Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક PATHIK
सत्यमेव जयते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं बिद्धि सात्विकम् DEPARTMENT OF ARCHAEOLOGY
GOVERNMENT OF GUJARAT
Akshardham, Delhi
' સાંસ્કૃતિક વિરાસત
Editor Dr. Bharati Shelat Prof. Subhash Brahmbhatt
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ANNYA NENNAN
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Akshardham, Delhi
For Private and Personal Use Only
Akshardham, Delhi
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Our
www.kobatirth.org
STAMOS | MANY:
by Vi
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GENERELEMBROSIA MAHTANAALKOTTAYA
For Private and Personal Use Only
EVERY
Akshardham, C
30
Akshardham, Delhi
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક દવા - રોદિયા, PATHIK
આજીવન સભ્ય ૨૯૮ ડો. રામજીભાઈ ઠાકરશી સાવલિયા એ-૪, યજ્ઞ પુરૂષનગર, કર્મચારી નગર સામે, રન્નાપાર્ક, ધાટલોડિયા, અમદાવાદ - ૩૮૦ ૦૬૧
JUARTERLY JOURNAL: HISTORY CULTURE & ARCHAEOLOGY
વિ.સં. ૨૦૬૧
વર્ષ ૪૫
સંયુક્ત અંક ૪ થી ૯
જાન્યુ. થી જૂન ૨૦૦૫
સાંસ્કૃતિક વિરાસત
સંપાદક ડૉ. ભારતીબહેન શેલત પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
Financial Assistance
सत्यमेव जयते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं बिद्धि सात्विकम् DEPARTMENT OF ARCHAEOLOGY
GOVERNMENT OF GUJARAT
પથિક કાર્યાલય, clo. ભો. જે. વિધાભવન, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, ફોન : ૨૫૮૮૮૬૨
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદ્યતંત્રી સ્વ. માનસંગજી બારડ
ટ્રસ્ટીમંડળ ડો. કે. કા. શાસ્ત્રી, સ્વ. ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
પથિક
વિ.સં.૨૦૬૧
વર્ષઃ ૪૫
સંયુક્ત અંક: ૪-૫-૬-૭-૮-૯
જાન્યુ. થી જૂન ૨૦૦૫
સૂચના – પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે
તો સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. - પથિક સર્વોપયોગી વિચારભાવના જ્ઞાનનું સામયિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ
અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે. - પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. - અંગ્રેજી, ગુજરાતી અથવા હિન્દી લેખ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી
હોવી જોઈએ. લેખમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો
આપવો જરૂરી છે. - પથિકમાં પ્રસિદ્ધ લખોના વિચારો-અભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. - અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે.
પથિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦/- છે.
આજીવન સભ્યપદ રૂ. ૫૦૧/- છે. - મ.ઓ., કાફ્ટ-પત્રો માટે લખો.
પથિક કાર્યાલય C/o. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કોલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, C/o. ભો.જે.વિદ્યાભવન, એચ.કે.કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૭૪૯૪૩૯૩, મોબા. ૯૪૨૬૩૦૨૬૪૦
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાસ્તાવિક ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વ વિષયક પથિક સામયિકના વિશેષાંક રૂપે સાંસ્કૃતિક-વિરારમાં નામનો આ લઘુગ્રંથ પ્રકાશિત કરતાં અને અત્યંત ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
ભારત અને દુનિયાના સઘળા દેશોમાં પ્રાચ્યવિદ્યાના ક્ષેત્રે ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વનું અતિ મૂલ્યવાન સ્થાન રહ્યું છે. એ સમાજના દરેક વર્ગના લોકોને સ્પર્શે છે અને ભૂતકાળની ઘટનાઓ ઉપરથી બોધપાઠ લઈ પ્રજા સમક્ષ ઉત્પન્ન થયેલ આર્થિક, સામાજિક, ભૌતિક અને સાંસ્કૃતિક પ્રશ્નો ઉકેલવામાં તેમજ ભવિષ્યના પથદર્શન માટે દીવાદાંડીનું કાર્ય કરે છે.
ઇતિહાસ અને સંસ્કૃતિનું ફલક સમાજનાં સર્વ પાસાંઓ-વિદ્યા, કલા, સંસ્કારિતા, ચિંતન અને સાહિત્યની અતૂટ પરંપરાઓ - એ સર્વ દિશાઓમાં વિસ્તરેલું છે. વિજ્ઞાનમાં તો અગાઉ તારવી કાઢેલા નિયમો જ આગળની શોધનું સોપાન બને છે. અર્થતંત્ર અને રાજકારણ માટે ઇતિહાસ અનિવાર્ય છે. શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત વગેરે કલાઓ ઇતિહાસ અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. એમાં પ્રાચીન ભારતીય ઋષિઓ અને સંસ્કૃતિપ્રેરકોનાં મહાન પ્રતિભાસંપન્ન કાર્યોને બિરદાવવામાં આવ્યાં છે અને રાષ્ટ્રીયતા, વીરતા તથા વસુધૈવ કુટુમ્ ની ભાવનાને પોષણ અપાયું છે. કોઈ પણ દેશ કે પ્રદેશની પ્રજાના ઘડતરમાં અનેક જીવનરંગોથી ભરપૂર ઇતિહાસનું મહત્ત્વનું પ્રદાન હોઈ એના વિશે સાચી સમજ કેળવવી એ આપણું સહુનું કર્તવ્ય છે.
આ વિશેષાંક સ્વરૂપ લઘુગ્રંથમાં પ્રકાશિત થયેલ સંશોધન-લેખો વેદસાહિત્ય, લોકસંસ્કૃતિ, અભિલેખો, ભારતીય ધર્મો, આધુનિક ઇતિહાસ અને એની વિભાવના, સમકાલીન સામાજિક પ્રશ્નો વગેરે વિષયોને લગતા છે. પ્રાચ્યવિદ્યાના ક્ષેત્રે પ્રકાશિત સાહિત્યમાં મહત્ત્વનું પ્રકાશન હોઈ આ વિશેષાંક સંશોધકો માટે ઘણો ઉપયોગી અને સામાન્ય વાચકો માટે મહત્ત્વનો ગ્રંથ પુરવાર થાય તેમ છે.
આ ગ્રંથમાં પ્રકાશન માટે જે જે વિદ્વાનોએ પોતાના સંશોધન લેખો આપીને અમને સહકાર આપ્યો છે તે સહુના અમે અંતરથી ખૂબ ખૂબ આભારી છીએ. ગુજરાત રાજય પુરાતત્ત્વ ખાતા તરફથી આ વિશેષાંકના પ્રકાશન માટે આર્થિક સહાય મળવા બદલ તેના ઉચ્ચ અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ. ગ્રંથના સુઘડ પ્રકાશન માટે ક્રિશ્ના પ્રિન્ટરીના કાર્યકર્તાઓ ધન્યવાદને પાત્ર છે.
ભારતી શેલત પૂર્વ નિયામક, ભો. જે. વિદ્યાભવન
અમદાવાદ
સુભાષ બ્રહ્મભટ્ટ
આચાર્ય શ્રી હ.કા. આર્ટ્સ કૉલેજ
અમદાવાદ
આભાર શ્રી વાય. એસ. રાવત નિયામક, પુરાતત્ત્વ ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદ્યતંત્રી સ્વ. માનસંગજી બારડ
ટ્રસ્ટીમંડળ ડો. કે. કા. શાસ્ત્રી, સ્વ. ડો. ચિનુભાઈ નાયક, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
પથિક
વિ.સં. ૨૦૬૧ વર્ષ ૪૫ સંયુક્ત અંક: ૪-૫-૬-૭-૮-૯ જાન્યુ. થી જૂન ૨૦૦૫
અનુક્રમણિકા The Rigveda and The Fundamentals
Dr. Rakesh A. Jani of Economics
Dr. Kamlesh P. Joshipura Folk Culture, Processes and Methodology for enriching its Heritage
Laxman U. Vadher સાહિત્ય, સામાજિક શાસ્ત્રો અને ઇતિહાસ : ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ
ડૉ. મકરન્દ મહેતા ત—ગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું) સ્વરૂપ, રહસ્ય અને મહિમા ડો. રવીન્દ્ર વિ. ખાંડવાળા ભારતીય પરંપરામાં પુસ્તક
ડૉ. થોમસ પરમાર સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ
ડૉ. ભારતી શેલત સાહિત્ય અને અભિલેખોમાં ઉલ્લેખિત અણહિલપુરના લુપ્ત પ્રાસાદો : એક શોધપત્ર
ડૉ. લલિત એસ. પટેલ સોલંકીકાલની આર્થિક સ્થિતિ
ડૉ. પ્રફુલ્લા સી. બ્રહ્મભટ્ટ બાદશાહી શહેરની પોળો
પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટ ગાંધારીની મનોવ્યથા (નારી-હૃદયની સંવેદના)
ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી કલાવારસાની રખેવાળી
ડૉ. પ્રિયબાળા શાહ કરછના સાંસ્કૃતિક વારસાનાં સંભારણા
પ્રમોદ જે. જેઠી ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર
ડૉ. આર.ટી. સાવલિયા સૌરાષ્ટ્રમાં અંગ્રેજોના યાદગીરીરૂપ સ્મારકો
ડૉ. કા એ. માણેક સૌરાષ્ટ્રનાં દેશી રાજયોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો, પરિબળો અને પ્રભાવ(ઈ.સ. ૧૮૫૮-ઈ.સ. ૧૯૪૮) ડૉ. એસ. વી. જાની ગોવિંદ સખારામ સરદેસાઈ
પ્રા. બી. એન. ગાંધી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન : પરિબળો અને દિશાઓ, ૧૮૭૧૯૩૦
પ્રિ. ડો. જગદીશભાઈ એસ. ચૌધરી ૧૦૯ સરદાર પટેલ અને કાઠિયાવાડ રાજકીય પરિષદ
ડૉ. નીતા જે. પુરોહિત ૧૧૫ શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના વડોદરા રાજ્યનો ‘બાળલગ્ન પ્રતિબંધનો કાયદો' – એક અભ્યાસ
ડૉ. નરેશકુમાર જે. પરીખ ૧૨૦ કહેવતોમાં ઇતિહાસ
ડૉ. હસમુખ વ્યાસ ૧૨૬ સામાજિક ઇતિહાસ આલેખવાનું જ્ઞાપકીય લખાણ
ડૉ. રસેશ જમીનદાર
૧૩૩
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
The Rgveda and The Fundamentals of Economics
Dr. Rakesh A. Jani* Dr. Kamlesh P. Joshipura+
Majority of people, who are interested in the subject of Economic generally believe that considerable contemplation and emphasis has been carried out, from 16th century onwards, by the European and American thinkers alone, in this context. Depending on this concept, Adam Smith has been looked upon as the 'Father of Economics, and the norms and principles in this particular area, prescribed and practised by many scholars like Smith, Ricardo, Malthus, Fisher, Marshal and Keynes, are being discussed with great respect in schools and colleges today. However, while undertaking an elaborate study of our grand and glorious heritage of Indian Culture crowned with its inexhaustible treasure of the vedic literature, Manu Smrti', ShukraNiti'. 'The Mahabharat' and the literature produced by Kautilya and the like, it becomes apparent that before thousands of years, an elaborate and excellent discussion on the Fundamentals of Economics had been provided in the 'Rgveda'. As a matter of fact, the Rgveda, which happens to be the earliest extant value on Human Culture all through out the world, does contain the fundamentals of the modern Economics !
Under the circumstances, it will not be difficult to realize the utilitarian value or unique significance of what is known as 'Indian Economics.' Population :
Population' - or 'people - is ever reckoned as the first lesson of Economics. The study of Economics, therefore, offers us a study of people's toilsome activities as well as their behaviour or manners. In the Ķgveda, great emphasis is laid on the longevity of people at large. If there be discipline and wisdom in the daily routine activities of any person, such a person will surely live upto the age of 100 years of even more, and will contribute something substantially both for his society and for his nation. People ought to be bold and courageous so that they might be able to protect their properties. To be explicit, society needs such persons who are warriors as well as proficient. Such kind of presentation as envisaged in the Rgveda is considered highly useful even today for the system of economic management - The occupational distribution of people as specified in the Rgveda, is as follows: Champions of Warfare, Cultivators, Merchants and Craftsmen. Means : Factors of Production :
In the modern economics, the next indication is that of 'Means' or factors of * Associate Prof. of Economics, Saurashtra University, Rajkot (Guj.) + Asst. Prof. of Law, Vice-Chancellor of Saurashtra University, Rajkot (Guj.)
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૫
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
production. In the Rgveda, certain things are described as 'Means', viz. Land, Ocean, Rain, Climate, Forests, Trees, Minerals, Cattle or Livestock. The bulk of such means is large and extensive, indeed. However, the same must be utilized with great restraint, as is mentioned in the Ryveda. Utillization (Consumption) :
In the Modern Economics, we undertake a study in respect of our requirements. Yajñam for example, symbolizing the worship of the God of Fire, lies at the centre of our fundamental desires and their fulfilment. As stated in the Rgveda, "...Desires should not be such nature as would prompt us to commit wicked and sinful deeds (for their fulfilment)". In the Rgveda, adequate importance has added to the concept of maximum utilization of means (for fulfilment of our common desires). While examining our present socio-economic situation, it appears distinctly that hither to we have ignored this fact altogather. Production :
Modern Economics undertake the discussion of production, or say, Mass Production. In the Rgveda, on the other hand, there is an ample discussion in connection with agricultural products, besides a neticulous description of various kinds of corn and their types. It is also stated in the Rgveda that, by vitrue of various handicrafts vitally useful to society, there will be mass production of essential commodities, such as : cloth, wool, dwelling, Soma-Rasa' (Nector) Ghee, Milk etc. in a great bulk, and ultimately this will bring about wel fare of the mankind. Bartar (Exchange) :
The present system of Economics is mainly dependent of Financial Foothold. But in the Vedic times, there was a system known as 'Barter system' Prevalent among human beings. People were used to exchange various articles or commodities mutually depending upon their needs and the utility value of respective articles. Distribution:
A number of allusions are available in the Rgveda about employing a servant in the context of household... services, such persons who had lost their properties used to earn their livelihood by serving in the mansions or on the farms of wealthy persons. Taxation :
There is an indication of Taxation, too, in the Rgveda, which topic is currently being studied extensively today in Modern Economics. There exists a clear command or mandate that all persons should pay taxes to the king.
On the basis of the facts narrated above, it will not be out of place if we express a clear opinion while asserting the view that, the fundamentals of Economics
495 : MoY24121 - Rat, 2004 OE
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
are to be found in the Rgveda. Of course, in Modern Economics, certain definitions are provided or framed quite a new, or at best, are added at a later stage. At the same time, a subtle analysis of certain policy-matters concerning the facts of Economics narrated above is also provided in the Rgveda. In the economic planning of our country, overwhelming its multitudes of economic problems, I humbly maintain that a great many problems could be solved or at best be minimised if only we make up our mind to employ the means and materials suggested here in the context of what has been referred to here as 'Hindu Economics'.
References 1. Shastri T. S., "Kautilyanun Arthashastra", Part 1. 2. Bokare M. G., “Hindu Economics" 3. Shastri Chitrav, "Rgveda" (Marathi Translation). 4. Lakshmidhar, "Krutya Kalpataru". 5. Bhargav R. N., "Indian Public Finance".
The Rgveda and The Fundamentals of Economics a
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Folk Culture, Processes and Methodology for enriching its Heritage
Laxman U. Vadher*
Preface :
Folk culture is a nectar fruit of our long lasting history. It is a valuable treasure of the nation. It is treasured with past, present and future of human life. Folk culture has many doors and windows and external cultural flows move inside and outside with fine waves and its beauty continues to expand. It is moralising for general public. It is like spiritual guide for human lives. The biography of groups includes therein. The best material of folk nature and folk thoughts is found therefrom. It trains the groups of people regarding creative labour and makes us experience joy.
Folk culture is very ancient. It is difficult to find its origin and pure shape. Folk culture has remained honourable since Vedic era of India. Today also the Vedic words are considered like divine words. Today also, Folk-culture is prosperous in folk groups of Africa and Latin America. Post elements are reembodied for cultural consciousness in Europe and America also under the impression of industrialisation, modernisation, urbanisation, science and individualism. When the tide of communism invaded Russia also, careful efforts have taken place to maintain additional elements of folk-culture. Folk culture does not develop through single individual, but is a result of joint efforts of groups. With passage of time, transformation and blooming takes place. What is Folk culture ?
Folk culture means an all general group of all castes and religions. It includes life style, dress, food, costumes, residence, agriculture, economics, language, vocabulary, festivals, civilization, knowledge, spiritualism, songs, dances, artistic skills, entertainment, games etc. of the people. The smallest group of human beings also, possesses Folk culture. The traditions of Folk activities are understood by observation that all elements of Folk culture arc flooded with different experiences of labour lives. It provides joy to individual minds and bestow peace and prosperous feeling. Caste, religion, cult are considered without significance in it. It is not dependent on anyone. It is joined with human exertion. Music and dancing are there in reaping, boating, grazing animals, forging iron, ploughing and in all the activities as per all seasons. Further, the insight for beauty and preference to practical thinking is the peculiarity of Folk culture. Let the dresses be of leaves of grass or filaments of jute, and ornaments be of stones, soil, metal, oceanic conch; and weapons, gadgets,
* Lecturer, Dept. of History, Shamaldas Arts College, Bhavnagar University,
Bhavnagar.
as: Myaud -
4, 2004 o C
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
utensils be from soil, stones, wood or metals, but with beautiful engraving and studding work in all these are of exemplary nature of art. Further all individuals can contribute in these artistic works easily. It does not have the signature of the artist. Folk culture becomes prosperous through joint partnership. Each individual provides momentum with his vision and capacity.
Folk culture and urban civilization though one and the same, there is spiritual difference between them viz. one considers "extinguishing a lamp" as a bad omen, while the other considers it as economy. The Folk culture of India has become prosperous through combination of multi coloured civilization of people of different regions, art and thoughts. The Folk culture is the best medium for construction of pious ideal of group life. Main elements of Folk culture :
In eventuality of numerous ficrceness and troubles also sweetness and delicacy of Folk culture has been preserved. Its main elements are unity in diversity, devotion towards nature, feeling of welfare, humanity and tolerance, spiritual development transformation in external forin but elementary stability, following of inmortal truth feeling of sacrifice, development of all auspicious arts and skills, manifestation of saints, philosophers, great men in ages, thirst for knowledge and capacity of absorption, enthusiasm for converting devilish mentality into auspicious, dedication towards life and importance of labourer to preacher of knowledge. Folk culture is Revolutionary :
The knowledge of cultural traditions reach from one generation to another through the medium of cultural traditions. It is not stable or inanimate. It transforms as per time. When motion is seen as an essential activity of human society, Folk culture enters in the cadre of scientific art slowly. Due to different cultural contacts and mutual exchange, new elements are added in Folk culture. Similarly, due to industrialisation and modernisation; new forms, novelty in subjective form of Folk culture has been accepted. Different aspects of Folk culture :
Glory and beauty of different aspects of Folk culture, gives enjoyment of faith, trust and entertainment of group of people. Main aspects of Folk culture are as follows: (1) Dresses and ornaments :
India is divided in many parts from geographical point of view. Its effect is seen on lives of the people. Dresses are put on by men and women of each province in view of insight in usefulness. Artistic decoration and sclection of colours increase its aitraction. In Gujarat only many types of turbans are worm over head, while in South, rich and poor wear loongi (piece of cloth round the waist covering legs).
Folk Culture, Processes and Methodology for enriching its Heritage o u
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
There are different styles of wearing sarees in Gujarat, Maharashtra, Karnataka, Bengal and there are different decorations of sarees. The dresses of Kutch and Saurashtra provinces is incomparable in wealthy countries of the world, viz. the embroidery and tailoring work is eye-catching in the dresses of Kathi, Aahir, Bharwad, Rabari, Kuchi Jat, Rajput, Kanbi castes. There are different types of turbans for men, on the basis of which caste and status can be known. There are different types of Chundadi (piece of multicoloured cloth worn over head by women) viz. Bāndhani, Bhamariun. Chundadi, Chhelaruń, Odhani, Ambar, Navrangia, Dadmiya, Sefaliyun, Vasantiyuń, Pomchuń, Laheriyuń, Chokaḍiyun, Hiragol, Ghataḍi, Ganderi, Chhayal, Lachhuḍi, Kapuriyun, Kastūriyun, Gajvada, Sirakh etc. have finc mixture of beauty and colour.
Men and women of India are very fond of ornaments. In Gujarat only there are Kambiyuń, Kadala, Zanzar, Toḍa, Bedi, Darshaniyā, Zumna, Madaliyā, Tholiyā, Vedhla, Dheska, Hansḍī, Vinchhiya, Ring, Angothi, Zoomar, Earrings, Kadi, Lavingiya, Ser for ears, Laṭkaniya, Haar, Mangalsutra, Bajubandh, Ponchi, Ghodo, Kardo, Mahanmälä, Magmālā, Tulsimälä, Rudrakshmālā, Zudo, Fish for lcg, Tiko, Nakhli for ears, Bangles, Päṭlā, Balaiyun, Kaḍā etc. Due to tatoo, heena, weaving of colourful flowers over head, weaving of hair, fragrant substances.
elegance of woman flourish. There is art even in shoes, embroidered shoes, chappal also.
(2) Folk dances and Folk dramas :
Folk dances and folk dramas produce expression of natural joy and beauty of life and biography of the people. It reflects culture of people and establishes emotional unity. Folk dances and Folk dramas nourish entertainment of public in celebrations, festivals and fairs. In Garba, Garbi, Rās, Rāsḍā, Dānḍiyārās, Huḍārās, Tipaniras, Beḍārās, Solangaraas, Humchi dance, Thali dance, Hinch dance, joy of people of Saurashtra overflows. The Folk dances like Bhängaḍa dance and Lävņi are the prosperous inheritance of Folk culture. Folk dramas like Bhavãi, Ramlila, Akhyān makes social devotion and religious reverence in person.
(3) Folk instruments and Folk music :
Folk music nourishes joy and gaiety of Folk lives. In Folk instruments Sharnai, Morli, Vansli, Bhungal, Shankh, Nagfani, Pavo, Dhol, Dholak, Dāk, Damru, Maan, Nobat, Nagarun, Zanz, Kartāl, Manjīrā, Ghughrā, Khañjrī, Ravaj, Rāvaṇ-Hattho, Ektāro etc. are main. By tune and rhythm of Folk instruments, Duha, Chhand, Raas, Garbā, Bhajan in Gujarat and Fisherman songs, Baul songs in Bengal and Pavāḍā in Maharashtra and Bande in Rajasthan swing the minds.
(4) Folk literature :
Folk literate Shri Joravarsinh Jadav identifies Folk literature as recollection
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૧૦
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
volume of Folk life. It is like valuable treasure of Folk life, like soul of Folk culture. The spirit of Folk life is produced therein. There are novelties in heroic stories, love stories, stories of river, pond, ocean, well, trees, mythological stores and Garbā, Garbi, Räsdā, Marriage songs, Folk songs, vow songs, setting up of Folk Goddesses and Folk Gods, songs for the time of pledge, Arayna to persuade Mātāji, dhol, chanting, chăbkhā, pad, käfi, Rāmvalā, Chandrāvalā, seasonal songs, bravery songs, verse, duhā, lullaby etc. in event, time and tune. Folk songs and Folk life are having relationship like blind and fame. Without first, the existence of other is useless. “Bande’ in Rajasthan is eye-catching. Veda is considered as origin of these Folk songs. There are different sections of it. The seasonal songs of Kajli, Fág, Holi, Chaiti, Bārhināsā; songs for vowing of Nagpañchmi, Rāndal, Bahurā, Godhan, Tij, Jayā Pārvati; related to sowing like Sohni, Zumar, Alchari, Purbi etc. are the artistic inheritances of prosperity of Folk-life. (5) Folk festivals & Fairs :
There is very much significance of Folk festivals and fairs in Folk life. It lightens affection and reverence towards society and religion. It keeps existent joy of Folk groups and sentimental conversation with society and religion. Makarsankranti, Pongal, Vasant Panchmi, Shivratri, Idd-ul-Zuha, Holi, Gangaur, Mahurram, Baisākhi, Pooram, Minakshi, Kalyäņam, Nāgpañchmi, Ganeshchaturthi, Dusherra, Durgāpūjā, Navratri, Guru Poornimā, Idd-ul-Fitra, Christmas, Tulsi Vivah, Festival of Dariya Pir and Pushker Fair, Sonpur Fair, Kumbh Fair, Bhavnath Fair in Junagadh, Tamnetar Fair, Sonpur Fair, Sarkhej Fair, Sürajkund Fair, Amarnath Yatra, Hajj (Mucca), Chardham Yatra etc. are the imaginary tree of pleasure of Folk life. The tradition of Dhanurmah, Girimah, Nadimah, Yakshmah, which existed before thousands of years, today also thousands-lacs of people take benefit of it and feel fortunate. The people have selected to celebrate the joy-festivals at the places of confluence of rivers, motherland, places of activity, death place of great men. Fairs and festivals provide fragrance of nature and joy of swcet sonorous sound. (6) Show of rope dancer, Juggler, Disguised :
The works of entertainment and civilization have been carried out of jugglers and disguised persons.
In an cra, to view art of rope dancing was considered an enjoyment. They walked on rope by placing leg over a plate and showed their show just like it is being shown over rope in today's circus, showed gymnastic acts, lifted heavy weight with teeth, showed fighting with four swords, showed dance by putting approx. twelve water pots over head. This inheritance continued from onc generation to another. Today these artists are very much residue.
Jugglers provide entertainment through snakes, mongoose, owl, python, shelo etc. There are branches like Lalwadi, Fulwadi, Maanwadi and Dhanwadi amongst
Folk Culture, Processes and Methodology for enriching its Heritage o
99
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
these jugglers. The art of jugglers known as Samjunath in Gujarat is famous all over India. He shows snake, Scorpio bringing out of the mouth.
One art of entertainment of Folk life is of disguising. There are approx. 52 costumes of these disguises. He exhibits costumes like Hanuman, Ardhnarishwar, Mahakali, Arab, Malan and during the days of Navrātri entertains through new costumes. (7) Art of Daubing & wall pictures :
This art is famous in many village areas of India. Prosperous exhibits of art of daubing have been preserved in Saurashtra and Kutch till today. Walls of home, verandah, grain grinder, grain storing vessels, kitchen, stoves, water place, windowsdoors, poles etc. are decorated with art of daubing. The pictures of peacock, parrot, deer, Krishna-Rādhā, Rām-Sitä, Shiv-Pārvati, serpent, Folk-Goddesses are painted over the walls with soil of white or coloured dust powder. This art is attained by rural women. This art flourishes during festivals and marriage celebrations. (8) Folk-embroidery :
There is variety of Folk-embroidery in India. It is one unique inheritance of civilization of Folk-culture. It is decoration of beauty for rural women. There is pure handicraft in dresses of men-women, children, decoration over doors, decoration of oxen-cart, decoration of horse, chakla, barsakhiyan, chitariyan, pillows etc. The Banni Embroidery of Kutch is incomparable. Its embroidery work, colour combination, subtleness and beauty is world renowned. Pearl work is also like giving honour to inheritance of civilization and art. (9) Rural Professions :
Folk life has become civilized through rural professions. Items of clay work like earthen pot, small round water pot, jug, ghad, moriyo, large round water pot, batak, dhumio, loti, jakro, bhambho, gujardo, kodiyān, tāvdi, tavo, kathro!, garvo, walia, thus a long list of exhibits of wooden craft can be made. Copper-Brass utensils, idols, engraving on stones, lathe turner, colour work, weaving work of patoļā of Patan are like world renowned art work of weaving work. Silk, kinkhab, muslin, perfume and fragrant elements, industries of murabbā and pickles make folklife artistic and interesting. Procedures and systems of Making folk culture and its inheritance prosperous :
Folk culture includes literature, art and arca of life. Ancient and latest history of human life requires to be invented. It is necessary to find out solutions and provide facilities to keep the Folk Culture and its inheritance lively and make prosperous, because if Folk Culture has to be lived, the art requires to be made lively and to keep the art lively, our artists and civilized atmosphere will have to be made prosperous.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૧૨
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
To maintain and make prosperous the Folk Culture and its inheritance, the following formalities and procedures can be thought of. (1) To construct the cultural Policy :
The future of Folk culture can be determined on the basis of changing form of people and cultural policies. First, it is important that a meaningful conversation must take place for the issues of Folk culture. And it is necessary that a feeling of honour and dearness is developed towards Folk Culture. Folk culture must get an equal opportunity fort expressing cultural disparity. Activities for creation of link between different Folk Cultures must be carried out. Systematic propaganda and spreading of Folk Culture should be done through public communication, and thereby to solve the basic problems of Folk groups through seminars and sessions for Folk Culture and programmes for creating awareness against useless imitation and perverseness and to solve the fundamental problems of Folk Culture through specialities and vigor. Lastly, the creation and use of Folk Culture be made prestigious in the form of Fundamental human rights. And for this, keeping in view collective interest, instead of individual interest, inheritance of meaningful Folk Culture be made prosperous. (2) Education :
The importance of study of Folk Culture requires to be accepted in our present set up of education. Facilitated education be provided to understand inheritance of Folk Culture and its minutest forms. The mental and its stable state can be bestowed only through detailed study of Folk Culture. Through study and comparison of Folk Culture of different provinces, benevolent cultural inheritance of national life can be fully observed. The assessment of inheritance of Folk Culture being traditional or transformable can be carried out only through education.
The inheritance of Folk Culture requires to be accepted as a compulsory subject in schools and colleges, and for this purpose text books be prepared and colleges or schools be established for study of inheritance of Folk Culture, viz. Folk Literature Vidyalaya, Folk Art Vidyalaya, Folk Literature Bhavan, Folk Art Bhavan, Folk Music Convention, Folk Dance Programmes, and facilities for series of lectures in foreign countries be raised, and financial assistance and infrastructural association be provided and when public co-operation is achieved, it will be a fragrance in gold. Just like a wonderland, without the courses of inheritance of Folk Culture, the education of the country is incomplete, because Folk Culture is like a foundation stone of principles, civilization of the people of the country.
Tours of places, centres, Artists etc. of Folk Culture and visits thereof is a very important system in making the inheritance of Folk Culture prosperous.
This namesake fund allotted in Five Year Plans for education and advancement
Folk Culture, Processes and Methodology for enriching its Heritage o
13
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
of inheritance of Folk Culture requires to be increased. (3) Exhibition :
Exhibition is a useful system for propaganda of inheritance of Folk Culture. “Kachhi Folk Culture in Moscow” and its albums can be published in Indian and foreign languages in Indian cities and also in foreign cities like Moscow, Paris, London, New York, Packing etc.
The inheritance of Folk Culture can be made prosperous by exhibition for Rural Beauty through arranging artistic scenes of celebrations like Dandiya Raas, Rural Games, Marriage Processions, Religious Processions, Flowers Group, Panihari, Shepherd, Farmer, Vagdo, deep forests, opium doses, couples, Village Panchayats, relationship between Mother-Child, Animal-man, love of environment, marriage rituals etc. Such exbibitions are arranged of National Festivals From 1953 onwards. Still such efforts are necessary to make the urban people familiar with this inheritance on large scale.
The best exhibits of wooden craft, knitting work, pearl work, weaving work and ornaments be arranged and a live show exhibiting how the Artists perform be arranged in these exhibitions. The exhibition of beauty of women, sagacity, scriousness, power and grace be given a place therein. The events of courage of mariners and their lives, exhibition of inheritance of tribal people, work of sons of soil and their lives, secular integrity etc. can also be displayed. In addition serials of Folk Culture in T.V., Video cassettes and programmes of Folk Artists can be arranged in schools and colleges. Instead of making propaganda fully, planning for its acceptance as per physical presence and capacity amongst the people be planned.
The guidance regarding skills, labour, art of Folk Artists of dedication towards art of professions, benefits derived by the families, villages and society can be arranged during this exhibition. (4) Multi purpose spiritual activities :
Since ancient times, the saints and Great Poets shaped and gave life to the pictures and characters of Folk life through internal knowledge and imagination. Folk culture reached to its peak through spiritual activities of Gautam Buddha. He explained the spiritual shape of public interest in folk language. The understanding of qualities of civilization and etiquette to the whole mass of people and saved from perverse traditions. Its nectar is seen expressed in Great Poems, mythological literature, Ellora, Kaushambi, Sanchi, Sarnath etc. This work was carried out by devotion and Saints of Sufi cults. Gandhiji also made constructive efforts to carry out public spiritual activities to get independence from political slavery.
The spiritual inheritance of Folk Culture can be brightened through planning of public religious discourses, series of discourses, chăturmas, Rāmāyaṇa, Bhagavat
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૧૪
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
discourses, kirtan, bhajan, historical lectures, spiritual activities through temples and by arranging lectures of saints and religious preachers of different religions and cults. (5) Assistance and planing by the Government :
The achievements of the Government works can be considered through maintenance and development of inheritance of Folk Culture. Folk Artists and Folk Professionals are required to be provided with financial assistance and infrastructural facilities for this. An academy be established for all aspects viz. “Kathputli Art Academy”. To make schemes for giving honour and prestige, additional facilities be provided to voluntary institutions in this regard. Folk Culture Department be formed and activities for development of inheritance of co-ordinators of Folk Culture be made.
The inheritance of Folk Culture will surely prosper when feeling of Folk Artists become more and more dense towards Folk Culture, when they develop artistic activities by devoting time to these activities and earn bread and experience contention. (6) Advertising Media :
Advertising media is a glorious system for prosperity of inheritance of Folk Culture. Different elements of Folk Culture can be spread-advertised through Radio, T.V., Computer, Newspapers. However, today in Aastha, Sanskar and other regional, national and international channels, glimpse of Folk Culture is being shown. Now Folk Culture can be seen in commercial advertisements also. Especially, the glory of Folk Culture of Rajasthan is seen spread in advertising mediums. It is a credit to the glorious elements of Folk Culture, but it must also be seen that the same is not perversed in the quagmire of marketisation. In addition, Folk Culture can be advertised by affixing large posters in schools, colleges, public buildings, cross roads, bus and railway stations of village and towns. By finding out minutest artistic exhibits and artists of Folk Culture from evēry corner of the country, spread-advertising can be done, and for this purpose audio-visual publicity can be done. Today also, thousands of Folk-songs, Folk-sayings, Folk-stories, Bhajans are in the memory of Folk and before it vanishes, it is necessary to store the same. For this work, the glorious inheritance be made more prosperous by providing traning and encouragement to the eager and enthusiastic researchers. Shri Jorawarsinh Jadav is carrying out these activities in Gujarat through Folk Foundation. Still, it is necessary that the individuals and institutions having love towards Folk Culture takes interest. (7) Publication & Musical Notation :
Musical literature requires to be protected. Shri Zaverchand Meghani collected Folk Literature from every corner of Saurashtra province. In other provinces also,
Folk Culture, Processes and Methodology for enriching its Heritage
44
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
this pious work has been done. Folk Literate or Folk Architect compiles and edits the same, while the Government publishes the edited collection. In Bhavnagar, Shri Khodidas Parmar has prepared a very precious treasure of forgotten villages pictures of Saurashtra. It is necessary that the same is published at the earliest.
If pictorial publication and distribution of peculiarities of Folk Culture of different provinces is done, the graph of Folk Culture can surely be taken high. Similarly in the field of Folk Music, it is necessary that musical notations takes place of Folk Songs, Bhajan etc. The musical notations requires to be done in its original form by an artist with rich voice, viz. the Gujarati Folk Songs sung by Diwaliben Bhil have become more popular. Thus rich voice and tuning of Folk Songs makes Folk Culture honourable. Many times, mixture music is produced in Folk Music. Therein, the piousness of innocent Folk Music in its original form is not maintained. Such music requires to be improved. In Gujarat playing of cymbals is inheritance of Folk Culture, but it is not like trained inheritance of 'Terataali' of Rajasthan. Therefore, planning be made to provide training from these artists to the artists of Gujarat. It is necessary to carry out more and more efforts to spread-advertise the Folk Culture through musical notations and publication and distribution of cassettes, C.Ds. cards etc.
(8) Competitions :
The partnership of people can be increased by organizing competitions of different elements of Folk Culture, viz. competitions of Folk stories, saying stories, vowing stories, moralising stories can be organized. In Folk Music, the competitions of playing big flute, flute. Ravan-hattha and song competitions of Bhajan, Folk Songs, Duha-chhand, Chopãi, marriage songs can be arranged. The artists be encouraged by distributing prizes in these competitions. Arrangements to give awards to good artists requires to be made. If training is provided to artists at village level through experts, good artists can be obtained.
(9) Fashion Show :
In modern time, the system of fashion is a useful system for spread of Folk Culture. Fashion parade of clothes of different provinces, fashion parade of Folkornaments requires to be arranged. Arrangements for telecasting these programmes through T.V. can be made. the inheritance of Folk Culture can be made prosperous if arrangement for a market exhibiting clothes and ornaments in fashion show is made, then the attraction of the people will increase and employment can be provided to the artists of this field.
(10) Virasat and celebration of Navratri Festivals :
There is disparity of festivals in India and people participate enthusiastically in it as the same being symbol of Folk faith and honour. The programmes of
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ Ē ૧૬
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
celebration of Virasat festival in Rajasthan and celebration of Navratri festival in Gujarat have taken place through encouragement of the Government. Such type of programmes flourish through partnership of the Government and people. If the main objective of its organization is development of Folk Culture, this inheritance can surely become prosperous.
(11) Letters :
The people belonging to different provinces become familiar of Folk Culture of the respective provinces through pen-friendship and nearness is cultivated. Pandit Jawaharlal Nehru gave introduction of the Indian History and Culture to Smt. Indira Gandhi through letters. If such type of hobby of pen-friendship is cultivated in schools and colleges, the boundaries of Folk-culture can surely become prosperous. (12) Museums :
The museums for introduction of Folk Culture of different provinces can be established, viz. a Museum providing glimpse of Folk Culture of different provinces named 'Gram Shilpa' is in Bhopal. Similar museums must be in other cities also. Unknown people can also get introduction of Folk Culture of different provinces through it.
(13) Rural Decoration :
India is inhabited in villages. Rural inheritance is still intact. It is necessary for the development of Folk Culture that Urban people and foreigners are attracted for rural observation. For this purpose, pouring of nature in villages on river banks requires to be done. Nimb, Pipalo, Banyan, Coconut trees and other dense trees be raised and maintained. Public places be decorated, bygone attraction for pious works of village families, bravery, animal love, churches, family God, memorial stone of martyr be created and the events of affectionate feeling can be exhibited, viz. Hindus reside in village Pipli (Ta. Kodinar, Dist. Junagadh) of Saurashtra. There is a tomb of only Muslim Pir in the village. At the time of marriage Hindu Bridegroom, wears chain of this Pir. After Marriage Saptapadi, the couple feel fortunate by removing the chain before the tomb of Pir. In addition, the rural prosperity can be exhibited through Kamdhenu Mahima, Krishi Mahima, Gram Udyog Mahima, Shram Mahima and fine exhibits of handicraft.
The institutes like Indian Institute of Design be made to take interest in the activities of research and spread of beautiful exhibits of Folk Culture. Through establishment of Folk Foundation, programmes for water service dignity, Folklore club, Folk Cultural Fund, Folk Cultural Trust, Village Cultural Society, Temple Cultural Society, Folk Cultural Club in schools or colleges, Folk Cultural Academy, the inheritance of Folk Culture can be made prosperous.
Folk Culture, Processes and Methodology for enriching its Heritage ૧૭
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Conclusion :
The inheritance of Folk Culture of India has reached upto Greece, Rome, Africa, countries of South-East Asia, far East countries, countries of middle East. The people of India made this inheritance prosperous by weaving threads without differentiation of religion, cult, caste, language. It is an obligation of all of us to make prosperous this inheritance with the feeling of zeal, workmanship, devotion and co-operation.
The physical and mental health of the people increases due to prosperity of Folk Culture. A feeling of egotism and concentration rises. People start understanding the importance of collective creation and people start understanding usefulness of their lives. The independence of civilization is maintained and a feeling of world village rises.
Natural beauty is filed in Folk life of India. It is necessary that vigor of identifying, understanding and enjoying the said beauty is awakened. Today, such view point is necessary which does not disturb the path of development and rising of Folk Culture and assistance is obtained in finding new ways and to go forward with speed. It is necessary to be warned that perverseness of politics do not damage this inheritance by finding differences between people and cults under the shadow of Folk Culture. The politicians need to be compelled to become co-partners in the activities of development of inheritance of Folk Culture. The future of Folk Culture will be decided on the basis of our devotion, principles and co-operation.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૮
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ : ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી
દિશાઓ
ડૉ. મકરન્દ મહેતા
સાહિત્ય, સામાજિક શાસ્ત્રો અને ઇતિહાસ માનવ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતાં હોવા છતાં તેમનાં દૃષ્ટિબિંદુઓમાં તફાવત છે. સામાજિક શાસ્રો મનુષ્યની રાજકીય, આર્થિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ તપાસે છે. જેમકે, રાજ્યશાસ્ત્રના અભ્યાસના કેન્દ્રસ્થાને સત્તા છે. અર્થશાસ્ત્રનું કેન્દ્રબિંદુ સંપત્તિ અને તેની વહેંચણી છે. સમાજશાસ્ત્રીઓનો ઝોક સંસ્થાઓ અને મંડળો જેવા સમાજના અંગઉપાંગો ઉપર છે. સામાજિક મનોવૈજ્ઞાનિકો વ્યક્તિ અને જૂથોના વર્તનની ભીતરમાં છૂપાયેલા માનસિક અને ભાવાત્મક તાણાંવાણાંઓનું વિશ્લેષણ કરે છે. સામાજિકશાસ્ત્રીઓ તેમની જરૂરિયાતો મુજબ મુલાકાતો, સર્વેક્ષણો, માત્રાત્મક પ્રમાણો વગેરેનો ઉપયોગ કરીને માનવપ્રવૃત્તિઓમાંથી નીપજતા સામાન્ય નિયમો તારવે છે. ગુજરાતની સામાજિક, આર્થિક અને રાજકીય ઘટનાઓ અને પરિવર્તનોને સમજવા ગુજરાતી ભાષામાં આ પ્રકારના થોકબંધ અભ્યાસો થયા છે. તેનો અભ્યાસ કર્યા વગર કોઈ પણ મહત્ત્વાકાંક્ષી ઇતિહાસકાર આજે તો આગળ વધી શકે તેમ જ નથી.
સાહિત્યિક સર્જકનો અભિગમ તદ્દન જુદો છે. સર્જક પોતે સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ અંગે ગમે તેટલો જાગૃત હોય, આમ છતાં એક સર્જક તરીકે તે સામાજિક વિદ્યાઓ અને ઇતિહાસના નિયમોથી પર છે. તેનો મૂળ આશય કલા અને કલ્પનાને આધારે માનવીના મન અને હૃદયને ઢંઢોળવાનો છે, સીધું દસ્તાવેજીકરણ અને પૃથક્કરણ કરવાનો નહીં. તેથી માનવ સ્વભાવ અને માનવ સમાજ કે પ્રકૃતિનું સાર્વત્રિક સ્તર પરનું દર્શન કરવામાં તેને ઇતિહાસકારની જેમ સમય અને સ્થળની મર્યાદાઓ નડતી નથી, વળી તેને સામાજિકશાસ્ત્રોની પદ્ધતિઓ પણ નડતરરૂપ નથી. તેનો અર્થ હરગીઝ એ નથી કે તે સાહિત્યેતર વિદ્યાઓ પરત્વે ઉદાસ છે કે તેનાથી તે અજાણ છે, પણ મૂળભૂત રીતે સાહિત્યકાર એક સર્જક છે અને તેથી જ તે સમાજમાં રહેલી વાસ્તવિકતાઓને અભિવ્યક્ત કરવાના આશયથી વાચકને કોઈ વિલક્ષણ સૃષ્ટિમાં પ્રવેશ કરાવે છે અને વાચકને પોતાની રચના સાથે ઓતપ્રોત કરવા તે વાસ્તવિક અને કાલ્પનિક પાત્રો, સંવાદો અને કેટલીકવાર તો ઉખાણાં અને કહેવતો ભજનો અને કાવ્યો જેવા સાધનોનો પણ ઉપયોગ કરે છે. સાચું પૂછો તો સામાજિકશાસ્ત્રી અને ઇતિહાસકારની જેમ સર્જક ફોટોગ્રાફર નહીં પણ ચિત્રકાર છે. તે કેવી રીતે ? તેનું એક રસિક દૃષ્ટાંત અત્રે પ્રસ્તુત છે.
એક પ્રસંગે વિશ્વવિખ્યાત બ્રિટિશ કોમેડિયન ચાર્લી ચેપ્લીનને ઓળખી બતાવવા માટે એક સમારંભ યોજાયો. તેથી તેને મળતા આવતા બીજા વીસેક એક્ટરોને મંચ પર ખડા કરવામાં આવ્યા. પરીક્ષકોએ એક એક્ટરને ઓળખી બતાવ્યો. પણ સાચો ચાર્લી સ્ટેજ ઉપર જ હતો. તે ક્રોધે ભરાયો અને જાહેર કર્યું કે ‘અસલી, વાસ્તવિક ચાર્લી તો હું જ છું, બાકીના તમામ નકલી છે. ઇનામ મને જ મળવું જોઈએ.' પણ પરીક્ષકોએ જણાવ્યું : ‘તમારી વાત સાચી છે, પણ અમારે મન સ્થૂળ ચેપ્લીનનું મહત્ત્વ નથી. સ્ટેજ પર એક્ટરના હાવભાવ કેવા હોવા જોઈએ અને તે કેવો લાગવો જોઈએ તેને લક્ષ્યમાં લઈને જ તમે જેને નકલી ગણો છો તેને અસલી ગણીને અમે તેને ઇનામ આપ્યું છે.' કહેવાય છે કે બધા જ પરીક્ષકો સાહિત્ય સર્જકો હતા, એક પણ ઇતિહાસકાર કે સામાજિક શાસ્ત્રી ન હતો. તેથી અસલી ચાર્લી એકી સાથે હસતો-રડતો પોતાને * ઇતિહાસના ઇમેરિટસ પ્રોફેસર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
ન
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ T ૧૯
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘેર રવાના થઈ ગયો.
આમ સાહિત્યકાર હોય કે ચિત્રકાર, કોઈ પણ સર્જક સ્થળ અને વાસ્તવિક જગતનું રૂપાંતર સભાન રીતે ભાવ જગતમાં કરે છે. તેથી જ નવલકથાકાર, નવલિકાકાર, કવિ અને નાટ્યલેખક સૌના કરતાં વધારે બહોળો વાચક વર્ગ ધરાવે છે. ગોવર્ધનરામની મૂળ ઇચ્છા તો ઐતિહાસિક કૃતિ રચીને તેમના સમયના ભારતીય સમાજનું દર્શન કરાવવાની હતી, અને તેમણે અનેક નિબંધો અને ચિંતનાત્મક ગ્રંથો દ્વારા તેમ કર્યું છે. ઉદાહરણ તરીકે ૧૮૯૪ માં તેમણે પ્રસિદ્ધ કરેલ ઐતિહાસિક ગ્રંથ “The Classical Poets of Gujarat and Their Influence on Society and Morals”. આ ગ્રંથની પ્રસ્તાવના મુજબ તેમણે ઐતિહાસિક પદ્ધતિ અપનાવી છે. પરંતુ તેમને થયું કે જો વિશાળ જનસમુદાય સુધી પહોંચવું હશે તો સાહિત્યનું માધ્યમ અપનાવ્યા વગર છૂટકો નથી. આ રીતે તેમણે “સરસ્વતીચંદ્ર' નવલકથાનું આયોજન કર્યું હતું. અત્રે એ ખાસ યાદ રહે કે પોતાની અત્યંત મહત્ત્વાકાંક્ષી નવલકથાનો ઉદ્દેશ્ય પાર પાડવા તેમણે લખતાં પહેલાં અને લખાણ દરમિયાન (૧૮૮૭-૧૯૦૧) ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. રામનો ચૌદ વર્ષનો વનવાસ તે આનું નામ ! આ રીતે તેમણે રચેલી નવલકથા માત્ર ગુજરાતના જ નહીં, વિશ્વસાહિત્યમાં પણ અમર ગણાય તે સ્તરની છે. જો કે એ પ્રશ્ન પણ પૂછી શકાય કે ગોવર્ધનરામે જો તેટલી જ તપશ્ચર્યા કરીને ઈતિહાસ, રાજયશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ફિલસૂફીનો ગ્રંથ લખ્યો હોત તો તેઓ લાખો વાચકોના મન અને હૃદયમાં વસ્તી શક્યા હોય? તે જ પ્રમાણે લેરી કોલીન્સ અને ડોમીનીક લેપીયરે ૧૯૭પમાં પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ‘Freedom at Midnight છે. કેટકેટલા વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકારોએ ભારતના
સ્વાતંત્ર્યસંગ્રામ વિશે ગ્રંથો લખ્યા છે. પણ ઉપરોક્ત ગ્રંથમાં કોલીન્સ અને લેપીયરે ગાંધીયુગના વાસ્તવિક પ્રસંગો અને પાત્રોને નાટકીય ઢબથી ઉપસાવ્યા છે અને તેને અનુરૂપ રોમાંચક ભાષા અને શૈલીનો ઉપયોગ કરીને ઇતિહાસને જીવંત અને મોહક બનાવ્યો છે. વ્યવસાયી ઇતિહાસકાર હોવાનો દાવો તેમણે કર્યો નથી. પરંતુ એ પણ એટલું જ ચોકકસ છે કે તેમનો ‘બેસ્ટ સેલર' ગ્રંથ ઈતિહાસ કરતાં સાહિત્યની વધારે નજીક છે. તેથી જ ન્યૂર્યોક ડેઇલી ન્યૂઝે તેને વિશે લખ્યું હતું : “A book that reads more like sensational fiction... a drama of the highest order.” તેથી તેમની કૃતિ Best-Seller બની છે.
આ રીતે વિચારીએ તો સાહિત્ય અને વ્યવસાયી ઇતિહાસ વચ્ચે મોટો તફાવત છે. સાહિત્યની સરખામણીમાં ઇતિહાસ વધારે નિયમબદ્ધ, વાસ્તવિક, સ્થળ અને વસ્તુલક્ષી વિષય છે. ઈતિહાસ શાંત અને સંયમી (sober) વિષય છે. ઇતિહાસકારની સ્થિતિ તો પુરાણકાળના પેલા ત્રિશંકુ જેવી છે. નથી તે સામાજિક શાસ્ત્રીનો એકમાર્ગી અભિગમ સ્વીકારતો કે નથી તે સર્જકની જેમ કલ્પના કરીને સમય અને સ્થળનો છેદ ઉડાડી દેતો. તે નથી તો સત્તા, સંપત્તિ, સંસ્થા, ધર્મ, સમાજ અને માનવ વર્તણૂકો જેવા સમાજના અંગ ઉપાંગોને પૃથફ પૃથક્ સ્વરૂપમાં જોઈ શકતો. ઇતિહાસ કાંઈ ભૂતકાળનું અર્થશાસ્ત્ર કે રાજ્યશાસ્ત્ર નથી. ઇતિહાસ તેનાથી વિશેષ છે. માનવ સમાજની ચડઊતરને સમજવા ઇતિહાસકાર તમામ પરિબળોને સાંકળીને તેની તમામ અખિલાઈઓમાં જોવા-તપાસવાની મથામણો કરે છે. સાહિત્ય અને સામાજિકશાસ્ત્રોનો વત્તાઓછા પ્રમાણમાં અભ્યાસ કર્યા વગર તે સમાજોપયોગી ઇતિહાસ લખી શકે નહીં.
આવા કારણોસર આજનો પ્રોફેશનલ ઇતિહાસકાર ગ્રંથાલયો અને અભિલેખાગારોમાં સચવાયેલી અસંખ્ય હકીકતોનો મહામહેનતથી સંચય કરે છે. ઘણું ખરું તો આ હકીકતો' વિરોધાભાસી હોય છે. તેથી ઇતિહાસકાર તેના વૈચારિક માળખાને આધારે તેના ‘ડેટા' વચ્ચે સંકલન કરે છે, પ્રશ્નો પૂછે છે, અને ત્યાર બાદ વિશ્લેષણ કરે છે. આ રીતે ઈતિહાસકાર તેનો ‘ડેટા' પસંદ કરે છે. જો તેમ ન કરે તો તેની કૃતિ સરકારી ગેઝેટિયરની જેમ નરી હકીકતોનો થોકડો જ બની જાય. ઇતિહાસકારની ખરી કસોટી જ એ છે કે તેણે પોતાની
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસઃ ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ n ૨૦
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારસરણી અનુસાર પરંપરા અને પરિવર્તનના સંદર્ભમાં માનવ ઘટનાઓના પ્રવાહો સમજાવવા પડે છે. આ કામ સરળ નથી. વળી તે અન્ય વિદ્યાશાખાઓની સરખામણીમાં ઓછા મહત્ત્વનું પણ નથી. ઈતિહાસકાર ભલેને ભૂતકાળની વાતો કરે ! આમ છતાં વિશ્વભરના સુસંસ્કૃત દેશોએ સ્વીકાર્યું છે કે જો રાષ્ટ્ર અને સમાજના નવનિર્માણ માટે યુવા પેઢીને તૈયાર કરવી હોય તો ભૂતકાળના અનુભવોનું જ્ઞાન મહત્ત્વનું છે. દેખીતી રીતે જ આ પ્રકારના અનુભવોમાં માત્ર સિદ્ધિઓની “ભવ્ય ગૌરવગાથાઓ' જ નહીં, પણ ત્રુટિઓ અને નિષ્ફળતાઓ પણ છે. તેનો મુક્તમને અને ખેલદીલીપૂર્વક સ્વીકાર કરવો જ પડે. ઇંગ્લેન્ડ, અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશો તો ઇતિહાસને એક મહત્ત્વનો વિષય ગણીને તે શાળા-કૉલેજો અને યુનિવર્સિટીઓમાં કાળજીપૂર્વક શીખવે છે. પાઠ્ય પુસ્તકો અને સંદર્ભગ્રંથો પણ કોઈ એક જ નિર્ધારિત પ્રતિબદ્ધતાને વરેલા હોતા નથી. કારણ કે શિક્ષક અને પ્રોફેસરોનો હેતુ વિદ્યાર્થી સ્વતંત્ર રીતે ઇતિહાસનું મૂલ્યાંકન કરીને તેનો અને સમાજનો વિકાસ કરે તે છે. ઇંગ્લેંડ અને અમેરિકામાં તો અમે જોયું છે કે ત્યાંની યુનિવર્સિટીઓમાં તબીબી અને ઇજનેરી વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ પણ એક-બે કોર્સ ઇતિહાસના ભણે છે અને તેને માટે તેઓ ઊંચી ફી પણ આપે છે. આપણા દેશમાં, ખાસ કરીને વેપારપ્રધાન ગુજરાતમાં, પરિસ્થિતિ તદ્દન ઊંધી છે. અહીં તો બાળકો પણ તેમની કાલી કાલી ભાષામાં બોલે છે : “હું મોટો થઈને દાક્તર કે એન્જિનિયર થઈશ.” જો કે ૧૦૦-૧૫૦ વર્ષમાં ફેર મોટો પડ્યો છે. પહેલાના જમાનામાં આઠદસ વર્ષનાં બાળકોનાં લગ્નો મા-બાપ કરી નાંખતા. આજે બાળક જન્મતાની સાથે જ તેનાં અતી હોંસીલા મા-બાપે તેની કેરિયર' નક્કી કરી નાંખી હોય છે !
જ્યાં પૈસો જ પરમેશ્વર ગણાયો છે તેવા ગુજરાતમાં બાળકની પ્રકૃતિ અને સ્વાભાવિક રુચિ શી છે તે જાણીને તેને ઉછેરવાની કોને ફિકર કે દરકાર હોય ?!
આવાં કારણોસર હવે ઇતિહાસકારો ઊંઘમાંથી સફાળા જાગ્યા છે. તેઓ જાણી ગયા છે કે તેમનું ચીલાચાલુ ડુગડુગિયું ચાલી શકે તેમ નથી. છેલ્લા વીસેક વર્ષથી જે ગતિથી અને દિશામાં ભારતમાં ઇતિહાસલેખનવિદ્યા પાંગરી છે તે બતાવે છે કે અગ્રગણ્ય ઇતિહાસકારો તેમની કૃતિઓ દ્વારા આજના સમાજ, રાજકારણ અને અર્થકારણ ઉપર પણ વધતેઓછે અંશે પ્રકાશ નાખે છે. જ્યાં સુધી ભૂતકાળને વર્તમાન સમસ્યાઓ સાથે સાંકળવામાં ના આવે ત્યાં સુધી આજનો કોમ્યુટર અને મોબાઈલ ફોનધારી વાચક ભૂતકાળને વાગોળ્યા કરવામાં તેનો સમય અને શક્તિ શું કરવા વેડફે ?!
આ દષ્ટિએ વ્યવસાયી ઈતિહાસ-લેખનનો હેતુ અને સંદર્ભ બદલાયો છે. સંશોધનનો નવો પ્રવાહ ઘણો ઉપયોગી છે. છેલ્લા દસેક વર્ષનાં પ્રભાવક ઇતિહાસ-સામયિકો જોનારને જરૂર પ્રતીતિ થશે કે સામાજિક પરિવર્તન વિશે લખનાર જાગૃત ઇતિહાસકાર પરિવર્તનના સિદ્ધાંતોથી પણ વાકેફ હોય છે. તે જ પ્રમાણે ભારતીય સંસ્કૃતિના તજજ્ઞો જયારે સમાજમાં પ્રવર્તતા ધર્મ, નીતિમત્તા, સામાજિક અને રાજકીય મૂલ્યો, સાહિત્યના વિવિધ પ્રકારો જ્ઞાતિ અને વર્ણવ્યવસ્થા, મંદિરો અને મસ્જિદોનાં બાંધકામ, રાજાઓ દ્વારા કરવામાં આવેલા દાવો વગેરે સંબંધી લખે છે. ત્યારે તેઓ માનવીની નૈતિક, કલાત્મક, માનવતાવાદી, આધ્યાત્મિક અને સર્જનાત્મક પ્રકૃતિને સમજવા માટે તે સમયના આર્થિક અને ભૌતિક પરિબળોને (જેમકે સામંતશાહી માળખું) પણ લક્ષ્યમાં લે છે. આમ તેઓ સંસ્કૃતિ-પ્રયુક્ત અને ભૌતિકવાદી દૃષ્ટિકોણો (CulturistMaterialist Perspectives) વચ્ચેનું સંયોજન કરીને માનવ-ઘટનાઓને તેની તમામ આંટીઘૂંટીઓ સહિત સમજાવે છે. નવાબો, રાજાઓ, સામંતો અને તેમની વંશાવળીઓ વિશે લખનાર સામંતો અને તેમની વંશાવળીઓ વિશે લખનાર વિદ્વાનો રાજકીય પ્રક્રિયાને મહેલાતી પ્રવૃત્તિઓ પૂરતી મર્યાદિત ન રાખતાં તેને સત્તાજૂથો અને બળના રાજકારણનાં તેમજ રાજકીય અને સામાજિક પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં મૂલવતા થયા છે. રેલ્વેના ટાઈમટેબલ અને હોટલનાં મેનુની જેમ સંશોધન લેખો અને ગ્રંથો માહિતી-પત્રકો નથી એ વાત
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ] ૨૧
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સ્વીકારાતી ગઈ છે. આજનો ઇતિહાસકાર ભૂતકાળના બનાવોને વૈચારિક માળખામાં ગોઠવવા માટે અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના સિદ્ધાંતોનો ખૂબ જ ચીવટપૂર્વક ઉપયોગ કરે છે. આવાં કારણોસર આજનાં કેટલાક સર્જનશીલ સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ, વ્યાપારી પ્રતિષ્ઠાનોના સંચાલકો, સાહિત્યકારો, અમલદારો અને સમાજ સુધારકો ઇતિહાસના ગ્રંથોને ઉપયોગી ગણીને તે વાંચે છે અને સાર ગ્રહણ કરે છે.
આજે સંશોધનનાં કેટલાંક નવાં ક્ષેત્રો વિકસ્યાં છે. તેમાં પ્રયોજકીય ઇતિહાસ(entrepreneurial history) નું પણ સ્થાન છે. વેપારીઓ, શરાફો, ઉદ્યોગપતિઓ, ખેડૂતો અને કારીગરો જેવા જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયા હોય તેમની પ્રવૃત્તિઓમાં રહેલી સર્જનશક્તિ અને ખાસ કરીને નવી નવી રીતે કાર્ય કરવાની તેમની શક્તિ (inrovative talents) ને તેના સામાજિક સંદર્ભમાં પ્રયોજકીય ઇતિહાસકારો મૂલવે છે. આ દૃષ્ટિએ પ્રયોજકોને આર્થિક વિકાસના અને આર્થિક-સામાજિક પરિવર્તનના મુખ્ય ચાલકો ગણવામાં આવ્યા છે.
આર્થિક અને પ્રયોજકીય ઇતિહાસકારોનું એક નોંધપાત્ર પ્રદાન એ છે કે તેમણે સામ્રાજ્યવાદી યુરોપીય અને અમેરિકન વિદ્વાનોનાં ભારતને હલકો ચીતરતાં લખાણોને જોરદાર રદિયા આપ્યા છે. મેક્સ વેબર, વેરા એન્ટી, વિલિયમ કૅપ અને મોરિસ ડેવિડ મોરીસ જેવા યુરોપકેન્દ્રી વિદ્વાનોએ એવી દલીલો કરી હતી કે “ભારત ઉપર બ્રિટિશ હકૂમત સ્થપાઈ તે પહેલાં ભારત ખેતી અને વ્યાપાર-ઉદ્યોગ તેમજ ટેક્નોલોજીને ક્ષેત્રે યુરોપની સરખામણીમાં ઘણું પછાત હતું અને તેને માટે હિંદુઓની જ્ઞાતિસંસ્થા તેમજ તેમના પારલૌકિક આચારવિચારો જવાબદાર હતા.” અંગ્રેજોએ આ પ્રકારના હક-દાવાઓ એશિયા અને આફ્રિકાના દેશો ઉપર તેમનું સામ્રાજ્ય દૃઢ કરવા અને વળી તેને નૈતિક સમર્થન આપવાના આશયથી કર્યા હતા.
પરંતુ ભારતીય ઇતિહાસ-સંશોધકોએ આવા પ્રચારાત્મક હક-દાવાઓને આહ્વાન આપતાં લખ્યું છે કે મધ્યકાલીન ભારતમાં, એટલે કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સ્થપાયું તેનાં ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાં, ભારત વ્યાપારઉદ્યોગ અને ટેકનોલોજીને ક્ષેત્રે યુરોપની સરખામણીમાં ન તો પાછળ હતું કે ન તો તેના કહેવાતા “પછાતપણા” માટે તેની જ્ઞાતિ-સંસ્થા કે ધાર્મિક મૂલ્યો જવાબદાર હતાં. અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને ખોરવ્યું તે પહેલાં મુઘલ-ભારતે તેના સામંતશાહી ઢાંચામાંથી મહત્ત્વપૂર્ણ મૂડીવાદી તત્ત્વો વિકસાવ્યાં હતાં, પરંતુ વ્યાપારી મૂડી પરિપક્વ થઈને અર્થપૂર્ણ રીતે ઔદ્યોગિક મૂડીમાં રૂપાંતર પામે તે પહેલાં તો ભારત ઉપર બ્રિટિશ શાસન આરૂઢ થઈ ચૂક્યું હતું !
આ બાબતમાં મારે નમ્રતાપૂર્વક જણાવવાનું કે મેં મારાં સંશોધનોમાં ઉપર્યુક્ત યુરોપકેન્દ્રી વિચારસરણીને સૈદ્ધાંતિક રીતે અને નવા સ્રોતોને આધારે પડકારી છે. મેં એમ બતાવ્યું છે કે ગુજરાતે તો વ્યાપારી સંસ્કૃતિ ખીલવી હતી અને આ પ્રદેશમાં માત્ર જૈનો અને વૈષ્ણવ વાણિયાઓ જ નહિ, પણ બ્રાહ્મણો, રાજપૂતો, લોહાણા, ભાટિયા, સુથાર અને કણબી જેવી વૈશ્યતર જ્ઞાતિઓમાં જન્મેલા માણસો પણ જાણીતા બન્યા હતા. હકીકતમાં તો ગુજરાતે “વ્યાપારી જ્ઞાતિઓ” નહિ, પણ “વ્યાપારી વર્ગ” વિકસાવ્યો હતો. અમદાવાદ અને સુરતમાં પાંગરેલ મહાજનોમાં હિંદુ, જૈન અને મુસલમાન વેપારીઓ સામેલ થયા હતા. ૧૭મા સૈકાનો સુરતનો શરાફ અને વેપારી દયારામ નાગર બ્રાહ્મણ હતો. આ સમયે વૈશ્ય જ્ઞાતિઓ ધરાવતા વેપારીઓ ઉપરાંત કેટલાએ ભાટિયા અને બ્રાહ્મણો પરદેશ વસતા હતા. ૧૮મા સૈકાનો સુરતનો સુપ્રસિદ્ધ શરાફ અર્જુનજી નાથજી ત્રવાડી બ્રાહ્મણ હતો. તેનો સમકાલીન કચ્છનો કરોડપતિ શાહસોદાગર સુંદરજી શિવજી ખત્રી હતો. ગુજરાતમાં નવી ટેક્નોલોજીને આધારે મિલ-ઉદ્યોગની સ્થાપના કરનાર રણછોડલાલ છોટાલાલ અને બેચરદાસ લશ્કરી અનુક્રમે સાઠોદરા નાગર અને કડવા પટેલ હતા. સુપ્રસિદ્ધ મફતલાલ ગ્રુપના સ્થાપક મફતલાલ ગગલભાઈ કડવા પટેલ હતા. વડોદરાની એલેમ્બિક કંપનીના સ્થાપકો ત્રિભુવનદાસ ગજ્જર અને ભાઈલાલભાઈ અમીન
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ : ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ D ૨૨
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમે સુથાર અને પાટીદાર જ્ઞાતિના હતા. આફ્રિકામાં ઉદ્યોગો સ્થાપીને દેશપરદેશમાં ગુજરાતનું ગૌરવ વધારનાર નાનજી કાળિદાસ મહેતા લહાણા જ્ઞાતિના હતા, જમશેદજી તાતા જેવા પારસીઓ તો મહાન પ્રયોજકો તરીકે દેશ-વિદેશમાં પંકાયા હતા. ૧૭મા સૈકામાં પારસીઓ કારીગરો હતા. પણ ત્યારબાદ તેમણે જે દેઢ આત્મવિશ્વાસ અને ત્વરાથી વેપાર અને ત્યાર પછી ઉદ્યોગના ક્ષેત્રમાં ઝંપલાવ્યું તેનો જોટો જડે તેમ નથી. આવા સૈદ્ધાંતિક અને સાધનસામગ્રીયુક્ત અભ્યાસોએ યુરોપીય પ્રચારો સામે લાલબત્તીની ગરજ સારી
મેં બીજો સિદ્ધાંત એ રજૂ કર્યો હતો કે વેપારને ક્ષેત્રે ગુજરાતીઓ સાહસિક અને ઊંડી વ્યવહાર સૂઝવાળા હતાં. તેમના પારલૌકિક વિચારો અને ખાસ કરીને જૈનોની બાબતમાં) “અપરિગ્રહ” અને “અસ્તેય” ' જેવાં વ્રતો એક તરફ હતાં અને વ્યાપારી પ્રવૃત્તિઓ બીજી તરફ હતી, જોકે તેની વચ્ચે હંમેશા વિસંવાદિતા જ હતી તેમ નહિ, ઊલટાનું, તાજેતરમાં જુરગેન લુટ નામના જર્મન ઇતિહાસકારે વલ્લભ સંપ્રદાયની બાબતમાં બતાવ્યું છે, તે મુજબ એ સંપ્રદાયના “મનુષ્યયત્ન, ઈશ્વરકૃપા” જેવા વ્યવહારુ સિદ્ધાંતો અને આદેશોની અસર નીચે તેના ઘણા રાજપૂત અનુયાયીઓ વેપાર તરફ વળ્યા હતા. “કર્મ અને પુરુષાર્થ થકી જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ તો ખુદ ઈશ્વર પણ પ્રસન્ન થાય છે.” - આ પ્રકારની ધાર્મિક ફિલસૂફીને પુષ્ટિમાર્ગી અનુયાયીઓએ ધનપ્રાપ્તિ માટેનું વ્યવહારુ સ્વરૂપ આપ્યું હતું. યુરોપમાં કેલ્વિનવાદીઓ અને પોટેસ્ટંટવાદીઓની જેમ “કર્મ દ્વારા સફળતાની ફિલસૂફીએ વલ્લભસંપ્રદાયના અનુયાયીઓને પણ વ્યાપારી સફળતા પ્રાપ્ત કરવામાં સહાય કરી હતી, તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સિદ્ધાંતોએ લોકોને “શ્રમ અને સાદાઈ દ્વારા સિદ્ધિ”નો મહિમા સમજાવ્યો હતો. આ બાબતમાં “શિક્ષાપત્રીમાં આપવામાં આવેલા શ્લોક નંબર ૧૪૦૧૪૫ અને ૨પર ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે સહજાનંદ સ્વામીએ જેટલું મહત્ત્વ શ્રમ અને સાદાઈને આપ્યું હતું તેટલું જ મહત્ત્વ પૈસાની બચતને તેમજ ખેતી અને પશુપાલન તથા વ્યાપારની પ્રવૃત્તિઓને આપ્યું હતું. શ્લોક ૧૪૩માં આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ સાક્ષીએ લખાણ કર્યા વગર પોતાના મિત્ર કે પુત્ર સાથે પણ નાણાંનો વ્યવહાર ન કરવો. આ વસ્તુસ્થિતિ બતાવે છે કે ગુજરાતી વેપારીઓ ધનને પુરુષાર્થ અને મહત્ત્વાકાંક્ષાના ફળસ્વરૂપ ગણતા. તેઓ શાસ્ત્રના અમૂર્ત સિદ્ધાંતોને નહિ, પણ તેનાં વ્યવહારોપયોગી તત્ત્વોને અનુસરતા. તેઓ ધનને સામાજિક પ્રતિષ્ઠાના સાધનરૂપ ગણતા અને તે હાંસલ કરવામાં તેમનો મોક્ષ જોતા હતા. આવા વ્યવહારકુશળ વેપારીઓને “Other-worldly” કેવી રીતે કહી શકાય ? શાસ્ત્રો કે પંડિતો ભલે દરિયો ઓળંગવાની મનાઈ કરે, પણ તેઓ તો એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને પુષ્કળ ધન કમાતા. આવા સંજોગોમાં ગુજરાતી ભાષા દેશભરમાં વેપાર-વાણિજયની ભાષા તરીકે પ્રસ્થાપિત થાય તેમાં શી નવાઈ ? ફાંકો પેરાર્ડ (૧૫૮૦-૧૬૨૧) નામના ફેંચ મુસાફરે આ બાબતમાં સમર્થન આપતાં લખ્યું છે કે :
"The language of all those countries as also of all others belonging to the Great Mughal, and those neighbouring thereto, is the Gujarati language, which is most widespread than any other Indian tongue” (મહાન મુઘલોના હિન્દુસ્તાન ઉપરાંત હિંદની પડોશના દેશોમાં જો સૌથી વધારે પ્રમાણમાં કોઈ પણ ભાષા ચલણી બની હોય તો તે ગુજરાતી ભાષા છે.)
ગુજરાતી પ્રજા તરીકે આજે પણ આપણને ગૌરવ અપાવે તેવી આ બાબત છે, પરંતુ આ ક્ષેત્રમાં હજુ વધારે ઊંડા ઊતરવાની જરૂર છે. સર્વગ્રાહી દૃષ્ટિકોણ રાખીને જો પૂર્વધારણાઓ (Assumptions and Hypothesis) ને વધારે સ્પષ્ટ અને ધારદાર બનાવવામાં આવે તો સંશોધનનું આ ક્ષેત્ર ઘણું આશાસ્પદ છે.
આર્થિક અને પ્રયોજકીય ઇતિહાસની સાથે સાથે હવે નગરીય ઇતિહાસ, કુટુંબ અને જ્ઞાતિનો ઇતિહાસ,
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૨૩
.
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક સંપ્રદાયોનો ઇતિહાસ, રાષ્ટ્રિય આંદોલનોનો ઇતિહાસ, ભક્તિ અને સૂફી આંદોલનો તેમજ સમાજસુધારાનો ઇતિહાસ નવા દૃષ્ટિકોણોથી લખાવા શરૂ થયા છે. વળી સ્ત્રીઓના ઇતિહાસનું ખેડાણ શરૂ થઈ ગયું છે. આજના નારીવાદી આંદોલનના એક અભિન્ન ભાગ તરીકે સ્રીઓનો ઇતિહાસ એકાદ દાયકાથી લખાવો શરૂ થયો છે. ઘણી શિક્ષિત સ્ત્રીઓ સાચું જ કહે છે કે અત્યાર સુધી જે ઇતિહાસ લખાયો છે તે મુખ્યત્વે કરીને પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા પરત્વેના પૂર્વગ્રહથી પ્રેરાઈને જાણે-અજાણ્યે લખાયો છે. ઐતિહાસિક સ્રી-પાત્રો તરીકે હજુ પણ “સતી” સીતા, “સતી” અનસૂયા, રાધા, રઝિયાબેગમ, ચાંદબીબી અને મીરાંબાઈને આગળ ધરવામાં આવે છે, પરંતુ જો નવી રીતે ઇતિહાસને જોવામાં આવે તો પ્રાચીન અને મધ્યકાલીન ભારતની સામાન્ય વર્ગની સ્ત્રીઓ પણ પ્રકાશમાં આવી શકે તેમ છે. ઉદાહરણ તરીકે લુહાર જ્ઞાતિની લોયણ, કણબી, જ્ઞાતિની રતનભાઈ અને આહિર જ્ઞાતિની અમરબાઈ. ૧૮મા સૈકામાં જન્મેલી અમરબાઈએ તો રક્તપિત્તિયાની સેવાનો ધર્મ સ્વીકારેલો. ગુજરાતનાં આવાં નારીરત્નો પરત્વે સંશોધનો કરવાનો સમય હવે પાકી ગયો છે. સર્જનાત્મક સાહિત્યિક કૃતિમાં આલેખાયેલી સ્ત્રીઓનો ઇતિહાસ-મૂલક અભ્યાસ આ દિશામાં એક મહત્ત્વની કડીરૂપ છે. આપણે જો આધુનિક સમયની વાત કરીએ તો સમાજસુધારાના આંદોલનમાં, રાષ્ટ્રિય આઝાદીની લડતમાં તેમજ શિક્ષણ અને કેળવણીના ક્ષેત્રમાં સ્ત્રીઓનો ફાળો નાનોસૂનો ન હતો.
પરંતુ સ્ત્રીઓનો ઇતિહાસ લખવો એ વાત સહેલી નથી. સ્ત્રીઓએ ભજવેલી ભૂમિકાનું વિશાળ સામાજિક સંદર્ભમાં તર્કયુક્ત આલેખન ત્યારે જ થઈ શકે કે જ્યારે હકીકતો, ઘટનાઓ અને તેના તથ્યાર્થોને જોવા-તપાસવાનો આપણો અભિગમ બદલાય. હું માનું છું કે આ બાબતમાં નવી નવી સાધનસામગ્રી ખોળી નાખવા કરતાં પણ વધારે મહત્ત્વની બાબત નવી રીતે પ્રશ્નો પૂછવાની છે. જો તેમ નહીં થાય તો, સ્ત્રીઓનો ઇતિહાસ ઉચ્ચ જ્ઞાતિઓમાંથી આવતી અતિ-શ્રીમંત સ્ત્રીઓ તથા ઉચ્ચ જ્ઞાતિઓની મધ્યમવર્ગની સ્ત્રીઓનાં જીવનચરિત્રોથી આગળ નહિ વધી શકે. અલબત્ત, અત્યાર સુધી સ્ત્રીઓનાં જીવનચરિત્રોની સંખ્યા અલ્પ છે, તેમની આત્મકથાઓ તો નહિવત્ છે, તેથી જો જીવનચરિત્રો રૂપી ઐતિહાસિક સાહિત્ય વધે તોપણ તે આવકારદાયક છે. આમ છતાં પણ બુદ્ધિશાળી અને સંવેદનશીલ ઇતિહાસકાર સ્ત્રીઓની તેમજ સ્રીઓનાં મંડળો અને સંસ્થાઓની પ્રવૃત્તિઓને તેના આર્થિક-સામાજિક વર્ગોના સંદર્ભમાં સમજાવી શકે અને તેને સમાજનાં અન્ય અંગો સાથે સહેતુક રીતે સાંકળી શકે તેવી શક્યતાઓ પણ છે. સદ્ભાગ્યે ભારતની કેટલીક યુનિવર્સિટીઓએ તેમના શૈક્ષણિક અભ્યાસક્રમોમાં સ્ત્રી અંગેના અભ્યાસો (Women Studies) દાખલ કરીને તેમજ સેમિનારો યોજીને આ દિશામાં મહત્ત્વની કામગીરી શરૂ કરી છે. સંશોધકોને આત્મસંતોષ થાય તેવું આ ક્ષેત્ર તેમની રાહ જોઈને બેસી રહ્યું છે.
છેલ્લાં દસ-પંદર વર્ષથી ભારતીય ઇતિહાસકારોએ સંશોધનની એક નવી અને મહત્ત્વની દિશામાં પ્રવેશ કર્યો છે. તે છે કચડાયેલા વર્ગોનો ઇતિહાસ. અત્યાર સુધી જે ઇતિહાસ લખાયો છે તે મોટે ભાગે મધ્યમવર્ગીય અને ઉપલી જ્ઞાતિઓના દૃષ્ટિકોણોથી લખાણો છે, પરંતુ હવે આપણા શ્રેણીક્રમિક સામાજિક પિરામિડની છેક તળિયે સબડતા લોકોનો ઇતિહાસ લખાવો શરૂ થયો છે. ‘Subaltern History', ‘History from Below' અને ‘History of the Historyless' જેવા વેધક શબ્દોથી પ્રચલિત બનેલા ગરીબોના અભ્યાસો મુખ્યત્વે દલિતો, આદિવાસીઓ, ખેતદાસો તથા ઔદ્યોગિક કામદારોના જીવન અને તેમના સંઘર્ષોને સ્પર્શે છે.
આ પ્રકારનો ‘Subaltern History' લખવા માટે ઇતિહાસકારે ગ્રંથાલયો અને અભિલેખાગારોમાં સચવાયેલી સાધનસામગ્રીનો ઉપયોગ તો કરવો જ પડે, પણ બ્રિટિશ રેકોર્ડઝમાં તો ભીલ કોળી બારૈયા, અને પાટણવાડિયા જેવા આદિવાસી અને જ્ઞાતિવ્યવસ્થાના ઢાંચામાં ‘હલકા’ ગણાયેલા અન્ય માનવસમૂહોને ‘ચોર',
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ : ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ ૩ ૨૪
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘લૂંટારા’, ‘બહારવટીયા’ અને ‘ગુનેગારોનાં ટોળાં' તરીકે વર્ણવવામાં આવ્યાં છે. તેથી માત્ર આવા એકતરફી અહેવાલોને આધારે જ ગરીબોની ઊર્મિઓ, સ્પંદનો અને અનુભૂતિઓનો અણસાર પણ કેવી રીતે આવી શકે ? આવાં કારણોસર લોકગીતો, ભવાઈ, ઉખાણાં અને કહેવતો, ગામડાના મેળા અને બજારો તેમજ ‘હલકા’ ગણાયેલા ગરીબો અને પિડિતોમાં બોલાતી ભાષા અને તેમની જીવનશૈલી જેવી મૌખિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો તલસ્પર્શી અભ્યાસ તો ખૂબ મહત્ત્વનો બની રહે છે. આ અંગેનું ઐતિહાસિક સાહિત્ય તો ઉપલબ્ધ છે જ, પણ તેનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થયો નથી. વળી, આ બધું વર્ગ, વર્ણ, જ્ઞાતિ, સત્તા અને સંપત્તિના સંદર્ભમાં સમજવું પડે. સાહિત્ય તેમજ સામાજિકશાસ્ત્રોમાંથી પ્રાપ્ત થતી સૂઝોનો ઉપયોગ કર્યા વગર ઇતિહાસકાર માત્ર તેના ‘ડેટા’ને આધારે જ આગળ વધી શકે નહીં.
શું કરવા જેવું છે તે અંગે કેટલાંક ઉદાહરણો અત્રે આપીશું. આપણે સૌ એટલું તો જાણીયે છીએ કે વડોદરા રાજયના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક પ્રગતિશીલ શાસક હતા, અને તેમણે દલિતો, આદિવાસીઓ અને સ્રીઓની સ્થિતિ સુધારવા માટે અનેક સ્તુત્ય પ્રયાસો કર્યા હતા. તે મુજબ તેમણે પ્રેમાનંદ ધોળીદાસ પટેલ નામના વડોદરાના શિક્ષણ અધિકારીને આદિવાસીઓનો સર્વાંગી અભ્યાસ કરવાનો હુકમ કર્યો. તેઓ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ વચ્ચે દોઢ વર્ષ રહ્યા અને તેમણે આદિવાસીઓનાં લોકગીતો, વાર્તાઓ, રમતગમતો, કહેવતો, ઉખાણાં વગેરેને અક્ષરશઃ કાગળમાં ઉતારી લીધાં. ચોધરી, દૂબળા, વસાવા અને ગામીતોની જીવનશૈલી, તેમની પ્રકૃતિ અને સમાજ પરત્વેની ચેતના, તેમનાં નૃત્યો તેમજ પીઠાવાળા પારસીઓ, પાટીદાર અને અનાવિલ જેવા જમીનદારો તથા વાણિયા જેવા શરાફો સાથેના સંબંધોને પણ તેમણે નોંધી લીધા. તેના પરિણામ સ્વરૂપ વડોદરા રાજ્યે ૧૯૦૧ માં ‘નવસારી પ્રાંતની કાળીપરજ' નામનો ખાસ્સો મોટો ગ્રંથ પ્રકાશિત કર્યો. ત્યારબાદ નાથજી મહેશ્વર પાઠક નામના શિક્ષકે ગુજરાત અને રાજસ્થાનની સરહદમાં આવેલા ડુંગરપુર અને વાંસવાડાના ભીલોનાં લોકગીતોનો સંગ્રહ કરીને ૧૯૧૫ માં એક ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ સંપાદકે ભીલોને વિશ્વાસમાં લઈને તેમની પાસે લોકગીતો ગવડાવ્યાં હતાં અને તેમની જ ભાષામાં અક્ષરશઃ કાગળમાં કંડારી લીધાં હતાં. લગભગ આ જ અરસામાં રણજિતરામ વાવાભાઈ મહેતાએ ગુજરાતી લોકગીતોનો સંગ્રહ કર્યો હતો. ત્યાર બાદ તો વ્યક્તિગત રીતે અને ગુજરાત વિદ્યાસભા, ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ અને ગુજરાત રિસર્ચ સોસાયટી જેવી સંસ્થાઓ દ્વારા આ ક્ષેત્રમાં ઘણું સારું કામ થયું છે. ‘સરકારી ચાર્યા ભોરાં, હાદ દે મા જુવાન્યા’, ‘મારી જાન તાડીની તરસી છે', ‘બાણો ગાંડીને બાઉડા દુખ્યાં છાતીએ આવ્યા, ચુનીલાલ મોજણીવાળા', અને ‘ગુનો પૂછીને પછી મારજે સીપઇડા’ જેવાં ગાંધીયુગ પહેલાંનાં લોકગીતો તથા ‘ડૂબિયાં, ડૂબિયાં, ડૂબિયાં આપણે' તથા ‘આપણી ત્રણ જણાની જોડી, એને કોઈ શકે ન તોડી, શાહૂકાર, જમાદાર, દારૂ ગાળનાર' જેવાં ગાંધીયુગનાં લોકગીતો મુખ્યત્વે આદિવાસીઓ અને દલિતો જેવા કચડાયેલા વર્ગોની પોતાની ઊર્મિઓ અને સંવેદનાઓને વાચા આપે છે. શબ્દ, ભાષા, શૈલી અને લાલિત્યની બાબતમાં આ લોકગીતો અને કાવ્યો ઉમાશંકર અને સુંદરમ્ જેવા આપણા પ્રતિષ્ઠિત અને સંવેદનશીલ કવિઓનાં ગરીબોને લગતાં કાવ્યો કરતાં તદ્દન ભિન્ન રીતે તરી આવે છે. સર્વહારાઓની જીવનશૈલી અને તેમની ઊર્મિઓને વ્યક્ત કરતાં લોકગીતોની સંખ્યા ઘણી મોટી છે. તેથી અત્રે ઉદાહરણ તરીકે ઐતિહાસિક મહત્ત્વનું એક લોકગીત રજૂ કરીશું. ‘છપ્પનિયા’ (ઈ.સ. ૧૮૯૯૧૯૦૧) તરીકે ઓળખાતા દુકાળ વખતે અને ત્યારબાદ પણ આ લોકગીત ડુંગરપુર અને વાંસવાડાના આદિવાસીઓ ગાતા હતા. અને જ્યારે અમે એપ્રિલ, ૨૦૦૪ માં તેમની મુલાકાત લીધી ત્યારે પણ ભીલ સ્ત્રીપુરુષોએ આ ગીત રાગડા તાણીને ગાઈ સંભળાવ્યું હતું. તેમની ‘ઓરલ ટ્રેડીશન’ અને ‘ક્લેક્ટીવ પોપ્યુલર મેમરી' કેવી સતેજ છે તેનો ખ્યાલ આ પરથી આવી શકશે. ખરેખર બનેલો પ્રસંગ એ છે કે દુકાળ દરમિયાન
પથિક : જાન્યુઆરી - જૂન, ૨૦૦૫ ૩૨૫
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગળિયા ઉપરાંત સેંકડો ભીલ સ્ત્રી-પુરુષો અને બાળકો ભૂખે મરતા હતા. તેથી ડુંગરપુરના મંગળીઆની સરદારી નીચે ભીલોએ લૂંટફાટ કરીને શાહુકારો અને અંગ્રેજ અમલદારોનાં ખૂન કર્યા. પણ છેવટે “મંગળિયો કટારો' પકડાઈ ગયો કેપ્ટન એચ.બી. પિકોક નામના પોલિટિકલ એજન્ટે તેને જેલમાં પૂર્યો. તેની સામે કોર્ટમાં કેસ ચાલ્યો. મને આ બધી હકીકતો બ્રિટિશ રેકોર્ડઝમાંથી પ્રાપ્ત થઈ હતી. બ્રિટિશ અહેવાલો મુજબ ગુનેગારોની ટોળીના સરદાર મંગળિયાને ફાંસીએ લટકાવીને આપણે શાંતિ સ્થાપી છે.' પણ લોકગીત મુજબ ન્યાયાધીશે મંગળિયાને પૂછ્યું : “આ ગુનેગારી તે કરી છે ? તે તને કબૂલ છે ?' ભીલે સ્વમાન, તિરસ્કાર અને બેફિકરાઈથી ઉત્તર વાળ્યો : “બીજા કોઈએ નહીં, મેં સાંટે જ આ ગુનો કર્યો છે. મંગળિયાને ફાંસીનો હુકમ થયો. લોકગીતને અંતે હૃદયદ્રાવક શબ્દોમાં જણાવવામાં આવ્યું છે, “મંગળિયાના સગાસંબંધીઓને તેડી મંગાવો, તેને ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યો છે. ગાંધીયુગ પહેલાંનું આ ઐતિહાસિક લોકગીત નીચે મુજબ છે :
“મંગળીયાને ફરંગી બોલાવે.. મંગળીયું તો દોડતું ઘામતું આવે, મંગળીયું તો જોડે હાથે (સાંકળ બાંધેલો હાથ) ઊભું, લઈવાળા મેડા કોણે બાળ્યા ? ઝલઈવાળા મેળા આ હાંડે બાળ્યા શાહૂકારના ચોપડા કીણે ચોર્યા ? શાહૂકારના ચોપડા બૈરાંસોરાએ ચોર્યા કલાલના પોંગ કોણે વાઢ્યા? કલાલના પોંગ મી હાંડે વાલ્યા કલાલેણના કડલા કીણે હાડ્યાં ? કલાલેણના કડલા મી હાંડે હાડ્યા મંગળીઆને ફાંસીનો એકમે મંગળીઆના બૈરાંસોરાં તેડો મંગળીઆના કાકા બાપા તેડો
મંગળીયાને ફાંસીએ સડાવ્યો છે.” ઉપર્યુક્ત દષ્ટાંત ઉપરથી સમજાશે કે નિરક્ષર અને કચડાયેલા લોકોનો ઇતિહાસ લખવા માટે સરકારી સ્રોતોને લોકપરંપરા સાથે સરખાવવાની જરૂર છે. દલિતો અને આદિવાસીઓના પોતાના અનુભવોને વાચા આપવા તેમની મૌખિક પરંપરાઓ અત્યંત મહત્ત્વની છે. તે જ રીતે બાબર દેવા જેવા ખેડા જિલ્લાના અને સૌરાષ્ટ્રના બહારવટિયા ઉપર પણ ઘણું લખી શકાય તેમ છે. ઝવેરચંદ મેઘાણીના કામને આગળ ધપાવવાનો સમય ક્યારનોએ પાકી ગયો છે. પાટણવાડીઆ જ્ઞાતિનો બાબર દેવા અસલમાં તો ખેડૂત હતો. ભૂમિહીન બન્યા પછી તે બહારવટે ચડ્યો અને ૧૯૨૪ માં તેને ફાંસી આપવામાં આવી. બ્રિટિશ અહેવાલોમાં તો પાટણવાડિયા, ધારાળા, વાઘરી અને બારેયાઓને “ગુન્હેગારોનાં ટોળાં' તરીકે જ ચીતરવામાં આવ્યાં છે. તેથી તેમની અસલ સ્થિતિ, શાહુ રો અને જમીનદારો સાથેના તેમના સંબંધો, કૃષિ વ્યવસ્થા વગેરેની જાણકારી વગર બહારવટીઆ તરીકેની તેમની પ્રવૃત્તિઓ વિષે લખી ન શકાય. વળી સ્વાતંત્ર્યોત્તર ગુજરાતમાં તેમનામાં આવેલા પરિવર્તનનો તાગ મેળવવો તો ખૂબ જ જરૂરી છે. નીચલા વર્ણ અને વર્ગના પરિવર્તનની પ્રક્રિયામાં ધર્મગુરુઓ, કથાકારો, શરાફો અને જમીનદારો સ્વૈચ્છિક સંસ્થાઓ અને સત્તાધારી રાજકારણીઓ શો ભાગ
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ: ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ D ૨૬
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજવે છે ? તેમની વચ્ચે કેવા સંબંધો પ્રવર્તે છે? તેઓ સત્તાના કેવા પ્રકારનાં તંત્રો અને સ્વરૂપો વિક્સાવે છે ? અને બૌદ્ધિકો તેમજ સામાજિક કાર્યકરો આ સમગ્ર પ્રક્રિયામાં પોતાની ભૂમિકાને કઈ રીતે જુએ છે? - આ પ્રકારની સુગ્રથીત બાબતો ભૂતકાળ અને વર્તમાનકાળને સાંકળનારી છે.
આ દષ્ટિએ છેક પ00-600 વર્ષ પહેલાં ગુજરાતમાં પાંગરેલી સૂફી અને સંત પરંપરા મહત્ત્વની છે. તે આપણા તેજસ્વી ઐતિહાસિક વારસા સમાન છે. સૂફી અને સંતોએ ઊંચનીચના ભેદભાવો સામે તેમનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે હિંદુ અને મુસલમાન કોમો વચ્ચે એખલાસની ભાવના પણ પ્રગટાવી હતી. લોકો સુધી પોતાની વાતને પહોંચાડવા માટે તેમણે સંસ્કૃત ભાષાને બદલે સાદી અને સરળ ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો હતો. પાછળથી ગાંધીજીએ પંડિતયુગની ભાષા બદલીને જેવી રીતે સીધી, સાદી અને સરળ ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો તેવું આ હતું. આ તો છેક મધ્યયુગની ઘટનાઓ છે. તેથી પશ્ચિમના પ્રભાવ હેઠળ ઘડાયેલા નર્મદ, દુર્ગારામ, કરસનદાસ મૂળજી અને દલપતરામ જેવા સમાજ સુધારકો તે સમયે ક્યાંથી હોય ? દલપતરામ પણ “ફારબસ સાહેબના પરિચયમાં આવતાં પહેલાં રાજદરબારો અને સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા કરવામાં જ વ્યસ્ત હતા. આ દૃષ્ટિએ જે વિચારીએ તો મધ્યયુગનો સાંસ્કૃતિક વારસો મહત્ત્વનો ગણાય. અંધશ્રદ્ધા, વહેમ અને ધર્મગુરુઓના પાખંડો સામેના અખાના છપ્પાઓ (‘ચાબખા') તો જાણીતા છે. પણ ઘણાને એ જાણીને નવાઈ લાગે કે છેક શાહજહાંના સમયમાં ૧૬૪૨ માં ભરૂચના સંત કવિ દામોદર સ્વામીએ ધર્મગુરુઓના દુરાચરણોને સમાજમાં ઉઘાડા પાડવા પાખંડ ધર્મ ખંડન નાટક રચ્યું હતું. તે જમાનામાં છાપખાનું અને રેલવે ન હોવા છતાં આ નાટક લોકપ્રિય બન્યુ હતું. હકીકતમાં તો કરસનદાસ મૂળજી અને પુષ્ટિમાર્ગના ધર્મગુરુઓ વચ્ચેનો ગજગ્રાહ જયારે “મહારાજ લાયબલ કેસ' (૧૮૬૦-૬૨)માં પરિણમ્યો ત્યારે ધર્મગુરુઓ સામે અખબારો અને સામયિકો દ્વારા પોતે કરેલા તેજાબી પ્રહારોને ઐતિહાસિક સમર્થન આપવા કરસનદાસ અને નર્મદે મુંબઈની અદાલતમાં “પાખંડધર્મ ખંડન નાટકની હસ્તપ્રત રજૂ કરી હતી. આ રીતે જે ‘જૂનું' (૧૬૪૨) હતું તે ૧૮૬૦ ના દાયકામાં નવા સ્વરૂપમાં અને સ્ફોટક રીતે જાહેરમાં આવ્યું. એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે અંગ્રેજોએ વૈચારિક અને ભૌતિક (રેલવે, છાપખાનું, તાર અને ટપાલ) દૃષ્ટિએ, ક્રાંતિકારી ફેરફારો કર્યા. બ્રિટિશ અદાલતો અને કાનૂની પ્રથા ‘ગોબ્રાહ્મણપ્રતિપાળના આદર્શોને વરેલી ન હતી. તેથી ધર્મગુરુઓ જેવા મુકદ્મામાં હાર્યા કે તરત તેમને સજા થઈ હતી. આમ બ્રિટિશ શાસનના ક્રાંતિકારી ગણાય તેવા પ્રગતિશીલ પાસાંઓ તો સ્વીકારવાં જ પડે. ભારતનું તો બધું જ ભવ્ય અને મહાન' જેવા દેશને પાછળ ધકેલી દેતા લાગણીવેડા અને તેની પાછળ રહેલું રાજકારણ આજે ચાલી શકે તેમ જ નથી. તેથી મુખ્ય સવાલ મધ્યકાલ અને સાંસ્થાનિક યુગના તેમજ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતના પ્રવાહોને વધારે પ્રગલભ રીતે સાંકળવાનો છે.
સૂફી અને સંત પરંપરા તો છેક નર્મદ અને ગાંધીયુગ દરમિયાન પણ એક યા બીજા સ્વરૂપમાં ચાલુ રહી હતી. અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશ દરમિયાન ગાંધીજીને પ્રેરણા આપનાર સલ્તનત યુગના નરસિંહ મહેતાના ‘ગિરિ તળેટી ને કુંડ દામોદર” અને “વૈષ્ણવ જન' જેવાં ભજનો પણ હતાં. ગાંધીજીએ “વૈષ્ણવજન' જે રીતે સમગ્ર દેશમાં લોકપ્રિય બનાવ્યું તે કાંઈ અકસ્માતરૂપ ન હતું. આ રીતે ગુજરાતમાં પરંપરાઓનું આધુનિકીકરણ (Modernization of Traditions) થતું આવ્યું છે. આજે એકવીસમી સદીમાં પણ ભૂતકાળ આપણા પડછાયાની જેમ આપણી સાથે જીવે છે.
આવા સંજોગોમાં ગુજરાત તથા સમગ્ર દેશને એક ઝાટકે કેવી રીતે બદલી શકાય? આમ છતાં લાંબા ગાળાના ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો બધું ધીમે ધીમે બદલાતું ગયું છે.કેટલુંક ઝડપથી પણ બદલાયું છે અને ૧૯૯૦ પછીથી તો અત્યંત ઝડપથી અને અભૂતપૂર્વ રીતે બદલાયું છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારત
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૨૭
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ખાસ કરીને વ્યાપાર પ્રધાન ગુજરાતમાં લોકશાહીના મૂળિયાં સારા પ્રમાણમાં પ્રસર્યા હોવાથી અહીં હિંસક ક્રાંતિ દ્વારા બધું એકી તડાકે રાતોરાત મૂલગત રીતે બદલી નાંખવાની પ્રણાલિ જ પડી નથી. ભારત અને પાકિસ્તાન એક સાથે જ સ્વતંત્ર થયા હતા. આમ છતાં સ્વતંત્ર ભારતમાં કદી લશ્કરી સરમુખત્યારશાહી સર્જાઈ નથી. ચીનની જેમ સામ્યવાદી ક્રાંતિ પણ નથી સર્જાઈ. તેની ભીંતરમાં પણ આપણી હજારો વર્ષોની લાંબી અને પ્રગલ્મ પરંપરાઓ છૂપાઈ છે. તેમાંથી બદલાવો પણ સર્જાતા રહ્યા છે, પણ તે શાંતિને માર્ગે. આ વિધાનના સમર્થનમાં એ.ઈ. ડબલ્યુ. નોર્મન બ્રાઉનના યાદગાર શબ્દો ટાંકીશું.
'Perhaps the enduring element, which has animated Indian civilization for so long, is tolerance, a tolerance of the new, the unusual and the different, a capacity to reshape itself in changing conditions, a quickness of comprehension and a willingness to seek for new solutions to new problems. Certainly her history from period to period has revealed this kind of flexibility. She can kecp the old, if it is useful, because she can also give up the old, when it is no longer useful. She does not have to experience a violent conversion, get rid of all her past at once, and suddenly become something different. She can instead progress by successive steps, even by steps taken in quick succession, as at present. She can always be adapting herself, without experiencing feeling of guilt in doing so. Or so, at least, I surmise.'
પ્રોફેસર નોર્મન બ્રાઉન વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર અને સંસ્કૃત ભાષાના તજ્જ્ઞ હતા. તેઓ ભારતના ભાવિ માટે માત્ર અટકળ (Surmise) જ કરે છે, પણ તે ઈતિહાસના અભ્યાસને આધારે છે. આમ જરા ઉદાર અને વિશાળ દષ્ટિથી જોઈએ તો ઇતિહાસ ભવિષ્ય ઘડી રહેલી આજની પ્રજા માટે ઉપયોગી વિષય છે. તે ચેતવણીઓ અને બોધપાઠોની સાથે સાથે પ્રેરણા પૂરી પાડે તેવો વિષય છે. એ રીતે ભૂતકાળનો અભ્યાસ વર્તમાનકાળ અને ભવિષ્યકાળને જોડતી કડીરૂપ છે.
સંદર્ભો ૧. પ્રેમાનંદ ધોળીદાસ પટેલ, નવસારી પ્રાંતની કાળીપરજ', (વડોદરા, ૧૯૦૧) ૨. નાથજી મહેશ્વર પાઠક, “ભીલોનાં ગીત', (અમદાવાદ, ૧૯૧૫) ૩, રણજીતરામ વાવાભાઈ પટેલ (સંપા.), લોકગીતો', (સુરત, ૧૯૨૨). ૪. મકરન્દ મહેતા, “પ્રયોજકીય ઈતિહાસ : કાર્યક્ષેત્ર અને સંશોધન પદ્ધતિ', “વિદ્યાપીઠ”, શિશિર-વસંત,
૨૦૩૬ ૫. મકરન્દ મહેતા, ‘હિંદુ વર્ણવ્યવસ્થા સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો', (અમદાવાદ, ૧૯૯૫) ૬. વિદ્યુત જોષી, સાહિત્ય અને સમાજ” (અમદાવાદ, ૨૦૦૪) ૭. મોહન પરમાર અને હરીશ મંગલમ્, ગુજરાત દલિત સાહિત્ય : સ્વાધ્યાય અને સમીક્ષા' (અમદાવાદ,
ર૦૦૧) C. Jurgen Lutt, 'Max Waber and Vallabhacharis' International Sociology, Vol. 2,
no. 3, September, 1987 6. Jan Vansina, Oral Tradition as History (Oxford, 1985)
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ : ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ ઘ ૨૮
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તન્નગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું) સ્વરૂપ, રહસ્ય અને મહિમા
ડૉ. રવીન્દ્ર વિ. ખાંડવાળા
ઓમકાર કે પ્રણવ એ કોઈ વર્ણસમૂહનું નામ નથી પણ એ પરબ્રહ્મવાચક કે પરબ્રહ્મનો પર્યાય છે. ઓમકાર નાદાનુસંધાન દ્વારા દિવ્ય અનુભૂતિ કરાવી શકે છે. આકાર અનુત્તર એટલે કે પરમેશ્વર કે કામેશ્વરનો વાચક છે. જેમ ઉપનિષદોએ ઓમ્કારને પરબ્રહ્મનો પ્રતિપાદક માન્યો છે અને પ્રણવ'ને “ધનુષ્ય' કહ્યો છે તેમ તન્નગ્રન્થોમાં પ્રણવ – ‘તાર’ એવા નામથી પણ ઓળખાય છે. તન્નગ્રન્થોએ એનાં નવાં રહસ્યો પ્રગટ કર્યા છે.
પાંચરાત્રઆગમના સારરૂપ એવા “લક્ષ્મતત્રમાં ‘તારપ્રકાશ' નામના ચોવીસમા અધ્યાયમાં તારપ્રણવ-ઓસ્કારનાં સ્વરૂપ, રહસ્ય અને તેના મહિમા વિશે વિચાર કરવામાં આવ્યો છે. લક્ષ્મીતન્ત્ર મુજબ પ્રથમ તારસ્વરૂપે દેવી પ્રગટ થાય છે." “પ્રપંચસારતત્રમાં તારની ઉત્પત્તિ વિશે જણાવાયું છે કે - “તાર: પ્રકૃતિવિતિપ્રસ્થિતઃ' | ટીકાકાર રાધવ આ લક્ષણ સમજાવતાં કહે છે કે - “પ્રવૃતિઃ નિશતા પર વાછૂપની परप्रणवात्मिका कुण्डलिनी शक्तिः । तस्या विकृतिविकारः पश्यन्त्यादिरूपः तद्रूपेण प्रोत्थितः अभिव्यक्तः ।'
ટીકાકાર રાધવ ઓમકારનો અર્થ કરતાં કહે છે - ‘પ્રાવસ્થાથે સાનુભવનાથનમ્ " અર્થાત ઓમકાર અનુભવગમ્ય છે. લક્ષ્મતત્રમાં તારપત્રનો ઉદ્ધાર આ પ્રમાણે સૂચવાયો છે -
प्रथमं ध्रुवमादाय ततः कर्ण समुद्धरेत् ।
नाभिं समुद्धरेत्पश्चात् प्रथमेकत्र योजयेत् ।।" અહીં પ્રયોજાયેલ ધ્રુવ' પદ ‘અકારનો વાચક છે, “કર્ણ પદ ‘ઉ'કારનો અને ‘નાભિ પદ અનુનાસિકનો વાચક છે. આ તત્રમાં “ઓયુને 'પ્રથમ ગ્રંમતમમ્' કહ્યો છે. અહીં બિન્દુથી યુક્ત એવા ઓમકારનું નાદ સાથે તૈલધારાવત અવિચ્છિન્નરૂપે પ્રવાહિત સ્વરૂપનું ધ્યાન કરવાનું સૂચવાયું છે તથા આ ત્રણ અક્ષરોવાળો ઓસ્કાર એ વિષ્ણુનું સ્વરૂપ છે અને એ જ શાશ્વત બ્રહ્મ કહેવાય છે એમ પણ જણાવાયું છે. ‘લક્ષ્મીત–'ની વિમર્શિની ટીકા મુજંબ “ઓમ્કાર'નું ટ્યુત સ્વરમાં ઉચ્ચારણ કરવાનું હોવાથી તેને “તાર' કહેવામાં આવ્યો છે. આ તત્ર મુજબ ‘તાર-ઓમ્કારનો “અકાર અનિરુદ્ધ છે, પંચમ સ્વર ‘ઉ'કાર પ્રદ્યુમ્ન છે, “મ'કાર સંકર્ષણ છે અને બિન્દુ’ વાસુદેવ છે. આ ચારેયના અવિભાગ-યોગને “નાદ' કહેવાય છે. “ ‘તારનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં લક્ષ્મીતત્રમાં જણાવાયું છે કે –
विसृष्टिं पूर्वमादाय सूर्यमन्ते नियोजयेत् ।
संनिकर्षे परे जाते तदोमित्युदितं महः ॥ અર્થાત્ વિસર્ચયુક્ત અકાર - “અ”ની સાથે અન્ને સૂર્ય એટલે “અને સ્થાપિત કરવો. ત્યારબાદ અ અને એની સન્ધિ કરવાથી “ઓમ્ નામના તેજનો ઉદય થાય છે. * સંસ્કૃત વિભાગ, શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
તન્નગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું સ્વરૂપ, રહસ્ય અને મહિમા ૨૯
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી સુધાકર માલવીય આ સંદર્ભે ટીકામાં લખે છે કે - 'વિસૃષ્ટિ = વિń । સૂર્ય-બાર ! અ +× કૃતિ સ્થિતિ ‘ગતો રો: ત્યુત્તે મુળે પૂર્વરૂપે હૈં ઓમિતિ મતિ । :, બં, અતોરાજીવàતિ સે ૩ સ્વર, पुनः गुण तदनन्तर पूर्वरूप करने पर 'ओम्' यह रूप निष्पन्न होता है । १०
www.kobatirth.org
આ વિસર્ગ અને બિન્દુના સંયોગથી તાર સૃષ્ટિના સંહારનું લક્ષણ પણ બને છે તથા “સ્મર્ચમાાં પર તત્ત્વ પ્રાણયતિ યદ્ ધ્રુવમ્ ।'' ઓસ્કારનું નિરન્તર સ્મરણ કરવાથી નિશ્ચિત રૂપે પ્રકાશ ઉત્પન્ન થાય છે. તન્ત્રશાસ્ત્રમાં ‘ઓમ્’ની સાડા ત્રણ માત્રાઓ માનવામાં આવી છે.૨ ‘લક્ષ્મીતન્ત્ર’ મુજબ “ત્રણ અગ્નિ, ત્રણ લોક, ત્રણ વેદ, ત્રણ ગુણ, ત્રણ દેવતા, ત્રણ વ્યૂહ, ત્રણ વર્ણ, ત્રણ સ્વર - આ રીતે જગતમાં જે કંઈ ત્રિત દેખાય છે. તેને અ, ઉ, મૈં - એ ત્રણ માત્રાઓનું સ્વરૂપ સમજવું જોઈએ. બાકી રહેલ અર્ધમાત્રા અર્થાત્ બિન્દુ નિર્વિકાર માયારહિત છે.૧૩
તારનો અંગન્યાસ છ સ્વરોની સાથે કરવાનું વિધાન છે જેમકે
ॐ अं नमः । ॐ आं नमः । ॐ ई नमः । ॐ ईं नमः । ॐ उं नमः । ॐ ॐ नमः ।
-
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારનો ઉપાંગન્યાસ -
आं तर्जनिभ्यां नमः । ॐ इं मध्यमाभ्यां नमः । ॐ ईं अनामिकाभ्यां नमः ।
ॐ अं अङ्गुष्ठाभ्यां नमः । ॐ
ॐ उं कनिष्ठिकाभ्यां नमः । ॐ ॐ करतलकरपृष्ठाभ्यां नमः ।
ॐ अं हृदयाय नमः । ॐ आं शिरसे स्वाहा ।
ॐ इं शिखायै वषट् । ॐ ईं कवचाय हुम् ।
ॐ उं नेत्रत्रयाय वौषट् । ॐ ॐ अस्त्राय फट् ॥१४
૩ ૩૬ નમ: નાખૌ । ૐ માં નમ: પૃથ્રુ । ॐ इं नमः बाह्वोः । ॐ
ईं नमः उर्वोः ।
૩૪ "ૐ નમ: નાવો: । ૩ નમઃ પાડ્યો: ૧૫
ત્યારબાદ ‘અ’કારમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધરૂપી અનિરુદ્ધાત્મક સ્વરૂપનું ધ્યાન કરવું અને જાગૃતિ અવસ્થાનો લય કરવો. ‘ઉ’કારમાં તેજના દેવ પ્રદ્યુમ્નનું ધ્યાન કરી સ્વપ્રાવસ્થાનો લય કરવો. પછી ‘મ’કારમાં સંકર્ષણનું ધ્યાન કરી સુષુપ્તિ અવસ્થાનો લય કરવો. અન્ને અર્ધમાત્રામાં જ્ઞાનસ્વરૂપ વાસુદેવનું ધ્યાન કરી તુરીયાવસ્થાનો લય કરવો અને તુરીયાતીત અવસ્થામાં વાસુદેવનો લય કરીને પરમેશ્વરી વૈષ્ણવી લક્ષ્મીમાં પ્રવેશ કરવો. આ રીતે સાધક અહંતામય બને છે અને સમાધિસ્થ થઈને શાશ્વત આનંદનો ઉપભોગ કરે છે.
ik
‘હ’કારની સાથે ‘ઓ’કારના યોગથી ‘હ્રીઁ’ એ તારનો ‘પ્રાસાદમન્ત્ર’ ગણાય છે॰ અને ‘હં:’ એ ‘અન્નમન્ત્ર’ છે. ‘સોડમ્’ એ તારનો ‘પરમાત્મમન્ત્ર’ બને છે.૧૮ ‘હા’ પ૨માત્માનો વાચક છે ‘સ:’ વિસર્ગ સાથેનો ‘સ’ મહામાયાસ્વરૂપ છે અને ઓષ્કાર સાથે જોડાતાં ‘હંસોમ્’, ‘સોમ્’ અને ‘હંસ: શિવોમ્' વગેરે ગુરુપાદુકા મન્ત્રો બને છે.
ઉપનિષદોમાં ઓમૂકારના સ્વરૂપ અને મહિમાનું ગાન થયું છે પણ તન્ત્રગ્રન્થોએ ઓકારને સૌ
પથિક : જાન્યુઆરી જૂન, ૨૦૦૫ – ૩૦
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ અંગ અને ઉપાંગન્યાસ દ્વારા તેમાંથી પ્રગટતી ઊર્જાને શરીરમાં પ્રવાહિત કરીને પછી પચ્ચક્રોમાં ઓમકારને આજ્ઞાચક્ર સુધી લઈ જઈને લયયોગ દ્વારા અ, ઉ, મુ માં ત્રણ અવસ્થાઓ અને ત્રણ પ્રકારની વાણીનો લય કરીને પછી સહસ્ત્રારચક્રમાં ઓમકારની તુરીયાતીત શક્તિનો અને પરાવાણીના રૂપમાં ઓમકારનો તેજોમય સાક્ષાત્કાર બતાવ્યો છે. આમ, તારના અસમન્ન દ્વારા ઓમકારનું પ્રતિક્ષણ ફુરણ થાય છે. પ્રાસાદમી દ્વારા મૂકાર અનુભૂતિના ક્ષેત્રમાં (આજ્ઞાચક્રમાં પ્રવેશે છે અને પછી તેની સૂક્ષ્મતા નાદાનુસંધાન દ્વારા સિદ્ધ થતાં ઓમકાર પરમતત્ત્વની અનુભૂતિ કરાવી છે. અને એ રીતે ઓમકાર ‘તારકમત્ર છે. મહામુનિ પતંજલિએ પણ આ “તારકમન્ન' તરીકે ઓમકારનો આ જ કારણે સ્વીકાર કર્યો છે.
‘કુલાર્ણવ તત્ર'ના છઠ્ઠા ઉલ્લાસમાં ઓમકારની કલાઓનાં નામ વિશે પણ વિચાર કરવામાં આવ્યો છે. આ તન્નગ્રન્થ મુજબ “ઓમકારના “અકારમાંથી “કથી “ચ” વર્ગની દસ સૃષ્ટિકલા ઉત્પન્ન થઈ છે અને તે “બ્રહ્મજાતા' છે; જેમ કે
सृष्टिर्मेधा स्मृतिऋद्धिः कान्तिर्लक्ष्मीद्युतिः स्थिरा । स्थितिः सिद्धिरिति प्रोक्ता: कचवर्गकला दश ।
अकारप्रभवा ब्रह्मजाताः स्युः सृष्टये कलाः ॥" ‘ઉ' કારમાંથી ‘ટ’થી ત’ વર્ગની દસ સ્થિતિકલા ઉત્પન્ન થઈ છે કે જે વિષ્ણુજાતા’ છે; જેમકે–
जरा च पालिनी शान्तिरीश्वरी रतिकामिके । वरदालादिनीप्रीतिदीर्घाः स्युष्टतवर्गत्राः ।
उकारप्रभवा विष्णुजाताः स्युः स्थितये कलाः ॥२० કારમાંથી “પ” થી “ય' વર્ગની દસ “સંહારકલાઓ ઉત્પન્ન થઈ છે, જેને “રુદ્રજાતા' કહેવાય છે;
જેમકે –
तीक्ष्ण रौद्री भया निद्रा तन्द्रा क्षुत्क्रोधिनी क्रिया । उत्कारी मृत्युरित्युक्ता पयवर्गकला दश । मकारप्रभवा रुद्रजाताः संहृतये कलाः ॥२॥
છે તેમાંથી “ષ' વર્ગની ચાર “તિરોધનકલા’ ઉત્પન્ન થાય છે જેને “ઈશ્વરજાતા કહેવાય છે, જેમકે –
षवर्गगाश्चतस्रः स्युः पीता श्वेतारुणासिताः ।२२ ઓમકારના નાદમાંથી સ્વરોની સોળ અનુગ્રહકલા ઉત્પન્ન થઈ છે, જેને “સદાશિવજાતા' કહેવાય
છે. ૨૩
निवृत्तिश्च प्रतिष्ठा च विद्या शान्तिस्तथैव च । इन्धिका दीपिका चापि रेचिका मोचिका परा ॥ सूक्ष्मासूक्ष्मामृता ज्ञानाऽमृता चाप्यायिनी तथा ।। व्यापिनी व्योमरूपा च षोडश स्वरजा: कलाः ।। सदाशिवभवा नादादनुग्रहकला: क्रमात् ।
कलाश्चेश्वर सञ्जाता स्तिरोधानाय बिन्दुजाः ॥२॥ તન્નગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું સ્વરૂપ, રહસ્ય અને મહિમા ૩૧
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अ
પૂર્ણોદરી
કીર્તિ
બે
ત્ર
વસુદાઉ
લક્ષ્મીતન્ત્રમાં કારમાંથી થતી શબ્દાર્થપ્રપંચોત્પત્તિ દર્શાવાઈ છે, તદનુસાર બધા જ શબ્દો “અકારમાંથી ઉત્પન્ન થયેલા છે, “ઉ'કારમાંથી સૂર્ય, સોમ અને અગ્નિસ્વરૂપ – એ ત્રણ તેજ ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, પૃથ્વીથી પ્રકૃતિ સુધીનાં પચીસ તત્ત્વો “કારમાંથી ઉત્પન્ન થયાં છે. ૨૫ આ તન્નગ્રન્થમાં ‘ઓમ'કારની અર્ધમાત્રાને “જ્યોતિર્મયી', ચિન્મયી’ અને ‘પરમકલા' કહી છે. ૨૧
ત્કારિણીતત્રના મ–કોષવિવરણ નામના પ્રથમ પટલમાં માતૃકાઓના અધિષ્ઠાતા દેવતા અને તેમની વિવિધ શક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ રીતે “ઓમકારના વર્ષોનું વર્ગીકરણ કરીએ તો
રુદ્રદેવતા રૌદ્રીશક્તિ વિષ્ણુદેવતા વૈષ્ણવીશક્તિ શ્રીકંઠ
કેશવ અમરેશ્વર વર્તુલક્ષી વિષ્ણુ વૃતિ
મહાકાલ જયા કામધેનુતત્રમાં દશમ પટલ અન્તર્ગત પ્રત્યેક વર્ણોનો મનુષ્યના શરીરનાં વિવિધ અંગો સાથે જે સંબંધ છે તે દર્શાવાયું છે. એ રીતે ઓમકારનું વિશ્લેષણ કરીએ તો –
સ - લલાટતત્ત્વ, બીજતત્ત્વ ૩ - આકાશતત્ત્વ, દક્ષાકર્ણ ૬ - ઉદરતત્ત્વ
...સાથે સંબંધિત છે. ૨૮ તન્નરાજતત્રની ‘પ્રમાણમંજરી' નામની ટીકા મુજબ પ્રત્યેક વર્ણોની અધિષ્ઠાત્રી રાશિઓ છે, તેને ધ્યાનમાં રાખીને “ઓમકારનો વિચાર કરીએ તો –
અધિષ્ઠાત્રી રાશિ મેષ વૃષભ
મકરઃ જણાય છે. ‘પ્રપંચસારતત્ર' મુજબ વર્ણના જુદા જુદા અધિષ્ઠાતા ગ્રહો અને નક્ષત્રો હોય છે; એ રીતે અ, ઉ, મુ નો વિચાર કરીએ તો, વર્ણ
અધિષ્ઠાતા ગ્રહ અધિષ્ઠાતા નક્ષત્ર
વર્ણ
5
m
=
5
m
સૂર્ય
- અશ્વિની કૃત્તિકા શ્રવણ૩૦
શનિ
પરાત્રિશિકા'માં સમગ્ર માતૃકાનું વાચક અને વાચ્ય એવા બે અર્થમાં વિભાજન કરવામાં આવ્યું છે, તે રીતે “ઓમકાર વિશે વિચારીએ તો –
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૩૨
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાચક-વર્ણ
વાચ્ય-અર્થ
શિવ
મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ અને પુરુષ.” કામધેનુતન્ન'ના વર્ણ-વિમર્શને આધારે ‘ઓસ્કારનું વર્ગીકરણ કરતાં તેમાંથી જે સૂચિતાર્થો નિષ્પન્ન થાય છે તે જોઈએ – - “અકાર, શરદઋતુના ચન્દ્ર જેવો, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય – એમ
પંચકોશમય છે.૨ - ‘ઉકાર ચતુર્કાનમય, પંચપ્રાણમય અને સ્વયંકુંડલિની છે. તેનો વર્ણ પીત્તવર્ણના ચંપક પુષ્પ જેવો છે.
તથા પંચ દેવમય અને ચાર પુરુષાર્થોનો સાધક છે. - ‘મકાર એ સ્વયં પરમ કુંડલી સ્વરૂપ, અસણ આદિત્ય સમાન અને ચાર પુરુષાર્થોનો સાધક છે.*
સૌન્દર્યલહરીની “લક્ષ્મીધરા' નામની ટીકામાં પ્રત્યેક વર્ણન યોજન-વિસ્તાર વિશે વિચાર કરવામાં આવ્યો છે. આ દૃષ્ટિએ “ઓમ્કારના “'નો વિસ્તાર ૮૦ લાખ યોજન છે.
‘નો વિસ્તાર ૧ કરોડ યોજન છે અને
'નો વિસ્તાર ૧૬૦ લાખ યોજન છે."
વર્ધિની ટીકામાં પ્રત્યેક વર્ણની આભા-રંગ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે એ રીતે “ઓમ્કારના વર્ગોનું વિશ્લેષણ કરીએ તો,
નો રંગ સ્ફટિક, ૩ નો રંગ સ્ફટિક અને
મ્ નો રંગ વિદ્યુમ (રક્ત) જણાય છે. ઓમકારની સર્વવ્યાપકતા અને સાર્વભૌમત્વ દર્શાવવા “લક્ષ્મીતત્રમાં જણાવાયું છે કે, ઓના અકારમાંથી ત્રણ વ્યાહૃતિઓ અને ત્રણ વર્ણ ઉદ્ભવ્યા છે, તેના ચરણમાંથી સર્વપાવની સાવિત્રી તથા ત્રણેય વેદ ઉત્પન્ન થાય છે. વધુ તો શું પણ “ “તમથકેવેટું તૌ િવૈ િવવઃ ૩૭ લૌકિક અને વૈદિક સમગ્ર વાય પણ ઓસ્કાર સ્વરૂપ જ છે. ઓમકારનો મહિમા પ્રગટ કરતાં આ તત્ર કહે છે કે –
यथा न्यग्रोधधानायामन्तभूतो महाद्रुमः ।
तथेदं वाङ्मयं विश्वमस्मिन्न्त:स्थितं सदा ॥३८ પ્રસ્તુત શ્લોક પરની “વિમર્શિની ટીકામાં ટીકાકાર સ્પષ્ટ કરે છે કે – “પહ૬મી વીવે સૂક્ષ્મતત્વस्थानकथनं चात्र सांख्यसत्कार्यवादमनुरुध्य । औपनिषदमते तु धानाया महाद्रुमस्य चोपादानैक्यात् सत्कार्यवाद इति अवस्थाभेदात् कार्यकारणभावव्यवहार इति च भिदा ।"३४
તન્નગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું) સ્વરૂપ, રહસ્ય અને મહિમા u ૩૩
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४०
‘લક્ષ્મીતન્ત્ર’ તારને સર્વપ્રથમ મહાબીજ, સમસ્ત શબ્દોની પરા પ્રકૃતિ, પરમધામ અને પવિત્ર પરમ મહાન શબ્દબ્રહ્મ તરીકે ઓળખાવે છે. આ તત્ત્વમાં ઓસ્કારના પર્યાયો તરીકે પ્રણવ, તાર, હંસ, નારાયણ, ધ્રુવ, વેદાત્મા, સર્વવેદાદિ, આદિત્ય, સર્વપાવન, મોક્ષદ, મુક્તિમાર્ગ અને સર્વ સંધારણક્ષમને ગણાવ્યાં છે. ઓસ્કાર અજ્ઞોને માટે શરણ છે તો વિજ્ઞોને માટે પણ શરણું છે તથા ‘ઞયસ્વચ્છતાં સ્વર્ગ: પોત: પારં તિતીર્થંતામ્ ।” અર્થાત્ સ્વર્ગની ઇચ્છા કરનારાઓ માટે સ્વર્ગ છે, સંસારરૂપી સમુદ્રને પાર કરવાની ઇચ્છા કરનારાઓ માટે તે જહાજ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તન્ત્રસાર’ નામના ગ્રંથમાં આચાર્ય અભિનવગુપ્તે પ્રત્યેક સ્વરો અને વ્યંજનો વિશે ગૂઢ ચિંતન પ્રસ્તુત કર્યું છે. તેને આધારે અહીં ‘ઓકાર’ વિશે વિચારીએ તો,
‘ઓમ્’કારનો ‘અ’કાર પ્રથમ પરામર્શ છે, તે અનુત્તર વિમર્શનો બીજ છે, માતૃકા શક્તિનો પ્રથમ ઉલ્લાસ છે, તે સૂર્યાત્મક છે. ‘અ’કાર બીજનાં બે રૂપ છે અનુત્તર અને આનંદ. અનુત્તરરૂપમાં વિશ્રાન્તિની અવસ્થાને જ આનંદ કહેવાય છે. ‘અ' શિવતત્ત્વ અને સૂક્ષ્મ સ્વરતત્ત્વ છે.૪ર
ઓસ્કારનો ‘ઉ’કાર તૃતીય પરામર્શ છે. તે ઉન્મેષ તત્ત્વનું બીજ છે, તે સૂર્યાત્મક છે, તે પંચક બીજ છે. ઉન્મેષની પ્રથમ તુટિ ‘ઉ' છે. તે પણ શિવતત્ત્વ અને સ્વરતત્ત્વ છે. જ્ઞાનશક્તિના આલોકની પ્રથમ અનુભૂતિ ‘ઉ’કાર છે.૪૩
ઓમકારનો ‘મ્' વર્ણ પુરુષતત્ત્વ છે. તેમાં મન, અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ અને પુરુષનો તથા શિવની પંચશાત્મકતાનો સમાવેશ થાય છે.૪૪
આ રીતે ઓકાર વેદાન્તીઓ અને બ્રહ્મજ્ઞાનીઓ માટે જેમ પરમાત્માનો વાચક છે એમ વૈષ્ણવતન્ત્રો ઓકારને વિષ્ણુસ્વરૂપ માને છે અને શક્તિતન્ત્રોમાં પણ ઓસ્કાર પરમતત્ત્વનો વાચક છે. ઓકારની પચાસ કલાઓ એ જ પચાસ વર્ષોવાળી માતૃકા છે, એ જ સૃષ્ટિપ્રપંચની રચયિતા છે. વાગ્ભવત્રિકોણમાંથી આ માતૃકાની ઉત્પત્તિ થાય છે અને અંતે શિવ-શિવાના સામરસ્યબિંદુરૂપે વિલસતો ઓસ્કાર જ મહાશૂન્ય છે, એ જ અધોમુખત્રિકોણના બિંદુરૂપે રહેલો છે. ઓસ્કારની લીલાસ્વરૂપે પ્રકાશ અને વિમર્શના રૂપમાં, પ્રકૃતિવિકૃતિના રૂપમાં, વિવિધ રંગ અને રૂપમાં – આ સૃષ્ટિ સ્ફુરે છે. પરમતત્ત્વનું અક્ષરમય સ્વરૂપ એ જ ઓસ્કાર છે અને એ જ તારક છે. ‘એ જ તું એ જ તું' એ પણ ઓમકા૨ છે.
-
રૂ.
સન્દર્ભગ્રન્થો
डॉ. सुधाकर
૧. કુલાર્ણવતન્ત્રમ્ (ઝાનાયતન્ત્રાભમ્), વિઠ્ઠાવાન સંસ્કૃત સૌરીન ૬, સમ્મા
માનવીય:, પ્રાા – વૃાવાસ ગામી, વારાળસી-૧, પ્રથમ સંર, ૨૦૦૬, પૃ. ૧૨૦, ૨૨૨ ૨. તન્ત્રસાદ: (દ્વિતીયો માળ:) (પેરિળી તન્ત્રમ્) (ામધેનુતન્ત્રમ્), સમ્પાવ: म.म. श्री गोपीनाथ कविराजः, प्रकाशक: વારાળસેય - સંસ્કૃત - વિશ્વવિદ્યાલય, વારાળસી, પ્રથમ સંસ્કમ્, વૈ.સં. ૨૦૨૬, પૃ. ૧૬૪ ગૌર પૃ. ૧૬, ૧૧, ૧૦૭
तन्त्रसारः (श्रीमदभिनवगुप्तपादाचार्य), 'नीरक्षीरविवेक' हिन्दी भाष्यसंवलितः, प्रथम खण्ड: (तृतीय) आह्निकम् ), ( अध्यायः १-७), भाष्यकार ડૉ. પરમહંસમિત્ર:, પ્રાશ चौखम्बा सुरभारती પ્રાશન, વારાળી, પ્રથમ સંર, ૧૧૧૬, પૃ. ૬૦
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ T ૩૪
-
For Private and Personal Use Only
-
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४. प्रपञ्चसारतन्त्रम् (शङ्कराचार्यः), (राघवटीकायुक्तम्), सम्पादकः - आर्थर एवलोन, प्रकाशक - मोतीलाल
बनारसीदास, दिल्ली, पुनर्मुद्रित, १९८९, पृ. ३१८ ५. लक्ष्मीतन्त्रम् ('सुधा' हिन्दीव्याख्योपेतम्), चौखम्बा संस्कृत सीरीज-११३, सम्पादक एवं व्याख्याकार
- डॉ. सुधाकर मालवीयः, प्रकाशक - चौखम्बा संस्कृत सीरीज आफिस, वाराणसी, प्रथम संस्करण,
२००३, पृ. २३०-२४३ ६. सौन्दर्यलहरी, (शङ्कराचार्यः), Edited & Published by - A Kuppuswami, The Ministry
of Education and Social Welfare, Govt. of India, Banglore, First Ed., p. 183 7. संविद्, वर्ष-२७, तन्त्रे अक्षररूपाणि, श्री सुरेश उपाध्याय, अङ्काः - १-४, १५ अगस्त १९९० तः
१५ मै १९९१, पृ. ५३
पादटीप
१. प्रथम ताररूपेण यथास्म्येवं समुद्धरेत् । - लक्ष्मीतन्त्र (२४-४), पृ. २३० २. प्रपञ्चसारतन्त्रम्, (३०-५), पृ. ३१८ 3. प्रपञ्चसारतन्त्रम्, ३०-५ ७५२नी राघवनी टी1, पृ. ३१८ ४. एजन, ३०-५ ७५२नी राघवनी टी, पृ. ३१८ ५. लक्ष्मीतन्त्रम्, २४-५, पृ. २३० ६. एक्तद्वैष्णवं रूपं त्र्यक्षरं ब्रह्मशाश्वतम् । - लक्ष्मीतन्त्रम्, २४-६,७, पृ. २३० ७. एजन, २४-८नी विमशिनी टी.51, पृ. २३१ ८. एजन, २४-९, पृ. २३१ ८. एजन, २४-१३, पृ. २३२ १०. एजन, २४-१३ नी विमर्शनी. टी.51, पृ. २३२ ११. एजन, २४-१४, पृ. २३२ १२. अस्य मात्रा विधानज्ञैः सार्धास्तिस्र उदाहृताः । भेन, २४-१८, पृ. २३३ १३. एजन, २४-१९, २०, पृ. २३३ १४. एजन, २४-२२, पृ. २३४ १५. एजन, २४-२३, पृ. २३४ १६. एजन, २४-२५ थी ३०, पृ. २३५ १७. एजन, २४-५२, पृ. २४१ १८. एजन, २४-६६, पृ. २४३ १८. कुलार्णवतन्त्रम्, ६-४१, पृ. ११० २०. एजन, ६-४२, पृ. ११० २१. एजन, ६-४३, पृ. ११० २२. एजन, ६-४४, पृ. १११ २३. एजन, ६-४४-४६, पृ. १११
તન્નગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું સ્વરૂપ, રહસ્ય અને મહિમા ૩૫
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२४. सर्वे शब्दा अकारोत्था उकारात्तेजसां त्रयम् ।
पृथिव्यादि प्रकृत्यन्तं मकारोत्थं पुरन्दर ॥ लक्ष्मीतन्त्रम्, २४ - २१, पृ. २३४
२६. लक्ष्मीतन्त्रम्, २४-२२, पृ. २३४
२७. तन्त्रसङ्ग्रहः (द्वितीयो भाग:), फेत्कारिणीतन्त्रम् (१ - २५ थी ३५), पृ. १६४
२८. कामधेनुतन्त्रम्, (१०- १, २ अने ८), पृ. ११८
२८. संविद्, वर्ष- २७, अङ्काः, १-४, पृ. ५३
30. प्रपञ्चसारतन्त्रम् (४ - २५ थी २७) भने (४-५१ थी ५७ )
३१. संविद्, वर्ष- २७, अङ्का:- १-४, पृ. ५६
३२. कामधेनुतन्त्रम्, १-१३, पृ. ९६
33. एजन, ३-७, ८, पृ. ९९
३४. एजन, ५- २१, २२, पृ. १०७ 34. सौन्दर्यलहरी (लक्ष्मीधरा टीका), पृ. १८३ ३६. सौन्दर्यलहरी (सौभाग्यवर्धिनी टीका), पृ. ६ ३७. लक्ष्मीतन्त्रम्, २४-४५, ४६, पृ. २३८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८. एजन, २४-४७, पृ. २३८
३८. एजन, २४-४७ ५२नी टी पृ. २३८
४०. एजन, २४-४८, पृ. २३८
४१. एजन, २४-४९ थी ५२, पृ. २३९
४२. तन्त्रसारः (प्रथमः खण्डः), तृतीय आह्निकम्, पृ. ६० जने पृ. ७४
४३. एजन, पृ. ५९, ६०
४४. एजन, पृ. ७४
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ T ૩૬
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પરંપરામાં પુસ્તક
ડૉ. થોમસ પરમાર* પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની સાધના થતી આવી છે. મોક્ષપ્રાપ્તિ માટે જણાવેલા ત્રણ માર્ગો–જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ–માં જ્ઞાનને જ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. હિંદુ પરંપરામાં ઊજવાતી ઋષિ પંચમી અને જૈન પરંપરામાં ઊજવાતી જ્ઞાનપંચમી જ્ઞાનની આરાધનાના સૂચક છે. જ્ઞાનની સાથે પુસ્તક સંકળાયેલું છે. પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે. પ્રાચીન કાળમાં શ્રુતિ અને સ્મૃતિ દ્વારા જ્ઞાનપ્રદાનનું કાર્ય થતું. એ રીતે અનેક ગ્રંથો કંઠસ્થ કરવામાં આવતા. લખાણ માટેના સાધનો શોધાતાં એ ગ્રંથો લિપિબદ્ધ કરવામાં આવ્યા અને પુસ્તકો સાકાર સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યાં. પુસ્તકો લખવા માટે પથ્થર, તાડપત્ર, ભૂર્જપત્ર, કાપડ અને ધાતુનાં પતરાંનો ઉપયોગ થતો. લખાણ લખતા લહિયાનું શિલ્પ નાગાર્જુનકડામાંથી પ્રાપ્ત થયું છે. આ પ્રકારનું તે સૌથી પ્રાચીન શિલ્પ છે. બુદ્ધના જન્મ પછી તેમના જન્માક્ષર લખવાનો પ્રસંગ આ શિલ્પમાં કંડારેલો છે. લખાણ લખતી એક સ્ત્રીનું લાવણ્યમય શિલ્પ ખજૂરાહોમાં આવેલું છે, જે ઘણું જ પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતમાં લખાણ માટે તાડપત્રનો ઉપયોગ થતો જ્યારે ઉત્તર ભારતમાં ભૂર્જપત્રનો વપરાશ વિશેષ હતો.
કેટલાંક ભારતીય દેવ-દેવીઓના હાથમાં પુસ્તક ધારણ કરેલું હોય છે. સરસ્વતીને જ્ઞાનની દેવી તરીકે હિંદુ, જૈન અને બૌદ્ધ પરંપરામાં સ્વીકારેલ છે. તેનાં વિવિધ નામો પૈકી વાગ્દવી નામ જાણીતું છે. જૈન ગ્રંથોમાં તેને મેધા તથા બુદ્ધિની દેવી અથવા શ્રુતદેવી તરીકે ઓળખાવી છે. તે જૈન આગમોની અધિષ્ઠાત્રી દેવી છે. જ્ઞાનની દેવી હોવાથી તેના એક હાથમાં પુસ્તક ધારણ કરેલું હોય છે. સરસ્વતીની સૌથી જૂની પ્રતિમા કુષાણકાલીન છે અને હાલ તે લખનૌના સંગ્રહસ્થાનમાં સુરક્ષિત છે. બ્રહ્માના એક હાથમાં પણ પુસ્તક ધારણ કરેલું જોવા મળે છે. એલિફન્ટામાં શિલ્પમાં આલેખિત બ્રહ્માના એક હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. શિવ યોગી, અભ્યાસી અને મોક્ષમાર્ગના સાચા તત્ત્વવિદ્ પણ મનાય છે. આ લક્ષણો વ્યક્ત કરતી શિવની પ્રતિમા દક્ષિણામૂર્તિ તરીકે ઓળખાય છે. શિવની આ પ્રકારની પ્રતિમામાં પણ પુસ્તક ધારણ કરેલું હોય છે. દક્ષિણામૂર્તિ સ્વરૂપ વિશે પોતાના ડમરુ દ્વારા પાણિનિને વ્યાકરણ શીખવ્યું હોવાની માન્યતા છે. '
દક્ષિણ ભારતના મંદિરોના મંડપમાં શિવની આ સ્વરૂપની પ્રતિમા મૂકવાનો રિવાજ છે. કાવેરીપાક્કમમાંથી મળી આવેલ પલ્લવ શૈલીમાં ઘડાયેલ શિવનું શિલ્પ દક્ષિણામૂર્તિ સ્વરૂપને વ્યક્ત કરે છે. આઠમી સદીના આ શિલ્પમાં શિવે ડાબા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે. નારાયણ સ્વરૂપ વિષ્ણુના હાથમાં પણ પુસ્તક દર્શાવવાની પરંપરા છે. આ પ્રકારનું પ્રાચીનતમ શિલ્પ (ગુપ્તશૈલી, પાંચમી સદી) દેવગઢમાંથી પ્રાપ્ત થયું ? છે. મધ્યકાલીન સૂર્યની પ્રતિમાઓમાં તેના અનુચર દંડના હાથમાં શાહીનો ખડિયો અને કલમ ધારણ કરેલ જોવા મળે છે.
ગ્રંથોને વિદ્યાપીઠની દીવાલો પર કોતરવાની પ્રથા હતી. વિદ્યાપીઠોની ભીંત પર કોતરેલા આ ગ્રંથો દ્વારા વિદ્યાર્થીઓ આ ગ્રંથો પૂરતી પોતાની સ્મૃતિ તાજી કરી શકતા. ધારમાં રાજા ભોજ દ્વારા નિર્મિત ભોજશાલામાં
પ્રાધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ नृत्तावसाने नटराजराजो ननाद ढक्कां नवपञ्चवारम् । उद्धर्तुकामः सनकादिसिद्धान् एतद् विमर्श शिवसूत्रजालम् ।। શિવના ડમરુમાંથી જે ૧૪ સૂત્રોનો નાદ ગુંજ્યો તેને “પોરે સૂવા' તરીકે ઓળખવામાં આવે છે. જેમકે, ૩[ I 2 | પોર્ ા છે ત્ | (આ શ્લોક જણાવવા માટે ડૉ. રવીન્દ્ર ખાંડવાલાનો આભાર)
ભારતીય પરંપરામાં પુસ્તક [ ૩૭
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનો નમૂનો જોવા મળે છે. અહીં મંડનકૃત ‘પારિજાતમંજરી નાટિકા'ના ચાર અંકો પૈકી બે અંકો દીવાલ પર કોતરીને લખવામાં આવ્યા હતા. ભોજે પ્રાકૃતમાં રચેલાં બે કાવ્યો પણ અહીં ભીંત પર કોતરવામાં આવ્યાં હતાં. ‘સૂર્યશતક'ની પંક્તિઓ ધરાવતો એક સ્તંભનો નાનો ભાગ કાંચીપુરમાંથી મળ્યો છે. આ પંક્તિઓ ૧૧મી સદીની ગ્રંથલિપિમાં કોતરેલી છે. આ પરથી અનુમાન કરી શકાય કે ત્યાંના સૂર્યમંડપમાં સંપૂર્ણ ‘સૂર્યશતક’ હસ્તપ્રત કોતરેલા સ્તંભો હોવા જોઈએ. તિરુચિરાપલ્લીના એક શૈલાત્મક મંદિરની દીવાલો પર સંપૂર્ણ ‘સૌંદર્યલહરી’ કોતરેલી હતી.
તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા, વલભી, બનારસ, કાંચી વગેરે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો સાથે મોટા પુસ્તકભંડારો સંકળાયેલા હતા અને તેમાં સેંકડો ગ્રંથો હતા. આ પુસ્તકભંડારોમાં પુસ્તકારિણી સરસ્વતીની પ્રતિમા રાખવામાં આવતી. આ પ્રકારની સરસ્વતીની એક પ્રતિમા રાજા ભોજે ધારના પુસ્તકભંડારને આપી હતી. આનો ઉલ્લેખ પ્રતિમાની પીઠિકા પરના લેખમાં કરવામાં આવ્યો છે. હાલ આ પ્રતિમા બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. બૌદ્ધ વિદ્યાપીઠોમાં પણ સરસ્વતીની આવી પ્રતિમા રાખવામાં આવતી. નાલંદા વિદ્યાપીઠમાં વીણાધારિણી બૌદ્ધ વિદ્યાદેવીની પ્રતિમા હતી. વિદ્યાપીઠો અને મહાવિદ્યાલયો સાથે સંકળાયેલાં ગ્રંથાલયો સરસ્વતીભંડાર તરીકે ઓળખાતાં. શેદેિવીના એક અભિલેખમાં ત્યાંના મંદિરના સરસ્વતીભંડારને એક બ્રાહ્મણ દ્વારા દાન આપવાનો ઉલ્લેખ છે. શ્રીરંગના મંદિરમાં સરસ્વતીભંડારનો ઉલ્લેખ કરતો એક અભિલેખ મળ્યો છે. નાલંદાના સાધુના પાલન-પોષણના અને ત્યાંના ગ્રંથોની નકલ કરવાના ખર્ચ પેટે દેવપાલે રાજગૃહ જિલ્લાના પાંચ ગામો દાનમાં આપ્યાં હોવાનું મુગિરિ(મોંધીર)ના તામ્રપત્ર દ્વારા જાણવા મળે છે. બુક્ક બીજા અને દેવરાયના સમયના વિજયનગરના બે અભિલેખોમાં ગુંગેરી મઠના ગ્રંથાલયને રાજ્ય તરફથી મળેલ આર્થિક સહાયનો નિર્દેશ છે. અમોઘવર્ષ ૧લાના સમયમાં ભદ્રવિષ્ણુએ પુસ્તકોની ખરીદી માટે દાન આપ્યું હતું.
વેદોનું સન્માન થતું. વેદને ‘ત્રયીપુરુષ’ માનીને તેની પૂજા થતી. બીજાપુરના સલોી ગામમાં કૃષ્ણ ત્રીજાના સમયમાં રાષ્ટ્રકૂટ સમ્રાટના મંત્રી નારાયણે એક મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી અને તે ‘ત્રયીપુરુષ'ને અર્પણ કરવામાં આવી હતી.
રાજાઓ તરફથી ગ્રંથનું કેટલું બધું સન્માન કરવામાં આવતું તેનો ઉત્તમ દાખલો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો છે. માળવાના ‘ભોજ વ્યાકરણ'થી પણ ચઢિયાતો વ્યાકરણગ્રંથ રચવા સિદ્ધરાજે આચાર્ય હેમચંદ્રાચાર્યને વિનંતી કરી. આ ગ્રંથ પૂરો થયા બાદ તેને ‘સિદ્ધ-હેમશબ્દાનુશાસન’ નામ આપવામાં આવ્યું. હાથી પર સોનાની અંબાડી પર પધરાવી પાટણ નગરમાં તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં સિદ્ધરાજ પોતે આચાર્યની સાથે પગે ચાલતો હતો. આ રીતે એક મહાન ગ્રંથને મહાન રાજવી દ્વારા ભવ્ય રીતે સમ્માનિત કરવામાં આવ્યો.
ગ્રંથની સાધના માટે ભારદ્વાજ ઋષિનો દાખલો જાણીતો છે. વેદનો અભ્યાસ કરતાં ભારદ્વાજે ત્રણ વખત માનવજન્મ ધારણ કર્યો. વેદોનો અભ્યાસ ચાલુ રાખવા ભારદ્વાજે ઇન્દ્રને ફરીથી વિનંતી કરી. ઇન્દ્ર જણાવ્યું કે, ‘વેદોનું જ્ઞાન અનન્ત છે, તમે જે જ્ઞાન મેળવ્યું તે તો ત્રણ મૂઠીભર છે.' ગ્રંથનું પારાયણ કરવામાં જેને ત્રણ માનવભવ પણ ઓછા પડ્યા તેવા ગ્રંથ-સાધક ભારદ્વાજનો જોટો જડે તેમ નથી.
જ્ઞાનની વિવિધ વિદ્યા-શાખાઓ પ્રત્યે ભારતીય માનસમાં ઊંડા માનની લાગણી હતી. તેની પ્રતીતિ દર વર્ષે ઊજવાતા ઉપાકર્મમાં પ્રતિબિંબિત થયેલી છે. તે દિવસે લોકો સમૂહમાં એકત્ર થતા અને અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લેતા. તે પછીના દિવસે આખા વર્ષ દરમિયાન વધુ ને વધુ અભ્યાસ વધારવાનો મહાસંકલ્પ કરતા. આ વિધિ આજે પણ વિશેષ કરીને દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ ઊજવવામાં આવે છે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ॥ ૩૮
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભારતીય પરંપરામાં આજે પણ પુસ્તકો આદરભર્યું સ્થાન ધરાવે છે. પ્રાચીન સમયમાં ગ્રંથો પથ્થરની ભીંતો પર કોતરીને લખવાની પ્રથા હતી તે આજે પણ પ્રચલિત છે. અમદાવાદના ગીતા મંદિરમાં ગીતાના અઢારે અધ્યાય દીવાલો પર કોતરીને લખેલા છે. સોલાની ભાગવત્ વિદ્યાપીઠના સંકુલના મંદિરની દીવાલ પર શ્રીમદ્ ભાગવત કોતરેલ છે. જૈનતીર્થ શંખેશ્વરના પરિસરમાં એક આગમ મંદિર આવેલું છે જેની દીવાલો પર આગમ ગ્રંથો કોતરીને લખેલા લહિયો, ઇક્ષ્વાકુ, ઈ.સ. ૩જી સદી, છે. શીખોના ગુરુદ્વારા(મંદિરો)માં તેમના પવિત્ર પુસ્તક ‘ગ્રંથસાહેબ’ને નાગાર્જુનકોન્ડા, દ. ભારત (નૅશનલ મ્યુઝિયમ) પધરાવીને માન-સન્માન આપવામાં આવે છે.
-
તા. ૩૦-૯-૨૦૦૫ના રોજ ગુજરાતી વિશ્વકોશના ૨૦મા ગ્રંથનું વિમોચન કર્યા બાદ રામભક્ત શ્રી મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, “વ્યક્તિને જીવનયાત્રા પૂરી કરવા માટે છ વસ્તુઓની મુખ્ય જરૂર પડે છે - સંત, ઇષ્ટ, પંથ, મૂર્તિ, મંત્ર અને ગ્રંથ. આ છ માંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું ‘ગ્રંથ’ની જ પસંદગી કરું કારણ કે ગ્રંથનું વિમોચન મૂર્તિની સ્થાપના બરાબર છે. ગ્રંથ એ ઇષ્ટ, પંથ, મંત્ર, મૂર્તિ તમામનું કામ કરી આપે છે.'' ગ્રંથનું મહત્ત્વ સમજાવતાં તેમણે ‘અવતાર ચરિત્ર ગ્રંથ'ના રચયિતા નરહરદાનો દાખલો આપ્યો હતો. તેઓ નિઃસંતાન હતા. એક દિવસે તેમની પત્નીએ તેમની પાસે પુત્રની માંગણી કરી. નરહરદાને એક વર્ષ રાહ જોવા જણાવ્યું. એક વર્ષ દરમિયાન તેમણે ‘અવતાર ચરિત્ર ગ્રંથ' લખ્યો અને પછી તે ગ્રંથ પોતાની પત્નીના ખોળામાં મૂકતાં કહ્યું, “આ આપણું બાળક. હવે કોઈ આપણને વાંઝિયા નહીં કહે.”
આમ ભારતીય પરંપરામાં જ્ઞાનના પ્રતીક પુસ્તકનું આદરણીય સ્થાન રહ્યું છે. પુસ્તકને દેવ તુલ્ય સંતાન તુલ્ય પણ ગણવામાં આવ્યું છે.
સંદર્ભ
C. Sivaramamurti, Some Aspects of Indian Culture.
બ્રહ્મા
વાકાટક, ઈ.સ.ની ૬ઠ્ઠી સદી, એલિફન્ટા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4] પાન J{ XXX Y Z wijd }**j[nitar
2 12 459345
સરસ્વતી
કુષાણ ઈ.સ.ની બીજી સદી, લખનૌ મ્યુઝિયમ
ભારતીય પરંપરામાં પુસ્તક ૩ ૩૯
For Private and Personal Use Only
મણીક્કાવાચકર ચોળ ઈ.સ. ૧૧મી સદી, મુદુકૂર, દ. ભારત
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ
ડિૉ. ભારતી શેલત* ભારતના વિવિધ પ્રદેશોમાં ગુજરાત ઘણા પ્રાચીન કાલથી એક પ્રાદેશિક એકમ તરીકે નજરે પડે છે. ભૌગોલિક મર્યાદાઓને લઈને તેમજ એમાં વસેલી માનવ-જાતિઓની વિશિષ્ટતાઓને લઈને અને એમના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની વિશિષ્ટતાઓને લઈને ગુજરાતનો પ્રદેશ એ એક એકમ બન્યું છે. આથી ભારતના એક અંતર્ગત પ્રદેશ તરીકે રહેલા ગુજરાતના ઇતિહાસનું નિરૂપણ પ્રાદેશિક ઇતિહાસ તરીકે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાલ (ઈ.પૂ. ૩રર- ઈ.પૂ. ૧૮૫)ના આરંભથી શરૂ થાય છે. એના ઇતિહાસ આલેખનના સાધનોમાં પુરાવસ્તુકીય, લિખિત અને અભિલિખિત સામગ્રી પ્રમાણિત સ્વરૂપે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ૧૯મી સદીમાં ઉપલબ્ધ પ્રાચીન અભિલેખો ઉકેલાવા લાગ્યા અને પ્રસિદ્ધ થવા લાગ્યા ત્યારથી ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં એક મૌર્ય કાલ સુધીના ઇતિહાસ પર પ્રકાશ પડ્યો છે.
- અભિલેખો એટલે શિલા, ધાતુ, કાષ્ઠ, માટી જેવા પદાર્થો પર કોતરેલાં લખાણો. આ અભિલેખો તે તે સમયને લગતી વ્યક્તિઓ તથા ઘટનાઓ વિશેના સમકાલીન લખાણો હોઈ ઇતિહાસના સાધન તરીકે ઘણું મહત્ત્વ ધરાવે છે, અને તત્કાલીન ભાષા તેમજ તે સમયે પ્રચલિત લિપિમાં કોતરાયેલા હોવાથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિગતોની સંગીન સામગ્રી પૂરી પાડે છે.
વિવિધ પદાર્થો પરના અભિલેખોમાં શિલાલેખ ઘણા જાણીતા છે. આ શિલાલેખ સામાન્યતઃ શૈલ (મોટી શિલા), શિલાખંભ, શિલાયષ્ટિ (પથ્થરની ઊભી લાટ) કે શિલાફલક ઉપર કોતરવામાં આવે છે. આ શિલાલેખોમાં વિવિધ પ્રકારના વિષયોનું આલેખન કરેલું હોય છે; ઉ.ત. વાણિજિયક પ્રકારના લેખો, ધાર્મિક અનુશાસનો, સ્મારક લેખો, દાનશાસનો, પૂર્ણ નિર્માણના લેખો, પ્રશસ્તિઓ, પ્રતિમા લેખો, સિક્કા લેખો વગેરે.
પ્રશસ્તિ પ્રકારના લેખોમાં પરાક્રમ કે પરમાર્થની ઘટના નિમિત્ત હોય છે ને એ નિમિત્તે રાજાની તથા પરમાર્થ કાર્ય કરનાર વ્યક્તિની લાંબી રુચિર પ્રશસ્તિ રચવામાં આવે છે, જેનાં પ્રસિદ્ધ ઉદાહરણો મહાક્ષત્રપ દ્રદામા અને સ્કંદગુપ્તના જૂનાગઢ શૈલલેખો, સમુદ્રગુપ્તનો અલાહાબાદ શિલાતંભ લેખ, કલિંગના રાજા ખારવેલનો હાથીગુંફા લેખ, યશોધર્માનો મંદસોર શિલાતંભલેખ, કુમારપાલનો વડનગર પ્રશસ્તિ લેખ, શ્રીધરની પ્રભાસપાટણની પ્રશસ્તિ, ડભોઈની વૈદ્યનાથ પ્રશસ્તિ, તેજપાલનો આબુ પ્રશસ્તિલેખ, નાનાકની કોડિનાર પ્રશસ્તિ વગેરે છે. સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ નીચે મુજબ છે : ૧. પ્રભાસ પાટણમાં ભદ્રકાળીના મંદિરમાં સોલંકી રાજા કુમારપાળના સમયનો શિલાલેખ, વલભી સંવત
૮૫૦ (ઈ.સ. ૧૧૬૯).
પ્રભાટ પાટણ (જિ. જૂનાગઢ)માં આવેલા ભદ્રકાલીના મંદિરના પ્રવેશ દ્વારની જમણી બાજુએ સ્થિત એક મોટી કાળી શિલા પર ૫૪ પંક્તિમાં કોતરેલો સંસ્કૃત લેખ છે.' એનું માપ ૭૦ સે.મી. x ૪૫ સે.મી. છે. લેખનો મુખ્ય વિષય સોલંકી રાજા કુમારપાલે (ઈ.સ. ૧૧૪૨ - ઈ.સ. ૧૧૭૨) પોતાના ધર્મગુરુ ભાવબૃહસ્પતિના ઉપદેશથી સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેને લગતો છે.
લેખના આરંભમાં શિવ અને વિઘ્નહર્તા ગણેશની તથા સરસ્વતીની સ્તુતિ કરવામાં આવી છે. * નિયામક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૪૦
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારબાદ પાશુપત મઠોનું સંરક્ષણ કરનાર ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ કરવામાં આવી છે. વારાણસીમાં જન્મેલા તેઓ ગાગ્યે ગોત્રના કાન્યકુબ્બ બ્રાહ્મણ હતા. શિશુ વયમાં એમને પૂર્વ સંસ્કારોના બળે ચૌદ પ્રકારની વિઘાઓની નિપુણતા પ્રાપ્ત થઈ હતી. એમણે પાશુપત વ્રત ગ્રહણ કર્યું હતું અને પાશુપતાચાર્ય બન્યા હતા. પાશુપત મતના ગ્રંથોની રચના કરનાર આ મહાન આચાર્યે તપોનિધિ રાજાઓને દીક્ષા આપવા અને પશુપતિના સ્થાનોની રક્ષા કરવા પ્રવાસ આરંભ્યો.
‘અતિ વિદ્વાન, અખિલ જગતથી પૂજિત, વિવિધ યાત્રા કરનારાઓના ઉપમાનની પદવી ધારણ કરનાર, નકુલીશ સમાન દેહવાળો, મુનિઓથી પૂજાતો, કામદેવ સમાન અને તેનો પોતાનો આગમ સ્પષ્ટ કરતાં એકત્ર મૂકેલાં શાસો સમાન ભાવબૃહસ્પતિની મતિ સર્વથી ઉજ્જવળ ભાસે છે.”
માલવ દેશ, કાન્યકુબ્ધ અને ઉજનમાં કરેલા તપના પ્રભાવથી માળવાના પરમાર રાજાઓને શિષ્ય બનાવ્યા અને ત્યાંના પાશુપત મઠોનું સંરક્ષણ કર્યું. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો ભ્રાતૃભાવ પ્રાપ્ત કરી સર્વોત્કૃષ્ટ માન મેળવ્યું. સિદ્ધરાજને એમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો ઉપદેશ આપ્યો, પરંતુ આ પહેલાં સિદ્ધરાજનો સ્વર્ગવાસ થયો. પછી રાજા કુમારપાલે ગુરુના આદેશથી સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો. શંકરના શાસનથી મહાન મંદિર બંધાવનાર, ચાર વર્ષોથી માન પામેલા, દઢ મનના, ગાર્ગેય ગોત્રમાં જન્મેલા શ્રી ભાવબૃહસ્પતિને પૃથ્વી પર ગંડેશ્વરના નામથી વિખ્યાત એવા સર્વના સ્વામી બનાવ્યા.’ આમ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર રાજા કુમારપાલની ઉદાર રાજ્યશ્રીથી તથા ગંડ ભાવબૃહસ્પતિના સક્રિય પુરુષાર્થથી થયો. કૈલાસ પર્વત સમાન જીર્ણોદ્ધાર પામેલા શંકરના દેવાલયને જોઈને અતિ પ્રસન્ન થયેલા રાજાએ એમને ગંડનું પદ વંશપરંપરાગત આપ્યું અને સોમનાથ તીર્થના સર્વેશગંડેશ્વર બનાવ્યા. સોલંકી રાજા કુમારપાલની પ્રશસ્તિ કવિ નીચેના શબ્દો દ્વારા કરે છે :
के के नैव विडम्बिता नरपतेरग्ने विपक्षव्रजाः ।
केषां नैव मुखं कृतं सुमलिनं केषां न दो हृतः । केषां नापहृतं पदं दृढतया दत्त्वा पदं मस्तके
के वानेन विरोधिनो न बलिना भिक्षाव्रतं ग्राहिताः ॥१९॥ તે પ્રતાપી રાજાની સમક્ષ ક્યા શત્રુઓ અજિત રહ્યા હતા? કોના મુખ કલંક વિનાનાં રહ્યાં હતાં ? કોનો દર્પ ઊતર્યો ન હતો ? કોના પદને તેમનાં મસ્તકો ઉપર તેનું ચરણ મૂકીને બલથી તેણે છિનવી લીધું ન હતું ? આ બળવાન વડે કયા શત્રુઓ ભિક્ષુક થયા ન હતા ?
सुस्थामभिर्बहिरिदं बहुभिर्यदीयै
पुढं गुणैर्नियमितं यदि नाभविष्यत् । नूनं तदंतरखिलं सुभृतं यशोभि
___ब्रह्माण्डभाण्डकमणुस्फुटमस्फुटिष्यत् ॥२०॥ એ બ્રહ્માંડનો કુંભ બાહ્ય ભાગમાં તેના ગાઢ સદ્ગુણોથી સારી રીતે બહારના ભાગમાં દબાયો ન હોત તો જરૂર તે તેની અંદરના મહાન યશથી ફૂટી ગયો હોત.'
यद्रूपेक्षणवाञ्छया शतमुखो धत्ते सहस्रं दृशां
यन्निःसीमगुणस्तुतौ कृतधियो धातुश्चतुर्वक्त्रता । यन्माहात्म्यभराच्चलेति वसुधा गोत्राचलैः
यत्कीर्तिन भुवि प्रयास्यति ततो नूनं त्रिलोकीकृता ॥२१॥
સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ | ૪૧
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ખરેખર ઈન્દ્ર તેનું રૂપ નિહાળવા સહસ્ત્ર ચક્ષુ ધારણ કર્યા છે, બ્રહ્માને તેના અસંખ્ય ગુણોનું ગાન કરવાના નિશ્ચયથી ચાર મુખ ધારણ કરવાં પડ્યાં છે, તેના મહિમાથી દૂજેલી પૃથ્વી પર્વતો વડે સ્થાનમાં રખાઈ છે અને પૃથ્વી ને સમાવી શકે તે યશ સમાવવા ત્રણ ભુવન સર્જેલાં ભાસે છે.' ભાવ બૃહસ્પતિએ પ્રભાસપાટણમાં મેરુ નામે નવો પ્રાસાદ બંધાવ્યો. પપપ સંતોની પૂજા કરી.
સોમનાથ મંદિરની દક્ષિણમાં અને ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવી નગરનો વિસ્તાર કર્યો. ગૌરી, ભીમેશ્વર, શિવ, સિદ્ધેશ્વર વગેરે દેવોનાં મંદિર પર તેણે સુવર્ણના કળશો મૂક્યા. રાજાઓને એકત્ર કરવા દરબાર બનાવ્યો. સરસ્વતીની વાપી બંધાવી. શંકરના મંદિરના અગ્રસ્થાનમાં સુંદર સ્તંભના આધારવાળો
ઓરડો અને રૂપાના જલમાર્ગવાળું મંડૂકના આકારનું શિવનું આસન બનાવ્યું. પાપમોચન મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.
દ્વિજો માટે વિશાળ ગૃહો બંધાવ્યાં અને વિષ્ણુની પૂજાને સહાય કરી. સોમનાથના માર્ગ પર નવા નગરમાં બે વાપી કરાવી અને ચંડિકાની સ્થાપના કરી. ‘અમૃત સમાન જળવાળી આ વાપી જે રમ્ય તરંગોનો ધ્વનિ કરે છે અને જેના જળનું પાન અનેક પિત્તળની ડોલથી થાય છે તે ઘટ્ટમાંથી પ્રગટેલા અગત્ય ઋષિથી પાન કરાયેલા જળવાળા સાગરને હાસ્ય કરતી ભાસે છે. સૂર્ય-ચંદ્રના ગ્રહણ દિને અને પર્વ દિનોએ વિદ્વાન અને ગુણી દ્વિજોને સર્વ દાન આપી પૂજા કરાવે છે.
ભાવબૃહસ્પતિ શંકરની ભક્તિમાં પરાયણ, બ્રહ્મના જ્ઞાનમાં લીન, શ્રુતિમાં શ્રદ્ધાવાળો, દાનનો શોખીન, ક્ષમાની મતિવાળો, સુચરિતવાળો શાશ્વત શ્રેયની પ્રાપ્તિ માટે શંકરની આરાધના કરે છે. ભાવબૃહસ્પતિની પત્ની મહાદેવીની પ્રશસ્તિ કરતાં કવિ જણાવે છે.
एतस्याभवदिंदुसुंदरमुखी पत्नी प्रसिद्धान्वया
गौरीव त्रिपुरद्विषो विजयिनी लक्ष्मीर्मुरारेरिव । श्रीगंगेव सरस्वतीव यमुने वेदाग्रकीा गिरा
___ कात्या सोढलसंभवा भुवि महादेवीति या विश्रुता ॥३५॥ ‘તેની પત્ની પૃથ્વી પર મહાદેવી નામથી વિખ્યાત, ઇન્દુ સમાન રમ્ય મુખવાળી, વિખ્યાત કુળની, ત્રિપુર દૈત્યના શત્રુ શંકરને પાર્વતી સમાન, વિષ્ણુને શ્રીલક્ષ્મી સમાન, સોઢલના સંભવની, યશ, વાણી અને સૌંદર્યમાં ગંગા, સરસ્વતી અને યમુનાને અનુક્રમે સમાન હતી.
‘તેનું લાવણ્ય ચંપાના ફૂલ જેવું હતું, રથની ગતિ સમાન તેના બાહુ હતા. નયન શિરીષ પુષ્યની શ્રેણી સમાન હતાં, હાસ્ય મોગરાના ફૂલ જેવું હતું. તેના કપોળ પૂર્ણ વિકસેલા લોધ પુષ્પ સમાન હતા. એથી એમ દેખાતું હતું કે કામદેવ શિલ્પીએ સર્વ ઋતુના સૌંદર્યવાળું તેનું અંગ બનાવ્યું હતું.
ચંદ્રગ્રહણના સમયે ગંડરાજે સોમનાથની પૂજા કરી અતિ પ્રસન્ન થયો. દાનપત્ર વડે એક ગામ દાનમાં આપ્યું. શીઘ્ર કવિએ ગંડના ગુણોની પ્રશસ્તિ રચી. લક્ષ્મીધરના પુત્ર રૂપસૂરિએ લખાણ કર્યું.
લેખની મિતિ વલભી સંવત ૮૫૦, અષાઢ માસની છે. આ સમયે ઈ.સ.નું વર્ષ ૧૧૬૯ અને વિ.સં.નું વર્ષ ૧૨૨૫ આવે.
કુમારપાળના સમયના અભિલેખ પરથી જણાય છે કે મુખ્ય મંદિર, નૃત્યશાળા, રંગમંડપ, રસોઈગૃહ અને કીર્તિતોરણ વગેરે મહત્ત્વનાં અંગો સાથે સોમનાથ મંદિર જોડાયેલું હતું. મંદિરની ચોતરફના વિસ્તૃત પ્રાંગણને ફરતા કોટની રચના હતી. મંદિરના પ્રાંગણમાં દૈત્યસૂદન વિષ્ણુનું મંદિર હતું.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ 9 ૪ર
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. શ્રીધરની દેવપાટણ પ્રશસ્તિ, વિ.સં. ૧૨૭૩ (ઈ.સ. ૧૨૧૬)
વેરાવળ નજીક સોમનાથ પાટણમાં એક કાજીના ઘર નજીકના સ્તંભ ઉપર આ પ્રશસ્તિલેખ જડાયેલો હતો. હાલ જે શિલા ઉપર આ લેખ કોતરાયો છે તે શહેરના મોટા દરવાજાની જમણી તરફ કિલ્લાની દીવાલમાં ચણેલી છે. જે શિલાનું માપ ૭૫ સે.મી. x ૬૭.૫ સેમી. છે. નીચેના ભાગમાં ૧૨.૫ સે.મી. જગ્યા ખાલી છે. ઉપરના ડાબી તરફના ખૂણામાં એક ટુકડો ભાંગી ગયો છે. લેખના અંતે જમણી તરફના ભાગ વધુ નુકસાન પામેલા હોઈ, નીચેના ભાગમાં પંક્તિઓનો જમણી તરફનો ભાગ વાંચી શકાતો નથી. લેખની લિપિ ૧૩મી સદીની નાગરી અને ભાષા સંસ્કૃત છે. મૂળાક્ષરોમાં વ ને સ્થાને 3 નો પ્રયોગ થયો છે, જેમકે કવો: (પં. ૨૦)
શ્રીધર પ્રશસ્તિનો આરંભ શિવની સ્તુતિથી કરવામાં આવ્યો છે. એમાં શિવનું પર બ્રહ્મ સાથેનું અભિજ્ઞાન કરવામાં આવ્યું છે. એનો મુખ્ય વિષય દેવપટ્ટનમાં ઘણાં મંદિર બાંધનાર વસ્ત્રાકુલ વંશના પ્રતિનિધિ શ્રીધરની પ્રશસ્તિ કરવામાં આવી છે. ત્યાર બાદ સોમનાથ મંદિર અને નગરની પ્રશસ્તિ કરવામાં આવી છે. ભૂમિથી ઊર્ધ્વગુલ એવું સોમનાથ મંદિર અનન્ય સાધારણ શોભા ધારણ કરતું હતું. જલધિની સંનિધિમાં પુરાતન કાલમાં અસહ્ય ક્ષયરોગથી પીડાતા ઇન્દુએ મુક્તિ માટે સોમનાથ મંદિર અને નગરની પ્રશસ્તિ કરી.
સોલંકી કુલના મૂલરાજ ૧લાથી ભીમદેવ રજા સુધીના રાજાઓનું વર્ણન આ શિલાલેખોમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે નૃપ ભીમદેવ રજાના રાજપુરુષોમાં આદર પામેલા શ્રીધરના પૂર્વજોનું વર્ણન આવે છે. શ્રીધરનો વંશ વસ્ત્રાકુલ વંશથી ખ્યાતિ પામેલો હતો. આ વંશનું વૈદિક ગોત્ર શાંડિલ્યના ગોત્રનું હતું. આ વંશના મહાન ધર્મી જોશી ઊયા ભટ્ટ વડનગરમાં નિવાસ કરતા. એ રાજજોશીના આશીર્વાદથી મૂળરાજ ૧લાએ ઇન્દ્રના વક્ષ:સ્થળમાં ઈર્ષા ઉપજાવે એવું શત્રુઓથી મુક્ત ચિરકાળ સુધી રાજય કર્યું. ઊયા ભટ્ટના ત્રણ પુત્રો માધવ, લૂલ અને ભાભને અનેક સખાવતોની દેખરેખ તેમજ વાપી, કૂપ, તડાગના ખોદકામ, કુષ્ટિમ (આશ્રય ગૃહ), વિદ્યા, મઠ, પ્રાસાદ, સત્રાલય, સૌવર્ણછાજ દંડ, કમાનો, બજારો, નગરો, ગામો, પ્રપા અને મંડપનાં બાંધકામ સોંપ્યાં હતાં (શ્લો. ૯-૧૦). ચામુંડારાજે પિતાના મિત્ર મહામંત્રી માધવને કન્ટેશ્વર ગ્રામ દાનમાં આપ્યું (શ્લો, ૧૨). લૂલનો પુત્ર ભાભ ભીમદેવ ૧લાને મિત્ર હતો. એનો પુત્ર કુમારપાલ રાજાનો સચિવ હતો (ગ્લો. ૨૫). રોહિણી સાથેના લગ્ન બાદ વલ્લને ચંદ્ર સમાન પોતાના વંશને વિકસાવનાર અને રાજા ભીમદેવ રજાના રાજપુરુષોમાં સમ્માન પામેલ શ્રીધર નામે પુત્ર થયો (ગ્લો. ૨૬, ૨૭) “એ કાંતિમાં ચંદ્ર સમાન, વૃત્તિમાં સાગર સમાન, પ્રભવવિધિમાં બ્રહ્માસમાન, કીર્તિમાં રામ સમાન અને રૂપ-સૌંદર્યમાં કામદેવ સમાન હતો. એ સૌજન્યમૂર્તિ, સત્ત્વશાળી અને એના હૃદયમાં પુરાણા-પુરુષની ચેતના હતી, એ શ્રીધર હોવા છતાં વૈકુંઠ નહોતો, સર્વજ્ઞ હોવા છતાં નિર્ગુણ નહોતો, ઈશ્વર હોવા છતાં કામનો શત્રુ નહોતો.” (શ્લો. ૨૯-૩૧). એ વીર હતો, ઉદાર હતો, સુચરિત અને સુભાગ્યવાળો હતો.
તાર્મિવનવંદfમ: સંધ્યામિવિ વાર: | :
श्रीधरः शोभते शश्वल्लोकव्याप्येकदीपकः ॥४१॥ ‘ભુવનમાં વંદનીય સંધ્યાઓ વડે જેમ દિવસ શોભે છે, તેમ શાશ્વત લોકવ્યાપી અદ્વિતીય દીપક સમાન શ્રીધર શોભે છે.”
‘શ્યામ તમાલ વૃક્ષોના વન સમાન માળવાના યુદ્ધના માતંગોના ગણથી કંપિત દેશને શ્રીધરે તેના મંત્રબળથી પુનઃ સ્થિર કરી નિજ બળથી દેવપત્તન (સોમનાથ પાટણ)નું રક્ષણ કર્યું (શ્લો. ૪૨).' વીર હમીર ઘણું કરીને મુસલમાન સેનાપતિ હતો અને એક કરતાં વધારે વખત ચઢાઈ કરીને ભીમદેવના સમયમાં ટૂંક સમય
સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ ૪૩
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે જીત મેળવી હશે અને શ્રીધરે તેના સૈન્યને હરાવ્યું હોવાનું જણાય છે. વળી દુર્ગના દર્પરૂપ શ્રીધરે વીર હમ્મીરના સૈન્યને તૃણ સમાન કરી નાંખ્યું (શ્લો. ૪૩). પોતાના માતાના શ્રેય માટે રોહિણીસ્વામી નામે કૃષ્ણનું મંદિર અને પિતા વલ્લના નામથી એક શિવાલય બંધાવ્યું (ગ્લો. ૪૪). શ્રીધરની ત્રણ પત્નીઓ સાવિત્રી, લક્ષ્મી અને સૌભાગ્યદેવી નામે હતી.
શ્રીધરના વસ્ત્રાકુલ વંશના પૂર્વજોની વંશાવળી
ઊયા ભટ્ટ
માધવ
લૂલ
ભાભ
શોભ
:
વલ્લ =રોહિણી,
શ્રીધર =સાવિત્રી, લક્ષ્મી અને સૌભાગ્યદેવી શિલાલેખમાંની મિતિ વિ.સં. ૧૨૭૩, વૈશાખ સુદિ ૪, શુક્રવારની છે. એ દિવસે વર્ષગણનાની ચૈત્રાદિ પદ્ધતિ પ્રમાણે ૨૨ એપ્રિલ, ઈ.સ. ૧૨૧૬ આવે (L.D. Swamikannu Pillai, An Indian Ephemeris, Vol. IV, Delhi, 1982, p. 84) ૩. ભીમદેવ રજાનો વેરાવળ શિલાલેખ :
આ શિલાલેખ જૂનાગઢ જિલ્લાના વેરાવળમાં ફોજદારના મકાનમાં આવેલો છે. એનું માપ પર.૫ સેમી. x ૪૨.૫ સેમી. છે. ૪૫ પંક્તિમાં કોતરાયેલ આ લેખની ભાષા સંસ્કૃત અને લિપિ દેવનાગરી છે. અંતિમ આઠ પંક્તિઓના અક્ષર તદ્દન ઘસાઈ ગયા હોવાથી વાંચી શકાતી નથી.
આરંભમાં સોમેશ્વર દેવ અને સરસ્વતીની સ્તુતિ કરવામાં આવી છે. ત્યારબાદ તપોનિધિ વિશ્વેશ્વરરાશિની પ્રશસ્તિ કરવામાં આવી છે. તેઓ શિવનો એક અંશ ગણાતા. સોમનાથ મંદિરના સંરક્ષણમાં તેમનો વિશેષ ફાળો હતો. શિવ સમાન પ્રભા અને ચંદ્રકળાવાળા, સૂર્ય સમાન તેજસ્વી અને અપ્રતિમ રૂપવાળો દેહ ધરાવતા તે વિશ્વેશ્વર રાશિએ ત્રણ શક્તિ-પ્રભાવ, મંત્ર અને ઉત્સાહ-સમાન પ્રતાપદેવી (ભાવ બૃહસ્પતિની પુત્રી)ને પત્ની તરીકે ગ્રહણ કરી. કુમારપાલના અવસાન બાદ એના અનુગામી અજયપાલની વિનંતીથી વિશ્વેશ્વર રાશિએ શ્રી સોમની સ્થિતિનો ઉદ્ધાર કર્યો ત્યારે રાજાએ એમને ગંડના પદ પર સ્થાપિત કર્યા.
ભીમદેવ ૨ જાના સમયમાં જગદેવ પાસે વિશ્વેશ્વર રાશિએ સોમનાથનો મેઘનાદ નામે પ્રાસાદ કરાવ્યો.
વિશ્વનાથમાંથી અવતરેલો તપનો નિધિ, પૂર્વના સંસ્કારથી ચૌદ વિદ્યામાં નિપુણતા પ્રાપ્ત કરનાર અને મહાકાલદેવના મઠોના ભક્તોનો શિષ્ય તપ માટે અવન્તિ ગયો, શાશ્વત સુખરૂપ શ્રેષ્ઠ અવિનાશી તત્ત્વ સાથે પોતાની એકતા વિશે કઠિન ધ્યાન ઘણાં વર્ષો સુધી કર્યું.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૪૪
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. વાઘેલા રાજા સારંગદેવના સમયની સિન્ટ્રા(પોર્ટુગલ)માંની દેવપત્તન પ્રશસ્તિ : વિ.સં. ૧૩૪૩ (ઈ.સ. ૧૨૮૭)
આ પ્રશસ્તિની એક નકલ ચાર્લ્સ વિલ્ફિન્સના ભાષાંતર સાથે Travels in Portugal (1798)માં પ્રથમ પ્રસિદ્ધ થઈ હતી. ડૉ. બર્જેસે આર્કિયોલોજિકલ સર્વે ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા (૧૮૭૯), નં. ૯, પૃ. ૧૦૪માં ડો. ભગવાનલાલ ઇન્દ્રજીના સંસ્કૃત પાઠ સાથે પ્રશસ્તિનો ટૂંક સાર આપી પ્રસિદ્ધ કરી હતી. લેખ લાંબા લીસા કાળા પથ્થર પર કોતરેલો છે. તેનું માપ ૧૦૫ સેમી. * ૫૦ સેમી. છે. લેખમાં ૬૬ પંક્તિઓ
લેખનો મુખ્ય વિષય ત્રિપુરાન્તક નામના શૈવ સાધુએ સોમેશ્વરના મંડપની ઉત્તરે પાંચ શિવાલય કરાવ્યા તેને લગતો છે, આ પાંચમાં ૧. પોતાની માતા માલ્ડણદેવીના નામથી માલ્હણેશ્વર, ૨, ઉમાપતિગંડબૃહસ્પતિના નામનું શિવાલય, ૩. બૃહસ્પતિનાં પત્ની ઉમાના નામથી ઉમેશ્વર, ૪. પોતાના નામ પરથી ત્રિપુરાંતકેશ્વર અને પ. પોતાનાં પત્ની રમાના નામ પરથી રમેશ્વર. આ પાંચેના વચલા ભાગમાં ગૌરક્ષક (ગોરમ)નું, ભૈરવનું, હનુમાનનું, સરસ્વતીનું અને સિદ્ધિવિનાયકનું એમ સ્થાન કરાવ્યાં અને ઉત્તરના કાર સામે સુંદર સ્તંભો ઉપર તોરણ કરાવ્યું. આ મંદિરોના નિભાવ માટે-નિત્યપૂજા જાતે અને બીજાઓ પાસે લાગી અપાવી કરાવી.
લેખના આરંભમાં શિવ અને ગણપતિની સ્તુતિ કરવામાં આવી છે. ત્યાર બાદ વાઘેલા રાજા વિશ્વમલ્લ (વીસલદેવ ઈ.સ. ૧૨૪૩-૧૨૯૭) અને તેની રાણી નાગલ્લદેવી, નાનો ભાઈ પ્રતાપમલ્લ, પ્રતાપમલ્લનો પુત્ર રાજા અર્જુનદેવ અને એના પુત્ર સારંગદેવની પ્રશસ્તિ રજૂ કરવામાં આવી છે. વિશ્વમલ્લના પરાક્રમ અને વીરતાનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છે.
श्रीविश्वमल्ल इति भूपतिमौलिरनं
चौलुक्यवंशमतंसयति स्म जिष्णुम् । यस्य द्विधारमपि संयति मंडलान
मारादमस्त शतधारमरातिवर्गः ॥ ८
‘પૂર્વે, ભૂપતિઓનો મુકુટમણિ જયશાલી શ્રી વિશ્વમલ ચૌલુક્ય વંશનો અલંકાર હતો, જેની બે ધારી ખઞને શત્રુઓ યુદ્ધમાં અનેક ધારવાળી માનતા.'
आबद्धमूलमभितः क्षितिपाद्रिजात
मुन्मूलयन् कुलिशवंशभुवा भुजेन । सत्त्वस्य य: किमपि धाम जनेन राज
___ नारायणेति जगदे जगदेकनाथः ॥५॥
ચારે બાજુ મૂળ નાંખી રહેલા પર્વત જેવા રાજાઓને વજ સમાન ભુજ વડે ઉખેડી નાખતો એ સત્ત્વશાળી, જગતનો એક નાથ “રાજનારાયણ' કહેવાયો.”
અર્જુનદેવનું સુંદર વર્ણન ઉપમા અને શ્લેષ દ્વારા કવિએ કર્યું છે : राकानिशाकरसनाभिगुणाभिरामो
दामोदरांश इव विक्रममांसलश्रीः । भूपालमौलिमणिरर्जुनदेवनामा
कामा नीमिव धनानि थरामदुग्ध ॥१०॥ સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ ૪૫
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પૂર્ણ ચંદ્રના જેવા ગુણથી આનંદદાયક, દામોદરના અંશ જેવા, પરાક્રમથી યશસ્વી થયેલા ભૂપતિઓના મુકુટમણિ એવા અર્જુનદેવે કામધેનુની જેમ પૃથ્વીને દોહીને ધન મેળવ્યું.'
પાશુપત સંપ્રદાયના સ્થાપક, કાયાવરોહણમાં વસવાટ કરનાર લકુલીશના ચાર શિષ્યો કુશિક, ગાગ્યે, કૌરુષ અને મૈત્રેય થયા. ગાર્ગેય ગોત્રના અલંકાર સમા કાર્તિકરાશિ સ્થાનાધિપતિ (મઠાધિકારી) હતા. એમના અનુગામી વાલ્મીકિરાશિ હતા જે નિર્મલ ચિત્ત સમાન વિમલ પદન્યાસ વડે વાણીને અને તીર્થ પદવીને પાવન કરતા. તેમના શિષ્ય ત્રિપુરાંતક હતા, જેમની પ્રશસ્તિ સારંગદેવના સમયમાં કોતરાઈ. તરુણ વયે તેઓ સત્પુરુષોના ઉપદેશક નિમાયા હતા. હિમાલય, કેદાર, પ્રયાગ, નર્મદા, ગોદાવરી, ત્ર્યંબક, રામેશ્વર સુધી ત્રિપુરાંતકે યાત્રા કરી અને પશ્ચિમમાં પ્રભાસપાટણ આવ્યા હોવાનું તીર્થયાત્રા વર્ણનમાં જણાવાયું છે. ત્રિપુરાંતકે સોમનાથમાં પાંચ દેવળો બંધાવ્યાં, પાંચ મૂર્તિની પ્રતિષ્ઠા કરી. અને બે સ્તંભના આધારવાળું તોરણ રચાવ્યું. પોતે બંધાવેલાં મંદિરોની પૂજા અર્થે ત્રિપુરાન્તકે ઘણાં દાનો આપ્યાં. દેવોની શુદ્ધિ માટે કાવડ જળ નૈવેઘ અન્ન, પ્રતિમાસ ૮ દ્રમ્મ ચંદનકાઇ ખરીદવા આપવાનું નક્કી કર્યું. માળીઓના મંડળે પ્રતિદિન ૨૦૦ શ્વેત કમળ અને ૨૦૦૦ સુગંધિત કનેરનાં પુષ્પ આપવાના, ૨ મણક (૧૦ મણ) ચોખા, એક માણક (૫ મણ) મગ, ચાર કર્ષ ઘી અને તેલ, પાંચ સોપારી, ગુગળ, ૫૦ નાગરવેલનાં પાન, મંદિરને આપવાં. કોઠારીએ પશુપાલને પ્રતિદિન એક મણ ચોખા અને બે પલ્લિકા મગ, બે કર્ષ ધી આપવાં.
મંદિરોની સેવા કરતા બટુકના પાલન માટે પ્રતિ માસ ૯ દ્રમ્સ અપાવ્યા. પૂજા અર્થે આવનાર પશુપાલને પ્રતિમાસ ૧૫ દ્રમ્ભ અપાવ્યા. મહાજનોએ ચૈત્ર અને ભાદ્રપદ પૂર્ણિમાના ઉત્સવ સમયે પવિત્રક અને વિસ્તરણ ક્રિયા માટે દરેક હાટમાંથી એક દ્રષ્મ આપ્યો. ત્રણ શુદ્ધ મનના વેપારીઓએ નિત્ય જાતેજ શ્રી સોમનાથ પ્રભુના ત્રણ રાજપાટિકામાં હાર, શ્રીફળ અને મુલાયમ વસ્ત્રોની જોડ શિવરાત્રિના ઉત્સવ સમયે આપવાં.
પ્રશસ્તિનો રચયિતા બંધનો પુત્ર ધરણીધર હતો. પૂર્ણસિંહના પુત્ર મંત્રી વિક્રમે લેખ લખ્યો હતો. શિલ્પી પૂણસીહ નાહડના પુત્રે કોતર્યો હતો. લેખની મિતિ વિ.સં. ૧૩૪૩ ની માઘ શુદિ ૧૫ને સોમવારની છે. એ દિવસે ઈ.સ. ૧૨૮૭ ના જાન્યુઆરી માસની ૨૦ મી તારીખ આવે (An Indian Ephemeris, Vol. IV, p. 176).
આમ સોમનાથ પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ પરથી ભારતનાં શૈવતીર્થોમાં સોમનાથનું શિવમંદિર અગ્રસ્થાને હોવાનું અને પ્રભાવશાળી તીર્થના પરિસરમાં પ્રસિદ્ધ પાશુપત આચાર્યોએ અનેક મંદિરો બનાવ્યા હોવાની સ્થાપત્યકીય માહિતી પ્રાપ્ત થાય છે. એ દૃષ્ટિએ શિલાલેખો ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના અધ્યયનની સામગ્રી માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
૨.
3.
૪.
પાદટીપ
૧.
A Collection of Prakrit and Sanskrit Inscriptions, (CPSI.), Pub. The Bhavnagar Archaeological Dept., Bhavnagar, pp. 186 ff.; ગિ.વ. આચાર્ય, ‘ગુજરાતના ઐતિહાસિક લેખો', (ગુઐલ.) ભા.૨, મુંબઈ, નં. ૧૫૫
Epigraphia Indica, Vol. II, Calcutta, 1894, pp. 437 ff; ગુઐલે., ભા.૨, નં. ૧૬૩ CPSI., pp. 208 ff., ગુઐલે., ભા.૨, નં. ૨૦૪
Epigraphia Indica, Vol. 1, pp. 271 ff; ગુઐલે. ભા.૩, નં. ૨૨૨
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ રૂ ૪૬
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય અને અભિલેખોમાં ઉલ્લેખિત અણહિલપુરના લુપ્ત પ્રાસાદો એક શોધપત્ર
પ્રા. ડૉ. લલિત એસ. પટેલ મધ્યકાલીન ગુજરાતની પ્રસિદ્ધ રાજધાની પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર વનરાજ ચાવડાએ સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં કરી હતી. પરંતુ અઘતન સંશોધન અનુસાર એના પછી લગભગ ૯૪ વર્ષે એટલે કે વિ.સં. ૮૯૬માં સ્થાપના થઈ હતી તેમ માલૂમ પડે છે.'
વનરાજ ચાવડાએ પોતાના સહાયક અણહિલ નામે ભરવાડના નામે આ નગર વસાવ્યું, એવી સામાન્ય માન્યતા છે. પણ જિનપ્રભસૂરિ એમના પ્રાકૃત ‘વિવિધ તીર્થકલ્પ'માં જે માહિતી આપે છે તે પ્રમાણે લાખારામ નામે પ્રાચીનતમ ગામની જગ્યાએ અણહિલપુર પત્તન વસ્યું હતું. ત્યાં એ ચાવડા વંશનું રાજય વિ.સં. ૯૮ (ઈ.સ. ૯૪૨) સુધી રહ્યું. ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહનો વધ કરી મૂળરાજ સોલંકીએ સ્થાપેલ સોલંકી વંશનું શાસન વિ.સં. ૧૩૦૦ (ઈ.સ. ૧૨૪૪) સુધી રહ્યું. આ સમયે અણહિલવાડ પાટણનું નાનું રાજય પશ્ચિમ ભારતનું વિશાળ રાજય બન્યું. એ પછી ત્યાં વાઘેલા-સોલંકી વંશનો રાજા વિસલદેવ સત્તારૂઢ થયો. આ વંશની સત્તા વિ.સં. ૧૩૬૦ (ઈ.સ. ૧૩૦૩-૦૪) સુધી પ્રવર્તી. આ રીતે પાંચ-છ શતાબ્દી કરતાં વધારે સમય સુધી આ નગર ગુજરાતનું રાજકીય, વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું. ત્યારબાદ દિલ્હીની ખલજી સલ્તનતની અને ત્યારબાદ તુઘલક સલ્તનતના નાઝિમોની સત્તા પાટણમાં પ્રવતી . ૧૫મી સદીના આરંભમાં એટલે કે ઈ.સ. ૧૪૦૩માં નાઝિમ મુઝફફરખાનના પુત્ર મહંમદશાહે આશાવલમાં પોતાની સ્વતંત્ર સલ્તનત સ્થાપી, પરંતુ તે બે-ત્રણ માસમાં અવસાન પામ્યો. પછી ઈ.સ ૧૪૦૭માં તેના પિતા મુઝફરખાને સુલતાન મુઝફ્ફરશાહ તરીકે પોતાની સત્તા સ્થાપી. ત્યારબાદ તેનો પૌત્ર અહમદશાહ ગાદીએ આવ્યો તેણે આસાવલ પાસે અમદાવાદની સ્થાપના કરી અને રાજધાની પાટણથી ખસેડી અમદાવાદ બનાવી (ઈ.સ. ૧૪૧૧). આ રીતે ઈ.સ. ૮૪૦ થી ૧૪૧૧ સુધી અર્થાત પોણા છસો વર્ષ સુધી અણહિલવાડ પાટણ ગુજરાતની રાજધાની રહી. આ સમય દરમ્યાન પાટણમાં અનેક ભવ્ય સ્થાપત્યકીય સ્મારકોનું નિર્માણ થયું. હાલમાં તે સ્મારકો પૈકી રાણકીવાવ અને સહસ્ત્રલિંગ સરોવર જેવા જળાશયોના અવશેષ બાકી રહ્યા છે.
જ્યારે જુદા જુદા રાજવીઓ દ્વારા સ્થાપિત અનેક રાજપ્રાસાદો અને દેવપ્રાસાદો નામશેષ (લુપ્ત) થયેલા છે. તે સમયે સ્થાપેલ વિપુલ સમકાલીન સાહિત્ય અને અભિલેખોમાં આવતા ઉલ્લેખ ઉપરથી પાટણના આવા અનેક પ્રાસાદોની માહિતી મળે છે, જે એક સમયે પાટણની ભવ્યતામાં વધારો કરતા હશે.
સાખડ ભરવાડના પુત્ર અણહિલ ભરવાડે બતાવેલ ભૂમિ ઉપર વનરાજે અણહિલપુર નામનું નગર વસાવી વિ.સં. ૮૦૨ના વર્ષમાં વૈશાખ સુદ-૨ને વાર સોમવારે જાલવૃદ્ધાના મૂળ ઉપર બંધાવેલ ધવલગૃહમોટામહેલ–માં પોતાનો રાજયાભિષેક કરાવ્યો હતો. ધવલગૃહ એટલે રાજપ્રાસાદ અથવા રાજમહેલ. પોતે રાજા બનશે એવું ભવિષ્ય ભાખી આશરો આપનાર ગુરુ શીલગુણસૂરિને પંચાસર ગામથી પોતાના મહેલમાં પધરામણી કરાવી અને પોતાના રાજ્ય સિંહાસન ઉપર બેસાડી સઘળું રાજ્ય શીલગુણસૂરિના ચરણે અર્પણ કરવા માંડ્યું, પરંતુ સૂરિએ તેનો ઇન્કાર કરતાં તેમની આજ્ઞાથી પંચાસરમાં ભગવાન પાર્શ્વનાથજીનું ભવ્ય ચૈત્ય બંધાવ્યું. તેમાં વનરાજે પોતે આરાધના કરતો તેની સામે ઊભો હોય એ મુદ્રામાં પોતાની પ્રતિમા કરાવી, સ્થાપના કરી. પંચાસરનું તે જિનાલય કાળક્રમે નાશ પામતાં ભગવાન પાર્શ્વનાથની તથા વીર વનરાજની તે પ્રતિમાઓ હાલના પાટણમાં આવેલ પાર્શ્વનાથ જિનાલયમાં સ્થાપિત કરી હોવાનું કહેવાય છે. ધવલગૃહમાં વનરાજે કંઠેશ્વરી દેવીનો પ્રસાદ પણ કરાવ્યો હતો.' * અધ્યક્ષ, ઈતિહાસ વિભાગ, આર્ટ્સ કૉલેજ, પાટણ
સાહિત્ય અને અભિલેખોમાં ઉલ્લેખિત અણહિલપુરના લુપ્ત પ્રાસાદો : એક શોધપત્ર | ૪૭
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનરાજના પુત્ર યોગરાજે ભટ્ટારિકા યોગીશ્વરીનું મંદિર પાટણમાં બંધાવ્યું હતું. ચાવડા વંશના જ ચાહડે કર્કરાપુરીમાં ચાહડેશ્વર (ચાગડેશ્વર) અને કંટેશ્વરી પ્રાસાદ બંધાવ્યા હતા તેવું પ્રબંધચિંતામણિમાં જણાવ્યું છે. અણહિલપુર પાટણમાં ચાહડેશ્વરનું મંદિર અસ્તિત્વમાં હતું. રાજા ભૂયડે અણહિલપુર પાટણમાં ભૂયડેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આ રાજાએ નગરને ફરતો પ્રાકાર (કોટ) પણ કરાવ્યો હતો.
સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પહેલાએ અણહિલપુરમાં મૂલદેવ સ્વામીનું મંદિર બંધાવ્યું હતું. મૂલરાજ દર સોમવારે શ્રી સોમેશ્વર પાટણની જાત્રા કરવા જતો હતો, તેથી તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા સોમનાથ મહાદેવે ઉપદેશ આપ્યો અને પોતે સાક્ષાત મંડલી નગરમાં પધાર્યા, પછી મૂલરાજની ભક્તિ જોઈ વચન આપ્યું કે હું સમુદ્ર સાથે પાટણ આવીશ અને તેમ થતાં શિવ સાથે સાગર આવવાથી પાટણનાં બધાં જળાશયોમાં પાણી ખારાં થઈ ગયાં. આના પરિણામે મૂલરાજે ખુશ થઈ અણહિલપુરમાં આવેલ સોમેશ્વર માટે ભક્તિપૂર્વક ત્રિપુરુષ પ્રાસાદ” નામનું મંદિર બંધાવ્યું. આ પ્રાસાદના પ્રબંધ માટે કંથડી મહારાજને વિનંતી કરી, એ તપસ્વીએ તે કર્તવ્ય પોતાના શિષ્ય વયજલ્લદેવને સોંપ્યું. રાજાએ જાગીર, શ્વેતછત્ર તથા ઉત્તમ ચંદનાદિ પદાર્થોના પ્રબંધ સાથે એ પદ પર વયજલ્લદેવની નિયુક્તિ કરી.
આ સિવાય મૂલરાજે પોતાના પિતામહ મુંજાલદેવના નામથી શ્રી મુંજાલદેવ પ્રાસાદ નામે શિવાલય પણ બંધાવ્યું હતું. તેણે પાટણમાં “મૂલરાજ વસરિકા' નામનું જૈન ધર્મસ્થાન પણ બંધાવ્યું હતું અને તેના પુત્ર ચામુંડે વીરગણિ નામના જૈન સાધુનો આચાર્ય મહોત્સવ મોટા આડંબરથી કર્યો હોવાની દંતકથા છે.”
મૂલરાજના પુત્ર રાજા ચામુંડરાજે પત્તનમાં ચંદનાથદેવ અને ચારિણેશ્વરના મંદિર કરાવ્યા હતા. રાજાની બહેનનું નામ “વાચિણી હતું તેથી બીજા મંદિરનું નામ “વાચિણીશ્વર' હોવાનો સંભવ છે.
રાજા દુર્લભરાજે અણહિલપુર પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું. આ દુર્લભ સરોવરના સ્થાને સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવર બનાવ્યું હોવાની પ્રબળ માન્યતા છે. તેણે પાટણમાં વ્યયકરણ શાળા તથા હાથીઓ બાંધવા હસ્તિશાલા પણ બનાવેલ. તેણે સાત માવનો ધવલગૃહ રાજપ્રાસાદ બનાવ્યો હતો. આ રાજપ્રાસાદમાં સમય જોવા માટે ઘટીકા સ્તંભ બનાવ્યો હતો. આ ઘટીમાસ્તંભ એ વૈજ્ઞાનિક બાંધકામ ગણાય. આ સિવાય તેણે પોતાના સ્વર્ગસ્થ ભાઈ વલ્લભરાજના શ્રેયાર્થે મદનશંકર પ્રાસાદ કરાવ્યો હતો.'
રાજા ભીમદેવ ૧ લાના સમય (ઈ.સ. ૧૦૨૨-૧૦૬૪) દરમ્યાન સોલંકી રાજ્યમાં અનેક ભવ્ય પ્રાસાદ બંધાયા. આ રાજાને મૂળરાજ નામે કુંવર હતો, તેણે દુષ્કાળના વર્ષમાં ખેડૂતોનું મહેસૂલ છોડી દીધું અને તે અચાનક અવસાન પામ્યો. બીજા વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતોએ રાજાને પાછલા વર્ષનું પણ મહેસૂલ . આપવા માંડ્યું. રાજાએ તેમાં પોતાના ખજાનામાંથી દ્રવ્ય ઉમેરી કુમાર મૂળરાજના શ્રેય અર્થે અણહિલપુર પાટણમાં ત્રિપુરુષ પ્રાસાદ બંધાવ્યો, વળી, એણે ત્યાં ભીમેશ્વર નામે શિવનો તથા ભટ્ટારિકા ભિરૂઆણી નામે દેવીનો પ્રાસાદ કરાવ્યો. ભીમદેવની રાણી ઉદયમતિએ અણહિલપુર પાટણમાં એક સુંદર વાવ બંધાવી જે હાલમાં ‘રાણકીવાવ'ના નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. રાજાના મહામંત્રી દામોદરે એક સુંદર કૂવો બંધાવ્યો જે દામોદર કૂવા તરીકે જાણીતો હતો. તેના ઉપરથી ગુજરાતમાં એક કહેવત છે કે, “રાણકીવાવ ને દામોદર કૂવો, જેણે ના જોયો તે જીવતો મૂઓ.'
રાજા કર્ણદેવે (ઈ.સ. ૧૦૬૪-૧૦૯૪) પત્તનમાં શ્રી કર્ણમેરુપ્રસાદ બંધાવ્યો હતો. તેના મંત્રી શાજૂએ અહી વસહિકા કરાવી હતી."
સિદ્ધરાજ જયસિંહનો સમય અણહિલપુર પાટણની જાહોજલાલીનો સમય હતો. તેના સમયમાં તેણે ગુજરાતભરમાં અનેક ભવ્ય વાસુકૃતિઓ કરાવી ગણાય છે. એણે મહાલય, મહાયાત્રા, મહાસ્થાન, અને
પથિક : જાન્યુઆરી – જૂન, ૨00૫ ૪૮
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાસર કરાવી અપૂર્વ કીર્તિ પ્રાપ્ત કરી હતી. સિદ્ધપુરનો રૂદ્રમહાલય, સોમનાથની મહાયાત્રા અને અણહિલપુર પાટણનું સહસ્ત્રલિંગ સરોવર તેના સમયના પ્રસિદ્ધ સુકૃત છે. સહસ્ત્રલિંગ સરોવરનું વર્ણન શ્રી રામલાલ ચુ. મોદીએ તથા શ્રી કનૈયાલાલ ભા. દવેએ વિગતથી કરેલ છે. વડોદરા રાજયના પુરાતત્ત્વ ખાતાએ ઉત્નનન દ્વારા સહસ્ત્રલિંગ સરોવર વિશે ઘણી બાબતો પ્રકાશમાં આણી છે. આ સરોવરના કાંઠે ૧૦૦૮ શિવલિંગની દેરીઓ હતી. એક બાજુ શેષશાયી વિષ્ણુનું મંદિર હતું. પશ્ચિમમાં દેવીનાં ૧૦૮ મંદિર હતાં. એક દશાવતારનું મંદિર હતું. દક્ષિણમાં પ્રાપ્ય સોમનાથનું મંદિર હતું. આ સિવાય તેના કિનારે નકુલીશ, વિનાયક, કાર્તિકેય, મહાકાલ વગેરેનાં મંદિર હોવાનું પ્રબંધકારોએ નોંધ્યું છે. સરોવરની મધ્યમાં વિધ્યવાસિની દેવીનું ઉત્તુંગ મંદિર હતું. સરસ્વતી પુરાણમાં આ જળાશયનું વિગતવાર વર્ણન કરેલ છે. હેમચંદ્રાચાર્યે ‘યાશ્રય' મહાકાવ્યમાં પણ આ સરોવરનું વર્ણન કરેલ છે. સિદ્ધરાજના સમયમાં અણહિલપુરમાં વસાહ આભેડ અનેક નવાં ધર્મસ્થાન બનાવેલાં તેમજ પ્રાચીન ધર્મસ્થાનોનો જીર્ણોદ્ધાર કરાવેલો. તેમાં પાટણના કોઈ પ્રાસાદ કે પ્રાસાદોનો સમાવેશ થયો હશે,
રાજા કુમારપાલે (ઈ.સ. ૧૧૪૩-૧૧૭૨) પણ રાજ્યભરમાં અનેક ભવ્ય પ્રાસાદ બંધાવેલા. એ જૈન ધર્મ તરફ પરમ અનુરાગ ધરાવતો. કહે છે કે કુમારપાલે અભક્ષ્ય ભોજનના પ્રાયશ્ચિત્તરૂપે ૩૦ દાંત નિમિત્તે એક પીઠસ્થાન પર ૩૨ જૈનમંદિર બંધાવ્યાં હતાં. એક ઉંદરના મૃત્યુના પ્રાયશ્ચિત્તરૂપે “મૂષકવિહાર' બનાવરાવ્યો. એક વેપારીની પત્નીએ પોતાને રસ્તામાં ચોખાના કરંબ આપી તૃપ્ત કરેલો, તેની કૃતજ્ઞતારૂપે રાજાએ અણહિલપુર પાટણમાં “કરમ્બક વિહાર કરાવ્યો. જૂની હત્યા કરનાર એક ધનિક પાસે દંડરૂપે “યુકા વિહાર' બંધાવરાવ્યો. રાજા કુમારપાલે અણહિલપુરમાં કુમારપાલેશ્વર નામે શિવમંદિર અને કુમારવિહાર નામે જિનમંદિર કરાવ્યું હતું. રામચંદ્ર-રચિત “કુમારવિહાર શતક' કાવ્યમાં કુમારવિહારનાં ભવ્ય સ્થાપત્ય તથા સુંદર શિલ્પનું સરસ વર્ણન છે. કુમારપાલે પોતાના પિતાના નામે ત્રિભુવનપાલ વિહાર પણ બંધાવ્યો હતો. વીરાચાર્યના નામનું જિનાલય પણ તેણે બંધાવ્યું હતું.'
આ પછીના સમયમાં પાટણમાં કોઈ નવા પ્રાસાદ બંધાયા હોય તો તેની માહિતી જવલ્લે જ મળે છે. રાજ ભીમદેવ બીજાના રાજયકાલ દરમ્યાન ધોળકાના રાણા વીરધવલના મંત્રી વસ્તુપાલ તથા તેજપાલે અણહિલપુર વગેરે નગરોમાં નવાં ધર્મસ્થાન બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યા એવો વ્યાપક ઉલ્લેખ ગિરનારના શિલાલેખોમાં આવે છે. ૧૯ અરિસિંહ કૃત “સકૃતસંકીર્તન' પરથી માલૂમ પડે છે કે વસ્તુપાલ પંચાસરામાં પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. વળી, હાથીઆ વાપીની નજીકમાં આવેલા શ્રી સુવિધિનાથ તીર્થકરના મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં નવીન બિંબ સ્થાપ્યું હતું." તેજપાલે પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં મૂલનાયકની નવી પ્રતિમા પધરાવી પ્રાસાદને હેમકુંભથી વિભૂષિત કર્યો હતો. ગજથર, અશ્વથર અને નરથરની રચનાવાળો ભગવાન શાંતિનાથનો ૭ર દેવકુલિકાઓથી યુક્ત આસરાજ વિહાર કરાવ્યો હોવાનું પણ જણાય છે. તેજપાલના પિતાનું નામ આસરાજ (અશ્વરાજ) હતું. તેજપાલે આ પ્રાસાદ પર ૭૨ સુવર્ણકલશ ચડાવ્યા. એની ડાબી બાજુએ માતા કુમારદેવીના શ્રેય અર્થે અજિતસ્વામી ચૈત્ય કરાવ્યું ને તેમાં કુમારદેવીની ગારૂઢ મૂર્તિ મુકાવી. કુમારવિહાર પર સાત તામ્રકલશ ચઢાવ્યા. આહડદેવના ચૈત્યમાં મુખમંડપ કરાવ્યો ને ચૈત્યમાં નેમિનાથની ધાતુ પ્રતિમા પધરાવી. કોરંટવાલ ગચ્છના ચૈત્યમાં ચંદ્રપ્રભજિનનું બિંબ કરાવ્યું. ખંડેરવાલ ગચ્છની વસતિમાં બે તીર્થકરોની કાયોત્સર્ગ પ્રતિમા કરાવી. સાન્તુ વસતિકાનો જીર્ણોદ્ધાર કરાવી તેના પર હેમકુંભ ચઢાવ્યો. મલ્લિનાથ તીર્થંકરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વીરાચાર્ય ચૈત્યમાં ગજશાળા કરાવી તથા અષ્ટાપદાવતારનું ચૈત્ય કરાવ્યું. નાગેન્દ્ર ગચ્છના સાધુઓ માટે ત્રણ મજલાનો ઉપાશ્રય કરાવ્યો. આ વસ્તુપાલ તેજપાલે-ધવલક્ક (ધોળકા) અને સ્તંભતીર્થ(ખંભાત)ની જેમ પત્તન(પાટણ)માં સરસ્વતી-ભાંડાગાર અર્થાત્
સાહિત્ય અને અભિલેખોમાં ઉલ્લેખિત અણહિલપુરના લુપ્ત પ્રાસાદો ઃ એક શોધપત્ર B ૪૯
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથભંડાર કરાવ્યો હતો. વસ્તુપાલ ઈ.સ. ૧૨૪૦માં અને તેજપાલ ઈ.સ. ૧૨૪૮માં મૃત્યુ પામ્યા હતા. એ પછી પણ પાટણમાં કોઈ નવા પ્રાસાદ બંધાયા હશે, પણ તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ‘કીર્તિકૌમુદી' કાવ્યમાં કવિ સોમેશ્વર અણહિલપુરનું વર્ણન કરતાં લખે છે :
दत्तचित्तप्रसादेषु प्रासादेषु सदा वसन् । यत्र शम्भुर्न कैलासविलासमभिलष्यते ॥ પ્રાસાદ ચિત્તને દેતા પ્રાસાદોમાં સદા વસે. નહીં શંભુ ન ચાહે છે કૈલાસના વિલાસને. भान्ति देवालया यस्मिन् हिमालयसमश्रियः । भूतलं व्याप्य भूता(?पा)नां कीर्तिकूटा इवोद्गताः ॥ હિમાલય સમાં શોભે વ્યાપી ભૂતલને નહીં;
નૃપોના કીર્તિકૂટો શાં જાણે દેવાલયો વસે. ગુજરાતની આ ભવ્ય જાહોજલાલી ધરાવતી પ્રાચીન રાજધાની સમય જતાં ‘શ્રીપત્તન” તરીકે ખ્યાતિ પામી. વર્તમાન પાટણ નામમાં ‘પત્તન’ શબ્દ જળવાઈ રહ્યો છે. પરંતુ હાલમાં અસ્તિત્વ ધરાવતા રાણકીવાવ તથા સહસ્રલિંગ સરોવર સિવાયના તેના ભવ્ય પ્રાસાદો-રાજપ્રાસાદો તથા દેવપ્રાસાદોનું અસ્તિત્વ નથી. કાળક્રમે એ જીર્ણ થઈ પ્રાચીન નગરના ખંડેરોના નીચલા થરોમાં દટાઈ ગયેલા લાગે છે. હાલના પાટણની બાજુમાં કે જ્યાં પ્રાચીન પાટણ હોવાનું કહેવાય છે તે અનાવાડા અને તેની આસપાસનાં સ્થળોએ પુરાતત્ત્વ ખાતા તરફથી ઉખ્ખનન કરવામાં આવે, તો એ નામશેષ બનેલા પત્તનના ભવ્ય પ્રાસાદો પૈકીના કોઈ લુપ્ત પ્રાસાદના અવશેષ મળી આવે તેમ છે. વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ સહસ્રલિંગ સરોવરના સ્થળનું થોડાક સમય પહેલાં ઉત્પનન કરાવ્યું હતું અને તેના પરિણામે સરોવરમાં પાણી લાવવાની તે સમયની જે ભવ્ય યોજના હતી તે ભાગને ખુલ્લો કરેલ છે. તે જ રીતે વર્ષો સુધી રાણકીવાવ જમીનમાં દબાયેલી રહી અને ઉત્પનન દ્વારા તે વાવને સુંદર રીતે પ્રકાશમાં લાવી તેની સુંદર શિલ્પકૃતિઓ આજે પ્રજા સમક્ષ ખુલ્લી મૂકેલ છે. પાટણની પાસે વડલી ગામમાં આજે પણ પ્રાચીન પાટણમાં ઘીકાંટા' બજાર હતું તેના અવશેષો જોઈ શકાય છે. આથી જ ભારત કે ગુજરાત સરકાર ગુજરાતની આ પ્રાચીન રાજધાનીનાં ખંડેરોની સ્થળ-તપાસ કરી તેના ભૂગર્ભસ્થ અવશેષોને પ્રકાશમાં લાવે તો આપણાં પ્રાચીન સ્થાપત્યોનો ઐતિહાસિક વારસાનો વર્તમાન પ્રજાને પરિચય થાય તેમ છે.
પાદટીપ ૧. શાસ્ત્રી હરિપ્રસાદ, ગુજરાતની પ્રાચીન ઇતિહાસ, પૃ. ૨૪૨ ૨. એજન ૩. રત્નમણિરાવ જોટે, “ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ’, ઇસ્લામ યુગ, ખંડ-૧, પૃ. ૨૯૮, ૩૦૨ ૪. મેરૂતુંગ, ‘પ્રબંધ ચિંતામણિ' (સં. મુનિ જિનવિજયજી), પૃ. ૧૩ ૫. એજન, પૃ. ૧૫ ૬. સાંડેસરા ભો, જ, ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું એક ભુલાયેલું પૃષ્ઠ', ગુજરાત દીપોત્સવી અંક
સં. ૨૦૨૩, પૃ. ૭-૮ ૭. મેરૂતુંગ, પૂર્વોક્ત, પૃ. ૧૪-૧૫ ૮. હેમચંદ્રાચાર્ય, ‘યાશ્રય', પૃ. ૧૫-૧૬
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૫૦
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. મેરૂતુંગ, પૂર્વોક્ત, પૃ. ૧૭-૧૮ ૧૦. એજન, પૃ. ૧૫ ૧૧. મેરૂતુંગ, પૂર્વોક્ત, પૃ. ૨૦ ૧૨. એજન, પૃ. ૨૩ ૧૩, રસિકલાલ છો. પરીખ, ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૧૨૬ ૧૪. મેરૂતુંગ, પૂર્વોક્ત, પૃ. પપ ૧૫. સર્ગ ૧૫, શ્લોક ૧૪૪. ૧૬. મેરૂતુંગ, પૂર્વોક્ત, પૃ. ૯૧ ૧૭. ૨. છો. પરીખ, પૂર્વોક્ત, પૃ. ૧૨૭ ૧૮. મેરૂતુંગ, પૂર્વોક્ત, પૃ. ૮૭ ૧૯. આચાર્ય ગિ. વગુજરાતના ઐતિહાસિક લેખો', ભાગ ૩, લેખ નં. ૨૦૩-૨૧૨ ૨૦. સર્ગ-૧૧, શ્લોક-૨ ૨૧. મુનિ જિનવિજયજી, “પ્રાચીન જૈન લેખસંગ્રહ', ભાગ ૨, લેખ ૬૬ ૨૨. જિન હર્ષગણિ, “વસ્તુપાલ ચરિત', સર્ગ-૭. ૨૩. રાજશેખર, પ્રબંધકોશ' (સં. જિનવિજયજી), પૃ. ૧૨૯
સાહિત્ય અને અભિલેખોમાં ઉલ્લેખિત અણહિલપુરના લુપ્ત પ્રાસાદો : એક શોધપત્ર ૫૧
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોલંકીકાલની આર્થિક સ્થિતિ
ડૉ. પ્રફુલ્લા સી. બ્રહ્મભટ્ટ
ઇતિહાસ એક વિશાળ ગહન વિષય છે. આધારભૂત સાધનો વિના ઇતિહાસનું સંશોધન શક્ય નથી. ગુજરાતના ઇતિહાસમાં સોલંકીકાલ એ “સુવર્ણકાળ' તરીકે ઓળખાય છે. તેના સંશોધન માટે જે સાધનો મળી આવે છે, તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : અભિલેખો, સાહિત્ય અને પુરાતન અવશેષો. (૧) અભિલેખો :
સોલંકીકાલનો ઇતિહાસ જાણવા માટે અભિલેખો એક મહત્ત્વનું અંગ છે. તેને શિલાલેખો, તામ્રલેખો, પાષાણ-પ્રતિમાઓ અને ધાતુ-પ્રતિમાલેખોમાં વહેંચી શકાય. કેટલાક લેખોમાં મંદિર, કિલ્લા વગેરેને લગતી સુંદર પ્રશસ્તિઓનો સમાવેશ થાય છે. કેટલાક લેખોમાં વિવિધ લાગાઓની પેદાશોની માહિતી મળે છે. તે ઉપરાંત આ વંશના અમાત્યો – વસ્તુપાલ તેજપાલની પ્રશસ્તિ પણ આ લેખોમાંથી મળે છે. તે ઉપરાંત હાલના ગુજરાતની બહારના કેટલાક નજીકના પ્રદેશોનો સમાવેશ થતો હોઈ સાંચોર, ભાંડુડા (મારવાડ), કિરાડ (મારવાડ), બાલી (મારવાડ), રતનપુરા, ચિત્તોડ વગેરે પ્રદેશ-વિસ્તારના શિલાલેખોમાંથી પણ માહિતી મળે છે.' એ પ્રદેશોને સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલ જેવા રાજવીઓના વિશાળ રાજ્યની અંતર્ગત ગણાવે
(૨) સાહિત્ય :
ગુજરાતના સોલંકીયુગની સાહિત્યકૃતિઓને બે વિભાગમાં અનુક્રમે વહેંચી શકાય : (૧) સમકાલીન સાહિત્ય, (૨) અનુકાલીન સાહિત્ય. જેમાંથી તત્કાલીન સ્થિતિની વિવિધ પ્રકારની માહિતી મળે છે. સમકાલીન સાહિત્ય :
સોલંકી રાજા કુમારપાલના સમયમાં હેમચંદ્રાચાર્યે ‘શ્વાશ્રય' રચ્યું જે ૨૮ સર્ગમાં વહેંચાયેલું. જેમાં તે સમયના ઇતિહાસની પ્રમાણભૂત માહિતી તથા સિદ્ધરાજ અને કુમારપાલના જીવનચરિત્રનો પણ ખ્યાલ આવે છે. વસ્તુપાલના સમયમાં કવિ સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી', અરિસિંહકૃત “સુકૃત સંકીર્તન', બાલચંદ્રકૃત ‘વસંતવિલાસ', ઉદયપ્રભસૂરિકૃત “ધર્માલ્યુદય” અથવા “સંઘપતિ ચરિત', સર્વાનંદસૂરિકૃત ‘જગડૂચરિત' વગેરે ગ્રંથો પણ રચાયા. આ યુગ દરમ્યાન બિલ્ડણકૃત “કર્ણસુંદરી' તથા યશચંદ્રરચિત “મુદ્રિતકુમુદચંદ્ર, યશપાલકૃત “મોહરાજ પરાજય' રચાયું જેમાં સિદ્ધરાજ તથા કુમારપાલના શાસનકાળના પ્રસંગો તથા જૈન ધર્મના વાદવિવાદોનું જીવંત ચિત્ર મળે છે.
આ યુગ દરમ્યાન ઉત્તમ પ્રશસ્તિઓની રચના થઈ. શ્રીધરકૃત સહસ્ત્રલિંગ પ્રશસ્તિ, કવિ શ્રીપાલકૃત વડનગર પ્રશસ્તિ, ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ, દેવપટ્ટનની શ્રીધર પ્રશસ્તિ, સોમેશ્વરકૃત આબુપ્રશસ્તિ, ગિરનારના શિલાલેખોમાંનો ગદ્ય ભાગ, સોમેશ્વર ઉપાશ્રયની ઉદયપ્રભસૂરિકૃત પ્રશસ્તિ સુકૃત કીર્તિકલ્લોલિની, ખંભાતના ઉપાશ્રયની ઉદયપ્રભસૂરિકૃત પ્રશસ્તિ તથા તેમની વસ્તુપાલ પ્રશસ્તિ, નરેન્દ્રપ્રભકૃત વસ્તુપાલ પ્રશસ્તિ, નાનાક પ્રશસ્તિ, દેવપટ્ટનની ત્રિપુરાન્તક પ્રશસ્તિ, ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળેલ ખેલાની પ્રશસ્તિ.... સર્વ પ્રશસ્તિઓમાં કેટલીક મંદિરને લગતી જયારે કેટલીક વસ્તુપાલને લગતી છે. તેમ છતાં તેમાંથી સમકાલીન રાજકીય અને સાંસ્કૃતિક માહિતી મળે છે. તે ઉપરાંત સ્તોત્રો, પ્રબંધો, ધર્મકથાસંગ્રહો, રાસકથાઓ, અલંકારગ્રંથો, વ્યાકરણગ્રંથો, છંદશાસ.... અન્ય સાહિત્ય પણ છે. * ઇતિહાસ વિભાગ, આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, સંતરામપુર (જિ. પંચમહાલ)
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n પર
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુકાલીન સાહિત્યમાં મેરૂતુંગકૃત ‘પ્રબંધચિંતામણિ' (ઈ.સ. ૧૩૬૧), રાજશેખર સૂરિકૃત ‘પ્રબંધકોશ' (ઈ.સ. ૧૪૦૫) તથા ત્યાર પછીના સમયમાં રચાયેલા કેટલાક પ્રબંધોના સંગ્રહરૂપે બહાર પાડેલ ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જિનપ્રભસૂરિએ રચેલા વિવિધ તીર્થકલ્પમાં શત્રુંજય, અર્બુદ, રૈવતક વગેરે તીર્થધામોને લગતો વૃત્તાંત આલેખેલો છે.
ઈ.સ. ૧૩૬૬ -૧૪૬૯ દરમ્યાન સોમતિલકસૂરિ, જયસિંહસૂરિ, ધર્મરત્ન, જિનમંડનગણિ અને ચરિત્રસુંદરગણિએ કુમારપાલચરિત્ર લખ્યાં. તે ઉપરાંત કાન્હડદે પ્રબંધ, ધર્મારણ્ય માહાભ્ય, રત્નમાલા, અમીર ખુશરોનું ખઝાઈનું લુતુહ-દવલાની-વ ખિઝરખાન, ઈસામીનું ફુતુહ-ઉસ સલાતીન, ઝિયાઉદ્દીન બર્નનું તારીખ-ઈ-ફીરોજશાહી; નિઝામુદીનનું તબકાતે અકબરી વગેરે ગ્રંથોમાંથી પણ માહિતી મળે છે.
મુઘલકાલના અંત પછી રચાયેલ મિરાતે-અહમદી, મિરાતે સિકંદરી વગેરેમાંથી ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવીઓને લગતી વિગતો મળે છે. મરાઠાકાલના અંતભાગમાં રંગવિજયસૂરિએ “ગુર્જરદેશ ભૂપાવલી’ ઈ.સ. ૧૮૦૯માં રચ્યું; જેમાં મહાવીર સ્વામીના નિર્વાણથી માંડીને પોતાના સમય સુધીના ગુજરાતના રાજવીઓની વંશાવળી આપેલ છે. " (૩) પુરાતન અવશેષો (ઇમારતો) :
આ યુગના સ્થાપત્યકીય અવશેષો જેવા કે મહેલો, મંદિરો, કિલ્લાઓ, તોરણો, વાવ, તળાવ, કુંડ વગેરેનાં શિલ્પો, લેખો તથા ચિત્રકામમાંથી આ યુગની રાજકીય, સામાજિક, આર્થિક તથા સાંસ્કૃતિક સ્થિતિની માહિતી મળે છે.
આ સમય દરમ્યાન જૈન તથા શૈવધર્મનાં મંદિરો મુખ્યત્વે બંધાયાં જેમાં મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રુદ્રમાળ, આબુ-દેલવાડાનું વિમલવસહનું મંદિર, કુંભારિયાનાં જૈન મંદિરો, ગલતેશ્વરનું શૈવ મંદિર, સેજકપુર અને ધૂમલીના નવલખા મંદિરોના અવશેષો જોવા મળે છે. * આ સમય દરમ્યાન બંધાયેલ કિલ્લામાં ઝીંઝુવાડા તથા ડભોઈના કિલ્લાઓના અવશેષો હાલમાં જોવા મળે છે. તોરણોમાં શામળાજી, મોઢેરા, વડનગર, કપડવંજ વગેરે સ્થળોએ આવેલાં તોરણો આ સમયના સર્વોત્તમ નમૂના છે. આ સમયની બીજી વિશેષતા તેનાં જળાશયો જેમાં અણહિલવાડનું સહસ્ત્રલિંગ, વીરમગામનું મુનસર અને ધોળકાનું મલાવ તળાવ એ જાણીતાં છે. તે ઉપરાંત જળાશયોનો બીજો પ્રકાર છે વાવ. જેમાં પાટણની રાણીવાવ, અણહિલવાડ પાટણની બારોટ વાવ, બાયડ ગામની વાવ, નડિયાદની જૂની વાવ, કપડવંજની વાવ, વઢવાણની માધા વાવ વગેરે સોલંકીકાલ દરમ્યાન સ્થપાયેલ છે.
આમ, આ વિવિધ પ્રકારની ઐતિહાસિક સાધન-સામગ્રી વડે આપણે સોલંકીકાલની સ્થિતિનું આલેખન કરી શકીએ છીએ. અણહિલવાડ પાટણમાં સોલંકી વંશની સ્થાપના :
ગુજરાતની પ્રસિદ્ધ રાજધાની પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં થઈ જે ચાવડા વંશ, સોલંકી વંશ અને વાધેલા વંશના શાસનકાળ દરમ્યાન પાટનગર હતું. અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી. ત્યારથી સોલંકી વંશના રાજાઓએ પણ તેને પોતાની રાજધાની તરીકે સ્વીકારી. એટલે કે ચાવડા વંશની સત્તાના અંત પછી ત્યાં ચાલુક્ય (સોલંકી) વંશની સ્થાપના થઈ. મૂલરાજનું રાજ્યારોહણ વિ.સં. ૯૯૩, ૯૯૮)માં અને વિચારશ્રેણીમાં વિ.સં. ૧૦૧૭માં થયું હોવાનું જણાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહના સાંભર શિલાલેખમાંનો વધુ પ્રાચીન અને પ્રબળ ઉલ્લેખ આ પૈકી વિ.સં. ૯૯૮ના વર્ષને સમર્થન આપે છે. આ અનુસાર અણહિલવાડના સોલંકી રાજ્યની સ્થાપના ઈ.સ. ૯૪રમાં થઈ.
સોલંકીકાલની આર્થિક સ્થિતિ [ ૫૩
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોલંકી રાજ્ય એ કાલનું મુખ્ય અને સહુથી પ્રબળ રાજ્ય હતું. એના પ્રતાપી રાજાઓએ એનો રાજ્ય-વિસ્તાર હાલના ગુજરાત રાજ્યના કરતાં વધુ વિશાળ વિસ્તાર પર વિસ્તાર્યો હતો. ભાષા, સાહિત્ય, ધર્મ, કલા, ઇત્યાદિ વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ ગુજરાતે આ કાલ દરમ્યાન ગણનાપાત્ર પ્રગતિ સાધી હતી. એમાં સોલંકી રાજાઓના પ્રોત્સાહનનો વિપુલ ફાળો રહેલો છે. ઉદ્યોગ, ધંધા અને વેપાર ખીલતાં ગુજરાતમાં આર્થિક સંપત્તિ વધી હતી. આ જ સમયમાં ‘ગુર્જર પ્રદેશ’ કે ‘ગુજરાત’ નામ પણ આ પ્રદેશને મળ્યું.
પાટણના ચાવડા વંશના રાજા સામંતસિંહે સોમનાથની યાત્રાએ આવેલા ધોડેસવારીમાં નિપુણ એવા ‘રાજ’ સાથે પોતાની બહેન લીલાદેવી પરણાવી. લીલાદેવીના પુત્ર મૂળરાજ મામા સામંતસિંહ પાસેથી પાટણની રાજધાની હસ્તગત કરી અને પાટણમાં ચૌલુક્ય વંશની સ્થાપના થઈ. અને આ ચૌલુક્યનું ગુજરાતી રૂપ સોલંકી થયું. આ વંશમાં મૂળરાજ ૧ લો, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ ૧ લો, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અજયપાલ, મૂળરાજ ૨ જો, ભીમદેવ ૨ જો, ત્રિભુવનપાલ વગેરે રાજવીઓ
થયા.
સોલંકી સમયની આર્થિક સ્થિતિ :
તેની માહિતી અભિલેખો, હેમચંદ્રાચાર્યની કૃતિઓ, પ્રવાસનોંધોમાંથી સવિશેષ પ્રાપ્ત થાય છે. આ સમયે ગુજરાતમાં ખેતીવાડી, ઉદ્યોગ-ધંધા, વેપાર-વાણિજ્ય વગેરે સમૃદ્ધ હતાં. સોલંકીકાલની આર્થિક સ્થિતિનું આલેખન આ પ્રમાણે કરી શકાય.
(૧) ખેતી :
આ સમયમાં ગુજરાતની પ્રજાને ખેતી અંગેનું જ્ઞાન સારું હતું. તેઓ જમીન ખેડવા માટે લોખંડના હળનો ઉપયોગ કરતા.॰ તૈયાર થયેલા અનાજને પગથી છૂટું પાડવામાં આવતું. આ પદ્ધતિને 'પામદા' કહેવામાં આવતી.' આ કામમાં હાલની માફક બળદ અને મજૂરોનો ઉપયોગ કરવામાં આવતો હશે. ખેતરમાં તૈયાર થયેલા માલના રક્ષણાર્થે કૂતરા રાખવામાં આવતા અને પક્ષીઓથી રક્ષણ કરવા ચાડિયા’ રાખતા. પાક તૈયાર થતાં, ખેડૂત સતત ચોકી કરતો. સ્રીઓ પણ સક્રિય રહેતી. શિયાળુ, ઉનાળુ અને ચોમાસું એમ ત્રણ પ્રકારના પાક લેવાતા. ખેડૂતો વરસાદ પર આધાર રાખતા. જમીનની માપણી હળથી, બે હળથી ખેડી શકાય એ રીતે થતી. અભિલેખોમાં તેના માટે ‘તવાદ શબ્દનો પ્રયોગ છે. સિદ્ધરાજની જન્મકુંડળી કરનાર જ્યોતિષીને કર્ણે સો હળથી ખેડી શકાય, તેટલી જમીન દાનમાં આપી હતી.૧૩
જ્યાશ્રયમાં સોલંકીકાલ દરમ્યાન થતા પાક જેવા કે દૃગ, માષ, શાલિ, યવ, વ્રીહિ, અણુ, ઉમા, ભુંગા, તિલ, અમાલ વગેરેનું વર્ણન મળે છે. તે સમયે ગુજરાતમાં ઘઉં, મગ, તુવેર, અડદ, ડાંગર અને જુવાર એ ધાન્ય તથા નારંગી, લીંબુ, કેળ, કોઠા, કરમદા, ચારોળી, પીલું, કેરી, સીતાફળ, બિજોરા, ખજૂર, દ્રાક્ષ, શેરડી, ફણસ એ ફળ થતાં એમ નાભિનંદનજિનોદ્વાર પ્રબંધમાં જણાવ્યું છે.૧૪ એ ઉપરાંત સોપારી, શ્રીફળ, દાડમ, આંબળા અને બોર એ ફળ થતાં એમ પ્રાકૃત ચાશ્રયમાં જણાવ્યું છે. અન્ય સાધનો પરથી જણાય છે કે આ ઉપરાંત મસૂર, ચણા, વટાણા, તુવેર, જવ, જુવાર, તલ, બાજરી, કોદરા વગેરે પાક થતા; શેરડી, ગળી, કપાસનું વાવેતર થતું. માંગરોળ-ચોરવાડના પ્રદેશમાં નાગરવેલીનાં પાન અને સમૃદ્ધ કિનારાના પ્રદેશમાં નાળિયેરનાં વૃક્ષો થતાં.૫ ઘઉં : ગુજરાતના ખેડૂતો ઘઉંનો પાક છેક જેઠ સુદ પૂનમ સુધી લેતા. ઘઉં મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ભરૂચ અને ખંભાતની આસપાસના પ્રદેશોમાં લેતા. ચણા : આ સમય દરમ્યાન ચણાનો પાક ગુજરાતમાં સારા પ્રમાણમાં થતો. આના માટે દેશીનામમાલામાં ‘અણુઈસો' શબ્દ આપ્યો છે.૧૬ પ્રબંધ ચિંતામણિમાં કંદોઈની દુકાનનો ઉલ્લેખ આવે છે.૧૭ આ સમયે વિવિધ પ્રકારની મીઠાઈઓ બનતી હોવાનો
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ . ૫૪
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંભવ છે. એમાં ચણાનો ઉપયોગ પણ કરવામાં આવતો હશે એમ સ્પષ્ટ જણાય છે. “દેશીનામમાલા'માં શેરડીનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એમાં શેરડી માટે ત્રણ શબ્દો (૧) રંગાલી (૨) અંગાલિએ (૩) ગંડી છે. શેરડીના શબ્દ માટે “અશ્રુઅરીઠાં' શબ્દ જોવા મળે છે. આ ઉપરથી જણાય છે કે સોલંકીકાલ દરમ્યાન આ પાક થતો જ હશે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં ગળીના રંગનો ઉલ્લેખ મળે છે.૧૯ આ ઉપરથી જણાય છે કે ગળીનું વાવેતર પણ તે સમયે થતું હશે. તલનો ઉપયોગ પણ તે સમયે થતો. તેમાંથી તેલ કાઢવામાં આવતું. દ્વયાશ્રયમાં ‘તિલ' શબ્દ જોવા મળે છે. કપાસની ખેતી પણ આ સમયે સારા પ્રમાણમાં થતી હશે. કારણ કે સોલંકીકાલ દરમ્યાન પરદેશમાં ગુજરાત એના જુદા જુદા પ્રકારના વણેલા કાપડ માટે ગૌરવ ધરાવતું હતું. આથી સ્પષ્ટ જણાય છે કે ગુજરાતમાં કપાસની ખેતી સારા પ્રમાણમાં થતી હશે. ‘દેશીનામમાલામાં રૂ માટે ‘કરાઈવી૨૦ શબ્દ આપેલો છે. આ શબ્દનો અર્થ ‘રૂ ઉત્પન્ન કરતું વૃક્ષ' એમ કરવામાં આવ્યો. આથી સ્પષ્ટ થાય છે કે શીમળાના રૂનો પણ ઉપયોગ કરવામાં આવતો હશે. દેશીનામમાલામાં “એરવડ' શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. આથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં આનું ઉત્પાદન થતું હશે અને તેમાંથી દિવેલ કાઢવામાં આવતું હશે. માંગરોળની સોઢળી વાવમાંથી મળતા ઉલ્લેખ મુજબ પાનનો ઉત્તમ પાક થતો હતો. અને પ્રત્યેક ખેતરે એક કાર્દાપણ કરવેરા તરીકે લેવાતો. આ ઉપરથી અનુમાન કરી શકાય કે આ સમયે માંગરોળી પાનનો સારા પ્રમાણમાં ઉપયોગ થતો હશે. ઉદ્યોગ :
કાપડ ઉદ્યોગ : પ્રાચીનકાળથી ગુજરાત એના કાપડ ઉદ્યોગ માટે વિખ્યાત હતું એ પેરિપ્લસ આદિના ઉલ્લેખો પરથી ઇતિહાસસિદ્ધ છે. પ્રારંભમાં આ કાપડ જાડું તૈયાર થતું. પણ પછીની શતાબ્દીઓમાં કાપડની ગુણવત્તા ઘણી સુધરી હતી. ૧૩મી સદીમાં ઇટાલિયન મુસાફર માર્કો પોલો ભારતમાં આવ્યા ત્યારસુધીમાં ગુજરાતનો કાપડઉદ્યોગ પ્રખ્યાત બની ચૂક્યો હતો. માર્કોપોલોની પ્રવાસનોંધ મુજબ ખંભાત અને ભરૂચમાં અનેક પ્રકારનું કાપડ તૈયાર થતું. એ બંને બંદરોથી દેશવિદેશમાં એની નિકાસ થતી. અબુલ અબ્બાસ અલ નુવાયરી નામે એક મિસરી પ્રસિદ્ધ ભૂગોળવેત્તાએ લખ્યું હતું કે ભરૂચમાં થતું કાપડ ‘બરોજ” અથવા “બરોજી' તરીકે અને ખંભાતનું કાપડ “કંબાયતી' તરીકે જાણીતું હતું. જો કે બધા જ પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો ગુજરાતમાં તૈયાર થતાં નહોતાં. કેટલાંક આયાત પણ કરવા પડતાં.
પાટણનાં પ્રખ્યાત પટોળાં વણનાર સાળવીઓને સિદ્ધરાજ કે કુમારપાલના સમયમાં મારવાડમાંથી ગુજરાતમાં વસાવવામાં આવ્યા. કેમ કે, પટોળાની માંગ ગુજરાતમાં રહેતી અને બહારથી આયાત કરવાને લીધે તે મોંધી પડતી. રાજાઓના નિમંત્રણથી સાળવીઓને પાટણમાં વસાવવામાં આવ્યા અને તેઓને ગુજરાતમાં સ્થિર થવા માટે રાજયે મદદ પણ કરી. ૧૨ જુદા જુદા પ્રકારનાં આશરે પાંચસો વસ્ત્રોની સૂચિ ‘વર્ણક સમુચ્ચય'માં છે. એમાંનાં કેટલાંક નામ ફારસી-આરબી મૂળનાં હોઈ, મુસ્લિમ રાજયશાસનમાં પ્રચલિત થયાં હશે, પણ બીજાં અનેકનાં નામ સોલંકીકાલના જીવનનું સાતત્ય વ્યક્ત કરે છે.
ખાંડ : આ પણ એક મહત્ત્વનો ઉદ્યોગ આ સમય દરમ્યાન ખીલેલો હતો. ખાંડમાંથી ઉત્પન્ન થતી મીઠાઈઓનો ઉલ્લેખ “દયાશ્રય', પ્રબંધચિંતામણિ'માંથી મળે છે. ઉદેશીનામમાલામાં શેરડીમાંથી બનતી વસ્તુઓ બનાવવા માટે ખાસ પ્રકારના મજૂરોનું નામ ‘તુ' આપેલું છે. હેમચંદ્ર એને “ઈલ્સકર્મકરા’ એ નામે ઓળખાવે છે. આ જ ગ્રંથમાં ખાંડ બનાવવાના સાધનનું નામ પડ્યુનિપીડન” એ નામે આપવામાં આવે છે. એ સાધનો વાંસનાં બનાવવામાં આવતાં. જયારે ‘વર્ણકસમુચ્ચયમાં ગોળની નવ જાતનો, ખાંડની ચૌદ જાતનો અને સાકરની સાત જાતનો ઉલ્લેખ મળે છે. શેરડી પીલવાના યંત્રને કોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.
સોલંકીકાલની આર્થિક સ્થિતિ ] ૫૫
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચર્મોદ્યોગ : આ સમયે ચર્મોદ્યોગનો પણ સારા પ્રમાણમાં વિકાસ થયો હતો. માર્કોપોલોની નોંધ મુજબ ગુજરાતમાં ચામડા કમાવવાનો મોટો ઉદ્યોગ ચાલતો. જેમાં ધેટાં, ભેંસ, બળદ વગેરે જાનવરનાં ચામડાં હતાં. ચામડાં ભરેલાં સંખ્યાબંધ વહાણો દર વર્ષે ગુજરાતનાં બંદરોએથી પરદેશ જતાં. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં બહોળું પશુદાન હતું, જે આજે પણ છે. આને કારણે ચર્મોદ્યોગ સુવિકસિત હતો.૨૪ ‘લેખપદ્ધતિ’માં સંગૃહીત લાટાપલ્લી લાડોલ અને પેટલાદના ગ્રામવ્યવસ્થાને લગતા બે દસ્તાવેજોમાં ‘ચર્મચમેરિકા’ ચામડાની ચોરી માટે પચ્ચીસ દ્રમ્મ દંડ લખ્યો છે.૨૫ એ કાલનું જીવન જોતાં એ ખરેખર આકરો ગણાય. પણ ઘણા દિવસ સુધી ચામડાં ખુલ્લામાં સૂકવવા પડતાં હોઈ એ પાછળ ચર્મઉદ્યોગને રક્ષણ આપવાનો આશય હશે. આ ચામડામાંથી જાત-જાતનાં જોડાં બનતાં. ખંભાતનાં પ્રસિદ્ધ પગરખાંનો ઉલ્લેખ અલ-મસઊદ્દી (ઈ.સ. ૯૪૩)એ કર્યો છે. પાણીની પખાલ અને તેલની કૂંપીઓ ચામડાંની બનતી એ હેમચંદ્રે ‘દેશીનામમાલા'માં નોંધ્યું છે. નિકાસ થતી કીમતી ચીજોમાં ચામડાના ગાલીચા નોંધપાત્ર છે. માર્કોપોલો એ વિશે લખે છે કે ‘રાતા અને ભૂરા રંગના પશુપંખીના ચિતરામણવાળા અને સોના-રૂપાની જરી ભરેલા ચામડાના સુંદર ગાલીચા ગુજરાતમાં બને છે. આ ગાલીચા એટલા આકર્ષક હોય છે કે જોતાં જ આશ્ચર્ય થાય છે અને એનો ઉપયોગ અરબો સૂવા માટે પણ કરે છે. ખરેખર, જગતમાં સર્વોત્તમ અને કલામય તેમજ સૌથી કીમતી ચામડાનો માલ આ રાજ્ય ગુજરાતમાં તૈયાર થાય છે.”
૨૮
સોલંકીકાલનાં નગરો, દુર્ગો, મહાલયો, દેવાલયો, જલાશયો, નિવાસગૃહો આદિના જે અવશેષો મળ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે સ્થાપત્ય, શિલ્પ, કડિયાકામ, ઈંટવાડો, પથ્થરકામ, સુથારીકામ, આદિ—હુન્નર કલાઓ સારી રીતે વિકસી હતી.૭ જૂના સમયમાં વિશિષ્ટ સ્થપતિ કે શિલ્પીને સામાન્ય કારીગર ગણવામાં આવતા નહોતા. ઉત્તમ કલાધર ઉપરાંત વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હોઈ એ સમ્માનનો અધિકારી હતો. રુદ્રમહાલયના સ્થપતિ ગંગાધર અને એના પુત્ર પ્રાણધરનું તથા ડભોઈના કિલ્લાના શિલ્પી હીરાધરનું ગુજરાતની અનુશ્રુતિમાં માનાસ્પદ સ્થાન છે. આબુ ઉપર વસ્તુપાલ-તેજપાલની લૂણવસતિનું નિર્માણ કરનાર સ્થપતિ શોભનદેવની પ્રતિષ્ઠા તત્કાલીન સમાજમાં મહાન આચાર્ય જેવી હતી. તત્કાલીન મંદિરોમાં શિલ્પકામ માટેનાં જરૂરી હથિયારો અને ઓજારો આ પ્રદેશોમાં જ તૈયાર થતાં હશે, જેનાથી ધાતુકામનો સુવિકસિત હુન્નર સૂચિત થાય છે. આરાસુર ઉપર કુંભારિયાનાં મંદિરો પાસે અગાઉની આરસની ખાણોની નજીક, લોખંડના કીટોડા પડેલા છે. તે ખાણોમાંથી પથ્થર કાઢવા-તોડવા અને એને સુયોગ્ય ઘાટ આપવા માટે લોખંડનાં ઓજાર બનાવવાનો તથા ગાળવાનો ઉદ્યોગ સ્થળ ઉપર જ વિકસ્યો હોય તેવાં એનાં વાસણો અને રાચ-રચીલું બનાવવાનો ઉદ્યોગ સુવિકસિત હતો.
અન્ય હુન્નરકલાઓમાં સોની, માળી, કુંભાર, વણકર અને દરજીના ધંધાના તથા વ્યવસાયોમાં પુરોહિત, જ્યોતિષી, વૈદ્ય, સૈનિક, ધોબી, રંગાટી, વાળંદ, ઘાંચી, તંબોળી, ભોઈ, કલાલ, રસોઈયા, ગાયક, વણિકો, કંદોઈ, ઓડ વગેરેનો ઉલ્લેખ છે. વર્ણક સમુચ્ચયમાં છીપા, બંધારા, વાંછા, સાગઉટી, પારખી, રત્નપરીક્ષક, મણિયાર, ગાંધી, ડબગર, નાણંટી આદિ વ્યાવસાયિકોનો ઉલ્લેખ પણ મળે છે,૯ અને એમાં પૂર્વ પરંપરાનું સાતત્ય હશે એમ માનવું ન્યાયી રહેશે.
વેપારીઓની શ્રેણી :
આ સમયે અલગ-અલગ સંઘ અસ્તિત્વ ધરાવતા હતા. ‘ત્રિષ્ટિશલાકાપુરુષચરિત'માં હેમચંદ્રે અઢાર પ્રકારની શ્રેણીનો ઉલ્લેખ કર્યો છે. આમ, વિવિધ ધંધાદારીઓની શ્રેણી અથવા મહાજન અસ્તિત્વ ધરાવતાં હશે. કુમારગુપ્ત ૧લાના સમયના દશપુર(મંદસોર)ના લેખમાંથી જણાય છે કે લાટ પ્રદેશમાંથી સ્થળાંતર કરી ત્યાં જઈ વસેલા પટ્ટવાયો(પટવા-પટોળાં વણનાર કારીગરોની શ્રેણી)એ ત્યાં ઈ.સ. ૪૩૬માં સૂર્યનું મંદિર
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૩ ૫૬
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધાવ્યું હતું.॰ સોલંકીકાલમાં આ શ્રેણીઓ વિશેષ સંગઠિત બની હશે એમ અનુમાન કરવાને કારણ છે; તો જ પછીના સમયમાં મહાજનોનું પ્રાબલ્ય સમજાવી શકાય. સારંગદેવ વાઘેલાના સમયની વિ.સં. ૧૩૪૩ (ઈ.સ. ૧૨૭૮)ની ત્રિપુરાંતક પ્રશસ્તિમાં માર્ગીઓની શ્રેણી(માલીક શ્રેણી)નો ઉલ્લેખ છે. અને એ શ્રેણી ‘સોમનાથના મંદિરમાં પ્રતિદિન ૨૦૦ કમળ અને કરણનાં ૨૦૦૦ પુષ્પ આપશે' એવું વિધાન મળે છે. આવી અનેક શ્રેણીઓ સાથેના રાજ્યના સંબંધોની દૃષ્ટિએ ‘શ્રેણિકરણ' જેવું સરકારી ખાતું અસ્તિત્વમાં હોય એ સંભવિત છે. વર્ણક સમુચ્ચયમાં એક સ્થળે મંત્રીને ‘સમસ્ત મહાજન-પ્રધાન' કહ્યા છે. એ રાજ્યવહીવટમાં મહાજનોનો જ અવાજ હશે તેનું સૂચક છે.
આયાત-નિકાસ અને વ્યાપારી સંબંધો :
કચ્છથી લાટ સુધીનો સમુદ્રકિનારો અને ત્યાં આવેલાં અનેક નાનાંમોટાં બંદર ગુજરાતનાં એ કાલનાં ધીકતાં બંદરો હતાં. ઈરાન, અરબસ્તાન અને એ દ્વારા યુરોપ સાથેનો વેપાર આ બંદરોમાંથી ખેડવાનું સૌથી અનુકૂળ હતું. સંઘવી સમરસિંહે કરાવેલા શત્રુંજયતીર્થોદ્વાર વર્ણવતાં નાભિનંદનજિનોદ્વાર પ્રબંધનો ઉલ્લેખ મળે છે.
ભરુકચ્છ-ભૃગુકચ્છ-ભરૂચ, ખંભાત અને સોમનાથ પાટણ એ ત્રણ મુખ્ય બંદર હતાં. દેવિગિરના યાદવ રાજાઓ અને માળવાના પરમારો સાથેના ગુજરાતના સતત વિગ્રહનું એક મુખ્ય કારણ ભરૂચ અને ખંભાત ઉપર કબજો જમાવવાની સ્પર્ધા હતું. જેમાં છેવટે ગુજરાતનો વિજય થયો. માળવાના સમૃદ્ધ પ્રદેશોનો તથા રાજસ્થાન અને ઉત્તર ભારતનો ૫૨૨ાષ્ટ્રીય વેપાર ગુજરાત મારફત ચાલતો.૩૨
જમીનમાર્ગે વેપાર બળદ, ઊંટ, ગધેડાં અને ગાડાંઓના સાર્થ મારફતે ચાલતો. સાર્થના નેતા 'સાર્થવાહ' કહેવાતા. જેનો પર્યાયવાચક શબ્દ ‘વાણિજયકારક' છે જે ઉપર પ્રા. ‘વાણિજ્જારઓ' અપભ્રંશ વાણિજ્જા૨ થઈ વણજારો' શબ્દ આવેલો છે. આંતરપ્રદેશનો માલ સાર્થ દ્વારા બંદરોમાં એકત્ર થતો. અહીંથી નિકાસ થતી ચીજોમાં સુતરાઉ અને રેશમી કાપડ, ચામડું, મરી, સૂંઠ, રંગ, ગળી, ગૂગળ, કપાસ, ખાંડ, સુગંધી પદાર્થો, લાખ, આંબળા, વગેરે ઈરાન, અરબસ્તાન, આફ્રિકા અને ચીન જતાં. સોનું, રૂપું, ચાંદી, સુરમો, ઘોડા વગેરેની આયાત થતી. સર્વાનંદસૂરિના ‘જગડૂચરિત’માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જગડૂશાહનો પરદેશો સાથે બહોળો વેપાર હતો અને ઈરાનમાં હોરમુઝ ખાતે જગડૂનો ‘જયંતસિંહ’ નામે એક સેવક અનેક જાતના માલ ભરેલું એક વહાણ લઈ આર્દ્રપુર અથવા એડન ગયો હતો.૪
વહાણવટાનો ઉદ્યોગ :
કોંકણના ઉપ૨ અણહિલવાડના રાજવીઓની સત્તા હતી. આ સમયે કોંકણમાં દેવગિરિના યાદવોની સત્તા હતી. સોલંકી રાજવીઓના નૌકાસૈન્યનું મુખ્ય મથક ઘોઘા હતું. વેપારનું મુખ્ય મથક ખંભાત હતું, પાટણમાં પણ બારવા કોમ મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી. તેમના માટે ખાસ મહોલ્લો હતો. આમ, ગુજરાત વહાણવટા માટે પ્રાચીન સમયથી ખ્યાતિ પામેલું હતુ. ‘હમ્મીરમદમર્દન' નાટકમાંથી જાણવા મળે છે કે, વસ્તુપાલે બગદાદના ખલીફના માણસોને ગુજરાતના નૌકાસૈન્ય મારફતે હરાવી એમને કેદ પકડી ખંભાત
આણ્યા હતા.
સોલંકીકાલ દરમ્યાન ખંભાત નૌકાસૈન્યનું મહત્ત્વનું મથક હશે. માર્કોપોલો ખંભાતને હિંદનું મોટું રાજ્ય કહે છે અને ખંભાતના મોટા વેપારનું વર્ણન કરે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતનાં વહાણ સાગરમાં દૂર દૂરના અરબસ્તાન - ઈરાન વગેરે દેશોમાં મુસાફરી કરતા.
સોલંકીકાલની આર્થિક સ્થિતિ ૫૭
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાણા-વિનિમય પ્રથા :
આ સમયની આર્થિક સ્થિતિને સમજવા માટે વિનિમય પદ્ધતિનો ખ્યાલ મેળવવો આવશ્યક છે. સોલંકીકાલના કોઈ ચોકકસ સિક્કાનો અભાવ છે. આથી, આ સમયની વિનિમય પદ્ધતિનો ચોક્કસ ખ્યાલ મેળવવો મુશ્કેલ બને છે. પ્રબંધોના તથા લેખપદ્ધતિનાં સાધનોમાં મળતા ભીમપ્રિય, કુમારપાલપ્રિય, લુણસાપ્રિય, વિશ્વમલ્લપ્રિય, આદિ દ્રમનો ઉલ્લેખ છે. ૩પ અલાઉદ્દીન ખલજીની દિલ્હીની ટંકશાળના ઉચ્ચ અધિકારી ઠક્કર ફેરુની પ્રાકૃત દ્રવ્ય પરીક્ષા'ના “ગુર્જરી મુદ્રા' પ્રકરણ (પૃ. ૨૭-૨૮)માં ગુર્જરપતિ રાજાઓની બહુવિધ મુદ્રાઓનાં વિવિધ નામ આપવામાં આવ્યાં છે; એમાં કુમરપુરી, અજયપુરી, ભીમપુરી, લાવણસાપુરી, અર્જુનપુરી મુદ્રાઓ અને સારંગદેવ નરપતિ મુદ્રાઓ તથા તેઓનાં વજનનો ઉલ્લેખ મળે છે. આ પરથી અનુમાન કરી શકાય કે તે રાજાઓ પોતાના સિક્કા પડાવતા હશે.
- તત્કાલીન સાહિત્યિક અને ઉત્કીર્ણ સાધનોમાંથી કેટલાક પ્રચલિત સિક્કાનાં નામ મળે છે. નિષ્ક, બિસ્ત, ક્રમ, ભાગક, રૂપક, કાકણિ, કાર્લાપણ, પ્રસ્થ, શૂર્પ એ સિક્કાઓનો ઉલ્લેખ કયાશ્રયમાંથી મળે છે. પણ તેમાંથી કોઈ ખાસ સિક્કા ઉપલબ્ધ કરી શકાયા નથી. તેથી વિનિમયપ્રથા ગ્રામ્યકક્ષા પર પ્રચલિત હશે. યાશ્રયના ઉલ્લેખ મુજબ “ધાન્યના બે દ્રોણથી, છ આખલાથી અને ઉનના સો કામળાથી એક ઘોડી ખરીદી શકાતી. એ જ ગ્રંથમાં વ્યાજનો દર અબ્ધ, પાંચ કે છ ટકા જેટલો જણાવેલો છે. અર્ધો ટકો એટલે માસિક અર્ધો ટકો હતો. લખપદ્ધતિમાંના એક દસ્તાવેજમાં વ્યાજનો દર ૧૨ માસિક બે ટકા એટલે કે વાર્ષિક ૨૪% નો જણાવેલ છે. કદાચ વ્યાજના દર નાણાં લેનારની ગરજ અને ધીરનારની જોખમ લેવાની તૈયારી અનુસાર બદલાતા હોય. તેનાં બંધન બે પ્રકારનાં હતાં : ગુપ્તિ (કેદખાનું) અને કચબંધ. આ કચબંધ કૌંચપક્ષીના આકારની એક બેડી હતી.
આમ, સોલંકીકાળ દરમ્યાન ગુજરાતની આર્થિક સ્થિતિ સમૃદ્ધ હતી, તથા ખેતી, હુન્નર ઉદ્યોગ, વ્યાપાર ધંધા બહોળા પ્રમાણમાં ચાલતાં. તેથી જ સોલંકીકાલને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણયુગ' તરીકે ઇતિહાસવિદો ઓળખાવે છે.
પાદટીપ ૧. “ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ-૨, ૩ લેખ નં. ૧૩૮, ૧૪૮, ૧૪૬, ૧૪૮, ૧૪૮, ૧૪૯,
૧૫૦, ૧૫૧, ૧૫૬, ૧૫૭, ૧૭૧, ૧૮૫ ૨. રસિકલાલ છોટાલાલ પરીખ તથા ડૉ. હ. ગ. શાસ્ત્રી (સંપાદકો) : “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ' ઇતિહાસ', ગ્રંથ ૨, ખંડ ૧, પૃ. ૨૦ ૩. નવીનચંદ્ર આચાર્ય : “ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ', પૃ. ૩ ૪. એજન, પૃ. ૪ ૫. મુનિશ્રી જિનવિજયજી (સંપા.) : ‘પુરાતન પ્રબંધસંગ્રહ', પૃ. ૨૮ ૬. રમણલાલ ના. મહેતા : “ગુજરાતને મળેલ સ્થાપત્યનો વારસો', પૃ. ૧૧૦ ૭. રસિકલાલ છોટાલાલ પરીખ : “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૨૧૯ 6. A. K. Majumdes : Chaulukyas of Gujarat, Pub. Bharatiya Vidhya Bhavan,
Bombay, 1956, pp. 108 & 262, ૯. ‘ગુજરાતના ઐતિહાસિક લેખો' ભાગ ૩, પૃ. ૨૩૮ ૧૦. ‘યાશ્રય', સર્ગ ૧૯, શ્લોક ૭. ૧૧. “દેશીનામમાલા', વર્ગ ૬, શ્લોક ૩૦
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૫૮
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. “જ્યાશ્રય', સર્ગ ૧૫, શ્લોક ૪૯ ૧૩. રામલાલ મોદી “સંસ્કૃત દયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ', પૃ. ૩૦ ૧૪. હરિપ્રસાદ શાસ્ત્રી : “ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ', પૃ. ૨૮૯ 94. A. K. Majmudar : Chaulukyas of Gujarat, p. 260 ૧૬, દેશીનામમાલા', સર્ગ ૧, શ્લોક ૧૦ ૧૭. એજન, સર્ગ ૧, શ્લોક ૧૧૭ ૧૮. એજન, સર્ગ ૨, શ્લોક ૨.૮૨, સર્ગ ૧, શ્લોક ૨૮-૨૯ ૧૯. ‘જ્યાશ્રય', સર્ગ ૧૮, શ્લોક ૧૮-૧૯ ૨૦. “દેશીનામમાલા', સર્ગ-૨, શ્લોક-૧૮ 24. A. K. Majmudar : Chaulukyas of Gujarat, p. 262 ૨૨. ભોગીલાલ જે. સાંડેસરા : “સંશોધનની કેડી', પૃ. ૨૪૪ ૨૩. ગિરજાશંકર આચાર્ય : ગુજરાતના ઐતિહાસિક લેખો', ભાગ ૩, લેખાંક ૨૨૨ ૨૪. લેખપદ્ધતિ, પૃ. ૧૫ ૨૫. એજન, પૃ. ૧૫ ૨૬. A. K. Majmudar : op-cit, pp. 260-261 ૨૭. હરિપ્રસાદ શાસ્ત્રી : “ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ', પૃ. ૨૮૯ ૨૮. ભોગીલાલ સાંડેસરા : “ઇતિહાસ અને સાહિત્ય', પૃ. ૨૭૬-૭૮ ૨૯. એજન, પૃ. ૨૦૮ ૩૦. A. K. Majmudar : op-cit, pp. 216-221 ૩૧. રામલાલ મોદી, “સંસ્કૃત કયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ', પૃ. ૩૦ 32. M. S. Commissariat : A History of Gujarat, Vol. 1, London, 1938, pp. 265-266 ૩૩, રત્નમણિરાવ ભીમરાવ : ‘ગુજરાતનું વહાણવટું, વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ, પૃ. ૧૯૫ ૩૪. એજન, પૃ. ૧૯૯ ૩પ. ‘લેખપદ્ધતિ', પૃ. ૨૬-૨૭
સોલંકીકાલની આર્થિક સ્થિતિ D પ૯
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદશાહી શહેરની પોળો
છે. સુભાષ બ્રહ્મભટ્ટ* સામાજિક, આર્થિક સુરક્ષાનું પ્રતીક એટલે પોતાનું ઘર. ઇતિહાસનાં જુદાં જુદાં પાનાંઓ તપાસતાં જણાય છે કે સમયે સમયે મનુષ્ય પોતાના રહેઠાણમાં વાતાવરણને અનુરૂપ ફેરફારો કર્યા છે. વિજ્ઞાનની જેમજેમ શોધખોળો થતી ગઈ તેમ તેમ મનુષ્ય પોતાની સગવડો વધારવામાં વિજ્ઞાનનો વિનિયોગ કરતો ગયો છે. પોતાની સુરક્ષા અને સાધનોની ઉપલબ્ધિને ધ્યાનમાં લઈને મનુષ્ય રહેઠાણ વિકસાવ્યા છે. પથ્થર યુગનો માનવી ગુફામાં રહેતો હતો. અને આજે ૨૧ મા સૈકામાં માણસ સિમેન્ટ, કોંક્રીટના જંગલ વચ્ચે સો મજલા ઊંચી ઈમારતમાં વસવાટ કરે છે.
એમ કહેવાય છે કે મનુષ્યો વચ્ચે જયારે સંબંધોની કોઈ ભૂમિકા ન હતી ત્યારે માનવી એકલો એકલવાયું જીવન જીવતો હતો. પરંતુ ખેતીની શોધ થતાં મનુષ્યનું જીવનસ્થિર થયું. આ સ્થિરતાને પરિણામે મનુષ્યને પોતાના સુરક્ષિત વસવાટની આવશ્યકતા ઊભી થઈ. આ સુરક્ષિત વસવાટ એટલે મનુષ્યનું પોતાનું રહેઠાણ. સામૂહિક જીવનની ભાવનાનો વિકાસ થતાં સમૂહ રહેઠાણોનો વિચાર વહેતો થયો અને ધીમે ધીમે આ સામૂહિક રહેઠાણ ગામ તરીકે ઓળખાવા લાગ્યા. મજાની વાત એ છે કે એકસરખું કામ કરનારા લોકો અને એકસરખી વિચારધારા ધરાવતા લોકોએ પોતપોતાનો સમૂહ ઊભો કર્યો. અને આ સમૂહ આજે લત્તા, પોળ કે સોસાયટી તરીકે ઓળખાય છે.
આપણા ગુજરાતમાં જે જે વિસ્તારોમાં રહેઠાણોના વસવાટનો વિકાસ થયો છે તેમાં મોટે ભાગે સુરક્ષાનો વિચાર સૌથી પહેલો કરવામાં આવ્યો. એથી જ સ્વતંત્ર મકાનોને સ્થાને એકબીજાની દિવાલોને અડોઅડ રહેઠાણો ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રકારનાં રહેઠાણી માટે આપણે ત્યાં પોળ શબ્દ-પ્રયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં પોળોનું બાંધકામ ક્યારે અને કેવી રીતે શરૂ થયું તે કહેવું મુશ્કેલ છે. ગુજરાતના સૌથી મોટા બાદશાહી શહેર અમદાવાદમાં અસંખ્ય પોળો આવેલી છે. પરંતુ અમદાવાદ તો છેક ૧૫ મા સૈકામાં બંધાયું. એ પહેલાં પાટણ એ ગુજરાતની રાજધાનીનું નગર હતું. અને ત્યાં પણ આઇને અકબરીમાં જણાવ્યા પ્રમાણે નાની મોટી પોળો બંધાઈ ગઈ. સલ્તનત પછી મુઘલકાલમાં ધીમે ધીમે ગુજરાતમાં પોળ જેવાં રહેઠાણોનો વિકાસ થયેલો જણાય છે. છેક મરાઠાકાલમાં તો નાની મોટી અનેક પોળો અમદાવાદ, પાટણ, વડોદરા, સુરત વગેરે શહેરોમાં જોવા મળે છે.
બાદશાહી શહેર અમદાવાદમાં આ પોળોનું બાંધકામ કેવી રીતે થયું અને તેની બાંધણીના મૂળમાં શું ધ્યાનમાં રાખ્યું હશે તે ખૂબ જ રસપ્રદ છે. સૌથી પહેલાં તો ગુજરાતમાં થતા વારંવારના આક્રમણથી બચવા એક સુરક્ષિત સમૂહ વસવાટની આવશ્યકતા ઊભી થઈ. આ વસવાટ એવો હોય કે જેમાં સમય આવે બધી જ વ્યવસ્થા ઊભી કરી શકાય. અને આ પોળના સ્ટ્રકચરને સમજીએ તો આપોઆપ ખ્યાલ આવશે કે આપણા વડવાઓએ આ પોળના સ્વરૂપમાં કેવી રીતે સુવિધાઓ ઊભી કરી છે.
સામાન્યપણે ગુજરાતની પોળો ખાસ્સી ઊંડી હોય છે. સામાન્યપણે પોળને એક જ દરવાજો હોય છે. કેટલીક પોળોમાં પાછલા દરવાજાઓથી બીજી પળોમાં જઈ શકાય તેવી વ્યવસ્થા પણ હોય છે. જેને બારી પણ કહેવાય છે. પોળનો મુખ્ય દરવાજો ગામ કે નગરના મુખ્ય રસ્તા ઉપર પડતો હોય છે. દરવાજાને મોટા કમાડ હોય છે. મોટે ભાગે પોળોના દરવાજા કમાનવાળા અને કેટલીકવાર ડહેલા જેવા ચોરસ હોય છે. પ્રવેશના મુખ્ય * આચાર્ય, શ્રી એચ.કે.આર્ટ્સ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૬૦
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.ke
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરવાજાની ઉપર મેડી હોય છે. એને માઢ કહેવામાં આવે છે. ક્યારેક આવેલા મહેમાનોને અહીં પ્રસંગોપાત ઉતારો આપવામાં આવે છે. આ મેડીમાં પોળનો રક્ષક પોળિયો રહે છે. આ પોળના મોટા દરવાજા બંધ થઈ જાય એટલે પોળ અંદરથી સુરક્ષિત અને આ મોટા કમાડને નાની બારી જેવા દરવાજા કરવામાં આવે છે. જ્યાંથી માણસ નીચા નમીને અવરજવર કરી શકે. સામાન્ય પણે દરરોજ રાત્રે આ પોળના દરવાજા બંધ થઈ જતા. અને ફક્ત મોટા કમાડની આ નાની બારી જેવા દરવાજા આવન જાવન માટે ખુલ્લા રહેતા.
'' દરેક પોળની અંદર મોટું ચોકઠું હોય છે. હોળી કે હવન જેવા યજ્ઞ સમયે પોળના ચોકઠામાં સહુ એકઠાં થઈ ધાર્મિક અનુષ્ઠાનનો લાભ લેતા હોય છે. લગભગ દરેક પોળની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા એક કે બે કૂવાઓનું આયોજન કરવામાં આવે છે. કેટલીક પોળોમાં નાના મોટા મંદિર પણ બાંધવામાં આવેલા હોય છે. જેથી પોળની સ્ત્રીઓ અને આબાલવૃદ્ધ સવાર-સાંજ પોળના મંદિરમાં થતી આરતીનો લાભ લઈ શકે. કેટલીક પોળોમાં તો જૈન સાધુ-સાધ્વીઓને રહેવા માટેના અપાસરાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. પોળોમાં પંખીઓને ચણ નાંખવા માટે ચબુતરાઓની પણ રચના કરવામાં આવતી. આ ચબુતરા લાકડાના કે પથ્થરના બાંધવામાં આવતા. મોટાભાગની પોળોની અંદર ખડકો અથવા ડહેલું અચૂક હોય. પોળોમાં રહેતી અગત્યની વ્યક્તિના નામે આ ખડકી કે ડહેલું ઓળખાતું. નગરશેઠનો વંડો આજે પણ અમદાવાદમાં જાણીતો છે.
પોળનાં મકાનોની બાંધકામ પદ્ધતિ પણ અનોખી છે. લગભગ દરેક મકાનને ઓટલો હોય. આ ઓટલા ઉપર સવાર-સાંજ બેસીને સામ-સામે ઓટલા ઉપર એકબીજાના ખબર અંતર પૂછી શકાતા. અને એથી ઓટલા ઉપર બેઠા બેઠા જ પોળમાંથી પસાર થતી દરેક વ્યક્તિના ખબરઅંતર જાણી શકાતા. આ ઓટલો એટલે પોળની એકતાનું પ્રતીક. ઓટલાવાળા ઊંચા મકાનમાં પ્રવેશતાં જ નાનકડી ઓસરી આવે, એ પછી એનો મધ્યસ્થ ખંડ હોય. વચ્ચેના ભાગમાં છેક અગાસી સુધીનો ખુલ્લો ચોક આવેલો હોય. અને પાછલા ભાગમાં રસોડું કરવામાં આવે છે. મધ્યખંડની બે બાજુએ શયનખંડની રચના કરવામાં આવી છે. અમદાવાદની લગભગ ઘણી ખરી પોળોના મકાનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી કરીને લાંબા સમય સુધી વરસાદનું પાણી ઘર વપરાશના કામે લઈ શકાય. આપણે જાણીએ છીએ કે લાંબો સમય સંગ્રહી રાખેલું વરસાદી પાણી બગડી જતું નથી. ક્યારેક તો મોટા લગ્ન પ્રસંગોએ આ પાણી રસોઈના કામમાં લેવાય છે અને આ પાણીથી આખો પ્રસંગ પણ પાર પાડી શકાય.આપણા વડવાઓ આ વાતને બરાબર સમજતા હતા. માટે દુષ્કાળના સમયે આવાં પાણીના ટાંકા ખુબ કામ આવતાં. પાણીનાં આવાં ટાંકાની રચના ખૂબ રસપ્રદ હોય છે. ટાંકામાં ઊતરવાનાં પગથિયાં હોય અને આખા માણસો ઊતરી શકે, ફરી શકે તેટલાં મોટાં ટાંકા હોય છે. આ ટાંકામાં ઉપરના ભાગે ગોળ કમાન પણ કરવામાં આવે છે. જેથી મકાનના ઉપરના ભાગનું વજન આ કમાનો દ્વારા ઝીલી શકાય. મધ્યખંડના એક ખૂણામાં ઉપલા મજલે જવાની લાકડાની સીડી કરવામાં આવતી. અને ઉપલા મજલે મધ્યચોકને ફરતે નાના-મોટા ઓરડા કરવામાં આવે છે. આગળના ભાગે બાલ્કની પણ બનાવવામાં આવતી. આ બાલ્કની એટલે ઝરૂખો. દરેક ઘરમાં લાકડાની કોતરણીવાળા કલાત્મક ઝરૂખા રચવામાં આવતા. તેના ઉપરનું બારીક લાકડાનું કોતરકામ આજે પણ પોળનાં મકાનોની વિશેષતા તરીકે ઓળખાય છે. તેમાં લાકડાની નાની-મોટી મૂર્તિઓ અથવા તો ગણેશ કે અન્ય દેવતાઓની પ્રતિકૃતિઓ કોતરવામાં આવતી. ક્યાંક ક્યાંક તો ફૂલવેલની ભાત તથા વેલના બુટ્ટાની રચના કરવામાં આવતી.
મકાનમાં સૌથી ઉપરના ભાગમાં ખુલ્લી અગાસી અથવા તો ઢળતાં છાપરાં અને તેના ઉપર નળિયાં ગોઠવવામાં આવતાં. જેથી ઉનાળામાં ગરમીથી રાહત મેળવી શકાય.
પોળનાં મકાનોની દીવાલોમાં કરવામાં આવતા ગોખલાઓમાં ઘરેણાં કે પૈસા સંતાડવા માટેનાં ખાસ ચોરખાનાં બનાવવામાં આવતાં. જે પહેલી નજરે માત્ર ગોખલો જ દેખાય. પણ જાણકાર વ્યક્તિને ખબર હોય
બાદશાહી શહેરની પોળો [ ૬૧
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે અંદર ઊંડો હાથ નાંખવાથી ચોરખાના સુધી વસ્તુ લેવા મૂકવા હાથ પહોંચતો.
આ મકાનોની અંદર પાણિયારાં અને વાસણો મૂકવાની છાજલીઓ પણ કલાત્મક કરવામાં આવતી. પાણિયારાના ટેકા ખાસ્સા કલાત્મક જોવા મળ્યા છે તો છાજલીઓ ઉપર તાંબા પિત્તળનાં વાસણો ગોઠવવા એ પણ એક કલાનો વિષય હતો. નાના-મોટા ગ્લાસ, લોટા, નાની-મોટી થાળીઓ અને મોટી તાસકોને દિવાળીના સમયે લીંબુ અને છાસથી માંજીને ચમકાવીને ગોઠવવાની પરંપરા પોળોના મકાનોમાં વિશેષ જોવા મળે છે.
પોળોના મકાનોનું એક આગવું લક્ષણ એટલે બેઠક ખંડની મધ્યમાં ગોઠવાતો હિંચકો. લગભગ દરેક પોળનાં મકાનોમાં હિંચકાની વ્યવસ્થા અચૂક કરવામાં આવતી. જેથી કરીને હિંચકા ઉપર બેસીને હિંચકાની ગતિ સાથે વિચારોની ગતિનું તાદાભ્ય સાધી શકાતું. બહાર કામકાજથી થાકીને આવેલી વ્યક્તિ થોડીક વાર હિંચકા પર બેસે અને પગથી હિચકો ખાય એટલે આખા દિવસનો થાક ઊતરી જાય.
હા, પોળોનાં કેટલાંક મકાનો અંધારિયાં ખરાં. જ્યાં સીધો તડકો ભાગ્યે જ પહોંચતો. ભર બપોરે પણ લાઈટ કરવી પડે. અને નાનકડી બારીમાંથી જેટલું અજવાળું આવે એટલો જ પ્રકાશ
આ મકાનોની એક વિશેષતા એ હતી કે ભર ઉનાળામાં પણ તેમાં તાપ ન લાગતો. ઈંટ, ચૂનો, ગારો અને સેલખડીના મિશ્રણથી તેની દીવાલો ઉપર લીંપણ કરવામાં આવતું. મકાનના મધ્યભાગમાં જે ખુલ્લો ચોક કરવામાં આવતો ત્યાંથી હવાની આવન જાવન પણ રહેતી અને પૂરતો સૂર્યપ્રકાશ પણ મકાનમાં આવતો. આથી ગુજરાત ગરમ પ્રદેશ હોવા છતાં પણ આ મકાનોમાં ક્યારેય તાપ લાગતો નહીં. અડોઅડ મકાનો હોવાને કારણે દીવાલો ઉપર સીધો સૂર્યપ્રકાશ ન અડતો હોવાથી દીવાલો ગરમ થતી નહીં અને ચૂનાના પ્લાસ્ટરને કારણે ગરમી શોષાઈ જતી હોવાથી ભરઉનાળે આ પોળનાં મકાનોની દીવાલો ઠંડી રહેતી. બીજું કે મકાનો અડોઅડ હોવાને કારણે ગરમી ઓછામાં ઓછી લાગતી. આ પોળનાં મકાનોની રચનાની એક વિશેષતા એ હતી કે ધરતીકંપ જેવી આપત્તિ વેળાએ મકાનોની દીવાલોને એકબીજાનો ટેકો રહેતો હોવાથી ભૂકંપની અસર આ મકાનો ઉપર ઓછામાં ઓછી થતી. તાજેતરમાં ગુજરાતમાં આવેલા ભૂકંપ દરમિયાન થાંભલાઓ ઉપર ઊભા કરવામાં આવેલા ફ્લેટ્સ પત્તાના મહેલની જેમ પડી ગયા, જયારે પોળોનાં મકાનોને ઓછામાં ઓછું નુકસાન થયું હતું. તેનું કારણ એકબીજાને અડોઅડ ઊભેલા મકાનોએ ધરતીકંપના આંચકા ખમી લીધા હતા.
એમ કહેવાય છે કે અમદાવાદમાં સૌથી પહેલી માણેકચોક મધ્યે મુહૂર્તની પોળ બની હશે. જે આજે મુરતની પોળ તરીકે ઓળખાય છે. જો કે મોટામાં મોટી પોળ અમદાવાદમાં માંડવીની પોળ છે. એનું એક નાકું માણેકચોકમાં અને બીજું એક આસ્ટોડિયા ચકલામાં પડે છે. એમ કહેવાય છે કે ૧૮૭રમાં એકલી માંડવીની પોળમાં ૧૦,૦૦૦ માણસો રહેતા હતા. આ માંડવીની પોળમાં સૌથી મોટું ચૌટું હશે. આ ચૌટું એટલે વચ્ચેનો ચોક અર્થાત્ તેના ઉપર જે રચના કરવામાં આવતી તે માંડવી કહેવાતી. આથી આ પોળનું નામ માંડવીની પોળ પડ્યું હશે.
માંડવીની પોળની અંદર એક નાગજી ભુદરની પોળ આવેલી છે. એ પોળના થાંભલા ઉપર એક લેખ છે. તેમાં નોંધ્યું છે કે ૧૭૬૦માં શ્રાવણ સુદ બીજને દિવસે આ પોળ કરવામાં આવી હતી. નાગજી ભુદર નામના જૈન શાહુકારના નામ ઉપરથી આ પોળનું નામ પડ્યું હશે.
કેટલીક પોળોમાં એક વ્યવસાય કરનારા અને એક જ જ્ઞાતિના સભ્યો સાથે રહેતા હશે. દા.ત. કંસારાની પોળ. તેમાં તેમની કુળદેવી કાલિકા માતાનું મંદિર પણ છે અને પોળમાં મોટા ભાગના લોકોનો વ્યવસાય કંસારાનો છે. માંડવીની પોળમાં એક ખાંડના વહેપારી રહેતા હતા તેથી એટલા વિસ્તાર ખાંડવાળાની પોળ તરીકે ઓળખાય છે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૬૨
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદમાં આસ્ટોડિયા ચકલામાં એક ઢાળની પોળ આવેલી છે. આ પોળમાં પેસતાં જ ચઢાણવાળો ઢોળાવ ઘણો ઊંચો છે તેથી તેનું નામ ઢાળની પોળ પડ્યું છે. આકાશેઠ કરીને એક શાહુકારે એક સ્થળે કૂવો કરાવેલો. આથી એ પોળનું નામ પડ્યું આકાશેઠના કૂવાની પોળ, આમ જુદી જુદી પોળનાં નામ એ પોળમાં રહેતી જાણીતી વ્યક્તિ અથવા જાતિના સમૂહ કે એકસરખા વ્યવસાયને કારણે તેને લગતા નામોથી પોળો ઓળખાતી હતી. કેટલીક પોળો એ પોળની વિશેષતાને કારણે એ નામથી ઓળખાતી. દા.ત. ખિજડાની પોળમાં ખિજડાનું ઝાડ હતું એથી તે પોળ ખિજડાની પોળ તરીકે ઓળખાઈ. કાલુપુર જવાના રસ્તે લુહારોનો વસવાટ હતો અને ત્યાં લુહારોની ભઠ્ઠી આવેલી હતી એટલે તે ભઠ્ઠીની પોળ તરીકે ઓળખાય છે. અમદાવાદના રતનપોળ પાસે ઝવેરીઓની વસ્તી ઘણી મોટી હતી. અહીં અનેક જૈન મંદિરો છે. આ વિસ્તાર ઝવેરીવાડ તરીકે ઓળખાયો.
બાદશાહી સમયમાં શહેરની મધ્યમાં ટંકશાળ આવેલી હતી. આથી ત્યાંના વસવાટનું નામ પડ્યું ટંકશાળ પોળ. સારંગપુર દરવાજા ખાતે જતાં ડાબે હાથે સરવટનો વ્યવસાય કરતા મુસલમાનો વસવાટ કરતાં હતાં આથી આ વિસ્તાર સરખીવાડ તરીકે ઓળખાયો.
ગુજરાતમાં સલ્તનત અને મુઘલકાલ દરમિયાન પોળો સામાન્યપણે ઘણી પહોળી હતી. પરંતુ મરાઠાકાલમાં સ્વાર્થી સત્તાધારીઓએ નાની મોટી રકમ લઈને રસ્તાઓ સુધી લોકોનાં મકાનો આગળ કરવા દીધાં તો ક્યાંક ઓટલાઓ બહાર ખેંચવામાં આવ્યા. આથી પોળો નાની અને સાંકડી થઈ. પ્રાચીનકાળમાં બહારનાં આક્રમણો સામે પોળો ઘણી સલામત હતી. ભાઈચારો અને એકતાનું વાતાવરણ પોળના માહોલમાં વિશેષ જોવા મળે છે. એકબીજાના સુખદુઃખમાં અહીં ભાગીદારી અને સંપ વિશેષ જોવા મળે છે કારણ મકાનો અડોઅડ હતાં. વાટકી વ્યવહારમાં કે સારા-માઠાં પ્રસંગોએ સૌ એકબીજાની પડખે ઊભા રહેતા તેનું કારણ પોળનું વાતાવરણ હતું. સંપ અને એકતાનું પ્રતીક એટલે પોળ.
ભારતની સામાજિક વ્યવસ્થામાં ધાર્મિક ઉત્સવોનું વિશેષ પ્રાધાન્ય રહ્યું છે. કોઈ પણ ધાર્મિક ઉત્સવ પોળના વાતાવરણમાં સહિયારી જવાબદારી બની જાય છે. નાના-મોટા સૌ સાથે મળીને ધાર્મિક ઉત્સવો ઉજવે છે. પોળનો કોઈ પણ પ્રસંગ એ સહુની સહિયારી જવાબદારી બની જતો. પછી એ કોઈ એક પરિવારનો લગ્ન પ્રસંગ હોય કે મરણની ઘટના હોય. બધા એકબીજાની પડખે રહી કોઈ પણ પ્રશ્નનો નિકાલ લાવતા. પોળ આ રીતે આપણા સામાજિક ઉત્સવની સહિયારી જવાબદારીનું પ્રતીક છે.
બાદશાહી શહેરની પોળો g ૬૩
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગાંધારીની મનોવ્યથા (નારી-હૃદયની સંવેદના)
www.kobatirth.org
હરિપ્રસાદ શાસ્ત્રી
ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરે ‘મહાભારત'ને લગતી કેટલીક ઘટનાઓ કે કેટલાંક પાત્રો વિશે હૃદયંગમ ઊર્મિકાવ્ય રચ્યાં હતાં. એમાંનું એક કાવ્ય છે ‘ગાન્ધારીર આવેદન’, જે ‘કાહિની’માં માર્ચ, ૧૯૦૦માં પ્રકાશિત થયેલું. એમાં પાંડવોને ઘૃતમાં પરાજય આપી, દ્રૌપદીની ભરસભામાં અવહેલના કરી દુર્યોધનને કેવો હર્ષોન્માદ થાય છે, પરંતુ એનાં માતા ગાંધારીના હૃદયમાં એ અંગે કેવી મર્મભેદી વ્યથા થાય છે, તે પતિ ધૃતરાષ્ટ્રને વિનવે છે કે આવા દુરાચારી પુત્ર દુર્યોધનનો ત્યાગ કરો, પરંતુ ધૃતરાષ્ટ્ર તો પુત્રસ્નેહના મોહપાશમાં તેમ કરવા તત્પર નથી, અંતે ગાંધારી દુર્યોધનની પત્ની ભાનુમતીને પણ દ્રૌપદીની અવહેલના કરી એના મનોહર વસ્ત્રાલંકારોથી ખુશ ન થવા સમજાવે છે. ખરેખર ગુરુદેવ ગાંધારીના માતૃહૃદયની માર્મિક મનોવ્યથા દ્વારા એ ઉદાત્ત પાત્રનું હૃદયંગમ આલેખન કર્યું છે. ગુરુદેવનું મૂળ કાવ્ય બંગાળી ભાષામાં રચાયું છે. શ્રી નગીનદાસ પારેખે એનો અક્ષરશઃ ગુજરાતીમાં અનુવાદ કરેલો. તે ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘એકોત્તર શતી' નામે ૧૦૧ કાવ્યોના સંગ્રહગ્રંથમાં સમાવેશ પામ્યો છે. અહીં આ હૃદયંગમ ઊર્મિ કાવ્યના થોડા સંક્ષેપ સાથે વાચકોને પરિચય આપવામાં આવે છે.
ગાન્ધારીર આવેદન
(ગાંધારીનું આવેદન)
દુર્યોધન તાત, આપને ચરણે પ્રણામ કરું છું.
ધૃતરાષ્ટ્ર : અરે દુરાશય, તારું અભીષ્ટ સિદ્ધ થયું કે ?
દુર્યોધન : હું જય પામ્યો છું.
ધૃતરાષ્ટ્ર ઃ હવે સુખી થયો ને ?
દુર્યોધન : હું વિજયી થયો છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધૃતરાષ્ટ્ર : હે દુર્મતિ, અખંડ રાજ્ય જીત્યા છતાં પણ તને સુખ ક્યાં છે ?
દુર્યોધન : મહારાજ, મેં સુખ ઇછ્યું નહોતું, જય જય ઇઝ્ઝો હતો. અને આજે હું જયી થયો છું.... હે તાત, આજે હું સુખી નથી, જયી છું. પિતા, સુખી તો હું ત્યારે હતો જ્યારે અમે પાંડવો અને કૌરવો... સુખમાં એકસાથે બધાંયેલા હતા. સુખમાં તો હું ત્યારે હતો, જ્યારે પાંડવના ગાંડીવ-ટંકારથી શંકાકુલ શત્રુદળ આંગણે આવવાની હિંમત કરતું નહોતું. ... સુખમાં તો હું ત્યારે હતો જ્યારે પાંડવોના જયધ્વનિના પડઘા કૌરવોને કાને અથડાતા હતા..... આજે પાંડુના પુત્રોને પરાભવ વનમાં વહી જાય છે, આજે હું સુખી નથી. આજે હું જયી છું.
ધૃતરાષ્ટ્ર ઃ ધિક્કાર છે તારા ભાદ્રોહને. પાંડવોના અને કૌરવોના પિતામહ એક છે તે શું તું ભૂલી ગયો ? દુર્યોધન : તે હું ભૂલી શકતો જ નથી, તેમ છતાં ધનમાં, માનમાં, તેજમાં અમે એક નથી.... આજે હું જયી. છું.
ધૃતરાષ્ટ્ર : આજે ધર્મનો પરાજય થયો.
* નિવૃત્ત નિયામકશ્રી, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ-૯
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૬૪
–
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્યોધન : લોકધર્મ અને રાજધર્મ એક નથી. .... રાજધર્મમાં ભ્રાતૃધર્મ કે બંધુધર્મ નથી હોતા, કેવળ જયધર્મ
જ હોય છે. ધૃતરાષ્ટ્ર : કપટ ધૂતથી જીતીને તું તેને જય કહે છે ? દુર્યોધન : પિતા, જેનું જે બળ તે તેનું અa... યુદ્ધનું તો એક માત્ર લક્ષ્મ જયલાભ હોય છે. પિતા, આજે
હું જયી થયો છું. દુર્યોધન : નિંદાથી હવે હું ડરતો નથી... દુર્યોધન પાપી છે’, ‘દુર્યોધન દૂર છે’, ‘દુર્યોધન હીન છે' એવું
એવું આટલા દિવસ મૂંગે મોઢે બહુ સાંભળ્યું.... અને બધા લોકો પાસે હું કહેવડાવીશ કે “દુર્યોધન રાજા છે'.
... મારા નિંદકોએ તમને સદા પાંડવોના ગુણગાન અને અમારી નિંદા સંભળાવ્યા કરી છે. ધૃતરાષ્ટ્ર : હાય, અભિમાની વત્સ, મારામાં આટલો બધો સ્નેહ છે કે મેં અધર્મમાં સાથ આપ્યો છે, હું જ્ઞાન ખોઈ બેઠો છું, તારો સર્વનાશ કરવા બેઠો છું.. જયી થા, સુખી થા. એકેશ્વર રાજા થા.
(ચરનો પ્રવેશ) : ચર : હે મહારાજ, વિકગણ, અગ્નિહોત્ર, અને દેવ-ઉપાસનાનો ત્યાગ કરીને, પાંડવોની પ્રતીક્ષા કરતા
ચૌટે આવીને ઊભા છે. ... દુકાનો બધી બંધ છે. દુર્યોધન : એ મૂઢ અભાગીઓ, આજે તમારો કામ ઘેરાયો છે. જોઉં તો ખરો કે પ્રજાની આ પરમ ઉદ્ધતાઈ... કેટલા દિવસ રહે છે !
પ્રતિહારીનો પ્રવેશ) પ્રતિહારી : મહારાજ, મહારાણી ગાંધારી આપને ચરણે દર્શનની પ્રાર્થના કરે છે. ધૃતરાષ્ટ્ર : હું તેમની જ રાહ જોઉં છું. દુર્યોધન : પિતાજી, હું જાઉં ત્યારે. (જાય છે.)
(ગાંધારીનો પ્રવેશ) ગાંધારી : આપના શ્રીચરણમાં મારે નિવેદન કરવાનું છે. આટલી વિનંતી રાખો, નાથ. ...અબઘડી ત્યાગ
કરો. ધૃતરાષ્ટ્ર : મહારાણી, કોનો ? ગાંધારી : પુત્ર દુર્યોધનનો ! ધૃતરાષ્ટ્ર : તેનો હું ત્યાગ કરું ? ગાંધારી : એ જ મારી વિનંતી છે. ધૃતરાષ્ટ્ર : હે ગાંધારી, આ પ્રાર્થના દારુણ છે. ગાંધારી : હે કૌરવ એ પ્રાર્થના શું મારી એકલીની છે? કુરુકુળના પિત પિતામહે સ્વર્ગમાંથી અહોનિશ એ
પ્રાર્થના કર્યા કરે છે. ધૃતરાષ્ટ્ર : હું પિતા છું. ગાંધારી : ગર્ભભાર-જર્જરિત હું માતા નથી? ... તો પણ તે મહારાજ, હું કહું છું ને તે પુત્ર દુર્યોધનનો
આજે ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર : હાય પ્રિયે, ધર્મને વશ થઈને ચૂતમાં બંધાયેલા પાંડવોનું લૂંટાઈ ગયેલું રાજ્ય મેં એક વાર પાછું
આપ્યું હતું. થાય બીજી જ ક્ષણે પિતૃનેહ મારા કાનમાં સો સો વાર ગુંજન કરવા લાગ્યો... રાજ્ય પાછું આપવાથી પણ પાંડવોના મનનો અપમાનનો ઘા રુઝાવાનો નથી. પાંડવોને મેં પાછા
ગાંધારીની મનોવ્યથા [ ૬૫
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલાવ્યા ધૂતની છલનાથી મેં તેમને લાંબા વનવાસે મોકલ્યા. ગાંધારી ! મહારાજ. પાંડવો વનમાં જશે, પાછા વળ્યા વળશે નહિ.. હવે આ રાજય તમારું એકલાનું
છે. આ ઘડીએ તમારા પુત્રનો ત્યાગ કરો.. હું તમને પૂછું છું, જો તમારો કોઈ પ્રજાજન સતી
અબળાને પારકા ઘરમાંથી ઘસડી લાવીને તેનું વિના દોષે અપમાન કરે, તો તમે શી સજા કરશો? ધૃતરાષ્ટ્ર : દેશવટાની. ગાંધારી : તો આજે બધી સ્ત્રીઓ વતી હું રાજાને ચરણે ન્યાયની માગણી કરું છું... પુત્ર દુર્યોધન અપરાધી
છે, આપ પોતે એના સાક્ષી છો,... મેં તો માન્યું હતું કે મારા ગર્ભમાં વીર પુત્રો જન્મ્યા છે. હાય નાથ, તે દિવસે જ્યારે અનાથ પાંચાલીના આર્ત કંઠ સ્વરે પ્રાસાદની ભીંતોને ભિજાવી નાખી, ત્યારે મેં બારીએ દોડી જઈને જોયું, તો તેનાં વસ્ત્ર ખેંચીને સભામાં ગાંધારીના પુત્ર-પિશાચો ખડખડ હસતા હતા. મહારાજ, સાંભળો આટલી વિનંતી. જનનીની લાજ દૂર કરો.... દુર્યોધનનો
ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર : પ્રિયે, સુંદરી, એ તમારી વાણીના મોહપાશને હું તોડી શકતો નથી.... હું તેને નહિ ત્યજી શકું !... બનવાનું હતું તે બની ગયું. જે પરિણામ આવવાનું હશે તે આવશે. (જાય છે.)
(દુર્યોધનની મહારાણી ભાનુમતીનો પ્રવેશ) ભાનુમતી : (દાસીઓને) માલ્યવત્ર અલંકાર માથે ઉપાડી લો. ગાંધારી : પૌરવ ભવનમાં આજે શાનો મહોત્સવ છે? નવાં વસ્ત્રો અને અલંકારો સજીને ક્યાં જાય છે,
વહુ? ભાનુમતી : શત્રુ-પરાભવની મંગળ ઘડી આવી પહોંચી છે. ગાંધારી : ...નવા અલંકાર ક્યાંથી આણ્યા, કલ્યાણી ? ભાનુમતી પોતાના ભુજબળથી વસુમતીને જીતીને પાંચાલીના પાંચ પતિઓએ તેને જે બધાં રત્નો માટે
અલંકારો આપ્યાં હતાં, તે રત્નોનાં આભૂષણોથી મને શણગારીને તેને વનમાં જવું પડ્યું. ગાંધારી : અરે મૂઢ, ... તે રત્નો લઈને તું આટલો અહંકાર કરે છે ?... ભાનુમતી માતા, આપણે ક્ષત્રિય સ્ત્રીઓ છીએ... કદી જય, કદી પરાજય. ગાંધારી : બેટા... આજે આનંદનો દિવસ નથી. સ્વજનના દુર્ભાગ્ય ઉપર અંગે અંગે શણગાર સજીને ગર્વ
કરીશ નહિ.... કાઢી નાખ આ અલંકારો અને નવું રક્તાંબર.... અગ્નિગૃહમાંથી, પુરોહિતને બોલાવ.
(ભાનુમતી જાય છે.) (દ્રૌપદી સાથે પાંચ પાંડવોનો પ્રવેશ) યુધિષ્ઠિર : વિદાય વેળાએ આશીર્વાદ માગવાને આવ્યાં છીએ, માતા. ગાંધારી : ..હે વત્સ, સૌભાગ્યનો દિનમણિ દુઃખરાત્રિનું અવસાન થતાં બમણો ઉજ્જવળ થઈને ઊગ્યો..
તમારો દેશવટો સદા નિર્ભય હો... પુત્રથી યે વધુ એવા હે પુત્રો, મારા પુત્રે જે કંઈ અપરાધ કર્યા છે તે બધા મારા આશીર્વાદથી ફોક થઈ જાઓ.
(દ્રૌપદીને આલિંગન કરીને) ધૂળમાં રોળાયેલી સુવર્ણલતા, ઓ મારી દીકરી, એક વાર માથું ઊંચું કર, મારા બોલ સાંભળ... જા, બેટા, પતિ સાથે અમલિન મુખે રહી અરણ્યને સ્વર્ગ બનાવજે, દુઃખને સુખમાં પલટી નાખજે....
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૬૬
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલાવારસાની રખેવાળી
પ્રિયબાળા શાહ* આપણા પુરાતત્ત્વીય અવશેષો ક્યાંક ક્યાંક વેરણછેરણ પડ્યા હોય છે. સામાન્ય પ્રજાને તે અંગેની સમજદારી બહુ ઓછી હોય છે. સરસ મજાની પથ્થરમાં કંડારેલી મૂર્તિ રસ્તાની એક બાજુએ પડેલી હતી. તેનો જો અભ્યાસ કરવામાં આવે તો તે મૂર્તિનો સમય, તેમાંની સ્ત્રી-આકૃતિનો પહેરવેશ, તેનો ઉપયોગ અર્થાત તે અંગેના રીતરિવાજ, સામાજિક પરિસ્થિતિ અથવા તેનો ધાર્મિક ઇતિહાસ વગેરેનો અભ્યાસ થઈ શકે. આ
સ્થળેથી થોડા દિવસ પછી પસાર થતાં ખ્યાલ આવ્યો કે અહીં રસ્તો બનાવવા માટે ખોદકામ કરાતું હતું અને તે ખોદકામમાં આ મૂર્તિને દાટી દેવામાં આવી. આવો જ બીજો દાખલો આબુ પહાડની તળેટીમાં આવેલું દેવાંગણ. તેમાં અનેક મૂર્તિઓ વેરણછેરણ પડી હતી. તેમાંની સુંદર મૂર્તિ તે ત્રિમૂર્તિની. તે આરસની હતી. કોઈ એક પૈસે ટકે સુખી અને શોખીન વ્યક્તિને તે લઈ જવાની ઇચ્છા થઈ. કેટલાક મજૂરોને તે માટે તેનું મહેનતાણું આપવામાં આવ્યું. પરંતુ ગામલોકોને આ બાબતની ખબર પડી એટલે તેમણે તે મૂર્તિને લઈ જતાં મજૂરોની સાથે ઝઘડો કરીને મૂર્તિને તે જ જગાએ પાછી મુકાવી. આવા તો કાંઈક શિલ્પાકૃતિઓના નમૂનાઓ સામાજિક વારસાને સમજવા માટે ઉપયોગી થઈ પડે છે. આવા તો કૈક અવશેષો ક્યાંક અને કેવી રીતે ઊપડી જાય છે તે આપણને આપણા ભારત કે ગુજરાતના ઇતિહાસને સમજવા માટે મુશ્કેલી ઊભી કરે છે. આ અસ્તવ્યસ્ત પડેલા પુરાતત્ત્વીય કે સાહિત્યકીય અવશેષોનો વ્યવસ્થિત અભ્યાસ જરૂરી બને છે. આપણા પ્રાચીન અવશેષો તે જ આપણો કલાવારસો. આ કલાવારસો આપણને આપણા દેશની કલાસમૃદ્ધિનો ખ્યાલ આપે છે. સાથે સાથે તે વખતનો પરિવેશ, વગેરેથી માંડીને આપણી કલાસમૃદ્ધિ તેમજ બીજી અનેક સમૃદ્ધિનો પરિચય કરાવે છે.
આજ સુધી આપણા કલાવારસા પ્રત્યે બેદરકારી રાખવામાં આવી છે, પણ હવે જાગૃતિ આવી છે. આપણા દેશની કલાનાં સ્થાપત્ય, શિલ્પ આદિ મહત્ત્વની કારીગરીના કેટલાયે નમૂનાઓ ઠેરઠેર વિખરાયેલા પડ્યા છે. તેને એકત્ર કરીને પ્રાચીન કલાનું સંગ્રહાલય બનાવાય તો તે પ્રાચીન કલાના અભ્યાસ માટે અનુકૂળ થાય. આવું સંગ્રહસ્થાન બને તો કલાના વર્તમાન ઉપાસકોને તેમજ ભવિષ્યની પ્રજાને તેમના કલાવારસાની જાણકારી ઉપલબ્ધ થાય તેમજ ઇતિહાસના અભ્યાસીઓ પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે.
સાંચી કે અમરાવતી સ્તૂપના પથ્થરોમાં કંડારેલી બૌદ્ધ કથાઓ આપણને તે તે કાળના સંસ્કારનું ચિત્ર પ્રત્યક્ષ કરી આપે છે. તેવી જ રીતે ઇલોરા કે એલિફન્ટાની ગુફાઓ તે કાળના શૈવધર્મનું સ્વરૂપ, તે કાળની સ્થાપત્ય તથા શિલ્પકલાનું હૃદયંગમ સ્વરૂપ, ધર્મપ્રસાર માટેની ઉત્કટ વાસના વગેરે તે કાળની સમાજની વિવિધ વાતોને આપણી નજર સમક્ષ તાદશ કરી આપે છે. ગુજરાતમાં મોઢેરાનું સૂર્યમંદિર સૂર્યપૂજાના પ્રચારનો કે રુદ્રમહાલય અથવા સોમનાથ મંદિરના ભગ્નાવશેષો શિવપૂજાના પ્રચારનો જે ખ્યાલ આપી શકે છે તે બીજી કોઈ રીતે મળવાનો સંભવ નથી. આ તો સંપૂર્ણ શિલ્પમય પુસ્તક નજર આગળ દેખાય છે. કદાચ, પુસ્તકો પણ આવો તાદશ ચિતાર દર્શાવી શકે નહીં.
મંદિરો, કિલ્લાઓ, મસ્જિદો વગેરે સ્થાપત્યનો તે તે સમયનો ઇતિહાસ વગર મુશ્કેલીઓ પ્રાપ્ત થઈ શકે છે. કેટલાંક સંગ્રહસ્થાનોમાં બૌદ્ધમૂર્તિઓના અભ્યાસ માટે હજારો નમૂનાઓ સંગૃહીત થયેલા છે અને તેનો વિશેષ અભ્યાસ પણ કરી શકાય છે. તેને માટે કોઈ પ્રશ્ન રહેતો નથી. ભારત દેશમાં આવા કેટલાયે શિલ્પવિષયક નમૂનાઓ વેરણછેરણ પડ્યા છે તેના વિશે કાંઈ વિચારાતું નથી અથવા તે વિચારવા માટે પૂરતો અવકાશ હોતો નથી. આવા તો કૈંક નમૂનાઓ ગુજરાત રાજયમાં આજે પણ મોજૂદ છે તે દાણચોરો મોં-માંગ્યા દામ લઈને શ્રીમંતોને પધરાવી દે છે. તેમને માટે તો તેમના બેઠક રૂમના શણગાર સિવાય તેનું બીજું કોઈ જ મહત્ત્વ હોતું નથી. * નિવૃત્ત આચાર્યા, માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજ, રાજકોટ
કલાવારસાની રખેવાળી [ ૬૭
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયાં રસ્તાઓ ખોદાતા હોય, મકાનના પાયા ખોદાતા હોય ત્યારે તેમાંથી મૂર્તિઓ, સિક્કાઓ, તામ્રપત્રો વગેરે પ્રાપ્ત થાય છે પણ તેની સાચવણી થતી નથી. સિક્કાઓ તેમજ આવી પુરાતત્ત્વીય સામગ્રી ઇતિહાસની પુનર્રચના માટે ખૂબ ઉપયોગી સાધન છે. આવા સિક્કાઓ, તામ્રપત્રો વગેરે પરદેશ ઘસડાઈ જાય છે. લોભી વેપારીઓ આવા ધાતુના નમૂનાઓ ગળાવી નાંખે છે. ખોદકામ કરનાર મજૂરોને આની કોઈ જાણકારી હોય નહીં તેથી આવી ચીજો વેપારીઓ અથવા કલાની કાંઈક સમજદારી હોય તેવા લોકો મામૂલી રકમ મજૂરોને આપીને હસ્તગત કરે છે.
ખંડિત મૂર્તિઓ પૂજા માટે યોગ્ય ગણાતી નથી. તેથી તેને નદીમાં વહેવડાવી દેવામાં આવે છે અથવા નદીકિનારે કોઈ એક વૃક્ષ નીચે મૂકી દેવામાં આવે છે. ટૂંકમાં પ્રજાનું અજ્ઞાન અને જાણકારોની બેદરકારીથી આવી કલાસમૃદ્ધિની રખેવાળી જોઈએ તે પ્રમાણે થતી નથી.
આવી વસ્તુઓ બરાબર સચવાવી જોઈએ. તેમાં ભાંગફોડ ન થાય તે પણ એટલું જ જરૂરી છે. સાચો ઇતિહાસ આવા પુરાવશેષોમાંથી જાણી શકાય છે. ઇતિહાસની કથા તે દાદીમાની વાતો કે પરીકથા જેવી આજની આપણી પેઢીને ન લાગે માટે તેને વ્યવસ્થિત સાચવીને આપણો ભવ્ય ભૂતકાળ શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓને તેના અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેમ રજૂ કરવો જોઈએ.
આપણી રાષ્ટ્રિય સંપત્તિને જાણે-અજાણે અથવા અણસમજણને લઈને ઘણું નુકસાન થયું છે - થાય છે. તેની રખેવાળી કરવા તે વસ્તુઓ ચોરાઈ ન જાય, પરદેશ ઘસડાઈ ન જાય, સિક્કા કે તામ્રપત્રો જેવી ચીજોનું ધાતુમાં પરિવર્તન ન થઈ જાય તે માટે ભારત સરકારે પ્રાચીન-સ્મારક - ઇમારતો, સ્થળો અને બીજી વસ્તુઓને લગતા ધારા ઘડ્યા છે. આ ધારાના અમલથી પ્રાચીન શિલ્પો, સિક્કાના સંગ્રહો વગેરે જે સાધનો વડે મ્યુઝિયમો સમૃદ્ધ થાય છે તે મેળવવા સરકાર શક્તિમાન થાય છે. એ પણ નોંધવું જોઈએ કે જમીનમાંથી પ્રાપ્ત થયેલ નિધિની જાણ કલેક્ટરને કરવામાં આવે અને સરકાર તે નિધિ પ્રાપ્ત કરવાનું નક્કી કરે તો તે શોધનાર અને માલિકને વસ્તુની મૂળ કિંમત કરતાં ૧૫ વધારે રકમ મળે છે. આમ છતાં અજ્ઞાની લોકો દુર્ભાગ્યે પોતાને જડેલી ચીજોને ઘણી વાર સંતાડી રાખતા હોય છે, ધાતુની ચીજોને ગાળી નાંખતા હોય છે; આ રીતે ઇતિહાસ અને પુરાતત્ત્વવિદ્યાને હાનિ પહોંચાડતા હોય છે. ૧૮૭૮માં ભારતીય ગુણધન ધારાની જોગવાઈ કરવામાં આવી. આ ધારા પ્રમાણે જ્યારે કોઈ પણ માણસને દસ રૂપિયાથી વધારે કિંમતનો નિધિ એટલે કે જમીનમાં દટાઈ ગયેલી અગર જમીનમાં ચોંટી ગયેલી કોઈપણ ચીજમાં ઢંકાઈ ગયેલી વસ્તુ મળે ત્યારે તેણે જે જડેલી ચીજ અંગે કલેક્ટરને જાણ કરવી અને નજીકની તિજોરીમાં તે નિધિ જમા કરાવવો અગર કલેક્ટરને યોગ્ય બાંહેધરી કરવી. ત્યારબાદ ૧૯૦૪માં પ્રાચીન સ્મારક ઇમારતનો સંરક્ષણ ધારો અમલમાં આવ્યો. ૧૯૪૭માં પ્રાચીન સ્મારક ઇમારતો અને પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો ધારો Antiquities Act અમલમાં આવ્યો. આ પુરાતન વસ્તુઓને લગતા ધારા અનુસાર સરકારી પરવાના વગર: નિકાલ નિયમન - Export Control ૧૦૦ વરસ કરતાં વધારે જૂની હોય એવી વસ્તુઓની નિકાસ કરવા માટે અગર નિકાસ કરવાના પ્રયત્ન માટે સજાઓ ઠરાવવામાં આવી છે. તેનો આશય દેશની પુરાતત્ત્વીય સંપત્તિનું હરણ ન થાય એવી ચોકસાઈ રાખવાનો છે. ૧૯૫૯ના ૧૫મી ઓક્ટોબરને દિવસે અમલમાં આવતા ધારાને પ્રાચીન સ્મારક, ઇમારતોના સંરક્ષણધારાના વિભાગોને આજની જરૂરિયાત પ્રમાણે અનુકૂળ રીતે ગોઠવવા ઉપરાંત આ નવા કાયદામાં બીજી કેટલીક હિતકારક જોગવાઈઓ છે. કાયદાની જોગવાઈઓ ૧૯૫૧માં રાષ્ટ્રીય અગત્યનાં જાહેર કરાયેલાં બધાં સ્મારક ઇમારતો અને સ્થળોને લાગુ પડે છે, અર્થાતુ પ્રાચીન સ્મારક ઈમારત સંરક્ષણધારા હેઠળ સંરક્ષાયેલાં બધાં સ્મારકો અને જૂનાં દેશી રાજ્યોમાંની કેટલીક અગત્યની ઇમારતોને તે લાગુ પડે છે. ઉપરાંત ગેઝેટમાં જાહેરાત કરીને એ યાદીમાં નવી સ્મારક ઇમારતો અને નવાં સ્થળો સરકાર ઉમેરી શકે છે. આવાં બધાં સ્થળો અને ઇમારતો સંરક્ષિત ઇમારતો અને સ્થળો તરીકે જાણીતાં છે. આ ધારામાં સમાતા ગુનાઓ માટે ત્રણ મહિનાની કેદ અથવા પાંચ હજાર રૂપિયાનો દંડ અથવા બંને સજા
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૬૮
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ શકે છે. આ થઈ કલાવારસાની રખેવાળી સરકારી રાહે.
સરકારી રાહે ધાકધમકીથી, કાયદાની બીકથી કલાવારસાનું રક્ષણ કરવાનું થયું પણ આપણે પ્રજાજનો આપણો સમૃદ્ધ વારસો કેવી રીતે સાચવીશું તે પણ વિચારવું જરૂરી બને છે. લોકમત કેળવવો જોઈએ. મ્યુનિસિપાલિટી કે પંચાયતોએ કલાવારસાની સાચવણીનું કાર્ય હાથ પર લેવું જોઈએ તેમજ લોકોને ઊંડી સમજ આપવી જોઈએ. તેનો અભ્યાસમાં ઉપયોગ કરાવવો જોઈએ. કલાની જાળવણીથી આપણો વારસો, ભવ્ય ભૂતકાળની સમજણ આપતી ફિલ્મો બતાવવી જોઈએ. તે માટેની જિજ્ઞાસા તીવ્ર થાય એમ કરવું જોઈએ. ગુજરાતની સૌપ્રથમ રાજધાની ભિન્નમાલમાં એલિફન્ટાની ગુફાઓનાં શિલ્પો જેવાં શિલ્પો, સાતમા સૈકાનાં શિલ્પો ઝાડીઓની વચ્ચે તળાવને કિનારે ખૂબ પડેલાં છે. તળાવને કિનારે પડેલા પથ્થરનાં શિલ્પોનો ઉપયોગ સામાન્ય રીતે લૂગડાં ધોવાના કામમાં કરવામાં આવતો હોય છે. આવી અણસમજણથી સારાં શિલ્પો ધોવાઈ જાય છે, તૂટી જાય છે. નાનાં નાનાં ગામડાંમાં શાળાઓ હોય તેના શિક્ષકોએ, પંચાયતો હોય તો તેના સરપંચો વગેરેએ આવી શિલ્પસમૃદ્ધિને એકત્ર કરીને શાળાના આંગણામાં મુકાવવી જોઈએ. શાળાના આંગણામાં કે ગામના ચોરામાં કે પંચાયતની ઑફિસમાં શિલ્પો રાખવામાં આવે તો તેમાં ખરચ થતું નથી. વસ્તુઓ સચવાય છે અને વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં ઉપયોગી બને છે. આવી રીતે કલાશિલ્પોની જાળવણી કરવામાં આવી હોય તો તેનું સુંદર સંગ્રહસ્થાન બનાવી શકાય છે. આપણા ગુજરાત રાજ્યમાં હાલમાં એક સંગ્રહસ્થાન અમદાવાદ શહેરમાં સંસ્કાર કેન્દ્રમાં થયું છે. પણ તે ઉપરછલ્લું છે.
શિલ્પોની વાત થઈ તે પ્રમાણે પ્રાચીન ચિત્રો, હસ્તપ્રતો, દસ્તાવેજો, ધાતુપ્રતિમા, ધાતુની પ્રાચીન ઇતરચીજો, પકવેલી માટીનાં રમકડાં, પ્રાચીન ઈંટો, માટીનાં ચિત્રિત તથા રંગીન વાસણો, પ્રાચીન સમયનાં કાપડ કે વસ્રો વગેરે ભારતના ઇતિહાસના પુનર્રચનાનાં સાધનો તરીકે ઉપયોગી ગણાય છે. તેની જાળવણી યયાયોગ્ય કરવી જોઈએ અને તેને યથાસ્થાને ગોઠવવી જોઈએ. આવી ચીજો અભ્યાસને માટે સુલભ બનાવવી જોઈએ. તેના ફોટા વગેરે પડાવવા જોઈએ. જેથી ચીજો નાશ પામે તો પણ વસ્તુના ફોટા કે પ્રતિકૃતિ આપણી પાસે સચવાયેલી રહે છે અને અભ્યાસમાં અને ઇતિહાસની પુનર્રચના કે આપણા સાંસ્કૃતિક વારસાને સમજવામાં તે ઉપયોગી થાય છે. ઉપરાંત એના અનેક નમૂનાઓ પ્રતિકૃતિથી તૈયાર કરવામાં આવે કે જેનો અભ્યાસ દૂરદૂરના દેશોમાં પણ કરવાનો સુલભ થઈ શકે છે.
એ રીતે જો ટૂંકમાં ગણાવીએ તો સો વર્ષ પહેલાંના અક્ષરોવાળા કોઈ શૂરવીરના એક સામાન્ય પાળિયાથી આરંભી પાંચ હજાર વર્ષ પહેલાંની સિંધુ સંસ્કૃતિને પ્રકાશમાં લાવનાર મોહેં-જો-ડેરાના ખોદકામમાંથી મળેલી નાનીમોટી અનેક ચીજો, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, જૂનાં મકાનો, જૂની મૂર્તિઓ, જૂના ગ્રંથો વગેરે અનેકાનેક જૂની ઐતિહાસિક મૂલ્યવાળી વસ્તુઓ સંગ્રહવી જોઈએ. તેની ફિલ્મ તૈયાર કરાવવી જોઈએ, ફોટા કે પ્રતિકૃતિઓ પણ રાખવી જોઈએ. તેની માર્ગદર્શિકા લખાવવી જોઈએ અને તેમાં સ્પષ્ટ સમજાવવું જોઈએ કે આ બધી ચીજોમાંથી તૈયાર થતી ઐતિહાસિક માહિતી દાદીમાની વાતો કે પરીઓની કથા કરતાં કાંઈક જુદી છે. જેની જાળવણી આપણી સંસ્કૃતિ સમજાવવા માટેનું ઉત્તમ સાધન છે. આને માટે આપણા સમૃદ્ધ કલાવારસાની જાળવણી-રખેવાળી કરવી જોઈએ. પ્રાચીન કલાકારીગરી, મૂર્તિઓ, ઐતિહાસિક ઇમારતો વગેરે આપણી રાષ્ટ્રિય સંપત્તિ છે. તેની જાળવણી એ આપણા દેશ પ્રત્યેની સૌપ્રથમ ફરજ છે.
છતાં એક નવો વિચાર : ઘણી ઇમારતો છે જેનું મૂલ્ય ઐતિહાસિક છે, કલાકારીગીરીના સુંદર નમૂનાઓ છે. અમદાવાદમાં ઘણી હવેલીઓ-પોળોમાં છે તેમાં કાષ્ઠકલાના કારીગરોએ અદ્ભૂત તકતીઓ તૈયાર કરેલી છે. હવે તો આ આવી હવેલીઓમાંથી કાષ્ઠકાળની તકતીઓ વેચાવા માંડી છે તો કોઈ સંસ્થા કે શ્રીમંતવર્ગ આવી ઇમારતો-હવેલીઓને દત્તક લઈને તેની જાળવણીની ખેવના કરે તો તે ધન્યવાદને પાત્ર ગણાય. સાથે સાથે એટલું યાદ રાખવું જરૂરી છે કે શિલ્પસ્થાપત્ય એ માણસની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.
કલાવારસાની રખેવાળી ૩ ૬૯
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છના સાંસ્કૃતિક વારસાનાં સંભારણાં
પ્રમોદ જે. જેઠી કચ્છ એ પ્રવાસની દૃષ્ટિએ અતિ મહત્ત્વનો જિલ્લો છે. કચ્છનો ઇતિહાસ સમૃદ્ધ અને ગૌરવશાળી છે. કચ્છનાં ગામડે ગામડે આવેલ પાળિયા, મંદિરો તથા મસ્જિદો કચ્છના ઇતિહાસની સાક્ષી આપતાં ઊભાં છે. કચ્છમાં જોવાલાયક સ્થળો, ધાર્મિક સ્થળો, પુરાતત્ત્વીય સ્થળો અને ઐતિહાસિક સ્થળો ઘણાં આવેલાં છે. આ ઉપરાંત કચ્છ પોતાની આગવી સંસ્કૃતિમાં ધબકતું રહ્યું છે. કચ્છની લોકસંસ્કૃતિ તેમજ ભાતીગળ જીવનશૈલી આજ પણ જીવંત છે.
તા. ર૬મી જાન્યુ. ૨૦૦૧ના રોજ આવેલ વિનાશક ભૂકંપના ભોગ બનેલ શિલ્પસ્થાપત્યથી ભરપૂર કચ્છની સમૃદ્ધિનાં સાક્ષી એવાં સમૃદ્ધ સ્મારકો કાળની ગતિમાં વિલીન થઈ ગયાં જેનું દુઃખ કલાપ્રેમીઓને રહેવાનું છે. ભદ્રેશ્વર જૈન મંદિર :
કચ્છી સ્થાપત્ય અને નકશીકામથી સભર ગુજરાતભરમાં જૈન લોકોનું જાણીતું તીર્થધામ એટલે વસઈ તીર્થ. પર (બાવન) તીર્થકરોના દહેરા અને ર૧૮ સ્તંભ પર ચણાયેલ આ મંદિર રમી જાન્યુ. ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થતાં જૈન સમાજે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે નવા પ્લાન-નકશા બનાવી મંદિરને નવેસરથી બાંધવાનો નિર્ણય લેતાં જૂના શિલ્પ સ્થાપત્યનું દર્શન કરાવતું મંદિર જમીનદોસ્ત કરવામાં આવ્યું. તેની જગ્યાએ પાયાથી નવેસરથી નવા આકારનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે.
એક સમયે આ જગ્યાએ સમૃદ્ધ ભદ્રાવતી નગરી હતી. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૨૨ વર્ષે ભદ્રાવતીના રાજા સિદ્ધસેનની સહાનુભૂતિ અને સહાયથી દેવેન્દ્ર નામક શ્રાવકે આ જૈન મંદિર બંધાવ્યું હતું. બાદમાં આ તીર્થધામનો સમયાન્તરે નવ વખત જીર્ણોદ્ધાર થયેલ હતો. કંથકોટનું જૈન મંદિર :
ભચાઉ તાલુકામાં આવેલ કંથકોટના કિલ્લામાં અતિ પ્રાચીન જૈન મંદિર આવેલું હતું. કચ્છમાં આવેલ ઈ.સ. ૧૮૧૯ના ભૂકંપે કચ્છના સાંસ્કૃતિક વારસાને ઘણું જ નુકસાન પહોંચાડેલ હતું. તેમ છતાં આ ભૂકંપ બાદ શિલ્પસ્થાપત્યનાં દર્શન કરવાથી એક સમયના કંથકોટની સમૃદ્ધિનાં દર્શન થતાં હતાં. મંદિરના ગભારા તથા મંડપની છતમાં ઘણાખરા ઘુમ્મટો ને સ્તંભો પડી ગયેલા હતા. મંદિરની ધસાઈ ગયેલી અસ્પષ્ટ શિલ્પસમૃદ્ધિમાં ઉત્કૃષ્ટ કારીગરી જોવા મળતી હતી. એના સ્તંભ પર સંવત ૧૩૩)નો લેખ વંચાતો હતો જેમાં આ મંદિર આમદેવનાથ સુત લાખ તથા પાસીલે બંધાવેલ છે એવો ઉલ્લેખ હતો. બીજા સ્તંભ પર સંવત ૧૩૨૪ શ્રાવણ સુદ ૫ ના લેખમાં આ મંદિર બંધાવનાર જૈન શ્રીમાળી વંશનો હતો એવું * ક્યુરેટર, આયના મહેલ, ભૂજ
પથિક : જાન્યુઆરી – જૂન, ર૦૦પ ૭૦
-
-
-
-
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવા મળતું હતું. છેલ્લાં બસો વર્ષથી આ મંદિરના કોઈ જૈન શ્રેષ્ઠીએ જીર્ણોદ્ધાર કરવાનું કામ કરેલ નહીં. તેમ છતાં બચેલો ઊભો ભાગ પ્રવાસીઓને આકર્ષતો હતો. જે ૨૫ મી જાન્યુ. ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જમીનદોસ્ત થઈ ગયો. આ ભવ્ય મંદિર પથરોના ઢગલામાં ફેરવાઈ ગયું. મહારાવશ્રી લખપતજીની છતરડી :
ઈ.સ. ૧૭૬૧માં મહારાવશ્રી લખપતજી દેવ થયા. તેમની યાદમાં આ ભવ્ય કલાત્મક છતરડી ઊભી કરવામાં આવી હતી. છતરડીને ફરતે આવેલ શિલ્પોમાં રાગરાગિની, દશ અવતાર, અપ્સરાઓ, કિન્નરીઓ, ગ્રહો તેમજ હાથીની સાઠમારી, મલ્લયુદ્ધો અને પ્રાણીઓનાં બેનમૂન શિલ્યો આવેલાં હતાં. ઈ.સ. ૧૮૧૯ના ધરતીકંપમાં આ છતરડીનો અમુક ઉત્તર તરફનો ભાગ ઘુમ્મટ સાથેનો પડી ગયેલ. બાકીનો ભાગ અકબંધ રહ્યો હતો. સમયાન્તરે તેના ઘુમ્મટોમાં તિરાડો પડતી ગઈ. વરસાદ-પવનની અસર ઝીલતી આ કલાત્મક છતરડીનું સાચવણીનું કામ ભારત સરકારના A.S.I. ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલ હતું. ઉપરના નુકસાન થયેલ ઘુમ્મટો રિપેર પણ થઈ ગયા હતા.
ર૬મી જાન્યુ. ર૦૦૧ના આવેલ વિનાશક ભૂકંપમાં ધરતી એવી ધ્રૂજી કે આ મજબૂત બાંધકામવાળી છતરડી જમીનદોસ્ત થઈ ગઈ. એક સમયે અહીં છતરડી હતી જેનો અહેસાસ જ રહ્યો. એક પણ પિલર કે છતરડીનો ભાગ ઊભો રહેવા પામ્યો નહીં. આવી સમૃદ્ધ છતરડીને ફરીને ઊભી કરવા A.S.I.એ બીડું ઝડપ્યું છે. પ્લીંથથી ચાર ફૂટનું બાંધકામ મૂળ અસલરૂપમાં થઈ પણ ગયું છે. પણ જે છતરડી પહેલા હતી તેવી ઊભી થશે કે કેમ? એ પ્રશ્ન છે. આશા રાખીએ કે A.S.I. આ છતરડીને જેવી હતી તેવી જ બનાવી કચ્છની પ્રજાને તેનો સાંસ્કૃતિક વારસો પાછો આપશે. ભુજ દરબારગઢનું તોરણિયું નાકું :
ભુજ શહેરને સંવત ૧૬૦૫ માગશર વદ ૫ ના રોજ તોરણ બંધાયું. અને ત્યાર બાદ છેલ્લાં ૪૫૦ વર્ષની કીર્તિગાથા ગાતું આ સ્થળ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
આ રાજ આવાસને દરબારગઢ તરીકે ઓળખવામાં આવે છે. આ દરબારગઢ ફરતે કિલ્લો બાંધવામાં આવ્યો. કચ્છની રાજગાદી પર બેઠેલા જાડેજા વંશના ૧૮ રાજવીઓએ પોતપોતાની જરૂરત મુજબ આ જગ્યાએ અલગ અલગ રાજમહેલો બંધાવ્યા.
મહારાવશ્રી લખપતજીએ (ઈ.સ. ૧૭પ૦-૬૧) આયના મહેલ તથા મહારાવશ્રી પ્રાગમલ્લજી બીજા(ઈ.સ. ૧૮૬૦-૧૮૭૫)એ પ્રાગ મહેલ બંધાવ્યો. આ દરબારગઢના પ્રવેશદ્વારને તોરણિયું નાકું કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વારના બાંધકામમાં મુઘલ, ડચ તથા કચ્છી કલાનાં દર્શન થાય છે. આ એ જ તોરણિયું નાકું હતું જયાં દિવસ-રાત દરમ્યાન બદલાતા ચોઘડિયા પ્રમાણે કચ્છી લંગાઓ પોતાની શહેનાઈ-નોબતના સૂર લહેરાવતા હતા.
અદ્દભુત બાંધણીવાળું, પશુ-પક્ષીઓની વિવિધ આકૃતિઓ તથા બહારની બાજુએ ડચ શૈલીનો પોશાક પહેરેલ વાંજિત્ર વગાડતા પહેરેગીરની પથ્થરની બેનમૂન આકૃતિ ખાસ આકર્ષણ જમાવે છે.
ર૬મી જાન્યુ. ર૦૦૧ના વિનાશક ભૂકંપમાં આ પ્રવેશદ્વારના ઉપરના બે માળ જમીનદોસ્ત થઈ ગયા અને બાકીનો ઊભો રહેલો અડધો ભાગ એક સમયની સમૃદ્ધ જાહોજલાલીની યાદ અપાવે છે. પત્રીનો દરબારગઢ :
કચ્છમાં જાડેજા વંશના રાજવીઓએ ઈ.સ. ૧૫૧૦ થી ઈ.સ. ૧૯૪૮ સુધી એકચક્રી રાજ્ય કર્યું. રાજાનો સૌથી મોટો કુંવર જેને “ટિલાત” કહેવાય; જે કચ્છની રાજગાદીનો વારસદાર કહેવાય અને તેનું
કચ્છના સાંસ્કૃતિક વારસાનાં સંભારણાં n ૭૧
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવાસસ્થાન ભુજ દરબારગઢ રહ્યું હતું. જ્યારે અન્ય ભાઈઓને “ફટાયા” કહેવાય. અને આ ફટાયા કુંવરોના કુંવર કચ્છની જુદી જુદી જગ્યાએ તેઓને મળેલા ગરાસ ભોગવતા હતા. કચ્છ રાજવીના “ભાયાત” આ ગરાસદારો જે જગ્યાએ રહ્યા અને જયાં પોતાનું આવાસ બંધાવ્યું તેને “દ્વારો” કે “દરબારગઢ' કહેવાય છે. આવા દ્વારા ઘણી જગ્યાએ છે. જેમાં અતિસુંદર બાંધણીવાળો દરબારગઢ જો હોય તો તે પત્રીનો દરબારગઢ છે.
આ દરબારગઢમાં અલગ અલગ ત્રણ બિલ્ડિગો આવેલી હતી. જેમાં ઝરૂખાઓ, બારીઓ તથા બારણા પરની પથ્થરની કોતરણી બેનમૂન હતાં. કચ્છી ગૅઈધરોની કલા-કૌશલતાનાં દર્શન કરાવતી આ ઇમારતો ર૬મી જાન્યુ, ૨૦૦૧ના વિનાશ ભૂકંપમાં ઘણી જ નુકસાન પામી, જેને લઈને તેના રિપેરિંગ કામ કરાવતી વખતે ઇમારતનો અમુક ભાગ ઉતારી લેવો પડ્યો. આ ઇમારત આજ રિપેર થઈને ઊભી છે જે આપણા માટે ગૌરવની વાત છે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૭૨
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર
પ્રા. ડૉ. આર.ટી.સાવલિયા*
મનુષ્યની સમસ્ત જાતિની મુખ્ય ચાર જાતો છે, આર્ય, સેમેટિક, મોંગોલ અને નીગ્રો. ખ્રિસ્તી વગેરે સેમેટિક જાતિઓ છે. યુરોપની પ્રજાઓમાં બહુધા સેમેટિક જાતિ છે. યહૂદી ધર્મ પ્રચલિત થયો તે પહેલાં પણ આ સેમેટિક પ્રજાનો એક પ્રાચીન ધર્મ તો હતો અને તેમાં પ્રકૃતિના બધા પદાર્થોને દેવ તરીકે મનાતા. આ લોકો સાથે બેસીને સમૂહભોજન કરતા અને રક્તનું બલિદાન આપતા. તેમનાં વહેમ અને જાદુવિઘા જાણીતાં હતાં, ભૂત પિશાચની તેમની માન્યતા અને દેવપૂજા સાથે પ્રાણીપૂજા અને પિતૃપૂજા પણ આ આદિ સેમેટિકો કરતા.
ગોત્ર કે કુળ જેવી આ આદિ સેમેટિકોની સમાજ રચના હતી. દરેક કુળના દેવતા હતા. કુટુંબ સુખની ભાવના આ લોકોમાં બલવત્તર હતી અને કુટુંબના શત્રુઓનો નાશ કરવો તેને પણ તેઓ ફરજ સમજતા. આ સમાજમાં કુળ ઉપરાંત બહારનો કોઈ ધર્મ જ માનવામાં આવતો ન હતો. યહૂદી ધર્મ પહેલાં આ સેમેટિકોની આવી સ્થિતિ હતી.
યુરોપીય ધર્મોમાં આ યહૂદી ધર્મ પ્રાચીનમાં પ્રાચીન ધર્મ છે. ખ્રિસ્તી ધર્મ એ પછી ૧૩૯૦ વર્ષે થયો. મુસ્લિમ ધર્મ પણ આ યહૂદી ધર્મને મૂળ ધર્મ તરીકે સ્વીકારે છે. આ ધર્મ જુદાં જુદાં નામોથી ઓળખાય છે. જેવાં કે, હિબ્રુ, ઇઝરાએલ, જયુ, યહૂદી વગેરે એનાં નામો જાણીતો છે." યહૂદી પ્રજા :
યહૂદી પ્રજા સેમિટિક જાતિની છે. એનો ઇતિહાસ ઘણો લાંબો અને અટપટો છે. એની અનુશ્રુતિ તેઓના જૂના કરાર'માં આપેલી છે; વિવેચન અને પુરાતત્ત્વની કસોટીએ એમાંની મુખ્ય બાબતો ઐતિહાસિક હોવાનું માલૂમ પડે છે. અનુકૃતિ અનુસાર તેઓના પૂર્વજો પશુપાલક હતા ને પહેલાં સુમેરિયા (દક્ષિણ ઈરાક) દશના ઉર પ્રદેશમાં રહેતા હતા. ઈ.પૂ. ૨૦૦૦ના અરસામાં અબ્રાહમ નામે અગ્રણી આ પ્રજાને ત્યાંથી પશ્ચિમ તરફ જોર્ડન નદીની પેલે પાર ભૂમધ્ય સમુદ્રની પૂર્વે આવેલા દેશમાં લઈ ગયા ત્યાં તેઓ ઇસ્ત્રી કે
આપવાનું વચન આપેલું તે એ જ દેશ મનાયો. આ મુલક પશ્ચિમ એશિયામાં આવેલો છે. એની ઉત્તર-પૂર્વ સીરિયા દક્ષિણ-પૂર્વે જૉર્ડન અને પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે. વધુ દૂર જતાં પૂર્વમાં બેબિલોનિયા અને એસિરિયાનાં તેમજ દક્ષિણ-પશ્ચિમે ઇજિપ્તનાં મહારાજય આવ્યાં હતાં. અબ્રાહામના પૌત્ર યાકોબના બાર પુત્રોમાંથી યહૂદીઓના બાર કબીલા થયા. તેઓમાંના આઈઝકના પુત્ર યાકોબ આગળ જતાં ઇસરાએલ તરીકે ઓળખાયા. એ પરથી એમના વંશજો ‘ઇસરાએલીઓ કે “ઈસરાએલપુત્રો' કહેવાયા. યાકોબના પુત્ર યહૂદાહના નામ પરથી ‘યહૂદી' કહેવાયા. યહૂદીઓ કેનાનમાં ત્રણેક સદી સુખે રહ્યા, પરંતુ ત્યાં દુકાળ પડતાં તેઓ ત્યાંથી ઇજિપ્તમાં જઈ વસ્યા. ત્યાં ઇજિપ્તના લોકોએ તેઓને કનડ્યા ને ગુલામ બનાવ્યા. યહૂદીઓએ આ રીતે ઇજિપ્તમાં ગુલામી અને ત્રાસની યાતના ચારસો એક વર્ષ વેઠી. આખરે મૂસા (મોશે) નામે યહૂદી મહાનુભાવે તેઓની આગેવાની લીધી, તેમના બાર કબીલાઓને સંગઠિત કર્યા અને ઇજિપ્તમાંથી નિર્ગમન કરાવી સ્વતંત્રતા અપાવી. મૂસા (મોશે) એ યહૂદીઓને ઈશ્વરની “દસ આજ્ઞાઓ'ના ઉપદેશ દ્વારા નવી ધર્મદષ્ટિ આપી. પરંતુ + નેશનલ સેમીનાર ઓન સાયન્સ ફિલોસોફી એન્ડ કલ્ચર ઇન ગુજરાતી લેંગ્વઝ એન્ડ લિટરેચર, ગાંધી લેબર
ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ, ૨૫ મી ૨૭ એપ્રિલ, ૨૦૦૪ માં વંચાયેલ શોધપત્ર. * અધ્યાપક, ભો.જે.અધ્યયન-સંશોધન વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ ૯
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર [ ૭૩
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ તેઓને કૅનાન લાવે તે પહેલાં તેઓનું અવસાન થયું. આૉનની આગેવાની નીચે યહૂદીઓએ કૅનાન જઈ ત્યાં પોતાની સત્તા પુનઃ સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓના મિસરવાસ દરમિયાન ત્યાં રહેલા કૅનાની લોકોની પ્રબળ સત્તા સામે તેઓ યહોશુઆ (જશુઆ)ની આગેવાની નીચે માત્ર થોડે અંશે જ સફળ થયા (લગભગ ઈ.પૂ. ૧૧૦૦) એવામાં ભૂમધ્યસાગરની પૅલેસ્ટાઈન નામે જાતિના લોકોએ ત્યાંનો સમુદ્રતટીય પ્રદેશ જીતી લઈ યહૂદીઓના પ્રસારનો માર્ગ સર્વથા રોકી દીધો. આ દેશ હવે તેઓના નામ પરથી ‘પૅલેસ્ટાઈન’ તરીકે ઓળખાયો.૪
યહૂદી ધર્મ :
જગતના વિદ્યમાન ધર્મોમાં યહૂદી ધર્મ ઘણો પ્રાચીન છે. આ ધર્મનો ઈતિહાસ ઘણો લાંબો છે. સમયે સમયે તેમાં અનેક સુધારા-વધારા થયા છે.
યહૂદી ધર્મનાં શાસ્ત્રોમાં ચોવીસ ગ્રંથો છે. તેના ત્રણ ભાગ કરવામાં આવેલા છે : (૧) નિયમ ગ્રંથ (Law) (૨) સંતોના ગ્રંથ (Prophets) અને (૩) લેખો (Hagiographa). આ બધાં શાસ્ત્રો પ્રાયઃ હિબ્રૂ ભાષામાં લખાયેલ છે. તેમનો સમૂહ જગતમાં સામાન્ય રીતે ‘ખ્રિસ્તી ધર્મનો જૂનો કરાર' એ નામે ઓળખાય છે. જગતની ઉત્પત્તિ, યહૂદી પ્રજા અને યહૂદી ધર્મ એ ત્રણે વિષયોની ચર્ચા કરનારા પહેલા પાંચ ભાગો અથવા નિયમગ્રંથ છે અને ધર્મ ચુસ્ત યહૂદીઓ એ ભાગોને ધણા પવિત્ર માને છે. ધાર્મિક ભાવનાથી જે ઉત્તમોત્તમ ફળ મળે છે તેની સુંદર ચર્ચા ‘નિયમ ગ્રંથ’ના પાંચમા ભાગમાં પ્રાર્થનાઓમાં અને ‘સંતોના ગ્રંથો’માં કરવામાં આવી છે. આ ભાગ ઘણો મહત્ત્વનો છે.
યહૂદી ધર્મના મુખ્ય દેવ ‘યહોવાહ’ નામથી જાણીતા છે, જો કે મૂળ નામ તો કદાચ ‘જડ્વેહ' અથવા ‘યત્વેહ' હોય. હોરેબ (સિનાઈ) પર્વત ઉપર જ્યારે વાદળાંઓની ગર્જનાઓ થઈ રહી હતી અને કુદરતનો દેખાવ ઘણો અદ્ભુત થયો હતો તે વખતે પ્રભુએ પોતે જે દસ આજ્ઞાઓ કરી હતી તે જ આજ્ઞાઓ મૂસાએ આપી. એ દશ આજ્ઞાઓ તે નીચે પ્રમાણે છે.
૧.
મારા સિવાય કોઈ બીજો દેવ નથી.
૨. ધાતુ પથ્થર અથવા બીજી કોઈ આજની ઘડેલી સ્વરૂપની મૂર્તિ બનાવવી નહિ તેવી અને તેવી કોઈ મૂર્તિને નમવું નહિ.
૩. પ્રભુનું નામ નકામું નકામું લેવું નહિ.
૪.
છ દિવસ કામ કરવું. પણ સાતમે દિવસે વિશ્રામ કરવો જેથી પોતાના નોકર ચાકરને તથા ઢોરઢાંખરને પણ આરામ મળે.
૫. માતાપિતાને માન આપવું.
૬. ખૂન કરવું નહિ.
૭. વ્યભિચાર કરવો નહિ.
૮. ચોરી કરવી નહિ.
૯. પોતાના પડોશીની વિરૂદ્ધ ખોટી સાક્ષી આપવી નહિ.
૧૦. પડોશીના ઘર ઉપર, ચાકર ઉપર કે પશુ ઉપર લોભી દૃષ્ટિ રાખવી નહિ.
આ ઉપરાંત યહોવાહે એમ પણ કહ્યું કે આજ સુધી હું ઈઝરાઈલ (યહૂદી) પ્રજામાં ‘એલ-શદાઈ’ નામથી ઓળખાતો, હવે ‘યહોવાહ' નામથી ઓળખાઈશ.
ઉપર મુજબની દશ આજ્ઞાઓ આપી યહોવાહે ઇઝરાઈલની પ્રજા સાથે કરાર કર્યો કે પૂજામાં કોઈ
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર n ૭૪
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવની પૂજા કરવી નહિ અને પૂજામાં ઘડેલી મૂર્તિ વાપરવી નહિ. એ પ્રમાણે મોઝેઝે યહોવાહની પૂજાને નીતિમાન બનાવી.
સામાજિક અન્યાયમાંથી લોકોને ધર્મનિષ્ઠ પ્રભુએ જ બચાવ્યા છે એમ લોકોને સમજાવી, સગુણ ધર્મનિષ્ઠ ઈશ્વરમાં દરેક માણસ અને જનસમાજે શ્રદ્ધા રાખવી એમ કહીને મૂસાએ પહેલ-વહેલો ઇસરાએલનો ધર્મ સ્થાપ્યો.
યહૂદી ધર્મના મહાન ચિંતકોએ એકેશ્વરવાદની સ્થાપના કરી અને લોકોને ઉપદેશ આપ્યો કે આ વિશ્વનો એક જ ઈશ્વર છે, યહોવાહની દસ આજ્ઞાઓ નિષેધાત્મક આદેશરૂપે છે. અનેકદેવવાદ, ખૂનામરકી, વ્યભિચાર, ચોરી, મિથ્યાવાદ, મૂર્તિપૂજા વગેરેનો તેમાં નિષેધ છે. દસ આજ્ઞાઓમાં યહોવાહ કહે છે, “હું જ તારો પ્રભુ છે. જેણે તને ઈજિપ્તના કારાગારમાંથી મુક્તિ અપાવી. મારા વિના બીજાની ઉપાસના કરીશ નહીં.' યહૂદીઓએ બાઈબલમાં ભગવાનને માનવી અને પશુના રક્ષક તરીકે સંબોધ્યો છે. માનવીય સ્નેહસંબંધોને યહૂદી ધર્મે ખૂબ બિરદાવ્યા અને માનવી માનવી વચ્ચેના વ્યવહારના નિયમો નક્કી કરવામાં આ ધર્મ
ની લીધી. યહોવાહને તેમણે તેમના એક માત્ર અને ન્યાયી દેવ તરીકે આલેખ્યો છે. તેમની દસ આજ્ઞાઓ રાજા (મોઝિઝ), ભગવાન અને પ્રજા વચ્ચેનો ત્રિપક્ષી કરાર છે. કરારનો ભંગ થતાં, રાજા પણ સત્તા ગુમાવી બેસે. યહૂદી સમાજની જેમ રાજા પણ કાયદાથી બંધાયેલો હોવાથી એ રોજ કાયદાપોથીનો પાઠ કરતો.
આમ ન્યાય, માનવતાભરી દષ્ટિ, એકેશ્વરવાદ મૂર્તિપૂજાનો નિષેધ વગેરે દ્વારા યહૂદીઓએ માનવમૂલ્યોનું મોટું પ્રદાન કર્યું છે. યહૂદી સંતો :
ઈ.પૂર્વે નવમા સૈકા સુધી વહૂદીઓમાં એવી માન્યતા હતી કે યહોવાહ તે એક જ યહૂદીઓનો દેવ છે, પેલેસ્ટાઈનની નદી જ પવિત્ર છે અને એ નદીમાં ન્હાવાથી જ પુણ્ય મળે છે. પતીઆઓનું પત પણ એ નદીમાં ન્હાવાથી મટી જાય છે. પણ કેનન ધર્મની અસર પછી તેઓ આ મંતવ્યમાં શિથિલ થયા હતા. અને યહોવાહને ભૂલતા જતા હતા. આવે વખતે કેટલાક સંતોનો યહૂદી ધર્મમાં આવિર્ભાવ થયો. તેમણે ઉપદેશ કરી આ ઢીલા પડતા યહૂદી લોકોને જાગૃત કર્યા. પ્રભુ પ્રત્યે તેમની શી ફરજો છે એ બતાવ્યું.
વળી તેમણે કહ્યું કે, યહોવાહ એકલા ઈઝરાએલી (યહૂદી)ઓના જ દેવ નથી પણ સૌના છે. ઈસ્રાએલ પણ જો પાપને પંથે ચાલશે તોયહોવાહ તેને પણ સજા કરશે. સંતોની આ વાણીમાં રાજાઓને પણ શ્રદ્ધા ઉત્પન્ન થતી. આમ આ સંતોએ પ્રભુની મરજીમાં માનનારા તરીકે તેમજ ભવિષ્ય ભાખનારા તરીકે ઘણું માન મેળવ્યું.
આ સંતોમાં મુખ્ય એમોસ, હોસીઆ, ઈસાઇયાહ, જેરેમિયાહ, એઝેકિયલ વગેરે હતા. આ સંતોએ યહૂદી મતમાં કેટલાક ફેરફારો કર્યા જે નીચે મુજબ છે. ૧. યહોવાહ માત્ર ઈસ્રાયેલના જ દેવ નથી પણ સર્વ પ્રજાના દેવ છે. ૨. ઈઝરાએલ પણ જે આડે માર્ગે ચાલે તો તેને પણ યહોવાહ સજા કરે છે. ૩. ધર્મ પાળે તેનો છે, તે માટે દરેક પ્રભુ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને પવિત્રપણે ચાલવું. ૪. કર્મકાંડ કરતાં સદાચારનું મહત્ત્વ વિશેષ છે. ૫. બાહ્ય આચાર નહિ, પણ અંતરની ભક્તિ જ પ્રભુને વહાલી છે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૭૫
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપર મુજબ સંતોની સામાન્ય ઉપદેશ હતા.
એમોસના ઉપદેશમાં ખાસ એ હતું કે, દરેક માણસે ધર્મનિષ્ઠ પ્રભુની આજ્ઞા માનવી. જો તે પ્રમાણે નહિ કરવામાં આવે તો યહોવાહના ભક્તોને પણ શિક્ષા થશે. યહોવાહનો ન્યાય એ નિરંકુશ ન્યાય હતો. એ પછી હોસીયા નામના સંત પુરુષે “પરમેશ્વર દરેક મનુષ્યને ચાહે છે.” એવું એક નવું સત્ય કહ્યું. જગતના બધા ધર્મોમાં હોસીયાનું સત્ય એ એક નવા જ પ્રકારનું સત્ય છે. પ્રભુ બધાંને ચાહે છે, એટલું જ નહિ પણ કોઈ પાપી પશ્ચાતાપ કરે છે તેને ભગવાન ક્ષમા પણ આપે છે અને જે કોઈ પશ્ચાતાપ નથી કરતો તેને પ્રભુ શિક્ષા કરતાં અટકતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોસીયા પછી એક ઈસાઈઆહ નામના સંત થઈ ગયા. તેમને યહોવાહની પવિત્રતાનો સાક્ષાત્કાર થયો હતો. ઈસાઈઆહે યહોવાહની ભક્તિ અને તેનું રહસ્ય લોકોને સમજાવ્યું. આથી ઈસ્રાએલની પ્રજામાં વધુ શ્રદ્ધા અને પ્રચાર વધ્યો. એક મીકાહ નામના સંતે પ્રભુ સાથે દીનતાથી ચાલવું, ન્યાયથી વર્તવું અને દયા રાખવાનો ઉપદેશ આપ્યો.
યહૂદી સંતોના આવા કથનો ઉપરથી ખ્રિસ્તી ધર્મના પોલ, ઓગસ્ટાઈન, અને લ્યુથર જેવા પ્રસિદ્ધ પયગમ્બરો ઉપર પણ સારી અસર થઈ હતી.
પણ યહૂદી ધર્મનું ખરું પ્રચાર કાર્ય તો જેરેમિઆહે કર્યું હતું. આ પ્રચારને પરિણામે યહૂદી ધર્મનું પ્રચાર કાર્ય ઘણું આગળ વધ્યું હતું. ખ્રિસ્તી ધર્મની આજની પ્રચાર પ્રણાલિકા જેરેમિઆહે શરૂ કરેલા પ્રચારમાંથી જન્મી છે.
એક વખતે યહૂદી અને બેબીલોનિયાની પ્રજાઓ વચ્ચે યુદ્ધ થયું. તેમાં યહૂદી લોકોની હાર થઈ. આથી યહૂદીઓને બેબીલોનિયામાં થોડો વખત દેશવટો ભોગવવો પડ્યો. આ પ્રસંગે યહૂદી સંત એઝેકિએલે સ્પષ્ટ કહ્યું કે યહૂદીઓમાંથી યહોવાહની શ્રદ્ધા પ્રત્યે શિથિલતા થવાથી આ પરિણામ આવ્યું છે, જે ઉચિત જ છે. આથી યહૂદી પ્રજાના હૃદયની શુદ્ધિ થશે. ઈશ્વર પાપી લોકોનામાં નવું હૃદય મૂકે છે. એઝેકિયેલે એ પ્રમાણે લોકોમાં શાંતિ અને ઉત્સાહની પ્રેરણાઓ આપી. આથી દેશનિકાલ પછીના હીબ્રૂઓ ‘જ્યુ’ તરીકે ઓળખાવા લાગ્યા.
૧.
આ પછી ઈ. પૂર્વે સાયરસે બેબીલોન જીતી લીધું અને યહૂદીઓ પાછા પોતાની જન્મભૂમિ પેલેસ્ટાઈનમાં પ્રવેશ્યા. પણ આ વખતે ય યહૂદીઓમાંના ઘણાંખરા પરદેશ તરફ ચાલ્યા ગયા હતા અને જુદા જુદા દેશોમાં જઈ વસ્યા હતા. ત્યાં જઈ તેમણે ખેતીને બદલે વ્યાપાર શરૂ કર્યો. આમ છતાં તેઓ જ્યાં જઈ વસ્યાં ત્યાં પણ પોતાનો ધર્મ જ ચાલુ રાખ્યો. આમ યહૂદીઓ અને યહૂદીધર્મ ઘણે દૂર દૂર પહોંચ્યો.
યહૂદી ધર્મના ઉત્સવો :
૨.
યહૂદી ધર્મમાં ત્રણ મોટા ઉત્સવો મનાય છે. (૧) પેસોવર (૨) સેન્ટીકોસ્ટ (૩) ટેબર્નેકલ.
પેસોવર : ગ્રહનો ઉત્સવ છે. ઘરને સાફસૂફ કરી, મેજ ઉપર ખમીર વગરની રોટલીઓ તથા કડવો મીઠો (સુખ દુઃખના સૂચક રૂપે) ભાજીપાલો પાથરવામાં આવે છે. એની આસપાસ કુટુંબ એકઠું થઈને ‘નિર્ગમન’ની કથાઓ વાચ છે. તથા સાંજે સૌ એકઠાં બેસીને ભોજન કરે છે.
પેન્ટીકોસ્ટ : આ ઉત્સવમાં પ્રાર્થનાનાં મંદિરોને સુંદર પુષ્પોથી શણગારવામાં આવે છે અને તેમાં પેન્ટેટયુકનોનું ધર્મશાસ્ત્ર વાંચવામાં આવે છે.
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર D ૭૬
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેબર્નેકલ : એ ઉજાણીઓનો ઉત્સવ છે. આ ઉત્સવમાં લોકો બહાર રાવટીમાં જઈ રહે છે અને ઉજાણીઓ કરે છે.
ઈ.પૂ. ૧૦૨૫ના અરસામાં યહૂદીઓએ સાઉલ નામના અધિકારીને રાજા બનાવ્યા. એ સંયુક્ત યહૂદી રાજ્યના પહેલા રાજા છે. એના ઉત્તરાધિકારી દાઉદે (ડેવિડે) યહૂદી સત્તાને સંગઠિત તથા સુર્દઢ કરી યહૂદી રાજ્ય વિસ્તાર્યું ને એમાં શાંતિ તથા સલામતી સ્થાપી. એણે પોતાની રાજધાની જેરૂસલેમ રાખી. ત્યાં પ્રથમ મંદિર બંધાયું. એના પુત્ર સૉલોમને (લગભગ ઈ.પૂ. ૯૭૫-૯૩૫) યહૂદી રાજ્યનો વેપાર વિકસાવ્યો, રાજકોશની સમૃદ્ધિ પણ વધી. પણ એણે એ પોતાના ભોગવિલાસમાં ખર્ચી ને પ્રજા ભારે કરવેરાથી પિડાતી રહી.॰ એ સમયે ઉત્તરના કબીલા પ્રગતિશીલ વિચારો ધરાવતા ને અન્ય સંસ્કૃતિઓનો સંપર્ક ધરાવતા, જ્યારે દક્ષિણના કબીલા રૂઢિચુસ્ત રહી પુરાણી રહેણી-કરણીને વળગી રહેતાં. ઉત્તરના દસ કબીલાઓએ સૉલોમના ઉત્તરાધિકારી રેહોલૉમ સામે વિદ્રોહ કર્યો ને ઇસરાએલમાં પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું; જૂના રાજ્યવંશની સત્તા જુડાહમાં સીમિત રહી. આમ યહૂદી રાજ્ય ઇસરાએલ અને જુડાહ એવા બે રાજ્યોમાં વિભક્ત થયું. ઈ.પૂ. ૭૨૨માં એસિરિયનોએ ઇસરાએલ જીતી ત્યાંના યહૂદીઓને પોતાના સામ્રાજ્યમાં અહીં તહીં વસાવી દીધા, જ્યાં તેઓ સમય જતાં ત્યાંની જાતિઓમાં વિલીન થઈ ગયા. જુડા રાજ્ય એકાદ શતક ટકી રહ્યું, પણ ઈ.પૂ. ૫૮૬માં ખાલ્ફિયનોએ જુડાહ જીતી લીધું. જેરૂસલેમને લૂંટ્યું અને બાળ્યું, તેમજ ત્યાંના યહૂદી મંદિરોનો નાશ કર્યો ને ત્યાંના લોકોને કેદી તરીકે બૅબિલોન લઈ ગયા. પચાસેક વર્ષ બાદ ઈ.પૂ. ૫૩૯માં ઈરાનના હખામની સમ્રાટ કુરુષે (સાયરસે) બેબિલોન જીતી લીધું ને પછી ત્યાંના યહૂદીઓને જુડાહ પાછા જવાની અને જેરૂસલેમમાં નવું મંદિર બાંધવાની છૂટ આપી. આ બીજું મંદિર નાના પાયા પર બંધાયું. આ છૂટનો લાભ થોડા યહૂદીઓએ લીધો ને તેઓએ ત્યાં નાનું યહૂદી રાજ્ય સ્થાપ્યું.
ઇ.પૂ. ૩૨૨માં મહાન સિકંદરે ઈરાની સામ્રાજ્યની સાથે આ રાજ્યને જીતી લીધું, તેના મૃત્યુ બાદ ત્યાં ઇજિપ્તના ટૉલેમી વંશની રાજસત્તા પ્રવર્તી. સીરિયાના સેલુકવંશી રાજા અંતિયોક ૪થાએ આ દેશ પર સત્તા પ્રસારી, જેરૂસલેમના યહૂદી મંદિરમાં ગ્રીક દેવ જ્યૂસની મૂર્તિ સ્થપાવી. ઈ.પૂ. ૧૬૭ માં યહૂદાની આગેવાની નીચે મકાબીએ જેરૂસલેમને વિદેશી શાસનમાંથી મુક્ત કરી ત્યાં યહૂદીઓનું સ્વતંત્ર રાજય સ્થાપ્યું.
ઈ.પૂ. ૬૩માં ત્યાં મળી રોમનોની સત્તા પ્રવર્તી. રોમન સમ્રાટ હેરોદે યહૂદીઓના બીજા મંદિરનું નવનિર્માણ કર્યું (ઈ.પૂ. ૨૬). એની એક દીવાલ હજી જેરૂસલેમમાં છે. પછી થોડાં વર્ષમાં ઈસુનો જન્મ થયો. રોમન શાસકોના ભારે કરવેરાથી પિડાતી જુડાની પ્રજાએ ઈ.સ. ૬૬ માં એ શાસન સામે બંડ કર્યું. ઘણા યહૂદીઓ હણાયા, કેદ થયા કે હાંકી કઢાયા. ઈ.સ. ૭૦ માં જેરૂસાલેમ કબજે કરી રૉમનોએ ત્યાંના બીજા યહૂદી મંદિરનોય નાશ કર્યો. પછી જેરૂસલેમને જમીનદોસ્ત કરી દીધું ને જુડાહને પૅલેસ્ટાઈનમાં વિલીન કરી દીધું. નિરાધાર યહૂદીઓ યુરોપના દેશોમાં ખેરિવખેર થઈ ગયા ને છતાં તેઓએ પોતાની સંસ્કૃતિ ટકાવી રાખી.
રોમન શહેનશાહ દ્રિ અને યહૂદીઓને જેરૂસાલેમમાંથી હાંકી કાઢવા, જેરૂસાલેમનું નામ બદલી ત્યાંના યહૂદી મંદિરના સ્થળે રોમન દેવ જ્યુપીટરનું મંદિર બાંધ્યું ને જુડિયાને ‘સીરિયા-પેલેસ્ટિના’ નામ આપ્યું. યહૂદીઓ દેશ તજી વિદેશોમાં ખેરવિખેર થઈ ગયા. એમાંના ઘણા રશિયામાં જઈ વસ્યા. બીજા યુરોપના દેશો, મિસર, ભારત તથા અમેરિકા અને ચીનમાં પણ રહ્યા. ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સ્પેન, જર્મની, રશિયા, પોલૅન્ડ વગેરે દેશોમાં તેઓએ ઘણી સતામણી વેઠી. રોમન સામ્રાજ્યે ઈ.સ. ૩૧૩ માં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો ને જેરૂસલેમ ખ્રિસ્તી ધર્મનું મહાકેન્દ્ર બન્યું, પણ યહૂદીઓ તો પરાધીન જ રહ્યા. બાઈઝેન્ટાઈન શહેનશાહોના સમયમાં પણ તેઓની આ દશા ચાલુ રહી.
11
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ T ૭૭
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ.સ. ૬૧૪માં ઈરાનીઓએ અને ૬૩૬માં આરબોએ પૅલેસ્ટાઈન જીતી લીધું. જેરૂસાલેમ મુસ્લિમોનું ત્રીજું પવિત્ર નગર બન્યું. પછી થોડાં વર્ષે સેલ્યુકોનું શાસન પ્રવર્ત્યે. ધણા યહૂદીઓ તથા ખ્રિસ્તીઓને મુસ્લિમ બનાવવામાં આવ્યા. ઈ.સ. ૧૦૯૯માં ખ્રિસ્તી ક્રુઝેડરોએ આ પ્રદેશ કબજે કર્યો.૧૩ ૧૪મી સદીમાં ઈજિપ્તના મમણૂક સુલતાનોએ ક્રુઝેડરોના શાસનનો અંત આણ્યો. સોળમી સદીમાં ઑટોમાન તુર્કોનો વિજય થતાં પૅલેસ્ટાઈન તુર્ક સામ્રાજ્યનો ભાગ બન્યું. અને છેક ઈ.સ. ૧૯૧૭ સુધી તુર્કોનું શાસન ચાલ્યું. સ્પેનથી કાઢી મુકાયેલા ઘણા યહૂદીઓ તુર્ક સામ્રાજ્યમાં આશ્રય પામ્યા ને તેમાંના કેટલાક પૅલેસ્ટાઈન પાછા ફર્યા. ઈ.સ. ૧૭૦૦ પછી પૂર્વ યુરોપમાંથી ઘણા યહૂદીઓ અહીં આવી વસ્યાને ૧૯મી સદીના અંતમાં ત્યાં યહૂદીઓની વસ્તી બમણી થઈ. જે ઈશ્વરદત્ત પૅલેસ્ટાઈન હોય ને તેઓ ત્યાં ઠરીઠામ વસે તેવું ‘ઝાયોન’ આંદોલન આરંભાયું. હંગેરીનાથી ઓડૉર હર્ઝેલ નામે યહૂદીએ આ આંદોલનની આગેવાની લીધી હતી. ઈ.સ. ૧૮૯૭માં એની પહેલી પરિષદ સ્વિત્ઝર્લેન્ડમાં ભરાઈ હતી. સિયોન (કેઝાયોન) એ જેરૂસલેમનું એક નામ છે. ને રશિયામાંથી અહીં તેઓના દેશાંતર્ગમન થવા વાગ્યાં. પહેલાં વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૭માં બ્રિટન પૅલેસ્ટાઈન કબજે કર્યું. વિદેશમંત્રી બાલ્ફરે પૅલેસ્ટાઈનમાં યહુદીઓ વસે એ સિદ્ધાંત સ્વીકારવાન્નો ઢંઢેરો બહાર પાડ્યો. ઈ.સ. ૧૯૪૮ સુધીના અંગ્રેજ શાસન દરમ્યાન યહૂદીઓ આર્થિક અને રાજકીય રીતે આ પ્રદેશમાં મહત્ત્વનું સ્થાન પામ્યા.
પરંતુ અરબોનો રાષ્ટ્રિયવાદ યહૂદીઓને હેરાન કરવા લાગ્યો ને બ્રિટિશ સરકાર પણ તેઓના પ્રવેશ સામે શ્વેતપત્ર (૧૯૩૯) દ્વારા પ્રતિબંધ મૂકવા લાગી. આ વિખવાદના ઉકેલ માટે અનેક યોજનાઓ સૂચવાઈ. આખરે યુનોએ પૅલેસ્ટાઈનને યહૂદી ઇસરાએલ અને આરબ જોર્ડન એવા બે દેશોમાં વિભક્ત કરવાનું ને વિવાદગ્રસ્ત જેરૂસલેમને આંતરરાષ્ટ્રિય સંકુલ નીચે અલગ રાખવાનું ઠરાવ્યું. (ઈ.સ. ૧૯૪૭). યહૂદીઓએ આ સમજૂતી સ્વીકારી લીધી ને ૧૪મી મે, ૧૯૪૮ ના રોજ ઈસરાએલનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. પડોશી અરબ રાજ્યોએ નવોદિત ઇસરાએલ પર આક્રમણ કર્યું, ઈસરાએલે એ કારમી કસોટીનો સબળ સામનો કર્યો. જેરૂસાલેમનો કેટલોક ભાગ ઈસરાએલની અને કેટલોક ભાગ જૉર્ડનની સત્તા નીચે ગયો. ૧૯૬૭ના છ દિવસના વિગ્રહમાં ઇસરાએલે મિસર, જૉર્ડન અને સીરિયાના કેટલાક મુલક કબજે કરી પોતાનો પ્રદેશ વિસ્તાર્યો ને બાકીના જેરૂસલેમ જીતી લઈ એ સમસ્ત નગરનું એકીકરણ કર્યું. ૧૯૭૩માં ઈસરાએલે સીરિયા તથા ઈજિપ્તના આક્રમણનો સબળ સામનો કર્યો. ઇસરાએલે એ બે દેશોના ૯ જીતેલા કેટલાક મુલક યુનોની ભલામણથી જતા કર્યા. ઈસરાએલમાં પ્રમુખશાહી પ્રજાસત્તાક તંત્ર છે ને એનું પાટનગર જેરૂસલેમ છે. ઇસરાએલ સતત પુરુષાર્થ દ્વારા સર્વ ક્ષેત્રોમાં અભ્યુદય સાધી રહ્યું છે ને ચોમેરથી યહૂદીઓ ત્યાં વસવાટ કરવા જઈ રહ્યા છે. ૧૯૪૮માં ત્યાં યહૂદીઓની વસ્તી સાડા છ લાખની હતી, તે ૧૯૭૧માં સાડા પચ્ચીસ લાખની થઈ; હાલ એ એના કરતાંય ઘણી વધી છે ને વર્ષ પ્રતિવર્ષ વધતી રહે છે.૧૪
ભારતમાં યહૂદીઓ :
યહૂદી લોકો ભારત સાથે છેક ઈસવી સન પૂર્વેથી સંબંધ ધરાવતા. ભારત આવી વસેલા યહૂદીઓમાં સહુથી પ્રાચીન બે કોમો બેને-ઇસરાએલ (ઈસરાએલનાં સંતાનો) અને કોચીનમાં યહૂદીઓ તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રજાનું ભારતમાં આગમન ક્યારે થયું તે અંગે જુદી જુદી અટકળો કરવામાં આવી છે.
ઈ.પૂ. ૭૨૨માં એસિરિયનોએ પૅલેસ્ટાઈન જીતીને યહૂદીઓ પર ખૂબ અત્યાચાર ગુજાર્યાં. આથી કેટલાક યહૂદીઓ આશ્રયની શોધમાં ભારત આવ્યા હશે. બીજી એક સામાન્યતા એવી છે કે ઈ.પૂ. ૫૮૭માં ખાલ્ડિયન રાજા નેબુચેડનઝારે જેરૂસાલેમ જીતીને પવિત્ર મંદિરનો નાશ કર્યો, જેરૂસાલેમમાં યહૂદીઓને વસવાની મના કરી ત્યારે કેટલાક યહૂદીઓ છટકીને ભારત આવ્યા હોય કે રોમન સમ્રાટ નીરોના સેનાપતિ વેસ્પેસિયને જેરૂસાલેમ ઈ.સ. ૭૦ માં જીત્યું ત્યારે યહુદીઓ ભારત આવ્યા હોય.૫
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર . ૦૮
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યહૂદીઓના ભારતમાં આગમન અંગે બીજી પણ માન્યતા છે કે ઈ.પૂ. ૧૭૫માં ઇજિપ્તમાં ગ્રીક રાજવી એન્ટીઑક્સે ઈસરાએલ જીતતાં યહૂદીઓ વેપાર માટે ઍલથ બંદરેથી રાતા સમુદ્ર મારફતે પશ્ચિમ ભારતના કોંકણ કિનારાના ચેઉલ બંદરે ઊર્યાં.૧૬
મરાઠી ભાષી બેને-ઈસરાએલ યહૂદીઓના પૂર્વજો લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે વહાણ તૂટતાં કોંકણ કિનારે કોલાબા જિલ્લાના નવાંવના ભૂમિ પર આવ્યા અને મહારાષ્ટ્રમાં વસ્યા. આ પ્રજા વેપાર માટે ભારતમાં આવેલી. કેટલાક યહૂદીઓ મદ્રાસમાં વસેલા. કેટલાક વળી મુંબઈ, કલકત્તા, પૂના અને સુરતમાં વસેલા.
બ્રિટિશ કાલ દરમ્યાન મુંબઈ પ્રાંતના ભારતીય લશ્કરમાં ઘણા બેને-ઇસરાએલ યહૂદીઓ જોડાયા અને સૂબેદાર, બહાદુર, સરદાર બહાદુર અને (ટીપુ સુલતાન) સાથેના યુદ્ધમાં સેનાપતિ બન્યા. કેટલાક સરકારી અને રેલ્વેની નોકરીમાં જોડાયા. કેટલાક ડૉક્ટર અને વકીલ બન્યા. ૧૯૩૪માં ભારત અને બ્રહ્મદેશમાં લગભગ ૨૦,૦૦૦ જેટલા બેને-ઇસરાએલ યહૂદીઓ હતા.૭ ૧૯૫૧ની વસતીગણતરી અનુસાર ત્યારે તેમની સંખ્યા ૨૦,૦૦૦ની હતી. ૧૯૬૧માં તેઓની સંખ્યા ઘટીને ૧૬,૦૦૦ અને ૨૦૦૧માં ૫,૫૦૦ જેટલી રહેવા પામી હતી.
ઈ.સ. ૧૯૮૪માં ઈલીજાહ જેકોબે કરેલા સર્વેક્ષણ મુજબ નવી દિલ્હીમાં ૫૫, અમદાવાદમાં ૩૫૦, મુંબઈમાં ૨૧૬૦, થાણેમાં ૧૬૦૦, પુનામાં ૩૫૦, કોચીનમાં ૮૫ અને કોલકત્તામાં ૭૫ યહૂદીઓ હોવાનું જાણવા મળ્યું છે. બગદાદમાંથી સહુ પ્રથમ ભારતમાં આવી વસવાટ કરનાર યહૂદીઓમાં લીમન બી. જૅકબ નામના યહૂદી ગૃહસ્થ હતા. કવિ અબ્રાહામ બી. મેર ઈબન એઝરાએ પણ એક પ્રસંગે ભારતની મુલાકાત લીધી હતી એમ મનાય છે. ૧૯મી સદીના આરંભમાં ડૅવિડ સાસુન ભારતમાં આવેલા. સહુ પહેલાં ભારતમાં આવી વસનાર યહૂદીઓ શનવાર તેલી કહેવાતા. ૧૯
યહૂદીઓ ગુજરાતમાં મુઘલ કાલથી વસવા લાગેલા. મહારાષ્ટ્રના બેને-ઈસરાએલ અહીં ૧૯મી સદીની શરૂઆતમાં દાખલ થયા. આરંભમાં તેઓ મુખ્યત્વે લશ્કરમાં સેવા કરતા. અમદાવાદ, વડોદરા, સુરત, ડીસા, રાજકોટ, વઢવાણ, ભુજવગેરે અનેક સ્થળોએ તેઓનાં કબરસ્તાન છે. અમદાવાદમાં તેઓનું જૂનું કબરસ્તાન કેન્ટૉનમેન્ટ વિસ્તારમાં આવેલું હતું. દૂધેશ્વર માર્ગ પર આવેલું હાલનું કબરસ્તાન ૧૮૭૬ થી ૧૮૮૭ દરમ્યાન થરૂ થયું છે.
૧૯૩૩-૩૪માં તેઓનું સેનેગોંગ (પ્રાર્થનાલય) બંધાયું છે.
૨૦
બેને-ઈસરાએલ પોતાના ધર્મનું અનુપાલન કરે છે ને સાથે સાથે પ્રાદેશિક હિંદુઓ તથા મુસ્લિમોના કેટલાક રીતરિવાજ પણ અપનાવે છે. બેસતું વર્ષ તથા ધાર્મિક તહેવારો તેઓ નિષ્ઠાપૂર્વક ઊજવે છે.
યહૂદીઓની બીજી કેમ જે કોચીનના યહૂદીઓ તરીકે પ્રસિદ્ધ છે તે પમી સદીમાં રાજા કોબદના રાજ્યકાલ દરમ્યાન ઈરાનમાંથી દક્ષિણ ભારતમાં કેંગનોરમાં વેપાર માટે આવ્યા.
લગભગ ઈ.સ.ની ૧લી સદીથી ભારતમાં યહૂદી વસાહતો હતી. ૧૦,૦૦૦ જેટલા યહૂદીઓને હિંદુ રાજાએ આવકાર આપ્યો. રાજા ભાસ્કર રવિવર્માએ કેંગનોરમાંની અંજુવનમ્ તરીકે જાણીતી ભૂમિ કેટલાક યહૂદીઓને દાનમાં આપી અને એ હકીકત તામ્રપત્ર પર કોતરાવી, ઈ.સ. ૩૭૯માં યહૂદી નેતા જોસેફ રબ્બાનને બક્ષિસ આપી.
કેંગનોરની મુર લોકોએ યહૂદીઓ પર અત્યાચાર ગુજારતાં તેઓ ત્યાંથી કોચીન ગયા અને ત્યાં સ્થાનિક રાજાએ તેમને આવકાર આપ્યો. ઈ.સ. ૧૫૫૭માં રાજાએ બક્ષિસ આપેલ સ્થાન પર પ્રસિદ્ધ યહૂદી પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૩૭૯
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગર વસાવ્યું અને ૧૫૬૮માં ત્યાંનું પ્રસિદ્ધ સેનેગૉગ બંધાવ્યું. એ ૧૬૬૪માં પોર્ટુગીઝ લોકોના હુમલા બાદ વલંદાઓની હૂંફ મળતાં ફરી બંધાયું અને ૧૭૬૨માં તેને નવો આકાર અપાયો."
| બ્રિટિશ સમયમાં યહૂદીઓને ધાર્મિક સ્વાતંત્ર્ય મળ્યું. તેઓ કરેલ પ્રદેશમાં સ્થિર થયા અને તેઓએ મલયાળમ તથા અંગ્રેજી ભાષા અપનાવી. આજે કોચીનના યહૂદીઓ જૂજ સંખ્યામાં છે. તેમાંના ઘણા ખરા વેપારીઓ છે. તેમણે પોતાના ધર્મને ટકાવી રાખી ભારતીય સંસ્કૃતિ સાથે એકતા સાધવાનો પ્રયાસ સતત જારી રાખ્યો છે.
ગુજરાતમાં યહૂદીઓ
ગુજરાત સાથે યહૂદીઓનો સંબંધ છેક મુઘલકાલમાં શરૂ થયો જણાય છે. ત્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માણસોને સુરત અને ભરૂચ બંદરો સાથે જે ગાઢ સંબંધ બંધાયો તેમાં યુરોપના અનેક યહૂદીઓનો પણ સમાવેશ થયેલો, જેની વિગતો સુરતના જૂના કબરસ્તાનમાં ત્યારના કેટલાક આરભિક યહૂદી વેપારીઓની કબરો અદ્યપર્યત સુરક્ષિત છે તેથી કહી શકાય. સુરતમાં પ્રાર્થનાલય હતું તે હાલ નામશેપ છે. એમાંનું તોરાહ કબરસ્તાનમાં શંકુ ઘાટની કબરમાં દાટેલું છે. કબરો પરના લેખ હિબ્રૂ ભાષામાં છે. હાલ એની જમીન વેચાઈ ગઈ છે, પણ ત્યાં યહૂદીને દાટવાનો હક અકબંધ રાખેલો છે.
મહારાષ્ટ્રમાં વસેલી બેને ઈસરાએલ કોમના માણસો ગુજરાતમાં લગભગ ૧૯મી સદીની શરૂઆતમાં આવેલા. તેઓમાંના ઘણા મુંબઈ ઈલાકાની લશ્કરી ટુકડીઓમાં નોકરી કરતા હતા. આથી અમદાવાદમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તેઓનું જૂનું કબરસ્તાન આવેલું છે.
વડોદરામાં પણ શહેરની બહારના કૅન્ટોનમેન્ટ વિસ્તારમાં બેને ઈસરાએલ કોમનું કબરસ્તાન આવેલું છે. ૧૯૩૧ સુધી એનો વહીવટ ત્યાંના બ્રિટિશ રેસિડન્ટ કરતા. એ કબરસ્તાનમાંની સહુથી જૂની કબર ઈ.સ. ૧૮૧૫ની છે.
સુરતમાં આ કોમનું એક નાનું કબરસ્તાન આવેલું છે. ત્યાં બ્રિટિશ ટુકડીઓ છેક ૧૭૯૯ થી રખાતી હતી.
જૂના ડીસા (જિ. બનાસકાંઠા)થી લગભગ ૨.૫ કિ.મી.ના અંતરે આવેલા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પણ આ કોમનું કબરસ્તાન આવેલું છે. હાલ એ વિસ્તારમાં નવું ડીસા વસ્યું છે. ત્યાંની સહુથી જૂની કબર, એની ઉપરના મરાઠી લેખમાં જણાવ્યા મુજબ, ઈ.સ. ૧૮૮૬ ની છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ અને વઢવાણમાં તથા કચ્છમાં ભુજમાં પણ જૂનાં યહૂદી કબરસ્તાન છે.
બ્રિટિશ કાલ દરમ્યાન ગુજરાતમાં રાજકીય શાંતિ અને સલામતી સ્થપાતાં અને રેલવે વગેરેના વ્યવહારની સગવડ વધતાં ગુજરાતનાં શહેરો અને નગરોમાં બેન-ઈસરાએલોની વસ્તી વધતી રહી.
ગુજરાતમાં ઠેકઠેકાણે આછી સંખ્યામાં પથરાયેલાં યહૂદી કુટુંબોનું વડુ મથક અમદાવાદ છે. અહીં ડૉ. અબ્રાહામ બેન્જામીન એલકર નામે બેને ઈસરાએલ સિવિલ હોસ્પિટલમાં હાઉસ સર્જન નિમાતાં ૧૮૪૮માં આવી વસ્યા. ત્યારે આ શહેરમાં માત્ર ચાળીસેક બેન-ઈસરાએલ રહેતા હતા. અહીંની બેને-ઈસરાએલ વસ્તીમાં સંગઠનનાં પગરણ ડૉ. એલકરે માંડ્યાં. તેઓ હિબ્રૂ ભાષામાં નિષ્ણાત હતા ને ઘણા ધર્મનિષ્ઠ હતા. એમણે પોતાના મકાનમાં એક ખંડમાં સમૂહ પ્રાર્થના શરૂ કરી એટલું જ નહિ શાબાથ અને તહેવારોને દિવસે ધાર્મિક પ્રાર્થના તથા ક્રિયા પણ પોતે કરાવતા. એમણે પોતાનાં સગાંસંબંધીઓને તથા પોતાની કોમના અન્ય
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર [ ૮૦
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસોને અહીં આવી વસવા પ્રોત્સાહન આપ્યું. પોતે અહીં જમીન ખરીદી ને બીજાઓને પણ ખરીદાવી.
એમને સાત પુત્ર અને ચાર પુત્રી હતાં. તેઓમાં બીજી ડૉ. સોલોમને ઇંગ્લેન્ડ જઈ એમ.બી.ની તબીબી ઉપાધિ મેળવેલી. એમને ઇન્ડિયન મેડિકલ સર્વિસમાં સારી નોકરી મળતી હતી, પણ તે જતી કરી તેઓ મુંબઈમાં સ્થિર થયા ને ઉત્તરાવસ્થામાં પોતાના વયોવૃદ્ધ પિતાનું દવાખાનું સંભાળ્યું. પિતાની હયાતી બાદ તેઓ અહીંની કોમના અધ્યક્ષ થયા. એમના ભાઈ ડેવિડ એલકર બેરિસ્ટર થઈ ઇંગ્લેન્ડમાં સ્થિર થયા. ત્યાં તેઓ ‘ઈસરાએલિટ' નામે અંગ્રેજી-દેશી માસિક ચલાવતા.
એવા એક બીજા અગ્રગણ્ય બેને-ઈસરાએલ ગૃહસ્થ હતા. ડૉ. જોસેફ સોલોમન દાંડેકર. તેઓ અમદાવાદની ગાંડાઓની ઇસ્પિતાલમાં, ૧૮૬૬ના અરસામાં નિમાયા હતા. અહીંની બેન-ઈસરાએલ કોમની સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓને વિકસાવવામાં આ બંને દાક્તરોનું પ્રદાન અમૂલ્ય છે. ડૉ. દાંડેકરે શહેરની બાજુમાં દિલ્હી દરવાજા બહાર દૂધેશ્વર માર્ગ ઉપર જમીન ખરીદી અને એ બેને-ઈસરાએલ કોમને કબરસ્તાન માટે ભેટ આપી. આથી સાતેક કિલોમીટરના અંતરે આવેલ કેન્ટોનમેન્ટના કબરસ્તાનમાં દૂર જવાની વિટંબણા ટળી. આ નવા કબરસ્તાનમાં જૂનામાં જૂનો કબર લેખ ઈ.સ. ૧૮૮૭ નો છે.
ડૉ. અબ્રાહમ એલકરે નિવૃત્ત થતાં પાનકોર નાકામાં પોતાનું ખાનગી દવાખાનું ખોલ્યું. તેઓ પોતાની કોમના દરદીઓ તરફ ભારે કાળજી ધરાવતા ને શહેરના સમસ્ત સમાજમાં “અબ્રાહીમ દાદા' તરીકે ઘણા લોકપ્રિય હતા. તેઓ ૧૮૮૭માં અવસાન પામ્યા.
એમના બીજા પુત્ર ડૉ. સોલોમન અબ્રાહમ એરલકરે પિતાની સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી. પાનકોર નાકા પર આવેલું પોતાનું ઘર જ્ઞાતિને અર્પણ કર્યું, જયાં નવું પ્રાર્થનાલય બંધાતા સુધી પ્રાર્થના થતી.
ડૉ. અબ્રાહમની હયાતી બાદ બેન-ઈસરાએલ પ્રાર્થનાલય ડૉ. જોસેફ દાંડેકરના મકાનમાં પણ રાખવામાં આવેલું. આગળ જતાં એ માટે મોટી જગા ભાડે રાખવામાં આવી ને પગારદાર હઝાન (પાઠક)ની નિયુક્તિ પણ કરવામાં આવી.
રેલવેની સગવડ વધતાં ઘણા બેને ઈસરાએલ એ ખાતાની નોકરીમાં જોડાઈ ગુજરાતમાં આવી વસ્યા. *૧૮૯૧માં તેઓની કુલ વસ્તી ૪૭૯ જેટલી નોંધાઈ છે. જેમાંના ૨૧૬ અમદાવાદમાં હતા, સૌરાષ્ટ્રમાં ૧૦૫ અને કચ્છમાં ૭ હતા.
૧૯૧૧માં તેઓની કુલ વસ્તી વધીને ૫૭૯ થઈ, એમાં ૩૦૬ પુરુષો અને ૨૭૩ સ્ત્રીઓ હતી. ૨૨
ડૉ. અબ્રાહમ એલકરની મુરાદ હતી કે અમદાવાદમાં નિયમિત પ્રાર્થનામંદિર જેટલી બેનેઈસરાએલોની કાયમી વસવાટ ધરાવતી વસ્તી થાય ત્યારે અહીં એક સેનેગૉગ બંધાય. એને માટે એમણે પોતાના વસિયતનામામાં મોટી રકમ પણ અલગ ફાળવી રાખેલી. વડોદરાના સ્ટેશન માસ્તર મિ. એરન સોલોમન ચરીકર, જે તેઓના સગા થતા હતા, તેમણે પણ રૂ. ૫,૦૦૦ ની રકમ આ અંગે અલગ રાખેલી. ૧૯૨૧માં આ અંગે ફંડ શરૂ કરવામાં આવ્યું. ૧૯૨૨માં મિરઝાપુર રસ્તા પર રૂ. ૧૭,૦૭૪માં ૪૫૬ ચોરસવાર જગા ખરીદવામાં આવી. આ જમીન જ્ઞાતિજનોને દૂર પડે તેમ હોવાથી ૧૯૩૦ માં રૂ. ૭૦૭૪ ની ખોટ ખાઈ એ જમીન રૂ. ૧૦,૦૦૦માં વેચવી પડી.
ડૉ. અબ્રાહમ એલકરે ફાળવેલી રકમ વ્યાજ ઉમેરાતાં રૂ. ૮,૮૪૦ થઈ ને જૂના પ્રાર્થનાલયની ઇમારત વેચતાં તેની કિંમત રૂ. ૧૧,૬૦૦ ઊપજેલી.
ડૉ. જોસેફ બામનોલકર, શ્રી સેમ્યુઅલ હાઈમ આગરવાકર અને મિ. એલાયજા કિલ્લેકર જેવા
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ રૂ ૮૧
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સાહી મંત્રીઓના પુરુષાર્થથી મુંબઈ, કોંકણ, દખ્ખણ, સિંધ અને બર્મામાંથી સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો ઇમારત ફંડમાં લગભગ ૩૦ હજારની રકમ એકઠી થઈ. શહેરની અંદર ખમાસા ચોકી પાસે બુખારા મહોલ્લામ પારસી અગિયારી સામે ૭૫૦ ચોરસવાર જમીન રૂ. ૧૮૦૪૧માં ખરીદવામાં આવી. ઈ.સ. ૧૯૩૩મ સેનેગૉગના મકાનની ખાતવિધિ થઈ. એની કોણશિલા ડૉ, શ્રીમતી આબિગાયેલબાઈ બેન્જામીન આયઝ ભોનકરના હસ્તે સ્થપાઈ. પ્રાર્થનાલયનું મકાન પૂરું થતાં એનું ઉદ્ઘાટન ઈ.સ. ૧૯૩૪ માં રજી સપ્ટેમ્બ થયું. ઇમારત બાંધવામાં અને એને સજાવવામાં રૂ. ૬૦,૦૦૦ થી વધુ ખર્ચ થયેલું.
આ પ્રાર્થનાલયનું નામ “માગેન અબ્રાહમ (અબ્રાહમની ઢાલ) રાખવામાં આવ્યું છે. આ નામ ડૉ. અબ્રાહમ એકરની સ્મૃતિ રહેલી છે; ઉપરાંત યહૂદી ધર્મશાસ્ત્રમાં ઈશ્વર યહૂદી પ્રજાના પ્રાચીન ભાવ: અબ્રાહમને કહે છે. ‘ગભરાતો મા. હું તારી ઢાલ છું.” એ પછી અહીં એનું નામ “અબ્રાહમની ઢાલ એવું રાખવામાં આવ્યું છે. કેવું દ્વિસંધાન ભાવ-સભર નામાભિધાન ! ઉદ્ઘાટન સમયે શાસ્ત્રવિધિ કરાવવા માટે મુંબઈના વયોવૃદ્ધ માનદ મેજિસ્ટ્રેટ પ્રો. ઈ. એમ. ઈઝીકલને તેડાવેલા.
- સેનેગૉગમાં સ્તંભો વિનાનો વિશાળ ખંડ છે. બાજુમાં કિંમતી વસ્તુઓનો કોઠાર, ટ્રસ્ટીઓનું કાર્યાલ અને હઝાન તથા અમાસ માટે રહેઠાણ પણ બંધાયાં છે.
૧૯૩૪ના ડિસેમ્બરમાં મુંબઈ ઈલાકાના ગવર્નર લોર્ડ બ્રેબોર્ન અમદાવાદ આવ્યા ત્યારે તેમણે આ પ્રાર્થનાલયની મુલાકાત લીધેલી ને અહીંની બેને ઈસરાએલ કોમના સભ્યોએ એમને માનપત્ર આપેલું. ગવર્નર સર રોગર લુવલીએ તથા વાઈસરોય લૉર્ડ વેવેલે પણ સેનેગૉગમાં આ કોમની મુલાકાત લીધી હતી.
અમદાવાદ, વડોદરા અને સુરત જેવા સ્થળોએ એવાં કેટલાંક અગ્રગણ્ય યહૂદી કુટુંબો થઈ ગયાં, જેમણે કોમની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો છે. વડોદરાના કોલસાના વેપારી અને કમિશન એજન્ટ શ્રી સોલોમન ગેરેશન અગરવારકરે પોતાના પૂરા ખર્ચે વડોદરામાં બેને ઈસરાએલ કબરસ્તાન કરાવ્યું છે. રાજકારણના ક્ષેત્રમાં પણ કેટલાક યહૂદીઓએ ફાળો આપેલો છે.
શ્રી જોસેફ સદીક સેમ્પલ (સ્ટેટ બેંક, અમદાવાદ) અહીંની વહૂદી કોમની ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ ધરાવતા ઉત્સાહી કાર્યકર છે. તેઓ “ઇન્ડિયન ઝીયોનિસ્ટ' (Zionist) ઑર્ગેનિઝેશન ઓફ બોમ્બે'ના અમદાવાદ ખાતેના પ્રતિનિધિ ને સંગઠક રહ્યા છે.
અમદાવાદ તથા સુરતમાં ઇન્ડો-ઈસરાએલ ફ્રેન્ડશિપ લીગ’ સ્થપાયું છે ને ગુજરાતમાં યહૂદીઓ તરફ તેમજ નવોદિત ઈસરાએલ રાષ્ટ્ર તરફ સદ્ભાવ પ્રવર્તે છે. ઈસરાએલમાં “ફંડરેશન ઑફ ઈન્ડિયન ન્યૂઝ છે. ગુજરાતમાં યહૂદીઓની સંખ્યા ૧૯૪૮માં લગભગ ૮૦૦ સુધી પહોંચેલી, પણ હવે ઘણા યહૂદીઓ નવોદિત ઈસરાએલ દેશમાં જઈ વસતા હોઈ એ સંખ્યા ઘટીને લગભગ ૨૫૦ જેટલી થઈ ગઈ છે. આ રીતે ગુજરાતમાં યહૂદીઓની સંખ્યા ઘટતી જશે તો સેનેગૉગ અને કબરસ્તાનની વ્યવસ્થા જારી રાખવાની સમસ્યા ઊભી થશે. ૨૩
ભારતમાં વિવિધ ધર્મ-સંપ્રદાયોની સ્થાપના સાથે તેઓના અનેક ધાર્મિક સ્થાપત્યોનું નિર્માણ થયેલું જોવા મળે છે. આ બધામાં યહૂદી પ્રજાનું ધાર્મિક સ્થાપત્ય “સેનેગૉગ' તરીકે ઓળખાય છે. જે તેની સ્થાપત્યકીય રચના પરત્વે વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. સેનેગોગની રચનામાં આગળ રવેશ તેની સંમુખ ભવ્ય પ્રવેશ દ્વાર મધ્યમાં વિશાળ પ્રાર્થના ખંડ, તેની વચ્ચે નાનો પ્રાર્થના-મંચ, પશ્ચિમ છેડે પવિત્ર હિબ્રુ બાઈબલ રાખવાનો મંચ તેમજ પ્રાર્થના ખંડમાં બેઠકોની ઉપર પીથિકાઓની રચના જોઈ શકાય છે. અંદરના ભવ્ય ખંડમાં પશ્ચિમ
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર u ૮૨
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. “ખાલ' સમગ્ર દિવાલને આવતી લેતો કબાટ સહિતનો મંચ)ની રચના કરેલી હોય છે. ખંડની છતોમાં સિયોન” નામના પકોણ તારક ચિહ્નોની આકૃતિઓ અને મનોરાની આકૃતિઓના સુશોભનો કરેલા હોય છે.
ભારતમાં યહૂદી પ્રજાના વસવાટ સાથે આ પ્રકારના સેનેગૉગનું નિર્માણ શરૂ થયેલું જણાય છે. જેમાં ઈ.સ. ૧૮૮૫માં બગદાદી યહૂદી દ્વારા કલકત્તામાં પ્રથમ સેનેગૉગનું બાંધકામ થયું અને ૧૯૩૬માં તેઓના કબરસ્તાનની શરૂઆત થઈ. ઈ.સ. ૧૫૬૮માં કોચિન - કેરાલાના રાજાએ પોતાના મહેલની બાજુમાં યહૂદીઓને ધાર્મિક ઈમારત બાંધવા માટે જમીન ફાળથી, ૧૮૬૧ જે પરદેશી સેનેગૉગ તરીકે ઓળખાય છે. ઈ.સ. ૧૮૬૧માં બેને ઈઝરાયલીયહૂદીઓએ મુંબઈમાં સેમ્યુઅલસ્ટ્રીટમાં શાર-હ-રહમીન (Gate of Mercy) સેનેગૉગ બંધાવ્યું અને ૧૮૮૪માં કેનેસેથ ઈલીયાહો સેનેગૉગનું નિર્માણ થયું. નવી દિલ્હીમાં જુડાહ હયમ સેનેગૉગ આવેલું છે. ૨૪ સેનગોંગ :
અમદાવાદમાં ખમાસા ગેટની સામેના વિસ્તારમાં પારસી અગિયારીની સામે સમગ્ર ગુજરાતમાંનું યહૂદીઓનું “માગેન અબ્રાહમ (ઈ.સ. ૧૯૩૪) એકમાત્ર સિનેગૉગ (પ્રાર્થના મંદિર) છે. ઊંચી પીઠ પર પૂર્વાભિમુખ ઊભેલી આ ઈમારતમાં રચના પરત્વે આગળનો રવેશ, મધ્યનો વિશાળ પ્રાર્થનાખંડ, તેની વચ્ચેનો નાનો પ્રાર્થના-મંચ, પશ્ચિમ છેડે પવિત્ર હિબ્રુ બાઈબલ રાખવાનો મેચ તેમજ પ્રાર્થનાખંડમાં બેઠકોની ઉપર વીથિકાઓની રચના જોઈ શકાય છે. મંચ તેમજ પ્રાર્થના ખંડમાં બેઠકોની ઉપર વીથિકાઓની રચના કરેલી છે. રવેશની સંમુખ ભવ્ય પ્રવેશદ્વાર છે, જ્યારે તેના ઉત્તર છેડે ઓફિસખંડ અને દક્ષિણ છેડે વીથિકાઓમાં જવાની સીડી કરેલી છે. પ્રવેશ દ્વારની જમણી બારસાખ પર ‘સદાય” (પવિત્ર તીસ્મશીશી) લગાવેલ છે, જેને દરેક આવનાર-જનાર હાથ વડે ચૂમે છે. આજ રીતે પ્રત્યેક યહૂદી પોતાના ઘરના પ્રવેશદ્વારની જમણી બારસાખ પર આવું સદાય' લગાવે છે અને ઘરની અંદર કે બહાર જતી વખતે એને હાથ વડે ચૂમે છે.
સિનેગૉગના અંદરના ભવ્ય ખંડમાં પશ્ચિમ છેડે એખાલ'ની રચના કરેલી છે. ઓખાલ એટલે પૂરી દિવાલને આવરી લેતા કબાટ સહિતનો મંચ. એમાંના કબાટને ‘તરત’ કહેવામાં આવે છે, જેમાં હિબ્રૂમાં લખેલ બાઈબલના મોટા ઓળિયા સ્વરૂપના વીંટાઓ ધરાવતા ધાતુના કોતરણીયુક્ત દાબડાઓ રાખેલા છે. મધ્યમાં કરેલી પ્રાર્થનામંચ (વ્યાસપીઠ)ને ટેબા (tebah) કહેવામાં આવે છે. એ આરસ જડિત નાના ઓટલા સ્વરૂપના મંચ ઉપર ફરતી લાકડાની વેદિકા કરેલી છે. અને તેમાં સંમુખથી પ્રવેશવાની જગ્યા રાખી છે. ટેબાની પશ્ચિમ વેદિકાને આવરી લેતી લગભગ બેફૂટ (૯૦ સે.મી.) અને ત્રણ ફૂટ (૯૦ સે.મી.) જ ટલી ઊંચી પીઠિકા કરેલી છે. આ મંચ પર બાકીનાં બે પડખાંઓમાં બબ્બે ખુરશીઓ મૂકેલી છે. પ્રાર્થનાના દિવસો, તહેવારો તેમજ વિશિષ્ટ પ્રસંગોએ તોરાતમાંથી બાઈબલ બહાર આણી તેને પવિત્ર પીઠિકા પર પધરાવી તેનું વાચન કરવામાં આવે છે. ડાબી બાજુની ખુરશી હઝન (ધર્મગુરુ) માટે છે. જયારે તેમની સામેની ખુરશીઓ પર વધુ રકમની ઉછામણી બોલી બાઈબલ વરકન્યા બેસે છે. પ્રાર્થનાખંડનાં બે પડખામાં પુરૂષોને બેસવાના બાંકડા ગોઠવેલા છે. આ ખંડમાં વાયવ્ય ખૂણામાં સુન્નત માટે વાપરવાની બે વિશિષ્ટ ખુરશીઓ છે. પ્રાર્થનાખંડમાં પશ્ચિમની એખાલવાળી દીવાલ સિવાયની ત્રણે બાજુએ વીથિકાઓ કરેલી છે. જેના પર સીડી દ્વારા જવાય છે. વીથિકાઓમાં બેઠકો ગોઠવીને સ્ત્રીઓ માટે અલાયદી બેઠક - વ્યવસ્થા કરવામાં આવી છે. એબાલની ઉપરના ભાગમાં મનોરા ચિહ્નની ભવ્ય આકૃતિ કંડારી છે જયારે ખંડની છતોમાં સિયોન નામના પકોણ તારક ચિહ્નની આકૃતિઓ અને ક્યાંક-ક્યાંક મેનોરની આકૃતિઓના સુશોભનો પણ દ્રષ્ટિગોચર થાય છે. આ ઈમારત ઉર્ધ્વ દર્શનમાં તેની રવેશની છત ટેકવતા ઊંચા ભવ્ય ગોથિક પ્રકારના બે સ્તંભો વડે તેમજ એપાલની પછીતવાળા ભાગને પ્રક્ષેપ રૂપે બહાર કાઢી તેના ઉપર કરેલ વિશિષ્ટ પ્રકારના વિતાન વડે ખાસ ધ્યાન ખેંચે
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૮૩
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. ૨૫
યહૂદીઓની ધર્મભાવના :
યહૂદીઓ ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં વસતા હોઈ તેમના આચારવિચાર ઉપર પ્રાદેશિક અસર વર્તાય છે. અહીંના યહૂદીકુટુંબોમાં છોકરા છોકરીના વિવાહમાં કોઈ મધ્યસ્થી હોય છે. છોકરાનો બાપ છોકરીના બાપ પાસે પ્રસ્તાવ લઈને જાય છે. બંને પક્ષે સંમત થતાં ગળ્યું મોટું કરાવીને વીંટીની અદલાબદલી થાય છે. લગ્ન સનેગૉગમાં થાય છે. આ વખતે કરાર થાય છે. શરબત અપાય છે. વર-વધૂ અડધો અડધો પ્યાલો શરબત પીએ છે. પછી પ્યાલાની રૂમાલમાં મૂકીને ફોડી નાખે છે. આ વખતે જૂના કરારમાંથી ધાર્મિક વાંચન થાય છે. મંગલસૂત્ર ભેટ અપાય છે. મંગલસૂત્રને “ઝમીન” (ધર્મગુરુ) પ્યાલામાં મૂકી તેના પર ધાર્મિકવિધિ કરે છે. લગ્ન પછી પવિત્ર તોરાહ ગ્રંથના દર્શન કરાવવામાં આવે છે. પછી વરકન્યા ઘેર જાય છે.
યહૂદીઓ, ખ્રિસ્તીઓ તેમજ મુસલમાનોની માફક શબને દફનાવે છે. મૃત્યુ સમયે દાન પુણ્ય કરવાનો રિવાજ નથી. શબને સ્નાન કરાવી, પવિત્ર વસ્ત્ર પહેરાવી ધૂપ, અબીલ વગેરે સુગંધી પદાર્થો તેના પર નાખવામાં આવે છે. અંતિમ દર્શન કરાવી મુખ ઢાંકી દેવામાં આવે છે. આ વખતે સંબંધીઓ શબની આંખ ઉપર જેક્સલેમની માટી પધરાવે છે. આ પછી પ્રાર્થના વગેરે કરીને શબને કબરસ્તાનમાં લઈ જવામાં આવે છે. શબને લઈ જતા રસ્તામાં સેનેગૉગ આવે તો તેના બારણા આગળ શબને મૂકીને પ્રાર્થના કરવામાં આવે છે. કબરસ્તાનમાં શબને દફનાવ્યા બાદ, મરનારના સંબંધીઓ સાત દિવસ સુધી દાઢી કે સ્નાન કરીને સૂતક પાળે છે. મરણોત્તર વિધિ સાદાઈથી, કે ભવ્ય રીતે થાય છે. તેમાં સ્થિતિ પ્રમાણે કુટુંબીઓ ફાળો આપે છે. અહીંના સમાજમાં ધાર્મિક નાણાનો ઉપયોગ અયોગ્ય રીતે કરવાની વૃત્તિ દેખાતી નથી. ઉત્સવો :
આ ધર્મના બે નોંધપાત્ર ઉત્સવો ભવ્ય રીતે ઉજવે છે : (૧) હનુકા-મુક્તિ દિનની યાદમાં ઉજવાય છે. (૨) રોશકશાના (યહૂદીનું નવું વર્ષ) આ પ્રજા ઘણી જ ધાર્મિક રીતે પોતાના ઉત્સવો ઉજવે છે. આ વખતે તેઓ બોલે છે કે “આપણો ઈશ્વર એક જ છે.” અમદાવાદનો ત્રિભાષિ યહૂદી શિલાલેખ અને ત્યાંનું યહૂદી કબરસ્તાન
આ શિલાલેખ અમદાવાદમાં ખમાસા ચોકી પાસે આવેલા બુખારા મહોલ્લામાંના યહૂદી સૈનેગૉગના મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જમણી બાજુએ સેનેગૉગની બહારની દીવાલ પર આવેલી આરસની તકતીમાં કોતરેલો છે. આ આખી તકતીનું માપ ૬૧ x ૩૫ સે.મી. છે. શિલાલેખ હિબ્રૂ, અંગ્રેજી, મરાઠી એમ ત્રણ ભાષામાં લખેલો છે. હિબ્રૂ ભાષામાં લખાણની ચાર, અંગ્રેજી ભાષામાં ચાર અને મરાઠી ભાષામાં બે પંક્તિઓ એમ બધી મળીને કુલ ૧૦ પંક્તિઓ કોતરેલી છે. હિબ્રૂ લેખમાં સળંગ લખાણવાળી પંક્તિઓમાં અક્ષરોની સરેરાશ સંખ્યા ૩૫ થી ૩૭ ની છે. અંગ્રેજી લેખમાં અક્ષરોની સંખ્યા ૩૯ થી ૪૨ ની છે. એમાં ૧લી અને ૪થી પંક્તિ લેખના વચ્ચેના ભાગમાં અર્ધી કોતરેલી છે. એ પંક્તિઓમાં અક્ષરસંખ્યા ૨૯ થી ૨૪ ની છે. મરાઠી લેખમાં ૧લી પંક્તિમાં અક્ષરસંખ્યા ૩૭ અને રજી પંક્તિમાં અક્ષરસંખ્યા ૨૮ની છે.
આ ત્રિભાષી શિલાલેખનું હિબ્રૂ લિવ્યંતર દેવનાગરી લિપિમાં આપવામાં આવ્યું છે. લેખની ત્રણેય વાચનાઓનો સંયુક્ત સાર આ પ્રમાણે છે :
માગેન અબ્રાહામ સેનેગૉગ, અમદાવાદની આ કોણશિલા ડૉ. મિસિસ આબિગાયેલબાઈ બેન્જામીન ઐઝક ભનકર એલ.સી.પી.એસ. (મુંબઈ)ના હસ્તે હિબ્રૂ વર્ષ પ૬૯૪ના તિસરી માસના ૨૯મા દિવસ-ઈ.સ.
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર u ૮૪
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩૩ના ઓક્ટોબર માસની ૧૯મી તારીખ ને ગુરુવારે સ્થાપવામાં આવી હતી.
હિબ એકલી હિબ્રૂ વાચનામાં આપવામાં આવી છે, જ્યારે ઈસવી સનની મિતિ અંગ્રેજી અને મરાઠી વાચનામાં આપેલી છે. હિબ્રૂ વાચનામાં લખેલી મિતિમાં વર્ષ યહૂદીઓના સૃષ્ટિ સંવતનું છે. યહૂદીઓ પોતાનાં પંચાંગોમાં સૃષ્ટિ સંવત પ્રયોજે છે, જે સૃષ્ટિના સર્જનના વર્ષ (ઈ.પૂ. ૩૭૬૦)થી શરૂથલો મનાય છે. એનાં વર્ષ ચાંદ્ર-સૌર છે. મહિના ચંદ્રની ગતિ પ્રમાણે સુદ એકમથી અમાસ સુધીના (૧ થી ૨૯ કે ૩૦ સુધી) સળંગ ગણાય છે. વર્ષના મહિના બાર છે. તિસરી, માર-હેશવાન, કિસલવ, તેબેથ, શબાત, આકાર, નિસાન, ઈસર, સિવાન, તમ્યુઝ, આબ અને એમ્બુલ. સામાન્ય રીતે એ એકાંતરે ૩૦ અને ૨૯ દિવસના ગણાય છે, પણ ક્યારેક હેશવાન ર૯ ને બદલે ૩૦ દિવસો અને કિસવેલ ૩૦ ને બદલે ૨૯ દિવસનો ગણાય છે. દર ૧૯ વર્ષનું સંવત્સર-ચક્ર ગણાય છે. તેમાંના ૩જા, ૬, ૮મા, ૧૧મા, ૧૪મા, ૧૭મા અને ૧૯મા વર્ષે આદાર માસ પહેલાં ૩૦ દિવસનો અધિક માસ ઉમેરવામાં આવે છે, જેને “આદાર ૧લો” કહે છે ને પછીના આદારને “આદાર રજો” કહે છે.
યહૂદી કાલગણનામાં દિવસ સૂર્યાસ્તથી સૂર્યાસ્ત વ્યવહારમાં સાંજના ૬-૦૦ થી સાંજના ૬-GO) ગણાય છે. એના ૨૪ કલાક છે. સાંજના ૬-૦૦ થી શરૂ થતો ગત કલાક ૦ ગણાય છે, ત્યાર પછીના ગત કલાક ૧ થી ૨૩ ગણાય છે. કલાકના ૧૦૮૦ ભાગ છે. જે દરેક ૩૧/૩ સેકન્ડનો થાય છે. એના વળી ૭૬ વિભાગ પડે છે, જે દરેક ૫/૧૧૪ સેકન્ડનો છે. વાર સાત છે. એમાંનો છેલ્લો શનિવાર છે, જે “શાબાથ” કહેવાય છે. ઈસવી સનની પદ્ધતિમાં માત્ર ઋતુઓનો સમય સચવાય છે, ને હિજરી સનની પદ્ધતિમાં માત્ર ચાંદ્ર માસ સચવાય છે, જયારે હિંદુ પંચાંગની જેમ યહૂદી પંચાગમાં પણ ચાંદ્ર માસને લીધે ચંદ્રની કલા માલૂમ પડે છે, ને અધિક માસને લીધે સૌર ગતિ અનુસારના ઋતુચક્રનો ય મેળ મળતો રહે છે. હિબ્રૂ કેલેન્ડરમાં આપેલાં કોઠકો આપેલાં કોઇકોની ચકાસણી કરતાં સૃષ્ટિ સંવતના વર્ષ પ૬૯૪ના મહિનાના ર૯મા દિવસે ઈ.સ. ૧૯૩૩ના ઓક્ટોબર મહિનાની ૧૯મી તારીખને ગુરૂવાર બંધ બેસે છે.
સેનેગોનો નામનિર્દેશ લેખની હિબ્રૂ અને અંગ્રેજી વાચનામાં છે. મરાઠી વાચનામાં નથી. બાકીની વિગતો ત્રણેય વાચનાઓમાં સરખી છે.
યહૂદીઓના પ્રાર્થના-મંદિરમાં હિબૂ ને વેત વક્ષેત અને અંગ્રેજીમાં “ર્સનેગૉગ' કહે છે. આ પ્રાર્થના મંદિરને જે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે તે ડો. અબ્રાહમ સોલોમને એલકર (ઈ.સ. ૧૮૨૨-૧૮૮૭) અમદાવાદમાં વસેલા યહૂદીઓમાં અગ્રિમ સ્થાન ધરાવતા. તેઓએ અહીંના યહૂદી સમાજમાં સક્રિય સેવા કરેલી અને અમદાવાદમાં પહેલું પ્રાર્થનાલયે પોતાના મકાનમાં શરૂ કરેલું ને અમદાવાદમાં પ્રાથનાલયનું ખાસ મકાન બંધાય તેવી મુરાદ સેવેલી. આ સ્વપ્ર એમની હયાતી બાદ ઈ.સ. ૧૯૩૩-૩૪માં સિદ્ધ થયું ત્યારે યહૂદી સમાજને એમણે કરેલી અનન્ય સેવાની કદરરૂપે એ ઈમારતને “માગેન અબ્રાહમ (અબ્રાહમની ઢાલ) નામ આપવામાં આવ્યું. આ નામમાં મુખ્ય અર્થ ઈશ્વર યહોવાહનો રહેલો છે. આ પ્રાર્થનાલયનું ઉદ્દઘાટન રજી સપ્ટેમ્બર, ૧૯૩૪ના રોજ થયું.
પ્રાર્થનાલયમાંની કોણશિલા ઇમારતની ખાતવિધિના દિવસને લગતી છે. કોણશિલા પરના લેખમાં જેમનો ઉલ્લેખ આવે છે તે ડૉ. શ્રીમતી આબિગાયેલબાઈ બેન્જામીન ઐઝક ભનકર વિશે જૂજ માહિતી ઉપલબ્ધ છે. આ કોણશિલાના સ્થાપનાના સમારોહ સમયે ઉછામણીમાં સહુથી વધુ રકમ બોલીને ડૉ. આબિગાયેલબાઈએ રૂ. ૧૩૦૩નું દાન આપ્યું હતું. આથી એનું ખાતમુહૂર્ત તેઓશ્રીના હસ્તે કરાવવામાં
આવેલું.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૮૫
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદમાં દૂધેશ્વર રોડ પર એડવાન્સ મિલની પાછળના ભાગમાં યહૂદીઓનું કબરસ્તાન આવેલું છે. તેમાં ડૉ. શ્રીમતી આબિગાયેલબાઈ ભાનકરની કબર છે. આ કબર પર તેમના મૃત્યુનું વર્ષ અને ઉંમર જણાવેલાં છે. તેમનું મૃત્યુ હિબ્રૂ વર્ષ પ૭૦૭, તિસરી માસના ર૯મા દિવસે-ઈ.સ. ૧૯૪પની પમી ઓક્ટોબરે થયું હતું. મૃત્યુ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. “માગેન અબ્રાહમ પ્રાર્થના મંદિરની કોણશિલાની સ્થાપનાના સમયે જે હિબ્રૂ માસ અને દિવસ હતો તે જ માસ અને દિવસ તેમના મૃત્યુનું વર્ષ અને ઉંમર જણાવેલાં છે. તેમનું મૃત્યુ હિબ્રૂ વર્ષ ૫૭૦૭, તિસરી માસના ર૯મા દિવસે - ઈ.સ. ૧૯૪પની પમી ઓક્ટોબરે થયું હતું. મૃત્યુ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. “માગેન અબ્રાહમ પ્રાર્થનામંદિરની કોણશિલાની સ્થાપનાના સમયે જે હિબ્રૂ માસ અને દિવસ હતો તે જ માસ અને દિવસ તેમના મૃત્યુનો પણ હતો આ એક આકસ્મિક યોગ ગણાય.
પાઠ
१. झोत एबेन हापीनाह २. योम खामीशी, काफ-तेथ लेखोदेश तिशरी (एरेब रोश-खोदेश० शनाह ताव-रेश-त्सादे-दालेथ लीफराथ
कातान ३. आल-याद सामेख-योद दोक्तोर आबीगायेल बीनयामीन इत्सिहाक भोनकर मीम-वेथ-ताव ४. लेमोसदोथ बेत हाकेनेसेथ हाझेह "मागेन अबराहाम" योह आइन-आलेफ
This Comer stone of the 2. “Magen Abraham” Synagogue, Ahmedabad was Laid by
Dr. Mrs. Abigailbai Benjamin Isaac Bhonker, L.C.P.S. (Bom). 4. On Thursday 19th October 1933. १. ही कोनशिला डॉ. मिसेस आबीगाएलबाई बेंज्यामीन ऐझक भोनकर, एल.सी.पी.एस. (मुबई) २. यांच्या हस्तें गुरुवार ता. १९ ऑक्टोबर १९३३ रोजा बसविण्यांत आली.
અમદાવાદ શહેરના દૂધેશ્વર રોડ પર ઍડવાન્સ મિલની પાછળના ભાગમાં યહૂદી લોકોનું કબરસ્તાન આવેલું છે તેનાં મુખ્ય પ્રવેશદ્વારની બહાર જમણી બાજુએ આરસની તક્તી પર હિબ્રૂ ભાષામાં “બેથ હાખીમ શેલ ઈસરાએલ” અંગ્રેજીમાં “ISRAELITE CEMETERY' અને મરાઠીમાં રાજ્યનાં સ્થાન લખેલું છે. અંદર પ્રવેશતાં જમણી બાજુએ આરસની તક્તી પર મરાઠી ભાષામાં આ મુજબ લેખ છે : १. या स्मारक स्तंभाच्या पलिकडील जागा २. डॉक्टर योसेफ सालोमन दांडेकर ३. यांनी इ.स. १८७६ साली विक्त घेऊन ४. ती २२ साच्या पलटणीतील त्यांचे स्व. पिता ५. मरहूम सालोमन आंब्राहम दांडेकर । ६. यांच्या स्मरणार्थे अहमदाबाद, येथील ७. बेने-इसरायेल ज्ञातिच्या उपयोगार्थ ૮. વક્ષિણ ત્રિી સે. ९. आलिकडील जागा कबरस्थांना करितां १०. सरकाराकडून भोक्त देण्पांत आली असे ।
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર ૮૬
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષાંતર
આ સ્મારક સ્તંભની પેલી બાજુની જગ્યા ડૉ. જોસેફ સોલોમન દાંડેકરે ઈ.સ. ૧૮૭૬ની સાલમાં વેચાતી લઈને ૨૨મી પલટણમાંના સ્વ. પિતા મરહૂમ સોલોમન અબ્રાહામ દાંડેકરના સ્મરણાર્થે અમદાવાદમાં બેને-ઈસરાએલ કોમના ઉપયોગ માટે બક્ષિસ આપી છે. આ બાજુની જગ્યા બરસ્તાન માટે સરકાર તરફથી મફત આપવામાં આવી છે.
યહૂદીઓના આ કબરસ્તાનમાં હાલ લગભગ ૪૦૦ જેટલી કબરો આવેલી છે, જેમાંની કેટલીક ઘણી મોટી છે. કેટલીક મધ્યમ કદની છે, જ્યારે કેટલીક ઘણી નાની છે. કેટલીક કબરોમાં માત્ર પ્રતીકરૂપે પથ્થર ઊભો કરવામાં આવ્યો છે, તો કેટલીક કબરો આરસના પથ્થરમાંથી બનાવેલી છે, જ્યારે મોટા ભાગની કબરો સાદા પથ્થરની બનેલી છે. આ કબરોના આકાર પણ જુદા જુદા છે, કેટલીક બેઠા ઘાટની છે, તો કેટલીક ઊભા ઘાટની છે, વળી કેટલીક પેટી આકારની પણ છે. આ કબરોમાંની બે કબરો વિમાનના આકારની બનાવેલી છે. શ્રી દાંડેકર તથા ડૉ. એરુલકરનાં કુટુંબો માટે પૂર્વ તરફના અંદરના ભાગમાં ખાસ સ્થાન ખાલી રાખવામાં આવેલું છે. એમાંના વચલા ભાગમાં એક ઓરડામાં ડૉ. અબ્રાહામ બેન્જામીન એરુલકર અને એમના પુત્ર ડૉ. સોલોમન અબ્રાહામ એરુલકરની કબરો આવેલી છે. ડૉ. સોલોમનની કબર પર બાજુમાં સૂચક ચિહ્ન (Insignia) ચીતરેલું છે.
આ બધી કબરો પર પ્રાય વ્યક્તિના જન્મનું વર્ષ કે પૂરી જન્મતારીખ, પૂરો મૃત્યુદિન, ઉંમર અને હોદ્દો જણાવવામાં આવે છે. તેમાં સહુથી ઉપર મેનોરાનું લખાણ અને / અથવા સિઓન (Sion) નું ધાર્મિક પ્રતીક કોતરેલું હોય છે, કબરમાં મસ્તક પૂર્વ તરફ રાખેલું હોય છે, જેથી એ વ્યક્તિ બેઠી થાય ત્યારે એનું મુખ પશ્ચિમ તરફ રહે, જે દિશામાં જેરુસલેમ આવેલું છે. કેટલીક વાર લેખની બંને બાજુ પર કોતરણી કરેલી હોય છે.
મોટા ભાગની કબરો પર હિબ્રૂ અને અંગ્રેજીમાં લેખ હોય છે. કેટલીક કબરો પર હિબ્રૂ, અંગ્રેજી અને મરાઠી એમ ત્રિભાષી લેખ પણ હોય છે. ક્વચિત્ માત્ર હિબ્રૂમાં કે મરાઠીમાં કે ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં લેખ જોવા મળે છે. બે એક કબરો પર જે તકતી લગાવેલી છે તેને ઓળિયા (Scroll)નો કલાત્મક ઘાટ
આપવામાં આવ્યો છે.
આ કબરો પર સહુથી વહેલામાં વહેલું વર્ષ ઈ.સ. ૧૮૮૭ મળે છે. જે કબર પર હિબ્રૂ ભાષામાં લેખ છે, તેમાં યહૂદીઓના સૃષ્ટિ સંવતનું વર્ષ અને માસ તેમજ રોજ આપેલાં છે. ઉ.ત. એક કબર હિબ્રૂ વર્ષ ૫૬૭૮ ના હેશવાન માસનો ૩૦મો રોજ જમાવ્યો છે. બીજી બે કબરો પર હિબ્રૂ વર્ષ ૫૭૧૨ અને ૫૭૨૮ જણાવેલ છે. એક કબર પર આ હિબ્રૂ વર્ષ અંગ્રેજી લેખમાં આપેલ છે, જ્યારે બીજી એક કબર પર આ વર્ષ અંગ્રેજી તેમજ મરાઠી લેખમાં જણાવેલ છે. એક કબર પર મરાઠી લેખમાં શક વર્ષ પણ જણાવેલ છે.
દરેક અંગ્રેજી લેખમાં અંતે પ્રાયઃ “મે હિઝ સોલ ટેસ્ટ ઇન પીસ' એવું વાક્ય લખેલું તેમજ મરાઠી લેખમાં ઘર ત્યાંબા ગાભ્યાસ શાંતિ લેવો એમ લખેલું હોય છે. એક કબર પર લેખના અંતે ‘પ્રેમાઝ સ્મૃતિ સવ' એમ લખેલું છે. એક કબર પર લેખમાં મૃત્યુ પામેલ સ્ત્રીનું માત્ર નામ જ આપવામાં આવ્યું છે, તેના પતિનું નામ કે અટક જણાવાઈ નથી. ક્વચિત્ કબરમાં વ્યક્તિ જે સમયે મૃત્યુ પામેલ હોય તે સમય પણ જણાવેલો હોય છે.
આ કબરોમાં તકતીલેખો પરથી કેટલીક ગણનાપાત્ર વ્યક્તિઓનાં જન્મવર્ષ, આયુષ્ય અને મૃત્યુદિન અંગેની માહિતી મળી રહે છે.૨૭
પથિક : જાન્યુઆરી - જૂન, ૨૦૦૫ ૩૮૭
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ વિશ્વમાં, ભારતમાં અને ગુજરાતમાં યહૂદી ધર્મ પોતાના વિશિષ્ટ લક્ષણોને લઈને અન્ય ધર્મથી જૂદો તરી આવે છે. છતાં સર્વધર્મ પ્રત્યે આદરની ભાવનાને લઈને વિશેષ માનપાત્ર બન્યો છે.
પાદટીપ ૧. સત્યદેવ દવે, જગતના ધર્મો, પૃ. ૧૯૬-૯૭ ૨. ચંદ્રકાન્ત પટેલ, ઈઝરાયેલ, અમદાવાદ, ૧૯૭૫, પૃ. ૫ ૩. ગિલબર્ટ, ઈસ્રાએલ અને પેલેસ્ટાઈન વિષયક પ્રશ્નોત્તરી (ગુજ. અનુ. હિંમતલાલ આશીર્વાદ), પૃ. ૩ ૪. હ.ગં.શાસ્ત્રી અને ભારતી શેલત, યહૂદીઓ અને તેઓનો ભારતમાં વસવાટ', “પથિક', જાન્યુ.
૧૯૮૧, પૃ. ૧૩ ૫. ગોવિંદલાલ હ. ભટ્ટ, વિશ્વના ધર્મો', (બીજી આવૃત્તિ), વડોદરા, ૧૯૫૮, પૃ. ૧૫૭-૫૮ ૬. સત્યદેવ દવે, ઉપર્યુક્ત, પૃ. ૧૯૯ ૭. હ.ગં શાસ્ત્રી અને ભારતી શેલત, ઉપર્યુકા, પૃ. ૧૫-૧૬ ૮. સત્યદેવ દવે, ઉપર્યુક્ત, પૃ. ૨૦૧-૨૦૪ ૯. જયાનંદ ચૌહાન, અનોખી ઈઝરાયલ પ્રજા', પૃ. ૨૪ 90. Will Durant, 'Our oriental Heritage,' Vol. I, Part-I, The Story of Civilization, p. 306 ૧૧. જયાનંદ ચૌહાન, ઉપર્યુક્ત, પૃ. ૬૫-૭૬ 92. Carta's Historical Atlas of Isral, Carta, Jerusalem, 1977, p. 13 ૧૩. ચંદ્રકાન્ત પટેલ, ઉપર્યુક્ત, પૃ. ૯ ૧૪. હ.ગં. શાસ્ત્રી અને ભારતી શેલત, ઉપર્યુક્ત, પૃ. ૧૪-૧૫ ૧૫. ચંદ્રકાન્ત પટેલ, ઉપર્યુક્ત, પૃ. ૧૨૮ 96. M.D.Japheth, The Jews of India, 4th impression, Bombay, 1972, p. 5 ૧૭. “મોન અબ્રાહમ' પ્રાર્થનાdય રીપોર્ટ (૨-૧-૨૬૩૪ થી ૩૧-૧૨-૨૨૩૬) મહાવીર, ૧૯૩૭, પૃ. ૨૮ 96. Rachael Rukmini Israel, 'The Jews of India their Story', Mosaic Books, New Delhi, 2002, pp.
9, 71 20. M.D.Japheth, op.cit., pp. 2-3 ૨૧. હ.ગં.શાસ્ત્રી અને ભારતી શેલત, ઉપર્યુક્ત, પૃ. ૧૭ ૨૧. M.D.Japheth, op. cit, pp. 17, 19-20, 24 22. Shellim Samuel, 'The Jews of Gujarat', 'Shulom', New Year Number, (Bombay, 197, pp. 1-4) ૨૩. હ.ગં શાસ્ત્રી અને ભારતી શેલત, ગુજરાતમાં યહૂદીઓ, “પથિક', એપ્રિલ, ૧૯૮૧, પૃ. ૧૪-૧૫ 2X. Rachuel Rukmini Isrwel, op.cit., pp. 18, 28, 33, 57 ૨૫. હ.ગં.શાસ્ત્રી અને પ્રાચિ.પરીખ (સંપા.) “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ , ગ્રંથ ૯, પૃ.
૪૬૧ ૨૬. નવીનચંદ્ર આચાર્ય, ‘ગુજરાતના ધર્મસંપ્રદાયો’, પૃ. ૧૬૮-૧૬૯ ૨૭. પ્રવીણચંદ્ર પરીખ અને ભારતી શેલત, ગુજરાતના અભિલેખો : સ્વાધ્યાય અને સમીક્ષા', અમદાવાદ,
૧૯૯૧, પૃ. ૧૫૫-૧૫૮
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર 7 ૮૮
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રમાં અંગ્રેજોનાં યાદગીરીરૂપ સ્મારકો
પ્રા. ડૉ. કલ્પા એ. માણેક
ઈ.સ. ૧૮૦૭માં સૌરાષ્ટ્રના રાજવીઓ સાથે કર્નલ વૉકરે કરાર કરવાના પરિણામે સૌરાષ્ટ્રમાં યુદ્ધના યુગની સમાપ્તિ થઈ અને શાંતિની ઉષા પ્રગટી. ત્યાર પછીથી ૧૮૨૦ સુધી ગાયકવાડે સૌરાષ્ટ્રના સરસૂબા તરીકે વિઠ્ઠલરાવ દેવાજીને નીમ્યા હતા. ઈ.સ. ૧૮૨૦માં તો ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી ખંડણી ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને સોંપી દેતાં અંગ્રેજો સૌરાષ્ટ્રમાં સર્વોપરી બન્યા. પરિણામે સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ સત્તા ગાયકવાડના બદલે અંગ્રેજોના હાથમાં આવી. તેથી તેમણે રાજકોટમાં ૧૮૨૦-૨૨માં બ્રિટિશ એજન્સી (કોઠી)ની સ્થાપના કરી. તેનાં સૌપ્રથમ વહીવટી વડા તરીકે કૅપ્ટન આર. બાર્નવેલને નીમવામાં આવ્યા. ઈ.સ. ૧૮૨૦ થી ૧૯૪૭ ના ૧૨૭ વર્ષના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં બ્રિટિશ સત્તા સર્વોપરી રહી. આ વર્ષો દરમ્યાન બ્રિટિશ શાસન હેઠળ અંગ્રેજોએ પોતાની સાર્વભૌમ સત્તા સ્થાપી દીધી હતી. સૌરાષ્ટ્રનાં રાજ્યો આંતરિક બાબતોમાં સ્વતંત્રતા ભોગવતા હોવા છતાં બાહ્ય બાબતોમાં અંગ્રેજોની સત્તા હેઠળ જ અર્થાત્ પરાધીન હતા. વળી શક્તિ કે સત્તાને સૌ નમે છે તે સૂત્ર અનુસાર સૌરાષ્ટ્રના રાજવીઓ દ્વારા પોતાની ઉપર સર્વોપરી સત્તા ભોગવતી બ્રિટિશ સત્તાના સત્તાધીશોને ખુશ રાખવા વિવિધ પ્રયાસો કરાયા હતા. પરિણામે તેમણે સૌરાષ્ટ્રના બ્રિટિશ પોલિટિકલ એજન્ટ કે અન્ય ઉચ્ચ અધિકારીઓ, કે મુંબઈના ગવર્નર કે તેમના એજન્ટ કે ભારતના વાઇસરૉય અને ગવર્નર જનરલ કે તેના એજન્ટને ખુશ રાખી તેમની નજરમાં પોતાને બ્રિટિશ સત્તાને વફાદાર દર્શાવવા, તેમની કૃપાદૃષ્ટિ મેળવવા, કે તેમની વાહ અને ચાહ મેળવવા પોતપોતાના રાજ્યમાં અથવા બ્રિટિશ વહીવટના મુખ્ય મથક એવા રાજકોટમાં વિવિધ બાંધકામો કરાવેલાં. તેને ઉપરોક્ત અંગ્રેજ અધિકારીઓના નામ સાથે જોડી તેમની પ્રશંસા મેળવવા તેમણે પ્રયત્ન કર્યા હતા. આમ, સૌરાષ્ટ્રમાં અંગ્રેજોની યાદગીરી રૂપે જે સ્મારકો છે તે મોટા ભાગે જે તે રાજ્યમાં, જે તે રાજ્યના ખર્ચે અથવા રાજકોટમાં સૌરાષ્ટ્રનાં રાજયોના કે પ્રજાના ફાળાથી બંધાયેલાં છે.
આ સ્મારકો સ્કૂલો, કૉલેજ, મદ્રેસા, લાયબ્રેરીઓ, હૉસ્પિટલો, હૉલ, મ્યુઝિયમ, ડેમ, નહેર (કેનાલ), પુલ (બ્રિજ), બંદર, ગેઇટ (દરવાજા), ક્લબ, બાવલાં, ચિત્રો, ફુવારા, બગીચા, બજાર, શાકમાર્કેટ, ગ્રેઇન માર્કેટ વગેરેના સ્વરૂપમાં છે. કેટલાક અંગ્રેજોની કબરો કે તેના ઉપરના લેખ કે શૌર્ય લેખ પણ પ્રાપ્ય છે. તે સૌરાષ્ટ્રમાં અંગ્રેજોના ૧૨૭ વર્ષના શાસનના વારસા રૂપે છે. તેમાંથી તત્કાલીન સમાજ, રાજકારણ, પ્રજાકલ્યાણનાં કાર્યો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની માહિતી પ્રાપ્ય બને છે. આ સ્મારકોમાંથી કેટલાંકનાં નામ સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં બદલીને તેને નવાં નામ આપવામાં આવ્યાં છે. જેમ કે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલનું નામ મોહનદાસ ગાંધી વિદ્યાલય રાખવામાં આવ્યું છે. જોકે હજુ જૂનાં નામ લોકજીભે રમે છે અને નવાં નામ જોઈએ તેટલાં લોકપ્રિય બન્યાં નથી, એ પણ એક હકીકત છે. આમ સૌરાષ્ટ્રમાં અંગ્રેજોની યાદગીરીરૂપ વિવિધ પ્રકારનાં જે અનેક સ્મારકો છે તેમાંનાં મુખ્ય અને મહત્ત્વનાં સ્મારકોની વિગતોનો આ સંશોધનલેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
(૧) અને (૨) : બેલેન્ટાઇન બંગલો અને વૉકર લાયબ્રેરી (અમરેલી) :
અંગ્રેજોની યાદગીરીરૂપ સ્મારકોમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અમરેલીનો એક બંગલો ગણાવી શકાય. કૅપ્ટન બેલેન્ટાઇન ઈ.સ. ૧૮૧૭ થી ૧૮૧૯ દરમ્યાન અમરેલીમાં રહેતા મરાઠી સૂબેદારને કાઠિયાવાડનો વહીવટ ચલાવવામાં મદદરૂપ થવા માટે નીમ્યા હતા. ત્યારે બેલેન્ટાઇને આ બંગલો બંધાવ્યો હતો. સ્વતંત્રતા * આસિસ્ટંટ પ્રોફેસર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૩૮૯
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછીથી તે સિવિલ સર્જનનું નિવાસસ્થાન બનેલું હતું. તેવી જ રીતે ઈ.સ. ૧૮૦૭-૦૯ દરમ્યાન કર્નલ વૉકર અમરેલીમાં ગાયકવાડ સરકારને મદદરૂપ થવા રહ્યા હતા. વડોદરાનું ગાયકવાડનું રાજ્ય પુસ્તકાલય વિકાસ પ્રવૃત્તિમાં અગ્રેસર હતું. તેથી ગાયકવાડી તાબા હેઠળના અમરેલીમાં સૌપ્રથમ સાર્વજનિક પુસ્તકાલય (લાયબ્રેરી) ૧૮૭૩માં સ્થપાયું હતું. તેને વૉકર લાયબ્રેરી નામ આપવામાં આવ્યું હતું. (૩) આઈ. પી. મિશન ગર્લ્સ સ્કૂલ (રાજકોટ) :
અંગ્રેજોની યાદગીરીરૂપ સ્મારકો સૌથી વધુ રાજકોટમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે સૌરાષ્ટ્રમાં અંગ્રેજોની એજન્સીની સત્તાનું વડું મથક હતું. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કન્યા કેળવણી માટે ૧૮૪૦૧૮૪રમાં રાજકોટમાં આઈ. પી. મિશને કન્યાશાળા સ્થાપી હતી. એ રીતે આઈ. પી. મિશન સ્કૂલને આપણે અંગ્રેજો દ્વારા સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીનો પ્રારંભ કરનારું મહત્ત્વનું સ્મારક ગણાવી શકીએ. (૪) લંગ કન્યાશાળા :
૧૮૪૬ થી ૧૮૫૯ દરમ્યાન સૌરાષ્ટ્રમાં પોલિટિકલ એજન્ટ તરીકે કર્નલ ડબલ્યુ. ફેંગ હતા. તેમના વિશે દુર્ગારામ મહેતાએ નોંધ્યું હતું કે “તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક સામાજિક સુધારા કર્યા હતા. દા.ત. શીતળાના રોગથી પ્રજાને બચાવવા માટેના ઉપાય કર્યા, કન્યા કેળવણી માટેની નિશાળો ખોલી, જુગાર રમાડવાના ઇજારા બંધ કરાવ્યા, રાજપૂતોમાંથી દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો વગેરે."" કર્નલ લેંગે ૧૮૫૫ માં રાજકોટમાં પોતાના ખર્ચે એક કન્યાશાળા સ્થાપી હતી. આમ સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીનો પાયો તેમણે નાખ્યો હતો. તેમના નામ ઉપરથી તે શાળા લંગ કન્યાશાળા કહેવાતી હતી. પછીથી ૧૮૭૬માં રાજકોટના રાજવી બાવાજીરાજે આ કન્યાશાળાનો ખર્ચ ઉપાડી લીધો હતો અને તે શાળાનું નામ બદલીને બાવાજીરાજ કન્યાશાળા રાખવામાં આવ્યું હતું.' (૫) આશ્લેડ હાઈસ્કૂલ :
રાજકોટમાં સૌરાષ્ટ્રની પ્રથમ અંગ્રેજી શાળા એવી “રાજકોટ ઇંગ્લિશ સ્કૂલ” ૧૭-૧૧-૧૮૫૩ના રોજ સ્થપાઈ હતી. ૧૮૬૭માં તે સંપૂર્ણ કક્ષાની હાઇસ્કૂલ બનતાં તેનું નામ કાઠિયાવાડ હાઇસ્કૂલ રાખવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડનાં મહારાણી વિક્ટોરિયાના બીજા નંબરના પુત્ર આલ્ફડ (ડ્યૂક ઑફ એડિનબરો)ની ૧૮૭૦ની ભારતની મુલાકાતની સ્મૃતિમાં જૂનાગઢના નવાબ મહાબતખાનજી – બીજા (૧૮૫૧ થી ૧૮૮૨)એ આ શાળાના મકાનના બાંધકામ માટે રૂપિયા એક લાખનું દાન આપી ભવ્ય ગોથિક શૈલીના મકાનનું બાંધકામ કરાવ્યું હતું. તેનો નકશો કાઠિયાવાડ એજન્સીના ઇજનેર રોબર્ટ બેલ બુથે તૈયાર કર્યો હતો. તેથી ૧૮૭૧ થી આ શાળાનું નામ આફ્રેડ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું હતું. જોકે શાળામાં મૂકેલા શિલાલેખ અનુસાર આલ્ટેડ હાઇસ્કૂલ નામ છેક ૧૮૦૭માં અપાયું હતું. આમ બ્રિટિશ સાર્વભૌમ સત્તાને ખુશ રાખવાનો જૂનાગઢના રાજવીનો આ એક નમ્ર પ્રયાસ હતો એમ કહી શકાય. પછીથી તો બીજાં રાજયો પણ ખુશામતની હરીફાઈમાં ઊતર્યા હતા. પરિણામે ભાવનગર રાજ્યમાં પણ ૧૮૭રમાં આલ્લેડ હાઇસ્કૂલ સ્થપાઈ હતી. આમ આ બન્ને આફ્રેડ હાઇસ્કૂલોનાં ગોથિક શૈલીનાં મકાન અંગ્રેજોની યાદગીરીનાં ભવ્ય સ્મારકો છે. રાજકોટની આલ્ફડ હાઈસ્કૂલમાં જ મોહનદાસ ક, ગાંધી (ગાંધીજી) ૧૮૮૦ થી ૧૮૮૭ દરમ્યાન ભણ્યા હતા અને ૩૯,૬% ગુણ મેળવી મુંબઈ યુનિવર્સિટીની મટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. આફ્રેડ હાઈસ્કૂલને ૧૯૭૧માં એક સો વર્ષ પૂર્ણ થતાં તેનું શતાબ્દી વર્ષ ઊજવાયું હતું અને તેનું નામ બદલીને “મોહનદાસ ગાંધી વિદ્યાલય” રાખવામાં આવ્યું છે. મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની જેમ જ રાજકોટની આલ્લેડ હાઈસ્કૂલ પણ સૌરાષ્ટ્ર અને મુંબઈ પ્રાંતના જાહેર જીવનના અનેક અગ્રણીઓની માતૃસંસ્થા બની હતી. એ રીતે તેનું મુંબઈ ઇલાકાના જાહેર
સૌરાષ્ટ્રમાં અંગ્રેજોનાં યાદગીરીરૂપ સ્મારકો [ ૯૦
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનમાં અનુપમ પ્રદાન છે.૧૦ (૬) રાજકુમાર કૉલેજ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસને (૧૮૬૭ થી ૧૮૭૪) રાજકોટમાં રાજકુમાર કૉલેજની સ્થાપના કરી હતી. તેના ગોથિક શૈલીના યુરોપિયન મકાનની ડિઝાઇન પણ એજન્સી એન્જિનિયર મિ. આર. બી. બુથે તૈયાર કરી હતી. તેના પ્રથમ પ્રિન્સિપાલ તરીકે ચેસ્ટર મેકનાટનને મૂકવામાં આવ્યા હતા. તે ૧૮૭૧ થી ૧૮૯૬ તે હોદ્દા પર રહ્યા હતા.૧૧ ૧૮૭૧ થી ૧૮૭૪ સુધી તે “કિંગ કૉલેજ' કહેવાતી હતી. પછીથી તે રાજકુમાર કૉલેજ કહેવાતી હતી. સૌરાષ્ટ્રનાં રાજ્યોના રાજકુમારોના શિક્ષણ માટે આ કૉલેજ સ્થપાતાં સૌરાષ્ટ્રમાં આધુનિક યુગનો પ્રાદુર્ભાવ થયો હતો. અંગ્રેજોના મહત્ત્વના સાંસ્કૃતિક વારસાનું તે મહત્ત્વનું સ્મારક છે. ઉપરાંત અહીંથી શિક્ષણ પામેલા સૌરાષ્ટ્રના રાજકુમારોએ રાજવી બનતાં પોતાના રાજ્યનું આધુનિકીકરણ કરવાના પ્રયાસ કર્યા હતા. આ સંસ્થાએ સૌરાષ્ટ્રનો વિવિધ ક્ષેત્રે વિકાસ કરવામાં અત્યંત મહત્ત્વની અને નોંધપાત્ર કામગીરી બજાવી હતી. આ કૉલેજની સિદ્ધિનાં શિખરો સર કરવામાં ૨૬ વર્ષ સુધી તેના પ્રિન્સિપાલ ૨હેલા શ્રી મેકનાટન (૧૮૭૧-૧૮૯૬) અને પછીથી ૨૦ વર્ષ સુધી ૧૯૦૩ થી ૧૯૨૩)૧૨ થી તેના પ્રિન્સિપાલ રહેલા સી. જે. માયનેનું પ્રદાન અમૂલ્ય છે. તે બન્નેનાં આ કૉલેજમાં આવેલાં
બાવલાં પણ તેમનાં મહત્ત્વનાં સ્મારકો છે.
(૭) લૅંગ લાયબ્રેરી :
સૌરાષ્ટ્રમાં ૧૮૫૬માં રાજકોટમાં “ગુણ ગ્રાહક મંડળી”એ એક લાયબ્રેરી સ્થાપી હતી. તેમાં વિવિધ વિષયો ઉપર નિબંધવાંચન કરાતું અને તે સામાજિક ઉત્કર્ષનાં કાર્યો પણ કરતી હતી. તેમાં મહાન સુધારક દુર્ગારામ મહેતા સક્રિય રસ લેતા. પછીથી તેનું નામ ‘કાઠિયાવાડ જનરલ લાયબ્રેરી' રખાયું હતું. પછીથી ૧૮૬૪માં સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ લેંગનાં કાર્યોની કદર રૂપે તેનું નામ બદલીને ‘કાઠિયાવાડ જનરલ લૅંગ લાયબ્રેરી' રખાયું હતું. જે આજે માત્ર લૅંગ લાયબ્રેરી તરીકે ઓળખાય છે. આ લાયબ્રેરીમાં આવેલ તેના ફોટાની નીચેના લેખમાં દર્શાવવામાં આવ્યું છે કે “આ લાયબ્રેરીની સ્થાપના કર્નલ લેંગ કે જેમણે કાઠિયાવાડમાં ૨૮ વર્ષ સેવા બજાવી હતી અને ૧૮૪૬-૫૯માં પોલિટિક્સ એજન્ટ હતા તેમની સ્મૃતિમાં કાઠિયાવાડના રાજવીઓએ કરી હતી. તે રાજવીઓના મિત્ર અને દઢ નિશ્ચયી વહીવટકર્તા હતા.”૧૩ આ ગ્રંથાલયને “જ્ઞાનની પરબ”, ‘નાનકડી પણ પ્રાણવાન વિદ્યાપીઠ” અને “સંશોધનની પ્રવૃત્તિઓનું કેન્દ્ર” ગણાવવામાં આવેલ છે. તે રાજકોટનો ઉજ્જ્વળ સાંસ્કૃતિક વારસો છે. આ ગ્રંથાલયમાં જ કવિ નાનાલાલ, કવિ કાન્ત, બ.ક. ઠાકોર વગેરેએ મૂલ્યવાન ગ્રંથોનું વાંચન કર્યું હતું. એ રીતે આ સંસ્થા ગુજરાતની સાંસ્કૃતિક મૂડીનો એક મહત્ત્વનો ભાગ છે.૧૪ આ લાયબ્રેરી ૧૮૯૩ થી હાલની ભવ્ય ઇમારતમાં બેસે છે. ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું આ એક જૂનામાં જૂનું આ ગ્રંથાલય છે. લગભગ ૧૫૦ વર્ષ પૂર્વે થઈ ગયેલ પોલિટિકલ એજન્ટ કર્નલ લૅંગની સ્મૃતિને તે જાળવી રહ્યું છે.
(૮) અને (૯) હંટર ટ્રેનિંગ કૉલેજ અને બાર્ટન ટ્રેનિંગ કૉલેજ :
સૌરાષ્ટ્રમાં શિક્ષણનો પ્રસાર વધતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી. પરિણામે તાલીમ પામેલાં પુરુષ અને સ્ત્રી શિક્ષકો ત્યાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે રાજકોટમાં ૧૮૬૩માં પુરુષો માટે હંટર ટ્રેનિંગ કૉલેજ શરૂ કરાઈ, જે સ્વતંત્રતા પછી મોરબીમાં સ્થળાંતરિત કરાઈ હતી. પછીથી ૧૮૭૮ થી ૧૮૮૩ દરમ્યાન સૌરાષ્ટ્રમાં પોલિટિકલ એજન્ટ રહી ચૂકેલા કર્નલ એલ. સી. બાર્ટનની સ્મૃતિમાં રાજકોટમાં સ્રીઓ માટેની બાર્ટન ટ્રેનિંગ કૉલેજ ૧૮૮૫માં સ્થપાઈ હતી જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે.૧૫
પથિક ઃ જાન્યુઆરી - જૂન, ૨૦૦૫૩ ૯૧
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) બાર્ટન લાયબ્રેરી : મ્યુઝિયમ :
કર્નલ બાર્ટનની સ્મૃતિ કાયમ રાખવા માટે ભાવનગરના મહારાજા તખ્રસિંહજીએ પણ ભાવનગરમાં ૧૮૮૨માં એક કિતાબખાનું (લાયબ્રેરી) અને મ્યુઝિયમ માટે સુંદર ઇમારત બાંધવા માટેની જાહેરાત કરી હતી. વર્તમાનપત્રો અને સિક્કાઓ ભરેલી એક બાટલી પાયાના પથ્થરમાં કરેલી જગ્યામાં બંધ કરી ચાંદીની થાળીમાં ચૂનો લઈને મિસિસ બાર્ટને આ ઇમારતની શિલારોપણ વિધિ કરી હતી. તે ધ્યાનાકર્ષક છે.'* છેલ્લાં ૧૨૦ વર્ષથી આ ગ્રંથાલય ભાવનગરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું શ્રેષ્ઠ કેન્દ્ર બની ગયું છે. સ્વતંત્રતા પૂર્વે તેમાં ૧૪,000થી વધુ પુસ્તકો હતાં જે ૧૯૭૦માં ૫૦,૦૦૦ થી ઉપર થઈ ગયાં હતાં. તેના દૈનિક વાચકોની સંખ્યા ૧૫૦૦ થી ૨૦૦૦ની છે. ૧૭ ગ્રંથાલયના ઉપરના મજલે મ્યુઝિયમ રાખવામાં આવ્યું છે. તેમાં અલભ્ય સિક્કાઓ અને કલાના ઉત્તમ નમૂનાઓ સંગ્રહિત છે. ઉપરાંત તેમાં સૌરાષ્ટ્રના રાજાઓ દ્વારા વપરાતાં હથિયારો અને શસ્ત્રોનો સંગ્રહ છે. (૧૧) વોટ્સન મ્યુઝિયમ :
કર્નલ જહોન ડબલ્યુ. વૉટ્સન ૧૮૮૬ થી ૧૮૯૯ દરમ્યાન સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ હતા. તેઓ ભારતમાં ૩૪ વર્ષ રહ્યા. તેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રાજદ્વારી અધિકારી તરીકે, આસિસ્ટેટ પોલિટિકલ એજન્ટ તરીકે, ભાવનગર રાજ્યના સંયુક્ત વહીવટકર્તા તરીકે, રાજસ્થાનિક કોર્ટના પ્રમુખ તરીકે અને છેલ્લે પોલિટિકલ એજન્ટ રહ્યા હતા. તેમણે “કાઠિયાવાડ ગેઝેટિયર” નામનો સૌરાષ્ટ્રના ઇતિહાસનો અમૂલ્ય ગ્રંથ લખ્યો છે. તેઓ એક સારા ઇતિહાસકાર અને ઉચ્ચ કોટિના વહીવટદાર પણ હતા. ઉપરાંત તેમણે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા જેવાં મુખ્ય અને મહત્ત્વનાં પ્રથમ વર્ગનાં રાજયોની આંકડાકીય માહિતી આપતા “સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટ' નામના ગ્રંથ લખ્યા હતા. સૌરાષ્ટ્રના ઇતિહાસ-આલેખનની તેમની આ સેવા અવિસ્મરણીય છે. માત્ર ૫૧ વર્ષની ઉંમરે ૧૮૮૮માં તેમનું અવસાન થતાં સૌરાષ્ટ્રના રાજવીઓ, શહેરીઓ, શુભેચ્છકો અને મિત્રોએ ભંડોળ એકત્ર કરી તેમની સેવાઓ બદલ સ્મારક રૂપે રાજકોટમાં વૉટ્સન
મ્યુઝિયમની સ્થાપના કરી હતી. જયુબિલી બાગમાં આવેલ “મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટમાં બેંગ લાયબ્રેરી, વૉટ્સન મ્યુઝિયમ અને કોનોટ હોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1 (૧૨) કોનોટ હોલ :
મહારાણી વિક્ટોરિયાના ત્રીજા નંબરના પુત્ર આર્થર ડ્યૂક ઑફ કોનોટ) ૧૮૮૭માં રાજકોટની મુલાકાત લીધી હતી. તે વર્ષે જ વિક્ટોરિયાના રાજ્યારોહણનાં પચાસ વર્ષ પૂરાં થતાં હતાં. તે પ્રસંગની સ્મૃતિમાં ગોલ્ડન જ્યુબિલી દરબાર ભરાયો હતો અને રાજકોટમાં યુબિલી બાગ બંધાયો હતો. આ બાગનું મૂળ નામ ‘વિક્ટોરિયા જ્યુબિલી બાગ’ હતું. આ પ્રસંગની યાદગીરીમાં સૌરાષ્ટ્રનાં અનેક રાજ્યોમાં જયુબિલી હોસ્પિટલ, જ્યુબિલી મદ્રેસા, જયુબિલી પુલ વગેરે બંધાયાં હતાં. રાજકુમાર અને ડયૂક ઑફ કોનોટની રાજકોટ મુલાકાતની સ્મૃતિરૂપે જયુબિલી બાગમાં કોનોટ હોલ બંધાયો હતો. આ હૉલમાં જ પછીથી સૌરાષ્ટ્ર રાજયની વિધાનસભા બેસતી હતી ૨૨ હાલ તેનું નામ રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના માજી પ્રમુખ અરવિંદભાઈ મણિયારના નામ સાથે જોડવામાં આવ્યું છે. ૨૩ (૧૩) અને (૧૪) કૈસરે હિંદ પુલ અને વિક્ટોરિયા પુલ :
મહારાણી વિક્ટોરિના શાસનનાં ૪૦ વર્ષ ૧૮૭૭માં પૂરાં થતાં હતાં. ત્યારે તેમણે કૈસર-એ-હિંદ(હિન્દની સમ્રાજ્ઞી)નું બિરુદ ધારણ કર્યું હતું. તે પ્રસંગની સ્મૃતિમાં ભાવનગરના રાજવી તખતસિંહજીએ રૂપિયા ૧.૧૪ લાખના ખર્ચે રાજકોટમાં ૧૮૭૯માં કૈસરે હિંદ પુલ બંધાવ્યો હતો. તે રાજકોટના સૌરાષ્ટ્રના બીજા પ્રદેશો સાથેના વાહનવ્યવહાર માટે ખૂબ ઉપયોગી બન્યો હતો. આ પુલની ડાબી બાજુએ તે અંગેનો લેખ કોતરાયેલો છે. ૨૪
સૌરાષ્ટ્રમાં અંગ્રેજીનાં યાદગીરીરૂપ સ્મારકો n ૯૨
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજકોટની જેમ જ જામનગરમાં પણ જામનગરને અન્ય સ્થાનો સાથે જોડતો વિક્ટોરિયા પુલ સ્મૃતિરૂપે બાંધવામાં આવ્યો હતો (૧૮૯૦). છેલ્લા દશકામાં આ બન્ને પુલોનું લગભગ ૧૧૦ કે ૧૨૦ વર્ષ પછી નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે મોરબીમાં પણ વાઘજી ઠાકોરે આ પ્રસંગની સ્મૃતિમાં કેસરે હિંદ પુલ બંધાવી તેના ઉપર બે આખલાનાં અને બે ઘોડાનાં પૂતળાં મુકાવ્યાં હતાં, ૨૫ (૧૫) કાર્નેગી ફુવારો :
કર્નલ એચ. જી. કાર્નેગી હાલાર પ્રાંતના પોલિટિકલ એજન્ટ હતા. તેઓ ગીરના જંગલમાં સિંહનો શિકાર કરતાં ઝપાઝપીમાં મૃત્યુ પામતાં તેમને રાજકોટ લાવી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. પછીથી તેમની યાદમાં રાજકોટમાં કાર્નેગી ફુવારો બંધાવાયો હતો. (૧૬) વેસ્ટ હોસ્પિટલ :
રાજકોટમાં એજન્સી હોવાથી સિવિલ સ્ટેશન વિસ્તારમાં ૧૮૩૬માં પાશ્ચાત્ય પદ્ધતિની હૉસ્પિટલ સ્થપાઈ હતી. સૌરાષ્ટ્રના તત્કાલીન પોલિટિક્સ એજન્ટ ઈ. ડબલ્યુ. વેસ્ટ (૧૮૮૩ થી ૮૫) ના નામ ઉપરથી પછીથી આ હોસ્પિટલનું નામ વેસ્ટ હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું. આ હોસ્પિટલના નવા મકાનમાં પછીથી સૌરાષ્ટ્ર સરકાર વખતે સચિવાલય બેસતું હતું. (૧૭) થી (૨૫) કેટલાંક બાવલાં અને ચિત્રો :
કર્નલ જે. ડબલ્યુ. વૉટ્સનનું વૉટ્સન મ્યુઝિયમમાં આવેલું બાવલું અને ચિત્ર, લેંગ લાયબ્રેરીમાં આવેલું લૅગનું ચિત્ર, રાજકુમાર કોલેજમાં આવેલ પ્રિન્સિપાલ મેકનાટન, માયને વગેરેનાં બાવલાં અને રોજરસનનું ચિત્ર વગેરે તેમની સ્મૃતિરૂપે છે. વૉટ્સન મ્યુઝિયમમાં આવેલ રાણી વિક્ટોરિયાનું સફેદ આરસનું બાવલું અને મોરબીમાં આવેલ મણિમંદિરની સામે મૂકેલ રાણી વિક્ટોરિયાનું બાવલું ઉપરાંત ૧૯૦૧માં મોરબીમાં મુકાયેલ મુંબઈના પૂર્વ ગવર્નર લૉર્ડ રે નું બાવલું, જામનગરમાં મુકાયેલું તત્કાલીન હિન્દી વઝીર મોન્ટેગ્યનું બાવલું તથા સૌરાષ્ટ્રનાં અન્ય શહેરોમાં મુકાયેલાં અંગ્રેજ અફસરોના બાવલાં તેમની કામગીરીની સ્મૃતિ આજે પણ આપણને કરાવે છે. (૨૬) થી (૩૫) શૌર્ય કે મૃત્યુ લેખ :
કેટલાક અંગ્રેજ અમલદારોએ સૌરાષ્ટ્રના બહારવટિયાઓની સામેનાં ધીંગાણામાં પોતાના જાન ગુમાવ્યા હતા. તેના શૌર્યલેખ પણ પ્રાપ્ય છે; જેમ કે માળિયા મિયાણામાં વાલા નામોરી નામના બહારવટિયા સાથેની લડાઈમાં મૃત્યુ પામેલા લેફ. એચ. એલ. ગોર્ડનનો શૌર્યસ્મૃતિ લેખ લેંગ લાયબ્રેરીમાં છે. તેવી જ રીતે હાલ જામનગર જિલ્લામાં આવેલ માછરડા ગામમાં મૂળુ માણેક અને દેવા માણેક૨૮ વગેરે વાધેરો સાથેનાં ધીંગાણામાં હેન્રી હેબર્ટ અને ચાર્લ્સ લાસ નામના અંગ્રેજ અધિકારીઓ ૧૮૬૭માં મૃત્યુ પામ્યા. આ બંને અંગ્રેજ અમલદારોની કબરો માછરડા ગામની ટેકરી ઉપર છે. તેનો ઉલ્લેખ મેઘાણી ઝવેરચંદે પોતાના ગ્રંથ સોરઠી બહારવટિયા - ભાગ-૨ માં કરેલો છે. તેવી જ રીતે કર્નલ બેલેન્ટાઈનની કબર ઉપરનો લેખ પોરબંદરમાં આવેલો છે. તેવી જ રીતે રાજકોટમાં યુરોપિયન કબ્રસ્તાનમાં કર્નલ વૉટ્સન તથા પ્રિન્સિપાલ રોજરસનની કબર ઉપર આવેલ લેખ તથા યુરોપિયન પ્રોટેસ્ટંટ ચર્ચમાં આવેલ આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ કલસન, કાર્યવાહક પોલિ. એજન્ટ કર્નલ વિલિયમ સ્કોટ અને સેકન્ડ આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ કર્નલ જયોર્જ, કૅપ્ટન હેન્રી થોમસ હર્બર્ટ અને કેપ્ટન ચાર્લ્સ બ્લેટ વગેરેનાં સ્મરણાંજલી લેખ છે.૨૯ (૩૬) વિલિંગડન સેક્રેટરીએટ :
મોરબીને “સૌરાષ્ટ્રનું પેરિસ” બનાવનાર અને “સૌરાષ્ટ્રના શાહજહાં” તરીકે ઓળખાતા મોરબીના ઠાકોર વાઘજી બીજા (૧૮૭૦ થી ૧૯૨૨)એ રૂપિયા ૩૦ લાખ ખર્ચીને પોતાની સ્વરૂપવાન પ્રિયતમાં મણિ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ D ૯૩
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦૩ માં મૃત્યુ પામતાં તેમની સ્મૃતિમાં મણિ મંદિર તરીકે ઓળખાતી ભવ્ય ઇમારતનું બાંધકામ કર્યું હતું. તેના પુત્ર લખધીરજીએ રૂપિયા બે લાખ વધારે ખર્ચીને તે પૂર્ણ કર્યું હતું. પછીથી તેની આસપાસની જગ્યામાં રાજ્યની બધી કચેરીઓ રાખી ભારતના ગવર્નર જનરલ અને વાઇસરૉય લૉર્ડ વિલિંગડન (૧૯૩૧ થી ૧૯૩૬)ને ખુશ કરવા આ ઇમારતનું નામ વિલિંગડન સેક્રેટરીએટ રાખવામાં આવ્યું હતું.
(૩૭) થી (૩૮) વુડ હાઉસ ગેઇટ - લૉઇડ ગેઇટ :
મોરબીના વાઘજી ઠાકોરે પેરિસના પ્રવાસ પછી તેના એફિલ ટાવરથી પ્રભાવિત થઈને મોરબીની મુખ્ય બજારમાં એક ગેઇટ (દરવાજા) બનાવી ત્યાં લોખંડનું ટાવર બંધાવ્યું હતું. તત્કાલીન બ્રિટિશ અમલદાર વુડ હાઉસને ખુશ કરવા તેનું નામ ‘વુડ હાઉસ ગેઇટ' રાખવામાં આવ્યું હતું. તેવી જ રીતે મોરબીના લખધીરજીએ ૧૯૩૫માં બ્રિટિશ અધિકારી લૉઇડના નામ ઉપરથી લૉઇડ ગેઇટ બંધાવ્યો હતો.૩૦ (૩૯) અને (૪૦) પર્સિવલ ફુવારો અને પર્સિવલ શાક માર્કેટ :
ભાવનગરના રાજવી તખતસિંહજીની સગીરાવસ્થા દરમ્યાન મુંબઈના ગવર્નરે ગગા ઓઝા અને મુંબઈ પ્રેસિડેન્સીના શોલાપુરના મદદનીશ કલેક્ટર મિ. એડવર્ડ હોમ પર્સિવલનો સંયુક્ત વહીવટ સ્થાપ્યો હતો.” સંયુક્ત વહીવટનો આ પ્રયોગ મુંબઈ પ્રાંતમાં સૌપ્રથમ હતો. પર્સિવલે કરેલાં કાર્યોને પ્રજાએ પણ બિરદાવ્યાં હતાં અને પછીથી રાજ્યે ભાવનગરમાં તેમની સ્મૃતિમાં પર્સિવલ ફુવારો અને પર્સિવલ શાક માર્કેટ બંધાવ્યાં હતાં. ૨
(૪૧) ગવર્નર બજાર :
ભાવનગરમાં રાધનપુરી બજાર જે ખૂબ સાંકડી હતી તેને પહોળી બનાવવા માટેનાં કેટલાંક સૂચનો મુંબઈના તત્કાલીન ગવર્નર સર સિમોર ફીટ્ઝરાલ્ડે કરેલાં. તેથી આ નવી પહોળી કરાયેલી બજારનું નામ તેમને ખુશ કરવા ‘ગવર્નર બજાર' રાખવામાં આવ્યું હતું. ૩૩ (૪૨) પૉર્ટ આલ્બર્ટ વિક્ટર :
રાણી વિક્ટોરિયાના પૌત્ર પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર (શહેનશાહ પંચમ જ્યૉર્જના વડીલ બંધુ અને ડ્યૂક ઑફ ક્લેરેન્સ) ૧૮૯૦માં હિન્દની મુલાકાતે આવ્યા ત્યારે ભાવનગર આવતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમની ભાવનગર રાજ્યની મુલાકાતની સ્મૃતિમાં રાજુલા ગામ પાસેના પીપાવાવ ગામની ખાડી ઉપર એક નવું બંદર ખોલવાનું અને તેનું નામ ‘પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર પૉર્ટ' રાખવાનું જાહેર કરાયું હતું. આ નવું પૉર્ટ બાંધવાની કામગીરી નિષ્ઠાપૂર્વક ખૂબ પરિશ્રમ લઈને રાજ્યના એન્જિનિયર રિચાર્ડ પ્રૉક્ટર સિમ્સે બજાવી હતી.
આ બંદરમાં આજે પણ એક ઘર છે, જ્યાં રહીને સિમ્સે બંદરના બાંધકામની દેખરેખ રાખી હતી. પછીથી ૩૧-૫-૧૯૦૦ના રોજ ૫૦ વર્ષની ઉંમરે સિમ્સનું ત્યાં જ અવસાન થતાં તેની સ્મૃતિમાં પૉર્ટ વિક્ટરમાં તેની કબર બંધાવી તેના ઉપર સ્મૃતિલેખ કોતરવામાં આવ્યો છે.૭૪ (૪૩) અને (૪૪) પીલ ગાર્ડન અને વિક્ટોરિયા પાર્ક :
જે. બી. પીલ મહારાજા તખતસિંહજી અને દીવાન શામળદાસ મહેતાના સારા મિત્ર હતા. તે ૧૮૭૪ થી ૧૮૭૮ દરમ્યાન સૌરાષ્ટ્રમાં પોલિટિકલ એજન્ટ રહ્યા હતા. તેમના નામ ઉપરથી ભાવનગરના મહારાજાએ ભાવનગરમાં પીલ ગાર્ડન (હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ક) નામનો બગીચો બનાવ્યો હતો.૫ તેવી જ રીતે મહારાજા ભાવસિંહજી બીજા(૧૮૯૬ થી ૧૯૧૯)ના સમયમાં વિક્ટોરિયા પાર્ક નામના અભયારણ્યનો વિકાસ કરવામાં આવ્યો હતો અને એ રીતે પર્યાવરણની જાળવણી કરવાના પ્રયત્નો કરાયા હતા તે પ્રશંસનીય હતા.
સૌરાષ્ટ્રમાં અંગ્રેજોનાં યાદગીરીરૂપ સ્મારકો
For Private and Personal Use Only
૯૪
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫) અને (૪૯) ઇર્વિન સર્કલ અને ઈર્વિન હૉસ્પિટલ
જામનગરના રાજવી રણજિતસિંહ (૧૯૦૭ થી ૧૯૩૩)ના શાસન દરમ્યાન તત્કાલીન વાઇસરૉય અને ગવર્નર જનરલ ઇર્વિનને ખુશ કરવા અને પછીના વાઇસરોય વિલિંગડનને ખુશ કરવા દરબારગઢ પાસે વિલિંગડન કેસન્ટ અને ઇર્વિન સર્કલનાં બાંધકામ કરાયાં હતાં.૩૭ તે પૂર્વે ૧૮૭૫માં વિભાજી બીજાએ વુડ હાઉસ શાક માર્કેટ અને હોસ્પિટલનો પાયો નાખ્યો હતો. વુડ હાઉસ તે સમયે મુંબઈના ગવર્નર હતા. ૨૮ જામ રણજિતસિંહે ઈ.સ. ૧૯૩૩માં રૂપિયા ૬ લાખના ખર્ચે ઇર્વિન હોસ્પિટલ બંધાવી હતી. તે હાલ ગુરુગોવિંદસિંહ હૉસ્પિટલ તરીકે ઓળખાય છે. વળી તે એમ. પી. શાહ મેડિકલ કોલેજ સાથે સંકળાયેલ છે. (૪૭) લેડી હાર્ડિન્જ કન્યા વિદ્યાલય :
જામનગરમાં હાલ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ તરીકે ઓળખાતું વિદ્યાલય લેડી હાર્ડિન્જ ગર્લ્સ સ્કૂલ નામથી શરૂ કરાયેલ હતું. તેનું મકાન રાજમહેલ જેવું બંધાવાયેલ હતું.” (૪૮) અને (૪૯) રીડિંગ ગ્રેઇન માર્કેટ અને ચેમ્સફોર્ડ વેજીટેબલ માર્કેટ :
જામસાહેબ દિગ્વિજયસિંહજીએ ૧૯૩૪માં રીડિંગ ગ્રેઇન માર્કેટ અને ચેમ્સફોર્ડ વેજીટેબલ માર્કેટ (હાલમાં સુભાષ માર્કેટ) બંધાવ્યાં હતાં, શાક માર્કેટના પ્રવેશદ્વારની સામે હિંદી વઝીર લૉર્ડ મોન્ટેગ્યુનું પૂતળું ૧૯રપમાં મુકાવ્યું હતું. તે ૧૯૬૭માં હટાવી લેવાયું હતું.' (૫૦) થી (૫૫) અન્ય શહેરોમાં :
સૌરાષ્ટ્રનાં રાજકોટ, ભાવનગર, જામનગર અને મોરબી સિવાયનાં શહેરોમાં પણ અંગ્રેજોની યાદગીરીરૂપ કેટલાંક સ્મારકો આવેલાં છે. જેમકે લીંબડીનું વુડ હાઉસ શાક માર્કેટ, જૂનાગઢનો આલ્બર્ટ વિક્ટર અનાથાશ્રમ, જૂનાગઢમાં આવેલ વિલિંગડન ડેમ અને પાલીતાણાની હેરિસ હાઈસ્કૂલ, પોરબંદરમાં આવેલ મેકોનીકી ક્રિકેટ ક્લબ અને વિક્ટોરિયા જ્યુબિલી મદ્રેસા (૧૮૮૭) અને બેલેન્ટાઇનનો કબર લેખ વગેરે ૪૨
સૌરાષ્ટ્ર ર૨૨ દેશી રાજયોનો પ્રદેશ હતો. તેમાં મુખ્ય અને મહત્ત્વનાં એવાં સલામી રાજ્યોમાં બ્રિટિશ શાસન દરમ્યાનનાં ૧૨૭ વર્ષો (૧૮૨૦-૧૯૪૭) દરમ્યાન વિવિધ અંગ્રેજ અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવીને તેમને ખુશ કરવા, રાજયોએ શાળાઓ, મદ્રેસા, કૉલેજો, ફુવારા, હોસ્પિટલ, માર્કેટ, મ્યુઝિયમ, લાયબ્રેરી, ડેમ, પુલ, બગીચા કે પાર્ક, પોર્ટ (બંદર), ગેટ (દરવાજ), હોલ (સભાખંડ), બાવલા, ચિત્ર, ક્લબ, સેક્રેટરીએટ, શૌર્ય સ્મારકો તથા કેબર લેખ બંધાવ્યાં હતાં. આ સ્મારકોમાં અંગ્રેજોની યાદગીરી જળવાઈ રહી છે. રાજવીઓએ ભલે ખુશામત માટે આ સ્મારકો ઊભાં કર્યા હોય પણ તેમ છતાં તેમાંથી તત્કાલીન ઇતિહાસ મેળવવાના સાધન તરીકે તેનું મહત્ત્વ અમૂલ્ય છે. એ રીતે આ સ્મારકોને સૌરાષ્ટ્રનો ઇતિહાસ જાણવાના અને તત્કાલીન રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ પ્રતિબિંબિત કરતા મહત્ત્વના આધારસ્તંભો ગણાવી શકાય. બધાં જ સ્મારકો એ સત્તાધીશોને ખુશ કરવા માટેનાં જ નથી. પરંતુ તેમાંથી કેટલાંક તો તેમણે કરેલી સૌરાષ્ટ્રની પ્રજાની અનન્ય સેવા માટે નોંધપાત્ર સ્મારક સંપુટ છે; જેમકે વોટ્સન મ્યુઝિયમ, લેંગ લાયબ્રેરી, બાર્ટન લાયબ્રેરી અને મ્યુઝિયમ, આફ્રેડ હાઈસ્કૂલ, રાજકુમાર કોલેજ વગેરે. તેથી એમ કહી શકાય કે ઉપર દર્શાવેલા સૌરાષ્ટ્રમાં આવેલાં અંગ્રેજોની યાદગીરીરૂપ સ્મારકો સૌરાષ્ટ્રના ઇતિહાસનાં સાધનોમાં મુગટમણિ સમાન છે અને એ ક્ષેત્રે સંશોધનને હજુ ઘણો અવકાશ છે.
સંદર્ભો ૧, ડૉ. જાની, એસ. વી. – “સૌરાષ્ટ્રનો ઇતિહાસ', અમદાવાદ-૨03, પૃ. ૧૦૯
| ‘અમરેલી ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર' (અંગ્રેજીમાં) – અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૬૦૫ ૩. એજન, પૃ. ૫૪૫ ૪. ઠક્કર, પ્રવીણા – “ગુજરાતનો સી કેળવણીનો ઇતિહાસ', અમદાવાદ, ૧૯૭૯, પૃ. ૩
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n લ્પ
...
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. “નિરંતરા”, લેંગ લાયબ્રેરી સવા શતાબ્દી ઉજવણી વર્ષ, રાજકોટ, ૧૯૮૨, પૃ. ૬ ૬. ડૉ. જાની, એસ. વી. - પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૩૮૦
રાજકોટ જિલ્લા સર્વ સંગ્રહ, ગાંધીનગર, ૨૦૦૧, પૃ. ૫૭૧ ૮. ડૉ. જાની, એસ. વી. – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૩૭૬ ૯. આફ્રેડ હાઈસ્કૂલ શતાબ્દી ગ્રંથ, રાજકોટ, ૧૯૭૧, પૃ. ૪ થી ૯ ૧૦. ડૉ. જાની, એસ. વી. – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૩૯૦ ૧૧. રાજકુમાર કોલેજમાં આવેલ શિલાલેખ ૧૨. ત્રિવેદી, અભિજ્ઞા – “રાજકોટની રાજકુમાર કૉલેજનું શિક્ષણ અને અન્ય ક્ષેત્રે પ્રદાન” એમ.ફિલ.નો લઘુશોધ નિબંધ, સૌ.
યુનિ., ૧૯૯૦, રાજકોટ, પૃ. ૨૦૮ ૧૩. “નિરંતરા’ – પૂર્વોક્ત પુસ્તક, પૃ. ૬૫ થી ૬૮ ૧૪. લેંગ લાયબ્રેરી ૧૨૬ મો વાર્ષિક અહેવાલ – રાજકોટ, ૧૯૮૨, આમુખ તથા પૃ. ૪ થી ૯ અને ૨૧. ૧૫. ડૉ. જાની એસ. વી. – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૩૭૬ ૧૬. ડૉ. કોરાટ, ડૉ. જાની અને ડૉ. ભાલ (સંપા.) – ‘ભાવનગર રાજ્યનો ઈતિહાસ', અમદાવાદ, ૧૯૯૫, પૃ. ૨૭૩ ૧૭, ‘ભાવનગર ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર' (અંગ્રેજીમાં) – અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૫૨૪ ૧૮. એજન ૧૯. વૉટ્સન, જે. ડબલ્યુ.ના પુસ્તકનો ગુજરાતી અનુવાદ – “કાઠિયાવાડ સર્વ સંગ્રહ', મુંબઈ, ૧૮૮૬, અનુક્રમણિકા તથા પૃ.
૧-૨ ૨૦. ચિતલવાલા, વાય. એમ.નો લેખ – ‘કર્નલ વન”, “નવનીત સમર્પણ”, મુંબઈ, માર્ચ-૨૦૦૧, પૃ. ૫૮૪ ૨૧. ડૉ. માણેક, કલ્પા એ.નો લેખ – “વૉટ્સન મ્યુઝિયમ' “પથિક” – ઑક્ટો.- ડિસે. ૨૦૦૩, મ્યુઝિયમ વિશેષાંક,
અમદાવાદ, પૃ. ૧૪૭ ૨૨. ‘રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ’ – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૫૭૨ ૨૩, ડૉ. જાની એસ. વી. – પૂર્વોક્ત પુસ્તક, પૃ. ૨૧૪ ૨૪. પલાણ અને તૈયારેલા – “કે. કા. શાસ્ત્રી ગ્વાલગ્રંથ", પોરબંદર, ૧૯૮૧, પૃ. ૨૬૭ ૨૫. ડૉ. જાની, એસ. વી. – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૨૪૧ ૨૬. ડૉ. જાનીનો લેખ – “વિદ્યા”નો અંક, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ઑગસ્ટ-૧૯૮૧, પૃ. ૧૧૩ ૨૭. બેલ, વિન્ફરફોર્સ – ‘હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ' (અંગ્રેજીમાં), દિલ્હી, ૧૯૮૦, પૃ. ૨૫૫ ૨૮, મેધાણી, ઝવેરચંદ – ‘સોરઠી બહારવટિયા” ભાગ-૨, ભાવનગર, ૧૯૮૧, પૃ. ૧૭૯ થી ૧૮૪ ૨૯. ‘વાલગ્રંથ' – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૨૭૮-૨૭૯ ૩૦. જાની, એસ. વી. – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૨૪૨ અને ૨૪૭ ૩૧, ઝાલા, ભાલ અને કોરાટ (સંપા.) – ‘ભાવનગર ક્ષેત્રની અસ્મિતા' ગ્રંથ ૧, ભાવનગર, ૧૯૮૮, પૃ. ૮૪ ૩૨, મહેતા, કો. વી. - “શ્રીમાન ગૌરીશંકર ઉ. ઓઝાનું જીવનચરિત્ર', જૂનાગઢ, ૧૯૦૩, પૃ. ૨૭૯ અને ૨૮૦ ૩૩. કોરાટ, જાની, અને ભાલ (સંપા.) – પૂર્વોક્ત ગ્રંથ – પૃ. ૯૧ ૩૪. અમરેલી ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર (અંગ્રેજીમાં) – પૂર્વોક્ત, પૃ. ૨૭ ૩૫. ડૉ. જાની, એસ. વી. – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૩૯૪ ૩૬. કોરાટ, જાની, ભાલ (સંપા.) – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૧૧૮ ૩૭, માધવાણી, રતિલાલ – ‘જામનગરની યશગાથા', જામનગર, ૧૯૮૩, પૃ. ૧૮ ૩૮. રત્ન, માવદાનજી – “યદુવંશ પ્રકાશ’, જામનગર, ૧૯૩૪, પૃ. ૩૨૭ ૩૯, જાની, એસ. વી. – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૨૦૧ ૪૦. માધવાણી, રતિલાલ – પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૩૦ ૪૧. એજન, પૃ. ૮૫-૮૭-૯૩ ૪૨. વોરા, મણિભાઈ – ‘પોરબંદર', પોરબંદર, ૧૯૯૬, પૃ. ૩૨
સૌરાષ્ટ્રમાં અંગ્રેજોનાં યાદગીરીરૂપ સ્મારકો n ૯૬
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો, પરિબળો અને પ્રભાવ* (ઈ.સ. ૧૮૫૮ - ઈ.સ. ૧૯૪૮)
પ્રા. ડૉ. એસ. વી. જાની* ભારતમાં સ્વતંત્રતા પૂર્વે કુલ પદર દેશી રજવાડાં હતાં. તેમાંથી ૨૨૨ દેશી રાજયો તો સૌરાષ્ટ્ર પ્રદેશમાં હતાં. પુરાણપ્રસિદ્ધ સૌરાષ્ટ્રનો પ્રદેશ મરાઠાઓના આક્રમણના સમયથી સ્વતંત્રતા સુધી “કાઠિયાવાડ” નામથી
ઓળખાતો હતો. ૧૯૪૭-૪૮માં સૌરાષ્ટ્રનાં ૨૨૨ રાજ્યોમાં ૧૪ સલામી, ૧૭ બિનસલામી અને ૧૯૧ અન્ય રાજ્યોનો સમાવેશ થતો હતો. તેનું ક્ષેત્રફળ લગભગ ૬૫ હજાર ચો.કિ.મી. અને વસ્તી ૩૬ લાખ હતી. આ રાજયો સામાજિક પ્રતિષ્ઠા, માન-મરતબો અને વિશેષાધિકારોની દષ્ટિએ વિવિધ પ્રકારની સત્તા અને સ્વાયતત્તા ભોગવતાં હતાં. બધાં રાજયોમાં અધિકાર એક સમાન ન હતા, અમુક રાજ્યોને અમર્યાદિત સત્તાઓ અને અમુકને મર્યાદિત સત્તાઓ હતી, તો કેટલાકને નહિવત્ સત્તા હતી. આમ ઈતિહાસમાં જેનો જોટો ન મળી શકે તેવું રાજકીય વિભાજન અહીં જોવા મળતું હતું.'
ઓગણીસમી સદીના પ્રારંભે ઈ.સ. ૧૮૦૭માં થયેલ વોકર કરારને પરિણામે સૌરાષ્ટ્રમાં ત્રાસદાયક મરાઠા મુલુકગીરી ચડાઈઓનો તથા આંતરિક અશાંતિનો સંપૂર્ણ અંત આવ્યો. આમ ૧૮૦૭-૦૮નું વર્ષ સૌરાષ્ટ્રમાં શાંતિના એક નવા યુગનો પ્રારંભ સૂચવે છે. મહમદ ગઝનીના ૧૧મી સદીમાં થયેલા સોમનાથ ઉપરનાં આક્રમણ પછીનાં લગભગ આઠસો વર્ષ પછી સૌરાષ્ટ્ર શાંતિના નવા યુગનો અનુભવ કર્યો. ત્યાર પછી ઈ.સ. ૧૮૨૦માં વડોદરાના ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી પોતાની ખંડણી ઉઘરાવવાનો હક્ક બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપનીને સોંપી દીધો. ત્યાર પછી જૂનાગઢ રાજયે પણ પોતાની જોરતલબી ઉઘરાવવાનું કામ અંગ્રેજોને સોંપી દીધું. આમ ઈ.સ. ૧૮૨૦ થી સૌરાષ્ટ્રમાં ગાયકવાડ સરકાર જે સર્વોચ્ચ સત્તા ભોગવતી હતી તે બ્રિટિશ સરકારના હાથમાં આવી. બ્રિટિશ સરકારે ૧૮૨૦માં રાજકોટમાં બ્રિટિશ એજન્સી (કોઠી)ની સ્થાપના કરી. બ્રિટિશ એજન્સીએ સૌરાષ્ટ્રમાં સુલેહશાંતિ જાળવવામાં, વિદ્રોહો શમાવી દેવામાં તથા પરસ્પરના ઝઘડાઓ પતાવી દેવામાં ખૂબ જાગૃતિ દાખવી હતી. આમ ૧૮૨૦ પૂર્વે જે પ્રદેશમાં અંધાધૂંધી અને અવ્યવસ્થા પ્રવર્તતી હતી ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની ઉષા પ્રગટી હતી.'
આમ, ઓગણીસમી સદીના પ્રારંભે સૌરાષ્ટ્રમાં રાજકીય સત્તામાં પરિવર્તન થયું. દેશી રાજ્યોમાં રાજવીઓ પોતાના આંતરિક વહીવટમાં પહેલાંની જેમજ સ્વાયત્તતા ભોગવતા રહ્યા, પરંતુ તેમના બાહ્ય સંબંધો ઉપર નિયંત્રણો આવ્યાં. કારણ કે બ્રિટિશ સત્તા હવે સૌરાષ્ટ્રમાં સર્વોપરિ બની હતી. ૧૮૨૦ થી ૧૯૪૭ સુધીના બ્રિટિશ સત્તાના સર્વોપરિ પદ હેઠળના સમયમાં સૌરાષ્ટ્રમાં એક પણ યુદ્ધ લડાયું ન હતું. આમ સત્તામાં પરિવર્તન સાથે જ આંતરિક શાંતિ અને બાહ્ય સલામતીનો સૌરાષ્ટ્ર અનુભવ કર્યો. વળી બ્રિટિશ સત્તા ઉપર પણ ૧૯મી સદીમાં તત્કાલીન યુરોપિયન ઉદારવાદ અને સુધારાવાદની અસર થઈ હતી. ભારતમાં પણ ઓગણીસમી સદી સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રે સુધારાનો સમય ગણાય છે. વળી શાંતિ સ્થપાતાં સૌરાષ્ટ્રનાં રાજયોમાં પણ બ્રિટિશ સત્તાના પ્રભાવ હેઠળ સુધારા કરવા અંગે સંચાર થયો. ૧૮૦૭ થી ૧૮૫૭ના ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રભાવ હેઠળના સમયમાં સામાજિક કે આર્થિક ક્ષેત્રે નહિવત્ પ્રગતિ થઈ હતી. છતાં તે રીતે સૌરાષ્ટ્રના વિકાસની પૂર્વભૂમિકા રચાઈ. સૌરાષ્ટ્ર બહારના અનેક પ્રદેશો સાથે સંપર્કમાં આવતાં સાંસ્કૃતિક ક્ષેત્રે નવા પ્રવાહોની * સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૬-૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ યોજાયેલા રાષ્ટ્રીય સેમિનારમાં રજૂ કરેલ સંશોધન
લેખ, + નિવૃત્ત પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઈતિહાસ અનુસ્નાતક વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો,.. ૯૭
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરૂઆત થઈ.
આમ ૧૮૨૦ થી ૧૮૫૭ સુધીના બ્રિટિશ કંપનીના શાસનની અસર જરૂર થઈ, પરંતુ તે ખાસ પ્રભાવક ન હતી. પરંતુ ૧૮૫૮માં તાજનું શાસન સ્થપાયા પછી બ્રિટિશ સરકારની વહીવટી નીતિમાં પણ પરિવર્તન આવ્યું અને તેમણે “પ્રજાકલ્યાણ'ની નીતિ અપનાવી. સાથે સાથે તેમણે સૌરાષ્ટ્રના રાજવીઓને પણ તેની નીતિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા. આમ સૌરાષ્ટ્રમાં રાજકીય સત્તાના પરિવર્તનના પરોક્ષ પરિણામે સૌરાષ્ટ્રના રાજયોમાં સામાજિક અને આર્થિક ક્ષેત્રે વિકાસવાદી નીતિનો પ્રારંભ થયો અને સૌરાષ્ટ્રના ઉદારવાદી, પ્રગતિશીલ રાજવીઓએ પોતાના રાજયના સામાજિક અને આર્થિક ક્ષેત્રે રહેલા પ્રશ્નોના નિરાકરણ માટેનાં પગલાં લઈ આધુનિકીકરણના પંથે સંચરણ કર્યું.
ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં સૌરાષ્ટ્રમાં જાડેજા, જેઠવા, સુમરા વગેરેમાં દીકરીને દૂધ પીતી કરવાની અમાનવીય પ્રથા પ્રચલિત હતી. તેને નાબૂદ કરવામાં કર્નલ વૉકર, જે. પી. વિલોબી, કર્નલ લેંગ, કર્નલ જેકબ અને માલેટ જેવા અંગ્રેજ અમલદારોએ તથા જૂનાગઢના દીવાન રણછોડજી જેવાએ મહત્ત્વની કામગીરી બજાવી હતી. ગુજરાતના આદ્ય સુધારક એવા સ્વામી સહજાનંદે પણ દૂધ પીતી કરવાની પદ્ધતિનો વિરોધ કરી તેને ત્રિ હત્યા (સગાંની, બાળકની અને સ્ત્રીની હત્યા) કહી હતી. તેમણે સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો. ઉપરાંત સમાજમાં નીચલી, હલકી અને પછાત ગણાતી અનેક જ્ઞાતિઓને સામાજિક તથા ધાર્મિક દૂષણોમાંથી મુક્ત કરી તેમણે એક ક્રાંતિકારી સમાજસુધારકની કામગીરી બજાવી હતી."
૧૮૫૮ થી ૧૯૪૮નાં વર્ષો દરમ્યાન સૌરાષ્ટ્રના સમાજજીવનમાં અનેક દૂષણો પ્રવર્તતાં હતાં. ઓગણીસમી સદીમાં આંતરજ્ઞાતીય સંબંધો ઘણાં જ રૂઢિચુસ્ત હતા. જ્ઞાતિઓની વચ્ચે આંતરજ્ઞાતિય ભોજન કે લગ્ન અંગે અત્યંત કડક પ્રતિબંધો હતા. હિંદુઓ-હિંદુઓ વચ્ચે કે હિંદુ-મુસ્લિમો વચ્ચે આ અંગે અત્યંત જુનવાણી ખ્યાલો પ્રવર્તતા હતા. જ્ઞાતિના આ નિયમોનો ભંગ કરનારને જ્ઞાતિબહિષ્કૃત કરવામાં આવતા હતા અને તેમની ઉપેક્ષા કરવામાં આવતી. પરંતુ વીસમી સદીના પૂર્વાર્ધમાં શિક્ષણના પ્રસાર, પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ અને રાષ્ટ્રીય ચળવળને પરિણામે આંતરજ્ઞાતીય ભોજન અંગેની માન્યતામાં થોડું પરિવર્તન આવ્યું હતું, પરંતુ આંતરજ્ઞાતિય લગ્ન તો અપવાદ રૂપે જ થતાં અને તે સમાજને ઓછાં સ્વીકાર્ય બનતાં.
વળી સમાજમાં સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દીવાલો વચ્ચે હતું. “જે કન્યા ભણે તે વિધવા થાય તેવી એક માન્યતા પ્રચલિત હતી. પરંતુ વીસમી સદીમાં એ માન્યતાનું ખંડન કરીને આધુનિક શિક્ષણ લેનાર મા-બાપોએ પોતાની કન્યાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. શિક્ષિત સ્ત્રીઓ શિક્ષિકા કે નર્મનો વ્યવસાય કરતી થઈ. પરંતુ રાષ્ટ્રીય ચળવળના વિકાસની સાથે સૌરાષ્ટ્રની કેટલીક સ્ત્રીઓએ તેમાં પોતાના પિતા, પતિ, ભાઈ કે પુત્રની સાથે ભાગ લીધો હતો. દારૂના પીઠાં ઉપર કે પરદેશી કાપડની દુકાનો ઉપર પિકેટિંગમાં તે જોડાતી અને લાઠીમાર પણ સહન કરતી હતી. પરંતુ સમાજમાં બાળલગ્ન પ્રથા પ્રચલિત હતી અને વિધવા વિવાહ ઉપર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી. કેટલીક જ્ઞાતિઓમાં દૂધ પીતીની પ્રથા પ્રચલિત હતી. વીસમી સદીમાં સતીપ્રથા નાબૂદ થઈ ગયેલી જોવા મળે છે. પરંતુ કોઈ જ્ઞાતિમાં પૂર્વે કોઈ સ્ત્રી સતી થઈ હોય તો તેની પૂજા સતીમા તરીકે થતી હતી. રાજવીઓ અને ધનિક વર્ગમાં બહુપત્ની પ્રથા પ્રચલિત હતી. જામનગરના રાજવી વિભાજીને ૨૪ રાણીઓ હતી, એકથી વધુ પત્ની હોવાનું પ્રતિષ્ઠામૂલક ગણાતું. તેથી કેટલાક સમૃદ્ધ ખેડૂતો પ્રતિષ્ઠા દર્શાવવા એકથી વધુ પત્ની કરતા. દહેજ પ્રથા પ્રચલિત હતી. મુસ્લિમોમાં તલાક પ્રથા હતી. હિંદુઓમાં ઉચ્ચારોમાં છૂટાછેડા થતા ન હતા. પરંતુ ઉદ્યોગોના વિકાસની સાથે સ્ત્રીઓ પણ કારખાનામાં કામ કરવા લાગી હતી. તો ગોંડલ અને ભાવનગરનાં મહારાણી નંદકુંવરબાએ પરદેશનો પ્રવાસ કર્યો હતો અને સ્ત્રીઓના વિકાસ માટે પ્રયાસો કર્યા હતા. પરણ (લગ્ન) કે મરણ પ્રસંગે મોટા જમણવાર કરવાની પ્રથા હતી. રાજપૂત વર્ગમાં અફીણના વપરાશ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૯૮
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૫૨થી અને ઉપલા વર્ણમાં ઘીના વપરાશના પ્રમાણ ઉપરથી તેમની મોટાઈનું મૂલ્યાંકન કરાતું હતું. દારૂ પીવાનું અમુક વર્ગ પૂરતું મર્યાદિત હતું. પરંતુ પછીથી કેટલાંક પ્રગતિશીલ રાજ્યોએ દારૂબંધી ફરમાવી હતી.
હોકો, ચલમ કે બીડી પીવાનાં વ્યસનો પણ હતાં. પરંતુ પછીથી તો તેમાં ગાંજાનો ઉપયોગ શરૂ થયો હતો. જુગાર પણ રમાતો હતો. જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન વરસમાં એક વાર જુગાર રમવાને સમાજમાં ખરાબ ગણવામાં આવતો નહિ. ૧૯૩૮માં રાજકોટ રાજ્યે આ તહેવાર ઉપર જાહેર જુગા૨ ૨મવા માટેનું કેન્દ્ર ખોલવાની પરવાનગી આપતાં, રાજકોટની પ્રજાએ તેનો વિરોધ કરી સત્યાગ્રહ કર્યો હતો. વેશ્યાવૃત્તિ જાહેરમાં જોવા મળતી ન હતી, પરંતુ શહેરમાં તે છાનેછપને ચાલતી હતી. ઉપરાંત અંધશ્રદ્ધા, વહેમો, ગ્રામ સમાજમાં વિશેષ હતાં. દોરા, ધાગા, મંત્ર, તંત્ર, ડાકલાં, ભૂવા વગેરેનો પ્રભાવ હતો. અસ્પૃશ્યતાની ભાવના પ્રબળ હતી. પરંતુ શિક્ષણના પ્રસાર અને રાષ્ટ્રીય ચળવળના પ્રભાવને કારણે આ બધાં દૂષણોની પકડ ઢીલી પડી હતી.
સૌરાષ્ટ્રમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં તથા વીસમી સદીના પૂર્વાર્ધમાં ૧૮૫૮ થી ૧૯૪૮ ના ૯૦ વર્ષના ગાળામાં સામાજિક ક્ષેત્રે ઘણાં દૂષણો પ્રવર્તતાં હતાં. આ ગાળામાં વિશ્વમાં તથા ભારતમાં થયેલ સુધારાની ચળવળની અસર સૌરાષ્ટ્રમાં પણ થઈ હતી. તેમાં પણ કેટલાક પ્રગતિશીલ ઉદારવાદી રાજવીઓ, કેટલાક દીવાનો, બ્રિટિશ એજન્સી સાથે સંકળાયેલા કેટલાક ગુજરાતી અમલદારો, કેટલીક બિન-સરકારી સંસ્થાઓ તથા કેટલાંક વૃત્તપત્રો કે સામયિકોના સંયુક્ત પ્રયત્નોના પ્રભાવ સ્વરૂપે સમાજમાં જાગૃતિ આવી હતી. શિક્ષણ પામેલા શહેરીજનો જૂનાં રૂઢિબંધનો અને અંધવિશ્વાસો તથા વહેમોને તિલાંજલી આપી નૂતન સમાજના સર્જનમાં સહયોગી બનવા પ્રેરાયા હતા. બ્રિટિશ એજન્સીના વહીવટકર્તાઓ પણ આવી સુધારક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા હતા. ભાવનગરના તખતસિંહજી અને ભાવસિંહજી-બીજા, રાજકોટના લાખાજીરાજ, ગોંડલના ભગવતસિંહજી, પોરબંદરના નટવરસિંહજી, મોરબીના વાઘજી જેવા રાજવીઓ; ગંગા ઓઝા, પ્રભાશંકર પટ્ટણી, ગોકળજી ઝાલા, કબા ગાંધી, કરસનદાસ મૂળજી જેવા દીવાનો; દુર્ગારામ મહેતા, મણિશંકર કીકાણી, હરગોવિંદદાસ કાંટાવાલા, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, કવિ નાનાલાલ જેવા એજન્સીના અધિકારીઓ તથા અનેક બિન-સરકારી સંસ્થાઓ અને સામયિકો કે વૃત્તપત્રોએ સમાજસુધારાના કાર્યમાં પોતાનું યોગદાન આપી તેમાં સફળતા મેળવી હતી.
૧૮૭૦-૭૧માં રાજકોટમાં રાજકુમાર કૉલેજની સ્થાપના સાથે જ સૌરાષ્ટ્રમાં આધુનિક યુગનો પ્રારંભ થયો તેમ કહી શકાય. પ્રારંભમાં ચાર વર્ષ સુધી 'કિંગ કૉલેજ' તરીકે ઓળખાતી રાજકુમાર કૉલેજ પરોક્ષ રીતે સૌરાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રે સુધારાનો મશાલચી બની. તેમાં અભ્યાસ કરીને રાજવી બનેલાઓએ પોતાના રાજ્યમાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સુધારા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, આમ આ સંસ્થાએ એક જ્યોત પ્રગટાવી જેનાથી સૌરાષ્ટ્રના રાજા તથા પ્રજાનાં અંધવિશ્વાસ,વહેમ, રૂઢિનાં બંધનો, સામાજિક કુરિવાજો જેવા દૂષણોરૂપી અંધકારને દૂર કરી શકાયો. તે રીતે તેણે સૌરાષ્ટ્રના સામાજિક તથા આર્થિક ઉત્થાનમાં નોંધપાત્ર પ્રાન કર્યું હતું.
પશ્ચિમ ભારતમાં સામાજિક ક્ષેત્રે સુધારા માટેના પ્રયત્ન સૌપ્રથમ મુંબઈમાં અને પછીથી સુરત અને અમદાવાદમાં થયા હતા. તે માટે ૧૮૪૪માં સુરતમાં માનવધર્મસભા અને ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત બર્નાક્યુલર સોસાયટી સ્થપાઈ હતી. સૌરાષ્ટ્રમાં સુધારાનાં મુખ્ય કેન્દ્ર રાજકોટ અને જૂનાગઢ હતાં. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ શાસનની સ્થાપનાને પગલે સામાજિક ક્ષેત્રે સુધારાનું વાતાવરણ સર્જાયું હતું. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ વહીવટતંત્રમાં અથવા દેશી રાજ્યોમાં મહત્ત્વના હોદ્દા ધરાવતા બ્રિટિશ અમલદારો તથા હિંદી અમલદારોએ આ ક્ષેત્રે પહેલ ફરી હતી. સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાની ચળવળના મુખ્ય પ્રણેતા હતા - જૂનાગઢના મણિશંકર કીકાણી. તેઓ ૧૩૪ થી ૧૮૭૪નાં ૪૦ વર્ષ દરમ્યાન રાજકોટમાં સ્થપાયેલ બ્રિટિશ એજન્સીમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહ્યા
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો,... ા ૯૯
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરથી અને ઉપલા વર્ણમાં ઘીના વપરાશના પ્રમાણ ઉપરથી તેમની મોટાઈનું મૂલ્યાંકન કરાતું હતું. દારૂ પીવાનું અમુક વર્ગ પૂરતું મર્યાદિત હતું. પરંતુ પછીથી કેટલાંક પ્રગતિશીલ રાજ્યોએ દારૂબંધી ફરમાવી હતી.
હોકો, ચલમ કે બીડી પીવાનાં વ્યસનો પણ હતાં. પરંતુ પછીથી તો તેમાં ગાંજાનો ઉપયોગ શરૂ થયો હતો. જુગાર પણ રમાતો હતો. જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન વરસમાં એક વાર જુગાર રમવાને સમાજમાં ખરાબ ગણવામાં આવતો નહિ. ૧૯૩૮માં રાજકોટ રાજ્ય આ તહેવાર ઉપર જાહેર જુગાર રમવા માટેનું કેન્દ્ર ખોલવાની પરવાનગી આપતાં, રાજકોટની પ્રજાએ તેનો વિરોધ કરી સત્યાગ્રહ કર્યો હતો. વેશ્યાવૃત્તિ જાહેરમાં જોવા મળતી ન હતી, પરંતુ શહેરમાં તે છાનેછપને ચાલતી હતી. ઉપરાંત અંધશ્રદ્ધા, વહેમો, ગ્રામ સમાજમાં વિશેષ હતાં. દોરા, ધાગા, મંત્ર, તંત્ર, ડાકલાં, ભૂવા વગેરેનો પ્રભાવ હતો. અસ્પૃશ્યતાની ભાવના પ્રબળ હતી. પરંતુ શિક્ષણના પ્રસાર અને રાષ્ટ્રીય ચળવળના પ્રભાવને કારણે આ બધાં દૂષણોની પકડ ઢીલી પડી હતી.
સૌરાષ્ટ્રમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં તથા વીસમી સદીના પૂર્વાર્ધમાં ૧૮૫૮ થી ૧૯૪૮ ના ૯૦ વર્ષના ગાળામાં સામાજિક ક્ષેત્રે ઘણાં દૂષણો પ્રવર્તતાં હતાં. આ ગાળામાં વિશ્વમાં તથા ભારતમાં થયેલ સુધારાની ચળવળની અસર સૌરાષ્ટ્રમાં પણ થઈ હતી. તેમાં પણ કેટલાક પ્રગતિશીલ ઉદારવાદી રાજવીઓ, કેટલાક દિવાનો, બ્રિટિશ એજન્સી સાથે સંકળાયેલા કેટલાક ગુજરાતી અમલદારો, કેટલીક બિન-સરકારી સંસ્થાઓ તથા કેટલાંક વૃત્તપત્રો કે સામયિકોના સંયુક્ત પ્રયત્નોના પ્રભાવ સ્વરૂપે સમાજમાં જાગૃતિ આવી હતી. શિક્ષણ પામેલા શહેરીજનો જૂનાં રૂઢિબંધનો અને અંધવિશ્વાસો તથા વહેમોને તિલાંજલી આપી નૂતન સમાજના સર્જનમાં સહયોગી બનવા પ્રેરાયા હતા. બ્રિટિશ એજન્સીના વહીવટકર્તાઓ પણ આવી સુધારક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા હતા. ભાવનગરના તખતસિંહજી અને ભાવસિંહજી-બીજા, રાજકોટના લાખાજીરાજ, ગોંડલના ભગવતસિંહજી, પોરબંદરના નટવરસિંહજી, મોરબીના વાઘજી જેવા રાજવીઓ; ગંગા ઓઝા, પ્રભાશંકર પટ્ટણી, ગોકળજી ઝાલા, કબા ગાંધી, કરસનદાસ મૂળજી જેવા દીવાનો; દુર્ગારામ મહેતા, મણિશંકર કીકાણી, હરગોવિંદદાસ કાંટાવાલા, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, કવિ નાનાલાલ જેવા એજન્સીના અધિકારીઓ તથા અનેક બિન-સરકારી સંસ્થાઓ અને સામયિકો કે વૃત્તપત્રોએ સમાજસુધારાના કાર્યમાં પોતાનું યોગદાન આપી તેમાં સફળતા મેળવી હતી.
૧૮૭૦-૭૧માં રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના સાથે જ સૌરાષ્ટ્રમાં આધુનિક યુગનો પ્રારંભ થયો તેમ કહી શકાય. પ્રારંભમાં ચાર વર્ષ સુધી “કિંગ કૉલેજ' તરીકે ઓળખાતી રાજકુમાર કોલેજ પરોક્ષ રીતે સૌરાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રે સુધારાનો મશાલચી બને. તેમાં અભ્યાસ કરીને રાજવી બનેલાઓએ પોતાના રાજયમાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સુધારા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આમ આ સંસ્થાએ એક જ્યોત પ્રગટાવી જેનાથી સૌરાષ્ટ્રના રાજા તથા પ્રજાનાં અંધવિશ્વાસ,વહેમ, રૂઢિનાં બંધનો, સામાજિક કુરિવાજો જેવા દૂષણોરૂપી અંધકારને દૂર કરી શકાયો. તે રીતે તેણે સૌરાષ્ટ્રના સામાજિક તથા આર્થિક ઉત્થાનમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
પશ્ચિમ ભારતમાં સામાજિક ક્ષેત્રે સુધારા માટેના પ્રયત્ન સૌપ્રથમ મુંબઈમાં અને પછીથી સુરત અને અમદાવાદમાં થયા હતા. તે માટે ૧૮૪૪માં સુરતમાં માનવધર્મસભા અને ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થપાઈ હતી. સૌરાષ્ટ્રમાં સુધારાનાં મુખ્ય કેન્દ્ર રાજકોટ અને જૂનાગઢ હતાં. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ શાસનની સ્થાપનાને પગલે સામાજિક ક્ષેત્રે સુધારાનું વાતાવરણ સર્જાયું હતું. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ વહીવટતંત્રમાં અથવા દેશી રાજયોમાં મહત્ત્વના હોદા ધરાવતા બ્રિટિશ અમલદારો તથા હિંદી અમલદારોએ આ ક્ષેત્રે પહેલ કરી હતી. સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાની ચળવળના મુખ્ય પ્રણેતા હતા - જૂનાગઢના મણિશંકર કીકાણી. તેઓ ૧૮૩૪ થી ૧૮૭૪નાં ૪૦ વર્ષ દરમ્યાન રાજકોટમાં સ્થપાયેલ બ્રિટિશ એજન્સીમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહ્યા
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો,... [ ૯૯
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા.
શ્રી મણિશંકર કીકાણીએ જૂનાગઢમાં “સુપંથ પ્રવર્તક મંડળી' ૧૮૫૪માં સ્થાપી હતી. તે પછીથી સૌરાષ્ટ્ર નાગર મંડળી' નામે ઓળખાતી. તે મંડળીનો હેતુ પ્રચલિત રીતરિવાજોમાં ઉચિત ફેરફાર કરાવવાનો હતો. ૧૮૫૪માં તેની એક બેઠક રાજકોટમાં શ્રી કીકાણીના નિવાસસ્થાને મળેલી. તેમાં નિર્ણય લેવાયેલો કે - (૧) ભાંગ-ગાંજા વગેરેનો નશો કરવો નહિ. (૨) બાળકોને સારી શાળામાં શિક્ષણ લેવા મોકલવાં. (૩) અંગ દેખાય તેવાં ઝીણાં પારદર્શક વસ્ત્રો સ્ત્રીઓએ પહેરવાં નહિ.'
રાજકોટમાં બ્રિટિશ કોઠીની સ્થાપના પછીનાં વર્ષોમાં રાજકોટ સૌરાષ્ટ્રની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું હતું. શ્રી મણિશંકર કીકાણી ૧૮૩૪ થી ૧૮૭૪ સુધી રાજકોટમાં બ્રિટિશ એજન્સીમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહ્યા હતા. સુરતના દુર્ગારામ મહેતા ૧૮પરમાં સુરતથી શિક્ષણ ખાતામાં બદલી પામીને રાજકોટ આવ્યા હતા. તો વળી ૧૮૫૩માં અમદાવાદની અંગ્રેજી શાળાના હેડમાસ્ટર ભોગીલાલ પ્રાણવલ્લભદાસ કાઠિયાવાડના કેળવણી ખાતાના વડા તરીકે બઢતી પામીને રાજકોટ આવ્યા હતા. સુરત અને અમદાવાદના આ બંનેના સહકારથી શ્રી કીકાણીએ રાજકોટમાં વિદ્યાભ્યાસ મંડળી' (૧૮૫૬માં)ની સ્થાપના કરી હતી. આ સંસ્થા પણ સામાજિક દૂષણો તથા વહેમો દૂર કરવા પ્રયત્ન કરતી હતી.
ઈ.સ. ૧૮૬૪માં શ્રી મણિશંકર કીકાણીએ જૂનાગઢમાં “જ્ઞાન ગ્રાહક સભા સ્થાપી હતી. આમ તો તે એક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવા માટેની સંસ્થા હતી. પરંતુ સાહિત્યના માધ્યમથી તે સંસ્થાએ સામાજિક સુધારાનું પણ કામ કર્યું હતું. શ્રી કીકાણી માનતા હતા કે વ્યવહાર માટે ગુજરાતી, ઉન્નતિ માટે અંગ્રેજી અને ધર્મજ્ઞાન માટે સંસ્કૃત એ ત્રણે ભાષા જરૂરી છે. આ સંસ્થા સ્થાપ્યા પછીના બીજા જ વર્ષે ૧૮૬૫માં આ સંસ્થાએ “સૌરાષ્ટ્ર દર્પણ” નામનું માસિક-પત્ર શરૂ કરેલું. આ માસિકે નવા વિચારોનો ફેલાવો કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. શ્રી કીકાણીએ એમાં પુનર્લગ્ન તથા મૂર્તિપૂજા જેવા વિષયો ઉપર લેખો લખ્યા હતા. પછીથી તેની ચાર હજાર નકલો વેચાતી હતી, તે તેની લોકપ્રિયતા દર્શાવે છે.
૧૮૬૫ના વર્ષમાં જ સર્વશ્રી મણિશંકર કીકાણી, ભાવનગરના દીવાન ગૌરીશંકર (ગગા ઓઝા, જૂનાગઢના દીવાન ગોકુળજી ઝાલા તથા દુર્લભજી બાપુભાઈ, કૃષ્ણાજી ભગવાનજી, કરમચંદ (કબા ગાંધી (ગાંધીજીના પિતા), વગેરેના પ્રયત્નોથી રાજકોટમાં “વિદ્યાગુણ પ્રકાશન સભા' સ્થપાઈ હતી. ત્યાર પછી ૧૮૬૭માં કરસનદાસ મૂળજી જેવા પ્રસિદ્ધ સુધારક કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટના મદદનીશ તરીકે રાજકોટમાં નિમાતાં સૌરાષ્ટ્રની સુધારાની પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. તેમના પ્રોત્સાહન અને શ્રી કીકાણી, ઉત્તમરામ નરભેરામ, નગીનદાસ વ્રજભૂષણદાસ વગેરેના પ્રયત્નોથી રાજકોટમાં ૧૮૬૮માં વિજ્ઞાન વિલાસ' માસિક શરૂ થયું હતું. તેના તંત્રી તરીકે હંટર મેલ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ હરગોવિંદદાસ કાંટાવાળા હતા.
મણિશંકર કીકાણી સુધારક ઉપરાંત ચિંતક પણ હતા. તેઓ કન્યા કેળવણીના સમર્થક અને બાળલગ્ન પ્રથાના વિરોધી હતા. વિધવા પુનર્વિવાહની તે તરફેણ કરતા ન હતા. તેમણે લખેલું કે –
“બાળવિવાહ ન કરો યાર, ન નફો એમાં અંતે પસ્તાવો થાશે, નુક્સાન છે અપાર એમાં... જુઓ વિચારી તમે, એ કામ છે વિચારતણું,
શોચ્યા વિણ જે કરો છો, થાઓ છો ખુવાર તેમાં જ તેઓ દયાનંદ સરસ્વતીની જેમ હિંદુઓ માટે વેદને પ્રમાણભૂત ગ્રંથ માનતા હતા. છતાં તેઓ સૌરાષ્ટ્રના આ મહાન સુધારક દયાનંદની જેમ મૂર્તિપૂજાના વિરોધી ન હતા. તેમણે તો સ્વામી દયાનંદને મૂર્તિપૂજા અંગે ચર્ચા કરવા ૨૪ પ્રશ્નો પૂછયા હતા. તેના જવાબ દયાનંદ વતી પૂર્ણાનંદ આપ્યા હતા. આમ શ્રી કીકાણીનું વલણ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૧00
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકંદરે રૂઢિચુસ્ત સુધારાવાદીનું હતું. તેઓ હિંદુ ધર્મની પ્રણાલીને અનુસરીને સુધારો કરવાની તરફેણમાં હતા. પરિણામે તેમના સુધારા આંદોલને ગુજરાતની જેમ પ્રત્યાઘાત પેદા કર્યા ન હતા.
૧૮૭૪માં દયાનંદ સરસ્વતી રાજકોટમાં આવ્યા પછીના વર્ષોમાં રાજકોટમાં આર્યસમાજની સ્થાપના થઈ હતી. તે ઉપરાંત રાજકોટમાં સ્વદેશ ઉદ્યમવર્ધક સભા, જામનગરમાં મનોરંજક સભા, અને પોરબંદરમાં સુબોધ ડીબેટિંગ સોસાયટી જેવી સંસ્થાઓ સ્થપાઈ હતી. તો મોરબીની આર્ય સુબોધક મંડળી, દ્વારકાની નૌતમ નાટક મંડળી અને વાંકાનેરની આર્ય હિતવર્ધક નાટક મંડળીએ પણ સામાજિક પરિવર્તનની પ્રક્રિયામાં પરોક્ષ રીતે મહત્ત્વનો પ્રભાવ પાડ્યો હતો.“આ બધાં સ્વૈચ્છિક મંડળો મોટાભાગે શહેરોમાં સ્થપાયાં હતાં અને સમાજની નાગર, બ્રાહ્મણ, વાણિયા, કાયસ્થ, બ્રહ્મક્ષત્રિય વગેરે ઉચ્ચ જ્ઞાતિઓને સ્પર્શતા હતા. આ બધી સંસ્થાઓને પરિણામે કેટલાક સામાજિક સુધારા આકાર પામ્યા હતા. જેમકે – સૌરાષ્ટ્રમાં પ્રથમ વિધવા વિવાહ ૧૮૭૩માં થયો હતો. ૧૮૮૧-૮૨ સુધીમાં વિધવા વિવાહના બનાવો કુતિયાણા, ધોરાજી, જામનગર, રાજકોટ, કુંડલા વગેરેમાં પણ બન્યા હતા. પરદેશગમન ઉપર સામાજિક પ્રતિબંધો હોવા છતાં ગાંધીજી સહિત કેટલાક યુવાનોએ ઇંગ્લેંડ તથા વિદેશના અન્ય દેશોની મુલાકાત લીધી હતી.
શાળાપત્ર (૧૮૬૨), સૌરાષ્ટ્ર દર્પણ (૧૮૬૫), વિજ્ઞાનવિલાસ (૧૮૯૮), પ્રિયંવદા (૧૮૮૫), જ્ઞાનદીપક (૧૮૮૭), અને સૌરાષ્ટ્ર (૧૯૨૧) જેવાં સાપ્તાહિક કે માસિકોએ પણ સમાજનાં દૂષણો અંગે લેખો પ્રસિદ્ધ કરી તે અંગે પ્રજાજાગૃતિ લાવવામાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી.
- ભાવનગરના મહારાજા તખતસિંહજી (૧૮૬૯-૧૮૯૬), ગોંડલના ઠાકોરસાહેબ ભગવાનસિંહજી (૧૮૬૯-૧૯૪૪), સૌરાષ્ટ્રના કેટલાક દીવાનો કે કારભારીઓ (દીવાન ગગા ઓઝા, ગોકુળજી ઝાલા, પ્રભાશંકર પટ્ટણી, કરસનદાસ મૂળજી) પણ સમાજસુધારાના હિમાયતી હતા. પરંતુ સમાજમાં રૂઢિવાદી પરિબળોનું પ્રભુત્વ હતું. તેથી પરંપરાવાદીઓ અને સુધારાવાદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાશે તેવો ભય હતો. પરંતુ સુધારકોના અગ્રણી શ્રી મણિશંકર કીકાણીએ આવા સંઘર્ષને ટાળ્યો હતો, કારણ કે તેમણે માત્ર એવા જ પાશ્ચાત્ય સામાજિક વિચારો અને મૂલ્યો સ્વીકાર્યા જે તત્કાલીન સમાજમાં પરંપરાગત મૂલ્યો સાથે ટકરાતાં ન હોય. આમ તેમણે ધીમી ગતિએ આગળ વધવાનું પસંદ કર્યું હતું.
તળ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રનાં રજવાડાંનો પ્રદેશ વધુ રૂઢિવાદી હતો. તેથી બંને પ્રદેશના સુધારકોની સુધારા કરવાની પદ્ધતિમાં ફેર હતો. તળ ગુજરાતના બૌદ્ધિકો પરિવર્તનવાદી હતા, જ્યારે સૌરાષ્ટ્રના સંરક્ષણવાદી હતા. તળ ગુજરાતના સુધારકો ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિની ઊંડી અસર હતી, પરંતુ સૌરાષ્ટ્રના સુધારકો ભારતીય સંસ્કૃતિના પાયાનાં તત્ત્વોના ચાહક હતા. ગુજરાતનું સુધારા આંદોલન ઝડપી ગતિવાળું અને વ્યાપક સ્વરૂપનું હતું, જયારે સૌરાષ્ટ્રનું સુધારા આંદોલન ધીમી ગતિનું હતું અને તેનું ક્ષેત્ર મર્યાદિત હતું. સૌરાષ્ટ્રના રજવાડી પ્રદેશનો સુધારો તળ ગુજરાતના સુધારાની જેમ ગાજી શક્યો નહિ. ગુજરાતમાં સુધારાનું કામ સંક્ષેપથી થયું પરંતુ સૌરાષ્ટ્રમાં તે શાંતિથી, ગંભીરતાથી થયું. એ રીતે શ્રી મણિશંકર કીકાણીનો સુધારો ઠાવકો અને ઠરેલ હતો. તે પ્રજાની જીવનપદ્ધતિમાં ઊથલ-પાથલ કરનારો ન હતો. આમ સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાના આંદોલનની ગતિ ધીમી હતી, તેનો પ્રભાવ ઉજળિયાત વર્ગ પૂરતો મર્યાદિત હતો, છતાં તેણે રૂઢિચુસ્ત સમાજના કવચને લેવું હતું અને સમાજને પરિવર્તનની એક નવી દિશા તરફ તે દોરી ગયું હતું.
પછીથી વીસમી સદીના પૂર્વાર્ધમાં અને તેમાં પણ ગાંધીજીની નેતાગીરી હેઠળની રાષ્ટ્રીય ચળવળની અસર હેઠળ સૌરાષ્ટ્રનાં રજવાડાંની પ્રજામાં જાગૃતિ આવી હતી. ગાંધીજીના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્રના ફૂલચંદભાઈ શાહ, મણિલાલ કોઠારી, અમૃતલાલ શેઠ, ઠક્કર બાપા, દરબાર ગોપાળદાસ, ઉ. ન. ઢેબર, બળવંતરાય મહેતા, રસિકલાલ પરીખ, જીતુભાઈ અદાણી, જેઠાલાલ જોશી જેવા અનેક આગેવાનોએ સામાજિક સુધારાની
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો... n ૧૦૧
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લીધો હતો. ૧૯૨૦માં ઢસામાં કવિ નાનાલાલના પ્રમુખપદ હેઠળ અંત્યજ પરિષદ ભરાઈ હતી અને દરબાર ગોપાળદાસે ગામના જાહેર કૂવા ઉપરથી દલિતોને પાણી ભરવાની છૂટ આપી, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમને વેગ આપ્યો હતો. ૧૯૩૧માં અમરેલીમાં મળેલી કાઠિયાવાડ મહિલા પરિષદે પણ ભક્તિલક્ષ્મી દેસાઈના પ્રમુખપદે સ્ત્રી ઉદ્ધાર માટેના કેટલાક ઠરાવ કર્યા હતા. ઉપરાંત શારદાબહેન શાહ, સરલાબહેન ત્રિવેદી, ભક્તિબા દેસાઈ, પુષ્પાબહેન મહેતા, હીરાલક્ષ્મી શેઠ, દુર્ગાબહેન ભટ્ટ, ચંચળબહેન દવે, મંજુલાબહેન દવે, કસ્તૂરબહેન કવિ જેવી મહિલાઓએ પણ સ્ત્રી-કલ્યાણની પ્રવૃત્તિઓ ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. સ્ત્રીને સમાજમાં યોગ્ય સ્થાન મળે તે માટેના પ્રયત્ન કર્યા હતા. અનાથ, ત્યક્તા, બાળ ગુનેગાર, પતિના ત્રાસથી ત્રસ્ત મહિલાઓને રક્ષણ આપવા માટે નારીગૃહો કે મહિલા વિકાસ ગૃહો, બાળ સંરક્ષણ ગૃહો કે અનાથાશ્રમ શરૂ કરવાના પ્રયત્ન થયા. આઝાદી પછી તેમાં વેગ આવ્યો હતો.
આમ, સૌરાષ્ટ્રમાં જે રાજકીય સત્તા-પરિવર્તન થયું અને અંગ્રેજી શાસનની સર્વોપરિતા સ્થપાઈ, તેના પ્રભાવ રૂપે સામાજિક ક્ષેત્રે પ્રવર્તતી પરંપરામાં પણ અનેક ક્રાંતિકારી કહી શકાય તેવાં પરિવર્તન આવ્યાં હતાં. આ પરિવર્તનોની ગતિ ધીમી જરૂર હતી. છતાં તેના પરિણામે સમાજમાંથી વહેમો, અંધશ્રદ્ધા ઘણાં ઘટી ગયાં, બાળવિવાહ ઘટ્યા, બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા નાબૂદ થઈ, સતી પ્રથા પ્રત્યે સમાજમાં જાગૃતિ આવી, સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારો ઘટ્યા કે નાબૂદ થયા. ગાંજો, અફીણ, તંબાકુનું સેવન, જુગાર, વેશ્યાવૃત્તિ, દારૂપાન જેવાં દૂષણોમાં કમી આવી. આમ સમાજને કોરી ખાતાં દૂષણો ઘટ્યાં કે દૂર થયાં. તેથી સમાજ સામાજિક રીતે સ્વસ્થ બન્યો. દૂષણોમાંથી મુક્ત થવાના પરિણામે સમાજ વિવિધ ક્ષેત્રે પ્રગતિ તરફ ગતિમાન થયો અને આઝાદીનો આનંદ તથા પછીથી આવેલી આર્થિક સુખ સમૃદ્ધિને ભોગવી શક્યો.૯
પાદટીપ ૧. મેનન, વી.પી. - ધ સ્ટોરી ઓફ ધી ઇન્ટીગ્રેશન ઑફ ધી ઇન્ડિયન સ્ટેટ્સ', મુંબઈ, ૧૯૬૯, પૃ. ૧૬૮ ૨. ઓઝા, કેવલરામ - “રીકન્સ્ટ્રક્શન ઑફ લાઈફ એન્ડ પોલિટી ઇન કાઠિયાવાડ સ્ટેટ્સ', રાજકોટ, ૧૯૪૬, પૃ.૧ ૩. ચુડગર, પી. એલ. - ઇડિયન પ્રિન્સેસ અંડર બ્રિટિશ પ્રોટેક્શન', લંડન, ૧૯૨૯, પૃ. ૩ ૪. “રાજકોટ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર', અમદાવાદ, ૧૯૬૫, પૃ. ૧૯ ૫. બેલ, કૅપ્ટન વિલ્બરફોર્સ – ધ હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ', ન્યૂ દિલ્હી, ૧૯૮૦, પૃ. ૧૬૫ ૬. જાની, ડો. એસ. વી. - સૌરાષ્ટ્રનો ઇતિહાસ', અમદાવાદ, ૨૦૦૩, પૃ. ૧૦૯ ૭. હોથોર્ડ સ્પોઝેક – “અરબન-રૂરલ ઇન્ટીગ્રેશન ઇન રીજીઓનલ ડેવલપમેન્ટ' : એ કેસ સ્ટડી ઑફ સૌરાષ્ટ્ર, શિકાગો, ૧૯૭૬, પૃ. ૩૩
૮. જાની, ડૉ. એસ. વી. - પૂર્વોક્ત સૌ. ઈ., પૃ. ૧૩૫ ૯. ભાલજી, મણિલાલ એલ. – સ્વામી સહજાનંદ' (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૬૦, પૃ. ૩૨ ૧૦. જાની, ડૉ. એસ. વી., પૂર્વોક્ત સ. ઈ., પૃ. ૩૪૦ ૧૧, જોશીપુરા, જ. પુ., - મણિશંકર કીકાણી, વડોદરા, ૧૯૨૦, પૃ. ૪૧-૪૨ ૧૨. જાની, ડૉ. એસ. વી., “ઇતિહાસની આરસીમાં સૌરાષ્ટ્ર, રાજકોટ', ર૦૦૪, પૃ. ૮૨-૮૩ ૧૩. જોશીપુરા. જ. પુ. - પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૫૧
૧૪. એજન, પૃ. ૮૭ ૧૫. શાસ્ત્રી, હ. ગં. અને પરીખ પ્ર. ચિ. (સંપા.) - ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૮,
અમદાવાદ, ૧૯૮૪, પૃ. ૪૭૮ ૧૬. જાની, એસ. વી.નો લેખ - “ઓગણીસમી સદીમાં ગુજરાતમાં સામાજિક પરિવર્તનમાં સામાજિક મંડળોનું
પ્રદાન', “સ્વાધ્યાય”, અમદાવાદ, એપ્રિલ ૯૦, માર્ચ ૯૧, પૃ. ૧૫૩ ૧૭. જાની, ડો. એસ. વી. - પૂર્વોક્ત “સૌ.ઇ.', પૃ. ૩૪૨ ૧૮. જોશીપુરા, જ. પુ. - પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૬૮ ૧૯. જાની, ડૉ. એસ. વી. - પૂર્વોક્ત સૌ.ઈ. પૃ. ૩૪૩
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૦૨
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોવિંદ સખારામ સરદેસાઈ
પ્રા. બી. એન. ગાંધી* હિંદમાં ઇતિહાસ પ્રત્યેની સભાનતા બ્રિટિશ સનદી અધિકારીઓ અને ઇતિહાસકારો દ્વારા રચિત હિંદના પૂર્વગ્રહયુક્ત ઇતિહાસ પ્રત્યેની પ્રતિક્રિયા તેમજ રાષ્ટ્રીય જાગૃતિના પરિણામે ઉદ્ભવી હતી. હિંદના વારસાને તથા એની અસ્મિતાની ભવ્યતાને ઉજાગર કરવાની ઉત્કંઠાના કારણે હિંદી ઇતિહાસકારો ઘણીવાર આત્મલક્ષી બન્યા હતા. ઇતિહાસ-લેખનની આ એક અનિવાર્ય મર્યાદા છે. ઇતિહાસકારનાં દૃષ્ટિબિંદુઓ સાંપ્રત રાજકીય પરિસ્થિતિઓ અને વિચારસરણીઓથી પ્રભાવિત થતાં હોય છે.
મરાઠાઓ હજુ પણ પોતાનાં સામ્રાજય અને ગૌરવપૂર્ણ દિવસને ભૂલ્યા ન હતા. મહારાષ્ટ્રના અનેક દેશભક્ત યુવાનોને રાજકીય સર્વોચ્ચતાને ગુમાવવાનું દુઃખ થયા કરતું હતું. મહારાષ્ટ્રના આવા વાતાવરણમાં ગોવિંદ સરદેસાઈનો જન્મ ૧૮૬૫માં રત્નાગિરિ જિલ્લાના હાસોલ ગામમાં એક માવળંકર પરિવારમાં થયો હતો. ગોવિંદે ૧૮૮૪માં રત્નાગિરિની હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ પૂના અને મુંબઈની કૉલેજોમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ૧૮૮૮માં બી.એ. પાસ કર્યા બાદ તે ૧૮૮૯માં વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાના અંગત ક્લાર્ક તરીકે વડોદરા રાજ્યની સેવામાં જોડાયા હતા. તેઓને વડોદરાના રાજકુમાર પ્રતાપસિંહને શિક્ષણ આપવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. મહારાજા સાથે દેશ અને વિદેશોમાં પ્રવાસ કરવાની તકો તેઓને ઉપલબ્ધ થઈ હતી. આના કારણે તે એક રાષ્ટ્રીય ઇતિહાસકાર બનવાની સજ્જતા પ્રાપ્ત કરી શક્યા હતા. મહારાજા સયાજીરાવની ઇચ્છા વિરુદ્ધ તે ૧૯૨૫માં વડોદરા રાજયની સેવામાંથી મુક્ત થયા બાદ મહારાજાએ તેઓને પ્રતિ માસ રૂ. ૨૩૭/- નું પેન્શન મંજૂર કર્યું હતું. ૧૯૨૭માં મહારાજાએ એક કંપનીમાં મુકેલ રૂ. ૫૦ લાખ ગુમાવ્યા હતા. આ માટે સરદેસાઈને દોષિત ગણી મહારાજાએ એમના પેન્શનમાં ૬0%નો કાપ મૂક્યો હતો. બાર વર્ષ પછી (૧૯૩૯) મહારાજા પ્રતાપસિંહે એ કાપ રદ કર્યો હતો (સરદેસાઈ, પૃ. ૧૩-૧૫). સયાજીરાવ સાથે મતભેદો ઊભા થયા હોવા છતાં સરદેસાઈએ એમના “ન્યૂ હિસ્ટ્રી ઑફ મરાઠાના ગ્રંથો તેઓને અર્પણ કર્યા હતા.
સરદેસાઈને ઇતિહાસકાર બનવું ન હતું તેમજ તેઓએ ઇતિહાસકાર બનવા માટેનું જરૂરી પ્રશિક્ષણ લીધું ન હોવા છતાં તે એક ઇતિહાસકાર બની ગયા, એ તથ્ય ઈતિહાસના વિલક્ષણ અકસ્માતોમાંનું એક છે. આથી કેટલાક તેઓને “A Historian by Accident) કહે છે. સરદેસાઈ વિશે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર એમના સમકાલીન જદુનાથ સરકારે કહ્યું હતું કે એમની વચ્ચેની ૪૪ વર્ષની મિત્રતા દરમિયાન સરદેસાઈની સહુથી વધુ કોઈ બાબતે એમને (સરકારને) પ્રભાવિત કરી હોય તો તે છે એમનો સત્ય માટેનો આગ્રહ. તેઓ કોઈ પણ પૂર્વગ્રહના બંધનમાં જકડાયેલ ન હતા. આ ઉપરાંત તેઓમાં અથાક પરિશ્રમ કરવાની ટેવ, બૌદ્ધિક સતર્કતા અને જર્મન વિદ્વત્તાની લાક્ષણિકતા પણ હતી. તેઓએ પ્રત્યેક માહિતી અને વિચારની નોંધ રાખવાની અને તેને ચીવટપૂર્વક ચોક્સાઈથી વિગતવાર પદ્ધતિસર ગોઠવવાની જર્મન ટેવ કેળવી (આત્મસાતુ) હતી. (ગુપ્તા, પૃ. ૧૩-૧૫). ૧૯૫૮માં ૯૩ વર્ષની આયુએ એમનું અવસાન થયું હતું.
વડોદરા રાજયની સેવામાંથી નિવૃત્ત થયા પછી લગભગ ત્રણ દાયકા સુધી તે ઈતિહાસ-લેખન ક્ષેત્રમાં સક્રિય રહ્યા હતા. તેઓએ મરાઠા ઇતિહાસમાંથી સંબંધિત ગ્રંથોની રચના અંગ્રેજી અને મરાઠીમાં કરી હતી તેમજ માહિતીનાં સાધનોના ગ્રંથોનું સંપાદન કર્યું હતું.
મહારાજા સયાજીરાવના સૂચનથી સરદેસાઈએ મેશ્યાવિલીના પ્રિન્સ'નો અને સિલીના “એક્સપાન્શન * ૧૫૧, પ્રભાકુંજ સોસાયટી, શ્રીમાળી વાડી પાસે, ગોધરા.
ગોવિંદ સખારામ સરદેસાઈ [ ૧૦૩
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઑફ ઇંગ્લેન્ડ'ના અનુવાદ મરાઠીમાં અનુક્રમે ‘રાજધર્મ’ અને ‘ઇંગ્લેન્ડદેશાચા વિસ્તાર' કર્યો હતો. સરદેસાઈએ સ્વયં સ્વીકાર્યું હતું કે આ બંને પુસ્તકોનો અનુવાદ નબળો સિદ્ધ થયો પણ આ કાર્યથી પ્રાપ્ત કરેલ અનુભવના કારણે જ તેઓ 'રિયાસતકાર' બની શક્યા હતા. આ માટેનો શ્રેય તેઓ સયાજીરાવને આપે છે. (સરદેસાઈ, પૃ. ૧૬).
રિયાસત ગ્રંથો :
સરદેસાઈએ પોતાના શાહી વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ મરાઠા ઇતિહાસનું નિરૂપણ કરતા ગ્રંથોની રચના મરાઠી સાધનોમાંથી ઉપલબ્ધ થતી માહિતીના આધારે મરાઠી ભાષામાં કરી હતી. આ ગ્રંથોને વડોદરાના ‘સયાજી વિજય’એ પ્રસિદ્ધ કર્યા હતા. આ ગ્રંથોની રચના માટે મરાઠી સાધનોમાંથી પ્રાપ્ત માહિતીને અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ સાધનોમાંથી પ્રાપ્ત માહિતી સાથે સરખાવી હોવાનો દાવો ડૉ. એસ. કે. મુખોપાધ્યાયને શંકાસ્પદ લાગે છે. સરદેસાઈને અંગ્રેજી સિવાય અન્ય કોઈ બીજી યુરોપીય ભાષા તથા ફારસી ભાષાનું જ્ઞાન ન હતું. એમના ૧૮૯૮માં પ્રસિદ્ધ થયેલ મુસલમાની રિયાસતના બે ગ્રંથોમાંથી પ્રથમમાં હિંદના મુસ્લિમ વિજયથી માંડીને ૧૫૨૬ સુધીના અને બીજા ખંડમાં ૧૫૨૭ થી ૧૮૦૩ સુધીના ઇતિહાસને આવરી લીધો છે. ૧૯૨૩માં પ્રસિદ્ધ થયેલ બ્રિટિશ રિયાસતના પ્રથમ ગ્રંથમાં ૧૬૦૦ થી ૧૭૫૭ સુધીની તથા ૧૯૩૯માં પ્રસિદ્ધ થનાર બીજા ખંડમાં ૧૭૫૭ થી ૧૮૫૮ સુધીની ઘટનાઓનું આલેખન કર્યું છે.
ડૉ. મુખોપાધ્યાયની દૃષ્ટિએ મુસલમાની અને બ્રિટિશ રિયાસતના ગ્રંથો કરતાં મરાઠી રિયાસત ગ્રંથો વધુ સારા છે. ડૉ. જદુનાથ સરકારના મંતવ્ય પ્રમાણે એમાં ‘રિયાસતકાર' દ્વારા સાધનોમાંથી પ્રાપ્ત માહિતીને ચોકસાઈપૂર્વક એકત્રિત કરવામાં આવેલ છે પણ તેમનામાં મરાઠીમાં ઉપલબ્ધ મૌલિક સાધનો સિવાય અન્ય સાધનોના જ્ઞાનનો અભાવ જણાય છે. તે સાધનોનો નિર્દેશ કરે છે પણ એ સાધનોની વિશ્વસનીયતાનું વિશ્લેષણ કરતા નથી. ડૉ. વસંત ડી. રાવના મતે જો તેઓએ સાધનોની વિશ્વસનીયતાની કાળજીપૂર્વક તપાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો તેઓ વધુ સારો ઇતિહાસ આપી શક્યા હોત. સરદેસાઈએ ‘રિયાસત’નાં પ્રકરણો તથા વિભાગોને શીર્ષક ખૂબ જ અર્થપૂર્ણ અને નિરૂપણને અનુરૂપ આપ્યાં છે, દા.ત., સામ્રાજ્યનિર્માતા શિવાજી, પવિત્ર શાહુ.
મરાઠાઓનો નવીન ઇતિહાસ :
૮૦ વર્ષની આયુએ રિયાસતકાર સરદેસાઈએ મરાઠી રિયાસતના ૮ ગ્રંથોના આધાર પર અંગ્રેજીમાં ‘New History of Marathas'ના ત્રણ ગ્રંથોની રચના કરી હતી. આમાં મરાઠાઓના ઉદયથી માંડીને એમના પતન સુધીના ઇતિહાસનું આલેખન કર્યું છે. મરાઠાઓના નવીન ઇતિહાસના પ્રથમ ભાગમાં સરદેસાઈએ ૧૬૦૦ થી ૧૭૦૭ સુધીની ઘટનાઓને સમાવી છે. આ ભાગમાં તેમણે શાહજીના સમયના મહારાષ્ટ્ર, શિવાજીની સફળતા અને શિવાજીના મૃત્યુ બાદ સમ્રાટ ઔરંગઝેબના મૃત્યુ સુધીના સમય દરમિયાન મહારાષ્ટ્ર સ્વતંત્રતા માટે કરેલ સંઘર્ષોનું મૂલ્યાંકન કર્યું છે. બીજા ભાગમાં મરાઠા સત્તાના વિસ્તારના (૧૭૦૭ થી ૧૭૭૨) ઇતિહાસનું આલેખન કર્યું છે. ડૉ. મુખોપાધ્યાયના મતે સરદેસાઈએ શાહુના સમયના ગૃહયુદ્ધને વિશેષ ન્યાય આપ્યો નથી. ગૃહયુદ્ધનું વિવરણ ફક્ત બે પાનાંમાં જ આપ્યું છે. પેશ્વા બાલાજી વિશ્વનાથ અને પેશ્વા બાજીરાવ પ્રથમની ઉત્તર તરફની વિસ્તારવાદી નીતિ અને સફળતાઓની સરદેસાઈએ ખૂબ પ્રશંસા કરી છે. સરદેસાઈની દૃષ્ટિએ ૧૭૬૧ના પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓના થયેલ પરાજય એક મોટી આપત્તિ પુરવાર થઈ ન હતી, અને પેશ્વા માધવરાવના સમયમાં મરાઠાઓએ ઉત્તર હિંદમાં પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કર્યું હતું.
સરદેસાઈએ ત્રીજા ભાગ - ‘મહારાષ્ટ્રનો સૂર્યાસ્ત’માં (૧૭૭૨-૧૮૪૭) મરાઠાઓના પતન માટેનાં
પથિક : જાન્યુઆરી - જૂન, ૨૦૦૫ D ૧૦૪
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવાબદાર પરિબળો – નૈતિક અધઃપતન, પયંત્રો, આંતરિક વિખવાદો વગેરેનું આલેખન કર્યું છે. આ ગ્રંથના અંતિમ પ્રકરણમાં સરદેસાઈએ મરાઠાઓના પતન માટેનાં કારણોની સમીક્ષા કરી છે. સરદેસાઈ મરાઠા સત્તાના પતનમાં સંયોગ અને અજ્ઞાત પરિબળોએ ભાગ ભજવ્યો હોવાનું સ્વીકારે છે. દા.ત., મહારાષ્ટ્રના કટોકટીના સંજોગોમાં એના કાબેલ નેતાઓ શિવાજી, પેશ્વા બાજીરાવ પ્રથમ, માધવરાવ અને નાના ફડનવીસ વગેરેનાં અવસાન થયાં હતાં. ડૉ. મુખોપાધ્યાયના મતે આ ગ્રંથમાં સરદેસાઈ નિરૂપણ અને મૂલ્યાંકનની દષ્ટિએ સંભવતઃ સર્વશ્રેષ્ઠ છે.
મરાઠાઓના નવીન ઇતિહાસની પ્રસ્તાવનામાં સરદેસાઈ કહે છે, “મેં આ ગ્રંથનું નામ “નવીન ઇતિહાસ રાખ્યું છે પરંતુ એ દ્વારા એ દાવો કરતો નથી કે આને નિર્ણયાત્મક અને પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે. મારો એ અભિપ્રાય નથી કે હું વિદ્વાન અથવા પ્રસિદ્ધ ઇતિહાસકાર છું. હું તો માત્ર એક ઉત્સુક કાર્યકર્તા છું.” ડૉ. જે. એન. સરકારને લખેલા એક પત્રમાં તે સ્પષ્ટ કહે છે, “હું અત્યાર સુધી એ વિચાર પર ચાલતો હતો કે મારે ચિત્રની સારી બાજુ રજૂ કરવી જોઈએ કેમકે પશ્ચિમના લેખકોએ ખરાબ બાજુ પર્યાપ્ત માત્રામાં રજૂ કરેલ છે. પરન્તુ હું મારા વિચારો વાચકો પર લાદ્યા વિના દસ્તાવેજોને એમની હકીકતો રજૂ કરવા દઈશ.”
મરાઠાઓના નવીન ઇતિહાસના ભાગ ત્રણના આલેખન અને વિગતોમાં જદુનાથ સરકારે કરેલ સુધારાઓના કારણે એને એક માનક, પ્રમાણભૂત અને શ્રદ્ધય ગ્રંથનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. આ બાબતનો સ્વીકાર કરતાં સરદેસાઈએ જદુનાથને તા. ૨૫-૪-૧૯૪૭ના રોજ લખેલ પત્રમાં જણાવ્યું હતું, “હું જ્યારે મારા ગ્રંથ માટે તમે ઉઠાવેલ જેહમતને જોઉં છું ત્યારે એ ગ્રંથ મારો હોવાનો દાવો કરતાં શરમ અનુભવું છું. તમે તમામ બાબતો પર ઝીણવટભર્યું ધ્યાન આપેલ છે. ... કરેલ સુધારાઓના કારણે લોકોની દૃષ્ટિમાં એ ગ્રંથનું મૂલ્ય બેશક 4491." ("When I see the immense labour you have bestowed upon this work of my history. I feel ashamed to claim it as my own. You have given minutest attention to all the parts of matter.... the improvements thus effected are sure to enhance the value of the work in public estimation.” - Gupta, p. 12). મરાઠા ઇતિહાસના આ ત્રણ ગ્રંથોમાં મરાઠા ઇતિહાસ સંબંધી થયેલા બધા સંશોધનના પરિણામોને સમાવી લઈ સરદેસાઈએ કરેલ નિરૂપણ નિઃસંદેહ પ્રશસ્ય છે. મરાઠા ઇતિહાસના મુખ્ય પ્રવાહો :
ઇતિહાસના સંશોધન ક્ષેત્રમાં (મુગલ-મરાઠાયુગ) સરદેસાઈના સહપ્રવાસી અને પટણા યુનિવર્સિટીના ઇતિહાસના પ્રાધ્યાપક જદુનાથ સરકારના પ્રયત્નોના પરિણામે સરદેસાઈને પટણા યુનિવર્સિટીમાં મરાઠાઓના ઈતિહાસ પર વ્યાખ્યાનો આપવા માટે આમંત્રણ મળ્યું હતું. સરદેસાઈએ ૧૯૨૬માં પટણામાં મરાઠા ઇતિહાસના સમગ્ર ક્ષેત્રને આવરી લેતાં જે સાત વ્યાખ્યાનો આપ્યાં હતાં, તે પુસ્તક રૂપે ૧૯૪૯માં “Main Curents of Maratha History'ના નામે પ્રસિદ્ધ થયાં હતાં.
સરદેસાઈએ આપેલ વ્યાખ્યાનોના વિષયો હતા - (૧) મહારાષ્ટ્ર ધર્મ - મરાઠાઓનો આદર્શ, (૨) મરાઠા ઇતિહાસનાં સાધનો, (૩) શિવાજીના ઉદ્દેશ્યો તથા ચોથ અને સરદેશમુખી, (૪) મરાઠા સત્તાનો વિસ્તાર, (૫) મુસ્લિમો સાથેનો સંઘર્ષ, (૬) નાના ફડનવીસ અને મહાદાજી વચ્ચેના સંબંધો, (૭) મરાઠાઓનું પતન.
પ્રથમ વ્યાખ્યાનમાં સરદેસાઈએ મહારાષ્ટ્ર ધર્મની વિભાવનાને સ્પષ્ટ કરી છે તથા મુસ્લિમ સત્તાની વિરુદ્ધ વિદ્રોહ કરવા માટે મહારાષ્ટ્રને પ્રેરણા આપનાર પરિબળોની છણાવટ કરી છે. મરાઠાઓના પતન સંબંધી વ્યાખ્યાનમાં પતન માટેનાં જવાબદાર પરિબળોની ચર્ચા કરી છે. તેઓએ દઢતાપૂર્વક એ મત વ્યક્ત કર્યો કે તોપદળની ઉપેક્ષા કરી મરાઠાઓએ એક ગંભીર ભૂલ કરી હતી. મરાઠાઓના સ્વભાવ વિશે કહ્યું કે તેઓ અનુશાસનમાં રહેવાનું પસંદ કરતા ન હતા. સેનાનું નેતૃત્વ પૂર્ણતઃ એક વ્યક્તિના હાથમાં રહેતું ન હતું.
ગોવિંદ સખારામ સરદેસાઈ 0 ૧૦૫
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણીપતના ત્રીજા યુદ્ધનાં પરિણામો વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં સરદેસાઈ કહે છે કે ભલે આ યુદ્ધમાં મરાઠા સત્તાનો સંપૂર્ણ વિનાશ ન થયો હોય પણ તેમ છતાં પાણીપતમાં નિર્બળ બનેલ મરાઠાઓ અને મુસ્લિમોના કારણે હિંદમાં બ્રિટિશ સત્તાનો ઉદય સરળ બન્યો હતો. પાણીપતનું યુદ્ધ હિંદના ઇતિહાસ માટે એક વળાંકબિંદુ (turning point) સાબિત થયું હતું. આ ગ્રંથ) વ્યાખ્યાનો અંગે ડો. મુખોપાધ્યાય યથાર્થ કહે છે, “It is in the form of running criticism of the principal actors and events of Maratha History". આ ગ્રંથ મરાઠા ઈતિહાસના પ્રમુખ નેતાઓ અને ઘટનાઓના ક્રમાનુસાર વિવેચનસ્વરૂપનો છે. સાધનો સંબંધી સંપાદિત ગ્રંથોઃ
સરદેસાઈ સંશોધન માટે મૌલિક સાધનોના મહત્ત્વને સારી રીતે સમજતા હતા. ટી. એસ. શેજલવલકર, આપ્ટે તથા વાકસકરના સહયોગથી સરદેસાઈએ “મરાઠાયાંચા ઇતિહાસએ સાહિત્ય' ગ્રંથ ૧૯૨૪માં પ્રસિદ્ધ કર્યો હતો. સરદેસાઈએ ૧૯૨૫માં ઐતિહાસિક વિષયાંચી સુચિ' પ્રસિદ્ધ કરી હતી. ૧૮૭૮માં શરૂ થયેલ “કાવ્યતિહાસ સંગ્રહ' નામના સામયિકમાં પ્રસિદ્ધ થયેલ દસ્તાવેજોમાંથી મહત્ત્વના દસ્તાવેજોની પસંદગી તેમણે કુલકર્ણી અને કાળે કાળની સહાયથી કરી હતી. પસંદ કરાયેલ દસ્તાવેજો ૧૯૩૦માં “કાવ્યતિહાસ સંગ્રહાત પસંદીદા ઝાલેલ ઐતિહાસિક પત્રે યાદી વગેરે લેખ'ના નામથી, તેમજ “ઐતિહાસિક પત્રવ્યવહાર” નામનો તેઓએ સંપાદિત કરેલ ગ્રંથ ૧૯૩૩માં પ્રસિદ્ધ થયા હતા.
સત્તા-હસ્તાંતર સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પેશ્વા પાસેથી પ્રાપ્ત થયેલ દફતરના ૧૫ ભાગ પૂનાની ડેક્કન વર્નાક્યુલર સોસાયટીએ પ્રસિદ્ધ કર્યા હતા. જદુનાથ સરકારે આ દફતરના અન્ય ભાગો સરદેસાઈ પાસે સંપાદિત કરી પ્રસિદ્ધ કરાવવા માટે મુંબઈ સરકારને સૂચવ્યું હતું, જે સરકારે સ્વીકાર્યું હતું. આ દફતરના કુલ ૪૫ ભાગ (Selections from Peshwa Daftar - SPD) પ્રસિદ્ધ થયા છે.
પેશ્વા દફતરનું કાર્ય પૂર્ણ થયા બાદ સરદેસાઈ અને જદુનાથ સરકારે ‘પૂના રેસિડન્સી કોરસપોન્ડન્સ' (Poona Residency Correspondence - PRC)ના સંપાદનનું કાર્ય શરૂ કર્યું હતું. પીઆરસી'ના પ્રસિદ્ધ થયેલ ૧૫ ભાગોમાંથી, ૨, ૬, ૭, ૧૨ અને ૧૩મા ભાગનું સંપાદન સરદેસાઈએ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ફારસીમાં લખાયેલ પત્રોનો મરાઠીમાં અનુવાદ કર્યો હતો. આ અનુવાદના પ્રસિદ્ધ થયેલ બે ગ્રંથો - (૧) “દિલ્હી યથીલ રાજકારણ અને (૨) દિલ્હી યુથીલ વકીલ'નું સંપાદન જદુનાથે કર્યું હતું.
સરદેસાઈ અને સરકારના પ્રયત્નોના પરિણામે અભ્યાસીઓ/ સંશોધકોને મરાઠા ઇતિહાસ સંબંધિત મૂળભૂત સાધનો | દસ્તાવેજોના અનુવાદિત અને સંપાદિત ૬ર ગ્રંથો ઉપલબ્ધ થયા છે. સરદેસાઈએ સંપાદિત કરેલ ગ્રંથોમાં તારીખ અને ઘટનાઓના – કાળાનુક્રમ વિશેની કેટલીક ક્ષતિઓ રહી જવા પામી છે. આમ છતાં, ડૉ. મુખોપાધ્યાય કહે છે તેમ તે નિઃસંદેહ ગુણવત્તાપૂર્ણ તથા વિદ્વત્તાપૂર્ણ રચનાઓ છે. અન્ય રચનાઓ :
સરદેસાઈએ ૧૯૫૬માં પોતાની આત્મકથા “માજી સંસારયાત્રા' પ્રસિદ્ધ કરી હતી. એમાં, તેમણે પોતાના પ્રારંભિક જીવન અને કૌટુંબિક જીવનની વિગતો અને વડોદરાના નિવાસ દરમિયાન થયેલ અનુભવો વગેરેનો ઉલ્લેખ કર્યો છે પણ ઇતિહાસલેખનના પોતાના કાર્યનો સહેજ પણ નિર્દેશ કર્યો નથી. સરદેસાઈએ મહારાષ્ટ્રના અનેક નેતાઓ – શિવાજી, સંભાજી, સંતાજી ઘોરપડે, બાજીરાવ, મહાદાજી સિંધીયા-ના જીવનવૃત્તાન્તો લખ્યાં હતાં. તેમણે મરાઠા ઇતિહાસ વિશેના અનેક લેખો ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજીમાં લખ્યા હતા. તેમણે છત્રપતિ શિવાજીની 500મી જન્મ જયંતિ પ્રસંગે પ્રસિદ્ધ થયેલ શિવાજી સ્મારક ગ્રંથનું સંપાદન કર્યું છે. આ ગ્રંથના એક લેખમાં તેમણે ૬ એપ્રિલ ૧૯૨૭ને શિવાજીની જન્મતારીખ તરીકે સ્વીકારવાની હિમાયત કરી હતી.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૦૬
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ તારીખ સાચી હોવાનો સ્વીકાર વ્યાપક પ્રમાણમાં કરવામાં આવેલ છે.
સરદેસાઈના નવ મરાઠી લેખો ક્રમશઃ સપ્ટેમ્બર થી નવેમ્બર ૧૯૫૫ દરમિયાન “સ્વરાજ્યમાં પૂનાના સુપ્રસિદ્ધ દૈનિક “સકાળ'ના તંત્રી ડૉ. પરૂલેકરે પ્રસિદ્ધ કર્યા હતા. આ લેખોનો સંગ્રહ “શ્રી સયાજીરાવ ગાયકવાડ વાંચે સહવાસાંત'ના નામે પ્રસિદ્ધ થયો હતો. આ સંગ્રહનો હિન્દી અનુવાદ “સયાજીરાવ કે સાનિધ્યમે ૧૯૯૪માં પ્રસિદ્ધ થયો છે. આ સંગ્રહમાંથી સયાજીરાવના શાસન દરમિયાન બનેલ કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓની આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. દા.ત., સયાજીરાવ અને અંગ્રેજ શાસકો વચ્ચેના સંબંધો, વડોદરા રાજ્યમાં ચાલતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ (રાજદ્રોહ, દેશપાંડે પ્રકરણ).
સરદેસાઈના (૧) New History of the Marathasના ૩ ખંડો અને (૨) Main Currents of Maratha Historyના હિન્દીમાં અનુવાદ થયા છે. મૂલ્યાંકન :
મરાઠા ઇતિહાસલેખનમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ધુળિયા (મહારાષ્ટ્ર)ના રાજવાડે સંશોધન મંડળ દ્વારા સરદેસાઈને ૧૯૪૬માં સન્માનિત કરી ‘ઇતિહાસ માર્તડનું બિરુદ આપવામાં આવ્યું હતું. ૧૯૫૭માં પૂના યુનિવર્સિટીએ તેઓનું બહુમાન ડી.લિ.ની માનદ પદવી આપી કર્યું હતું અને ભારત સરકારે તેઓને “પદ્મ વિભૂષણથી વિભૂષિત કર્યા હતા.
સરદેસાઈને મતે “A study of history means search for truth and truth is never one sided.” આથી જ તેઓએ મરાઠી ભાષામાં ઉપલબ્ધ સાધનો ઉપરાંત અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ મરાઠાઓના ઇતિહાસના આલેખનમાં કરવાની હિમાયત કરી હતી. ફારસીનું પોતાને જ્ઞાન ન હોવાનો સ્વીકાર કરી સરદેસાઈએ ભારતીય ઈતિહાસમાં સંશોધન કરનારને અંગ્રેજી, સંસ્કૃત તથા ફારસી વગેરે ભાષાઓનું પર્યાપ્ત જ્ઞાન હોવું જ જોઈએ એવો સ્પષ્ટ મત જયપુરના ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસના (૧૯૫૧) પ્રમુખપદેથી આપેલ પ્રવચનમાં વ્યક્ત કર્યો હતો.
સરદેસાઈને ઇતિહાસ-આલેખન કાર્યમાં જદુનાથ સરકાર તરફથી ખૂબજ સહાયતા, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યાં હતાં. ટીકકર લખે છે તેમ સરકારે તેઓને એક સારા સંશોધનકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પૂરતી તકો મળી રહે એ માટે પ્રયત્નો કર્યા હતા. સર જદુનાથ સરકારના સતત માર્ગદર્શનના કારણે જ તેઓ એક સિદ્ધહસ્ત ઈતિહાસકાર બની શક્યા હતા. જદુનાથ સરકારે કરેલ પ્રદાનનો સ્વીકાર કરતાં સરદેસાઈએ એમના પરના પત્રમાં લખ્યું હતું, “મારું એ સૌથી મોટું સદ્ભાગ્ય છે કે હું મારા કાર્યમાં માર્ગદર્શન મેળવવા તમને એક કાયમી ઘડવૈયા તરીકે પ્રાપ્ત કરી શક્યો.” (“It is my greatest good fortune that I should have secured in you a permanent mentor to guide my foot-steps.”) સરદેસાઈએ જદુનાથ પરના તા. ૨૯-૮-૧૯૪૭ના પત્રમાં લખ્યું હતું : “હું જાણું છું કે વિદ્વત્તાની બાબતમાં હું સૂર્ય સામે આગિયા હોવાનો દાવો કરી શકે તેમ નથી, “..... in point of scholarship I know, I cannot claim to be a glowworm before the sun.” (Gupta).
સરદેસાઈએ મરાઠાઓના ઇતિહાસ-આલેખનનું કાર્ય વ્યાપક પ્રમાણમાં કર્યું છે પણ તેમ છતાં તેમના ગ્રંથોમાં કેટલીક ઊણપ રહેલ છે. મરાઠી ભાષામાં ઉપલબ્ધ સાધનોમાંથી મરાઠાઓની સામાજિક, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિઓ; સાહિત્ય વગેરેની અનેક વિગતો મળી રહે છે તેમ છતાં સરદેસાઈએ મરાઠાઓના નવીન ઈતિહાસમાં એમનું નિરૂપણ કરેલ નથી. તેઓએ ઇતિહાસ-આલેખનમાં અભિલેખો, સિક્કાઓ અને પુરાતત્ત્વીય અવશેષોમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ કર્યો નથી. ડૉ. વસંત રાવના મતે તેઓને સંશોધન પદ્ધતિઓમાં રસ
ગોવિંદ સખારામ સરદેસાઈ ૧૦૭
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન હતો તથા ઐતિહાસિક અન્વેષણની વિભિન્ન પદ્ધતિઓનો ખ્યાલ ન હતો. “He went on writing as he collected material.” પણ નવાં સાધનોમાંથી પ્રાપ્ત માહિતીના સંદર્ભમાં તેઓ પોતાના ગ્રંથોની નવી આવૃત્તિમાં જરૂરી સુધારાઓ કરવાનું ચૂક્યા ન હતા.
પોતાના સમકાલીન ભારતીય ઇતિહાસકારોની જેમ સરદેસાઈને ભાગ્ય અને નિયતિમાં વિશ્વાસ હતો. મરાઠાઓના નવીન ઇતિહાસના ત્રીજા ભાગના અંતિમ પ્રકરણમાં તેઓ કહે છે કે મનુષ્યનું ભાગ્ય બહુધા એવી રીતે નક્કી થઈ જાય છે કે જેના પરિણામે કાર્યકારણના સિદ્ધાંત અનુસારની તપાસ હંમેશાં શક્ય બનતી નથી. દૈવયોગના પ્રપંચનો પણ તેઓ સ્વીકાર કરે છે. મહારાષ્ટ્રમાં અનેક નેતાઓના અકાલ અવસાનમાં તેઓને એ દેખાય છે, જેમકે શિવાજીના અકાલ મૃત્યુના કારણે મુઘલ સમ્રાટ મહારાષ્ટ્ર પર આક્રમણ કરી શક્યો હતો; પેશ્વા બાજીરાવના અકાલ મૃત્યુના કારણે નિઝામ દક્ષિણમાં પોતાની સત્તા સ્થિર કરી શક્યો હતો અને પેશ્વા માધવરાવના અકાલ અવસાનના કારણે મહારાષ્ટ્રમાં વિધટનકારી પરિબળો અને વિદેશીઓના હસ્તક્ષેપને પ્રોત્સાહન મળ્યું હતું.
સરદેસાઈ મરાઠાઓના પ્રશંસક હોવા છતાં તેઓએ મરાઠાઓની સિદ્ધિઓ અને નિષ્ફળતાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કર્યો છે. ઇતિહાસમાંથી પ્રત્યેક પ્રજાએ બોધપાઠ ગ્રહણ કરવો જોઈએ એવું તેઓ દૃઢપણે માનતા હતા. કેટલાકની દૃષ્ટિએ ‘રિયાસતકાર’ ગોવિંદ સખારામ સરદેસાઈ માત્ર એક સંકલનકર્તા હતા પરન્તુ જદુનાથ સરકારની દૃષ્ટિએ તેઓ એક મહાન મરાઠા ઇતિહાસકાર હતા, ડૉ. વસંત રાવના મંતવ્ય પ્રમાણે સરદેસાઈ એક માત્ર એવા મરાઠા ઇતિહાસકાર છે જેમણે આપણી સમક્ષ મરાઠાઓનો સંપૂર્ણ અને સંકલિત ઇતિહાસ રજૂ કર્યો છે. તેઓએ ભવિષ્યની પેઢી માટે મરાઠા ઇતિહાસના ક્ષેત્રમાં સંશોધન કરવા માટેનો માર્ગ સરળ કરી આપ્યો છે.
જદુનાથ સરકારે સરદેસાઈને એમના ૮૨મા જન્મ દિવસે લખેલ પત્રમાં (તા. ૧૧-૪-૧૯૪૬) એ આશા વ્યક્ત કરી હતી, “આ દિવસે મારા મનમાં સહુથી વધુ માત્ર એક જ વિચાર આવે છે કે આપણું હજુ જે શેષ જીવન બચ્યું છે એ આર્થિક વળતર (material reward) તથા નામના (public fame) મેળવવાની દરકાર કર્યા વગર જ્ઞાનની ઉપાસનામાં અને સત્યના શોધક તરીકે વ્યતીત થાય.” ૯૩ વર્ષની આયુએ મૃત્યુ પામનાર સરદેસાઈએ સરકારની જેમ જ પોતાનું જીવન ઇતિહાસ-સંશોધન અને આલેખન-પ્રવૃત્તિને સમર્પિત કર્યું હતું. નિઃસંદેહ સરદેસાઈ આધુનિક ભારતના એક અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ઇતિહાસકાર હતા.
સંદર્ભગ્રંથો
૧. Gupta, H. R. (ed.); Life and Letters of Sir Jadu Nath Sarkar, Punjab University, Hoshiarpur, 1958
૨. Mathur, L. P; Historiography and Historians of Modern India, Inter-India, N. Delhi, 1987
૩. Mukhopadhyay, S. K., Evolution of Historiography in Modern India, Bagchi, Calcutta,
1981
૪. Sardesai, G. S. (tr. by Bansidhar); સયાજીરાવ કે સાંનિધ્યમેં, પબ્લિકેશન સ્કીમ, જયપુર, ૧૯૯૪ ૫. Sen, S. P. (ed.); Historians and Historiography in Modern India, Institute of Historical Studies, Calcutta, 1973
૬. Tikekar, S.R., On Historiography, Popular Prakashan, Bombay, 1964
સામયિક : ગાંધી બી.એન.; સ૨ જદુનાથ સરકારના જી.એસ.સરદેસાઈ પરના પત્રો – એક અધ્યયન, સંશોધન (ધોરાજી), જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૪, અંક ૩
પથિક : જાન્યુઆરી ~ જૂન, ૨૦૦૫ T ૧૦૮
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન : પરિબળો અને દિશાઓ, ૧૮૭૦-૧૯૩૦
પ્રિ. ડૉ. જગદીશભાઈ એસ. ચૌધરી* પ્રસ્તાવના :
ખેડૂતો, ખેતમજૂરો, આદિવાસીઓ, મિલમજૂરો અને દલિતો જેવા સમાજના કચડાયેલા વર્ગોને કેન્દ્રમાં રાખીને તાજેતરમાં કેટલાક અભ્યાસો થયા છે. પરંતુ આ પ્રકારના ઘણાખરા અભ્યાસોમાં બ્રિટિશ શાસકોના “રેકોર્ઝ"નો આધાર લેવામાં આવ્યો હોવાથી કચડાયેલા વર્ગોની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકતો નથી. આવાં કારણોસર પ્રસ્તુત લેખમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની પરંપરાઓની છણાવટ કરીને તેમનામાં આવેલાં સામાજિક પરિવર્તનોને સમજાવવામાં આવ્યાં છે, અને વળી આ ગતિવિધિઓને સમજાવવામાં તેમનાં દુર્લભ ગણાય તેવાં લોકગીતોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ પ્રકારનાં લોકગીતો આદિવાસીઓની જીવનશૈલીને સમજવામાં મદદરૂપ છે કારણ કે તે તેમની પોતાની લાગણીઓ અને ઊર્મિઓને વ્યક્ત કરે છે. બ્રિટિશ શાસન અને આદિવાસીઓ :
આજે આપણે જેને સુરત જિલ્લા તરીકે ઓળખીએ છીએ તે પ્રદેશ ૧૯મા સૈકામાં અડધો બ્રિટિશ તાબામાં અને અડધો ગાયકવાડી તાબામાં હતો. જેમકે સોનગઢ, વ્યારા, મહુવા, નવસારી, ગણદેવી અને માંડવીના અમુક ભાગો વડોદરાના ગાયકવાડ સરકારના તાબામાં હતા જયારે સુરત, ઓલપાડ, કામરેજ, બારડોલી, જલાલપોર, વલસાડ અને બિલિમોરા જેવા વિસ્તારો બ્રિટિશ રાજ્યના તાબામાં હતા, પણ ગાયકવાડ અને બ્રિટિશ રાજાના ઘણાખરા વિસ્તારોમાં દુબળા, ચોધરા, ગામીત, નાયકડા, કોંકણા, માંગ, ઢુંઢિયા, વારલી અને ધોડિયા જેવા આદિવાસીઓ મુખ્યત્વે વસવાટ કરતા હતા. ઉદાહરણ તરીકે ઈ.સ. ૧૮૯૧ના વસ્તી-ગણતરીના અહેવાલ મુજબ સુરત જિલ્લામાં આદિવાસીઓની કુલ વસ્તી ૨,૧૧,૧૧૬ હતી અને વડોદરા રાજ્યના આદિવાસીઓની વસ્તી ૨,૦૦,૩૪૯ હતી.”
બ્રિટિશ અહેવાલોમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને “પછાત” ઉપરાંત “ગુનેગારોની ટોળીઓ” તરીકે ઓળખાવવામાં આવ્યા છે. વળી એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આવા “પછાત અને ગુનેગાર” લોકો ખ્રિસ્તી બન્યા પછીથી તેમનામાં સુધારો થયો છે. પરંતુ આ પ્રકારનો દાવો હકીકતો અને તથ્યોથી તદ્ન વેગળો છે. સાચી હકીકત એ છે કે ઈ.સ. ૧૯૧૫ પછી ગાંધીવાદી સંસ્થાઓ અને રીતરસમો દ્વારા આદિવાસીઓમાં સમાજસુધારો થયો. તે પહેલાં છેક ૧૮૬૦ બાદ તેમનામાં “ભગત આંદોલન” શરૂ થયું હતું. આદિવાસી સમાજમાં પ્રગટ થયેલા કેટલાયે ભગતોએ તેમને દારૂ-તાડીનું સેવન નહીં કરવાના ઉપદેશો આપ્યા હતા. વળી આ ભગતોએ તેમનામાં ઘર કરી ગયેલી ભૂતપ્રેત, ડાકણ અને ભૂવાઓ જેવી અંધશ્રદ્ધાઓનો પણ વિરોધ કર્યો હતો. દુર્ગારામ મહેતાજી અને કવિ નર્મદ જેવા ૧૯મા સૈકાના સુરતના પ્રખર સમાજસુધારકો જ્યારે આદિવાસી સમાજ સુધી પહોંચી નહીં શકેલા તેવા સંજોગોમાં ઈ.સ. ૧૮૬૦ બાદ શરૂ થયેલું “ભગત આંદોલન” સમાજપરિવર્તનની દષ્ટિએ અત્યંત મહત્ત્વનું હતું.'
૧૯મા સૈકામાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ “કાળી પરજ” તરીકે ઓળખાતા હતા. પ્રેમાનંદ ધોળીદાસ પટેલ નામના વડોદરા રાજ્યના ડેપ્યુટી વિદ્યાધિકારીએ તેમને વિશે અભ્યાસ કરીને “નવસારી * એસ. વી. આર્ટ્સ કૉલેજ, ઇતિહાસ વિભાગ, રિલીફ રોડ, પથ્થરકૂવા, અમદાવાદ-૧
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન : પરિબળો અને દિશાઓ... p૧૦૯
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાંતની કાળીપરજ' નામનો ગ્રંથ ઈ.સ. ૧૯૦૧માં પ્રસિદ્ધ કર્યો હતો. તે મુજબ આદિવાસીઓ જંગલના ભાગમાં ડુંગરાની ટેકરીઓ ઉપર, ખીણોમાં અને મેદાનોમાં છૂટાછવાયા ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તેઓ પાટીદાર તેમજ અનાવિલ બ્રાહ્મણોનાં ખેતરોમાં વંશપરંપરાગત ગુલામો તરીકે ખેતરો ખેડતા. આ પ્રકારની “હાળીપ્રથા” એવી તો જડબેસલાક હતી કે ખાસ કરીને દુકાળનાં વર્ષો દરમિયાન જો કોઈ હાળી ત્રાસમાંથી મુક્ત થવા પોતાનું ઝૂંપડું છોડીને નાસી જાય તો તેને પોલીસો પકડી પાડીને સખતમાં સખત સજા કરતા અને તેની સોંપણી તેના “ધણીયામાં” (માલિક) કરતાં. તેઓ કોદરા, બાવટો, બંટી અને નાગલી જેવાં હલકાં ધાન અને કંદમૂળ તેમજ માંસ પર તેમનું અસ્તિત્વ ટકાવી રાખતા હતા. પારસી પીઠાવાળાઓએ દારૂનો પ્રચાર કરીને તેમનું ઘણું શોષણ કર્યું હતું. આવા સંજોગોમાં ગાંધીયુગ પહેલાં તેમનામાં શરૂ થયેલું ભગત આંદોલન સાચે જ મહત્ત્વના સીમાચિહ્નરૂપ હતું.
આદિવાસીઓની જીવનશૈલી :
આદિવાસીઓ અત્યંત ગરીબ હોવા છતાં તેઓ પોતાની રીતે વાર-તહેવારો અને ઉત્સવો માણવાનું ચૂકતા નહીં. હોળી, નવરાત્રી, દિવાળી અને જન્માષ્ટમી જેવા ઉત્સવો તેઓ ઊજવતા. આ દૃષ્ટિએ તેમનું નીચેનું લોકગીત અત્રે પ્રસ્તુત છે :
“હોળી આવી રૂમઝૂમ' બારા મહિને આવી હોળી રૂમઝૂમ, જીવ્યા તો આગળ હોળી રૂમઝૂમ, મર્યા તો ભઈ હોળી રૂમઝૂમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરોક્ત ગીત જાણે કે તેમનામાં ગર્ભિત રીતે રહેલા “અસ્તિત્વવાદ”નું સૂચન કરે છે. મૃત્યુ પછી કાંઈ જ નથી, અને જીવન માણવા માટે છે - એ પ્રકારની જીવનશૈલી આ ગીત દ્વારા આબેહૂબ રીતે વ્યક્ત થઈ છે. હવે બીજું ગીત જોઈએ. આ ગીત આદિવાસી પ્રેમીઓના સંવાદરૂપે છે. ખાસ કરીને દુબળા, ચોધરા અને ગામીતો તે ગાતા. તે મુજબ યુવક અને યુવતીને વાડીઓમાં હરીફરીને પ્રેમ તો કરવો છે, પણ તેમને ભય છે કે વાડીના છોડ જો તૂટી જશે તો સરકાર આપણને માર મારશે, મરચાં અને લસણની વાડીમાં તેમને ફરવાનું મન છે, પણ પોલીસનો ભય છે. આમ છતાં દંડ ભરીને પણ યુવક અને યુવતી વાડીમાં રાત વિતાવવાની ઇચ્છા ધરાવે છે. ઊર્મિપ્રધાન આ ગીત નીચે મુજબ છે :
“સરકારને દંડ ભરીને પણ વાડીમાં ઘૂમીશું”
ઓ સેલ મીરચ્યા વાડીમાં રાત રયનોરો; ઓ સેલ મીરચ્યો તૂટ્યો તો દોંડ બેઠો રે; ઓ સેલ પચાહ માગી તો હોવ દેહું રે. ઓ સેલ કાંદા વાડીમાં રાત રયનોરો; ઓ સેલ કાંદો તૂટ્યો તો ક્રોંડ બેઠો રે; ઓ સેલ ચાળી માગી તો એંસી દેહું રે. ઓ સેલ ગંદલી વાડીમાં રાત રયનોરો; ઓ સેલ ગંદલી તૂટી તો દોંડ બેઠો રે; ઓ સેલ તીસ માગી તો ચાળી દેહું રે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ D
For Private and Personal Use Only
૧૧૦
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓ સેલ વેંગા વાડીમાં રાત રયનોરો; ઓ સેલ વેંગો તૂટ્યો તો દોંડ બેઠો રે;
ઓ સેલ પાદર માગે, તો ચાળી દેહું રે. આદિવાસીઓને ઘણી વખત સરકારી અધિકારીઓ વેઠ કરાવતા. તેમના નસીબમાં રાતદિવસ ખેતર ખેડ્યા કરવાનું અને વેઠ કરવાનું લખાયું હોય ત્યાં હળવાશથી વાતો કરવાનો સમય જ ક્યાંથી હોય? નીચેના ગીતમાં યુવક યુવતીને મળવા બોલાવે છે, પણ યુવતી કહે છે કે મને તો સરકાર ઘાસ ભરવા, દળણું દળવા અને ડાંગર ખાંડવા બોલાવે છે. હું કેવી રીતે આવું ? સરકારની વેઠ કર્યા પછી તને મળવા આવીશ.
સરકારી વેઠ” સરકારી ચાર્યા ભોરાં, હાદ છે મા જુવાન્યા; જાહું કામ સેલવાડી, લેઉંકા મા જુવાન્યા. સરકારી દોલણાં દોલાં, હાદ હે મા જુવાન્યા; જાણું કામા સેલવાડી, થેલંકા મા જુવાન્યા. સરકારી ભાતાં છડો, હાદ હે મા જુવાન્યા; જાહું કામાં સેલવાડી, વેડંકા મા જુવાન્યા. સરકારી ભાત ભરાં, હાદ છે મા જુવાન્યા;
જાહુકા માં સેલવાડી, યેઉંકા મા જુવાન્યા. ઉપરોક્ત લોકગીતો સ્વયંસ્પષ્ટ છે અને તે આદિવાસીઓનાં સ્પંદનો આબેહૂબ રીતે વ્યક્ત કરે છે. સયાજીરાવ ગાયકવાડ અને આદિવાસીઓ :
જુનવાણી અને પછાત આદિવાસી સમાજની જીવનશૈલીમાં હસ્તક્ષેપ કરીને આદિવાસીઓની પરિસ્થિતિ સધારનાર જો કોઈ હોય તો તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ઈ.સ. ૧૮૬૩-૧૯૩૯) હતા. તેઓ આકસ્મિક રીતે મહારાજા બન્યા તે પહેલાં નાસિક જિલ્લામાં આવેલા કવળાણે નામના ગામડામાં તેઓ ખેડૂતપુત્ર હતા. ખેડૂતો પ્રત્યે તેમને હમદર્દી હતી તેથી જ તેઓ ઈ.સ. ૧૮૮૨ બાદ વડોદરા રાજ્યનાં ગામડાઓની મુલાકાત લઈને લોકસંપર્ક કરતા. ઈ.સ. ૧૮૮૪માં તેમણે આ રીતે સોનગઢ અને વ્યારાની મુલાકાત લીધી અને આદિવાસીઓને મળ્યા. આદિવાસીઓની પરિસ્થિતિ ઘણી વિષમ હતી. આર્થિક અને સામાજિક દષ્ટિએ તેઓ અત્યંત પછાત હતા. તેથી સયાજીરાવે તેમની કેળવણી વિષયક અને સામાજિક પરિસ્થિતિ સુધારવા ઈ.સ. ૧૮૮૫માં સોનગઢમાં એક શાળા અને હોસ્ટેલ શરૂ કરી. તે સમયે આદિવાસીઓ “કાળી પરજ” (એટલે કાળી પ્રજા) તરીકે ઓળખાતા. તેમને માટેની હોસ્ટેલ “ઘાણકા વસ્તીગૃહ” તરીકે ઓળખાતી. ત્યારબાદ સયાજીરાવે વ્યારા જેવાં ગામડાંઓમાં શાળાઓ અને વસ્તીગૃહો સ્થાપ્યાં. તેમણે આદિવાસીઓને સુધરેલાં બિયારણો અને ખેતીનાં ઓજારો પૂરાં પાડ્યા. ઈ.સ. ૧૮૯૨માં તેમણે આદિવાસીઓનો ખાસ અભ્યાસ કરવા વડોદરા રાજ્યના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર પ્રેમાનંદ ધોળીદાસ પટેલની બદલી વ્યારામાં કરી. પ્રેમાનંદ પટેલ ત્યાં વર્ષો સુધી રહ્યા. તેના પરિણામસ્વરૂપ વડોદરા રાજ્ય તરફથી ઈ.સ. ૧૯૦૧માં “નવસારી પ્રાંતની કાળી પરજ' નામનો ગ્રંથ પ્રસિદ્ધ થયો હતો. સેંકડો વર્ષ જૂની પરંપરાઓમાંથી આદિવાસી સમાજનું પરિવર્તન કેવી રીતે થયું તે આ પ્રકારની ઘટનાઓ ઉપરથી સારી રીતે સમજી શકાય છે. અત્રે ખાસ યાદ રાખવું પડે તેમ છે કે જે કામ કવિ નર્મદ, દુર્ગારામ મહેતાજી અને મહિપતરામ રૂપરામ જેવા પ્રથમ પંક્તિના સમાજસુધારકો કરી શક્યા ન હતા તે કામ સયાજીરાવ ગાયકવાડે કરી બતાવ્યું હતું. કવિ
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન : પરિબળો અને દિશાઓ,
p૧૧૧
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર્મદ, કવિ દલપતરામ, દુર્ગારામ અને મહિપતરામ જેવા સમાજસુધારકોની પ્રવૃત્તિઓ મોટેભાગે ઉચ્ચવર્ણના અને નગરોમાં વસતા હિંદુ સમાજ પૂરતી મર્યાદિત હતી. આ દૃષ્ટિએ જોઈએ તો મહાત્મા ગાંધીજી પહેલાં ગ્રામસુધારણાનો કાર્યક્રમ અમલી બનાવનાર સૌપ્રથમ વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડ હતા. ગાંધીચીંધ્યા માર્ગે આદિવાસી-ઉત્કર્ષ પ્રવૃત્તિઓ :
ઈ.સ. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી હિંદમાં કાયમી વસવાટ કરવા માટે ગાંધીજી આવ્યા. ગાંધીજીએ એક તરફ બ્રિટિશ સામ્રાજ્ય સામે અહિંસક રીતે લડવાના કાર્યક્રમો આપ્યા. સમસ્ત હિંદની પ્રજાને તેમણે ભેગી કરી. બીજી તરફ તેમણે હરિજનો અને આદિવાસીઓ સહિત ગરીબ લોકોની ઉન્નતિ કરવાના ભગીરથ પ્રયાસો આદર્યા. તેમણે “માસ મુવમેન્ટ” – એટલે કે પ્રજાકીય આંદોલન શરૂ કર્યું. તેમાં હરિજનો, ખેડૂતો અને આદિવાસીઓ જોડાયા. ગાંધીજીએ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને હાની પ્રથામાંથી મુક્ત કરાવવાના પ્રયાસો કર્યા. બીજી તરફ તેમણે દારૂ-તાડીના વ્યસનમાંથી આદિવાસીઓને મુક્ત કરાવવાના પ્રયાસો કર્યા. જુગતરામ દવે જેવા તેજસ્વી સામાજિક કાર્યકરો (Grass Root Workers) આ રીતે ઊભા થયા. તેમણે રચનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે ખાદીનું કામ ઉપાડી લીધું. ઈસ. ૧૯૨૨ અને ત્યારબાદ બારડોલી, વેડછી, સરભોણ અને વ્યારા જેવા ગામોમાં સ્વરાજ આશ્રમો શરૂ થયા. આ અંગેનું વર્ણન અને વિશ્લેષણ સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી આઈ. પી. દેસાઈએ તેમના ગ્રંથમાં અસરકારક રીતે કર્યું હોવાથી તેને દોહરાવવાની જરૂર નથી. માત્ર એટલી જ સ્પષ્ટતા કરવી છે કે નિરક્ષર અને અભણ આદિવાસીઓ સુધી પહોંચવા માટે ગાંધીવાદી પાયાના કાર્યકરો સાદી અને સરળ ભાષાનો ઉપયોગ કરતા. તેઓ કાવ્યો દ્વારા પણ ગાંધીવાદી કાર્યક્રમોને આદિવાસી સમાજમાં લોકપ્રિય બનાવતા. તેમાંથી ઉકાભાઈ ચૌધરી જેવા અનેક આદિવાસી નેતાઓ ઊભા થયા. આદિવાસી સમાજમાં એટલે કે ગ્રામીણ સમાજમાં પ્રસરેલાં ગીતો કવિ કાન્ત, નરસિંહરાવ કે કલાપી, ઉમાશંકર જોષી કે સુંદરમૂની ભાષા અને શૈલી મુજબનાં ન હતાં. તે તો સમાજપરિવર્તનના ધ્યેયને અમલી બનાવવાના ઇરાદાથી રચાયાં હતાં. આદિવાસીઓનું શોષણ કરનાર મુખ્યત્વે શાહુકારો અને દારૂતાડીને પીઠાવાળાઓ હતા. તેમની પ્રવૃત્તિઓથી વાકેફ બનીને તેમને જાગ્રત કરવાનો આવાં કાવ્યોનો મુખ્ય ઉદેશ હતો.
“લખમીધર શેઠ” હું તો લખમીધરજી શેઠ, મારું બહુ મોટું છે પેટ ! દુનિયા આખી સમાય તેમાં, સોના-ચાંદી સમેત ! મારું બહુ મોટું છે પેટ ! દુકાળિયાંની ભૂખ, એ તો મારું મોટું સુખ! એ ભૂખમાંથી મહોર પકાવું, એવો મારો પંચ ! મારું બહુ મોટું છે પેટ ! દારૂડિયાનો દારૂ; એ તો મારું ધનનું બારું ! ધન આપે ને ઉપર આપે માગું એટલી વેઠ ! મારું બહુ મોટું છે પેટ !
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ x ૧૧૨
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુલામની ગુલામી, મારી એ તો પેઢી નામી !
નહીં તોય લાવી લાવી સોનું ધરતાં ભેટ ! મારું બહુ મોટું છે પેટ !૧૭
*
‘‘શેઠ—દારૂવાળો—જમાદાર
આપણી ત્રણ જણાની જોડી,
એને કોઈ શકે નહીં તોડી !
શાહુકાર,
જમાદાર,
દારૂનો ઇજારદાર,
ત્રણે થઈને ધારીએ તો,
દુનિયા નાખીએ તોડી ! આપણી ત્રણ જણાની જોડી ! આપણી ત્રણેયની ભાઈબંધી, એને કોઈ શકે નહીં ખંડી ! બંદૂકવાળો, દારૂવાળો,
સોનાના સિક્કાઓ વાળો,
આપણું ત્રણ જણાનું ગાડું,
એને કોઈન આવે આડું ! કલાલિયો
ને વાણિયો,
રાજ્યનો વળી રાજિયો,
ત્રણે થઈને ધારીએ તો
ડંકો બધે વગાડું ! આપણું ત્રણ જણાનું ગાડું.
૧૮
સમાપન :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંપરામાંથી પરિવર્તનની પ્રક્રિયા કેવી રીતે સર્જાય છે તેનું દૃષ્ટાંત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં આવેલું પરિવર્તન પૂરું પાડે છે. જંગલમાં વસવાટ કરનારો આ એક ગ્રામીણ સમાજ હતો.૯
આદિવાસી પ્રસ્તુત સંશોધનનું તારણ એ છે કે સમાજમાં પરિવર્તન કરનાર ત્રણ પરિબળો હતાં : ભગત આંદોલન, સયાજીરાવ ગાયકવાડની પ્રવૃત્તિઓ અને ઈ.સ. ૧૯૧૫ બાદ શરૂ થયેલી ગાંધીવાદી પ્રવૃત્તિઓ. ગાંધીવાદી પ્રવૃત્તિઓ સૌથી વધારે અસરકારક હતી. સયાજીરાવની પ્રવૃત્તિઓ રાજ્ય દ્વારા થયેલી હોવાથી ઘણે અંશે સીમિત હતી. બીજી તરફ આદિવાસી કલ્યાણની ગાંધીવાદી પ્રવૃત્તિઓ લાંબાગાળાના રચનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે યોજાઈ હતી. અનેક ગાંધીવાદી રચનાત્મક કાર્યકરો તેની સાથે સંકળાયા હતા.
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન ઃ પરિબળો અને દિશાઓ,... T ૧૧૩
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાદટીપ
9. Jan Breman, Patrorige and Exploitation : Changing Agrarian Relations in South
Gujarat - (California, 1974); ડેવિડ હાર્ડિમન, દેવી આંદોલન, અનુશાંતિભાઈ મેરાઈ (સુરત, ૧૯૮૬); આઈ. પી. દેસાઈ, વેડછી આંદોલન : સમાજશાસ્ત્રીય અભ્યાસ (સુરત, ૧૯૮૨). Bombay Government, Gazetteer of the Bombay Presidency, Vol. 9, Part-1, Gujarat
Population : Hindus, (Bombay, 1899), pp. 291-330. ૩. એજન ૪. પ્રેમાનંદ ધોળીદાસ પટેલ, “નવસારી પ્રાંતની કાળી પરજ', વડોદરા, ૧૯૦૧), પૃ. ૧-૪ ૫. ૧૯મા સૈકાના સમાજ સુધારાના આંદોલન માટે જુઓ R. . Raval, Socio-Religious Reform
Movement in Gujarat during the 19th Century (New Delhi, 1987). 6. ડેવિડ હાર્ડિમન, ઉપરોક્ત; જગદીશ ચૌધરી “બ્રિટિશ સંસ્થાનવાદ અને ગુજરાતના દુકાળો, ૧૮૦૦
૧૯OO” (પીએચ.ડી. મહાનિબંધ, ગુજરાત યુનિવર્સિટી, ૨૦૦૨) ૭. પ્રેમાનંદ ધોળીદાસ પટેલ, ઉપરોક્ત ૮. એજન ૯. એજન ૧૦. મકરન્દ મહેતા, 'હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજપરિવર્તન અને ગુજરાતના દલિતો', (અમદાવાદ, ૧૯૯૫),
પૃ. ૨૪-૩૨ ૧૧. એજન ૧૨. આર. એલ. રાવલ, ઉપરોક્ત ૧૩. Bhikhu Parekh, ‘Gandhi's Legacy', in R, Srinivasan and Usha Thakkar (eds.),
Pushpanjali, Essays on Ghandhian Theme, (Delhi, 1999), pp. 21-47 ૧૪. વધુ વિગત માટે જુઓ, રામનારાયણ પાઠક, ગુજરાતમાં રચનાત્મક સંસ્થાઓ અને સેવકો', (અમદાવાદ,
૧૯૭૭). ૧૫. આઈ. પી. દેસાઈ, ઉપરોક્ત ૧૬. એજન ૧૭, જુગતરામ દવે, “ગ્રામ ભજનમંડળી', (અમદાવાદ, ૧૯૩૮) ૧૮. એજન ૧૯. ડેવિડ હાર્ડિમન, ઉપરોક્ત
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૧૪
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરદાર પટેલ અને કાઠિયાવાડ રાજકીય પરિષદ
પ્રા. ડૉ. નીતા જે. પુરોહિત ભારતમાં વીસમી સદીનો પૂર્વાર્ધ એ રાષ્ટ્રીય ચળવળનાં વિકાસ અને લક્ષ્યની સિદ્ધિનો યુગ ગણવામાં આવે છે. સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે ભારતની રાષ્ટ્રીય ચળવળનો ઉદય અને વિકાસ મુખ્યત્વે બ્રિટિશ ભારતમાં થયા હતા. પરંતુ આ વિધાન ભૂલભરેલું છે કારણ કે જયારે પણ બ્રિટિશ ભારતમાં રાષ્ટ્રીય ચળવળ જર પકડતી ત્યારે તેની પડોશમાં આવેલાં દેશી રાજયોમાં તેના પડઘા પડ્યા વિના રહેતા નહીં.' ભારતમાં કુલ ૫૬૩ દેશી રાજ્યો આવેલાં હતાં તેમાંથી સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ ૧૪ સલામીવાળાં, ૧૭ બિનસલામીવાળા અને ૧૯૧ અન્ય તાલુકા અને પ્રદેશો મળી કુલ ૨૨૨ રાજ્યો આવેલાં હતાં.
વીસમી સદીના પૂર્વાર્ધમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર જેવા રાજયોને બાદ કરતાં અન્ય દેશી રાજયોમાં આપખુદ અને અત્યાચારી શાસન પ્રવર્તતું હતું. પ્રજાનું દમન થતું હતું અને શાસકોને સાર્વભૌમ બ્રિટિશ સત્તાનું પીઠબળ હોવાથી પ્રજાનો અવાજ રૂંધાઈ ગયો હતો. આ સમયે બ્રિટિશ ભારતના અન્ય પ્રદેશોની જેમ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ૧૯૨૦ પછી આઝાદીની લડત અંગે વ્યક્તિઓ અને સંસ્થાઓમાં વિશેષ જાગૃતિ આવી રહી હતી તેથી તેની અસર વ્યાપક બનવા લાગી હતી. જોકે શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં સંસ્થાઓ કરતાં વ્યક્તિઓનું કાર્ય મહત્ત્વનું રહ્યું હતું. પરંતુ પછીથી પ્રજાકીય સંસ્થાઓની સ્થાપના થતાં રાષ્ટ્રીય ચળવળમાં વેગ આવ્યો હતો. કેટલાંક દેશી રાજ્યોએ સમય પારખીને પ્રજા પ્રતિનિધિ સભાની રચના કરી હતી. પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ વડોદરા રાજયમાં ૧૯૧૬માં પ્રજા મંડળની, સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજયે ૧૯૧૭માં પ્રજા પ્રતિનિધિ સભાની* અને ૧૯૧૯માં જામનગર રાજયે સલાહકારી કાઉન્સિલની રચના કરી હતી. વળી ૧૯૨૩માં રાજકોટ રાજયે પ્રજા પ્રતિનિધિસભા સ્થાપી હતી.”
આમ ૧૯૨૦ની આસપાસ પ્રજાકીય સંસ્થાઓની સ્થાપના દ્વારા રાષ્ટ્રીય ચળવળમાં ગતિ આવી હતી. પરંતુ પ-૧૨-૧૯૨૦ના દિવસે રાજકોટમાં સમસ્ત સૌરાષ્ટ્રના પ્રશ્નોને વાચા આપવા અને પ્રજામાં જાગૃતિ લાવવા ‘કાઠિયાવાડ રાજકીય પરીષદ'ની સ્થાપના થઈ. અને જાણે કે સૌરાષ્ટ્રના નૂતન રાજકીય જીવનનું સોનેરી પ્રભાત ઊગ્યું. સૈકા જૂની તંદ્રા ત્યજીને તોતિંગ સૌરાષ્ટ્ર આળસ મરડીને બેઠા થવાનો જાણે નિર્ધાર કર્યો. આ સંસ્થાનો મુખ્ય હેતુ પ્રજામાં સ્વદેશાભિમાન ખીલવવાનો તથા તેમનમાં સંઘ શક્તિ જાગ્રત કરવાનો હતો. ગાંધીજીએ તેના કાર્ય અંગે સૂચવેલું કે તેણે રાજાઓના જુલમની સામે જાહેર મત કેળવવાનું કાર્ય પણ કરવું જોઈએ. 10
કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપનાને સૌરાષ્ટ્રના રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ ગણી શકાય કારણ કે પહેલીવાર સૌરાષ્ટ્રના સમસ્ત જીવનને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવા માટેની સંસ્થા રચાઈ અને નૂતન કાઠિયાવાડ’ વિચાર કરવામાં આવ્યો.'' આ પરિષદનું પ્રથમ અધિવેશન ૧૯૨૧માં રાજકોટમાં અને છેલ્લું અને સાતમું અધિવેશન ૧૯૪૬માં પ્રાંગધ્રામાં મળ્યું હતું. આમ આ પરિષદ તેના લગભગ ૨૫ વર્ષના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર રહી હતી. તેની એક બીજી વિશેષતા એ રહી કે તેને પ્રારંભથી જ રાષ્ટ્રીય કક્ષાના બે મહત્ત્વના નેતાઓ એવા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન મળતાં રહ્યાં હતાં. આ પરિષદના પ્રમુખોનાં નામ તપાસવાથી પણ જાણી શકાય છે કે આ પરિષદ કેટલી મહત્ત્વની હતી. ૧૯૨૧માં તેનું પ્રથમ અધિવેશન રાજકોટમાં મળ્યું ત્યારે તેના પ્રમુખ તરીકે
* અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, ડી. કે. વી. કૉલેજ, જામનગર
સરદાર પટેલ અને કાઠિયાવાડ રાજકીય પરિષદ 1 ૧૧૫
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઠ્ઠલભાઈ પટેલ હતા જે પછીથી ૧૯૨૫માં ભારતની વડી ધારાસભાના પ્રમુખ પણ બન્યા હતા. તો ૧૯૨૯માં મોરબીમાં ભરાયેલા તેના પાંચમા અધિવેશનમાં તેના પ્રમુખ બારડોલીની લડતના સરદાર એવા વલ્લભભાઈ પટેલ હતા. આમ ખેડા જિલ્લાના આ બે મહાન બંધુઓનું માર્ગદર્શન આ સંસ્થાને મળ્યું હતું.'
કાઠિયાવાડ પરિષદના રાજકોટમાં ભરાયેલા અધિવેશનમાં પ્રમુખસ્થાનેથી શ્રી વિઠ્ઠલભાઈ પટેલે બોલતાં દેશની પરિસ્થિતિનો ચિતાર આપી સૌરાષ્ટ્રમાં કરવાનાં કાર્યો અંગે માર્ગદર્શન આપી પ્રજાને પ્રેરણા વઢવાણ કેમ્પમાં ૧૯૨૨માં વડોદરા રાજ્યના ન્યાય ખાતામાં લાંબી સેવા આપી ચૂકેલા અબ્બાસ તૈયબજીના પ્રમુખપદ હેઠળ મળ્યું હતું. આ પરિષદમાં સરદાર પટેલ પણ સૌ પ્રથમવાર હાજર રહ્યા હતા. અને આમ કાઠિયાવાડ રાજકીય પરિષદ સાથે તેમનો સંબંધ બંધાયો હતો. અબ્બાસ તૈયબજીએ પ્રમુખપદેથી અબ્રાહમ લિંકનના લોકશાસનનો સિદ્ધાંત સમજાવ્યો હતો, આ પરિષદમાં સરકારી નોકરી છોડી અસહકારી બનેલા કવિ ન્હાનાલાલે પ્રસંગોચિત સ્વરચિત ગીત ગાયું હતું. કળીયુગના ભીમસેન ગણાતા પ્રો. રામમૂર્તિએ પણ હાજર રહી રાષ્ટ્રીય એકતા ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિષદમાં પ્રથમવાર હાજર રહેનાર સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કામ કરવાની લાક્ષણિક પદ્ધતિનો બધાને અનુભવ કરાવ્યો હતો. પરિષદના અધિવેશનમાં દલિતો માટે જુદું સ્થાન રાખવામાં આવેલું ત્યારે વલ્લભભાઈ પટેલ પરિષદ પ્રમુખની બાજુનું ઊંચું સ્થાન ત્યજીને દલિતો માટે રખાયેલા અલગ સ્થાનમાં દલિતોની સાથે જઈને બઠા. તેમના પગલે સૌરાષ્ટ્રના ત્યાગવીર રાજવી દરબાર ગોપાળદાસ દેસાઈ પણ પોતાના કુટુંબને લઈને ત્યાં બેઠા. આ પરિષદે અસ્પૃશ્યતાનિવારણનો ઠરાવ પસાર કર્યો હતો પણ સરદાર પટેલના આ કાર્યની ઠરાવ કરતાં પણ વધારે અસર થઈ. આમ સરદાર પટેલે પોતાના આ કાર્ય દ્વારા પરિષદના કાર્યકરોને વાતો કરવાને બદલે અમલીકરણ ઉપર ભાર મૂકવાનું દષ્ટાંરૂપ કાર્ય કરી બતાવ્યું અને પોતે વાસ્તવવાદી છે તેવું પુરવાર કર્યું.
આ પરિષદનું ત્રીજું અધિવેશન ૧૯૨૫માં સોનગઢ કે ભાવનગરમાં ભરવા અંગે વિવાદ ઊભો થયો હતો. ભાવનગર રાજયના દીવાન પ્રભાશંકર પટ્ટણીએ આ પરિષદ ભાવનગરને બદલે સોનગઢમાં ભરવા સૂચવ્યું હતું કારણ કે ભાવનગરમાં ભરવાથી બાળ મહારાજાની ગાદી જોખમમાં આવી પડે એવી તેમને આશંકા હતી. તેથી ભાવનગરમાં આ પરિષદ ભરવા અંગે તેમણે મનાઈ હુકમ કર્યો. બીજી બાજુ ભાવનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના કાર્યકરો મનાઈ હુકમનો ભંગ કરી સત્યાગ્રહ કરીને પરિષદ ભાવનગરમાં જ ભરવાનું મંતવ્ય ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગાંધીજીની સૂચનાથી સૌરાષ્ટ્રના રાજયોમાં રસ લેવા આવ્યા હતા. તેમણે પણ આ મનાઈ હુકમનો ભંગ કરીને ભાવનગરમાં જ પરિષદ ભરવા માટે સંમતિ અને સલાહ આપી હતી. પરંતુ અંતે આ પરિષદનું પ્રમુખપદ ગાંધીજીએ સ્વીકારવાની સંમતિ આપતાં પરિષદના સ્થળનો વિવાદ શમી ગયો અને શ્રી પટ્ટણીએ ભાવનગરમાં પરિષદ ભરવા સામેનો મનાઈ હુકમ પાછો ખેંચી લીધો. આ સમયે ગાંધીજી કેંગ્રેસના પણ પ્રમુખ હતા તેથી થોડા સમય માટે કાઠિયાવાડ રાજકીય પરિષદે રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું. આ પરિષદમાં રાજકોટના રાજવી લાખાજીરાજની પ્રજાહિતની કામગીરીને બિરદાવવા માટે માનપત્ર આપવામાં આવ્યું હતું. ગાંધીજીના પિતા રાજકોટ રાજ્યના દીવાન રહી ચૂક્યા હતા. તેથી ગાંધીજીએ રાજકોટ રાજય સાથેના સંબંધોને ધ્યાનમાં લઈ પોતે પરિષદ પ્રમુખ હોવા છતાં લાખાજીરાજને અપાયેલા માનપત્રનું વાંચન થયું ત્યાં સુધી પોતે ઊભા રહીને પોતાની લાખાજીરાજ પ્રત્યેની આદરની લાગણી વ્યક્ત કરી હતી. આ પરિષદમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે હાજર રહી અસરકારક ભાષણ કરી તેની કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો.
ઈ.સ. ૧૯૨૮માં પોરબંદરમાં આ પરિષદનું ચોથું અધિવેશન ઠક્કરબાપાના પ્રમુખપદે મળ્યું હતું તેમાં પણ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ પરિષદમાં જ ગાંધીજીએ કહેલું કે “આ
પથિક : જાન્યુઆરી -- જૂન, ૨૦૦૫ D ૧૧૬
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિષદ બકરાની છે, સિંહની નથી''” એમ કહીને તેમણે પરિષદની અને તેમના કાર્યકરોની મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેને સરદાર પટેલે ટેકો આપ્યો હતો. ગાંધીજીએ જણાવેલું કે ‘રાજ્યોમાં ઘણાં દુષ્ટ કામો થતાં સાંભળું છું પણ તેનાથી વધારે દુષ્ટ કામ એ રાજ્યની બહાર મોટાં રાજ્યોમાં થઈ રહ્યાં છે તે કરનારાઓની ચોટલી પકડીશું એટલે રાજ્યોની વાતનો સહેજે નિકાલ આવી જશે.૨૦ આમ પરિષદ ઉપર મૂકેલી કેટલીક સ્વમર્યાદાઓ અંગે તેમણે જણાવેલું કે ‘અત્યારે આપણી પાસે કાઠિયાવાડના કોઈ રાજ્યની સરહદમાં રહીને તેની કે બીજાં રાજ્યોની ટીકા કરવાની શક્તિ નથી એટલે જ એવી ટીકા કરવાની શક્તિ ભવિષ્યમાં મેળવવાની આશાએ આપણે આવી મર્યાદા મૂકી છે.
કાઠિયાવાડ રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન મોરબીમાં ૧૯૨૯માં મળ્યું હતું અને તેના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ વરાયા હતા. મોરબીની આ પરિષદ મળી એના એક વર્ષ અગાઉ બારડોલી સત્યાગ્રહનું યોગ્ય નેતૃત્વ કરી સફળતા મેળવી તેઓ સાચા અર્થમાં ‘સરદાર’ પુરવાર થયા હતા. મોરબી રાજ્યે આ પરિષદ ભરવા અંગે સંમતિ આપી હતી પરંતુ તેની સાથે જ ત્યાં કાઠિયાવાડ યુવક પરિષદ ભરાય તે તેને નાપસંદ હતું કારણ યુવક પરિષદમાં કાઠિયાવાડ રાજકીય પરિષદે દોરી આપેલી મર્યાદાઓનો ભંગ કરીને વ્યક્તિગત રાજ્યો અને રાજવીઓની ઉગ્ર ટીકા થવાની સંભાવના હતી તેથી આ બંને પરિષદ એક જ સ્થળે મોરબીમાં ભરાય તે ગાંધીજીને પણ ઠીક લાગ્યું ન હતું. છતાં તેમણે આ અંગે કાઠિયાવાડના યુવક નેતાઓને સરદાર પટેલની સલાહ અને માર્ગદર્શન મેળવવા જણાવ્યું હતું. તેમણે પણ ગાંધીજીની જેમ યુવકને મર્યાદાઓ સ્વીકા૨વા જણાવતાં યુવક નેતાઓ નારાજ થઈને મોરબી છોડીને ચાલ્યા ગયા છતાં આવા ડહોળાયેલા વાતાવરણમાં સરદાર પટેલે કુનેહથી કામ લીધું અને કેટલાક યુવક નેતાઓ હાજર રહ્યા. વિશેષતા તો એ રહી કે યુવક પરિષદમાં વરાયેલા પ્રમુખ મણિલાલ કોઠારી અને તેમના સાથીદારો આ પરિષદમાં હાજર રહ્યા હતા અને પરિષદ પ્રમુખ સરદાર પટેલની પડખે રહ્યા હતા. ગાંધીજી અને સરદારે કાઠિયાવાડની એ વખતની પરિસ્થિતિની ઝીણવટભરી છણાવટ કરી રાજા અને પ્રજા બંનેને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું.
પ્રમુખપદેથી બોલતાં સરદાર પટેલે યુવકોની વાચાળતા અને માત્ર શબ્દોમાં જ બહાદુરી બતાવવાની અધીરતાની આલોચના કરી હતી. તો રાજાઓની ઝાટકણી કાઢતાં તેમનો નિરંકુશ સત્તા પ્રત્યેનો મોહ ઓછો કરવા અને બ્રિટિશ સામ્રાજ્યની સોડમાં ભરાવા કરતાં પ્રજાનો પ્રેમ સંપાદન કરવા સલાહ આપી હતી. ઉપરાંત તેમણે એમ કહેલું કે ‘કાઠિયાવાડ એટલે તેનાં અનેક ગામડાંઓમાં વસતી પ્રજા. તેનો પ્રાણાગ્નિ ઓલવાઈ ગયો છે તેથી તેના બુઝાયેલા હૈયામાં ચિનગારી પ્રગટાવવાની જરૂર છે..... આજની પરિસ્થિતિમાં પરિષદનું મુખ્ય કામ પ્રજામાં પ્રાણ રેડવાનું જ હોવું જોઈએ. એ ત્યારે જ બની શકે તપ્રોત થઈ જાય.’૨૨ ઉપસંહાર ભાષણમાં તેમણે કહ્યું કે ‘૧૯૨૧ થી ૧૯૨૯નાં નવ વર્ષમાં આપણે માત્ર પાંચ પરિષદો ભરી એટલે કે દર વર્ષે આપણે પરિષદ ભરી શક્યા નથી. તે પરિષદની મર્યાદા દર્શાવે છે. વળી રાજાઓ પાસે કામ કરાવવું હોય તો પરિષદનો રાજા પ્રત્યે પ્રેમ જોઈએ અથવા પરિષદમાં રાજાને પદભ્રષ્ટ કરવાની શક્તિ જોઈએ; પરંતુ જો એ બેમાંથી એક પણ શક્તિ આપણામાં ન હોય તો આપણી દશા વર્ણસંકરની થાય.... માટે કાઠિયાવાડની પ્રજાએ ખુશામત છોડી દઈ શક્તિ એકઠી કરવા જણાવ્યું.... બહુ બોલવાથી લાભ નથી પણ હાનિ છે. ખાલી નિંદાથી કોઈ રાજા હાર્યો એવો દાખલો નથી.૨૩ આમ તેમણે પોતાની લાક્ષણિક શૈલીમાં પ્રજાની મર્યાદાનો ખ્યાલ આપી વાસ્તવવાદી બનવા સલાહ આપી.
મોરબી પરિષદ ૧૯૨૯માં ભરાયા પછી છેક આઠ વર્ષે ૧૯૩૭માં રાજકોટમાં તેનું છઠ્ઠું અધિવેશન દરબાર ગોપાળદાસ દેસાઈના પ્રમુખપદે મળ્યું હતું. તેમાં પણ સરદાર પટેલ હાજર રહ્યા હતા. આમ ૧૯૨૯ થી ૧૯૩૭ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે હતા. પરિષદના છઠ્ઠા
સરદાર પટેલ અને કાઠિયાવાડ રાજકીય પરિષદ ૧૧૭
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિવેશન પછી જ રાજકોટમાં અન્યાયી કરવેરા અને જુલમીતંત્ર સામે ૧૯૩૮-૩૯માં સત્યાગ્રહ થયો હતો.૨૪ આ પરિષદનું છેલ્લું અને સાતમું અધિવેશન છેક ૧૯૩૬માં પ્રાંગધ્રામાં દરબાર ગોપાળદાસના પ્રમુખપદે મળ્યું હતું અને તેમાં કાઠિયાવાડના એકમોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે સરદાર પટેલ આવ્યા પછી ગાંધીજી પણ કાઠિયાવાડના કાર્યકરોને તેમના પ્રશ્નો અંગે સરદાર પટેલનું માર્ગદર્શન લેવા જણાવતા હતા તે ગાંધીજીની સરદારની શક્તિમાં રહેલી શ્રદ્ધા અને સરદાર પટેલની કાઠિયાવાડના પ્રશ્નોને સમજવામાં રહેલી કુનેહ દર્શાવે છે. તેથી જ ૧૯૩૧માં ગાંધી-ઇર્વિન કરાર થઈ જતાં સંધિકાળ હોવા છતાં ઇર્વિન કરાર થયો ત્યારે સરદાર પટેલે સૌરાષ્ટ્રના કાર્યકરોને પોતાની લાક્ષણિક શૈલીમાં જણાવેલું કે, 'તલવાર મ્યાનમાં રાખજો, પણ હાથ તો મળે છે કારણ કે આ સંધિકાળના વર્ષ ૧૯૩૧માં જ સૌરાષ્ટ્રમાં પ્રોલ, વણોદ, મોરબી અને પ્રાંગધ્રામાં સત્યાગ્રહો થયા હતા. જેમાંથી પહેલા બે સફળ રહ્યા અને છેલ્લા બે નિષ્ફળ રહ્યા. સરદાર પટેલની સૂચનાઓને અવગણીને સ્થાનિક કાર્યકરોએ પોતાની મર્યાદાઓ અને જે તે રાજયની શક્તિનું માપ કાઢ્યા વિના મોરબી અને પ્રાંગધ્રાના સત્યાગ્રહ કર્યા તેથી તે નિષ્ફળ ગયા હતા. ત્યાર પછીથી સરદારશ્રીની સલાહમાં રહેલા ડહાપણનું ફૂલચંદભાઈ શાહ તથા અન્યોને ભાન થયું હતું. ૨૫
આમ કાઠિયાવાડ રાજકીય પરિષદ એ સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્નોને વાચા આપનારી એક કેન્દ્રિય સંસ્થા હતી. તેથી સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય આંદોલનની પ્રવૃત્તિઓમાં તે અગ્રસ્થાને હતી. કાઠિયાવાડની પાઘડીઓના વળ જેવું કાઠિયાવાડનું રાજકારણ વિશિષ્ટ ભાત ધરાવતું હતું. તેથી કાઠિયાવાડના કાર્યકરોની આ આંદોલનમાં અગ્નિ-પરીક્ષા થઈ હતી તેમ કહી શકાય. પણ પ્રારંભમાં તેમને ગાંધીજી અને પછીથી તેમના અદના સિપાહી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વાસ્તવદર્શી માર્ગદર્શન મળ્યું તેના પરિણામે કાઠિયાવાડ રાજકીય પરિષદ ૧૯૨૯ થી ૧૯૪૮ સુધીના સૌરાષ્ટ્રના ખાખરેચી, વિરમગામ, ધોલેરા, કોલ, વણોદ, મોરબી, પ્રાંગધ્રા, રાજકોટ, લીંબડી જેવા સત્યાગ્રહોમાં કાઠિયાવાડ રાજકીય પરિષદને સરદાર પટેલનું સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું. જૂનાગઢની આરઝી હકૂમતને પણ તેમના છૂપા આશીર્વાદ હતા. તેથી જ જૂનાગઢનો મુક્તિ સંગ્રામ સફળ બન્યો હતો. સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનું એકીકરણ કરવામાં ભાવનગર રાજયે સરદાર પટેલની સલાહથી પહેલ કરી હતી. અને પછીથી સરદાર અને તેના ચુનંદા સચિવોના જૂથે સૌરાષ્ટ્રનાં રાજયોનું એકીકરણ કુનેહપૂર્વક કર્યું હતું. તેનાથી ગાંધીજીને પણ સંતોષ થયો હતો.
આમ કાઠિયાવાડ રાજકીય પરિષદના ૧૯૨૧ના પ્રથમ અધિવેશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ હતા. તેના ૧૯૨૯ના મોરબીમાં યોજાયેલા પાંચમા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને છઠ્ઠા અને સાતમા અધિવેશનના પ્રમુખ દરબાર ગોપાળદાસ દેસાઈ હતા. આમ કરમસદની બંધુ-બેલડી અને વસોના દરબાર ગોપાળદાસ દેસાઈ કાઠિયાવાડ રાજકીય પરિષદના સફળતાના આધારસ્તંભો હતા તે રીતે જોઈએ તો સૌરાષ્ટ્રની રાષ્ટ્રીય ચળવળમાં અગ્રગણ્ય ભાગ ભજવનાર સંસ્થા એવી કાઠિયાવાડ રાજકીય પરિષદના મુખ્ય અને મહત્ત્વના સૂત્રધારો ચરોતર પ્રદેશના હતા. એ રીતે જોઈએ તો ચરોતર પ્રદેશ અને તેના સૌથી અગ્રગણ્ય એવા સપૂત સરદાર પટેલનું સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય પ્રદાન રહ્યું હતું એમ કહી શકાય.
ખરેખર રંગ લાવીને રહી માટી ચરોતરની, સુણી રણહાકને ઊકળી ઊઠી માટી ચરોતરની. ગયા એ ગ્રે જ ને રાજા -નવાબો એક ઝટકામાં, બિરુદ લોખંડનું પામી ગઈ માટી ચરોતરની, અમર સરદાર વલ્લભને કદી ઇતિહાસ નહીં ભૂલે.” પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૧૧૮
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંદર્ભો ૧. હોન્ડા, આર, એલ., ‘હિસ્ટ્રી ઑફ ફીડમ સ્ટ્રગલ ઇન પ્રિન્સલી સ્ટેટ્સ', ન્યૂ દિલ્હી, ૧૯૬૮, પૃ. ૨
મેનન, વી. પી., ધ સ્ટોરી ઑફ ધી ઇન્ટીગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ', મુંબઈ, ૧૯૬૯, પૃ. ૧૬૮ ૩, રાજગોર, શિવપ્રસાદ, “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', અમદાવાદ, ૧૯૭૪, પૃ. ૨૧૫ ૩. ડૉ. જાની એસ. વી.નો લેખ “અર્થાત્, સુરત, ઑક્ટો.-ડિસે., ૧૯૯૧, પૃ. ૧૦ ૫. ‘અમરેલી ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર', અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૭૮-૮૦ ૬. ‘ભાવનગર ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર', અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૯૫-૯૬ ૭. ‘જામનગર ડિસ્ટ્રીક્ટ ગેઝેટિયર', અમદાવાદ, ૧૯૭૦, પૃ. ૮૮ ૮. ભટ્ટ ત્રિભુવન પુ. (સંગ્રહકર્તા), “સંસ્થાન રાજકોટની ડિરેક્ટરી, ભાગ ૧', રાજકોટ, ૧૯૨૯, પૃ. ૧૭૧ ૯. શાહ, કાંતિલાલ, “સૌરાષ્ટ્રમાં ગાંધીજી,” રાજકોટ, ૧૯૭૨, પૃ. ૩૯ ૧૦. ગાંધી મો. ક. ‘દેશી રાજ્યોનો પ્રશ્ન”, અમદાવાદ, ૧૯૪૧, પૃ. ૩૮-૩૯ ૧૧. જાની એસ. વી. કેન્દ્રીય વક્તવ્ય, ગુજરાત ઇતિહાસ પરિષદ, ભાણવડ જ્ઞાનસત્ર, ૧૯૮૨, પૃ. ૪ ૧૨. “સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા ભાગ ૧', અમદાવાદ, ૧૯૯, પૃ. ૨૭૩ ૧૩. શાહ, કાંતિલાલ, “પૂર્વોક્ત ગ્રંથ', પૃ. ૪૦ ૧૪. એજન, પૃ. ૪૨ ૧૫. એજન, પૃ. ૪૪ ૧૬. ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિક, રાણપુર, તા. ૪-૧૧-૧૯૨૪, પૃ. ૫ ૧૭, શાહ કાંતિલાલ, ‘પૂર્વોક્તિ ગ્રંથ', પૃ. ૪૪-૪૫ ૧૮. એજન, પૃ. ૩૮ ૧૯. એજન, પૃ. ૮૨ ૨૦. એજન, પૃ. ૮૫ ૨૨. એજન, પૃ. ૧૦૧ ૨૩. એજન, પૃ. ૧૦૧-૧૦૨ ૨૪. પલાણ અને રેયારેલા, કે.કા.શાસ્ત્રી : ગ્વાલગ્રંથ', પોરબંદર, ૧૯૮૧, પૃ. ૧૫૫ ૨૫. ડૉ. જાની એસ. વી.નો પૂર્વોક્ત લેખ, પૃ. ૧૫ ર૬ . યોજના, અંક ૭, “ગાંધીજી અને સરદાર પટેલ', ઑક્ટો. ૧૯૯૯, પૃ. ૮
સરદાર પટેલ અને કાઠિયાવાડ રાજકીય પરિષદ D ૧૧૯
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના વડોદરા રાજ્યનો “બાળલગ્ન પ્રતિબંધનો કાયદો' – એક અભ્યાસ
ડૉ. નરેશકુમાર જે. પરીખ* વેદકાલીન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન મોભાવાળું હતું. સ્ત્રીઓ પતિની અર્ધાગિની ગણાતી. ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લઈ શકતી હતી. પરંતુ “મનુસ્મૃતિ'ના અભ્યાસ પરથી જાણી શકાય છે કે સ્ત્રીઓના સ્વાતંત્ર્ય ઉપર ધીમે ધીમે અંકુશો આવતા ગયા. બ્રિટિશ સત્તાની સ્થાપના પૂર્વે ભારતની સ્ત્રીઓની સ્થિતિ દયાજનક હતી. નીરા દેસાઈ નોંધે છે તે મુજબ “બ્રિટિશ આગમન પૂર્વે ભારતમાં સ્ત્રીને કાં તો દેવી તરીકે કાં તો ગુલામ તરીકે જોવામાં આવતી હતી. પરંતુ ક્યારેય સ્ત્રી પાસે એક માનવ તરીકે એનું આગવું વ્યક્તિત્વ છે એવો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો.'
ગુજરાતના અગ્રણી સમાજસુધારક કરસનદાસ મૂળજીએ ઈ.સ. ૧૮૫૮માં નીચેનાં લખાણોમાં સ્ત્રીઓ પરત્વેનો સામાન્ય સામાજિક અભિગમ કેવો હતો તેનું નિરૂપણ કર્યું છે.
‘પુરુષ અને સ્ત્રી બન્ને મનુષ્ય છે અને મનુષ્યના સર્વવાજબી અને જરૂરના હક્કો જે રીતે પુરુષ સર્વ હક્કો મેળવવાને અને ભોગવવાને લાયક છે તે રીતે સ્ત્રી પણ લાયક છે. માનવીપણાનો જે હક્ક પુરુષ ભોગવે છે તે હક્ક જો અબળા સ્ત્રીને ભોગવવાની છૂટ પુરુષ આપે નહીં તો તેણે માનવીપણાના ઉચ્ચ દરજ્જાને તોડી પાડ્યો અને હલકો કરી નાખ્યો છે એમ કહી શકાય. એમ છતાં પણ સ્ત્રીઓને માનવીપણાના વ્યાજબી અને આવશ્યક હક્ક આપવા બાબતે જયારે ભલામણ કરવામાં આવે છે. ઘણાખરા દેશીઓને તે ગેરવ્યાજબી અને અણઘટતું લાગે છે. તેનું કારણ શું? તેનું કારણ એ જ કે તેઓ કાળની ગતિથી કેટલાક બનાવોના સંયોગથી સ્ત્રીઓનું માનવીપણું ભૂલી ગયા છે અને માનવીપણાના વાજબી હક્ક તેઓએ તેમની પાસેથી છીનવી લીધા છે. તેઓ સ્ત્રીઓને પોતાની દાસી તરીકે ગણવાનું શીખ્યા છે અને તેઓને જગતમાં વૈતરું કરવાને પેદા કરી હોય એમ સમજવા લાગ્યા છે.
ભારતીય સમાજમાં બાળક જન્મે ત્યારે “પથરો જભ્યો’ એમ કહેવાતું. રાજપૂત સમાજમાં તો બાળકી જન્મે કે તરત જ “દૂધપીતી કરી દેવામાં આવતી હતી. બહુપત્નીત્વ અને દેવદાસી પ્રથાએ સ્ત્રીના જીવનની કરુણતા વધારી હતી. ‘છોકરી ભણે તો વિધવા થાય' એવી અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી. ઓગણીસમી સદીના સમાજની સ્ત્રીઓ તો પગમાં પગરખાં પહેરી શકતી નહીં અને છત્રી પણ ઓઢી શકતી નહીં. વિધવાની સ્થિતિ તો ઘણી જ દયાજનક હતી. વિધવાને માથાના વાળ કઢાવી નાખવા પડતા હતા. સૌભાગ્યનાં સર્વ આભૂષણો ખૂંખવી લેવામાં આવતાં હતાં. જો કે આ જ સદીમાં (૧૯મી સદી) સામાજિક-ધાર્મિક અનિષ્ટો સામે ગુજરાતના તે સમયના સમાજસુધારકોએ બાથ ભીડી હતી. શ્રી દુર્ગાશંકર મહેતા, કવિ નર્મદાશંકર, શ્રી મહિપતરામ રૂપરામ, શ્રી નવલરામ લક્ષ્મીરામ, કવિ દલપતરામ, શ્રી હરગોવિંદદાસ કા. કાટાવાલા, શ્રી કરસનદાસ મૂળજી, શ્રી ગોવર્ધનરામ તિપાઠી જેવા પ્રથમ પંક્તિના સુધારકોએ સમાજમાં વ્યાપેલા કુરિવાજો સામે પ્રહારો કરી સમાજની પુનઃરચનાર્થે ઝુંબેશ શરૂ કરી.
ઉપરોક્ત સુધારકો થોડાઘણાં સફળ રહ્યા પરંતુ સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહાર જેવાં ક્રાંતિકારી સાધનોનો સંપૂર્ણ ફેલાવો થયો ન હોવાથી તેઓ સમાજને સંપૂર્ણ સુધારી શક્યા ન હતા.
* સાયન્સ એન્ડ આર્ટ્સ કૉલેજ, કડી (ઉ.ગુ.)
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૧૨૦
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડની સામાજિક વિચારધારા :
શ્રી સયાજીરાવ ત્રીજાએ પ્રખર સમાજચિંતક અને સમાજસુધારક તરીકેની જનસમાજમાં ખ્યાતિ મેળવી હતી. તેઓ માનતા કે ‘જ્યાં સુધી સામાજિક સુધારણા થશે નહીં ત્યાં સુધી સમાજનો સાર્વત્રિક વિકાસ થઈ શકશે નહીં. પોતાનું ઘર સુધાર્યા પહેલાં દેશ સુધારવાનો પ્રશ્ન હાથમાં લેવો એ હાસ્યાસ્પદ છે. જેમ પાયા વગરની ઇમારત ઊભી રહી શકે નહીં તેમ સમાજસુધારણા વગર દેશોદ્ધારની વાત કરવી નિરર્થક છે.” સયાજીરાવે પોતાની કારકિર્દી દરમ્યાન મનસા, વાવા, જર્મના એમ ત્રણેયનો સુલભ સમન્વય કરીને સુધારાઓ કર્યા હતા. પડદાપ્રથા અને પરદેશગમન જેવી બાબતોમાં પોતાનાથી જ સુધારાની શરૂઆત કરી. સયાજીરાવની સુધારણામાં તેમની અર્ધાંગિની મહારાણી ચિમનાબાઈ બીજાનો ફાળો નોંધપાત્ર હતો. કાયદાનો સહારો લઈ સમાજસુધારાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
બાળલગ્ન પ્રતિબંધનો કાયદો :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
બાળ-લગ્નની પ્રથા સમાજમાં વર્ષોથી પ્રચલિત હતી. આવાં લગ્નથી છોકરા-છોકરી બન્નેને નુકસાન થતું હતું, અણસમજમાં થયેલા લગ્નથી કેટલીક વખત કજોડાં પણ ઊભાં થતાં હતાં. છોકરીઓનાં લગ્ન નાની ઉંમરમાં થવાથી શારીરિક તકલીફો પડતી હતી. શિક્ષણ પણ પૂર્ણ કરી શકતી નહીં. આથી જ શ્રી સયાજીરાવે ‘બાળલગ્ન પ્રતિબંધ’નો કાયદો બહાર પાડી, સમાજસુધારણાનો પ્રયત્ન કર્યો. તેઓ કોઈ પણ કાયદો રાજ્યમાં લાગુ પાડે તે પહેલાં લોકમત લેતા હતા. તેઓ ‘આજ્ઞાપત્રિકા’માં મુત્સદ્દો રજૂ કરતા, ત્યારબાદ લોકમત લઈ કાયદો પસાર કરતા હતા.
‘આજ્ઞાપત્રિકા'માં ‘બાળલગ્ન પ્રતિબંધ’ કાયદાની જાહેરાત :
૩૦મી એપ્રિલ, ઈ.સ. ૧૯૦૩ની ‘આજ્ઞાપત્રિકા'માં મુત્સદ્દો તૈયાર કરવા માટે પ્રજાને બે મહિનાનો સમય આપવામાં આવ્યો. જુદી જુદી જ્ઞાતિઓ તરફથી ૧૪ અંગ્રેજીમાં, ૪૨ ગુજરાતીમાં, ૧૦ મરાઠીમાં અને ૧ હિંદીમાં અરજી આવી. તેમજ આ અંગે ૧૪ અંગ્રેજી, ૧૨ મરાઠી વર્તમાનપત્રો, ૬ ગુજરાતી, ૧ હિન્દી અને ૫ જુદાં જુદાં સામયિકોમાં અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા.પ
આઠ ગૃહસ્થોનાં નામ ઃ
૧. શ્રીમંત રા.રા. આનંદરાવ ગાયકવાડ
૨. શ્રી રા.રા. ચિંતામણિરાવ નારાયણરાવ મજમુદાર
૩. શ્રી રા.રા. નારાયણરાવ ઘાટગે
જુદી જુદી જ્ઞાતિઓની અરજીઓ, સૂચનાઓ, ટીકાઓને એકત્રિત કરીને એક સાદું પુસ્તક તૈયાર કરીને, સયાજીરાવને સુપરત કરવામાં આવ્યું. શ્રી સયાજીરાવે આઠ ગૃહસ્થોની એક કમિટી બનાવી, તેમના ‘બાળલગ્ન પ્રતિબંધ'ના અભિપ્રાયો મંગાવ્યા હતા.
૪. શ્રી રા.રા. રામરાવ ગંગાધર મેસળ
૫. શેઠ શ્રી મગનલાલ પુરુષોત્તમ હરિભક્તિવાળા
૬. મે.રા.રા. અમૃતરાવ શાસ્ત્રી
૭. મે. હકીમ સાહેબ છાટે સાહેબ
૮. મૌલવી બસીરખાન સાહેબ
કાયદાનો મુત્સદ્દો :
ઉપરોક્ત આઠ ગૃહસ્થોની બનેલી કમિટીએ આપેલા અભિપ્રાય ઉપર વાટાઘાટો કરવા શ્રી મહારાજાએ
શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના વડોદરા રાજ્યનો ‘બાળલગ્ન પ્રતિબંધનો કાયદો'...
For Private and Personal Use Only
n
૧૨૧
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobaur
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર સભ્યોની બીજી એક કમિટી બનાવી. આ કમિટીના સભ્યો હતા –
૧. મે. રા.રા. વાસુદેવ ગોપાળ લાભશંકર મહેતા ૨. મે. રા. મનુભાઈ નંદશંકર મહેતા ૩. મે. રા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૪. મે. રા. હરગોવિંદદાસ કાંટાવાલા
આ કમિટીની ત્રણ બેઠકો તા. ૨૬-૪-૧૯૦૪, તા. ૯-૫-૧૯૦૪ અને ૧૦-૫-૧૯૦૪ના રોજ મળી. આ કમિટીએ પોતાના મંતવ્યો રજૂ કર્યા બાદ, શ્રીમંત સયાજીરાવ ત્રીજાએ ૪થી જૂન ૧૯૦૪ના રોજ “આજ્ઞાપત્રિકામાં “બાળલગ્ન પ્રતિબંધનો કાયદો પ્રસિદ્ધ કર્યો.
ઈ.સ. ૧૯૦૪ની ૨૧મી જુલાઈના રોજ અષાઢ સુદ નોમ, સંવત ૧૯૬૦) આ કાયદો સમગ્ર વડોદરા રાજયમાં પસાર કરવામાં આવ્યો. ઈ.સ. ૧૯૦૪નો “બાળલગ્ન પ્રતિબંધીનો કાયદો :
આ કાયદા મુજબ લગ્ન માટે છોકરીની ઉંમર ૧૨ વર્ષની અને છોકરાની ઉંમર ૧૬ વર્ષની રાખવામાં આવતી.
જો કોઈ વ્યક્તિને પોતાનાં છોકરા-છોકરાનાં લગ્ન નક્કી કરેલ વર્ષ પહેલાં કરાવવાં હોય (છોકરીની ઉંમર બાર વર્ષથી ઓછી અને છોકરાની ઉંમર સોળ વર્ષથી ઓછી) તો તે વ્યક્તિએ લગ્નની પરવાનગી ન્યાયાધીશ પાસેથી મેળવી લેવાની હતી. ન્યાયાધીશની પરવાનગી મેળવ્યા બાદ આઠ દિવસની અંદર પ્રાંત ન્યાયાધીશને મંજૂરીની એક નકલ મોકલવાની રહેતી હતી.
જો કોઈ વ્યક્તિ ન્યાયાધીશની પરવાનગી વગર નક્કી કરેલ ઉંમર પહેલાં લગ્ન કરાવે તો તેમને રૂપિયા ૧૦૦/- ના દંડની સજા કરવામાં આવતી હતી.
વડોદરા રાજયમાં કોઈપણ ભાગમાં લગ્ન થાય તો તે લગ્ન, લગ્ન નોંધણી કરનાર અમલદાર પાસેથી નોંધાવવા જરૂરી હતાં. જો લગ્ન નોંધાવવામાં ન આવે તો રૂપિયા ૧૦/-નો દંડ કરવામાં આવતો હતો. બાળલગ્ન પ્રતિબંધીના કાયદામાં સુધારાઓ :
ઈ.સ. ૧૯૦૪ના કાયદાથી ધારી સફળતા ન મળતાં આ કાયદામાં સુધારો કરી ફરીથી ઈ.સ. ૧૯૨૯માં નવો કાયદો બહાર પાડ્યો. આ કાયદા અનુસાર ૮ વર્ષથી નીચેનાં છોકરા-છોકરીઓના લગ્ન માટે જવાબદાર વ્યક્તિને રૂ. ૫૦૦/-નો દંડ અથવા એક મહિનાની સજા કે બન્ને સજા થશે. ઈ.સ. ૧૯૩૬ - ૩૭માં આ કાયદામાં સુધારો કરી છોકરાની ઉંમર ૧૮ વર્ષની અને છોકરીની ઉમર ૧૪ વર્ષની રાખવામાં આવી. આ કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને દંડની જોગવાઈ કરવામાં આવી. દંડની રકમમાંથી કન્યાઓને અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ આપવામાં આવતી હતી." કાયદાની અસર :
ઈ.સ. ૧૯૩૭-૩૮ અને ઈ.સ. ૧૯૩૮-૩૯ના વર્ષમાં થયેલ જાતિ-પેટાજાતિનાં બાળલગ્નની માહિતી નીચેના કોઠામાં આપવામાં આવી છે." ક્રમ જાતિનું નામ
શિક્ષા પામેલ વ્યક્તિની સંખ્યા
ઈ.સ. ૧૯૩૭-૩૮ ઈ.સ. ૧૯૩૮-૩૯ બ્રાહ્મણ
૨૧૩
૧૧૪ રાજપૂત
૧૨૫ પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ રૂ ૧૨૨
૭૪
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
૨૩
છે.
૦૫
૦૫
૩
૪૧
વાણિયા કણબી
૧૧૯૦
૪૫ર સોની, લુહાર, સુધાર ૧૩૫
૩૯ મુસમાન કોળી, બારિયા
૧૦૨૨
૫૪૨ રબારી-ભરવાડ
૨૪૮
૭૦ માછી.
૨૫. ભીલ
૧૧૦ ૧૧. રાનીપરજ ૧૨. બાવા-બેરાગી ૧૩. વાઘરી
૧૫૧
૧૦૩ ૧૪. ઢેઢ-ભંગી
૫૩૩
૪૨૮ ૧૫. અન્ય જાતિઓ
४८७
૨૮૬ ૪૪૧૦
૨૨૮૫ ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકીએ કે ઈ.સ. ૧૯૩૭-૩૮માં ૪૪૧૦ વ્યક્તિઓને શિક્ષા થઈ હતી અને ઈ.સ. ૧૯૩૮-૩માં વ્યક્તિઓની શિક્ષા ઘટીને ૨૨૮૫ થઈ હતી.
ઈ.સ. ૧૯૨૭-૨૮ થી ૧૯૩૮-૩૯ સુધીમાં વડોદરા રાજ્યમાં થયેલ બાળલગ્નોની માહિતી નીચે પ્રમાણેની હતી :
વર્ષ
કુલ કિસ્સાઓ ઈ.સ. ૧૯૨૭-૨૮
૭૫૫૭ ઈ.સ. ૧૯૨૮-૨૯ ૬૭૧૧ ઈ.સ. ૧૯૨૮-૩૦
૫૭૨૧ ઈ.સ. ૧૯૩૦-૩૧
૨૭૨૦ ઈ.સ. ૧૯૩૧-૩૨
૩૪૫૦ ઈ.સ. ૧૯૩૨-૩૩ ૩ર ૧૪ ઈ.સ. ૧૯૩૩-૩૪
૩૧૩૦ ઈ.સ. ૧૯૩૪-૩૫
૩૪૩૬ ઈ.સ. ૧૯૩૫-૩૬
૪૬૨૪ ઈ.સ. ૧૯૩૬-૩૭
૪૬૩૭ ઈ.સ. ૧૯૩૭-૩૮ ૩૩૦૬
ઈ.સ. ૧૯૩૮-૩૯ ૨૦૫૪ ઉપરોક્ત કોષ્ટક ઉપરથી માલૂમ પડે છે કે, જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ શ્રી સયાજીરાવ ગાયકવાડે બહાર પાડેલો “બાળલગ્ન પ્રતિબંધનો કાયદોની સારી એવી અસર થતી ગઈ છે. આ કાયદાથી બાળલગ્નો અટક્યાં અને સમાજ સ્વસ્થ બન્યો.
માનવસમાજ જેમ જેમ વિકાસ કરતો ગયો તેમ તેમ તેની બીજી બાજુ સમાજમાં માનવીને ખબર ન
શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના વડોદરા રાજ્યની
બાળલગ્ન પ્રતિબંધનો કાયદો... n ૧૨૩
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે એ રીતે કુરિવાજો પણ અસ્તિત્વમાં આવ્યા. શરૂઆતમાં તો એ તરફ કોઈનું ધ્યાન ગયું નહિ અથવા તો તે સારા માટે જ છે એવું માનતા. પણ ધીમે ધીમે એ કુરિવાજ છે એવી ખબર પડતાં એમાંથી બહાર નીકળવાની મથામણ થવા લાગી. સયાજીરાવના સમયમાં પણ કેટલાક કુરિવાજો હતા. તેમાં વળી ‘બાળલગ્નો’ ફૂલ્યા-ફાલ્યા હતા તેથી જ કાયદાનો ઉપયોગ કરીને બાળલગ્નો અટકાવવા પ્રયત્નો કર્યા. જે સમયે પ્રજા અભણ હતી, અનેક કુરિવાજો-રૂઢિઓ વગેરે પર સમાજની મજબૂત પક્કડ હતી, સમાજના નિયમોનું ઉલ્લંઘન કરવું એ મોતને ભેટવા જેવું હતું – એ સમયે શ્રી સયાજીરાવે જણાવ્યું કે “બાળલગ્ન પ્રતિબંધનો કાયદો અમલમાં મૂકવો એ ગુજરાતની પ્રજાની મોટામાં મોટી સેવા છે. શાસકે પ્રજા માટે જે કરવું જોઈએ તે કર્તવ્ય તેમણે યોગ્ય રીતે બજાવ્યું છે. ફક્ત એમણે એ કાયદાને એમ ને એમ અમલમાં મૂક્યો નથી, પરંતુ જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરી ઝીણામાં ઝીણી વિગતોનો સમાવેશ કરી એને યોગ્ય ન્યાય આપ્યો છે. પ્રજા પ્રત્યેની વફાદારી અને રાજધર્મ અહીં દેખાઈ આવે છે. ગુજરાતના હિન્દુ સમાજ માટે એમણે આ ભગીરથ કાર્ય કર્યું જે બદલ ગુજરાતની પ્રજા એમની સદાયને માટે ઋણી છે.” સાભાર : દક્ષિણ દફતર વર્તુળ કચેરી, વડોદરા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
પાદટીપ 9. Desai Nira, 'Women in Modern India', p. 7 ૨. મૂળજી કરસનદાસ કૃત 'નિબંધમાળા', પુસ્તક-૧, પૃ. ૧૦૯ ૩. ભટ્ટ ઉષાબહેન, આધુનિક ભારતમાં સ્ત્રી-જાગૃતિનો ઉદ્દભવ અને વિકાસ', પૃ. ૩ ૪. દાતે યુ. રા., “શ્રી સયાજી ગૌરવગ્રંથ', પૃ. ૮૪ ૫. ન્યાયમંત્રીની કચેરી - ફા.નં. ૨૨૧૨, ઈ.સ. ૧૯૦૨-૦૩, પૃ. ૨૩ ૬. ઉપરોક્ત - ફા.નં. ૨૨પર, ઈ.સ. ૧૯૦૨-૦૩, પૃ. ૧૦૦ ૭. ઉપરોક્ત - ફા.ન. ર૨૫/ર, પૃ. ૧૯૩ ૮. ત્રિવેદી નવલરાવ જગન્નાથ, “સમાજસુધારાનું રેખાદર્શન', પૃ. ૨૦૧ 6. Baroda Administration Report, 1938-39, p. 31 ૧૦. ડૉક્ટર ચિમનલાલ મ., “હીરક વડોદરા', પૃ. ૬ ૧૧. પૂર્વોક્ત, દાતે યુ. રા., - પૃ. ૪૨૮-૨૯ ૧૨. પંડિત દર્શના, ‘વડોદરા રાજયના કેટલાક અગત્યના સામાજિક સુધારાઓ', અપ્રગટ લઘુનિબંધ, પૃ.
૪૯-૫૦ ૧૩. પરીખ નરેશકુમાર જે., ઉ.ગુ.માં વડોદરા રાજયના ગાયકવાડોના શાસનનો ઇતિહાસ', અપ્રગટ
મહાનિબંધ, પૃ. ૧૮૧
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૧૨૪
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગ્રેજી વર્તમાનપત્રોએ રજૂ કરેલ બાળલગ્ન પ્રતિબંધ કાયદા અંગેનો અભિપ્રાય
The Statesman, 21-5-03 Eearly Marriage in India Propose Reform In Baroda
His highness The Gaekwad of Baroda is to be congratulated on his resolve to discourage. The marriage of boy and girls at an unduly and unnecessarily early age. The law proposed to be enacted in Baroda differs from the Mysore Infant Marriage prevention law in one important respect. The Mysore Act prescribes an age limit below which a marriage shall under no circumstances be prescribed but that limit is very low. The proposed Baroda regulation prescribes a higher limit - 14 years for girls and 18 for boys but it allows marriage at an earlier age provided that they are senctioned by a magisterial license. The Magistrate to whom an application is made for the license shall invite three assessors from the applicant's community and appoint a day for the hearing. They shall consider the reasons given and evidence adduced by the applicant, with the aid of the assessors and shall issue a licence for the marriage provided that at least two of the assessors and himself are convinced - (a) that the postponment of the marriage would involve risk of excommuni
cation, or (b) that the intended bride or bridegroom will have no change of marriage for
another twelve years if the intended alliance is not allowed, or (c) that the parent or guardian cannot expect to live until the boy or girl
reaches the legal age limit, or - (d) that similar other reasons.
શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના વડોદરા રાજ્યનો “બાળલગ્ન પ્રતિબંધનો કાયદો’.. n ૧૨૫
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવતોમાં ઇતિહાસ
ડૉ. હસમુખ વ્યાસ કહેવત ભાષાનું બળ-સામર્થ્ય છે. કોઈ પણ ભાષાની તે આંતર-શોભા છે. લોક” કે “જનસમાજમાં પ્રચલિત ઉક્તિને લોકોક્તિ કે “કહેવત' કહેવાય છે. કહેવત'ના મૂળમાં કહે-કહેવું છે. પરંતુ જે વ્યક્તિ તે કહેતી-બોલતી હોય છે તે (ઉક્તિ) તેની પોતાની હોતી નથી ! પણ “લોકોમાં આમ કહેવાય, છે” એવો તેનો કહોવાનો ભાવ રહ્યો હોય છે. કહેવત “કહે' - કહેવું” પરથી વ્યુત્પન્ન હોઈ તેનો “કહેવું - કહેણી' એવો અર્થ નીકળે છે. આ પંક્તિ-ઉક્તિ લોકપ્રચલિત હોય છે અને લોકપ્રચલિત કંઈ સરળતાથી થઈ શકતું નથી ! પરંપરાથી કહેવાતું હોય તેવું ઉપયોગી માર્ગદર્શક જ્ઞાનયુક્ત, અનુભવયુક્ત સંક્ષિપ્ત - સૂત્રાત્મક માર્મિક કથન તે કહેવત. થોડામાં ઘણું કહેવાની એનામાં શક્તિ હોય છે : દેખનમેં છોટી લગે પર ઘાવ કરે ગંભીર, તે અનુભવી વ્યક્તિ-લોકોનાં બોધરૂપ-દષ્ટાંતરૂપ કથનવચન-વાક્ય સ્વરૂપે હોય છે. કહેવત માટે સામાન્ય રીતે ચાર તત્ત્વોની આવશ્યકતા રહે છે :
અલ્પશબ્દાત્મકતા; વ્યવહારિતા, ચમત્કૃતિ અને લોક-જન પસંદગી.
આગળ કહ્યું તેમ તે જનસમાજમાં પ્રચલિત ઉક્તિ હોય છે, જે જનસમુદાયની પરંપરાગત ડહાપણ ને અનુભવવાણી ધરાવે છે. આથી જ તો દુલેરાય કાગાણી તેને “વંશપરંપરાથી લોકસંભાષણમાં ઊતરી આવેલાં અનુભવી વ્યક્તિઓનાં બોધરૂપ - દૃષ્ટાંતરૂપ વચનબાણો” કહે છે. આમ પરંપરાથી કહેવાતું ઉપયોગી માર્ગદર્શક જ્ઞાનયુક્ત, અનુભવજન્ય સંક્ષિપ્ત-સૂત્રાત્મક માર્મિક કથન તે કહેવત, અંગ્રેજીમાં પણ આ મતલબનાં કથન મળે છે :
Proverbs are the daughters of Experience. - Dutch. Proverb is a short popular saying expressing well-known truth & fact.
અધિકાંશ કહેવતોમાં દેશ અથવા જાતિવિશેષના સંક્ષિપ્ત અનુભવ-નિધિ સંગૃહીત હોઈ તેને “માનવજાતિનો અલિખિત કાનૂનસંગ્રહ' કહેલ છે. તેની અનુભવજન્ય સારગર્ભિતા, સંક્ષિપ્તતા, અણીદાર-વૈચિત્ર્ય, પ્રાસમેન ઇત્યાદિ તેને કાળજીથી બનાવે છે. સાંસારિક વ્યવહાર પટુતા અને સામાન્ય બુદ્ધિનું કહેવત જેવું નિરૂપણ અને નિદર્શન અન્યત્ર મળતાં નથી. હા, આમાં અભિવ્યક્ત થતું તથ્ય નિરપવાદ કે નિરપેક્ષ હોતું નથી. એટલું નહિ, એને એક-વ્યક્તિજન્ય તથ્ય - દૃષ્ટિકોણ માત્ર પણ ગણી શકાય. એવો પણ આ સંદર્ભે એક મત છે. તેનું સત્ય કે તથ્ય સાક્ષેપ ને સાપવાદ હોય છે. આથી તો કહેવાયું છે કે, Proverbs are moral universals, not logical universals. સામાન્ય વ્યવહારમાં પ્રયુત સંક્ષિપ્ત ને સારપૂર્ણ ઉક્તિ, નાનું વાક્ય પણ દીર્ઘ અનુભવનો સાર દેખાડતું હોય છે. લોકોક્તિઓમાં જે-તે સમય(યુગ)નું પ્રચલિત અને અનુભવજન્ય વ્યવહારજ્ઞાન સંકળાયેલ હોય છે. આથી જ તો Bacon કહે છે, The genius wit and spirit of a nation are discovered through its proverbs. અર્થાતુ કોઈ રાષ્ટ્રની પ્રતિભા, વિદગ્ધતા તેમજ તેનું આંતરદર્શન તેની કહેવતો દ્વારા થાય છે. લોકોક્તિ-કહેવત નીતિસાહિત્ય (Wisdom literature)નું પ્રમુખ અંગ મનાય છે, જે ગદ્ય-પદ્ય બન્નેમાં હોય છે. કહેવતોનું મૂળ કે પ્રાચીનતા
કહેવતનું મૂળ કે તેની પ્રાચીનતા વિષે એટલું જ કહીએ કે માનવ બોલતો થયો અથવા તેની વાણી
* ૧૫૮, વિશ્વકર્મા સોસાયટી, આદર્શ સ્કૂલ પાસે, ધોરાજી, જિ. રાજકોટ
પથિક ઃ જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૨૬
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખુલ્લી થઈ ત્યારથી હોવાનું કહીએ તો અત્યોક્તિ નહિ ગણાય ! લેખનકળા પણ હજુ અસ્તિત્વમાં આવી ન હતી એ પૂર્વે ભાવ-વિચારની અભિવ્યક્તિમાં માનવ પોતાની અનુભવવાણી અવશ્ય પ્રયોજતો હશે. અલબત્ત આપણી પાસે આનાં પ્રમાણ નથી. કહેવતો નીતિસાહિત્યનું પ્રમુખ અંગ છે. બાઇબલમાં Proverbs નામનું એક પ્રકરણ છે. જેમાં વ્યવહારુ-ઉપયોગી અનેક પરિમાર્જિત સૂત્રો મળે છે. પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયના અસીરિયન ભાષા-ઇતિહાસના પ્રાધ્યાપક ડૉ. એસ. એન. કેમરે માટીની બે મોટી પટ્ટી શોધી છે. આના પર વિશ્વની સૌથી પ્રાચીન લિખિત કહેવતો અંકિત છે. ભારતના પ્રાચીનતમ લિખિત સાહિત્ય ઋગ્વેદમાં લોકોક્તિઓનાં અનેક દૃષ્ટાંતો મળે છે; જેમકે,
न वै स्त्रैणानि सख्यानि संति ।
સ્ત્રીઓની મૈત્રી મૈત્રી ન કહેવાય.
अग्निनाग्निः समिद्धते ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિથી અગ્નિ ભડકે છે.
અહીં એ નોંધવું જરૂરી છે કે વૈદિક કહેવતોનો અદ્યાપિ વિધિવત્ સમીક્ષાત્મક અભ્યાસ થયેલ ન હોઈ; કોઈકે આ કામ કરવું રહ્યું – જરૂરી છે. આ (વૈદિક સાહિત્ય) પછીથી રામાયણ-મહાભારત – બ્રાહ્મણઉપનિષદ્ તેમજ વિભિન્ન પુરાણ ગ્રંથો ઉપરાંત મહાકાવ્યો-નાટકો વગેરેમાં વિપુલ પ્રમાણમાં કહેવતો પ્રયોજાયેલ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર લોકોક્તિઓ માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રસ્તુત ગ્રંથમાં અનેક પ્રાચીન આચાર્યોનાં રાજનીતિ તેમજ નીતિયુક્ત વિષયક મંતવ્યો લોકોક્તિ સ્વરૂપે મળે છે.
કહેવતોમાં ઇતિહાસ
આગળ નોંધ્યું તેમ કહેવત જનસમુદાયના અનુભવોનું તારણ-સાર હોઈ તેમાં વિષય-વૈવિધ્ય પણ એટલું જ જોવા મળે છે. હા, આમાં પ્રધાનતા નીતિબોધ-ડહાપણ (Wisdom)ની હોવા છતાં અન્ય વિષયો પણ મળે છે. એમ કહી શકાય કે તત્કાલીન સમાજનાં રીતિ-રિવાજ રૂઢિ-પરંપરાઓ અને માન્યતાઓમાં ઉજાગર થયેલ હોય છે. એટલું જ નહિ; ઇતિહાસની (ખાસ તો તત્કાલીન) અનેક ઘટનાઓનો પણ નિર્દેશ મળે છે. કહેવતોમાં સ્થાનિક ઇતિહાસને લગતી કોઈ ઘટના-બનાવ ઉલ્લિખિત હોય છે. સમગ્ર ઇતિહાસને સૂચવતી-દર્શાવતી કહેવતો નહિવત્ મળે છે. એમ કહી શકાય કે, કહેવતોમાં ‘ઇતિહાસ કણ’ મળે છે. આમ છતાં આ રીતની કોઈ નાનકડી ઘટનાનો નિર્દેશ સંબંધિત પ્રદેશ વિશેષના સળંગ ઇતિહાસના અભ્યાસ-નિરૂપણ માટે ઉપયોગી બની રહે છે. કહેવતોમાં રહેલા ‘સામાજિક ઇતિહાસ'નું પણ એટલું જ મહત્ત્વ હોઈ તેનોય સઘન અભ્યાસ થવો જોઈએ સૂચન અસ્થાને નહિ જણાય.
હવે ગુજરાતી કહેવતો (કે જેનું વિપુલ પ્રમાણ છે)માં પ્રાપ્ત ઇતિહાસ અર્થાત્ ઐતિહાસિક કહેવતોની ચર્ચા કરતાં પૂર્વે પુનઃ એ સ્પષ્ટતા જરૂરી છે કે આ પ્રકારની કહેવતોમાંથી ઇતિહાસની કોઈ ઘટના-બનાવ સંબંધી ઉલ્લેખ મળતો હોય છે. અલબત્ત સંબંધિત પ્રદેશની ખૂટતી કડીરૂપે એ ઉપયોગી બની રહે છે. ગુજરાતી ભાષાના સ્થાનિક અને પ્રાદેશિક ઇતિહાસના સંદર્ભે અનેક કહેવતો મળે છે, જે સળંગ ઇતિહાસના લેખનનિરૂપણ માટે ઉપયોગી બની રહે તેમ છે. આમાંથી પ્રચલિત ને મહત્ત્વની એવી કેટલીક કહેવતો જરૂર જણાય ત્યાં તેના મૂળ સંદર્ભ સાથે નોંધીએ.
બાબાશાઈ ખાતું
જૂના વડોદરા રાજ્યના ગાયકવાડી શાસન દરમ્યાન વડોદરાના ચલણ સાથે બ્રિટિશ નાણું પણ ચલણમાં હતું. વડોદરાના ‘બાબાશાઈ' નામે ઓળખાતા પૈસાની કિંમત બ્રિટિશ પૈસા ‘કલદાર' કરતાં એક
કહેવતોમાં ઇતિહાસ D ૧૨૭
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાઈ ઓછી હોઈ એ હીણો ગણાતો. આથી વડોદરાના રાજ્ય માટે એક નિંદાસૂચક શબ્દ ‘બાબાશાઈ’ પ્રયોજાવા લાગ્યો; ખાસ કરીને આસપાસના બ્રિટિશ પ્રદેશોમાં પછીથી ધીરે ધીરે કોઈ પણ ઢંગધડા વગરની વસ્તુ-પરિસ્થિતિ કે વ્યક્તિ માટે પણ એ શબ્દ કહેવતસ્વરૂપે વપરાતો થયો.
ઘરની ધોરાજી
જૂના ગોંડલ રાજ્યનું ધોરાજી નગર મૂળ જૂનાગઢ નવાબનું હતું. નવાબ બહાદુરખાનના સમય દરમ્યાન વસંતરાય પુરબિયો નામનો એક માથાભારે-બળવાખોર સરદાર હતો. તેની પાસે આરબોની મોટી ભાડૂતી ફોજ રહેતી. તે નવાબને અવારનવાર આર્થિક મદદ પણ કરતો. આવી જ કોઈ મદદના બદલામાં નવાબ પાસેથી એમણે ધોરાજી, સુપેડા, ડુમીયાણી, નાની મારડ ને પીપળીયા મંડાવી લીધેલ. (ઈ.સ. ૧૭૪૫૪૬ દરમ્યાન). આ પછીથી રાજ્યની આંતરિક ખટપટ થતાં વસંતરાયે વિદ્રોહીઓને ટેકો આપેલ. પણ ત્યાં કુંભાજીએ નવાબને સહાય કરતાં વસંતરાય ભાગી માણશીઆ ખાંટ સાથે ઉપરકોટમાં જઈ ભરાયો. પણ ત્યાંથીય કુંભાજીએ તેને તગડી મૂકતાં નવાબે ખુશ થઈ ધોરાજી વગેરે પાંચ ગામો કુંભાજીને આપ્યાં (લગભગ ઈ.સ. ૧૭૪૭). આમ કુંભાજીએ નવાબની ધોરાજી ‘ધરની' અર્થાત્ પોતાની કરી. આ પછીથી ‘ઘરની ધોરાજી' લોકોક્તિ પ્રચલિત થઈ. અલબત્ત અત્યારે તે સાવ જુદા જ અર્થમાં પ્રયોજાય છે : ‘ઘરની ધોરાજી' અર્થાત્ મન ફાવે તેમ વર્તવું !
રળે રામપર ને ખાય ખોડુ
હાલ વર્તમાન સુરેન્દ્રનગર જિલ્લાના આ (રામપર—ખોડુ) બન્ને ગામ જૂના વઢવાણનાં હતાં. આમાંનું રામપર આર્થિક રીતે સધ્ધર હતું; તો ખોડુ નિર્ધન. વળી રાજાશાહી દરમ્યાન ખોડુમાં લશ્કર રહેતું હોઈ તેની જાળવણીનો ખર્ચ રામપર ભોગવતું ! આમ રામપરની આવક-ઊપજ ખોડુ ખાઈ જતું ! કોઈની કમાણી કોઈ ભોગવે કે ખાય ત્યારે પ્રસ્તુત કહેવત વપરાય છે.
ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી ?
અસમાન તુલના - સરખામણીના સંદર્ભે પ્રયોજાતી આ કહેવતનું મૂળ હિન્દી છે : કહાં રાજા ભોજ ઔર કહાં ગંગુ તૈલી ? પરંતુ મૂળમાંય આ કહેવત ખોટી છે. મૂળ આ પ્રમાણે છે ‘કહાં રાજા ભોજ ઔર કહાં ગાંગેય તૈલંગ ?' ગાંગેય ત્રિપુરા અને તૈલંગ તૈલંગણ જેવા સામાન્ય રાજ્યના રાજા હોવા છતાં બન્ને માળવાના મહારાજા ભોજના શત્રુ બનતાં પ્રસ્તુત ઉક્તિ પ્રચલિત બની !
બાઝવું હોય તો હાલ પાંચ પીપળા
લોકોક્તિ સ્વરૂપે પ્રયોજાતી ઉક્ત ઉક્તિની પાછળ મધ્ય સૌરાષ્ટ્રના ઇતિહાસની મહત્ત્વની ઘટના સંકળાયેલી છે : વર્તમાન જેતપુર (જિ. રાજકોટ) તાલુકાના પાંચ પીપળા ગામ પાસે ઈ.સ. ૧૭૮૨માં જૂનાગઢના અમરજી દીવાન અને નવાનગર (જામનગર)ના દીવાન મેરુ ખવાસ વચ્ચે લડાઈ થયેલ. સૌરાષ્ટ્રની આ છેલ્લી મોટી લડાઈ ગણાય છે. આમાં અસંખ્ય માણસો કામ આવેલ, એ સમયનાં બે સબળ રાજ્યો લડવા (બાઝવા) માટે પાંચ પીપળાની સીમમાં આવેલ હોઈ પછીથી કોઈ વ્યક્તિ બાઝવા ઇચ્છતી હોય – ખરેખર બઝવું હોય તો-ના સંદર્ભે આ કહેવત પ્રયોજાય છે.
-
ચિત્તલના પાદર જેવું
ભાવનગર દરબાર આતાભાઈ (વખતસિંહ ગોહિલ) અને સૌરાષ્ટ્રના કાઠી દરબારો વચ્ચે સંઘર્ષ રહ્યા કરતો. આથી કાઠીઓ એક થઈ ભાવનગરનો સામનો ક૨વા ચિત્તલ (જિ. અમરેલી) મુકામે પોતાના માણસો
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ T ૧૨૮
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે એકઠા થયા. આની જાણ ભાવનગર થતાં વખતસિંહે તુરત જ મોટી ફોજ લઈ પહેલો ઘા રાણાનો કરતાં કાઠીઓની મોટી નુકસાની થઈ. બધા વેરવિખેર થઈ ગયા. ચિત્તલમાંથી બધાને હાંકી કાઢ્યા બાદ તેને (ચિત્તલને) પાડીને પાદર ઉજ્જડ કરી દીધું. ત્યારથી આ કહેવત પ્રચલિત થઈ. હાલ જ્યાં પણ મોટી તારાજી કે નુકસાની જોવા મળે ત્યારે એ પ્રયોજાય છે. અન્ને દ્વારકા
ભીમોરા (તા. ચોટીલા) ખાચર દરબારોનું મહત્ત્વનું મથક હતું. અહીં નાનકડો કિલ્લો-ગઢ પણ હતો. કોઈ કારણસર તેના દરબાર નાની ખાચર ને જસદણ દરબાર ચેલા ખાચર વચ્ચે ટકરાવ થતાં ચેલા ખાચરે વડોદરાની સહાય લઈ ભીમોરા પર ચઢાઈ કરી. આ દરમ્યાન દ્વારકાની યાત્રાએ નીકળેલા રાજસ્થાનના સાત યાત્રાળુઓ અહીં રોકાયેલ, નાની ખાચરે “અહીં હવે યુદ્ધ-લડાઈ થવાની હોઈ આગળ જવા” તેઓને વિનંતી કરતાં યાત્રાળુઓએ ના કહી ને કહ્યું કે “હવે આ પરિસ્થિતિમાં - તમારા માથે મુશ્કેલી આવે છે ત્યારે – અમારાથી યાત્રાએ ન જવાય. આખરે તો હવે “અ દ્વારકા' અર્થાતુ અહીં જ દ્વારકા – અમારી યાત્રા આ જ ! આ પછીથી થયેલી લડાઈમાં નાની ખાચર સાથે એ સાતે યાત્રાળુઓ પણ કામ આવી ગયા. ભીમોરાના ગઢમાં આની ખાંભીઓ છે. સમય – લગભગ ઈ.સ. ૧૮૩૦ની આસપાસ.* દાવલથી દેદા ભલા, પટીને કીધાં પીર
સુલતાન મહમૂદ બેગડાના એક સરદારનો પુત્ર મલેક લતીફ આમરણ (જિ. જામનગર)માં ફોજદાર તરીકે નિમાયો. એણે સ્થાનિક રાજપૂતોને દબાવી કડકાઈ કરેલ. તેના આ પગલાથી ખુશ થઈ મહમૂદ બેગડાએ તેને “દાવર મુલ્કીનો ઈલ્કાબ પણ આપેલ. પરંતુ ઈ.સ. ૧૫૦૯માં દેદા રાજપૂતોએ તેને મારી નાખતાં તેને ત્યાં (આમરણમાં) દફનાવાયો. આ પછીથી તે “દાવલ શા પીર' તરીકે લોકોમાં પૂજાવા લાગ્યો. હવેલી લેતાં ગુજરાત ખોઈ
- ઈ.સ. ૧૭૯૫-૯૬ માં બાજીરાવ પેશવાએ પોતાના નાના (૧૦ વર્ષના) ભાઈ ચિમાજીને ગુજરાતના સુબેદાર તરીકે અને મરાઠા રીત પ્રમાણે એના નાયક તરીકે આખા શેલૂકરને મોકલ્યા. શેલૂકર વિલાસી ને ક્રૂર હતો. આંતરિક ખટપટના કારણે તે પેશવાની વિરુદ્ધ ગયો ને અમદાવાદની હકૂમત હાથમાં લઈ લેતાં ગોવિંદરાવે શિવરામ ગારદીને મોટી ફોજ-તોપ અને દારૂગોળો વગેરે આપી ટોલૂકર વિરુદ્ધ મોકલ્યો. અમદાવાદ ઘેરાઈ ગયું હોવા છતાં છેવટ સુધી નાચગાનમાં લીન શેલૂકરને છેવટે અમદાવાદ છોડવાની ફરજ પડી, પ્રજા ઉપર ગુજારેલા ત્રાસ અને દમનથી તે અપ્રિય થઈ પડ્યો હતો. આથી તેની હાર થતાં લોકોમાં પ્રસ્તુત ઉક્તિ પ્રચલિત થઈ. હવેલી અર્થાત અમદાવાદ લેવા જતાં સમગ્ર ગુજરાતની નાયબગીરી પણ ગઈ. મૂળ કહેવત આ પ્રમાણે છે :
હાથમાં દડો બગલમાં મોઈ
હવેલી લેતાં ગુજરાત ખોઈ. આ રીતની બીજી પણ કહેવતો મળે છે, જેને નોંધીએ :
હળવદ લેતાં મોરબી ખોઈ. વાંકાનેર સરતાનજીએ નજીકના મોરબીમાં મુસ્લિમોના જોરને ન દબાવતાં પ્રથમ દૂરના હળવદને લેવા ઈચ્છા કરી અને એ પછી મોરબી જવાનું નક્કી કરેલું. પરંતુ ત્યાં જ ભૂજના ખેંગારજી જાડેજાએ મોરબી લઈ લીધું ! આમ જયારે પાસેનાંને પછી; પહેલાં દૂરનાને મેળવી લઈ લેવાની વાત આવે ત્યારે ઉકા કહેવત
કહેવતોમાં ઈતિહાસ g ૧૨૯
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયોજાય છે.' વેરાવળ લેતાં ચોરવાડ ખોઈ
ચોરવાડ (જિ. જૂનાગઢ)માં પોરબંદરના રાણા સરતાનજી(ઈ.સ. ૧૭૫૭-૧૮૦૪)નું શાસન હતું ત્યારે તેને નજીકના વેરાવળને લઈ લેવાની ઇચ્છા થયેલ પરંતુ આમાં પ્રથમ તો તેને સફળતા મળેલ નહિ. બીજી વખત ચઢાઈ કરી વેરાવળ જીતી તો લીધું પણ એ દરમ્યાન જૂનાગઢના દીવાન રૂગનાથજી (રઘુનાથજી)એ ચોરવાડ લઈ લેતાં ઉક્ત ઉક્તિ પ્રચલિત બની."
શિવરામ ગારદી, મહિનો ને બાર દી” ચાલ્યા પછી ચાર દી, ઊડ્યા પછી આઠ દી.
વૉકર સેટલમેન્ટ (ઈ.સ. ૧૮૦૭) પૂર્વે મરાઠાકાળ દરમ્યાન સૌરાષ્ટ્રમાં “ખરા જાત’નામની એક ખંડણી મરાઠાઓ દ્વારા ઉઘરાવાતી. આની શરૂઆત શિવરામ ગારદીથી થયેલ. ધાકધમકી ને બળજબરીથી આની વસૂલાત કરવા તે લાવ-લશ્કર લઈ આવતો. કાઠિયાવાડમાં આવતો ને કોના મુલકમાં કેટલો સમય પડાવ નાખી પડ્યો રહેતો તે કંઈ નક્કી રહેતું-કહેવાતું નહિ ! આથી ઉકત કહેવત પ્રચલિત થઈ.
કેટલીક કહેવતો સંબંધિત સ્થળ-ગામની વિશેષતા-વિચિત્રતા દર્શાવતી હોય છે, જે સામાજિકઆર્થિક ઇતિહાસના પ્રાદેશિક સંદર્ભે ઉપયોગી બની રહે છે. આવી કહેવતો નોંધીએ :
સૂરત સોનાની મૂરત (સમૃદ્ધિ દર્શાવે છે). સૂરતની બળેલ. સૂરતનું જમણ સૂરતી વાત સૂરતી સોદા સૂરતી તે મંગલ મૂરતિ, સૂરતનાં ગાંડા ને ભરૂચનાં ડાહ્યાં સૂરત શહેરમાં દાવર* ઘણાં. ભાંગ્યું તોય ભરૂચ વડું ગામ તે વલસાડ નવ નડિયાદી, સાત પેટલાદી ને એક ઉમરેઠી ! (બરાબર).
કોઈ ગામમાં કોઈને વ્યક્તિગત અડચણ કે તકલીફ પડી હોય ને પરિણામસ્વરૂપ દ્વેષ, કડવાશથી જે કંઈ કહેવાયું (જેમકે, ઉક્ત ઉક્તિ) હોય તેને જે તે ગામનું ખરું મૂલ્યાંકન ગણી શકાય નહિ.
પરવારતા પારડી જાય ને નકામા નારગોલ જાય
બળ્યું ગામ બારડોલી મૂવું ગામ મહુવા ભલે ભલે કોદાદે ગયાં તો ખાધા દૂધ ને પહુવા.
જ આ નામનાં પરાં કે ગામ,
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૧૩૦
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુલાસરમાં ભૂલાં પડ્યાં ને આંખે આવ્યાં તમા સાણંદીયા તો સામાં મળ્યાં તે જાણે મોટા જમ. મૂવા મસાન નહિ જઈએ ને જીવતાં ભેંસાણ નહિ જઈએ. જો જાઈએ માળીએ* તો લોટ બાંધીએ ફાળીએ. દસાડા ગામ દફતરમાં નહિ
દસાડે દફતર કર્યું નહિ ? બ્રિટિશ શાસન દરમ્યાન આ (દસાડા, જિ. સુરેન્દ્રનગર) ગામ બે-ત્રણ રાજ્યોની સરહદે આવેલ હોઈ અહીં કશી વહીવટી વ્યવસ્થા ન હોવાના સંદર્ભે પ્રસ્તુત કહેવત પ્રચલિત થઈ છે.
પાટણ આંબો વાળીઓ ઊગ્યો અમદાવાદ; ફાલ્યો ફૂલ્યો માળવે, વેડ્યો ઝાલાવાડ, ગોલવાયું ખોયું ગોરે ને કસ્તી ખોઈ ગોરાણીએ.
ગયાં તવરી ને આવ્યાં રવડી. નવસારી પાસે આવેલ ઉક્ત તવારી ગામમાં પહેલાં પાણીની ખેંચ હોઈ મુસાફરોને કોઈ પાણી પાતું નહિ. આવી જ એક ઉક્તિ સૌરાષ્ટ્રના મોલડી (તા. સાવરકુંડલા) વિષે પણ મળે છે :
મોલડીએ મેમાન, અસુરો આવીશ નહિ; ધરાઈને ખાજે ધાન, પણ પાણી માંગીશ નહિ. બટકું રોટલો ખાવો પણ રાણકી ન જાવું. હડાળાની કૂતરી. ત્રવાડીના ત્રણસે કૂવા તોય ત્રવાડી તરસે મૂવા.
પાસે ઘણી શક્તિ-સંપન્નતા હોવા છતાં કોઈ તેનો ઉપયોગ ન કરવાના કારણે હેરાન થાય ઉક્ત એ સંદર્ભે પ્રયોજાયેલ કહેવત.
ઓડ ઉમરેઠના ઊંડા કૂવા દીકરી દે એનાં માબાપ મૂવા. ચિત્તલમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો અમરેલીની ન લેવી દીકરી, ભલે છોકરો રિયે વાંઢો !
ચિત્તલમાં પાણીની ખેંચ હતી - દૂર વાડીઓમાંથી વહુવારુઓને પાણી લાવવું પડતું. તો શેડુભારમાં પુષ્કળ પાણી હોઈ ત્યાં કાયમ વાવેતરના કારણે સતત કોશ ચાલ્યા કરતાં પ્રથમ પંક્તિ બની. અમરેલી જૂના
* જિ. જૂનાગઢનું ગામ
+ પાટણ (સિદ્ધપુર) પ્રથમ રાજધાની પછી અમદાવાદનો સંદર્ભ. કહેવતોમાં ઈતિહાસ ૧૩૧
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
-
www.kobatirth.org
વડોદરા રાજ્યનું મહત્ત્વનું નગર હતું. અહીં ગાયકવાડ સરકારે ફરજિયાત કન્યા કેળવણી કરેલ હોઈ અહીંની દીકરીઓ ભણેલી હોઈ; આવી દીકરીઓ (ભણેલી) અભણ કે ઓછું ભણેલાઓને ગણકારે નહિ તેવી માનસિકતા બીજી પંક્તિ દર્શાવે છે !
લાઠીની શૂળી.
ઈડરિયો ગઢ જીતવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૂના ઈડર રાજયનો ગઢ દુર્ગમ હતો. તે સહેલાઈથી જીતી શકાય તેમ ન હતો છતાં જયારે તે જિતાયો પછીથી કોઈ મુશ્કેલ કે અશક્ય કામ પાર પડાય ત્યારે ઉક્ત કહેવત પ્રયોજાય છે.
આ
કહેવતોમાં અનુભવની અભિવ્યક્તિ હોય છે એ વાત ખરી, પરંતુ તેના નિરૂપણમાં સત્ત્વ કે સત્ય હોય જ એમ માની લેવાય નહીં. એક માર્ગદર્શન-નિદર્શનસ્વરૂપે એ ઉપયોગી અવશ્ય છે પણ એના જ આધારે ચાલી શકાય નહિ એ પણ હકીકત છે. આમાં વ્યક્ત-નિરૂપિત સત્ય-તથ્ય એક દૃષ્ટિકોણ સ્વરૂપે હોય છે. તો, કહેવતોમાં ઇતિહાસ-નિરૂપણ જરૂર મળતું હોવા છતાં જ્યાં સુધી તેના મૂળ સંદર્ભ સુધી પહોંચી ન શકાય ત્યાં સુધી ઘણી વાર તેનું તથ્ય સ્પષ્ટ થઈ શકતું પણ નથી. વળી, ઇતિહાસ-નિદર્શન કરતી કહેવતમાં અનુભવનું ડહાપણ પણ ઘણી વાર જોવા મળતું હોતું નથી અર્થાત્ ઘટના-બનાવનો સંદર્ભ દર્શાવવા પૂરતું જ તેનું મહત્ત્વ રહેતું હોય છે. આમ છતાં આ રીતની કહેવતોની ઉપયોગિતા જરા પણ ઓછી નથી એ વાસ્તવિકતા
સ્વીકારવી જ રહી !
આધારગ્રંથો
૧. પીતીત જમશેદજી નસરવાનજી, ‘કહેવતમાળા' ભા. ૧-૨, ઈ.સ. ૧૯૦૩
૨.
શાહ આશારામ દલીચંદ, ‘ગુજરાતી કહેવતસંગ્રહ', અમદાવાદ, ઈ.સ. ૧૯૬૭
૩. સ્વામી પ્રણવતીર્થ, ‘કહેવત-કથાનકો’, વડોદરા, ઈ.સ. ૧૯૭૩
૪. કારાણી દુલેરાય, ‘સાર્થ કચ્છી કહેવતો’, અમદાવાદ, ઈ.સ. ૧૯૭૬
૫. ડૉ. ત્રિવેદી શશિકલા, ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કહેવતો અને તેનું સાહિત્યિક પૃથક્કરણ', અમદાવાદ, ઈ.સ. ૧૯૮૪
૬. ગુજરાતી વિશ્વકોશ, ખંડ ૪, અમદાવાદ, ઈ.સ. ૧૯૯૨
૭. જેશી લક્ષ્મીલાલ, ‘મેવાડ કી કહાવતેં’, અજમેર, ઈ.સ. ૧૯૯૬
૮. સહગલ કનૈયાલાલ, ‘રાજસ્થાની કહાવતેં', જોધપુર, ઈ.સ. ૧૯૯૭
પાદટીપ
૧. સહગલ કનૈયાલાલ (સં.), ‘રાજધાની કહાવતૅ’, ઈ.સ. ૧૯૯૭, પૃ. ૩૭
૨. મેઘાણી ઝવેરચંદ, ‘સૌરાષ્ટ્રની રસધાર’, પાંચ ભાગની સંકલિત આવૃત્તિ, ભાવનગર, ઈ.સ. ૧૯૯૭, પૃ. ૨૦૬
૩. પરીખ ૨. છો. અને શાસ્ત્રી હ. ગં. (સં.), ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ : મરાઠા કાલ', અમદાવાદ ઈ.સ. ૧૯૭૬, પૃ. ૧૦૫-૬
૪. શુક્લ નથુરામ, ‘ઝાલાવંશવારિધિ’, વાંકાનેર, ઈ.સ. ૧૯૧૮, પૃ. ૫૬૦
૫. શાસ્ત્રી અરવિંદ, ‘શ્રી બૃહત્ કહેવત કથાસાગર', રાજકોટ, ઈ.સ. ૧૯૯૩, પૃ. ૧૯૯
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ D ૧૩૨
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સામાજિક ઇતિહાસ આલેખવાનું જ્ઞાપકીય લખાણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૉ. રસેશ જમીનદાર
કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કે સમાજ કે દેશ સમય સાથે તાલ મિલાવી પ્રગતિના પંથે વિકાસકૂચ કરે નહીં તો તે અગણિત દષ્ટિએ પછાત રહી જાય છે. એટલું જ નહીં અન્યોથી અલગતાપણાનો ભાવ અનુભવે છે. આપણે એથી અભિજ્ઞ હોવા જરૂરી છે કે સમયનું એક માત્ર મુખ્ય લક્ષણ પરિવર્તનનું છે, આગેકૂચનું છે, સતત પ્રગતિનું છે. સમય ક્યારેય સ્થગિત રહેતો નથી કે થોભતો પણ નથી. સમય તો ચલતા ભલા. આપણે પણ આપણા રોજિંદા જીવનમાં વારનવાર સાંભળીએ છીએ કે શું જમાનો બદલાયો છે કે શું સમય બદલાયો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરિવર્તનનું લક્ષણ આથી આમ સતત પ્રગતિનું છે. તળાવનું બંધિયાર પાણી દુર્ગંધના આવરણથી તરબતર રહે છે, જ્યારે નદીનાં વહેતાં નિર્મળ નીર નિર્દુગંધી હોય છે. વ્યક્તિ, સંસ્થા, સમાજ કે દેશનું પણ બંધિયારપણું દુર્ગંધને અંકે રહે છે, જ્યારે તે તેની મોકળાશ કે નિર્બંધપણું સ્વચ્છતાને પોષે છે.
અહીં એ નોંધવું જરૂરી છે કે ઇતિહાસનું મુખ્ય લક્ષણ સમય છે અને તેથી સમયની જેમ ઇતિહાસ પણ પરિવર્તનને અધીન છે. હા, એ ભ્રમમાંથી સવેળા મુક્ત થવાની જરૂર છે કે ઇતિહાસ પુનરાવર્તન પામે છે. કહેવું તો એ છે કે ઇતિહાસનું મુખ્ય ધ્યેય પરિવર્તનનું છે. જયાં જ્યારે કશુંક પુનરાવર્તન સમું દેખાય છે તે કેવળ ભ્રમ છે. હકીકતમાં એ પરિબળ સતતપણાનું ઘોતક છે. ઇતિહાસનું કાર્ય સતત વહેતા રહીને સમાજને નિર્મળ પર્યાવરણ પૂરું પાડવાનું છે. ઇતિહાસની બુનિયાદ પરિવર્તનની છે અને તેથી તે સમયની ગંગોત્રીનું સ્થાન ધારણ કરતું શાસ્ત્ર છે. હા, ઇતિહાસ આલેખનનાં સાધનો તો એનાં એ જ છે અને તેમાં સમયાંતરે ઉમેરણ થતાં રહે છે. પરિણામે સમયે સમયે એ સાધનોનાં-જ્ઞાપકોનાં અર્થઘટન બદલાતાં રહે છે. અને એ તો સમયની તાસીરનું પરિબળ છે તેમ વ્યક્તિનાં મનોગત મનોયત્નના બદલાવનું પરિણામ છે.
ઓછાવત્તા પ્રમાણમાં ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં અનેરાં યોગદાન ક્ષત્રિય અને પાટીદાર કોમોએ પ્રદત્ત કર્યાં છે એ હકીકત અંકે કરવી જ રહી. હા, ગુજરાતના વિવિધ વિસ્તારમાં સંખ્યાની દૃષ્ટિએ સહુથી વધારે વસ્તી સામાન્યતઃ ક્ષત્રિયથી ઓળખાતી વિવિધ કોમોની છે, છતાંય એમના સંસ્કાર-સંસ્કૃતિ ભાતીગળ છે, વિવિધાતામાં એકતા જેવાં છે. પરન્તુ સામાજિક મોભાની દૃષ્ટિએ, આર્થિક સમૃદ્ધિના સંદર્ભે અને શૈક્ષણિક સંપદાની બાબતે સહુથી વિશેષ મહત્ત્વ પાટીદારથી ખ્યાત સંખ્યાધિક કોમનું છે. આ ત્રણેય ક્ષેત્રમાં ક્ષત્રિય પછાત છે એવું કહેવાનું કોઈ તાત્પર્ય નથી. જેમ ઘણી પાટીદાર કોમ આ ત્રણે બાબતે ઊણી ઊતરે છે તેમ થોડીક ક્ષત્રિય કોમ આ ત્રણેય ક્ષેત્રમાં પ્રમાણમાં ઠીક ઠીક સંપન્ન છે. સદ્ભાવ અને પ્રતિભાવ બંને કોમમાં છે તેમ આ બંને સિવાયની અન્ય સંખ્યાધિક કે અગણિત નાનીમોટી કોમમાં પણ આ બાબતે આવી વૃત્તિઓ-પ્રવૃત્તિઓ સહજ છે. ગુજરાતના સર્વાંગીણ વિકાસમાં અન્ય જ્ઞાતિસમુદાયનાં યોગદાન સમયે સમયે અને સ્થળવિશેષે જોવાં પ્રાપ્ત થાય છે એમ ઇતિહાસી પૃષ્ઠનાં અવલોકનથી ખસૂસ સૂચવાય છે. આપણાં ઉપલબ્ધ જ્ઞાતિપુરાણ અને વહીવંચાની નોંધ આ બાબતની શાહેદ છે.
* * *
પ્રસ્તુત અભિગમના પરિપ્રેક્ષ્યમાં અને સામાજિક સુધારણા સંદર્ભે આપણે અહીં એક ગ્રંથને અવલોકવાનો ઉપક્રમ રાખ્યો છે. પુસ્તક છે ‘સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનો ઇતિહાસ’. મૂળ લેખક છે શંભુભાઈ ટીડાભાઈ
સામાજિક ઇતિહાસ આલેખવાનું જ્ઞાપકીય લખાણ n ૧૩૩
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટેલ અને વર્તમાને સંપાદક છે ગોરધનદાસ સોરઠિયા, મૂળગ્રંથ ‘પ્રભુની ફૂલવાડી' શીર્ષકથી ઈસ્વી ૧૯૨૫માં પ્રગટ થયો હતો. એની બીજી આવૃત્તિ કેટલાક મહત્ત્વના ઉમેરણ સાથે, કહો કે પૂર્તિરૂપે ઇસ્વી ૨૦૦૦માં પ્રગટ થઈ અને બે જ મહિનામાં એની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ. આ બાબત જ મૂળગ્રંથની ઉપયોગિતાની ઘોતક છે. સાંભળ્યા મુજબ એની ચોથી આવૃત્તિ પ્રગટ થવામાં છે ત્યારે મૂળ મથાળું યથાવત્ રાખી કૌંસમાં ‘સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનો ઇતિહાસ' મૂકાય તે જ ઉચિત છે. સાથેસાથ મૂળગ્રંથનાં ત્રણેય પ્રકરણ વિભાગ બીજામાં છે તેને સ્થાને તે બધાં વિભાગ એક તરીકે મૂકાય તે વધુ યોગ્ય રહેશે તેમ પોણા સૈકા પૂર્વે એક વ્યક્તિએ પોતાના સમાજનાં દુષણો અને ગુણો પરત્વે આપણું ધ્યાન આકૃષ્ટ કર્યું તે બાબતને યોગ્ય અંજલિ સમર્પિત થશે. પૂરવણી સ્વરૂપે આ કારણે વિભાગ એકને વિભાગ બે તરીકે મૂકાય તે જરૂરી છે.
*
અવલોકિત ગ્રંથ સૌરાષ્ટ્ર વિસ્તારના પાટીદાર કોમના કેટલાક ભડવીર મહાનુભાવની ગાથા પરત્વે સહુનું ધ્યાન આકર્ષિત કરવાનું છે જેમણે ગઈ સદીના પ્રથમ ચરણ દરમ્યાન સુધારણાનાં બીજનાં વાવેતર કર્યાં હતાં અને જે આજેય અપનાવવા જેવાં છે. જો કે મૂળગ્રંથકર્તાના લખાણ વાંસોવાંસ વર્તમાન સંપાદકે ગુજરાતની પાટીદાર કોમે યથાસમયે યથાશક્તિ દશાંગુલ કાઠું જે ઉપસાવ્યું છે તે બાબતે સંકલિત વિગત પ્રસ્તુત કરીને મૂળગ્રંથની ભાવનાને વિશેષરૂપે વ્યાપકતા બક્ષી છે.
*
આ પુસ્તક બે વિભાગમાં વહેંચાયેલું છે. પહેલો વિભાગ આ પુસ્તકના સંપાદક ગોરધનદાસ સોરઠિયાનું શ્રમિત યોગદાન છે. એમણે સોથી વધુ પૃષ્ઠ મારફતે ગુજરાતની સમગ્ર પાટીદાર કોમ વિશે પંખીનજરે અલપઝલપ વિગતો પ્રસ્તુત કરી અન્ય મહાનુભાવનાં લખાણ જે તે-ના નામે આ સંદર્ભે ઉદ્ધૃત કર્યાં છે. આથી, ગુજરાતના પાટીદારો વિશે ઘણી બધી વિગત આપણને સાંપડી શકી છે. જો કે સંપાદકે સંપાદકત્વની નિષ્ઠા સુપેરે અદા કરી છે. પરન્તુ જે નિમિત્તે એમણે બધી માહિતી એકત્રિત કરવા કાજે ધૂળ ધોયાની નિષ્ઠા દર્શાવી છે તે સરાહનીય જ ગણાય અને તે વાસ્તે તેમ જ અપ્રાપ્ય ગ્રંથને આપણી પ્રત્યક્ષ કરવા સારુ તે અભિનંદનના અધિકારી છે. આ પૂરવણીરૂપ વિભાગમાં સંપાદકે પાટીદાર સમાજનાં સંમેલન, પરિષદ, તે તે ક્ષેત્રના થોડાક દશાંગુલ ઊંચેરાં વ્યક્તિત્વનો સમાવેશ કર્યો છે તેય આવકાર્ય છે.
આ પુસ્તકનો વિભાગ બીજો હકીકતમાં પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનના નિર્માણની ભૂમિકારૂપે છે. આ વિભાગ આપણે નોંધ્યું તેમ ‘પ્રભુની ફૂલવાડી' શીર્ષકથી શંભુભાઈ ટીડાભાઈ પટેલે ઈ.સ. ૧૯૨૫માં પ્રકાશિત કર્યો હતો. મૂળગ્રંથકર્તાનો ઉદ્દેશ પાટીદાર સમાજમાં કેટલાંક જરૂરી પરિવર્તન આણવા સંદર્ભે છે તેમ છૂટાછવાયા થયેલા સુધારા પરત્વે સહુને અભિજ્ઞ કરવાનો છે.
* * *
ખેર, અત્યારે આ સ્વરૂપે આ પુસ્તક ઇતિહાસનો ગ્રંથ છે એમ તો કહી શકાય તેમ નથી. હા, ઇતિહાસ લખવા ઉત્સુક અધ્યેતાને આના વાંચનથી પ્રેરણા અવશ્ય સાંપડી શકે છે તેમ એમાં નિર્દિષ્ટ માહિતીથી કેટલીક પૂર્વધારણા (હિપૉથિસિસ) કે કલ્પિતાર્થ શોધીને નવેસરથી અન્વેષણકાર્ય હાથ ધરી શકે તેવી ક્ષમતાય છે જ. આ જ છે આ પુસ્તકની ઉપાદેયિતા અને ઉપયોગિતા. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ગ્રંથ એ કેટલેક અંશે પ્રત્યક્ષ માહિતીથી સભર એવો જ્ઞાપકગ્રંથ છે, સાધનગ્રંથ છે. આના સહારે આ બાબતે વિશેષ અન્વેષણ કરવાની અને સામાજિક ઇતિહાસનાં કેટલાંક ગૃહીતને સમજવાની અને વર્તમાને તદ્નુસાર સુધારણાના પંથે વિહરવાની તક સંપડાવી આપે છે.
*
ગ્રંથકર્તા શંભુભાઈએ આ પુસ્તક ચાર દિવાલની વચ્ચે મેજસ્થ બનીને લખ્યું નથી; બલકે ચાર દિશાઓ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ન ૧૩૪
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.ko
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચ્ચે ભ્રમણ કરીને પ્રત્યક્ષરૂપે માહિતી આકૃષ્ટ કરીને એનું નિર્માણ કર્યું છે. એટલે ક્ષેત્રકાર્ય આધારિત આ પુસ્તક છે અને તેથી તેની વિશ્વસનીયતા રહે છે. આ બાબતની સ્પષ્ટતા લેખકે પ્રસ્તાવનામાં કરી છે. તેમ છતાં ઘણું રહી ગયાનો અફસોસી અહેસાસ પણ એમણે દિલચોરી વિના અભિવ્યક્ત કર્યો છે. તે તેમની લેખન પરત્વેની સભાનતાનું દ્યોતક છે. એટલું જ નહીં પણ જેમના કુળમાં કે કુટુંબમાં મહાનુભાવ થઈ ગયા હોય તે અંગેની ખરી વિગતો જાણકારો પાસેથી અને બારોટના ચોપડાનો વિનિયોગ કરીને મેળવીને મોકલી આપવાનો નિખાલસ અનુરોધ પણ કર્યો છે જેથી તેની સામગ્રી બીજી આવૃત્તિમાં સમાવી શકાય. પણ ધાર્યું ધણીનું થાય એ મુજબ બીજો ભાગ પ્રગટ થયો નહીં એ આપણું દુર્ભાગ્ય છે; પરન્તુ એને સૌભાગ્ય બક્ષવાનું કાર્ય શંભુભાઈ જેવા પ્રામાણિક નિષ્ઠા ધરાવતા એકાદ-બે વીરલાએ કરવાનું ઈજન એમના અફસોસમાં વ્યક્ત થયું જ છે જે પડકાર કોઈકે ઉપાડી લેવા જેવો છે.
અત્યારના અન્વેષકે ક્ષેત્રકાર્યને અગ્રતા આપવાની પ્રેરણા આ લેખકમાંથી અંકે કરવા જેવી છે. વાડીખેતરમાં વસનાર પ્રજાનાં જીવન આ પુસ્તકમાં આલેખ્યાં છે તેથી તેનું નામ “પ્રભુની ફૂલવાડી રાખ્યું છે એવું લેખકનું કહેવું યથાર્થ છે. પ્રભુની વાડીનાં ફૂલ બધાં જ એક સરખાં અને એક રંગી હોતાં નથી. તે તો બહુરંગી અને ભાતીગળ હોય છે. તેમ આ પુસ્તકમાં પણ લેખકે બહુરંગી અને ભાતીગળ વ્યક્તિત્વ ધરાવનાર સાઠેક ચરિત્ર પ્રસ્તુત કર્યા છે, અલબત્ત પ્રત્યક્ષ મેળવેલી પ્રાથમિક માહિતીના આધારે, અને તે મારફતે પાટીદાર સમાજનાં બહુરંગી લક્ષણ આપણી પ્રત્યક્ષ કર્યા હોઈ એની શ્રદ્ધેયતા સ્વીકારવી રહી. લેખક રજૂઆતમાં નિખાલસ છે. જે કહેવું હોય તે સ્પષ્ટતાથી સીધી રીતે કહી દે છે. કુલડીમાં ગોળ ભાગવાની વૃત્તિ એમણે સ્વીકારી નથી.
પ્રભુની ફૂલવાડી'માં શંભુભાઈએ ત્રણ પ્રકરણ અને આશરે બસો પૃષ્ઠ મારફતે પાટીદાર કોમ અંગે પારદર્શક નુકતેચીની સરળતાથી કરી છે. જે તે વ્યક્તિ વિશે લખતાં, અલબત્ત રૂબરૂ મુલાકાતથી, લેખકે બહુ આયામી પદ્ધતિથી સમાજના ગુણદોષ સહજતાથી આલેખ્યા છે. પ્રત્યેક મહાનુભાવ વિશે લખતાં પ્રારંભે તે વ્યક્તિના ગામવિશેષની પ્રકૃતિ પરત્વે ટૂંકમાં પણ રસપ્રદ વર્ણન કરે છે. આથી, જે તે ગામનો ઠીક પરિચય આપણને થાય છે. તળાવ, નદી, ખેતર, તરણ-સ્થાપના જેવી ઘણી વિગત તેઓ લાધવતાથી રજૂ કરે છે. ઉપરાંત તે વ્યક્તિવિશેષના જીવનનાં અને તેમના કુટુંબનાં ભાતીગળ પાસાં સંક્ષેપમાં પણ બહુ સુંદર રીતે આલેખ્યાં છે. અને જરૂર જણાય ત્યાં તેઓના હાથે થયેલા ગુણદોષ કે લાભાલાભનાં વર્ણન નિઃસંકોચ કરી લે છે. પાટીદાર જ્ઞાતિ ચરોતર વિસ્તારમાંથી કાઠિયાવાડ પ્રદેશમાં કેવી રીતે સ્થિર થઈ, ત્યાંના રાજાઓ સાથે કેવા પ્રકારના સંબંધ પ્રસ્થાપિત કર્યા, ખેતીના વિકાસ વાસ્તે કેવી મથામણ કરી જેવી બાબતથી પણ લેખક આપણને ઉજાગર કરે છે. કયા સંજોગને કારણે એમણે કહ્યું કુળનામ (અટક) અપનાવ્યું તેની માહિતી પણ પ્રસંગોપાત્ જણાવી દે છે. આથી, સૌરાષ્ટ્ર વિસ્તારના પાટીદારોની અટકમાં જે વૈવિધ્ય જોવું પ્રાપ્ત થાય છે તેય રસપ્રદ તો છે જ પણ તે તે અટક પડછે રહેલાં કારણ વિશે પણ અન્વેષણની અપેક્ષા જરૂર જગવે છે. હકીકતમાં આ વિસ્તારના પાટીદારની અટકનો અભ્યાસ સામાજિક દૃષ્ટિએ રસપ્રદ ભૂમિકા પૂરી પાડે છે.
બીજા પ્રકરણમાં, લેખકે જ્ઞાતિ સંબંધિત અહેવાલ પ્રગટપણે નિરૂપ્યો છે, જેમાં પાટીદારોની નીતરતી સેવાભાવનાને કારણે કેટલાક અણગમતા રીતરિવાજ દૂર કરવા કેવા પ્રકારની મથામણ થયેલી, કેવાં મંથન હાથવગાં થયાં અને તે કાજે કેવાં પગલાં લેવાં પડેલાં તેની ઠીક ઠીક જિકર લેખકે સ્પષ્ટ શબ્દોમાં કરી છે. સાથોસાથ રાજા અને તેના અધિકારી વર્ગ તરફથી થતા જુલમ, નવા કરવેરા દ્વારા પ્રજાને પરેશાન કરવાની વિગતોય વણી લીધી છે. આ પ્રકરણનો સાર એ છે કે દુઃખમાંથી મુક્તિ માટે પાટીદાર સમાજે આવશ્યક શિક્ષણ અંકે કરવાનો મહત્ત્વનો નિર્દેશ કર્યો છે જે આજેય આ કોમ વાસ્તે તત્પરતાથી એનો વ્યાપક અમલ કરવો જરૂરી છે એમ ખસૂસ કહી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે શિક્ષણના પ્રસાર વિના પાટીદાર સમાજની સમસ્યા ઓછી નહીં થાય. આ વાત
સામાજિક ઈતિહાસ આલેખવાનું જ્ઞાપકીય લખાણ 1 ૧૩૫
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
લેખકના મતે પોણો સો વર્ષ પૂર્વે જેટલી આવશ્યકતા હતી એટલી જ આ અવલોકનકારના મતે આજેય અનિવાર્ય છે. શિક્ષણનો વિકાસ કોઈ પણ સમાજ કે કોમ વાતે અનિવાર્ય આવશ્યક હોવાની વાત આ પુસ્તકના વાંચનથી સુસ્પષ્ટ થાય છે.
છેલ્લાં પચાસ પૃષ્ઠ એટલે પ્રકરણ ત્રીજું. લેખકે એમાં કેટલાંક રસપ્રદ દષ્ટાંત અને વૃત્તાંત પ્રસ્તુત કરીને આ કોમ એટલે કે પાટીદાર સમાજે પોતાની વર્તમાન સ્થિતિમાંથી કેવી રીતે મુક્ત થઈને કઈ દિશામાં પ્રયાણ કરવાથી જ્ઞાતિનો ઉદ્ધાર થશે તેની સરસ રજૂઆત કરી છે જે ધ્યાનાર્હ અને પ્રશંસાઈ છે. દશાંગુલ ઊંચેરાં કુટુંબની વિગતો દર્શાવીને એમાંથી પ્રેરણા લેવાનો લેખકનો અનુરોધ સરાહનીય છે જ. આ બધાં દષ્ટાંત-વૃત્તાંત પ્રેરણાદાયી તો છે જ પણ કૌટુંબિક પરંપરામાં નિહિત ગુણદોષ તરફ અંગુલિનિર્દેશ કરી શંભુભાઈ આપણને તે પરત્વે ઉજાગર કરે છે.
* કહેવું અચૂક જોઈએ કે ગ્રંથકર્તાએ આ પુસ્તકમાં સાગરને સહજતાથી ગાગરમાં સમાવવાનો સંનિષ્ઠ પ્રયાસ , અને પ્રમાણનિષ્ઠ અભિગમ પ્રસ્તુત કર્યો છે, અને હા, તે ત્યારે જયારે એમનો સમાજ કૂપમંડૂકવૃત્તિના ભરડામાં અને રૂઢિચુસ્ત રિવાજોનાં બંધનમાં જકડાયેલો હતો. જે તે વિગત કેવળ અંગુલિનિર્દેશ જેવી છે પણ તેનો તંતુ (અભિગમ) પકડીને અધ્યેતાએ ભૂતાતંતુની જેમ ધૈર્યપૂર્વક એને આગળ લઈ જવાની અને તે તે નિર્દિષ્ટ વિચારને વિકસાવવાની તાતી જરૂર છે અને પાટીદાર સમાજના અહીં પ્રસ્તુત થયેલા પાંખા તાણાવાણાને સુઘટ્ટ કરવાની જરૂર છે અને એ દષ્ટિએ આ પુસ્તક અન્વેષણકર્તા સારુ કાચી પણ પ્રાથમિક અને બુનિયાદી માહિતી હાથવગી કરી આપે છે. એક કોમ વિશે લખતા હોવા છતાંય લેખકે સમકાલીન પ્રકૃતિ, પર્યાવરણ, સામાજિક સંબંધો, રાજકીય અભિગમ, રીતરિવાજો, રાજાઓની વર્તણૂક, પેઢીનામું તૈયાર કરવાની સામગ્રી, ગામતોરણ બાંધવાની પ્રથા, ઇતિહાસાલેખન કાજે ઉપાદેયી થઈ શકે એવી રાજકીય-સામાજિક તવારિખ, ગામનો ઇજારો, શંકરનાં મંદિરવિશેષની વિગત, ધાર્મિક લેખાંજોખાં, ખેતી વિષયક માહિતી, આર્થિક તાણાવાણા, સ્થળનામના પરિચય, અટકપ્રથાનાં પરિબળ અને તેનાં નામકરણની ભૂમિકા, એક જ પ્રદેશના એક વિરતારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતરનાં કારણ અને સ્થિર થવાની મથામણનાં સુફળ, સમાજસંરચના જેવી ઢગલાબંધ વિગત, અલબત્ત દિશાસૂચક પ્રકારની, લેખકે આપણને સૂત્રાત્મક પદ્ધતિએ પણ પ્રેરણાદાયક અભિગમથી સંપડાવી આપી છે તે ખસૂસ આવકારવા યોગ્ય છે જ. આથી, ગઈ સદીના બીજા ચરણના પ્રારંભે એક બંધિયાર જ્ઞાતિને મુક્ત-અવકાશમાં પરિવર્તિત કરવાની લેખકે જે હામ ભીડી હતી તે પ્રશંસાઈ તો છે જ, સાથોસાથ એમનું દૂરંદેશીપણું પણ દૃષ્ટિગોચર થાય છે.
પુસ્તકની રજૂઆત સક્ષમ છે. એમાં અભિગમ પામેલી સામાજિક વ્યથા આજેય ઘણા અંશે ગ્રામપ્રજામાં મોજૂદ હોવાનું નરી આંખે જોઈ શકાય છે. હા, એકવીસમી સદી ઉઘડતાંની સાથે પાટીદાર સમાજમાં આ પરત્વે આરંભાયેલી થોડીક હલચલ અને ચહલપહલ વિકાસને પંથે જવાની અને બંધિયાર રીતરિવાજના અજ્ઞાનનાં અંધાર ઉલેચવાની દિશાનાં ઘાતક છે તેય આશાસ્પદ છે. પણ ફિરકાઓ વચ્ચેનાં અંતર દૂર કરી એકત્વ તરફ જવાની દિશા શંભુભાઈએ દર્શાવી છે તે જ આ પુસ્તકના લખાણની સાર્થકતા છે.
છેલ્લે, મસ્ત-ફકીર અને નિર્ભિક પત્રકાર ગોરધનદાસે અપ્રાપ્ય પુસ્તકને પ્રાપ્ત કરી આપ્યું છે તેય ઘટના અભિનંદનીય અને આવકાર્ય છે. સંપાદકનો હેતુ પાટીદાર સમાજ વિકાસને પંથે પ્રગતિ કરે, પારસ્પરિક સંઘર્ષને દફનાવી દે, કુરિવાજોને ધ્વસ્ત કરે અને જ્ઞાનવિજ્ઞાનની દિશા પકડે એ તરફ આંગળી ચીંધવાનો છે. સમાજ આ પુસ્તકને આત્મસાત કરી એમાં વ્યક્ત વિભાવના, વિચારણા અને વાસ્તવિકતાથી ઉજાગર થઈ પ્રગતિના પંથે વિહરે તો જ લેખક અને સંપાદકની મહેનત અને ઉદ્દેશ, કહો કે સાહસ લેખે લાગશે. અસ્તુ. ૧૩-૨-૦૬
'પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૩૬
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ma Qidhorn, Delhi For Private and Personal Use Only