SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભેદ” એવો અતિચાર જણાવેલ છે $ વારી એટલે પોતાની પત્ની. મંત્ર એટલે છૂપી વાત. તેનો ભેદ કરવો અર્થાત તે વાતને ખુલ્લી પાડી દેવી અર્થાત પોતાની સ્ત્રી કિ પુરુષો ની કોઈ છૂપી વાત કે ગુપ્ત રહસ્ય ને ખૂલ્લા કરી દેવા, બહાર પાડવા તે સ્વદાર-મંત્રભેદ, ઉપલક્ષણ થી મિત્રો વગેરેના ગુપ્ત રહસ્યો ખુલ્લા કરીદેવા તે સ્વદાર મંત્રભેદ નામક અતિચાર કહ્યો છે. * સાકાર મંત્ર ભેદ અને સ્વદારા મંત્ર ભેદ બન્ને વચ્ચે શો તફાવત છે? સાકાર મંત્ર ભેદ અને સ્વદારા મંત્ર ભેદ બંનેમાં વિશ્વાસુની ગુપ્ત હકીકતનું બહાર પ્રકાશન કરવું એ અર્થ સમાન છે પણ ગુપ્ત હકીકતને જાણવામાં ભેદ છે. - સાકારમંત્રભેદમાં શરીરચેષ્ટા, પ્રસંગ,વાતાવરણ વગેરે દ્વારા ગુપ્ત હકીકતને જાણે છે, જયારે સ્વદારા મંત્ર ભેદમાં વિશ્વાસુ વ્યકિતજ તેને પોતાની હકીકત જણાવે છે [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ-ધૂમુસવાય પંથે ગયા...સદસામવને સમજવળ सदारमंतभेए मोसोवएसे क्डलेहकरणे य * उपा. अ.१,सू. ७-२ સૂત્રપાઠ સંબંધ -અત્રે પ્રસ્તુત આગમપાઠમાંવૈકલ્પિક અતિચાર મુજબનો પાઠ રજૂથયેલ છે. # તત્વાર્થ સંદર્ભઃ-મસમધાનમકૃતમ્ સૂત્ર ૭:૧ 6 અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિતુ સૂત્ર-ગાથા -૧૨- પ્રબોધટીકા-૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૪)ધર્મરત્ન પ્રકરણ [9]પદ્યઃ(૧) ઉપદેશ ખોટો આળ દેતાં, કૂટલેખો લખતા થાપણો વળી ઓળવીને ગુપ્ત વાતપ્રકાશતા અતિચાર ત્યાગી ધર્મરાગી વ્રત બીજાને આદરે સત્યવાદી સત્યવદતા વિશ્વમાં યશ વિસ્તરે (૨) મિથ્થોપદેશકરવાવિખૂટાસુસ્નેહીકૂટિલલેખવળીથાપણ ઓળવવી નેખાઈચાડીપ્રીતિતોડવીએકમેકબીજાઅસત્યવ્રતનાઅતિચાર પાંચ U [10]નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ અહીં સત્યવ્રતના દોષોના સ્વરૂપને પ્રગટ કરે છે તદનુસાર આ દોષ જાણવા, જાણીને તેને નિવારવા પ્રયત્ન કરવો જેથી નિરતિચારવ્રત સાધના થઈ શકે આ અતિચારો ની વર્તમાન યુગમાં પણ ઘણીજમહત્તા છે કેમ કે આ મંત્ર ભેદની પ્રવૃત્તિ જ ન હોયતો પરસ્પર કલેશ-કંકાસના જે બીજો વવાય છે તેનો નાશ થશે અને બે રાષ્ટ્રો વચ્ચે આવી મોટા પાયે ચલાવાતી જાસુસી સંસ્થાની આવશ્યકતા જ રહેશે નહીં ખોટા લેખ કે સાક્ષી આદિ નહીં હોય તો કોર્ટ-કચેરી-વકીલ પોલીસ આદિ સર્વ પક્ષકારોની આવશ્યકતા જ રહેશે નહીં આ અને આવી અનેક સામાજિક લાભ કારકતાને વિચારી બીજા વ્રતનું નિરતિચાર પાલન કરવું જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy