SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૪] અસમીક્ષ્ય-અધિકરણ -૪ વગર વિચાર્યું અધિકરણો એકઠાં કરવા છે પોતાની જરૂરિયાતનો વિચાર કર્યાવિના જ જાતજાતના સાવદ્ય ઉપકરણો બીજાને તેના કામ માટે આપ્યા કરવા તે અસમીક્ષ્યધિકરણ # અસમીક્ય એટલે વિચાર્યા વિના. અધિકરણ એટલે પાપનું સાધન. મારે જરૂર છે કે નહીં તેવા કોઈપણ વિચાર કર્યા સિવાય શસ્ત્ર આદિ અધિકરણો કે પાપના સાધનો તૈયાર રાખવા જેથી માગવા આવે તો આપી શકાય) અહીં નિરર્થક પાપ બંધ થતો હોવાથી તેને અસમીક્ષ્ય અધિકરણ કહેલું છે. tધર શબ્દ સામાન્ય થી આશ્રય અર્થમાં પ્રયોજાય છે પણ અહીં તે હિંસાના આશ્રયરૂપ ઉપકરણના વિશિષ્ટ અર્થમાં વપરાયેલો છે તેથી અધિકરણ શબ્દ થકી સાંબેલુ ખાંડણિયો, કોશ,કોદાળી,લુહાડી,તરવાર વગેરે હિંસક સાધનો સમજવાના છે અધિકરણ શબ્દની વ્યાખ્યા જ ગ્રન્થકારો આ રીતે કરે છે ““ધતિ નરgિ અભિનેન તિ ધરખમ્ | જેના વડે આત્મા નરકાદિ ગતિનો અધિકારી થાય તે અધિકરણ. આવા અધિકરણો વગર વિચાર્યે ભેગા કરવા તે અસમીક્ષ્યાધિકરણ નામે ત્રીજા શીલવ્રત નો ચોથો અતિચાર કહેલો છે. નોંધઃ- ગ્રન્થાન્તરમાં આ અતિચાર સંયુકતા ધિકરણ નામે ઓળખાય છે र असमीक्ष्य-अनालोच्य प्रयोजनमात्मनोऽर्थमधिकरणं उचितादुपभोगात् अतिरेक करणमसमीक्ष्याधिकरणं मुसलदात्रशिलापुत्रकशस्त्रगोधूमयन्त्रकशिलागन्यादिदानलक्षणम् । [૫] ઉપભોગાધિકત્વઃ- ઉપભોગ કરતાં વસ્તુ એકત્ર કરવી # પોતાના માટે આવશ્યક હોયતે ઉપરાંત કપડાં, ઘરેણા,તેલ,ચંદનઆદિ રાખવા તે. # પોતાની જરૂરિયાત હોય તેનાથી અધિક વસ્તુ પોતાની પાસે રાખવી. જેમ કે-ઘરમાં એક જાતના સાબુથી ચાલતું હોય તો પણ ચાર જાતના સાબુ રાખવા બે-ત્રણ જોડી ચપ્પલ વગેરે પહેરતા હોવાછતાં વીસ-પચીસ જોડી ચપ્પલો રાખવા અર્થાત ઉપભોગની આવશ્યકતા કરતાં પણ અધિક ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવો તે ઉપભોગાધિકત્વનામેત્રીજા-શીલવ્રતનોઅતિચાર છે. 1 x આવશ્યકતા થી અધિક સાધનો રાખવાથી બીજાને પણ તેનો ભોગ વટો કરવાની ઇચ્છા થાય છે અને અજયણા થાય છે માટે તેને અનર્થદંડ વિરતિ વ્રતનો પાંચમો અતિચાર કહ્યો છે 2 उपभोग आत्मनः पान-भोजन-चन्दन-कड्कुम कस्तुरिकाविलेपनादि । अतिरिकतोऽन्यार्थो । ઉકત કંદર્પ-આદિ દોષો સહસા કે અનાભોગથી થઈ જાય તો તે અતિચાર રૂપ છે પણ જો ઇરાદાપૂર્વક કરેતો વ્રત ભંગ ગણાય. 1 [8] સંદર્ભ ૪ આગમ સંદર્ભઃ-મMટ્ટાવિંડવેરમાર્સ...પષ્ય મફયાRT...ન્યૂપે मोहरिए संजुत्ताहिरणे उपभोगपरिभोगाइरित्ते * उपा. अ.१,सू.७-१० ૪ તત્વાર્થ સંદર્ભ[ફેશન બ્લવિરતિ...ત્રતસંપડ્યું સૂત્ર. ૭:૨૬ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિત સૂત્ર-ગાથા ૨ પ્રબોધટીકા- ૨ (૨)શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy