SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અન્ન-પાણી આપવાં. વગેરે રીતે ચોરને ચોરી કરવાનું ઉત્તેજન આપવું તે અતિચાર છે + स्तेना: चौरा: तान् प्रयुंकते हरत यूयंइति हरणक्रियायां प्रेरणमभ्यनुज्ञानं वा प्रयोग: अथवा परस्वादानोपकरणानि कर्तरी धर्धरकादीनि । [૨]તદાતાદાનઃ- ૪ તેની લાવેલી વસ્તુ મૂલ્યઆપી ખરીદ કરવી જ પોતાની પ્રેરણા વિના કે સંમતિ વિના કોઈ ચોરી કરી કંઈપણ વસ્તુ લાવેલ હોય, તે વસ્તુ લેવી તે તેનાત આદાન નામક અતિચાર છે # તત્ એટલે ચોર, તેણે આણેલી વસ્તુઓનું આદાન કરવું અર્થાત લેવી. ચોરીનો માલ સંઘરવો, ઓછી કિંમતે લેવો વગેરે # તેને એટલે ચોર,મહતું એટલે લાવેલું. ચોરે લાવેલી મોંઘી વસ્તુ સસ્તી જાણીને ખરીદવીતે તેનાત. આ જાતનો વ્યવહાર ચોરીને ઉત્તેજન આપનારો હોય પૂલ પરદ્રવ્યહરણ વિરતિને અર્થાત ત્રીજા વ્રતને દૂષણ લગાડનારો છે તેથી તેને અસ્તેયઅતિચારનો બીજો અતિચાર કહેલો છે ૪ ચોરે ચોરી લાવેલી વસ્તુ મફત કે વેચાતી લેવી. અહીં પોતે ચોરી કરી નથી, પણ ચોરને ઉત્તેજન આપતો હોવાથી પરમાર્થ દ્રષ્ટિએ આંશિકત્રતભંગ ગણાય માટે તેને અતિચાર કહ્યો છે. 4 तच्छब्देनस्तेनपरामर्श: तैराहृतम् - आनीतं कनकवस्त्रादि तस्यादानं - ग्रहणं अल्पमूल्येन (इति) तदाहृतादान । [3] વિરુધ્ધ રાજયાતિક્રમ-૪ રાજય વિરુધ્ધ નું કાર્ય કરવું તે # જુદાજુદા રાજયોમાલની આયાત-નિકાસ ઉપર જે અંકુશ મુકે છે અથવા માલ ઉપર દાણ-જકાત વગેરેની વ્યવસ્થા બાંધે છે તેનું ઉલ્લંઘન કરવું તે વિરુધ્ધ રાજયાતિક્રમ # રાજયના કાયદા વિરુધ્ધ ની લેવડ-દેવડ કરવી, જકાતની ચોરી કરવી, રાજયોના પારસ્પરિક વ્યવહારોનું પાલન ન કરવું ૪ રાજયના નિયમોથી વિરુધ્ધ જવાની કે વિરુધ્ધ વર્તવાની ક્રિયા તે રાજય વિરુધ્ધ ગમન. આ વિરુધ્ધ ગમન બે રીતે કહ્યું છે સ્થાનને આશ્રીને અને કાનુન ને આશ્રીને. રાજયે નિષિદ્ધ કરેલા પ્રદેશમાં કે સ્થાનમાં જવું તે સ્થાન આશ્રીત વિરુધ્ધ રાજયતિક્રમ કહેવાય અને રાજય તરફથી ઘડાયેલા કાયદા વિરુધ્ધનું વર્તન તે કાનુન આશ્રીત વિરુધ્ધ રાજયાતિક્રમ કહેવાય. ૪ રાજયના નિષેધ છતાં છૂપી રીતે અન્ય રાજયમાં પ્રવેશ કરવો,દાચોરી કે જકાત ચોરી કરવી.વગેરેને ઉપરોકત વ્યાખ્યાઓમાં વિરુધ્ધ રાજયાતિક્રમકહેલોછેઅહીંરાજયવિરુધ્ધ કર્મ કરનારને ચોરીનો દંડ થતો હોવાથી અદત્તાદાન વ્રતનો ભંગ છે, પરંતુ અહીં તેને પોતાને હું તો વેપાર કરું છું ' ઇત્યાદિ બુધ્ધિ થી વ્રત સાપેક્ષ હોવાથી તેમજ લોકમાં પણ આ ચોર છે એવું ન કહેવાતું હોવાથી આંશિકતૃતભંગ ગણાય. માટે તેનેઅતિચારરૂપસૂત્રકારેજણાવેલ છે. [૪]હીનાધિકમાનોન્માન - તોલ-માપ ઓછું વતું આપવું -લેવું aઓછાવત્તામાપ, કાટલા, ત્રાજવા આદિવડેલેવડદેવડ કરવીતેહિનાધિકમાનોન્માન. std લેવાના તોલમાપ વધારે રાખવા અને વેચવાના તોલ અને માપ ઓછા રાખવા તે. # ખોટા તોલ અને ખોટા માપ રાખવા. પવાલું,પાલી, કળશી, જોખ વગેરેમાં લેતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy