SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૧ ૧ આવેશ પૂર્વક જડ વસ્તુના આલંબનથી અગર પોતાના હસ્ત આદિ અવયવો વડે મિથ્યા આધાર સેવે તો શું તેને મૈથુન પ્રવૃત્તિ કહી શકાય ખરી? સમાધાનઃ- હા.તેનેમૈથુન પ્રવૃત્તિ જ કહેવાય. કેમકે કામરાગ જનિત કોઇપણ ચેષ્ટા તે મૈથુન જ કહયું છે આ અર્થ કોઇ એક વ્યકિતની તેવી વ્યકિતગત દુશ્ચેષ્ટાને પણ લાગુ પડે જ છે તેથી તે મૈથુન દોષ છે. જે વિશેષઃ-અબ્રહ્મ થી હિંસાદિક દોષ પુષ્ટ થાય છે. વળી તેમાં ત્રસ-સ્થાવર જીવો હણાય છે,મિથ્યા વચન બોલાય છે, વિના દીધેલી વસ્તુને ગ્રહણ કરવાનું બને છે. અને ચેતન તથા અચેતન પરિગ્રહનું ગ્રહણ થાય છે.-માટે તે અબ્રહ્મ છોડવા લાયક છે. [] [8] સંદર્ભઃ આગમસંદર્ભઃ- ગવર્મી મેદુ ં જ પ્રશ્ન (આષવદ્વાર) ૪,પૂ. ૨૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ (૧)વંદિતુ સૂત્ર ગાથા-૧૫ પ્રબોધ ટીકા-૨ (૨)અઢાર પાપ સ્થાનક સૂત્ર પ્રબોધ ટીકા-૨ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિ “ચોથો આલાવો (૪)પંચિદિય સૂત્ર- પ્રબોધ ટીકા-૧ ] [9]પદ્યઃ (૧) (૨) સૂત્ર-૧૧-૧૨ નું સંયુકત પદ્યમૈથુન તે અબ્રહ્મ ચોથો પરિગ્રહ મૂર્છા ઘટે એ પાંચ દોષે દુઃખી જીવો અવિરતિમાં ભવ ફરે સૂત્ર-૧૧,૧૨નું સંયુકત પદ્ય અબ્રહ્મ તો કદી પ્રમાદ વિના ન થાય મૂર્છા પરિગ્રહ ગણે સુજનો સદાય. ] [10] નિષ્કર્ષ:-ચોથા વ્રત્તને દ્રઢ કરવા માટે વર્ણવાયેલા આ મૈથુન દોષનો નિષ્કર્ષ બે મહત્ત્વની બાબતો રજૂ કરે છે. (૧)આ દોષનિરપવાદ કહ્યોછે.તેના કારણનેજણાવતા ગ્રન્થકાર મહર્ષિઓ કહેછે કે અપ્રમત્ત ભાવેહિંસા-જૂઠ-ચોરી કે પરિગ્રહ હોઇ શકે છે અર્થાત્ આચારે દોષો અપ્રમતાની સ્થિતિમાં પણ સંભવે છે.જયારે મૈથુનદોષ કેવળ પ્રમાદ સ્થિતિમાં જ સેવી શકાય છે.સેવાય છે અર્થાત્ જો આ દોષથી સર્વથા નિવૃત્ત થવું હોય તો જીવે અપ્રમત્ત સ્થિતિ ધારણ કરવા પુરુષાર્થ ક૨વો જોઇએ વળી મોક્ષના ઇચ્છુક જીવોને તો આ દોષના નિવારણ વિના મોક્ષપ્રાપ્તિ થવાની જ નથી, માટે આ સૂત્ર થકી એમ કહી શકાય કે જીવે વધુને વધુ અપ્રમત્ત રહેવા પુરુષાર્થ કરવો જોઇએ. (૨)આ દોષની વિસ્તૃત વ્યાખ્યા એવી છે કે આત્મલીનતા કે સ્વભાવદશા જ બ્રહ્મચર્ય છે,અર્થાત્ જીવ જેટલી વખત પરભાવ દશામાંજાય છેતે અબ્રહમ છેવળી આઅબહ્મઆવરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy