SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૪]સામાયિકઃ સ્વરૂપઃ કાળનો અભિપ્રહલઈ અર્થાત્ અમુક સમય સુધી અધર્મપ્રવૃત્તિનો ત્યાગ કરી ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો સામાયિક વ્રત છે * सामायिकं नामाभिगृह्य कालं अर्थसावद्ययोगनिक्षेप # સમ એટલે રાગદ્વેષ વિરહિત પણે જે સર્વ જીવોને આત્મવત જુએ છે તે. ગાય લાભ અથવા પ્રાપ્તિ. આ સમનો આય એટલે સમાય તે ઉપરથી સામાયિક શબ્દ થયો છે સમ એટલે સમતા -શાંતિ, જેનાથી શાંતિ પ્રાપ્ત થાય તે સામાયિક. –સર્વસાવઘયોગ અર્થાત પાપ વ્યાપારનો ત્યાગ કર્યા વિના ઈષ્ટ શાંતિ નમળે તેથી આ વ્રતમાં સર્વ સાવધ યોગોનો ત્યાગ કરવામાં આવે છે. અમુક નિયત કાળ પર્યન્ત મન-વચનકાયાના યોગપૂર્વક ન કરવા ન કરાવવા રૂપ સર્વ સાવઘોનો ત્યાગ કરવા સાથે સમભાવની સાધના કરાવવા કરવી તે સામાયિક. -વર્તમાનકાળે આવ્રતબેઘડી અથવા ૪૮મિનિટનું પ્રસિધ્ધ છે તેમજ “સામાઇય વયજુતો” સૂત્રમાં સૂચવ્યા મુજબ આ સામાયિક વારંવાર કરવું જોઇએવિદુસો સામા જ્ઞા સામયિક વ્રતને ગ્રહણ કરનાર અગારી વતી એ નિત્ય અથવા વર્ષમાં અમુક સામાયિક કરવાનો નિયમ કરવો જોઈએ ફળઃ- આ વ્રત ગ્રહણ કરવાથી મોક્ષ સુખની વાનગી રૂપ શાંતિનો અને સમતાનો અનુભવ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન જીવવાની તાલિમ મળે છે અનેક પ્રકારના પૂર્વ સંચિત પાપોનો નાશ થાય છે તેમજ મોક્ષમાર્ગની આરાધના થાય છે પ્રતિક્ષણ અપૂર્વ જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયો થી જીવ જોડાય છે. સાધુની પરિ ઉપાસના થાય છે મન-વચન-કાયાના પાપ વ્યાપારો થી અટકેલો જીવ અશુભ કર્મબંધ થી નિવૃત્ત થાય છે એ રીતે સામાયિક એ સંવર તથા નિર્જરાનું સાધન બને છે. [૫]પૌષધોપવાસ સ્વરૂપઃ-આઠમ, ચૌદશ, પૂનમ કે અન્ય કોઈ વિશષ્ટિતિથિમાં ઉપવાસ કરી બીજી બધી વરણાગી-આળ પંપાળનો ત્યાગ કરી ધર્મ જાગરણમાં તત્પર રહેવું તે પૌષધોપવાસ વ્રત पौषधोपवासो नाम पौषधे उपवास: । पौषधः पर्व इति अनर्थान्तरम् । ૪ પૌષધમાં ઉપવાસ કરવો તેનું નામ પૌષધોપવાસ છે. પૌષધ એટલે પર્વતિથિ એવો રૂઢિગત અર્થ સિધ્ધસેનીયવૃત્તિતથા ઉપાસક દશાંગ સૂત્ર વૃત્તિ માં કરવામાં આવેલો છે અને પર્વતિથિ એટલે આઠમ-ચૌદશ-પૂનમ અમાસ વગેરે પર્વતિથિઓ. આ પર્વતિથિઓને દિવસે ઉપવાસ કરવો તે પૌષધોપવાસ. # હારિભદ્દીય પંચાશક અનુસાર “જે કુશલ ધર્મનું પોષણ કરે છે અને જેમાં જિનેશ્વર દેવોએ કહેલા આહાર ત્યાગ આદિનું વિધિ પૂર્વક અનુષ્ઠાન કરાય છે તે પૌષધ કહેવાય છે” પૌષધના ચારભેદઃ- પોસદોપવારે વવિદે નિત્તે તે નહી ?-મહાપોહે, २-सरीरसक्कार पोसहे, ३-बंभचेरपोसहे, ४-अव्वावार पोसहे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy