SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ અંગ અને ઉપાંગન્યાસ દ્વારા તેમાંથી પ્રગટતી ઊર્જાને શરીરમાં પ્રવાહિત કરીને પછી પચ્ચક્રોમાં ઓમકારને આજ્ઞાચક્ર સુધી લઈ જઈને લયયોગ દ્વારા અ, ઉ, મુ માં ત્રણ અવસ્થાઓ અને ત્રણ પ્રકારની વાણીનો લય કરીને પછી સહસ્ત્રારચક્રમાં ઓમકારની તુરીયાતીત શક્તિનો અને પરાવાણીના રૂપમાં ઓમકારનો તેજોમય સાક્ષાત્કાર બતાવ્યો છે. આમ, તારના અસમન્ન દ્વારા ઓમકારનું પ્રતિક્ષણ ફુરણ થાય છે. પ્રાસાદમી દ્વારા મૂકાર અનુભૂતિના ક્ષેત્રમાં (આજ્ઞાચક્રમાં પ્રવેશે છે અને પછી તેની સૂક્ષ્મતા નાદાનુસંધાન દ્વારા સિદ્ધ થતાં ઓમકાર પરમતત્ત્વની અનુભૂતિ કરાવી છે. અને એ રીતે ઓમકાર ‘તારકમત્ર છે. મહામુનિ પતંજલિએ પણ આ “તારકમન્ન' તરીકે ઓમકારનો આ જ કારણે સ્વીકાર કર્યો છે. ‘કુલાર્ણવ તત્ર'ના છઠ્ઠા ઉલ્લાસમાં ઓમકારની કલાઓનાં નામ વિશે પણ વિચાર કરવામાં આવ્યો છે. આ તન્નગ્રન્થ મુજબ “ઓમકારના “અકારમાંથી “કથી “ચ” વર્ગની દસ સૃષ્ટિકલા ઉત્પન્ન થઈ છે અને તે “બ્રહ્મજાતા' છે; જેમ કે सृष्टिर्मेधा स्मृतिऋद्धिः कान्तिर्लक्ष्मीद्युतिः स्थिरा । स्थितिः सिद्धिरिति प्रोक्ता: कचवर्गकला दश । अकारप्रभवा ब्रह्मजाताः स्युः सृष्टये कलाः ॥" ‘ઉ' કારમાંથી ‘ટ’થી ત’ વર્ગની દસ સ્થિતિકલા ઉત્પન્ન થઈ છે કે જે વિષ્ણુજાતા’ છે; જેમકે– जरा च पालिनी शान्तिरीश्वरी रतिकामिके । वरदालादिनीप्रीतिदीर्घाः स्युष्टतवर्गत्राः । उकारप्रभवा विष्णुजाताः स्युः स्थितये कलाः ॥२० કારમાંથી “પ” થી “ય' વર્ગની દસ “સંહારકલાઓ ઉત્પન્ન થઈ છે, જેને “રુદ્રજાતા' કહેવાય છે; જેમકે – तीक्ष्ण रौद्री भया निद्रा तन्द्रा क्षुत्क्रोधिनी क्रिया । उत्कारी मृत्युरित्युक्ता पयवर्गकला दश । मकारप्रभवा रुद्रजाताः संहृतये कलाः ॥२॥ છે તેમાંથી “ષ' વર્ગની ચાર “તિરોધનકલા’ ઉત્પન્ન થાય છે જેને “ઈશ્વરજાતા કહેવાય છે, જેમકે – षवर्गगाश्चतस्रः स्युः पीता श्वेतारुणासिताः ।२२ ઓમકારના નાદમાંથી સ્વરોની સોળ અનુગ્રહકલા ઉત્પન્ન થઈ છે, જેને “સદાશિવજાતા' કહેવાય છે. ૨૩ निवृत्तिश्च प्रतिष्ठा च विद्या शान्तिस्तथैव च । इन्धिका दीपिका चापि रेचिका मोचिका परा ॥ सूक्ष्मासूक्ष्मामृता ज्ञानाऽमृता चाप्यायिनी तथा ।। व्यापिनी व्योमरूपा च षोडश स्वरजा: कलाः ।। सदाशिवभवा नादादनुग्रहकला: क्रमात् । कलाश्चेश्वर सञ्जाता स्तिरोधानाय बिन्दुजाः ॥२॥ તન્નગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું સ્વરૂપ, રહસ્ય અને મહિમા ૩૧ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy