SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૨ ૩ मूर्च्छछ्यतेऽनया आत्मा इति मूर्च्छा - लोभ परिणतिः तया आत्म मोहम् उपनीनयते - विवेकात प्रच्याव्यते જે મૂર્છા શબ્દના પર્યાયોઃ ફ∞ા:-લાખ રૂપીયાવાળો કરોડને ઇછેછે,કરોડવાળો અબજ ને ઇચ્છેછેઅને પરંપરાએ ત્રણ લોકની સંપત્તિથી પણ ન ધરાતો વધુને વધુ ઇચ્છા કર્યા જ કરે છે.તે મૂર્છા શબ્દનો રૂા પર્યાય છે. આ પ્રાર્થનાઃ-પ્રકર્ષ માંગણી તે પ્રાર્થના તૃષ્ણાને વશ થયેલો એવો તે થોડુંક હોય તો પણ ઉત્કૃષ્ટની જ માંગણી કરે છે. તે મૂર્છા શબ્દનો પ્રાર્થના પર્યાય સમજવો. જામ:- ઝમનું ામ :-એક પ્રકારની ઇચ્છા.જેજે કંઇ દ્રવ્ય હોય તે-તે સર્વેનો અનુરોધ કે ઇચ્છા તે ામ એ પણ મૂર્છા નો જ પર્યાય છે. અભિાષ: -એ માનસિક વ્યાપાર છે. બીજાની ૠધ્ધિ જોઇને ઉત્પન્ન થયેલ વૃત્તિ વડે તે ઋધ્ધિની મનોમન અભિલાષા કરવી કે મને પણ આ સંપત્તિ મળે તે અભિલાષા-નામક મૂર્છા શબ્દનો પર્યાય છે. તાડ્યાઃ-મેળવવાની વૃત્તિરૂપ ભાવ તે કાંક્ષા .. વૃદ્ધિઃ-લાલસા રૃતિ તિ મામ્ દૂરથી જ આંખ વડે જે સંપત્તિને જુએ તેની અતિ લોભકષાયપૂર્વક પ્રાપ્તિ માટેની ભાવના તે ‘‘લાલસા’'નામક મfશબ્દનો પર્યાય છે. + परिग्रहः- परिगृह्यते इति परिग्रहः લોભાનુરકત ચિત્તવૃત્તિ વડે સ્વીકા૨ ક૨વો તે પરિગ્રહ સૂત્રોકત રીતેતો-ઉકત મૂર્છા એ જ પરિગ્રહ છે. સામાન્યથી પરિગ્રહ એટલે સ્વીકાર.-જેનાથી આત્મા સંસારમાં જકડાય તે પરિગ્રહ છે.આત્મા આસકિત કે મૂર્છાથી સંસારમાં જકડાય છે માટે આસકિત કે મૂર્છાએ પરિગ્રહ છે. –આ રીતે વસ્તુના સ્વીકાર છતાં તેને વિશે આસકિત નહોય તો તે વસ્તુનો સ્વીકારએ પરિગ્રહ બનતો નથી. —જયારે વસ્તુનો સ્વીકાર ન કરવા છતાં જો તેમાં આસકિત હોય તો તે આસક્તિ વસ્તુ અભાવે પણ પરિગ્રહ જ છે. —આ રીતે આસકિત વિના પણ વસ્તુનો સ્વીકાર કે ઉપભોગ એ પરિગ્રહ નથી. અને આસકિત હોય તો વસ્તુ ન મળવા કે ન ભોગવવા છતાં પણ પરિગ્રહ જ છે. ન એક પ્રશ્નઃ-ઇષ્ટ વસ્તુમાં આસકિત હોવા છતાં લાભાન્તરાય કર્મના ક્ષયોપશમના અભાવે વસ્તુન મેળવી શકે તેમ બને.પણ જેની આસકિત ન હોય તેવી અનિષ્ટ વસ્તુ ઇચ્છા ન હોવા છતાં સ્વીકાર કે ઉપભોગ કરે તે કેવી રીતે બને? કેમકે વસ્તુનો સ્વીકાર કે ઉપભોગ જ કહી આપે છે કે અનિષ્ટ છે તો આપણે એનાથી કેમ દૂર રહીએ છીએ? સમાધાનઃ-આ પ્રશ્ન બરાબર નથી.કેમકે રોગી કડવાં ઔષધ પીએ છે તો શું તેને તે ઔષધ ગમે છે માટે પીએ છે.તેને ઇષ્ટ એવી રોગમુકત સ્થિતિને પ્રાપ્ત કરવા અનિષ્ટ-એવા ઔષધોનું સેવન કરે છે.અનિચ્છાએ પણ સેવન કરે છે. Jain Education International વસ્તુ For Private & Personal Use Only તેને ઇષ્ટ છે.જેમકે-કાંટો www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy