SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ છે એવી ભાવના ભાવવી જોઈએ એટલે કે હિંસાદિ નેવિશે આ બેમાંથી એક ભાવના ભાવવી # સૂત્રોકત એવા વા શબ્દનો બીજો અર્થ સમુચ્ચય છે –અર્થાત હિંસાદિ પાંચે દોષોમાં અપાયદર્શન અને અવદ્યદર્શનની ભાવના પણ ભાવવી એટલે કે સૂત્ર ૪ અને સૂત્ર ૫ બંને મુજબની ભાવના ભાવવી તે માટે શબ્દ મુકેલ છે જ દુ:શ્વમેવ-અહીં સૂત્રકાર મહર્ષિએ: શબ્દ સાથે 4 કાર પણ મુકેલ છે. તેનો અર્થ એજ છે કે હિંસાદિ પાંચે દોષોમાં સુખનાછાંટો પણ નથી. એકબિંદુસમાન સુખ પણ કદીઆદોષોમાં પ્રાપ્ત થતું નથી દુઃખ દુઃખ અને દુઃખ જ છે એમ ભાર પૂર્વક જણાવવા માટે અહિં પર્વ મુકેલ છે. -हिंसादिषु - हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेषु विषयभूयमापन्नेषु दुःखहेतुषुस्वभावेषु च दुःखबहुलतामेव भावयेत् । [૧]હિંસાઃ+ यथा ममाप्रियं दुःखं, एवं सर्व सत्त्वानाम् $ જેવી રીતે મને દુઃખ અપ્રિય છે તેવી રીતે બધાં પ્રાણીઓને તે અનિષ્ટ છે. મારી હિંસાથી જેમ મને દુઃખ થાય તેમ હું બીજાની હિંસા કરું તો તેને દુઃખ કેમ ન થાય? જેવો હું છું તેવાજ બધાં પ્રાણીઓ છે માટે તેમને પણ દુ:ખ કેમ ન થાય? જેવોહું છે તેવાજ બધાં પ્રાણીઓ છે માટે તેમને પણ દુઃખ થવાનું છે. - $ જેમ દુઃખ અર્થાત્ અનિષ્ટ સંયોગ નિમિત્ત,શરીર અને મનને પીડારૂપ હોવાથી મને પ્રીતિકારી થતા નથી. એ રીતે જગતના બધા જીવોને પણ અપ્રિય છે ભાવના-વધ, બંધન, છેદન, આદિજેવામપીડાકારી છેતેવાબધાનેદુ:ખદાયી છે તેવુંવિચારી હિંસા થી વિરમવું અથવા હિંસાનો ત્યાગ એ જ કલ્યાણકારી છે તેમ ભાવના ભાવવી. [૨]અસત્ય, જૂઠ,મિથ્યાભાષણઃ है यथा मम मिथ्याभ्याख्यानेनाभ्याख्यातस्य तीव्र दुःखं भूतपूर्व भवति च तथा सर्वसत्त्वानाम्। ૪ મિથ્યા ભાષણથી જે રીતે મને દુઃખ થાય છે. કદાચ કોઈ મારા વિષયમાં મિથ્યાભાષણ કરે છે અથવા કોઇએ કર્યુ હોય તો તેથી મને તીવ્ર દુઃખ થાય છે ભૂતકાળમાં પણ થયું છે તેનો મને અનુભવ છે એ રીતે પ્રાણિમાત્રને મિથ્યાભાષણ અર્થાત જૂઠથી દુઃખ થાયછે. # મને કોઈ જૂઠું કહે અથવા મારા ઉપર કોઈ જૂઠું આળમુકે તો તે નિમિત્તે મને પ્રકૃષ્ટ દુઃખ ભૂતકાળમાં ઉત્પન્ન થયું છે. વર્તમાન માં પણ જૂઠા આળથી મને દુઃખ થાય છે તેવી રીતે તમામ જીવોને આ હેતુથી દુઃખ ઉત્પન્ન થાય છે અને બોલનાર ને પણ બીજા જન્મમાં સદા દુ:ખનો અનુભવ થયા કરે છે ભાવનાઃ- આમ અસત્યવચન કે જૂઠાઆળથી મારા જેટલું જ દુઃખ અન્યને થતું હોવાથી તેનાથી વિરમવું કે અટકવું એ જ કલ્યાણ કારી છે, તેવી ભાવના ભાવવી [૩]ચોરી,તેયઃ- यथा मम इष्टद्रव्यवियोगे दुःखं भूतपूर्व भवति च तथा सर्वसत्त्वानाम् । # જેમ મારી કોઈ ઈષ્ટવસ્તુનો વિયોગ થાય તો તેનાથી મને ખૂબજ દુઃખ ભૂતકાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy