SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૭ ૧૨૫ છે. સૂત્રક્રમના પ્રામાણ્ય અનુસાર ત્રીજા શીલવ્રતના અર્થાત્ આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના આ પાંચે દોષો સમજવા [૧]કંદર્પ - રાગયુકત અસભ્ય વચન બોલવાં,હાસ્ય કરવું # રાગવશ અસભ્ય ભાષણ અને પરિહાસ આદિ કરવા તે કંદર્પ, # રાગસહિતહાસ્યપૂર્વક કામોત્તેજક વાક્યો બોલવાં જેનાથી મોહપ્રગટે અર્થાત તે તે ઇન્દ્રિયોના વિષયોપભોગની ઇચ્છા જાગૃત થાય તેવા વચનો બોલવા તથા પેટભરીને ખડખડાટ જોરથી હસવું તેને ત્રીજા શીલવ્રતનો કંદર્પ નામે પહેલો અતિચાર કહ્યો છે. # કંદર્પ એટલે મદન કે કામવિકારતે સંબંધિ જે અતિચાર ઉત્પન્ન થયો હોય તે. જેમ કે કામવિકાર ઉત્પન્નવાણી પ્રયોગ,અશ્લીલ મશ્કરી, બિભત્સ શબ્દો, અટ્ટહાસ્ય વગેરે. તેને અનર્થદંડ વિરતિ વ્રતનો પ્રથમ અતિચાર કહ્યો છે 2 काम: तद्हेत: विशिष्ट वाक्यप्रयोग कंदर्प: उच्यते । + कन्दर्पोनाम रागसंयुकतोऽसभ्यो वाक्योग: हास्यं च [૨]કીત્યુચ્ય:$ દુષ્ટ કાયપ્રચાર સહ રાગયુકત અસભ્ય ભાષણ અને હાસ્ય, ૪ પરિહાસ અને અશિષ્ટભાષણ ઉપરાંત ભાડજેવી શારીરિક દુચેષ્ટાઓ કરવી તે કૌશ્ય # રાગ સહિત, હાસ્યપૂર્વક કામોત્તેજક અસભ્ય વાક્યો બોલવા સાથે અસભ્ય કાયિક ચેષ્ટા કરવી અર્થાત્ કંદર્પમાં થતા હાસ્ય તથા વાણી પ્રયોગ ઉપરાંત કાયિક પ્રયોગ કરવા રૂપ કૌત્કચ્ય નામે આઠમાં અનર્થદંડ વિરમણ વ્રતનો આ બીજો અતિચાર છે. # કૌત્કચ્ય નો સામાન્ય અર્થ નેત્રાદિકના વિકાર પૂર્વકની હાસ્યને ઉત્પન્ન કરનારી વિકૃત ચેષ્ટા છે. પણ સામાચારી થી તેમાં નીચેની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે -૧ લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવી ચેષ્ટા પૂર્વક બોલવું -૨ લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવી ચેષ્ટા થી ચાલવું -૩ લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તે રીતે બેસવું -૪ હલકાઈ જણાવવા ગમે તે પ્રકારના ચેનચાળા કરવા ઉપયોગ શુન્યતા થી થતી આવી પ્રવૃત્તિ તે કૌત્કચ્ય નામક અતિચાર છે 2 मुखनयनोष्ठचरणध्रुवकारपूर्वकः परिहासादिजनको भाण्डावकरस्येव कायिको व्यापारः । 2 कौत्कुच्यम् नाम कन्दर्य दुष्टकायप्रचारसंयुक्तम् [૩]મૌખર્યg અસંબદ્ધ,હદ વિનાનું બોલવું તે નિર્લજજપણે, સંબંધ્ધ વિનાનું તેમજ બહુ બકબક કરવું તે ૪ વાચાળતા, ઉચિત કે અનુચિતનાવિવેકવિનાબોલ્યાજ કરવું તે મુખરતા કે મૌખર્યજેમાં મુખનો અતિશય વ્યાપાર હોય છે તે આ અતિચાર ને ત્રીજા શીલવ્રત અનર્થદંડ વિરતિ વ્રતનો ત્રીજો અતિચાર કહેલો છે मौखर्यमसम्बन्ध्धबहुप्रलापित्वम् । धाष्टर्यप्रायमसभ्यासम्बद्धबहुलालापित्वं मौखर्यम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy