SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૐ લાભાન્તરાયના ક્ષયોપશમથી મળેલા ધન ઉપર અશુભ કર્મના ઉદયે આસકિત જન્મે છે. આ આસકિત જ નવા અશુભ કર્મોને બંધાવનારી થાય છે પણ લોભથી વિવેક શુન્ય બનેલોજીવ કાર્યકે અકાર્ય જાણતો કે જોતો નથી અને આલોકમાં પણ અનેક શારીરિક માનસિક કષ્ટો ને સહન કરે છે. ૨૮ પરભવમાં તે પાપનું ફળઃ ★ प्रेत्य चाशुमां गतिं प्राप्तोति, लुब्धोऽयमिति च गर्हितो भवति । આ દુર્ભાવોના નિમિત્તે સંચિત પાપકર્મના ઉદયાનુસાર પરલોકમાં અનેક પ્રકારે દુર્ગતિઓને પ્રાપ્ત કરે છે. ુ આ લોભીયો છે, કંજુસ છે, એવા એવા વચનો કહીકહીને લોક તેની નિન્દા કર્યા કરે છે. જેમ આપણે પણ આ લોકમાં કોઇ લોભી માટે કહીએ છીએ કે ‘‘ચમડી તુટે પણ દમડી ન છૂટે’’ એવો કંજુસનો કાકો છે. ભાવનાઃ- આ રીતે આ લોક અને પરલોકમાં નિંદા લાયક તથા અશુભ ફળોને દેનાર પરિગ્રહ થી વિરમવું-નિવૃત્તિ પામવી એજ કલ્યાણનો માર્ગ છે તેવી ભાવના ભાવવી આ પ્રમાણે હિંસાદિ પાંચે દોષોના સેવનથી આ લોક અને પરલોકમાં અનર્થની પરંપરા તથા પાપનો કરુણ વિપાક ભોગવવો પડે છે તેથી આ પાંચે દોષોનો ત્યાગ કે તેની નિવૃત્તિ એજ કલ્યાણકારી માર્ગ છે [] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર -ધ-ટુ: વમેવ વા માં ભાવનાઓને આશ્રીને અપાયેલ છે તત્વાર્થ સંદર્ભ: सूत्र. ७:१० (૧)હિંસા -પ્રમત્તયોનાત્ પ્રણવ્યપરોપળ હિંસા સૂત્ર. ૭:૮ (૨)જૂઠ -અસમિયાનમનૃતમ્ સૂત્ર. ૭:૨ (૩)ચોરી -ઞવત્તાવાનું સ્તેય (૪)અબ્રહ્મ -મૈથુનમત્રન (૫)પરિગ્રહ -મૂર્છારિત્રહ: સૂત્ર. ૭:૧૨ [] [9]પદ્યઃ सूत्र. ७:११ (૧) સૂત્ર-૪ અને સૂત્ર-૫ નો સંયુકત પદ હિંસાદિ દોષો નહિં અટકતા જીવ ઇહભવ પરભવે આકૃત્તિને અનિષ્ટતાના દુઃખ ગણ સવિ અનુભવે સૂત્ર-૪ અને સૂત્ર-૫ નું સંયુકત પદ્ય હિંસાદિ પાંચ દોષોમાં આલોકે પરલોકમાં જોવા અનિષ્ટને દુઃખ આપદ્ એ પાંચ ભાવના [] [10]નિષ્કર્ષ:-આ સૂત્રમાં વૈરાગ્ય ભાવના ભાવવાની દૃષ્ટિએ તથા હિંસાદિ પાંચે દોષોના વિપાક વિચારણાની દૃષ્ટિએ એક અતિ ઉત્તમ સૂત્ર છે કેમ કે તેમાં હિંસાદિ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org (૨)
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy