SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દિશામાં ખાસ પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે બીજી દિશામાંના સ્વીકારેલા પ્રમાણમાં અમુક ભાગ ઘટાડી ઈષ્ટ દિશાના પ્રમાણમાં વધારો કરવો તે ક્ષેત્રવૃધ્ધિ ૪ ક્ષેત્રવૃધ્ધિ-જેમકે પૂર્વ દિશામાં ૫૦કિલોમિટર મર્યાદા પ્રમાણ છે, પશ્ચિમ માં પણ ૫૦ કિલોમિટરની મર્યાદા નક્કી કરે છે માનો કે તેને પૂર્વ દિશામાં ૦ક્લિોમિટર જવું છે તો પશ્ચિમ માં ૪૦ કિલોમિટર હદમર્યાદા નક્કી કરી પૂર્વમાં ૬૦ કિલોમિટર મર્યાદા કરવી તે ક્ષેત્રવૃધ્ધિ $ ઉપર નીચે તથા ચારે દિશામાં અમુક અંતરેથી વધારે દૂર ન જવાની મર્યાદા નક્કી કરી હોય, તેમાં એક દિશાનું માપ ઘટાડીને બીજી દિશાનું માપ વધારવું તે ક્ષેત્ર-વૃધ્ધિ નામક ચોથો અતિચાર છે [૫]સ્મૃતિ-અંતર્ધાનઃ # વતમાં રાખેલા દિશાના માપોભૂલી જવા અથવા દિશા ભૂલી જવી અથવામાપ કરતાં ભૂલથી વધારે જવાઈ જાય તેનો ખ્યાલ ન રહેવોએ મૃત્તિ અંતર્ધાન નામક અતિચાર છે $ દરેક નિયમના પાલનનો આધાર સ્મૃતિ ઉપર છે એમ જાણવા છતાં, પ્રમાદ કે મોહવશ નિયમનું સ્વરૂપ તેની મર્યાદા ભૂલી જવા તે મૃત્યંતર્ધાન. - ૪ લીધેલા નિયમને ભૂલી જવું અને ભૂલી ગયા પછી ધારેલ પ્રમાણથી દૂર નીકળી જવું તે. જેમકે ૫૦કિલોમિટર ધાર્યા પછી ભૂલાઈ જાય કે ૫૦ધાર્યા હશે કે ૧૦૦ કિલોમિટર. ત્યારે સ્મૃતિ દોષ થવાથી આગળ વધવું તેને અતિચાર કહ્યો છે. નિયમનું યાદ રહેવું જરૂરી છે. ભૂલી જવું તે અતિચાર છે. જો કે શ્રાવકે ૫૦ધાર્યા કે ૧૦૦તેવી શંકા જાય ત્યારે ૫૦થી આગળ જવું ન જોઈએ છતાં જાય ત્યારે વ્રતભંગનો ભાવ ન હોવાથી અતિચાર કહ્યો છે. જ પ્રશ્ન - સ્મૃતિ અંતર્ધાન તો બધા વ્રતને લાગુ પડે છે પછી માત્ર આ વ્રતનો અતિચાર જ કેમ કહ્યો? સમાધાનઃ-શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં જણાવે છે કેમકંવતિવર: સર્વત્રતસાધારો પષ્ય લડ્યા પૂરાર્થમ્ સત્ર ૩પ: અર્થાત પાંચની સંખ્યાની ગણતરી માટે આ અતિચારને અહીં સ્વીકારવામાં આવેલ છે બાકી આ અતિચાર સર્વ વ્રતો માટે છે 0 [8] સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ-વિલિબ્રયર્સ પંખ્યR/...ડિિસપરિમાફિમે अहोदिसिपरिमाणाइक्कमे तिरियदिसिपरिमाणाइक्कमे खेतुवुढिस्स सूइ अंतरङ्ढा * ૩૫, ૨,. ૭-૬ ૪ તત્વાર્થ સંદર્ભઃ-વિ, વિરતિ સંપન્ન પૂ. ૭:૨૬ જ અન્યગ્રન્થ સંદર્ભ(૧)વંદિતુ સૂત્ર-ગાથા ૧૯ પ્રબોધટીકા-૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૪)ઘર્મરત્ન પ્રકરણ U [9]પદ્ય(૧) ઉંચી દિશી,અધો દિશી વળી તિછ સ્થાનમાં ધારણાથી અધિક જાતાં દોષ ત્રણે માનવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy