SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [7]અભિનવટીકા-સંવેગ અને વૈરાગ્ય ન હોય તો અહિંસાદિ વ્રતો સંભવી જ ન શકે તેથી વ્રતધારીઓ માટે સંવેગ અને વૈરાગ્ય પ્રથમ આવશ્યક છે –આ સંવેગ અને વૈરાગ્ય ના બીજ જગતસ્વભાવ અને શરીર સ્વભાવના ચિંતન માંથી નંખાય છે તેથી એ બંનેના સ્વભાવનું ચિંતન ભાવનારૂપે અહીં ઉપદેશવામાં આવેલ છે. - પ્રાણી માત્ર ઓછોવતો દુઃખનો અનુભવ કર્યા જ કરે છે, જીવન તદ્દન વિનશ્વર છે, બીજું પણ કંઈ સ્થિર નથી. આ અને આવા પ્રકારના જગતના સ્વભાવના ચિંતનમાંથી જ સંસાર પ્રત્યેનો મોહ દૂર થઈ જાય તેનાથી ભય અર્થાત સંવેગ ઉત્પન્ન થાય છે. - એ જ રીતે શરીરના અસ્થિર, અશુચિ અને અસારપણાના સ્વભાવ ચિંતનમાંથી જ બાહ્યાભ્યતર વિષયોની અનાસક્િત વૈરાગ્ય જન્મે છે આ સમગ્ર વિગતની મુદ્દાસર છણાવટ અત્રે કરતા પહેલાં એક વિશેષ સ્પષ્ટીકરણ આવશ્યક છે # સિધ્ધસેનીયટીકા સિવાયના શ્વેતામ્બર-દિગમ્બર- સંસ્કૃત કે ગુજરાતી ટીકા વિવેચન ગ્રન્થોમાં- જગતના સ્વભાવનું ચિંતન સંવેગ અર્થે અને -કાયાના સ્વભાવનું ચિંતન વૈરાગ્ય અર્થે એવા પ્રકારે વિભાગીકરણ હોવાનું સ્પષ્ટ કથન વિશેષે કરીને નથી. તેમ છતાં બધે જ સ્થળે જે અર્થઘટનો થયા છે તેમાં આ ભેદરેખા સ્પષ્ટપણે અંકિત થયેલી જોવા મળી છે અને સિધ્ધસેનીયટીકામાં તો આ ભેદકથન અતિ સ્પષ્ટતા થયેલું જ છે માટે જગત સાથે સંવેગને અને કાયા સાથે વૈરાગ્ય નો સંબંધ જોડવો જ કમાવઃ જગતુ-તે-તે દેવ, મનુષ્ય,તિર્યંચ, નારકના પર્યાયને પમાય છે તેને જગત્ કહેવાય છે, એટલે કે જગતનો અર્થ “પ્રાણી જાત' એવો થાય છે જ ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પંચાસ્તિકાય દ્રવ્યમય જગત છે. ૪ જગત એટલે લોક અથવા ચતુગર્તિ પર્યાયાત્મક સંસાર -સ્વભાવ-સ્વરૂપ, પ્રકૃત્તિ પરિણામ. -જગતનો સ્વભાવ - વિવેચનો ને આધારે નીચે મુજબ રજૂ કરી શકાય # સ્વપજ્ઞ ભાષ્ય:- સ્વમાવૌ વ્યાણામ્ અનાદ્રિ માહિત્ પરિણામ યુતી: प्रादुर्भाव-तिरोभाव-स्थिति-अन्यता अनुग्रह-विनाशा: । $ આ જગત્ કથંચિત અનાદિ છે કેમ કે જીવના અસંખ્ય પ્રદેશત્વ, ચેતનત્વ, જ્ઞાનત્વ વગેરે અનાદિના છે આ જગત્ કથંચિત્ આદિમાન છે જેમ કે દેવતા, તિર્યંચ વગેરે પર્યાયો $ પુદ્ગલ દ્રવ્યના દ્રવ્ય સ્વરૂપમાં અનાદિવછે, જયારે તેના ઘડો-વસ્ત્ર વગેરે લક્ષણ રૂપ પુદ્ગલ આદિમાનું છે છે ધર્મ, અધર્મનું લોકાકાશ વ્યાપિત અનાદિનું છે પણ દ્રવ્ય જનિત ગતિ-સ્થિતિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy