SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બાહ્ય દૃષ્ટિએ પાલન થવા છતાં જો તેનાથી અહિંસા વ્રતનું પાલન ન થતું હોય તો તે વ્રત વાસ્તવિક રીતે વ્રત ગણાતા નથી તેથી બાહ્ય દ્રષ્ટિએ સત્ય વચન હોય તો પણ જો તેના વડે હિંસા થાય તો તે વચન અસત્ય છે. જેમ કે સાધુએ રસ્તામાં હરણ જતું જોયું, શિકારી સામે મળે અને સાધુ ભગવંતને પૂછે કે હરણ કઈ દિશામાં ગયું છે? સાધુ હરણના જવાની સાચી દિશા બતાવે ત્યારે અહીં બાહ્ય દ્રષ્ટિએ એ વચન સત્ય છે છતાં તે વચનથી શિકારી તે દિશામાં જશે. જઇનેહરણનેમારશે પરિણમે હિંસા થવાની છે આરીતે તેના પરિણામ માં હિંસા જોડાયેલી હોવાથી વચન સત્ય હોવા છતાં અસત્ય છે. * પ્રHTયો IIC:-આ શબ્દથી અત્રે અનુવૃત્તિ લીધેલી છે. તેનું કારણ એ છે કે હિંસાની જેમ મૃષામાં પણ પ્રમત્તયોગની મહત્તા સ્વીકારેલી છે. વંદિતા સૂત્રની ગાથા-૧૧ માં વીણ અણુવ્રયમ્મી...રૂથ પમાયuોન-એમ કહીને પ્રમાદવશાત્ શબ્દ બીજા વ્રતમાં પણ જોડી દીધેલ છે તેમ અહીં પણ પ્રમાદવશાત મૃષા કથન સમજી લેવું [8] સંદર્ભઃ# આગમ સંદર્ભ:- ડ્યું.. સર્વે સંધત્ત ..બસન્માવ.. Nિ પ્રશ્ન. માધવદ્વાર રજૂ. ૬ ૪ તત્વાર્થ સંદર્ભ-પૂર્વ સૂત્ર ૮ મુજબ ફત્પવ્યયૌવ્યયુક્ત સત્ - અધિ-.૨૬ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ– મૃષા-અસત્ય-વંદિતુ સૂત્ર-ગાથા-૧૧ રૂપમાયuસોમાં પ્રબોધટીકા-૨ –મૃષા-અઢાર પાપ સ્થાનક સૂત્ર-પ્રબોધટીકા-૨ -મૃષા વચન કરે મિભંતે સૂત્ર -પ્રબોધટીકા-૧ 9]પદ્ય -સૂત્ર ૯ તથા ૧૦નું સંયુકત પદ્ય(૧) અસત્ય વચન બોલવાને દોષ અમૃત છે બીજો નહીં દીધેલ વસ્તુ લેવી ચોરી દોષ કહ્યો ત્રીજો (૨) સૂત્ર ૯ તથા ૧૦ નું સંયુકત પદ્યઃ દુર્ભાવવાળું કથવું થતું તે અસત્ય સાવિ સત્ય અણદીધુ પ્રત્યે જ ચૌર્ય U [10]નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી અસત્યનામક બીજા દોષોનું નિરૂપણ કરે છે .વ્રતી જીવાત્માઓ એ પોતાની વ્રતની દૃઢ સમજ અથવા સુસ્પષ્ટતા માટે આ વ્રતમાં કેટલીક વસ્તુ સમજવી આવશ્યક છે જેમ કે આ વ્રતના દેશથી કે સર્વથી યથાયોગ્ય પાલન કરવાને માટે: (૧)પ્રમત્ત (મન-વચન-કાયના) યોગનો ત્યાગ કરવો જોઈએ. (૨)મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં એકરૂપતા લાવવી જોઈએ (૩)સત્ય હોવા છતાં દુર્ભાવ થી અપ્રિય ન ચિંતવવું કે ન બોલવું કે નકરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy