SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય ૭ સૂત્રઃ૩) D [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પાંચે વ્રતોની પાંચ ભાવનાને જણાવે છે U [2]સૂત્ર મૂળ તતઈ રાવના પશ્વ પશ્વ [3]સૂત્ર પૃથકક-તત્ત્વ ધૈર્ય - મ મવિના પડ્યું પડ્યું 0 [4સૂત્રસાર -તેડૂતોની સ્થિરતા માટે તે દરેકદ્રતની]પાંચ પાંચભાવનાઓ હોય છે I [5]શબ્દજ્ઞાનઃd-તે વ્રતોની Wયાઈ સ્થિર કરવા માટે ભાવના-ભાવના, વ્રતને અનુકૂળ પ્રવૃત્તિઓ પષ્ય-પગ્યે-પાંચ-પાંચ,સંખ્યાવાચી શબ્દ છે U [6]અનુવૃત્તિ(१)हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् सूत्र. ७:१ (२)देशसर्वतोऽणुमहती सूत्र. ७:२ [7]અભિનવટીકા- ઉપરોકત સૂત્ર માં જે વ્રતનો ઉલ્લેખ કર્યો તે અહિંસા, સત્ય , અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચે વ્રતોમાંના પ્રત્યેક વ્રતની સ્થિરતા માટે પાંચ-પાંચ પ્રકારની ભાવના હોવાનો સૂત્રકાર અહીં ઉલ્લેખ કરે છે સૂત્રકાર મહર્ષિસ્વોપજ્ઞ ભાષ્યમાં. આ પ્રત્યેક ભાવનાને વ્રત સંબંધિભાવના રૂપે જ જણાવે છે તેઓએ કયાંય આ ભાવના મહાવ્રત સંબંધિ હોવાનો ઉલ્લેખ કર્યો નથી. જયારે ટીકાકાર સિધ્ધસેન ગણિતથા હરિભદ્રયસૂરિજીઆનોસંબંધ મહાવ્રતસાથેછેતેમ જણાવે છે કારણ કે અન્યત્ર આપાંચપાંચ ભાવનાને મહાવ્રત ની ભાવનાઓ તરીકે જ ઓળખાવાયેલ છે. જો કે ભાષ્યની માફક દિગમ્બરીય ટીકામાં પણ આ ભાવનાઓ નો વ્રત સંબંધિ ભાવના રૂપેજ ઉલ્લેખ કરેલ છે ત્યાં તો પ્રત્યેક વ્રતની ભાવનાને જણાવવા અલગ અલગ સૂત્ર બનાવેલ છે, તો પણ મહાવ્રત કે અણુવ્રત એવો ભેદ જણાવ્યા સિવાય “વ્રત સંબંધિ ભાવનાઓ” એવાજ ઉલ્લેખો તેમની ટીકામાં મળેલ છે. પંડિત સુખલાલજી આ મતભેદોનો સમન્વય કરતા જણાવે છે કે જૈન ધર્મ ત્યાગલક્ષી હોવાને કારણે જૈન સંઘમાં મહાવ્રત ધારી સાધુનું સ્થાન પહેલું હોય છે તેથી આ ભાવના ઓ [મુખ્યત્વે મહાવ્રતને ઉદેશીને વર્ણવવામાં આવી છે છતાં વ્રતધારી પોતાની ભૂમિકા પ્રમાણે સંકોચ વિસ્તાર કરી શકે છે એવીતે (ભાવનાઓ) છે તેથી દેશકાળની પરિસ્થિતિ અને આંતરિક યોગ્યતા ધ્યાનમાં રાખી માત્રવ્રતની સ્થિરતાના શુધ્ધ ઉદ્દેશથી આ ભાવનાઓ સંખ્યા અને અર્થમાં ઘટાડી, વધારી કે પલ્લવિત કરી શકાય છે * પાવના:- પ્રત્યેક વ્રતમાટે જેની સંખ્યા પાંચ-પાંચની કહી તે ભાવના શું છે? અર્થાત એ ભાવનાનું સ્વરૂપ છે શું છે? व्रतं चोपभोगाभिषिभिः प्राणिभिधृतिसंहननपरिहाण्या प्रमादबहुलै:दूरक्षमतस्तत्प्रतिपातपरिहार्थ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy