ્રતો ને આશ્રીને સર્વ સામાન્ય એવી ત્રીજી ભાવનાને આ સૂત્ર થકી જણાવે છે
[2]સૂત્રમૂળ-મૈત્રીvમોથમીર્થસ્થાન સર્વગુણાધિવત किलश्यमानाविनयेषु | U [3]સૂત્ર પૃથક-ત્રી - પ્રપોઃ - ૭ - માચ્છાનિ - સર્વ - Tufધ - किलश्यामाना - अविनयेषु
U [4] સૂત્રસાર-સર્વજીવ સાથે મૈત્રીભાવ,ગુણથી અધિક હિોય તેવા જીવો પ્રત્યે પ્રમોદ ભાવ,દુઃખ પામતા [જીવો પરત્વે કારુણ્યભાવ,અવિનીત જીવો પરત્વે માધ્યસ્થ [અર્થાત્ ઉપેક્ષા ભાવ [ધારણ કરવો જોઈએ.
I [5]શબ્દજ્ઞાનમરી-મૈત્રી[સ્નેહભાવ પ્રમોર્વ-પ્રમોદ [હર્ષભાવના #ાગ્ય-કરુણા દિયા]ભાવના માધ્યસ્થ- મધ્યસ્થ [ઉપેક્ષાભાવના સર્વ- સર્વ જીવો
મુખધિ- ગુણમાં અધિક હોય તે ૦િમાન- દુઃખ પામતા,દુઃખી જીવો વિયેપુ-અવિનીત,જડપ્રત્યે.
U [6]અનુવૃત્તિ - (१)हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रह (૨)ત માવના:
U [7]અભિનવટીકા:-અહીં સૂત્રકાર મહર્ષિ મૈત્રી,પ્રમોદ,કારુણ્ય અનને માધ્યસ્થ એ ચાર ભાવના ભાવવાનું સૂચવે છે. કોઇપણ સદ્ગુણ કેળવવા માટે મૈત્રયાદિ ચાર ભાવના વધુમાં વધુ ઉપયોગી હોવા થી તે અહિંસાઆદિવ્રતોની સ્થિરતા માં તો ખાસ ઉપયોગી છે જ એમ ધારી નેજ અહીં એ ચાર ભાવનાઓ ઉપદેશવામાં આવેલી છે.
આ ચાર ભાવનાઓનો વિષય અમુક અંશે જુદો જુદો છે કારણ કે તે વિષયમાં એ ભાવનાઓ સાથે તે ચારેના વિષયો પણ સૂત્રકાર મહર્ષિએ જણાવી દીધા છે. આ ચારે ભાવના તથા તેના તેના વિષયોને અનુક્રમે જોડવાથી સમગ્ર સૂત્રનો ભાવ સ્પષ્ટ થાય છે તેથી સર્વપુત્રી સર્વ જીવો પરત્વે મૈત્રી
– શુધિ૬ પ્રમોટું -ગુણવંતો-કે અધિક ગુણવાળા પરત્વે હર્ષ –શ્યિમાનેવું વાળંદુઃખીઆ પરત્વે કરુણા -વિનયે મધ્ય અવિનથી પરત્વે માધ્યસ્થ ભાવના * મૈત્રીભાવના:$ મૈત્રી - અહીં મૂળ શબ્દ મિત્ર છે *દિગમ્બર આસ્નાયમાં મૈત્રીપ્રોગ્યમધ્યસ્થતિ ર સવMષિવર્ધમાનવને -૧ એ મુજબ સૂત્ર છે
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ
-ગમત તેને આ ધાતુને મૌવિજ નો પ્રત્ પ્રત્યય લાગીને વ્યાકરણના નિયમાનુસાર મિત્ર શબ્દ બનેલો છે
-મિતિ તિ મિત્રં, તિર્યંતિ તિ અર્થ: 4 सर्व सत्त्वविषयस्नेहपरिणाम: मैत्री + परेषां दुःख अनुत्पत्ति-मैत्री $ મૈત્રી એટલે જગતના સર્વ જીવો ઉપરનો હાર્દિક સ્નેહ –સવ સિત્તેજગતના જીવ માત્ર પિરત્વે 4 अनादिकर्मबन्धनवशात् सीदन्ति इति सत्वा: -સત્વેષુ મૈત્રીઃ
# મૈત્રીનો વિષય પ્રાણીમાત્ર છે. મૈત્રી એટલે પરમાં પોતાપણાની બુધ્ધિ અને તેથી જ પોતાની પેઠે બીજાને દુઃખી ન કરવાની વૃત્તિ અથવા ઇચ્છા
# કોઈપણ જાતના સ્વાર્થ વિના, કોઈપણ જાતના ઉપકારની આશા વિના, જગતના જીવો પર સ્વાભાવિક પ્રીતી રાખવી એ મૈત્રી
સાધક આત્માએ નાના મોટા, ઉચ્ચ નીચ, સ્વ-પર, ગરીબ કે તવંગર આદિ કોઈપણ જાતના ભેદભાવ રહિત પણેજગતના જીવમાત્ર ઉપર પ્રેમભાવ રાખવો જોઈએ
પોતાના ઉપર અપકાર કરનાર કે દુઃખ દેનાર જીવ પરત્વે પણ મૈત્રી ભાવ રાખવો. આ માટે તેણે સકલ પ્રાણી પરત્વે આત્મવત દ્રષ્ટિ કેળવવી જોઇએ તોજ સકલ જીવો પ્રત્યે મૈત્રી ભાવના આવે
–સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કેक्षमेऽहंसर्वसत्वानाम् क्षमयेऽहं सर्वसत्त्वान् मैत्री मे सर्वसत्त्वेषु वैरं मम न केनचित्
-હું સર્વજીવોની ક્ષમાભાવું છું- ક્ષમા માંગુ છું. સમ્યમન-વચન-કાયા સહ હું જગતના સર્વજીવોની, તેમાં પણ જેણે મારા તરફ અપકાર કરેલ છે તેવા ઓની પણ પ્રશસ્ત ચિત્તથી ક્ષમાં ગ્રહણ કરું છું. તેઓ ક્ષમા કરે અથવા ન કરે તો પણ જગતના સર્વ જીવો પરત્વે મૈત્રી છે.કોઈની પણ સાથે વૈર નથી
આ અવિચ્છિન્ન કોપ યુકત વૈર. કર્મની પરંપરા સર્જે છે માટે કોઈ સાથે વૈરનું બંધન રાખવું તે વૈર, પાપની શાખા રૂપ કે માત્સર્યના વૃક્ષ રૂપ છે. પુનઃપુનઃ અવિચ્છિન્ન વૈરના બીજાંકુર રૂપ છે માટે મૈત્રી ભાવના થકી નિર્વેરતાનું ચિંતવન કરવું
આગળ વધીને કહીએ તો કોઈપણ પ્રાણી પાપન કરો, કોઈપણ દુઃખી ન થાઓ, આખુ જગત મુકત થાઓ આવી બુધ્ધિ તે મૈત્રી કહેવાય છે.
ભાવનાઃ- આ મૈત્રી ભાવ થકી ભાવિત ર્દયવાળો વતી-હિંસા આદિપાપો થકી અટકી શકે છે, કેમ કે તેને જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી છે આવા મૈત્રી ભાવવાળા જીવને મિત્રનો વધ કરવાની, ખોટું બોલીને તેને ઠગવાની,તેનું કંઈ ચોરી લેવાની આદિ શુદ્ર ભાવના હોતી જ નથી તેના દયમાં જગતના તમામ જીવોના હિતની જ ભાવના હોય છે
આથી અહિંસા આદિના પાલન માટે મૈત્રી વૃત્તિ કે મૈત્રીભાવ અનિવાર્ય છે
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * प्रमोदभावना પ્રમોદ-પ્રમોદ એટલે માનસિક હર્ષ,આનંદ
ગુણાધિક- ગુણથી અધિક એટલે આચાર્ય,ઉપાધ્યાય, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા વગેરે ગુણી અર્થાત્ અધિક ગુણવાળા સમજવા. એટલે કે જેમનામાં સામાન્યથી કંઈક વિશેષ ગુણ છે તેવા અને સ્વની અપેક્ષાએ કહીએતો પોતાનાથી ચડીયાત ગુણવાળા તે ગુણાધિક
ગુણાધિકેષુપ્રમોદ:-માણસને ઘણીવાર પોતાનાથી ચઢિયાતાને જોઈને અદેખાઈ આવે છે, જયાં સુધી આ વૃત્તિનો નાશ ન થાય ત્યાં સુધી અહિંસાદિટકી ન શકે તેથી અદેખાઈ વિરુધ્ધ પ્રમોદ ગુણની ભાવના કેળવવાનું કહેવામાં આવેલ છે.
પ્રમોદ એટલે પોતાનાથી વધુ ગુણવાન અથવા કોઈપણ ગુણવાન જીવ પ્રત્યે આદર કેળવવો અને તેની ચડતી જોઈને ખુશ થવું તે
# સમ્યક્ત,જ્ઞાન,ચારિત્ર,તપ, વૈયાવચ્ચ, આદિથી અધિક મહાન ગુણવાનું આત્માઓને વંદન, સ્તુતિ,ગુણપ્રશંસા, વૈયાવચ્ચ આદિ કરવાથી પ્રમોદ અર્થાત માનસિક હર્ષની અભિવ્યકિત થાય છે
પ્રમોદ ભાવનાથી યુક્ત જીવ જ્ઞાનાદિ ગુણોથી અધિક-ઉત્તમ ગુણીઓને જોઈને આનંદ પામે છે અને પોતાના આનંદને શક્તિ-સંયોગો પ્રમાણે યથાયોગ્ય વંદનાદિ કરીને વ્યક્ત કરે છે
તેને અન્યના ગુણોના દર્શન કે શ્રવણથી ઈર્ષ્યા અસૂયા કે માત્સર્ય રૂપ અગ્ની સળગી ઉઠતો નથી, પરિણામે ઈર્ષ્યાદિ જન્ય હિંસા-જુઠ વગેરે પાપોનું સેવન થતું અટકી જાય છે તદુપરાંત પ્રમોદ ભાવના ભાવવાથી પોતાનામાં પણ તેવા તેવા ગુણો પ્રગટી શકે છે
ભાવનાઃ- આવી પ્રમોદ ભાવનાથી ભાવિત ર્દય વાળો વતી હિંસા-જૂઠ આદિ પાપોથી અટકી શકે છે કેમ કે જગતના તમામ ગુણી જનો અને પોતાનાથી અધિક ગુણવાન આત્માને જોઈને તેનેષ-ઈર્ષ-અસૂયાદિ ઉત્પન્ન થતા નથીપરિણામે તેના સ્ટયમાં કોઈ કલેશ-કષાયમાયા જન્મતા નથી તેનું દય સદા ગુણવાનો ની ભકિત આદિથી હર્ષિત રહે છે તે સ્વયં ગુણવાનું બને છે એવું વિચારી વતીઓએ વિશેષે વિશેષ પ્રમોદ ભાવના ભાવવી
* कारुण्य भावना –કારુણ્યઃ- કરુણા અર્થાત દયા કે અનુકમ્પા, તેનો ભાવ તે કારુણ્ય -કિલશ્યમાન -સંતાપને અનુભવતા, દુઃખ થી પીડાતા -કિલશ્યમાનેષ કારુણ્ય
# કોઈને પીડાતા જોઈને જો અનુકંપાન ઉભરાય તો અહિંસા આદિવતોટકી જ ન શકે તેથી કરુણા વૃત્તિ કે કરુણાભાવના આવશ્યક છે. આ ભાવનાનો વિષયમાત્રલેશપામતાં દુઃખી પ્રાણીઓ છે કારણ કે અનુરાહ અને મદદની અપેક્ષા ફક્ત દુઃખી-દીન અનાથને જ રહે છે
જ કરુણા, દયા,અનુકંપા,દીનાનુગ્રહ વગેરે પર્યાયવાચી શબ્દો છે. અહીં દીન એટલે શરીર થી મનથી દુઃખી એવા બધા જીવો લેવાના છે અને તેના પરત્વે કરુણા કે દયા માં દવ્યાનુકંપા અને ભાવ અનુકંપા બંનેનો સમાવેશ થાય છે
દુ:ખીને જોઈને તેના પ્રત્યે દયાના ભાવથવાતે કરુણાવૃત્તિ કે કરુણા ભાવના. આવી
Page #38
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૬
૩૭ કરુણાને યોગ્ય જીવો બે પ્રકારના હોય છે
-દ્રવ્ય-રોગાઆદિ કારણો થી ઘેરાયેલા બાહ્ય દુઃખ વાળા જીવોને જોઈને ઉત્પન્ન થતી દયા તે દ્રવ્યકરુણા છે અને
ભાવ-અત્યંતર દુઃખ થી ઘેરાયેલા ધર્મવિહોણા જીવોને જોઈને ઉત્પન્ન થતી કરુણાએ ભાવ કરુણા છે
-વ્યકરુણાને યોગ્ય જીવોને ઔષધ, અન્નાનાદિ આપીને તેના દુઃખને નિવારવાની ભાવના અને ભાવ કરુણાને યોગ્ય જીવો નેધર્મ માર્ગમાં સ્થાપન કરવાનું હોય તો સ્થિર કરવા મોક્ષાદિનો યોગ્ય ઉપદેશ આપી ભવરોગ શમાવવાની ભાવના
એ રીતે બંને પ્રકારે દયમાં કરૂણા ભાવના ભાવવાથી-ધારણ કરવાથી કોઈને દુઃખી કરવા, કોઈને જૂઠબોલીને છેતરવા, કોઈનું કંઈ ચોરી લેવું, પૌલિક સુખ કે જે વાસ્તવિક રીતે દુઃખરૂપ છે તેવા મૈથુનમાં પ્રવર્તવું અથવા પરિગ્રહાદિ પર વસ્તુને સ્વમાનવા રૂપ મૂછ કેળવાની વૃત્તિ-પ્રવૃત્તિ આપો આપ દૂર થઈ જાય છે
ભાવના કારુણ્યભાવનાભાવવાથીÆયમાં અનુકંપાકેદયાનઝરણા ફુટે છે, ખુદ પરમાત્મા પણ દઢતમ રીતે કારુણ્ય ભાવના ભાવતા- ધરાવતા હોય છે ત્યારેજ તીર્થંકરની પદવી સુધી પહોંચે છે. તેમજ આ ભાવનાથી યુક્ત જીવસમગ્ર જગતના દ્રવ્યકેભાવથી ઉત્પન્ન થતા દુઃખોનું નિવારણ કરવા પ્રયત્નશીલ હોય છે.માટેવાતી મનુષ્યોએ કારુણ્ય ભાવના સતત ભાવવી જેથી તેનઅહિંસાદિ વ્રતોમાં સ્થિરતા આવે છે તેમજ તેનું પાલન વધુને વધુ સક્ષમ પણે થાય છે.
* માથ્થથ્ય માવના:માધ્યસ્થ:- રાગ દ્વેષની મધ્યમાં સ્થિર રહેલો તે મધ્યસ્થ
અરાગ દ્વેષ વૃત્તિ નો જે ભાવ માધ્યસ્થ ભાવ માધ્યથ્ય ને ઔદાસીન્ય કે ઉપેક્ષા ભાવ પણ કહે છે
વિય:- શિક્ષાને ગ્રહણ કરવાની શકિત વગરના અથવા અશિક્ષા જીવોને અવિનેય કહે છે
-અવિનેય નો બીજો અર્થ મૃતપિણ્ડ કે કાષ્ઠના ટુકડાં જેવા જડ અને અજ્ઞાની જીવો એમ પણ કરેલ છે
અવિનયેષુ માધ્યથ્યઃ
# દરેક વખતે અને દરેક સ્થળે માત્ર પ્રવૃત્યાત્મક ભાવનાઓ જ સાધક થતી નથી, ઘણીવાર અહિંસાદિ વ્રતોને ટકાવવા માત્ર તટસ્થ પણું જ ધારણ કરવું ઉપયોગી થાય છે તેના માટે જ માધ્યચ્ય ભાવના ઉપદેશવામાં આવેલી છે
માધ્યસ્થ એટલે ઉપેક્ષા કે તટસ્થતા. જયારે તદ્દન જડ સંસ્કારના અને કોઈપણ સર્વસ્તુ ગ્રહણ કરવાની યોગ્યતા ન હોય એવાં પાત્રો મળે અને તેમને સુધારવાની પ્રવૃત્તિનું પરિણામ છેવટેતન્દ્ર શૂન્યજદેખાય તો તેવાઓ પ્રત્યે તટસ્થપણું રાખવું એ શ્રેયસ્કર છે. કેમકે માધ્યસ્થ ભાવનાનો વિષય અવિનેય અર્થાત અયોગ્ય પાત્ર એટલો જ છે
$ જે અવિનય છે તેના વિષયમાં માધ્યસ્થ ભાવના રાખવી જોઇએ. માધ્યસ્થ –ઔદાસીન્ય અને ઉપેક્ષા આ બધા શબ્દ પાર્યાય વાચી છે એક જ અર્થને જણાવનારા છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અભિનવટીકા
જે જીવો મૃતપિંડ અથવા લાકડું કે ભીંત જેવા જડ-અજ્ઞાની છે. જે વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરવામાં, સમજવામાં,અને ધારણ કરવામાં તથા વિવેક શકિતથી હિતાહિતના વિવેચન માં અથવા વિશિષ્ટ બુધ્ધિ પ્રતિભા અને ઉહાપોહા- તર્કશકિત થી કામ લેવામાં અસમર્થ છે, અથવા મહા મોહોદય થી વિપરીત શ્રધ્ધા કેપ્રવૃત્તિવાળા છે અથવા દ્વેષાદિ થી વસ્તુના સ્વરૂપને અન્યથા ગ્રહણ કરેલું છે અથવા જે દુષ્ટ ભાવના વાળા છે તે બધાં અવિનેય કહ્યા છે.
આવા જીવોની ઉપેક્ષા કરવી. માધ્યસ્થ ભાવના રાખવી. તેના વિશે રાગ કે દ્વેષ કરવો નહીં તે જ શ્રેયસ્કર છે.
ઉપદેશને અયોગ્ય અવિનીત પ્રાણી પ્રત્યે રાગદ્વેષના ત્યાગ પૂર્વક-સમભાવ સહ એને સમજાવવા કે સુધારવા કરતા તેને ઉપદેશન આપવો અને હૃદયમાં ભાવ દયા ચિંતવવા પૂર્વક ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના કેમ કે સંભવ છે કે તેવાને ઉપદેશ આપવાથી દ્વેષ ભાવ-ક્લેશ-કંકાસવૈમનસ્ય આદિ ઉત્પન્ન થશે તેમ થવાથી વ્યવહારિક તથા આધ્યાત્મિક બંને નુકસાન જશે
ભાવનાઃ-માધ્યસ્થ ભાવનાભાવવાથી ઉભય પક્ષેદ્વેષની પરિણતિથતીનથી. વૈરાનુબંધ જન્મતો નથી-શકિત અને શ્રમ વેડફાતા નથી. પરિણામે હિંસા જૂઠ આદિ પાપોનું આચરણ થતું નથી એમ વિચારી સ્વીકારી વ્રતીજીવોએ સતત માધ્યસ્થ ભાવના ભાવવી. જેથી તેમના વ્રતોમાં સ્થિરતા અને દૃઢતા આવે છે. ઉપર જણાવ્યા મુજબની મૈત્ર્યાદિ ચાર ભાવના ભાવવાથી (૧)અહિંસાદિ પાંચે વ્રતોની સ્થિરતાઆવેછેઅથવા (૨) અહિંસાદિ પાંચે વ્રતોમાં દૃઢતા આવે છે અથવા (૩)અહિંસાદિ પાંચે વ્રતોમાં પૂર્ણતા આવે છે
[] [8]સંદર્ભ:આગમ સંદર્ભ:
मित्तिं भूएहिं कप्पए सुडियादा साणुकोस्सयाए
३८
मज्झत्थो निज्जरापेही समाहिमणुपालए आचा. श्रु. १, अ.८, गा. ५ આ ચારે વાકયોની વૃત્તિ જોતા મૈત્ર્યાદિ ચારે ભાવનાનો અર્થ જોવા મળે છે
અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧)ષોડશક પ્રકરણ (૨)યોગ શાસ્ત્ર
[] [9]પધઃ
(૧)
(૨)
सूय. श्रु. १, अ.१५, गा. ३ ઔપ. મૂ. ૩૮/૨૦-૨ ઔર સૂ. ૩૪/૧
(૩)શાંત સુધારસ
જગતના જીવમાત્રમાંહિં ભાવના મૈત્રી ભલી ગુણથી અધિકા જીવ નિરખી ઉલ્લાસભાવ પ્રમોદની સંસાર દુઃખે તપ્ત જીવો માંહિં કરુણા આણવી અપાત્ર જડ અજ્ઞાની જનમાં માધ્યસ્થતા પીછાણવી હો જીવમાત્રમાં મૈત્રી વધુ ગણે પ્રમોદનો દુઃખમાં કરુણાવૃત્તિ માધ્યસ્થતા કુપાત્રમાં
Page #40
--------------------------------------------------------------------------
________________
૯
અધ્યાય: ૭ સૂત્ર: ૭
U [10]નિષ્કર્ષ-સૂત્રકાર મહર્ષિ અહીં મૈત્રી- પ્રમોદ- કાર્ય અને માધ્યચ્ય એ ચારે ભાવનાને જણાવે છે. આ ચારે ભાવના જૈન જગતમાં અતિપ્રસિધ્ધ છેઅનેકગ્રન્થોમાં તેના ઉલ્લેખો જોવા મળે છે તેમજ મૈત્યાદિ ચાર ભાવનાના સ્વરૂપ વિશે પણ કોઈ વિશેષ નાવિન્ય નથી
તો પછી સૂત્રમાં વિશેષતા શું છે? સૂત્રમાં મહત્વની વિશેષતા બે બાબતે જોવા મળેલ છે (૧)તે-તે ભાવનાનો વિષય-વિષય સ્વરૂપે સ્પષ્ટ થાય છે
જેમ કે અવિનેય પરત્વે માધ્યચ્ય ભાવના. અહીં સ્પષ્ટ થાય છે કે જે માધ્યચ્ય ભાવના ભાવવાની છે તેનો વિષય-ક્ષેત્ર અવિનય જીવો છે
(૨)આ ચારે ભાવના ભાવવા પાછળનું મહત્વનું ધ્યેય કે મુખ્ય લક્ષય અહિંસાદિ પાંચે વ્રતોની સ્થિરતા કે દ્રઢતા છે
| નિષ્કર્મર માટે આબીજો મુદ્દે અતિ મહત્વનો છે મૈત્યાદિ ભાવના ભાવવી. પણ તેનું ફળ તો પાંચેવતોનું સ્થિરીકરણ જ હોય. કેમ કે આ ચારે ભાવનાના બળે જીવમાં હિંસાની વૃત્તિ પ્રગટતી નથી ચોરીનીકે જૂઠબોલવાની વૃત્તિ પ્રગટતી નથી. મૈત્રીથી રાગદ્વેષ વૃત્તિની સમતા સુધીના ભાવોને કારણે અબ્રહ્મના આચરણની રતિ-પ્રિત ઘટે છે અને પરિગ્રહ તરફથી જીવ વિરમે છે.
|_ _ _ _ _ _ _
(અધ્યાયઃ-સૂત્ર:0) [1]સૂત્રહેતુ-વ્રતોની સ્થિરતા માટે સૂત્રકા મહર્ષિસર્વવ્રતો માટેની સર્વસામાન્ય એવી એક વધારે ભાવના અહીં રજૂ કરે છે U [2]સૂત્ર મૂળ “ યસ્વભાવ વ વેરાથાર્થ
[3] સૂત્ર પૃથક-નાન્ - #ાય - સ્વમાવૌ ૨ સંવેગ - વૈરાયાર્થ U [4]સૂત્રસાર - સંવેગ અને વૈરાગ્ય ને માટે જગતના સ્વભાવ અને શરીર ના સ્વભાવની [ભાવના ભાવવી
[5]શબ્દજ્ઞાનઃન'IC-જગતું, પંચ[ષ દ્રવ્યાત્મક લોક -શરીર
સ્વમા-સ્વભાવ,સ્વરૂપ વ-સમુચ્ચયાર્થે
સંવેપા- સંસારનો ભય વર-અનાસકિત
[6]અનુવૃત્તિઃ(૧)
દિનૃતતૈયાવ્રપિરિપ્રદું-મૂત્ર. ૭:૨ (૨)તથૈયાર્થ ભાવની - સૂત્ર. ૭:૩
*દિગમ્બર આખામાં આ સૂત્ર ગાયત્વમાવો વા સંવેગ વૈરાગ્યથાર્થમ્ એ પ્રમાણે છે
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [7]અભિનવટીકા-સંવેગ અને વૈરાગ્ય ન હોય તો અહિંસાદિ વ્રતો સંભવી જ ન શકે તેથી વ્રતધારીઓ માટે સંવેગ અને વૈરાગ્ય પ્રથમ આવશ્યક છે
–આ સંવેગ અને વૈરાગ્ય ના બીજ જગતસ્વભાવ અને શરીર સ્વભાવના ચિંતન માંથી નંખાય છે તેથી એ બંનેના સ્વભાવનું ચિંતન ભાવનારૂપે અહીં ઉપદેશવામાં આવેલ છે.
- પ્રાણી માત્ર ઓછોવતો દુઃખનો અનુભવ કર્યા જ કરે છે, જીવન તદ્દન વિનશ્વર છે, બીજું પણ કંઈ સ્થિર નથી. આ અને આવા પ્રકારના જગતના સ્વભાવના ચિંતનમાંથી જ સંસાર પ્રત્યેનો મોહ દૂર થઈ જાય તેનાથી ભય અર્થાત સંવેગ ઉત્પન્ન થાય છે.
- એ જ રીતે શરીરના અસ્થિર, અશુચિ અને અસારપણાના સ્વભાવ ચિંતનમાંથી જ બાહ્યાભ્યતર વિષયોની અનાસક્િત વૈરાગ્ય જન્મે છે
આ સમગ્ર વિગતની મુદ્દાસર છણાવટ અત્રે કરતા પહેલાં એક વિશેષ સ્પષ્ટીકરણ આવશ્યક છે
# સિધ્ધસેનીયટીકા સિવાયના શ્વેતામ્બર-દિગમ્બર- સંસ્કૃત કે ગુજરાતી ટીકા વિવેચન ગ્રન્થોમાં- જગતના સ્વભાવનું ચિંતન સંવેગ અર્થે
અને -કાયાના સ્વભાવનું ચિંતન વૈરાગ્ય અર્થે એવા પ્રકારે વિભાગીકરણ હોવાનું સ્પષ્ટ કથન વિશેષે કરીને નથી. તેમ છતાં બધે જ સ્થળે જે અર્થઘટનો થયા છે તેમાં આ ભેદરેખા સ્પષ્ટપણે અંકિત થયેલી જોવા મળી છે અને સિધ્ધસેનીયટીકામાં તો આ ભેદકથન અતિ સ્પષ્ટતા થયેલું જ છે માટે જગત સાથે સંવેગને અને કાયા સાથે વૈરાગ્ય નો સંબંધ જોડવો
જ કમાવઃ
જગતુ-તે-તે દેવ, મનુષ્ય,તિર્યંચ, નારકના પર્યાયને પમાય છે તેને જગત્ કહેવાય છે, એટલે કે જગતનો અર્થ “પ્રાણી જાત' એવો થાય છે જ ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય,
પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પંચાસ્તિકાય દ્રવ્યમય જગત છે.
૪ જગત એટલે લોક અથવા ચતુગર્તિ પર્યાયાત્મક સંસાર -સ્વભાવ-સ્વરૂપ, પ્રકૃત્તિ પરિણામ. -જગતનો સ્વભાવ - વિવેચનો ને આધારે નીચે મુજબ રજૂ કરી શકાય
# સ્વપજ્ઞ ભાષ્ય:- સ્વમાવૌ વ્યાણામ્ અનાદ્રિ માહિત્ પરિણામ યુતી: प्रादुर्भाव-तिरोभाव-स्थिति-अन्यता अनुग्रह-विनाशा: ।
$ આ જગત્ કથંચિત અનાદિ છે કેમ કે જીવના અસંખ્ય પ્રદેશત્વ, ચેતનત્વ, જ્ઞાનત્વ વગેરે અનાદિના છે
આ જગત્ કથંચિત્ આદિમાન છે જેમ કે દેવતા, તિર્યંચ વગેરે પર્યાયો $ પુદ્ગલ દ્રવ્યના દ્રવ્ય સ્વરૂપમાં અનાદિવછે, જયારે તેના ઘડો-વસ્ત્ર વગેરે લક્ષણ રૂપ પુદ્ગલ આદિમાનું છે
છે ધર્મ, અધર્મનું લોકાકાશ વ્યાપિત અનાદિનું છે પણ દ્રવ્ય જનિત ગતિ-સ્થિતિની
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૧
અધ્યાય: ૭ સૂત્ર:૭ પરિણતિ તે આદિમાન છે
$ લોકાકાશનું અમૂર્તત્વ કે અસંખ્યય પ્રદેશત્વ અનાદિ છે પણ અવગાહક દ્રવ્ય અપેક્ષાએ તે આદિમાનું છે
આ રીતે જગતનો ભાવ આદિ-અનાદિ પરિણામ થી યુકત છે
૪ આ આદિ-અનાદિ પરિણામમાં પણ પ્રાદુર્ભાવ-તિરોભાવ સ્થિતિ એવો જગતનો સ્વભાવ છે જેને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય શબ્દોથી ઓળખી શકાય છે
અર્થાત્ આદિ પરિણામની અપેક્ષાએ વિચારીએ તો આ જગત પ્રાદુર્ભાવ અર્થાત્ પર્યાયાન્તર ઉત્પત્તિ જોવા મળે છે. વળી તેનો વિનાશ પણ જોવા મળે છે કેમકે પર્યાયો બદલાતા રહે છે. આ બદલાતા પર્યાયથી પૂર્વ પર્યાય નાશ પામે છે અને નુતન પર્યાય ઉત્પન્ન થાય છે અને તેની સ્થિતિ અર્થાત ધ્રૌવ્યતા એ તો સ્પષ્ટતયા અનાદિ પરિણામ જ છે.
આ રીતે જગતુ નો સ્વભાવ ઉત્પત્તિ-વિનાશ અને સ્થિતિ લક્ષણવાળો છે
# વળી જગત નો સ્વભાવ બન્યતા, મનુપ્રદ અને વિનાશ યુકત છે.અન્યતા એટલે કે બધાં દ્રવ્યો માં પરસ્પર ભેદ પરિણામ અર્થાત્ એક મેકથી ભિન્ન રહેવું. અનુપ્રા એટલે એકમેકપરઅનુગ્રહકરવો-જેમ જીવોનો પરસ્પર ઉપકારએ અનુગ્રહ છે અને વિનાશએટલે આદિમાનું જગતમાં પ્રયોગ થી કોઈનો વિનાશ થાય તે અથવા બીજાનો વિનાશ કરવો કે સ્વયં વિનષ્ટ થવું તે.
–આ પ્રમાણે આ જગતુ સ્વભાથી ભિન્નતા વાળો, અનુગ્રહ વાળો અને વિનાશ વાળો પણ છે આ પ્રમાણે પુનઃપુનઃ જગતુના સ્મભાવની આલોચના કે વિચારણા કરવાથી સંવેગ ઉત્પન્ન થાય છે
જ, જગતુ સ્વભાવ પર થી ભાવનાઃ- આ પ્રમાણે જગતના સ્વરૂપને કે સ્વભાવની વિચારણા કરીને તેમાંથી કઈ રીતે સંવેગ પમાય છે?
જગત સ્વભાવ ચેતન અને અચેતનપણાથી વિભાજિત છે તેમાં ચેતન_મય જગત ના સ્વભાવની વિચારણા થી
(૧)અહિંસાદિ પ્રવૃત્તિ થકી આલોક અને પરલોકમાં ઉત્પન્ન એવી એકાન્ત હિત અનુષ્ઠાયી સુપ્પમતિ વડે -જગતના સ્વરૂપ ચિતનનું ફળએ મળે છે કે મનુષ્ય-દેવ-નારક અને તિર્યંચને વિશે યથાવત્ વિચારણા થકી સારાસારને જાણીને મુકિત માર્ગને શ્રેષ્ઠ માનતો થાય છે. કારણકે આ જગતમાં કોઈ પરિણામ અનાદિ છે, કોઈ પર્યાય ઉત્પન્ન થાય છે, કોઇ નાશ પામે છે. કોઈ અનુગ્રહ કરે છે કોઇ વિનાશ વેરે છે એવી સતત વિચારણા થકી જગતના વિચિત્ર સ્વરૂપને જાણીને સંવેગ ઉત્પન્ન થાય છે
(૨)જો અજ્ઞાન અને હિંસાદિ પ્રવૃત્તિનો વિચાર કરતો પણ આ જગતમાં અનંત સંસાર પરિભ્રમણ રૂપ ફળના દોષદર્શનથી તેને ઉચ્છેદવાના વિચારથી પ્રતિદિન સંવેગની જ ભાવના થાય છે અને જો અચેતન તત્વ મય જગતુ ના સ્વભાવની વિચારણા કરે તો પણ નિત્ય, અનિત્ય, મૂર્ત,અમૂર્ત,સ્પર્શ-ગન્ધ-રૂપશબ્દ-સંસ્થાનાદિપરિણામોની શુભ-અશુભ-કલ્પનાને કરતો તે વિશેની મૂઢતાને જોતો,જગતની ન્યાયી અન્યાયી પ્રવૃત્તિને વિચારતો સંવેગની ભજના કરનારો થાય છે. કેમ કે અચેતન તત્વોપણ જગતના વિચિત્ર સ્વરૂપનું જદર્શન કરાવે છે
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ રીતેચેતન અચેતનના સ્વભાવની ભાવના ભાવતોજીવ હંમેશા સંવેગને પામનારો થાય છે # તદુપરાંત - જગતનો સ્વભાવ કેવો છે?
–જયાં પ્રિય નો વિયોગ અપ્રિય નો સંયોગ, દારિદ્ધ,દૌર્ભાગ્ય, દૌર્મનસ્ય, વધ, બંધન , અસમાધિ,દુઃખ સંવેદન વગેરે લક્ષણો સતત જોવા મળે છે, માતા મટીને પુત્રી મિત્ર મટીને શત્રુ વગેરે થયા કરે છે સંસારમાં સર્વત્થાનોની અશાશ્વતતા જોવા મળે છે તેથી જગતના આવા સ્વભાવને જોઈને-જાણીને તે જગત સ્વભાવ સંવેગ ને માટે છે તેમ ભાવના ભાવવી અથવા જગતના સ્વભાવથી સંવેગ જ ઉત્પન્ન થાય તેમ ચિંતવવું
જ વાયqમાવઃકાયઃ- દેહ, શરીર, વીયો તિ શ્રેય કાયસ્વભાવઃकायस्वभावोऽनित्यतात दुःखहेतुत्वं नि:सारताऽशुचित्वम् इति ।
# શરીર નો સ્વભાવ છે કે જન્મ-બાળપણ -તારુણ્ય-યુવાની વૃધ્ધાવસ્થા વગેરે અનુસાર અનિત્યતાનું જ દર્શન કરાવે છે
–તેમાં બાળ-કુમાર-યૌવન-પ્રૌઢ-વૃધ્ધાવસ્થા બધામાં વિનશ્વરતા જણાય છે. કશુંજ શાશ્વત નથી પૂર્વાપૂર્વા વસ્થાનો લોપ અને ઉત્તરા ઉત્તરા અવસ્થાની પ્રાપ્તિ થાય છે. આ રીતે આયુષ્યની સમાપ્તિ પર્યન્ત શરીર ના પરિણામોમાં સતત અનિત્યતા જોવા મળે છે.
-ક્રોધાગ્નિથી, વાયુકે તાપના શોષણથી કેતેવા અન્ય કારણોથી શરીરના આકારમાં પરિણત પુદ્ગલમાં જે વિભક્તતા કે પરિવર્તન આવે છે તે પણ શરીરની અનિત્યતાનું દર્શન કરાવે છે
એ જ રીતે આ શરીર ને લાલન-પાલન થી, કુંકુમ-અગરુ કપૂર-કસ્તુરી આદિથી લેપ કરવાથી,અન્ન-પાન-વસ્ત્રાદિ વડે પોષવા કે આચ્છાદિત કરવા છતાં પણ ગમે ત્યારે તેનો ધ્વંસ-નાશ થઈ જાય છે
–આ શરીરસ્વભાવ થી દુઃખ હેતુભૂત હોય દુઃખને જ જન્મ આપે છે. જયાં સુધી શરીર છે ત્યાં સુધી તેને આશ્રીને રહેલા જીવને દુ:ખનો જ ઉપભોગ કરાવે છે કેમ કે આત્મ પ્રદેશ અને પુદ્ગલ પ્રદેશો અન્યોન્ય ક્ષિર-નિર થઇ ગયા હોવાથી આત્મા ને પુદ્ગલ નિમિત્તે ઘણોજ દુઃખનો અનુભવ થયા કરે છે જે શરીર બળી જાય ત્યાં સુધી ચાલુ રહે છે
–એ જ રીતે નિઃસારતા એ પણ કાયાનો સ્વભાવ જ છે. જો ચામડી અને માંસના પટલ ભેદીને કે છૂટા પાડીને જોવામાં આવે તો આ શરીરમાં હાડકા-મૂત્ર-મળ-પિત્ત-મજજા-કફલોહી વગેરે સર્વે વસ્તુ જે કંઈપણ જોવામાં આવે છે તે બધી અસાર વસ્તુ છે તેમાં સારભૂત તત્વ કશુંજ જોવા મળતું નથી અર્થાત આ શરીરને છેદી- ભેદી-છૂટૂપાડીને જોવામાં આવે તો સમગ્ર કાયા નિસાર જણાય છે તેમાં સાર ભૂત કોઇ જ વસ્તુ લાગતી નથી
– છેલ્લે આ કાયા અશુચિતથી ભરેલી છે. આ અશચિત્વ તો લોક પ્રસિધ્ધ છે. ગર્ભમાં વ્યુત્ક્રાન્તિ પામે ત્યારે શુક્ર અને શોણિત નાસંયોગ રૂપ, પછી ક્લલરૂપ, પછી માંસપેશી વગેરેના પરિણામરૂપે પણ અશુચિમય કાયાજ હોય છે, પછી જયારે હાથ-પગવગેરે સર્વેઅંગો પરિપૂર્ણ થાય ત્યારે તે પરિપૂર્ણ થવામાં પણ માતાના આહારની અશુચિ કે પિતાનું વીર્ય જ આહાર રૂપે લેવું પડે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૩
અધ્યાયઃ ૭ સૂત્ર: ૭
પછી જયારે તે માતાની યોનિ વાટે નીકળે ત્યારે યોનિમાંથી જન્મવું તે પણ અશુચિ મધ્યેથી જ નીકળવાનું છે, વળી તેનું શરીર પણ અશુચિથી વીંટાયેલું હોય છે, ત્યાર પછી પણ માતાના પ્રસ્વેદ યુકત શરીરમાં સ્તનો થકીજ આહાર પ્રાપ્તિ કરી તેમાંથી લોહી-માંસ વગેરે બને છે, ત્યાં પણ અશુચિ વચ્ચે જ ઉછેર થાય છે અને પોતાની કાયાતો સર્વઅવસ્થામાં અશુચિ યુકત જ રહે છે તે જ કાય સ્વભાવની ભાવનાઃ
કાયાના આવા અનિત્ય,દુઃખ હેતુત્વ,અસાર અને અશુચિમય સ્વભાવને જાણીને સમજીને, સંવેગ અને વૈરાગ્યની ભાવના ભાવવી
જ સંવે-સંવેગ એટલે સંસારનો ભય, સંસારનો કંટાળો
-નારક,તિર્યંચ મનુષ્ય અને દેવ ભવ પ્રપંચરૂપ સંસારથી ભય લાગવો, અથવા સઘળા દુઃખોના મૂળ રૂપ સંસારથી ભીરુતા થવી અર્થાત્ સંસાર થી સદા ભયભીત રહેવું, આરંભ પરિગ્રહના દોષોને જોઇને તેના વિષયમાં અરુચિ થવી, તેના આસેવન માં પ્રીતિ નથવી
- તેમજ ધર્મનું સ્વરૂપ સાંભળવામાં, ધર્માત્માના દર્શન કરવામાં, ચિત્તમાં હર્ષ અને પ્રસન્નતા થાય, ઉત્તરોત્તર ગુણોની અર્થાત રત્નત્રયી ની પ્રાપ્તિમાં અથવા ધર્માત્માઓના વિશિષ્ટ ગુણ માલુમ પડવાથી તેના વિષયમાં શ્રધ્ધાથવી એ સર્વે સંવેગ છે
- ટૂંકમાં સંવેગ માં બે વસ્તુનું પ્રાધાન્ય છે
(૧)દુઃખની ખાણ જેવા સંસાર થી ભવ અને કંટાળો થવો તથા તેના વિષયમાં અરુચિ - અપ્રીતિ થવી
(૨)ધર્મ અને ધર્મા પ્રત્યે બહુમાન, ધર્મશ્રવણ તથા ધર્માના દર્શન થકી મનમાં ઉત્તરોત્તર શ્રધ્ધાની વૃધ્ધિ અને રત્નત્રયીગુણ ની પ્રાપ્તિ .
* વૈરાય-વૈરાગ્ય એટલે અનાસકિત
# શરીર ભોગ અને સંસાર થી ગ્લાનિ થવાને લીધે જ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય છે તેવો ભાવ પ્રાપ્ત થનાર પુરુષને બાહ્ય-અભ્યન્તર ઉપધિ અર્થાત્ પરિગ્રહના વિષયમાં આસકિત ન હોવી તે વૈરાગ્ય છે .
૪ આરીતે સંસારના સ્વભાવથી ભય પામેલો ધર્મ અને ધર્મીના આદરથી યુકત એવો સંવેગ પ્રાપ્ત પુરુષ તેની સર્વ પરિગ્રહને વિશે અનાસકિત હોવી તે વૈરાગ્ય.
# અહીં બાહ્ય ઉપધિ થી પાંચમાં પરિગ્રહ વિરમણ વ્રતને લેવું અને અત્યંતર ઉપધિ તે રાગ-દ્વેષાદિ લેવા. તે બંને વિશેની અનાસકિત હોવી તેને વૈરાગ્ય કહ્યો છે.
જે સંસારના સ્વરૂપની વિચારણા થી સંવેગની પુષ્ટિ -
મહાવ્રતોનું પાલન એ મહાન આધ્યાત્મિક સાધના છે. આ સાધના સંસારના નાશ કરવા માટે છે. પણ સંસારનો નાશ, સંસાર પરત્વે કંટાળો આવ્યા સિવાય થઈ શકે નહીં, માટે આત્મ કલ્યાણની સાધનમાં સંવેગની આવશ્યકતા પહેલી છે.
સિધ્ધસેનીય ટીકામાં પણ કહ્યું છે કે- સર્વિમાવં ભાવયેત સંપર્ક | - સંવે: સંસારમીત્વીવીક્ષ:
Page #45
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જગત્ ના સ્વભાવને સંવેગને માટે જ ભાવવો જોઇએ અર્થાત્ જગત્ [સંસાર] ના સ્વભાવ ની વિચારણા સંવેગની પુષ્ટિ માટે જ છે તેવી ભાવના ભાવવી
આ રીતે સંવેગ ને તીવ્ર બનાવવા જગત્ એટલે કે સંસારના સ્વરૂપનું ચિંતન કરવું જોઇએ આ (સંસાર) જગનું સ્વરૂપ પૂર્વે કહેવાઇ ગયું છે તે મુજબ સમજી સ્વીકારી સંસારના કારણોને નાશ કરવો. આ સંસારના કારણો હિંસા આદિ પાંચે દોષો છે માટે તે દોષોની ઉપર અતિઅપ્રીતિ થાય, તે દોષોનો ત્યાગ થાયતો જ ખરે ખર સંસાર પરત્વેનો સંવેગ આવ્યો કહેવાય અને સંવેગમાં નિમિત્ત ભૂત તત્વ જગના સ્વભાવની વિચારણા જ છે
-
- માટે જગન્ના-સંસારના સ્વભાવના ચિંતનથી સંવેગ પુષ્ટ થાય છે કાયાના સ્વરૂપની વિચારણા થી વૈરાગ્યની પુષ્ટિઃ
૪૪
આત્મકલ્યાણના વિકાસ તબક્કામાં કોઇ પણ પ્રકારની આસકિત એ બાધક તત્વ છેવ્રતી જીવોએ દેશથી સર્વથી કે પરિગ્રહો નો અર્થાત્ સંસારના સર્વે બાહ્ય પદાર્થોનો કે તે પરત્વેની મૂર્છાનો ત્યાગ કર્યો હોય છે.
જીવન ટકાવવા કે સંયમ સાધનામાં ઉપયોગી ઉપકરણો તે વ્રતી માટે આવશ્યક છે. પણ દેશવ્રતી ને વ્રતની મર્યાદામાં રહેલો પરિગ્રહ કે મહાવ્રતીને તેની પાસે રહેલા સંયમો પયોગી ઉપકરણ પરત્વે આસકિત ભાવ હોય નહીં, જો એ આસકિત ભાવ ઉત્પન્ન થાયતો ઉપકરણો અધિકરણરૂપ બની જાય છે અર્થાત્ તે જ વસ્તુ સંસારની વૃધ્ધિના કારણરૂપ બને છે.
હવે જયારે આ શરીર-કાયા એ પણ એક ઉપકરણજ છે ત્યારે સતત તે કાયાની અનિત્યતા-અસારતા-અશુચિતા- દુઃખ હેતુતા વગેરેના ચિંતનથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે કાયાની આસકિત થી જ અન્ય પદાર્થોની આસકિતજન્મેછે. (મન-વચનમાફક)કાયાની આસકિત વડે પણ રાગ-દ્વેષની ગ્રંથિનું નિર્માણ થાય છે માટે કાયાના સ્વભાવના સતત ચિંતન થી વૈરાગ્યને પુષ્ટ કરવો
સિધ્ધસેનીય ટીકામાં પણ જણાવે છે કે હ્રાય સ્વમાનું વૈરયાર્થમ્ । શરીરનિતિનર્મતાવિ ઋક્ । અર્થાત્ કાયાના સ્વભાવનું ચિંતન વૈરાગ્યને માટે જ થાય છે.
.....વૈરાં
] [8]સંદર્ભઃઆગમ સંદર્ભઃ
- भावणाहि य सुद्धाहिं सम्मं भावेतु अप्पयं
उत्त. अ.१६ गा ९४
1- जम्मदुक्खं जरादुक्खं अहो दुःखो हु संसारो इम्मं सरीरं अणिणच्चं असुइं असुइ ૩ત્ત. અ.૨૧,K:
સમવ
—અસાસણ રરમી બત્ત અ.૨૧,૫. ૧
—છ્યું હોય્ અપ્પાળું....તારર્સી અનુમન જત્ત, અ.૨૧,૧. રૂરૂ —ળિવ્યું નીવ ોમ્મિ - જન્ન અ. ૧૮,૫. ૧૧,૧૨
- जीवियं चेव रूवं च विज्जुसंपाय चंचलम् उत्त. अ. १८, गा. १३ पूर्वार्धસૂત્રપાઠ સંબંધઃ- ઉપરોક્ત બધા વાક્યો પ્રસ્તુત સૂત્રની સાક્ષી આપે છે
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૮
U [9પદ્ય(૧) જગતના સ્વભાવ જાણી આદરી સંવેગતા
ક્ષયવંત સર્વે ભાવ-સમજી આદરો વિરાગતા સંવેગને વૈરાગ્ય સારું જગતકાય સ્વભાવના
સ્વરૂપો વિચારી આત્મધ્યાને રમત મુનિ થઈ એકમના (૨)
જગત ને દેહ બંનેનો, ચિંતવવો સ્વભાવતો
સંવેગ તેમ વૈરાગ્ય, આવે જરૂર આગવો D [10] નિષ્કર્ષ:- ઉમાસ્વાતિજી મહારાજે આબેનમુનસૂત્રરચના કરી છે. હિંસાદિ દોષોના નિવારણ માટેની સર્વભાવનાઓમાં આ શ્રેષ્ઠત્તમ ભાવના છે. જો મનુષ્ય સતત રીતે જગત અને કાયાનો સ્વભાવ કે સ્વરૂપની ચિંતવના કરે તો તેનામાં સંવેગ અને વૈરાગ્યની ઉત્પત્તિ થવાની જ છે તે વાત પ્રતીતી જન્ય છે.
મનુષ્ય સવારથી સાંજ સુધી જગતમાં ફરતા ફરતા પોતાના આંખ અને કાન ખુલ્લા રાખે તો જગતનું સ્વરૂપ તેને અનુભવાયા જ કરવાનું છે.આ અનૂભૂતિ માટે જ સૂત્રકાર ફરમાવે છે કે જગતના સ્વરૂપના ચિંતનથી સંસારનાસંવેગ [ઉદ્વિગ્નતા જન્મેછેતેવી ભાવનાભાવવી જોઇએ
તદુપરાંત કાયાનો સ્વભાવ પણ એવો જ છે કે જો તેના સ્વરૂપની સતત વિચારણા કરવામાં આવે તો વૈરાગ્ય ભાવનીજ ઉત્પત્તિ થાય અને આ રીતે સંસારથી સંવેગ પામેલો અને બાહ્ય અત્યંતર આસકિત રહિત થઈ વૈરાગ્ય ભાવમાં ડૂબેલો જીવ નિયમા મોક્ષને પામનારો છે માટે વ્રતી જીવોએ વિશેષે વિશેષે આ ભાવના ભાવવી જોઇએ
OOOOOOO
(અધ્યાયઃ૭-સૂત્રઃ૮) U [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી હિંસાના સ્વરૂપને જણાવે છે
[2]સૂત્ર મૂળઃ-પ્રમત્તયોનું કાળવ્યપરોપvi હિંસા U [3] સૂત્ર પૃથક્રમ - યોIK - પ્રાણ - ચપvi હિંસા U [4] સૂત્રસાર-પ્રમાદ નાયોગે થતો જે પ્રાણ વધ [પ્રાણનો વિયોગ] તે હિંસા છે U [5]શબ્દશાનઃપ્રમત્ત-પ્રમાદ, અસાવધાની
યો- મન,વચન, કાયાનો યોગ પ્રાણ- દશપ્રાણ- [પ-ઇન્દ્રિય, ૩-બળ,શ્વાસોચ્છવાસ,આયુષ્ય વ્યપરોપ-વધ
દિક્ષા-હિંસા [6]અનુવૃત્તિ - આ સૂત્રમાં કોઈ અનુવૃત્તિ નથી U [7]અભિનવટીકા-અહિંસા આદિ જે પાંચ વ્રતોનું નિરૂપણ કરવામાં આવેલ છે તે વ્રતોને બરાબર સમજવા અને જીવનમાં ઉતારવા માટે તેમના વિરોધી દોષોનું સ્વરૂપ યથાર્થ પણે જાણવું જોઈએ તેથી એ પાંચ દોષોના નિરૂપણને ક્રમથી જણાવવા અહીંસર્વપ્રથમ હિં
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નામક દોષની વ્યાખ્યા આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે. હિંસાની વ્યાખ્યા માટે સૂત્રકાર મહર્ષિ બે અંશો રજૂ કરે છે
(૧)પ્રમત્તયોગ અર્થાત્ રાગદ્વેષવાળી તેમજ અસાવધાન પ્રવૃત્તિ (૨)પ્રાણ વધ અહીં પ્રથમ અંશ કારણરૂપ છે અને બીજો અંશ કાર્યરૂપ છે. સૂત્રનો ફલિતાર્થ એ છે કે “પ્રમત્તયોગથી થતો પ્રાણવધ” તે હિંસા છે જ પ્રમત્ત - પ્રમત્તનો સામાન્ય અર્થ પ્રમાદ કરાય છે.
# પ્રમાદ નો વિસ્તૃત અર્થ [.૮-જૂ8] “મદ્ય,ઇન્દ્રિયના સ્પર્શાદિ પાંચ વિષયો, ક્રોધાદિ ચારકષાયો,નિદ્રા અને ચાર પ્રકારે વિકથા એમ પંદર ભેદે પ્રમાદને જણાવવામાં આવે લ છે. તે પ્રમાદ એટલે આત્મ વિસ્મરણ અથવા કર્તવ્ય-અકર્તવ્યની સ્મૃત્તિમાટે સાવધાન ન રહેવું તે
# કષાય સહિત અવસ્થાને પ્રમાદ કહે છે અને આ પ્રમાદથી યુકત જે આત્માના પરિણામ તેને પ્રમત્ત કહે છે
૪ આત્માના પરિણામ પ્રમાદ રૂપે પરિણત થાય છે તે પરિણામ જ પ્રમત્ત કહેવાય છે * યોT:- મન,વચન, કાયાની ક્રિયા કે પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે
- પ્રમત્તયા- પ્રમાદ પરિણત વ્યકિતના મન,વચન, કાયાના વ્યાપારને પ્રમત્ત યોગ કહે છે
प्राण:- प्राणिति जीवति अनेन इनि प्राण:
છે જેના વડે જીવે તે પ્રાણ-જેના દશભેદ કહ્યા છે – પાંચ ઇન્દ્રિયને સ્પર્શ,રસ,પ્રાણ,ચક્ષુ,શ્રોત્ર -ત્રણ બળ – મનોબળ,વચનબળ,કાયબળ ૩ –શ્વાસોચ્છવાસ-૧ , આયુષ્ય-૧
આ દશે દ્રવ્ય પ્રાણ કહ્યા એ સંસારી જીવનું જીવન છે. આ પ્રાણ વિના કોઈ પણ સંસારી જીવ જીવી ન શકે
* વ્યપરોપUT:-વ્યપરોપણ એટલે વધ # વ્યપરોપણ અર્થાત વિયોગ હિંસા:- હિંસાની મૂળ વ્યાખ્યાતો સૂત્રકાર મહર્ષિ પોતેજ આ સૂત્રમાં જણાવે છે કે પ્રમત્ત યોગ વડે કરીને પ્રાણોનો નાશ કરવો તેહિંસા
૪ મદ્ય,વિષય,કષાય,નિદ્રા અને વિકથાના મન,વચન, કાયા ના વ્યાપાર વડે કરીને કોઇપણ જીવના દશમાંના એક કે વધુ પ્રાણનો વિયોગ કરવો તે હિંસા છે.
જ હિંસા કરવી, મારવું, પ્રાણનો અતિપાત અર્થાત પ્રાણનો વિયોગ પ્રાણનો વધ,દેહાન્તરનું સંક્રમણ કરાવવું અથાત્ ભવાન્તર કે ગત્યન્તર પહોચાડી દેવો અને પ્રાણોનું વ્યપરોપણ કરવું આ બધાં શબ્દો હિંસાના પર્યાયવાચી શબ્દો છે અથવા એકાર્થક શબ્દો છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૮
४७ જ વિશેષ:પ્રશ્નઃ- “કોઈના પ્રાણ લેવા કે કોઈને દુઃખ આપવું એ હિંસા" હિંસાનો આ અર્થ સૌથી જાણી શકાય તેવો અને બહુપ્રસિધ્ધ છે છતાં તે અર્થમાં પ્રમત્ત યોગનો અંશ કેમ ઉમેરવામાં આવ્યો?
સમાધાન -જયાં સુધી મનુષ્ય સમાજમાં ઉચ્ચ સંસ્કાર વાળા વિચાર અને વર્તન દાખલ થયાં હોતાં નથી, ત્યાં સુધી તે સમાજ અને બીજાં પ્રાણીઓ વચ્ચે જીવન વ્યવહારમાં ખાસ અંતર હોતું નથી. પશુ-પક્ષીની જેમ તેવા સમાજના મનુષ્ય પણ લાગણીથી દોરાઇને જાયે -અજાણ્ય જીવનની જરૂરિયાત માટે જ કે જરૂરિયાત વિનાજ કોઇના પ્રાણ લે છે. માનવ સમાજની આ પ્રાથમિક હિંસામય દશામાં જયારે એકાદ મહાપુરુષને વિચારણામાં હિંસાના સ્વરૂપ વિશે જાગૃતિ આવે છે ત્યારે તે ચાલુ હિંસાને એટલે કે પ્રાણનાશ નેદોષ રૂપે જણાવે છે.
અર્થાત હિંસા એ દોષ છે એવું જણાવીને કોઇના પ્રાણન લેવાનું એટલે કે અહિંસા વ્રતને ઉપદેશ છે આ સમયે એક તરફ હિંસાની પ્રથા કે સંસ્કારો અને બીજી તરફ અહિંસાની નવી ભાવનાનો ઉદય આ બે વચ્ચે અથડામણ થતા વૈચારિક સંઘર્ષોને લીધે કેટલાંક નવા પ્રશ્નો ઉદ્દભવે છે આવા પ્રશ્નો સંક્ષેપમાં આ પ્રમાણે હોઈ શકે છે
(૧)અહિંસા ના પ્રચારકો પણ જીવન તો ધારણ કરે જ છે અને જીવન એ કોઈને કોઈ જાતની હિંસા વિના નભી શકે તેવું ન હોવાથી, તેને અંગે તેઓ તરફથી થતી હિંસા એ હિંસા દોષમાં આવી શકે કે નહીં?
(૨)ભૂલ અને અજ્ઞાન એ માનુષી વૃત્તિમાં તદ્ન નથી જ હોતાં એવું સાબિત ન થઈ શકે ત્યાં સુધી અહિંસાના પક્ષકારોને હાથેપણ અજાણતા કે ભૂલથી કોઇનો પ્રાણનાશ થઈ જવાનો સંભવ છે તો એવો પ્રાણનાશ હિંસા દોષમાં આવે કે નહીં?
(૩)કેટલીક વખત અહિંસકવૃત્તિવાળા કોઈને બચાવવા કે તેને સુખસગવડ પહોંચાડવા પ્રયત્ન કરે છે અને પરિણામ કયારેક તેથી ઉલટું આવે છે એટલે કે સામાના પ્રાણ જાય છે જેમ કે ડોકટરની પુરી કાળજી છતાં દર્દી કયારેક મૃત્યુ પામે છે તેવી સ્થિતિમાં એ પ્રાણનાશ હિંસા દોષમાં આવે કે નહીં?
આવા પ્રશ્નો જયારે ઉદ્ભવે ત્યારે તેના સમાધાન માટે હિંસા-અહિંસાના સ્વરૂપવિષયક ઉડી વિચારણા કરવી પડે છે અને તેમ કરતાં તેનો અર્થનો પણ વિસ્તાર થાય છે
સ્થૂળ અર્થ હિંસા-અહિંસાનું મૂલ્યાંકન કંઈક આવું થતું કે# હિંસા-સ્થૂળ અર્થ-કોઇના પ્રાણ લેવા કે તે માટે દુઃખ આપવું તે હિંસા છે અહિંસા-સ્થૂળ અર્થ-કોઈના પ્રાણ નલેવાકે તે માટે કોઈને તક્લીફન આપવીતે અહિંસા
પણ આ બંને અર્થો અપર્યાપ્ત છે. અહિંસાની વિચારણા કરનારા એ ઝીણવટમાં ઉતરી નક્કી કર્યુ કે માત્ર કોઇના પ્રાણ ન લેવા અથવા માત્ર કોઈને દુઃખ દેવું એ હિંસા દોષજ છે એમ કહી શકાય નહીં
પરંતુ પ્રાણવધ કે દુઃખ દેવા ઉપરાંત તેની પાછળ તેમ કરનારની શી ભાવના છે તે તપાસીને તેવી હિંસાના દોષ પણાનો કે અદોષ પણાનો નિર્ણય થઈ શકે છે.
તે ભાવના એટલે રાગદ્વેષની વિવિધ ઉર્મિઓ અગર બીન કાળજી પણું,જેને શાસ્ત્રીય ભાષામાં પ્રમાદ કહેવામાં આવે છે. આવી અશુભ ભાવના થકી જે પ્રાણનાશ થયો હોય કે દુઃખ
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દેવાયું હોય તે જ હિંસા અને તે હિંસા જ દોષરૂપ કહી છે અને એવી ભાવના વિના થયેલાં પ્રાણનાશ કે દુઃખ પ્રદાન એ દેખીતી રીતે હિંસા કહેવાવાછતાં દોષની કોટીમાં આવી શકે નહીં. આ રીતે હિંસક સમાજમાં અહિંસાના સંસ્કારનો ફેલાવો થતાં અને તેને લીધે વિચાર વિકાસ થતાં દોષરૂપ હિંસામાટે માત્ર પ્રાણનાશ એટલોજ અર્થ પર્યાપ્ત ન ગણતાં તેમાં પ્રમત યોગ એ મહત્વનો અંશ ઉમેરાયો
પ્રશ્ન-૨ હિંસાની આ વ્યાખ્યા ઉપર થી પુનઃ પ્રશ્ન થાય છે કે
(૧)જો પ્રમત્ત વિનાજ માત્ર પ્રાણવધ થાય તો તે હિંસા કહેવાય કે નહી? (૨)પ્રાણવધ ન થવા છતાં પ્રમત્ત હોય તોતે પણ હિંસાગણાય કે નહીં?
(૩)જો એ બંને સ્વરૂપે હિંસા ગણાય તો તે હિંસા પ્રમત્ત યોગ જનિત પ્રાણવધરૂપ હિંસાની કોટિનીજ ગણાય કે તેથી જૂદા પ્રકારની
સમાધાનઃ
–માત્ર પ્રાણવધ સ્થૂલ હોઇ દૃશ્ય હિંસા તો છે જ
–માત્ર પ્રમત્તયોગ એ સૂક્ષ્મ હોવાથી અદૃશ્ય હિંસા પણ છે જ
એ
–આ બંનેહિંસા મધ્યે દૃશ્ય અને અદૃશ્ય પણાના તફાવત ઉપરાંત બીજો એક મહત્વનો જાણવા યોગ્ય તફાવત છે અને તેના જ ઉપર હિંસાના દોષપણા અને અદોષપણાનો આધાર છે
-પ્રાણનાશ એ દેખીતી રીતે હિંસા હોવા છતાં તે દોષજ છે એવું એકાન્તે ન કહેવાય કારણ કે તેનું દોષપણું સ્વાધીન નથીહિંસામાં દોષપણું એ હિંસા કરનાર અથવા જેના વડે હિંસા થઇ ગઇ છે તેની ભાવના ઉપર અવલંબેલું છે તેથી પરાધીન છે.
-જો તે ભાવના જ ખરાબ હોય તો તેમાંથી થયેલો પ્રાણવધ તે દોષરૂપ છે અને ભાવના તેવીન હોય તો તેમાંથી થયેલો પ્રાણવધ દોષરૂપ નથી
--શાસ્ત્રીય પરિભાષામાં આવી દોષરૂપ હિંસાને વ્યહિંસા કે વ્યવહારિક હિંસા કહેવામાં આવે છે
-વ્યહિંસા અથવા વ્યવહારિક હિંસા નો અર્થ એટલો જ છે કે તેનું દોષપણું અબાધિત નથી — તેથી ઉલટું પ્રમત્ત યોગરૂપ જે સૂક્ષ્મ ભાવના તે જાતેજ દોષરૂપ હોવાથી તેનું દોષપણું સ્વાધીન છે અર્થાત્ તેના દોષપણા નો આધાર સ્થૂલ પ્રાણનાશ કે બીજી કોઇ બાહ્ય વસ્તુ ઉપર અવલંબિત નથી.
-સ્થૂલ પ્રાણનાશ ન પણ થયો હોય, કોઇનેદુઃખ ન દેવાયુ હોય, ઉલટું પ્રાણનાશ કરવા જતા કે દુઃખ દેવા જતાં સામે ની વ્યકિતનું જીવન લંબાયુ હોય અગર તો સામા ને સુખ પહોચ્યું હોય છતા પણ તેની પાછળની ભાવના અશુભ હોય તો તે એકાન્ત દોષજ ગણાશે
—આવી ભાવનાને શાસ્ત્રીય પરિભાષામાં ભાવહિંસા અથવા નિશ્ચયહિંસા કહેવામાં આવે છે —ભાવહિંસા અથવા નિશ્ચયહિંસાનો અર્થ એટલોજ છે કે તેનું દોષપણું સ્વાધીન હોવાથી ત્રણે કાળમાં અબાધિત રહે છે
માત્ર પ્રમત્તયોગ કે માત્ર પ્રાણવધ એ બંને છૂટા છૂટા હિંસા કહેવામાં છતાં તેમના દોષપણાનું તારતમ્ય ઉ૫૨પ્રમાણે જાણી લીધાં પછી એ બંને પ્રકારની હિંસાઓ‘‘પ્રમત્તયોગ જનિત પ્રાણવધરૂપ હિંસાની કોટિની જ છે કે તેથી જૂદા પ્રકારની’' એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ થઇ જાય છે
Page #50
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૮
૪૯
-ભલે સ્થૂલ આંખે ન જાણીશકે છતાં તાત્વિક રીતે માત્ર પ્રમત્તયોગ એ પ્રમત્તયોગ જનિત પ્રાણનાશ ની કોટિનીજ હિંસા છે અને માત્ર પ્રાણનાશ એ, કોટિમાં આવે તેવી હિંસા નથી. * પ્રશ્ન-૩ જોપ્રમત્ત યોગ એજ હિંસાના દોષપણાનું મૂળ બીજ હોયતો,હિંસાની વ્યાખ્યામાં એટલું જ કહેવું બસ છે કે પ્રમત્તયોગ એ હિંસા અને જો આ દલીલ સાચી હોયતો એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય છે કે હિંસાની વ્યાખ્યામાં પ્રાણનાશ ને સ્થાન આપવાનું કારણ શું?
સમાધાનઃ- તાત્વિક રીતેતો પ્રમત્તયોગ ને જ હિંસા કહેલી છે, છતાં સમુદાયમાં તેનો ત્યાગ એકાએક અને મોટેભાગે શકય નથી તેથી ઉલટુંમાત્ર પ્રાણવધ એ સ્થૂળ અથવા સ્વરૂપ હિંસા છેછતાં તેનો ત્યાગ સામુદાયિક જીવનની સ્વસ્થતા માટે ઇષ્ટ છે, તેમજ પ્રમાણમાં મોટે ભાગે શકય પણ છે.
કદાચ પ્રમત્તયોગ અર્થાત્ ભાવ કે નિશ્ચય હિંસાન છુટયા હોય તો પણ સ્થૂલ પ્રાણનાશ વૃત્તિ ઓછી થઇ જાય ત્યારે પણ સામુદાયિક જીવનમાં સુખશાંતિ વર્તતી જોવા મળે છે
અહિંસાના વિકાસક્રમ પ્રમાણે પણ સ્થૂળહિંસાનો અર્થાત્ દ્રવ્યહિંસાનો ત્યાગ થયા પછી ધીમે ધીમે પ્રમત્તયોગ અર્થાત્ ભાવ હિંસાનો ત્યાગ સમુદાયમાં સંભવિત બને છે
આ રીતે નિશ્ચય દૃષ્ટિએ પ્રમત્તયોગ રૂપ-ભાવહિંસાનો જ ત્યાગ ઇષ્ટ હોવા છતાં સામુદાયિક જીવન વ્યવસ્થાની દૃષ્ટિએ હિંસાને સ્થાન આપી તેના ત્યાગને અહિંસાની કોટીમાં મૂકવામાં આવેલ છે.
* પ્રશ્ન-૪ સૂત્રમાં પ્રાણના વિયોગને હિંસા કહેલી છે પણ આ પ્રાણો આત્માથી જૂદાં છે પ્રાણો ના વિયોગથી આત્માનો વિનાશ થતો નથી. તો પછી પ્રાણોના વિયોગને દોષ-પાપ કે અધર્મરૂપ શામાટે ગણેલ છે?
સમાધાનઃ-પ્રાણના વિયોગથી આત્માનો નાશ થતો નથી પણ દુઃખ અવશ્ય થાય છે અને દુઃખ ની અનુભૂતિને કારણે જ પ્રાણ વિયોગને અધર્મ-પાપ કે દોષરૂપ ગણેલ છે.
આ રીતે પ્રાણવિયોગ ઉપરાંત અન્યને કોઇપણ રીતે દુઃખ આપવું એ પણ અધર્મ કે હિંસા છે * દ્રવ્ય કે ભાવ હિંસાનું સ્વરૂપઃ
આત્માના જ્ઞાનાદિ ગુણો એ ભાવ પ્રાણ છે વિષય-કષાય આદિ પ્રમાદને કારણે આત્માનાં ગુણોનો ઘાત થાય છે આ ઘાત પણ હિંસા જ છે આત્માના ગુણોનો ધાત એ ભાવ હિંસા છે
આત્માના ગુણોના ઘાતરૂપ ભાવ હિંસાની અપેક્ષાએ દ્રવ્ય પ્રાણોના ઘાત એ દ્રવ્ય હિંસા છે આ દ્રવ્ય અને ભાવ એ બંને હિંસામાં ભાવ હિંસાની મુખ્યતા છે છતાં વ્યવહારમાં હિંસાના સ્વરૂપને રજૂ કરતી વખતે તથા અહિંસાના વ્રત સ્વરૂપનો સ્વીકાર કરતી વેળાએ તો વ્ય પ્રાણનાશ રૂપ હિંસાની જ વિચારણા કરવામાં આવે છે તે લક્ષમાં રાખવું
દૃવ્ય -ભાવ હિંસા સ્વ અને પર ભેદે
અ ૭/૪
પોતાના આત્માના ગુણોનો ઘાત એ સ્વ-ભાવ-હિંસા છે
બીજાના આત્માના ગુણોની ઘાતમાં નિમિત્ત બનવું એ પર ભાવ હિંસા છે. ઝેર કે અન્ય દ્રવ્યથી પોતાના પ્રાણોનોવિયોગ કરવો એ સ્વવ્ય હિંસા છે બીજાના દ્રવ્ય પ્રાણોનો વિયોગ કરાવવો તે પર-ધ્રૂવ્ય હિંસા છે
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે પર-દૂવ્ય હિંસાના ત્રણ ભેદોઃબીજાના દ્રવ્યપ્રાણના વિયોગ-રૂપ હિંસાને ત્રણ પ્રકારના ભેદોથી વિચારી શકાય છે (૧)દવ્ય હિંસા (૨)ભાવ હિંસા (૩)દ્રવ્ય ભાવ હિંસા
દ્રવ્ય હિંસાઃ- બીજા જીવના કેવળ પ્રાણ પરોપણ કે પ્રાણવઘ એ શાસ્ત્રીય રીતે દ્રવ્ય હિંસા જ કહેવાય છે
ભાવ હિંસાઃ- કેવળ પ્રમત્ત યોગ કે અસાવધાનીને શાસ્ત્રીય પરિભાષામાં ભાવ હિંસા કહેલી છે
દ્રવ્ય ભાવહિંસાઃ-પ્રમત્ત યોગ અને પ્રાણ વિયોગ બંનેનું જયાં સહઅસ્તિત્વ હોય તેને દ્રવ્ય ભાવ હિંસા કહેવામાં આવે છે
– આ રીતે પ્રમાદના યોગે પ્રાણ વિયોગ થાય છે તે દ્રવ્ય અને ભાવ એમ ઉભય હિંસા. છે .જયાં પ્રમાદ નથી છતાં પ્રાણ વિયોગ થઈ જાય છે ત્યાં કેવળ દ્રવ્ય હિંસા છે જયાં પ્રાણ વિયોગ નથી પણ પ્રમાદ છે ત્યાં કેવળ ભાવ હિંસા છે.
જ ઉકત ત્રણ પ્રકારની હિંસા કઈ રીતે? -૧ જયારે કોઈ જીવ પ્રાણ લેવા પ્રયત્ન કરે પણ નિષ્ફળ જાય ત્યારે ફકત ભાવ હિંસા જેમ કે હરણને મારવા બાણછોડે પણ હરણ બચી જાય અહીં દ્રવ્ય પ્રાણોનો વિયોગ નથી માટે ફકત ભાવ હિંસા છે
-૨ અપ્રમત્ત એવા ત્યાગી મુનિઓ જીવરક્ષા અને જપણાના ભાવ સાથે જીવતા હોવા છતાં કદાચિત જે હિંસા થાય તે દ્રવ્ય હિંસા છે.
-૩ જે ગૃહસ્થ આદિને જયણાના પરિણામ પણ નથી અને સંસાર કાર્યમાં આરંભસમારંભ થકી કરે છે. હિંસા તેમને દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે હિંસા સંભવે છે
1 8]સંદર્ભ# આગમ સંદર્ભઃ
(१)तत्थ णं जं ते पमत्त संजया ते असुहं जोगं पडुच्चआयारम्भा परारम्भा जाव णो મMIRL % મ. ૨,૩૨,ઝૂ. ૨૬-૨
(૨)ગામ સમ સમારંભ...ગામ એટલે ઉપદ્રવ, સમારેમ એટલે પરિતાપ આપવો, સમ એટલે હિંસાનો સંકલ્પ જુઓ * સ્થાસ્થા. પૂ.પ૭૨- મયદેવસૂરિ જીત वृत्ति...आगमोदय समिति- प्रत पृ ४०४
સૂત્રપાઠ સંબંધ -પ્રમત્ત સંયત ગુણઠાણા વાળા મુનિ પણ પ્રમાદયોગથી હિંસામાં પડી શકે તો પછી સામાન્ય માનવીનું ગજું શુ.?
છે તત્વાર્થ સંદર્ભઃપ્રમાદમાટે મિથ્થાના વિરતિષમાવાય. સૂત્ર. ૮: યોગ માટે -યવાડમન:ર્મયો: મૂત્ર. ૬:
અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)પ્રમાદ - નવતત્વ ગાથા-૭ મૂળ તથા વિવેચન
Page #52
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૯
(૨) પ્રાણ-ઇરિયાવહી સૂત્ર પ્રબોધટીકા ભા.૧
(૩)હિંસા - સંસાર દાવાનલ સ્તુતિ-પ્રબોધટીકા ભા. ૧ (૪)હિંસા - વંદિતુ સૂત્ર ગાથા -૯ રૂથપ્પમાય પસંોળ-પ્રબોધટીકા ભા.૨ (૫)હિંસા - અઢાર પાપ સ્થાનક સૂત્ર- પ્રબોધટીકા-૨ [] [9]પદ્યઃ
(૧)
(૨)
૫૧
પાંચ પ્રમાદે વશ પડીને જીવ પ્રાણ વિયોગ તે હિંસા તણું લક્ષણ કહ્યું તત્વાર્થ સૂત્ર સમજીએ હિંસા પ્રાણવધે થતી પણ તહીં મુખ્ય પ્રમાદે ખરી કિંવા દ્રવ્યજ ભાવ નિશ્ચય અને વહેવાર એ બે ગણી ભાવો દુષ્ટ થતાં જ એ બની જશે હિંસા ખરે નિશ્ચયે સદ્ભાવે વધ થાય તો પણ કદી થાયે અહિંસા ખરે
[10]નિષ્કર્ષ:- આ સૂત્રમાં સૂત્રકારે હિંસાના સ્વરૂપનું નિરૂપણ કરેલ છે વ્રતી જીવો માટે મહત્વનો કોઇ નિષ્કર્ષ હોય તો એ છે કે દ્રવ્ય હિંસાતો તજવી જ જાઇએ પણ આત્મ વિકાસના માર્ગમાં આગળ વધતાવ્રતી જીવો માટે તેથી પણ મહત્વનું પગલું ભાવ હિંસા ને તજવાનું છે
જીવ જયાં સુધી પ્રમાદી રહે છે ત્યાં સુધીતો મન-વચન-કે કાયાનો યોગ જોડાઇ જતાં ભાવહિંસા સતત ચાલું રહેવા સાથે દ્રવ્ય હિંસા પણ થવાનો પૂર્ણ સંભવ વર્તેજછે. સમગ્રવિશ્વ દ્રવ્યહિંસાથી વિરમવાને અહિંસા કહેછે જયારે મોક્ષૈકલક્ષી એવું જૈનદર્શનઃપ્રમત્તયોગનેહિંસા કહે છે. દ્રવ્ય હિંસાતો ગૌણ છે માટે અપ્રમત્તતા કેળવવી એ જ શ્રેયનો માર્ગ છે
(અધ્યાયઃ-સૂત્રઃ૯
[] [1]સૂત્રહેતુ:- આ સૂત્રની રચનાનો હેતુ (અસત્ય)અનૃતના સ્વરૂપને જણાવવાનો છે [] [2]સૂત્ર:મૂળ:-અસમિયાનમન્તભ્
[] [3]સૂત્ર:પૃથ-અસત્ અભિયાનમ્ અમૃતમ્
[4]સૂત્રસારઃ- [પ્રમાદથી] અસત્[-અયથાર્થી કહેવું તે અમૃત [અર્થાત્ અસત્ય છે ] [5]શબ્દજ્ઞાનઃ
અમિયાનમ્- કહેવું, બોલવું
અસત્-અયર્થાર્થ
અમૃત- અમૃત, અસત્ય જૂઠ
[7] [6]અનુવૃત્તિ:- પ્રમત્તયોત્.....સૂત્ર ૭ઃ૮
[7]અભિનવટીકાઃ-અહીં સૂત્રકાર અસત્ય દોષના સ્વરૂપ ને પ્રગટ કરે છે. જો કે સૂત્રમાં તો અસત્ કથનને જ અસત્ય કહેવામાં આવેલ છે પણ તેનો ભાવ વિશાળ હોવાથી અસત્ ચિંતન અને અસત્ આચરણ એવી મન અને કાયા બંનેની અસત્ પ્રવૃત્તિ નો પણ અહીં
Page #53
--------------------------------------------------------------------------
________________
૫૨
તસ્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમાવેશ થાય છે.
પ્રમત્ત યોગ શબ્દથી અનુવૃત્તિ અહીં પણ લેવાની છે અર્થાત પ્રમાદથી મન-વચનકાયાના યોગે અયથાર્થ કહેવું તે અસત્ય છે
* असत्:- न सत् इति असत् # સત શબ્દ લોકમાં પ્રશંસા અર્થમાં પ્રસિધ્ધ છે $ જે સત્ નથી તે મત - અપ્રશસ્ત અર્થ પણ થાય છે. # જે પદાર્થ વિદ્યમાન નથી તેનું કથન કરવું તે અસત્ કથન છે
# સત્ શબ્દની ઉમાસ્વાતિજી ક્ત સૂત્ર વ્યાખ્યા પૂર્વે કહેવાઈ છે તે મુજબ .પ. ૩Hવ્યયવ્યમુક્ત સત્ તદનુસાર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણ યુકત છે તે જ સત્ છે
આ સત્ ના ભાવનો પ્રતિષેધ તે અસત્ # સત્ નો અર્થ વિદ્યમાન પણ છે તેથી સત્ એટલે અવિદ્યમાન अभिधान:-अभिधानं इति वाग्योगविषयः અભિધાન એ વચનયોગ નો વિષય છે. અભિધાન એટલે બોલવું, કહેવું
–કાયા વડે, હાથ, આંખ, હોઠ, પગ વગેરે શરીર-અવયવો ની ક્રિયા થકી જૂઠ વડે છેતરવા તે પણ અસત્ અભિધાન
–વચન વડે અસત્ બોલવું તે અસત્ અભિધાન –મન વડે અસત્ આલોચના કરવી તે અસત્ અભિયાન * अनृत्:-न ऋतम् - अनृतम् –તે એટલે સત્ય-અમૃત એટલે અસત્ય
અસત્ય શબ્દ બે અર્થમાં - (૧)અસ્તિત્વ ધરાવતી વસ્તુનો તદ્ન નિષેધ કરવો અગર તો તદ્ન નિષેધ ન કરવા છતાં તે હોય તે કરતા જૂદા રૂપમાં કહેવી તે અસત્ય
(૨)ગતિ અસતઅર્થાત જે સત્ય હોવા છતાં પરને પીડા કરે તેવા દુર્ભાવવાળું હોય તે અસત્ય
પહેલા અર્થને સ્પષ્ટ કરવા એક દૃષ્ટાન્તલઈએ “પોતાની પાસે મૂડી કેરોકડ રકમ પડી હોય છતાં જયારે લેણદાર માંગવા આવે ત્યારે” ત્યારે મારી પાસે કાંઈ છે જ નહીં એવું જે કથન કરવું તે
અથવા તો પાસે મૂડી કે રોકડછે તેની કબુલાત કરવા છતાં પણ લેણદાર વ્યક્તિ લેવામાં સફળ ન થાય તે રીતે કથન કરવું તે
બીજા અર્થને સ્પષ્ટ કરવા એક દૃષ્ટાન્તઃ- કોઈ અભણ કે અણ સમજુને હલકો પાડવા ખાતર તેને દુઃખ થાય તેવી રીતે સાચું કથન હોવાછતાં જયારે તેને અભણ કે અણસમજું કહીને બોલાવો તો તે ગર્વિત અસત્ય છે
જ સ્વપજ્ઞ ભાષ્યનુસાર ગત્ નો અર્થ
असदिति सद्भाव प्रतिषेधोऽर्थान्तरं गर्हा च । तत्र सद्भावप्रतिषेधो नाम સમૂતનિહિમૃતાવને રા
Page #54
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૯
(૧)સદ્ભુત પ્રતિષેધ:# વસ્તુના સ્વરૂપનો અપલાપ કરવો તેને સદ્ભાવ પ્રતિષેધ કહે છે
(૪)ભૂત નિવઃ- ભૂત એટલે બનેલ નિદ્ભવ એટલે છૂપાવવું - બની ગયેલ વસ્તુ સ્થિતિ નો અપલાપ કરવો તે કે સદ્ભુત પદાર્થોનો નિષેધ કરવો તે ભૂત નિહનવ રૂપ અસત્ય છે જેમ કે આત્મા કોઈ સ્વતંત્ર પદાર્થ નથી અથવા પરલોક જેવું કંઈ નથી વગેરે ભૂત નિહનવ કહેવાય છે, કેમ કે આત્મા અને પરલોક એ વાસ્તવિક સિધ્ધપદાર્થ છે, યુકિત યુકત, છે, અનુભવગમ્ય છે તેથી તેનો નિષેધ કરવો એ સદ્ભુત પદાર્થના અપલાપ રૂપ મિથ્યા વચન છે
()અભૂતભાવનઃ- અભૂત એટલે નહીં બનેલું. - ઉદ્ભાવન એટલે ઉત્પન્ન કરવું.
અસલ્કત પદાર્થના નિરૂપણને અભુતોદ્ભાવન કહે છે જેમ કે - શ્યામ િતડુત્રોગ્યમાત્મ-આ આત્મા ચોખા જેટલો નાનો છે અથવા અંગુઠાના પર્વ જેવડો આત્મા છે તેમ કહેવું અથવા આત્માને અમુક વર્ણનો દેખાડવો, આત્માને નિષ્ક્રીય કહેવો વગેરે બધાં વચનો અપૂતોમવન નામક અસત્ય વચન છે કેમ કે આ વચનો દ્વારા આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ નથી તેનો ઉલ્લેખ કરાયો છે
(૨)અર્થાન્તર:- એટલે ફેરફાર यो गां ब्रवीत्यखं - अखंच गौरिति ।
# અર્થાન્તર એટલે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપ થી ભિન્ન સ્વરૂપે-ફેરફાર કરીનેકહેવી તે અર્થાન્તર અસત્ય
જેમ કે ગાયને ઘોડો કહેવો અને ઘોડોને ગાય કહેવીતે અથવા કોઇને રૂ.૫૦૦આપેલા હોય તો પણ મે ૧,૫૦૦ આપેલા છે તેવું કથન કરવું અથવા નકલી વસ્તુને અસલી વસ્તુ કહેવી અને અસલી વસ્તુને નકલી વસ્તુ કહેવી તે
આ રીતે ફેરફાર સાથે કહેવું તેને અર્થાન્તર અસત્ય કહે છે (૩)નિન્દા. નિન્ય વચન આદિ प गर्दा इति हिंसापारुष्यपैशुन्यादि युकतं वचः सत्यमपि गर्हितमनृतमेव भवति ।
સત્ય બોલવા છતાં હિંસા કઠોરતા વગેરેથી યુકત વચન બોલવું.
$ જેટલા પણ નિન્ધવચન છે તે સર્વેને અસત્ય વચન સમજવા. જેમ કે-મરીજા, આને મારી નાખવો છે, નાલાયક છે, આવા-આવા વચનો અથવા કોઇને આંખ ન હોય ને બાડો કહેવો, પગન હોયને “એય લંગડા” એમ કહેવું. આ બધાં વચન સત્ય હોવા છતાં કે અસત્ય ન હોવા છતાં નિન્દ વચનો હોવાથી તે અસત્ય જ ગણાય છે
આ ઉપરાંત મર્મભેદી અપશબ્દ બોલવા, કઠોર વચનો કહેવા, ગાળ દેવી, રૂક્ષ શબ્દો કહેવા, ચાડી-ચુગલીકરવી, નિંદા કરવી વગેરે સર્વેગહિત વચન હોવાથી સત્ય છતાં અસત્ય જ કહેવાય છે
* વિશેષ:- જે વચન હિંસાનું કારણ બને તે સત્ય હોય તો પણ અસત્ય પાંચ વ્રતોમાં મુખ્ય વ્રત અહિંસા છે બીજા તેના રક્ષણ માટે છે એટલે અહિંસાદિ વ્રતોની
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બાહ્ય દૃષ્ટિએ પાલન થવા છતાં જો તેનાથી અહિંસા વ્રતનું પાલન ન થતું હોય તો તે વ્રત વાસ્તવિક રીતે વ્રત ગણાતા નથી તેથી બાહ્ય દ્રષ્ટિએ સત્ય વચન હોય તો પણ જો તેના વડે હિંસા થાય તો તે વચન અસત્ય છે. જેમ કે સાધુએ રસ્તામાં હરણ જતું જોયું, શિકારી સામે મળે અને સાધુ ભગવંતને પૂછે કે હરણ કઈ દિશામાં ગયું છે? સાધુ હરણના જવાની સાચી દિશા બતાવે ત્યારે અહીં બાહ્ય દ્રષ્ટિએ એ વચન સત્ય છે છતાં તે વચનથી શિકારી તે દિશામાં જશે. જઇનેહરણનેમારશે પરિણમે હિંસા થવાની છે આરીતે તેના પરિણામ માં હિંસા જોડાયેલી હોવાથી વચન સત્ય હોવા છતાં અસત્ય છે.
* પ્રHTયો IIC:-આ શબ્દથી અત્રે અનુવૃત્તિ લીધેલી છે. તેનું કારણ એ છે કે હિંસાની જેમ મૃષામાં પણ પ્રમત્તયોગની મહત્તા સ્વીકારેલી છે. વંદિતા સૂત્રની ગાથા-૧૧ માં વીણ અણુવ્રયમ્મી...રૂથ પમાયuોન-એમ કહીને પ્રમાદવશાત્ શબ્દ બીજા વ્રતમાં પણ જોડી દીધેલ છે તેમ અહીં પણ પ્રમાદવશાત મૃષા કથન સમજી લેવું
[8] સંદર્ભઃ# આગમ સંદર્ભ:- ડ્યું.. સર્વે સંધત્ત ..બસન્માવ.. Nિ
પ્રશ્ન. માધવદ્વાર રજૂ. ૬ ૪ તત્વાર્થ સંદર્ભ-પૂર્વ સૂત્ર ૮ મુજબ ફત્પવ્યયૌવ્યયુક્ત સત્ - અધિ-.૨૬ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ– મૃષા-અસત્ય-વંદિતુ સૂત્ર-ગાથા-૧૧ રૂપમાયuસોમાં પ્રબોધટીકા-૨ –મૃષા-અઢાર પાપ સ્થાનક સૂત્ર-પ્રબોધટીકા-૨ -મૃષા વચન કરે મિભંતે સૂત્ર -પ્રબોધટીકા-૧ 9]પદ્ય
-સૂત્ર ૯ તથા ૧૦નું સંયુકત પદ્ય(૧) અસત્ય વચન બોલવાને દોષ અમૃત છે બીજો
નહીં દીધેલ વસ્તુ લેવી ચોરી દોષ કહ્યો ત્રીજો (૨) સૂત્ર ૯ તથા ૧૦ નું સંયુકત પદ્યઃ
દુર્ભાવવાળું કથવું થતું તે અસત્ય
સાવિ સત્ય અણદીધુ પ્રત્યે જ ચૌર્ય U [10]નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી અસત્યનામક બીજા દોષોનું નિરૂપણ કરે છે .વ્રતી જીવાત્માઓ એ પોતાની વ્રતની દૃઢ સમજ અથવા સુસ્પષ્ટતા માટે આ વ્રતમાં કેટલીક વસ્તુ સમજવી આવશ્યક છે જેમ કે આ વ્રતના દેશથી કે સર્વથી યથાયોગ્ય પાલન કરવાને માટે:
(૧)પ્રમત્ત (મન-વચન-કાયના) યોગનો ત્યાગ કરવો જોઈએ. (૨)મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં એકરૂપતા લાવવી જોઈએ (૩)સત્ય હોવા છતાં દુર્ભાવ થી અપ્રિય ન ચિંતવવું કે ન બોલવું કે નકરવું જોઈએ.
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૫
અધ્યાયઃ ૭ સૂત્ર: ૧૦
(૪)અર્થાત હિતકારી-મિષ્ટ-પ્રિયલાગે તેવા થાયોગ્ય સત્ય વચનનું પ્રકાશન કરવું જોઈએ
સૂત્રનો અંતિમ નિષ્કર્ષતો એ જ છે કે આવત-દોષને યોગ્ય રીતી સમજી સ્વીકારી તેન ત્યાગ થકી તે વ્રતનું સર્વથા પાલન કરવા દ્વારા અંતે તે સર્વવિરતિ મોક્ષને અપાવનારી થાઓ
ooooooo
(અધ્યાયઃ-સૂત્રઃ૧૦) U [1] સૂત્ર હેતુ સૂત્રકાર મહર્ષિત્રીજા વ્રતની ભૂમિકાને સ્પષ્ટ કરવા હવે ચોરીસ્તેય ના સ્વરૂપને જણાવે છે.
0 [2] સૂત્ર મૂળઃ- સત્તાવાસંતેયમ્ 0 [3] સૂત્ર પૃથક-અ7 - મોવાનું તેમ
U [4] સૂત્રસાર-અણદીધેલું ગ્રહણ કરવું તે ચોરી, અર્થાત્ પ્રમાદથી અન્યની નહીં આવેલી વસ્તુ ગ્રહણ કરવી તે ચોરી-સ્તેય છે.] U [5] શબ્દ જ્ઞાનઃ
મહત્ત-નહીં દીધેલું માવા-ગ્રહણ કરવું
તેય-ચોરી U [6] અનુવૃત્તિ - પ્રમત્તયો- સૂત્ર-૭૩૮
U [7] અભિનવ ટીકાઃ-સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી ચોરીના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. જો કે પાકિસૂત્ર-વૃત્તિમાં તો આસ્વરૂપ ઘણાં વિસ્તારથી કહેવાયું છે. પણ અહીં તેનો મુખ્ય અને મધ્યવતી સૂર વ્યકત કરવામાં આવેલ છે.
જવસ્તુ ઉપર કોઈ બીજાની માલિકી હોય તે વસ્તુ ભલે તણખલા જેવી તદ્દન બિનકમતી હોય છતાં તેના માલિકની પરવાનગી સિવાય ચૌર્ય બુધ્ધિથી લેવી તે તેય કહેવાય છે.
* अदत्त:- न दत्त इति अदत्त જ નહીં દીધેલ અણ દીધેલ તે અદત્ત.
$ જે દેવાય તે દત્ત પોતાની માનીને ગ્રહણ કરાયેલી ચેતન-અચેતન વસ્તુને દેવેન્દ્રરાજા-ગૃહપતિ-શધ્યાતરકે સાધર્મિક એ પાંચમાના કોઇપણ એક દ્વારા જો દેવામાં આપવામાં આવી હોય તો તે સ્ત્ર કહેવાય છે. અને તેનેજ [રિગૃહીતમે ગ્રહણ કરી શકાય છે. જો તે દેવેન્દ્રાદિ પાંચ માંના કોઈ થકી અપાયેલ ન હોય તો તે અદત્ત કહેવાય છે.
0 દેવેન્દ્રાદિ પાંચ માના કોઈ એ આપેલી હોવા છતાં જો ભગવાને આગમમાં [શાસ્ત્રમાં અનુજ્ઞા આપી ન હોય તો પણ તે અદત્ત જ કહેવાય છે. જેમકે અનેષણીય શવ્યા, આહાર,ઉપધિ વગેરે.
અહીંસૂત્રમાંનલખેલ હોવા છતાં શાસ્વેગ મચગાાન તેયમ્ એ પ્રમાણે જ સમજી લેવું * ચાર ભેદે અદત્તઃसामिजीवादत्तं तित्थयरऽदत्तं तहेव य गुरुहिं
Page #57
--------------------------------------------------------------------------
________________
પદ
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા एवमदत्तं चउहा पण्णत्ता वीयराएहिं
૧.સ્વામી અદત્તઃ-જે વસ્તુનો જે માલિક હોય તે વસ્તુનો સ્વામી કહેવાય છે. વસ્તુના માલિકની રજા વિના જ વસ્તુ લે તો સ્વામી અદત્ત નામનો દોષ લાગે છે.એટલે સામાન્ય તણખલા જેવી વસ્તુ પણ ગ્રહણ કરતા પહેલાં તેના માલિકની રજા લેવી જોઈએ.
૨. જીવઅદત્તઃ-માલિકે રજા આપી હોય તો પણ જો તે વસ્તુ સચિત્ત અર્થાત જીવયુકત હોય તો ગ્રહણ કરી ન શકાય.તે વસ્તુનો માલિક તેમાં રહેલ જીવ છે. અને વસ્તુએ તે જીવની કાયા છે. કોઈપણ જીવને કાયાની પીડા ગમતી નથી.સચિત્ત વસ્તુ ગ્રહણ કરવાથી તે જીવને પીડા,તે જીવની કાયાનો વિનાશ આદિ થાય છે. આપણને કંઈ તે સચિત્ત વસ્તુમાં રહેલા જીવે આવો અધિકાર આપેલ નથી. માટે માલિકની રજા હોવા છતાં તે જીવની પરવાનગી ન હોવાથી સચિત્ત વસ્તુના ગ્રહણમાં અદત્ત દોષ લાગે છે.
મહાવ્રતીઓને તો તેના ગ્રહણનો સર્વથા ત્યાગ જ હોય છે પણ વ્રતી જીવ માત્રને પણ તે દોષરૂપ ગણવું જોઈએ.[જોકે ગૃહસ્થોને માટે તે અશકય છે. માટે જ મહાવ્રતીનો ઉલ્લેખ અહીં કરાય છે.]
૩.તીર્થકર અદત્ત-હવે માનો કે માલિકની પરવાનગી છે અને વસ્તુ અચિત્ત પણ છે તેથી પૂર્વોકત બેઅદત્ત તેને લાગતા નથી. પરંતુ તે વસ્તુના ગ્રહણ માટે તીર્થંકર પરમાત્માની આજ્ઞા છે કે નહીં તે વાત પણ વિચારવી એટલી જ આવશ્યક છે.
જો તીર્થંકર પરમાત્મા અર્થાત્ શાસ્ત્રની આજ્ઞા ન હોય અને જો વસ્તુને ગ્રહણ કરવામાં આવે તો તેને તીર્થકર અદત્તનો દોષ લાગે છે.
જેમકે સાધુના જ નિમિત્તે તૈયાર થયેલ આહાર પાણી હોય, કોઈ અપવાદ માર્ગના સેવનની આવશ્યકતા ન હોય તેવી સ્થિતિ પણ હોય અર્થાસ્વાભાવિક પરિસ્થિતિ હોય ત્યારે
(૧)દાતાએ પોતાની ઇચ્છાથીઆહાર આપેલ છે માટે સ્વામીઅદત્તનો દોષતોલાગતો નથી. (૨)તે વસ્તુ અચિત્ત હોવાથી જીવ અદત્તનો દોષ પણ તેમાં અસ્તિત્વ ધરાવતો નથી.
(૩)પરંતુ આ આહાર સાધુના જનિમિત્તે તૈયાર થયો હોવાથી નિષ્કારણ પણે સાધુએ લેવો તે તીર્થકર અદત્ત કહેવાય.
૪-ગુરુઅદત્તઃ-ત્રણ અદત્તથી આગળ હવે વિચારણા કરીએતો-માનો કે સ્વામી અદત્તજીવ અદત્ત કે તીર્થકર અદત્ત-એ ત્રણમાંના એક પણ અદત્ત નથી અર્થાત્ માલિકે અનુજ્ઞા આપેલી છે,વસ્તુ અચિત્ત પણ છે અને શાસ્ત્રમાં નિષેધ પણ નથી. છતાં જો ગ્રહણ કરે તો તેને ગુરુ અદત્ત લાગે છે.
જેમકે-ગુરુની અનુજ્ઞા વિના નિર્દોષ આહાર-પાણીનું ગ્રહણ કરે -હંમેશા ગુરુની અનુજ્ઞાપૂર્વક જ નિર્દોષ આહાર-પાણી આદિનું ગ્રહણ કરવું જોઈએ-ન કરે તો ગુરુ અદત્ત થાય.
(૧)દાતાએ ભકિતથી આપેલ છે. માટે સ્વામી અદત્ત નથી. (૨)વસ્તુ અચિત્ત વહોરાયેલ છે માટે જીવ અદત્ત નથી. (૩)આહાર-પાણી નિર્દોષ છે માટે તીર્થકર અદત્ત પણ નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૦
પ૭ (૪)પણ જો ગુરુની અનુજ્ઞાન લીધી હોય અથવા ગુરૂની મનાઈ છતાં પણ ગ્રહણ કરતો તેને ગુરુ અદત્ત લાગે છે.
જ માતાન- ની સાથે સૂત્રકાર મહર્ષિ એ બીજો શબ્દ જોડેલ છે. –આત- માવાન એટલે ગ્રહણ કરવું -आदानं इति ग्रहणं धारणं
જ તેય- સ્નેય એટલે ચોરી-જેની પ્રત્યક્ષ વ્યાખ્યા અહીં સૂત્ર માં જ અપાયેલી છે કે સત્તાવા તેયમ્ અર્થાત્ અદત્તનું આદાન તે જ તેય કહેવાય છે.
* પ્રમયો-સૂત્રઃ૮થી પ્રમત્તયોત્ શબ્દની અનુવૃત્તિ અહીં ચાલે છે વંદિતા સૂત્રની ૧૩મી ગાથામાં તપુર્વયી...ત્ય પમયuોળું તેનાથી સમગ્ર સૂત્રને ગોઠવવામાં કંઈક આવા શબ્દો પ્રયોજી શકાય કે પ્રમયોપI[ મત્તાવાને તેયમ્
પ્રમાદપૂર્વકમન-વચન, કાયાના યોગથી કોઈનીન અપાયેલી વસ્તુ રાહણ કરવી તે ચોરી છે. જ ભાષ્યકૃત વ્યાખ્યા - સૂત્રકાર મહર્ષિ સ્વપજ્ઞ ભાષ્યમાં જરા જૂદી રીતે વ્યાખ્યા કરે છે स्तेयबुद्धया परैरदत्तस्य परिगृहीतस्य वा तृणादेर्दव्यजातस्या दानं स्तेयम् –ચોરીની બુધ્ધિ તે તેય, –હું આ હરી લઉં,લઈ લઉ તેવા જે પરિણામને તેય વૃદ્ધ -પ્રમત્તના મન-વચન-કાયાએત્રણેયોગ અનુસારિણી આ બુધ્ધિ હોય તેને સ્તબુધ્ધિ કહી છે.
–આવી કષાયાદિ પ્રમાદથી કલુષિતમનિ પૂર્વકની તેય બુધ્ધિ વડે ગ્રહણ કરવું–શું ગ્રહણ કરવું?) - પ. દ્રશ્ય
–બીજા દ્વારા નહીં અપાયેલ અથવા બીજા દ્વારા ગ્રહણ કરાયેલ તણખલા જેવી નિઃસાર, અલ્પ વસ્તુથી માંડી કોઇપણ બીજી વસ્તુનું ગ્રહણ કે ધારણ કરવું તે ચોરી.
આ વ્યાખ્યા પરથી વ્રતીએ રાખવા યોગ્ય સાવધાની (૧)કોઈપણ ચીજ તરફ લલચાઈ જવાની વૃત્તિ દૂર કરવી.
(૨)જયાં સુધી લાલચ પણું દૂર ન થઈ શકે ત્યાં સુધી પોતાની લાલચની વસ્તુ પોતે જ ન્યાયને માર્ગે મેળવવી.
(૩)તેવી બીજાની વસ્તુ વગર પરવાનગીએ લેવાનો વિચાર શુધ્ધાવ્રતીએ કરવો નહીં.
મહાવ્રતીઓએતો-ગ્રહણ કરવાનેરાખવાયોગ્ય કોઇપણદૂથોડુંકેઝાઝુ,નાનું કે મોટું, સજીવ કેનિઝર્વગામ-નગર કે અરણ્યમાં રાત્રે કેદિવસે,રાગ અથવા ઢષ પૂર્વક ગ્રહણ કરવું તે અદત્તાદાન કહેલ છે એ પણ પ્રવર્તેલા મન-વચન કે કાયા થી આ દોષ લાગે છે.
U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ માં......તેોિ પ્રશ્ન. [માસવાર રૂ, સૂત્ર. ૨૦ ૪ અન્ય સંદર્ભ(૧)પાક્ષિક અતિચાર-વિવેચન
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)પાક્ષિક સૂત્રવૃત્તિ (૩)વંદિત સૂત્ર -ગાથા ૧૩ પ્રબોધટીકા-૨ (૪)અઢાર પાપ સ્થાનક સૂત્ર-પ્રબોધટીકા-૨ D[9] પધઃ- આ બંને પદ્યો પૂર્વ સૂત્રમાં સમાવિષ્ટ થયા છે.
U [10] નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિએ આ સૂત્રમાં ત્રીજા વ્રતને સ્પષ્ટ કરવા માટેની ભૂમિકા રજુ કરી છે. એ ચોરીને તેય -દોષને સમજી સ્વીકારીને તેનું નિવારણ કરવામાં આવે તો આપોઆપ ત્રીજા વ્રતનું પ્રગટીકરણ થવાનું છે.
અહીં પણ ચોરી એટલે માત્ર “લઇલેવું” એટલો જ મર્યાદિત અર્થ ન વિચારતા તેમાં પ્રમત્તયોગ શબ્દનું મહત્વ અવધારવું જોઈએ.કારણકે અપ્રમત્ત વ્યકિત પણ કર્મનું આદાન વગેરે કરે છે. તો શું તેને પણ ચોરી કહીશું?
ના. પ્રમત્તયોગ હોય અને ગ્રહણ કે ધારણને યોગ્ય વસ્તુ હોય ત્યારે જ આ અદત્તાદાનની વિચારણા કરવાની છે પણ જો આ વ્રત ને સમજીને અણદીધેલું એક તણખલું પણ કોઈ ગ્રહણ ન કરે તો આપોઆપ સમાજ વ્યવસ્થામાંથી ચોર-પોલીસ કે તત્સંબંધિ ન્યાયાલયોની આવશ્યકતાનો જ લોપ થઇ જાય છે. સુંદર અને શાંત સમાજ વ્યવસ્થાનું સર્જન થાય છે અને લોકો સંતોષ વૃત્તિ વાળા થઈ જાય છે. એ જ આ સૂત્રનો સામાજિક નિષ્કર્ષ છે. બાકી આત્મિક દ્રષ્ટિએ તો આ વ્રતના સર્વથાપાલન થકી આત્મા કર્મ પુદગલને પણ ગ્રહણ ન કરે તે જ તેનો નિષ્કર્ષ છે અર્થાત તે જીવ મોક્ષને પામનારો થાય છે.
0 1 0 0 0 0 0
(અધ્યાયઃ સૂત્ર:૧૧) [1] સૂત્ર હેતુ - આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અબ્રહ્મના સ્વરૂપને કહે છે. U [2] સૂત્રમૂળ - મૈથુનમબ્રા
[3]સૂત્ર પૃથક મૈથુન - અબ્રહ્મ U [4] સૂત્રસાર-મૈથુનપ્રવૃત્તિ તે અબ્રહ્મ છે. U [5] શબ્દ જ્ઞાનઃ
મૈથુનમ -સ્ત્રી પુરુષનું જે મિથુન કર્મ
અવલ-બ્રહમચર્યનો અભાવ U [6]અનુવૃત્તિઃ- [અહીંએકમત પ્રમાણે વડગપુત્રયમ્મી.. પાયખi વંદિત સૂત્ર ગાથા-૧૫ -પ્રમાદ વશાત સ્વીકારી એ તો પ્રમયો ત્ સૂત્ર ૭:૮ અથવા તેના યોn[ શબ્દની અનુવૃત્તિ
D [7] અભિનવ ટીકા-સૂત્રકાર મહર્ષિ ચતુર્થવ્રતને સમજાવવા માટે પ્રથમ તેની ભૂમિકા બાંધે છે અને તે ભૂમિકા એ જ અબ્રહ્મ દોષની પ્રવૃત્તિ.જેનો અર્થ સૂત્રકાર પોતે સ્વોપજ્ઞભાષ્યમાં આ રીતે કરે છે. કે “સ્ત્રી અને પુરુષ બંનેનામિથુનભાવ અથવા મિથુનકર્મને
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૯
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૧ મૈથુન કહેવામાં આવે છે અને એ મૈથુન એ જ અબ્રહ્મ છે.
–મૈથુન - મૈથુન એટલે મિથુનની પ્રવૃત્તિ ( મિથુન શબ્દથી સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ યુગલ અર્થ લેવાય છે.
# કામરાગના આવેશથી આવા જોડલાએ કરેલી મન-વચન-કે કાયાની કોઈપણ પ્રવૃત્તિ તે મૈથુન કહેવાય છે.
જ ચારિત્ર મોહનીયના ઉદયથી સ્ત્રી પુરુષનું પરસ્પર શરીર સમિલન થવાથી સુખપ્રાપ્તિની ઇચ્છાથી થનાર રાગ પરિણામ તે મૈથુન છે.
# મિથુનનું જોડલું કે મિથુનના જોડલાની ક્રિયાને મૈથુન એવું કહેવાય છે. અર્થાત્ મિથુન શબ્દ ઉપર મૈથુન શબ્દ બનેલો છે.
મિથુન શબ્દ દ્વારા વેદોદયજન્ય કામચેષ્ટા એવો અર્થ કરવાનું કારણ એ છે કે-પુરુષસ્ત્રીના યુગલ ઉપરાંત પુરુષ-પુરુષના કે સ્ત્રી-સ્ત્રીના સંબંધો, પુરુષની સ્વહસ્તાદિના સંયોગે થતી વેદોદયજન્ય ચેષ્ટા કે સ્ત્રીના સ્વહસ્તાદિનાસ્વકાયચેષ્ટાએ સર્વે કામચેષ્ટાને એક પ્રકારે મૈથુન પ્રવૃત્તિ જ કહી છે.
૪ આ મૈથુન પ્રવૃત્તિમાં યુગલ કહયું પણ તેમાં કયારેય બંને સચેતન હોય છે અને કયારેય એક સચેતન અને બીજું અચેતન પણ હોય છે.
મૈથુન ત્રણ પ્રકારે - दिव्वं वा माणुसं वा तिरिक्खभेणियं वा –દેવ અથવા દેવીના વૈક્રિય શરીર સાથે સંભોગ કે અન્ય કામ ચેષ્ટા –મનુષ્ય સ્ત્રી કે પુરુષના શરીર સંબંધિ અનંગક્રીડા થી સંભોગ પર્યન્તની પ્રવૃત્તિ -તિર્યંચ જીવોમાં તિર્યંચ સ્ત્રી-પુરુષ સાથેની સંભોગાદિ કામ ચેષ્ટા એ ત્રણમાંના કોઈ પણ સાથેની કામરાગ જન્ય પ્રવૃત્તિને મૈથુન કહે છે. અન્ય રીતે થતી પ્રવૃત્તિમાં મૈથુન કઈ રીતે? -પુરુષ કે સ્ત્રીના નપુસંક સાથે કામજન્ય સંબંધો પણ મૈથુન છે.
–પોતાના હાથથી કે ફળ વગેરે વિવૃત્તિ કરીને કૃત્રિમ સાધનોના ઉપયોગથી પુરુષ દ્વારા થતી કામચેષ્ટાદિ પ્રવૃત્તિ
–પોતાના હાથથી કે કંદ વગેરેથી કે બીજાના હાથ આદિ અવયવો વડે સ્ત્રી દ્વારા થતી કામચેષ્ટાદિ પ્રવૃતિ.
–વેદોદયના ઉદયથી અચિત્ત એવા દેવ-મનુષ કે તિર્યંચના ચિત્રો, તેમની પ્રતિમા, કાષ્ઠ,વગેરે સાથે જે કામચેષ્ટા કે મૈથુન કર્મ કે અનંગક્રીડા કરે તે પણ મૈથુન છે.
–અન્ય કોઇપણ અચિત્ત સ્રોત કે મૃત શરીર સાથે અથવા ઘણા પ્રકારના કૃત્રિમ ઉપકરણ વડે પોતાના શરીરની વીડમ્બના કરીને પોતાના વેદોદયને શાંત પાડવા જે ચેષ્ટા કરે તે સર્વે મૈથુન છે.
મૈથુનશબ્દની વ્યુત્પત્તિઃ-मिथुनस्य इदं भाव - कर्म वा मैथुनम् –અહીંfમથુન શબ્દને સ્પેમ સૂત્રથી ગળુ લાગીને વ્યાકરણના નિયમાનુસાર મૈથુન
Page #61
--------------------------------------------------------------------------
________________
so
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શબ્દ બનેલો છે.
મૈથુનના ચાર ભેદ –આગમનુસાર -
(૧)દ્રવ્યથીઃ-રૂપઅર્થાત નિર્જીવપ્રતિમાદિનેવિશે અથવારૂપસહગતમાં એટલે સજીવ સ્ત્રી-પુરુષો શરીરોને વિશે.
(૨)ક્ષેત્રથીઃ-ઉર્ધ્વલોક-અધોલોક કે તિચ્છલોક એ ત્રણેમાના કોઇપણ એક લોકને વિશે. (૩)કાળથીઃ-દિવસના કે રાત્રીના અર્થાત કોઇપણ કાળને વિશે. (૪)ભાવથીઃ-રાગ અથવા દ્રષના પરિણામોથી. પ્રમત્ત યોગ - સામાન્યથી પ્રમત્તયોગ શબ્દની અનુવૃત્તિ ચાલુ છે
–વંદિત સૂત્રમાં તો ચોથા વ્રતની સાથે પમાયણસો શબ્દ મુકીને પ્રમાદવશાત શબ્દને સ્વીકારેલો પણ છે-પરંતુ
–અહીં સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે પ્રમાદ્યોમાત્ શબ્દ અહીં અનુવર્તે છે. પણ તેનું ઉપયોજન નથી. કેમ કે જયાં અપ્રમત્ત યોગથી તથા પ્રકાર ની પ્રવૃત્તિ થતી હોય અને કર્મબંધનો અભાવ અર્થાત ભાવ દોષ ગણેલ હોય ત્યાં પ્રમત્તયોગનું ગ્રહણ અર્થસભર ગણાય છે. કેમકે ત્યાં “પ્રમત્તયોગથી કર્મ બંધ છે પણ અપ્રમત્ત યોગથી કર્મબંધ નથી.'' તેવો નિયમ કહેવાયો છે. જેમ હિંસાની વ્યાખ્યા માં પૂર્વે કહેવાયું છે તેમ
મૈથન સર્વાવસ્થામાં રાગ દ્વેષ જનિત જ હોવાથી કર્મબન્ધ કહયો છે. તેથી અપ્રમત્તનું ગ્રહણ સાર્થક રહેતું નથી. અથવા તો બીજા શબ્દોમાં એમ કહી શકાય કે અપ્રમત્ત દશામાં અબ્રહ્મચર્યનો દોષ સંભવતો જ નથી માટે બ્રહ્મચર્ય નિરપવાદ કહયું છે તેથી તેમાં પ્રમત્ત વિશેષણ લગાડવાથી કંઈ વિશેષ અર્થ સરતો નથી.
* એકદ– અબ્રહ્મ શબ્દની સૂત્રગત વ્યાખ્યાતો સ્પષ્ટ જ છે કે “મૈથુનની પ્રવૃત્તિ એ જ અબ્રહ્મ''
# જેના પાલનથી અહિંસા આદિ આધ્યાત્મિક ગુણોની વૃધ્ધિ થાય તે બ્રહમ ૪ જેના સેવનથી અહિંસા આદિ આધ્યાત્મિક ગુણોનો હ્રાસ કે નાશ થાય તે અબ્રહ્મ.
જ કોઈપણ પ્રકારની કામચેષ્ટારૂપ મૈથુનના સેવનથી અહિંસાદિ ગુણોનો અથવા આત્માના મૂળભૂત આજ્ઞાદિ ગુણોનો નાશ થાય છે. માટે તે કામ ચેષ્ટા અર્થાત અનંગક્રીડાદિ સર્વે સંયોગ પ્રવૃત્તિને અબ્રહ્મ કર્યું છે.
# બ્રહ્મ એટલે જેના પાલનથીઃ-અનુસરણથી સદગુણો વધે તે. પણ જે તરફ જવાથી સગુણો ન વધે પણ દોષો જ પોષાય તે અબ્રહ્મ.
–મૈથુનએ એવી પ્રવૃત્તિ છે કે તેમાં પડતાં જ બધા દોષોનું પોષણ અને સદ્ગણોનો હ્રાસઘસારો શરૂ થાય છે તેથી મૈથુનને અબ્રહ્મ કહેવામાં આવેલ છે.
૪ આગળ વધીને કહીએતો:- બ્રહ્મ વ શાત્રાનુષ્ઠાન, કુશલ અનુષ્ઠાન કે આત્મહિતકારી ક્રિયા તે બ્રહ્મ અને તેનો અભાવ તે અબ્રહમ અથવા મામૈવવર-આત્માની જ રમણતા તે બ્રહ્મ.બહિર્મુખ એવી કોઈપણ ચિત્તવૃત્તિ-ત્યાદિ વિષય સંબંધિત અબ્રહ્મ.
* પ્રશ્નઃ- જયાં જોડલું ન હોય-માત્ર સ્ત્રી કે પુરુષ કોઈ એક જ વ્યકિત કામરાગના
Page #62
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૧
૧
આવેશ પૂર્વક જડ વસ્તુના આલંબનથી અગર પોતાના હસ્ત આદિ અવયવો વડે મિથ્યા આધાર સેવે તો શું તેને મૈથુન પ્રવૃત્તિ કહી શકાય ખરી?
સમાધાનઃ- હા.તેનેમૈથુન પ્રવૃત્તિ જ કહેવાય. કેમકે કામરાગ જનિત કોઇપણ ચેષ્ટા તે મૈથુન જ કહયું છે આ અર્થ કોઇ એક વ્યકિતની તેવી વ્યકિતગત દુશ્ચેષ્ટાને પણ લાગુ પડે જ છે તેથી તે મૈથુન દોષ છે.
જે વિશેષઃ-અબ્રહ્મ થી હિંસાદિક દોષ પુષ્ટ થાય છે. વળી તેમાં ત્રસ-સ્થાવર જીવો હણાય છે,મિથ્યા વચન બોલાય છે, વિના દીધેલી વસ્તુને ગ્રહણ કરવાનું બને છે. અને ચેતન તથા અચેતન પરિગ્રહનું ગ્રહણ થાય છે.-માટે તે અબ્રહ્મ છોડવા લાયક છે.
[] [8] સંદર્ભઃ
આગમસંદર્ભઃ- ગવર્મી મેદુ ં જ પ્રશ્ન (આષવદ્વાર) ૪,પૂ. ૨૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ
(૧)વંદિતુ સૂત્ર ગાથા-૧૫ પ્રબોધ ટીકા-૨ (૨)અઢાર પાપ સ્થાનક સૂત્ર પ્રબોધ ટીકા-૨ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિ “ચોથો આલાવો (૪)પંચિદિય સૂત્ર- પ્રબોધ ટીકા-૧ ] [9]પદ્યઃ
(૧)
(૨)
સૂત્ર-૧૧-૧૨ નું સંયુકત પદ્યમૈથુન તે અબ્રહ્મ ચોથો પરિગ્રહ મૂર્છા ઘટે
એ પાંચ દોષે દુઃખી જીવો અવિરતિમાં ભવ ફરે સૂત્ર-૧૧,૧૨નું સંયુકત પદ્ય
અબ્રહ્મ તો કદી પ્રમાદ વિના ન થાય
મૂર્છા પરિગ્રહ ગણે સુજનો સદાય.
] [10] નિષ્કર્ષ:-ચોથા વ્રત્તને દ્રઢ કરવા માટે વર્ણવાયેલા આ મૈથુન દોષનો નિષ્કર્ષ બે મહત્ત્વની બાબતો રજૂ કરે છે.
(૧)આ દોષનિરપવાદ કહ્યોછે.તેના કારણનેજણાવતા ગ્રન્થકાર મહર્ષિઓ કહેછે કે અપ્રમત્ત ભાવેહિંસા-જૂઠ-ચોરી કે પરિગ્રહ હોઇ શકે છે અર્થાત્ આચારે દોષો અપ્રમતાની સ્થિતિમાં પણ સંભવે છે.જયારે મૈથુનદોષ કેવળ પ્રમાદ સ્થિતિમાં જ સેવી શકાય છે.સેવાય છે
અર્થાત્ જો આ દોષથી સર્વથા નિવૃત્ત થવું હોય તો જીવે અપ્રમત્ત સ્થિતિ ધારણ કરવા પુરુષાર્થ ક૨વો જોઇએ વળી મોક્ષના ઇચ્છુક જીવોને તો આ દોષના નિવારણ વિના મોક્ષપ્રાપ્તિ થવાની જ નથી, માટે આ સૂત્ર થકી એમ કહી શકાય કે જીવે વધુને વધુ અપ્રમત્ત રહેવા પુરુષાર્થ કરવો જોઇએ.
(૨)આ દોષની વિસ્તૃત વ્યાખ્યા એવી છે કે આત્મલીનતા કે સ્વભાવદશા જ બ્રહ્મચર્ય છે,અર્થાત્ જીવ જેટલી વખત પરભાવ દશામાંજાય છેતે અબ્રહમ છેવળી આઅબહ્મઆવરણ
Page #63
--------------------------------------------------------------------------
________________
દર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શબ્દ,રૂપ,રસ,ગંધ,સ્પર્શ એ પાંચે ઈન્દ્રિયોના ૨૩ વિષયમાં સ્વીકારાયેલું છે. માટે સર્વથા વિષયવિમુખ બનીસ્વરૂપલીનતા કે સ્વગુણ રમણતા થકીજજીવ શીવ બની શકે તે આ સૂત્રનો નિષ્કર્ષ છે.
| _ _ _ _
(અધ્યાયઃ સૂત્ર:૧૨) U [1] સૂત્ર હેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પરિગ્રહના સ્વરૂપને જણાવી રહયા છે.
[2] સૂત્ર મૂળ-મૂર્ચા - પuિ: U [3] સૂત્ર પૃથક-સ્પષ્ટ જ છે. U [4] સૂત્રસાર-મૂચ્છ પરિગ્રહ છે.
[અર્થાતુ-સચેતન કે અચેતન કોઈ પણ પદાર્થઉપર મમત્વબુધ્ધિ.“મારુ કરવાની-મારું માનવાની બુધ્ધિ તે પરિગ્રહ છે] U [5] શબ્દજ્ઞાનઃ
-મૂચ્છ-મૂચ્છ,આસકિત,મમત્ત્વબુધ્ધિ
પાિ -પરિગ્રહ-ધારણ કરવું, સ્વીકાર U [6] અનુવૃત્તિ -શ્રમયો I[ સૂત્ર. ૭:૮
D [7] અભિનવ ટીકા-સૂત્રકાર મહર્ષિ પ્રથમ સૂત્રમાં વ્રતની વ્યાખ્યા આપતા હિંસાદિ પાંચ દોષથી વિરતિતે વ્રત એવી વ્યાખ્યા જણાવી ગયા પછી પાંચે દોષોની ક્રમાનુસાર વ્યાખ્યા કરતા આ સૂત્રમાં હવે પરિગ્રહનામક પાંચમાદોષને જણાવે છે? “મૂચ્છતે પરિગ્રહ” પણ મૂર્છા એટલે શુ? મૂચ્છ ની વ્યાખ્યા શુ?
જ મૂચ્છ- મૂચ્છ એટલે આસકિત.
૪ નાની મોટી જડ,ચેતન,બાહ્ય, કે આંતરિક,ગમે તે વસ્તુ હોય કે કદાચ ન પણ હોય, છતાં તેમાં બંધાઈ જવું કે તેની પાછળની તાણમાં વિવેકને ગુમાવી બેસવો તે મૂચ્છ.
જ લોકમાં મૂચ્છ શબ્દ બેહોશીના અર્થમાં પ્રસિધ્ધ છે તેથી તેના અર્થની વિશેષ સ્પષ્ટતા કરવા માટે સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે-મૂચ્છ, ઇચ્છા,પ્રાર્થના, કામ,અભિલાષા,કાંક્ષા,ગૃધ્ધિ વગેરે એકાWક અથવા પર્યાયવાચી શબ્દો છે.
& સચેતન કે અચેતન કોઈપણ પદાર્થ ઉપર મમત્વ બુધ્ધિ અથવા મારું કરવાની કે માનવાની બુધ્ધિ તે જ મૂચ્છ
# ગાય,ભેંસ,ધન, ધાન્ય, આદિ ચેતન-અચેતન બાહ્ય ઉપધિ અને રાગાદિરૂપ અભ્યન્તર ઉપધિનું સંરક્ષણ-સર્જન અને સંસ્કાર આદિરૂપ વ્યાપાર જ મૂર્છા છે.
– મૂછું ધાતુનો અર્થ મોહ છે. અને અહીં બાહ્ય-અભ્યત્તર ઉપધિ વિષયક મમત્વ એ પણ મોહનું સ્વરૂપ જ હોવાથી મૂર્જી શબ્દનો મોહ-મમત્વાદિ અર્થ યોગ્ય જ છે.વાત-પિત્ત કફ આદિથી ઉત્પન્ન થતી, બેહોશીરૂપ અર્થ ધરાવતી મૂચ્છ અહીં લેવાની નથી.
Page #64
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૨
૩
मूर्च्छछ्यतेऽनया आत्मा इति मूर्च्छा - लोभ परिणतिः तया आत्म मोहम् उपनीनयते - विवेकात प्रच्याव्यते
જે મૂર્છા શબ્દના પર્યાયોઃ
ફ∞ા:-લાખ રૂપીયાવાળો કરોડને ઇછેછે,કરોડવાળો અબજ ને ઇચ્છેછેઅને પરંપરાએ ત્રણ લોકની સંપત્તિથી પણ ન ધરાતો વધુને વધુ ઇચ્છા કર્યા જ કરે છે.તે મૂર્છા શબ્દનો રૂા પર્યાય છે. આ પ્રાર્થનાઃ-પ્રકર્ષ માંગણી તે પ્રાર્થના તૃષ્ણાને વશ થયેલો એવો તે થોડુંક હોય તો પણ ઉત્કૃષ્ટની જ માંગણી કરે છે. તે મૂર્છા શબ્દનો પ્રાર્થના પર્યાય સમજવો.
જામ:- ઝમનું ામ :-એક પ્રકારની ઇચ્છા.જેજે કંઇ દ્રવ્ય હોય તે-તે સર્વેનો અનુરોધ કે ઇચ્છા તે ામ એ પણ મૂર્છા નો જ પર્યાય છે.
અભિાષ: -એ માનસિક વ્યાપાર છે. બીજાની ૠધ્ધિ જોઇને ઉત્પન્ન થયેલ વૃત્તિ વડે તે ઋધ્ધિની મનોમન અભિલાષા કરવી કે મને પણ આ સંપત્તિ મળે તે અભિલાષા-નામક મૂર્છા શબ્દનો પર્યાય છે.
તાડ્યાઃ-મેળવવાની વૃત્તિરૂપ ભાવ તે કાંક્ષા
..
વૃદ્ધિઃ-લાલસા રૃતિ તિ મામ્ દૂરથી જ આંખ વડે જે સંપત્તિને જુએ તેની અતિ લોભકષાયપૂર્વક પ્રાપ્તિ માટેની ભાવના તે ‘‘લાલસા’'નામક મfશબ્દનો પર્યાય છે. + परिग्रहः- परिगृह्यते इति परिग्रहः
લોભાનુરકત ચિત્તવૃત્તિ વડે સ્વીકા૨ ક૨વો તે પરિગ્રહ સૂત્રોકત રીતેતો-ઉકત મૂર્છા એ જ પરિગ્રહ છે.
સામાન્યથી પરિગ્રહ એટલે સ્વીકાર.-જેનાથી આત્મા સંસારમાં જકડાય તે પરિગ્રહ છે.આત્મા આસકિત કે મૂર્છાથી સંસારમાં જકડાય છે માટે આસકિત કે મૂર્છાએ પરિગ્રહ છે. –આ રીતે વસ્તુના સ્વીકાર છતાં તેને વિશે આસકિત નહોય તો તે વસ્તુનો સ્વીકારએ
પરિગ્રહ બનતો નથી.
—જયારે વસ્તુનો સ્વીકાર ન કરવા છતાં જો તેમાં આસકિત હોય તો તે આસક્તિ વસ્તુ અભાવે પણ પરિગ્રહ જ છે.
—આ રીતે આસકિત વિના પણ વસ્તુનો સ્વીકાર કે ઉપભોગ એ પરિગ્રહ નથી. અને આસકિત હોય તો વસ્તુ ન મળવા કે ન ભોગવવા છતાં પણ પરિગ્રહ જ છે.
ન
એક પ્રશ્નઃ-ઇષ્ટ વસ્તુમાં આસકિત હોવા છતાં લાભાન્તરાય કર્મના ક્ષયોપશમના અભાવે વસ્તુન મેળવી શકે તેમ બને.પણ જેની આસકિત ન હોય તેવી અનિષ્ટ વસ્તુ ઇચ્છા ન હોવા છતાં સ્વીકાર કે ઉપભોગ કરે તે કેવી રીતે બને?
કેમકે વસ્તુનો સ્વીકાર કે ઉપભોગ જ કહી આપે છે કે અનિષ્ટ છે તો આપણે એનાથી કેમ દૂર રહીએ છીએ?
સમાધાનઃ-આ પ્રશ્ન બરાબર નથી.કેમકે રોગી કડવાં ઔષધ પીએ છે તો શું તેને તે ઔષધ ગમે છે માટે પીએ છે.તેને ઇષ્ટ એવી રોગમુકત સ્થિતિને પ્રાપ્ત કરવા અનિષ્ટ-એવા ઔષધોનું સેવન કરે છે.અનિચ્છાએ પણ સેવન કરે છે.
વસ્તુ
તેને ઇષ્ટ છે.જેમકે-કાંટો
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એજ રીતે ઓપરેશનમાં શરીર પરમુકાતા કાપ,ઈજેકશન વગેરે કંઈ ઈષ્ટ છે માટે સહન કરે છે? તેતો શરીરની આપત્તિને ટાળવા માટે આ અનિચ્છનીય સ્થિતિનો સ્વીકાર કરે છે.
કાંટાથી દૂર રહેનારા આપણે પણ જયારે કાંટો વાગે છે ત્યારે વનસ્પતિ કે ધાતુજન્ય એવા બીજા કાંટાને જ શોધીએ છીએ ને?
તેથી અનિષ્ટ વસ્તુમાં આસકિત ન હોવા છતાં તેનો સ્વીકાર કે ઉપભોગ થાય છે.તે વાત સત્ય છે.
* પરિગ્રહના ભેદ-પરિગ્રહનાં બાહ્ય અને અભ્યન્તર બે ભેદ છે બાહયપરિગ્રહ-વાસ્તુ, ક્ષેત્ર, ધન, ધાન્ય,શયા,આસન,દ્વિપદ, ચતુષ્પદ,કુખ્ય આદિ.
અત્યંતર પરિગ્રહ -મિથ્યાત્વ,વેદ, હાસ્ય,રતિ,અરતિ, શોક, ભય,જુગુપ્સા, ક્રોધ,માન ,માયા,લોભ,રાગ,ષ,એ ચૌદ અત્યંતર પરિગ્રહ છે.
બાહ્ય પદાર્થો પણ અંતરંગ મૂચ્છના કારણ હોવાથી તેને પરિગ્રહ જ કહ્યો છે.
* સંકલિત અર્થ-ચેતનાયુકત કે અચેતન જે બાહ્ય તથા અભ્યન્તર દ્રવ્ય કે પદાર્થ છે તેના વિષયમાં જે મન-વચન-કાયાની જે ગાઢ આસકિત કે મૂચ્છ તે પરિગ્રહ છે.
* પ્રમત્તયો પૂર્વ સૂત્રમાંથી પ્રમત્તયોગની અનુવૃત્તિ અહીં લેવાની છે તેથી પ્રતિયોન શબ્દ થકી આ સૂત્રનો અર્થ વિશેષ સ્પષ્ટ થશે. કેમકે જ્ઞાન દર્શન,ચારિત્ર,અર્થાત્ રત્નત્રયના વિષયમાં, તત્સમ્બન્ધી ઉપકરણ વિષયકમમત્વભાવને મૂર્છા કે પરિગ્રહ કહેવામાં આવતો નથી.
જ્ઞાન-દર્શનાદિ યુકત મહાત્માઓને મોહ ન હોવાથી તેઓ અપ્રમત્ત છે માટે તેને પરિગ્રહી કહી શકાય નહીં.
વ્રતધારી મહાત્માઓને અમુક વસ્તુઓનો સ્વીકાર અને ઉપભોગ અનિવાર્ય બની જાય છે.કેમકે મહાવ્રતોનું પાલન કરવા દેહની મદદ લેવી જ પડે.અને દેહનું પોષણ-પાલન વગેરે આહાર, વસ્ત્ર, વસતિ આદિ વિના થઈ શકે નહીં. આથી સાધક આત્માઓને આસકિત રહિત ભાવે પણ વસ્ત્ર, પાત્ર,વસતિ વગેરેની આવશ્યકતાતો રહેવાની જ છે. પણ અપ્રમત્ત ભાવે અર્થાત મમત્વ કે આસકિતરહિત મૂર્છારહિત પણે જે ઉપકરણોનો સ્વીકાર અને ઉપભોગતપરિગ્રહરૂપ દોષનું કારણ બની શકતો નથી.
[8] સંદર્ભઃ# આગમ સંદર્ભ મુછી પરદો વૃત્તો ટાગ. ૬, . ૨૨ & અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિતુ સૂત્ર ગાથા૧૭-પ્રબોધટીકા-૨ (૨)અઢાર પાપસ્થાનક -પ્રબોધટીકા-૨ (૩)પાક્ષિક સૂત્રવૃત્તિ (૪)પાક્ષિક અતિચાર
[9]પદ્યઃ- આ સૂત્ર ના બંને પઘો પૂર્વે સૂત્રમાં કહેવાઈ ગયાં છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
૫
અધ્યાયઃ ૭ સૂત્ર: ૧૨
O [10] નિષ્કર્ષ-અહીં સૂત્રકાર મહર્ષિએ જે પરિગ્રહદોષનું વર્ણન કર્યું છે તેવતી આત્માઓ માટે તો નિતાન્ત ઉપયોગી છે જ કેમકે આ દોષના સર્વથા ત્યાગ વિના વિશુધ્ધ ચારિત્ર અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે જ નહીં. - રાગાદિ અત્યંતરદ્રન્થિઓનો ત્યાગ થવાથી જ જીવ વીતરાગતાને પ્રાપ્ત કરી શકે છે. સયોગી કેવળીરૂપી ગુણ સ્થાનકે પહોચી શકે છે. પણ સામાજિક દ્રષ્ટિએ પણ પરિગ્રહદોષનો ત્યાગ આવશ્યક છે.
વસ્તુમાં આસકત બનેલોકેલાલસાથી પીડાતો જીવહિંસા પણ કરે છે, જૂઠપણ બોલે છે,ચોરી પણ કરે છે અને વિષયાદિથી પણ પીડાયા કરે છે. આ બધા દોષોની નિવૃત્તિ માટે પણ પરિગ્રહદોષ નિવૃત્તિ આવશ્યક ગણવામાં આવેલી છે.તઉપરાંત જો સમાજ આ દોષને દોષરૂપે સ્વીકારીને તેના નિવારણ માટે પ્રયત્નશીલ બનેતો સંતોષનું સામ્રાજયલાય છે. “સંતષી નર સદા સુખી” એ ઉક્તિ અનુસારસમગ્ર સમાજમાં પણ સુખ અને શાંતિનો ફેલાવો થાય છે અને પરિણામે અનેક ઈચ્છા-લાલસા તથા તજજન્ય અનિષ્ટ પરિણામાંથી સમાજ મુકત બને છે.
0000000 આ અધ્યાયના સૂત્ર-૮થી ૧રના વિવરણને અંતે એક પ્રશ્ન -હિંસા-મૃષા-ચોરી-મૈથુન-પરિગ્રહએ પાંચ દોષોનું સ્વરૂપ જોવું. -આ બધાનું સ્વરૂપ ઉપરઉપરથી જોતાં અલગ-અલગ જણાય છે. -જો બારીકાઇથી જોવામાં આવે તો તેમાં કોઈ ખાસ ભેદ જણાતો નથી. -કારણ કે આ પાંચે કહેવાતા દોષોના દોષ પણાનો આધારતો રાગદ્વેષ અને મોહજ છે. -રાગ, દ્વેષ અને મોહ જ હિંસા આદિ વૃત્તિઓનું ઝેર છે. -પાક્ષિક સત્રમાં પણ રાખવા રોજ વા એ બે પદો પાંચે મહવાતોમાં નોંધાયેલા છે.
-આ રીતે રાગ દ્વેષાદિવૃત્તિ એ જ દોષ છે તેમ કહેવું જ પુરતું છે. તો પછી દોષના હિંસા આદિ પાંચ ભેદો વર્ણવાનું કારણ શું?
સમાધાન આ પ્રશ્ન યુક્ત જ છે.કેમકે હિંસાદિ પ્રવૃત્તિઓ રાગ દ્વેષાદિને કારણે જ થાય છે તેથી ખરેખર રાગદ્વેષ આદિજ મુખ્ય પણે દોષછે.અને દોષથી વિરમવું એ એક જ મુખ્યવ્રત છે.
તેમ છતાં રાગદ્વેષ આદિનો ત્યાગ ઉપદેશવાનો હોય ત્યારે તેથી થતી પ્રવૃત્તિઓ સમજાવીને જતે પ્રવૃત્તિઓ અને તેના પ્રેરક રાગદ્વેષાદિનો ત્યાગ કરવાનું કહી શકાય. સ્થૂળ દૃષ્ટિવાળા લોકો માટે બીજો ક્રમ શકય નથી.
રાગદ્વેષથી થતી અસંખ્ય પ્રવૃતિઓ પૈકી હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહએ પાંચ મુખ્ય પ્રવૃતિ અને આ જ પ્રવૃત્તિ મુખ્ય પણે આધ્યાત્મિક કે લૌકિક જીવનને કોતરી ખાય છે. તેથી પાંચ વિભાગ થકી આ હિંસાદિ પાંચ પ્રવૃત્તિ ગોઠવીને તે પાંચ દોષો વર્ણવાયેલા છે.
જો કે આ દોષોની સંખ્યામાં કાલાનુસાર પરિવર્તન પણ આવેલા જ છે. છતાં મુખ્યપણે સમજવા યોગ્ય વાત એટલીજ છે કે આ દોષોના નિવારણ પાછળનું પણ મુખ્ય ધ્યેયતો રાગ
અ. ૭/૫
Page #67
--------------------------------------------------------------------------
________________
ری
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દ્વેષનું નિવારણ કરવું એજ છે.
આ જ કારણથી હિંસા આદિ પાંચ દોષોમાં કયો દોષ પ્રધાન અને કયો દોષ ગૌણ, કયો પહેલો ત્યાગ કરવાલાયક અને કયો પછી ત્યાગ કરવા લાયક છે એ સવાલ જ રહેતો નથી.
આમતો એક હિંસા દોષની વિશાળ વ્યાખ્યામાં બધાં દોષ સમાઈ જાય છે. છતાં અપેક્ષાએ વિવક્ષા કરવામાં આવે તો પાંચે દોષોમાં એક બીજા દોષોની વિવલા થઈ શકે છે. પરંતુ પાંચે દોષો ના ત્યાગમાં પ્રમાદ ત્યાગ અથવા રાગ-દ્વેષનો ત્યાગ એજ મુખ્ય લક્ષ્ય રાખી વતી આત્માઓએ આત્મ વિકાસ સાધવો જોઈએ.
D D D D D D
(અધ્યાયઃ૭-સૂત્રઃ ૧૩) 0 [1]સૂત્રહેતુ સૂત્રકારમહર્ષિઆ સૂત્રથીખરો વતી કોને કહેવાય તેની વ્યાખ્યા કે પ્રાથમિક લાયકાતને જણાવે છે
1 [2]સૂત્ર મૂળ-નિ:ો વતી D [3]સૂત્ર પૃથક-નિ: શન્ય: ત્રી
[4]સૂત્રસાર:- જે શલ્ય વિનાનો હોય તે વ્રતી શિલ્ય રહિતનો વિરતિઘર આત્મા વ્રતી કહેવાય છે] U [5] શબ્દજ્ઞાનનિ: શલ્ય-માયાદિ શલ્ય રહિત વતી વ્રત વાળો, વ્રતથી યુક્ત
[6]અનુવૃત્તિ-સ્પષ્ટ અનુવૃત્તિ કોઈ જ નથી.
[7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિ એ આ અધ્યાયના પ્રથમ સૂત્રમાં વ્રતની વ્યાખ્યા કરેલી. તે મુજબ હિંસાદિ પાંચે દોષોથી વિરમવું તે વ્રત કહેવાય. હવે સામાન્ય જનમાનસ આટલી જાણકારી પરથી એમ જ સમજવાનો કે જે વ્રત ધારણ કરે તે વ્રતી કહેવાય
સૂત્રકારે પહેલા હિંસાદિ દોષોની વિસ્તૃત અને સ્પષ્ટ સમજ આ પૂર્વેના પાંચ સૂત્રો થકી આપી દીધી હવે વ્રતીનું લક્ષણ જણાવે છે તદનુસાર તો શલ્યરહિતતા ને વ્રતીનું લક્ષણ કહ્યું છે તો પછી ખરેખર વતી કોણ? વ્રતધારી કે નિઃશલ્ય? આવો પ્રશ્ન થવો એ સ્વાભાવિક છે.
આ સૂત્રમાં તેનું સમાધાન કરતા જણાવે છે કે માત્ર અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય કે નિષ્પરિગ્રહવ્રતને ધારણ કરવાથી કોઈ વાસ્તવીકરીતે વ્રતી બનતો નથી. ખરેખરવતી બનવા માટેની પૂર્વશરત એ છે કે આવો વ્રતધારી જીવ નિઃશલ્ય હોવો જોઈએ અર્થાત્ શલ્યને ત્યાગ કરવો વતીપણાની પૂર્વ શરત છે
–જો તેનામાં દંભ,ડોળ કે ઠગવાની વૃત્તિ પડેલી હોય -જો તેનામાં હજી પણ ભોગોની લાલસા પડેલી હોય -જો તેનામાં સત્ય પરની શ્રધ્ધા ન હોય કે અસત્યનો આગ્રહ હોય તો આ ત્રણે વસ્તુ
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૩ માનસિક દોષરૂપ છે જયાં સુધી જીવમાં આ ત્રણે શલ્યો હશે ત્યાં સુધી તે મન અને શરીર ને કોતરી ખાય છે અને આત્માને સ્વસ્થ-નિરોગી થવા દેતા નથી
આ રીતે શલ્ય વાળો આત્મા કોઈ કારણસર વ્રત લઈલે તો પણ તે તેના પાલનમાં એકાગ્ર થઈ શકતો નથી. જોમ શરીરના કોઈ ભાગમાં કાંટો કે બીજી તેવી તીક્ષ્ણ વસ્તુ ભોંકાઈ હોય, તો તે શરીર અને મનને અસ્વસ્થ કરી આત્માને કોઈપણ કાર્યમાં એકાગ્ર થવા દેતી નથી. તેમ ઉક્ત માનસિક દોષો પણ તેવાજ વ્યગ્રતા કારી હોવાથી તેમનો ત્યાગ એ વતી બનવા માટેની પાયાની શરત રૂપે જણાવવામાં આવેલ છે.
જે નિઃ :- વ્રતી ની વ્યાખ્યારૂપે મૂકાયેલો આ શબ્દ છે. જેનો સામાન્ય અર્થ થાય છે શલ્ય રહિત કે શલ્ય વગરનો
$ શત્રુતતિ શક્યમ્ - શ ને ઉણાદિનો પ્રત્યેય લાગી શસ્ય એ રીતે શક્ય શબ્દ બનેલો
૪ ગૃતિ હિનતિ તિ શક્યમ્ એવી પણ વ્યુત્પત્તિ જોવા મળેલ છે
# શલ્ય એટલે પીડાદાયીવસ્તુ. જે રીતે શરીરમાં કાંટો વગેરે લાગેતો તેને શલ્ય કહેવાય છે તે રીતે આત્માના પીડાકાર ભાવને પણ શલ્ય કહેવામાં આવે છે
$ જે રીતે કાંટો વગેરે શલ્ય શરીરમાં બેસી જાયતો પ્રાણિઓને પીડાકારી થાય છે તે જ રીતે શરીર અને મન સંબંધિ પીડાનું કારણ હોવાથી કર્મોદય જનિત વિકારને શલ્ય કહેવામાં આવે છે
શલ્ય શબ્દનો શબ્દાર્થ કંટક થાયછેજેકાંટાની માફકસ્બયને ખુંચે છે તેને પણ શલ્ય કહ્યું છે
૪ માયા,નિદાન, મિથ્યાત્વએ ત્રણ શલ્ય છે. શરીરના કોઈ ભાગમાં જેમ કોઇ શલ્ય પ્રવેશ કરેતો તે શરીર અને મનને અવસ્થ બનાવી દે તેમ માયાદિ ત્રણે શલ્યો આત્મામાં રહી જાય તો આત્માને અસ્વસ્થ બનાવી દે છે અને તેની પ્રગતિનો રોધ કરે છે
૧-માયાશલ્ય -માયા એટલે કપટ અથવા માયાચાર $ માયા, નિકૃતિ, વંચના, ઠગવાની વૃત્તિ એ બધું માયા શલ્ય છે. ૪ કપટ પણું હોવું તે માયા શલ્ય
4 माया शाठ्यम् उपधि: छद्म कषाय विशेष । मिमीते परान् इति माया । स्वेन शाठयेन परेषां सारासारप्रमाणमादत्त इति इयन्त एतद्दति सुखसाध्या गृहीतहृदयावष्टम्भानवष्टम्भाः।
# કપટ એજ શલ્ય. જેમ કે જીવ અતિવાર સેવવા છતાં કપટથી ગુરુની સમક્ષ આલોચના ન કરે, કરેતો ખોટી રીતે કરે, કપટથી બીજાની ઉપર પોતાના દોષો ચઢાવે ત્યારે માયા થકી અશુભ કર્મનો બંધ કરીને પોતાના આત્માને દુઃખી કરે છે આ માયા પ્રવૃત્તિ એ જ તેનું શલ્ય કહેવાય છે. ૨. નિયાણ શલ્ય - ભોગની ઇચ્છા, ભોગની લાલસા
વ્રતસાધનાના ફળ રૂપે આલોક અને પરલોકનાં દુન્યવી સુખોની ઇચ્છા રાખવી. $ સંસારિક ભોગરૂપ ફળોની ઇચ્છા ન હોવાથી તે નિદાન.
$ નિદાન એટલે દેવની, મનુષ્યની ઋધ્ધિ જોઇને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાપૂર્વક અનુષ્ઠાન કરવું એ પાપસાધનની અનુમોદના દ્વારા આત્માને કષ્ટ આપનાર
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોવાથી શલ્ય છે __ निदायते-लूयतेऽनेन इति निदान-अध्यवसायविशेष:देश्वरचक्रवर्तिकेशवादीनाम् ऋद्धिर्विलोक्य तदीय योषितां वा सौभाग्यगुणसम्पदम् आर्तध्यानाभिमुखीकृत महामोहपाशसंभृतभूरितपाश्चिन्तापरिखेदित मानसोऽध्यवस्यति । मम अपि अमुष्य तमसः प्रभावादेवं विधा एव भोगा भवेयुर्जन्मान्तरे सौभाग्यादि गुणयोगश्च इति एवं निदानी लुनाति क्षुद्रत्वाच्छिनत्ति मौक्त्यं सुखम् इति ।
૩-મિથ્યાત્વ શલ્ય:- મિથ્યાદર્શનનું અસ્તિત્વ તે જ મિથ્યાત્વ શલ્ય # તાત્વિક પદાર્થો ઉપર અશ્રધ્ધા તે મિથ્યાત્વ # અતત્વોનું શ્રધ્ધાન્ એ મિથ્યાત્વ શલ્ય છે
$ વિપરીત દર્શન અર્થાત ખોટી માન્યતા કે શ્રધ્ધા તેના દ્વારા પણ કર્મબંધ કરીને આત્મા દુઃખી થાય છે માટે તેનેશલ્ય કહ્યું છે
तत्त्वार्थ-अश्रद्धानं मिथ्यादर्शनम् अभिगृहीतानभिगृहीत सन्देहभेदात् त्रिधा । तदेवशल्यं व्याधाग्निविषयसमुद्र व्याधि कृपितनृपतिशकवर्गाद् अपि अधिकभयकारि, जन्मान्तर शतसहस्रष्वागामिषु अविच्छिन्न दुःख सन्तानकसङ्कटप्रपातकारित्वात्, संसार सागर परिभ्रमणभूलकारणमशेषापायप्रभव मार्जवंजवीभावविधायि गूढ कर्मग्रन्थिविजृम्भमाणदुश्चिकित्सकविपाकम् आत्मसात्करोति सर्वशल्यातिशायि मिथ्यायदर्शशल्यम्
નિ:શસ્ત્ર-માયા નિયાણ અને મિથ્યાત્વ શલ્ય રહિત અથવા વિયુક્ત હોવું તેનિઃશલ્યતા (૧)વ્રતોનું નિષ્કપટ ભાવે આચરણ તે માયાની નિઃશલ્યતા (૨)સાંસારિક ભોગરૂપ ફળોની ઈચ્છા ન હોવી તે નિદાનની નિશલ્યતા (૩)મિથ્યા દર્શનનો ત્યાગ મિથ્યાદર્શનની નિઃશલ્યતા જ વતી:
૪ (૧)સત્રોકત રીતે માયા,નિદાન,મિથ્યા દર્શન શલ્ય થી રહિત એવો નિઃશલ્ય તે વતી કહેવાય છે.
(૨)ભાષ્યોકત વિશેષાર્થ અહિંસાદિ વ્રતને ધારણ કરતો હોય તે વ્રતી मायानिदानमिथ्यादर्शनशल्यैस्त्रिभिर्वियकतो नि:शल्यो व्रती भवति । –વ્રતા સતી રૂતિ વ્રતિ | -તવં નિ:શક્યો વ્રતવાન વતી મત
૪ સામાન્ય રીતે વ્રતી શબ્દથી જ વ્રત જેને હોય તે વ્રતી કહેવાય, એમ સમજી શકાય છે છતાં અહીંવતીની વ્યાખ્યા માટે વિશિષ્ટ સૂત્રની રચના એટલા માટે કરી કેકેવળ વ્રત હોવા માત્રથી વ્રતી ન કહેવાય પણ તે શલ્ય રહિત વ્રતઘર હોય તો તેને વ્રતી કહેવાય છે.
જ સંકલિત અર્થ-માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણેને શલ્ય કહ્યા છે આ શલ્ય થી રહિતપણું તે નિઃશલ્ય છે અને જે નિઃશલ્ય છે તે વ્રતી છે.
-જે વ્રતને ધારણ કરે છે તે પણ વ્રતી છે અર્થાત્ જે નિઃશલ્ય પણ છે અને વ્રતોનો ઘારક પણ છે તે જ વ્રતી કહેવાય છે
Page #70
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્ર: ૧૩
૬૯ જ પ્રશ્ન - તમે સુત્રાર્થ માં કહો છો કે નિઃશલ્ય અને વ્રતધારી બંને સાથે હોય તે વ્રતી કહેવાય. પરંતુ નિઃશલ્યત્વ અને વ્રતિત્વ બંને પૃથપૃથક છે તેથી નિઃશલ્ય ને વ્રતી કઈ રીતે કહેવાય? જેમ કોઈ પણ દંડનો સંબંધ હોવામાત્રથી કંઈ છત્રી નથી કહેવાતી તેમ વ્રતનો સંબંધ હોય તે વતી કહેવાય અને શલ્ય વગરનો તે નિ:શલ્ય કહેવાય
જો નિઃશલ્ય હોવાથી વ્રતી થઈ જતો હોય તો પછી તમારે તેને કાંતો વ્રતી કહેવો જોઇએ અને કાં નિઃશલ્ય કહેવો જોઈએ?
નિઃશલ્ય હોય અથવા વતી હોય એમ વિકલ્પ માનીને વિશેષણ વિશષ્ય ભાવ બનાવવો પણ ઉચિત નથી કેમ કે એવું કરવાથી કંઈ વિશેષ ફળ બેસતું નથી કેમ કે ““નિઃશલ્ય કહો કે વ્રતી બંને વિશેષણો થી વિશિષ્ટ એવી વ્યકિત તો એકજ છે પછી નિઃશલ્ય કહો કે વ્રતી કહો ફેરશું પડે છે?
સમાધાનઃ- અહીં નિઃશલ્યત્વ અને વ્રતિત્વ માં અંગ-અંગી નો ભાવ વિવક્ષીત છે તેમાં નિઃશલ્યતાએ અંગછે અનેવ્રતીએ અંગીdજેમ અંગ[અર્થાત અવયવો વિનાઅંગી[અર્થાત અવયવી હોઈ શકે નહીં તે રીતે નિઃશલ્યતા વિના વ્રતી હોઈ શકે નહીં
હા! શલ્યનો અભાવ સાથે વ્રતોનો સદ્ભાવનિતાન્ત જરૂરી છે. જેમ કોઈ ગોવાળ પાસે ગાયો હોય તે ખૂબજદુધ-આપતી હોયઘી પણ થતું હોય તો તેને “બહુઘીદુધવાળો ગોવાળ' કહેવાય છે. અહીં ઘી અને દુધના અસ્તિત્વથી તેનું ગોવાળપણાનું મહત્વ છે ફકત ગાય હોય અને ઘી-દુધ ન હોયતો તેને કોઈ ગોવાળ-ગાયવાળા તરીકે ઓળખતું પણ નથી તેમ પ્રસ્તુત સૂત્રનો અર્થ એ છે કે શલ્યની રહિતતા પણ હોય અને અહિંસાદિ વ્રત પણ ધારણ કર્યા હોય તો તેને વ્રતી કહેવામાં આવે છે પણ શલ્યવાળા વ્રતધારીને વ્રતી કહેવાતો નથી.
* પ્રશ્નઃ- ક્રોધાદિ ચારે કષાયો આત્માને અસ્વસ્થ બનાવે છે, આત્મા ની પ્રગતિને રોકે છે માટે શલ્ય રૂપજ છે તો માયાને જ શલ્ય કેમ કહો છો?
સમાધાનઃ- શલ્યની વ્યાખ્યા માયામાં પૂર્ણરૂપે લાગુ પડે છે. જયારે ક્રોધાદિ માં સંપૂર્ણ લાગુ પડતી નથી જે દોષો ગુપ્ત રહીને વિકારો પેદા કરે તે શલ્ય કાંટો વગેરે શલ્ય ગુપ્ત રહીને અસ્વસ્થતા આદિ વિકારો પેદા કરે છે ક્રોધાદિ પ્રગટ પણે વિકારો પેદા કરે છે. અલબત્ત ક્રોધાદિ પણ ગુપ્ત હોઈ શકે છે છતાં માયાની તુલનાએ તેનું અલ્પણું છે જયારે માયાવિશેષે કરીને ગુપ્ત પણે આપોઆપવિકાર પેદા કરે છે, તેનું પ્રગટ સ્વરૂપમાયા કરનારો પણ ઘણી વખત જાણતો હોતો નથી એવીમાયા કષાયની બાહુલ્યતા હોવાથી તેનેશલ્ય રૂપે સ્વીકારાયેલ છે. ' વળી ક્રોધ-માન-લોભ કષાય તે જ ભવમાં છોડીને મોક્ષગમન ના જે દૃષ્ટાન્તો મળે છે. તેવા કોઈ દૃષ્ટાન્ત માયા છોડીને તેજ ભવે મુકિતના સુલભ બનતા નથી આવા કારણો થી શાસ્ત્રકારે તેને શલ્ય કહેવું છે
0 [B]સંદર્ભ$ આગમ સંદર્ભઃ- [[
ડિમાNિ] તિહિં સર્જેહિં માયાન્સેf નિયાન્સે. બિછાવંસીસ - જે થા. પૂ. ૨૮૨, જે સમરૂ
Page #71
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકાકા
સૂત્રપાઠ સંબંધઃ- આ પ્રકારે પ્રતિક્રમણ એ જ વ્રતીનું લક્ષણ છે અને આ પાઠ પરોક્ષ રીતે તે સંપૂર્ણ બંધ બેસતો હોવાથી અહીં ગ્રહણ કરેલ છે તદુપરાંત સ્થાનાંગ અને સમવાયાંગ ના પાઠઠ મુજબ પણ તે શલ્ય જ છે
ૐ તત્વાર્થ સંદર્ભ:
માયા -સૂત્ર ૮:૧૦ ર્શનવારિત્ર...માયા...
નિદાન -સૂત્ર ૯ઃ૩૪ મિથ્યાત્વ -૮:૧ મિથ્યાન.... અન્ય ગ્રન્થ સંદર્ભ:
৩০
તસ્સ ઉત્તરી સૂત્રશ્રમણ સૂત્ર- મૂળતથા વૃત્તિ
અઢાર પાપ સ્થાનક સૂત્ર- પ્રબોધટીકા -૨ [માયા માટે] ] [9]પદ્યઃ
(૧)
(૨)
• પ્રબોધટીકા –૧
એ પાંચ પાપો દૂર કરી નિઃશલ્યતા ભાવે ભજી વિરતિ પણે રમીએ સદા જીવ અવિરતિ ને સંત્યજી
સૂત્રઃ૧૩ અને ૧૪ નું સંયુકત પઘ ત્રિશલ્યથી વિહોણા તે વ્રતી એજ ગણાય છે
અણગારી ને ગૃહત્યાગી ને અગાત ગૃહસ્થ છે
[10]નિષ્કર્ષ:-સૂત્રકાર મહર્ષિ એ અતિ મનનીય વાત અહીં જણાવી છે કે
અહિંસાદિ બધા વ્રતો ધારણ કરે કદાચ સર્વથા વિરતિને પણ ગ્રહણ કરી હોય છતાં જો આ ત્રણ શલ્ય થી યુકત હોય તો તેને વ્રતી કહી શકાય નહીં. પણ વ્રતધારી ની સાથે નિઃશલ્ય હોય તો તેને વ્રતી કહેવાય છે.
આ વાત મોક્ષાર્થી જીવોને માટે તો નિતાન્ત આવશ્યક છે જ કેમ કે માયાદિ શલ્ય વાળો કદાપી મોક્ષે જતો નથી પણ તેની સામાજિક તા પણ વિચારણીય જછે. જો જીવ માયા કષાયથી રહિત હશેતો આપોઆપ તેના બીજા-ત્રીજા-પાંચમાં વ્રતમાં વિશેષ શુધ્ધિ આવશે વળી સમાજમાં પણ પરસ્પર ઠગવા- છેતરવાથી વિમુકત થતા કોર્ટે કચેરી-પોલીસના ઝઘડાને લફળામાંથી મુકિત મળશે, સમાજ શાંત અને સુપ્ત થશે
નિદાન શલ્યના અભાવે લોકો ખોટી ઇચ્છાલાલસાથી પીડાતા અટકશેઅનેમિથ્યાત્વના અભાવ વગરના જીવનો વિકાસક્રમ આરંભાવનો છે જ નહીં
અધ્યાયઃ-સૂત્રઃ૧૪ [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી વ્રતીના ભેદોને જણાવે છે ] [2]સૂત્ર:મૂળ:-માર્થનાન
Page #72
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૪
૭૧. [3]સૂત્ર પૃથક-મરી- મન IR: ૨ U [4]સૂત્રસાર વતીના અગારી [અર્થાત ગૃહસ્થ અને અનગાર અર્થાત ત્યાગી એમ બે ભેદ] છે
3 [5]શબ્દજ્ઞાન - અWી-ગહસ્થ ઘરબારી
મનપII--ત્યાગી સાધુ ૨ -વતી શબ્દની અનુવૃત્તિ માટે છે, વિશિષ્ટ ભેદ જણાવવા માટે છે. 1 [6]અનુવૃત્તિ - નિ:શલ્યો દ્વતીપૂર. ૭:૨૩ થી વતી શબ્દ અનુવૃત્તિ આ સૂત્રમાં લેવી
0 [7]અભિનવટીકા-સૂત્રકારમહર્ષિએ પૂર્વસૂત્રમાં વતી કોને કહેવાયતે જણાવ્યું ત્યાર પછી આસૂત્રમાં તેના ભેદોનું કથન કરે છે કેમકેતૃત ગ્રહણ કરનાર દરેક જીવોની યોગ્યતા એકસમાન હેતી નથી તેથી તેઓની યોગ્યતાના અહીં બે વિભાગ કરવામાં આવ્યા છે (૧)અગારી-વ્રતી (૨) અનગારી-વતી * अगारी वती # અગારી એટલે ઘર જેને ઘર સાથે સંબંધ હોય તે અગારી # અગારી એટલે ગૃહસ્થ, સંસારી કે ઘરમાં વસતો હોય તે ૪ અગારી નો તાત્પર્યાર્થ એ છે કે જે વિષય તૃષ્ણા ધરાવતો હોય તે
૪ અગારી -વતીને શ્રાવક, શ્રમણોપાસક, અણુવતી, દેશ વિરતિ, શ્રાવક આદિ શબ્દોથી ઓળખવામાં આવે છે
अगारं गृहम् तदस्ति यस्यासौ अगारी - गृहीत्यर्थः # અહીંમાર શબ્દથી “ચારિત્રમોહના ઉદયથી ઘરતરફના અનિવૃત્ત પરિણામરૂપ ભાવ-અગાર' વિવક્ષિત છે તેથી ભાવ અગારી વ્યકિત ઘર છોડીને જંગલમાં જઈને બેસી જાય તો પણ તે અગારી જ કહેવાય છે.
# મારએટલે ઘર તેના ઉપલક્ષણથી આરંભ અને પરિગ્રહ થી યુકત હોવું તે- એ વાતનો સમાવેશ થઈ જ જાય છે
ગરમ:- પૃથ્વીકાયાદિ જીવકાય ની હિંસાના હેતુભૂત હોવાથી. પરિપ્રહ:- દ્વિપદ ચતુષ્પદાદિ ચેતન અને ધનધાન્યાદિ અચેતન વસ્તુ
અગાર શબ્દ થી આ બંનેને લક્ષમાં લેવા. અગાર -ઘર હોય ત્યાં આ આરંભ -પરિગ્રહ યથાસંભવ હોય છે અથવા થાય છે
- આ આરંભ, પરિગ્રહની સંભાવના હોવાથી, થતો હોવાથી કે તેના સંબંધનો પરિત્યાગ ન હોવાથી તે બધાં અગારી ગૃહસ્થજ કહેવાય છે
જ મારી ના બે ભેદઃ(૧)સમ્યગ્દર્શન સહિત અણુવ્રત અને ઉત્તર ગુણ યુકત વતી
(૨)માત્ર સમ્યગ્દર્શનની ભજના વાળા મારે સથર્શનમાત્રમાનો સિધ્ધસેનગણિજી આ બીજો ભેદ જણાવે છે પણ સૂત્રકાર મહર્ષિહવે પછીના સૂત્રમાં જણાવે છે તે રીતે અણુવ્રત
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૦
૭૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ધરને અગારી કહ્યા છે
- તેમાં પ્રથમ પ્રકારના અગારી વતીના કુલ ૩૨ ભેદ કહેલા છે તે આ રીતે (૧)પાંચે અણવ્રતના દ્વિવ વિષે ભેદ અર્થાત પx (૨)ઉત્તર ગુણને એક ભેદ રૂપ જ ગણાવેલ હોવાથી (૩)સમ્યગુદર્શન ને એક ભેદ રૂપ જ ગણાવેલ હોવાથી એ રીતે અગારી વ્રતીના કુલ ભેદ દુવિહં તિવિહેણું રૂપ છ ભેદ-સિધ્ધસેનીયટીકાનુસાર (૧) મન-વચન-કાયા એ ત્રણ યોગ અને કરવું-કરાવવું એ બે કરણ (૨)મન-વચન-કાયા માંના કોઈ પણ બે યોગ તથા કરવું-કરાવવું (૩)મન-વચન-કાયા માંના કોઈ પણ એક યોગ તથા કરવું-કરાવવું (૪)મન-વચન-કાયા એ ત્રણ યોગ અને કરવું-કરાવવું (પ)મન-વચન-કાયામાંના કોઈ પણ બે યોગ અનેકરવું કે કરાવવું (૬) મન-વચન-કાયા માંના કોઈ પણ એક યોગ અને કરવું કે કરાવવું આ રીતે ન સમજાય તો " મન-વચન-કાયા એ ત્રણે યોગ અને કરવું-કરાવવું એ બે કરણ એમ ૩૨=ભેદ થાય
પાંચે અણુવ્રતના આવાછ-છ ભેદ કરવાથી કુલ ૩ ભેદો થયા એટલે કે સમ્યત્વયુકત અણુવ્રત અને ગુણવ્રત સંપન્ન અગારી-વ્રતીના પેટા-૩૨ ભેદ અહીં સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે
[નોંધ:- જો કે આપેટા ભેદીના વ્યાખ્યાનો વિસ્તાર કરીએ તો હજી પણ તેના અન્ય ભેદો પાડી શકાય છે.
* अनगारवती:છે જેનો ઘર સાથે સંબંધ ન હોય તે અણગાર જ અણગાર એટલે ગૃહવિરત, અસંસારી કે ઘર વગરના ૪. અણગારનો તાત્પર્યાર્થ એ છે કે – જે વિષય-તૃષ્ણા થી મુકત થયા હોય તે
# અણગાર વતીને સાધુ, શ્રમણ,સર્વવિરતિઘર, નિર્ગસ્થ મહાવ્રતી આદિ શબ્દોથી સંબોધવામાં આવે છે
न अगारम् - गृहम् यस्य सः गृहविरतो यतिः इत्यर्थः $ અહીં મનIR શબ્દથી ચારિત્રમોહના ક્ષયોપશમ કે ક્ષયથી ઘરથી નિવૃત્ત થયેલા પરિણામવાળા કે વિષય તૃષ્ણારહિત એવા મુનિઓ વિવક્ષીત છે આવા પ્રકારના મહાત્માઓ કદાચ યક્ષમંદિર કે શુન્ય ઘરમાં આવીને રહેલા હોયતો પણ તે અણગારજ કહેવાય છે
છે અનગાર એટલે આરંભ અને પરિગ્રહનો જેણે ત્યાગ કર્યો છે તે મૂળગુણ - ઉત્તરગુણ થી પ્રતિપન એવા,તેને મહાવ્રતી પણ કહેવાય છે.
અણગાર-વતીના ભેદ અગારીવ્રતીની માફક અણગાર-વ્રતીના ભેદોનો ઉલ્લેખનથી કારણ કે અમારી વ્રતીને દેશવિરતિ કે આંશિકત્રત હોવાથી તેના જે રીતના ભાગાકે વિકલ્પો
Page #74
--------------------------------------------------------------------------
________________
૭૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૪ થાય છે તેવા વિકલ્યો કે ભેદો મહાવ્રતી ઓને સંભવતા નથી છતાં વિર્ષે વિવિઘેન શબ્દની વ્યાખ્યા કરતા ૧૪૭ ભેદ થઈ શકે છે
જો કે અણગાર એટલે કે સાધુના, ગૃહસ્થોની માફક ભેદો થઈ શકે નહીં જેમ કે મનથી કરું નહીં એવું વ્રત શ્રાવકને હોઈ શકે, વચનથી કરું નહીં એવું વ્રત શ્રાવકને હોઈ શકે, પણ સાધુને તોનકોટીના પચ્ચખાણ એકસાથે જ હોય છે તેથી આ ૧૪૭ભેદ કહેવાછતાં પ્રત્યેક ભેદ એક સાથે જ એક અણગાર માં હોય છે
બીજી રીતે અણગારના ભેદ જણાવી શકાય છે અણગાર (૧)ગચ્છવાસી (૨)ગચ્છ બહાર
(૧)આચાર્ય (૨)ઉપાધ્યાય (૩)ગણિ (૪)ગણાવચ્છેદ (૫)સાધુ (૧)જિનકલ્પી (૨)Uવીર કલ્પી (૧)પ્રતિમા ધારી (૨)અપ્રતિમાઘારી (૧)સામાયિક (૨) છેદોસ્પિાય (૩)પરિહાર વિશુધ્ધિ (૪)સૂક્ષ્મ સપરાય
(૫)યથાખ્યાત જ વ - વ શબ્દથી બેફલિતાર્થો થઈ શકે છે
(૧)ઉપરોકત સૂત્રમાં રહેલા શબ્દની અહીં અનુવૃત્તિ કરવી કેમ કે અગારી અને અણગાર એ બંને ભેદો વ્રતના છે
(૨)અગારી-અણગાર ના ઉત્તર ભેદો ગ્રહણ કરવા-૨ શબ્દાપિળોન રહ્યું છે बहुभेदत्वं प्रति पादयिषितमिति ।
ક વિશેષ:પ્રશ્નઃ૧ –અગારી અને અનગાર બંનેને વ્રતી કેમ કહ્યા?
સમાધાનઃ- જે રીતે ઘરના એક ખૂણામાં કે નગરના એક વિશાળ ભાગમાં રહેવા વાળો વ્યકિત-બંનેને વ્યવહારમાં નગરવાસી કહેવાય છે. એ જ રીતે વ્રતો ને સર્વથા ધારણ કરનારો કે વ્રતના એકદેશને ધારણ કરનારો બંનેને વ્રતી જ કહ્યા છે
જેમ ૩૨૦૦૦ દેશનો રાજા પણ રાજા જ કહેવાય છે અને એક દેશ કે અડધા દેશનો રાજવી પણ રાજા જ કહેવાય છે તે રીતે ૧૮000 શીલાંગરથ નો ધારક પણ વ્રતી કહેવાય છે અને અણુવ્રત ધારી વ્યકિત પણ વતીજ કહેવાય છે
પ્રશ્નઃ ૨જેવિષયતૃષ્ણા હોવાને લીધેઅગારી (ગૃહસ્થો છે તેને પછી વ્રતી કઈ રીતે કહી શકાય?
સમાધાન-સ્થૂળ દ્રષ્ટિથી જેમ માણસ પોતાના ઘર વગેરે કોઈ નિયત સ્થાનમાં રહેતો હોય છે છતાં તેને પૂછો કે તું કયાં રહેશે? તો તે પોતાનું સરનામું અમુક શહેરને આધારે આપે છે જેમ કે હું અમદાવાદમાં રહે છે તે ઘરના એક નિયત સ્થાનમાં રહેતો હોવા છતાં એવો વ્યવહાર અપેક્ષા વિશેષ થી થાય છે. તે જ રીતે વિષય તૃષ્ણા હોવા છતાં અલ્પ અંશે, કિંચિત્, કે નાનકડા દેશ ભાગે પણ તેનો વ્રત સાથે સંબંધ જોડાયેલ હોવાથી તેને વ્રતી કહી શકાય છે તે વિષયમાં કોઈ દોષ નથી
Page #75
--------------------------------------------------------------------------
________________
७४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રશ્નઃ૩ “જે ઘરમાં વસે તે અગારી” એવી એક વ્યાખ્યાને જો સ્વીકારવામાં આવેતો જેમુનિ શૂન્યગૃહમાં ઉપાશ્રયમાં કેયક્ષ મંદિર આદિમાં વાસ કરે છે તે બધાં અગારી જ કહેવાશે
અને જેઓની વિષય તૃષ્ણા છૂટી નથી છતાં કોઈને કોઈ કારણસર જેઓએ ઘર છોડી દીધેલ છે. એવા વનમાં રહેનારા ગૃહસ્થ પણ અનગારી કહેવાશે તેનું શું?
સમાધાનઃ- અહીંઘર શબ્દનો અર્થ ભાવઘર લેવાનો છે. ચારિત્રમોહનીયના ઉદયથી ઘર તરફની જે અભિલાષા કે મમતા તેને ભાવઘર કહેલું છે જે વ્યકિતને આવા પ્રકારનું ભાવઘર વિદ્યમાન છે. તે વ્યકિત જંગલમાં જાય અને નગ્નતા ને ધારણ કરીને ત્યાં વૃક્ષોને આશરે જ જીવતો હોય તો પણ તે અગારી જ છે.
જયારે ભાવ-ઘર થી નિવૃત્ત થયેલા મુનિભગવંતો ગમે ત્યાં રહેતો પણ તેમને તે સ્થળનું મમત્વ કે બંધન ન હોવાથી તેઓ અનગાર જ છે.
U [8] સંદર્ભઃ
-આગમ સંદર્ભ-વરિત્તધખે વિદે તં નહી - અમIર વરિત્તધર્મે વેવ ગણIR चरित्त धम्मे चेव * स्था. स्था. २,उ.१,सू.७२ प्रारंभे
# તત્વાર્થ સંદર્ભઃ- (૧)ગણુવ્રતો મારી સૂત્ર. થી ૭:૧૫ અગારીની વ્યાખ્યા
(२)सामायिक छेदोपस्थाप्य परिहार विशुद्धि सूक्ष्मसंपराय यथाख्यातानि चारित्रम् सूत्र ૯:૧૮ અણગારના ભેદો
U [9]પદ્યઃ(૧) વિરતિવાળા જીવના બે ભેદ સૂત્રે સંગ્રહ્યા
અગારી એ છે પ્રથમ ભેદે અણગાર બીજે સાંભળ્યા (૨) આ પદ્ય પૂર્વ સૂત્રઃ૧૪માં કહેવાઈ ગયું છે
U [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં મુખ્યત્વે વ્રતીના બે ભેદ જણાવવાનો હેતુ સ્પષ્ટ જ છે છતાં કેટલાંક મહત્વના નિષ્કર્ષ ત્યા તારવી શકાય છે, કેમકે ફકત વ્રતને આશ્રીને વિચારણા કરવામાં આવેતો તો અણુવ્રત ધારી પણ વ્રતી કહેવાશે અને મહાવ્રતધારી પણ વ્રતીજ કહેવામાં આવશે બંને વ્રતીજ છે તો તેનો ભેદશો?
(૧) અગારી વ્રતી અણુવ્રત ધારણ કરે છે જયારે અણગાર વતીઓ મહાવ્રતને ધારણ કરનારા હોય છે ,
(૨)અગારી વતીને છ કોટી પચ્ચકખાણ છે જયારે અણગાર વતીને નવ કોટી પચ્ચખાણ હોય છે
(૩)અગારી વતીને હિંસાદિ પાંચે દોષોમાં અનુમોદનાનો ત્યાગ હોતો નથી જયારે અણગાર વતીને સર્વથા વ્રત ધારણા હોવાથી અનુમોદનાના પણ પચ્ચખાણ કરેલા હોય છે
(૪)અગારી વ્રતી ઉત્કૃષ્ટ રીતે દેશ વિરતિ ધર્મ પાળે તો પણ તે વધુમાં વધુ બારમા દેવલોક સુધી જાય છે જયારે અણગારવ્રતીને ઉ ચારિત્રથી પાંચમાં અનુત્તર અને યાવત મોક્ષ સુધીની પણ ગતિ થઈ શકે છે
Page #76
--------------------------------------------------------------------------
________________
અધ્યાય: ૭ સૂત્ર: ૧૫
૭૫
(૫)અગારી વ્રતી દેશવિરતિઘર હોવાથી તેમને વિરતા વિરત કે સંયમસંયમી કીધા છે માટે વ્યવહાર ભાષામાં કહીએતો તેઓ દુધ-દહીં બંનેમાં પગરાખનાર કહેવાય છે. જયારે સર્વ વિરતિઘરનો સંયમીજ હોવાથી તેઓ સંપૂર્ણ વિષય તૃષ્ણા ના ત્યાગી કહેવાય છે
(૬)પરમાત્મા સમવસરણમાં સર્વ પ્રથમ દેશનાઅણગાર ઘર્મની જ આપે છે ત્યાર પછી જેઓ અણગાર ધર્મ પાળવા અસમર્થ હોય તેમને માટે જ અગાર ધર્મની દેશના અપાય છે
(૭)અગારી વતી એ હંમેશા અણગાર પણાને લક્ષમાં રાખીને જ જીવન વ્યતીત કરવાનું હોય છે
આ અને આવા અનેક દેબનેવતીઓમાં તફાવત છેઅર્થાતવ્રતી શબ્દથી સમાનતા હોવા છતાં બંનેના આચાર ધર્માદિ માં અનેક તફાવત કે તરતમતા રહેલી છે માટે મોક્ષના અર્થી જીવોએ હંમેશા અનગાર ધર્મને આંખ સામે રાખીને જ ધર્મ આરાધનાને વિશે પુરષાર્થ કરવો જોઈએ.
| _ _ _ _ _
(અધ્યાયઃ૭-સૂત્રઃ૧૫) 0 [1]સૂત્રહેતુ- ઉપરોકત સૂત્રમાં વ્રતી ના જે બે ભેદ દર્શાવ્યા અગારી અને અણગારી તેમાંથી અગારી વ્રતીની વ્યાખ્યા જણાવે છે D [2]સૂત્રમૂળઃ-મધુવતોગારી
[3]સૂત્ર પૃથક્ક-અણુવ્રત: મારી U [4] સૂત્રસારઃ- જે અણુવ્રત ધારી હોય તે અગારી વ્રતી કહેવામાં આવે છે] U [5]શબ્દજ્ઞાનઃમથુવતીનાનો કે અલ્પ વ્રતને ધારણ કરનાર મારી– ગૃહસ્થ,[સૂત્રઃ૧૪ માં કહેવાઈ ગયેલ છે)
[6]અનુવૃત્તિ - નિ:શલ્યોવતી સૂત્ર ૭:૧૩ થી વતી શબ્દની અનુવૃત્તિ
U [7]અભિનવટીકાઃ- જે ગૃહસ્થ અહિંસા આદિ વ્રતોને સંપૂર્ણ પણે સ્વીકારવા સમર્થ ન હોય છતાં ત્યાગવૃત્તિવાળો હોય, તે ગૃહસ્થ મર્યાદામાં રહીને પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે એ વ્રતો અલ્પાંશે પણ સ્વીકારે છે આવા ગૃહસ્થને અણુવ્રતધારી શ્રાવક કહેવાય છે
* મધુવતઃ- વ્રત શબ્દની વ્યાખ્યાતો પ્રથમ સૂત્રમાંજ કહેવાઈ ગઈ છે સૂત્રોકત રીતે પણ હિંસકૃતસ્તેયવહાપરિપ્રદેવરતિ: વ્રતમ્ એ પ્રમાણે વ્રત ની વ્યાખ્યા થઈ ચૂકી છે
–અબુ - પૂર્વે સૂત્ર ૭:૧ માં અણુ શબ્દનો ઉલ્લેખ થયો જ છે તદનુસાર મy એટલે અલ્પ, સ્તોક,થોડું, દેશથી વગેરે અર્થો કે પર્યાયો કહેવાયા છે
–મણુવ્રત:- ઉપરોકત મળુ તથા તૃત બંને શબ્દોની વ્યાખ્યા આધારે અણુવ્રતનો અર્થ એ છે કે જે વ્રતીને અલ્પઅંશે પણ હિંસાદિ પાંચદોષોમાંના કોઈપણ એક કે તેથી વધુનો સ્વીકાર હોય તેને અણુવ્રતી કહેવાય
૪ જયારે વ્રતોને અલ્પાંશે સ્વીકારવામાં આવે છે ત્યારે તેની અલ્પતામાં વિવિધતા રહેલી હોય છે. સૂત્રકાર મહર્ષિ આ વિવિધતા માં ઉતરવાને બદલે સામાન્યથી ગૃહસ્થના
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્રતોને અણુવ્રત રૂપે ઓળખાવે છે. ધારોકે મહાવ્રતને આપણે ૧૦૦ ટકા ગુણાંક આપીએ તો ૧ થી ૯૯ ની કક્ષમાં કોઈપણ કક્ષાએ વ્રત ગ્રહણ કરવા તે બધા અણુવ્રત જ કહેવાય છે
- આ રીતે એવોઅર્થ પણ કરી શકાય કે જે મહાવ્રત થી ઓછે કે વત્તે અંશે ન્યૂન છે તે અણુવ્રત છે
+ अणुनि अस्य व्रतानि इति अणुव्रतः ।
–જેમને ઉપરોક્ત અહિંસાદિ પાંચેવ્રતો અણુ અર્થાતસ્તોક,થોડાક્લઘુપ્રમાણમાં ગ્રહણ કરેલા હોય તેને અણુવ્રતી કહેવાય છે અને તેમને ગ્રહણ કરેલા વ્રતને અણુવ્રત કહેવાય છે
– આવા અણુવ્રતો પાંચ છે જે મૂળભૂત અર્થાત્ ત્યાગના પ્રથમ પાયારૂપ હોવાથી આ વ્રતોને મૂળવ્રત પણ કહેવામાં આવે છે
૪ હિંસાદિકથી દેશથી કે અંશથી વિરતિ તે અણુવ્રત અને આવા અણુવતોનો ધારક હોય તે અણુવ્રતી કહેવાય છે
જ અણુવ્રતના ભેદ:
અણુવ્રતના પાંચ ભેદો છે જેની સવિસ્તૃત વ્યાખ્યા આપૂર્વેસૂત્ર૭:૨શર્વતો ગુહિતી સૂત્રની અભિનવટીકામાં કરાયેલી છે તેની સામાન્ય પરિચય વિધિ અત્રે કરેલ છે
(૧)અહિંસા અણુવ્રત - જેને સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત પણ કહે છે -પ્રમત્ત યોગથી થતી હિંસાનો દેશથી ત્યાગ તે અહિંસાણ વ્રત - સ્થળ જીવ હિંસા નહીં કરવી તે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત (૨)સત્ય-અણુવ્રત - જેને સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત પણ કહે છે -પ્રમત્ત યોગથી થતાં અસત્યનો દેશથી ત્યાગ તે સત્યાણ વ્રત
સ્થૂલ જૂઠું નહિ બોલવાનું વ્રત તે સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત (૩)સત્ય-અણુવ્રત - જેને સ્થળ મૃષાવાદ વિરમણ વ્રત કહે છે – પ્રમત્ત યોગથી થતાં અસત્યનો દેશથી ત્યાગ તે સત્યાણું વ્રત – સ્થલ અણદીધું ન લેવાનું વ્રત તે સ્થળ અદત્તાદાન વિરમણ વ્રત
(૪)બ્રહ્મચર્ય-અણુવતઃ- જેને સ્વદારા કે પરદારા ગમન વિરમણ વ્રત અથવા સ્કૂલ મૈથુન વિરમણ વ્રત પણ કહે છે
–પ્રમત્ત યોગથી થતા મૈથુન નો દેશથી ત્યાગ તે બ્રહ્મચર્યાણુવ્રત
-સ્વસ્ત્રી થી સંતોષ રાખવો અને સ્વ સિવાયની [પર સ્ત્રી સાથે ગમન કરવું નહી તે સ્થળ મૈથુન વિરમણ વ્રત અથવા સ્વદારા સંતોષ વ્રત
(૫)અપરિગ્રહ-અણુવતઃ- જેને સ્થૂળ પરિગ્રહ પરિમાણ વ્રત પણ કહે છે. – પ્રમત્તયોગથી થતાં પરિગ્રહ-મૂછનો દેશથી ત્યાગ તે પરિગ્રહાણુવ્રત -સ્થૂળ પરિગ્રહને મર્યાદિત રાખવાનું વ્રત તે સ્થૂળ પરિમાણ વ્રત વિસ્તારથી સૂત્ર ૭:૨માં ચર્ચાયેલા આ પાંચ અણુવ્રતનો સંયુકત અર્થ એટલો જ છે કે “નાના-મોટા દરેક જીવની માનસિક વાચિક,કાયિક દરેક પ્રકારની હિંસાનો ત્યાગ ન સચવવાથી તપોતે નક્કી કરેલ ગૃહસ્થ પણાની મર્યાદા સચવાય અર્થાત્ પ્રયોજનીભૂત હિંસા
Page #78
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૫ થી વધારે હિંસાનો ત્યાગ તે અહિંસા અણુવ્રત
એ જે રીતે પ્રયોજની ભૂત અથવા ગૃહસ્થ પણાની મર્યાદા થી વધારાના જૂઠ-ચોરીમૈથુન-પરિગ્રહનો ત્યાગ તે અનુક્રમે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય,પરિગ્રહ-અણુવતો છે.
અમારી - સૂત્રોકત વ્યાખ્યાનુસાર તો અણુવ્રત ધારીને મારી જ કહે છે
સ્વોપર્શ ભાષ્યા-દ્વમgવતિયર: શ્રાવ કIRવતી મતિ ” અર્થાત એ પ્રમાણે અણવ્રતને ધારણ કરતો શ્રાવક અગારી-અગારીવ્રતી કહેવાય છે..
4 एतानि पञ्चाणि अणुनि - स्वल्पविषयाणि न यथोक्त-समस्तविषयाणि व्रतानि यस्य सोऽणुव्रतोऽगारी व्रती भवतीति ।
સૂત્રફલિતાર્થ-સમસ્ત સાવઘની નિવૃત્તિનહોવાથી ઉફવ્રતોને અણુવ્રત કહેવામાં આવે છે તેનો ફલિતાર્થ એ કે જયાં સમસ્ત સાવદ્યની નિવૃત્તિ હોય તેને મહાવ્રત કહેવા જાઇએ
જ સંપૂર્ણ રીતે સ્વીકારાતા વ્રતો તે મહાવ્રતો છે અને તેમના સ્વીકારવાની પ્રતિજ્ઞામાં સંપૂર્ણતાને લીધે તારતમ્ય રાખવામાં આવતું નથી
# અગારી ની આ વ્યાખ્યા થી અથપત્તિ થી સિધ્ધ થાય છે કે જેને મહાવ્રતો હોય તે અનગાર વતી કહેવાય
[]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ-IRધમૅગણુવ્રયા.. * સૌપ. . રૂ૪/૭ 0 તત્વાર્થ સંદર્ભ(૧)હિંસાવૃતિસ્તેયાત્રા પ્રોમ્યો વિરતિવ્રર્તમસૂત્રઃ ૭:૧ (૨)શર્વતોમદતી- સૂત્ર-૭:૨ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિત સૂત્ર-પ્રબોધટીકા ભા.૨ (૨)શ્રમણ સૂત્ર - મૂળ તથા વૃત્તિ U [9]પદ્ય(૧) સૂત્રઃ૧૫ -સાથે સૂત્રઃ૧૬ના સંદર્ભ યુકત પદ્ય છે
અગારી ધરતાં અણુવ્રતોને ગુણવ્રતી શિક્ષાવ્રતી
એમ બાર વ્રત ગ્રાહક બનીને પામતાં સંયમ રતિ (૨) આ સૂત્રનું બીજા પદ્ય હવે પછીના સૂત્રઃ૧૬ના પદ્ય સાથે છે.
[10]નિષ્કર્ષ:- અહીં સૂત્રકાર મહર્ષિ અગારી કોને કહેવાય તે શબ્દ થકી અગારીવતીના વ્રતનો ઉલ્લેખ કરે છે તે વ્રતના મૂળગુણ અને ઉત્તરગુણ રૂપે બે પ્રકારો છે. વિશેષ નિષ્કર્ષ તો સૂત્રઃ૧૬ ને અંતે છે. નોંધપાત્ર વાત એટલી જ કે સિધ્ધસેનીય વૃત્તિમાં અગારી ના બે ભેદ માં સમ્યત્ત્વની ભજનાવાળાને અણુવતી તરીકે ઓળખાવ્યા છે જયારે અહીં સૂત્રકાર આ સૂત્ર થકી સ્પષ્ટ કરે છે કે અણુવ્રતધારી એ જ અમારી વ્રતી છે.
OOOOOOO
Page #79
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
(અધ્યાયઃ-સુત્ર:૧૬) D [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ પૂર્વ સૂત્રમાં જે અગારી વ્રતીનો ઉલ્લેખ કર્યો તે અગારી વતીના પાંચ અણુવ્રત ને મૂળગુણ રૂપ જણાવી આ સૂત્ર થકી ઉત્તર ગુણને જણાવે છે
U [2]સૂત્ર મૂળ વિન્ટેશનષ્ણવિરતિસામાયિપૌષધોપવાનો મોકો -परिभोग परिमाणातिथि संविभाग वतसम्पन्नश्च
U [3]સૂત્ર પૃથક-|િ - - અનર્થ - સામયિક - પૌષધોપવાસ - ૩પપોn परिभोग परिमाण - अतिथिसंविभाग व्रत संपन्न: च
U [4]સૂત્રસાર-તિવ્રતી] દિગ્વિરતિ,દેશવિરતિ,અનર્થદંડવિરતિ,સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ પરિભોગ પરિમાણ અને અતિથિ સંવિભાગ એ (સાત) વ્રતોથી સંપન્ન હોય છે
[અર્થાત્ શ્રાવકને પાંચ અણુવ્રત ઉપરાંત આસાતે ઉત્તરગુણવ્રત મળીને કુલબાગ્રત હોયછે] U [5]શબ્દજ્ઞાનઃવિવિરતિ - દશે દિશામાં અમુક હદ સુધીના ગમનાગમનનું પરિમાણ
દેશવિતા- દિગ્વિરતિ વ્રતમાં નક્કી કરેલ મર્યાદાનો રોજે રોજ યથા યોગ્ય અમુક ભાગે સંક્ષેપ કરવો તે
અનર્થuવિરતિ-નિષ્કારણ પાપના સેવન રૂપ અનર્થ દંડ થી અટકવું સામાયિ:- અમુક કાળ સુધી આવઘયોગના ત્યાગપૂર્વક સમભાવની સાધના પૌષધોપવાસ-પર્વતિથિ આદિમાં ઉપવાસ કરવા પૂર્વક રહેવું ૩૫મોનાપરિમો પરિમાણ:-ભોગ્ય કે ઉપભોગ્ય વસ્તુની મર્યાદા નક્કી કરવી
તથતિમા :- શુધ્ધ ભકિતભાવથી સુપાત્રદાન વતસંપન- વ્રતથી પરિવરેલો, વ્રતથી યુકત વ - સમુચ્ચય અર્થને જણાવે છે U [6]અનુવૃત્તિ(૧) નિ:રાજ્યોતિ સૂત્ર ૭:૧૩ થી વ્રતો શબ્દની અનુવૃત્તિ (૨)જુવ્રતો IFી સૂત્ર ૭:૧૫ થી મારી શબ્દની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ અગારી વ્રતીની વ્યાખ્યાકરતા પૂર્વ સૂત્રમાં પાંચ અણુવ્રતોને જણાવ્યા. આ સૂત્ર થકી બીજા સાતવ્રતોનું કથન કરે છે
અણુવ્રતોએ ત્યાગના પ્રથમ પાયરૂપ હોવાથી મૂળગુણ કે મૂળવ્રત કહેવાય છે. એમૂળવતોની રક્ષા,પુષ્ટિ અને શુધ્ધિને માટે ગૃહસ્થોબીજા પણ કેટલાંક વ્રતો સ્વીકારે છે જેઉત્તરગુણ કે ઉત્તપ્રત ના નામે પ્રસિધ્ધ છે. આવા ઉત્તરોત્રતો અહીં સંક્ષિપ્તમાં સાત વર્ણવવામાં આવેલ છે
[૧]દિગ્વિરતિ વ્રતઃ
સ્વરૂપ - પોતાની ત્યાગ વૃત્તિ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ આદિ દશે દિશાઓનું પરિમાણ *દિગમ્બર આમ્નાય મુજબ નિર્ણvgવતિ સામયિક પોષથોપવાપોળ પરિમાણTગથિવિમાવત
સંપન્ન એ પ્રમાણે સૂત્ર છે
Page #80
--------------------------------------------------------------------------
________________
અધ્યાય: ૭ સૂત્રઃ ૧૬
- ૭૯ નકકી કરી તેની બહારના દરેક ઘર્મ કાર્યમાંથી નિવૃત્તિ લેવી તે દિગૂ વિરતિ વ્રત
જ પૂર્વ, પશ્ચિમ ઉત્તર, દક્ષિણ, ઈશાન,અગ્નિ,નૈઋત્ય,વાયવ્ય,ઉર્ધ્વ અને અધો એ દશે દિશામાં અમુક હદથી બહાર જવુંએપ્રમાણે દરેકદિશામાંગમન પરિણામનો નિયમ કરવો તે દિવિરતિ
જેમ કે કોઇપણ દિશામાં ૧૦૦૦ કીલો મિટરથી બહાર ન જવું અથવા ભારતની બહાર ન જવું વગેરે પોતાના ત્યાગની ઈચ્છા-વૃત્તિ અનુસાર જે વિરમણ કરવામાં આવે પરિમાણ નક્કી કરવામાં આવે તે દિગ્વિરતિ
$ આ વ્રતમાં દિશાનું પરિમાણ નક્કી થતું હોવાથી આ વ્રતને દિક્પરિમાણ વ્રત કહેવાય છે અને તેના ધારક ને દિક્પરિમાણ અગારી વ્રતી કહેવામાં આવે છે
एभिश्चदिग्वतादिभि: उत्तरव्रतैः सम्पन्नोऽगारीव्रती भवति । तत्र दिग्व्रतं नाम तिर्यगूर्वमधो दशानां दिशां यथाशकित गमन परिमाणाभिग्रहः
ફળઃ- દિગુ વિરતિ વ્રતનું ગ્રહણ નું ફળ શું? કોઈપણ વ્રત ફળદાયી જ હોય અહીં આ વ્રતના મુખ્ય બે ફળ જણાવે છે -૧- ધારેલી દિશાની બહાર થતી સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ થાય છે,
અન્યથા પોતે ન જાય, પોતે હિંસા ન કરે, કોઈને પ્રેરણા ન કરે છતાં જો દિશાનું પરિમાણ નિશ્ચિતનકર્યુ હોય તો ત્યાં થતી સર્વ પ્રકારની હિંસાનું પાપ લાગે છે. કારણ કે નિયમ રહિતતા થી હિંસાના અનુમોદનનો દોષ ચાલુ રહે છે
-૨-દિ વિરતિ વ્રતથી તે અગારી વ્રતીનો લોભ મર્યાદિત બને છે.હદનું નિયમન થયા પછી તે નિયત કરેલ પરિમાણની બહાર ગમે તેટલો આર્થિક લાભ થવાનો હોય તો પણ ત્યાં જવાનું હોતું નથી એટલે સંતોષની માત્રાવિનાનો અને લોભને મર્યાદિત બનાવ્યા સિવાયનો આત્મા આ નિયમ ગ્રહણ કરી શકતો નથી
-વળી એક વખત નિયમના રહણ બાદ તેનાં સમ્યગ પાલન થી લોભ કષાયની માત્રામાં અધિકાધિક ઘટાડો થતો જાય છે અને અનેક આર્થિક પ્રલોભનો સમક્ષ ટકવાનું સાત્વિક બળ મળે છે
[૨]દેશ વિરતિ વ્રતઃ- દેશવગાસિક)
ક્રમભેદ હેતુ- સામાન્યથી તથા આગમ પ્રાપ્ત ઉલ્લેખાનુસાર આ વ્રત નો ક્રમ ઉત્તરગુણોમાં પાંચમો આવે છે છતાં તત્વાર્થસૂત્રકારે તેને જે બીજા ક્રમમાં મુકેલ છે તે ક્રમ ભેદ કરણનો હેતુ એ છે કે પૂર્વનું વ્રત જે દિશા પરિમાણ દર્શાવે છે તેનો સંક્ષેપ કરવો
જેમ કે આપણે દૃષ્ટાન્તલીધું કે દશે દિશામાં ૧૦૦૦ કિલોમિટર જવું તેવું દિમ્ પરિમાણ લીધું પણ તે નિયમતો વાર્ષિક કે આજીવન પર્યન્ત નો હોઈ શકે જયારે રોજેરોજ કંઈ તે અગારી વતીને ૧૦૦૦ કિલોમીટરનું ગમનાગમન હોતું નથી તેથી દિવસ-દિવસના નિયમમાં આ દશ દિશાના પરિમાણનો સંક્ષેપ થઈ શકે છે એટલે તે જ અગારી વ્રતી આ ૧૦૦૦ કિલોમીટરના નિયમને ૧૦ કે ૧૦૦ કિલોમીટર જેટલો પણ સંક્ષેપિત કરી શકે છે
આ રીતે પૂર્વના વ્રતના સંક્ષેપનું કારણ હોવાથી આર્ષ ક્રમ ભેદ કરીને અને આ વ્રતનું ગ્રહણ કર્યું હોય તે વાત સ્વીકૃત થઇ શકે છે
Page #81
--------------------------------------------------------------------------
________________
૮૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તદુપરાંત કોઈ અન્ય પરંપરાનું સૂત્રકારના કાળે વિદ્યમાન પણું હોવું તે પણ સંભવી શકે છે પણ તેનો કોઈ વર્તમાન કાલિન આગમ ગ્રન્થ માં કે ટીકા ગ્રન્થોમાં ઉલ્લેખ કરતા નથી વૃત્તિકારતો એક સુંદર વાકયથી અહી ખુલાસો કરે છે કે રેશે- માવસ્થાનું પ્રતિતિનું પ્રતિક प्रतिक्षणम् इति देशव्रतम् इति सुखावबोधार्थम् अन्यथाक्रम:-क्रमभेद हेतुः ।
- સ્વરૂપ - દિવ્રતમાં હંમેશને માટે દિશા ઠરાવી મૂકેલ હોય છતાં તેના પરિમાણની મર્યાદામાંથી પણવખતે વખતે પ્રયોજન અનુસાર ક્ષેત્રનું પરિમાણ નક્કી કરી તેની બહાર દરેક પ્રકારના અધર્મ કાર્યમાંથી નિવૃત્તિ લેવી તે દેશવિરતિ વ્રત
૪ દિગ વિરતિ વ્રતમાં ગમનની જે હદ નક્કી કરી હોય તેમાં પણ દરરોજ યથા યોગ્ય અમુક દેશનો -ભાગનો સંક્ષેપ કરવો તે દેશ વિરતિ.
-દેશ અર્થાત અમુક ભાગ સંબંધિ વિરતિ, તે દેશ વિરતિ. જેમ કે દશે દિશામાં ૧૦૦૦ કિલોમીટર જવા વિશેનો જે નિયમ છે તેમાં દરરોજ જેટલું જવાની સંભાવના હોય તેટલા જ દેશથી વધારે હદ બહાર ન જવું તેવો નિયમ કરવો
અગર સખત માંદગી કે પ્લાસ્ટર આવેલું હોય ત્યારે ઘર કે હોસ્પિટલ બહાર ન જવાનો નિયમ કરવો. જે દિવસ પોતાના ગામ કે શહેરની સીમાન છોડવી હોય ત્યારે તે ગામ કે શહેર ની હદ સુધીનું પરિમાણ નક્કી કરવું તે દેશ વિરતિ વ્રત.
ફળઃ- આ નિયમથી દિ વિરતિમાં જે હદ છોડવામાં આવી છે તેનો પણ સંકોચ થવાથી તેના અગારીવતીને દિવિરતિમાંજેલાભ થતો હતોતેલાતો થાય જ છે, તદુપરાંતવ્રતની અપેક્ષાએ અહીં વિરતિ વધારે હોવાથી, જેટલું વિરમણ વધુ તેટલો લાભ પણ વધારે જ મળે છે
- વર્તમાન પ્રણાલિ - આ વ્રત સંબંધે વર્તમાન કાળે એવી પ્રણાલિ વર્તે છે કે ઓછામાં ઓછા એકાસણાના તપસહિત સવાર-સાંજ બંને સમય પ્રતિક્રમણ કરવા ઉપરાંત બીજી આઠ (કે દશ) સામાયિક કરવી
આ વ્રતને ગ્રહણ કરતી વખતે વર્ષમાં હું અમુક સંખ્યામાં જેમ કે ચારવખત, છ વખત એ રીતે દેશાવકાસિક કરીશ એમનિયમ કરવામાં આવે છે અને દશ-સામાયિકથકી પ્રતિક્રમણ કરવા પૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે છે
શાસ્ત્રીય રીતે તેં દિશા પરિમાણનો સંક્ષેપ કરવો એ જ દશાવકાસિક કહેલું છે - આ વ્રતનો શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર-ટીકા મુજબનો અર્થ:
દેશ શબ્દથી દિ વિરતિ વ્રત વડે મર્યાદિત કરેલો દિક્ષરિમાણ નો એક ભાગ અથવા કોઇપણ વ્રત સંબંધિ કરવામાં આવેલો સંક્ષેપ સમજવાનો છે
અવકાશ એટલે અવસ્થાન અર્થાત્ કોઈપણ વ્રતમાં રાખેલી છૂટોને વિશેષ મર્યાદિત કરીને તેના એક ભાગમાં એટલે કે દેશમાં સ્થિર રહેવું તે-દેશાવકાસિક વ્રત
આ વ્રતનું પાલન દિગૂ વિરતિના સંક્ષેપ ઉપરાંત સચિત, દ્રવ્ય,વિગઈ, વાણહ, તંબોલ,વત્ય,કુસુમ,વાહણ,શયન, વિલેપન, બ્રહ્મચર્ય,દિશા,હાણ, ભસુએચૌદનિયમોના ધારવાથી પણ થઈ શકે છે
જો કે અહીં સૂત્રકાર-તથા વૃત્તિકારને તો દિવિરતિ વ્રતનો સંક્ષેપ જ આવત થકી ઈષ્ટ છે, વિશેષ ભાષ્ય કે વૃત્તિ તત્સમ્બન્ધ જોવા મળતા નથી
Page #82
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૬
[૩]અનર્થદંડ વિરતિઃ
સ્વરૂપઃ- જે પોતાના ભોગરૂપ પ્રયોજન માટે થતા અધર્મ વ્યાપાર સિવાય બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી, અર્થાત્ નિરર્થક કોઇ પ્રવૃત્તિ ન કરવી તે અનર્થદંડવિરતિ વ્રત
+ अनर्थदण्डोनाम उपभोगपरिभोगावस्यागारिणो वतिनो अर्थ: तद्व्यतिरिक्तोऽनर्थ: । तदर्थोदण्डोऽनर्थदण्डः तद् विरमि व्रतम् ।
$ અર્થ એટલે પ્રયોજન
-દંડ-જેનાથી આત્માદંડાય-દુઃખ પામેતે દંડ પાપસેવનથી આત્માદંડાય છેદુઃખ પામે છે માટે દંડ એટલે પાપ સેવન
-અર્થદંડ- પ્રયોજન વશાત્ સકારણ પાપનું સેવન તે અર્થદંડ -અનર્થદંડ-પ્રયોજન વિના નિષ્કારણ પાપનું સેવન તે અનર્થદંડ
-ગૃહસ્થને પોતાનો તથા સ્વજન આદિનો નિર્વાહ કરવો પડે છે આથી ગૃહસ્થ પોતાના તથા સ્વજન આદિના નિર્વાહ માટે જે પાપ સેવન કરે તે સપ્રયોજન -કારણ હોવાથી અર્થદંડ છે
જયારે જેમાં પોતાના કે સ્વજન આદિના નિર્વાહનો પ્રશ્ન જ ન હોય તેવું પાપ સેવન એ અનર્થ દંડ છે
-અર્થાત જેના વિના ગૃહસ્થવાસ ન ચલાવી શકાય તે પાપ સેવન એ અર્થ દંડ છે અને જેના વિના ગૃહસ્થવાસ ચાલી શકે તે પાપ સેવન એ અનર્થ દંડ છે.
છે અનર્થ દંડના ચાર મુખ્ય ભેદોઃ
૧-અપધ્યાન-અપધ્યાન એટલે દુર્ગાન,અશુભ વિચારો જેમ કે અમુક માણસ મરી જાયતો સારું, ચુંટણી ફલાણો હારી જાયતો સારું, હુંરાજા બનું તો સારુંઆવા આવા વિચારોઅપધ્યાન છે આવા વિચારો થી કાર્ય સિધ્ધી થતી નથી પણ નિરર્થક પાપ બંધાય છે માટે અનર્થદંડ છે.
-૨ પાપોદેશ-પાપકર્મથાય તેવો ઉપદેશતે પાપોપદેશ કહેવાય. જેમ કેલડાઈ થવી જોઈએ, આ યુગમાં કારખાનાવિનાતો ન જ ચાલે, તમારી કન્યા વિવાહયોગ્ય છે માટે પરણાવીદો. વગેરે વગેરે ઉપદેશ હિંસાદિ પાંચે દોષોના પોષક છે માટે તેવો ઉપદેશ એ અનર્થદંડ છે.
-૩ હિંસક સાધનોનું પ્રદાનઃ-જે સાધનો વડે હિંસા થઈ શકે છે તેવા સાધનો કોઈને દેવા-જેમકે રીવોલ્વર,છરી આદિ ઉપકરણો, કોશ કોદાળી વગેરે અધિકરણો,ઝેર, અગ્નિ વગેરે તે હિંસાના સાધન હોવાથી અનર્થદંડ રૂપ છે
-૪પ્રમાદાચરણ-નાટક, સિનેમા, સરકસ જોવો, ગીતો સાંભળવા,હિંડોળે હિંચકવું, પશુપક્ષી લડાવવા, વિકથા કરવી,ખડખડાટ હસવું, વ્યસનોનું સેવન કરવું આવી-આવી અનેક પ્રવૃત્તિઓ ગૃહસ્થાવાસ માટે અનાવશ્યક હોવાથી પ્રમાદાચરણ રૂપ અનર્થદંડ કહેલ છે.
આ ચારે પ્રકારના અનર્થદંડ વડે નિરર્થક પાપોનોબંધ થાય છે માટે તેનાથી નિવૃત્ત થવું તે અનર્થદંડ વિરમણ વ્રત છે.
ફળ:- આ વ્રતને ગ્રહણ કરનારો અગારી વ્રતી અનેક ખોટાપાપોથી બચી જાય છે તેનું જીવન સંસ્કારિત બને છે સમાજ પણ સુખી સમૃધ્ધ અને શાંત બને છે
અ. ૭૬
Page #83
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૪]સામાયિકઃ
સ્વરૂપઃ કાળનો અભિપ્રહલઈ અર્થાત્ અમુક સમય સુધી અધર્મપ્રવૃત્તિનો ત્યાગ કરી ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો સામાયિક વ્રત છે
* सामायिकं नामाभिगृह्य कालं अर्थसावद्ययोगनिक्षेप # સમ એટલે રાગદ્વેષ વિરહિત પણે જે સર્વ જીવોને આત્મવત જુએ છે તે.
ગાય લાભ અથવા પ્રાપ્તિ. આ સમનો આય એટલે સમાય તે ઉપરથી સામાયિક શબ્દ થયો છે
સમ એટલે સમતા -શાંતિ, જેનાથી શાંતિ પ્રાપ્ત થાય તે સામાયિક.
–સર્વસાવઘયોગ અર્થાત પાપ વ્યાપારનો ત્યાગ કર્યા વિના ઈષ્ટ શાંતિ નમળે તેથી આ વ્રતમાં સર્વ સાવધ યોગોનો ત્યાગ કરવામાં આવે છે. અમુક નિયત કાળ પર્યન્ત મન-વચનકાયાના યોગપૂર્વક ન કરવા ન કરાવવા રૂપ સર્વ સાવઘોનો ત્યાગ કરવા સાથે સમભાવની સાધના કરાવવા કરવી તે સામાયિક.
-વર્તમાનકાળે આવ્રતબેઘડી અથવા ૪૮મિનિટનું પ્રસિધ્ધ છે તેમજ “સામાઇય વયજુતો” સૂત્રમાં સૂચવ્યા મુજબ આ સામાયિક વારંવાર કરવું જોઇએવિદુસો સામા જ્ઞા
સામયિક વ્રતને ગ્રહણ કરનાર અગારી વતી એ નિત્ય અથવા વર્ષમાં અમુક સામાયિક કરવાનો નિયમ કરવો જોઈએ
ફળઃ- આ વ્રત ગ્રહણ કરવાથી મોક્ષ સુખની વાનગી રૂપ શાંતિનો અને સમતાનો અનુભવ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન જીવવાની તાલિમ મળે છે અનેક પ્રકારના પૂર્વ સંચિત પાપોનો નાશ થાય છે તેમજ મોક્ષમાર્ગની આરાધના થાય છે
પ્રતિક્ષણ અપૂર્વ જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયો થી જીવ જોડાય છે. સાધુની પરિ ઉપાસના થાય છે મન-વચન-કાયાના પાપ વ્યાપારો થી અટકેલો જીવ અશુભ કર્મબંધ થી નિવૃત્ત થાય છે એ રીતે સામાયિક એ સંવર તથા નિર્જરાનું સાધન બને છે.
[૫]પૌષધોપવાસ
સ્વરૂપઃ-આઠમ, ચૌદશ, પૂનમ કે અન્ય કોઈ વિશષ્ટિતિથિમાં ઉપવાસ કરી બીજી બધી વરણાગી-આળ પંપાળનો ત્યાગ કરી ધર્મ જાગરણમાં તત્પર રહેવું તે પૌષધોપવાસ વ્રત
पौषधोपवासो नाम पौषधे उपवास: । पौषधः पर्व इति अनर्थान्तरम् । ૪ પૌષધમાં ઉપવાસ કરવો તેનું નામ પૌષધોપવાસ છે.
પૌષધ એટલે પર્વતિથિ એવો રૂઢિગત અર્થ સિધ્ધસેનીયવૃત્તિતથા ઉપાસક દશાંગ સૂત્ર વૃત્તિ માં કરવામાં આવેલો છે અને પર્વતિથિ એટલે આઠમ-ચૌદશ-પૂનમ અમાસ વગેરે પર્વતિથિઓ. આ પર્વતિથિઓને દિવસે ઉપવાસ કરવો તે પૌષધોપવાસ.
# હારિભદ્દીય પંચાશક અનુસાર “જે કુશલ ધર્મનું પોષણ કરે છે અને જેમાં જિનેશ્વર દેવોએ કહેલા આહાર ત્યાગ આદિનું વિધિ પૂર્વક અનુષ્ઠાન કરાય છે તે પૌષધ કહેવાય છે”
પૌષધના ચારભેદઃ- પોસદોપવારે વવિદે નિત્તે તે નહી ?-મહાપોહે, २-सरीरसक्कार पोसहे, ३-बंभचेरपोसहे, ४-अव्वावार पोसहे.
Page #84
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૬
-૧ આહાર પૌષધ:- ઉપવાસ આદિ આહાર ત્યાગ રૂપ તપ કરવું તે
-૨ શરીર સત્કાર પૌષધ -સ્નાન,ઉદ્વર્તન, વિલેપન, પુષ્પ,ગબ્ધ વિશિષ્ટ વસ્ત્ર અને આભરણ આદિથી શરીરનો સત્કાર કરવાનું તજી દેવું તે શરીર સત્કાર પૌષધ
-૩ બ્રહ્મચર્ય પૌષધઃ- બ્રહ્મચર્યનું પાલન કરવું તે -૪ અવ્યાપાર પૌષધ - સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવો તે
આ ચારે પૌષધ સર્વથી અને દેશથી બંને પ્રકારે હોઈ શકે પણ હાલ પૂર્વાચાર્યોની પરંપરાનુંસાર ફકત આહાર પૌષધ જ સર્વથી અને દેશથી કહ્યો છે બાકીના ત્રણે પૌષધ તો સર્વથી જ થાય છે
આહાર પૌષધમાં ચઉવિહાર ઉપવાસ એ સર્વ પૌષધ છે અને તિવિહાર ઉપવાસ, આયંબિલ નિવિ, એકસણ એદેશ પૌષધ છે
–આ વ્રતમાં અગારી વ્રતીઓએ પર્વતિથિએ પૌષધ લેવાનો નિયમ કરવો જોઇએ અને જો પર્વતિથિએ ન થઈ શકે તો વર્ષમાં અમુક પૌષધ કરવા તેવો નિયમ પ્રહણ કરવો.
ફળઃ- અન્ય વ્રતોની અપેક્ષાએ આ વ્રતમાં ત્યાગની વિશેષ તાલીમ મળે છે.સાધુ જીવન ની પવિત્રતાનો આંશિક પરિચય મળે છે કષ્ટ સહન કરવાની શકિત વિકસે છે. શરીર પરનો મમત્વભાવ ઓછો થાય છે, ધર્મજાગરિકા થાય છે.જાપ સ્વાધ્યાયાદિ ધર્મ અનુષ્ઠાનો થાય છે
[]ઉપ ભોગ પરિભોગ પરિમાણ વ્રતઃ
સ્વરૂપ:- જેમાં બહુજ અધર્મનો સંભવ હોય તેવાં ખાનપાન,ઘરેણા, કપડાં, વાસણ, કૂસણ વગેરેનો ત્યાગ કરી ઓછા અધર્મવાળી વસ્તુઓ નું પણ ભોગ માટે પરિમાણ બાંધવું તે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત
र उपभोग परिभोग व्रतं नाम अशनपानखाद्यस्वाद्यगन्धमाल्यादीनां प्रावरणालङ्कारशयना सनगृहयानवाहनादीनां बहसावद्यानां च वर्जनमल्पसावधानामपि परिमाणकरणमिति ।
૪ ઉપભોગ - જેનો ભોગ એકવાર થાય તે “ઉપભોગ'' જેમ કે આહાર,પાન, સ્નાન, ઉદ્વર્તન,વિલેપન,કુસુમ વગેરે તે એક વખત ભોગવાઇ ગયા પછી બીજી વારના ભોગમાટે નકામા બને છે
પરિભોગઃ- જેનો ભોગ વધારે વખત થઈ શકે તે પરિભોગ જેમ કે વસ્ત્ર આભૂષણ , શયન, આસન,વાહન, સ્ત્રી વગેરે તે બધું એક કરતા વધુ વખત ભોગવી શકાય છે.
આવા ઉપભોગ અને પરિભોગનું પરિમાણ નક્કી કરવું તે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત
આ વ્રત ને ભોગપભોગ પરિમાણ વ્રત પણ કહે છે પરંતુ તેનું તાત્પર્ય એ જ છે કે ભોગ્ય વસ્તુઓની મર્યાદા કરીને ભોગ લાલસા પર કાબૂ મેળવવો
જો કે આતો શબ્દાર્થ કહ્યો. ભાષ્યાનુસાર તેનો ભાવાર્થ કરીએ તો “અતિ સાવદ્ય વસ્તુઓનો સર્વથા ત્યાગ અને અલ્પ સાવઘવાળી વસ્તુઓનો ઉપભોગ પણ પરિમાણ થી કરવો તે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત
આ વ્રતનો નિયમ બે પ્રકારે કરવામાં આવે છે તેત્ર વિષ વ્રત ગોગન વર્મવિષયવાહૂ I
-૧ ભોજન સંબંધિઃ-આહારમાં બત્રીશ અનંતકાય સહિતના બાવીશ અભક્ષ્યો જેમાં રાત્રિભોજનનો પણ સમાવેશ થાય છે કેમકે રાત્રિભોજનએ અભક્ષ્ય છે. શ્રાવકનું કોઇ સ્વતંત્ર
Page #85
--------------------------------------------------------------------------
________________
८४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્રત નથી] તથા સચિત વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
આ બધી વસ્તુનો સર્વથા ત્યાગ ન થઈ શકે તો જેનો ઉપયોગ કર્યા વગર ન જ ચાલતું હોય તે સિવાયની વસ્તુઓનો તો અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ.
બીજું વિત્ત-ત્ર-વિવ ચૌદનિયમ ધારવા પૂર્વક બિન ઉપયોગી વસ્તુઓનો રોજે રોજ ત્યાગ અને ઉપયોગી વસ્તુઓનું પરિમાણ સહેલાઈ થી થઈ શકે છે.
-૨ કર્મ સંબંધિઃ- ધંધામાં પંદર પ્રકારના કર્માદાન ત્યાગ કરવો જોઈએ. કેમ કે અલ્પ સાવદ્ય જીવનોપાય-અભાવે આ પ્રવૃત્તિમાં જ્ઞાનાવરણાદિ કર્મોના હેતુઓનું આદાન થતું હોવાથી તેને કર્મદાન કહેવામાં આવે છે
આ પંદર કર્માદાનના નામ - અંગાર,વન,શબ્દ,ભાટક, સ્ફોટક, એ પાંચકર્મ, દત્ત, લાક્ષ ,રસ,વિષ, કેશ એપાંચવાણિજય,ય–પીડન,નીલુંછન દવદાન,સરોવરાદિનું શોષણ અસતિપોષણ આ કર્માદાનોનો ત્યાગ કરવો. નથઈ શકે તો અમુક અમુકના પચ્ચખ્ખાણ કરવા
ફળઃ- આ વ્રતના પાલનથી તેના અગારીવ્રતીને જીવનમાં સાદાઈ આવે છે, આધ્યાત્મિક લાભ સાથે શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક આદિ અનેક દૃષ્ટિએ લાભદાયી છે. [૭]અતિથિ સંવિભાગ દ્વતઃ
ન્યાયથી પેદા કરેલ અને છતાંખપેતેવાજખાનપાનાદિયોગ્ય વસ્તુઓનું ઉભયપક્ષનેલાભ થાય તે રીતે શુધ્ધ ભક્તિ ભાવ પૂર્વક સુપાત્રને દાન કરવું તે અતિથિ સંવિભાગ દ્રત
4 अतिथिसंविभागो नाम न्यायगतानां कल्पनीयानामन्नपानादीनां च द्रव्याणां देशकालश्रद्धासत्कार क्रमोपेतं परयाऽऽत्मानुग्रहबुद्धया संयतेभ्यो दानम् इति । 2 अतिथि भाटेनी संविभाग ते अतिथिसंविभाग
થ જે તિથિ રહિત છે તે “અતિથિ', જે મહાત્માએ તિથિ અને પર્વના સર્વ ઉત્સવ તયા છે તેને અતિથિ જાણવા
સંવિમા | શબ્દમાં હું અને વિમા એ બે પદો રહેલા છે
સં એટલે સંગતતા કેનિદોર્ષતા શાસ્ત્રનુસાર સમાચારીપૂર્વક નિર્દોષ ગોચરી-એષણીય અને પ્રાસુક ગોચરી
વિમા એટલે વિશિષ્ટ ભાગ પોતાના અર્થે તૈયાર કરેલા ખાન પાનમાંનો અમુક અંશ.
-સાધુને કહ્યું તેવા પ્રાસુક અને એષણીય ખાનપાન, વસ્ત્ર, ઔષધ વગેરે - દેશ,કાલ,શ્રધ્ધા સત્કાર ક્રમ,પાત્ર વગેરેને ધ્યાનમાં લઈને ઉચ્ચ પ્રકારની ભકિત વડે કેવળ આત્મ કલ્યાણની બુધ્ધિથી સુપાત્રને જે દાન દેવું તે અતિથિ સંવિભાગ.
વિધિ - શ્રાવકે પૌષધના પારણે મુનિરાજને અવશ્ય દાન દેવું અને તે પછીજ ભોજન કરવું. અહીં મુનિરાજ અર્થાત્ સાધુને ગ્રહણ કરવાનું કારણ એ છે કે અહીં શ્રાવક વ્રતાધિકાર ચાલે છે તેથી અતિથિ રૂપે વીતરાગ પ્રણીત ચારિત્ર ધર્મની આરાધના કરનાર સાધુજ સમજવા
ઉત દેશ કાલઆદિની વ્યાખ્યાદેશ - વસ્તુની તે દેશમાં સુલભતા કે દુર્લભતા વિચારી દુલર્ભવસ્તુનું વિશેષ દાન કરવું કાળઃ-સુકાળ કે દુષ્કાળ નો વિચાર કરી કાળાનુસાર વહોરાવવું
શ્રધ્ધા:- વિશુધ્ધ અધ્યવસાય પૂર્વક આપવું.
Page #86
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૬
સત્કાર-નિમંત્રણા કરી ઘેર પધરામણી કરાવી આદર પૂર્વકઆપવું કમઃ- વસ્તુની શ્રેષ્ઠતા કે આવશ્યકતાના ક્રમે આપવું
વ્રતનુ ફળ - આ વ્રતના સેવનથી દાન ધર્મની આરાધના થાય છે ચારિત્રતથા ચારીત્રીયા પ્રત્યેનો બહુમાન ભાવ વધે છે અને સંયમધર્મ ની અનુમોદના થાય છે..
* વિરતિસૂત્રમાં આવેલા વિરતિ-શબ્દનો અર્થ પૂર્વે સૂત્ર ૭:૧માં જણાવ્યા મુજબ-વિરમવું તે છે.
આ શબ્દ ને રિ,રેશ અને અનર્થvg એ ત્રણે સાથે જોડવાનો છે તેથી વિવિરતિ, ટેશવિરતિ અને અનર્થાવરતિ શબ્દો બને છે
જ વતસંપન્ન:- અહીં વ્રત શબ્દનો અર્થ પૂર્વે સૂત્ર૭:૧ માં કહેવાઈ ગયો છે અને સંપન નો અર્થ સંયુકત કે જોડાયેલો એવો થાય છે.
વ્રતસંપન શબ્દ અહીં કહેવાયેલા સાતે વ્રતો સાથે જોડવાનો છે ફિવિરતિ વ્રતસંપન, રેશવિરતિ વ્રતસંપન, અનર્થ વિરતિ વ્રતસંપન એ રીતે સાતેમાં સમજી લેવું
જ અરવતી-પૂર્વ સુત્રમાંથી સારી તથા વ્રત શબ્દની અનુવૃત્તિ અહીં લીધેલી છે તેનો અર્થ એ કે આ સાતે વ્રતવાળા અગારી વ્રતી કહેવાય. કેમ કે મIરીવ્રતી ને આશ્રીને ૧૨ વ્રતો કહેવાય છે જેમાના પાંચ અણુવ્રત અને આ સાત શીલ વ્રત મળીને કુલ ૧૨ વ્રત થશે.
છે આ સાતેને શત્રવ્રત કેમ કહ્યા?
-૧ આજ અધ્યાયના સૂત્ર ૧૯ વ્રતશકુ પડ્યે પગ માં વ્રત ની સાથે જોડાયેલો શીલ્ડ શબ્દ જ એ સૂચવે છે કે પાંચ અણુવ્રત સિવાયના બીજા શૌત્રવ્રત કહેવાય.
-૨ સિધ્ધસેનીય વૃત્તિમાં પણ જણાવે છે કે “અણુવ્રતને ધારણ કરેલા ગૃહસ્થને તેમના અણુવ્રતોની દૃઢતા ને માટે શાસ્ત્ર નો ઉપદેશ અપાય છે આ શીલ્ડ એટલે ગુણવ્રત અને શીક્ષાવ્રત'' આ વિધાનથી પણ ફલિત થાય છે કે આ સાતેને શૌઢ વ્રત કહેવાય છે.
* આ શીલવ્રતના ગુણવ્રત અને શીક્ષાવ્રત એવા બે ભેદ કઈ રીતે?
આગમમાં વંદીતા સૂત્રમાં અને વ્યવહારમાં ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત પ્રસિધ્ધ છે તે મુજબ દ્વિવિરતિ, ૩પમી પરિમો પરિમાણ, અનર્થવિરત એ ત્રણે ગુણવ્રતો છે
જ્યારે સામયિ, રેશવિસિઝ પોપવાસ,Mતિથિવિમા એ ચારે શીક્ષાવ્રત કહેલા છે.
ગુણવ્રત - પુષ્યન્ત-સંધ્યાયને સંખ્યાની માફક ગણી શકાય છે માટે તેને ગુણ કહેવામાં આવે છે. જેમ કે દિશાપરિમાણનું, ભોગોપભોગના પરિમાણનું અને અનર્થદંડમાં ઉપભોગ્ય વસ્તુનું સંખ્યા પરિગણન થઈ શકે છે માટે તેને ગુણવ્રત કહ્યા છે. તેમજ આવતોથી અણુવ્રતોનું પાલન સરળ બને છે માટે ગુણવ્રત કહ્યા.
શિક્ષા- શિક્ષા એટલે અભ્યાસ તેના સ્થાન હોવાથી અથવા તે જ વ્રતો અભ્યાસનો વિષય હોવાથી તેનેશિક્ષાપદ વ્રતો કહેલા છે. તેમજ આ વ્રતોના પાલનથી સંયમધર્મની શિક્ષા મળે છે માટે શિક્ષાવ્રતો કહ્યા છે.
પ્રસ્તુત ગ્રન્થમાં આક્રમ જોવા મળતો નથી કેમકે સૂત્રકારે આ સાતે વ્રતોને શીલવત રૂપે જ ઉપદેશેલ છે
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [B]સંદર્ભઃ
આગમ સંદર્ભ મા IRયમંડુવાવદંગાફવરૂ તંગી પવનપુત્રયારૂંતિના गुणवयाइं चतारि सिकखावयाई
तिण्णि गुण वयाइं अणस्थ दंड वेरमणं दिसिव्वयं उपभोगपरिभोग परिमाणं चत्तारि सिक्खावयाइं सामाइयं देसावगासियं पोसहोववासे अतिथि संविभागे ।
જ પ. પૂ.૩૪-૭ શ્રીવીશાની # તત્વાર્થ સંદર્ભઃ-મૂત્ર. ૭:૨૧ વ્રતશીપુ પર્વે પુષ્ય યથાશ્રમમ 6 અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કરેમિ ભંતે તથા સામાઈય વયજુરો સૂત્ર-પ્રબોધટીકા (૨)પૌષધ સુત્ર-તથા વંદિત સૂત્ર પ્રબોધટીકા (૩)યોગશાસ્ત્ર (૪) પંચાશક
[9]પદ્યઃ(૧) દિશાતા
દિશાતણા પરિમાણ વ્રતને દેશ અવગાસિક ભણું અનર્થ વિરતિ વ્રત સામયિક પોસહ વ્રત જ ગણું ઉપભોગને પરિભોગમાંહિ પરિમાણ જ મન ધરું અતિથિતણો સંવિભાગ ધારી રૂડો સંયમ આદરું અણુવ્રત ધારી અગારી વતીઓ દિશા દેશ ઉભય વિરમે 'અનર્થદંડ વિરતિ સામાયિક ભોગોપભોગે સીમિત રહે પૌષધપવાસ કરી પખવાડે અતિથિ ભાગે રાચે છે
મૃત્યુ આવે મારણાંતિકી સંલખના વળી આવે છે U [10]નિષ્કર્ષ-ઉકત બંને સૂત્રો શ્રાવકનાબાઝતને જણાવે છેઅગારીવતી-શ્રાવક બારમાંના કોઈપણ વ્રતને શક્તિ અનુસાર ધારણ કરે તો પણ તે અમારી વતી કહેવાય છે. છતાં ભાષ્યકાર એક મહત્વનું સૂચન અત્રે કરી જાય છે તેતન્ન સર્વસાવદ્ય નિક્ષેપ: ત્યાર પછી આ શ્રાવક સર્વસાવદ્ય છોડીદે છે અર્થાત અગારી પણાથી નિવૃત્ત થઈને મહત્વ ગુણોને પ્રાપ્ત કરે છે અર્થાત સર્વવિરતિ ને પામે છે
આ રીતે આ સૂત્રનો નિષ્કર્ષ એ જ છે કે અણુવ્રત ધારીનો પણઅંતિમ ઉડ્ઝ તો મહાવ્રત ધારણ કરવાએજ હોવો જોઈએ
(અધ્યાય -સૂત્રઃ ૧૦) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સંલેખનાને જણાવે છે [2]સૂત્ર મૂળ-મારાન્તિવ સંવનાં ગોષિતા
Page #88
--------------------------------------------------------------------------
________________
૮૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૭
U [3]સૂત્ર પૃથક-સૂત્ર સ્પષ્ટ પૃથકજ છે
U [4]સૂત્રસારઃ- [વળી તે વ્રતી બારણાંતિક સંખનાનો આરાધક અથવા સેવનારો હોય છે)
U [5]શબ્દજ્ઞાનમારાન્તિ- જન્મનું પર્યવસાન, આયુની પૂર્ણાહૂતિ સંવના-તપ વિશેષ ગોષિત કરનાર, સેવનાર 1 [6]અનુવૃત્તિઃ(૧)અણુવ્રતો આરી સૂત્ર ૭:૧૫ થી મારી શબ્દની અનુવૃત્તિ લેવી (૨)નિ:શલ્યોવતી સૂત્ર ૭:૧૩ થી ત્રસ્તી ની અનુવૃત્તિ લેવી
1 [7]અભિનવટીકાઃ- કષાયનો અંત આણવા માટે તેમને નભવાનો અને તેની પૃષ્ટિના કારણો ઘટાડવા પૂર્વક તેમને પાતળાં કરવા તે સંલેખના. આ સંલેખનાનું વ્રત ચાલુ શરીરનો અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી તે “મારણાંતિક સંલેખના' કહેવાય છે. એવું સંલેખના વ્રત ગૃહસ્થો પણ શ્રધ્ધા પૂર્વક સ્વીકારી તેને સંપર્ણ પણે પામે છે તેથી જ ગૃહસ્થને એ વ્રતના આરાધક કહ્યા છે
શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર-વંદિતા સૂત્ર માં તથા શ્રાવકના અતિચારોમાં પણ સંલેખનાનો વ્રતસ્વરૂપે ઉલ્લેખ થયેલો છે તેમજ તત્વાર્થસૂત્રકારે પણ તેને અગારી વ્રતીની સાથે જ ગોઠવેલા છે. તેથી કરીને જ ગૃહસ્થને સંલેખના વ્રતના આરાધક કહ્યા છે
જ મારણાન્તિકા
૪ મરણ સમયે યોગ્ય સમાધિ, સ્થિરતા અને આરાધના જળવાઇ રહે તે માટે જયારે બળ, વીર્ય, સાહસ, પરાક્રમ,શ્રધ્ધા, ધૃતિ અને સંવેગવિદ્યમાન હોય ત્યારે જ ખાવું-પીવું તજી દઈને મરણ-પર્યન્તનું અણસણ કરવું તે સંખનાનો મુખ્ય હેતું છે. શ્રી ઉપાશકદશાંગ સૂત્રમાં તેને અપશ્ચિમ ભારણાંતિક સંખના કહી છે
જ પોતાના પરિણામો થી ગ્રહણ કરાયેલ આયુષ્ય -ઇન્દ્રિય અને બળનું કારણ વશાત ક્ષય પામવું તે મરણ. આ મરણ બે પ્રકારે છે (૧)નિત્યમરણ (૨)તર્ભાવ મરણ પ્રતિક્ષણ આયુ વગેરેનો ક્ષય થવો તેને નિયમરણ કહે છે
નૂતન શરીર પર્યાય ને ધારણ કરવા માટે પૂર્વપર્યાય નો નાશ થવોતે તદ્ભાવ મરણ છે 3 અહીં સૂત્રમાં જે મરળાનો શબ્દ કહેલ છે તે તદ્ભાવ મરણના અર્થમાં જ ગ્રહણ કરવાનો છે એટલે કે આયુષ્યની પરિસમાપ્તિતે મરણાન્ત. અને મરણાંન્ત શબ્દ પરથી હેતુના નિર્દેશ ને માટે વ્યાકરણના નિયમાનુસાર ફેરફાર થઈ મારણાન્તિક શબ્દ બન્યો છે
# સ્વકર્માનુસાર પ્રાપ્ત આયુ, ઈન્દ્રિય અને મન-વચન-કાયએ ત્રણ બળનું કારણ વિશેષની પ્રાપ્તિ અનુસાર નાશ થવુ તે મરણ છે આ મરણ તદુભાવનું જ ગ્રહણ કરવા માટે સૂત્રમાં મર શબ્દ સાથે અન્ત પદનું ગ્રહણ કરેલ છે
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –“મરણ એ જ અન્ત”તે મરણાન્ત જેનું આમરણાંન્ત જ પ્રયોજન છે તે મરણાન્તિક પદ સંલેખનાનું વિશેષણ હોવાથી “મરણાંન્તિકી'એ પ્રમાણે પદ થયું છે.
सर्वायुषः क्षयो मरणं, मरणमेवान्तो मरणान्त:मरणकाल:प्रत्यासन्नं मरणम् इति यावत्। जन्मनः पर्यवसानं तत्र भवा मारणान्तिकी ।
જ સંવના:
$ સારી લેખના તે સંલેખના હિલ્ ધાતુનો અર્થ શોષણ છે તેથી જેના વડે સારી રીતે શોષણ થાય તે સંલેખના તપ ક્રિયા કહેવાય
– શરીર અને કષાયો વગેરેનું શોષણ કરનાર તપ તેને સંલેખના કહેવામાં આવે છે.
# દેહઅને કષાયવગેરે નિયમથી પાતળા પાડીદ-કૃશ કરી નાખે, તેવી પક્રિયાઓને જિનવરોએ અહીં “સંલેખના” કહી છે
$ બાહ્ય શરીર અને અભ્યતર કષાયોનું, ઉત્તરોત્તર શરીર અને કષાયને પુષ્ટ કરવાવાળા કારણોને ઘટાડતા જતા, સારી રીતે કૃષ કરવું તે સંખના છે
संलेख्यतेऽनया शरीरकषायत् इति संलेखना - तपोविशेषः
* ITીવતી- આ શબ્દોની ઉપરોકત સૂત્રથી અનુવૃત્તિ કરવામાં આવેલ છે કેમ કે પરીવ્રતી અર્થાત ગૃહસ્થ શ્રાવક
આ મારણાન્તિકી સંલેખનાં કરવાવાળો પૃહી શ્રાવક હોવાથી અહીં ગૃહસ્થના ૧૨વ્રતોને અંતે તેનો ઉલ્લેખ કરેલ છે. વંદિતું સૂત્ર-શ્રાવક અતિચાર, ઉપાસક દશા વગેરેમાં પણ તેના ઉલ્લેખ આ રીતે જ મળે છે
જ ગોષિત- સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં આ શબ્દને મારશાન્તિકી સંલેખના સાથે જોડેલ છે તેનો અર્થ છે “પ્રીતિ પૂર્વક સેવન કરવું' અર્થાત્ શ્રાવકો મારણાન્તિક સંખનાનું પ્રિતિપૂર્વક સેવન કરનાર હોય છે
૪ ગોષતા-વિતા-ર્તા તિ |
* તાત્પર્યાર્થ-મરણના અંતે થનારી આ સંખનાનું પ્રીતિ પૂર્વક સેવન કરવાવાળા ગૃહસ્થો-શ્રાવકો હોય છે અથવા
મરણના અંત સમયની સંલેખનાનું પાલન કરનાર અગારી વ્રતી શ્રાવક હોય છે
જ ભાષ્યાર્થીકાળ, સંઘયણ, દુર્બળતા અને ઉપસર્ગ દોષ થકી ધમાંનુષ્ઠાન ની તથા આવશ્યકની પરિહાણિ [-ક્ષય] કેમરણ નિકટતા જાણીને ઉણોદરી ઉપવાસછ8 અઠ્ઠમ આદિતપ વડે આત્માને સંલેખના પૂર્વક નિયમમાં લાવી, ઉત્તમ વ્રત સંપન્ન હોય તે-શ્રાવક ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી જીવનપર્યન્તભાવના અને "અનુપ્રેક્ષામાં તત્પર રહી,
સ્મરણ અને સમાધિમાં બહુધા પરાયણ થઈ,મરણના અંત સમયની સંલેખનાને સેવનાર એવો તે મોક્ષમાર્ગનો આરાધક થાય છે, - ૪ ભાષ્યના કેટલાંક વિશિષ્ટ શબ્દોની સમજૂતિઃ
"કાળઃ- દુષ્કાળ,કાળદોષ, દુર્ભિક્ષ, અન્ન-પાની દુલર્ભતા થી ધર્માનુષ્ઠાન માં ક્ષતિ કે મંદબૃત્તિત્વ પામવું તે
Page #90
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૭
૮૯ સંઘયણ -વર્ષભનારચ ઋષભનાચ,નારી, અર્ધનારી,કીલિકા, અને સેવાર્ત એ છ સંઘયણમાં ક્ષીણતા આવવાથી ધર્માનુષ્ઠાનમાં હાનિ પહોંચવી.
દુર્બળતાઃ- શારીરિક શકિત,વીર્ય, બળ, પરાક્રમમમાં દુર્બળતા થકી ધર્માનુષ્ઠાનમાં ક્ષતિ ઉત્પન્ન થવી
ઉપસર્ગ-દેવ-મનુષ્ય -તિર્યંચ કે સામુહિક ઉપસર્ગોથકી ધર્માનુષ્ઠાનમાં વિણતા આવવી "ધર્મકુશલ- અનુષ્ઠાન અથવા ક્ષમા માર્દવ,આર્જવ,મુકિત, તપ સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશવિધ ધર્મ.
“આવશ્યકઃ- આવશ્ય કર્તવ્ય, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પૌષધ,વૈયાવચ્ચ વગેરે
પરિહાણી - ક્ષયથવો, ક્ષીણ થવું, ઘટાડો થવો “નિયમ-સંયમ,સર્વસાવદ્ય વિરતિ લક્ષણ ઉત્તમદ્રત સંપન્ન - મહાવ્રત થી યુકત ભાવના આ અધ્યાયના સૂત્રઃ૪ થી ૭માં જણાવેલી છે તે
અનુપ્રેક્ષા - વૈરાગ્યની બાર ભાવના અધ્યાય ૯ સૂત્ર-૭માં કહેલી છે ૧૨ સ્મરણ-પોતે ગ્રહણ કરેલા વ્રત-નિયમ કે પ્રતિજ્ઞાને સંભારવા તે
સમાધિઃ- ચિત્તની સ્વસ્થતા અને આરૌદ્ર ધ્યાન નો ત્યાગ
આ રીતે કાળાદિ ચારે દોષ થકીધર્માનુષ્ઠાનાદિમાં ક્ષીણતા આવતી જાણીને, ઉત્તમ વ્રતસંયમ ધારણ કરી, અનશન સ્વીકારી, શેષ જીવન-ભાવનાદિમાં તત્પર બની સમાધિ પરાયણતા પૂર્વક વ્યતીત કરતો, તે સંલેખના સેવી સાધક મોક્ષ માર્ગનો આરાધક થાય છે.
- સંલેખના તપવિધિઃ
સંલેખના તપના ઉત્કૃષ્ટ,મધ્યમ અને જધન્ય એવા ત્રણ પ્રકારો છે તેમાં ઉત્કૃષ્ટ તપ બારવર્ષનું છે મધ્યમ તાપ બારમાસનું છે અને જધન્ય તપ બાર પક્ષ છ માસ નું છે
– આ તપ ઉણોદરી,ઉપવાસ છ8, અઠ્ઠમ આદિ વિવિધ પ્રકારે થાય છે.
– વૃધ્ધાવસ્થા, રોગાદિક પ્રબળકારણ,વૈરાગ્યાદિથી સંલેખનાની ઇચ્છા થાય ત્યારે શકિત-સંયોગો જોઈને પ્રથમ તિવિહારો કે ચોવિહારો સંલેખના-તપ કરવામાં આવે છે આતપ પૂર્વે શરીરની બધી ધાતુઓ તથા ગારવ આદિ માનસિક ભાવોનું શોષણ કરેલું હોવું જોઈએ અને સંલેખના સ્વીકાર્યા પછી મનના ભાવોની નિર્મળતા રહેવી જોઈએ.
* વિશેષ:
# પ્રશ્નઃ ૧- સંલેખના વ્રત લેનાર અનશન આદિ દ્વારા શરીરનો અંત આણે એ આત્મવધ થયો કહેવાય અને આત્મવધ એ સ્વહિંસા જ છે, તો પછી એને વ્રત તરીકે ત્યાગ ધર્મમાં સ્થાન આપવું કઈ રીતે યોગ્ય ગણાય?
સમાધાન - દેખીતુ દુઃખ કે દેખીતો પ્રાણનાશ હોવા માત્રથી તેને હિંસા કહેવાતી નથી. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મોહની વૃત્તિથી ઘડાય છે, સંલેખના વ્રતમાં પ્રાણનો નાશ છે ખરો, પણ તે રાગ-દ્વેષ કે મોહથી ન થતો હોવાથી તે હિંસાની કોટિમાં આવતો નથી.
ઉલટું નિર્મોહપણું અને વીતરાગ પણું કેળવવાની ભાવનામાંથી એવ્રત જન્મે છે અને એ
Page #91
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાવનાની સિધ્ધિના પ્રયત્નને લીધે જ એ વ્રતપૂર્ણ થાય છે. તેથી તે હિંસા નથી પણ શુભધ્યાન કે શુધ્ધ ધ્યાનની કોટિમાં મુકી શકાય તેવું એક વ્રત છે.
– બીજું સૂત્રકારે પ્રમત્ત યોગથી પ્રાણના ત્યાગને હિંસા કહેલી છે. જયારે શાસ્ત્રોકત વિધિ અનુસાર જાણી-સમજીને કરાયેલ સંલેખનામાં રાગદ્વેષાદિનો અભાવ હોવાથી પ્રમત્ત યોગ હોતો નથી તેથી પણ સંલેખના ને હિંસા કહી શકાય નહીં
ત્રીજું:- સંલેખનાને આત્મઘાત કે સ્વહિંસા ન કહેવાય કેમ કે જેમ એક વણિકને પોતાના ઘરનો વિનાશ ઇષ્ટ નથી તેમ કોઇપણ પ્રાણીને મરણ ઇષ્ટ હોતું નથી, છતાં કોઇ કારણથી ગૃહવિનાશની સંભાવના ઉત્પન્ન થાય તો તે વણિક ધરછોડી દેશે,પણ તેમાં રહેલ ક્રૂવ્ય-સંપત્તિ આદિનો નાશ ન થાય તે માટે પ્રયત્નશીલ રહેશે
02
એ-જ-રી-તે વ્રત અને શીલનું પાલન કરનારો ગૃહસ્થ પણ, જો શરીરના વિનાશનું કારણ ઉપસ્થિત થશે તો સંયમ ઘાત ન થાયતે રીતે ધીમેધીમે શરીરને છોડશે અથવા તો શરીર નોવિનાશ અને આત્મગુણ નો વિનાશ બંને સાથે ઉદ્ભવશે તો એવો પ્રયત્ન જ કરશે જેથી આત્મ ગુણોનો વિનાશ ન થાય. આ રીતે સંલેખના કરવાવાળો આત્મધાતિક કે સ્વહિંસક બનતો નથી.
પ્રશ્નઃ૨ સૂત્રમાં નોષિતા શબ્દ મુકયો તેના કરતા સેવિતા શબ્દ મુકયો હોતતો શો વાંધો હતો? કેમ કે અર્થની સ્પષ્ટતા સેવિતા શબ્દથી વિશેષ થાય છે
–સમાધાનઃ- સૂત્રકાર મહર્ષિએ વિશેષ અર્થના પ્રતિપાદનને માટે જ અહીં નોષિતા શબ્દનો પ્રયોગ કરેલ છે કેમ કે સેવિતા નો અર્થ ‘‘સેવન કરવું’’ એવો થાય છે જયારે નોપિતા શબ્દનો અર્થ ‘‘પ્રીતિપૂર્વક સેવન કરવું'' એવો થાય છે સંલેખના બળજબરીથી કરાવી શકાય નહીં પરંતુ તે અગારી વ્રતીને સંયમમાં- સન્યાસમાં પૂર્ણ પ્રીતિ હોય છે માટે જ તે સંલેખનાને કરે છે તેથી ‘‘પ્રીતિપૂર્વક સેવન કરવું''એ અર્થમાં વપરાયેલ ગુપ્ ધાતુનો પ્રયોગજ અહીં યોગ્ય છે ઝુલ્ ને કર્તા અર્થમાં તૃન્ પ્રત્યય લાગીને જ નોપિતા શબ્દ બનેલો છે
'
પ્રશ્નઃ ૩- જૈને તરોમાં પણ કમળપૂજા,ભૈરવજપ,જળસમાધિ વગેરે અનેક પ્રાણનાશ કરવાની અને તેને ધર્મમાનવાની પ્રથા જોવા મળે છે તો પછી તેમાં અને આ સંલેખનામાં ભેદશો છે? સમાધાનઃ- પ્રાણનાશની સ્કૂલ દૃષ્ટિએ તો બંને ક્રિયા સમાનજ લાગશે ફર્ક હોય તો તેની પાછળની ભાવનાઓમાં છે.
જૈન દર્શન અનુસાર આવી સંલેખના પ્રક્રિયા પાછળનું ધ્યેય કોઇ ભૌતિક લાભ,આવેશ ,પ્રલોભન,પરાર્પણ કે પરપ્રસન્નતા નથી. પરંતુ આત્મશોધન, કર્મનિર્જરા,કષાયનો અંત આણવો તે છે
જયારે જીવનનો અંત ખાતરી પૂર્વક નિકટ દેખાય, ધર્મ અને આવશ્યક કર્તવ્યોનો નાશ આવી પડે,તેમજ કોઇપણ જાતનું દુર્ધ્યાન ન હોય ત્યારે જ એવ્રત વિધેય માનવામાં આવેલ છે.
સૂચનઃ- આ વ્રત અગારી વ્રતીની માફક અનગાર ને અર્થાત્ સાધુને પણ હોય છે. જો કે તેને વ્રત સ્વરૂપે વર્ણવવામાં આવેલ નથી પણ સંલેખના અંગે અનેક કથાનકો તથાસાધુઓને કરવાની સંલેખના વિધિના ઉલ્લેખો આગમોમાં પણ પ્રાપ્ત થાય છે. જેને સમાધિ મરણ ના નામે પણ ઓળખવામાં આવે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૭
સિધ્ધસેનીય વૃત્તિમાં પણ કહ્યું છે કે-સંòવનાવશ્ય સમાધિમરણપયંતે विधेयाऽनगारागारिभ्याम्
] [8]સંદર્ભઃ
♦ આગમ સંદર્ભઃ- સચ્છિમા મારાંતિ સંòળા નૂસળરાદળા | ન ઔપ. સૂ.૩૪/૭
તત્વાર્થ સંદર્ભ:(૧)૩ત્તમ: ક્ષમામાર્દવાર્ગવૌનસત્યસંયમ... સૂત્રઃ ૯ઃ૬ ઉત્તમધર્મ (૨)અનિત્યારળસંસારેત્વાશુવિ...સૂત્ર ૯:૭અનુપેક્ષા (૩)તિજ્ઞાતિઃશરીર......સંહનન...તીર્થતૃત્ત્વવ... સૂત્ર ૮:૧૨ સંઘયણ
અન્યગ્રન્થ સંદર્ભ:
(૧)વંદિતુ સૂત્ર-ગાથા ૩૩ -પ્રબોધટીકા ભાગ-૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ
(૩)પંચવસ્તુ પ્રકરણ (૪)વૈયાવચ્ચગરાણં સૂત્ર-પ્રબોધટીકા ] [9]પધઃ
(૧)
આરાધનાની મરણ અંતે સેવના શાસ્ત્ર કહી સુણી ધારી વિષય વારી હ્દયમાંહિ સી
(૨)
આ સૂત્રનું પદ્ય પૂર્વ સૂત્રઃ૧૭ માં કહેવાઇ ગયુ છે
[10]નિષ્કર્ષ:- પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર સમાધિમરણને આશ્રીને મારણાન્તિકા સંલેખનાને જણાવે છે તેમાં વિવિધ કારણો જણાવીને અને તે સંજોગોમાં સંલેખનાની આરાધના કરવાનું સૂચન કરેલ છે તેમાં એક મુદ્દો કાયાનો છે
જો કાયબળ, વીર્ય,પરાક્રમાદિ માં ક્ષીણતા આવી હોય અને તેને લીધે ધર્મ -આવશ્યકાદિમાં ઘટાડો થતો હોયતો સંલેખના તપકરવું એ વાતનો નિષ્કર્ષશો?
આ ઔદારિક કાયાને ખાવા-પીવા આપીએ લાલન-પાલન કરીએ,લાડલડાવીએ પણ આવું બધું કયાં સુધી? જયાં સુધી તે એક નોકર તરીકે આપણી સેવા કરે ત્યાં સુધી. પણ જયારે તે નોકર તરીકે કામ ન આપે ત્યારે શું કરવું? રજા જ દેવી પડે ને?
માટેજ સંલેખના તપ કહ્યો આ તપ થકી કાયાને શોષવી પણ સાથે કષાયોને પણ શોષવી નાખવા સમગ્ર સૂત્રમાં આ એક મહત્વનો સંદેશ છે કે આ કાયતો આપણી ગુલામ થઇને રહેવી જોઇએ જયાંસુધી તે ગુલામી કરે ત્યાં સુધી જ તેનું લાલન-પાલન કે આળ પંપાળ થાય પછી તે તેને ફાંસીને માંચળે જ લટકાવાય અર્થાત્ શાસ્ત્રોની વિધિ મુજબ સંલેખના તપ કરીને તે કાયાની રહી સહી શકિતનો ઉપયોગ કરીને આત્માને સંસારમાંથી મુક્ત કરાવવાનો જ પુરુષાર્થ કરવાનો હોય
૯૧
Page #93
--------------------------------------------------------------------------
________________
૯૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ૭-સૂત્રઃ૧૮) U [1]સૂત્રહેતુ-સમ્યક્તના અતિચારોને જણાવાના હેતુથી આ સૂત્રની રચના થયેલી છે
[2] સૂત્ર મૂળઃ-ડૂાક્ષાવિડિvસાસંતવા: सम्यग्द्दष्टेरतिचाराः
0 [3]સૂત્ર પૃથક-શ - Iક્ષ - વિકિર્લો - કચષ્ટિ પ્રશંસા - સંતવા: सम्यग् द्दष्टे:अतिचारा:
| [4] સૂત્રસાર-શંકા,કાંક્ષા,વિચિકિત્સા,અન્યદ્રષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવ, એ પાંચ સમ્યગ્દર્શનના અતિચારો છે
1 [5]શબ્દજ્ઞાનઃશહુ-શંકા, સંશય
ડિક્ષા- કાંક્ષા, ઈચ્છા વિજિલ્લા- વિચિકિત્સા,સંશય-સંદેહ મચષ્ટિપ્રશંસા-ઇત્તર દર્શન ની પ્રશંસા []િસંસ્તવ-ઇત્તર દર્શનીનો પરિચય સગષ્ટ-સમ્યગદૃષ્ટિ, સમ્યક્ત ધારી તિવાર- અતિચાર, અલન,દુષણ
[6]અનુવૃત્તિ-પૂર્વનું કોઈ સૂત્ર અહીં અનુવર્તતુ નથી
[7]અભિનવટીકા-સમ્યક્ત એ ચારિત્ર ધર્મનો મૂળ આધાર છે તેની શુધ્ધિ ઉપરજ ચારિત્રની શુધ્ધિ અવલંબિત છે. તેથી સૂત્રકારે આ સૂત્ર થકી સમત્વની શુધ્ધિ માં ખલેલ પહોંચાડનાર દોષોને જણાવેલા છે.
निःशल्योव्रती इति वचनादुकतं भवति व्रती नियतंसम्यग्द्दष्टिी:
આ પૂર્વે સૂત્રકાર મહર્ષિ એ જણાવેલ છે કે જે નિઃશલ્ય હોય તેને જ વ્રતી કહેવાય. આ કથનથી એક વાત સ્પષ્ટ છે કે જે શલ્યરહિત હશે તેમિથ્યાત્વ શલ્યથી પણ રહિતપણ હોવાનો. મિથ્યાત્વ રહિત હોવાથી તે નિયમો સમ્યગદૃષ્ટિ હોવાનો. હવે જો આત્માને સમ્યક્તનું સુવિશુધ્ધ પાલન કરવું હોય તો તેના દોષની જાણકારી અને નિવારણ બંને આવશ્યક છે
તીર્થંકર પ્રણિત જૈન શાસનને વિશે એક વાત સુનિશ્ચિત છે કે કોઇપણ જીવ સમ્યમ્ દર્શન પ્રાપ્ત કર્યા સિવાય સમ્યજ્ઞાની હોતો નથી તેમજ સમ્યજ્ઞાન વિના સમ્યક્યારિત્ર ગુણ પ્રાપ્ત થઈ શકે નહીં આથી સમ્યફદર્શન ગુણ સૌ પ્રથમ પ્રાપ્ત કરવો જોઈએ - સમ્યગ્દર્શન ગુણની નિશ્ચયથી પ્રાપ્તિતોયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણથી થઈ શકે છે પણ વ્યવહારમાં સર્વ પ્રથમ તેનું આરોપણ વ્રત રૂપે થાય છે. આ રીતે સમ્યક્ત વ્રત ગ્રહણ કર્યા પછી તેની વિશુધ્ધિ જળવાઈ રહે તે હેતુથી અહીં સૂત્રકારે પાંચ દોષોને જણાવેલા છે તેના નિવારણ થકી શુધ્ધ સમ્યક્તવ્રત નું પાલન થઈ શકે છે
[૧]શંકા - સર્વજ્ઞ અને સર્વદર્શી કેવળી ભગવંતોએ પ્રરૂપેલ આત્મધર્મ સંબંધમાં કોઈ
Page #94
--------------------------------------------------------------------------
________________
૯૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૮ નાની યા મોટી શંકા-અન્યથા વિચારણા કરવી, તે શંકા અતિચાર
૪ આહત પ્રવચનની દ્રષ્ટિ સ્વીકાર્યા પછી તેમાં વર્ણવાયેલા કેટલાંક સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થો જે માત્ર કેવલજ્ઞાન કે આગમગમ્ય હોય તેમને વિશે શંકા કરવી કે “આમ હશે કે નહીં હોય તે શંકા અતિચાર
સંશય અને તપૂર્વક પરીક્ષાનું જૈન તત્વજ્ઞાનમાં સૂપર્ણ સ્થાન હોવા છતાં અહીં શંકાને અતિચાર રૂપે વર્ણવેલ છે, તેનું કારણ એ છે કે તર્કવાદની પારના પ્રશ્નોને તર્કદ્રષ્ટિએ કસવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. તેમ કરવા જતા સાધક માત્ર શ્રધ્ધાગમ્ય વસ્તુને બુધ્ધિગમ્ય ન કરી શકવાથી છેવટે બુધ્ધિગમ્ય તત્વોને પણ છોડી દે છે
# પોતાની મતિમંદતા થી આગમોફત પદાર્થોને સમજી શકવાથી અમુક વસ્તુ અમુક રૂપે હશે કે નહીં? એવો સંશય તે શંકા
* શંકાના બે ભેદઃ-(૧)સર્વ શંકા (૨)દેશ શંકા (૧)સર્વ શંકા-મૂળ વસ્તુની શંકા તે સર્વ શંકા, ધર્મ હશે કે નહીં?
(૨)દેશ શંકા -મૂળ વસ્તુની શંકા ન હોય પણ તેના એક દેશની શંકા હોવી તે દેશ શંકા જેમ કે આત્માતો છે પણ તે આત્મા શરીર પ્રમાણ હશે કે નહીં? જીવતો છે પણ પૃથ્વીકાયાદિ જીવો હશે કે નહીં?
આવી શંકા જિજ્ઞાસા બુધ્ધિને બદલે અશ્રધ્ધાની બુધ્ધિ થી થાય તો તેને શંકા અતિચાર કહેવામાં આવે છે
अधिगतजीवाजीवादितत्त्वस्यापि भगवतः शासनं भावतोऽभिप्रपन्नस्यासंहार्यमते: सम्यग्द्दष्टेरर्हत्प्रोक्तेषु अत्यन्तसूक्ष्मेषु अतीन्द्रियेषु केवलागमग्राहयेष्वर्थेषु यः संदेहो भवति एवं स्यात् एवं न स्यात् इति शंका ।
# જે શ્રધ્ધાથી અરિહંત અને સિધ્ધ ભગવાનનું દેવતરિકે આલંબન લેવામાં આવે છે, પાંચ મહાવ્રતધારી ઓનું ગુરુ તરીકે આલંબન લેવામાં આવે છે અને વીતરાગ પ્રણીત ધર્મનું ધર્મ તરીકે આલંબન લેવામાં આવે છે તેની યર્થાથતા વિષે શંકા ઉઠાવવી એ સમ્યક્તનો પહેલો અતિચાર કે દૂષણ છે.
[૨]કાંક્ષાઃ- શ્રી જૈનસંઘ શાસનની દેવ-ગુરુ-ધર્મ સંબંધિ આત્મશુધ્ધિકારક પ્રવૃત્તિનો શંકાએ કરી અનાદર કરી અન્ય ધર્મ,મત,ગચ્છ સંબંધિ પ્રવૃત્તિપ્રતિ સંસાર સુખની લાલસાએ આદર બુધ્ધિ કરવી તે કાંક્ષા
જ ઐહિક અને પારલૌકિક વિષયોની અભિલાષા કરવી એ કાંક્ષા. જો આવી કાંક્ષા થવા લાગે તો ગુણ દોષના વિચાર વિનાજ સાધક ગમે ત્યારે પોતાના સિધ્ધાંતો ને છોડી દે તેથી તેને અતિચાર દોષ કહેલ છે
૪ કાંક્ષા એટલે ઇચ્છા. ધર્મના ફળરૂપે સુખની ઇચ્છા રાખવીતે. સંસારનું સર્વ પ્રકારનું સુખ દુઃખ રૂપ હોવાથી પરમાત્મા એ તેને હોય કહ્યું છે. આથી ધર્મ કેવળ મોક્ષને આશ્રીને જ થાય.જો ધર્મના ફળ રૂપે આલોકે પરલોકના સુખની ઈચ્છા રાખવામાં આવે તો તે પરમાત્માની આજ્ઞાનું ઉલ્લઘંન છે અને સમ્યક્ત નું દૂષણ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ કાંક્ષાનો બીજો અર્થ પણ જોવા મળે છેઃ- વીતરાગ પ્રણીત દર્શન સિવાયના બીજા દર્શનની ઇચ્છા તે કાંક્ષા
આ બીજા અર્થમાં કાંક્ષાના બે ભેદ કહ્યા છે (૧)સર્વ કાંક્ષા (૨)દેશકાંક્ષા
સર્વકાંક્ષા- સર્વદર્શનો સારા છે, સર્વ દર્શન આદરણીય છે એવું માનવા પૂર્વક સર્વદર્શનની આકાંક્ષા સેવવી તે સર્વકાંક્ષા
દેશકાંક્ષા -સર્વદર્શનો ને બદલે કોઈ એકબેદર્શનોની ઇચ્છા રાખવી. જેમકેબૌધ્ધદર્શન શ્રેષ્ઠ છે કેમ કે તેમાં કષ્ટ સહન કર્યા વિના ધર્મ કરવાનો ઉપદેશ અપાયેલો છે
2 ऐहलौकिकपारलौकिकेषु विषयेष्वाशंसा काङ्क्षा । सोऽतिचार:सम्यग्द्दष्टे: । कृतः काङ्कितो ह्यविचारितगुणदोष: समयमतिक्रामति ।
* અરિહંત-સિધ્ધ જેવા દેવ, ત્યાગી ગુરુ, દયામય સાપેક્ષ ધર્મ ને પ્રાપ્ત કર્યા પછી અન્યમતની કે અન્યના દર્શનના આકાંક્ષા રાખવી કે ઇચ્છા કરવી તે સમ્યત્વનો બીજો અતિચાર છે
[3]વિચિકિત્સાઃ
# ગુણ દોષની યથાર્થ વિચારણા સિવાય મતિમંદતાએ કે ગતાનુગતિએ સાધ્યસાધનની શુધ્ધિ વગર શૂન્ય મનસ્ક ભાવે તેમજ સંદેહ સહિતધર્માનુષ્ઠાન કરવા -કરાવવા તે વિચિકિત્સા અતિચાર
૪ જયાં મતભેદ કે વિચારભેદ નો પ્રસંગ હોય ત્યાં પોતે કંઈ પણ નિર્ણય કર્યા સિવાય માત્ર મતિમંદતાથી એમ વિચારે કે “એ વાત પણ ઠીક અને આ વાત પણ ઠીક એવી બુધ્ધિની અસ્થિરતા તે વિચિકિત્સા. આવી બુધ્ધિની અસ્થિરતા શ્રાવકને એક તત્વ ઉપર સ્થિર કદી જ ન રહેવા દે માટે તે અતિચાર છે.
# વિચિકિત્સા એટલે સંશય-સંદેહ ધર્મના ફળનો સંદેહ રાખવો. મેં કરેલી તપવગેરે સાધનાનું ફળ મળશે નહીં તેવો સંદેહ કરવો દાન ધર્માદિનું સેવન કરવાથી મને ફળ મળશે કે નહીંએવા-એવા સંશય કરવાતે આ ગ્રન્થાન્તર થી લેવાયેલ વ્યાખ્યાછે તેમાતત્વાર્થભાષ્યની સંગતતા જણાતી નથી + विचिकित्सा नाम इदम् अपि अस्ति इदम् अपि अस्ति इति मति विप्लुतिः
વિચિકિત્સા એટલે સુદેવ-સુગર-સુધર્મના સ્વરૂપ સંબંધમાં પાયા વિનાના તર્ક કરવા, ખોટી વિચારણાઓ કરવીતે સંબંધિ પ્રાપ્ત થયેલી સ્થિર બુધ્ધિને બદલી નાખવીતે તેને એકજાતનો મતિ વિભ્રમ પણ કહી શકાય છે.સાધુ સાધ્વીના મલિન વસ્ત્ર કે શરીર જોઇને એમ વિચાર કરવો કે આ સાધુઓ અપવિત્ર છે એમનામાં કઈ સાર નથી તો એ પણ એક પ્રકારની વિચિકિત્સા જ છે. તેનું આખરી પરિણામ સમ્યક્ત ને શિથિલ કરવામાં જ આવે છે તેથી તે સમ્યક્ત અતિચાર ગણાય છે
[૪]અન્ય દૃષ્ટિ પ્રશંસા -
૪ શ્રી જિનેશ્વર ભગવંતભાષિત ધર્મથી વિરુધ્ધ વર્તન કરવાવાળાઓની તેઓના પુન્ય પ્રકર્ષથી આકર્ષાઇને પ્રશંસા કરવી તે .
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૫.
અધ્યાયઃ ૭ સૂત્ર: ૧૮
$ જેમની દ્રષ્ટિ ખોટી હોય તેમની પ્રશંસા કરવી તે મિથ્યા દ્રષ્ટિ પ્રશંસા. ભ્રાન્ત દૃષ્ટિપણાના દોષવાળી વ્યકિતઓમાં પણ ઘણીવાર વિચાર, ત્યાગ આદિ ગુણો હોય છે, આ ગુણોથી આકર્ષાઈને ગુણ-દોષ નો ભેદ કર્યા સિવાય તે વ્યકિતની પ્રશંસા કરવામાં આવે તો અવિવેકી સાધકને સિધ્ધાન્ત થી અલિત થઈ જવાનો ભય રહે છે. તેથી જ અન્ય દૃષ્ટિ પ્રશંસાને અતિચાર કહેલ છે .જો કે મધ્યસ્થ દ્રષ્ટિ સાધકને આવી પ્રશંસા હાનિકારક જ થાય તેવો એકાંત નિયમ નથી પણ આથી મિથ્યાષ્ટિ પ્રશંસા થી અલનાનો ભય રહેતો હોવાથી તેને સમ્યક્તનો અતિચાર કહેવામાં આવેલ છે
૪ સર્વજ્ઞ પ્રણિત દર્શન સિવાયના દર્શનોની પ્રશંસા કરવી જેમ કે તેઓ પુન્યવાન છે. ગુણવાન છે, ધર્મી છે, ઉદાર છે, ખરા અર્થમાં સાધક છે આવી-આવી પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશંસા થકી અપરિપકવ બુધ્ધિવાળા જીવો તેમના ગુણોથી આકર્ષાઈને સમ્યગ્દર્શન પણ ગુમાવી દે એ સુસંભવિત છે આથી અન્યદૃષ્ટિની પ્રશંસા એ અતિચાર છે. __ अन्यद्दष्टि: इति अर्हत् शासन व्यतिरिकतां द्दष्टिम् आह । सा च द्विविधा । अभिगृहीता अनभिगृहीता च ।
૪ અન્યદૃષ્ટિ એટલે અરિહંત ભગવંતના શાસન સિવાયની દ્રષ્ટિ
(૧)અભિગૃહીતઃ- જગતમાં પ્રચલિત સાંખ્યાદિ કોઈપણ ધર્મના રૂપમાં હોય તે અભિગૃહીત અન્યદ્રષ્ટિ
(૨)અનભિગૃહીતઃ- કોઈપણ મત, પંથ કે ધર્મના સ્વીકાર વિનાજ મૂઢરૂપે જે માન્યતા માનવામાં મનનું વલણ હોય તે અનભિગૃહીત અન્યદૃષ્ટિ
જગતમાં અભિગૃહીત અન્યદૃષ્ટિઓ બધાં મળીને ૩૬૩ કહેલા છે. જેમાં ૧૮૦ ક્રિયાવાદીઓ,૮૪ અક્રિયાવાદીઓ, ૬૭ અજ્ઞાનવાદીઓ અને ૩૨ વૈયિકો કહેલા છે આ સિવાય સમયગુદૃષ્ટિ આત્મા-૧ અલગ, કેમ કે તેના ભેદ-પ્રભેદ ગણાવવામાં આવેલ નથી
આ ૩૬૩ મતાવલંબીની પ્રશંસા તે અન્યદ્રષ્ટિ પ્રશંસા છે જેને સમ્યત્વ વતનો ચોથો અતિચાર કહેલો છે.
૪ જેમનો વેષ-ત્યાગી કે મુમુક્ષનો હોવા છતાં ચર્થાતેની વિરુધ્ધ ની દેખાય તે કુલિંગી કહેવાય છે. જેમ પંચાગ્નિતપ, અણગણ જળમાં સ્નાન,સ્ત્રી સ્પર્શ અનિષેધ વગેરે. આવાની પ્રશંસા કરવી નહીં અલબત એવા નો તિરસ્કાર પણ કરવાનો નથી ત્યાં ઉદાસીન ભાવ રાખવાનો છે. તિરસ્કાર કરવાથી તો ઠેષભાવ પોષાય છે, કુલિંગી પ્રશંસાનો ત્યાગ સમયગ્દર્શનમાં સ્થિરતા માટે જરૂરી છે
[૫]અન્યદૃષ્ટિ સંસ્તવઃ
૪ શ્રીજીનેશ્વર ભગવંત પ્રરૂપિત અને પ્રવર્તાવેલ ધર્મથી વિરુધ્ધ પ્રવર્તન કરનારાઓનું આદર-બહુમાન કરવું તે સમ્યક્ત ગુણનું ઘાતક હોવાથી સમ્યક્તનો અતિચાર છે.
$ જેમની દ્રષ્ટિ ખોટી હોય તેવા સાથે પરિચય કરવો તે અન્યદૃષ્ટિ (મિથ્યાદૃષ્ટિ] સંસ્તવ, ભ્રાન્ત દૃષ્ટિપણાના દોષવાળી વ્યકિતઓમાં પણ ઘણીવાર વિચાર, ત્યાગ આદિ ગુણો હોય છે આ ગુણોથી આકર્ષાઈ ગુણ-દોષનો ભેદ કર્યા સિવાય તેવી વ્યકિતનો પરિચય
Page #97
--------------------------------------------------------------------------
________________
૯૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કરવામાં આવેતો અવિવેકી સાધકને સિધ્ધાંત થી અલિત થઈ જવાનો ભય રહે છે તેથી અન્યદૃષ્ટિ સંસ્તવને અતિચાર કહેલ છે.
૪ સંસ્તવ એટલે પરિચય. અન્યદર્શની સાથે રહેવું, પરિચય રાખવો, તેમના દર્શનની ક્રિયા જોવાથી-સિધ્ધાંતો ના શ્રવણથી સમ્યક્ત થી પતિત થવાનો સંભવ રહે છે માટે તેને સમ્યક્ત વ્રતનો પાંચમો અતિચાર ગણેલો છે
अन्यद्दष्टि: इति अर्हत् शासनव्यतिरिकतां दृष्टिमाह । तेषाम् संस्तवे सम्यगद्दष्टेरतिचार इति
# કુલિંગિઓનો પરિચય,સહવાસ, સંસર્ગ આદિથી અનેક આધ્યાત્મિક અનર્થો સંભવે છે તથા શુધ્ધ-શ્રધ્ધા-સમ્યક્ત દૂષિત થાય છે. તેથી એને (પાંચમો) અતિચાર કહ્યો છે
જ સમ્યગદ્રષ્ટિ ૪ સમ્યગુદૃષ્ટિ એટલે સમયગ્દર્શન ની ભજનાવાળા
૪ મોહનીય કર્મનોવૈચિયથી આત્માની પરિણતિ વિશેષ હોવી તે સમ્યગુદૃષ્ટિ[અહીં સમ્યગુદૃષ્ટિ અને સમયગ્દર્શન બંને પર્યાય ગણેલ છે]
૪ અનંતાનુ બંધી કષાય તથા મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય અને સમ્યક્ત મોહનીયએ સાતેના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી ઉદ્ભવેલ પરિણામ વિશેષતે સમયગ્દર્શન
અતિચાર -
અતિચાર એટલે સ્કૂલના,દૂષણ, ઉલ્લંઘન, ભૂલ વગેરે # જે જાતનાં સ્કૂલનોથી કોઈ પણ સ્વીકારેલો ગુણ મલિન થાય અને ધીમે ધીમે ડ્રાસ પામી ચાલ્યો જાય તેવા સ્કૂલનોને અતિચાર કહે છે
બાંધેલી હદ કે મર્યાદાનું અતિક્રમણ કરવું કે ઉલ્લઘન કરવું.
अतिचरणमतिचार: * વિશેષ - આ પાંચે અતિચારો શ્રાવક અને સાધુ બંને માટે સમાન છે કારણકે સમ્યક્ત એ બંનેનો સાધારણ ધર્મ છે અર્થાત સમ્યક્ત વ્રતના અતિચાર અગારીવ્રતી તથા અનગાર વતી એમ ગૃહસ્થ તથા સાધુ બંનેને આશ્રીને જાણવા.
જ પ્રશ્ન:- પ્રશંસા અને સંસ્તવ એ બંનેમાં શો ભેદ છે?
સમાધાનઃ- અન્યદૃષ્ટિઓના જ્ઞાન,દર્શનાદિ ગુણનું ભાવથી કે મનથી જ પ્રકાશન કરવું તે પ્રશંસા છે જયારે અભિગૃહીત અનભિગૃહીત સભૂત અથવા અસદ્ભૂત ગુણોનું વચન થી પ્રકાશન કરવું તે સંસ્તવ છે.
U [8] સંદર્ભઃ
છે આગમ સંદર્ભ-સમ્પસ પંવાર પેયી ગયેળા ને સમારિયળ્યા તે जहा संका कंखा वितिगिच्छा परपासंडपसंसा परपासंडसंथवो । * उपा. अ.१-सू. ७-१
0 અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિત સૂત્ર-ગાથાઃ-પ્રબોધટીકા ભા.૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ
Page #98
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૯
[] [9]પધઃ(૧)
સમકિત મૂલે બારે વ્રતના અતિચારો હું કહું મનથી ધરતાં દોષતજતાં શ્રાવક ધર્મજ વહું સમકિત ગુણના અતિચારો પંચ સુણો એકમના શંકા કાંક્ષા વિતિગિચ્છા પ્રશંસા સંસ્તવતણાં શંકા આત્મમહી ભવે પરભવે ભૌતિકીકાંક્ષા તથા બુધ્ધિ અસ્થિર થાય મંદમતિએ ત્રીજી વિચિકિત્સતા મિથ્યાદ્રષ્ટિ પ્રશંસવી પરિચયો અદ્યાપિ હો તે બધા સમયગ્દર્શન દોષ પાંચ તજવા શુધ્ધાત્મને સ્પર્શવા
[10]નિષ્કર્ષ:- અહીં પાંચ અતિચારો ને જણાવવા સાથે સૂત્રકારે પરોક્ષ રીતે
સમ્યક્ત્વ ની વ્રત સ્વરૂપે પણ વિવક્ષા કરી દીધી છે. આગળ વધીને કહીએ તો આ સમ્યક્ત્વ એજ મહાવ્રત અને અણુવ્રત નો પાયો છે. જો સમ્યક્ત્વ નથી તો એક પણ વ્રત નો એક પણ ભાંગો શુધ્ધ ગણાતો નથી. માટે સર્વ પ્રથમ તો નિરતિ ચાર પણે સમ્યક્ત્વની પરિપાલના થાય તે જોવું.
(૨)
સુદેવ-ગુરુ-ધર્મને વિશે સુદેવાદિપણાની બુધ્ધિ રાખવી તદુપરાંત તેમાં પણ આલોક પરલોક સંબંધિ કોઇપણ અપેક્ષા રાખ્યા સિવાય કેવળ મોક્ષ દાતા પણાની બુધ્ધિ હોવીતે રૂપ સમ્યક્ત્વ એજ મોક્ષમાર્ગની નિસરણી છે માટે મોક્ષાર્થી જીવોએ સુવિશુધ્ધિ સમ્યક્ત્વનું પાલન કરવું જોઇએ
૯૭
અધ્યયન -સૂત્રઃ૧૯
[1]સૂત્રહેતુઃ- બારેવ્રતના અતિચારો ને વિશે સૂચના રૂપ અધિકાર સૂત્રને જણાવે છે. [][2]સૂત્ર:મૂળઃ- વ્રતશીલેવુ પન્વપયથા મમ્
[] [3]સૂત્ર:પૃથક્:-વ્રત - શૌòવુ
ગ્વ पञ्च यथाक्रमम् [4]સૂત્રસારઃ-વ્રત અને શીલનેવિશેપાંચપાંચ અતિચારોછેતેઅનુક્રમે [આપ્રમાણેછે] અર્થાત્ પાંચ અણુવ્રત અને સાત શીલવ્રત દરેકના પાંચ પાંચ અતિચારો હવે પછીના સૂત્ર. ૨૦ થી ૩૧ માં અનુક્રમે વર્ણવાશે.
[] [5]શબ્દજ્ઞાનઃ
વ્રત-અહિંસાદિ પાંચ અણુવ્રત ચીત્ઝ -દિવરતિ આદિ સાત પગ્ધ પર્શ્વ- પાંચ -પાંચ વીપ્સાઅર્થમાં પાંચ શબ્દનું દ્વીત્વ થયું છે યથામમ્-અનુક્રમે,ક્રમાનુસાર
[] [6]અનુવૃત્તિઃ- શબ્દની અનુવૃત્તિ લેવી
[7]અભિનવટીકાઃ– સામાન્ય રીતે શ્રધ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાંઆવ તો નિયમ તેવ્રત કહેવાય છે. વ્રત શબ્દના આ અર્થ પ્રમાણે તો શ્રાવકના બારે વ્રતો વ્રત શબ્દમાં આવી જાય છે.
અ ૭/૭
Page #99
--------------------------------------------------------------------------
________________
८८
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -પરંતુ સૂત્રકારે અહીં વ્રત અને શીલ બે શબ્દો મુકેલા છે. તે અણુવ્રત તથા શીલવ્રતને સૂચવવા માટે છે ચારિત્ર ધર્મના મૂળ નિયમો અહિંસા સત્ય આદિ પાંચ છે અને દિગ્વિરમણ આદિ બાકીના નિયમો તો એમૂળ નિયમોની પુષ્ટિ ખાતર જ લેવામાં આવે છે.
– અહીંમૂળ નિયમોને વ્રત કહેલ છે અને તેની પુષ્ટિ માટેના બીજા સાત નિયમોને શીલ કહેવામાં આવેલ છે. તેના પાંચ-પાંચ અતિચારો સૂત્રકાર મહર્ષિ હવે પછીના સૂત્રોમાં જણાવવાના છે જો કે આ પાંચ ની સંખ્યાએ આર્ષ કે આગમ ક્રમાનુસાર લેવામાં આવી છે તેનો સંક્ષેપ અને વિસ્તાર બંને બાબતો શકય છે.
સૂત્રકાર મહર્ષિસ્વોપજ્ઞ ભાષ્યમાં પણ જણાવે છે કે દ્રોપુ પંખ્ય શીલુ સતયું पञ्चपञ्चातीचारा भवन्ति ।
વત:- અગારીવ્રતી શ્રાવક ના અહિંસાદિ પાંચ અણુવ્રતો
શી- અણુવ્રત કે મૂળગુણની પુષ્ટિ માટેના દિગ્વિરતિ આદિસાત વ્રતોને શીલ વ્રત કહે છે.
પડ્યૂપન્વ-પાંચ-પાંચ, ઓછા પણ નહીં અને વધુ પણ નહીં તેવા પાંચ-પાંચ એવું વિસા વાક્ય પ્રત્યેક વ્રતના પાંચ-પાંચ અતિચારો છે તેમ દર્શાવે છે.
મતીયા - પૂર્વ સૂત્ર માંથી આ શબ્દનીઅનુવૃત્તિ લેવામાં આવી છે તેનો સંબંધ પંખ્ય સંખ્યા સાથે જોડવામાં આવેલ છે
યથામમ-અનુક્રમે ક્રમાનુસાર આ પદક્રમભંગના નિવારણ માટે વપરાયુંછેતેએમ સૂચવે છે કે જે ક્રમમાં વ્રતોનું સ્વરૂપ જણાવવામાં આવેલ છે તે જ ક્રમમાં આ અતિચારોજણાવેલા છે અર્થાત એક પ્રકારે આ સૂત્રને અધિકાર સૂત્ર પણ કહી શકાય છે. જો એરીતે સ્વીકારવામાં ન આવેતોવધ બંધ વગેરે મૃષાવાદ વિરમણ વ્રતના પણ અતિચારો ગણી શકાય તેવો સંભવ રહે છે.
* વિશેષ:-અહીંવત શીશુ એવા શબ્દ થકીએમસમજવું કે આ ગૃહસ્થ કે શ્રાવકના વ્રતાતિચારજ છે સાધુ કે શ્રમણના નહીં
0 []સંદર્ભ
૪ આગમ સંદર્ભ-ઉપાસક દશાંગ સૂત્રના પ્રથમ અધ્યયન માં સાતમાં સૂત્રના પેટા સૂત્ર ૧ થી ૧૩ માં આ વ્રતાતિચાર જણાવેલા છે અને તેની સંખ્યા પાંચ-પાંચની જ છે
જ ૩૫, ૨,મુ.૭ 8 તત્વાર્થ સંદર્ભઃઅધ્યાય-૭ સૂત્ર. ર૦ થી રૂ - ક્રમાનુસાર સૂત્રો જ અન્યગ્રન્થ સંદર્ભઃ–વંદિતુ સૂત્ર-ગાથા ૧૦,૧૨,૧૪,૧૬,૧૯,૨૧, ૨ થી ૩૦ યોગશાસ્ત્ર U [9]પદ્યઃ(૧) વ્રતશીલોના અતિચારો પંચ પંચ જ વર્ણવે
પ્રથમદિવ્રતના અતિચારો તજીગુણને કેળવે
Page #100
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૦ (૨) વ્રતોને શીલોમાં પાંચ કહ્યા જે અતિચાર તે
અનુક્રમે હવે ત્યાજય, તે દોષો વર્ણવાય છે U [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ પ્રત્યેક વ્રતના અને શીલના અતિચારોને અંતે તેને તે સૂત્રોની સાથે સંયુકત પણે જ વર્ણવેલ છે માટે અત્રેતે વિષયક વિશેષ કંઈ નિષ્કર્ષ તારવેલ નથી.
T S T U M T U
(અધ્યયન-સૂત્રઃ૨૦) U [1] સૂત્રહેતુ- સ્થૂળપ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચારોને જણાવે છે.
[2] સૂત્રઃમૂળ “વવધવચ્છાગતિરોપાનપાનનિકોષા: 0 [3]સૂત્ર પૃથફ-4ન્ય - વર્ષ - વિચ્છેદ્ર - તમારોપણ - મનપાનનિયા:
U [4]સૂત્રસારઃ- બંધ,વધ, છવિચ્છેદ,અતિભારારોપણ અને અનપાન નિરોધ [એપાંચ પ્રથમ અહિંસા વ્રત-સ્થૂળ પ્રાણાતિ વ્રતના અતિચારો છે]
U [5] શબ્દજ્ઞાનઃવન્ય-બંધ બાંધવા
વર્ષ-વધ,માર વિચ્છે-અંગ છેદન
તમારારોપણ- શકિત ઉપરાંત બોજો મુકવો તે મનપાનનિરોધ- સમયસર ભોજન-પાણી ન આપવા [6]અનુવૃત્તિઃ- (૧)વ્રતશીવું પડ્યું પડ્યું યથામ-સૂત્ર. ૭:૧૨
(૨)શડ્ડા Iક્ષા..સૂત્ર. ૭:૧૮ તિવારી: શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- સૂત્રકાર મહર્ષિ એ પ્રારંભમાં પાંચ વ્રતોની ઓળખ આપી. આ સૂત્રથી તેના અતિચારોને જણાવે છે. સૂત્રનાક્રમના પ્રામાણ્યથી આ અતિચાર પ્રથમ એવા અહિંસા વ્રતના સમજવા કેમ કે સર્વપ્રથમ વ્રત અહિંસા અર્થાતણૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે તેથી પૂર્વ સૂત્ર ૭:૧૯ ના અધિકાર મુજબ આ પાંચે અતિચારો પણ પ્રથમવતના કહ્યા છે
[૧]બન્ધઃ- ત્રસ કે સ્થાવર જીવને બાંધવા,બંધન કે સંકડામણમાં નાખવા # કોઇપણ પ્રાણીને તેના ઈષ્ટ સ્થળમાં જતા અટકાવવું અને બાંધવું તે બંધ.
gવશ્વ એટલે બંધન, કોઈપણ માણસ કે પ્રાણીને નિર્દયપણે બાંધવું તે બંધન છે તે પહેલા અણુવ્રત નો પહેલો અતિચાર છે.
છે ક્રોધથી બળદ આદિ પશુઓને કે અવિનીત પુત્ર આદિને અત્યંત મજબુતાઈ થી બાંધવા
-શ્રાવકે નિષ્કારણ કોઈ પ્રાણીને બાંધવા જોઈએ નહીં કારણવશાત્ પશુ કે પુત્રાદિને શિક્ષા કરવાની આવશ્યકતા હોય તો પણ નિર્દયતા કે કુરતા પૂર્વક બાંધવા જોઈએ નહીં
र संयमनं रज्जुदामकादिभिः [૨]વધઃ-૪ પરીણા,ચાબખા આદિ વડે ફટકા મારવા તે વધ
દિગમ્બર આમ્નાયમાં વન્યવષતિમા પળાનપાનનીયા: એ પ્રમાણે સૂત્ર રચના છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ તે જીવોને મારી નાખવાની હદે માર મારવો.
# વધુ શબ્દ સામાન્ય થી તો જાનથી મારવું કે કાપીને મારી નાખવું એવા અર્થમાં પ્રયોજાય છે તો પણ અહીં ચાબુકથી ફટકારવાના કે પરોણાની અણીથી મારવાના અર્થમાં છે
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયનઃ૧ ની ગાથા-૧૬ માં શ્રી શાન્ચાર્યે તેની વૃત્તિમાં વર્ધક્ય તાવિતા ને એવો અર્થ કરેલો છે આ અતિચાર પહેલા અણુવ્રતનો બીજો અતિચાર છે
# વધ એટલે માર. શ્રાવકેનિષ્કારણ કોઈને મારવું જોઈએ નહીં શ્રાવકે એવા બનવું જોઈએ કેજેથી તેનોદાબરહેવાનાકારણે કોઈ અવિનયઆદિગુનોકરેનહીંતેમછતાં પણ જો કોઈ અવિનયાદિ ગુનો કરે કે પશુ વગેરે યોગ્ય રીતે કામ ન આપે અને તેથી મારવાની જરૂરિયાત લાગેતો પણ ગુસ્સો બતાવવો પડે ત્યારે દયમાં તો ક્ષમાજ ધારણ કરવી જોઈએ
2 हननं वध: ताडनं कशादिभिः . [૩] છવિચ્છેદ-૪ કાન, નાક,ચામડી આદિ અવયવોને ભેદવાકે છેદવાતે છવિચ્છેદ
# ઝાડ વગેરેની છાલ ઉખેડવી-કાપવી પશુઓને દુઃખી કરવા આર ભોંકવી, કોઈપણ શારીરિક ઉપદ્રવ કરવો, ખસી કરવી, શરીરના અવયવો કાપવા.
૪ વિચ્છેદ્ર એટલે શરીરના અંગોપાંગોનો છેદ કરવો. છવિ એટલે અંગ, છે એટલે કાપવું તે. અંગોપાંગ નું છેદન-ભેદન કાપવા વગેરે પહેલા અણુવ્રતનો ત્રીજો અતિચાર છે
# છવિ એટલે ચામડી. ચામડીનું છેદન તે છવિચ્છેદ.
-નિષ્કારણ કોઇપણ પ્રાણીની ચામડીનો છેદ કરવો તે. જો જરૂર પડેતો પણ ગુસ્સે થઈ નિર્દયતા પૂર્વક છેદ કરવો જોઇએ નહીં. ફકત ભય બતાવવા પૂરતું કરવું
र शरीरं त्वग् वा तच्छेदः पाटनं द्विधाकरणं [૪]અતિભારારોપણ:# મનુષ્ય કે પશુ ઉપર તેના ગજા કરતા વધારે ભાર લાદવો તે અતિભારનું આરોપણ
# માનવ, હાથી, ઘોડા,પોઠીયા,પાડા, ઉંટ,ગધેડા,વગેરે ભારવહન કરનારા ઉપર વધારે પડતો ભારનાંખી તે વહન કરાવવો
$ બહુભાર ભરવો તે, કોઇપણ માણસ કે પશુની ભારવહનની શકિતની એક મર્યાદા હોય છે આ મર્યાદા કરતાં વિશેષ ભાર ઉપડાવવો તે પહેલા અણુવ્રતનો ચોથો અતિચાર છે
# બળદ કે મજૂર આદિ ઉપર શકિત ઉપરાંત ભાર-બોજો મૂકવો. યદ્યપિ શ્રાવકે ગાડા ચલાવવા આદિ ધંધો કરવો જોઈએ નહીં છતાં અન્ય ઉપાયના અભાવે તેવો ધંધો કરવો પડે તો પણ બળદ વગેરે જેટલો ભાર ખુશીથી વહન કરી શકે તેનાથી કંઈક ઓછો ભાર મૂકવો જોઈએ. મજૂરને પણ તે જાતે જેટલો ભાર ઉંચકી શકે તેટલો જ ભાર આપવો જોઈએ
र भरणं भारः पूरणं अतीव बाढं - सुष्ठु भारो अतिभारः तस्य आरोपणं - स्कन्धपृष्ठादिस्थानम् अतिभारारोपणम् ।
[૫] અન્નપાન નિરોધઃ- કોઈના ખાન પાનમાં અટકાયત કરવી તે અન્ન પાન નિરોધ
છે તેઓના ખાન પાન રોકવા, તેમની કાળજી ન રાખવી, ભુખ તરસે મારવા વગેરે સર્વે અન્ન પાન નિરોધ છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૦
૧૦૧ ૪ ભકૃત પાનનો વિચ્છેદ અહીંમત એટલે આહાર, પાન એટલે પાણી. તેનો વિયોગ કરાવવો તે. અર્થાત્ આશ્રિત મનુષ્ય કે પશુ અને પ્રાણીને ભૂખ્યા-તરસ્યા રાખવા તેને ભકત પાન-વિચ્છેદ પણ કહે છે
જ સમયસર અર્થાત ભોજનનો અવસર થવા છતાં ગાય-બળદ આદિ પશુને, પોપટ વગેરે પક્ષીને, નોકર-ચાકરઆદિમનુષ્યને અન્ન પાન ન આપવા આપવાની કાળજી લેવી કે અંતરાય ઉભો કરવો
अनं अशनादि, पानं पेयमुदकादि तयोः अदानं निरोधः । * સંકલિત અર્થ-ત્રસ અને સ્થાવર જીવોનો બન્ધ તથા વધ કરવો, ત્વચાનું છેદન, પુરુષ હાથી,ઘોડા -બળદ ઉપર અતિ ભાર આરોપણ કરવું તેઓને અન્ન પાન નિરોધ કરવો એ પાંચ અહિંસા વ્રતના અતિચાર જાણવા - આ અતિચાર ગૃહસ્થોએ સેવવા જોઈએ નહીં ગૃહસ્થ પણાની ફરજ અનુસાર સેવવા પડે તો કોમળ વૃત્તિથી કામ લેવું
જ પ્રશ્ન -વતીએ-ગૃહસ્થ માત્ર પ્રાણવિયોગ રૂપ હિંસાનો નિયમ કર્યો છે તેને બંધ આદિનો નિયમ ન હોવા છતાં દોષ કઈ રીતે લાગે? કેમ કે ત્યાં નિયમભંગ તો થતોનથી અને જો બંધ આદિને પણ કાવ્યપરોપળ ના ભાગરૂપ ગણોતો પછીહિંસા જ થઈ જશે તો તેને અતિચાર કઈ રીતે કહેશો?
સમાધાનઃ- જો કે અહીં પ્રત્યાખ્યાન તો પ્રાણ વિયોગ રૂપ હિંસાનું જ છે. બંધ આદિ પાંચનું પ્રત્યાખ્યાન છે જ નહીં છતાં પરમાર્થ થી બંધ આદિ પાંચે હિંસાના કારણભૂત હોવાથી તેનો અહીં હિંસાના પ્રત્યાખ્યાન સાથે પ્રત્યક્ષ સંબંધ જોડાયેલો રહે છે
જેમ વ્યવહારમાં કોઈને કહેવામાં આવે કે અવાજ કરશો નહીં, તો મોઢેથી અવાજ કરવાની સાથે અન્ય જે-જે કારણે અવાજ થતો હોય તે સર્વેની મનાઈ છે તેમ સમજી શકાય છે, તે રીતે અહીં પણ હિંસાના પ્રત્યાખ્યાનથી તેની સાથે સંકડાયેલા કારણોનું પણ પ્રત્યાખ્યાન થઈ
બીજી વાત એ કે વ્રત બે રીતે છે (૧)અંતવૃત્તિથી (૨)બાહ્યવૃત્તિ થી - સંતવૃત્તિ-એટલે હૃયમાં વ્રતના પરિણામ – બાહ્યવૃત્તિ -એટલે બાહ્ય થી પ્રાણ વિયોગ આદિનો અભાવ
અંતરમાં દયા કે કરુણાનો ભાવ વગર વધ-બંધાદિ થાય ત્યારે બાહ્યવૃત્તિની હિંસા ભલે ન હોય પણ અંતવૃત્તિ થી હિંસા છે. આમ આંશિક હિંસા સાથે વ્રત પાલન થતું હોવાથી તે તરમ્ છે માટે તેને અતિચાર કહ્યો છે
[8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ-શૂટ પાણાવાસ્યસમળવા પંગયાર)...વહવધછવિચ્છે अइभारे भत्तपाणवोच्छए
૩૫ગ-સૂ. ૭-૨ # તત્વાર્થ સંદર્ભઃ-પ્રમત્તયોr UMવ્યપરોપ હિંસા 4.૭-ડૂ. ૮ 6 અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિતુ સૂત્ર-ગાથા -૨૦પ્રબોધટીકા-૨
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦ર
(૨)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૩)યોગશાસ્ત્ર U [9]પધઃ(૧) બંધ વધને છવિચ્છેદ અતિભાર આરોપણ
અન્નપાન નિરોધ પાંચે અતિચાર વિટંબણા અતિચાર તજતા પ્રથમ વ્રતના શુધ્ધિ ભાખે મુનિવરા વ્રત બીજાને સાંભળી ને દોષ તજશે ગુણધરા વધ બન્ધ છવિચ્છેદ નિરોધ ખાન પાનનો
અતિચાર વ્રતે પેલે છે અતિચાર પાંચતો U [10]નિષ્કર્ષ - સૂત્રમાં અહિંસા વ્રતમાં દોષ લાગે તેવા પાંચ ભયસ્થાનો અત્રે જણાવે છે અગારી વ્રતી ને અહિંસા વ્રતના શુધ્ધ પાલનની જો અભીપ્સા હોયતો આ દોષો ટાળવા જોઇએ પણ આ તો થઈવ્રતીને માટેની વાત સામાજિક નિષ્કર્ષની દ્રષ્ટિએ પણ જીવમાં કરુણા અને દયાળુતા લાવવામાં આ પાંચે સૂચનાઓ એટલીજ ઉપયોગી થઈ શકે તેમ છે જો બીજા જીવને બાંધવાકે મારવાની પ્રવૃત્તિ નહોય તેમને ભારરોપણ કે અન્નપાન નિષેધ થકી ત્રાસ આપવાની પ્રવૃત્તિ ન હોય તો સ્વભાવિક છે કે ઉભય પક્ષે જીવો સુખી થશે શાંતિ પામશે અને કરુણાઈ બનશે ક્રમે ક્રમે સમગ્ર સમાજમાં પણ લાગલી ભીના સંબંધો આકરા બનશે.
D J S U
(અધ્યયન-૭-૨૧ [1]સૂવહેતુ સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી બીજા વ્રતના અતિચારોને જણાવે છે. U [2] સૂત્રમૂળ:- મિથ્થોશરણાગાથાનફૂટવાયાસ. पहारसाकारमन्त्रभेदाः
U [3]સૂત્ર પૃથકમાં ૩૫દ્દેશ-ચ મખ્ય ઉદ્યાન -ફૂટવ ક્રિયા - ચાર अपहार - साकारमन्त्रयभेदाः
[4]સૂત્રસાર-મિથ્યાઉપદેશ, રહસ્યઅભ્યાખ્યાન, કૂટલેખક્રિયાન્યાસઅપહાર, સાકાર મંત્ર ભેદ એ પાંચ બીજા સત્યવ્રત અર્થાત સ્થળ મૃષાવાદવિરમણવ્રતના અતિચારો છે]
[5]શબ્દજ્ઞાન:મિથ્થોપશ- ઉંધી કે વિપરીત સલાહ રાણાયાન- એકાંતમાં બનેલ વાત ને કહેવી છૂટવજ્યા-ખોટા દસ્તાવેજાદિ કરવા તે ચાલાપહીર-પોતાને ત્યાં મુકેલ થાપણ -ળવવી સારમંત્ર- કોઈની ખાનગી વાત પ્રગટ કરી દેવી
[6]અનુવૃત્તિઃ- (૧)વ્રતશીશુ પંખ્ય પુષ્ય યથાક્રમમેં પૂત્ર. ૭:૧
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૦૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૧ (૨)ડૂાાક્ષા.. સૂત્ર. ૭:૧૮ થી અતિવીર શબ્દની અનુવૃત્તિ
I [7]અભિનવટીકાઃ- બીજું સત્યવ્રત અથવા ધૂળ મૃષાવાદ વિરમણ વ્રત, તેના પાંચ અતિચારો ને આ સૂત્ર થકી સૂત્રકાર જણાવે છે–સૂત્રમાં બીજા વ્રત કે અતિચારનું સ્પષ્ટ કથન ન હોવા છતાં પૂર્વસૂત્રની અનુવૃત્તિથી આ પાંચે અતિચારો છે તે વાત સ્પષ્ટ થાય છે
વળી સૂત્રઃ૧૯ માં જણાવેલ યથાશ્રમ” ના અધિકાર મુજબ સૂત્ર ક્રમના પ્રામાણ્ય થી અહીં બીજું વ્રત જ ક્રમાનુસાર આવે છે તેથી આ પાંચને બીજા વ્રતના અતિચારો કહ્યા છે.
[૧]મિથ્થા ઉપદેશઃ- સાચું ખોટું સમજાવી કોઈને આડે રસ્તે દોરવોનેમિથ્યાઉપદેશ.
જ ખોટી સલાહ આપવી,ભૂલ ભરેલું કહેવું, ખોટામાર્ગદોરવણી આપવી એકબીજાને ચડાવી મારી કજીયો કરાવવો વગેરે
૪ આ અતિચારને અન્યત્ર મોયુવાસ મૃષાઉપદેશ કહેલો છે. કોઈને મૃષા ઉપદેશ આપવો કે જાણી બુઝને ઉશ્કેરણી કરવી તે
તદુપરાંત મંત્ર,ઔષધિ વગેરે જે વસ્તુઓનું પોતાને સમ્યગ્રજ્ઞાન નથી તેનો ઉપદેશ આપવો અથવા વંચનાદિ શીખવનારા શાસ્ત્રો ભણાવવા તે પણ મૃષાપદેશ જ છે. જેને બીજા સત્ય વ્રતનો પહેલો અતિચાર કહ્યો છે
૪ મિથ્યા ઉપદેશ એટલે પરપીડાકારી વચન, અસત્ય ઉપદેશ, અતિસંધાન ઉપદેશ વગેરે મિથ્થા ઉપદેશ છે. ચોર ને મારી નાંખવો જોઈએ, વાંદરાઓને પૂરી દો, વગેરે પરપીડાકારી વચનો છે, ખોટી સલાહ આપી ઉંધા માર્ગે ચડાવવો એ અસત્ય ઉપદેશ છે. વિવાદમાં અન્યને છેતરવાનો ઉપાય બતાવવોતે અતિસંધાન ઉપદેશ છે
અહીં પર પીડાકારી વચનથી બાહ્યદૃષ્ટિએ વ્રતભંગ ન હોવાછતાં અંતર્દષ્ટિએવ્રતભંગ છે. એ જ રીતે જે વિષયમાં પોતાને પૂરો અનુભવ ન હોય તે વિષયમાં પોતે સલાહ આપે અને વ્યકિતવિપરીત માર્ગે ચડેતેમાં પણ પોતાની દ્રષ્ટિએ અસત્ય ન હોવાછતાં અનુભવીના દ્રષ્ટિએ અસત્ય છે એટલે બાહ્યથી સત્ય હોવા છતાં તાત્વિક દ્રષ્ટિએ અસત્ય છે 2 असदपदेशः परेणान्यस्यातिसन्धानं स्वयं वाऽतिसन्धानमन्यस्यइति ।
मिथ्योपदेशो नाम प्रमत्त वचनम् अयथार्थ वचनोपदेशो विवादेष्वतिसन्धानोपदेश રૂતિ રિરહસ્ય અભ્યાખ્યાનઃ
#રાગથી પ્રેરાઈને, વિનોદખાતર કોઈપતી-પત્ની કે બીજા સ્નેહીઓને છૂટાં પાડવા કે કોઈ એકની સામે બીજા ઉપર આરોપ મુકવો તે
જ કોઈની ગુપ્ત વાત જાહેર કરી દેવી અથવા સ્ત્રી અને પુરુષની મિથન ક્રિયાને લગતી ગુપ્ત વાત રાગાદિ યુકત મશ્કરીમાં કે રમતમાં કે બેકાળજી થી જાહેર કરી દેવી કે કોઈના ઉપર ખોટું આળ ચલાવવું .
# રમ્ એટલે નિર્જન સ્થળ અથવા એકાન્ત. ત્યાં ઉભા રહી કોઈ બે માણસો વાત કે મસલત કરતા હોય તો અનુમાન માત્રથી એમ કહીદેવું કે તેઓ અમુક પ્રકારની વાત કરતા હતા, કોઇની નિંદા કરતા હતા, કોઈ છૂપું કાવતરું કરતા હતા તો તે પણ રહસ્યાભ્યાન જ
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કહેલું છે અને તેબીજા સત્યવ્રત અર્થાત સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત નો બીજો અતિચાર છે
છે રહસ્ય એટલે એકાંતમાં બનેલ, અભ્યાખ્યાન એટલે કહેવું.
વિરુધ્ધ રાજયો, મિત્ર-મિત્ર, પતિ-પત્નિ વગેરેની એકાંતમાં થયેલ ક્રિયાકે વાત વગેરેને હાસ્યાદિપૂર્વક બહાર પાડવી
આ ગુપ્ત વાત બહાર આવવાથી પતિ-પત્ની વગેરેને દુઃખ ઉત્પન્ન થાય, કલેશ-કંકાસ થાય અહીં હકીકત સત્ય હોવાથી બાહ્ય દ્રષ્ટિએ વ્રતભંગ નપણ થાય છતાં તાત્વિક દ્રષ્ટિએ તો વ્રતભંગ ગણાય તેથી રહસ્યાભ્યાન એ અતિચાર કહ્યો છે અન્યત્ર આ અતિચારને ગુહ્ય ભાષણ પણ કહેલ છે
र रह: एकान्तस्तत्रभवं रहस्यं । रहस्येनाभ्याख्यानम् अभिसंसनमसदध्यारोपणं रहस्याभ्याख्यानम् ।
र रहस्याभ्याख्यायनं नाम स्त्रीपुंसयोः परस्परेण अन्यस्य वा राग संयुकतं हास्यक्रीडासङ्गादिभिः रहस्येन अभिशंसनम् ।
[૩]કુટલેખન ક્રિયા# મહોર, દસ્તાવેજ આદિવડે ખોટા દસ્તાવેજો કરવા, ખોટો સિક્કો ચલાવવો વગેરે.
૪ ખોટા દસ્તાવેજ લખવા, સાચાલેખ ફેરવવા, ખોટી હકીકતો જાહેર કરવી, ખોટી સાક્ષી પૂરવી વગેરે કુટલેખ ક્રિયા છે.
# તૂટલેખ એટલે જૂઠું બનાવટી લેખ એટલે લખાણ. જે લખાણ જઠું હોય તે કુટલેખ કહેવાય કોઈ માણસનું ખાતું ચાલતું હોય અને તે અમુક કિંમતનો માલ લઈ ગયો હોય તેમાં રકમ વધારી દેવી કે તેણે આપેલા રૂપિયા ઓછા જમા કરવા એ સર્વે કુટલેખ છે.
એવી જ રીતે કોઈ કરાર,દસ્તાવેજ કે અગત્યના કાગળમાંથી કોઈ કામનો અક્ષર છેકી નાખવો અથવા અર્થ કે હકીકત ફરી જાય તે રીતે કોઈ અક્ષર કે ચિહ્નનો ઉમેરો કે ઘટાડો કરવો તે પણ કુટલેખ છે
જ સાચા લેખને ખોટામાં ફેરવવા, ચોપડામાં ખોટી સહીઓ કરવી,ખોટા જમા-ખર્ચ કરવા, ખોટા લેખો લખવા,ખોટી બિના છાપવી વગેરે
– અહીં અસત્ય બોલવાનો નિયમ છે, અસત્ય લખવાનો નિયમ નથી.આથી બાહ્ય દ્રષ્ટિએ વ્રતનો ભંગ નથી, પણ તાત્વિકદ્રષ્ટિએ વ્રતભંગ હોવાથી કુટલેખ ક્રિયા છે માટે બીજા સત્ય વ્રતને ત્રીજો અતિચાર કહ્યો છે.
* कूटं असद्भूतं लिख्यते इति लेख: करणं क्रिया । कूटलेख क्रिया - अन्यमुद्राक्षरबिम्बस्वरूपलेखकरणम् इति ।
[૪]ન્યાસાપહાર
& થાપણ મુકનાર કંઈ ભૂલી જાય તો તેની ભૂલનો લાભ લઈ ઓછી વસ્તી થાપણ ઓળવવી તે ન્યાસપહાર
જ કોઈની થાપણ ઓળવવી,મિલ્કત પચાવવી, કોઈને થાપ ખવડાવવી, કોઇનો હક્ક - ડુબાડવો વગેરે સત્યવ્રતનો ચોથો અતિચાર છે | # કોઈ વ્યકિત એ થાપણ રૂપે ૮૦ તોલા સોનું મુક્યુ હોય તે વ્યકિત લેવા આવે ત્યારે
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૧ લાંબો સમય ગાળો ગયો હોવાથી ભૂલી જાય અને ૮૦ને બદલે ૭૦ તોલા સોનું માંગે ત્યારે તેટલું સોનું આપી બાકીનું હજમ કરી જવું
જો કે ન્યાસપહારએ એક જાતની ચોરી છે, છતાં તેમાં ચોરીને છુપાવવા તેવાં અસત્ય મિશ્રિત વાક્યો બોલવાનો પ્રસંગ આવે એ દૃષ્ટિએ એને સત્યવ્રતના અતિચાર તરીકે ગણવામાં આવેલ છે
कन्यस्यते-निक्षिप्यत इति न्यास: रूपकाद्यर्पणं तस्यापहारः अपलाप: योऽवद्रव्यापहार: परस्वस्वीकरणलक्षणः स न विवक्षितः तस्यादत्तादान विषयत्वात् यत् तत्र वचनमपलापकं येन करणभूतेन न्यासोऽपहियते-अपलप्यते तद् वचनं न्यासापहार:
व न्यासापहारो विस्तरणकृतपर निक्षेप ग्रहणम् । $ વંદિતસૂત્રાદિ અન્યત્રન્યાસપહારને બદલે સહસાવ્યાખ્યાન અતિચાર કહેલો છે. સહસાભ્યાન - વિકલ્પિક ચોથો અતિચાર).
$ વગર વિચાર્યું કે ઉંડાણમાં ઉતર્યા વિના એકાએક બોલવામાં આવે તે સહસા અને કોઈના પર દોષારોપણ કરવું જેમ કે “તું જુઠો છે' ‘તુ વ્યભિચારી છે' તે અભ્યાખ્યાન એટલે આવેશ થી , બેદરકારી થી કે વગર વિચાર્યું કોઇને દોષિત કહેવો તે સહસાવ્યાખ્યાન નામક બીજા વ્રતનો અતિચાર છે.
છે સહસા એટલે વિચાર કર્યા વિના ઓચિંતુ અને અભ્યાખ્યાન એટલે આરોપ વળી ક્યારેક આરોપ નો ઇરાદો ન હોય છતાં ઉતાવળથી હકીકત બરોબર જાણ્યા વિના અસત્ય હકીકતને સત્ય હકીકત સમજીને અનાભોગથી કહીદે છે. અહીં અંતરમાં વ્રતભંગ ના પરિણામો ન હોવાથી અતિચાર કહેલ છે. પિસાકાર મંત્રભેદઃ
# અંદરો અંદર પ્રીતિ તુટે તે માટે એકબીજાની ચાડી ખાવી અગર કોઇની ખાનગી વાત પ્રગટ કરી દેવીતે સાકારમંત્ર ભેદ
૪ કોઇની ગુપ્ત વાત જાહેર થાય તેવી યુકિતઓ કરવી વિશ્વાસ ભંગકરવો વગેરે
૪ આકાર એટલે શરીરની આકૃત્તિ-ચેષ્ટા વિશેષ આકારથી સહિત તે સાકાર અને મંત્ર એટલે અભિપ્રાય-અન્યની તેવા પ્રકારની શરીરની ચેષ્ટાથી જાણેલ અભિપ્રાયતેસાકાર મંત્ર. તેનો ભેદ એટલે બહાર પ્રકાશન કરવું તે આકાર મંત્ર ભેદ આતો સાકારમંત્ર ભેદનો શબ્દાર્થ છે.
–ભાવાર્થ મુજબ - વિશ્વાસપાત્ર બનીને તેવા પ્રકારની શરીર ચેષ્ટાથી અથવા તેવા પ્રકારના પ્રસંગ ઉપરથી કે આજુબાજુના વાતવરણ વગેરેના આધારે અન્યની ગુપ્ત વાતો એકબીજાને કહીને પરસ્પર પ્રીતિનો વિચ્છેદ કરાવે તેને સાકારમંત્ર ભેદનામે સત્ય વ્રતનોધૂળમૃષાવાદ વિરમણ વ્રતનો પાંચમો અતિચાર કહ્યો છે કેમ કે અહીં હકીકત સત્ય હોવા છતાં તે હકીકતના પ્રકાશનથી સ્વપરને દ્વેષ, આપઘાત,લડાઈ,કલેશ કંકાસ વગેરે મહાન અનર્થ થવાનો સંભવ છે.
* आकारोऽङ्गुलिहस्तभूनेत्रक्रियाशिर:कम्पादिः अनेकरूप: परशरीरवर्ती, तेन ताद्दशा आकारेण सहाविनाभूतो यो मन्त्रो-गूढ: पराभिप्राय: तमुपलभ्य सहाकारं मन्त्रमसूयाऽऽविष्करोति।
- [વિકલ્પ-૫] સ્વદારામંત્રભેદ-સાકાર મંત્રભેદને સ્થાને ગ્રન્થાન્તરમાં “સ્વદારામંત્ર
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભેદ” એવો અતિચાર જણાવેલ છે
$ વારી એટલે પોતાની પત્ની. મંત્ર એટલે છૂપી વાત. તેનો ભેદ કરવો અર્થાત તે વાતને ખુલ્લી પાડી દેવી અર્થાત પોતાની સ્ત્રી કિ પુરુષો ની કોઈ છૂપી વાત કે ગુપ્ત રહસ્ય ને ખૂલ્લા કરી દેવા, બહાર પાડવા તે સ્વદાર-મંત્રભેદ, ઉપલક્ષણ થી મિત્રો વગેરેના ગુપ્ત રહસ્યો ખુલ્લા કરીદેવા તે સ્વદાર મંત્રભેદ નામક અતિચાર કહ્યો છે.
* સાકાર મંત્ર ભેદ અને સ્વદારા મંત્ર ભેદ બન્ને વચ્ચે શો તફાવત છે?
સાકાર મંત્ર ભેદ અને સ્વદારા મંત્ર ભેદ બંનેમાં વિશ્વાસુની ગુપ્ત હકીકતનું બહાર પ્રકાશન કરવું એ અર્થ સમાન છે પણ ગુપ્ત હકીકતને જાણવામાં ભેદ છે.
- સાકારમંત્રભેદમાં શરીરચેષ્ટા, પ્રસંગ,વાતાવરણ વગેરે દ્વારા ગુપ્ત હકીકતને જાણે છે, જયારે સ્વદારા મંત્ર ભેદમાં વિશ્વાસુ વ્યકિતજ તેને પોતાની હકીકત જણાવે છે
[8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ-ધૂમુસવાય પંથે ગયા...સદસામવને સમજવળ सदारमंतभेए मोसोवएसे क्डलेहकरणे य * उपा. अ.१,सू. ७-२
સૂત્રપાઠ સંબંધ -અત્રે પ્રસ્તુત આગમપાઠમાંવૈકલ્પિક અતિચાર મુજબનો પાઠ રજૂથયેલ છે. # તત્વાર્થ સંદર્ભઃ-મસમધાનમકૃતમ્ સૂત્ર ૭:૧ 6 અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિતુ સૂત્ર-ગાથા -૧૨- પ્રબોધટીકા-૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ
(૪)ધર્મરત્ન પ્રકરણ [9]પદ્યઃ(૧) ઉપદેશ ખોટો આળ દેતાં, કૂટલેખો લખતા
થાપણો વળી ઓળવીને ગુપ્ત વાતપ્રકાશતા અતિચાર ત્યાગી ધર્મરાગી વ્રત બીજાને આદરે
સત્યવાદી સત્યવદતા વિશ્વમાં યશ વિસ્તરે (૨) મિથ્થોપદેશકરવાવિખૂટાસુસ્નેહીકૂટિલલેખવળીથાપણ ઓળવવી
નેખાઈચાડીપ્રીતિતોડવીએકમેકબીજાઅસત્યવ્રતનાઅતિચાર પાંચ U [10]નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ અહીં સત્યવ્રતના દોષોના સ્વરૂપને પ્રગટ કરે છે તદનુસાર આ દોષ જાણવા, જાણીને તેને નિવારવા પ્રયત્ન કરવો જેથી નિરતિચારવ્રત સાધના થઈ શકે
આ અતિચારો ની વર્તમાન યુગમાં પણ ઘણીજમહત્તા છે કેમ કે આ મંત્ર ભેદની પ્રવૃત્તિ જ ન હોયતો પરસ્પર કલેશ-કંકાસના જે બીજો વવાય છે તેનો નાશ થશે અને બે રાષ્ટ્રો વચ્ચે આવી મોટા પાયે ચલાવાતી જાસુસી સંસ્થાની આવશ્યકતા જ રહેશે નહીં ખોટા લેખ કે સાક્ષી આદિ નહીં હોય તો કોર્ટ-કચેરી-વકીલ પોલીસ આદિ સર્વ પક્ષકારોની આવશ્યકતા જ રહેશે નહીં આ અને આવી અનેક સામાજિક લાભ કારકતાને વિચારી બીજા વ્રતનું નિરતિચાર પાલન કરવું જોઈએ
Page #108
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૨
અધ્યાયઃ-સૂત્રઃ૨૨
[1]સૂત્રહેતુઃ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી ત્રીજા અસ્તેય વ્રતના અતિચારોને જણાવે છે ] [2]સૂત્ર:મૂળ:-સ્ક્વેનોતના તાવાનવિદ્વતાન્યાતિમહીનાધિ मानोन्मानप्रतिरूपकव्यवहारा:
] [3]સૂત્રઃપૃથક્-સ્પેનપ્રયોગ - તદ્ આત્યંત આવાન - વિરુદ્ધ રાખ્યગતિમहीन अधिक मान उन्मान - प्रति रूपक व्यवहारा:
] [4]સૂત્રસારઃ-સ્કેનપ્રયોગ,,તદ્[-સ્તન] આત આદાન,વિરુધ્ધ રાજયનો અતક્રિમ,હીન અધિક માન ઉન્માન,પ્રતિરૂપક વ્યવહાર [એપાંચે ત્રીજા અસ્તેયવ્રતના અર્થાત્ સ્થૂલ અદત્તદાન વિરમણ વ્રત ના અતિચારો છે ]
] [5]શબ્દશાનઃ
ોનપ્રયોT- ચોરને પ્રેરણા
તવાદ્દતાવાન-ચોરે ચોરી લાવેલી વસ્તુનું ગ્રહણ
વિરુદ્વાન્યાતિમ-રાજય વિરુધ્ધ કર્મ,રાજયે મુકેલ અંકુશનું ઉલ્લંઘન દીનાષિમાનોન્માન-ઓછા વતાં માપ,કાટલાં રાખવા
પ્રતિરુપવ્યવહાર-નકલી માલની ભેળસેળ
૧૦૭
[] [6]અનુવૃત્તિઃ- (૧)વ્રતશીòપુ પબ્ધ પર્શ્વ યથીમદ્ સૂત્ર ૭:૯ (૨)શÇાાડ્યા....સૂત્ર ૭:૧૮ થી અતિવારા: શબ્દની અનુવૃત્તિ
[7]અભિનવટીકાઃ- આ સૂત્રમાં ક્રમાનુસાર ત્રીજા વ્રત સંબંધિ પાંચ અતિચાર ને જણાવવામાં આવેલ છે. સૂત્રકારે અહીંતો ફકત પાંચ નામો નું જ કથન કરેલ છે પણ પૂર્વસૂત્રની અનુવૃત્તિ થકી તે અતિચારછે તેવું સ્પષ્ટ થાય છે તેમજ સૂત્રક્રમના પ્રામાણ્ય અનુસાર [આત્રીજું સૂત્ર હોવાથી ત્રીજા- અસ્તેય વ્રતના આ અતિચારો છે તેમ પણ સમજી લેવું
[૧]સ્તેન પ્રયોગઃ- ચોરને સહાય આપી તેના કામને ઉત્તેજન આપવું
કોઇને ચોરી કરવા માટે જાતે પ્રેરણા કરવી કે બીજા દ્વારા પ્રેરણા અપાવવી અથવા તેવા કાર્યમાં સંમત થવું તે સ્ટેન પ્રયોગ
સ્ટેન એટલે ચોર . ચોરને ધનની,ખાનપાનની મદદ કરવી ચોરીમાં સહાયક થવું, સ્તન પર કરવામાં આવેલો તે સ્તન પ્રયોગ. કોઇચોરી નો ધંધો કરતા હોય તેને એમ કહેવું આજકાલ નવા કેમ બેસી રહો છો? તમારો માલ ખપતો ન હોયતો હું વેચાતો રાખીશ અથવા તમારે કંઇ સાધનની જરૂર હોય તોલઇજાઓ, વગેરે. તોએવચન-પ્રયોગ ચોર લોકોને પોતાનો કસબ અજમાવવામાં ઉત્તેજન આપનારો હોવાથી તેને ત્રીજા વ્રતનો પહેલો અતિચાર કહ્યો છે.
સ્કેન એટલે ચોર પ્રયોગ, એટલે પ્રેરણા કે ઉત્તેજન
ચોર ને ચોરી કરવામાં ઉત્તેજન આપવું તે સ્ટેનપ્રયોગ. ચોરની સાથે લેવડ-દેવડનો વ્યવહાર રાખવો ચોરી કર્યાબાદ તેની પ્રશંસા કરવી,, ચોરી માટે જોઇતા ઉપકરણો આપવા
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અન્ન-પાણી આપવાં. વગેરે રીતે ચોરને ચોરી કરવાનું ઉત્તેજન આપવું તે અતિચાર છે
+ स्तेना: चौरा: तान् प्रयुंकते हरत यूयंइति हरणक्रियायां प्रेरणमभ्यनुज्ञानं वा प्रयोग: अथवा परस्वादानोपकरणानि कर्तरी धर्धरकादीनि ।
[૨]તદાતાદાનઃ- ૪ તેની લાવેલી વસ્તુ મૂલ્યઆપી ખરીદ કરવી
જ પોતાની પ્રેરણા વિના કે સંમતિ વિના કોઈ ચોરી કરી કંઈપણ વસ્તુ લાવેલ હોય, તે વસ્તુ લેવી તે તેનાત આદાન નામક અતિચાર છે
# તત્ એટલે ચોર, તેણે આણેલી વસ્તુઓનું આદાન કરવું અર્થાત લેવી. ચોરીનો માલ સંઘરવો, ઓછી કિંમતે લેવો વગેરે
# તેને એટલે ચોર,મહતું એટલે લાવેલું. ચોરે લાવેલી મોંઘી વસ્તુ સસ્તી જાણીને ખરીદવીતે તેનાત. આ જાતનો વ્યવહાર ચોરીને ઉત્તેજન આપનારો હોય પૂલ પરદ્રવ્યહરણ વિરતિને અર્થાત ત્રીજા વ્રતને દૂષણ લગાડનારો છે તેથી તેને અસ્તેયઅતિચારનો બીજો અતિચાર કહેલો છે
૪ ચોરે ચોરી લાવેલી વસ્તુ મફત કે વેચાતી લેવી. અહીં પોતે ચોરી કરી નથી, પણ ચોરને ઉત્તેજન આપતો હોવાથી પરમાર્થ દ્રષ્ટિએ આંશિકત્રતભંગ ગણાય માટે તેને અતિચાર કહ્યો છે.
4 तच्छब्देनस्तेनपरामर्श: तैराहृतम् - आनीतं कनकवस्त्रादि तस्यादानं - ग्रहणं अल्पमूल्येन (इति) तदाहृतादान ।
[3] વિરુધ્ધ રાજયાતિક્રમ-૪ રાજય વિરુધ્ધ નું કાર્ય કરવું તે
# જુદાજુદા રાજયોમાલની આયાત-નિકાસ ઉપર જે અંકુશ મુકે છે અથવા માલ ઉપર દાણ-જકાત વગેરેની વ્યવસ્થા બાંધે છે તેનું ઉલ્લંઘન કરવું તે વિરુધ્ધ રાજયાતિક્રમ
# રાજયના કાયદા વિરુધ્ધ ની લેવડ-દેવડ કરવી, જકાતની ચોરી કરવી, રાજયોના પારસ્પરિક વ્યવહારોનું પાલન ન કરવું
૪ રાજયના નિયમોથી વિરુધ્ધ જવાની કે વિરુધ્ધ વર્તવાની ક્રિયા તે રાજય વિરુધ્ધ ગમન. આ વિરુધ્ધ ગમન બે રીતે કહ્યું છે સ્થાનને આશ્રીને અને કાનુન ને આશ્રીને.
રાજયે નિષિદ્ધ કરેલા પ્રદેશમાં કે સ્થાનમાં જવું તે સ્થાન આશ્રીત વિરુધ્ધ રાજયતિક્રમ કહેવાય અને રાજય તરફથી ઘડાયેલા કાયદા વિરુધ્ધનું વર્તન તે કાનુન આશ્રીત વિરુધ્ધ રાજયાતિક્રમ કહેવાય.
૪ રાજયના નિષેધ છતાં છૂપી રીતે અન્ય રાજયમાં પ્રવેશ કરવો,દાચોરી કે જકાત ચોરી કરવી.વગેરેને ઉપરોકત વ્યાખ્યાઓમાં વિરુધ્ધ રાજયાતિક્રમકહેલોછેઅહીંરાજયવિરુધ્ધ કર્મ કરનારને ચોરીનો દંડ થતો હોવાથી અદત્તાદાન વ્રતનો ભંગ છે, પરંતુ અહીં તેને પોતાને
હું તો વેપાર કરું છું ' ઇત્યાદિ બુધ્ધિ થી વ્રત સાપેક્ષ હોવાથી તેમજ લોકમાં પણ આ ચોર છે એવું ન કહેવાતું હોવાથી આંશિકતૃતભંગ ગણાય. માટે તેનેઅતિચારરૂપસૂત્રકારેજણાવેલ છે.
[૪]હીનાધિકમાનોન્માન - તોલ-માપ ઓછું વતું આપવું -લેવું aઓછાવત્તામાપ, કાટલા, ત્રાજવા આદિવડેલેવડદેવડ કરવીતેહિનાધિકમાનોન્માન. std લેવાના તોલમાપ વધારે રાખવા અને વેચવાના તોલ અને માપ ઓછા રાખવા તે. # ખોટા તોલ અને ખોટા માપ રાખવા. પવાલું,પાલી, કળશી, જોખ વગેરેમાં લેતી
Page #110
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૨
૧૦૯ વખતે વધારે આવે અને વેચતી વખતે ઓછું જાય તેવી બુધ્ધિ અને પ્રવૃત્તિ તેમજ ત્રાજવા તોલા પણ ખોટાં રાખવા. વ્યવહારુ ભાષામાં કહીએતો લેવા-દેવાના કાટલા નોખા રાખવા તે હીનાધિક માનોન્માન એ ત્રીજા અસ્તેય વ્રતનો ચોથો અતિચાર કહેલો છે
हीनं-न्यूनं, अधिकं अतिरिक्तं मानं उन्मानं वा । तत्र मानं कुड्वादि । उन्मानं तुलादि। हीनं मानमुन्मानं वा अन्यदानकाले करोति । स्वयं पुनर्गृहणनधिकं करोति ।
[૫]પ્રતિરૂપક વ્યવહારઃ-૪ સારી-ખોટી વસ્તુના ભેળ-સંભેળ કરવા # અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી તે પ્રતિરૂપક વ્યવહાર છે.
# જુના-નવા,અસલી નકલી,ઉંચા-હલકા વગેરે માલમાં ભેળસેળ કરવી, સરખે સરખી ચીજથી છેતરવું એકને બદલે બીજું આપીદેવું વગેરે પ્રતિરૂપક વ્યવહાર છે
$ પ્રતિરુપએટલે સદંશરૂપ,સરખું કે નકલ. કોઈપણ વસ્તુમાં તેના જેવીજ હલકી વસ્તુ ભેળવવી, તેને જ મળતી નકલબનાવીને સાચા માલ તરીકે વેચવી. તેત્રીજા અણુવ્રતને દુષિત કરતો એવો પાંચમો અતિચાર છે
$ ઉપર કહ્યા મુજબ માલમાં ભેળ-સેળ,નકલીમાલ, બનાવટી વસ્તુ અસલરૂપે વેચવી વગેરે પ્રતિરૂપક વ્યવહારમાં ઠગબાજી થી પરધન પડાવી લેવાતું હોવાથી વ્રતભંગ છે. છતાં તે પોતે જાતે એવું માને કે આ તો વ્યપાર છે, વણિકકલા છે, કહીને લઈએ છીએ, થોડું કંઈ કોઈના ખીસામાંથી ચોરી કરીએ છીએ, એમ અંતવૃત્તિ અને બહિર્વત્તિ માં ફરક છે તેથી તેને ત્રીજા અસ્તેયવ્રત અર્થાત્ સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતનો અતિચાર કહ્યો છે
प्रतिरुपक: ताद्दश: तस्य विविधम् अवहरणं व्यवहारः प्रक्षेपः । U [8] સંદર્ભ
$ આગમ સંદર્ભઃ-શૂ વિાિણ પં માર.. તેનાહડે તરપકો विरुद्धरज्जाइकम्मे कूडतुल्लकूड़माणे तप्पडिरूवगववहारे - उपा. अ.१-सू.७-३
જે તત્વાર્થ સંદર્ભ-અજ્ઞાતા તેય સૂત્ર ૭:૧૦ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિતસૂત્ર ગાથા:૧૪-પ્રબોધટીકાભા. ૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૪) ધર્મ રત્ન પ્રકરણ U [9]પદ્યઃ(૧) ચોરને વળી મદદ દેતા અદત્તવસ્તુ લાવતા
દાણચોરી કૂટતોલા કૂટમાપા રાખતા વસ્તુમાંહિ ભેળસેળો કરે મૂર્ખ શિરોમણી
અતિચાર સેવે ગુણ ન રહેવે વ્રતત્રીજાને અવગણી (૨) ચોરી પ્રયોગવળીચૌર્યખરીદનારકાનૂનભંગ કરવાં કૂટતોલા માપ
કૃત્રિમ વસ્તુ વ્યવહારજ દોષપાંચ અસ્તેયવ્રતતણા અતિચાર ખાસ [10] સૂત્રકાર મહર્ષિ અહીં અસ્તેય વ્રતના અતિચારોનું વર્ણન કરે છે વતી શ્રાવકોને નિરતિચાર વ્રતના પાલન માટે ઉકત દોષોનું નિવારણ કરવું જોઇએ સામાજિક
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દ્રષ્ટિએ નિષ્કર્ષ વિચારીએ તો -ઉકત દોષોના નિવારણ સમાજમાં દાણચોરી-કરચોરી આદિ દૂષણો દૂરથશે, માલકે વસ્તુમાં ભેળસેળ અને બનાવટો તથા છેતરપીંડી દૂર થશે સમાજ સ્વસ્થ બનશે, વસ્તુ ચોખ્ખી મળશે, પ્રમાણિકતાનો ગુણ વિકસશે અને સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ થશે ggggggg
અધ્યાયઃ-સૂત્ર:૨૩
[1]સૂત્રહેતુ:- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ ચોથા-બ્રહ્મચર્યવ્રતના અતિચારોને જણાવે છે [] [2]સૂત્ર:મૂળ:-*પરવિવાળેશ્વરપરગૃહીતાામનાનક ઋીડા તીવ્રામા भिनिवेशा:
[] [3]સૂત્ર:પૃથક્:-વિવાદળ - ફત્તરપરિગૃહીતા -અપરીગૃહીતા ગમન - अनङ्गक्रीडा - तीव्रकाम अभिनिवेश
[4]સૂત્રસારઃ-પરિવિવાહ કરણ,ઇત્વરપરિગૃહિતાગમન,અપરિગૃહીતા ગમન, અનંગક્રીડા, તીવ્રકામાભિનિનવેશ [એ પાંચ ચોથા અણુવ્રતના બ્રહ્મચર્યવ્રતના ના અતિચારો છે] ] [5]શબ્દજ્ઞાનઃ
પરવિવારળ-અન્યના સંતાનોના વિવાહ કરાવવા
રત્નાપįિહીતાામન- બીજાએ અમુક સમય માટે ગ્રહણ કરેલ સ્ત્રીનો ઉપભોગ અપરિગૃહીતાામન-જે-તે કાળેકોઇની સ્ત્રી ન હોય તેનોઉપભોગ અનŞીડા- અંગ ક્રીડા સિવાયના અંગોમાં ક્રીડા કરવી તીવાનામિનિવેશ- તીવ્ર મોહથી અતિ ઉદ્દીપન થકીકામ ક્રીડા કરવી [] [6]અનુવૃત્તિ:
(૧)વ્રતશીòપુ પ૨ પળ્વ યયામમ્ સૂત્ર ૭:૧૯ (૨)શઠ્ઠા ાડ્યા...સૂત્ર ૭:૧૮ થી અતિવારા:
[7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ અત્રે ચોથાવ્રતના અતિચારોને જણાવે છે. જો કે અહીં સૂત્રમાંતો પરવિવાહ કરણ આદિ પાંચ નામો જ જણાવેલા છે. પણ પૂર્વના સૂત્રની અનુવૃત્તિ થી આપાંચ અતિચારો છેતેમ નક્કી થાયછે. વળીસૂત્રઃ૧૯ માં યથા મમ્ થકી જે અધિકાર જણાવાયો છે તે મુજબ પૂર્વના સૂત્રક્રમના પ્રામાણ્ય થી આ ચોથા અણુવ્રતના અતિચારો છે તે વાત સુનિશ્ચત થાય છે કેમ કે અતિચારોના ક્રમમાં આ ચોથું સૂત્ર છે અને ચોથું અણુવ્રત બ્રહ્મચર્ય વ્રત છે માટે આ બ્રહ્મચર્ય વ્રત ના અતિચારો છે. [૧] પરવિવાહ કરણઃ- પારકા વિવાહ કરાવવા
પોતાની સંતિતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઇચ્છા થી કે સ્નેહ સંબંધથી બીજાની સંતતિના વિવાહ કરી દેવા તે પર વિવાહ કરણ
પોતાનું કુટુમ્બ કે જેના વિવાહ કરવાની જવાબદારી પોતાને માથે હોય તે *દિગમ્બરમાં અહીં વિવાદળત્વરિત્ર પરીįીતાપરીગૃહીતાનના બેડાામતીવ્રાિિનવેશ: એ પ્રમાણે સૂત્ર છે
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૧૧
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૩ સિવાયના ઓના પણ વિવાહ કરવા. તે કરવા આગળ થવું.
છે પોતાના છોકરા-છોકરી કે આશ્રીત સિવાયના તે પર. તેમના વિવાહ સંબંધિ જે પ્રવૃત્તિ તે પર વિવાહ કરણ.
છે ઉપર કહ્યા મુજબ કન્યાદાનનાફળની ઇચ્છાથી કેગ્નેહસંબંધોથી અન્યસંતાનોનાવિવાહ કરાવવામાં આવે. હવે અહીંપરદારા સાથે મૈથુન કરુનહીં, કરાવું નહીંએવો નિયમ છે. જયારે વિવાહ કરાવવામાં પરમાર્થથી મૈથુન કરાવ્યું કહેવાય એટલે અહીં પરમાર્થથીવ્રત ભંગ છે.
છતાં તે વ્યકિતના માનસિક પરિણામ અહીં એવા હોય છે કે હું વિવાહ કરાવું છું અર્થાત તે મૈથુન કરાવી રહ્યો છે એવા પરિણામ અહીં હોતા નથી. પરિણામે આંશિક દ્રત ભંગ હોવા છતાં તેના પરિણામ વ્રતના ભાંગવાના ન હોવાથી તેને અતિચાર કહ્યો છે
હવે જેમ પારકાના સંતાનોના વિવાહ કરણથી અતિચાર લાગે તેમ પોતાના સંતાનોના વિવાહથી પણ અતિચારનો લાગે છે પણ પોતાના સંતાનોનાવિવાહ કરવા એ ફરજ છે તેમ ન કરવાથી સંતાનો સ્વેચ્છાચારી બનવા સંભવ છે શાસનની હિલના થાય છે માટે ગૃહસ્થની આવશ્યકતા સમજી પોતાના સંતાનોનો નિષેધ અત્રે કરેલ નથી. છતાં ઘરની અન્ય વ્યકિત આ કાર્ય સંભાળી લઈ શકે તેમ હોયતો પોતાના સંતાનના વિવાહ કરણમાં રસ ન લેવો
स्व अपत्यस्यागारिणोऽवश्यंतयैव विवाहः कार्य: पर विवाहकरणात् तु निवर्तते । पर शब्देन अन्यअपत्यं उच्यते तस्य विवाह करणं - विवाहक्रिया कन्याफललिप्सया वा स्नेह सम्बन्धेन वा ।
[૨]ઈતર પરિગ્રહીતા ગમન-૪ થોડા કાળ માટે કોઇએ સ્ત્રી કરીને રાખેલી સ્ત્રી સાથે સંગ કરવો
# કોઈ બીજાએ અમુક વખત માટે વેશ્યા કે તેવી સાધારણ સ્ત્રી ને સ્વીકારી હોય ત્યારે તેજ વખતમાં તે સ્ત્રીનો ઉપભોગ કરવો તે ઇવર પરિગૃહીતા ગમન
a થોડા વખત માટે કોઈએ ભાડાથી નક્કી કરેલી એવી સ્ત્રી સાથે ગમન કરવું.
& ઈવર એટલે થોડા કાળ તે માટે ગ્રહણ કરવામાં આવેલી સ્ત્રી તે ઇવરગૃહીતા એટલેકેલગ્ન કરવાને બદલે અમુક સમય માટે પગારે યા બીજા કોઈપણ કારણે જે સ્ત્રીઓ બીજા સાથે રહેતી હોય તે ઇવરપરિગૃહીતા. તેની સાથેનું જે ગમન તે ઈવર પરિગૃહીતા ગમન
6 ઉપર જણાવ્યા મુજબ ઇવર એટલે થોડો સમય. પરિગૃહીતા એટલે સ્વીકારેલી માનો કેરૂપિયા આપીને કોઇ વેશ્યા કે સ્ત્રીને સ્વીકારી છે, તે સમયમાં થતા વેશ્યાગમનને ચોથા અણુવ્રતનો અતિચાર કહ્યો કેમકે બીજાએ રૂપિયા આપી ભાડે રાખેલી હોવાથી તે તેટલા સમય માટે બીજા દ્વારા ગ્રહણ કરાયેલી કહેવાય અર્થાત તે પરદાર કહેવાય અલબત અહીં પરદારા ગમન હોવા છતાં તેને વ્રત ભંગન કહેતા અતિચાર કહ્યો તેનું કારણ એ છે કે આવી સ્ત્રીને ભોગવતો વ્યકિત મનમાં એમજ માને છે કે હું તો વેશ્યા અથવા ગમે તે સાધારણ સ્ત્રી ભોગવું છું કંઈ કોઈને સ્ત્રીને નથી ભોગવતો અથવા આગળ વધીને તેમ પણ કહે કે કોઈની બાયડી તો નથી ઉપાડી લાવ્યો ને માટે તેને અતિચારકહ્યો છે.
१ प्रतिपुरुषगमनशीला इत्वरा वेश्याऽनेकपुरुषगामिनीभवतितस्यैचयदाऽन्येन कश्चित कालमभिगृहय भाटी दत्ता भवति तावन्तंकालं अगम्याऽसौनिवृत पररदास्य भवति । इत्वरा च असौ परिगृहीता च इति इत्वरपरिगृहीता । गमनम् अभिगमो मैथुनासेवनम् । अथवा इत्वरं स्तोकं अपि उच्यते । इत्वरं स्तोकमल्पं परिगृहीता इत्वरपरिगृहीता । अथवा इत्वर कालंपरिगृहीता
Page #113
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૩]અપરિગૃહીતાઃ- ૢ અપરિણીત, વેશ્યા વગેરે સ્ત્રી સાથે નો સંગ
વેશ્યા,પરદેશ ધણી ગયો હોય તેવી, અનાથ સ્ત્રી કેજે અત્યારે કોઇ પુરુષના કબ્જામાં નથી તેનો ઉપભોગ કરવો તે અપરિગૃહીતાગમન.
કન્યા,વેશ્યા,ભટકતી સ્ત્રી વગેરેકોઇ ની પણ પત્ની તરીકે ઠરાવાયેલી હોતીનથી તેમજ ભોગવનારની પોતાની પણ સ્ત્રી હોતી નથી તેથી આવી કોઇપણ સ્ત્રીસાથે ગમન કરવું અપરિગૃહીતાગમન કહેવાય .
જે સ્ત્રી પરણેલી છે તે પરિગૃહીતા અને જે પરણેલી ન હોયતે અપરિગૃહીતા એટલે કન્યા તથા લગ્ન ન કરનારી સ્ત્રી અપરિગૃહીતા કહેવાય છે. વિધવા પરિગૃહીત હતી પણ હવે પતિન હોવાથી વર્તમાન કાળે તો તે પણ અપરિગૃહીતા જહોય છે. આવી કોઇપણ અપરિગૃહીતા સ્ત્રી સાથે ગમન કરવું તે અપરિગૃહીતાગમન
જેનો કોઇએ સ્ત્રીતરીકે સ્વીકાર ન કર્યોહોયતે અપરિગૃહીતા. તે અંગેની વિશદ્ વ્યાખ્યાઓ ઉપર કહેવાય છેઅહીંવ્રતભંગ કહ્યો નહીં કેમકે આવીસ્ત્રી ને ભોગવનાર પુરુષ એમજ માને છે કે આતો પર-સ્ત્રી છે જ નહીં જો પારકાની સ્ત્રી હોય તો મારે ત્યાગ છે આવી ભ્રાન્તીને લીધે તેને ચોથા અણુવ્રતનો ત્રીજો અતિચાર કહ્યો છે
નોંધઃ- ઇત્વર પરિગૃહીતા ગમન અને અપરિગૃહીતા ગમન બંનેઅતિચારો પરદારા ગમન કે પરસ્ત્રી ત્યાગની અપેક્ષાએ જ કહ્યા છે. સ્વદારા સંતોષ રૂપ વ્રત ગ્રહણ કરનાર ને માટે તો આ બંને અતિચારો વ્રતભંગ સમાનજ ગણાશે કારણકે તેણેતો સ્વસ્ત્રી સિવાયની બધી જ સ્ત્રીઓનો ત્યાગ કરેલો છે.
૧૧૨
★ अपरिगृहीतागमनम् - वेश्या, स्वैरिणी, प्रोषितभतृकादिरनाथा अपरिगृहीता तदभिगममाचरतः परदारनिवृत्तस्यातिचार:
[૪]અનંગક્રીડાઃ- નિયમ વિરુધ્ધ ના અંગો વડે ક્રિયા કરવી
અસ્વાભાવિક રીતે-સૃષ્ટિ વિરુધ્ધનું કામઆસેવન તે અનંગક્રીડા.
સ્ત્રી કે પુરુષના જનન અંગો સિવાય બીજા અંગોમાં બીજા અંગો વડે કામ ચેષ્ટાઓ ક૨વી. અનંગ એટલે કામ, તેને લગતી કોઇપણ વિના પ્રયોજને ચેષ્ટાઓ તે અનંગ ક્રીડા અનંગ એટલે કામ અને તેને ઉદ્દીપ્ત કરનારી વિવિધ ચેષ્ટાઓતે અનંગક્રીડારૂપ ચોથા અણુવ્રત-બ્રહ્મચર્ય વ્રતનો ચોથો અતિચાર છે
મૈથુન સેવન માટેના જે અંગો-યોનિ અને લિંગ. તે સિવાયના શરીરના હસ્તાદિ અવયવોથી ક્રીડા કરવી-કામસેવન કરવું. અસ્વભાવિક કેસૃષ્ટિવિરુધ્ધનું કર્મ કરવું અથવા અનંગ એટલે કામરાગ. અતિશય કામ રાગ ઉત્પન્ન થાયતે માટેઅધર ચુંબન, સ્તન મર્દન, ગાઢ આલીંગન, વિવિધ આસનો, શરીરના વિવિધ ભાગો કે અંગ ઉપાંગોને સ્પર્શ, નખક્ષત, દંતક્ષત આદિ દ્વારા કામને પ્રદીપ્ત કરવો તે અનંગ ક્રીડા છે
अनङ्ग- कामः कर्मोदयात् पुंसः स्त्रीनपुंसक पुरुषासेवनेच्छा हस्तकर्मादीच्छा वा योषितोऽपि योषिन्नपुंसक पुरुष आसेवनेच्छा हस्तकर्मादीच्छा वा । एवंविद्योऽभिलाषोभिप्रायो मोहोदयादुद्भूतः काम उच्यते । तेन तत्तत्क्रीडा-रमणम् अनङ्ग क्रीडा आहार्यै
Page #114
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૩
૧૧૩ काष्ठपुस्तफलमृत्तिकाचर्मादि घटितप्रजननैः कृत कृत्योऽपि च स्वलिङ्गेन भूयो मृनात्येवावाच्यप्रदेश योषितां तथा केशकर्षण प्रहार दान दन्तनखकदर्थना प्रकारै र्मोहनीयकर्मवशात् किल क्रिडति तथा प्रकारा सर्वेषामनङ्गक्रीडा बलवती रागे प्रसूयते -
[પતીવ્ર કામાભિનિવેશઃ- કામથી અત્યંત વિહ્વળ થવું
# વારંવાર ઉદ્દીપન દ્વારા વિવિધ પ્રકારે કામક્રીડા કરવી તે તીવ્ર કામાભિલાષ રૂપ ચોથા અણુવ્રતનો બીજો અતિચાર કહ્યો છે
# છાકટાપણું, તીવ્રકામીપણું,કામભોગોમાં અત્યંત આસકિત,ટાપટીપ,કામોત્તેજક ઔષધો વાપરવા તેવી પ્રવૃત્તિ ઓ કરવી
$ વિષય ભોગની અત્યંત આસકિત તે તીવ્ર કામાભિનિવેશ છે. # તીવ્રમોહનીય કર્મના ઉદયથી તીવ્ર મૈથુન આસેવન ઈચ્છા.
નોંધ-ચોથું અણુવ્રત પરસ્ત્રી વિરમણ રૂપે સ્વીકારે કે સ્વદારા સંતોષરૂપે પણ તે અગારી વ્રતીને ચોથા બ્રહ્મચર્યાવ્રતના સ્વીકારથી ફકત મૈથુન સેવનનો જ ત્યાગ થાય છે. અનંગ ક્રીડા કરવાનો ત્યાગ થતો નથી. તેજ રીતે તીવ્રકામ કે આસકિતથી મૈથુન સેવનનો પણ સાક્ષાત્ ત્યાગ થતો નથી આ દૃષ્ટિએ અનંગ ક્રીડા અને તીવ્રકામાભિનિવેશબંને થીવ્રતભંગ થતો નથી.
–પરંતુ બ્રહ્મચર્યનું ધ્યેય કામની ઇચ્છાને ઘટાડવાનું છે એ ધ્યેયનું પાલન ઉકત બેમાંથી એક દોષના સેવનમાં થતુ નથી, કારણ કે ચોથો-પાંચમો બંને અતિચાર કામભોગની વૃધ્ધિને કરનારા છે તેથી અપેક્ષાએતો આ બંને દોષો પણ વ્રતના ભંગ સમાન બની જાય છે કેમકે જેનો ત્યાગ કરવાનો છે તે કામ સેવન નીજ અહીં વૃધ્ધિ થાય છે
આ રીતે અપેક્ષાએ એ વ્રતભંગ અને બીજી અપેક્ષાએ વ્રતનાઅભંગાણાને લીધે આ બંને દોષો અતિચાર રૂપ જ છે
तीवकामाभिनिवेश-तीव्रः प्रकर्षप्राप्त: कामेऽभिनिवेश स्तीवकामाभिनिवेशस्तावत् पर्यन्त चित्तता परित्यक्तान्यसकलव्यापारस्य तदध्यवसायिता मुखपोषोपस्थकक्षान्तरेष्ववितृप्ततया प्रक्षिप्य लिङ्गमास्ते मृत इव महती वेला निश्चल चाटकैर इव मुहुर्मुहुश्चटकायामारोहति योषिति | वाजीकरणानि चोपयुंकते जातकलमलकः । अनेनखलुऔषधप्रयोगेण गजप्रसेकीतुरङ्गवमर्दी च भवति
આ રીતે ચોથા બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચારો સૂત્રકરે જણાવેલા છેઅગારીવતી એકતના સુવિશુધ્ધ પાલનને માટે આ અતિચારોથી -દોષ સેવનથી સંભવતઃ નિવૃત્ત રહેવું જોઈએ.
[8] સંદર્ભ# આગમસંદર્ભ-કરતપિ વગર...રૂરિય પરિહિયા મળે, ગારિપહિયા મળે अणंगकीडा परविवाहकरणे कामभोएसु तिव्वाभिलासो - उपा. अ१-सू.७/४
૪ તત્વાર્થ સંદર્ભમૈથુનમબ્રહ્મ – ૭:૨૨ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિત સૂત્ર ગાથા:૧૬ અભિનવટીકાર (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ (૩)યોગશાસ્ત્ર
(૪)ધર્મરત્ન પ્રકરણ અ. ૭૮
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્યઃ(૧) પરવિવાહે દોષ મોટો પરિગૃહીતા ભાવમાં
અપરિગૃહીતા સ્થાનામાંહિ દોષ છે પરભાવમાં અનંગક્રીડા તીવ્રકામ દોષ પંચક સેવતા વ્રત જ ચોથું મલિન થતાં ગુણ યશ તે ચૂકતાં પર વિવાહ કરી દેવો મોહે અણહક્કની સ્ત્રી ભોગવવી વેશ્યા વા તત્સમ નારીથી વ્યભિચાર જો થાયવળી સૃષ્ટી વિરુધ્ધ જે કામ સેવના કામક્રીડા ઉદ્દીપનતે
ચતુર્થ વ્રત અતિચાર પાંચ એ નડે ઉભય નરનારીને U [10] નિષ્કર્ષક-ચતુર્થઅણુવ્રતના અતિચારો થકી નિષ્કર્ષ રૂપે વિચારણા કરીએ તો ત્રણ ભાગમાં આ પાંચ અતિચાર વિચારી શકાય
(૧)બીજો અને ત્રીજો અતિચાર એ અપેક્ષાએ વ્રત ભંગ જ છે
(૨)પ્રથમ અતિચારમાં પરોક્ષ રીતે મૈથુન કરાવવા રૂપ પ્રવૃત્તિ જ છે છતાં તેમાં બીજા ચારની તુલનાએ વ્રતીની પરિણમતી ઘણી નિર્દોષ કે સ્વાભાવિક હોય છે પણ વ્રત ભંગ વૃત્તિનથી.
(૩) છેલ્લા બે અતિચાર માંમોહનીય કર્મના બંધનની દ્રષ્ટિએ અતિ અગત્યના છેતેમાં મૈથુન સેવન ન હોવા છતાં તે માટેના જબરજસ્ત આવેગ અને ભાવથી તો તીવ્ર મૈથુન સેવન રહે છે
સમગ્ર સમાજની દ્રષ્ટિએ પણ બીજો-ત્રીજો અતિચારતો અનૈતિકપણાનેજ પોષે છે અને ચોથો-પાંચમો અતિચાર પરંપરાએ અનેક રોગનો જનક છે. વળી સામાજિક ધોરણે અન્ય દુષણો ઉત્પન્ન કરાવવામાં પણ આ અતિચારો અતિ મહત્વના નિમિત્તો પુરા પાડે છે. માટે આ દોષોના વર્જનથી સામાજિક લાભ પણ થશે અને અગારી વતી એ અનગારપણાના આદર્શને લક્ષમાં રાખી ને પણ આદોષોસર્વથા ત્યાજય ગણવા જોઈએ
U T U V S T U
(અધ્યાયઃ૦-સાગ:૨૪ [1]સૂત્રતુ-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પાંચમાઅણુવ્રતના અતિચારોનું કથન કરે છે [2]સૂત્ર મૂળ ક્ષેત્રવાદિષસુવર્ણધનવા વાણીતાજુથમાણતિમાં: સૂિત્ર પૃથકક્ષેત્ર - વાસ્તુ હિષ્યજીવ - ધનધાન્ય-રાસીદાસ - કૃષ્ણ પ્રમાણ તમે
[4]સૂત્રસાર-ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણનોઅતિક્રમ, હિરણ્ય અને સુર્વણના પ્રમાણનો અતિક્રમ,ધન અને ધાન્યના પ્રમાણનો અતિક્રમ, દાસી અને દાસના પ્રમાણનોઅતિક્રમ તેમજ કુષ્યના પ્રમાણનો અતિક્રમ એિ પાંચ અતિચાર પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતના છે]
U [5]શબ્દશાનઃક્ષેત્ર-ખેતર
વાસુ-ઘર જિ- રજત
. -સોનું
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧૫
અધ્યાય: ૭ સૂત્રઃ ૨૪ વન-ચતુષ્પદ
પાર્જ-મગ,અળદ વગેરે રાણીવાસ-નોકર ચાકર કે પક્ષી છુષ્ય- લોઢ વગેરે ધાત U [6]અનુવૃત્તિઃ- (૧)વ્રતશકુ પડ્યું પડ્યું યથાક્રમ” સૂત્ર ૭:૧૯
(૨)શડ્ડી ક્ષ. સૂત્ર ૭:૧૮ થી તિવારી: 1 [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ આ સૂત્રમાં અણુવ્રત ના અતિચારોને જણાવેલા છે. અહીં સુત્રમાં તો ક્ષેત્ર-વાસ્તુ આદિના પ્રમાણનો અતિક્રમ જ જણાવેલો છે પણ પૂર્વસૂત્ર થકી અતિચાર શબ્દની અનુવૃત્તિ કરવામાં આવી છે. વળી સૂત્રઃ૧૯ના અધિકાર મુજબ સૂત્રક્રમના પ્રામાણ્ય અનુસાર પાંચમાં પરિગ્રહ પરિણામ વ્રતના અતિચારો જ લેવા.
[૧]ક્ષેત્ર-વાસ્તુ પ્રામાણાતિક્રમ:–ક્ષેત્ર- જે જમીન ખેતી વાડી લાયક હોય તે ક્ષેત્ર. તેના ત્રણ પ્રકાર છે (૧)સેતુક્ષેત્રઃ-રેંટ,કોષ વગેરે થી પાણી કાઢીને જયાં ધાન્યાદિ નિપજાવી શકાય તે સેતુક્ષેત્ર (૨)કેતુક્ષેત્ર- જયાં વરસાદ થી જ ધન-ધાન્યાદિ નિપજાવી શકાય તે કેતુ ક્ષેત્ર (૩)સેતુ-તું ક્ષેત્ર-જયાં ઉકત બંને રીતે ધન-ધાન્યાદિ નિપજાવી શકાય તે સેતુ તું ક્ષેત્ર के क्षेत्रं सस्योत्पत्ति भूमिः । तच्च सेतुकेतुभेदाद् द्विविधम् । -વાસ્તુ- રહેવા લાયક મકાન તે વાસ્તુ ૪ રહેવા માટેના ઘર,નિવાસસ્થાન, હાટ,હવેલી આદિબાંધકામ વાળી જગ્યાઓએ વાસ્તુ જ આ વાસ્તુના ત્રણ પ્રકારો કહેલા છે (૧)ખાતગૃહદ ભૂમિની અંદર જે બાંધકામ કરવામાં આવ્યું હોય તે ખાતગૃહ. (૨)ઉચ્છિત ગૃહ:-ભૂમિ ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું હોય તે ઉચ્છિત ગૃહ (૩)ખાતોઉચ્છિત ગૃહ-નીચે ભૂમિમાંતથા ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોય તે.
ઉકત ત્રણે પ્રકારના ક્ષેત્ર અને ત્રણ પ્રકારના વાસ્તુ (મકાન)માંથી પોતાના થકી અમુક રાખવા અને બાકીનાનો ત્યાગ કરવો અથવા ક્ષેત્ર-વાસ્તુનું પરિમાણ નક્કી કરવું તેક્ષેત્ર-વાસ્તુ પરિગ્રહ પરિમાણ. આ પરિણામ-સરહદો ભુંસવાથી, વચ્ચેની દીવાલ પડી જવાથી કે એવા અન્ય કોઈપણ લોભાદિ કારણોસર ધારેલી સંખ્યાની મર્યાદા ઓળંગાય અથવા પરિગ્રહ પ્રમાણમાંધારેલ ક્ષેત્ર-વાસ્તુથી વધુ ક્ષેત્રને વાસ્તુનો સ્વીકાર કરવો તેક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ તેને પરિગ્રહ પરિમાણ વ્રત અથવા અપરિગ્રહાણ વ્રતનો પહેલો અતિચાર કહ્યો છે
[૨]હિરણ્ય-સુર્વણ પ્રમાણાતિક્રમ:હિરણ્યઃ- ઘડાયેલ કે નહીં ઘડાયેલ રજત-રૂપું
रजतं घटितमघटितं वाऽनेकप्रकारं पत्रादिकम् । સુવ- સોનું.
શ્રાવક અતિચાર અંગેનો વિભિન્ન ગ્રન્થોમાં કોઈક હિરણ્ય એટલે કાચું સોનું અથવા નહિ ઘડેલું સોનું અને સુવર્ણ એટલે ઘડેલું સોનું એવો અર્થ પણ કરે છે
પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરતી વખતે આ રૂપ અને સોનું એ બંનેનું જે પરિમાણ
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે ઉલ્લંઘન કરેલ હોય તેને હિરણ્યસુવર્ણપ્રમાણાતિક્રમ નામનો અપરિગ્રહાણુવ્રત નો બીજો અતિચાર કહ્યો છે
નોંધ:-અહીંચાંદી-સોનાના ઉપલક્ષણથી ઉચ્ચ પ્રકારની અન્ય ધાતુઓ, રત્ન,ઇન્દ્રમણી વગેરે કિંમતી પત્થર,રોકડ આદિ બહુમૂલી સર્વેનું ગ્રહણ કરવું
[एतद्ग्रहणाच्चइन्द्रनीलमरकतादि उपलक परिग्रहः] [૩]ધન-ધાન્ય પ્રમાણતિક્રમધનઃ-ગાય,ભેંસ,બળદ,આદિ ચારપગા પશુરૂપ ઘન # ઘોડા,હાથી, પાડા,ઘેટા, બકરા,ગાય વગેરે ચતુષ્પદ તે ધન # ધન –મદિષ્ય - મનવા - મ - તુરી - અમૃત વતુષઃ પરિપ્રદ્દઃ | ધાન્યઃ- ઘઉં,બાજરી,ચોખા આદિધાન્ય पर व्रीहि-कोद्रव-मुद्ग-माष-तिल-गोधूम-यव प्रमृति -ધન ચાર પ્રકારે પણ કહ્યું છે ગ્રિન્થાન્તરથી ધનનું સ્વરૂપ (૧)ગણિમ:- જે વસ્તુઓ ગણીને લેવાય જેમ કે શ્રીફળ-સોપારી વગેરે (૨)ધરિમ - જે વસ્તુઓ ધારીને-તોલીને લેવાય તે ઘરિમ. જેમ કે ગોળ સાકર (૩)મેય - જે વસ્તુઓ માપીને કે ભરીને લેવાય જેમ કે ઘી,તેલ,કાપડ વગેરે. (૪)પરિચ્છેદ્યઃ- જે વસ્તુ કસીને કે છેદીને લેવાય જેમ કે સુર્વણ રત્ન વગેરે. [નોંધઃ-તત્વાર્થ સૂત્ર વૃત્તિ અનુસાર તો ધન માં ચતુષ્પદ નો સમાવેશ કરાયેલો છે –ધાન્ય ચોવીસ પ્રકારે ગણાવાય છે
જવ, ઘઉં, શાલિ,ડાંગર,સાઠી,કોદરા,જુવાર, કાંગ,રાલક,તલ,મગ,અડદ,અળસી,ચણા, મકાઈ,વાલ,મઠ,ચોળા,બંટી, મસૂર, તુવેર,કળથી,ધાણા, વટાણા
આ રીતે વિવિધ પ્રકારના ધન-ધાન્યમાંથી અમુક જ ધન ધાન્ય પોતાના ઉપયોગ માટે છૂટું રાખવું પણ તેથી વધારેનો ત્યાગ કરવો તે ધન-ધાન્ય પરિગ્રહ પરિમાણ કહેવાય છે.
કોઈપણ પ્રકારની ભૂલ-ચૂકથી આ મર્યાદાનો ભંગ થાય અર્થાત ધારેલ પ્રમાણથી અધિક ધન-ધાન્યનો સ્વીકાર કરવો તે ધન-ધાન્ય પરિગ્રહ પરિમાણ અતિક્રમનામનો અપરિગ્રહવ્રત નામનો ત્રીજો અતિચાર કહ્યો છે.
[૪]દાસ-દાસ પ્રમાણાતિક્રમ૪ નોકર ચાકર વગેરેના પ્રમાણનો અતિક્રમ કરવો તે દાસ દાસી પ્રમાણીતિક્રમ
૪ અહીં દાસ-દાસી શબ્દથી બે પગા નોકર-ચાકર-ચાકરડી વગેરે ઉપરાંત મોરપોપટી-મેના વગેરે પક્ષીઓ પણ ગ્રહણ કરવાના છે
ધારેલ પ્રમાણથી વધુનોકર-ચાકરનો કેમેના-પોપટ આદિપક્ષીનો સંગ્રહ કરવોઅર્થાનિયત કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે દાસી-દાસ પ્રમાણતિક્રમ નામક ચોથો અતિચાર સમજવો.
# નોંધ-વંદિતસૂત્ર-ધર્મરત્નપ્રકકરણ આદિગ્રન્થોમાં દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ એવો અતિચાર કહે છે.
दासीदासा: कर्मकरा: उपरुधिका वा परिणयनादिविधिना स्वीकृता वा पत्नीत्यादि सकलद्विपदाभिगृहीतपरिमाणातिक्रमोऽतीचारः । ततश्च हंस-मयूर-कुर्कुट-सारीकादिनां च
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૪ प्रमाणातिक्रमे अतिचार: [૫] કુષ્ય પ્રમાણતિક્રમઃ
ૐ અનેક પ્રકારના વાસણો અને કપડાંઓનું પ્રમાણ નક્કી કર્યા બાદ તેનો અતિક્રમ કરવો તે કુષ્ય પ્રમાણતિક્રમ
રાચરચીલામાંજે-જે વસ્તુઓનું જેટલું પ્રમાણ રાખ્યુ હોય તેના કરતા વધારે પરિગ્રહ કરવો ૐ અલ્પ કિંમત વાળી લોઢું વગેરે ધાતુઓની વસ્તુઓ,ઘરઉપયોગી રાચરચીલું, કાષ્ટઘાસ વગેરેનો કુપ્પમાં સમાવશ થાય છે.નક્કી કરેલ કુપ્પ પરિગ્રહ પરિમાણની મર્યાદાનું ઉલ્લંધન કરવું તે કુષ્ય પ્રમાણાતિક્રમ સમજવો
કુષ્ય એટલે સોનારૂપા સિવાયની સર્વધાતુઓ તેમજ ઉપલક્ષણથી ઘરનું તમામ ફર્નિચર આદિ ઘરવખરીઓ, તેનું જે પ્રમાણ નક્કી કરવું તે કુપ્પ પરિણામ આ મર્યાદાનું ભૂલ ચૂક કે લોભાદિ વશ ઉલ્લંઘન તે કુષ્ય પ્રમાણાતિક્રમ
कुप्यं कांस्य- लोह - ताम्र-सीसक- त्रपु - मृद्भाण्डक - त्वचिसार विकारोदन्तिका -रोदन्तिका -काष्ठकुण्डक - पारी- मञ्चक-मञ्चिकादिप्रमाणातिरेकग्रहणमत्तिचार इति ।
આ પ્રમાણે ઇચ્છા પરિમાણ વ્રત અથવા અપરિગ્રહાણુવ્રતના પાંચ અતિચારો કહ્યા છે. *વિશેષઃ- અપરિગ્રહાણુવ્રત ના પાંચ અતિચારો કહ્યા છે તેમાં ધારેલ મર્યાદાથી વધુ ક્ષેત્ર-વાસ્તુઆદિનો સ્વીકાર કરવો તે સાક્ષાત્રીતે વ્રત ભંગ જ થતો હોવા છતાં કેટલાંક કારણોથી તે વ્રત ભંગ ગણાતો નથી
-૧ યોજનઃ- યોજન એટલે જોડવું. એક ઘરના પ્રમાણ વાળાને અધિકની જરૂર પડે ત્યારે કે અન્યકારણે બીજુંઘર લેવું હોય ત્યારે પોતાના ઘરને અડીને જ બીજુંઘર લઇ વચ્ચેની દીવાલ પાડી દઇ સળંગઘર બનાવી દે .આ રીતે એકજ ઘર ગણે ત્યારે તેના મનમાં વ્રત ભંગ ન થાય માટેઆવું કરવું એવો ભાવ હોવાથી અપેક્ષાએ તેને ભંગ ન ગણતા અતિચાર કહ્યો છે.
-૨ પ્રદાનઃ- એટલે આપવું. સુવર્ણ આદિનું પ્રમાણ કર્યાપછી કોઇની પાસેથી બીજું મળે ત્યારે વ્રતભંગની ભીતિથી હમણાં તમારી પાસે રાખો એમ કહી બીજાને આપી દે . વ્રતની અવિધ પૂરી થતા લઇલે
-૩ બંધનઃ- બંધન એટલે ઠરાવ. પરિમાણ નક્કી કર્યા બાદ બીજા પાસે થી અધિક મળે ત્યારે વ્રત ભંગના ડરથી એમ કહે કે હમણાં તમારી પાસે રાખો અમુક સમય પછી થી હું લઇ જઇશ આવો કરાર કરી પોતાની સમયમર્યાદા પૂર્ણ થયેથી તે વસ્તુ મેળવી લે
-૪ કારણઃ- જેમ કે તે અગારી વ્રતીએ ગાય કે બળદનું પરિમાણ નક્કી કરેલ છે, હવે તે ગાયને ગર્ભ રહે અને વાછરડાદિનો જન્મ થાય ત્યારે એમ વિચારે કે મારે તો ગાય કે બળદ નોનિયમ છે. વાછરડા -વાછરડી નો અભિગ્રહ નથી તે તો મોટા થશે ત્યારે ગાય કે બળદ થશે માટે કોઇ વ્રતભંગ નથી આ રીતે આ વાછરડાદિને ગાય કે બળદ ન માનતા તેના કારણ માનો. [૫] ભાવઃ- ભાવ એટલે પરિવર્તન.માનો કે દશથી વધુ ચાંદીના પ્યાલાનો નિયમ છે ભેટ કે અન્ય કારણોસર બીજા પાંચ પ્યાલા મળે, ત્યારે વ્રતનો ભંગ કરવો નથી અને પ્યાલાનો લોભ પણ છોડવો નથી, તેથી પ્યાલા ભંગવીને નાનામાંથી મોટા પ્યાલા કરાવી દે અને વ્રત ની સંખ્યા જેમ ને તેમ જ રાખે, આ પાંચ બાબત માં સાક્ષાત્ નિયમ ભંગ હોવા છતાં હૃદયમાં
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્રતભંગનો ભય છે. વ્રત સાપેક્ષતાથી તે અપેક્ષાએ અનાચાર નથી માટે તેને અતિચાર કહેવાય છે.
[8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ-ડું પરિમાપ. ..થઇનમાબાડમેર વહુમાફીમે हिरण्णसुवण्णपरिमाणाइक्कमे दुपयचउप्पयपरिमाणाइक्कमे कुवियपमाणाइककमे
જ ૩૫-જૂ ૭-૫ # તત્વાર્થ સંદર્ભ-મૂચ્છપ્રદ પૂત્ર ૭:૨૨ 0 અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિતુ સૂત્ર ગાથા ૧૯ પ્રબોધટીકા ૨ (૩)ઘર્મરત્ન પ્રકરણ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૪)યોગશાસ્ત્ર U [9]પદ્ય(૧) ક્ષેત્ર વાતું રૂપું સોનું ધન ધાન્ય જ ધારણા
દાસ દાસી ધાતુ હલકી પંચ દોષજ વારણા સંખ્યા થકી નવિ દોષ સેવે મિશ્ર દોષો દાખવે વત પંચમ મલિન થાતાં શ્રાળુણ ન સાચવે ખેતર મકાન ચાંદી સોનું પ્રમાણ ઓળંગી જાવું પશુ ધન ધાન્ય તણુંયે તેમજ પ્રમાણ છોડી લલચાવ નોકર ચાકર વાસણ કપડાં કુખ્ય પ્રમાણ વટી જવું
પંચમ અણુવ્રત ના એ પાંચ અતિચારો થી રહિત થવું U [10]નિષ્કર્ષ-પાંચમાઅપરિગ્રહાણુવ્રતનાઅતિચારોને અત્રે જણાવતા સૂત્રકાર મહર્ષિ અગારી વ્રતને નિરતિચાર વ્રત પાલન માટે ના દિશા સુચનો કરે છે. સામાજિક રીતે વિચારીએ તો પણ આ વ્રતના યથાયોગ્ય પાલનથી સંતુષ્ટ સમાજ ઉભો થાય છે. ખોટી લાલસા, પટારા ભરવાની વૃત્તિ, તદૂજન્ય કલહ-કંકાસ-કોર્ટ-કચેરીથી સમાજ મુકત બને છે તેમ આ વ્રતને ધારણ કરેલો અગારી વ્રતી લોભ કષાયનો કમશઃ કે પરંપરાએનિગ્રહ કરનારો બને છે. લોભનો નિગ્રહ થાય ત્યારે ક્રોધાદિત્રણનો નિગ્રહ તો અવશ્ય થયેલો જ હોય છે જીવ બારમાગુણઠાણાને વટાવી સયોગી અયોગી કેવળી થઈ મોક્ષને પામે છે.
0 0 0 0 0.
અધ્યાયઃ-સૂત્ર:૨૫ U [1]સૂaહેતુ આ સૂત્ર થકીછ8ાવતનાઅર્થાત પહેલા શીલવ્રતના અતિચારો જણાવે છે U [2] સૂત્રમૂળ ઉદ્ઘતિર્થવ્યતિમક્ષેત્રવૃદિમૃત્યનાનિ
[3]સૂત્ર પૃથક-૩ર્ણ-મધ-તિ તિમ્ ક્ષેત્રવૃદ્ધિ -મૃતિ મન્તર્યાન U [4]સૂત્રસાર-ઉદ્ઘવ્યતિક્રમ અધોવ્યતિક્રમ તિર્થવ્યતિક્રમ,ક્ષેત્રવૃધ્ધિ અને સ્મૃતિ*દિગમ્બર માસ્નાયમાં આ સૂત્ર સર્વાધર્તિવ્યતિમ ક્ષેત્રવૃદ્ધિનૃત્યનરધાનને એ પ્રમાણે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૫
૧૧૯ અંતર્ધાન [એ પાંચ છઠ્ઠાવ્રતના અર્થાત્ પહેલાદિગુવિરતિ નામેશીલવતના અતિચારો છે U [5] શબ્દજ્ઞાનઃસર્ણ-ઉપર
મો-નીચે તિર્ય-તિર્લ્ડ
તમ-ઉલ્લંઘન ક્ષેત્રવૃદ્ધિ-એક દિશામાંથી ઘટાડી બીજી દિશામાં વૃધ્ધિ કરવી મૃતિ-સંત- લીધેલા નિયમની સ્મૃતિ ભૂલાઇ જવી U [6] અનુવૃત્તિઃ- (૧)વ્રતશીગુ પચ્ચે પવૂ યથાક્રમમ્ સૂત્ર ૭:૧૯
(૨)શડ્ડા વોડા..સૂત્ર ૭:૧૮ થી તવારી: U [7]અભિનવટીકાઃ-આસૂત્ર થકીશીલવતમાંનાપ્રથમશીલવ્રત એવાદિવિરતિ વ્રતના પાંચ અતિચાર જણાવે છે. અહીં તિવીર શબ્દની અનુવૃત્તિ પૂર્વ સૂત્ર થી કરવામાં આવી છે અને વ્રત–ઉં સૂત્ર ૭:૧૮ મુજબ શીલવ્રતમાં પ્રથમ દિવિરતિ વ્રત હોવાથી આપાંચે અતિચારો પણ દિવિરતિ વ્રતના કહ્યા છે.
[૧] ઉર્ધ્વ વ્યતિક્રમ-૪ વ્રતમાં ઉંચી દિશામાં જવાની મર્યાદા ઓળંગવી તે.
# ઝાડ,પર્વત વગેરે ઉપર ચડવામાં ઉંચાઇનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભ આદિ વિકારથી તે પ્રમાણની મર્યાદા તોડવી એ ઉર્ધ્વ વ્યતિક્રમ.
$ ઉપરની દિશામાં પહાડ આદિ ઉપર ભૂલથી ધારેલ પ્રમાણ કરતા અધિક ઉંચે જવું તે દિવિરતિ શીલવત નો પ્રથમ અતિચાર કહ્યો છે.
ઉપરની દિશાતે ઉર્ધ્વદિશા, તેના પ્રમાણનું અતિક્રમ તે ઉર્ધ્વદિ પ્રમાણાતિક્રમ. 4 उर्ध्व पर्वततरुशिखरारोहणादिपरिणामम् तस्य व्यतिक्रमम् [૨]અધોવ્યતિક્રમ:- વ્રતમાં નિચે જવાની રાખેલી મર્યાદા ઓળંગવી જે નીચે જવાનું જે પરિમાણ તેનો મોહવશ ભંગ કરવો તે અધો વ્યતિક્રમ. # નિચેની દિશામાં કૂવા-ભોયરા-ખાણ-દરીયામાં નીચાઈ આદિએ જતા ધારેલ પ્રમાણથી વિશેષ નીચે જવું તે પ્રથમ શીલવ્રતનો બીજો અતિચાર- “અધો વ્યતિક્રમ” 4 अधश्चाधोलौकिकग्रामभूमिगृहकूपादिपरिमाणम् । तस्य व्यतिक्रमम् । [૩] તિર્યગુ વ્યતિક્રમ:$ વ્રત લેતા પોતાની આજુબાજુબધી દિશામાં જવાની મર્યાદા રાખી હોયતે ઓળંગવી
૪ તીછજવાના નક્કી કરેલા પ્રમાણનો મોહવશ ભંગ કરવા તે તિર્યમ્ વ્યતિક્રમનામે ત્રીજો અતિચાર કહ્યો છે
# તિર્છા પૂર્વાદિ આઠ દિશામાં ધારેલ પ્રમાણથી ભૂલ-પ્રમાદ કે અન્ય કારણે આગળ જવું તેને પ્રથમ શીલવ્રત દિવિરમણ વ્રતનો ત્રીજો અતિચાર કહ્યો છે
4 तिर्यगपि योजनमर्यादाभिग्रहव्यतिक्रमः । [૪]ક્ષેત્રવૃધ્ધિઃ# વધુજવાની ઇચ્છાથી એકતરફની મર્યાદા ઘટાડીને બીજી તરફની મર્યાદા વધારીનાખવી # પૂર્વાદિ જુદી જુદી દિશામાં જુદું જુદું પ્રમાણ સ્વીકાર્યા બાદ ઓછા પ્રમાણ વાળી
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દિશામાં ખાસ પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે બીજી દિશામાંના સ્વીકારેલા પ્રમાણમાં અમુક ભાગ ઘટાડી ઈષ્ટ દિશાના પ્રમાણમાં વધારો કરવો તે ક્ષેત્રવૃધ્ધિ
૪ ક્ષેત્રવૃધ્ધિ-જેમકે પૂર્વ દિશામાં ૫૦કિલોમિટર મર્યાદા પ્રમાણ છે, પશ્ચિમ માં પણ ૫૦ કિલોમિટરની મર્યાદા નક્કી કરે છે માનો કે તેને પૂર્વ દિશામાં ૦ક્લિોમિટર જવું છે તો પશ્ચિમ માં ૪૦ કિલોમિટર હદમર્યાદા નક્કી કરી પૂર્વમાં ૬૦ કિલોમિટર મર્યાદા કરવી તે ક્ષેત્રવૃધ્ધિ
$ ઉપર નીચે તથા ચારે દિશામાં અમુક અંતરેથી વધારે દૂર ન જવાની મર્યાદા નક્કી કરી હોય, તેમાં એક દિશાનું માપ ઘટાડીને બીજી દિશાનું માપ વધારવું તે ક્ષેત્ર-વૃધ્ધિ નામક ચોથો અતિચાર છે
[૫]સ્મૃતિ-અંતર્ધાનઃ
# વતમાં રાખેલા દિશાના માપોભૂલી જવા અથવા દિશા ભૂલી જવી અથવામાપ કરતાં ભૂલથી વધારે જવાઈ જાય તેનો ખ્યાલ ન રહેવોએ મૃત્તિ અંતર્ધાન નામક અતિચાર છે
$ દરેક નિયમના પાલનનો આધાર સ્મૃતિ ઉપર છે એમ જાણવા છતાં, પ્રમાદ કે મોહવશ નિયમનું સ્વરૂપ તેની મર્યાદા ભૂલી જવા તે મૃત્યંતર્ધાન. - ૪ લીધેલા નિયમને ભૂલી જવું અને ભૂલી ગયા પછી ધારેલ પ્રમાણથી દૂર નીકળી જવું તે. જેમકે ૫૦કિલોમિટર ધાર્યા પછી ભૂલાઈ જાય કે ૫૦ધાર્યા હશે કે ૧૦૦ કિલોમિટર. ત્યારે સ્મૃતિ દોષ થવાથી આગળ વધવું તેને અતિચાર કહ્યો છે. નિયમનું યાદ રહેવું જરૂરી છે. ભૂલી જવું તે અતિચાર છે. જો કે શ્રાવકે ૫૦ધાર્યા કે ૧૦૦તેવી શંકા જાય ત્યારે ૫૦થી આગળ જવું ન જોઈએ છતાં જાય ત્યારે વ્રતભંગનો ભાવ ન હોવાથી અતિચાર કહ્યો છે.
જ પ્રશ્ન - સ્મૃતિ અંતર્ધાન તો બધા વ્રતને લાગુ પડે છે પછી માત્ર આ વ્રતનો અતિચાર જ કેમ કહ્યો?
સમાધાનઃ-શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં જણાવે છે કેમકંવતિવર: સર્વત્રતસાધારો પષ્ય લડ્યા પૂરાર્થમ્ સત્ર ૩પ: અર્થાત પાંચની સંખ્યાની ગણતરી માટે આ અતિચારને અહીં સ્વીકારવામાં આવેલ છે બાકી આ અતિચાર સર્વ વ્રતો માટે છે
0 [8] સંદર્ભઃ
૪ આગમ સંદર્ભ-વિલિબ્રયર્સ પંખ્યR/...ડિિસપરિમાફિમે अहोदिसिपरिमाणाइक्कमे तिरियदिसिपरिमाणाइक्कमे खेतुवुढिस्स सूइ अंतरङ्ढा
* ૩૫, ૨,. ૭-૬ ૪ તત્વાર્થ સંદર્ભઃ-વિ, વિરતિ સંપન્ન પૂ. ૭:૨૬ જ અન્યગ્રન્થ સંદર્ભ(૧)વંદિતુ સૂત્ર-ગાથા ૧૯ પ્રબોધટીકા-૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૪)ઘર્મરત્ન પ્રકરણ U [9]પદ્ય(૧) ઉંચી દિશી,અધો દિશી વળી તિછ સ્થાનમાં
ધારણાથી અધિક જાતાં દોષ ત્રણે માનવા
Page #122
--------------------------------------------------------------------------
________________
૧ ૨૧
અધ્યાય: ૭ સૂત્રઃ ૨૬
ક્ષેત્રવૃધ્ધિ દોષ ચોથો પાંચમો હું હવે ભણું
મૃતિ ચૂકે વ્રત દિશાની દોષ પંચકને હણું (૨) મોહ થાય દિશા ભંગ તીરછો ઉંચ નીચ જે
ક્ષેત્ર વૃધ્ધિ સ્મૃતિ ભૂલ દિવ્રતે અતિચાર તે [10]નિષ્કર્ષ-સૂત્રકારમહર્ષિશીલવ્રતની શુધ્ધિ માટે દોષોની ગણના કરાવતા અત્રે પાંચ દોષોને જણાવે છે. તે દોષોના નિવારણ થકી શીવ્રતની શુધ્ધિ થાય છે. તદુપરાંત સ્મૃતિ અંતર્ધાન અતિચાર એક મહત્વની વાત કહી જાય છે કે જીવને કોઈપણ નિયમમાં સ્મૃતિ ભેશ થવો જોઈએ નહીં. સ્મૃતિ ભ્રંશ એ એક પ્રકારનો પ્રમાદ છે અને જીવ અપ્રમત થયા સિવાય કદાપી મોક્ષગમન કરી શકતો નથી માટે સર્વવ્રતમાં લાગુ પાડતા એવા અતિચારને ધ્યાનમાં લઈને અપ્રમત્તતા કેળવવા પ્રયત્ન શીલ થવું એજ આ સૂત્રનો નિષ્કર્ષ છે.
OOOOOOO
(અધ્યાય -સૂત્રઃ૨૯) U [1]સૂત્રહેતુ: પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર દેશવિરતિકતના અતિચારોને જણાવે છે. U [2] સૂત્ર મૂળ-માનવનયોરન્દરૂપનુપતિપુત્રક્ષેપ:
[3] સૂત્ર પૃથક- નયન - Dધ્યપ્રયોગ - શબ્દ - કૃપાનુપાત- ક્ષેપ: U [4] સૂત્રસાર-આનયનપ્રયોગ પ્રખ્યપ્રયોગ,શબ્દાનુપાત,રૂપાનુપાત,અને પુગલ ક્ષેપએ પાંચ બીજા શીલવ્રત અર્થાત્ સાતમા વિરતિ વ્રતના અતિચારો છે
U [5] શબ્દશાનઃગાયન-નિયત મર્યાદા બહાર ના દેશ થી દ્રવ્યનું મંગાવવું. ષ્ય-નિયત મર્યાદા થી અધિક દેશમાં વસ્તુ મોકલવી. NI- ક્રિયા, પ્રવૃત્તિ-આ શબ્દ પૂર્વના બંને શબ્દો સાથે જોડવો] -ખાંસી,ખોંખારા વગેરે અવાજ [થકી બોલાવવું. -શરીર શરીરના અંગો કે કાયિક ચેષ્ટા થકી બોલાવવું અનુપાત -ફેંકવું શબ્દ અને રૂપ બંને સાથે જોડાયેલ શબ્દ છે પુરારક્ષેપ- કાંકરી કે ટેકું વગેરે નાંખીને [કોઈ ને બોલાવવું U [6] અનુવૃત્તિઃ- (૧)વ્રતશીóg પર્વે પબ્ધ યથાક્રમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શડ્ડી ક્ષા..સૂત્ર ૭:૧૮ થી તિવારી: શબ્દ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા -બીજું શીલવ્રત કે જેદેશાવકાસિક અથવા દેશવિરતિ નામ થી ઓળખાય છે તેમાં વિશુધ્ધિ લાવવાના હેતુથી અહીં સૂત્રકાર મહર્ષિ પાંચ દોષોને જણાવે છે પૂર્વના સૂત્રોમાં કહ્યું છે તેમ અહીં પણ તિવાર શબ્દની અનુવૃત્તિ ચાલે છે અને વ્રત શો.. યથાશ્રમ માં જણાવેલ યથાર્ગમ ના અધિકાર મુજબ આ બીજા શીલવ્રતના અતિચારો છે
[૧]આનયન પ્રયોગ - નિયત ભૂમિ થકી બહારથી ઈચ્છિત વસ્તુ મંગાવવી
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ અગારી વતીએ જેટલા પ્રદેશનો નિયમ કર્યો હોય, તેની બહાર રહેલી વસ્તુની જરૂરિયાત પડે ત્યારે પોતે ન જતાં સંદેશા આદિથકી બીજા પાસે વસ્તુ મંગાવવી તે આનયન પ્રયોગ.
# વતની મર્યાદા બાંધતી વખતે ધારેલ પ્રમાણથી અધિકદેશમાં રહેલ વસ્તુને કાગળ,ચિઠ્ઠી ,તાર,ટેલીફોન આદિ દ્વારા અન્ય પાસેથી મંગાવવી, આ અતિચાર ને આનયન પ્રયોગ કહેવાય છે
$ આનયન એટલે લાવવું, પ્રયોગ એટલે ક્રિયા.
પોતે જે સ્થળમાં વ્રત લઈને બેઠો હોય તેની બહારની જગ્યામાંથી કોઈની મારફત કાંઈપણ મંગાવવું તે આનયન પ્રયોગ નામનો દેશ વિરતિ વ્રતનો પહેલો અતિચાર છે
विशिष्टावधिके भूप्रदेशाभिग्रहे परतो गमनासम्मवात् सतो यदन्योऽवधिकृतदेशाद् बहिर्तिनः सचित्तादिद्रव्यस्यानयनायप्रयुज्यते त्वया इदम् आनेयं सन्देशकपदानादिनाऽऽनयप्रयोगः ।
[૨]Dષ્ય પ્રયોગ:- નિયમિત ભૂમિ થકી બહાર ઇચ્છિત વસ્તુ મોકલવી.
t જેટલા પ્રદેશનો નિયમ કર્યો હોય તેની નિયત કરેલી જગ્યાની મર્યાદા બહાર કામ પડે ત્યારે જાતે ન જતાં નોકર આદિને હુકમ કરી બહાર મોકલીને કામ પતાવવું
$ ધારેલ પ્રમાણ થી અધિક દેશમાં કોઈ વસ્તુ મોકલવાની હોય યા અન્ય કોઈ કાર્ય કરવું હોય તો નોકર આદિને મોકલીને કરાવે
જ શ્રેષ્ય એટલે મોકલવું અને પ્રયોગ એટલે ક્રિયા
પોતેજે સ્થાનમાં વ્રતલઈને બેઠો હોય, ત્યાંથી કોઈપણ કારણે નોકર વગેરેને કામકાજ માટે બહાર મોકલવો તે શ્રેષ્ઠ પ્રયોગ. આ બીજા શીલવ્રત નો બીજો અતિચાર છે.
र यत्राभिगृहितप्रविचार देशव्यतिक्रमभयात् प्रेष्यं प्रहिणोतित्वयाऽवश्यमेव गत्वामम गवादि आनेयं इदं वा कर्तव्य तत्र इति प्रेष्यप्रयोगः
* આનયન પ્રયોગ અને પ્રેષ્ય પ્રયોગ વચ્ચેનો ભેદઃ
(૧)આનયન પ્રયોગમાં નિયત મર્યાદા બહારના દેશમાંથી વસ્તુને પોતાની પાસે મંગાવવાની હોય છે જયારે પ્રેષ્ઠ પ્રયોગ માં ધારેલ દેશથી અધિક દેશમાં સમાચાર કે વસ્તુ મોકલવાની હોય છે.
(૨)આનયન પ્રયોગમાં જેને સંદેશો મોકલેલ હોય તે વસ્તુ લઈને આવે છે. જયારે શ્રેષ્ઠ પ્રયોગમાં ખાસ નોકર આદિને મોકલવામાં આવે છે.
[૩]શબ્દાનુપાત -૪ શબ્દ કરીને કોઈને બોલાવવો
# સ્વીકારેલી મર્યાદા બહાર રહેલા કોઈને બોલાવી કામ કરાવવું હોય ત્યારે ખાંસી,ઠસકું આદિ શબ્દ દ્વારા તેને પાસે આવવા માટે સાવધાન કરવો તે શબ્દાનુપાત.
# નજીકમાં ખોંખારો,ઉધરસ વગેરે થકી, દૂર તાર, ટેલીફોન વગેરે થી શબ્દોનો અનુપાત કરવા વડે-ફેંકવા વડે વ્રતમાં નિયત કરેલ મર્યાદા બહારના દેશમાં રહેલ વ્યકિતને બોલાવવી તે દેશ વિરતિ વ્રતનો શબ્દાનુપાત નામે ત્રીજો અતિચાર કહ્યો છે.
જ પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય ત્યાંથી ખોંખારો ખાઈને કે ઉંચેથી અવાજ કરીને પોતાની હાજરી જણાવનારી ચેષ્ટા કરવી તે શબ્દાનુપાત છે.
4 शब्दमनुपतति इति शब्दानुपात: । अथवा शब्दस्यानुपतनम् - उच्चारणं ताद्दग येन
Page #124
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૬
परकीयश्रवणविवरमनुपतति शब्दः [૪]રૂપાનુપાતઃ
પોતાનું રૂપ દેખાડીને બોલાવવો
કોઇપણ જાતનો શબ્દ કર્યા વિના માત્ર આકૃતિ બતાવી બીજા ને પોતાની નજીક આવવા સાવધાન કરવો તે રૂપાનુપાત.
૪ વ્રત મર્યાદામાં નિર્ધારેલ દેશથી અધિક દેશમાં રહેલ વ્યકિત ને બોલાવવા ધારેલ દેશમાં ઉભા રહીને પોતાનું શરીર,શરીરના અંગો, આકૃતિ કે તેવા પ્રકારની કાયિક ચેષ્ટા બતાવવી તે રૂપાનુપાત નામે દેશવિરતિ વ્રતનો ચોથો અતિચાર જાણવો.
પોતે જે સ્થાનમાં બેઠો છે ત્યાંથી ઉંચો-નીચો થઇને કે મકાનાદિની જાળીએ-બારીએ આવીને પોતાની હાજરી દર્શાવનારી ચેષ્ટા કરે તે રૂપાનુપાત.
★ शब्दमनुच्चारयन्नुत्पन्नप्रयोजनः स्वशरीररूपं परेषां दर्शयति तद्दर्शनाच्च तत्समीपमागच्छन्ति ते द्दष्टारः इति रूपानपात:
[૫]પુદ્ગલક્ષેપઃ
માટી,પત્થર વગેરે પુદ્ગલ ફેકવા દ્વારા સંકેત કરવો.
તે અગારી વ્રતીએ જે પ્રમાણે ધારેલ હોય તે મર્યાદા થી અધિક દૂર,દેશમાં રહેલી વ્યકિતનું કામ પડતાં તેને બોલાવ વાધારેલ દેશની નજીક જઇને કાંકરો ફેંકીને જણાવે અથવા કોઇપણ રીતે પુદ્ગલ પ્રક્ષેપ દ્વારા પોતાના અસ્તિત્વને જણાવે
પુદ્ગલ એટલે કાંકરો,ઢેફું,પત્થર,લાકડું વગેરે નિર્જીવ પદાર્થો તેનો ક્ષેપ અર્થાત્ ફેંકવું તે પુદ્ગલ ક્ષેપ, એ દેશવિરતિ નામક બીજા શીલવ્રતનો પાંચમો અતિચાર છે.
૧૨૩
★ पुद्गलाः परमाण्वादयः । तत्संयोगाद् द्वयणुकादयः स्कन्धाः सूक्ष्मस्थलभेदाः । तत्र ये बादराकार परिणता लोष्टेष्टकाष्ठशकलादयः तेषां क्षेपः प्रेरणम् । कार्यार्थी हि विशिष्टदेशाभिग्रहे सति परतो गमनाभावात् लोष्टादीन् परेषां प्रतिबोधनाय क्षिपति ।
આ રીતે બીજા શીલવ્રતના જે પાંચ અતિચારો જણાવાયા છે તેમાં પોતે પોતાના શરીર થી નિયમિત દેશથી બહાર જતો નથી, એટલે એ દૃષ્ટિએ વ્રત ભંગ નથી પણ બીજા દ્વારા વસ્તુ મંગાવવી,બીજાને મોકલવો, શબ્દાનુપાત,રૂપાનુપાત,પુદ્ગલક્ષેપ આદિથી બોલાવવાવગેરેમાં નિયમનું ધ્યેય સચવાતું નથી નિયત મર્યાદા વાળા દેશથી બહાર હિંસાદિ અટકાવવા માટે દિશાનું નિયમન કર્યુ છે, હવે પોતે ન જવા છતાં ઉકત પાંચમાંના કોઇપણ દોષના આસેવનથી હિંસાદિનો સંભવ તો છે જ આ રીતે પરમાર્થ થી વ્રત ભંગ હોવા છતાં વાસ્તવમાં બીજી અપેક્ષાએ તે વ્રતભંગ ન હોવાથી તેને અતિચાર કહ્યા છે
] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભઃ-શાવાસિય...પગ્ન અડ્યા....આવ પયોો પેસવળપયોને सद्दाणुवए बहियापोग्गलापक्खवो + उपा. अ.१, सू. ७:१० તત્વાર્થ સંદર્ભ:-[વિ[] ટેશ...વિરતિ...વ્રતસંપન્ન ૭:૨૬ અન્યગ્રન્થ સંદર્ભઃ
(૧)વંદિતુ સૂત્ર-ગાથાઃ ૨૮ પ્રબોધટીકા- ૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ
(૪)ધર્મરત્ન પ્રકરણ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્ય
ઘારેલી દિશી માનથી વળી અધિક દિશી સ્થાનની વસ્તુ અણાવે મોકલે વળી યાદ ચૂકે વ્રતતણી શબ્દરૂપે દોષ સાધે પુદ્ગલોને ફેંકતા
દેશાવકાસિક વ્રત તણા એ દોષ પંચક સેવતા (૨) દિશાવકાશ વ્રત ભંગ કબીજાથી કાં મોકલી વચન આતિને બનાવી
શબ્દોથી ચીજ મગાવે અથવા અશબ્દ કે ફેક પુદ્ગલથી પાંચ જ દોષ થાશે U [10]નિષ્કર્ષ-આઅતિચારો બીજા શીલવ્રતના છે. વ્રતની શુધ્ધિ ઉપરાંત બીજો મહત્વનો મુદ્દો એ છે કે જો આ અગારી વતી પોતાના દોષોનું યથાયોગ્ય નિવારણ કરે તો તેના નિયમમાંદ્રઢતા આવવાની સાથે સંતોષ નું જયણાનું, ગૃધ્ધિ રહિતતાનું યથાયોગ્ય પાલન થાય છે. જો કે આ વ્રત દિગવિરતિનો અને વિશેષ કહીએતો બધાં વ્રતના સંપરૂપ હોવાથી સાચો નિષ્કર્ષ તો એટલોજ કહી શકાય કે જેમ આ વ્રત થકી અન્યવ્રતનો સંક્ષેપ કરવામાં આવ્યો છે. તેમ વિશેષેવિશેષ સંક્ષેપ કરવા પડે છેલ્લે સર્વથા વિરમણ થકી મહાવ્રતી બનીને મોક્ષને પ્રાપ્ત કરે.
U S S T
(અધ્યાય -સૂત્ર:૨૦) 0 [1]સૂત્રહેતુ-અનર્થદંડવિરતિ નામના શીલવ્રતના અતિચારોને આ સૂત્ર થકી જણાવે છે
[2] સૂત્ર મૂળ-“શૌચમૌર્યાસનીસ્થાપિરોપગોષિક્ષત્તાનિ [3]સૂત્ર પૃથક-ન્દ્ર-વૌચ મૌર્ય-સમીક્ષ્યધર-
૩ોધત્વનિ 0 [4] સૂત્રસારઃ- કંદર્પ,કીકુ,મૌર્ય,અસીમસ્ય અધિકરણ, અને ઉપભોગનું અધિકત્વ એ ત્રીજા શીલવત અર્થાત્ અનર્થદંડ વિરમણ વ્રત નામે આઠમા વ્રત ના પાંચ અતિચારો છે]. U [5] શબ્દજ્ઞાન -
-રાગવશ થતું અસભ્ય ભાષણ. જોવ્ય-અસભ્ય ભાષણ સહભાંડ જેવી શારીરિક દુચેષ્ટા.
ઉર્ય-અસંબધ્ધ બકવાસ મસમીક્ષ્યાધિશRT-અવિચારી પણે પાપાધિકરણો ને આપવા. ૩૫મોપાધવાનિ- આવશ્યકતા થી અધિક ઉપભોગ્ય વસ્તુ રાખવી. U [6]અનુવૃત્તિ - (૧)વ્રતશીગુ પડ્યું પડ્યે યથાશ્રમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શહૂ #ક્ષા......... સૂત્ર ૭:૧૮ થી ગતિવારી: શબ્દ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકાઃ- ક્રમાનુસાર વ્રત તથા શીલોના અતિચારોને વર્ણવતા એવા સૂત્રકારે અહીં પણ પૂર્વસૂત્રની અનુવૃત્તિ ગ્રહણ કરીને કંદર્પાદિપાંચ અતિચારો અહીં જણાવેલા
*દિગમ્બર આજ્ઞામાં કન્દ્રપૌત્કૃધ્યમૌલમીસ્ત્રાધિકરણોપમાનર્થથરિ એ પ્રમાણે સૂત્ર છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૭
૧૨૫ છે. સૂત્રક્રમના પ્રામાણ્ય અનુસાર ત્રીજા શીલવ્રતના અર્થાત્ આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના આ પાંચે દોષો સમજવા
[૧]કંદર્પ - રાગયુકત અસભ્ય વચન બોલવાં,હાસ્ય કરવું # રાગવશ અસભ્ય ભાષણ અને પરિહાસ આદિ કરવા તે કંદર્પ,
# રાગસહિતહાસ્યપૂર્વક કામોત્તેજક વાક્યો બોલવાં જેનાથી મોહપ્રગટે અર્થાત તે તે ઇન્દ્રિયોના વિષયોપભોગની ઇચ્છા જાગૃત થાય તેવા વચનો બોલવા તથા પેટભરીને ખડખડાટ જોરથી હસવું તેને ત્રીજા શીલવ્રતનો કંદર્પ નામે પહેલો અતિચાર કહ્યો છે.
# કંદર્પ એટલે મદન કે કામવિકારતે સંબંધિ જે અતિચાર ઉત્પન્ન થયો હોય તે. જેમ કે કામવિકાર ઉત્પન્નવાણી પ્રયોગ,અશ્લીલ મશ્કરી, બિભત્સ શબ્દો, અટ્ટહાસ્ય વગેરે. તેને અનર્થદંડ વિરતિ વ્રતનો પ્રથમ અતિચાર કહ્યો છે
2 काम: तद्हेत: विशिष्ट वाक्यप्रयोग कंदर्प: उच्यते । + कन्दर्पोनाम रागसंयुकतोऽसभ्यो वाक्योग: हास्यं च [૨]કીત્યુચ્ય:$ દુષ્ટ કાયપ્રચાર સહ રાગયુકત અસભ્ય ભાષણ અને હાસ્ય, ૪ પરિહાસ અને અશિષ્ટભાષણ ઉપરાંત ભાડજેવી શારીરિક દુચેષ્ટાઓ કરવી તે કૌશ્ય
# રાગ સહિત, હાસ્યપૂર્વક કામોત્તેજક અસભ્ય વાક્યો બોલવા સાથે અસભ્ય કાયિક ચેષ્ટા કરવી અર્થાત્ કંદર્પમાં થતા હાસ્ય તથા વાણી પ્રયોગ ઉપરાંત કાયિક પ્રયોગ કરવા રૂપ કૌત્કચ્ય નામે આઠમાં અનર્થદંડ વિરમણ વ્રતનો આ બીજો અતિચાર છે.
# કૌત્કચ્ય નો સામાન્ય અર્થ નેત્રાદિકના વિકાર પૂર્વકની હાસ્યને ઉત્પન્ન કરનારી વિકૃત ચેષ્ટા છે. પણ સામાચારી થી તેમાં નીચેની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે
-૧ લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવી ચેષ્ટા પૂર્વક બોલવું -૨ લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવી ચેષ્ટા થી ચાલવું -૩ લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તે રીતે બેસવું -૪ હલકાઈ જણાવવા ગમે તે પ્રકારના ચેનચાળા કરવા ઉપયોગ શુન્યતા થી થતી આવી પ્રવૃત્તિ તે કૌત્કચ્ય નામક અતિચાર છે 2 मुखनयनोष्ठचरणध्रुवकारपूर्वकः परिहासादिजनको भाण्डावकरस्येव कायिको व्यापारः । 2 कौत्कुच्यम् नाम कन्दर्य दुष्टकायप्रचारसंयुक्तम् [૩]મૌખર્યg અસંબદ્ધ,હદ વિનાનું બોલવું તે
નિર્લજજપણે, સંબંધ્ધ વિનાનું તેમજ બહુ બકબક કરવું તે
૪ વાચાળતા, ઉચિત કે અનુચિતનાવિવેકવિનાબોલ્યાજ કરવું તે મુખરતા કે મૌખર્યજેમાં મુખનો અતિશય વ્યાપાર હોય છે તે આ અતિચાર ને ત્રીજા શીલવ્રત અનર્થદંડ વિરતિ વ્રતનો ત્રીજો અતિચાર કહેલો છે
मौखर्यमसम्बन्ध्धबहुप्रलापित्वम् । धाष्टर्यप्रायमसभ्यासम्बद्धबहुलालापित्वं मौखर्यम् ।
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૪] અસમીક્ષ્ય-અધિકરણ -૪ વગર વિચાર્યું અધિકરણો એકઠાં કરવા
છે પોતાની જરૂરિયાતનો વિચાર કર્યાવિના જ જાતજાતના સાવદ્ય ઉપકરણો બીજાને તેના કામ માટે આપ્યા કરવા તે અસમીક્ષ્યધિકરણ
# અસમીક્ય એટલે વિચાર્યા વિના. અધિકરણ એટલે પાપનું સાધન. મારે જરૂર છે કે નહીં તેવા કોઈપણ વિચાર કર્યા સિવાય શસ્ત્ર આદિ અધિકરણો કે પાપના સાધનો તૈયાર રાખવા જેથી માગવા આવે તો આપી શકાય) અહીં નિરર્થક પાપ બંધ થતો હોવાથી તેને અસમીક્ષ્ય અધિકરણ કહેલું છે.
tધર શબ્દ સામાન્ય થી આશ્રય અર્થમાં પ્રયોજાય છે પણ અહીં તે હિંસાના આશ્રયરૂપ ઉપકરણના વિશિષ્ટ અર્થમાં વપરાયેલો છે તેથી અધિકરણ શબ્દ થકી સાંબેલુ ખાંડણિયો, કોશ,કોદાળી,લુહાડી,તરવાર વગેરે હિંસક સાધનો સમજવાના છે
અધિકરણ શબ્દની વ્યાખ્યા જ ગ્રન્થકારો આ રીતે કરે છે ““ધતિ નરgિ અભિનેન તિ ધરખમ્ | જેના વડે આત્મા નરકાદિ ગતિનો અધિકારી થાય તે અધિકરણ. આવા અધિકરણો વગર વિચાર્યે ભેગા કરવા તે અસમીક્ષ્યાધિકરણ નામે ત્રીજા શીલવ્રત નો ચોથો અતિચાર કહેલો છે.
નોંધઃ- ગ્રન્થાન્તરમાં આ અતિચાર સંયુકતા ધિકરણ નામે ઓળખાય છે
र असमीक्ष्य-अनालोच्य प्रयोजनमात्मनोऽर्थमधिकरणं उचितादुपभोगात् अतिरेक करणमसमीक्ष्याधिकरणं मुसलदात्रशिलापुत्रकशस्त्रगोधूमयन्त्रकशिलागन्यादिदानलक्षणम् ।
[૫] ઉપભોગાધિકત્વઃ- ઉપભોગ કરતાં વસ્તુ એકત્ર કરવી # પોતાના માટે આવશ્યક હોયતે ઉપરાંત કપડાં, ઘરેણા,તેલ,ચંદનઆદિ રાખવા તે.
# પોતાની જરૂરિયાત હોય તેનાથી અધિક વસ્તુ પોતાની પાસે રાખવી. જેમ કે-ઘરમાં એક જાતના સાબુથી ચાલતું હોય તો પણ ચાર જાતના સાબુ રાખવા બે-ત્રણ જોડી ચપ્પલ વગેરે પહેરતા હોવાછતાં વીસ-પચીસ જોડી ચપ્પલો રાખવા અર્થાત ઉપભોગની આવશ્યકતા કરતાં પણ અધિક ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવો તે ઉપભોગાધિકત્વનામેત્રીજા-શીલવ્રતનોઅતિચાર છે.
1 x આવશ્યકતા થી અધિક સાધનો રાખવાથી બીજાને પણ તેનો ભોગ વટો કરવાની ઇચ્છા થાય છે અને અજયણા થાય છે માટે તેને અનર્થદંડ વિરતિ વ્રતનો પાંચમો અતિચાર કહ્યો છે
2 उपभोग आत्मनः पान-भोजन-चन्दन-कड्कुम कस्तुरिकाविलेपनादि । अतिरिकतोऽन्यार्थो ।
ઉકત કંદર્પ-આદિ દોષો સહસા કે અનાભોગથી થઈ જાય તો તે અતિચાર રૂપ છે પણ જો ઇરાદાપૂર્વક કરેતો વ્રત ભંગ ગણાય.
1 [8] સંદર્ભ
૪ આગમ સંદર્ભઃ-મMટ્ટાવિંડવેરમાર્સ...પષ્ય મફયાRT...ન્યૂપે मोहरिए संजुत्ताहिरणे उपभोगपरिभोगाइरित्ते * उपा. अ.१,सू.७-१०
૪ તત્વાર્થ સંદર્ભ[ફેશન બ્લવિરતિ...ત્રતસંપડ્યું સૂત્ર. ૭:૨૬ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિત સૂત્ર-ગાથા ૨ પ્રબોધટીકા- ૨ (૨)શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ
Page #128
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૮ (૩)યોગશાસ્ત્ર [] [9]પદ્યઃ(૧)
(૪)ધર્મરત્ન પ્રકરણ
કંદર્પ કેરો દોષ પહેલો, સૂત્રમાંહિ સાંભળ્યો ચેષ્ટા તણો છે દોષ બીજો, વાચાળ ત્રીજો મેં સુણ્યો અધિકરણો સજ્જ કરતાં, વસ્તુ ભોગે અધિકતા
અનર્થ વિરતિ ભાવમાંહિ દોષ પંચક દેખતા
(૨) કંદર્પ ચેષ્ટા વળી ભાંડ જેમ મૌખર્ય પાપિષ્ઠજ સાધનૈય દેવા બીજાનેય અનર્થદંડ ભોગો વધુ તે અતિચાર પાંચ [] [10]નિષ્કર્ષ:- અનર્થદંડ વિરતિના પાંચે દોષો નું નિવારણ તે અગારીવ્રતી ને શીલવ્રતની શુધ્ધિમાંતો ઉપયોગી જ છે. તદુપરાંત બીજાપણ અનેક દુષણોનું નિવારણ થાય છે જેમ કે કંદર્પ અનેકૌત્કચ્ય નિગ્રહ થી સમાજમાં અનાચાર - વ્યભિચારમાં અંકુશીતતા આવે છે, સ્ત્રી જન્મ કલહ -કંકાસાદિ ઘટે છે, મૌખર્ય નિવારણ થી ઝઘડા અને ફોગટ બકવાદ બંધ થાય છે. ઉપભોગાતિરિકત ને દોષ સમજવાથી વ્યર્થ પરિગ્રહ અને સંગ્રહ વૃત્તિથી બચી જવાય છે, સંતોષ અને સુખમય જીવન જીવાય છે તેમજ હિંસક અધિકરણો ને દોષ માનતા સમાજ હિંસામુકત બને છે એ રીતે આ અનર્થદંડ વિરમણ વ્રતના અતિચારો નિવારવા થીવ્રતીને તથા સમાજને બધાં ને લાભ થાય છે.
અધ્યાયઃ-સૂત્રઃ૨૮
[] [1] સૂત્ર હેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ સામાયિક વ્રતના અતિચારોને જણાવે છે. [] [2] સૂત્ર:મૂળઃ-"યોગદુખિયાનાનામૃત્યનુપસ્થાપનાનિ [] [3] સૂત્ર પૃથ-યોગ - દુખિયાન, અનાવર, સ્મૃતિ-અનુપસ્થાપનાનિ
[] [4] સૂત્રસાર:- કાયયોગદુપ્રણિધાન,વચન-યોગદુપ્રણિધાન,મનોયોગ દુષ્પ્ર ણિધાન, અનાદર અને સ્મૃત્તિનું અનુપસ્થાપન [એ ચોથાશીલવ્રત અર્થાત્ આઠમાં સામાયિક વ્રતના પાંચ અતિચારો છે.]
[] [5] શબ્દાનઃ
યો। -જે જોડાય તે યોગ. આ યોગ ત્રણ છે કાયા,વચન,મન. દુળિયાન-દુષ્ટપ્રયોગ
૧૨૭
પ્રખિયાન-પ્રયોગ,
અનાદ્ય્-સામાયિક પરત્વે અબહુમાન સ્મૃતિ-અનુપસ્થાપન –સામાયિક દરમ્યાન સ્મૃત્તિ ભ્રંશ થવો તે. [] [6] અનુવૃત્તિઃ-(૧)વ્રતશીòપુ પબ્ધ પ્રગ્ન યથાશ્રમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શઠ્ઠા ાડ્યા... ..સૂત્ર ૭:૧૮ થી અતિવારા: શબ્દ ની અનુવૃત્તિ
* દિગમ્બર આમ્ના મુજબ -યોાદુપ્રણિયાનાનાવરમૃત્યનુપસ્યાનાનિ એ પ્રમાણે સૂત્ર છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [] [7] અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિ અહીં ત્રણ વાકયો થકી પાંચ દોષોને જણાવે છે. ત્યાં અતિચાર શબ્દ ની અનુવૃત્તિ કરી લેવી.તેમજ વ્રત શૌòપુ-સૂત્રપાઠ મુજબ આ ચોથાશીલવ્રત અર્થાત્ સામાયિક વ્રતના અતિચારો છે તે સ્પષ્ટ સમજી શકાય તેવું છે.
૧૨૮
અહીં યો। શબ્દ છે તેનો અર્થ આ પૂર્વે ઞ.૬-મૂ-† માં જણાવ્યા મુજબ જયવાડ્મન: ર્મ યોગ: અર્થાત કાયા-વચન કે મનનું કર્મને યોગ કહેલો છે.
ટુળિયાને શબ્દ નો અર્થ દુરુપયોગ અથવા દૂષિતરૂપથી પ્રવર્તાવવા એવો થયો છે. અર્થાત્ ત્રણે યોગનો દુષ્ટપ્રયોગ કે યથાયોગ્ય પ્રયોગનો અભાવ તે જ દુષ્પ્રણિધાન. [૧] કાય- દુષ્પ્રણિધાનઃ- કાયારૂપ ઉપયોગને સંયમમાં ન રાખતા તેનો છૂટથી ઉપયોગ કે દુરપયોગ થવા દેવો તે.
ૐ સાવદ્ય કે પાપની પ્રવૃત્તિ કરવી.
હાથ પગ વગેરેનું નકામું અને ખોટી રીતે સંચાલન કરવું તે કાય દુપ્રણિધાન. સામાયિક લેતી વખતે ભૂમિ પ્રમાજર્યાવિના બેસવું અથવા સામાયિક લીધા પછી હાથ-પગ લાંબા-ટૂંકા કર્યા કરવા કે કુતુહલવશાત્ ઉભા થવું,હાથ-પગ વગેરેની નિશાનીઓ ક૨વી. આદિને કાયદુપ્રણિધાન નામનો-ચોથાશીલવ્રતનો પ્રથમ અતિચાર કહયો છે. કાય-યોગના દુષ્પ્રણિધાન જન્ય ૧૨ દોષોઃ
(૧)અયોગ્ય આસનઃ- સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવીને બેસવું. (૨)અસ્થિર આસનઃ- ડગમગ આસને બેસવું.
(૩)ચલ દ્રષ્ટિદોષઃ- સામાયિકમાં બેઠાબેઠા ચારે તરફ નજર ફેરવ્યા કરવી. (૪)સાવધ ક્રિયાઃ-સામાયિકમાં હોવા છતાં ઘરકામ કે વેપાર-વણજની વાતોની સંજ્ઞાથી ઇશારો કરવો તે.
(૫)આલંબનદોષઃ-સામાયિક વખતે કોઇ ભીંત કે થાંભલાનું આલંબન લઇને બેસવું તે. (૬)આળસદોષઃ-સામાયિકમાં આળસ મરડવી તે આળસદોષ. (૭)મોટનદોષઃ-સામાયિકદરમિયાનાથ-પગની આંગળીનાટચાકાફોડવાશરીરમરડવુંતે. (૮)મળદોષ:-સામાયિક દરમિયાન શરીરનો મળ ઉતારવો તે.
(૧૦)નિદ્રાદોષઃ- સામાયિકમાં ઉંઘવું તે.
(૧૧)વસ્ત્ર સંકોચનદોષઃ- સામાયિકમાં ટાઢ વગેરેને કારણે વસ્ત્ર સંકોચવા (૧૨)આકુંચન પ્રસારણ દોષઃ- સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા ટૂંકા કરવા તે. शरीरावयवाः पाणिपादादयस्तेषामनिभृततावस्थापनं काय दुष्प्रणिधानम् । [૨] વચન-દુણિધાનઃ
વચન યોગને બરાબર સંયમમાં ન રાખતા છૂટથી ઉપયોગ કે દુરુપયોગ થવા દેવો તે. શબ્દસંસ્કાર વિનાની અને અર્થવિનાની તેમજ હાનિકારક ભાષા બોલવી તે વચનદુષ્પ્રણિધાન નામક ચોથાશીલવ્રતનો અતિચાર છે.
× સામાયિક લઇને કર્કશ અથવા તેવા પ્રકારના દોષવાળા સાવધ વચનો બોલવા. નિરર્થક કે પાપના વચનો બોલવા તે વચન-દુપ્રણિધાન. वर्णसंस्काराभावार्थनवगमचापल्यानिवाकक्रिया वागदष्प्रणिधानम
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૯
અધ્યાય: ૭ સૂત્રઃ ૨૮
વાયોગ દુષ્મણિધાન જન્ય ૧૦ દોષોઃ(૧)કુવચનદોષ - કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું તે. (૨)સહસાકાર દોષા-વગર વિચાર્યે એકાએક વચન કહેવું તે. (૩)સ્વછંદ દોષઃ-શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈપણ વચન બોલવું તે.
(૪)સંક્ષેપ દોષા-સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન અન્ય કોઈ સૂત્ર સિધ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલી જવા. | (૫)કલહ દોષ - સામાયિક દરમિયાન કોઈ સાથે કલહકારી વચન બોલવું
(૬)વિકથાદોષઃ-સામાયિક દરમિયાન સ્ત્રીના રૂપલાવણ્ય સંબંધિ,ખાનપાનનાસ્વાદ સંબંધિ,લોકાચાર સંબંધિ,કોઈની શોભા કે સૌદર્ય સંબંધિ આદિ અથવા જેને સ્ત્રી કથા,ભકત કથા,દેશ કથા, રાજકથા કહેવાય છે. તે ચાર વિકથાદોષ છે.
(૭)હાસ્યદોષ - સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું.
(૮)અશુધ્ધદોષ - સામાયિકના સૂત્ર પાઠમાં કાનો માત્ર કે મીંડું જૂનાધિક બોલવા અથવા હૃસ્વનો દીર્ઘ અને દીર્ધનો હ્રસ્વ ઉચ્ચાર કરવો સંયુકતાક્ષર તોડીને બોલવા અને છૂટા અક્ષરોને સંયુકત બોલવા તે અશુધ્ધ દોષ છે.
(૯)નિરપેક્ષદોષઃ-અપેક્ષારહીત વચન બોલવું એટલે કેનિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરવો તે નિરપેક્ષ દોષ છે.
(૧૦)મુણમુણદોષઃ-સામાયિકના સમય દરમિયાન ગણ-ગણ કર્યા કરવું અથવા સૂત્રપાઠમાં ગોટાળા વાળવા તે મુણમુણ દોષ છે.
[૩] મનોદુષ્મણિધાનઃ૪ મનોયોગને બરાબર સંયમમાં ન રાખતા તેનો છૂટથી ઉપયોગ કેદૂરપયોગ થવા દેવોતે. ૪ ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનોવ્યાપાર કરવો તે ૪ નિરર્થક કે પાપના વિચારો કરવા.
૪ સામાયિક કરીને ઘરની ચિંતા કરવી,સંકલ્પ-વિકલ્પો કરવા તે ચોથાશીલવ્રતઅર્થાત નવમા સામાયિક વ્રતનો “મનોદુષ્પરિધાન' નામે ત્રીજો અતિચાર છે.
મનોદુપ્રણિધાન જન્ય દોષોઃ(૧)અવિવેકદોષ -સામાયિકના સમય દરમિયાન આત્મહિત સિવાય અન્યવિચારો કરવાતે. (૨)યશકીર્તિ દોષઃ-લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે. (૩)લાભ-વાંછા દોષઃ-સામાયિક દ્વારા કોઈપણ જાતના ધન-લાભની ઈચ્છા રાખવીતે.
(૪)ગર્વ દોષ -અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું એવો વિચાર કરવો તે.
(પ)ભયદોષઃ-હુંસામાયિકનહીં કરું તો અન્ય લોકો શું કહેશે? એવા ભયથીસામાયિક કરવું તે.
()નિદાન દોષઃ-સામાયિક કરીને તેના ફલ તરીકે ધન,સ્ત્રી, પુત્ર, પરિવાર કે ઋધ્ધિ આદિની ઇચ્છા કરવી તે.
(૭) સંશય દોષઃ-સામાયિકનું ફળ મળશે કે નહીં તેવો સંશય રાખવો તે. અ. ૭/૯
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૮)રોષ દોષ:-કોઈપણ કારણથી ઉત્પન્ન થયેલો રોષમાં ને રોષમાં સામાયિક કરવી
(૯)અવિનય દોષઃ-જ્ઞાન, દર્શન,ચારિત્ર અને તેના ઘારક સાધુ પ્રત્યે શ્રધ્ધા,વિનય વગર સામાયિક કરવું
(૧૦)અબહુમાન દોષઃ- ભકિતભાવ,બહુમાન કે ઉમંગ સિવાય સામાયિક કરવું. [૪]અનાદર
0 સામાયિકમાં ઉત્સાહન રાખવો અર્થાત્ વખત થવા છતાં પ્રવૃત્ત નથવું અથવાતો જેમ તેમ પ્રવૃત્તિ કરવી,તે અનાદર છે
૪ સામાયિકનો બેઘડીનો સમય પૂરો ન થવા દેવો, જેમ તેમ સામાયિક પૂરું કરવું, સામાયિકનો નિયત સમય આળસ થી વિતાવી દેવો આદિ ચોથા શીલવ્રત-સામાયિક વ્રતનો અનાદર નામે અતિચાર છે.
૪ સામાયિકની વિધિ-મુદ્દા-આસનાદિન સાચવવા, ર્દયમાં ઉચિત બહુમાન ભાવ ન હોવો, જેમ-તેમ વિધિ કરવી વગેરે અનાદર છે.
4 अनादरोऽनुत्साहः प्रतिनियतवेलायाम् अकरणं सामायिकस्य, यथाकथञ्चित् प्रवृतिः अनादर: अनैकाग्रयं ।
નોંધઃ- આ અતિચાર ને અનવસ્થાન અતિચાર પણ કહે છે [પીસ્મૃતિ-અનુપસ્થાપન - # પોતે સામાયિક વ્રતમાં છે તે વાત, તથા સામાયિક લેવા પાળવાનો સમય ભૂલાઈ જવોતે.
$ એકાગ્રતાનો અભાવ અથવા ચિત્તના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિશેની સ્કૃતિનો ભ્રંશ તે સ્મૃતિ અનુપસ્થાપન નામે સામાયિક વ્રતનો પાંચમો અતિચાર છે
# સર્વે ધર્મનુષ્ઠાનો ઉપયોગ કે સાવધાની પૂર્વક થાય ત્યારે શુદ્ધગણાય છે તેમાં પ્રમાદની અધિકતાથી કે વિસ્મરણાદિ થવાથી ઉપયોગ શૂન્યતા પ્રર્વતે ત્યારે અતિચાર લાગે છે જેમ કે સામાયિક ક્યારે લીધું તે સમયની વિસ્મૃતિ, તે પુરુ થયું કે નહીં? અથવા લેવાનું જ ભૂલાઈ જવું આ બધાં સ્મૃતિ અનુપસ્થાન નામના અતિચારો છે
4 उद्घान्तचित्तता, स्मृते: अनुपस्थानं स्मृत्यभावः ।
-सामायिकं मया कर्तव्यं न कर्तव्यम् इति वा कृतं न कृतम् इति वा स्मृति अंशः । स्मृति मूलत्वाच्च मोक्ष साधनानुष्ठानस्येति ।
આ પાંચનવમાસામાયિકવ્રતના અતિચારો છે. આ પાંચે સહસાકે અનાભોગ-અનુપયોગાદિ દોષોથી થાય તો તે અતિચાર રૂપ છે પણ જો ઇરાદા પૂર્વક થાય તો તેવતભંગ છે -
0 []સંદર્ભ
$ આગમ સંદર્ભ - સામાફિયસ પંડયાર...મuદુપ્પણિહાણે વર્તુળાને कायदुप्पणिहाणे सामाइयस्स सति अकरणयाए सामाइयस्स अणवद्ढियस्स करणया
૩૫. મર-ઝૂ. ૭-૨ $ તત્વાર્થ સંદર્ભઃ(૧)યવાલ્મ: યોગ: પ.૬-કૂફ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૩૧.
અધ્યાય: ૭ સૂત્રઃ ૨૯
(२) [दिग्देशविरति] सामायिक...व्रतसंपन्नश्च सूत्र. ७:१६ # અન્યગ્રન્થ સંદર્ભ(૧) વંદિત સૂત્ર ગાથા-૨૭ પ્રબોધટીકા ભા. ૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ
(૪)ધર્મરત્ન પ્રકરણ U [9પધ:(૧) મન વચનને કાય કેરા અશુભ વ્યપારો ભજે
સામાયિકોના ભાવમાંહિ આદર ભાવ નહિં સજે વિસ્મૃતિ થી ભાન ભૂલે દોષ બત્રીશ સેવતા
સામાયિકના દોષ તજતાં થાય સંવર ભાવના (૨) ત્રિયોગ દુષ્મણિધાન સામાયિકે અનાદર
છે પાંચમો અનાચાર સ્મૃતિ અનુપસ્થાપન U [10]નિષ્કર્ષ - સામાયિક એક અતિ મહત્વનું વ્રત છે. તેની સાધના વિના કોઈ જીવ કદાપી મોક્ષે ગયો નથી-જશે પણ નહીં. આવું વ્રત નિરતિચાર ન પળાય ત્યાં સુધી ઉત્કૃષ્ટ ફળ આપી શકે નહીં અગારી વતીને દોષ રહિત વ્રત પાલન માટે તો આ દોષ-જાણકારી ઉપયોગી છે જ. તદુપરાંત મન-વચન-કાયાનો યોગ એ આસ્રવ પણ કહ્યો છે. જો સામાયિક વ્રત થકી આયોગ દુપ્પણિધાનને અંકુશીત કરી શકાશે તો તેટલે અંશે આમ્રવનો પણ નિરોધ થશે. અનાદર દોષને દૂર કરવાથી ક્રિયા-વિધિ આદિનું બહુમાન વધશે તો તેટલે અંશે ક્રિયા વધુ શુધ્ધથશે ભાવપૂર્વકની થશે અને સ્મૃતિ બૃશતાનો અભાવતો જીવનમાં પણ આવશ્યક છે માટે તે દોષનું નિવારણ ફકત આ વ્રત માટે જ નહીં પણ સર્વવ્રત-નિયમોમાં આવશ્યક છે
_ _ _ _ _ (અધ્યાયઃ૭-સૂત્રઃ૨૯) 0 [1] સૂત્ર હેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મઈર્ષ દશમાવતના અતિચારોને રજૂ કરે છે.
[2] સૂત્ર મૂળઃ મત્યતિમિર્જતોrsીનિક્ષેપ સંતો पक्रमणाऽनादरस्मृत्यनुपस्थापनानि
0 [3] સૂત્ર પૃથકા-ઝપ્રત્યક્ષત, ગામનંત - ૩૯ - માનનિક્ષેપ, સંતર उपक्रमण, अनादर, स्मृति अनुपस्थापनानि
[4] સૂત્રસાર -અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતમાં ઉત્સર્ગ,અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતનુંઆદાન અનેનિક્ષેપ,અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતસંસ્તારનોઉપક્રમ,અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન [એદશમાં પૌષધવ્રતના અર્થાતુશીલવતનાપાંચ અતિચારો છે.]
D [5] શબ્દશાનઃ
અપ્રત્યક્ષત- દૃષ્ટિ પડિલેહણ,ચક્ષુ પરિપ્રેક્ષણ થી રહિત *દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર પ્રત્યક્ષતામક્રિતીક્ષાનસંતોત્રમણના મૃત્યુનુરિનને એવું સૂત્ર છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અપ્રમાર્જિત- ચરવળા આદિથી પ્રમાર્જના કર્યા સિવાય ઉત્સ-પરસેવો, મળ આદિ વસ્તુનો ત્યાગ ગાવાનનિપ- વસ્તુ-ઉપાધિ વગેરે જેવા કે મૂકવા સંતા-ઉપદમા-સંથારો પાથરવો તે અનાવર -પૌષધવ્રતમાં ઉત્સાહનો અભાવ હોવો મૃત્યનુપસ્થાપન-પૌષધમાં હોવાનું કે વિધિનું ભૂલી જવું તે 0 [6] અનુવૃત્તિઃ-(૧)વ્રતશીળું પડ્યું પડ્યું યથાશ્ચમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શડ્ડા Iક્ષા........સૂત્ર ૭:૧૮ થી ગતિવાર: શબ્દ ની અનુવૃત્તિ
U [7] અભિનવ ટીકા-શીલવ્રતોમાંના એવા પૌષધવ્રતના દોષો ને અતિચારોને અહીં સૂત્રકાર જણાવી રહ્યા છે. જેમાં મૂળ સૂત્રમાં તો દોષોનું કથન છે. પણ અનુવૃત્તિ થકી સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે આ પાંચ પૌષધવ્રતના જ અતિચારો છે. [૧]અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત ઉત્સર્ગ
# નજરથી તપાસ્યા વિના અને ચરવળાદિક થી પ્રમાર્જન કર્યા સિવાય સ્થાન ઉપર મળ-મૂત્રાદિક નાંખવા, ફેંકવા કે છોડવા
# કોઈ જીવ-જંતુ છેકે નહીં એ આંખે જોયા વિના તેમજ કોમળ ઉપકરણ વડે પ્રમાર્જન કર્યા વિના કયાંય મળ, મૂત્ર,લીંટ આદિ ત્યાગવા તે અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત ઉત્સર્ગ.
3 દૃષ્ટિથી ભૂમિનેબિલકૂલ જોયા વિના કેબરાબર તપાસ્યા વિના અનેચરવળા આદિથી પ્રમાર્જન કર્યાવિના અથવા યોગ્ય પ્રમાર્જન કર્યા સિવાય મળ, મૂત્ર આદિનો ત્યાગ કરવો તેને દશમાં પૌષધવ્રતનો અપ્રત્યવેક્ષિત અપ્રમાક્તિ ઉત્સર્ગ નામે પ્રથમઅતિચાર.
# વડીનીતિ,લઘુનીતિ આદિ પરઠવવાની જગ્યાઅર્થાત્ સ્પંડિલ ભૂમિ તેને લગતી પ્રતિલેખના કે પ્રમાર્જના રૂપ ખાસ ક્રિયા વિધિ ન કરવી કે તેમાં ભૂલચૂક કરવી.
अप्रत्यवेक्षिताप्रमार्जिते उत्सर्ग करोति तत: पौषधोपवासव्रतमतिचरति इति । [૨] અપ્રત્યવેક્ષિત -અપ્રમાર્જિત આદાન નિક્ષેપઃ
# ઉપર જણાવ્યા મુજબ પ્રત્યુપ્રેક્ષણ કે પ્રાર્થના કર્યા સિવાય કોઈપણ વસ્ત્રાદિક ચીજો લેવી કે મૂકવી.
છે એ જ પ્રમાણે પ્રત્યુપ્રેક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ લાકડા, બાજોઠ વગેરે ચીજો લેવી અને મૂકવી તે અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત ચીજ-વસ્તુનો આદાન નિક્ષેપ નામે પૌષધ પવાસ વ્રતનો બીજો અતિચાર જાણવો.
$ દ્રષ્ટિથી સંપૂર્ણ જોયા વિના કેબરાબર તપાસ્યા સિવાય તથા ચરવળાથી પ્રમાર્જન ક્ય સિવાય કે બરોબર પ્રમાર્જને Íસિવાય કોઈપણ ચીજ-વસ્તુ ઉપાધિ આદિ લેવા કેમૂવાતે
* आदानं ग्रहणं यष्टिपीठफलकादीनाम् । तदपि प्रत्यवेक्ष्यप्रमृज्य च कार्यम् । अन्यथाऽप्रत्यवेक्षिता प्रमार्जितस्यादानमतिचार:
નોંધઃ-ગ્રન્થાન્તરમાં આ અતિચારનું અલગ સ્થાન જોવા મળેલ નથી ત્યાં હવે પછીના અતિચારના બે ભાગ અલગ કરવામાં આવેલ છે
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૩૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૯
[૩]અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત સંસ્કારનું ઉપક્રમણઃ# એ જ પ્રમાણે પ્રત્યુપ્રેક્ષણ અને પ્રમાર્જના Íસિવાય સંથારો પાથરવો ઉપાડવો વગેરે
# પ્રત્યુપ્રેક્ષણઅનેપ્રમાર્જન કર્યા વિનાજ સંથારો અર્થાત બિછાનું કરવું કે આસન નાખવું તે અપ્રત્યવેક્ષિત -અપ્રમાર્જિત સંથારાનો ઉપક્રમ નામે પૌષધોપવાસ વ્રતનો ત્રીજો અતિચાર કહ્યો છે
જ સંસ્તાર એટલે સંથારો આસન વગેરે સુવાનાં અને પાથરવાના સાધનો.
ઉપક્રમણ એટલે પાથરવું- દ્રષ્ટિથી જોયા વિના કે બરાબર તપાસ્યાવિના તથા ચરવળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે યોગ્ય રીતે પ્રમાયા વિના સંથારો -આસન વગેરે પાથરવું.
૪ સંતાર એટલે સૂવા ઇચ્છતા પૌષધદ્વતીઓ વડે જમીન ઉપર જે બિછાવાય તે સંસ્તાર. અથવા જેમાં સાધુઓ સૂઈ રહે છે તે સંથારો. વિશિષ્ટ અર્થમાં જે દર્ભ,ઘાસ, કાંબલ કે પાથરણાદિનું સૂચન કરે છે. ઉપલક્ષણ થી સૂવાના પાટ-પાટીયા પણ “સંસ્તાર' કહેવાય છે
આ સંથારાની પ્રતિલેખના ન કરવી કે ખરાબ રીતે કરવી તેમજ પ્રમાર્જના ન કરવી કે જેમ તેમ કરવી
संस्तारः संस्तीर्यते यः प्रतिपन्नपौषधोपवासेन दर्भकुशकम्बलीवस्त्रादिस्तस्योपक्रमः करणमनुष्ठानं भूप्रदेशे, यद्वा दर्भादि संस्तीर्यते तत् प्रत्यवेक्ष्प प्रमृज्य चेति, अन्याथाऽतीचारः । [૪]અનાદરઃ
પૌષધવ્રત અને તેના નાના-મોટા સર્વ અંગો ઉપર અનાદર, ઉપેક્ષા સૂત્રોચ્ચારણ, આસન, મુદ્દા,પ્રણિધાનાદિમાંવિધિન સાચવવી, પૌષધમાં ઊંઘવું, પ્રમાદાસને બેસવું એ સર્વે અનાદર સૂચક દોષો છે
# પૌષધમાં ઉત્સાહ વિના જ ગમેતેમ પ્રવૃત્તિ કરવી તે અનાદર
૪ આ અતિચારને “અનુનાપાલના' પણ કહે છે. પૌષધ બરાબર વિધિ પૂર્વક ન કરવો તે અનાદર કે અનનુપાલના નામક, પાંચમા શીલવ્રત અર્થાત દશમાં પૌષધવ્રતનો ચોથો અતિચાર સમજવો
4 अनादर: पोषधोपवासप्रतिपत्तिकर्तव्यताक्रिया यां । [૫]ઋત્યનુપસ્થાપનઃ# પૌષધ ની દરેક ક્રિયા વિધિમાં ભૂલો કરવી. પૌષધ લીધો છે કે નહીં તે પણ ભૂલી જવું
$ પૌષધ કયારે અને કેમ કરવો કે ન કરવો તેમજ કર્યો છે કે નહીં વગેરેનું સ્મરણ ન રહેવું. તે નૃત્યનુપસ્થાપન નામનો પાંચમોઅતિચાર કહ્યો છે.
# નોંધઃ- વંદિતાસૂત્રાદિમાં આ અતિચાર નો ઉલ્લેખ જોવા મળતો નથી કેમ કે ત્યાં ઉચ્ચાર અર્થાત ઉત્સર્ગ શબ્દ ના જ અતિચારના બે અલગ અલગ ભાગ કર્યા છે
આ પ્રમાણે દશમાં પૌષધદ્રતના પાંચ અતિચારો કહેલા છે પૌષધની શુધ્ધિ માટે નીચેના અઢાર દોષ પણ નિવારવા જોઈએ (૧)અવિરતિ શ્રાવકના લાવેલા આહાર પાણી વાપરવા. (૨)પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો.
(૩)ઉત્તર ધારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી વાપરવી
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)પૌષધ નિમિત્તે આગલા દિવસે દેહ વિભૂષા કરવી. (૫)પૌષધ નિમિત્તે વસ્ત્રો ધોવડાવવા. (૬)પૌષધ નિમિત્તે આભુષણો ઘડાવીને ધારણ કરવા. (૭)પૌષધ નિમિત્તે વસ્ત્રો રંગાવવા. (૮)પૌષધ વખતે શરીરનો મેલ ઉતારવો. (૯) પૌષધમાં અકાળે શયન કરવું કે નિદ્રાલેવી. (૧૦)પૌષધમાં સ્ત્રી સંબંધિ કથાઓ કરવી. (૧૧)પૌષધમાં આહાર સંબંધિ કથાઓ કરવી. (૧૨)પૌષધમાં સારી કે નઠારી રાજકથાઓ કરવી. (૧૩) પૌષધમાં દેશ સંબંધિ કથાઓ કરવી. (૧૪)પૌષધમાં-પડિલેહ્યા સિવાય લઘુનિતિ-વડીનીતિ પરઠવવી. (૧૫)પૌષધમાં કોઈની નિંદા કરવી. (૧૬)અવિરતિ સંબંધિઓ સાથે વાર્તાલાપ કરવો. (૧૭)પૌષધમાં ચોર-સંબંધિ વાર્તાકરવી. (૧૮)સ્ત્રીઓના અંગોપાંગ નિરમવા. 0 [B]સંદર્ભ
૪ આગમ સંદર્ભ-પોસહોવવાર. પંડયા..મMડદિય સુપરસ્ત્રક્રિય सिज्जासंथारे,अप्पमज्जिपदुप्पमज्जिय सिज्जासंथारे,अप्पडिलेहिय दुप्पडिलेहियउच्चार पासवण भूमि, अप्पमज्जिदुप्पमज्जिय उच्चार पासवणभूमि पोसहोववासस्स सम्मंअणणुपालणया ।
જ ૩૫, મ૨,.૭-૧૨ # તત્વાર્થ સંદર્ભ[શિ ] ....પોષથોપવાન...વ્રત સંપક્વ - સૂત્ર ૭:૧૬ $ અન્યગ્રન્થ સંદર્ભ(૧) વંદિત સૂત્ર ગાથા-૨૯ પ્રબોધટીકા ભા. ૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ *
(૪)ધર્મરત્ન પ્રકરણ 1 [9]પધઃ(૧) ઉત્સર્ગ વસ્તુ ગ્રહણ સ્થાપના વળી સંથારા તણી
દ્રષ્ટિ ની પ્રતિલેખના વળી પ્રમાર્જના સૂત્રે ભણી દોષ ત્રણને એમ સેવે પોસહે આદર નહીં
સ્મૃતિ ચૂકે દોષ પંચક પોસહ થાયે સહી વિના દીઠે કે વિના પ્રમાર્યો મૂળ મૂત્રાદિ પરઠવવા પાત્રો આસન ને સંથારો તે રીતે લેવા મૂકવા આદર કે ઉત્સાહ વિના પૌષધોપવાસિત આચારો સ્મરણન રહેવું તે છે તેવા વ્રતના પાંચ અતિચારો
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૦
[10]નિષ્કર્ષ:-પ્રત્યેક વ્રતની માફક અહીંપણ આ દોષોનું નિવારણ વ્રતની શુધ્ધિમાટે તોઅગારી વ્રતી ને આવશ્યક છે જ તદુપરાંત પ્રથમના ત્રણે અતિચારો જયણા પાલનની દૃષ્ટિએ પણઉપયોગી છે. જયણા એ ધર્મની માતા છે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું પાલન પણ જયણા થકી જ સવિશેષ થઇ શકે છે વ્યવહાર થી કહીએતો આ રીતે પૂંજવાપ્રમાર્જવા થકી સફાઇ પણ રહેછે જોકેઆપણુંધ્યેય સફાઇનથી પણવ્રતની શુધ્ધ પરિપાલના છે અને તે પરિપાલના માટે જ અનાદર તથા સ્મૃતિ ભ્રંશતાનુંનિવારણ પણ જરૂરી ગણેલ છે.
અધ્યાયઃ-સત્રઃ૩૦
[1] સૂત્ર હેતુઃ- આ સૂત્ર થકી ઉપભોગ-પરિભોગ વ્રતના અતિચારો સૂત્રકાર જણાવે છે. [] [2] સૂત્ર:મૂળ:-સચિત્તતંત્રસંમિશ્રામિત્રામિષવતુષ્પાહારા:
[3] સૂત્ર પૃથ-વત્ત - સંવદ્ - મિત્ર-મિષવ-તુષ્પવ મહારા: [4] સૂત્રસાર:-સચિત્ત આહાર,સચિત્ત સંબંધ્ધહાર,સચિત્ત સંમિશ્ર આહાર,અભિષવ આહાર,દુષ્પકવ આહાર [એ છઠ્ઠા શીલવ્રત અર્થાત્ અગીયારમાં ઉપભોગ-પરિભોગવ્રતના પાંચ અતિચારો છે.]
[5] શબ્દજ્ઞાનઃ
સવિત્ત-સચિત્ત, ચેતના યુકત
(સચિત્ત)સંબદ્ધ-સચિત્ત, ચેતના યુકત પદાર્થ સાથે જોડાયેલ
(સચિત્ત) સંમિત્ર-થોડો ભાગ સચિત્ત હોય અને થોડો ભાગ સચિત્ત હોય તે અમિષવ-માદક દ્રવ્યનું સેવન
દુષ્પવ-બરાબર નહીં પાકેલા, કાચાપાકા માહાર-આહાર,અશનાદિ ખોરાક-આ શબ્દ પૂર્વના પાંચેશબ્દોસાથેઅહીંજોડાયેલો સમજવો. [6] અનુવૃત્તિઃ-(૧)વ્રતશીલ્ડેવુ પશ્વ પ૨ યથામમ્ સૂત્ર ૭:૧૯ (૨)શઠ્ઠા ાસા.. ..સૂત્ર ૭:૧૮ થી અતિવારા: શબ્દ ની અનુવૃત્તિ
[] [7] અભિનવ ટીકાઃ- છઠ્ઠા શીલવ્રતોમાંના એવા ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના પાંચ અતિચારોને જણાવવા માટે સૂત્રકારે ઉકત સચિત્તઆહારાદિ પાંચ દોષનું અત્રે કથન કરેલ છે. તેમાં ઐતિવારા: શબ્દ ની અનુવૃત્તિ ઉપરોકત સૂત્ર ૭:૧૯ થી ચાલું છે તેમજ યથામમ્ શબ્દની અનુવૃત્તિ મુજબ સૂત્રક્રમના પ્રામાણ્ય અનુસાર અહીં છઠ્ઠું શીલવ્રત છે તેમ સુનિશ્ચિત થયેલું છે
[૧]સચિત્ત આહારઃ
સચેતન,સપ્રાણ કે જીવતા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરવો. તે સચિત્તા આહાર તેનું સેવન કરવું એ ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનો પ્રથમ અતિચાર કહ્યોછે સચિત્ત ફળ, શાકભાજી આદિનો ઉપયોગ કરવો અહીંસચિત્તનો ત્યાગ છે
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એમ ખ્યાલમાં ન રહેવું અથવા આ વસ્તુ સચિત્ત છે એમ ખ્યાલ માં ન રહેવાથી સચિત્ત આહાર વાપરે તો અતિચાર લાગે અને જાણીજોઈને વાપરે તો વ્રતભંગ કહેવાય
# જેદ્રવ્ય જીવથી યુકત હોય તે સચેતનકે સચિત્ત કહેવાય છે નવગુત્ત બં સયા આવા સચિત્ત દ્રવ્યોને ધારેલ પરિમાણ કરતા અધિક સંખ્યામાં ઉપયોગ કરે અથવા સર્વથા ત્યાગ હોય અને ઉપયોગ કરે તેને સચિત્તાહાર નામે અતિચાર કહ્યો છે.
[૨]સચિત્ત સંબંધ્ધ આહાર:# સચિત્ત આહાર સાથે સ્પર્શેલી ચીજનો ખોરાક તરીકે ઉપયોગ કરવો તે
$ ઠળિયાં,ગોટલી આદિ સચેતન પદાર્થથી યુકત એવાં બોર, કેરી વગેરે પાકાં ફળોનો આહાર કરવો તે સચિત્ત સંબધ્ધ આહાર નામનો છઠ્ઠા શીલવ્રત ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનો બીજો અતિચાર છે
# ઠળિયા ગોટલી આદિ યુક્ત આહારમાં તે વતી ઠળીયા-ગોટલી આદિ છોડી દે છે અર્થાત ખાઈ જતાં નથી પરંતુતે-તે ફળનો સચિત્તએવા બાકીના સારભૂત પદાર્થ ને જ ગ્રહણ કરે છે આ દ્રષ્ટિએ વ્રત ભંગ થતો નથી છતાંવ્રતની પાછળ રહેલુંજીવ રક્ષાનું ધ્યેય સચવાતું ન હોવાથી ત્યાં પરમાર્થથી તો વ્રતભંગજ કહેવાય આ રીતે અહીં આંશિક વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી તેને અતિચાર કહેવામાં આવે છે.
& સચિત્ત સંબધ્ધ એટલે સચિત્ત સાથે જોડાયેલ જે વસ્તુ સામાન્ય રીતે નિર્જીવ થયેલી હોય પણ તેમાંનો કોઈ ભાગ સચિત્ત સાથે જોડાયેલો હોય તે સચિત્ત પ્રતિબધ્ધ કહેવાય છે. જેમ કે વૃક્ષનો ગુંદર, બીજ સાથે પાકેલું ફળ વગેરે આવી સચિત્તના સંબધ્ધવાળી વસ્તુઓ મૂખમાં મૂકીદે તો તેને સચિત્ત સંબધ્ધ આહાર નામનો અતિચાર કહે છે.
[૩]સચિત્ત સંમિશ્ર આહાર૪ સચિત્ત પદાર્થ સાથે મિશ્ર-ભેળસેળ થયેલી ચીજોનો ખોરાક તરીકે ઉપયોગ કરવો
તલ ખસખસ વગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનું ભોજન તે સચિત્ત સંમિશ્ર આહાર, જે છઠ્ઠા શીલવત ઉપભોગ પરિભોગ વ્રતનો ત્રીજો અતિચાર કહ્યો છે
૪ થોડો ભાગ સચિત્ત હોય અને થોડો અચિત્ત હોય તેવી મીશ્ર વસ્તુનો આહાર કરવો તે
નોંધઃ-વંદિતસૂત્ર આદિમાં આ અતિચાર જોવા મળેલ નથી પરંતુ યોગ શાસ્ત્ર તથા ધર્મબિંદુમાં આ અતિચાર નોંધેલ છે
૪િ]અભિષવ આહારઃ$ વાસી,જંતુ યુકત,હિંસાપ્રેરક ખોરક-ચીજોનો ખોરાક તરીકે ઉપયોગ કરવો
# કોઈપણ જાતનું એકમાદક દ્રવ્યસેવવું કે વિવિધ દ્રવ્યોના મિશ્રણથી પેદા થયેલદારુ આદિ રસનું સેવન કરવું તે અભિષવઆહાર જેને છઠ્ઠા શીલવતનો ચોથો અતિચાર કહ્યો છે
$ મદ્ય આદિ માદક આહાર કરવો [સિધ્ધસેનીય ટીકામાં] કીડી, કુંથા વગેરે સૂક્ષ્મ જીવોથી યુકત આહાર ને પણ અભિષવ આહાર જ કહ્યો છે.
૪ નોંધ - આ અતિચાર પણ યોગશાસ્ત્ર તથા ધર્મબિંદુમાં છે જયારે વંદિતસૂત્ર તથા
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૭.
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૦ ધર્મરત્ન પ્રકરણમાં નથી
[૫]દુષ્પક્વ આહારઃ
0 કાચીકે વધારે પડતી શેકાઈ ગઈ હોય તેવી યોગ્ય પાક વગરનીખોરાકાદિચીજોનો ઉપયોગ કરવો
# અધકચરું રાંધેલું કે બરાબર નહીં રાંધેલું તેને દુષ્પક્વ આહાર કહે છે. આ આહારનું ગ્રહણ તે છઠ્ઠા શીલવ્રતનો પાંચમો અતિચાર છે
# બરાબર ચૂલે નચડવાને લીધે કંઈક પકવ અને કંઈક અપકવ એવો આહાર જેમ કે કાકડીનું કાચુ-પાકુ શાક તેનો આહાર કરવો તે.
જે કાચ-પાકું રંધાયુ હોય તે દુષ્પકવ. જેમ કે પોંક પાપડી વગેરે તથા કાચા-પાકા શાક વગેરે [અને જે રંધાયુન હોય તે અપક્વ જેમ કે ચાળ્યા વગરનો લોટ
$ વંદિતસૂત્ર તથા ધર્મરત્નપ્રકરણમાં (૧)સચિરસંમિશ્રઆહાર અને (૨)અભિષવ આહારનોંધાયા નથી તેને સ્થાને (૧)અપકવ આહાર અને (૨) તુચ્છૌષધિ આહારને અતિચાર કહેલો છે
0 [B]સંદર્ભઃ
૪ આગમ સંદર્ભઃ- મોળો પડ્યે મારી..વત્તાદરે વત્ત પડવદ્ધાહારે उप्पउलिओसहिभक्खणया दुप्पोलितोसहिभक्खणया तुच्छोसहिभक्खणया * उपा.अ.१પૂ.૭-૭ સૂિત્રપાઠઃ- ભિન્ન મંતવ્ય આશ્રિત છે] ૪ તત્વાર્થ સંદર્ભઃ- [
fT ...૩પમી પરિમો...વ્રતસંપદ્મ- સૂત્ર ૭:૧૬ અન્યગ્રન્થ સંદર્ભ(૧) વંદિત સૂત્ર ગાથા-૨૧ પ્રબોધટીકા ભા. ૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૩) યોગશાસ્ત્ર (૪)ધર્મરત્ન પ્રકરણ (૫)ધર્મબિંદુ-શ્રાવક અધિકાર U [9]પધઃ(૧) સચિત્ત દ્રવ્ય સચિત્ત બધે સચિત્તની વળી મિશ્રતા
કાચી વસ્તુ કાચી પાકી દોષ આહારે થતાં ભોગને પરિભોગ વસ્તુ ઉલ્લંઘે પરિમાણમાં ગુણધરો તે દોષ સેવે વતતણાંતે સ્થાનમાં સચિત્ત કે સચિન યુકત ખાણું કે મિશ્રતે ભોજન સચિત્તાળું દુષ્પકવને માદક ખાધ પેચ પાંચેય જેના અતિચાર થાય
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [10]નિષ્કર્ષ અગારી વ્રતને છઠ્ઠા શીલવ્રતની શુધ્ધિ માટે અહીં પાંચ દોષોનું રેડ સિગ્નલ દેખાડેલ છે. આ અતિચાર નિવારણથી વ્રત શુધ્ધિ ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ લાભદાયક છે જેમ કે અભિષવ આહાર, દુષ્પકવ આહાર એ આરોગ્યને માટે પણ અહિતકારી છે. આત્માર્થિ જીવને તો ભવ અને ભાવ બંને આરોગ્યની સુધારણા કરવાની છે. તેથી વ્રત શુધ્ધિથકી સર્વથા ત્યાગ અર્થાત્ અણાહારી પદને પામીને સર્વરોગનું હરહંમેશ માટે નિવારણ કરવું
(અધ્યાયઃ-સૂત્ર૩૧ [1]સૂત્રહેતુ- સાતમા અને છેલ્લા શીલવ્રત એવા અતિથિ સંવિભાગ વ્રતના અતિચારોને આ સૂત્ર થકી જણાવે છે
U [2]સૂત્ર મૂળ *નિક્ષેપfપધાનપદેશમાત્સર્યાતિ:
0 [3]સૂત્ર પૃથકક-વત્ત વિક્ષેપ -પથાન- પદ્યપદેશ- માર્ચ- ૦ अतिक्रमा:
U [4] સૂત્રસાર:- સચિત્તમાં નિક્ષેપ,સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ [એ સાતમાં શીલવ્રત અર્થાત્ અતિથિ સંવિભાગ દ્રત ના પાંચ અતિચારો છે]
U [૫]શબ્દજ્ઞાનઃવિનિક્ષેપ-સચિત્ત વસ્તુમાં દેવાયોગ્ય વસ્તુને મૂકીદેવી સવિવિધાન-દેવાયોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી પરવ્યપદ્દેશ-પોતાની દેવાયોગ્ય વસ્તુને પારકાની કહેવી મલ્લિ-અદેખાઈ થી દાન દેવું વાતિમ- ન દેવા ના આશયથી વહેલા મોડું ખાઈ લેવું U [6]અનુવૃત્તિઃ- (૧)ગ્રતશg Vશ્વ પર્વે યથાશ્ચમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શડ્ડી સાક્ષા........સૂત્ર ૭:૧૮ થી તિવારી: શબ્દ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ સૂત્રઃ૧૮ માં જણાવેલ યથાક્રમ અધિકાર મુજબ ક્રમશઃ પાંચ અણુવ્રત અને સાત શીલવ્રત ના અતિચારોને જણાવતા આ સૂત્રમાં સાતમાં શીલવ્રત અથવા બારમાં વ્રત એવા અતિથિસંવિભાગ વ્રતના અતિચારોનું કથન કરેલ છે તે પાંચ અતિચારો ની ક્રમશઃ તથા વિવિધ વ્યાખ્યા અહીં ટીકામાં રજૂ કરી છે [૧]સચિત્ત નિક્ષેપ
પ્રાસુક આહારાદિને સચિત્ત વસ્તુમાં મુકવા 0 ખાનપાનની દેવાયોગ્ય વસ્તુનેન ખપે તેવી બનાવી દેવાની બુધ્ધિથી કોઈ સચેતન વસ્તુમાં મૂકી દેવી તે “સચિત્ત નિક્ષેપ”
દિગમ્બર આમ્નાય મુજબ વિનિક્ષેપfપષાનપજ્યમાત્સર્યાતિ: એ પ્રમાણે સૂત્ર રચના છે
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૯
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૧
$ વહોરાવવા યોગ્ય વસ્તુને સચિત્ત ઉપર મુકી દેવી
૪ અતિથિ સંવિભાગવત હોય, સાધુ-મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ હોય તેમાં સચિત્ત વસ્તુનાખી દેવી.
अन्नमोदनखाधिकादि चतुर्विध आहारो वाऽशनादिः तस्य सचित्तेषु व्रीहि-यव-गोधूमशाल्यादिषु निक्षेपः । तच्च अदानबुध्ध्या निक्षिपति । एतच्च जानात्यसौ-सचित्ते निक्षिप्तं सत् न गृह्णन्ति साधव ।
[૨]સચિત્તપિધાનઃ# પ્રાસુક આહાર આદિને સચિત્ત વસ્તુ વડે ઢાંકી દેવા
& સચિત્ત એટલે ચેતનયુકત.-પિધાન એટલે ઢાંકી દેવી. વ્હોરાવવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દેવી
ખાનપાન ની દવા યોગ્ય વસ્તુને અકથ્ય બનાવી દેવાની બુધ્ધિથી સચિત્ત વસ્તુ વડે ઢાંકવી તે સચિત્તપિધાન નામક અતિથિ સંવિભાગ વતનો બીજો અતિચાર કહ્યો છે.
અતિથિ સંવિભાગ વ્રત હોય અને સાધુ-મુનિરાજ ને કહ્યું તેવી એષણીય અને પ્રાસુક વસ્તુહોય તે ન વહોરાવવાની ઇચ્છાથી તેના ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દઈ નખરે તેવી બનાવી દેવી
+ सचित्तेनपिधान-स्थगनं सूरणकन्दपत्रपुष्पादिना तत्रापि तथाविधैव बुध्ध्या सचित्तेन स्थगयति । तथाविद्याबुध्ध्या अर्थात् अदान-बुध्ध्या एव ।
[3]પરવ્યપદેશઃ# ન આપવાની બુધ્ધિએ પોતાની વસ્તુ પરની છે તેમ કહેવું
$ વ્હોરાવવા યોગ્ય પોતાની વસ્તુને ન દેવા માટે “બીજાની છે' એમ કહેવું તે પરવ્યપદેશ, નામનો અતિચાર કહ્યો છે.
0 પોતાની દેય વસ્તુને “એ પારકાની છે” એમ કહી તેના દાનથી પોતાની જાતને માનપૂર્વક છૂટી કરી લેવી તે પરવ્યપદેશ
# મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ પોતાની હોય છતાં પારકી કહેવી. જેથી આ વસ્તુનો સ્વામી અન્ય છે તેમ માનીને મુનિ તેને ગ્રહણ ન કરે તે જ રીતે પારકી વસ્તુને પોતાની જણાવી દઈ મુનિને વહોરાવવી. આ બંને વસ્તુ શ્રાવકને માટે અતિચાર રૂપ છે
2 परव्यपदेश इति साधोः पौषधोपवासपारणाकाले भिक्षायै समुपस्थितस्य प्रकटमन्नादि पश्यतः श्रावकोऽभिधत्ते परकीयम् इति न अस्माकीनं अतो न ददामि इति ।
[૪]માત્સર્ય+ અભિમાન પૂર્વક અદેખાઈ થી દાન દેવું
૪ દાન કરવા છતાં આદર ન રાખવો અગર બીજાના દાનગુણની અદેખાઈ થી દાન કરવા પ્રેરાવું તે માત્સર્ય
૪ મુનિરાજ કોઈ વસ્તુ ની યાચના કરે ત્યારે કોપ કરવો, વસ્તુ હોવા છતાં ન આપવી અથવા શું હું બીજા કરતા ઉતરતો છું એમ વિચારી ઈર્ષાથી આપવું તે સાતમા શીલવ્રતનો
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા માત્સર્યરૂપ અતિચાર છે.
4 मार्गित: सन् कुप्यति, सदपि मार्गितं न ददाति । अथवा तेन तावत् दुमकेण दत्तं किमहं ततोऽपिन्यून इति मात्सर्याद् ददाति । कषायषितेनवा चित्तेन ददाति इति मात्सर्यम् ।
પિકાલાતિક્રમ:જ ભોજન કાળ વીત્યાબાદ નિમંત્રણ કરવું $ દાન આપવાનો વખત વીતિગયા પછી દાન દેવાના પ્રયાસો કરવા
# કોઇને કંઈન દેવુ પડે તે માટે ભિક્ષાનો વખત ન હોય ત્યારે ખાઈ પી લેવું તે કાલાતિક્રમ નામે પાંચમો અતિચાર કહ્યો છે
# મુનિરાજ ને ભિક્ષા આપવાનો જે કાલ છે તે વીતી ગયા પછી નિમંત્રણા કરવી એ કાલાતિક્રમ નામક અતિચાર છે.
+ उचितो यो भिक्षाकाल: साधूनां तमतिक्रमय्यानागतं वा भूकते पौषधोपवासी, स च कालातिक्रमः
U [8] સંદર્ભઃ
# આગમ સંદર્ભ-મહાસંવિમાન પંડયર સવા નિવેવાય વિત્તીયા कालाइक्कमदाणे परोवएसे मच्छरिया * उपा. अ.१-सू.७-१२
# તત્વાર્થ સંદર્ભઃ[રિવેશ.....તિથિવિમાવ્રતસંપન્ન # અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિત સૂત્ર-ગાથા:૩૦ પ્રબોધટીકા-ભાગ-૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૩)યોગશાસ્ત્ર (૪)ધર્મબિંદુ-શ્રાવકાધિકાર (૫)ધર્મ રત્ન પ્રકરણ [9]પધઃ(૧) સચિત્ત વસ્તુ હેઠ રાખે ઉપર સચિત્ત મૂકતાં
અચિત્ત વસ્તુ હેઠ રાખે ઉપર સચિત્ત ઢાંકતા વ્યપદેશને મત્સરપણું વળી કાળને ઉલ્લંઘતા અતિથિતણો સંવિભાગ સાથે દોષ પંચક મૂકતા અજીવ વસ્તુ સજીવ કરવી ઢાંકવી સજીવ કિંવા સ્વની છતાંયે પરની કેવી અણદેવા કાજે અથવા મત્સર રાખીને દેવું કે કાળ ઉલ્લધી ખાઈ જવું તે અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર થી બચવું
Page #142
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૨
૧૪૧ U [10]નિષ્કર્ષ-સાતમાં શીલવ્રત એવા અતિથિ સંવિભાગ વ્રતના અતિચારોવ્રત શુધ્ધિ કરતાંયેભાવશુધ્ધિ માટે વિશેષ આવશ્યક છે. આ પાંચે અતિચારોમાં મુખ્ય હકીકત એક માત્ર હોયતો તે અણદેવાની બુધ્ધિ જ છે, પાંચે દોષોને આ એક વાકયમાં જ ઓળખાવી શકાય છે, કેમ કે ન વહોરાવવા માટે આ સર્વે પ્રવૃત્તિઓ થાય છે
દાન કરતા પણ દાનવૃત્તિનો અભાવ એ ખૂબજ નદનીય વસ્તુ છે. આવી દાનવૃત્તિ ના અભાવનું નિવારણ કરી ભાવવિશુધ્ધિ થકી દાનનો ત્યાગ અર્થ સમજી સર્વે વસ્તુ અને છેલ્લે દેહને પણ ત્યાજય ગણી મોક્ષના એકમાત્ર આશયથી સાધના કરવા આ બારે વ્રતના પરિપાલનથી છેલ્લે અગારમાંથી અણગાર વતી બનવું એ જ નિષ્કર્ષ છે.
0000000
(અધ્યાયઃ-સૂત્ર:૩૨) [1]સૂત્રહેતુ-મરણાન્તિક સંખનાનાઅતિચારોને જણાવવા માટેઆ સૂત્રની રચના થયેલી છે.
0 [2] સૂત્રમૂળઃ નીતિમાં મિત્રાનુરી ફુલીનુવનિતાનેરણાનિ 0 [3]સૂત્ર પૃથક-ગાવિત,મરગાસા,મિત્ર મનુ,સુરવનગુવન્ય,નિવારણના
U [4]સૂત્રસાર-જીવિત આશંસા,મરણઆશંસા મિત્ર અનુરાગ,સુખઅનુબંધ અને નિદાન કરણ એ મારણાન્તિકસંલેખના વ્રતના પાંચ અતિચારો છે]
U [5]શબ્દશાનઃનીવિત- એટલે જીવવું મરણ-મરણ એટલે મરવું- મૃત્યુ, જીવનનો અંત મારાંસા- ઇચ્છા વિચારણા,અભિલાષ મિત્રાનુરી-મિત્રાદિ પરત્વે મમત્વ સુવાનુન્ય-પૂર્વાનુભૂત સુખોનું સ્મરણ નિવારણ-પરલોકના સુખની ઇચ્છા
1 [6]અનુવૃતિઃ- (૧)વ્રતી પવૂ પન્યૂ યથાશ્રમ” સૂત્ર ૭:૧૯ (૨)શ$ +
ાક્ષા.......... સૂત્ર ૭:૧૮ થી ગતિવાર: શબ્દ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ એ વ્રતના અને શીલના અતિચારો ને જણાવ્યા આ સૂત્ર થકી સંલેખના વ્રતના અતિચારને જણાવે છે.
–અહીં અતિચાર શબ્દ પૂર્વ સૂત્રની અનુવૃત્તિ થી લાવેલ છે.
- વ્રતશીપુસૂત્ર ૭:૧૮ જે અનુવૃત્તિ માં નોંધેલ છે. તેની ખરેખર કોઈ અનુવૃત્તિ આ સૂત્રમાં વર્તતી નથી પણ સૂત્રકારે અમારી વતીના વ્રતોને જણાવતી વખતે બાર વ્રતના વર્ણન પછી તુરંતજ મારશાન્તિક સંલેખનાનો ઉલ્લેખ કર્યો છે. શ્રાવકના વંદિતસૂત્ર તથા
કવિતમાાંસfમત્રાનુરે મુહનુવ-નિદ્રાનને એ પ્રમાણેનું સૂત્ર દિગમ્બર આમ્નાયમાં છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાક્ષિક અતિચારમાં પણ વ્રતોની સાથે અનન્તર એવા આસંલેખના વ્રતનો ઉલ્લેખ જોવા મળે છે તેથી અહીં વ્રતશીપુ ને આધારે તેમાં ક્રમમાં સંલેખના
વ્રત જ આવે તેમ સમજીને આ અતિચારને સંલેખના વ્રતના અતિચારો કહ્યા છે. [૧]જીવિતશંસાઃ
$ ખાનપાન, સુખ-સગવડ, ભકિત-બહુમાન,સત્કાર,આદિ જોઈને જીવવાની લાલસા થવી તે જીવિતશંસા
જ પૂજા સત્કાર આદિ વિભૂતિ જોઈ તેથી લલચાઈને જીવનને ચાહવું તે જીવિતશંસા
$ જીવવાની જે ઈચ્છા તે જીવિતશંસા-સંલેખના ગ્રહણ કર્યા પછી થતો સત્કાર, સન્માન,પૂજા આદિ જોઈને હું વધુ જીવુંતો સારું એમ જીવવાની જે ઇચ્છા કરવી તેને સંલેખના વ્રતનો પ્રથમ અતિચાર કહ્યો છે
[૨]મરણાશંસાઃ# કષ્ટ,દુઃખ વગેરે જોઇને મરણની લાલસા કરવી
# સેવા, સત્કાર આદિ માટે કોઈને પાસે ન આવતો જોઈ, કંટાળાથી મરણને ચાહવું તે મરણશંસા
૪ પૂજા, સત્કાર સન્માન, કીર્તિ,વૈયાવચ્ચ આદિન થવાથી કંટાળી ને હું જલ્દી મરી જાઉં તો સારું એ પ્રમાણે મરણની ઈચ્છા રાખવી
૪ સંલેખના તપનો સ્વીકાર કર્યા પછી ક્ષેત્રની કર્કશતાના કારણે તેમજ પૂજાસન્માનાદિના અભાવે એવી વિચારણા કરવી કે હવે મારું મરણ થાયતો સારું એ મરણાશંસા નામનો સંલેખના વ્રતનો બીજો અતિચાર કહેલો છે.
[3]મિત્રાનુરાગ:# સ્નેહ સંબંધિઓ ઉપર મમતા રાખવી # મિત્રો ઉપર અને મિત્રોની પેઠે પુત્રાદિ ઉપર સ્નેહબંધન રાખવું તી મિત્રાનુરાગ.
મિત્ર,પુત્ર,સગા સ્નેહીજન આદિ ઉપરનું જે મમત્તે મિત્રાનુરાગ, આ સંલેખણા વતનો ત્રીજો અતિચાર છે
+ मेद्यन्ति इति मित्राणि । स्नेहमत्यन्तं कुर्वन्ति सहजीवितमरणानि तेषु मित्रेषु अनुराग:। स्नेहो यस्तं ताद्दश्यामप्यवस्थानां न जहातीति मित्रानुरागोऽतिचारः । तथा पुत्रादिषु अपि योज्यम् ।
નોંધઃ- આ અતિચાર ગ્રન્થાન્તરમાં કહેવાયેલ નથી [૪]સુખાનુરાગ - $ મરણ પછી આ સુખ મળે તેવી લાલસા થી પૂર્વના સુખોનું સતત સ્મરણ
અનુભવેલા સુખો યાદ લાવી મનમાં તાજાં કરવા તે સુખાનુબંધ 4 अनुभूत प्रीतिविशेषस्मृति समाहरणं चेतसि सुखानुबन्धः
–નોંધઃ- સંલેખણાવ્રતનો આ ચોથો અતિચાર પણ વંદિતુ સૂત્ર ઉપાસક દશાંગ સૂત્રાદિ એ જોવા મળેલ નથી.
Page #144
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૨
૧૪૩ પિનિદાન કરણ -
# સાંસારિક ફળની ઈચ્છાથી વ્રત,સંયમ તપ વગેરે કરવા અને વ્રતના ફળરૂપે સાંસારિક સુખ મેળવવા સંકલ્પ કરવો.
# તપ કે ત્યાગ નો બદલો કોઈપણ જાતના ભોગરૂપે માગી લેવો તે નિદાનકરણ જે સંલેખણાવ્રતનો પાંચમો અતિચાર છે.
# તપ અને સંયમના પ્રભાવથી હું ચક્રવર્તી બનું, રાજા બનું વાસુદેવ બનું, રૂપવાન બનું માન-સન્માન પામું ઇત્યાદિ ઇચ્છાઓ રાખવી
# નોંધઃ-વંદિત સૂત્ર કે ઉપાદક દશાંગ સૂત્રમાં કહેવાયેલા ત્રણ અતિચારો અહીં સમાવિષ્ટ થઈ શકે છે
(૧) ઈહલોક આશંસા - સંલેખના વ્રત સ્વીકાર્યા પછી હું આલોકમાં જ ઉત્પન્ન થાઉ મનુષ્ય બનું, રાજા બનું,ચક્રી બનું એવી જે ઈચ્છા તેને ઈહલોક આશંસા અતિચાર કહેવાય છે.
(૨)પરલોક આશંસાઃ-સંલેખના વ્રત સ્વીકાર્યા પછી મનમાં એવી ઈચ્છા રાખવી કે હું અહીંથી મરણ પામીને દેવ બનું, ઈન્દ્ર બનનું, વિમાનોનો અધિપતિબનું, આવી આવી ઇચ્છા તે પરલોક આશંસા નામનો બીજો અતિચાર છે.
(૩)કામભોગાશંસા - સંલેખના વ્રત સ્વીકાર્યા પછી યોગ્ય પૂજા સન્માનાદિકના અભાવ કે ભૂખના દુઃખથી પીડિત થઈને એવી ઈચ્છા રાખવી કે વહેલો કે મોડો હું દેવલોક કે મનુષ્યલોકમાં ગમે ત્યાં ઉત્પન્ન થાઉં પણ મને ત્યાં ઇચ્છિત કામભોગની પ્રાપ્તિ થાઓ તે કામભોગ આશંસા અતિચાર છે
સંલેખના વ્રતમાં મરણ સમયે આ પાંચે દોષોની ઉત્પત્તિ ન થાય તેવી પ્રાર્થના કરવી તે આ દોષોના નિવારણનો પુરુષાર્થ છે
* સારાંશ -આ રીતે કુલ ૭૦અતિચારોનું અહીં વર્ણન કરાયું છે કેમ કે સમ્યક્તના૫, ૧૨ વ્રતના પ-પએટલે ૦, સંલેખના વ્રતના પ એમ ૭૦અતિચાર સૂત્ર ૧૮ થી ૩૨માં કહેવાયા છે. જો કે સિધ્ધસેનીયવૃત્તિ માં જણાવે છે કે આ અતિચારો ની સંખ્યા ૬પ ની ગણવી જોઈએ કેમ કે સમ્યક્ત એ તો પાયો છે. તેની શુધ્ધિ વિનાવ્રત શુધ્ધિ સંભવતિ નથી.
આ ૭૦ અતિચાર જાણવા યોગ્ય છે, પરિહરવા યોગ્ય પણ છે જ વળી આ ભૂલો અજાણતા કે પ્રમાદ વશ થાય તો અતિચાર છે પણ જો જાણી જોઇને -ઇરાદપૂર્વક તેનું સેવન કરવામાં આવે તો અનાચાર અર્થાત વ્રતભંગ સ્વરૂપજ છે.
જ વિશેષ વાતઃ-પાલિકાદિ અતિચાર ગુજરાતી ભાષામાં હોવાથી કેટલાંક તેને માનતા નથી, કેટલાંક કલ્પીત પણ ગણે છે આપણે આ ૭૦ અતિચારને અહીં જોયા-તેમજ ઉપાસક દશાંગ નામના આગમમાં પણ આ અતિચારો નું વર્ણન છે, વંદિતસૂત્રમાં પણ વર્ણન છે માટે આ અતિચારો કપોળકલ્પિત નથી પણ આગમિક છે, શાસ્ત્રીયછે અને પ્રાચીન પણ છે તે વાત સ્મરણસ્થ હોવી જોઈએ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [8] સંદર્ભ૪ આગમસંદર્ભ-
ગમમારતિય વૃક્ષણહણા, પગાર... I संसप्पओगे परलोगा संसाप्पओगे जीवियासंसप्पओगे मरणासंसप्पओगे कामभोगासंसप्पओगे
જ ૩૫, અ-રૂ. ૭૨૩ # તત્વાર્થ સંદર્ભ-મતિ સર્જેલૂનાં ગોપિતા સૂત્ર. ૭:૨૭ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિત સૂત્ર-ગાથા ૩૩ પ્રબોધટીકા-ભાગ-૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૩)યોગશાસ્ત્ર (૪)ધર્મબિંદુ-શ્રાવકાધિકાર (૫)ધર્મ રત્ન પ્રકરણ
[9]પધઃ(૧) જીવિત ઇચ્છા મરણઇચ્છા મિત્રની અનુરાગતા
સુખતણા અનુબંધ ઈચ્છે કરે વળી નિદાનતા સંલેખણાના પાંચ દોષો ટાળતાં ભલીવાસના વિરતિ અંગે ધર્મેગે થાય સુંદર ભાવના મૃત્યુ જીવિત ચાહવું ન ચઢવું કંટાળી કે લાલચે મોહે જે મમતા સગાં સુદ્ધમાં મિત્રાનુરાગો થયે વેદ્યા તે સુખને વળી સમરવાં સુખનું બંધેય જે
| નિયાણું અતિચાર પાચ જ ગણ્યા સંલેખના દોષને U [10] નિષ્કર્ષ - અતિચારોમાં છેલ્લે સંલેખના વ્રતના જે અતિચાર કહ્યા છે તે અન્ય વ્રતાતિચાર ની તુલના એ સવિશેષ મહત્વના છે. કેમ કે અવ્રતના દોષોના સેવનથી અત્યન્ત અધમ અનંતાનુબંધી સંસારનું ઉપાર્જન થાય છે .જે વ્રતનું ગ્રહણ મોક્ષને માટે કર્યું શરીર ની સાથે વિષય-કષાયની પણ કૃષતા નુધ્યેય હતું તે સ્થાને ફરી એ જ વિષય કષાયના દોષો સેવવાથી અનંતો સંસાર વૃધ્ધિ પામે છે માટે મોક્ષના અર્થી એવા અગારી વતી જીવે આ પાંચે દોષને સર્વથા ટાળવા થકી પોતાના વ્રત-તપના ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત કરવું.
0 0 0 0 (અધ્યાયઃ-સૂત્ર:૩૩) [1]સૂત્રહેતુ:- આ સૂત્ર થકી દાનની વ્યાખ્યાને જણાવે છે. U [2] સૂત્રમૂળઃ-મનુuહાઈ સ્વસ્થતિનો તાનમ્ U [3]સૂત્ર પૃથક-મનુ દીર્થ સ્વસ્થ - તિ: નમ્
[4] સૂત્રસારસ્વઅનેપરના] અનુહને માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવોતેદાન છે.
(૨)
Page #146
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૩
] [5]શબ્દજ્ઞાનઃ
અનુપ્રજ્ઞાર્થ- -ઉપકાર ને માટે, [સ્વ પરના] સ્વસ્થતિસર્વાં- પોતાનો પોતાની વસ્તુનો, ત્યાગ વાનક્- દાન દેવું [અર્હદ્ ભકિત કે સાધર્મિકોને] J[6]અનુવૃત્તિઃ- કોઇ અનુવૃત્તિ નથી
[7]અભિનવટીકાઃ-દાનધર્મ એ જીવનના બધા સદ્ગુણોનું મૂળ છે તેથી એનો વિકાસ એ પારમાર્થિક દૃષ્ટિએ અન્ય સદ્ગુણોના ઉત્કર્ષનો આધાર છે અને વ્યવહાર દ્રષ્ટિએ માનવી વ્યવસ્થાના સામંજસ્યનો આધાર છે.
૧૪૫
-‘‘દાન નો અર્થ ન્યાયપૂર્વક પોતાને પ્રાપ્ત થયેલી વસ્તુનું બીજા માટે અર્પણ કરવું’' એવો કરેલ છે- પરંતુ
(૧)એ અપર્ણ તેના કરનારને અને તેના સ્વીકારનારને ઉપકારક હોવું જોઇએ (૨)અર્પણ કરનારનો મુખ્ય ઉપકાર એ જ કે એ વસ્તુ ઉપરીતેની મમતા ટળે અને તે રીતે તેનો સંતોષ અને સમભાવ કેળવાય
(૩) સ્વીકાર કરનારનો ઉપકાર એ કે તે વસ્તુથી તેની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે તેનો સદ્ગુણો ખીલે * અનુપ્રાર્થ:
અનુમ ્ એટલે અન્ન વગેરે ઉપકાર
अनुगृह्यतेऽनेन इति अनुग्रहः अन्नादिः उपकारकः प्रतिग्रहीतुः दातुम्व प्रधानानुषङ्गिफलं प्रधानं मुकितः, आनुषङ्गिकं स्वर्गादिप्राप्तिः
૪ આ ઉપકાર બે પ્રકારે થાય છે સ્વ ઉપકાર અને પર ઉપકાર
સ્વ ઉપકાર પણ બે ભેદે છે (૧) પ્રધાન-મુખ્ય (૨) આનુસંગિક-ગૌણ (૨)પ્રધાન સ્વ અનુગ્રહ:
–સ્વનો મુખ્ય અનુગ્રહ [અર્થાત્ ઉપકાર] તો દાનથી મોક્ષની પ્રાપ્તિ જ છે —દાનધર્મનું મુખ્ય ફળ તે કર્મનિજરા થકી આત્માની સંસાર થી મુકિત થવી તે. (૨)આનુષંગિક સ્વ અનુગ્રહઃ- મુખ્ય ઉપકાર ની સાથે સાથે અનાયાસે આનુષંગિક કે ગૌણ ઉપકાર પણ થઇ જ જાય છે જેના બે ભેદ છે.
આંલોક સંબંધિઃ- સંતોષ,વૈભવ આદિની પ્રાપ્તિ થવી, આત્મામાં સંતોષ ગુણની ઉત્પત્તિ થતા રાગાદિ દોષોની હાનિ થવી અને વિશિષ્ટ નિર્જરા થકી બાહ્ય સુખ સામગ્રી પણ પ્રાપ્ત થવી તે ગૌણ ઉપકાર
પરલોક સંબંધિઃ- પરલોકમાં વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ થવી તે પરલોક સંબંધિ આનુષંગિક સ્વ અનુગ્રહ.
★ प्रच्युतस्येह सुकुलप्रत्याति विभवबोधि लाभादिः
પર ઉપકાર [-અનુગ્રહ] પણ બે ભેદે છે (૧)પ્રધાન (૨)આનુષંગિક
અ ૭/૧૦
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૩) પ્રધાનપર અનુગ્રહઃ કર્મનિર્જરાથીદાનલેનાર આત્માની સંસાથી મુકિત તે પ્રધાન પર અનુગ્રહ કહેવાય છે.
(૪)આનુષંગિક પર અનુગ્રહ:- પર ઉપર થતો ગૌણ અનુગ્રહ પણ બે ભેદે છે.
૪ આલોકસંબંધિઃ-સંયમનું પાલન કેમોક્ષમાર્ગ આરાધનાએ દાન લેનારને આલોક સંબંધિ ઉપકાર છે
પરલોકસંબંધિઃ-વિશિષ્ટ પ્રકારના સ્વગાદિસુખની પ્રાપ્તિએપરલોકસંબંધિ ઉપકાર છે.
અર્થ એટલે પ્રયોજન
* અનુમહીર્થ એટલે ઉપકારના પ્રયોજનથી અર્થાત દાનદેવામાં ઉપકારનું પ્રયોજન કે ઉપકાર ની બુધ્ધિ જ હોવી જોઇએ
4 आत्मा च परश्च आत्मपरौ तयोः अनुग्रह: आत्मपरानुग्रहः । सोऽर्थो यस्य तदात्मपरानुग्रहार्थम् ।
જ અનુગ્રહ ની પૂર્વશરતઃ- તે વિશુધ્ધ બુધ્ધિપૂર્વક કરાયેલ હોવો જોઈએ.
-કર્મનિર્જરાદિ ફળે મને પ્રાપ્ત થાય એ પ્રકારે અનુગ્રહ ઉપકાર કરવાથી વિશુધ્ધિ બુધ્ધિત્વ પ્રાપ્ત થાય છે
– આ વિશુધ્ધિ બુધ્ધિ કર્મનિર્જરાશિફળની વિચારણા સિવાયનો અનુગ્રહ-અનુરાજ નથી. -अन्था तु अनुग्रहाभाव एव स्यात्
જ ભાષ્યમાં અનુગ્રહના આત્મા અને પર બે ભેદ કહ્યા છે, તેનું સ્વરૂપ આત્મા-[સ્વ શ્રધ્ધા, શકિત,સત્વ, ક્ષમા,વિનય,
વિષ્ણતા ગુણથી સમ્પન્ન એવો દેવાની ભાવ પરિણતિ વાળો દાતા તે સ્વ પર-જ્ઞાનક્રિયાન્વિત, કષાય વિજેતા,સ્વાધ્યાય, તપ,ધ્યાન,સમાધિ ભજનાર મૂલ ઉત્તર ગુણની સંપદાને ધારણ કરેલા.
* સ્વસ્થ-પોતાનો
સ્વ શબ્દ આત્મીય જ્ઞાતિ-ધન વગેરે વગેરે અર્થમાં વર્તે છે પણ અહીં સ્વ શબ્દ વિશેષ કરીને ધન અર્થમાં વપરાયેલ છે.
# ન્યાયોપાર્જિત અથવા ન્યાયવૃતિ થી પૂર્વજોનું વારસામાં આવેલું અથવા સ્વ સામર્થ્યથી ઉપાર્જન કરેલું ધન તેને સૂત્રકારે સ્વસ્થ શબ્દ પ્રયોજેલ છે
# સ્વસ્થ એટલે પોતાનું, લોકવિરુધ્ધ કે ચોરી આદિવ્યવહારથક ઉપાર્જેલું નહીંતેવું. આવા અન્ન,પાન,વસ્ત્ર, ઉપધિ, ઉપકરણ, ઔષધ,શયાઆદિપુદ્ગલ દ્રવ્ય અને પ્રવજ્યાને યોગ્ય એવા પ્રવજયાભિમુખ પુત્ર-દોહિત્ર-ભાઈ-પત્ની આદિ જેવદ્રવ્ય
* અતિસર્ગઃ- ત્યાગ,છોડવું તે
-માત્રછોડવું કે વિસર્જન કરવું એ જ ત્યાગ નથી પણ વિશિષ્ટ પ્રકારે દેવું સિધ્યાનમ તેને દાન કહ્યું છે
આ દાન કે “દેવું” તે બે પ્રકારે કહેલ છે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૭
- દાન
અધ્યાયઃ ૭ સૂત્ર:૩૩
(૧)અરિહંત પરમાત્માને પુષ્પ,બલી, ધૂપ,ચામર, આતપત્ર, કળશ,ધ્વજ, મુગટ આભરણ વગેરે વગેરે વસ્તુ ભકિતને માટે અરિહંત પરમાત્માને દેવી-દાનબુધ્ધિ થી અર્પણ કરવી તે મહતુ અપ્રાન
(૨)સાધાર્મિકોને -સાધાર્મિક બે પ્રકારે કહ્યા છે
# સાધુ યથોકત જ્ઞાનક્રિયા અનુષ્ઠાન સંપન્ન એવા સાધુ સાધ્વીજીને અન્ન,પાન, વસ્ત્ર,શયા,ઉપકરણ ઔષધ આદિનું જે દાન તે સાધુસદ્દાનમ્
# શ્રાવક-સમ્યક્ત અણુવ્રતાદિ બાર(વ્રત) પ્રકારના ધર્મથી યુકત એવા શ્રાવકોને પણ દેશ-કાળ અનુસાર અન્ન,પાન,વસ્ત્રાદિનું દાન તે વક્સપ્રદાનમ્
જ વા- દાન
સૂત્રકાર મહર્ષિ એ સૂત્રમાંજ વ્યાખ્યા કરી દીધી છે કે મનુપ્રદાયે સ્વસ્ય તસ: વાનમ્ એટલે દાનનો અર્થ અનુગ્રહ બુધ્ધિ થી પોતાની ધન-સંપત્તિ આદિનો સુપાત્રમાં ત્યાગ કરવો તે
જ દાન આપવા યોગ્ય પાત્રઃ૧-રત્નપાત્ર- શ્રી તીર્થકર ભગવંતને દાન આપવું તે. ૨- સુવર્ણપાત્ર-તપસ્વી મુનિ ભગવંતને દાન આપવું તે. ૩- રજતપાત્રઃ- વ્રતધારી આત્માઓને દાન આપવું તે. ૪-ધાતુપાત્ર-સાધર્મિક બંધુઓને ઉચિત દાન આપવું તે. પ-માટી પાત્ર સમાનઃ- કોઈપણ દીન-દુઃખી ને ઉચિત દાન આપવું તે * શ્રેષ્ઠપાત્રની શાસ્ત્રોકત વ્યાખ્યા -
પાત્ર એટલે રાગદ્વેષાદિક ઉપર જય મેળવનારા, ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવનાર, સ્વાધ્યાય,તપ,સમાધિ,ચારિત્રમાં અને સંયમમાં સ્થિર રહેનાર મૂળગુણ અને ઉત્તરગુણની સંપત્તિ ધરાવનાર હોય તે ઉત્તમ પાત્ર કહેવાય છે.
* સૂત્રનો ભાષ્યાનુસારી સંકલિત અર્થ
# પોતાને અને પરને ઉપકાર કરવાની બુધ્ધિ થી પોતાને ન્યાયોપાર્જિત એવો અન્નપાન વસ્ત્ર વગેરે વસ્તુનો સુપાત્ર માં ત્યાગ કરવો તેને દાન કહેલું છે
[8] સંદર્ભ
* આગમસંદર્ભ-મોવાસ તરાપૂર્વમાં વા નાવ પડછામા તાપૂવર્સ સમસ્ય वा समाहिं उप्पाएति समाहिकारएणं तमेव समाहिं पडिलभइ * भग.श.७,उ.१,सू.२६४-१
સૂત્રપાઠ સંબંધઃ- શ્રી ભગવતીજી સૂત્રમાં જણાવ્યા અનુસાર જે શ્રમણોપાસક શ્રમણ કેશ્રાવકને આહારાદિથી પડિલામે છે તે તેવા શ્રમણ કે શ્રાવકને સમાધિ ઉત્પન્ન કરાવે છે આ સમાધિ શ્રમણોપાસકને પોતાને પણ સમાધિ પ્રાપ્ત કરાવે છે. આ રીતે સૂત્રમાં આગળ વસ્થ શબ્દજોડી દેવામાં આવેતો આખો અર્થ તથા દાનનું ફળબંને આસૂત્રપાઠમાં અતિસ્પષ્ટ રીતે આપેલા છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ તત્વાર્થ સંદર્ભમૃતવ્રત્યનુષ્પાવાનું... સૂત્ર ૬:૧૩માં કહેવાએલ ટાને શબ્દ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃમન ણિાણે સજઝાય ગાથા-૨ પ્રબોધટીકા-૩
[9]પદ્યઃ(૧) પરતણા ઉપકાર માટે સ્વવસ્તુને પરિહરે
દાનધર્મ જ થાયરૂડો મુઠ્ઠના દૂર કરે - સૂત્ર ૩૩ અને ૩૪ નું સંયુકત પદ્ય ત્યાગે પ્રીતે પદાર્થો સુકરણ મતિએ દાનપાત્ર સુરીતે દાતા નિસ્પૃહી જૈનને વિધિ રહિતતે ગુણવૃધ્ધિ નિમિત્તે જેથી ન્યાયી વ્યવસ્થા સકલગુણ વધે માનવીના સમાજે
લેનારો યોગ્ય હોયે મતલબ ઉભયે દાનથી શ્રેષ્ઠ થાયે U [10] નિષ્કર્ષ -
દાન એટલે આપવું એટલું જ બસ નથી પરંતુ જે વસ્તુ જેને આપવાની હોય તેને તે વસ્તુ દ્રવ્યપ્રાણ તેમજ ભાવપ્રાણની પુષ્ટિ અર્થે ઉપકાર કરવાવાળી થવી જોઈએ. તેમજ આપનારે પણ પોતાની માલિકીની વસ્તુ જે અન્ય આત્માને વિશેષ ઉપકારક થાય તેમ છે એમ જાણીને તે વસ્તુ ઉપરનો મમત્વભાવ ઉતારીને આપવી જોઈએ.
આ દાનગુણ સર્વગુણોને મેળવી આપવા માટે ઉત્તમ જડી બુટ્ટી નું કામ કરે છે માટે દરેક આત્મા ઓ એ ઉપર જણાવ્યા પ્રમાણે દાન આપવાની વૃત્તિ સદાય જાગૃત્ત રાખવી જોઈએ. આ દાનના પ્રધાન ફળરૂપે કર્મનિર્જરા થકી મોક્ષની પ્રાપ્તિ થાય એજ નિષ્કર્ષ છે.
0 0 0 0 0 0 0
(અધ્યાય -સૂત્ર:૩૪) U [1]સૂત્ર હેતુ આ સૂત્ર થકી સૂરકારે દાનની તથા તેના ફળની વિશેષતાને જણાવે છે.
[2] સૂત્ર મૂળ-વિધિ વ્યાપવિશેષાદ્ધિશેષ: U [3સૂત્ર પૃથક્ર-વિધિ: ટુ-વાતૃ-પત્ર-વિશેષાત્ ત વિશેષ:
U [4] સૂત્રસાર-વિધિ દ્રવ્યદેયવસ્તુ, દાતા અને પાત્ર [-ગ્રાહકની વિશેષતાથી તેની [અર્થાતુ દાનધર્મની વિશેષતા હોય છે
(એટલે કે દાનધર્મની આ વિધિ આદિ ચાર વિશેષતા ને કારણે તેના ફળમાં પણ તરતમતા હોય છે.
કિશબ્દશાનઃવિવિ-કલ્પનીયતા વગેરે
કુવ્ય-દેય વસ્તુના ગુણાદિ વાત- લેનાર પ્રત્યેના શ્રધ્ધા આદિ ગુણો ધરાવતી વ્યકિત
Page #150
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૪
૧૪૯ પત્ર-સર્વ વિરતિ કે દેશ વિરતિ ધર આદિ ગ્રાહક વિશેષI-તરતમતાથી, આ શબ્દ વિધિ આદિ ચારે સાથે જોડવો. D [6]અનુવૃત્તિ-અનુકાર્યવય સૂત્ર ૭:૩૩ થી તાનમ્ શબ્દની અનુવૃત્તિ અહીં કરવી
U [7]અભિનવટીકા - બધાં દાન દાન રૂપે એક જેવાં જ હોવા છતા તેમના ફળમાં તરતમભાવ રહેલો હોય છે. એ તરતમભાવ દાન ધર્મની વિશેષતાને લઇને છે. અને એ વિશેષતા મુખ્યપણે દાન ધર્મના નિમ્નોત ચાર અંગોની વિશેષતાને આભારી છે
(૧)વિધિની વિશેષતાઃ
# એમાં દેશકાલનું ઉચિતપણું અને લેનારના સિધ્ધાંતને બાધા ન કરે તેવી કલ્પનીય વસ્તુનું અર્પણ ઇત્યાદિ બાબતોનો સમાવેશ થાય છે
$ દેશ, કાળ, શ્રધ્ધા,સત્કાર અને ક્રમપૂર્વકકલ્પનીય વસ્તુ આપવી વગેરે વિધિ છે [આ દેશ-કાળ આદિનો અર્થ પૂર્વે સૂત્ર ૭:૧૬માં જણાવેલ છે.
$ દેશ, કાળ, સંપત્તિ, શ્રધ્ધા,સત્કાર,બુધ્ધિ,જયેષ્ઠદિક્રમ હ્ય,અધ્યવગેરેને અનુસરીને શાસ્ત્રમાં જે જુદાજુદા પ્રકારના દાન દેવાની વિધિઓ જણાવી છે તેને અનુસરીને દાન કરવું
-વિધાન એટલે વિધિ,વિશિષ્ટ પ્રકાર, તેના અતિશય થી પુણ્યનો અતિશય થાય છે અથવા અતિશય નિર્જરા થાય છે, અને વિશેષ પુણ્ય સ્વર્ગફળને આપે છે તથા તે વિશેષનિર્જરા મુકિત ફળને આપે છે.
विधिविशेषात् दानधर्मस्य विशेषो भवति । विधि विशेषो नाम देश कालसंपच्छ्रध्धासत्कारक्रमा: कल्पनीयत्वम् इत्येवमादिः ।
[૨] દ્રવ્ય ની વિશેષતાઃ
$ દ્રવ્ય વિશેષતામાં દેવાની વસ્તુના ગુણનો સમાવેશ થાય છે જે વસ્તુનું દાન કરવામાં આવે તે વસ્તુ લેનાર પાત્રની જીવનયાત્રામાં પોષક હોઈ પરિણામે તેને પોતાના ગુણ વિકાસમાં નિમિત્ત થાય તેવી હોવી જોઇએ.
દેવા યોગ્ય અનાદિક પદાર્થોની ઉત્તમત્તા,મધ્યમતા વગેરે ને અનુસરીને તેના યે અનેક પ્રકારો પડે છે. ૪ અન્ન,પાન, વસ્ત્ર,પાત્ર આદિ શ્રેષ્ઠ દ્રવ્યોનું દાન કરવું જોઈએ.
द्रव्य विशेषाद्धर्मस्य विशेषो भवति । द्रव्यविशेषोअन्नादीनामेव सारजातिगुणोत्कर्षयोगः। [3]દાતાની વિશેષતા -
$ એમાં લેનાર પાત્ર પ્રત્યે શ્રધ્ધા હોવી, તેના તરફ તિરસ્કાર કે અસૂયાનું નહેવું જોઈએ અને દાન કરતી વખતે કે પછી વિષાદ ન કરવો વગેરે દાતાના ગુણોનો સમાવેશ થાય છે.
# સ્વભાવને આશ્રીને તથા દાન દેવાની ભાવનાને આશ્રીને દાતાઅનેક પ્રકારે સંભવે છે જેમ કે મારું કોઈપણ કંઈ લે અને મને લાભ આપે તેવી ભાવના વાળો દાતા, પોતાની મનગમતી કે ગમે તેવી કિંમતી વસ્તુ દેવાઈ જાય તો પણ ગ્લાની ને બદલે અત્યંત હર્ષ અનુભવતો દાતા વગેરે
$ દાતા પ્રસન્નચિત્તાદિ ચાર ગુણોથી યુક્ત અને વિષાદ આદિ ચાર દોષોથી રહિત
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોવો જોઇએ
જ પ્રસન્નચિત્ત આદિ ચાર ગુણો
(૧)પ્રસન્નચિત્ત-સાધુ વગેરે પોતાના ઘેર આવે ત્યારે હું પુણ્યશાળી છું જેથી મારે ઘેર મુનિ-મહાત્માઓનાપગલાથાય,એવો વિચાર કરી ધન્યતા અનુભવે, પરંતુ આતો રોજરોજ અમારા ઘેર આવે છે એવા વિચારો કરી કંટાળે નહીં
(૨)આદરઃ-જયારે પણ મુનિ-મહાત્મા પધારે ત્યારે આવો આવો પધારો-પધારોએવી સતત આનંદની વૃધ્ધિ હોય,લાભ આપો લાભ આપો કહેતા થાકતો ન હોય તેને આદર કહે છે
(૩)હર્ષ:- સાધુને જોઈને કે સાધુ કોઈ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે, વસ્તુનું દાન દેતાં પણ હર્ષ પામે, આપ્યા પછી પણ અનુમોદના કરે એ રીતે દાન વેળા, તેની પૂર્વે તથા તેની પછીથી એમ સર્વ વખતે તે હર્ષાયમાન જ રહે.
(૪)શુભાશયઃ- પોતાના આત્માનો સંચાર થી વિસ્તાર કરવાના આશયથી દાન આપે અર્થાત કર્મ નિર્જરાની બુધ્ધિ થી દાન આપે 1 જ વિષાદ આદિ ચાર દોષોનો અભાવ - (૧)વિષાદઅભાવઃ- આપ્યા પછીમેં કયાં આપી દીધું? વધારે અપાઈ ગયું એવો પશ્ચાતાપ ન કરે પણ વ્રતીના ઉપયોગમાં આવે એને પોતાનું ભાગ્ય માને અને વારંવાર અનુમોદના થકી પોતાના આનંદને અભિવ્યકિત કરે
(૨)સંસાર સુખની ઇચ્છા નો અભાવઃ- દાન આપીને તેના ફળ રૂપે કોઇપણ જાતના સંસાર સુખની ઇચ્છા ન રાખે
(૩)માયાનો અભાવ-દાન આપવામાં કોઈપણ જાતની માયા ન કરતા સરળ ભાવથીદાન કરે.
(૪)નિદાન નો અભાવઃ-દાનના ફળ રૂપે પરલોકમા સ્વર્ગાદિ સુખની કોઈપણ અપેક્ષા ન રાખે કે ઈચ્છા ન સેવે
અહીં બીજા અને ચોથો દોષ સમાન જણાય છે પણ તેમાં મહત્વનો તફાવત એ છે કે સંસાર સુખની ઇચ્છાનો અભાવ એ આલોકને આશ્રીને વિચારાયેલ મુદ્દો છે જયારે નિદાનનો અભાવ એ પરલોકને આશ્રીને વિચારાયેલ મુદ્દો છે.
4 दातृविशेषात् दानधर्मस्यविशेषो भवति । दातृ विशेषः प्रतिग्रहीतयनसूया, त्यागेविषादः, अपरिभाविता दित्सतो ददतो दत्तवतश्च प्रीतियोग: कुशलाभिसन्धिता, द्दष्ट फलानपेक्षिता, निरुपधत्वम्, अनिदानत्वम् इति ।
[૪]પાત્ર# દાન લેનારે સત્પરુષાર્થ પ્રત્યે જ જાગરૂક રહેવું તે પાત્રની વિશેષતા છે.
& સન્ દર્શન સમ્યજ્ઞાન, સમ્યક્ષ્યારિત્ર યુક્ત અને તપથી યુકત હોય તે પાત્ર કહેવાય. સાધુ ભગવંતની દૃષ્ટિએ ૧૮૦૦૦ શીલાંગ ના ઘારક તે ઉત્તમ પાત્ર કહેવાય. તે ગુણનું વત્તા ઓછાપણું થવાથી ઉત્કૃષ્ટ પાત્રના અનેક ભેદ કે તરતમતા જોવા મળે છે.
આ પાત્ર પણ દ્રવ્ય અને ભાવ બે ભેદ જોવા મળે છે -દવ્ય પાત્ર એટલે ભાજન, જેમાં સાધુ ગોચરી લાવેછેતે
Page #152
--------------------------------------------------------------------------
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૪
-ભાવ પાત્ર એટલે ૧૮૦૦૦ શીલાંગ કે ઓછા ગુણ વાળા અણગાર
સમ્યક દર્શન આદિગુણોથી યુકત સર્વવિરતિધર સાધુઓ અને દેશવિરતિધર શ્રાવકો વગેરેને પાત્ર કહેવામાં આવે છે
पात्र विशेषात् दान धर्मस्य विशेषो भवति । पात्रविशेषः सम्यग्दर्शनज्ञानचारित्रतपः सम्पन्नता इति ।
આ રીતે જેટલે અંશે વિધિ-આદિ ચારેમાં વિશેષતા કે ઉચિતતા હોય તેટલે અંશે દાનથી અધિક લાભ થાય છે અને જેટલે અંશે વિધિ આદિ ચારેમાં ન્યૂનતા હોય તેટલે અંશે દાનનો લાભ પણ ઓછો થાય
] [8] સંદર્ભ:
આગમ સંદર્ભ:-વ્વયુદ્ધેળ વાયાસુદ્ધેળ તવસ્તિવયુદ્વેગ તિળયુદ્ધેળ પડિયાÇ सुद्धेणं तिविहेणं तिकरण सुद्धेणं दाणेणं...(संसारे परित्तीकए... पंच दिव्वाई पाउब्याई) મા શ૫-૧. ૧૪-૭
ૐ તત્વાર્થ સંદર્ભ:-વિજ્ઞાનર્થ′....અતિથિસંવિમા વ્રતસંપન્ન સૂત્ર ૭:૧૬ અતિથિવિમાવત ની અભિનવટીકા માં કહેવાયેલ દેશ કાળ આદિ વિધિ
અન્ય ગ્રન્થ સંદર્ભઃ
યોગશાસ્ત્ર –પાત્રની વ્યાખ્યા માટે
[] [9]પદ્યઃ
(૧)
૧૫૧
વિધિને વળી દ્રવ્ય દાતા પાત્રતા ચોથી કહી દાનમાં અવતાર થકતાં વિશેષતા મનગ્રહગહી બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ૩૩ માં કહેવાઈ ગયું છે
(૨)
] [10]નિષ્કર્ષ:-આસૂત્રમાં જણાવ્યા મુજબ વિધિ દ્રવ્ય દાતા અને પાત્રતા ચારેની ઉત્તમોત્તમતા જળવાયતો દાનના ઉત્કૃષ્ટ એવા મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી દાન દેનારે આ ચારેની ઉત્તમતા પ્રતિ જાગૃત્ત રહેવું.
વળી અધ્યાયઃ ૭ ના સૂત્રઃ૧૩માં જણાવ્યા મુજબ જે શાતા વેદનીય કર્માસ્રવ નું એક કારણ ‘દાન’ છે. તેને આશ્રીને કહીએ તો પણ જેમ વિધિ આદિમાં વિશેષતા તેમ શાતા વેદનીય કર્માસવ માં પણ વિશેષે વિશેષે શાતાનો બંધ પડે છે.
તેથી દાન દેનાર દાતાએ સવિશેષ શાતા વેદનીય કર્મના આસ્રવ માટે કે કર્મનિર્જરા થી મોક્ષ ફળની પ્રાપ્તિ માટે ઉકત ચારે વસ્તુ મા ઉત્તમત્તા જાળવવી
અધ્યાય સાતમો અભિનવટીકા સમાપ્ત
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ: ૧-સૂત્રાનુક્રમ સૂત્ર
पृष्ठ
भा
| हिंसाऽनृतस्तेयाऽब्रह्मपरिग्रहेभ्योविरतिव्रतम् २ देश सर्वतोऽणुमहती
तत्स्थैर्यार्थ भावनाः पञ्च पञ्च ४ हिंसादिष्विहामुत्र चाऽपायाऽवद्यदर्शनम् ५ दुःखमेव वा 5 मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थानि सत्त्वगुणाधिककिलश्यमानाविनेयेषु
जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ८ प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा
असदभिधानमनृतम् १० अदत्तादानं स्तेयम् ११ मैथुनमब्रह्म १२ मूर्छा परिग्रहः १७ निःशल्योव्रती १४ अगार्यनगारश्च १५ अणुव्रतोऽगारी १७ दिग्देशाऽनर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोगपरिभोगाऽतिथिसंविभाग १७ मारणान्तिकी सल्लेखनां जोषिता |१८ शङ्काकाङ्क्षाविचिकित्साऽन्यद्दष्टिप्रशंसासंस्तवा:सम्यग्द्दष्टेरतिचाराः
Page #154
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ:૧-સૂત્રાનુક્રમ
૧૫૩
સૂત્ર
१८ व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् २० बन्धवधच्छविच्छेदाऽतिभाराऽऽरोपणाऽन्नपाननिरोधा: २१ मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेदाः २२ स्तेनप्रयोगतदाहृताऽऽदानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपक.. २.3 परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनाऽनङ्गक्रीडातीव्रकामाभिनिवेशा २४ क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्य प्रमाणातिक्रमा: २५ उर्ध्वाऽधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि २७ आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः २७ कन्दर्पकौकुच्यमौखर्याऽसमीक्ष्याऽधिकरणोपभोगाऽधिकत्वानि २८ योगदुष्प्रणिधानाऽनादरस्मृत्यनुपस्थापनानि २८ अप्रत्यवेक्षिताऽप्रमार्जितोत्सर्गाऽऽदाननिक्षेपसंस्तारोपक्रमणाऽनादरस्मृत्यनुप. 30 सचित्तसंबध्धसंमिश्राऽभिषवदुष्पक्वाहारा: ३१ सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः ३२ जीवितमरणाऽऽशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि 33 अनुग्रहार्थो स्वस्यातिसर्गो दानम् ३४ विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेष:
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃ ર-સકારાદિ સૂત્ર ક્રમ सूत्र
સૂત્રાંક ! પૃષ્ઠક
र
ह
.
अगार्यनगारश्च अणुव्रतोऽगारी अदत्तादानस्तेयम् अनुग्रहार्थ स्वस्यातिसर्गोदानम् अप्रत्यवेक्षिताऽप्रमार्जितोत्सर्गाऽऽदाननिक्षेपसंस्तोरोपक्रमणा.
असदभिनामनृतम् ७ आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपा: ८ उर्ध्वाऽधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ८ कन्दर्पकौकुच्यमौखर्याऽसमीक्ष्याऽधिकरणोपभोगाधिकत्वानि । १० क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणितिक्रमा ११ जगत्कायस्वभावौच संवेगवैराग्यार्थम् १२ जीवितमरणाऽऽशंसामित्रानुराग सुखानुबन्धनिदानकरणानि १३ तत्स्थैर्यार्थ भावनाः पञ्च पञ्च १४ दिग्देशाऽनर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोग परिभोगो. १५ दु:खमेव वा १७ देशसर्वतोऽणुमहती
पापम्
Page #156
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ:૨
૧૫૫
સૂત્રાંક
૧૩
१७ नि: शल्यो व्रती १८ परविवाहकरणेत्वरपरिगृिहीताऽपरीगृहीता गमनाऽनङ्गक्रीडातीव्र
कामाभिनिवेशा: १८ प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा २० बन्धबधच्छविच्छेदाऽतिभाराऽऽतिभारारोपणाऽन्नपान निरोधाः २१ मारणान्तिकी संलेखना जोषिता २२ मिथ्योपदेशरहस्याभ्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेदाः २3 मूर्छापरिग्रहः २४ मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थानिसत्त्वगुणाधिककिलश्यमानाविनेयेषु
मैथुनमब्रह्म २७ योगदुष्प्रणिधानाऽनादरस्मृत्यनुपस्थापनानि
| विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेष: २८ व्रतशीलेषुपञ्चपञ्चयथाक्रमम् २८ शङ्गाकाङ्क्षाविचिकित्साऽन्यटठष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टरेति १८
चारा
30 सचित्तनिक्षेपपिधानपख्यपदेशमात्सर्यकालातिक्रमा: ३१ सचित्तसंबद्धसंमिश्राऽभिषवदुष्पक्वाहारा: ३२ स्तेनप्रयोगतदाहृताऽऽदानविरुद्धराज्यातिकमहीनाधिकमानोन्मानप्रति
रूपक व्यवहारा: 33 हिंसादिष्विहाऽमुत्रचाऽपायाऽवधदर्शनम् 3४ हिंसाऽनृतस्तेयाऽब्रह्मपरिग्रहेभ्योविरतिवर्तम्
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૬
सूत्राङ्क
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ-૩-શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ श्वेताम्बर सूत्रपाठ सत्राह दिगम्बर सत्र + सूत्रं नास्ति
४ वाड्मनोगुप्तीर्यादाननिक्षेपणसमित्या * सूत्रं नास्ति
५ क्रोधलोभभीरुत्वहास्यप्रत्याख्यानान्यनु * सूत्रं नास्ति
६ शू-यागार विमोचिता वासपरोपरो * सूत्रं नास्ति
स्त्रीरागकथा श्रवणतन्मनोह राङ्गनिरीक्षण
* सूत्रं नास्ति
८ मनोज्ञामनोज्ञेन्द्रियविषयरागद्वेष
हिंसादिष्विहामुत्रचापायावद्य.
९ हिंसादिष्विहामुत्रापायावद्य. मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थानि
| मैत्रीप्रमोदकारुण्य माध्यस्थ्यानि जगत्कायस्वभावौ च .
जगत्कायस्वभावौ वा दिग्देशाऽनर्थदण्डविरतिसामायिक | दिग्देशाऽनर्थदण्डविरति सामायिक पौषधोपवासो.
प्रोषधोपवसो. मिथ्योपदेशरहस्याभ्याख्यान
मिथ्योपदेशरहोभ्याख्यान परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृ
परिविवाहकरणे हीता गमना.
त्वरिका परिगृहीताऽपरिगृहीताागमना. उर्ध्वार्धास्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृध्धि
उर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्र स्मृत्यन्तर्धानानि
वृद्धिस्मृत्यन्तराधानानिन कन्दर्पकौकुच्यमौखर्याऽसमीक्ष्याऽधि | कन्दर्पकौकुच्यमौखर्यासमीक्ष्या करणोपभोगाऽधिकत्वानि
धिकरणोपभोगानर्थकयानी योगदुष्पणिधानाऽनादरस्मृत्यनुपस्था | ३३ योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्था पनानि
नानि अप्रत्यवेक्षिताऽप्रमार्जितोत्सर्गाऽऽ ३४ अप्रत्यवेक्षिताऽप्रमार्जितोत्सर्गा दाननिक्षेपसंस्तारोपक्रमाणानादर ।
दाननिक्षेपसंस्तारोपक्रमाणानादर स्मृत्यनुपस्थापनानि
स्मृत्यनुपस्थापनानि सचित्त निक्षेप पिधान.
| ३६ सचित्त निक्षेपा पिधान. जीवितमरणाशंसामित्रानुराग
३७ जीवितमरणाऽऽशंसामित्रानुराग सुखानुबन्धनिदानकरणानि
सुखानुबन्धनिदानानि
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૬
શ્વેતામ્બર દિગમ્બર પાઠભેદ સ્પષ્ટીકરણઃ
(૧)સૂત્ર ૪થીજે દિગમ્બર પરંપરા છે. તે અહીં ભાષ્યમાં સમાવેલા હોવાથી સૂત્રરૂપે
નોંધાયાનથી.
(૨)શ્વેતામ્બર સૂત્ર-૪માં મુકેલ છે. જે દિગમ્બરમાં નથી. (૩)સૂત્રઃ૭માં છે. તેને સ્થાને દિગમ્બરમાં વાછે. (૪)સૂત્ર ૧ પૌષથોપવીને સ્થાને દિગમ્બરમાં પોષવો વાસ છે. (૫)સૂત્ર ૨૦ચ્ચારથાન ને સ્થાને દિગમ્બરમાં રોપ્યારથાન છે. (૬)સૂત્ર ૨૩ રત્વર ને સ્થાને દિગમ્બરમાં રત્વ છે. (૭)સૂત્રઃ૨૫ મૃત્યતર્ધાનખને સ્થાને દિગમ્બરમાં મૃત્યુત્તરથને છે. (૮)સૂત્ર ૨૭ ૩vમોધિત્વનિ ને સ્થાને દિગમ્બરમાં ૩મો પરિમો નઈનિ છે (૯)સૂત્ર ૨૮ તથા ૨૯ બંનેના અનુપસ્થાપનને બદલે મનુ સ્થાનનિ છે (૧૦)સૂત્ર ૩૧ નિક્ષેપ-પ્રિધાન ને બદલે દિગમ્બરમાં નિક્ષેપfપધાન છે. (૧૧)સૂત્ર ૩ર નિદાનાનિ ને બદલે દિગમ્બરમાંનિદ્રાનનિ છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
પુષ્ટ
૬૯
૧૫૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ ૪ આગમસંદર્ભ સૂત્ર સંદર્ભ
પૃષ્ઠ સૂત્ર સંદર્ભ શ્રી સ્થાનાંગ સૂત્રના સંદર્ભ | શ્રી આચારાંગસૂત્રનો સંદર્ભ પ/૧/૩૮૯-૧
૧/૮/-/૫ પ/૧/૩૮૯-૨ ૪/૨/૨૮૨-૯, ૧૦
સંક્ષેપ-પ્રથમ અંકકૃત સ્કન્ધનો,બીજો ૭-૫૭૧
૫૦ અધ્યાયનો, છેલ્લો સૂત્રનો નિર્દેશ કરે છે. ૩-૧૮૨
- શ્રી સૂયગડાંગસૂત્રનો સંદર્ભ ૨/૧/૭૨ ક ૧/૧પ-ગાથા-૩
૩૮ સંક્ષેપ-પ્રથમ અંક સ્થાનનો બીજો ઉદ્દશાનો સંક્ષેપ:- શ્રુતસ્કંધ-અધ્યયન-ગાથા અને ત્રીજો સૂત્રનો નિર્દેશ કરે છે.
શ્રી સમવાયાંગ સૂત્રનો સંદર્ભ શ્રી ભગવતી સૂત્રના સંદર્ભ
ઉપાસકદશાંગ સૂત્રનો સંદર્ભ ૧/૧/૧૬-૨
૫૦ ૩- ૧ સમ, ૨-૨ ૭/૧/૨૪-૧ ૧૪૭ ૧૩ ૩ સમ. ૩ ૩૪ ૧૫/-/પ૪૧-૭ ૧૫૧ | ઉપાસકદશાંગ સૂત્રનો સંદર્ભ | સંક્ષેપ - પ્રથમ અંક શતકનો બીજો અધ્યયન ૧૮ . ૧ જૂ.૭-૧ નો, ત્રીજો સૂત્રનો નિર્દેશ કરરે છે ૨૦ મે, ૧ ૭-૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ ના સંદર્ભે
૧ ૭-૨ अ. २-सू.६
૧ .૭-૩ એ રૂ-જૂ૦
૧ – ૭-૪ अ. ४-सू.१४
૩૧ખૂ.૭-૫ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સંદર્ભ
મેં, ૧ ૭-૬ ૭ એ. ૨૯-ગા.૧૫
૫.૧ રૃ.૭-૧૦ ૭. મ. ૧૮-ગા.૧૧-૧૨
મે ૧ ૭-૮ | .૧૮-ગા.૧૩
૧ ફૂ૭-૯ ઔપપાતિકસૂત્રનો સંદર્ભ
ગ ૧ જૂ૭-૧૧ ૬ સૂત્ર. ૩૮/૨૦-૧
૩૮૩૦ મ. ૧ સૂ.૭-૭ ક સૂત્ર. ૩૪/૫
૩૮ ૩૧ | મ. ૧ |.૭-૧૨ ૧૫ સૂત્ર. ૩૪/૫
૭૭, ૩ર મેં ૧ પૂ.૭-૧૩ ૧ સૂત્ર. ૩૪૭
૮૫ શ્રી દશવૈકાલિકસૂત્રનો સંદર્ભ ૧૭ સૂત્ર. ૩૪/૭
૯૧ ૧૨ ૫ ૬.૨૨
©
| ૨૯
૪
Page #160
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ: ૫
૧૫૯
મ
છે
૧૦
પરિશિષ્ટ ૫ સંદર્ભ સૂચિ સંદર્ભ-પુસ્તકનું નામ
ટીકાકાર/વિવેચકવિ. ૧. | તત્ત્વાર્થધામ સૂત્રમ્ – પ્રમોમાં
श्री सिद्धसेन गणिजी तत्त्वार्थाधिगम सूत्रम् द्वितीयोभाग
श्री सिद्धसेन गणिजी ૩: તત્વાર્થસૂત્રમ
श्री हरिभद् सरिजी ४. सभाष्यतत्वार्थाधिगमसूत्राणि (सटीप्पण) श्री मोतीलाल लाधाजी ૫. | સમાધ્યdવાથધામમૂત્રાળ (ભાષાનુવાદ) श्री खूबचन्द्रजी
तत्त्वार्थाधिगम सूत्र (भाष्य तर्कानुसारिणी भा.१) श्री यशोविजयजी ૭. તત્ત્વાર્થ સૂત્ર
શ્રી સુખલાલજી ૮. | તત્ત્વાર્થાધિગમ સૂત્ર
શ્રી રાજશેખર વિજયજી ૯. તત્ત્વાર્થાધિગમ સૂત્ર
શ્રી શાંતિલાલ કેશવલાલ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૧
શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.ર શ્રી પ્રભુદાસ બેચરદાસ તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ
શ્રી શ્રેયસ્કર મંડળ ૧૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ
શ્રી લાભસાગરજી ગણિ ૧૪) તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ
શ્રી રામવિજયજી ૧૫) તત્ત્વાર્થી સૂત્ર પદ્યાનુવાદ
શ્રી સંત બાલજી દતત્ત્વાર્થ પ્રશ્નોત્તર દિપિકા ભાગ -૧
શ્રી શંકરલાલ કાપડીયા ૧૭. તસ્વાર્થ વાર્તિક (ગવર્તિજ્જ).
श्री अकलङ्क देव ૧૮dવાર્થ વાર્તિઝ (રાવર્તિ૨)
श्री अकलङ्क देव ૧૯ તસ્વાર્થ સ્ત્રોવર્તિw૪૨: gu૧થી૬ श्री विद्यानन्द स्वामीजी ૨૦ તત્ત્વાર્થ વૃતિ
श्री श्रुत सागरजी ૨૧ તાવાર્થ સૂત્ર સુરdવોધિવૃતિ
श्री भाष्कर नन्दिजी ૨૨. તત્ત્વાર્થ સાર
श्री अमृत चन्द्र सूरिजी ૨૩, સર્વાર્થ સિદ્ધિ
श्री पूज्यपाद स्वामीजी ૨૪ ટાર્થ પ્રશિવમ
श्री सदासुखदासजी ૨૫. તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર
શ્રી રામજી વકીલ ૨૬ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો
શ્રી દીપરત્ન સાગર ૨૭ી તત્ત્વાર્થ પરિશિષ્ટ
શ્રી સાગરાનંદ સૂરિજી ૨૮ તત્વાર્થવૃત્ત ઝું તન્મનિર્ણય
શ્રી સાગરાનંદ સૂરિજી
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સંદર્ભ-પુસ્તકનું નામ
ટીકાકાર/વિવેચકવિ.
श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशृटि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्गणि શ્રી શાંતિ સૂરિજી
૨૯. દ્રવ્ય એwાશ ૩૦. ક્ષેત્ર હોuીશ ३१. काल लोकप्रकाश ૩ર. માવ ટોપ્રા ઉ૩. નય કર્ણિકા ३४. प्रमाणनय - रत्नावतारिका टीका ૩૫. રાત્રિ મન્નરી 39. विशेषावश्यक सूत्र ऊ भाग-१-२ 3७. बृहत् क्षेत्र समास 3८. बृहत् समहणी 3८. लघुक्षेत्र समास ૪૦. જીવ વિચાર ૪૧. નવતત્ત્વ પ્રકરણ સાથે ૪૨. નવતત્વ સાહિત્યસંગ્રહ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જંબુદ્વિીપ સંગ્રહણી ૪૫. જંબૂદ્વીપ સમાસ પૂજા પ્રકરણ ૪૬. પ્રશમરતિ પ્રકરણ ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮. પંચ સંગ્રહ ૪૯. પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧. કર્મગ્રન્થ ૧થી૫ પર. પાકિસૂત્રવૃતિ તથા શ્રમણસૂત્રવૃતિ પ૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૫૫. મધાન રોગેન્દ્ર જોશ ૫. ૨-૭ 45. अल्पपरिचित सैद्धान्तिक शब्दकोष १-५ ૫૭. કામ સુધાસિંધુ – ૪, ગામ મૂ
श्री उदयविजयजी गणि શ્રી ગસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દ્ર મહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્રસૂરિજી
શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી દેવેન્દ્રસૂરિજ श्री राजेन्द्रसूरिजी श्री सागरनंदसूरिजी श्री जिनेन्द्र सूरिजी
Page #162
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો [१] अभिनव हेम लधुप्रक्रिया-१ सप्ताङ्ग विवरणम् [२]अभिनव हेम लधुप्रक्रिया-२ सप्ताङ्ग विवरणम् [३] अभिनव हेम लधुप्रक्रिया-३ सप्ताङ्ग विवरणम् [४]अभिनव हेम लधुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्द सङ्ग्रह-तीर्थ जिन विशेष [८] चैत्यवन्दन चोविशी [3]શકુન્વય મતિ (ાવૃતિ-રો) [૨૦]મિનવ નૈન પંખ્યા ૨૦૪૬. [૧૧]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશપ્રાસાદ-૨ શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશપ્રાસાદ-૩ શ્રાવક કર્તવ્ય-૧ થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ -શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે [૧૫]સમાધિમરણ [૧]ચવંદન માળા [૭૭૯ચૈત્યવંદનોનો સંગ્રહ) [૧૭]તત્ત્વાર્થસૂત્રપ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯]રિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨૦]ચૈત્ય પરિપાટી [૨૧]અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨૨શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪]શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫]શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-આવૃત્તિ-ચાર] [૨]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદપૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૨૯]શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ-૨] [૩૦]વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ
Page #163
--------------------------------------------------------------------------
________________
-અધ્યાય
-
-અધ્યાય
છે
જ
[૩૧](પૂજય આગમોધ્ધારકસમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા [૩૩]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા [૩૪]તત્ત્વાથથિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૫]તત્ત્વાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા [૩૭]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા [૩૮]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૯]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૦]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા -અધ્યાય
-અધ્યાય
૨
-અધ્યાય
૧
8
પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક
આ
પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા.
શ્રી અભિનવ શ્રુત પ્રકાશન શૈલેષકુમાર રમણલાલ ધીયા સી-૮ વૃન્દાવન વિહાર ફલેટ્સ રવિ કિરણ સોસાયટી પાસે વાસણા-અમદાવાદ-૭
પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી અભિનવ શ્રુત પ્રકાશન
મહેતા પ્ર.જે. ફોન- [0]૭૮૬૬૩ [R] ૭૮૮૩૦ જેસંગ નિવાસ, પ્રધાન ડાકઘર પાછળ
જામનગર-૩૬૧ ૦૦૧
-:ખાસ સુચના:
මමම
પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઈ પ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં
Page #164
--------------------------------------------------------------------------
________________
[3]
-દૂવ્ય સહાયકોઃશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ
પાઠશાળા જામનગર (શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ.ભાનુભાઈ દોશી) ઉપરોકત બંને મૃત જ્ઞાનપ્રેમી દ્રવ્ય સહાયકોની સહદયી મદદથી આ કાર્ય આરંભાયું
Uઅપ્રીતમ વૈયાવચ્ચીસ્વ.પુ.સાધ્વી શ્રી મલયાશ્રીજી પ્રશિષ્યાસા.શ્રી ભવ્યાનંદશ્રીજી
નાશિષ્યા મૂદુભાષીસા.શ્રીપૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથી તપસ્વીનીસા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્વનંદિતાશ્રીજી ના ભદૂતપ તેમજ સા. ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા
પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા.પૂર્ણદર્શિતાશ્રીજી ના ૫૦૦આયંબિલ નિમિત્તે તપસ્વીની સા પૂર્ણનંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઈ જૈન-હ, બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા
૫.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.કનક પ્રભાશ્રીજી મ. ના વ્યવહાર દક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી ના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞરસાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઈ ફુલચંદભાઇ-મુંબઈ
0 જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામ સા.
લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી
આ સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરુજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્ઘ
તપસ્વી દૈવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજી ની પ્રેરણાથી એક ગૃહસ્થ
સુપયુકત સ્વ.સા.શ્રી નિરજાશ્રીજી મ. ના તપસ્વીરત્ના સા.શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઈ,મુંબઈ
0 રત્નત્રય આરાધકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં
વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર
(
-
-
-
-
-
-
.
..
.
Page #165
--------------------------------------------------------------------------
________________
T
0 વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરુજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજી ની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઈ વારીઆ, પોરબંદર
0 આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.મલયાશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન,
બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઈ
વ્યવહાર કુશળ સ્વ.સા.નિરજાશ્રીજીના ભદ્રિક પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજીના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી[કુ.જયોત્સનાબહેનનીદીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ માલજીભાઇ સૌભાગ્યચંદ તરફથી
પ્રશાંત મૂર્તિ સ્વ.સાધ્વી શ્રીનિરુજાશ્રીજીના શિષ્યા સંયમાનુરાગી સા.કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી સૌમ્યમૂર્તિ સા.ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી જિયોત્સનાબહેન નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઈઝ,૪૯૬ કાલબા દેવી રોડ,કૃષ્ણનિવાસ મુંબઈ-૨
O પ.પુ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સુરીશ્વરજી મ. ના સમુદાવર્તી
વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેન્દ્રશ્રીજી ની પ્રેરણાથી
0 દોશી ચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઈ 0 અ.સૌ. રેણુકાબેન રાજેનભાઈ મેતાહ.બિજલ-મલય
શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી હસ્તે પન્નાબેન ટી. શેઠ 0 સ્વ.હેમતલાલ વીઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી 1 મેતા પ્રીતમલાલ હરજીવભાઈ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન |
બહેન, અને પુત્રવધુ ભારતી બહેનના સ્મરણાર્થે આ હર્ષિદાબહેન ભરતભાઇ મહેતાહ.ચૈતાલી
એક સુગ્રવિકાબહેનહહીના 0 સ્વ.લીલાધરભાઈ મોતીચંદસોલાણીના આત્મશ્રેયાર્થે ડો.જે.એલ. સોલાણી
Page #166
--------------------------------------------------------------------------
________________
| [5
1 એક ગૃહસ્થ હ. નગીનદાસ
0 અસૌ.સ્વ.કસુંબાબહેનના આત્મશ્રેયાર્થે હ.પ્રતાપ ભાઈ
મહેતા સુખલાલ અમૃતલાલ [ અ.સૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઈ સુતરીયા
U અ.સૌ.ધીરજબેનના વર્ષીતપ નિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા
સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા
અ.સૌ.કીર્તીદાબહેન ડી.કોઠારી 0 શ્રી તારાચંદ પોપટલાલ સોલાણી હ.અનિલભાઈ,દિનેશભાઈ,બિપીનભાઇ આ જૈનદર્શન ઉપાસક સંઘ જામનગર U વોરાદુર્લભજી કાલિદાસ T સુમિતા કેતનકુમાર શાહ તથા આશાબેનડી. મહેતા
કસુમુ ની સુશ્રાવિકા બહેનો હનગીનભાઈ ભાણવડવાળા
( દિનેશચંદ્ર કાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર હ. શ્રેયાંસ દિનેશચંદ્ર
Page #167
--------------------------------------------------------------------------
________________
[]
વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ
| ક્રમ તારીખ
નોંધ
સંદર્ભ
Page #168
--------------------------------------------------------------------------
________________
[7].
વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ
| ક્રમ તારીખ
નોંધ
સંદર્ભ
Page #169
--------------------------------------------------------------------------
________________
[8] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ
નોંધ
ક્રમ તારીખ
સંદર્ભ
Page #170
--------------------------------------------------------------------------
________________ ww.jainelibrary.org e : તત્વાર્થી ભિગમ સૂગ અભિનવટીકા દિવ્ય સહાયક :શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ શાંતિ પાઠશાળા જામનગર, તથા શ્રી જૈન સંઘ, જામનગ૨નો સમ્યફ શ્રુતાનુરાગી શ્રાવકગણ onal use on અભિનવ શુતા પ્રકાશની - 38 Jain Education Interna