SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૦ [10]નિષ્કર્ષ:-પ્રત્યેક વ્રતની માફક અહીંપણ આ દોષોનું નિવારણ વ્રતની શુધ્ધિમાટે તોઅગારી વ્રતી ને આવશ્યક છે જ તદુપરાંત પ્રથમના ત્રણે અતિચારો જયણા પાલનની દૃષ્ટિએ પણઉપયોગી છે. જયણા એ ધર્મની માતા છે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું પાલન પણ જયણા થકી જ સવિશેષ થઇ શકે છે વ્યવહાર થી કહીએતો આ રીતે પૂંજવાપ્રમાર્જવા થકી સફાઇ પણ રહેછે જોકેઆપણુંધ્યેય સફાઇનથી પણવ્રતની શુધ્ધ પરિપાલના છે અને તે પરિપાલના માટે જ અનાદર તથા સ્મૃતિ ભ્રંશતાનુંનિવારણ પણ જરૂરી ગણેલ છે. અધ્યાયઃ-સત્રઃ૩૦ [1] સૂત્ર હેતુઃ- આ સૂત્ર થકી ઉપભોગ-પરિભોગ વ્રતના અતિચારો સૂત્રકાર જણાવે છે. [] [2] સૂત્ર:મૂળ:-સચિત્તતંત્રસંમિશ્રામિત્રામિષવતુષ્પાહારા: [3] સૂત્ર પૃથ-વત્ત - સંવદ્ - મિત્ર-મિષવ-તુષ્પવ મહારા: [4] સૂત્રસાર:-સચિત્ત આહાર,સચિત્ત સંબંધ્ધહાર,સચિત્ત સંમિશ્ર આહાર,અભિષવ આહાર,દુષ્પકવ આહાર [એ છઠ્ઠા શીલવ્રત અર્થાત્ અગીયારમાં ઉપભોગ-પરિભોગવ્રતના પાંચ અતિચારો છે.] [5] શબ્દજ્ઞાનઃ સવિત્ત-સચિત્ત, ચેતના યુકત (સચિત્ત)સંબદ્ધ-સચિત્ત, ચેતના યુકત પદાર્થ સાથે જોડાયેલ (સચિત્ત) સંમિત્ર-થોડો ભાગ સચિત્ત હોય અને થોડો ભાગ સચિત્ત હોય તે અમિષવ-માદક દ્રવ્યનું સેવન દુષ્પવ-બરાબર નહીં પાકેલા, કાચાપાકા માહાર-આહાર,અશનાદિ ખોરાક-આ શબ્દ પૂર્વના પાંચેશબ્દોસાથેઅહીંજોડાયેલો સમજવો. [6] અનુવૃત્તિઃ-(૧)વ્રતશીલ્ડેવુ પશ્વ પ૨ યથામમ્ સૂત્ર ૭:૧૯ (૨)શઠ્ઠા ાસા.. ..સૂત્ર ૭:૧૮ થી અતિવારા: શબ્દ ની અનુવૃત્તિ [] [7] અભિનવ ટીકાઃ- છઠ્ઠા શીલવ્રતોમાંના એવા ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના પાંચ અતિચારોને જણાવવા માટે સૂત્રકારે ઉકત સચિત્તઆહારાદિ પાંચ દોષનું અત્રે કથન કરેલ છે. તેમાં ઐતિવારા: શબ્દ ની અનુવૃત્તિ ઉપરોકત સૂત્ર ૭:૧૯ થી ચાલું છે તેમજ યથામમ્ શબ્દની અનુવૃત્તિ મુજબ સૂત્રક્રમના પ્રામાણ્ય અનુસાર અહીં છઠ્ઠું શીલવ્રત છે તેમ સુનિશ્ચિત થયેલું છે [૧]સચિત્ત આહારઃ સચેતન,સપ્રાણ કે જીવતા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરવો. તે સચિત્તા આહાર તેનું સેવન કરવું એ ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનો પ્રથમ અતિચાર કહ્યોછે સચિત્ત ફળ, શાકભાજી આદિનો ઉપયોગ કરવો અહીંસચિત્તનો ત્યાગ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy