Book Title: Dharm Sangraha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022040/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી માનવિજયજી મ. સા. કૃત સ્વોપજ્ઞ ટીકા તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કૃત ટિપ્પણ સમન્વિત ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ET A વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા, Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ શબ્દશ: વિવેચન મૂળ ગ્રંથકાર તથા સ્વોપજ્ઞ ટીકાકર્તા ઉપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજા ટિપ્પણકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા જ વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષડ્ઝર્શનવેત્તા, માવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા વિવેચનકાર+ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંકલનકારિકા પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી પુણ્યપાલસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.નાં શિષ્યા સાધ્વીજી શ્રી ચિનંદિતાશ્રીજી * પ્રકાશક * હતા “શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ શબ્દશઃ વિવેચન વિવેચનકાર + પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૮ વિ. સં. ૨૦૬૮ + આવૃત્તિ : પ્રથમ નકલ ઃ ૨૫૦ મૂલ્ય : રૂ. ૨૮૦-૦૦ - - -આર્થિક સહયોગ - એક સગૃહસ્થ તરફથી અમદાવાદ, : મુખ્ય પ્રાપ્તિસ્થાન : ૧૪૧ શ્રુતદેવતા ભુવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૯. ફોનઃ ૨૨૧૭૪૫૧૯ સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન - - અમદાવાદ : ગીતાર્થ ગંગા “શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. E (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com - વડોદરાઃ શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ દર્શન', ઈ-કલ, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. R (૦૨૭૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in મુંબઈ : શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, જવાહરલાલ નહેરૂ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. = (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૯ Email : lalitent@vsnl.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. R (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email: divyaratna_108@yahoo.co.in સુરત: ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. (૦૨૬૧) ૩૨૨૮૭૨૩ જ જામનગર શ્રી ઉદયભાઈ શાહ co. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. Re (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૩૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com +BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. PR (080) O)22875262 (R) 22259925 (Mo) 9448359925 Email : amitvgadiya@gmail.com રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦, (મો.) ૯૪૨૭૧૭૮૬૧૩ Email : shreeveer@hotmail.com Page #5 -------------------------------------------------------------------------- ________________ શ, પ્રકાશકીય સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે. અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. . . અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ.સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધીશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. વિનેવ વિનાના િવિજ્જનપરિશ્રમમ્' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. - જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ. મૃતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭, ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ વેદ વાર વ્રત પુર્વ વિસ્પ ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્યા ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર થર્મ યા સંpવાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા र संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર iiiા (ગુજરાતી) ૪. સ્વતંત્ર ભારત મેં ઘર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!! (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજરાતી) ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) ૯. સેવો પાસ સંસર (હિન્દી) સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો ak as છું વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચના ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ. ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક ચનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાબિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચના ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮, દીક્ષાદ્વાáિશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચના ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સુત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૪. જિનમહત્ત્વદ્વાબિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાáિશિકા–૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાબિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયાબિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાäિશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિવાચિંશિકા–પ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યાસિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવા દ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયહ્ાત્રિશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૪, ગુરતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫, ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું જીવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૧, ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પખીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાચિંશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ IST) ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ના સંકલનની વેળાએ પ્રાસ્તાવિક ને જ S અનાદિ અનંતકાળથી ભવાટવીમાં ભ્રમણ કરતા જીવ માત્રની ઝંખના સુખ છે, પરંતુ જીવની કરુણ સ્થિતિ એ છે કે સાચું સુખ મળે ક્યાં તેની ખબર નથી માટે જ પરિભ્રમણ ચાલુ છે. પુણ્યસંયોગે આર્યદેશ-આર્યકુળમાં જન્મ પામતા ધર્મથી સુખ મળે છે. ધર્મ જીવનમાં કરવા જેવો છે વગેરે શબ્દો કાને અથડાતા. પરંતુ ખરેખર ધર્મ એટલે શું ? ધર્મ કોને કહેવાય ? What is the religion. જીવની જિજ્ઞાસાને કારણે થોડી થોડી સમજ આવતી ગઈ. ધર્મનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. ત્રણ લોકમાં પ્રતિષ્ઠિત ધર્મ છે. “ધૂ” ધારણ કરવું. ધાતુ પરથી બનેલ ધર્મ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ શાસ્ત્રમાં – ધારણ કરે તે ધર્મ અર્થાત્ દુર્ગતિમાં પતિત એવા આત્માને ધારણ કરી સદ્ગતિમાં સ્થાપન કરનાર ધર્મ' કરેલ છે. ભવોદધિતારક તીર્થંકરે સ્થાપેલ ધર્મ. બે પ્રકારનો :- ૧. સાધુધર્મ, ૨. શ્રાવકધર્મ. પરંતુ વ્યક્તિભેદ, ભૂમિકા ભેદે, સંયોગભેદ - ધર્મના અનેક પ્રકારો થાય છે. નિગોદથી નિર્વાણ - અવ્યવહાર રાશિથી વ્યવહારરાશિમાં આવી, ચૌદ ગુણસ્થાનકના ક્રમારોહ સ્વરૂપે ચેતન એવા આત્માની આત્મકથાના નિરૂપણ દ્વારા સાંગોપાંગ મોક્ષમાર્ગનું કથન જે જૈનદર્શનમાં છે તેવું અન્ય દર્શનમાં ક્યાંય નથી. તીર્થકરે અર્થની દેશના આપી અને ગણધરે જિનવચનને સૂત્રાત્મક રીતે દ્વાદશાંગીની રચના કરી આત્માના સાચા સુખને બતાવનાર અનુપમ શ્રુતજ્ઞાનની ભેટ ધરી. આ અમૂલ્ય અનુપમ શ્રતવારસોને પ્રાચીન મહર્ષિઓ, વિશિષ્ટ કૃતધર – પૂર્વધરો – આપણા પૂર્વજોએ આપણા સુધી પહોંચાડી વર્તમાન પેઢી પર અનન્ય ઉપકાર કર્યો છે. પૂજ્ય જગદ્ગુરુ હીરસૂરિ મ.સા.ની પાંચમી પાટને શોભાવનાર શ્રી માનવિજયજી કૃત પ્રસ્તુત ગ્રંથ ધર્મસંગ્રહ... “મૈથ્યાદિ ભાવોથી સંમિશ્ર અવિરુદ્ધ એવા વચનથી યથોદિત એવું જે અનુષ્ઠાન તે ધર્મ છે.” ગ્રંથકારશ્રીએ વ્યવહારનયથી ધર્મનું લક્ષણ કરી ચરમાવર્ત યથાપ્રવૃત્તિકરણ પામેલ ભવ્યજીવે મોક્ષની મંઝિલ-મોક્ષમાર્ગ દ્વારા કઈ રીતે પ્રાપ્ત કરવી અર્થાત્ ક્રમસર કઈ ભૂમિકા પ્રાપ્ત કરી સિદ્ધિ હાંસલ કરવી તેના નિરૂપણ માટે ગ્રંથકારશ્રીએ ચરમાવર્ત ધર્મયૌવનકાલ, આદિધાર્મિક, અપુનબંધક, મૈત્યાદિ દૃષ્ટિ, સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, પ્રમત્ત ગુણસ્થાનક, અપ્રમત્તગુણસ્થાનક સુધીના ક્રમારોહને આવરી લીધેલ છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મના વિભાગીકરણથી શ્રાવકધર્મ દ્વારા અને સાપેક્ષ યતિધર્મ - નિરપેક્ષ યતિધર્મ દ્વારા સાધુધર્મનું નિરૂપણ પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે. મૂળ ગાથા-૧૫૯, અને ઉદ્ધરણ સહિત ૧૪,૭૦૦ શ્લોક પ્રમાણ હોવાથી ગ્રંથકારશ્રીએ કૃતિનું નામ “ધર્મસંગ્રહ રાખેલ છે. જિનવચનમાં અડગ શ્રદ્ધા ધરાવનાર સાધુધર્મનું પરિભાવન કરનાર નિઃસ્પૃહી બારવ્રતધારી સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ પોતાની આગવી સુંદર શૈલીથી તે તે ભૂમિકાના ભાવોને ખોલીને ધર્મનો મર્મ સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | પ્રાસ્તાવિક કષ-છેદ-તાપશુદ્ધ ધર્મનું સ્વરૂપ, આદિધાર્મિક આદિની ભૂમિકા, સમ્યક્તનું દ્રવ્યથી-ભાવથી સ્વરૂપ તથા દસ પ્રકારના સમ્યક્તને ખૂબ ધ્યાનથી વાંચી મનન કરવા યોગ્ય છે. વળી, શ્રાવકધર્મના બારવ્રતના અવાંતર ભાંગા છે અને ભગવાને બતાવેલ શ્રાવકધર્મ મોક્ષનું કારણ કઈ રીતે બને છે. શ્રાવકધર્મના અનુષ્ઠાનના યોગ્ય ભાવોની સૂક્ષ્મતા વિવેચનકાર સુશ્રાવકશ્રી પ્રવીણભાઈએ સરળ ભાષામાં સુંદર રીતે બતાવી છે, જેને વાંચતા-મનન કરતા શ્રાવકધર્મનું રહસ્ય સમજાતું જાય ? સાથે સાથે સર્વજ્ઞ એવા તીર્થંકર પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય કે કેવો સરસ ધર્મ પ્રભુએ ચારિત્રધર્મ બતાવ્યો છે. -: ઋણ સ્વીકાર :યોગબીજ પ્રાપ્તિના તેર કારણમાંથી એક કારણ એવા ગ્રંથલેખન કરવાનો અનુપમ અવસર મને પ્રાપ્ત થયો. ગાઢ મિથ્યાત્વના પ્રબળ કારણ મોહ સામ્રાજ્યથી ઘેરાયેલ સંસારથી શાંત પ્રશાંત ઉપશાંત સૌમ્ય ધર્મસામ્રાજ્યનો યત્કિંચિત્ મુજજીવનમાં અનુભવ કરાવનાર જડ-ચેતન એવા ઉપકારીઓનો યત્કિંચિત્ ઋણ સ્વીકાર; કેમ કે સાચો ઋણ સ્વીકાર મોક્ષમાર્ગમાં આગળ વધી સમકિતના સહારે ભાવચારિત્રના યથાર્થ પાલન દ્વારા સામર્થ્ય યોગથી કેવલજ્ઞાન પામી યોગનિરોધ કરી નિર્વાણને હાંસલ કરી સિદ્ધિપદને વરશુ ત્યારે થશે. પરંતુ તે પામી શકાય તેના માટે પ્રેરણા-સામગ્રી આદિ અર્પણ કરનાર જગતમાં જેનો જોટો ન જડે તેવા સુદેવ-સુગુરુ-સુધર્મને પ્રદાન કરનાર પરમાત્માની અસીમ કૃપા મુજ પર ઊતરે તે જ અભ્યર્થના. तुभ्यं नमस्त्रि भुवनातिहराय नाथ ! तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय । तुभ्यं नमः क्षितितलाऽमलभूषणाय, तुभ्यं नमो जिनभवोदधि शोषणाय ॥ અનંતા અરિહંત અને અનંતા સિદ્ધોનો ઉપકાર સમગ્ર જીવસૃષ્ટિ ઉપર છે પરંતુ વર્તમાન ભવમાં જેના દર્શન-વંદન-અર્ચન-પ્રતિમા દ્વારા અનન્ય ઉપકાર થયો છે તેવા લોક્યલલાયભૂત, ત્રિભુવનાર્તિહર, : ક્ષિતિતલામલભૂષણ, ભવોદધિ શોષણ કરનાર જગગુરુ શત્રુંજય શણગાર શ્રી આદિનાથ પ્રગટ પ્રભાવી શંખેશ્વર મંડન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય, શાંતિદાયક શ્રી શાંતિનાથ, આસન્ન ઉપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી વસુ દ્વારા અર્પિત વાસુપૂજ્યસ્વામી અને શ્રેયકારી એવા શ્રેયાંસનાથ એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું. મારા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું. अज्ञानतिमिरान्धानाम् ज्ञानाञ्जनशलाकया । नेत्रमुन्मिलीतं येन तस्मै श्री गुरवे नमः ॥ સુહગુરુ જોગો - તવણસેવણા આત્મવમખંડા” મુજ સંયમજીવનના સાર્થવાહ, રક્ષણહાર, તારણહાર માર્ગદર્શક સદ્ગુરુવર્યનો યોગ-યોગાવંચક બની ફલાવંચકયોગમાં પરિણમન પામે તેવી મહેચ્છા. વધુ તો શું કહેવું ! પરમોપધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ના શબ્દો યાદ આવે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | પ્રાસ્તાવિક “સમકિતદાયક ગુરુ તણો પચ્યુવચાર ન થાય, ભવ કોડાકોડી કરી કરતા સર્વ ઉપાય.” 3 મોહ અને અજ્ઞાનને કારણે કાલપુટ વિષ જેવા વિષમ વિષયકષાયના તોફાની વમળમાં ઘેરાયેલ ભવ્ય જીવને શુદ્ધ ધર્મનું પ્રદાન કરી ધર્મશ્રવણ નૌકા દ્વારા હેમખેમ કિનારે પહોંચાડનાર, ૮૪ લાખ જલનિધિ તરણ પ્રવહણ, ભવોદધિત્રાતા, ભવ્યજીવ પ્રતિબોધક, સૂક્ષ્મતત્ત્વવિવેચક, અધ્યાત્મસંપન્ન ભાવાચાર્યના લક્ષ્યને સ્મૃતિમાં રાખી પ્રવ્રજ્યા પર્યાયને પરોપકારમાં પ્રવર્તાવતા ધર્મતીર્થક્ષક, શ્રુતરક્ષક, સમ્યક્શાન દાતા અનન્યોપકારી અનુપમેય ગુરુવર્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના પાદ પંકજે મુજ પાપાત્માના નત મસ્તકે અનંતાનંત કોટિશઃ વંદન હોજો... મોક્ષના એક માત્ર કારણ એવા ચારિત્રને વેશથી અર્પણ કરી સ્વની નિશ્રામાં સારણાદિ દ્વારા ધર્મનો ખરો મર્મ સમજાવી સંયમ૨થને મોક્ષપથ પર આગળ ધપાવવા માટે કટિબદ્ધ એવા હિતચિંતકચારિત્રસંપન્ન વિદૂષી સાધ્વીરત્ના પરમપૂજ્ય ગુરુવર્ય ચારુનંદિતાશ્રીજી મ.સા.ની કૃપા મુજ પર સદા વરસતી રહો, એવી અંતરની અભિલાષા. સ્વાસ્થ્યની પ્રતિકૂળતામાં આત્માની સ્વસ્થતા દ્વારા સમાધિ આપનાર, બીજાના દોષોને ખમી ખાવાનો અનુપમ ગુણ ધરાવનાર, સ્વ નામને સાર્થક કરવામાં તત્પર એવા શતાધિક શ્રમણી ગચ્છ પ્રવર્તક હિતકાંક્ષી પ્રવર્તની વિદૂષી સાધ્વીરત્ના પરમોપકારી પરમપૂજ્ય ચંદ્રાનનાશ્રીજી મ.સા. - દાદીગુરુના આશીર્વાદથી મારું સંયમજીવન નંદનવન સમુ બની રહે તેવી અભ્યર્થના. અગૃહીતા સંકેતાને પણ પ્રાજ્ઞ કહેવડાવે એવી મંદબુદ્ધિવાળી મને - એક પથ્થરને ધીરતા ધૈર્યગુણથી સાત્ત્વિક વાર્ત્યના ટાંકણાથી ઘડનાર, સાધુજીવનના હાર્દને સમજાવનાર અને પ્રસ્તુત ગ્રંથની સંકલના માટે યોગ્ય બનાવનાર શિલ્પી એવા સુશ્રાવક શ્રી પ્રવીણભાઈ પંડિતની મુજ પર વડીલ તરીકેની છત્રછાયા દશવિધયતિધર્મના પાલનરૂપ સંયમજીવનમાં સદા રહે. ‘સહાય કરે તે સાધુ’ને સાર્થક કરતા રત્નત્રયીની આરાધનામાં સહાય ક૨ના૨ - ખાસ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે અનુકૂળતા કરી આપનાર ગુરુભગની અને લઘુભિગનીની હું સદા ઉપકૃત છું. “જા સંયમપંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ રહે...” અંતરના આશીર્વાદની દીક્ષાની રજા આપી એક જ ભવમાં નવો જન્મ આપનાર ભૌતિક ઉપકારી માતુશ્રી ચંદ્રાબહેન અને પિતાશ્રી સૂર્યકાન્તભાઈ તથા પરિવારજનનો ઉપકાર કૃતજ્ઞતા ગુણથી કહી વિસરાય તેમ નથી. - રાજનગરની ધન્ય ધરા જેણે સન્માર્ગદાતા-મોક્ષમાર્ગ પ્રરૂપક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પાલખીના દર્શન કરાવ્યા અને અનેક મહાત્માઓનો મેળાપ કરાવી નામથી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરાવ્યો. Page #15 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | પ્રાસ્તાવિક દીક્ષાદાતા-પરમપૂજ્ય હિતરુચિવિજયજી મ.સા. વડી દીક્ષાદાતા-આચાર્યદેવેશ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા. ઘરની મમતા છોડાવનાર આચાર્યદેવેશ શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ.સા., હિતચિંતા કરનાર આચાર્યદેવેશ શ્રીમદ્વિજય હર્ષવર્ધનસૂરીશ્વરજી મ.સા. તથા સંયમજીવનમાં સહાયક થનાર અનેક મહાત્માઓની હું ઋણી છું. આ યત્કિંચિત્ ઋણ સ્વીકાર દ્વારા સાચો ઋણ સ્વીકાર કરી શકું તેવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના. પ્રાદુર્ભાવ પામેલ મુક્તિની ઝંખનાનું કિરણ ઉજ્વલ બની શીધ્ર મુક્તિ આપે તેવા પુરુષાર્થને ઇચ્છતી ભવ્ય જીવ એવા વાચકજીવમાં મુક્તિની ઝંખના જાગે તેવી ઝંખના મુક્તિની શુભાભિલાષા. ગુમ ભવતુ આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૧૭, તા. ૬-૧૦-૨૦૧૧, ગુરુવાર. ગીતાર્થગંગા, શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંતા શ્રી પુણ્યપાલસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી ચિહ્નદિતાશ્રીજી Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / સંકલના ની ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ના સંકલના | સામાન્ય ગૃહસ્થ ધર્મને સેવીને યોગ્ય જીવો ઉપદેશ આદિની સામગ્રીને પામે તો સમ્યક્તને પ્રાપ્ત કરે છે અને સમ્યક્ત પામ્યા પછી સંસારના ઉચ્છેદના અર્થી એવા તે જીવી શક્તિ અનુસાર દેશવિરતિ ધર્મને પ્રાયઃ સ્વીકારે છે. તેથી પ્રથમ અધિકારમાં સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન કર્યા પછી બીજા અધિકારમાં સમ્યક્તનું સ્વરૂપ પ્રથમ બતાવે છે, ત્યાર પછી ક્રમસર દેશવિરતિનું સ્વરૂપ બતાવે છે. તેથી અમોએ પણ પ્રથમ ભાગમાં સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન કર્યું. હવે બીજા ભાગમાં સમ્યક્તનું સ્વરૂપ અને શ્રાવકધર્મ બાર વ્રતોમાંથી પાંચ અણુવ્રતોનું સ્વરૂપ પ્રસ્તુત ભાગમાં બતાવેલ છે ત્યાર પછીનો દેશવિરતિનો ધર્મ ત્રીજા ભાગમાં બતાવાશે. ધર્મસંગ્રહ ભાગ-૨ શબ્દશઃ વિવેચનમાં ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કે પૂજ્ય ઉપાધ્યાય મહારાજના આશય વિરુદ્ધ કાંઈ પણ ક્ષતિ થઈ હોય તે બદલ મિચ્છા મિ દુક્કડું માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૧૭, તા. ૬-૧૦-૨૦૧૧, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | અનુક્રમણિકા ધર્મસંગ્રહ ભાગ-૨ની અનુક્રમણિકા બ્લોક નં. વિગત પાના નં. ૨૧. ૧-૧૧ ૧૧-૧૮૪ ૧૮૪-૨૦૬ ૨૦૯-૨૩૮ ૨૩૮-૨૪૬ સમ્યક્તનું સ્વરૂપ. સમ્યક્તના ભેદો, સમ્યક્તના ૩૭ ભેદોનું સ્વરૂપ. વ્રતગ્રહણની વિધિ. અણુવ્રતોનું સ્વરૂપ. પ્રથમ અણુવ્રત સ્થૂલપ્રાણાતિપાત વિરમણવ્રતનું સ્વરૂપ. દ્વિતીય અણુવ્રત સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ. તૃતીય અણુવ્રત સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતનું સ્વરૂપ. ચતુર્થ અણુવ્રત સ્થૂલસ્વદારા સંતોષ પરસ્ત્રીગમનમૈથુન વિરમણવ્રતનું સ્વરૂપ. પંચમ અણુવ્રત સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ. ૨૪૭-૨૫૭ ૨૫૭-૨૬૨ ૨૯૨-૨૭૦ ૨૭૦-૨૮૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ ॐ हीं अहँ नमः । ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । નમઃ પૂ. ઉપાધ્યાય શ્રી માનવિજયજી કૃત સ્વોપજ્ઞ ટીકા સમન્વિત તથા લઘુહરિભદ્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કૃત ટિપ્પણી યુક્ત ધર્મસંગ્રહ ભાગ-૨ શબ્દશઃ વિવેચન * પ્રથમ ખંડ -1k દ્વિતીય અધિકારી છે પ્રથમ અધિકાર સાથે બીજા અધિકારનો સંબંધ : अथ विशेषतो गृहिधर्मव्याख्यानावसरः, स च सम्यक्त्वमूलक इति प्रथमं सम्यक्त्वं प्रस्तूय तदेव लक्षयति - હવે વિષયથી ગૃહધર્મના વ્યાખ્યાનનો અવસર છે. અને તે સમ્યક્નમૂલક છે. એથી પ્રથમ સમ્યક્તને પ્રસ્તુત કરીને તેને જ=વિશેષથી ગૃહીધર્મના સ્વરૂપને જ, બતાવે છે – ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પાંત્રીસ પ્રકારના શિષ્ટાચારને પાળનારા યોગ્ય જીવોને કેવી ધર્મદેશના આપવી જોઈએ ? તેનું કાંઈક વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું. તે સ્વરૂપ સાંભળીને જે યોગ્ય શ્રોતા ઉપદેશકના વચનથી સંસારના ઉચ્છેદનો અર્થી બન્યો છે અને મોક્ષના ઉપાયોને સેવવા માટે અત્યંત અભિમુખ બન્યો છે તેવો જીવ કેવા સ્વરૂપવાળો હોય ? તે શ્લોક-૨૦માં બતાવ્યું. તેવી યોગ્યતાને પામેલા શ્રોતાને ત્યારપછી વિશેષથી ગૃહીધર્મનું સ્વરૂપ બતાવવું જોઈએ=સમ્યના સ્વરૂપને બતાવવાપૂર્વક ગૃહીધર્મનું સ્વરૂપ બતાવવું જોઈએ અને તે ગૃહધર્મ સમ્યક્વમૂલ બારવ્રતરૂપ છે. તેથી તેવા જીવોને ધર્મ બતાવતી વખતે પ્રથમ Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ સમ્યક્તનું સ્વરૂપ બતાવવું જોઈએ. તે બતાવીને ગૃહીધર્મનું સ્વરૂપ બતાવવું જોઈએ. તેથી હવે ગૃહીધર્મના સ્વરૂપને જ બતાવે છે – Acts : - न्याय्यश्च सति सम्यक्त्वेऽणुव्रतप्रमुखग्रहः । जिनोक्ततत्त्वेषु रुचिः, शुद्धा सम्यक्त्वमुच्यते ।।२१।। अन्वयार्थ : च सति सम्यक्त्वे सभ्य होत ते ४, अणुव्रत प्रमुखग्रहः माणुव्रत वगैरे प्रखए, न्याय्यः=Gयित छे=संत छ. जिनोक्ततत्त्वेषु=mals duोमi शुद्धा रुचिः शुद्ध यि, सम्यक्त्वमुच्यते सम्यन्य वाय छ. ॥२१॥ लोार्थ : સમ્યક્ત હોતે છતે જ અણુવ્રત વગેરેનું ગ્રહણ વાચ્ય છે ઉચિત છે, જિનોક્ત તત્વોમાં શુદ્ધ રુચિ સમ્યક્ત કહેવાય છે. રિલા टीs: 'सति' विद्यमाने 'सम्यक्त्वे' सम्यग्दर्शने चकारोऽत्रैवकारार्थो भिन्नक्रमश्च, ततः सम्यक्त्वे सत्येवेत्यर्थो लभ्यते, अणुव्रतगुणव्रतशिक्षाव्रतानां ग्रहोऽभ्युपगमो 'न्याय्यः' उपपन्नः, नत्वन्यथा सम्यक्त्वेऽसति, निष्फलत्वप्रसङ्गाद्यथोक्तम् "शस्यानीवोषरक्षेत्रे निक्षिप्तानि कदाचन । न व्रतानि प्ररोहन्ति, जीवे मिथ्यात्ववासिते ।।१।। संयमा नियमाः सर्वे, नाश्यन्ते तेन पावनाः । क्षयकालानलेनेव,पादपाः फलशालिनः ।।२।।" इति । सम्यक्त्वमेव दर्शयति-'जिनोक्तेत्यादि' जिनोक्तेषु तत्त्वेषु जीवाजीवादिपदार्थेषु या 'शुद्धा' अज्ञानसंशयविपर्यासनिराकरणेन निर्मला 'रुचिः' श्रद्धानं सा 'सम्यक्त्वमुच्यते' जिनैरितिशेषः, तद्विशेषतो गृहिधर्म इति पूर्वप्रतिज्ञातं सर्वत्र योज्यम् । ग्रं० १००० । टीक्षार्थ :_ 'सति' ..... सर्वत्र योज्यम् । सभ्यत्य विधमान होत ७ते ४, माणुव्रत-गुएरात्रत-शिक्षाप्रत, ગ્રહણઃસ્વીકાર વ્યાપ્ય છેઃઉપપન્ન છે=સંગત છે. અન્યથા નહિ=સમ્યક્ત નહિ હોતે છતે સંગત Page #20 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ નથી; કેમ કે નિષ્ફલત્વનો પ્રસંગ છે=સમ્યક્ત વગર અણુવ્રતાદિના સ્વીકારમાં નિષ્કલપણાનો પ્રસંગ છે. શ્લોકમાં રહેલ “ઘ'કાર “a'કાર અર્થમાં છે અને તે “'કારનું યોજન ભિન્ન ક્રમમાં છે અર્થાત્ “સખ્યત્વે સતિ' પછી યોજના છે. સમ્યક્ત વગર અણુવ્રતાદિનું ગ્રહણ નિષ્ફળ કેમ છે ? તેમાં થોથી સાક્ષી આપે છે – “ઊખરભૂમિમાં નિક્ષેપ કરાયેલા ધાન્યની જેમ મિથ્યાત્વવાસિત જીવમાં ક્યારેય વ્રતો પ્રરોહ પામતાં નથી.” “ક્ત સયકાલના અગ્નિથી ફળવાળાં વૃક્ષો નાશ પામે છે તેમ તના વડ–મધ્યાત્વ વડ, પાવત્ર ૨ વાળાં વક્ષો નાશ પામે છે તેમ તેના વડે મિથ્યાત્વ વડે, પવિત્ર એવા સર્વ સંયમનિયમો નાશ પામે છે.” ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. શ્લોકના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ઉત્તરાર્ધનો અર્થ સ્પષ્ટ કરે છે – સખ્યત્વને જ બતાવે છે - ભગવાને કહેલા જીવાજીવાદિ પદાર્થોમાં શુદ્ધ અજ્ઞાન, સંશય, વિપર્યાસના નિરાકરણથી નિર્મલ એવી જે રુચિ=શ્રદ્ધાન, તે સમ્યક્ત જિનો વડે કહેવાય છે. શ્લોકમાં ‘બિને.' શબ્દ અધ્યાહાર છે તે બતાવવા માટે “જિનેરિતિશેષઃ' એમ કહેલ છે. તેના વિશેષથી=સમ્યક્તના વિશેષથી, ગૃહિધર્મ છે. એ પ્રમાણે પૂર્વમાં પ્રતિજ્ઞાત=પ્રથમ અધિકારની સાથે બીજા અધિકારનો સંબંધ બનાવતી વખતે કહ્યું કે હવે વિશેષથી ગૃહીધર્મના વ્યાખ્યાનનો અવસર છે એ કથન દ્વારા પૂર્વમાં પ્રતિજ્ઞાતનું, સર્વત્ર યોજન કરવું. ભાવાર્થ પૂર્વ શ્લોકમાં સધર્મને યોગ્ય જીવ કેવા સ્વરૂપવાળો હોય છે તે બતાવ્યું. તેથી તેવા સ્વરૂપવાળા જીવોને પ્રાપ્ત કરીને ઉપદેશક વિશેષથી ગૃહીધર્મનું વ્યાખ્યાન કરવું જોઈએ. તે વિશેષથી ગૃહીધર્મનું વ્યાખ્યાન કરતાં કહે છે – જીવમાં સમ્યક્ત વિદ્યમાન હોય તો જ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતાદિ બાર વ્રતો ગ્રહણ કરવાં સંગત થાય છે; કેમ કે ભગવાનના વચનમાં સ્થિર રુચિ હોય તેવા જીવો ભગવાનના વચનાનુસાર સંસારનો અંત કરવા અર્થી બને છે. સંસારના અંત કરવાનો ઉપાય સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવા સ્વરૂપ સર્વવિરતિ છે. સર્વવિરતિના પાલનમાં જેની શક્તિ ન હોય તેવા જીવો સર્વવિરતિના શક્તિના સંચય અર્થે દેશવિરતિનું પાલન કરીને સર્વવિરતિને યોગ્ય શક્તિનો સંચય કરે તો તેના ગ્રહણ કરાયેલાં અણુવ્રતાદિ, જિનવચનથી નિયંત્રિત થઈને સર્વવિરતિની પ્રાપ્તિ દ્વારા અને ઉત્તરોત્તર સર્વવિરતિની વૃદ્ધિ દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બનશે. માટે દેશવિરતિ ગ્રહણ કરનાર યોગ્ય જીવને સમ્યક્ત મૂલ બાર વ્રતો અપાય છે. આથી ઉપદેશક શ્રોતાને કહે છે કે સમ્યક્તને સ્થિર કરીને આગળમાં કહેવાશે તે અણુવ્રતોમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. Page #21 -------------------------------------------------------------------------- ________________ ४ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ ત્યાર પછી તે શ્રોતાને સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવે છે ભગવાને કહેલા જીવાદિ પદાર્થોમાં જે શુદ્ધ રુચિ તે સમ્યક્ત્વ છે. શુદ્ધ રુચિનો અર્થ કર્યો કે અજ્ઞાન, સંશય અને વિપર્યાસના પરિહારથી જે નિર્મળ રુચિ તે શુદ્ધ રુચિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉપદેશાદિના સામગ્રીના બળથી જે શ્રોતાને સંસારના સ્વરૂપનું, સંસારથી પર એવા સિદ્ધના સ્વરૂપનું અને તે સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ છે તેવો સ્થિર નિર્ણય છે. પરંતુ તે નિર્ણયમાં જેને અજ્ઞાન નથી, તે પ્રકારના જિનવચનમાં સંશય નથી કે તે પ્રકારના ભગવાનના વચનમાં વિપરીત બોધ નથી તેઓમાં સમ્યક્ત્વ છે. તે સમ્યગ્દષ્ટિ જીવો હંમેશાં જિનવચનના ૫૨માર્થને વિશેષથી જાણવા માટે અને જાણીને જીવનમાં સેવવા માટે અવશ્ય ઉદ્યમ કરે છે; કેમ કે જિનવચન જ એકાંતે હિત છે તેવી શુદ્ધ રુચિ તેના વિશેષ પરમાર્થને જાણવા માટે ઉદ્યમ ન કરાવે તે સંભવે નહિ. વળી, આ પ્રકારની સ્થિરરુચિવાળા જીવો જીવ-અજીવ આદિ નવ તત્ત્વના વિશેષ સ્વરૂપને શાસ્ત્રવચનના બળથી જાણે ત્યારે તેઓની જિનવચનમાં સ્થિરરુચિ પૂર્વ કરતાં પણ અતિશયિત થાય છે. કા૨ણ કે જીવાદિ નવ પદાર્થના જ્ઞાનને કા૨ણે આશ્રવ, સંવર આદિ સર્વ ભાવો તે મહાત્મા વિશેષથી જાણે છે તેથી તે વચનનું અવલંબન લઈને આશ્રવના ઉચ્છેદ માટે અને સંવરની વૃદ્ધિ માટે યત્ન કરીને મોક્ષની પ્રાપ્તિ માટે શક્તિ અનુસાર તે મહાત્મા અવશ્ય ઉદ્યમ કરે છે. તેથી જિનોક્ત તત્ત્વના સમ્યક્ પરિજ્ઞાનપૂર્વકની શુદ્ધ રુચિ તે સમ્યક્ત્વ છે. ટીકા ઃ नन्वित्थं तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वमिति पर्यवसन्नम्, तत्र श्रद्धानं च तथेतिप्रत्ययः, स च मानसोऽभिलाषो, नचायमपर्याप्तकाद्यवस्थायामिष्यते, सम्यक्त्वं तु तस्यामपीष्टम्, षट्षष्टिसागरोपमरूपायाः साद्यपर्यवसितकालरूपायाश्च तस्योत्कृष्टस्थितेः प्रतिपादनादिति कथं नागमविरोधः ? इत्यत्रोच्यते-तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वस्य कार्यम्, सम्यक्त्वं तु मिथ्यात्वक्षयोपशमादिजन्यः शुभ आत्मपरिणामविशेषः । आह चं “से अ संमत्ते पसत्यसंपत्तमोहणीअकम्माणुवे अणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते" । [આવશ્યસૂત્રે ૬ારૂ૬, સમ્વવત્ત્તાધિાર:] इदं च लक्षणममनस्केषु सिद्धादिष्वपि व्यापकम् इत्थं च सम्यक्त्वे सत्येव यथोक्तं श्रद्धानं भवति यथोक्तश्रद्धाने च सति सम्यक्त्वं भवत्येवेति श्रद्धानवतां सम्यक्त्वस्यावश्यम्भावित्वोपदर्शनाय कार्ये कारणोपचारं कृत्वा तत्त्वेषु रुचिरित्यस्य तत्त्वार्थश्रद्धानमित्यर्थपर्यवसानं न दोषाय । तथा चोक्तम् - “जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होई संमत्तं । મામેળ સદ્દહંતો, અયાળમાળેવિ સમ્મત્ત” ।।।। [નવતત્ત્વ પ્ર. પા. ૧] તિ 1 Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ ટીકાર્ય : નન્નિત્યં .... સમત્ત' . વિ . “નનુ'ની શંકા કરતાં કહે છે – આ રીતે-ગાથામાં કહ્યું કે જિવોક્ત તત્વમાં શુદ્ધરુચિ સભ્યત્ત્વ છે એ રીતે, તત્વાર્થ શ્રદ્ધાન સખ્યત્વ એ પ્રમાણે પર્યવસાન થયું=એ પ્રકારે ફલિત થયું. ત્યાં=સમ્યક્તના લક્ષણમાં, શ્રદ્ધાન તથા’ એ પ્રકારના પ્રત્યયરૂપ છે=જે પ્રકારે ભગવાને કહ્યું છે તે પ્રકારે છે તે પ્રકારની પ્રતીતિરૂપ છે અને તેનું તથા” એ પ્રકારનો પ્રત્યય માનસ અભિલાષ છે અને આ= તથા' એ પ્રકારનો, માનસ અભિલાષ અપર્યાપ્તકાદિ અવસ્થામાં=અપર્યાપ્તાવસ્થામાં કે ગર્ભાવસ્થામાં કે અત્યંત બાલ્યાવસ્થામાં ઈચ્છાતો નથી. વળી તે અવસ્થામાં પણ=અપર્યાપ્તાદિ અવસ્થામાં પણ, સમ્યક્ત ઈષ્ટ છે; કેમ કે છાસઠ સાગરોપમ સાદિ અપર્યવસિત કાલરૂપ તેની=સમ્યક્તની, ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન છે, એથી કેવી રીતે આગમનો વિરોધ નથી ?=સમ્પર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રતિપાદન કરનાર આગમવચન સાથે ગ્રંથકારશ્રી વડે પ્રતિપાદન કરાયેલા સમ્યક્તના લક્ષણો કેવી રીતે વિરોધ નથી ? અર્થાત્ વિરોધ છે. એ પ્રકારની આમાં પૂર્વપક્ષીએ કરેલી શંકામાં કહેવાય છે= ગ્રંથકારશ્રી વડે કહેવાય છે – તત્વાર્થ શ્રદ્ધાન સમ્યત્ત્વનું કાર્ય છે. વળી, સમ્યક્ત મિથ્યાત્વના ક્ષયોપશમાદિત્ય શુભ આત્મપરિણામ વિશેષ છે. અને કહે છે – “અને તે સમ્યક્ત પ્રશસ્ત સંપ્રાપ્ત મોહનીયકર્મના અનુવેદન, ઉપશમ અને ક્ષયથી સમુત્પન્ન પ્રશમ સંવેગાદિ લિંગવાળું શુભ આત્મપરિણામ કહેવાયું છે.” (આવશ્યક સૂત્ર ૬/૩૬, સમ્યક્ત અધિકાર) અને આ લક્ષણ=ઉદ્ધરણમાં આપેલ સમ્યક્તનું લક્ષણ, મેત વગરના સિદ્ધાદિમાં પણ વ્યાપક છે. અને આ રીતે પૂર્વમાં ‘નનુ'થી કરેલી શંકાનું ગ્રંથકારશ્રીએ સમાધાન કર્યું કે તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક્ત નથી પરંતુ સમ્યત્ત્વનું કાર્ય છે માટે અપર્યાપ્તાદિ અવસ્થામાં સખ્યત્ત્વની અપ્રાપ્તિ નથી એ રીતે, સમ્યક્ત થયે છતે જ પૂર્વમાં કહ્યું એવા જિનોક્ત તત્ત્વમાં શ્રદ્ધાન થાય છે અને યથોક્ત શ્રદ્ધાન થયે છતે સમ્યક્ત થાય જ છે. એથી શ્રદ્ધાવાળા જીવોમાં સમ્યક્તના અવયંભાવિત્વના ઉપદર્શન માટે કાર્યમાં=સમ્યત્ત્વના કાર્યમાં, કારણનો ઉપચાર કરીને શ્રદ્ધાનના કારણરૂપ સખ્યત્વનો ઉપચાર કરીને, તત્વમાં રુચિ એ પ્રકારનો આનો=સમ્યક્વતો, તત્વાર્થ શ્રદ્ધાન એ પ્રકારના અર્થનું પર્યવસાન=કથન દોષ માટે નથી અને તે પ્રમાણે કહેવાયું છે – “જીવાદિ નવ પદાર્થો જે જાણે છે તેને સમ્ય હોય છે. નહિ જાણતા પણ જીવાદિ નવતત્વને નહિ જાણતા પણ, ભાવથી શ્રદ્ધા કરનારને સમ્યક્ત છે.” (નવતત્વ પ્ર.-ગા. ૫૧) ભાવાર્થ - પૂર્વમાં કહ્યું કે જિનોક્ત તત્ત્વમાં શુદ્ધ શ્રદ્ધાન સમ્યક્ત છે. ત્યાં કોઈ શંકા કરતાં કહે છે કે આ પ્રમાણે અર્થ કરવાથી એ પ્રાપ્ત થાય કે તત્ત્વનું શ્રદ્ધાને એ સમ્યક્ત છે. શ્રદ્ધાન એટલે આ વસ્તુ આ પ્રમાણે છે એવો Page #23 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ નિર્ણય; અર્થાત્ ભગવાને જે પ્રકારે સંસારનું સ્વરૂપ કહ્યું છે અને મોક્ષનું સ્વરૂપ કહ્યું છે તેમજ સંસારના ઉચ્છેદ અર્થે અને મોક્ષની પ્રાપ્તિ અર્થે જે માર્ગ બતાવ્યો છે તે માર્ગ તે પ્રકારે જ છે તેવી સ્થિર રુચિ તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે. અને આ શ્રદ્ધાન તે માનસ અભિલાષ છે અર્થાત્ ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ મારે જાણવું જોઈએ અને જીવનમાં સેવવું જોઈએ એ પ્રકારનો માનસ અભિલાષ છે. આવા માનસ અભિલાષરૂપ સમ્યક્તને સ્વીકારીએ તો જે જીવો અપર્યાપ્ત અવસ્થામાં છે કે ગર્ભાવસ્થામાં છે કે અત્યંત અવ્યક્ત એવી શિશુ અવસ્થામાં છે તેઓને આ પ્રકારનો માનસ અભિલાષ સંભવે નહિ; કેમ કે તેઓને તે પ્રકારનો અભિલાષ થાય તેટલી ચેતના વ્યક્ત થઈ નથી. તેથી ભગવાને કહ્યું એ તત્ત્વ છે માટે મારે ભગવાને કહેલા તત્ત્વને જાણવું જોઈએ અને જાણીને જીવનમાં સેવવું જોઈએ તેવો નિર્ણય અપર્યાપ્તાદિ અવસ્થામાં તે જીવો કરી શકે નહિ. તેથી સમ્યક્તનું કરાયેલું લક્ષણ અપર્યાપ્તાદિ અવસ્થામાં રહેલા જીવોમાં સંગત થાય નહિ અને આગમમાં સમ્યત્વનો ઉત્કૃષ્ટકાળ ૬૦ સાગરોપમ કહેલ છે અને તે કાળમાં સમ્યક્ત સ્વીકારીએ તો દેવભવમાંથી ઍવીને આવેલ અને ગર્ભમાં અપર્યાપ્તાદિ અવસ્થામાં રહેલા જીવોમાં પણ સમ્યક્ત સ્વીકારવું પડે. તેથી આગમના વચન સાથે ગ્રંથકારશ્રીએ કહેલ સમ્યક્તના લક્ષણનો વિરોધ આવશે. તેના સમાધાન માટે ગ્રંથકારશ્રી કહે છે – તત્ત્વાર્થ શ્રદ્ધાન સભ્યત્ત્વનું કાર્ય છે અને સમ્યક્ત મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી જન્ય શુભ આત્મપરિણામ વિશેષ છે. તેથી અપર્યાપ્તાદિ અવસ્થામાં સમ્યત્ત્વનું કાર્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન નહિ હોવા છતાં મિથ્યાત્વના ક્ષયોપશમાદિજન્ય શુભ આત્મપરિણામ વિશેષ રહી શકે છે; કેમ કે જે જીવોએ પૂર્વમાં સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે તે જીવોમાં મિથ્યાત્વના ક્ષયોપશમાદિજન્ય ભાવ વર્તે છે તેથી ગર્ભમાં અપર્યાપ્ત અવસ્થામાં પણ તેવો નિર્મળ આત્મપરિણામ તે જીવોમાં હોઈ શકે છે. ફક્ત શારીરિક વિકાસ નહિ હોવાથી તે પ્રકારનો માનસ અભિલાષ અપર્યાપ્તાદિ અવસ્થામાં વ્યક્ત થતો નથી અને જ્યારે તેઓનો તે પ્રકારનો શારીરિક વિકાસ થાય છે ત્યારે તે શુભઆત્મપરિણામરૂપ સમ્યક્તના બળથી તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ માનસ અભિલાષ પણ થાય છે અને સમ્યક્ત શુદ્ધ આત્મપરિણામ વિશેષરૂપ સ્વીકારીએ તો મન વગરના એવા સિદ્ધના જીવો કે કેવલીના જીવોમાં પણ સમ્યક્તનું લક્ષણ સંગત થાય છે; કેમ કે મિથ્યાત્વાદિના ક્ષયજન્ય તેવો શુદ્ધ આત્મ પરિણામ સિદ્ધઅવસ્થામાં પણ છે. આ રીતે, સમ્યક્ત હોતે છતે પૂર્વમાં કહ્યું એવું જિનવચનનું શ્રદ્ધાન થાય છે. જે જીવમાં સમ્યક્તના કાર્યરૂપ યથોક્ત શ્રદ્ધાન હોય છે તેમાં સમ્યક્ત હોય જ છે. માટે જ્યાં સમ્યત્ત્વનું કાર્ય હોય ત્યાં સમ્યક્ત અવશ્યભાવિ હોય, તે બતાવવા માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વમાં રુચિ સમ્યગ્દર્શન છે તેમ કહ્યું તેમાં કોઈ દોષ નથી; કેમ કે કોઈનામાં સમ્યગ્દર્શન છે કે નહિ ? તેનો નિર્ણય કરવા માટે વર્તમાનમાં સમ્યત્વના કાર્યરૂપ એવો તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ માનસ અભિલાષ તેનામાં છે કે નહિ તેના બળથી જ તેનામાં વર્તતા સમ્યત્ત્વનો નિર્ણય થાય છે. તેથી એ ફલિત થાય કે આત્મકલ્યાણ અર્થે પ્રવૃત્ત જીવોએ પોતાનામાં જિનવચનના શ્રદ્ધાનરૂપ માનસ અભિલાષ છે કે નહિ ? ન હોય તો તે અભિલાષને ઉત્પન્ન Page #24 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | ોક-૨૧ કરવાના ઉપાયરૂપ સંસારનું સ્વરૂપ - મોક્ષનું સ્વરૂપ અને મોક્ષપ્રાપ્તિના ઉપાયને બતાવનાર એકાંતે નિરવદ્ય એવા જિનવચનનું સ્વરૂપ જાણવા યત્ન કરવો જોઈએ. જેથી પોતાનામાં તેવું શ્રદ્ધાન પ્રગટ ન થયું હોય તો પ્રગટ થાય અને પ્રગટ થયેલું હોય તો સ્થિર થાય અને જિનવચનમાં સ્થિર શ્રદ્ધાનવાળા જીવો સમ્યગ્દષ્ટિ છે. આવા જીવો દ્વારા ગ્રહણ કરાયેલાં અણુવ્રતાદિ શ્રાવકનાં વ્રતો સફળ છે. પૂર્વમાં કહ્યું કે અપર્યાપ્તાદિ અવસ્થામાં સમ્યત્વનું કાર્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન નહિ હોવા છતાં મિથ્યાત્વના અપગમથી થયેલો શુભ આત્મપરિણામ વિશેષ સમ્યક્ત છે. તેમાં “નવતત્ત્વ'ની સાક્ષી આપે છે –. તેનાથી એ ફલિત થાય કે જેઓ જીવાદિ નવ પદાર્થોને જિનવચનાનુસાર જાણે છે તેના કારણે તેઓને આશ્રવના નિરોધપૂર્વક સંવરમાં યત્ન કરવાનો અત્યંત અભિલાષ વર્તે છે તેવા જીવોમાં સમ્યક્ત છે અને નવતત્ત્વને નહિ જાણનારા પણ અપર્યાપ્તાદિ અવસ્થામાં રહેલા જીવો ભાવથી તેવી શ્રદ્ધાવાળા છે માટે તેઓમાં સમ્યક્ત છે; કેમ કે મિથ્યાત્વરૂપી મલ નહિ હોવાથી અપર્યાપ્તાદિ અવસ્થામાં રહેલો શુભ આત્મપરિણામ તત્ત્વના અભિમુખભાવવાળો છે. તેથી ચેતનાનો વિકાસ નહિ હોવાને કારણે વ્યક્તરૂપે જીવાદિ નવ પદાર્થોનો બોધ નહિ હોવા છતાં અંતરંગ રીતે તે પ્રકારની જ તેઓને સ્થિર રુચિ છે. તેથી તેવા જીવોનો જન્મ પછી શારીરિક વિકાસ થાય છે ત્યારે તે વિકાસ થયા પછી આશ્રવને કાઢવાનો અને સંયમ માટે ઉદ્યમ કરવાનો અધ્યવસાય પણ સ્પષ્ટરૂપે થાય છે અને તેવા જીવો પોતાને પ્રાપ્ત થયેલ સામગ્રી અનુસાર અવશ્ય જિનવચનને જાણવા યત્ન કરે છે અને જાણીને સ્વભૂમિકાનુસાર અવશ્ય વિવેકપૂર્વકની સંસારના ઉચ્છેદને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે છે. માટે અપર્યાપ્તાદિ અવસ્થામાં તેવા જીવો નવતત્ત્વ નહિ જાણતા હોવા છતાં ભાવથી નવતત્ત્વની શ્રદ્ધાવાળા છે. ટીકા - नन्वेवमपि शास्त्रान्तरे तत्त्वत्रयाध्यवसायः सम्यक्त्वमित्युक्तम् । यतः"अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं पमाणं च । રૂધ્યારું સુદો માવો, સમ્મત્ત વિંતિ નીપુરુt III” સિન્ડ્રોઈ પ્ર. સચવશ્ર્વાધિ. ૧.૩૪] ત્તિ कथं न शास्त्रान्तरविरोधः? इति चेत्र, अत्र प्रकरणे जिनोक्ततत्त्वेषु रुचिरिति यति-श्रावकाणां साधारणं सम्यक्त्वलक्षणमुक्तम्, शास्त्रान्तरे तु गृहस्थानां देवगुरुधर्मेषु पूज्यत्वोपास्यत्वानुष्ठेयत्वलक्षणोपयोगवशाद्देवगुरुधर्मतत्त्वप्रतिपत्तिलक्षणं सम्यक्त्वं प्रतिपादितम्, तत्रापि देवा गुरवश्च जीवतत्त्वे, धर्मः शुभाश्रवे संवरे चान्तर्भवतीति न शास्त्रान्तरविरोधः सम्यक्त्वं चाहद्धर्मस्य मूलभूतं यतो द्विविधं त्रिविधेनेत्यादिप्रतिपत्त्या श्राद्धद्वादशव्रती सम्यक्त्वोत्तरगुणरूपभेदद्वययुतामाश्रित्य त्रयोदश कोटिशतानि चतुरशीतिकोट्योः द्वादश लक्षाः सप्ताशीति सहस्राणि द्वे शते च व्युत्तरे भङ्गाः स्युः, एषु च केवलं सम्यक्त्वं विना च नैकस्यापि भङ्गस्य संभवः, अत एव 'मूलं दारमित्यादि' षड्भावना वक्ष्यमाणा युक्ता एवेति । एतत्फलं चैवमाहुः Page #25 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૧ “अन्तोमुत्तमित्तंपि, फासिअं हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्डपुगलपरिअट्टो चेव संसारो ।।१।। [नवतत्त्व प्र. गा. ५३] सम्मद्दिट्ठी जीवो, गच्छइ नियम विमाणवासीसु । जइ न चइयसम्मत्तो, अहव न बद्धाउओ पुट्विं ।।२।। जं सक्कइ तं कीरइ, जं च न सक्कइ तयं च सद्दहणा । सद्दहमाणो जीवो, वच्चइ अयरामरं ठाणं ।।३।।" [सम्बोधप्रकरण सम्यक्त्वाधिकार गा. २४, ३५] તિ ારા ટીકાર્ય :નન્વેવમવિ . તા “નનુથી શંકા કરે છે – આમ હોતે છતે પણ=પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભગવાનના વચનમાં શ્રદ્ધાન તે સખ્યત્વ છે એ રીતે પણ, શાસ્ત્રાન્તરમાં તત્વત્રયનો અધ્યવસાય સમ્યક્ત છે એ પ્રમાણે કહેવાયું છે. જે કારણથી – “અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને જિનમત પ્રમાણ ઈત્યાદિ શુભભાવ, જગતગુરુ સમ્યક્ત કહે છે.” (સંબોધ પ્રકરણ, સમ્યક્વાધિ. ગા. ૩૪) એથી કેવી રીતે શાસ્ત્રાન્તરનો વિરોધ નથી ? અર્થાત ગ્રંથકારશ્રીએ સખ્યત્ત્વનું લક્ષણ કર્યું તેનું તત્ત્વત્રયના અધ્યવસાયરૂપ સમ્યત્વને કહેનારા શાસ્ત્રવચન સાથે વિરોધ છે એ પ્રમાણે શંકાકાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકરણમાં પ્રસ્તુત ગ્રંથમાં, જિવોક્ત તત્ત્વોમાં રુચિ એ પ્રમાણે સાધુ અને શ્રાવકોનું સાધારણ સમ્યક્તનું સ્વરૂપ કહેવાયું. વળી, શાસ્ત્રાન્તરમાં ગૃહસ્થોના દેવ, ગુરુ અને ધર્મના વિષયમાં પૂજ્યત્વ, ઉપાસ્યત્વ અને અનુષ્ઠયત્વ સ્વરૂપ ઉપયોગના વશથી દેવ-ગુરુ-ધર્મરૂપ તત્વની પ્રતિપત્તિરૂપ સમ્યક્ત પ્રતિપાદન કરાયું છે. ત્યાં પણ=દેવ, ગુરુ, ધર્મની પ્રતિપત્તિરૂપ સમ્યક્તનું પ્રતિપાદન કર્યું ત્યાં પણ, દેવ અને ગુરુ જીવતત્વમાં, ધર્મ શુભાશ્રયમાં અને સંવરમાં અંતર્ભાવ પામે છે, એથી શાસ્ત્રાન્તરનો વિરોધ નથી=નવતત્વના શ્રદ્ધાન સાથે તત્ત્વત્રયીના અધ્યવસાયરૂપ સત્ત્વને સ્વીકારનાર શાસ્ત્રવચનનો વિરોધ નથી. અને સમ્યક્ત અહંદુધર્મનું મૂલભૂત છે. જે કારણથી દ્વિવિધ, ત્રિવિધ ઈત્યાદિ પ્રતિપત્તિ દ્વારા સમ્યક્ત ઉત્તરગુણરૂપ ભેદદ્ધયયુક્ત એવાં શ્રાવકનાં બાર વ્રતોવાળા જીવોને આશ્રયીને તેર અબજ ચોર્યાશી ક્રોડ બાર લાખ સીત્યાસી હજાર બસો બે ભાંગા થાય=૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨ ભાંગા થાય. અને આમાં=આ ભાંગાઓમાં સમ્યક્ત વગર કેવલ એક પણ ભાંગાનો સંભવ નથી. આથી જ, “મૂલં વારમિત્કારિ વક્ષ્યમાણ છ ભાવના યુક્ત જ છે. અને આનું ફળ=સમ્યત્ત્વનું ફળ, આ પ્રમાણે આગળમાં બતાવે છે એ પ્રમાણે, કહે છે – Page #26 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ “અંતર્મુહૂર્ત પણ સ્પર્શાયેલું સમ્યક્ત જેઓને હોય તેઓને અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન જ સંસાર હોય છે.” (નવતત્વ પ્ર. ગા. ૫૩) “જો વિગત સમ્યક્ત ન હોય=નાશ પામેલું સમ્યક્ત ન હોય અથવા પૂર્વમાં આયુષ્ય બાંધ્યું ન હોય=સમ્યક્ત પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તો, સમ્યગ્દષ્ટિ જીવો નિયમથી વિમાનવાસીમાં જાય છે=વૈમાનિક દેવલોકમાં જાય છે.” જે શક્ય છે તેને કરે છે અને જે શક્ય નથી તેની પણ શ્રદ્ધા કરે છે. શ્રદ્ધા કરતો જીવ=તત્ત્વના સેવનમાં રુચિને ધારણ કરતો એવો સમ્યગ્દષ્ટિ જીવ, અજરામર સ્થાને જાય છે=મોક્ષને પ્રાપ્ત કરે છે.” (સંબોધપ્રકરણ, સમ્યક્વાધિકાર ગા. ૨૪, ૩૫, ૩૬) ભાવાર્થ : જિનોક્ત તત્ત્વમાં શ્રદ્ધાન સમ્યક્ત છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું. ત્યાં કોઈ “નનુ'થી શંકા કરે છે કે અન્ય શાસ્ત્રમાં અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને જિનવચન પ્રમાણ છે એ પ્રકારનો શુભભાવ સમ્યક્ત કહેવાયું છે તેથી તત્ત્વના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત સાથે તે કથનનો વિરોધ આવશે. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે – જિનોક્ત તત્ત્વમાં શ્રદ્ધાન સમ્યક્ત છે એ પ્રકારનું લક્ષણ ગ્રંથકારશ્રીએ સાધુ અને શ્રાવક ઉભય સાધારણ સભ્યત્વને સામે રાખીને કરેલ છે અને અન્ય શાસ્ત્રમાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત કહેલ છે. ત્યાં અરિહંતદેવમાં પૂજ્યત્વની બુદ્ધિ માટે=અરિહંતદેવની પૂજા કરવી જોઈએ એ પ્રકારની બુદ્ધિ માટે, ગુરુમાં ઉપાસ્યત્વની બુદ્ધિ માટે=જિનવચનાનુસાર ચાલનારા સાધુ મારા માટે ઉપાસ્ય છે, એ પ્રકારની બુદ્ધિ માટે અને ભગવાને કહેલા ધર્મમાં આચરવાયોગ્યત્વની બુદ્ધિ માટે કહેલ છે તેથી તે શાસ્ત્ર સાથે ગ્રંથકારશ્રીએ કરેલા સમ્યક્તના લક્ષણનો કોઈ વિરોધ નથી; કેમ કે જેને જીવાજીવાદિ પદાર્થોનો જિનવચનાનુસાર બોધ હોય તેને અરિહંત જ પૂજવા યોગ્ય જણાય છે અને જિનવચનાનુસાર સંયમમાં પ્રવૃત્તિ કરનાર સાધુ ઉપાસ્ય જણાય છે. અને આશ્રવના ત્યાગપૂર્વક સંવરમાં યત્નરૂપ ધર્મને જ સેવવાની બુદ્ધિ થાય છે માટે અપેક્ષાભેદથી ગ્રંથકારશ્રીએ તત્ત્વના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત કહેલ છે. અર્થથી કોઈ ભેદ નથી. વળી, આ સમ્યગ્દર્શન ભગવાને કહેલા ધર્મનું મૂળભૂત છે. કેમ મૂળભૂત છે ? તે બતાવતાં કહે છે – શ્રાવકધર્મ દ્વિવિધ-ત્રિવિધથી સ્વીકારાય છે. અને તે શ્રાવકધર્મનાં બાર વ્રતો સમ્યક્તના ગ્રહણપૂર્વક કરાય છે. તેથી સમ્યક્ત, અરિહંત પરમાત્માએ બતાવેલ દેશવિરતિરૂપ ધર્મનું મૂળ છે; કેમ કે સમ્યક્તને સ્વીકાર્યા પછી કરણ-કરાવણરૂપ દ્વિવિધ, મન-વચન-કાયાના યોગરૂપ ત્રિવિધ, એ પ્રકારના ભેદરૂપ દેશવિરતિ ચારિત્ર સ્વીકારાય છે. તેથી તેમાં સમ્યક્ત મૂલગુણરૂપ છે. અને દ્વિવિધ-ત્રિવિધ આદિ ભેંદો ઉત્તરગુણરૂપ છે અર્થાત્ સમ્યક્તના કાર્યરૂપ છે. તેને આશ્રયીને ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨=તેર અબજ ૮૪ કરોડ ૧૨ લાખ ૮૦ હજાર બસો બે ભાંગાઓ પ્રાપ્ત થાય છે. તેથી ફલિત થાય છે કે સમ્યક્ત મૂળગુણ છે. અને તે ગુણના ઉત્તરમાં ચારિત્ર ગુણ પ્રગટે છે. વળી, આ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ દેશવિરતિના સર્વ ભાંગાઓમાંથી એક પણ ભાંગાનો સંભવ સમ્યક્ત વગર નથી. તેનાથી પણ નક્કી થાય છે કે સમ્યક્ત દેશવિરતિનું મૂળ છે. તેની પુષ્ટિ કરવા માટે કહે છે – 'આથી જ “મૂનં તામિત્યદિ' છ ભાવના યુક્ત છે; કેમ કે તે છ ભાવનામાં એ જ કહ્યું છે કે સમ્યક્ત સર્વ ધર્મનું મૂળ છે. સમ્યક્ત સર્વધર્મમાં પ્રવેશનું દ્વાર છે. અને તે પ્રકારે ભાવન કરવાથી સમ્યક્ત પ્રત્યેનો પક્ષપાત થાય છે, પરંતુ જો સર્વ ધર્મનું મૂળ ન હોય તો તે પ્રકારની ભાવના કરાય નહિ. તેથી એ ફલિત થાય કે સર્વધર્મનું મૂળ સમ્યક્ત છે અને તત્પૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત થાય છે, પરંતુ સમ્યક્ત વગર દેશવિરતિ પણ પ્રાપ્ત થાય નહિ અને સર્વવિરતિ પણ પ્રાપ્ત થાય નહિ. માટે ધર્મના અર્થીએ તેના મૂળભૂત સમ્યક્તમાં પ્રથમ દૃઢ યત્ન કરવો જોઈએ. સમ્યક્તને સ્થિર કરીને તેના ઉત્તરમાં થનાર દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મમાં સ્વશક્તિ અનુસાર યત્ન કરવો જોઈએ. પૂર્વમાં સમ્યત્વનું સ્વરૂપ શું છે ? તે બતાવ્યું અને સભ્યત્વના લક્ષણમાં અન્ય શાસ્ત્ર સાથે સ્થૂલથી દેખાતા વિરોધનો પરિહાર કર્યો. હવે જે જીવોને સમ્યક્ત પ્રાપ્ત થયું છે તે જીવોને શું ફળ પ્રાપ્ત થાય છે ? તેને બતાવનારા ઉદ્ધરણો આપે છે – જે જીવો એક અંતર્મુહૂર્ત પણ સમ્યક્તને સ્પર્શે છે તે જીવો અર્ધપગલપરાવર્તથી ન્યૂન સંસારમાં ભમે છે. - તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યક્ત પામ્યા પછી કોઈ જીવ સમ્યક્તથી પાત પામે તોપણ તેઓ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તમાં અવશ્ય મોક્ષને પામે છે. આવા ઉત્તમ ફલવાળું સમ્યક્ત છે. માટે સમ્યક્તના અર્થીએ અપ્રમાદભાવથી દર્શનાચારના સેવનમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી સમ્યક્ત પ્રાપ્ત ન થયું હોય તો પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયું હોય તો સ્થિર થાય. વળી સમ્યક્તનું અન્ય ઉત્તમ ફળ બતાવતાં કહે છે – જો કોઈ જીવ સમ્યક્ત પામે પછી તેનું સમ્યક્ત નાશ ન પામે અને તે જીવે સમ્યક્તની પ્રાપ્તિ પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તો તે સમ્યગ્દષ્ટિ જીવનું વર્તમાનભવમાં આયુષ્ય પૂરું થાય ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ નિયમા વૈમાનિક દેવલોકમાં જાય છે. અન્ય ક્યાંય જતો નથી. માટે આવા ઉત્તમ ફલવાળા સમ્યક્તને પ્રાપ્ત કરવા માટે અપ્રમત્તભાવથી યત્ન કરવો જોઈએ. વળી સમ્યક્તનું અન્ય ફળ બતાવતાં કહે છે – સમ્યગ્દષ્ટિ જીવમાં વિવેક પ્રગટેલો હોવાથી જે પોતાનાથી શક્ય હોય તેવું મોક્ષસાધક અનુષ્ઠાન અવશ્ય કરે છે. અને જે મોક્ષસાધક અનુષ્ઠાન પોતાનાથી શક્ય નથી ત્યાં પણ સમ્યગ્દષ્ટિ જીવની રુચિ છે. તેથી જ્યારે તે અનુષ્ઠાનના સેવનની શક્તિ પ્રગટ થશે ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ અવશ્ય તે અનુષ્ઠાનનું સેવન કરશે. આ પ્રકારે શક્ય અનુષ્ઠાનને સેવવાની અને અશક્ય અનુષ્ઠાનને શક્તિસંચય થાય ત્યારે સેવવાની પ્રતિપત્તિરૂપ શ્રદ્ધાને કરતો એવો સમ્યગ્દષ્ટિ જીવ તે સમ્યક્તના બળથી સ્વભૂમિકાનુસાર ઉચિત અનુષ્ઠાન Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧-૨૨ સેવીને અંતે અવશ્ય મોક્ષમાં જાય છે. માટે જેનું મોક્ષરૂપ ઉત્તમફળ છે અને જે સમ્યક્ત્વમાં અનુષ્ઠાન સેવવાના વિષયમાં માર્ગાનુસા૨ી નિર્મળબુદ્ધિ છે તેવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે અવશ્ય ઉદ્યમ ક૨વો જોઈએ. ॥૨૧॥ અવતરણિકા - अथ तस्य चोत्पादे द्वयी गतिर्निसर्गोऽधिगमश्चेति तां तद्भेदांचाह અવતરણિકાર્ય : હવે તેના ઉત્પાદમાં=સમ્યક્ત્વના ઉત્પાદમાં, બે ગતિ છે ઃ નિસર્ગ અને અધિગમ. એથી તેને=નિસર્ગ અને અધિગમરૂપ બે પ્રકારની ગતિને અને સમ્યક્ત્વના ભેદોને કહે છે -- ૧૧ ભાવાર્થ: પૂર્વમાં સમ્યગ્દર્શન સર્વ ધર્મનું મૂળ છે તેમ બતાવ્યું. હવે તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના બે ઉપાય છે : નિસર્ગ અને અધિગમ. એથી તેને અને તેના ભેદોને બતાવે છે – શ્લોક ઃ निसर्गाद्वाऽधिगमतो, जायते तच्च पञ्चधा । मिथ्यात्वपरिहाण्येव, पञ्चलक्षणलक्षितम् ।। २२ ।। અન્વયાર્થ: ==અને, નિસર્ગાદ્વાથિમતો=નિસર્ગથી અથવા અધિગમથી, ત તે=સમ્યક્ત્વ, મિથ્યાત્વપરિહ્નાળિ વ=મિથ્યાત્વની પરિહાણથી જ, પશ્ચક્ષિક્ષિત=પાંચ લક્ષણથી લક્ષિત પન્વધા=પાંચ પ્રકારનું, નાતે=થાય છે. ૨૨ા શ્લોકાર્થ : અને નિસર્ગથી અથવા અધિગમથી સમ્યક્ત્વ, મિથ્યાત્વની પરિહાણિથી જ પાંચ લક્ષણથી લક્ષિત પાંચ પ્રકારનું થાય છે. II૨૨II ટીકાઃ निसर्गादधिगमाद्वा तत्सम्यक्त्वं 'जायते' उत्पद्यते, तत्र निसर्गः स्वभावो गुरूपदेशादिनिरपेक्ष इति भावः, अधिगमो गुरूपदेशः यथावस्थितपदार्थपरिच्छेद इतियावत्, तथाहि योगशास्त्रवृत्तौ - “अनाद्यनन्तसंसाराऽवर्त्तवर्त्तिषु देहिषु । ज्ञानदृष्ट्यावृतिवेदनीयान्तरायकर्मणाम् ।।१।। Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મ સંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ सागरोपमकोटीनां, कोट्यस्त्रिंशत्परा स्थितिः । . विंशतिर्गोत्रनाम्नोश्च, मोहनीयस्य सप्ततिः ।।२।। ततो गिरिसरिद्ग्रावघोलनान्यायतः स्वयम् । एकाब्धिकोटिकोट्यूना, प्रत्येकं क्षीयते स्थितिः ।।३।। शेषाब्धिकोटिकोट्यन्तः, स्थितौ सकलजन्मिनः । यथाप्रवृत्तिकरणाद् ग्रन्थिदेशं समियाति ।।४।। रागद्वेषपरीणामो, दुर्भेदो ग्रन्थिरुच्यते । दुरुच्छेदो दृढतरः, काष्ठादेरिव सर्वदा ।।५।। ग्रन्थिदेशं तु संप्राप्ता, रागादिप्रेरिताः पुनः । उत्कृष्टबन्धयोग्याः स्युश्चतुर्गतिजुषोऽपि च ।।६।। तेषां मध्ये तु ये भव्या, भाविभद्राः शरीरिणः । आविष्कृत्य परं वीर्यमपूर्वकरणे कृते ।।७।। अतिक्रामन्ति सहसा, तं ग्रन्थिं दुरतिक्रमम् । अतिक्रान्तमहाऽध्वानो, घट्टभूमिमिवाध्वगाः ।।८।। अथानिवृत्तिकरणादन्तरकरणे कृते । मिथ्यात्वं विरलं कुर्युवेदनीयं यदग्रतः ।।९।। आन्तर्मुहूर्तिकं सम्यग्दर्शनं प्राप्नुवन्ति यत् । निसर्गहेतुकमिदं, सम्यक्श्रद्धानमुच्यते ।।१०।। गुरूपदेशमालम्ब्य, सर्वेषामपि देहिनाम् । यत्तु सम्यक्श्रद्धानं तत्, स्यादधिगमजं परम् ।।११।। यमप्रशमजीवातुर्बीजं ज्ञानचरित्रयोः । हेतुस्तपःश्रुतादीनां, सद्दर्शनमुदीरितम् ।।१२।। श्लाघ्यं हि चरणज्ञानविमुक्तमपि दर्शनम् । न पुनर्ज्ञानचारित्रे, मिथ्यात्वविषदूषिते ।।१३।। ज्ञानचारित्रहीनोऽपि, श्रूयते श्रेणिकः किल । सम्यग्दर्शनमाहात्म्यात्, तीर्थकृत्त्वं प्रपत्स्यते ।।१४।।" [१।१७ वृत्तौ] इति ।। Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ટીકાર્ચ - નિસ .. રૂતિ | નિસર્ગથી અથવા અધિગમથી સમ્યક્ત ઉત્પન્ન થાય છે. ત્યાં નિસર્ગ, સ્વભાવ, ગુરુઉપદેશાદિ નિરપેક્ષ એ પ્રકારનો ભાવ છે-એ પ્રકારનો નિસર્ગ શબ્દનો અર્થ છે. અધિગમ, ગુરુઉપદેશ, યથાવસ્થિત પદાર્થનો બોધ એ પ્રકારનો અર્થ છે=એ પ્રકારનો અધિગમ શબ્દનો અર્થ છે. તે આ પ્રમાણે યોગશાસ્ત્ર ગ્રંથની વૃત્તિમાં છે – “અનાદિ અનંત સંસારના આવર્તવર્તી એવા જીવોમાં જ્ઞાનની અને દૃષ્ટિની આવૃત્તિજ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મોની ૩૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ગોત્રકર્મ અને નામકર્મની ૨૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને મોહનીય કર્મની ૭૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. I૧-રા તેથી=૭ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિથી, પર્વત પરથી પડતા પથ્થરના ઘોલનના વ્યાયથી સ્વયં એક કોટાકોટી સાગરોપમથી ચૂન પ્રત્યેકની સ્થિતિ ક્ષય પામે છે–સાત કર્મની સ્થિતિ ક્ષય પામે છે. સા. શેષ એવી સાગરોપમની અંતઃકોટાકોટી સ્થિતિ હોતે છતે અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ હોતે છત, સર્વ જીવો યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિદેશને પ્રાપ્ત કરે છે. કાષ્ઠાદિની જેમ સર્વદા દુરુચ્છેદ, દઢતર, દુર્ભેદ એવો રાગ-દ્વેષનો પરિણામ ગ્રંથિ કહેવાય છે. પાં વળી ગ્રંથિદેશને સંપ્રાપ્ત થયેલા ફરી રાગાદિથી પ્રેરિત એવા તે ચારગતિવાળા જીવો પણ ઉત્કૃષ્ટ બંધયોગ્ય થાય. lisi વળી તેઓમાં જે ભાવિભદ્રા શરીરવાળા ભવ્યો શ્રેષ્ઠ વીર્યનું આવિષ્કરણ કરીને અપૂર્વકરણ કરે છતે સહસા દૂરતિક્રમ એવી તે ગ્રંથિનું અતિક્રમણ કરે છે. જેમ મહામાર્ગની અતિક્રાન્ત એવી ઘટ્ટભૂમિનું મુસાફરો અતિક્રમણ કરે છે. ૭-૮ી. હવે અનિવૃત્તિકરણથી અંતઃકરણ કરાયે છતે મિથ્યાત્વની લતામાં અંતર કરાયે છતે, અગ્રથી જે વેદનીય એવું મિથ્યાત્વ વિરલ કરે છે–મિથ્યાત્વના દળિયા ખાલી કરે છે. III જીવો જે આન્તર્મુહૂતિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે એ નિસર્ગહેતુક સમ્યફશ્રદ્ધાન કહેવાય છે. ૧૦ના ગુરુ ઉપદેશનું આલંબન કરીને સર્વ પણ જીવોને વળી જે સમ્યફશ્રદ્ધાન છે તે અધિગમથી થનારું બીજું છે. II૧૧II યમ અને પ્રશમનું જીવાતુ=પાંચ મહાવ્રતોરૂપ યમ અને પ્રશમને જીવાડનાર જ્ઞાન-ચારિત્રનું બીજ છે. તપ-શ્રુતાદિનો હેતુ એવું સમ્યગ્દર્શન કહેવાયું છે. I૧૨ાા ચારિત્ર અને જ્ઞાનથી રહિત પણ દર્શન ગ્લાધ્ય જ છે. વળી, મિથ્યાત્વવિષથી દૂષિત જ્ઞાન-ચારિત્ર લાધ્ય નથી. II૧૩il ખરેખર જ્ઞાન-ચારિત્રથી હીન પણ શ્રેણિક સમ્યગ્દર્શનના માહાભ્યથી તીર્થંકરપણાને પ્રાપ્ત કરશે એ પ્રમાણે સંભળાય છે." ૧૪ (યોગશાસ્ત્ર શ્લોક-૧/૧૭ ટકા) તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ભાવાર્થ : પૂર્વ ગાથામાં સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું. અને તેનું ઉત્તમ ફળ છે તેમ બતાવ્યું. હવે તે સમ્યગ્દર્શન જીવને બે રીતે પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ૧. નિસર્ગથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ૨. અધિગમથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. નિસર્ગ' શબ્દનો બોધ કરાવવા અર્થે તેના પર્યાયવાચી શબ્દ કહે છે – નિસર્ગ એટલે સ્વભાવ અને સ્વભાવ એટલે ગુરુઉપદેશાદિથી નિરપેક્ષ. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોને નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે એટલે સ્વભાવથી સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ ગુરુઉપદેશની અપેક્ષા રાખ્યા વગર સ્વાભાવિક સમ્યગ્દર્શન થાય છે એ સમ્યગ્દર્શનને “નિસર્ગ સમ્યક્ દર્શન' કહેવાય છે. અધિગમ શબ્દનો બોધ કરાવવા અર્થે કહે છે – અધિગમ એટલે ગુરુનો ઉપદેશ. અર્થાત્ યથાવસ્થિત પદાર્થનો પરિચ્છેદ. તેથી એ પ્રાપ્ત થાય કે ગુરુપદેશથી કે અન્ય રીતે શાસ્ત્રઅધ્યયન કરવાને કારણે ભગવાને કેવલજ્ઞાનમાં જોઈને જે પદાર્થો જે રીતે કહ્યા છે તે રીતે જેઓને યથાવસ્થિત પદાર્થોનો બોધ થાય તેઓને અધિગમથી સમ્યગ્દર્શન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોને નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે તે જીવોને જિનવચનના પદાર્થનો યથાર્થ બોધ થયો નથી પરંતુ નૈસર્ગિક રીતે તે પ્રકારના નિર્મળ પરિણામ થયા છે કે જેથી મિથ્યાત્વરૂપી મલ તેઓનો દૂર થયો છે અને આ રીતે નૈસર્ગિક સમ્યક્ત પામ્યા પછી જીવો શાસ્ત્રઅધ્યયન કરીને અધિગમથી પદાર્થનો બોધ કરે ત્યારે નિસર્ગથી થયેલું સમ્યક્ત અધિગમથી નિર્મળ બને છે. વળી, કેટલાક જીવોમાં મિથ્યાત્વ વર્તતું હતું અને ગુરુઉપદેશના કારણે કે અન્ય કોઈ રીતે શાસ્ત્રઅધ્યયનાદિને કારણે ભગવાને કહેલા પદાર્થોનો યથાર્થ બોધ થાય છે અને તેના કારણે તેનામાં રહેલ મિથ્યાત્વનો મલ દૂર થાય છે તે જીવોને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે. આ કથનમાં સાક્ષીરૂપે યોગશાસ્ત્ર ગ્રંથની વૃત્તિના શ્લોક આપ્યા છે, તેનો અર્થ આ પ્રમાણે છે – આ સંસાર અનાદિકાળનો છે અને અનંતકાળ સુધી રહેનારો છે. તેમાં વર્તતા જીવો આયુષ્યકર્મને છોડી જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીયકર્મ અને અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમ બાંધે છે. નામકર્મ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોટાકોટી સાગરોપમ બાંધે છે. અને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમ બાંધે છે. પર્વત પરથી પડતા પથ્થરના ગબડવાના દૃષ્ટાંતથી સાતેય કર્મોની સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમથી અંતઃકોટાકોટી સાગરોપમ ન્યૂન થાય છે. ત્યારે સર્વ જીવો યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિદેશને પ્રાપ્ત કરે છે. આ રીતે જીવો કર્મની સ્થિતિ અલ્પ થવાને કારણે ગ્રંથિદેશમાં આવે છે તે બતાવ્યા પછી ગ્રંથિ શું છે ? તે સ્પષ્ટ કરે છે – Page #32 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૫ જેમ લાકડાદિમાં દુર્ભેદ, દુરુચ્છેદ એવી ગાંઠો હોય છે તેમ આત્મામાં તત્ત્વને યથાર્થ જોવામાં બાધક એવો રાગ-દ્વેષનો પરિણામ છે. જે દુ:ખે કરીને ઉચ્છેદ થાય તેવો દૃઢતર છે અને તેનો ભેદ કરવો અતિદુષ્કર છે. આ રાગ-દ્વેષનો પરિણામ આત્માનો અનાદિ કાળથી સર્વદા છે અને તેવો રાગ-દ્વેષનો પરિણામ તે ‘ગ્રંથિ’ છે. તે ગ્રંથિને કારણે જ જીવો તત્ત્વને પામતા નથી. અને સંસારમાં અનાદિકાળથી ભટકે છે. જીવો અંતઃકોટાકોટી સાગરોપમ ન્યૂન કર્મની સ્થિતિ કરે છે ત્યારે યથાપ્રવૃત્તિકરણ કરીને ગ્રંથિદેશને પ્રાપ્ત કરે છે. વળી, ગ્રંથિદેશને પામ્યા પછી ફરી રાગાદિથી પ્રેરિત થયેલા તે ચારગતિમાં રહેલા પણ જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ કર્મની બાંધે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગ્રંથિદેશમાં આવે છે ત્યારે તેઓનો રાગદ્વેષનો પરિણામ કંઈક મંદ થાય છે અને ફરી તીવ્ર રાગ-દ્વેષના પરિણામવાળા થાય છે ત્યારે કર્મના ઉત્કૃષ્ટસ્થિતિબંધને યોગ્ય તે જીવો બને છે. આવા જીવોમાંથી જે ભવ્યજીવોનું ભાવિમાં ભદ્ર થવાનું છે અર્થાત્ ભાવિમાં કલ્યાણ થવાનું છે તેવા જીવો પરમવીર્યને ફો૨વીને અપૂર્વક૨ણ કરે છે અર્થાત્ ગ્રંથિદેશમાં આવ્યા પછી ફરી ક્યારેય સાતેય કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને યોગ્ય થતા નથી પરંતુ તત્ત્વને જાણવાને અનુકૂળ ૫૨મવીર્યને ફોરવીને અપૂર્વકોટિના તત્ત્વને જાણવાને અનુકૂળ વ્યાપાર કરે છે. જેનાથી તત્ત્વને યથાર્થ જોવામાં બાધક એવા રાગ-દ્વેષની પરિણતિરૂપ ગ્રંથિનો ભેદ કરવાનો પ્રારંભ થાય છે અને દૂરતિક્રમ એવી તે ગ્રંથિને સહસા તેઓ અપૂર્વકરણ દ્વારા અતિક્રમણ કરે છે. જેમ કોઈ મુસાફ૨ ઘણો માર્ગ અતિક્રમણ=પસાર કરીને આવેલો હોય તેથી થાકેલો હોય તોપણ મહાપરાક્રમ કરીને ઘટ્ટભૂમિને=જે ભૂમિનેં ઓળંગવી અતિદુષ્કર છે તેવી ભૂમિને, ઓળંગીને પોતાના ઇષ્ટ સ્થાન તરફ જાય છે. તેમ આ જીવો પણ સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ઘટાડી-ઘટાડીને ઘણો પંથ કાપીને ગ્રંથિદેશમાં આવેલા છે. ગ્રંથિ અતિ ઘટ્ટભૂમિ જેવી છે, કે જેને ઓળંગવા માટે પ્રાયઃ જીવો સમર્થ થતા નથી તેવી ઘટ્ટભૂમિને તુલ્ય ગ્રંથિને પણ અતિપરાક્રમ ક૨ીને અપૂર્વકરણ દ્વારા તે યોગ્ય જીવો ઓળંગે છે. જેથી તે ઘટ્ટભૂમિને ઓળંગીને અર્થાત્ ગ્રંથિભેદ કરીને આત્માના હિતને અનુકૂળ એવા તત્ત્વમાર્ગને પ્રાપ્ત કરે છે. ત્યારપછી તે જીવો અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કરણ કરે છે. જે ત્રીજા કરણથી મિથ્યાત્વના દળિયામાં અંતઃકરણ નામની અંતરંગ પ્રક્રિયા કરે છે અને તે અંતઃકરણ કરવાની પ્રક્રિયાકાળમાં આત્મામાં મિથ્યાત્વના દળિયા સતત ઉદયમાં આવે તેવી જે લતા છે તેમાં વચમાં અંતર પાડે છે અર્થાત્ જે આગળમાં વેદન ક૨વા યોગ્ય મિથ્યાત્વના દળિયા છે તે દળિયામાં અંતર્મુહૂર્તકાળ સુધી કોઈ દળિયા ઉદયમાં ન આવે તેવું અંતર પાડે છે. તેથી તે મિથ્યાત્વના દળિયા એક અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં ન આવે તેવા વિરલ કરે છે. તેના કા૨ણે અંતઃમુહૂર્તિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. આ સમ્યક્ત્વને ‘નિસર્ગહેતુક' સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે. જે જીવો ગુરુના ઉપદેશનું આલંબન કરીને સમ્યક્શ્રદ્ધાન કરે છે તે અધિગમથી થનારું બીજુ સમ્યગ્દર્શન છે. આ રીતે, નિસર્ગથી થનારું અને અધિગમથી થનારું સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવ્યા પછી તે સમ્યગ્દર્શન કેવા માહાત્મ્યવાળું છે ? તે બતાવતાં કહે છે – સમ્યગ્દર્શન યમ અને પ્રશમનું જીવાતુ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તેથી એ પ્રાપ્ત થાય કે પાંચ મહાવ્રતો અને પ્રશમનો પરિણામ કોઈ મહાત્મામાં પ્રગટ થયો હોય તેને જીવાડનાર સમ્યગ્દર્શન છે અને જે જીવોમાંથી સમ્યગ્દર્શન ચાલ્યું જાય છે તે જીવોમાં પૂર્વમાં પ્રગટ થયેલાં પાંચ મહાવ્રતો હોય અને પ્રશમનો પરિણામ હોય તો તે પણ નાશ પામી જાય છે. આથી જ સાધુપણામાં રહેલા ચૌદપૂર્વધરો પાંચ મહાવ્રતના પરિણામવાળા હોય છે. અને પ્રશમના પરિણામવાળા હોય છે. આમ છતાં કર્મના દોષથી મિથ્યાત્વને પામે છે ત્યારે સાધુના વેશમાં રહેલા હોવા છતાં તેઓમાં રહેલો પાંચમહાવ્રતનો પરિણામ અને પ્રશમનો પરિણામ નાશ પામે છે. આથી જ તેવા જીવો પાત પામીને સંસારમાં ભટકે છે. માટે સમ્યગ્દર્શન યમ અને પ્રશમને જીવાડનાર છે. વળી, આ સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રનું બીજ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવને સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર પ્રગટ્યું નથી તેવા જીવો પણ સમ્યગ્દર્શનને કારણે નિર્મળમતિવાળા થાય છે ત્યારે તત્ત્વના અર્થી બને છે અને તેના કારણે ગુરુ આદિ પાસેથી શાસ્ત્રઅધ્યયન કરીને સમ્યજ્ઞાન મેળવે છે. વળી, સમ્યગ્દર્શન પામેલા જીવોને ચારિત્રની બલવાન ઇચ્છા હોય છે તેથી તેઓ સદા ચારિત્રનાં આવારક-કર્મોને તોડવા માટે ઉચિત પ્રયત્ન કરનારા હોય છે. અને સત્ત્વનો પ્રકર્ષ થાય તો અવશ્ય ચારિત્રને ગ્રહણ કરે છે. અને ભાવથી ચારિત્ર આવારક કર્મોનો ક્ષયોપશમ કરે છે. માટે ચારિત્રની પ્રાપ્તિનો હેતુ સમ્યગ્દર્શન છે. વળી, વિશેષ પ્રકારના તપ અને વિશેષ પ્રકારના શ્રુતાદિ ભાવનો હેતુ સમ્યગ્દર્શન છે; કેમ કે સમ્યત્વ પ્રગટ્યા પછી જીવને સતત સંસારના ઉચ્છદ માટેની નિર્મળમતિ પ્રવર્તે છે તેથી તેવા જીવો પોતાનામાં વર્તતા સમ્યગ્દર્શનથી પ્રેરિત થઈને શક્તિના અતિશયથી તપમાં અને શ્રુત અધ્યયનાદિમાં અવશ્ય ઉદ્યમ કરે છે તેથી તપ-શ્રુતાદિનો હેતુ સમ્યગ્દર્શન છે. આ રીતે, સમ્યગ્દર્શન અન્ય સર્વ ગુણો કરતાં મુખ્ય છે તે બતાવવાથું કહે છે – ચારિત્ર અને જ્ઞાનથી રહિત પણ સમ્યગ્દર્શન પ્રશંસનીય છે; કેમ કે જીવમાં પ્રગટ થયેલ નિર્મલમતિરૂપ સમ્યગ્દર્શન જીવને સતત ઉચિત પ્રવૃત્તિ કરવામાં ઉત્સાહિત રાખીને જ્ઞાન-ચારિત્રને પણ પ્રાપ્ત કરાવે છે. માટે જ્ઞાન-ચારિત્ર રહિત પણ સમ્યગ્દર્શન ગ્લાધ્ય છે. વળી, મિથ્યાત્વવિષથી દૂષિતજ્ઞાન-ચારિત્ર ગ્લાધ્ય નથી; કેમ કે સમ્યક્ત ન હોય તો જ્ઞાન-ચારિત્ર પણ જીવના હિતનું કારણ બનતાં નથી. વળી, સમ્યગ્દર્શનનું માહાલ્ય બતાવતાં કહે છે. જ્ઞાન-ચારિત્રથી હીન પણ શ્રેણિક મહારાજા સમ્યગ્દર્શનના માહાભ્યથી તીર્થંકરપણાને પામશે તેમ શાસ્ત્રમાં સંભળાય છે. માટે કલ્યાણના અર્થીએ સર્વ ઉદ્યમથી સમ્યત્ત્વની પ્રાપ્તિમાં ઉદ્યમ કરવો જોઈએ. ટીકા – अत्राह-मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमादेरिदं भवति, कथमुच्यते निसर्गादधिगमाद्वा तज्जायत इति ? । अत्रोच्यते स एव क्षयोपशमादिनिसर्गाधिगमजन्मेति न दोषः । उक्तं च - Page #34 -------------------------------------------------------------------------- ________________ धर्मसंग्रह लाग-२ | दितीय अधिकार | Pals-२२ "ऊसरदेसं दडिल्लयं व विज्झाइ वणदवो पप्प । इयमिच्छस्साणुदए, उवसमसम्मं लहइ जीवो ।।१।।" [विशेषावश्यकभाष्ये गा. २७३४] . "जीवादीणमधिगमो, मिच्छत्तस्स उ खओवसमभावे । अधिगमसंमं जीवो, पावेइ विसुद्धपरिणामो ।।२।।" त्ति । कृतं प्रसंगेन । तच्च कतिविधं भवतीत्याह-'पञ्चधेति' पञ्चप्रकारं स्यात् तद्यथा-औपशमिकम् १ क्षायिकम् २ क्षायोपशमिकम् ३ वेदकम् ४ सास्वादनं ५ चेति । तत्रौपशमिकं भस्मच्छन्नाग्निवत् मिथ्यात्वमोहनीयस्यानन्तानुबन्धिनां च क्रोधमानमायालोभानामनुदयावस्था उपशमः(स) प्रयोजनं= प्रवर्त्तकमस्य औपशमिकम्, तच्चानादिमिथ्यादृष्टेः करणत्रयपूर्वकमान्तर्मुहूर्तिकम्, चतुर्गतिकस्यापि संज्ञिपर्याप्तपञ्चेन्द्रियस्य जन्तोर्ग्रन्थिभेदानन्तरं भवतीत्युक्तप्रायम्, यद्वा उपशमश्रेण्यारूढस्य भवति यदाह"उवसमसेढिगयस्स, होइ उवसामगं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ।।१।।" ति ।। [विशेषाव. भा. २७३५] ग्रन्थिप्रदेशं यावत्तु अभव्योऽपि सङ्ख्येयमसङ्ख्येयं वा कालं तिष्ठति । तत्र स्थितश्चाभव्यो द्रव्यश्रुतं भिन्नानि दशपूर्वाणि यावल्लभते, जिनर्द्धिदर्शनात्स्वर्गसुखार्थित्वादेव दीक्षाग्रहणे तत्संभवात् । 'अत एव भिन्नदशपूर्वान्तं श्रुतं मिथ्याश्रुतमपि स्यादित्यन्यदेतत् । अत्र च प्रसङ्गतः कश्चिद्विशेषो विशेषज्ञानार्थं दर्शाते, यथाऽन्तरकरणाद्यसमय एवौपशमिकसम्यक्त्ववान्, तेन चौषधविशेषकल्पेन शोधितस्य मदनकोद्रवकल्पस्य मिथ्यात्वस्य शुद्धार्द्धशुद्धाशुद्धरूपपुञ्जत्रयमसौ करोत्येव, अत एवौपशमिकसम्यक्त्वाच्च्युतोऽसौ क्षायोपशमिकसम्यग्दृष्टिमिश्रो मिथ्यादृष्टिर्वा भवति । उक्तं च“कम्मग्गंथेसु धुवं, पढमोवसमी करेइ पुंजतिअं । तव्वडिओ पुण गच्छइ, सम्मे मीसंमि मिच्छे वा ।।१।।" इदं च कार्मग्रन्थिकमतम् । सैद्धान्तिकमतं त्वेवं-यदुत-अनादिमिथ्यादृष्टिः कोऽपि तथाविधसामग्रीसद्भावेऽपूर्वकरणेन पुजत्रयं कृत्वा शुद्धपुद्गलान् वेदयन्नौपशमिकसम्यक्त्वमलब्ध्वैव प्रथमत एव क्षायोपशमिकसम्यग्दृष्टिर्भवति, अन्यस्तु यथाप्रवृत्त्यादिकरणत्रयक्रमेणान्तरकरणे औपशमिकसम्यक्त्वं लभते, पुञ्जत्रयं त्वसौ न करोत्येव, ततश्चौपशमिकसम्यक्त्वच्युतोऽवश्यं मिथ्यात्वमेव याति । उक्तं च कल्पभाष्ये Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ "आलंबणमलहंती, जह सट्ठाणं न मुंचए इलिआ । एवं अकयतिपुंजी, मिच्छं चिअ उवसमी एइ ।।१।।" [गा. १२० सम्बोधप्र. सम्यक्त्व गा. ११] 'प्रथमं च सम्यक्त्वे लभ्यमाने कश्चित्सम्यक्त्वेन समं देशविरतिं सर्वविरतिं वा प्रतिपद्यते उक्तं च शतकबृहच्चूर्णी - "उवसमसम्मट्ठिी अंतरकरणे ठिओ कोई देसविरइं पि लहेइ, कोई पमत्तापमत्तभावंपि, सासायणो पुण न किंपि लहेइ" [] त्ति । पुञ्जत्रयसंक्रमश्च कल्पभाष्ये एवमुक्तः-मिथ्यात्वदलिकात् पुद्गलानाकृष्य सम्यग्दृष्टिः प्रवर्द्धमानपरिणामः सम्यक्त्वे मिश्रे च संक्रमयति, मिश्रपुद्गलांश्च सम्यग्दृष्टिः सम्यक्त्वे, मिथ्यादृष्टिश्च मिथ्यात्वे सम्यक्त्वपुदगलांस्तु मिथ्यात्वे संक्रमयति, न तु मिश्रे । “मिच्छत्तंमि अखीणे, तिपुंजिणो सम्मद्दिट्ठिणो णियमा । खीणंमि उ मिच्छत्ते, दुएगपुंजी व खवगो वा ।।१।।" [बृहत्कल्प भाष्ये गा. ११७] मिथ्यात्वेऽक्षीणे सम्यग्दृष्टयो नियमात्रिपुञ्जिनः, मिथ्यात्वे क्षीणे द्विपुजिनः, मिश्रे क्षीणे एकपुञ्जिनः, सम्यक्त्वे तु क्षीणे क्षपकः, सम्यक्त्वपुद्गलाश्च शोधितमदनकोद्रवस्थानीया विरुद्धतैलादिद्रव्यकल्पेन कुतीर्थिकसंसर्गकुशास्त्रश्रवणादिमिथ्यात्वेन मिश्रिताः सन्तस्तत्क्षणादेव मिथ्यात्वं स्युः । यदाऽपि प्रपतितसम्यक्त्वः पुनः सम्यक्त्वं लभते, तदाऽप्यपूर्वकरणेन पुञ्जत्रयं कृत्वा अनिवृत्तिकरणेन सम्यक्त्वपुञ्ज एव गमनाद् द्रष्टव्यम् । पूर्वलब्धस्याप्यपूर्वकरणस्यापूर्वता, पूर्व स्तोकशः (सदृशकृतत्वेन) कृतत्वेनापूर्वमिवेति वृद्धाः, सैद्धान्तिकमतं चैतत्-सम्यक्त्वप्राप्ताविव देशविरतिसर्वविरत्योः प्राप्तावपि यथाप्रवृत्त्यपूर्वकरणे भवतो नत्वनिवृत्तिकरणम्, अपूर्वकरणाद्धाप्रा(समा)प्तावनन्तरसमये एव तयोर्भावात्, देशसर्वविरत्योः प्रतिपत्त्योरनन्तरमन्तर्मुहूर्तं यावदवश्यं जीवः प्रवर्द्धमानपरिणामस्तत ऊर्ध्वं त्वनियमः । ये चाऽभोगं विनैव कथंचित्परिणामहासाद्देशविरतेः सर्वविरतेर्वा प्रतिपतितास्तेऽकृतकरणा एव पुनस्तां लभन्ते, ये त्वाभोगतः प्रतिपतिता आभोगेनैव च मिथ्यात्वं गतास्ते जघन्यतोऽन्तर्मुहूर्तेनोत्कर्षतः प्रभूतकालेन यथोक्तकरणपूर्वकमेव पुनस्तां लभन्त इत्युक्तं कर्मप्रकृतिवृत्तौ, सैद्धान्तिकमते हि विराधितसम्यक्त्वो गृहीतेनापि सम्यक्त्वेन षष्ठपृथिवीं यावत् कोऽप्युत्पद्यते, कार्मग्रन्थिकमते तु वैमानिकेभ्योऽन्यत्र नोत्पद्यते, तेन गृहीतेनेत्युक्तं प्रवचनसारोद्धारवृत्तौ । [गा. ९६१/खण्ड २ प. १९१] Page #36 -------------------------------------------------------------------------- ________________ धर्मसंग्रह भाग-२ | दितीय मधिकार | RI5-२२ अवाप्तसम्यक्त्वश्च तत्परित्यागे कार्मग्रन्थिकमतेनोत्कृष्टस्थितीः कर्मप्रकृतीर्बध्नाति, सैद्धान्तिकाभिप्रायतस्तु भिन्नग्रन्थेरुत्कृष्टः स्थितिबन्ध एव न स्यात् १ ॥ तथा क्षयो मिथ्यात्वमोहनीयस्यानन्तानुबन्धिनां निर्मूलनाशः प्रयोजनमस्य क्षायिकं यतः"खीणे दंसणमोहे, विविहंमि वि भवनिआणभूअंमि । निप्पच्चवायमउलं, सम्मत्तं खाइअं होइ ।।१।।" [धर्मसंग्रहण्यां गा. ८०१] त्ति । तच्च साद्यनन्तम् २ । तथा उदितानां मिथ्यात्वमोहनीयादिनाम् देशतः क्षयो निर्मूलनाशः, अनुदितानां चोपशमः, क्षयेण युक्त उपशमः, क्षयोपशमः, स प्रयोजनमस्य क्षायोपशमिकम् । यतः "मिच्छत्तं जमुझ्नं, तं खीणं अणुइअं च उवसंतं । मीसीभावपरिणयं, वेइज्जंतं खओवसमं ।।१।।" ति ।। तच्च सत्कर्मवेदकमप्युच्यते, औपशमिकं तु सत्कर्मवेदनारहितमित्यौपशमिकक्षायोपशमिकयोर्भेदः । यदाह"वेएइ संतकम्मं, खओवसमिएसु नाणुभावं से । उवसंतकसाओ उण, वेएइ न संतकम्मपि ।।१।।" [विशेषावश्यक भा. गा. १२९३] ३ । वेदकं क्षपकश्रेणिं प्रपन्नस्य चतुर(@)नन्तानुबन्धिषु मिथ्यात्वमिश्रपुञ्जद्वये च क्षपितेषु सत्सु क्षप्यमाणे सम्यक्त्वपुञ्ज तत्सम्यक्त्वचरमपुद्गलक्षपणोद्यतस्य तच्चरमपुद्गलवेदनरूपम् । यतः"वेअगमि अ पुव्वोइअचरमिल्लयपुग्गलग्गासं" [ ] ति ४ । सास्वादनं च पूर्वोक्तौपशमिकसम्यक्त्वात्पततो जघन्यतः समय उत्कर्षतश्च षडावलिकायामवशिष्टायामनन्तानुबन्ध्युदयात्तद्वमने तदास्वादरूपम् यतः - "उवसमसम्मत्ताओ, चयओ मिच्छं अपावमाणस्स । सासायणसम्मत्तं, तयंतरालंमि छावलिअं ।।१।।" [विशेषावश्यक भा. गा. ५३१] ५ । पञ्चानामप्येषां स्थितिकालमानादि चैवमाहुः - “अन्तमुहत्तुवसमओ १, छावलि सासाण २ वेअगो समओ ३ । साहिअतित्तीसायर, खइओ ४ दुगुणो खओवसमो ५।।१।।" [सम्बोधप्र. सम्य. गा. २२] [क्षयश्च] उपशम[श्च] क्षयोपशमः, स प्रयोजनमस्य क्षायोपशमिकम् । यतः - Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ दुगुणोत्ति पूर्वस्माद् द्विगुणः स्थितिकालः षट्षष्टिः सागरोपमाणि समधिकानि क्षायोपशमिकस्य स्थितिरित्यर्थः । सा चैवम्"दोवारे विजयाइसु, गयस्स तिनच्चुए अहव ताई । अइरेगं नरभविअं, नाणाजीवाण सव्वद्धं ।।१।।" [विशेषावश्यक भाष्ये गा. ४३६] त्ति । “उक्कोसं सासायणउवसमिआ हुंति पंचवाराओ । वेअगखइगा इक्कसि, असंखवारा खओवसमो ।।२।।" [सम्यक्त्व स्तवप्र. गा. २२] “तिण्हं सहसपुहुत्तं, सयप्पुहुत्तं च होई विरईए । एगभवे आगरिसा, एवइआ हुंति णायव्वा ।।३।।" [सम्बोधप्र. सम्य. गा. ३१] 'तिण्हंति श्रुतसम्यक्त्वदेशविरतीनाम् । 'आगरिस'त्ति आकर्षः प्रथमतया मुक्तस्य वा ग्रहणम्, एते आकर्षा उत्कर्षतो जघन्यतस्त्वेक एव । “तिण्हं सहसमसंखा, सहसपुहुत्तं च होइ विरईए । नाणाभव आगरिसा, एवइआ हुंति णायव्वा ।।४।।" [सम्बोधप्र. सम्य. गा. ३२] "बीअगुणे सासाणं, तुरिआइसु अट्ठिगारचउचउसु । उवसमगखइअवेअगखाओवसमा कमा हुति ।।५।।" [सम्यक्त्वस्तव प्र. गा. २३] “संमत्तंमि उ लद्धे, पलिअपुहुत्तेण सावओ हुज्जा । चरणोवसमखयाणो, सागर संखंतरा हुँति ।।६।।" [विशेषावश्यकभाष्ये गा. १२२२] "इअ(अप्प)परिवडिए सम्मे, सुरमणुए इगभवेवि सव्वाणि । इगसेढिवज्जिआई, सिवं च सत्तट्ठभवमज्झे ।।७।।" 'क्षायिकसम्यग्दृष्टिस्तु तृतीये चतुर्थे तस्मिन् भवे वा सिद्ध्यति । उक्तं च पञ्चसङ्ग्रहादौ - “तइअचउत्थे तंमि व, भवंमि सिझंति दंसणे खीणे । जं देवनिरयसंखाउ, चरमदेहेसु ते हुंति ।।८।।" [गा. ७७८] व्याख्या-"बद्धायुः क्षीणसप्तको यदि देवगतिं नरकगतिं वा याति, तदा तद्भवान्तरितस्तृतीयभवे सिद्ध्यति । अथ तिर्यक्षु नृषु वोत्पद्यते, सोऽवश्यमसङ्ख्येयवर्षायुष्केष्वेव, नतु सङ्ख्येयवर्षायुष्केषु तद्भवानन्तरं च देवभवे, ततो नृभवे सिद्ध्यतीति चतुर्थभवे मोक्षः । अबद्धायुश्च तस्मिन्नेव भवे क्षपकश्रेणिं संपूर्णीकृत्य सिद्ध्यतीत्यर्थः ।" एकं जीवं नानाजीवान्वाऽपेक्ष्य सम्यक्त्वोपयोगो जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहूर्तमेव, क्षयोपशमरूपा तल्लब्धिस्त्वेकजीवस्य जघन्याऽन्तर्मुहूर्त्तमुत्कृष्टा तु ६६ सागराणि नृभवाधिकानि तत ऊर्ध्वं Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ सम्यक्त्वाप्रच्युतः सिद्ध्यत्येव, नानाजीवानां तु सर्वकालः, अन्तरं च जघन्यतोऽन्तर्मुहूर्त्तम्, कस्यचित्सम्यक्त्वत्यागे सति पुनस्तदावरणक्षयोपशमादन्तर्मुहूर्त्तमात्रेणैव तत्प्रतिपत्तेः, उत्कृष्टतस्त्वाशातनाप्रचुरस्यापार्द्धपुद्गलपरावर्त्त उक्तं च - "तित्थयरंपवयणसुअं, आयरिअं गणहरं महड्ढीयं । માસાયંતો વહુનો, સતસંસારિગો દોડ઼ III” [પશપ મા. ૪૨૩] नानाजीवानपेक्ष्य चान्तराऽभाव इत्याधुक्तमावश्यकवृत्ताविति शेषविचारो विशेषार्थिभिस्तत एवावधार्य રૂચનં વિસ્તરેખા ટીકાર્ય : ત્રી વિસ્તરે અહીંપૂર્વમાં કહ્યું કે નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમાં, કહે છેઃશંકા કરે છે – મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિથી આ થાય છે=સમ્યગ્દર્શન થાય છે, નિસર્ગથી અને અધિગમથી તે થાય છે=સમ્યગ્દર્શન થાય છે એ પ્રમાણે કેમ કહેવાય છે? અહીં પૂર્વપક્ષીએ કરેલી શંકામાં, ઉત્તર અપાય છે – તે જ ક્ષયોપશમાદિ નિસર્ગથી અને અધિગમથી થનારા છે એથી દોષ નથી. અને કહેવાયું છે – રઢિયં '=બળેલાની જેમ “સરસં પU'=ઊખરભૂમિને પ્રાપ્ત કરીને “વણવો વિજ્ઞા=વનનો અગ્નિ બુઝાય છે. ‘ફ' એ રીતે “મિચ્છરૂાજુલા =મિથ્યાત્વનો અનુદય થયે છતે ‘૩વસમસમં નહ નીવો'=જીવ ઉપશમ સમ્યક્ત પામે છે. બળેલાની જેમ ઊખરભૂમિને પ્રાપ્ત કરીને વનનો અગ્નિ બુઝાય છે એ રીતે મિથ્યાત્વનો અનુદય થયે છતે જીવ ઉપશમ સમ્યક્ત પામે છે.” ૧il (વિશેષાવશ્યકભાષ્ય૦ ગાથા ૨૭૩૪) “વળી મિથ્યાત્વના ક્ષયોપશમભાવમાં જીવાદિનો અધિગમ થાય છે=બોધ થાય છે. વિશુદ્ધ પરિણામવાળો જીવ અધિગમ સમ્યક્તને પ્રાપ્ત કરે છે.” રા તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. પ્રસંગથી સર્યું પ્રાસંગિક કરાયેલી શંકાથી સર્યું. અને તે=સમ્યગ્દર્શન, કેટલા પ્રકારનું છે. એથી કહે છે. પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧. ઓપશમિક ૨. ક્ષાયિક ૩. ક્ષાયોપથમિક ૪. વેદક અને પ. સાસ્વાદન. તિ’ શબ્દ પાંચ ભેદોની સમાપ્તિ માટે છે. ત્યાં=સમ્યક્તના પાંચ ભેદોમાં, પથમિક ભસ્મછન્ન અગ્નિની જેમ મિથ્યાત્વમોહનીયની અને અનંતાનુબંધી એવાં ક્રોધ, માન, માયા, લોભની અનુદય અવસ્થા તે ઉપશમ પ્રવર્તક પ્રયોજત આનું તે ઓપશમિક અને તે=ઔપથમિક સમ્યક્ત, અનાદિ મિથ્યાદષ્ટિ એવા ચારગતિવાળા પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને ગ્રંથિભેદ અનન્તર કરણત્રયપૂર્વક આત્તમૃર્તિક થાય છે. એ પ્રમાણે ઉક્તપ્રાય છે=યોગશાસ્ત્રના ઉદ્ધરણથી કહેવાયું છે. અથવા ઉપશમશ્રેણી આરૂઢને થાય છે=ઉપશમશ્રેણીમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ - ૨૨ - ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ચઢેલા જીવને ઓપશમિક સમ્યક્ત થાય છે. જેને કહે છે – “ઉપશમશ્રેણીગત જીવને વળી ઔપશમિક સમ્યક્ત થાય છે. જે અમૃતપુંજવાળો, અક્ષપિત મિથ્યાત્વવાળો જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે છે.” In (વિશેષાવશ્યકભાષ્ય૦ ગાથા-૨૭૩૫) ગ્રંથિપ્રદેશ સુધી અભવ્ય પણ સંખ્યાત કે અસંખ્યાતકાળ રહે છે અને ત્યાં રહેલો અભવ્ય દશપૂર્વથી કંઈક જૂન જેટલું દ્રવ્યશ્રત પ્રાપ્ત કરે છે; અભવ્ય દશપૂર્વથી કંઈક ન્યૂન દ્રવ્યહ્યુતવાળો છે. આ પાઠ સાક્ષી આપ્યા વગર ગ્રંથકારશ્રી અનાભોગથી લખાયેલ છે, વિશેષઆવશ્યકભાષ્ય ગા. ૧૨૧૯ની ટીકામાં સ્પષ્ટ પાઠ છે કે અભવ્ય અગિયાર અંગથી અધિક શ્રુતને પ્રાપ્ત કરી શકતો નથી. કેમ કે જિનની ઋદ્ધિના દર્શનને કારણે સ્વર્ગસુખાદિપણાથી જ દીક્ષાગ્રહણમાં તેનો સંભવ છે. આથી જ ભિન્ન દશપૂર્વ સુધી શ્રુત મિથ્યાશ્રુત પણ થાય. એ વાત અવ્ય છે. અને અહીં પ્રસંગથી વિશેષજ્ઞાન માટે કંઈક વિશેષ બતાવાય છે. જે પ્રમાણે – અંતઃકરણના આદ્યસમયમાં જ ઓપશમિક સખ્યત્વવાળો જીવ અને ઔષધવિશેષકલ્પ એવા તેના વડે=ઔપથમિક સમ્યક્ત વડે, શોધિત મદનકોદ્રવકલ્પ એવા મિથ્યાત્વના શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધરૂપ પુંજત્રયને આ ઓપશમિક સભ્યત્વવાળો જીવ, કરે જ છે. આથી જ પથમિક સમ્યક્તથી ચુત થયેલો આ જીવ શાયોપથમિક સમ્યગ્દષ્ટિ, મિશ્ર અથવા મિથ્યાદષ્ટિ થાય છે અને કહેવાયું છે. કર્મગ્રંથોમાં–કર્મગ્રંથના અભિપ્રાયમાં, પ્રથમ ઉપશમવાળો જીવ=ઉપશમસમ્યક્ત પામેલો જીવ, નક્કી ત્રણ પુંજ કરે છે. તેનાથી પ્રતિપતિત–ઉપશમ સમ્યક્તથી પાત પામેલ, વળી સમ્યક્તમાં અથવા મિશ્રમાં અથવા મિથ્યાત્વમાં જાય છે=ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે અથવા મિશ્ર મોહનીય ગુણસ્થાનકમાં જાય છે અથવા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જાય છે.” (). અને આ=પૂર્વમાં કહ્યું એ, કાર્મગ્રંથિક મત છે. વળી સૈદ્ધાતિક મત આ પ્રમાણે છે જેને “વહુ'થી બતાવે છે – કોઈપણ અનાદિ મિથ્યાષ્ટિ તેવા પ્રકારની સામગ્રીના સભાવમાં=સમ્યક્તની પ્રાપ્તિનું કારણ બને તેવી સામગ્રીના સદ્ભાવમાં, અપૂર્વકરણથી પુંજત્રયને કરીને શુદ્ધ પગલોને વેદન કરતો ઔપથમિક સમ્યક્તને પ્રાપ્તિ કર્યા વગર જ પ્રથમથી જ ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ થાય છે. વળી અન્ય જીવ યથાપ્રવૃત્તિ આદિ કરણત્રયના ક્રમથી અંતઃકરણમાં પથમિક સભ્યત્વને પામે છે. વળી આ પશમિક સખ્યત્ત્વ પામેલ જીવ, પુંજત્રય કરતો નથી જ. અને તેથી ઔપશમિક સમ્યક્તથી ય્યત થયેલો અવશ્ય મિથ્યાત્વને જ પામે છે અને કલ્પભાષ્યમાં કહેવાયું છે – આલંબનને નહિ પ્રાપ્ત કરતી ઈયળ જે પ્રમાણે સ્વસ્થાનને મૂકતી નથી એ રીતે અકૃત ત્રણ પુંજવાળો એવો ઔપશમિક સમ્યક્તવાળો જીવ મિથ્યાત્વને જ પામે છે.” (ગા. ૧૨૦ સંબોધ પ્રકરણ, સમ્યક્ત ગા. ૧૧) Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અને સમ્યક્ત લભ્યમાન હોતે છતે કોઈક જીવ સમ્યક્ત સહિત પ્રથમ દેશવિરતિને અથવા સર્વવિરતિને પામે છે અને શતક બૃહસૂણિમાં કહેવાયું છે – “અંતઃકરણમાં રહેલો ઉપશમસમ્યગ્દષ્ટિ કોઈ દેશવિરતિને પણ પ્રાપ્ત કરે છે. કોઈ પ્રમત્ત-અપ્રમત્ત ભાવને પણ=પ્રમત્તગુણસ્થાનક અને અપ્રમત્તગુણસ્થાનકને પણ, પ્રાપ્ત કરે છે. સાસ્વાદન વળી–ઉપશમસમ્યક્તનું આસ્વાદન કરનાર જીવ વળી, કંઈ પણ પ્રાપ્ત કરતો નથી દેશવિરતિ આદિમાંથી કાંઈપણ પ્રાપ્ત કરતો નથી.” રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને પંજત્રયનું સંક્રમ ‘કલ્પભાષ્યમાં આ પ્રમાણે કહેવાયું છે – પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ મિથ્યાત્વના દલિકોમાંથી પુગલોને ગ્રહણ કરીને સમજ્યમાં અને મિશ્રમાં સંક્રમણ કરે છે=સમ્યક્વમોહનીયમાં અને મિશ્રમોહનીયમાં સંક્રમણ કરે છે અને મિશ્રપુગલોને સમ્યગ્દષ્ટિ સમ્યક્તમાં સંક્રમ કરે છે, અને મિથ્યાદષ્ટિ મિશ્રમોહનીયના પુદ્ગલોને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમણ કરે છે. વળી સમ્યક્વમોહનીયતા પુદ્ગલોને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમણ કરે છે. પરંતુ સમ્યક્ત મોહનીયતા પુદ્ગલોને મિશ્રમોહનીયમાં સંક્રમણ કરતો નથી. મિથ્યા અક્ષીણ હોતે છતે મિથ્યાત્વના દળિયા નાશ નહિ પામે છત, સમ્યગ્દષ્ટિ જીવ નિયમા ત્રણ પુંજવાળો હોય છે. મિથ્યાત્વ ક્ષીણ થયે છતે મિથ્યાત્વના દળિયા નાશ પામે છતે, બે પુંજવાળ)=સમ્યક્વમોહનીય અને મિશ્ર મોહનીયના પંજવાળો હોય છે અથવા એક પંજવાળો હોય છે મિશ્ર મોહનીય ક્ષીણ થયું હોય તો સમ્યક્વમોહનીયતા પુંજવાળો હોય છે અથવા ક્ષેપક હોય છે=ણાયિક સમકિતી હોય છે.” (બૃહત્કલ્પભાષ્ય ગાથા-૧૧૭) - મિથ્યાત્વ અક્ષીણ થયે છd=મિથ્યાત્વના દળિયા તાશ નહિ પામે છતે, સમ્યગ્દષ્ટિ જીવ નિયમથી ત્રણ પુંજવાળો છે. મિથ્યાત્વ મોહનીયતા દળિયા ક્ષીણ થયે છતે બે પુંજવાળો થાય અને મિશ્ર ક્ષીણ થયે છd=મિશ્રમોહનીયના દળિયા ક્ષીણ થયે છતે, એકjજવાળો થાય છે. વળી, સમ્યક્ત ક્ષીણ થયે છત=સમ્યક્ત મોહનીય નાશ પામે છતે, ક્ષપક થાય છે=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થાય છે અને શોધિત મદનકોદ્રવ સ્થાનીય એવા સખ્યત્ત્વના મુદ્દગલો વિરુદ્ધ તૈલાદિ દ્રવ્ય જેવા કુતીર્થિકના સંસર્ગથી અને કુશાસ્ત્રના શ્રવણાદિથી જન્ય મિથ્યાત્વથી મિશ્રિત છતા તત્ક્ષણ જ મિથ્યાત્વને પામે છે. પાત પામેલ સખ્યત્વવાળો જીવ ફરી જ્યારે પણ સમ્યક્ત પામે છે ત્યારે પણ અપૂર્વકરણથી પંજત્રયને કરીને અનિવૃત્તિકરણ દ્વારા સત્ત્વના પુંજમાં જ ગમતને કારણે જાણવું=સમ્યગ્દષ્ટિ થાય છે તેમ જાણવું. પૂર્વલબ્ધ એવા અપૂર્વકરણની અપૂર્વતા પૂર્વ સદેશ કૃતપણું હોવાને કારણે અપૂર્વ જેવું છે. એ પ્રમાણે વૃદ્ધો કહે છે અને આ પૂર્વમાં કહ્યું કે પાત પામેલ સમ્યક્તવાળો જીવ ફરી સમ્યક્તને પામે છે ત્યારે અપૂર્વકરણ દ્વારા પુંજત્રયને કરીને અનિવૃત્તિકરણથી સમ્યક્વમોહનીયતા પુંજમાં જ ગમનને કારણે સમ્યક્ત પામે છે એ, સૈદ્ધાંતિક મત છે. અહીં ટીકામાં ‘પૂર્વ સ્તોરાઃ તત્વેન...” છે તેના સ્થાને ‘પૂર્વસક્તત્વેન' પાઠ જોઈએ. પાઠ ઉપલબ્ધ થયો નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમ્યક્તની પ્રાપ્તિમાં જેમ=સમ્યક્તની પ્રાપ્તિમાં ત્રણ કરણ થાય છે એની જેમ, દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં પણ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ થાય છે, પરંતુ અનિવૃત્તિકરણ થતું નથી; કેમ કે અપૂર્વકરણનો અદ્ધા સમાપ્ત થયે છd=અપૂર્વકરણનો કાળ સમાપ્ત થયે છતે, અનંતર સમયમાં જ અપૂર્વકરણના સમાપ્તિના અનંતર સમયમાં જ, તે બેનો ભાવ છે દેશવિરતિ અને સર્વવિરતિનો સદ્ભાવ છે. દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિના અનંતર અંતર્મુહૂર્ત સુધી જીવ અવશ્ય પ્રવર્ધમાન પરિણામવાળો છે. ત્યારપછી આગળ વળી અનિયમ છે=પ્રવર્ધમાન પરિણામવાળો હોય પણ અને ન પણ હોય એ પ્રકારનો અનિયમ છે. આભોગ વગર જ કોઈક રીતે પરિણામના બ્રાસથી પ્રાપ્ત થયેલ દેશવિરતિ અથવા પ્રાપ્ત થયેલા સર્વવિરતિના પરિણામના નાશથી, દેશવિરતિથી કે સર્વવિરતિથી જેઓ પાતને પામેલા છે તેઓ ફરી અકૃતકરણા જEયથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ કર્યા વગર જ, તેનેપાત પામેલ દેશવિરતિને કે સર્વવિરતિને, પ્રાપ્ત કરે છે. વળી, જેઓ આભોગથી પાતને પામેલા છે=દેશવિરતિથી કે સર્વવિરતિથી પાતને પામેલા છે અને આભોગથી જ મિથ્યાત્વને પામેલા છે તેઓ જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ સુધી, ઉત્કૃષ્ટથી ઘણા કાળ સુધી યથોક્તકરણપૂર્વક જપૂર્વમાં કહેલા કરણોપૂર્વક જ, ફરી તેને સમ્યક્તને, દેશવિરતિને અને સર્વવિરતિને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે કર્મપ્રકૃતિની વૃત્તિમાં કહેવાયું છે. સૈદ્ધાંતિક મતમાં વિરાધિત સમ્યક્તવાળો કોઈક જીવ ગ્રહણ કરાયેલા પણ સમ્યક્તથી છઠી તારક સુધી ઉત્પન્ન થાય છે. વળી, કાર્મગ્રંથિક મતથી વૈમાનિક દેવલોકથી અન્યત્ર તે ગૃહીત એવા સખ્યત્વથી ઉત્પન્ન થતો નથી એ પ્રમાણેકપૂર્વમાં સૈદ્ધાંતિક મત બતાવ્યો અને કાર્મગ્રંથિક મત બતાવ્યો એ પ્રમાણે, પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહેવાયું છે. (ગાથા ૯૬૧, ખંડ-૨, ૫. ૧૯૧) પ્રાપ્ત થયેલ સમ્યક્તવાળો જીવ તેના પરિત્યાગમાં=સમ્યક્તના પરિત્યાગમાં, કાર્મગ્રંથિક મતથી, ઉત્કૃષ્ટ સ્થિતિવાળી કર્મપ્રકૃતિ બાંધે છે. વળી સૈદ્ધાંતિક અભિપ્રાયથી ભિન્નગ્રંથિવાળા એવા સમ્યગ્દષ્ટિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ ન થાય. ૧૫ શ્લોકમાં બતાવેલા પાંચ પ્રકારના સમ્યક્તમાંથી ઉપશમ સમ્યક્તનું વર્ણન પ્રાસંગિક કથનો સાથે અત્યાર સુધી કર્યું. હવે ક્ષાયિક સમ્યક્તનું વર્ણન કરતાં કહે છે – અને ક્ષય=મિથ્યાત્વમોહનીયતો-અનંતાનુબંધીનો નિર્મળ નાશ. પ્રયોજન છે અને તે ક્ષાયિક=ક્ષાયિક સમ્યક્વ, છે. જે કારણથી કહેવાયું છે – “ભવના નિદાનભૂત વિવિધ પણ દર્શનમોહ ક્ષીણ થયે છત=સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીયરૂપ વિવિધ પણ દર્શનમોહ ક્ષીણ થયે છતે, વિપ્રત્યપાય મઉલવાળું સર્વ પ્રત્યપાયથી રહિત શરીરવાળું, સાયિક સમ્યક્ત થાય છે.” (ધર્મસંગ્રહણી ગાથા-૮૦૧) ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. તે ક્ષાયિકસમ્યક્ત, સાદિ અનંત છે. રા. Page #42 -------------------------------------------------------------------------- ________________ રા ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ હવે ક્ષાયોપથમિક સમ્યક્ત બતાવે છે – અને ઉદિત એવા મિથ્યાત્વમોહનીયાદિતો દેશથી ક્ષય તિર્મુલ તાશ, અને અનુદિતનો ઉપશમ, ક્ષયથી યુક્ત ઉપશમ તે ક્ષયોપશમ, તે પ્રયોજન છે અને તે ક્ષાયોપથમિક. જે કારણથી કહેવાયું છે – મિથ્યાત્વ જે ઉદીર્ણ છે તે ક્ષીણ થયું અને અનુદીર્ણ ઉપશમ છે. મિશ્રભાવને પરિણત=ાય અને ઉપશમરૂપ મિશ્રભાવને પરિણત, વેદન કરાતું ક્ષયોપશમ છે." તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને તે=ક્ષાયોપથમિક સત્ત્વ, સત્કર્મ વેદક પણ કહેવાય છે=વિશુદ્ધ થયેલા મિથ્યાત્વના પગલારૂપ સમ્યક્વમોહનીય સ્વરૂપ સત્કર્મનું વેદક, પણ કહેવાય છે. વળી, પથમિક સમ્યક્ત સત્કર્મની વેદનાથી રહિત છે, એ પ્રમાણે ઓપશમિક અને ક્ષાયોપથમિક સમ્યક્તનો ભેદ છે. જે કારણથી કહે “ક્ષાયોપથમિક સમ્યક્તમાં સત્કર્મને વેદન કરે છે. તેનો અનુભવ નથી. વળી ઉપશાંતકષાયવાળો વિદ્યમાન કર્મ પણ વેદન કરતો નથી." (વિશેષાવશ્યક ભા. ગા. ૧૨૯૩) all હવે વેદક સમ્યક્ત બતાવે છે – ચાર અનંતાનુબંધી, અને મિથ્યાત્વમોહનીય-મિશ્ર મોહનીય પુંજદ્વય ક્ષપણા કરાયે છતે અને ક્ષપણા કરાતા એવા સમ્યક્વમોહનીયતા પુંજમાં તે સમ્યત્ત્વના ચરમ પુદ્ગલની ક્ષપણામાં ઉધત એવા ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયેલા જીવનું તે ચરમ પુદ્ગલના વેદનરૂપ સમ્યક્વમોહનીયતા ચરમ પુદ્ગલના વેદતરૂપ, ‘વેદક સમ્યક્ત છે. જે કારણથી – ‘મિસ=અને વેદક સમજ્યમાં, પુત્રોડ્રગ રેમન્ના પુત્ર સં=પૂર્વ ઉદિત ચરમ, પુદ્ગલનું ગ્રાસ છે=છેલ્લા પુદ્ગલનું ગ્રાસ છે.' () ૪ ‘તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. હવે સાસ્વાદન સમ્યક્ત બતાવે છે – અને પૂર્વમાં કહેલા પથમિક સમ્યક્તથી પાત પામતો જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા અવશિષ્ટ હોતે છતે=જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાના અંતઃકરણનો કાળ બાકી રહેલો હોતે છતે, અનંતાનુબંધીના ઉદયથી તેના મનમાં=ઔપશમિક સમ્યક્તના વમળમાં, તેના આસ્વાદરૂપ ઓપશમિક સખ્યત્ત્વના આસ્વાદરૂપ, સાસ્વાદન સમ્યક્ત છે. જે કારણથી – “ઔપથમિક સમ્યક્તના ચયથી મિથ્યાત્વને નહિ પ્રાપ્ત કરતા એવા જીવને તેના અંતરાલમાં છ આવલિકાવાળું સાસ્વાદન સમ્યક્ત છે.” (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-પ૩૧) પા પાંચેય પણ આમનું ઓપશમિકાદિ સખ્યત્ત્વનું, સ્થિતિ-કાલ-માન આદિ આ પ્રમાણે કહે છે - Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ અંતર્મુહૂર્ત ઉપશમ=પથમિક સમ્યક્તનો કાળ અંતર્મુહૂર્તનો છે. છ આવલિકા સાસાણ=સાસ્વાદન સમ્યક્તનો કાળ છ આવલિકા છે. વેદક સમય=વેદક સમ્યક્તનો કાળ એક સમય છે. સાધિક ૩૩ સાગરોપમ સંપકકક્ષાયિક સમ્યક્તનો કાળ ૩૩ સાગરોપમ છે. ક્ષયોપશમ બે ગણો–સાધિક ૬૬ સાગરોપમ લાયોપથમિક સમ્યક્તનો કાળ છે.” (સંબોધપ્રકરણ સમ્ય. ગા. ૨૨). “સંબોધપ્રકરણ”ના ઉદ્ધરણમાં રહેલ “gમોવસમો'નો અર્થ કરે છે – ક્ષય અને ઉપશમeષયોપશમ, તે પ્રયોજન છે અને તે ક્ષાયોપથમિક. ક્ષાયોપથમિકનો અર્થ કર્યા પછી “દ્વિગુણ”નો અર્થ કરે છે – પૂર્વથી દ્વિગુણ સ્થિતિકાલ ૬૬ સાગરોપમ સમધિક ક્ષાયોપથમિક સખ્યત્વની સ્થિતિ છે એ પ્રમાણે અર્થ છે. અને તે આ પ્રમાણે છે – “બે વાર વિજયાદિમાં ગયેલાને અથવા ત્રણ વાર અમ્રુતમાં ગયેલાને તે=૬૬ સાગરોપમની સ્થિતિ નરભવની અતિરેક=નરભવની અધિક છે. (તે ક્ષાયોપથમિક સમ્યક્તનો ઉત્કૃષ્ટ કાળ છે.) જુદા જુદા જીવોનો સર્વ અદ્ધા છે=જુદા જુદા જીવોને આશ્રયીને ક્ષાયોપથમિક સમ્યક્ત સદા પ્રાપ્ત થાય છે, વિરહકાળ નથી.” III (વિશેષાવશયક ભાષ્ય, ગા. ૪૩૬). તિ' શબ્દ વિશેષાવથકભાષ્યના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. “સાસ્વાદનસમ્યક્ત અને ઔપશમિકસમ્યક્ત ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે. વેદકસમ્યક્ત અને ક્ષાયિકસમ્યક્ત એક વખત થાય છે. ક્ષયોપશમસમ્યક્ત અસંખ્યવાર થાય છે.” રાા (સમ્યક્તસ્તવપ્રકરણ, ગાથા-૨૨) “ત્રણના=શ્રત, સમ્યત્વ અને દેશવિરતિના હજાર પૃથફત્વ અને વિરતિના=સર્વવિરતિના શત પૃથફત્વ થાય છે. એકભવમાં આટલા આકર્ષો જ્ઞાતવ્ય છે." (સંબોધપ્રકરણ, સમ્યક્તઅધિકાર, ગાથા-૩૧) શ્લોકમાં રહેલા વિદ' શબ્દનો અર્થ કરે છે – શ્રત, સમ્યક્ત અને દેશવિરતિના. શ્લોકમાં રહેલા “મા” શબ્દનો અર્થ કરે છે – પ્રથમપણાથી ગ્રહણ અથવા મુક્તનું ગ્રહણ આકર્ષ છે. આ આકર્ષો શ્લોકમાં બતાવેલા આકર્ષો, ઉત્કૃષ્ટથી છે. વળી, જઘન્યથી એક જ છે. “નાના ભવ=અનેક ભવને આશ્રયીને, ત્રણના=શ્રુત-સમ્યક્ત અને દેશવિરતિના, અસંખ્યાતા સહસ્ર આકર્ષો થાય છે અને વિરતિના=સર્વવિરતિના, હજારપૃથફત્વ આકર્ષો થાય છે. આટલા આકર્ષો જ્ઞાતવ્ય થાય છે.” Indu (સંબોધપ્રકરણ, સમ્યક્ત અધિકાર, ગાથા-૩૨) સાસ્વાદન બીજે ગુણસ્થાનકે હોય છે. તુર્યાદિમાં-ચોથા ગુણસ્થાનક આદિમાં, આઠ-અગિયાર-ચાર-ચારમાં ક્રમસર ઉપશમ, લપક, વેદક અને ક્ષાયોપથમિક થાય છે.” ifપા (સમ્યક્તસ્તવ પ્રકરણ. ગાથા-૨૩) “સમ્યક્ત પ્રાપ્ત થયે છતે પલ્યોપમપૃથફત્વથી શ્રાવક થાય છે, ચારિત્રના ઉપશમના અને ક્ષયના સંખ્યાતા સાગરોપમ થાય છે.” isi (વિશેષાવશ્યકભાષ્ય, ગાથા-૧૨૨૨) Page #44 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૨૭ “આ રીતે, દેવ-મનુષ્યભવમાં અપ્રતિપતિત સમ્યક્ત હોતે છતે અથવા એક ભવમાં અન્યતર શ્રેણીને છોડીને સર્વ થાય છે=સર્વ ગુણસ્થાનક થાય છે. અને સાત-આઠ ભવમાં મોક્ષ થાય છે.” liા પૂર્વમાં સમ્યક્તની પ્રાપ્તિ પછી કેટલી સ્થિતિ ઘટવાથી દેશવિરતિ આદિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે તેની સ્પષ્ટતા કરી. હવે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ કેટલા ભવમાં મોક્ષમાં જાય છે? તે બતાવતાં કહે છે – વળી, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ત્રીજા કે ચોથા ભવમાં અથવા તે ભવમાં મોક્ષે જાય છે. અને પંચસંગ્રહ આદિમાં કહે છે – “ક્ષીણ દર્શન થયે છત=સાયિક સમ્યક્ત હોતે છતે, જીવ ત્રીજા, ચોથા અથવા તે ભવમાં સિદ્ધ થાય છે. જે કારણથી દેવ, નારક અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યમાં અથવા ચરમ દેહમાં તેઓ=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવો, હોય છે.” ૫૮u (ગા. ૭૭૮ - ઉપશમલાકરણ ગા. ૪૭). વ્યાખ્યા–“બદ્ધાયુ ક્ષીણ સપ્તકવાળો જીવ જો દેવગતિ કે નરકગતિમાં જાય છે તો તે ભવથી અંતરિત–દેવ કે નરક ભવથી અંતરિત, ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. હવે બદ્ધા, ક્ષીણ સપ્તકવાળો તિર્યંચ કે નરભવમાં ઉત્પન્ન થાય છે. તે અવશ્ય અસંખ્યાતવર્ષ આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. પરંતુ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યભવમાં ઉત્પન્ન થતા નથી અને તે ભાવને અનન્તર=તિર્યંચ કે મનુષ્યભવના અનંતર, દેવભવમાં જાય છે. ત્યારપછી મનુષ્યભવમાં સિદ્ધ થાય છે. એથી ચોથા ભવમાં મોક્ષ છે અને અબદ્ધ આયુષ્યવાળો જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણીને સંપૂર્ણ કરીને સિદ્ધ થાય છે. એ પ્રમાણે અર્થ છે.” એક જીવની અપેક્ષા રાખીને અથવા અનેક જીવોની અપેક્ષા રાખીને સમ્યક્તનો ઉપયોગતત્તાતત્વના વિભાગને અનુકૂળ જિનવચનાનુસાર માનસ વ્યાપાર, જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ છે. વળી ક્ષયોપશમરૂપ તેની લબ્ધિ =ક્ષયોપશમરૂપ સમ્યક્તની પ્રાપ્તિ, એક જીવને જઘન્યથી અંતર્મુહૂર્તઉત્કૃષ્ટથી મનુષ્યભવથી અધિક એવા ૬૬ સાગરોપમની છે. ત્યારપછી સમ્યક્તથી અપ્રચ્યત એવો તે જીવ સિદ્ધ જ થાય છે. વળી, અનેક જીવોને આશ્રયીને ક્ષયોપશમરૂપ સત્ત્વની પ્રાપ્તિ સર્વકાલ છે. અને અંતર=સમ્યક્તથી પાત થયા પછી ફરી સમ્યક્તની પ્રાપ્તિનું અંતર, જઘન્યથી અંતર્મુહૂર્ત છે; કેમ કે કોઈક જીવતા સખ્યત્ત્વનો ત્યાગ થયે છતે ફરી તેના આવરણના ક્ષયોપશમથી=સમ્યક્તતા આવરણના ક્ષયોપશમથી અંતમુહૂર્ત માત્ર વડે જ, તેની પ્રતિપત્તિ છે=સમ્યક્તની પ્રાપ્તિ છે. વળી, આશાતના પ્રચુર એવા જીવને અર્ધપુદ્ગલપરાવર્તકાળ છે અને કહે છે – “તીર્થંકર, પ્રવચન=ચતુર્વિધ સંઘ, શ્રત, આચાર્ય, ગણધર, મહાઋદ્ધિવાળા યોગીઓની આશાતનાને કરતો જીવ બહુધા અનંત સંસારી થાય છે." (ઉપદેશપદ, ગાથા-૪૨૩) અને નાના જીવોને આશ્રયીને=સર્વ જીવોને આશ્રયીને, અંતરનો અભાવ છે=સમ્યક્તથી પાંત થયા પછી ફરી સમ્યક્તની પ્રાપ્તિમાં અંતરનો અભાવ છે, ઈત્યાદિ આવશ્યક વૃત્તિમાં કહેવાયું છે. એથી શેષ વિચાર=સમ્યક્ત વિષયક અન્ય વિચારણા, વિશેષતા અર્થી જીવોએ ત્યાંથી જs આવશ્યકવૃત્તિથી જ, અવધારણ કરવો જોઈએ. એથી વિસ્તારથી સર્યું. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સમ્યગ્દર્શન નિસર્ગથી અને અધિગમથી થાય છે. ત્યાં કોઈને શંકા થાય કે મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપમાદિથી સમ્યગ્દર્શન થાય છે. એ પ્રમાણે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. છતાં નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે ? એમ કેમ કહ્યું ? એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે – મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિ થાય છે. તે ક્ષયોપશમાદિ નિસર્ગથી કે અધિગમથી થનારા છે. માટે નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહેવામાં દોષ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે નિસર્ગથી મિથ્યાત્વમોહનીય કર્મનો ઉપશમ થાય છે તેના કારણે સમ્યક્ત થાય છે અને અધિગમથી મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમાદિ થાય છે તેથી સમ્યગ્દર્શન થાય છે. આ કથનને સ્પષ્ટ કરવા માટે વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષી આપે છે તેનો અર્થ આ પ્રમાણે છે – જેમ અગ્નિનું ઇંધન બળી ગયું હોય તો અગ્નિ બુઝાઈ જાય છે તેમ ઊખર ભૂમિને પ્રાપ્ત કરીને વનનો અગ્નિ બુઝાઈ જાય છે. એ રીતે જીવ ગ્રંથિભેદ કરીને જ્યારે મિથ્યાત્વના દળિયામાં અંતઃકરણ કરે છે ત્યારે મિથ્યાત્વના દળિયાનો ઉપશમભાવ વર્તે છે તેથી જીવ પથમિક સમ્યક્ત મેળવે છે. આ ઔપશમિક સમ્યક્ત નિસર્ગથી થનારું છે માટે નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે એમ પણ કહેવાય છે અને મિથ્યાત્વના ઉપશમથી સમ્યગ્દર્શન થાય છે એમ પણ કહેવાય છે. નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે, એમ કહીએ ત્યારે નિસર્ગથી મિથ્યાત્વના ઉપશમરૂપ વ્યાપાર દ્વારા સમ્યગ્દર્શન થાય છે તેમ અર્થ પ્રાપ્ત થાય. જેમ દંડ ભ્રમી દ્વારા ઘટને કરે છે તેમ નિસર્ગ મિથ્યાત્વના દળિયાના ઉપશમ દ્વારા સમ્યગ્દર્શનને કરે છે. વળી, અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેમાં સાક્ષી આપે છે – મિથ્યાત્વનો ક્ષયોપશમભાવ હોતે છતે જીવાજીવાદિનો અધિગમ બોધ, થાય છે અને અધિગમથી યુક્ત એવો જીવ સમ્યગ્દર્શનરૂપ વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ ગુરુઉપદેશાદિ દ્વારા કે અન્ય રીતે જીવાજીવાદિના પદાર્થનો બોધ કરવા માટે ઉદ્યમ કરે તો તેના તે પ્રયત્નથી મિથ્યાત્વના દળિયાનો ક્ષયોપશમભાવ થાય છે. અને મિથ્યાત્વના દળિયાના ક્ષયોપશમભાવને કારણે તે જીવને ઉપદેશાદિના બળથી જીવાજીવાદિ નવતત્ત્વનો બોધ થાય છે તે વખતે તે બોધથી યુક્ત જીવ સમ્યગ્દર્શનના વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરે છે. તેથી અધિગમથી મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે અને તેનાથી સમ્યગ્દર્શન થાય છે. માટે અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહેવામાં કોઈ દોષ નથી. અહીં પ્રસંગથી શંકા કરી તેનું સમાધાન કર્યું. હવે મૂળ શ્લોકના કથનને કહેવા અર્થે ટીકાકારશ્રી કહે છે પ્રસંગથી સર્યું. હવે તે સમ્યગ્દર્શન કેટલા પ્રકારનું છે ? તે શ્લોકના શેષ ભાગથી કહે છે – પૂર્વમાં નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેમ સ્થાપન કર્યું. હવે તે સમ્યગ્દર્શન પાંચ પ્રકારનું છે તે બતાવે છે – Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૧. ઔપથમિક સમ્યક્ત. ૨. ક્ષાયિક સમ્યક્ત. ૩. ક્ષાયોપથમિક સમ્યક્ત. ૪. વેદક સમ્યક્ત. ૫. સાસ્વાદન સમ્યક્ત. તે પાંચ ભેદોમાંથી પ્રથમ ઓપશમિક સભ્યત્ત્વનું સ્વરૂપ બતાવે છે – ૧. ઔપથમિક સખ્યત્વ : જેમ કોઈ અગ્નિ ભસ્મથી ઢંકાયેલો હોય ત્યારે તે અગ્નિ બુઝાઈ ગયો નથી પરંતુ ભસ્મને કારણે વ્યક્ત દેખાતો નથી તેમ નિસર્ગથી જીવ સમ્યગ્દર્શન પામે છે ત્યારે મિથ્યાત્વમોહનીયકર્મ અને અનંતાનુબંધી ક્રોધાદિ ચાર કષાયોની અનુદય અવસ્થા પ્રાપ્ત થાય છે. તે પાંચ કર્મોની અનુદય અવસ્થા એ કર્મના નાશથી નથી પરંતુ ભસ્મથી ઢંકાયેલા અગ્નિની જેમ અપ્રગટ અવસ્થા છે અને તેને ઉપશમ કહેવાય છે. આ ઉપશમ આત્મામાં સમ્યગ્દર્શનનો પ્રવર્તક છે. તેથી ઉપશમ પ્રયોજનવાળું જે સમ્યગ્દર્શન તે ઔપશમિક સમ્યગ્દર્શન કહેવાય છે અને ઔપશમિક સમ્યગ્દર્શન ચાર ગતિમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જે અનાદિથી મિથ્યાષ્ટિ છે તે જીવો યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણપૂર્વક ગ્રંથિભેદ કર્યા પછી ઔપશમિક સભ્યત્વને પામે છે જે અંતર્મુહૂર્ત રહેનારું છે. - પથમિક સમ્યક્ત અનાદિ મિથ્યાષ્ટિને થાય છે તેમ ઉપશમશ્રેણીમાં ચઢેલા જીવને પણ થાય છે. તેમાં વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષી આપે છે – ઉપશમશ્રેણીમાં ચઢેલા જીવોને ઔપશમિક સમ્યક્ત થાય છે. વળી, જેમ અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ પથમિક સમ્યક્ત વખતે ત્રણ પુંજ કરે છે તેમ ઉપશમશ્રેણીવાળા જીવો ત્રણ પુંજ કરતા નથી. વળી, અનાદિ મિથ્યાષ્ટિ ઓપશમિક સમ્યક્તમાં અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મોહનીય તે પાંચ પ્રકારના કર્મનો ઉપશમ કરે છે તેથી તેઓ અક્ષપિત મિથ્યાત્વવાળા છે અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યક્ત નહિ પામેલા જીવો છે. અને તેવા જીવો ઔપશમિક સભ્યત્વ પામે છે. વળી, ગ્રંથિભેદ સુધી અભવ્ય પણ સંખ્યાત-અસંખ્યાતકાળ સુધી રહે છે. અને ત્યાં રહેલો અભવ્ય પણ દ્રવ્યશ્રુત ભણે છે જેનું વર્ણન ટીકાથી જાણવું. પૂર્વમાં કહ્યું કે પાંચ પ્રકારનાં સભ્યત્ત્વ છે. ત્યારપછી તે પાંચ પ્રકારમાંથી ઔપશમિક સમ્યક્તનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ બતાવ્યું. ત્યાં ગ્રંથકારશ્રીને પ્રસંગથી કાર્મગ્રંથિક મત અને સૈદ્ધાંતિકમતનું સ્મરણ થયું તેથી કહે છે કે પથમિક સમ્યક્ત વિષયક વિશેષજ્ઞાન માટે કંઈક વિશેષ બતાવાય છે અને તે વિશેષ બતાવતાં પ્રથમ કાર્મગ્રંથિક મતાનુસાર બતાવે છે – પૂર્વમાં કહેલું કે ત્રણ કરણ દ્વારા જીવ જ્યારે પથમિક સમ્યક્ત પામે છે ત્યારે મિથ્યાત્વના દળિયામાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અંતઃક૨ણ કરે છે અને અનિવૃત્તિકરણ પૂરું થયા પછી તે જીવ તે અંતઃકરણના પ્રથમ સમયમાં પ્રવેશ પામે છે તે વખતે મિથ્યાત્વના દળિયાનો ઉદય નહિ હોવાથી તે જીવને ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અને એક અંતર્મુહૂર્તનું મિથ્યાત્વના દળિયામાં અંતર કરેલું હોવાથી તે ઔપશમિક સમ્યક્ત્વવાળો જીવ એક અંતર્મુહૂર્ત સુધી ઔપશમિક સમ્યક્ત્વમાં રહે છે. અર્થાત્ અંતઃકરણના પ્રથમ સમયથી માંડીને અંતઃકરણના ચરમ સમય સુધી ઔપશમિક સમ્યક્ત્વવાળો રહેશે. તે દરમ્યાન ઔપશમિક સમ્યક્ત્વ પામેલો જીવ સમ્યક્ત્વના પરિણામથી સત્તામાં રહેલા મિથ્યાત્વના દળિયાને શોધન કરે છે. 30 જેમ મદને ઉત્પન્ન કરે તેવું કોદ્રવ નામનું ધાન્ય છે અને ઔષધવિશેષથી તેની મદશક્તિનું શોધન થાય છે. શોધનની પ્રક્રિયાકાળમાં કોદ્રવ નામના ધાન્યના ઢગલામાં ઔષધ નાખવાથી તે ઢગલામાંના કેટલાક કોદ્રવના ધાન્યના જથ્થામાંથી મદશક્તિ દૂર થાય છે. તે કોદ્રવના ધાન્યનો જથ્થો ‘શુદ્ધ’ કહેવાય છે. કેટલાક કોદ્રવના ધાન્યના જથ્થામાંથી મદશક્તિ અર્ધશુદ્ધ થાય છે અર્થાત્ કંઈક મદશક્તિ હણાય છે અને કંઈક મદશક્તિ છે તે કોદ્રવના ધાન્યનો જથ્થો ‘મિશ્ર’ કહેવાય છે. વળી કેટલાક કોદ્રવના ધાન્યના જથ્થાને તે ઔષધની કંઈ અસર ન થવાથી તેટલા કોદ્રવના ધાન્યના જથ્થાની મદશક્તિ નાશ પામતી નથી. તેથી તે કોદ્રવના ધાન્યને જથ્થો ‘અંશુદ્ધ’ કહેવાય છે. તેમ ઔષધતુલ્ય ઔપશમિક સમ્યક્ત્વની નિર્મળદષ્ટિ હોવાને કા૨ણે અંતઃકરણના પછીના કાળમાં ઉદયમાં આવે તેવા જે મિથ્યાત્વના દળિયા છે તે મિથ્યાત્વના દળિયાનું ઔપશમિક સમ્યક્ત્વવાળો જીવ, ઔપશમિક સમ્યક્ત્વના પ્રથમ સમયથી માંડીને શોધન કરે છે અર્થાત્ શુદ્ધીકરણ કરે છે. ઔપશમિક સમ્યક્ત્વના અધ્યવસાયથી કેટલાક મિથ્યાત્વના દળિયાને ‘શુદ્ધ’ કરે છે અને કેટલાક મિથ્યાત્વના દળિયાને ‘અર્ધશુદ્ધ' કરે છે અને કેટલાક મિથ્યાત્વના દળિયા શુદ્ધ થયા નથી તે ‘અશુદ્ધ’ છે. આ પ્રકારની શોધનની ક્રિયાને ત્રણ પુંજ ક૨વાની ક્રિયા કહેવાય છે. અર્થાત્ મિથ્યાત્વનો એક પુંજ હતો તેને ઔપમિક સમ્યક્ત્વવાળો જીવ અધ્યવસાયવિશેષથી ત્રણ વિભાગરૂપે કરે છે. તેથી ત્રણ પુંજ બને છે અને આ ત્રણ પુંજ ક૨વાની ક્રિયા ઔપશમિકસમ્યક્ત્વના પ્રથમ સમયથી સતત ચાલે છે. તેથી પ્રથમ સમયમાં મિથ્યાત્વના કેટલાક દળિયા શુદ્ધ કરે છે જેને ‘સમ્યક્ત્વમોહનીય’ કહેવાય છે. કેટલાક મિથ્યાત્વના દળિયા અર્ધશુદ્ધ કરે છે તેને ‘મિશ્ર મોહનીય’ કહેવાય છે અને જે શુદ્ધ થયા નથી તે ‘મિથ્યાત્વમોહનીય’ કહેવાય છે. વળી, બીજા સમયે પણ તે મિથ્યાત્વના દળિયામાંથી કેટલાક શુદ્ધ કરે છે જે ‘સમ્યક્ત્વમોહનીય’ના પુંજમાં ગણાય છે, કેટલાક અર્ધશુદ્ધ કરે છે તે ‘મિશ્ર મોહનીય’ના પુંજમાં ગણાય છે અને જે શુદ્ધ નથી થયા તે મિથ્યાત્વમોહનીયનો પુંજ કહેવાય છે. આ પ્રક્રિયા પ્રતિસમય થાય છે તેથી મિથ્યાત્વનો પુંજ નાનો થતો જાય છે અને સમ્યક્ત્વમોહનીયનો પુંજ અને મિશ્રમોહનીયનો પુંજ વધતો જાય છે અને ઔપમિક સમ્યક્ત્વનો કાળ પૂરો થાય ત્યાર પછી સત્તામાં રહેલા આ ત્રણ પુંજમાંથી જો શુદ્ધ દળિયારૂપ સમ્યક્ત્વમોહનીયનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. જો મિશ્ર મોહનીયનો ઉદય થાય તો ‘મિશ્રગુણસ્થાનક' પ્રાપ્ત થાય છે અને મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય તો ઔપશમિક સમ્યક્ત્વવાળો જીવ મિથ્યાત્વમાં જાય છે. ઔપશમિક સમ્યક્ત્વના કાળ પછી જીવ સદાલંબન દ્વારા પોતાની નિર્મળ દૃષ્ટિને જાળવી રાખે તો Page #48 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૩૧ “ક્ષાયોપથમિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે અને પથમિક સમ્યક્ત પછી નિર્મળ દૃષ્ટિમાં કંઈક મલિનતા આવે તો મિશ્ર મોહનીયના ઉદયથી ત્રીજું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અને પશમિક સમ્યક્ત પામ્યા પછી નિર્મળ દૃષ્ટિ જીવ જાળવી શકે નહિ તો મિથ્યાત્વનો ઉદય થાય છે. માટે જીવે સમ્યક્ત પામ્યા પછી સતત માર્ગાનુસારી ઊહ કરીને નિર્મળ દૃષ્ટિને જાળવવા અને સ્થિર કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ. અને આ કથન ગ્રંથકારશ્રીએ કાર્મગ્રંથિક મતાનુસાર કરેલ છે. પૂર્વમાં કાર્મગ્રંથિક મત બતાવ્યો. હવે સૈદ્ધાંતિક મત બતાવતાં કહે છે – અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવમાંથી કોઈક જીવ પ્રથમ જ ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે. વળી અન્ય કોઈ જીવ પ્રથમ જ પશમિક-સમ્યક્ત પામે છે અને અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પ્રથમ લાયોપથમિક સમ્યક્ત કઈ રીતે પામે છે ? તે બતાવતાં કહે છે – અનાદિ મિથ્યાદષ્ટિ જીવને નિર્મળ મતિ પ્રગટ થાય તેવી સામગ્રીની પ્રાપ્તિ થાય તો યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણ કરે છે. તેમાંથી અપૂર્વકરણ નામના બીજા કરણથી મિથ્યાત્વના દળિયાના ત્રણ પુંજ કરે છે અને આ ત્રણ પુંજની ક્રિયા અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણકાળમાં ચાલુ રહે છે અને અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી તે ત્રણ પુંજમાંથી સમ્યક્વમોહનીયના દળિયા ઉદયમાં આવવાથી પ્રથમ જ લાયોપથમિક સમ્યક્ત તે જીવ પ્રાપ્ત કરે છે. અર્થાત્ કાર્મગ્રંથિક મતાનુસાર અનાદિ મિથ્યાષ્ટિ જીવ પ્રથમ પરામિક સમ્યક્ત પામે ત્યારપછી જ ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે, પરંતુ સિદ્ધાંતકારના મતાનુસાર તો અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પ્રથમ જ ક્ષાયોપથમિક-સમ્યક્ત પામે છે. વળી, કોઈ અન્ય જીવ યથાપ્રવૃત્તિકરણ આદિ ત્રણ કરણના ક્રમથી મિથ્યાત્વના દળિયામાં ત્રણ પુંજ કરવાને બદલે અંતઃકરણ કરે તો અનિવૃત્તિકરણ પછી ઔપશમિક સમ્યક્તને જ પામે છે અને ક્ષાયોપથમિક સભ્યત્વ પામનાર જીવ-જેમ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા પુંજત્રય કરે છે તેમ પથમિક સમ્યક્ત પામનાર જીવ મુંજત્રય કરતો નથી. પથમિક સમ્યક્ત પામ્યા પછી તે અવશ્ય મિથ્યાત્વને જ પામે છે. સૈદ્ધાંતિક મતમાં પ્રથમ ઉપશમ સમ્યક્ત પામનાર જીવ અવશ્ય મિથ્યાત્વને પામે છે તેમ કહ્યું તેમાં કલ્પભાષ્ય'ની સાક્ષી આપે છે. તેનો અર્થ આ પ્રમાણે છે – કોઈ ઇલિકા=ઇયળ, વૃક્ષ ઉપર ચઢતી હોય ત્યારપછી તે વૃક્ષની ડાળીથી આગળ જવા માટે કોઈ આલંબન ન મળે તો તે સ્વસ્થાનમાં જ રહે છે પરંતુ ઉપર જતી નથી તેમ ત્રણ કરણ દ્વારા જે જીવો અંતઃકરણ કરે છે તે જીવો સિદ્ધાંતકારના મતાનુસાર ત્રણ પુંજ કરતા નથી તેથી અંતઃકરણનો કાળ પૂરો થાય ત્યારપછી સમ્યક્ત મોહનીયના દળિયા સત્તામાં નહિ હોવાથી સમ્યક્ત મોહનીયના દળિયાનું આલંબન તે ઔપશમિક સમ્યક્ત પામનાર જીવને પ્રાપ્ત થતું નથી. તેથી મિથ્યાત્વના અંતઃકરણનો કાળ પૂરો થાય ત્યારપછી ક્ષાયોપથમિક સમ્યક્ત પામવાનું આલંબન નહિ હોવાને કારણે અને મિથ્યાત્વના દળિયાનો વિપાકોદય શરૂ થવાને કારણે આંતર્મુહુર્તિક એવા અંતઃકરણના કાળની સમાપ્તિ પછી તે જીવ અવશ્ય મિથ્યાત્વને પામે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અહીં વિશેષ એ છે કે કાર્મગ્રંથિક મતાનુસાર સર્વ જીવો પ્રથમ પરામિક સમ્યક્ત જ પ્રાપ્ત કરે છે અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ કાળમાં મિથ્યાત્વના દળિયામાં અંતઃકરણ કરવાની ક્રિયા કરે છે અને અનિવૃત્તિકરણ પૂરું થયા પછી મિથ્યાત્વના દળિયાના અંતઃકરણનો કાળ શરૂ થાય છે તે વખતે કોઈ મિથ્યાત્વના દળિયા નહિ હોવાથી પથમિક સમ્યક્તની પ્રાપ્તિ થાય છે અને પથમિક સમ્યક્તમાં રહેલ જીવ ઔપથમિક સમ્યક્તના કાળ પછી ઉદયમાં આવનાર મિથ્યાત્વના દળિયાને શોધન કરીને ત્રણ પંજરૂપે કરે છે. જ્યારે સિદ્ધાંતકારના મતે કેટલાક જીવો સમ્યક્ત પામવા માટેના ત્રણ કરણ કરે છે. તેમાંથી જે જીવો પ્રથમ ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે તે જીવો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા જ મિથ્યાત્વના દળિયાનું શોધન કરે છે અને તેથી અનિવૃત્તિકરણ પછી તે જીવો ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે. તો વળી અન્ય જીવો ત્રણ કરણ દ્વારા ઔપશમિક સમ્યક્ત પામે છે અને ઔપશમિક સમ્યક્ત પામનારા જીવો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં ત્રણ પુંજ કરતા નથી પરંતુ મિથ્યાત્વના દળિયામાં અંતઃકરણ કરે છે અને અંતઃકરણની ક્રિયા અનિવૃત્તિકરણમાં પૂરી થાય છે ત્યારપછી મિથ્યાત્વના અંતઃકરણના કાળમાં પ્રવેશ કરે છે ત્યારે ઔપશમિક સમ્યક્ત પામે છે. તે જીવો ઔપશમિક સભ્યત્વકાળમાં પણ મિથ્યાત્વના દળિયાના ત્રણ પુંજ કરતા નથી અને અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ દ્વારા પણ ત્રણ પુંજ કર્યા નથી તેથી મિથ્યાત્વના અંતઃકરણનો કાળ પૂરો થશે ત્યારપછી સમ્યક્વમોહનીયના દળિયાનું આલંબન નહિ હોવાથી અને મિથ્યાત્વમોહનીયના દળિયા ઉદયમાં હોવાથી પોતાના મિથ્યાત્વરૂપ સ્વસ્થાનમાં તે ઔપશમિક સમ્યત્વવાળા જીવો રહે છે અર્થાત્ મિથ્યાત્વને પામે છે. પૂર્વમાં પથમિક સમ્યક્તનું વર્ણન કર્યું ત્યાર પછી પ્રાસંગિક કાર્મગ્રંથિક મત અને સૈદ્ધાંતિકમતનું સ્મરણ થવાથી તે બંને મતો બતાવ્યા. હવે જીવ ઔપથમિક સમ્યક્ત પામે છે તે વખતે પણ કેટલાક જીવો સમ્યક્તની સાથે દેશવિરતિ પામે છે, કેટલાક જીવો સર્વવિરતિ પામે છે અને કેટલાક જીવો અપ્રમત્તગુણસ્થાનક - પામે છે તેમ કહી તેમાં શતક બૃહત્ ચૂર્ણિની સાક્ષી આપે છે – વળી, મિથ્યાષ્ટિ જીવ સમ્યક્ત પામે છે ત્યારે મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોને ત્રણ પુંજ રૂપે કરે છે. તે ત્રણ પુંજોમાં પરસ્પર કઈ રીતે સંક્રમણ થાય છે ? તેની અંતરંગ પ્રક્રિયા કલ્પભાષ્યમાં આ પ્રમાણે કહેવાય કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિ થવાને કારણે સતત ઉત્સાહપૂર્વક વિશેષવિશેષ તત્ત્વને જાણવા માટે અને જાણીને જીવનમાં સેવવા માટે ઉદ્યમ કરતો હોય તો તે સમ્યગ્દષ્ટિ જીવ પ્રવર્ધમાન પરિણામવાળો છે અને તેવો સમ્યગ્દષ્ટિ જીવ સત્તામાં રહેલા ત્રણ પુંજમાંથી મિથ્યાત્વમોહનીયના દલિકોને ગ્રહણ કરીને સમ્યક્વમોહનીયના પુંજમાં અને મિશ્રમોહનીયના પુંજમાં સંક્રમણ કરે છે. તેથી એ ફલિત થાય કે સત્તામાં રહેલી મિથ્યાત્વમોહનીયની સત્તા ક્રમસર ઘટતી જાય છે અને સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયના દળિયાની સત્તા ક્રમસર વધતી જાય છે. વળી, જેમ પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયના પુગલોને સમ્યક્વમોહનીય Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અને મિશ્રમોહનીય રૂપે કરે છે તેમ સત્તામાં રહેલા મિશ્રમોહનીય પુંજના કેટલાક દળિયાને સમ્યક્વમોહનીય રૂપે કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ મિથ્યાત્વ-મોહનીયના દળિયાને મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયરૂપે કરે છે, તેમ અર્ધશુદ્ધ થયેલા મિશ્રમોહનીયના દળિયા પણ જે સત્તામાં હતા તેમાંથી કેટલાકને પૂર્ણ શુદ્ધ કરીને સમ્યક્વમોહનીયરૂપે કરે છે. મિશ્રમોહનીયના દળિયાની સત્તા કંઈક સમ્યક્વમોહનીયરૂપે થાય છે તે અપેક્ષાએ ઘટે છે અને મિથ્યાત્વમોહનીયમાંથી અર્ધશુદ્ધરૂપે થાય છે તેથી મિશ્રમોહનીયના દળિયાની સત્તા કંઈક વધે છે. વળી, કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી પ્રમાદ વશ બને તો તે જીવ મિથ્યાત્વને પામે છે. તો તે મિથ્યાદૃષ્ટિ જીવ મિશ્રમોહનીયના દળિયાની સત્તામાંથી પુદ્ગલોને ગ્રહણ કરીને મિથ્યાત્વ રૂપે સંક્રમણ કરે છે અને સમ્યક્વમોહનીયના પુદ્ગલોને પણ ગ્રહણ કરીને મિથ્યાત્વરૂપે સંક્રમણ કરે છે. પરંતુ સમ્યક્ત મોહનીયના પુદ્ગલોને મિશ્રમોહનીયના પુદ્ગલો રૂપે સંક્રમણ કરતો નથી; કેમ કે મિથ્યાત્વના મલિન પરિણામને કારણે, મિશ્રમોહનીયના પુગલો પણ મિથ્યાત્વ મોહનીયરૂપે થાય છે. અને સમ્યક્વમોહનીયના પુદ્ગલો પણ મિથ્યાત્વમોહનીયરૂપે થાય છે પરંતુ સમ્યક્વમોહનીયના પુદ્ગલોને મિશ્રમોહનીયના પુદ્ગલો રૂપે પરિણમન પમાડતો નથી. પૂર્વમાં કહ્યું કે પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયના પુગલને ગ્રહણ કરીને સમ્યક્વમોહનીયરૂપે કરે છે અને મિશ્રમોહનીયરૂપે કરે છે. અને મિશ્રમોહનીયના પુદ્ગલને સમ્યક્વમોહનીય રૂપે કરે છે. આ રીતે પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ અંતે ક્ષાયિક સમ્યક્ત પામે છે તેને બતાવવા માટે બૃહત્ કલ્પભાષ્યમાં શું કહ્યું છે? તે બતાવે છે – પ્રવર્ધમાન પરિણામવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવનું મિથ્યાત્વ ક્ષીણ ન થયું હોય ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ નિયમા ત્રણ પુંજવાળો હોય છે અને પ્રવર્ધમાન પરિણામને કારણે જ્યારે મિથ્યાત્વ ક્ષીણ થાય અર્થાત્ પ્રવર્ધમાન પરિણામને કારણે મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોને સમ્યક્ત મોહનીયરૂપે અને મિશ્રમોહનીયરૂપે સંક્રમણ કરવાને કારણે જ્યારે મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોની સત્તા સંપૂર્ણ નાશ પામે ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ બે પુંજવાળો હોય છે અર્થાતુ તેની સત્તામાં મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયની બે જ સત્તા હોય છે. મિથ્યાત્વમોહનીયની સત્તા સમાપ્ત થાય છે. વળી, આ રીતે પ્રવર્ધમાન પરિણામવાળો જીવ જ્યારે મિશ્રમોહનીયની સત્તાને પણ સમ્યક્વમોહનીય રૂપે કરીને ક્ષીણ કરે છે ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ એક પુંજવાળો બને છે. અર્થાત્ માત્ર સમ્યક્વમોહનીયની સત્તા સત્તામાં રહે છે અને જ્યારે તે પ્રવર્ધમાન પરિણામને કારણે સમ્યક્ત મોહનીયની સત્તા પણ ક્ષીણ થઈ જાય ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ પક બને છે=મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય ત્રણેયનો નાશ કરનાર બને છે. અર્થાત્ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ બને છે. પૂર્વમાં કહ્યું કે પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોને સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયરૂપે પરિણમન પમાડે છે અને તે ક્રમથી અંતે ક્ષેપક થાય છે. હવે કોઈ સમ્યગુદૃષ્ટિ જીવ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વિરુદ્ધ તૈલાદિ દ્રવ્ય જેવા કુતીર્થિકના સંસર્ગને પામીને કે કુશાસ્ત્રનું શ્રવણાદિ કરીને મિથ્યાત્વને પામે તો મિથ્યાત્વના પરિણામથી મિશ્રિત થયેલા પૂર્વમાં શોધિત એવા મદનકોદ્રવ સ્થાનીય સમ્યક્વમોહનીયના પુદ્ગલોને તત્ક્ષણ જ મિથ્યાત્વમોહનીય રૂપે કરે છે. તેથી એ ફલિત થાય કે સમ્યક્ત પામ્યા પછી જીવ સદાલંબન દ્વારા પ્રવર્ધમાન પરિણામવાળો ન થાય અને કુતીર્થિકના સંસર્ગને કારણે મલિન પરિણામવાળો થાય અથવા કુઉપદેશક પાસેથી કુશાસ્ત્રનું શ્રવણ કરે અથવા તત્ત્વને જાણવા માટેના ઉચિત યત્નમાં પ્રમાદવાળો બને, તેના કારણે તે મિથ્યાત્વને પામે અને તે મિથ્યાત્વના અધ્યવસાયથી સમ્યક્વમોહનીયના પુદ્ગલો મિથ્યાત્વમોહનીયરૂપે પરિણમન પામે છે. જેમ શોધિત એવું મદનકોદ્રવ નામનું ધાન્ય વિરુદ્ધ તૈલાદિથી ફરી મદશક્તિવાળું બને છે. માટે સમ્યક્તને પામ્યા પછી સદા સદાલંબનને ગ્રહણ કરીને કુતીર્થિકના સંસર્ગનો પરિહાર કરવો જોઈએ. કુઉપદેશકો પાસેથી કુશાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ નહિ. અને સન્માર્ગને બતાવનાર સત્શાસ્ત્રનું અધ્યયન કરીને સમ્યક્તની શુદ્ધિમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી મિથ્યાત્વની પ્રાપ્તિ ન થાય. વળી, કોઈક જીવ સમ્યક્તથી પાન પામ્યા પછી જ્યારે ફરી સમ્યક્ત પામે છે ત્યારે પણ અપૂર્વકરણથી પંજત્રયને કરીને અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્વમોહનીયના પુંજને પામે છે તેનાથી તેનામાં સમ્યક્ત આવે છે. આશય એ છે કે કુતીર્થિક આદિના આલંબન દ્વારા જીવ મિથ્યાત્વને પામે અને મિથ્યાત્વમાં રહીને સમ્યક્વમોહનીયના પુદ્ગલોને મિથ્યાત્વમોહનીય રૂપે કરવાનો પ્રારંભ કરે. ત્યારપછી તત્કાલ મિથ્યાત્વનો પરિણામ નિવર્તન ન પામે તો સમ્યક્ત મોહનીયના સર્વ પુદ્ગલો ક્રમસર મિથ્યાત્વમોહનીય રૂપે પરિણમન પામે છે. આ રીતે, તે જીવ સમ્યક્વમોહનીય અને મિશ્ર મોહનીયના પુંજને મિથ્યાત્વમોહનીયના પુંજારૂપે કરે તો તે જીવ માત્ર મિથ્યાત્વમોહનીયની સત્તાવાળો બને છે અને તેના જીવને સમ્યક્ત પામવા માટે ફરી ત્રણ કરણ કરવા પડે છે. અને તેથી તે જીવ અપૂર્વકરણથી મિથ્યાત્વમોહનીયના દળિયાને પુજત્રયરૂપે કરે છે ત્યારપછી અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્ત મોહનીયના પુંજના ઉદયવાળો બને ત્યારે તેને સમ્યક્ત પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે જે જીવો સમ્યક્તથી પાત પામીને ફરી અપૂર્વકરણ દ્વારા પુંજત્રય કરે છે, તેઓની તે અપૂર્વકરણની પ્રક્રિયાને અપૂર્વકરણ કહી શકાય નહિ; કેમ કે પૂર્વમાં એક વખત તેઓએ અપૂર્વકરણ કરેલું છે માટે ફરી તેઓ ત્રણ કરણ કરે છે ત્યારે તેઓના કરણને અપૂર્વકરણ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે. પૂર્વમાં લબ્ધ એવા પણ અપૂર્વકરણની બીજી વખત અપૂર્વતા પૂર્વ સદશ કૃતપણું હોવાને કારણે અપૂર્વ જેવી જ છે. અર્થાત્ આ બીજી વખતનું અપૂર્વકરણ, પહેલાના અપૂર્વકરણ જેવું છે માટે તેને અપૂર્વકરણ કહેવાય છે પરંતુ પૂર્વમાં ક્યારેય કર્યું નથી પ્રથમવાર કરે છે તેવું અપૂર્વકરણ તો પ્રથમ અપૂર્વકરણને જ કહી શકાય તે પ્રમાણે જ્ઞાનવૃદ્ધ પુરુષો કહે છે. વળી, અહીં કહ્યું કે સમ્યક્તથી પાત પામેલો જીવ ફરી સમ્યક્ત પામે છે. ત્યારે અપૂર્વકરણ દ્વારા ત્રણjજ કરે છે. તે કથન સૈદ્ધાંતિક મતથી છે. | (જે જીવો કોઈક નિમિત્તથી મિથ્યાત્વને પામ્યા પછી તરત મિથ્યાત્વથી નિવર્તન પામે તો તેઓનો Page #52 -------------------------------------------------------------------------- ________________ રૂપ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમ્યક્ત મોહનીયનો પુંજ સર્વથા નાશ થયેલો નહિ હોવાથી ત્રણ કરણ કર્યા વગર સમ્યક્વમોહનીયના ઉદયથી સમ્યક્ત પ્રાપ્ત કરે છે.) સમ્યક્તની પ્રાપ્તિમાં જેમ યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણ થાય છે તેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં પણ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણરૂપ બે કરણ થાય છે, પરંતુ અનિવૃત્તિકરણ થતું નથી. કેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં અનિવૃત્તિકરણ થતું નથી ? તેમાં હેતુ કહે છે – અપૂર્વકરણના કાળની સમાપ્તિ પછી અનંતર સમયમાં જે દેશવિરતિ અથવા સર્વવિરતિનો પરિણામ પ્રગટે છે. માટે દેશવિરતિની કે સર્વવિરતિની પ્રાપ્તિમાં અનિવૃત્તિકરણ નથી. વળી, દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ પછી જીવ અન્તર્મુહૂર્ત સુધી અવશ્ય પ્રવર્ધમાન પરિણામવાળો હોય છે તેથી તે જીવ દેશવિરતિ કે સર્વવિરતિના ઉત્તર-ઉત્તરના સંયમના કંડકોને પ્રાપ્ત કરે છે. અને તે અંતર્મુહૂર્ત પછી કોઈક જીવ અવસ્થિત પરિણામવાળો થાય છે, કોઈક જીવ પ્રવર્ધમાન પરિણામવાળો થાય છે અને કોઈક જીવ પ્રમાદવશ થાય તો પાતના પરિણામવાળો પણ થાય છે. અહીં વિશેષ એ છે કે જે જીવો સમ્યક્ત પામે છે તે જીવો તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ઊહ કરીને તત્ત્વ પ્રત્યેની તીવ્ર રુચિના પરિણામવાળા થાય તે દરમ્યાન સમ્યક્તના ત્રણ કરણી સમાપ્ત કરે છે અને તે જીવોને સમ્યક્તની પ્રાપ્તિ થાય છે અને કોઈક જીવ સમ્યક્તની પ્રાપ્તિ પછી કેટલાક કાળ પછી સમ્યક્તના બળથી દેશવિરતિને કે સર્વવિરતિને પ્રાપ્ત કરે છે. જેઓ સમ્યક્તની પ્રાપ્તિ થયા પછી કેટલાક કાળે દેશવિરતિની પ્રાપ્તિ કરે છે તેઓ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણરૂપ બે કરણો કરે છે. જે બે કરણોના બળથી તે જીવોને દેશવિરતિ આવારક અપ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમ થાય છે અને તેના કારણે અપૂર્વકરણ પૂરું થયા પછી તરત ક્ષયોપશમભાવવાળી દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. અને દેશવિરતિના પાલનના બળથી સંચિત વીર્યવાળા થયેલા તે જીવો જ્યારે ભવથી વિરક્ત થઈને સર્વવિરતિની પ્રાપ્તિને અનુકૂળ પરિણામવાળા થાય છે. તે વખતે પણ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણરૂપ બે કરણો કરે છે અને અપૂર્વકરણ પૂરું થયા પછી પ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમભાવ થવાથી સર્વવિરતિને પ્રાપ્ત કરે છે. પ્રવ્રજ્યાને સ્વીકારવાની વિધિમાં ઉદ્યમ કરતા હોય ત્યારે પ્રાયઃ કરીને જીવો વિશુદ્ધ થતા પરિણામના બળથી સર્વવિરતિની પ્રાપ્તિને અનુકૂળ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણને પ્રાપ્ત કરે છે. વળી, કેટલાક જીવો સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ ત્રણેય સમકાલે પ્રાપ્ત કરે છે. તેવા જીવો તત્તાતત્ત્વના વિભાગને અનુકૂળ ઊહ કરીને તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતવાળા બને છે તે વખતે સમ્યક્ત પામે છે. વળી, તત્ત્વાતત્ત્વના ઊહ પછી તરત જ સર્વવિરતિ ગ્રહણ કરવાને અભિમુખ માર્ગાનુસારી ઊહ થાય છે ત્યારે સમ્યક્તની પ્રાપ્તિ પછી વ્યવધાન વગર પ્રથમ દેશવિરતિ આવારક અપ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમ થાય છે ત્યારે દેશવિરતિને અનુકૂળ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ થાય છે. અને દેશવિરતિના ક્ષયોપશમ થયા પછી તરત સર્વવિરતિને અનુકૂળ માર્ગાનુસારી પરિણામ થાય છે. તેથી સર્વવિરતિને અનુકૂળ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ થાય છે. તેથી ભાવથી તેઓને સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે અને સમ્યક્તની પ્રાપ્તિનો પ્રારંભ જે ઉપયોગથી થયો છે તે ઉપયોગ જ સર્વવિરતિની પ્રાપ્તિમાં Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ધર્મસંગ્રહ ભાગ-૨) દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વિશ્રાંત થનાર હોવાથી તેઓ પહેલા ગુણસ્થાનકથી છઠ્ઠા કે સાતમાં ગુણસ્થાનકે આવ્યા છે તેમ વ્યવહારથી કહેવાય છે. છતાં સમ્યક્તનાં આવારક, દેશવિરતિનાં આવારક અને સર્વવિરતિનાં આવારક કર્મોનો ક્ષયોપશમ ક્રમસર જ થાય છે. તેથી તે જીવો પણ પ્રથમ ચોથા ગુણસ્થાનકને સ્પર્શે, પછી પાંચમા ગુણસ્થાનકને સ્પર્શે અને પછી છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકને સ્પર્શે છે; કેમ કે “ગુણસ્થાનકની પ્રાપ્તિના ક્રમનું અનુલંધનીયપણું છે.” આ પ્રકારનું શાસ્ત્રવચન છે. છતાં, એક સાથે પ્રાપ્ત થયેલ હોવાથી વ્યવહારથી પહેલા ગુણસ્થાનકથી સીધું છઠું કે સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત થયું તેમ કહેવાય છે. જેમ કોઈ ઉપદેશકના વચનને શ્રવણ કરે ત્યારપછી તે શબ્દોને અવધારણ કરે અને ત્યારપછી તે લખવાની ક્રિયા કરે ત્યારે તે ત્રણેય ક્રિયા ક્રમસર થનાર છે, એક સાથે થનાર નથી. તોપણ વ્યવહારથી કહેવાય છે કે શ્રવણની ક્રિયા અને લેખનની ક્રિયા તે પુરુષ એકકાળમાં કરે છે. આથી જ ૧૫૦૦ તાપસી ગૌતમસ્વામીને પ્રાપ્ત કરે છે ત્યારે ગૌતમસ્વામીના ઉપદેશના બળથી તેઓ સર્વવિરતિને પ્રાપ્ત કરે છે ત્યારે પણ સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનકને ક્રમસર સ્પર્શે છે. ફક્ત વ્યવધાન વગર એક ઉપયોગના બળથી તે ત્રણેય ગુણસ્થાનકનો ક્રમસર સ્પર્શ થતો હોવાથી તે ૧૫૦0 તાપસો પ્રથમ ગુણસ્થાનકથી છઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તેમ વ્યવહારનયથી કહેવાય છે. જે જીવોએ દેશવિરતિ કે સર્વવિરતિને ગ્રહણ કરેલ છે અને દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનકમાં રહેલા છે તેવા જીવને પણ ક્યારેક દેશવિરતિ ગુણસ્થાનક કે સર્વવિરતિ ગુણસ્થાનકથી વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતા ન હોય છતાં કોઈક રીતે આભોગ વગર જ અંતરંગ રીતે દેશવિરતિના પરિણામનો કે સર્વવિરતિના પરિણામનો નાશ થાય તો તેઓ દેશવિરતિથી કે સર્વવિરતિથી પાત પામેલા પરિણામવાળા થાય છે. અને તેવા જીવો યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ કર્યા વગર જ દેશવિરતિ કે સર્વવિરતિની ક્રિયાના બળથી ફરી દેશવિરતિના પરિણામને અથવા સર્વવિરતિના પરિણામને પ્રાપ્ત કરે છે. જેઓ આભોગથી=આ પ્રવૃત્તિ પોતાના ગુણસ્થાનકને વિરુદ્ધ છે તેવો બોધ હોવા છતાં, તે ગુણસ્થાનકથી વિપરીત પ્રવૃત્તિ કરવા પ્રત્યેની ઉત્કટ ઇચ્છાને કારણે ગુણસ્થાનકથી પાત પામે છે અને આભોગથી જ મિથ્યાત્વને પામે છે=આ દર્શનાચારની વિરુદ્ધ પ્રવૃત્તિ છે તેવું જ્ઞાન હોવા છતાં તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની ઉત્કટ ઇચ્છાથી તે પ્રવૃત્તિ કરે છે તેથી આભોગથી મિથ્યાત્વને પામે છે. તેઓ જઘન્યથી અંતર્મુહૂર્ત પછી અને ઉત્કૃષ્ટથી ઘણા કાળ પછી પૂર્વ કહેલા તે તે ગુણસ્થાનક માટેનાં કરણોને કરીને ફરી તે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે કર્મપ્રકૃતિની વૃત્તિમાં કહેલું છે. તેથી એ ફલિત થાય કે જે જીવો સ્વીકારેલા ગુણસ્થાનકને ઉચિત સર્વપ્રવૃત્તિ કરે છે અને સ્વીકારેલા ગુણસ્થાનકમાં અતિચાર ન થાય તેના માટે યત્નાવાળા છે અને થયેલા અતિચારોની આલોચનાદિ દ્વારા શુદ્ધિ કરે છે તેવા જીવો અનાભોગથી ગુણસ્થાનકથી પાત પામેલા હોય તોપણ કરણો કર્યા વગર તે તે ગુણસ્થાનકની ઉચિત ક્રિયા દ્વારા ફરી તે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. અને જેઓ રાગાદિથી આકુલ થઈ ગુણસ્થાનકથી વિપરીત પ્રવૃત્તિ કરે છે તેઓ પ્રાપ્ત થયેલા ગુણસ્થાનકથી પાત પામ્યા પછી ફરી તે ગુણસ્થાનક માટે ઉદ્યમ કરે ત્યારે તે ગુણસ્થાનક માટે અપેક્ષિત કરણોના અધ્યવસાયપૂર્વક તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૩૭ કોઈક જીવે સમ્યક્ત ઉચ્ચરાવેલું હોય અને સમ્યક્તના આચારોને સમ્યકુ રીતે પાળતો હોય, આમ છતાં પ્રમાદને વશ સમ્યક્તના કોઈક અતિચારોને સેવેલા હોય અને તે અતિચારોની શુદ્ધિ ન કરેલી હોય તે ‘વિરાધિત સમ્યગ્દષ્ટિ' જીવ છે અને તેવો જીવ ઉત્કૃષ્ટથી છઠુઠી નરક સુધી જાય છે એ પ્રમાણે “સૈદ્ધાંતિક મત છે. અને કાર્મગ્રંથિક મત પ્રમાણે જે જીવે સમ્યક્ત ઉચરાવ્યું છે અને સમ્યક્તના આચારો સમ્યફ પાળે છે અને કોઈક રીતે સમ્યત્વના અતિચારોનું સેવન થયું હોય આમ છતાં તે અતિચારોની શુદ્ધિ ન કરી હોય તેવો વિરાધિત સમ્યગ્દષ્ટિ પણ વૈમાનિકદેવગતિને છોડીને અન્યગતિમાં જતો નથી. આ પ્રમાણે સૈદ્ધાંતિક મત અને કાર્મગ્રંથિક મત પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં બતાવેલાં છે. વળી, કોઈ જીવ સમ્યક્ત પામેલો હોય અને સમ્યક્તથી પાત પામે તો ફરી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમની બાંધે છે પરંતુ ઉત્કૃષ્ટ રસ બાંધતો નથી એ પ્રકારનો “કાર્મગ્રંથિક મત છે. વળી, સૈદ્ધાંતિક મત પ્રમાણે તો સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તથી પાત પામેલો જીવ પણ ક્યારેય ઉત્કૃષ્ટ સ્થિતિ કર્મની બાંધતો નથી કે ઉત્કૃષ્ટ રસ પણ બાંધતો નથી. પરંતુ ઉત્કૃષ્ટ સંક્લેશ થાય તોપણ ગ્રંથિભેદકાળમાં સત્તામાં રહેલા અંતઃકોટાકોટી સાગરોપમ પ્રમાણ જ કર્મની સ્થિતિ બાંધે છે. ૨. ક્ષાયિક સખ્યત્વ : મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય, તે પાંચેય કર્મનો નિર્દૂલ નાશ થાય ત્યારે “ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે. તેમાં સાક્ષી આપે છે કે ભવની નિષ્પત્તિના કારણભૂત એવું વિવિધ પ્રકારનું દર્શનમોહનીય કર્મ છે અર્થાત્ સમ્યક્ત મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયરૂપ દર્શનમોહનીય કર્મ છે. અને ઉપલક્ષણથી તત્સહવર્તી અનંતાનુબંધી ચાર કષાય છે. તે ક્ષીણ થયે છતે સર્વ અપાય રહિત શરીરવાળું ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે. અર્થાત્ સંસારના સર્વ અનર્થોની પ્રાપ્તિનું કારણ જીવની યથાર્થ દૃષ્ટિનો અભાવ છે અને તે યથાર્થ દૃષ્ટિને આવારક કર્મ દૂર થવાથી કોઈપણ અનર્થોનું કારણ ન બને તેવું નિર્મલ કોટિનું સમ્યક્ત પ્રાપ્ત થાય છે જે ક્ષાયિક સમ્યક્ત છે. ક્ષાયિક સમ્યક્ત પામ્યા પછી જીવ સંસારના અનર્થોની પરંપરા ક્યારેય પ્રાપ્ત કરતો નથી પરંતુ ત્રણ-ચાર ભવમાં સંસારનો અંત કરી મોક્ષસુખને પામે છે અને ક્ષાયિક સમ્યક્ત પ્રગટ થયા પછી સદા રહેનારું છે માટે સાદિ અનંત છે. ૩. ક્ષાયોપથમિક સખ્યત્વ : ક્ષાયિક સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યા પછી ક્રમ પ્રાપ્ત ક્ષાયોપથમિક સભ્યત્ત્વનું સ્વરૂપ બતાવે છે – જીવ મિથ્યાત્વમોહનીયના દળિયાના ત્રણ પુંજ કરે છે તે વખતે સત્તામાં મિથ્યાત્વમોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્વમોહનીય કર્મની ત્રણેય સત્તાઓ ક્રમસર ઉદયમાં આવી શકે તે રીતે રહેલી છે અને જીવ જ્યારે વિશુદ્ધ પરિણામને અભિમુખ હોય છે ત્યારે તે ત્રણેય સત્તામાંથી સમ્યક્વમોહનીયની સત્તા ઉદયમાં આવે છે અને મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયની સત્તાના દળિયા પ્રદેશોદયથી ઉદયમાં આવે છે અને અનંતાનુબંધી કષાયના દળિયા પણ પ્રદેશોદયથી ઉદયમાં આવે છે તે વખતે જીવમાં ક્ષયોપશમભાવનું સમ્યક્ત વર્તે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩. ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ક્ષાયોપશમિકસમ્યક્ત્વમાં રહેલા ‘ક્ષયોપશમ’ શબ્દનો અર્થ કરતાં કહે છે ઉદયને પામેલા એવા મિથ્યાત્વના પુદ્ગલોનો શક્તિના વિષ્લેભણપૂર્વક ક્ષય અર્થાત્ નિર્મૂલનાશ તે દેશથી ક્ષય છે. અર્થાત્ શક્તિના વિષ્મભણરૂપ દેશને આશ્રયીને નાશ છે. અને અનુદયવાળા કર્મનો ઉપશમ છે. તેથી ક્ષયથી સહિત ઉપશમ છે માટે ‘ક્ષયોપશમ' કહેવાય છે. 1 તેથી એ પ્રાપ્ત થાય કે વિશુદ્ધ થયેલા મિથ્યાત્વમોહનીયના દળિયા મિથ્યાત્વની શક્તિના વિષ્લેભણવાળા છે અને તે ઉદયમાં આવીને ક્ષય પામે છે અને મિથ્યાત્વમોહનીય-મિશ્ર મોહનીયના દળિયા તેને અનુકૂળ અધ્યવસાય નહિ હોવાથી પ્રદેશોદયથી આવે છે. આ રીતે, મિથ્યાત્વની શક્તિના વિભણપૂર્વક જે મિથ્યાત્વના દળિયાનો ઉદયથી નાશ છે તે દેશથી નિર્મૂલ નાશ છે અને જે મિથ્યાત્વના દળિયા ઉદયસમયને પામ્યા નથી અને સત્તામાં રહેલા છે તે દળિયા ‘અનુદિત’ કહેવાય છે. અને અનુદિત એવા તે મિથ્યાત્વના દળિયામાં ઉપશમ થાય છે=ઉદીરણાદિકરણને અયોગ્ય થાય છે. તેથી ક્ષયથી યુક્ત એવા ઉપશમવાળા તે સમ્યક્ત્વને ‘ક્ષાયોપશમિક સમ્યક્ત્વ' કહેવાય છે. અહીં પ્રશ્ન થાય કે ઔપશમિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં ભેદ શું છે ? એથી કહે છે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ સત્કર્મનું વેદક કહેવાય છે. અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મના વિશુદ્ધ થયેલા અને સમ્યક્ત્વમોહનીય રૂપે પરિણમન પામેલા એવા સત્કર્મને વેદન કરનારું સમ્યક્ત્વ કહેવાય છે. વળી, ઔપશમિક સમ્યક્ત્વકાળમાં મિથ્યાત્વમોહનીયકર્મની સત્તાનું અંતર કરેલ હોવાથી સત્કર્મની વેદનાથી રહિત ઔપશમિક સમ્યક્ત્વ છે. એ પ્રકારનો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક સમ્યક્ત્વ વચ્ચેનો ભેદ છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક સમ્યક્ત્વ વચ્ચેના ભેદને સ્પષ્ટ કરનાર વિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથનું વચન છે તેનો અર્થ આ પ્રમાણે છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં વર્તતો જીવ સત્કર્મને=વિદ્યમાન કર્મને, વેદન કરે છે, પરંતુ તે વેદન કરાતા કર્મનો અનુભાવ નથી અર્થાત્ તેનું ફળ નથી; કેમ કે વેદન કરાતા એવા તે મિથ્યાત્વ મોહનીકર્મના પુદ્ગલો વિશુદ્ધ થયેલા હોવાથી મિથ્યાત્વરૂપ મલિનતાનું આપાદન કરતા નથી. વળી, ઉપશાંતકષાયવાળો જીવ વિદ્યમાન પણ કર્મને વેદન કરતો નથી; કેમ કે અંતઃકરણ થયેલું હોવાથી તે વખતે મિથ્યાત્વ મોહનીયના કોઈ દળિયા ઉદયમાં નથી પરંતુ અંતઃકરણના કાળ પછી ઉદયમાં આવી શકે તે રીતે ઉપશાંત થયેલા છે. ૪, વેદક સમ્યક્ત્વ : ક્રમ પ્રાપ્ત ‘વેદકસમ્યક્ત્વ'નું સ્વરૂપ બતાવે છે . ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામેલો જીવ ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ દર્શનસપ્તકની ક્ષપણા કરે છે અને દર્શનસપ્તકની ક્ષપણા કરનાર જીવ અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વમોહનીય-મિશ્ર મોહનીયકર્મ એમ છ પ્રકૃતિની ક્ષપણા કરે ત્યારે તે છ પ્રકૃતિઓનો સત્તામાંથી સર્વથા ક્ષય પ્રાપ્ત થાય છે. ફક્ત દર્શન સપ્તકમાંથી સમ્યક્ત્વમોહનીયની સત્તા છે અને તે સમ્યક્ત્વમોહનીયની સત્તાનો પણ ક્ષપણા ક૨તો એવો તે જીવ જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વ પામવાની પૂર્વક્ષણને પ્રાપ્ત કરે છે ત્યારે તે સમ્યક્ત્વમોહનીયના Page #56 -------------------------------------------------------------------------- ________________ :: ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ પુદ્ગલના છેલ્લા ગ્રાસનું વેદન કરે છે તે ‘વેદક' સમ્યક્ત્વ કહેવાય છે. તેમાં સાક્ષીપાઠ આપેલ છે તેનો અર્થ આ પ્રમાણે છે - - ૩૯ વેદક સમ્યક્ત્વમાં પૂર્વ ઉદિત એવા સમ્યક્ત્વમોહનીયના ચરમ પુદ્ગલનો ગ્રાસ છે=ચરમ પુદ્ગલના ગ્રાસનું વેદન છે. ૫. સાસ્વાદન સમ્યક્ત્વ : ક્રમપ્રાપ્ત ‘સાસ્વાદન સમ્યક્ત્વ'નું સ્વરૂપ બતાવે છે કોઈ જીવ ઔપમિક સમ્યક્ત્વ પામે ત્યારે મિથ્યાત્વના દળિયાનો એક અંતર્મુહૂર્ત સુધી અંતરનો કાળ વર્તે છે અને તે મિથ્યાત્વના દળિયાના અંતરના કાળમાં તે જીવ ઔપશમિક સમ્યક્ત્વવાળો છે; કેમ કે તે કાળ દરમ્યાન કોઈ મિથ્યાત્વના દળિયાનો કે અનંતાનુબંધીના દળિયાનો ઉદય નથી. અને તે જીવ જ્યારે તે અંતઃકરણના કાળની સમાપ્તિકાળ પાસે આવે ત્યારે કોઈ જીવને ઉત્કૃષ્ટથી છ આવલિકા પૂર્વે અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે અને કોઈ જીવને જઘન્યથી એક સમય પૂર્વે અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે. તેથી ઔપશમિક સમ્યક્ત્વના અંતર્મુહૂર્તકાળ દરમ્યાન જે અનંતાનુબંધી કષાયનો ઉપશમ હતો તે અનંતાનુબંધીકષાયનો ઉદય જીવના પ્રમાદને કારણે પ્રાપ્ત થાય છે. તેથી તે જીવ ઔપશમિક સમ્યક્ત્વથી પાત પામીને તેના આસ્વાદનરૂપ=ઔપશમિક સમ્યક્ત્વના કંઈક આસ્વાદનરૂપ, ‘સાસ્વાદન સમ્યક્ત્વ'ને પામે છે. તેમાં સાક્ષીપાઠ આપ્યો તેનો અર્થ આ પ્રમાણે છે ઔપશમિક સમ્યક્ત્વમાં વર્તતો જીવ પ્રમાદને વશ ઔપશમિક સમ્યક્ત્વના કાળ દરમ્યાન જ ઔપશમિક સમ્યક્ત્વથી ચય પામે છે અને મિથ્યાત્વને પ્રાપ્ત કરતો નથી. તે વખતે તેના અંતરાલમાં=ઔપશ્િમક સમ્યક્ત્વના અંતઃકરણના કાળમાં, છ આવલિકાનું ‘સાસ્વાદન સમ્યક્ત્વ' પ્રાપ્ત કરે છે=ઉત્કૃષ્ટથી ૬ - આવલિકાનું અને ઉપલક્ષણથી જઘન્યથી ૧ સમયનું સાસ્વાદન સમ્યક્ત્વ અનંતાનુબંધી કષાયના ઉદયથી પ્રાપ્ત કરે છે. પૂર્વમાં પાંચ પ્રકારના સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવ્યું. હવે તે પાંચેય પ્રકારના સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે ? તે સમ્યક્ત્વનું કાલમાન કેટલું છે ? અર્થાત્ કેટલી વખત પ્રાપ્ત થાય છે ? અને ‘આદિ’ શબ્દથી તેના આકર્ષો બતાવે છે. ‘ઔપશમિક સમ્યક્ત્વ'ની સ્થિતિ એક અંતર્મુહૂર્ત રહે છે. તેનાથી અધિક રહી શકતું નથી. ‘સાસ્વાદન સમ્યક્ત્વ’ છ આવલિકા રહી શકે છે તેનાથી અધિક રહી શકતું નથી. ‘વેદક સમ્યક્ત્વ' એક સમયનું જ છે; કેમ કે સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલના ચરમ ગ્રાસના વેદનરૂપ ‘વેદક સમ્યક્ત્વ’ છે. ‘ક્ષાયિક સમ્યક્ત્વ' તેત્રીસ સાગરોપમથી કંઈક અધિક છે. ‘ક્ષાયોપશમિક સમ્યક્ત્વ' ક્ષાયિક સમ્યક્ત્વથી દ્વિગુણ છે=કંઈક અધિક ૬૬ સાગરોપમ છે. તે સ્વયં ગ્રંથકા૨શ્રી આગળ બતાવે છે = Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦. ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ કોઈ જીવ ક્ષાયોપથમિક સભ્યત્વ પામ્યા પછી બે વાર વિજયાદિ દેવલોકમાં ૩૩ સાગરોપમ આયુષ્યવાળો થાય અને ઉત્કૃષ્ટ મનુષ્યભવના આયુષ્યવાળો થાય અને સમ્યક્તથી પાત ન પામે તો દેવભવના ૩૩ સાગરોપમ - ૩૩ સાગરોપમના બે ભવ અને વચમાં પ્રાપ્ત થતા મનુષ્યભવનો અધિક - એટલો કાળ ક્ષાયપથમિક સમ્યક્ત રહે છે. ત્યાર પછી તે જીવ અવશ્ય સિદ્ધ થાય છે. તેથી ક્ષાયોપથમિક સમ્યક્ત નાશ પામે છે અને ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે. અથવા કોઈ જીવ બાવીશ સાગરોપમના આયુષ્યવાળા અશ્રુત દેવલોકમાં ત્રણ વાર જાય છે અને વચમાં ઉત્કૃષ્ટ મનુષ્યભવના આયુષ્યવાળો થાય અને સમ્યક્તથી પાત ન પામે તો દેવભવના ૨૨ સાગરોપમ – ૨૨ સાગરોપમ - ૨૨ સાગરોપમના ત્રણ ભવ અને વચમાં પ્રાપ્ત થતા મનુષ્યભવનો અધિક - એટલો કાળ=૬૦ સાગરોપમથી કંઈક અધિક એટલો કાળ ક્ષાયોપથમિક સમ્યક્ત રહે છે. ત્યારપછી અવશ્ય ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરે છે. આ એક જીવને આશ્રયીને ક્ષાયોપથમિક સમ્યક્તનો ઉત્કૃષ્ટ કાળ બતાવ્યો. જુદા જુદા જીવને આશ્રયીને ક્ષાયોપથમિક સમ્યક્ત સર્વકાળમાં પ્રાપ્ત થાય છે. કયું સમ્યક્ત ઉત્કૃષ્ટથી કેટલી વખત પ્રાપ્ત થઈ શકે છે ? તે બતાવે છે – સાસ્વાદન સમ્પર્વ અને પશમિક સમ્યક્ત ભવચક્રમાં ઉત્કૃષ્ટથી એક જીવને પાંચ વાર પ્રાપ્ત થાય છે. વેદક સમ્યક્ત અને ક્ષાયિક સમ્યક્ત એક જીવને એક જ વખત પ્રાપ્ત થાય છે. વળી, ક્ષાયોપથમિક સમ્યક્ત એક જીવને ભવચક્રમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત વાર પ્રાપ્ત થાય છે. શ્રુત, સમ્યક્ત અને દેશવિરતિ એ ત્રણ એક ભવમાં આકર્ષ દ્વારા કેટલી વખત પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – * આકર્ષ એટલે પ્રથમ વખત સમ્યક્ત આદિનું ગ્રહણ અથવા સમ્યક્ત આદિથી પાત થયા પછી ફરી વખત સમ્યક્ત આદિનું ગ્રહણ, તે આકર્ષે છે. એક ભવમાં એક જીવને શ્રુતના, સમ્યત્ત્વના અને દેશવિરતના આકર્ષે હજાર પૃથકુત્વ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ સમ્યકુશ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે, કોઈ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે અને કોઈ જીવ દેશવિરતિ પ્રાપ્ત કરે તે વખતે આકર્ષ દ્વારા પ્રથમરૂપે તેની પ્રાપ્તિ થઈ તે જઘન્યથી એક આકર્ષ કહેવાય અને તે શ્રેતાદિ પામ્યા પછી કોઈ તેનાથી પાત પામે અને ફરી તે શ્રુતાદિને પ્રાપ્ત કરે તો પ્રાપ્ત થયેલા એવા શ્રુતાદિથી પાત પામીને ફરી તે શ્રુતાદિનું ગ્રહણ તે બીજી વખત આકર્ષથી પ્રાપ્ત થાય અને તેવા આકર્ષ શ્રુત, સમ્યક્ત અને દેશવિરતિના ઉત્કૃષ્ટથી હજાર પૃથકૃત્વ=૨૦૦૦થી ૯૦૦૦ હજાર વખત થાય છે. એક ભવમાં આટલા આકર્ષા થાય છે ત્યાર પછી તે જીવ શ્રુતાદિથી પાત પામતો નથી અને પાત પામે તો ફરી તે ભવમાં શ્રુતાદિને પ્રાપ્ત કરી શકતો નથી. વળી, સર્વવિરતિને પણ પામ્યા પછી કોઈ પાત પામીને ફરી સર્વવિરતિ પામે. આ રીતે, એક ભવમાં ઉત્કૃષ્ટથી સર્વવિરતિનો પાત અને ફરી સર્વવિરતિની પ્રાપ્તિ આકર્ષ દ્વારા શતપૃથકત્વ થાય છે=૨૦૦થી ૯૦૦ વખત થાય છે. એક ભવમાં આટલા આકર્ષા થાય છે. ત્યારપછી તે જીવ સર્વવિરતિથી પાત પામતો નથી અને પાત પામે તો ફરી તે ભવમાં સર્વવિરતિને પ્રાપ્ત કરી શકતો નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ પૂર્વે એકભવમાં શ્રેતાદિને આશ્રયીને થતા આકર્ષની સંખ્યા બતાવી. હવે અનેક ભવોને આશ્રયીને એક જીવને આકર્ષ દ્વારા શ્રુતાદિ કેટલી વખત પ્રાપ્ત થઈ શકે ? તે બતાવતાં કહે છે – કોઈ જીવને જિનવચનાનુસાર શ્રુતજ્ઞાન થયું હોય, સમ્યક્ત થયું હોય કે દેશવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ હોય તેઓ તે કૃતાદિ પ્રાપ્ત થયા પછી તે શ્રુતાદિથી પાત પામે અને ફરી તે શ્રુતાદિને પ્રાપ્ત કરે તો તે કૃતાદિની પ્રાપ્તિ ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર વખત થાય છે અર્થાત્ સંસારમાં જીવ ભમે ત્યાં સુધીમાં તે શ્રુતાદિથી પાત અને ફરી તેની પ્રાપ્તિ અસંખ્યાત હજાર વખત થાય છે અને સર્વવિરતિની પ્રાપ્તિ હજાર પૃથકત્વ થાય છે=૨૦૦૦થી ૯૦૦૦ વખત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે એક જીવને એક ભવને આશ્રયીને સર્વવિરતિની પ્રાપ્તિ આકર્ષ દ્વારા શતપૃથફત્વ થતી હતી તે અનેકભવને આશ્રયીને વિચારીએ તો તે જીવને ઉત્કૃષ્ટથી હજાર પૃથકત્વ વખત પ્રાપ્ત થઈ શકે છે. એક જીવના અનેક ભવને આશ્રયીને આટલા આકર્ષો જ્ઞાતવ્ય છે. હવે પાંચ સમ્યક્ત કયા-કયા ગુણસ્થાનકમાં હોય છે ? તે બતાવતાં કહે છે – ૧. સાસ્વાદન સમ્યક્ત બીજા ગુણસ્થાનકમાં હોય છે. ૨. પથમિક સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી માંડીને આઠ ગુણસ્થાનક સુધી હોય છે અર્થાત્ અગિયારમા ગુણસ્થાનક સુધી હોય છે. ૩. ક્ષાયિક સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી માંડીને અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે અર્થાત્ અયોગી ગુણસ્થાનક સુધી હોય છે. ૪. વેદક સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી માંડીને ચાર ગુણસ્થાનક સુધી હોય છે અર્થાત્ સાતમા ગુણસ્થાનક સુધી હોય છે. ૫. ક્ષાયોપથમિક સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી માંડીને ચાર ગુણસ્થાનક સુધી હોય છે અર્થાત્ સાતમા ગુણસ્થાનક સુધી હોય છે. હવે સમ્યક્ત પ્રાપ્ત થયા પછી કર્મની સ્થિતિ કેટલી ઘટવાથી ઉપર - ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે ? તે બતાવે છે – સમ્યત્વ પ્રાપ્ત થયે છતે જે અંતઃકોટાકોટી કર્મની સ્થિતિ છે તે કર્મની સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ=ર થી ૯ પલ્યોપમ, કર્મની સ્થિતિ ઘટે ત્યારે તે જીવ શ્રાવક થાય છે. શ્રાવક થયા પછી સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિ ઘટે તો સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રની પ્રાપ્તિને અપેક્ષિત કર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિ ઘટે તો ઉપશમશ્રેણીની પ્રાપ્તિ થાય છે અને ઉપશમશ્રેણીની પ્રાપ્તિ માટે અપેક્ષિત કર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિ ઘટે તો ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સત્તામાં રહેલી કર્મની સ્થિતિ જેમ જેમ ઘટે છે તેમ તેમ ભાવમલ ઘટે છે અને ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આથી જે જીવોમાં સમ્યક્તની પ્રાપ્તિ માટે અપેક્ષિત અંતઃકોટાકોટી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સાગરોપમ કર્મની સ્થિતિની પ્રાપ્તિ થઈ તે જીવોને સમ્યક્ત પ્રાપ્ત થાય છે. સમ્યક્તની પ્રાપ્તિ વખતે જે અંતઃકોટાકોટી સાગરોપમ કર્મોની સ્થિતિ છે તેમાંથી પલ્યોપમ પૃથકત્વ કર્મોની સ્થિતિ ઘટે તો તે જીવ ચોથા ગુણસ્થાનકમાંથી પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. પાંચમા ગુણસ્થાનકરૂપ શ્રાવકપણાને પામ્યા પછી દેશવિરતિના સેવનના બળથી સંખ્યાતા સાગરોપમની કર્મની સ્થિતિ ઘટે છે ત્યારે તે જીવને સર્વવિરતિની પ્રાપ્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્રની પ્રાપ્તિ વખતે જે કર્મોની સ્થિતિ છે તેમાંથી પણ ચારિત્રના સેવનના બળથી સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિ ઘટે ત્યારે જીવને ઉપશમશ્રેણી પ્રાપ્ત થાય છે. કેટલાક જીવોને ઉપશમશ્રેણીના પ્રાપ્તિકાળમાં અપેક્ષિત કર્મની સ્થિતિ કરતાં અધિક સંખ્યાત સાગરોપમ સ્થિતિ ઘટે છે તેથી ઉપશમ શ્રેણીને બદલે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે છે. તેથી એ ફલિત થાય કે જીવ જેમ અપ્રમાદભાવથી ગુણવૃદ્ધિ માટે ઉદ્યમ કરે છે તેમ તેમ કર્મની સ્થિતિ ઘટે છે. જેમ જેમ કર્મની સ્થિતિ ઘટે છે તેમ તેમ ઉપર-ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિરૂપ ગુણસંપત્તિની પ્રાપ્તિ થાય છે. આથી જ અનાદિ મિથ્યાષ્ટિ જીવ તત્ત્વાતત્ત્વને અનુકૂળ માર્ગાનુસારી ઊહ કરે છે ત્યારે તેની સત્તામાં રહેલી કર્મની સ્થિતિ ઘટે છે. સત્તામાં રહેલી કર્મની સ્થિતિ ઘટવાને કારણે સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. આ રીતે જ યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા દેશવિરતિ આદિ સર્વ ગુણસ્થાનકો તે તે પ્રકારે કર્મની સ્થિતિ ઘટવાથી પ્રાપ્ત થાય છે. માટે કલ્યાણના અર્થી જીવોએ કર્મની સ્થિતિના હૃાસ માટે જિનવચનનું અવલંબન લઈને યોગમાર્ગમાં ઉચિત યત્ન કરવો જોઈએ. જેથી સત્તામાં રહેલી કર્મની સ્થિતિનો હ્રાસ થાય અને ઉપર-ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય અને અંતે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ દ્વારા મોહનો નાશ થાય. પૂર્વ શ્લોકમાં કહ્યું એ પ્રમાણે કોઈ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે અને સમ્યક્તથી પાત ન પામે તો દેવ અને મનુષ્યભવમાં જાય પરંતુ અન્ય કોઈ ભવમાં જાય નહિ. વળી, કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી સમ્યત્વથી પાત ન પામે તો એક ભવમાં ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી એ બંનેમાંથી એકને છોડીને સર્વને પ્રાપ્ત કરે છે અર્થાત્ પ્રથમ સમ્યક્ત પ્રાપ્ત કરે, પછી દેશવિરતિ પ્રાપ્ત કરે, પછી સર્વવિરતિ પ્રાપ્ત કરે. ત્યારપછી ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી તે બેમાંથી કોઈ એક શ્રેણીને પ્રાપ્ત કરે છે અને સમ્યક્તથી પાત ન પામે તો દેવમનુષ્યના ભવના ક્રમથી સાત આઠ ભવમાં મોક્ષે જાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે અને પછી અપ્રમાદભાવથી દેશવિરતિ આદિની પ્રાપ્તિ માટે ઉચિત યત્ન કરે અને તેનાં દેશવિરતિના કર્મો સોપક્રમ હોય તો સમ્યક્તની પ્રાપ્તિ પછી તરત જ દેશવિરતિને પ્રાપ્ત કરે છે. તે વખતે તેના દેશવિરતિની પ્રાપ્તિને અનુકૂળ વ્યાપારથી અંતર્મુહૂર્તમાં સત્તામાં રહેલી કર્મની સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ અર્થાત્ બેથી નવ પલ્યોપમ કર્મની સ્થિતિ નાશ પામે છે તેથી દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. અને કેટલાક જીવોને દેશવિરતિની પ્રાપ્તિ તે જ ભવમાં કંઈક કાળના વિલંબનથી થાય છે. કેટલાક જીવને તે જ ભવમાં દેશવિરતિ પ્રાપ્ત થતી નથી પરંતુ બીજા ભવોમાં દેશવિરતિ પ્રાપ્ત થાય છે. તે સર્વનું કારણ તે જીવોની કર્મની સ્થિતિ અને તે જીવોનો બાહ્યસામગ્રીને અવલંબીને થતો પુરુષકાર નિયામક છે. તે રીતે સર્વવિરતિ, ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીમાં પણ જાણવું. આથી જ જીવ એક જ ભવમાં સમ્યક્ત આદિના ક્રમથી ક્ષપકશ્રેણીને પણ પ્રાપ્ત કરે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૪૩ પંચસંગ્રહના વચન પ્રમાણે કોઈ જીવનું દર્શનમોહનીય કર્મ ક્ષીણ થાય અર્થાત્ દર્શનમોહનીય કર્મની અનંતાનુબંધી ચાર પ્રકૃતિ, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એમ સાત પ્રકૃતિ ક્ષીણ થાય ત્યારે તે જીવ ત્રીજા ભવમાં મોક્ષે જાય છે કે ચોથા ભવે મોક્ષમાં જાય છે કે તે જ ભવમાં મોક્ષે જાય છે. જે જીવે દેવભવ કે નરકભવનું આયુષ્ય બાંધ્યું છે તે જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામે તો બાંધેલા આયુષ્ય અનુસાર દેવભવમાં કે નારકીના ભવમાં જાય છે ત્યાંથી ચ્યવીને મનુષ્યભવને પામીને અવશ્ય સિદ્ધ થાય છે. વળી, કોઈ જીવે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે તિર્યંચ કે મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું હોય તો તે જીવે અવશ્ય અસંખ્યાતવર્ષના યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધેલું હોઈ શકે પરંતુ સંખ્યાત વર્ષવાળા તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધેલ હોઈ શકે નહિ. અને જે જીવોએ સંખ્યાતવર્ષના આયુષ્યવાળું તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું છે તે જીવો દર્શનસપ્તકની ક્ષપણા કરી શકે નહિ. અને જે જીવોએ યુગલિક એવા તિર્યંચ કે યુગલિક એવા મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું છે અને ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા છે તેઓ બંધાયેલા આયુષ્ય અનુસાર યુગલિક તિર્યંચ કે યુગલિક મનુષ્યભવમાં જાય છે ત્યાંથી ચ્યવીને અવશ્ય દેવભવમાં જાય છે અને દેવભવથી ચ્યવીને મનુષ્યભવની પ્રાપ્તિ કરીને અવશ્ય મોક્ષમાં જાય છે. તેથી જે જીવોએ તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય બાંધ્યું છે અને ત્યારપછી ક્ષાયિક સમકિત પામ્યા છે તે જીવો અવશ્ય ચોથા ભવમાં મોક્ષે જાય છે અને જે જીવોએ કોઈ પણ ભવનું આયુષ્ય બાંધ્યું નથી તેઓ દર્શનસપ્તકની ક્ષપણા કર્યા પછી ચારિત્રમોહનીયની ક્ષપણા માટેનો પ્રારંભ કરીને સર્વમોહનો નાશ કરે છે અને તે જ ભવમાં મોક્ષમાં જાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ક્ષાયિક સમ્યક્ત્વના પ્રાપ્તિકાળમાં વીતરાગતાની સાથે લયની પ્રાપ્તિ થાય તેવો માર્ગાનુસા૨ી સૂક્ષ્મ ઊહ જીવને પ્રગટે છે તેથી તે જીવ જો આયુષ્ય બાંધ્યું ન હોય તો વીતરાગતામાં લય પામીને તે જ ભવમાં મોક્ષમાં જાય છે. અને દર્શન સપ્તકની ક્ષપણાના પ્રારંભ પૂર્વે આયુષ્ય બાંધેલું હોય તો આયુષ્યબંધના કારણે જ તેઓ વીતરાગતામાં લય પામવાને અનુકૂળ ઉદ્યમ કરી શકતા નથી અને તે આયુષ્ય પૂરું થાય કે તરત જેવી વીતરાગતામાં લય પામવાને અનુકૂળ મનુષ્યભવની સામગ્રી તેઓને પ્રાપ્ત થાય કે તરત તેઓ વીતરાગતામાં લય થવાને અનુકૂળ મહાપરાક્રમ કરીને મોહનો નાશ કરે છે. અને વીતરાગતામાં લય ક૨વાને અનુકૂળ સૂક્ષ્મ ઊહની પ્રાપ્તિ અર્થે શ્રુતવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ છે અને શ્રુતથી ભાવિત મતિ છે. તેથી મોક્ષના અર્થી જીવોએ સદા શ્રુતવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. અને શ્રુતથી મતિને અત્યંત ભાવિત કરવી જોઈએ કે જેથી વીતરાગતાના લયનું પ્રબળ કારણ એવું નિર્મળ કોટિનું સમ્યગ્દર્શન પ્રગટ થાય. વળી, કોઈ જીવ સમ્યક્ત્વ પામતો હોય ત્યારે તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ માર્ગાનુસારી ઊહ કર્રે છે. ત્યારપછી સમ્યક્ત્વ પામે છે અને સમ્યક્ત્વ પામ્યા પછી અંતર્મુહૂર્ત સુધી પ્રવર્ધમાન પરિણામવાળો હોય છે અને આ પ્રવર્ધમાન પરિણામ તે સમ્યક્ત્વનો ઉપયોગ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ કાળમાં જે તત્ત્વનું દર્શન થયું છે તે તત્ત્વદર્શનમાં માર્ગાનુસા૨ી જ્ઞાનનો ઉપયોગ વર્તે છે. આ ઉપયોગ તે જીવને જઘન્યથી અંતર્મુહૂર્તનો Page #61 -------------------------------------------------------------------------- ________________ ४४ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ હોય છે અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્તનો હોય છે. આ પ્રકારનો સમ્યત્વનો ઉપયોગ એક જીવને આશ્રયીને વિચારીએ કે જુદા જુદા જીવને આશ્રયીને વિચારીએ તોપણ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ પ્રાપ્ત થાય છે. તેનાથી અધિક સમ્યક્તનો ઉપયોગ પ્રવર્તી શકતો નથી. વળી, સમ્યક્તની પ્રાપ્તિને કારણે જે દર્શનમોહનીયના ક્ષયોપશમરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે તે એક જીવને જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે અને ઉત્કૃષ્ટથી મનુષ્યભવથી અધિક કલ સાગરોપમ સુધી રહી શકે છે. ત્યારપછી સમ્યક્તથી પાત ન પામે તો તે જીવ અવશ્ય સિદ્ધ થાય છે અને જુદા જુદા જીવોને આશ્રયીને વિચારીએ તો ક્ષયોપશમભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સર્વકાળ પ્રાપ્ત થાય છે; કેમ કે ક્ષયોપશમ સમ્યક્તવાળા જીવો જગતમાં સદા વર્તે છે. આથી એ પ્રાપ્ત થાય કે જીવ જ્યારે સમ્યક્ત પામે છે ત્યારે મધ્યસ્થતાપૂર્વક તત્ત્વના અવલોકન માટેનો મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે છે. તે મતિજ્ઞાનનો ઉપયોગ જઘન્યથી નાનું અંતર્મુહૂર્ત પ્રવર્તે છે અને ઉત્કૃષ્ટથી કંઈક મોટું અંતર્મુહૂર્ત પ્રવર્તે છે, તેને આશ્રયીને સમ્યત્વના ઉપયોગનો કાળ અંતર્મુહૂર્ત છે. એમ કહેલ છે. ત્યારપછી સમ્યક્ત પામેલ જીવ નવા ઉપયોગમાં જાય છે. તે ઉપયોગ પ્રથમ ભૂમિકામાં દર્શનનો હોય છે પછી તે ઉપયોગ જ્ઞાનનો હોય છે, અને વળી તે ઉપયોગ ક્વચિત્ સંસારની કોઈક પ્રવૃત્તિ વિષયક હોય કે ક્વચિત્ તત્ત્વાતત્ત્વની વિચારણાસ્વરૂપ હોય તોપણ દર્શનમોહનીયના ક્ષયોપશમરૂપ સમ્યક્તની પ્રાપ્તિ કોઈક જીવને જઘન્યથી અંતર્મુહૂર્ત ટકે છે અથવા કોઈક જીવને ઉત્કૃષ્ટથી મનુષ્યભવથી અધિક એવા છાસઠ સાગરોપમ ટકી શકે છે. આ રીતે, સમ્યક્તનો ઉપયોગ અને ક્ષયોપશમરૂપ સમ્યક્તની પ્રાપ્તિનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બતાવ્યા પછી, સમ્યક્તની પ્રાપ્તિ પછી કોઈ જીવ સમ્યક્તથી પાત પામે તો ફરી કેટલા કાળ પછી તે સમ્યક્ત પામી શકે તે બતાવતાં કહે છે – કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તથી પાત પામે તો જઘન્યથી અંતર્મુહૂર્ત અંતરના વ્યવધાનથી ફરી સમ્યક્ત પ્રાપ્ત કરી શકે છે. અને આશાતનાપ્રચુર એવો સમ્યક્તથી પાત પામેલો જીવ ઉત્કૃષ્ટથી, કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત પછી સમ્યક્તને પ્રાપ્ત કરી શકે છે. તેમાં ઉપદેશપદની સાક્ષી આપે છે – ઉપદેશપદની સાક્ષીનો અર્થ આ પ્રમાણે છે – તીર્થકરની, પ્રવચનની=ચતુર્વિધ સંઘની, શ્રુતની, આચાર્યની, ગણધરની કે મહાઋદ્ધિવાળા એવા સાધુઓની આશાતના કરે તો જીવ બહુધા અનંત સંસારી થાય છે. તેથી એ ફલિત થાય કે કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તથી પાત પામે અને તીર્થંકરાદિ કોઈની આશાતના કરે તો ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલથી કંઈક ન્યૂન એવા અનંત સંસારને પ્રાપ્ત કરે છે અને મિથ્યાદૃષ્ટિ જીવો તેનાથી પણ અધિક અનંત સંસાર અર્જન કરી શકે છે. પૂર્વમાં એક જીવ સમ્યક્ત પામ્યા પછી ફરી સમ્યક્ત પામે તેની વચમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સમ્યક્તનો કેટલો આંતરો પ્રાપ્ત થાય છે તે બતાવ્યો. હવે સર્વ જીવોને આશ્રયીને સમ્યક્તની પ્રાપ્તિ પછી સમ્યક્તથી પાત થાય તો કંઈક આંતરો પ્રાપ્ત થાય છે કે નહિ તેની જિજ્ઞાસામાં કહે છે – Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૪૫ સર્વજીવોને આશ્રયીને વિચારીએ તો સમ્યક્તથી પાત પામ્યા પછી ફરી સમ્યક્તની પ્રાપ્તિમાં આંતરો પ્રાપ્ત થતો નથી; કેમ કે સર્વજીવો સમ્યક્તથી ભ્રષ્ટ થાય અને કંઈક કાળ સુધી કોઈ સમ્યગ્દષ્ટિ ન હોય અને ત્યારપછી કોઈ જીવ સમ્યક્ત પામે તો સર્વ જીવોને આશ્રયીને ફરી સમ્યક્તની પ્રાપ્તિનો આંતરો પ્રાપ્ત થાય. પરંતુ જગતમાં જઘન્યથી પણ અસંખ્યાતા સમ્યગ્દષ્ટિ જીવો સદા વિદ્યમાન હોય છે. માટે સર્વ જીવોને આશ્રયીને સમ્યક્તની પ્રાપ્તિમાં આંતરાનો અભાવ છે એ પ્રમાણે આવશ્યકવૃત્તિમાં કહ્યું છે. વળી 'इत्यादि' ५४थी मावश्यावृत्तिमा अन्य ५९। सभ्यत्व विषय थन थु छ तेथी सभ्यप विषय विशेष જાણવાના અર્થી જીવોએ સમ્યક્ત વિષયક શેષ વિચાર આવશ્યકવૃત્તિથી જાણવો એ પ્રકારે ગ્રંથકારશ્રી નિર્દેશ કરીને કહે છે કે સમ્યક્તના પાંચ પ્રકારના ભેદ વિષયક વિસ્તારથી સર્યું. टी :शास्त्रान्तरे चैकविधादिक्रमेण सम्यक्त्वभेदाः प्रदर्शितास्तथाहि“एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं । दव्वाइ कारयाई, उवसमभेएहिं वा सम्मं ।।१।। एगविहं सम्मरुई, निसग्गहिगमेहि भवे तयं दुविहं । तिविहं तं खइआई, अहवावि हु कारगाईअं ।।२।। खइगाइ सासणजुअं, चउहा वेअगजुअं तु पंचविहं । तं मिच्छचरमपुग्गलवेअणओ दसविहं एयं ।।३।। निसग्गुवएसरुई, आणरुइ सुत्तबीअरुइमेव । अभिगमवित्थाररुई, किरिआसंखेवधम्मरुई ।।४।।" [प्रवचनसारोद्धारे गा. ९४२-४३-४७-५०सम्बोधप्र० सम्य० गा. ८९] आसां भावार्थः-तत्र श्रद्धानरूपत्वाविशेषादेकविधं सम्यक्त्वम् । निसर्गाधिगमभेदाद् द्विविधम्, निसर्गाऽधिगमस्वरूपं तु प्रागुक्तम्, आभ्यामुत्पत्तिप्रकाराभ्यां सम्यक्त्वं द्विधा भिद्यत इत्यर्थः, अथवा द्रव्यभावभेदाद् द्विविधम्, तत्र जिनोक्ततत्त्वेषु सामान्येन रुचिर्द्रव्यसम्यक्त्वम्, नयनिक्षेपप्रमाणादिभिरधिगमोपायो जीवाजीवादिसकलतत्त्वपरिशोधनरूपज्ञानात्मकं भावसम्यक्त्वम्, परीक्षाजन्यमतिज्ञानतृतीयांशस्वरूपस्यैव तस्य शास्त्रे व्यवस्थापितत्वात् तदाहुः श्रीसिद्धसेनदिवाकरपादाः संमतौ"एवं जिणपण्णत्ते, सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे, दंसणसद्दो हवइ जुत्तो ।।१।।" [संमतितर्कप्र. का. २/३२] त्ति । यच्च श्रीहरिभद्रसूरिभिः Page #63 -------------------------------------------------------------------------- ________________ ४७ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ “जिणवयणमेव तत्तं, इत्थ रुई होई दव्वसम्मत्तं । जहभावणाणसद्धापरिसुद्धं भावसंमत्तं ।।१।।" [गा. १०६३] ति । पञ्चवस्तुके प्रति(त्य)पादि तस्याप्ययमेवार्थः, जिनवचनमेव तत्त्वं नान्यदिति सामान्यरुचेर्द्रव्यसम्यक्त्वरूपताया नयनिक्षेपप्रमाणपरिष्कृतविस्ताररुचेश्च भावसम्यक्त्वरूपतायास्तत्र परिस्फुटत्वात् । तत्र द्रव्यशब्दार्थः कारणता, भावशब्दार्थश्च कार्यापत्तिरिति भावनीयम् । येषां त्वेकान्तेन सामान्यरुचिरोघतोऽप्यनेकान्तास्पर्शश्च, तेषां द्रव्यसम्यक्त्वमित्यत्र द्रव्यपदार्थोऽप्राधान्यमेव । जैनमपि समयमवलम्ब्यैकान्ते प्रविशतां मिथ्यात्वस्यावर्जनीयत्वात् । तदाहुः श्रीसिद्धसेनदिवाकरपादाः "नियमेण सद्दहणो छक्काए भावओ न सद्दहइ । हंदी अपज्जवेसु वि सद्दहणा होइ अविभत्ता ।।१।।" [संमतितर्कप्र. का. ३/२८] त्ति । . गोंध: * संभातित ग्रंथम था मा प्रभाएो छ: यस्य त्वनेकान्ततत्त्वे भगवत्प्ररूपिते सम्यगपरिच्छिद्यमानेऽपि भगवत्प्ररूपितत्वेन तत्र रुचिर्विपरीताभिनिवेशश्च न भवति गीतार्थप्रज्ञापनीयत्वादिगुणयोगात्, तस्यानाभोगगुरुपारतन्त्र्याभ्यामन्यथा सम्भावनेऽपि अन्तस्तत्त्वस्य शुद्धत्वाद् द्रव्यसम्यक्त्वमविरुद्धम्, तथा च भाद्रबाहवं वच उत्तराध्ययननिर्युक्तौ“सम्मद्दिट्ठी जीवो, उवइटें पवयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं, अणभोगा गुरुनिओगा व ।।१।।" [गा. १६३] त्ति । नन्वत्रद्रव्यभावयोरेकतरस्यानिर्धारणाद् द्रव्यमेवेति कुतः? सामान्यवचनस्य विशेषपरतायां प्रमाणस्य मृग्यत्वादिति चेत्, सत्यम्, विस्ताररुचेर्भावसम्यक्त्वस्याधिकृत(त्व)स्यैव तद्र्व्यतायाम् प्रमाणत्वात् द्रव्यभावयोरन्योन्यानुविद्धत्वनये तु तत्र कथञ्चिद् भावत्वमप्युच्यमानं न विरोधायेत्युक्तमन्यत्र, एवं द्रव्यभावाभ्यां द्वैविध्यं नयविशेषेण विचित्रं भावनीयम् । अथवा निश्चयव्यवहाराभ्यां द्विविधम्, तल्लक्षणमिदम्"निच्छयओ सम्मत्तं, नाणाइमयप्पसुद्धपरिणामो । इअरं पुण तुह समए, भणिअं सम्मत्तहेऊहिं ।।१।।" [सम्यक्त्वस्तव प्र० गा. ११] ति । ज्ञानादिमयशुभपरिणामो निश्चयसम्यक्त्वम्, ज्ञानश्रद्धानचरणैः सप्तषष्टिभेदशीलनं च व्यवहारसम्यक्त्वमित्येतदर्थः । ननु ज्ञानादिमय इत्यस्य ज्ञानदर्शनचारित्रसंलुलित इत्यर्थः, तथा चैतद् भावचारित्रमेव प्राप्तम्, कथं नैश्चयिकं सम्यक्त्वमिति? चेत्, सत्यम्, भावचारित्रस्यैव निश्चयसम्यक्त्व Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ रूपत्वात्, मिथ्याऽचारनिवृत्तिरूपकार्यस्य तत एव भावात्, कार्यानुपहितस्य कारणस्य निश्चयनयेनानभ्युपगमात् । नन्वेवं तुर्यगुणस्थानादिवर्त्तिनां श्रेणिकादीनामपि तत्र स्यादितिचेत्, न स्यादेव, कः किमाह-अप्रमत्तसंयतानामेव तद्व्यवस्थितेस्तदुक्तमाचाराङ्गे "जं सम्मति पासह, तं मोणं ति पासह, जं मोणं ति पासह, तं सम्मं ति पासह १ । इमं सक्कं सिढिलेहिं अद्दिज्जमाणेहिं गुणासाएहिं वंकसमायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं । मोणं समादाय धुणे कम्मसरीरगं । पंतलूहं च सेवंति, वीरा सम्मत्तदंसिणो १ ।। (२ / ५ / ३. सू. १२५ ) त्ति । ४७ नन्वेवमपि कारकनिश्चयसम्यक्त्वयोर्भेदो न स्यात्, क्रियोपहितस्यैव कारकत्वात्, क्रियायाश्च चारित्ररूपत्वात्, ज्ञानादिमयपरिणामस्यापि तथात्वादिति चेन्न, उपधेयसङ्करेऽप्युपाध्योरसाङ्कर्येणादोषात् कारके क्रियोपहितत्वमुपाधिनैश्चयिके च ज्ञानादिमयत्वमिति । एवंविधं नैश्चयिकसम्यक्त्वमधिकृत्यैव प्रशमादीनां लक्षणत्वं सिद्धान्तोक्तं संगच्छते, अन्यथा श्रेणिककृष्णादीनामपि तदसंभवेन लक्षणव्याघातसंभवात् । तदुक्तं विंशिकायां श्रीहरिभद्राचार्यैः “णिच्छयसम्मत्तं वाऽहिकिच्च सुत्तभणिअनिउणरूवं तु । एवंविहो णिओगो, होइ इमो हंत वण्णुत्ति ।। १ ।। " [सद्धर्मविंशिका - ६, गा. १७] अत्र वाकारो विषयविशेषापेक्षया प्रकारान्तरोपदर्शनार्थः । अथवा ज्ञानादिमय इत्यस्यायमर्थःज्ञाननये ज्ञानस्य दशाविशेष एव सम्यक्त्वम्, क्रियानये च चारित्ररूपम्, दर्शननये तु स्वतन्त्रं व्यवस्थितमेव इति । शुद्धात्मपरिणामग्राहिनिश्चयनये तु " आत्मैव दर्शन - ज्ञान - चारित्राण्यथवा यतेः । यत्तदात्मक एवैष, शरीरमधितिष्ठति ।।१।। " [४/१] इति योगशास्त्रवचनादात्मैव निरुपाधिशुद्धस्वरूपप्रकाशात् ज्ञानरूपः, तथा श्रद्धानाद्दर्शनरूपः, स्वभावाचरणाच्चारित्ररूप इति शुद्धात्मबोधाचरणतृप्तिरेव निश्चयसम्यक्त्वमित्यलं प्रपञ्चेन । त्रिविधं यथा - क्षायिकम्, क्षायोपशमिकम्, औपशमिकं चेति, वेदकस्य क्षायोपशमिकेऽन्तर्भावात्, सासादनस्याविवक्षितत्वात् अर्थस्तु प्रागुक्तः । अथवा कारकं रोचकं दीपकं चेति, तत्र कारकं सूत्राज्ञाशुद्धा क्रियैव तस्या एव परगतसम्यक्त्वोत्पादकत्वेन सम्यक्त्वरूपत्वात्, तदवच्छिन्नं वा सम्यक्त्वं कारकसम्यक्त्वम्, एतच्च विशुद्धचारित्राणामेव १ । रोचयति सम्यगनुष्ठानप्रवृत्तिम् न तु कारयतीति रोचकम्, अविरतसम्यग्दृशां कृष्णश्रेणिकादीनाम् २ । दीपकं व्यञ्जकमित्यनर्थान्तरम्, एतच्च यः स्वयं मिथ्यादृष्टिरपि परेभ्यो जीवा - ऽजीवादिपदार्थान् यथावस्थितान् व्यनक्ति, Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ धर्मसंग्रह भाग-२ | द्वितीय अधिकार | -२२ तस्याङ्गारमईकादेर्द्रष्टव्यम् ३ । चतुर्विधं क्षायिकादित्रयेऽधिकस्य सासादनस्य परिगणनात् वेदकस्य च परित्यागात् ४ । वेदकयुतं तदेव पञ्चविधम् ५ । दशविधं चोत्तराध्ययनानुसारेणोपदय॑ते-निसर्गरुचिः १, उपदेशरुचिः २, आज्ञारुचिः ३, सूत्ररुचिः ४, बीजरुचिः ५, अभिगमरुचिः ६, विस्ताररुचिः ७, क्रियारुचिः ८,संक्षेपरुचिः ९, धर्मरुचिः १० इति । तत्रभूतार्थेन सहसंमत्या जीवा-ऽजीवादिनवपदार्थविषयिणी रुचिनिसर्गरुचिः, भूतार्थेनेत्यस्य भूतार्थत्वेनेत्यर्थो, भावप्रधाननिर्देशात्, सद्भूतार्था अमी इत्येवंरूपेणेतियावत्, वस्तुतो भूतार्थेनेत्यस्य शुद्धनयेनेत्यर्थः [उत्तराध्ययन-२८, शांत्याचार्य-टीका] “ववहारोऽभूअत्थो, भूअत्यो देसिओ अ सुद्धाणउ" [] तिवचनात्, तेन व्यवहारमात्ररुचेविच्छेदः, सहसंमत्येत्यस्य सहात्मना संगता मतिः [सहसंमतिस्तयोपदेशनिरपेक्षक्षयोपशमेणेत्यर्थः १ । परोपदेशप्रयुक्तं जीवा-ऽजीवादिपदार्थविषयिश्रद्धानम् उपदेशरुचिः । परस्तीर्थकरस्तद्वचनानुसारी छद्मस्थो वा, केवलज्ञानमूलकत्वप्रयुक्तोपदेशरुचिस्तज्जन्यबोधरुचिर्वेति निष्कर्षः । तदुक्तं सूत्रकृते"लोगं अयाणित्तिह केवलेणं, कहंति जे धम्ममयाणमाणा । णासंति अप्पाण परं च णट्ठा, संसारघोरंमि अणोरपारे ।।१।। लोगं वियाणंतिह केवलेणं, पुन्नेण नाणेण समाहिजुत्ता । धम्मं समत्तं च कहंति जे उ, तारंति अप्पाण परं च तिण्ण त्ति ।।२।।" [श्रुत. २ अ. ६/७८६-७] उपदेशे तज्जन्यबोधे च रुचिरिह संशयव्यावर्त्तकतावच्छेदको धर्मविशेषः २ ।। रागद्वेषरहितस्य पुंस आज्ञयैव धर्मानुष्ठानगता रुचिराज्ञारुचिः, राहित्यं च देशतः सर्वतश्च, तत्र देशतो दोषरहितानामाचार्यादीनामाज्ञया धर्मानुष्ठाने रुचिर्माषतुषादीनां सम्यक्त्वसंपादिका तत्तदनुष्ठाने तदुक्तं पञ्चाशके"गुरुपारतंतनाणं, सद्दहणं एयसंगयं चेव । एत्तो उ चरित्तीणं, मासतुसाईण णिद्दिष्टुं ।।१।।" [११/७] ति । सर्वदोषरहिताज्ञामूलत्वं च तत्राप्यप्रामाण्यशङ्कानिवर्तकत्वेन सर्वत्र रुचिप्रयोजकमितिशेषः ३ । सूत्राध्ययनाभ्यासजनितविशिष्टज्ञानेन जीवाजीवादिपदार्थविषयिणी रुचिः सूत्ररुचिर्गोविन्दाचार्यस्येव, जायते च पुनः पुनः स्मरणाद् दृढतरः संस्कार इव पुनः पुनरध्ययनाद् दृढतरं ज्ञानं निःसंशयमिति न किमप्यनुपपत्रम् ४ । एकेन पदेनानेकपदतदर्थप्रतिसंधानद्वारा उदके तैलबिन्दुवत् प्रसरणशीला रुचिर्बीजरुचिः, प्रसार उत्तरोत्तरोत्पत्तिः ५ । Page #66 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ अर्थतः सकलसूत्रविषयिणी रुचिरभिगमरुचिराह च“सो होइ अभिगमरुई, सुअनाणं जस्स अत्थओ दिटुं । इक्कारस अंगाई, पइन्नगं दिट्ठिवाओ अ ।।१।।" [प्रवचनसारोद्धारे गा. ९५६] त्ति । प्रकीर्णकमिति जातावेकवचनम्, ततः प्रकीर्णकानि उत्तराध्ययनादीनीत्यर्थः, दृष्टिवादश्चेति चकारादुपाङ्गादिपरिग्रहः । नन्वेवमियं सूत्ररुचेर्न भिद्येत, नचेयमर्थावच्छिन्नसूत्रविषया, सा च केवलं सूत्रविषयेत्येवं भेदः, केवलसूत्रस्य मूकत्वात्, तद्विषयरुचेरप्रमाणत्वात्, आह च-"मूअगं केवलं सुत्तं” [उपदेशपदे गा. ८५६] त्ति, न केवलं केवलसूत्ररुचेरप्रमाणत्वम्, किंत्वज्ञानानुबन्धित्वमपि । तदुक्तमुपदेशमालायाम्“अपरिच्छिअसुअणिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कयं, अन्नाणतवे बहुं पडइ ।।१।।" [गा. ४१५] त्ति । अभिन्नति अविवृतम्, इतिचेत्, सत्यम्, सूत्ररुचावर्थस्यार्थरुचौ च सूत्रस्य प्रवेशेऽपि सूत्रार्थाध्ययनजनितज्ञानविशेषकृतरुचिभेदाभेदः, अत एव सूत्राध्ययनादर्थाध्ययनेऽधिको यत्न उपदिष्ट उपदेशपदे । तथाहि "सुत्ता अत्थे जत्तो, अहिगयरो णवरि होइ कायव्वो । इत्तो उभयविसुद्धित्ति, मूअगं केवलं सुत्तं ।।१।।" [उपदेशपदे गा. ८५६] ति । अथवा सूत्रनिर्युक्त्यादिग्रन्थविषयरुचिभेदाभेदः, अत एवाज्ञारुचिः सूत्ररुचेभिन्ना नियुक्त्यादिविषयत्वेन स्थानाङ्गवृत्तौ प्रतिपादितेति ६ । सर्वप्रमाणसर्वनयजन्यसर्वद्रव्यसर्वभावविषयिणी रुचिर्विस्ताररुचिः ७ । दर्शनज्ञानचारित्रतपोविनयाद्यनुष्ठानविषयिणी रुचिः क्रियारुचिः । न चाज्ञारुचिरपि धर्मानुष्ठानविषया इयमपि तथेति कोऽनयोर्भेदः? इति शङ्कनीयम्, सा ह्याज्ञास्मरणनियता, इयं त्वसङ्गेत्येवं भेदाद्, अत एव सर्वसात्म्येन परिणतचारित्रक्रियाश्चारित्रकाया महर्षयो भणिता, 'इत्तो उ चरित्तकाओ' [ ]त्ति वचनेन हरिभद्राचार्यः ८ । अनभिगृहीतकुदृष्टेः प्रवचनाविशारदस्य निर्वाणपदमात्रविषयिणी रुचिः संक्षेपरुचिर्यथोपशमादिपदत्रयविषयिणी चिलातिपुत्रस्य, न च विशेष्यभागरहितं विशेषणद्वयमात्रमेतल्लक्षणं युक्तम्, मूर्छादिदशासाधारण्यात् ९ । धर्मपदमात्रश्रवणजनितप्रीतिसहिता धर्मपदवाच्यविषयिणी रुचिर्द्धर्मरुचिः । आह च Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ "जो अत्थिकायधम्मं, सुयधम्मं खलु चरित्तधम्मं च ।। સંદેહ નહિ , સો થમ્પત્તિ વ્યો ” [પ્રવનસાર રે . ૨૬૦]તિ ! । [न चैवं ग्रामधर्मादिपदवाच्यविषयिण्यपि रुचिस्तथा स्यादिति वाच्यम, निरुपपदधर्मपदवाच्यत्वस्यैव ग्रहणात् । न चैवं चारित्रधर्मादिपदवाच्यविषयिण्यामव्याप्तिर्निरुपपदत्वस्य वास्तवधर्मातिप्रसञ्जकोपपदराहित्यस्य विवक्षणादिति दिक्] १० । ટીકાર્ય : શાસ્ત્રાન્તરે .. દિવા અને શાસ્ત્રાન્તરમાં એકવિધ આદિ ક્રમથી સખ્યત્વના ભેદો બતાવાયા છે. તે આ પ્રમાણે – એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે, દસ પ્રકારે સમ્યક્ત છે. દ્રવ્યાદિથી બે પ્રકારે છેકદ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે સમ્યક્ત છે. કારકાદિકારક, રોચક, દીપક એમ ત્રણ પ્રકારે સમ્યક્ત છે. અથવા ઉપશમાદિ ભેદથી ત્રણ પ્રકારે સમ્યક્ત છે. અને ઉપશમાદિ ભેદમાં બહુવચનના પ્રયોગથી ઉપશમાદિ વડે ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને દસ પ્રકારે સમ્યક્ત છે તેનું ગ્રહણ છે. એકવિધ સમ્યક્ત સમ્યફરુચિ છે. તે=સમ્યક્ત, નિસર્ગ – અધિગમથી બે ભેદવાળું થાય છે. ત્રિવિધ ત=સમ્યક્ત ક્ષાયિકાદિ છે અથવા કારકાદિ છે. સાયિકાદિ ત્રણ સાસ્વાદનથી યુક્ત ચાર પ્રકારે છે. વળી, વેદક સમ્યક્તથી યુક્ત પાંચ પ્રકારે છે. તેત્રવેદક સમ્યક્ત મિથ્યાત્વના ચરમપુદ્ગલના વેદનથી છે. દસ પ્રકારે આ પ્રમાણે છે. ૧. નિસર્ગ રુચિ ૨. ઉપદેશ રુચિ ૩. આજ્ઞા રુચિ ૪. સૂત્ર રુચિ ૫. બીજ રુચિ ૬. અભિગમરુચિ ૭. વિસ્તાર રુચિ ૮. ક્રિયારુચિ ૯. સંક્ષેપ રુચિ ૧૦. ધર્મરુચિ.” (પ્રવચન સારોદ્ધાર - ગાથા ૯૪૨-૯૪૩-૯૪૭-૯૫૦, સંબોધપ્રકરણ, સમ્યક્તઅધિકાર – ગાથા ૮૯) આનો ભાવાર્થ પ્રવચન સારોદ્ધારની ગાથાનો ભાવાર્થ – ત્યાં=સમ્યત્વના ભેદોમાં, શ્રદ્ધાનરૂપપણું અવિશેષ હોવાથી બધા સખ્યત્વમાં શ્રદ્ધાનરૂપપણું સમાન હોવાથી, એકવિધ સખ્યત્ત્વ છે. નિસર્ગ અને અધિગમના ભેદથી બે પ્રકારનું સખ્યત્ત્વ છે. વળી, નિસર્ગ અને અધિગમનું સ્વરૂપ પૂર્વમાં કહેવાયું છે. આ બંને ઉત્પત્તિ પ્રકાર દ્વારા=નિસર્ગ અને અધિગમરૂપ બંને પ્રકારની ઉત્પત્તિ દ્વારા, સમ્યક્ત બે પ્રકારે ભેદને પામે છે. એ પ્રમાણે અર્થ છે. અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે=સમ્યક્ત બે પ્રકારનું છે. ત્યાં દ્રવ્ય અને ભાવના બે ભેદમાં, જિવોક્ત તત્વમાં સામાન્યથી રુચિ દ્રવ્યથી સમ્યક્ત છે. નય-નિક્ષેપ-પ્રમાણાદિ વડે અધિગમના ઉપાયવાળું જીવજીવાદિ સકલ તત્વના પરિશોધનરૂપ જ્ઞાનાત્મક ભાવસભ્યત્ત્વ છે; કેમ કે પરીક્ષાજચ મતિજ્ઞાનના તૃતીય અંશ સ્વરૂપ જ શાસ્ત્રની પરીક્ષાથી જવ્ય મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાયમાંથી અપાયરૂપ ત્રીજા અંશ સ્વરૂપ જ, તેનું=સમ્યક્તનું, શાસ્ત્રમાં વ્યવસ્થાપિતપણું છે. તેને “સંમતિતર્ક' ગ્રંથમાં સિદ્ધસેન દિવાકરસૂરિ કહે છે – Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૧ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ “આ રીતે જિનપ્રજ્ઞપ્ત ભાવોને ભાવથી શ્રદ્ધા કરનાર પુરુષના આભિનિબોધિક જ્ઞાનમાં દર્શન શબ્દ યુક્ત છે.” (સંમતિતર્ક પ્ર. કા. ૨/૩૨) અને જે શ્રી હરિભદ્રસૂરિ વડે“જિનવચન જ તત્ત્વ છે. અહીં=જિનવચનમાં, રુચિ દ્રવ્યસમ્યક્ત છે. યથાભાવ જ્ઞાનને કારણે=જે પ્રકારે ભાવો રહેલા છે તે પ્રકારના જ્ઞાનને કારણે, શ્રદ્ધાપરિશુદ્ધ=શ્રદ્ધાથી પરિશુદ્ધ, ભાવસમ્યક્ત છે.” (પંચવસ્તક પ્રકરણ ગાથા-૧૦૬૩) એ પ્રમાણે “પંચવસ્તુ' ગ્રંથમાં પ્રતિપાદન કરાયું છે તેનો પણ આ જ અર્થ છે=ગ્રંથકારશ્રીએ દ્રવ્યસમ્યક્ત અને ભાવ સમ્યક્તનો જે અર્થ કર્યો એ જ અર્થ છે. “જિનવચન જ તત્ત્વ છે અન્ય નહિ" એ પ્રકારે સામાન્યરુચિનું દ્રવ્યસમન્વરૂપ પણાનું અને વય-નિક્ષેપ-પ્રમાણથી પરિષ્કૃત વિસ્તારરુચિનું ભાવસમજ્વરૂપપણાનું, ત્યાં='પંચવસ્તુ ગ્રંથમાં, પરિક્રુટપણું છે. ત્યાં= પંચવસ્તુ'ના કથનમાં ‘દ્રવ્ય' શબ્દનો અર્થ કારણતા છે અને ‘ભાવ' શબ્દનો અર્થ કાર્યની પ્રાપ્તિ છે એ પ્રમાણે ભાવન કરવું. વળી, જેઓને એકાંતથી સામાન્ય રુચિ છે અને ઓઘથી પણ અનેકાંતનો અસ્પર્શ છે તેઓને દ્રવ્યસમ્યક્ત છે એ પ્રકારના કથનમાં દ્રવ્ય પદાર્થ અપ્રધાનપણામાં જ છે; કેમ કે જિત સંબંધી પણ શાસ્ત્રનું અવલંબન લઈને એકાંતમાં પ્રવેશ કરતા જીવોના મિથ્યાત્વનું અવર્જકીયપણું છે. તેને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ કહે છે – છકાયની નિયમથી શ્રદ્ધા કરતો=અવધારણથી શ્રદ્ધા કરતો, ભાવથી=પરમાર્થથી, શ્રદ્ધા કરતો નથી. ખરેખર | અપર્યાયમાં પણ અવિભક્ત શ્રદ્ધા હોય છે." વળી, જેને ભગવત્ પ્રરૂપિત અનેકાંતતત્વમાં સમ્યફ અપરિછિદ્ધમાન હોવા છતાં પણ ભગવત્ પ્રરૂપિતપણાથી ત્યાં રુચિ છે અને વિપરીત અભિનિવેશ નથી; કેમ કે ગીતાર્થ પ્રજ્ઞાપનીયત્વાદિ ગુણનો યોગ છે તેને અનાભોગ અને ગુરુપારતન્ય દ્વારા અત્યથા સંભાવનામાં પણ=વિપરીત બોધની સંભાવનામાં પણ, અંત:તત્વનું શુદ્ધપણું હોવાથી=આત્માની અંતરંગ રુચિનું શુદ્ધપણું હોવાથી, દ્રવ્યસમ્યક્ત અવિરુદ્ધ છે. અને તે પ્રમાણે ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં ભદ્રબાહુસ્વામીનું વચન છે – “વળી, સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચનની=ભગવાન વડે કહેવાયેલ શાસ્ત્રની, શ્રદ્ધા કરે છે, અનાભોગથી અથવા ગુરુના નિયોગથી અસદ્ભાવની શ્રદ્ધા કરે છે.” (ગા. ૧૬૩) નનુ'થી શંકા કરે છે – અહીંaઉત્તરાધ્યયનની નિર્યુક્તિના કથનમાં, દ્રવ્ય અને ભાવ બેમાંથી એકતરનું અનિદ્ધરણ હોવાથી દ્રવ્ય જ છે. અર્થાત્ ઉત્તરાધ્યયનમાં કહેલું સમ્યક્ત, દ્રવ્યસમ્યક્ત છે એ પ્રમાણે કહેલું કેવી રીતે નક્કી થાય ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે સામાન્ય વચનનું વિશેષપરતામાં પ્રમાણનું મૃગ્યપણું છેઃઉત્તરાધ્યયનમાં સામાન્યથી સમ્યગ્દષ્ટિનું કથન હોવા છતાં તે દ્રવ્યસમ્યક્ત છે. એ પ્રકારે વિશેષ પર સ્વીકારવામાં તે વચન પ્રમાણભૂત છે એમ કહી શકાય નહિ. એ પ્રમાણે શંકાકાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે અર્થાત્ અપેક્ષાએ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૨ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ શંકાકારની વાત સાચી છે તો પણ તે કથન બરાબર નથી; કેમ કે અધિકૃત એવા તેની દ્રવ્યતામાં ઉત્તરાધ્યયનમાં કહેવાયેલા સમ્યક્તની દ્રવ્યતામાં, વિસ્તારરુચિવાળા ભાવસભ્યત્ત્વનું પ્રમાણપણું છે. વળી દ્રવ્ય અને ભાવના અન્યોન્ય અનુવિદ્ધત્વરૂપ તયદૃષ્ટિમાં ત્યાં ઉત્તરાધ્યયનમાં કહેલા દ્રવ્યસખ્યત્વમાં, કથંચિત્ ભાવસમ્યક્ત પણ કહેવાતું વિરોધ માટે નથી. એ પ્રમાણે અન્યત્ર કહેવાયું છે. આ રીતે દ્રવ્ય-ભાવ દ્વારા નથવિશેષથી વિચિત્ર એવું કૈવિધ્ય ભાવન કરવું. અથવા નિશ્ચય અને વ્યવહાર દ્વારા બે પ્રકારનું છે સમ્યક્ત બે પ્રકારનું છે અને તેનું નિશ્ચય અને વ્યવહાર દ્વારા દ્વિવિધ એવા સમ્યત્વનું, લક્ષણ આ છે. નિશ્ચયથી જ્ઞાનાદિમય આત્માનો શુદ્ધ પરિણામ સજ્જ છે. વળી ઈતર=વ્યવહારથી સમ્યક્ત, સમ્યક્તના હેતુઓ વડે કરીને તમારા સિદ્ધાંતમાં કહેવાયું છે.” (સમ્યક્તસ્તવ. પ્ર.ગા. ૧૧) જ્ઞાન-શ્રદ્ધાન અને ચારિત્ર વડે જ્ઞાતાદીમય શુભ પરિણામ નિશ્ચય સમ્યક્ત છે અને સડસઠ ૬૭ ભેદના સ્વભાવવાળું વ્યવહાર સખ્યત્ત્વ છે. એ પ્રકારનો આનો અર્થ છે=સમ્યક્તસ્તવ પ્રકરણ ગાથા૧૧ના ઉદ્ધરણનો અર્થ છે. નનુથી શંકા કરે છે – જ્ઞાનાદિમય એ પ્રકારના આનો જ્ઞાન-દર્શન-ચારિત્ર સંતુલિત એ પ્રકારનો અર્થ છે=જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત એ પ્રકારનો અર્થ છે. તે રીતે આ=જ્ઞાનાદિમય, ભાવચારિત્ર જ પ્રાપ્ત થયું. કેવી રીતે તૈચ્ચયિક સમ્યક્ત કહેવાય ? એ પ્રમાણે કોઈ શંકા કરે તો ગ્રંથકારશ્રી કહે છે તારી વાત સાચી છે. અહીં પ્રશ્ન થાય કે તો તેને નૈશ્ચયિક સમ્યક્ત કેમ કહ્યું ? તેમાં હેતું કહે છે – ભાવચારિત્રનું જ નિશ્ચયસત્વરૂપપણું છે; કેમ કે તેનાથી જ=નિશ્ચય સમ્યક્તથી જ, મિથ્યાચારના નિવૃત્તિરૂપ કાર્યનો ભાવ છે. અહીં પ્રશ્ન થાય કે મિથ્યાચારના નિવૃત્તિરૂપ કાર્ય કરે તેને નિશ્ચય સમ્યક્ત કેમ સ્વીકારાય છે? તેથી કહે છે – કાર્ય અનુપહિત એવા કારણનો=કાર્ય ન કરતું હોય એવા કારણનો, નિશ્ચયનયથી અસ્વીકાર છે=કારણરૂપે અસ્વીકાર છે. નનુ'થી શંકા કરે છે – આ રીતે ચોથા ગુણસ્થાનકાદિવર્તી શ્રેણિકાદિને પણ તે=ૌચ્ચયિક સમ્યક્ત, નહિ થાય ! એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ન જ થાય શ્રેણિકાદિને નૈશ્ચયિક સમ્યક્ત નથી. કોણ શું કહે છે? અર્થાત્ કોણ ના પાડે છે ?; કેમ કે અપ્રમત્તસંયતને જ તેની વ્યવસ્થિતિ છે=ૌચ્ચયિક સખ્યત્ત્વની પ્રાપ્તિ છે, તે “આચારાંગમાં કહેવાયું છેઃઅપ્રમત્તમુનિને વૈશ્ચયિક સખ્યત્ત્વ છે તે ‘આચારાંગ આગમમાં કહેવાયું છે – “જે સમ્યક્ત એ પ્રમાણે તું જો, તે મૌન એ પ્રમાણે તું જો, જે મૌન એ પ્રમાણે તું જો, તે સમ્યક્ત એ પ્રમાણે તું જો.” Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ શિથિલ=મંદવીર્યવાળા, આદ્રપરિણામવાળા=પુત્રાદિ સ્નેહ વડે કરીને આદ્રક પરિણામવાળા, ગુણાદિ આસ્વાદનવાળા શબ્દાદિ વિષયોરૂપ ગુણોના આસ્વાદને કરનારા પૌદ્ગલિક ભાવોના આસ્વાદને કરનારા, વક્ર સમાચારવાળા=માયાવી, પ્રમ=પ્રમાદવાળા, અગારમાં રહેનારા=ઘરમાં વસતા એવા વડે આ શક્ય નથી=સમ્યક્વાદિ ત્રયરૂપ મૌન શક્ય નથી=રત્નત્રયીરૂપ મૌન શક્ય નથી.” “મુનિ મૌનને=અશેષ સાવઘની નિવૃત્તિરૂપ મૌનને, ગ્રહણ કરીને કર્મ અને ઔદારિક શરીરને ધુણન કરે. કેવી રીતે ધુણન કરે ? પ્રાંત અને રુક્ષત્રપ્રાંત જ એવા રૂક્ષપણાદિને સેવતા વીર સમ્યગ્દર્શનવાળા છે." “નનુ'થી શંકા કરે છે – આ રીતે પણ=પૂર્વમાં નિશ્ચય સખ્યત્વનું સ્વરૂપ બતાવ્યું એ રીતે પણ, કારકસમ્પર્વતો અને નિશ્ચયસમ્યત્વનો ભેદ થાય નહિ; કેમ કે ક્રિયાથી ઉપહિત જત્રક્રિયાથી યુક્ત જ, કારણપણું છે સમ્યત્ત્વનું કારકપણું છે. અને ક્રિયાનું ચારિત્રરૂપપણું છે. જ્ઞાનાદિમય પરિણામનું પણ તથાપણું છે=ચારિત્રરૂપપણું છે. એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર તથી=કારક સમ્યક્ત અને નિશ્ચય સમ્યક્તનો ભેદ નથી એ કથન બરાબર નથી; કેમ કે ઉપધેયના સંકરમાં પણ ઉપાધિનું અસાંકર્યું હોવાને કારણે દોષ નથી=કારક સમ્યક્ત અને નિશ્ચય સમ્યત્વનો ભેદ સ્વીકારવામાં દોષ નથી. અહીં પ્રશ્ન થાય કે કારકસમ્યક્ત અને નિશ્ચયસમ્યક્તની ઉપાધિનું અસાંકર્ય કઈ રીતે છે ? તેથી તે બેની ભિન્ન ઉપાધિ બતાવે છે – કારક સખ્યત્ત્વમાં ‘ક્રિયા ઉપહિતત્વ' ઉપાધિ છે અને વૈશ્ચયિક સખ્યત્વમાં જ્ઞાનાદિમયત્વ', ઉપાધિ છે. તિ” શબ્દ કારકસમ્યત્ત્વના અને વૈશ્ચયિક સમ્યક્વતા ભેદની શંકાના સમાધાનની સમાપ્તિ અર્થક છે. આવા પ્રકારના વૈશ્ચયિક સમ્યક્તને સ્વીકારીને જ જ્ઞાનાદિમયતારૂપ વૈશ્ચયિક સમ્યક્તને સ્વીકારીને જ, પ્રશમાદિનું લક્ષણ સિદ્ધાંતમાં કહેલું સંગત થાય છે. અન્યથા શ્રેણિક-કૃષ્ણાદિને પણ તેનો અસંભવ હોવાને કારણે લક્ષણના વ્યાઘાતનો સંભવ છે. તે વિંશિકામાં શ્રી હરિભદ્રાચાર્ય વડે કહેવાયું છે – વ' અથવા “સુમનનિવારૂપ'=સૂત્રમાં કહેવાયેલા નિપુણ આચરણા કરવા રૂપ જ “ fછયસમ્મત્ત'= નિશ્ચય સમ્યક્તને “દિગ્વિ '=આશ્રયીને “મો'=આ=પૂર્વમાં વર્ણન કરાયેલા અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચે ભાવોનો સમુદાય વંવિદો' પૂર્વમાં વર્ણન કરાયો છે એવા પ્રકારનો ‘ fમોજો'=નિર્દેશ “વભુત્તિ =વાચ્ય હો =થાય છે. હંત'=કોમળ આમંત્રણમાં અવ્યય છે. અથવા સૂત્રમાં કહેવાયેલ નિપુણ આચરણા કરવા રૂપ જ નિશ્ચયસમ્યક્તને આશ્રયીને પૂર્વમાં વર્ણન કરાયેલ અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચેય ભાવોનો સમુદાય પૂર્વમાં વર્ણન કરાયો છે, એવા પ્રકારનો નિર્દેશ વાચ્ય થાય છે.” આનો વિશેષ અર્થ અમારા સદુધર્મવિશિકા'ના લખાણથી જાણવો. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અહીં= સધર્મવિંશિકા'ના ઉદ્ધરણના શ્લોકમાં ‘વા' કાર=વિષય-વિશેષની અપેક્ષાથી પ્રકારાત્તરના ઉપદર્શન માટે છે. અથવા જ્ઞાનાદિમય એ પ્રકારના આનો=સમ્યક્ત સ્તવ – ગા. ૧૧ના ઉદ્ધરણતો, આ અર્થ છે – જ્ઞાનનયમાં=જ્ઞાનનયની દૃષ્ટિથી જ્ઞાનની દશાવિશેષમાં જ, સમ્યક્ત છે=જ્ઞાનની અસંગ પરિણતિરૂપ દશાવિશેષમાં જ સમ્યક્ત છે. અને ક્રિયાનયમાં=ક્રિયાનયની દૃષ્ટિથી, ચારિત્રરૂપ સમ્યક્ત છે. વળી, દર્શનનયમાં દર્શનનયની દૃષ્ટિથી, સ્વતંત્ર વ્યવસ્થિત જ છે ચારિત્ર વગર પણ સ્વતંત્ર ચતુર્થ ગુણસ્થાનકવર્તી જીવોમાં સમ્યક્ત વ્યવસ્થિત જ છે. વળી શુદ્ધાત્મપરિણામગ્રાહી નિશ્ચયનયમાં યતિનો આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. જે કારણથી તદાત્મક જ આદર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક યતિ, શરીરનો આશ્રય કરે છે.” (યોગશાસ્ત્ર - ૪/૧) એ પ્રમાણે યોગશાસ્ત્રના વચનથી આત્મા જ નિરૂપાધિશુદ્ધસ્વરૂપ પ્રકાશને કારણે જ્ઞાનરૂપ છે અને શ્રદ્ધાનથી દર્શનરૂપ છે, સ્વભાવની આચરણાથી ચારિત્રરૂપ છે, એથી શુદ્ધાત્માનો બોધ, શુદ્ધાત્માનું આચરણ=શુદ્ધાત્માને પ્રગટ કરવા માટેની આચરણા, શુદ્ધાત્માની તૃપ્તિ જ નિશ્ચય સમ્યક્ત છે. ત્તિ' શબ્દ “નિશ્ચય સખ્યત્વ'ના કથનની સમાપ્તિ માટે છે. વિસ્તારથી સર્યું. જે પ્રમાણે - ક્ષાયિક, લાયોપશમિક અને ઓપશમિક એ રીતે ત્રિવિધ છે. ત્રિવિધ કેમ છે? તેથી કહે છે. વેદકસભ્યત્ત્વનો ક્ષાયોપથમિક સમ્યક્તમાં અંતર્ભાવ છે. સાસ્વાદન સમ્યક્તનું અવિક્ષિતપણું છે=સમ્યક્ત રૂપે વિવક્ષા કરેલ નથી. માટે સમ્ય ત્રિવિધ છે એમ અવય છે. વળી અર્થ-ત્રણ પ્રકારના સભ્યત્વનો અર્થ, પૂર્વમાં કહેલો છે=પાંચ ભેદોના વર્ણનમાં ક્ષાયિકાદિ સખ્યત્ત્વનું વર્ણન કરેલું છે અથવા કારક, રોચક અને દીપક એ પ્રમાણે અન્ય રીતે ત્રિવિધ છે. ત્યાં=કારકાદિ ત્રણ ભેદોમાં, કારક સમ્યક્ત : કારક સૂત્રાજ્ઞાશુદ્ધ ક્રિયા જ છે; કેમ કે તેનું જ સૂત્રની આજ્ઞાથી શુદ્ધ એવી ક્રિયાનું જ, પરગત સમ્યક્તનું ઉત્પાદકપણું હોવાથી સમ્યક્તરૂપપણું છે. અથવા તદવચ્છિન્ન'=પરગત સમ્યક્ત ઉત્પાદકતાવચ્છિન્ન સમ્યક્ત કારકસમ્યક્ત છે. અને આ=કારક સમ્યક્ત, વિશુદ્ધ ચારિત્રીને જ છે અપ્રમત્ત મુનિઓને જ છે. રોચક સમ્યક્તઃ સમ્યફ અનુષ્ઠાનની પ્રવૃત્તિની જે રુચિ કરાવે છે પરંતુ સમ્યફ અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરાવતું નથી તે ‘રોચક સમ્યત્ત્વ છે, અવિરત સમ્યફદષ્ટિ એવા કૃષ્ણ-શ્રેણિકાદિને રોચક સત્ત્વ છે. દીપક સમ્યક્ત ઃ દીપક વ્યંજક એ અનર્થાન્તર છે=એકાર્યવાચી છે. અને આ=દીપક સમ્યક્ત, સ્વયં મિથ્યાદષ્ટિ પણ જે જીવ, પરને જીવાજીવાદિ પદાર્થોને યથાવસ્થિત વ્યક્ત કરે છે તેને=દીપક સમ્યક્તને અંગારમ“કાદિને જાણવું. Page #72 -------------------------------------------------------------------------- ________________ ԿԿ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વળી, ચાર પ્રકારનું સખ્યત્વ છે કેમ કે ક્ષાયિકાદિ ત્રણમાં-પૂર્વમાં ક્ષાયિકાદિ ત્રણભેદવાળું સમ્યગ્દર્શન કહ્યું તેમાં, અધિક એવા સાસ્વાદનની ગણના કરેલ છે. અને વેદકનો પરિત્યાગ કરેલો છે અર્થાત્ વેદકસમ્યક્તનો લાયોપશમિક સમ્યક્તથી પૃથફરૂપે પરિત્યાગ કરેલો છે. અને વેદક યુક્ત તે જ=ચાર પ્રકારનું સમ્યક્ત જ, પાંચ પ્રકારનું છે. અને દશવિધ સમ્યક્ત “ઉત્તરાધ્યયન' ગ્રંથના અનુસારથી બતાવે છે – ૧. નિસર્ગરુચિસખ્યત્વ, ૨. ઉપદેશરુચિસખ્યત્ત્વ, ૩. આજ્ઞારુચિસખ્યત્વ, ૪. સૂત્રરુચિસખ્યત્ત્વ, ૫. બીજરુચિસમ્યક્ત, ૬. અભિગમરુચિસખ્યત્વ, ૭. વિસ્તારરુચિસમ્યક્ત, ૮. ક્રિયારુચિસખ્યત્વ, ૯. સંક્ષેપરુચિસખ્યત્વ, ૧૦. ધર્મરુચિસમ્યક્ત. તિ’ શબ્દ સખ્યત્વના દસ ભેદની સમાપ્તિ માટે છે. ત્યાં=દસ પ્રકારના ભેદમાં ૧. નિસર્ગરુચિસમ્યક્ત, ભૂતાર્થપણાથી સહસંમતિ દ્વારા જીવાજીવાદિ નવ પદાર્થ વિષયક રુચિ નિસર્ગરુચિ સમ્યફદર્શન છે. ભૂતાર્થે એ પ્રકારનો આનો ભૂતાર્થપણા વડે એ પ્રકારનો અર્થ છે; કેમ કે ભાવપ્રધાન નિર્દેશ છે=ભૂતાર્થ શબ્દમાં ભાવપ્રધાન નિર્દેશ છે. તેથી ભૂતાર્થનો અર્થ ‘ભૂતાર્થત્વ કરવાનો છે. તેનો ફલિતાર્થ બતાવે છે – સભૂત અર્થવાળા આ છે=જીવાજીવાદિ નવ પદાર્થો છે. એ સ્વરૂપથી “ભૂતાર્થત્વેન' શબ્દનો અર્થ છે. વસ્તુતઃ “મૂતાર્થેન' એ પ્રકારનો આનો “શુદ્ધનન’ એ પ્રકારનો અર્થ છે; કેમ કે “વ્યવહાર અભૂતાર્થ છે અને ભૂતાર્થ શુદ્ધ નય કહેવાયો છે એ પ્રકારનું વચન છે."() - તેથી=ભૂતાર્થ શબ્દનો શુદ્ધનય એ પ્રકારનો અર્થ કર્યો તેથી, વ્યવહાર માત્ર રુચિતો વિચ્છેદ છે=શુદ્ધનય નિરપેક્ષ વ્યવહાર માત્રથી જીવાજીવાદિ નવ પદાર્થ વિષયક રુચિનો સમ્યગ્દર્શન રૂપે અસ્વીકાર છે. નિસર્ગરુચિ સમ્યક્દર્શનનું જે લક્ષણ બતાવ્યું તેમાં ભૂતાર્થ' શબ્દનો અર્થ કર્યા પછી “સહસંમત્યા” શબ્દનો અર્થ કરે છે – સહસંમત્ય' એ પ્રકારા આનો સહઆત્મના=સહ સ્વરૂપથી=પોતાની મેળે, સંગત થયેલી મતિ એ સહસંમતિ છે. તેના વડે જીવાજીવાદિ નવપદાર્થ વિષયક રુચિ તે નિસર્ગ-રુચિસખ્યત્ત્વ છે એમ અવય છે. તેનો-સહસંમત્યા' શબ્દનો, ફલિતાર્થ બતાવે છે – ઉપદેશ નિરપેક્ષ ક્ષયોપશમથી થનારી જીવાજીવાદિ પદાર્થની રુચિ તે નિસર્ગરુચિસમ્યક્ત છે એ પ્રકારનો અર્થ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૨. ઉપદેશરુચિ સમ્યક્ત : પરોપદેશ પ્રયુક્ત જીવાજીવાદિ પદાર્થ વિષયક શ્રદ્ધાન ઉપદેશરુચિ છે. પરોપદેશ શબ્દમાં પર શબ્દથી તીર્થકર અથવા તીર્થંકરના વચનને અનુસરનાર છદ્મસ્થનું ગ્રહણ છે. ઉપદેશરુચિ' શબ્દનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – કેવલજ્ઞાન મૂલકત્વ પ્રયુક્ત ઉપદેશની રુચિ તે “ઉપદેશરુચિસખ્યત્ત્વ' છે. અથવા તેનાથી જન્ય બોધરૂપ રુચિ ઉપદેશરુચિસમ્યક્ત છે એ પ્રકારનો નિષ્કર્ષ છે=ઉપદેશરુચિસમ્યક્તનું તાત્પર્ય છે. તે=પૂર્વમાં કહ્યું કે પર એવા તીર્થકર કે તીર્થંકરના વચનને અનુસરનાર છદ્મસ્થતા વચનથી પ્રયુક્ત જીવાજીવાદિ પદાર્થ વિષયક શ્રદ્ધાન ‘ઉપદેશરુચિસત્ત્વ છે. તે, સૂત્રકૃતાંગમાં કહેવાયું છે – અહીં=સંસારમાં, કેવલજ્ઞાનથી લોકને જાણ્યા વગર અજાણતા એવા જેઓ ઘર્મને કહે છે અનર્વાકપાર એવા ઘોર સંસારમાં નષ્ટ એવા તેઓ પોતાના આત્માનો અને પરનો નાશ કરે છે.” અહીં=સંસારમાં, કેવલજ્ઞાનથી લોકને જાણે છે. પુણ્યથી જ્ઞાનથી, સમાધિથી યુક્ત એવા જેઓ સમસ્તધર્મને કહે છે. તીર્ણ એવા તેઓ પોતાના આત્માને અને પરને તારે છે.” (સૂત્રકૃતાંગ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૬, ગા. ૭૮૬-૭૮૭) ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અહીંaઉપદેશરુચિસખ્યત્વના લક્ષણમાં, ઉપદેશમાં અને તજન્ય બોધમાં રુચિ છે તે સંશયવ્યાવર્તકતાવચ્છેદક ધર્મ વિશેષ છે. ૩. આજ્ઞારુચિસખ્યત્વઃ રાગ-દ્વેષ રહિત એવા પુરુષને આજ્ઞાથી જ ધર્માનુષ્ઠાનગત રુચિ ‘આજ્ઞારુચિ' છે. અને રહિતપણું=રાગ-દ્વેષ રહિતપણું, દેશથી અને સર્વથી છે. ત્યાં દેશથી દોષ રહિત એવા આચાર્યાદિની આજ્ઞાથી માપતુષાદિ જીવોને ધર્માનુષ્ઠાનમાં રુચિ તે તે અનુષ્ઠાનમાં સમ્યક્ત સંપાદિકા છે=જે-જે અનુષ્ઠાન તેઓ સેવે છે તે-તે અનુષ્ઠાનમાં યથાર્થપણાની સંપાદિકા છે. તે=પૂર્વમાં કહ્યું કે દેશથી દોષ રહિત આચાર્યાદિની આજ્ઞાથી જીવો ધર્માનુષ્ઠાનમાં રુચિ ધરાવે છે એ રુચિ, ધર્માનુષ્ઠાનને યથાર્થ સંપાદિકા છે=ધર્માનુષ્ઠાનને યથાર્થ કરનારી છે – તે, પંચાશકમાં કહેવાયું છે – “આથી જ ચારિત્રી એવા માષતુષ આદિ મુનિઓને ગુરુપરતંત્રજ્ઞાન અને શ્રેયસં'=ગુરુ પારતંત્ર્યથી સંગત શ્રદ્ધાન નિર્દિષ્ટ છે." (પંચાશક - ૧૧/૭) “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને સર્વદોષરહિત એવા ભગવાનની આજ્ઞાનું મૂલપણું ત્યાં પણ=દેશથી દોષરહિત એવા આચાર્યાદિમાં પણ, અપ્રામાણ્ય શંકાના તિવર્તકપણા વડે સર્વત્ર=સર્વત્ર અનુષ્ઠાનોમાં, રુચિ પ્રયોજક છે એ પ્રમાણે વિશેષ છે. ૪. સૂત્રરુચિસમ્યક્ત ઃ સૂત્ર અધ્યયનના અભ્યાસથી જનિત વિશિષ્ટ જ્ઞાનથી જીવાજીવાદિ પદાર્થ વિષયવાળી રુચિ ગોવિંદાચાર્યની જેમ સૂત્રરુચિ છે. અને પુનઃ પુનઃ સ્મરણથી દઢતર સંસ્કાર થાય છે Page #74 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ એની જેમ, ફરી ફરી અઘ્યયનથી દૃઢતર જ્ઞાન નિ:સંશય થાય છે. એથી કંઈ અનુપપન્ન નથી=સૂત્ર અધ્યયનના અભ્યાસથી જનિત વિશિષ્ટ જ્ઞાનથી સૂત્રરુચિ થાય છે તે કથનમાં કંઈ અનુપપન્ન નથી. ૫. બીજરુચિસમ્યક્ત્વ : એક પદથી અનેક પદની સાથે તેના અર્થના પ્રતિસંધાન દ્વારા પાણીમાં તેલબિંદુની જેમ પ્રસરણશીલરુચિ ‘બીજરુચિ' છે. ‘પ્રસરણશીલ’ માં પ્રસાર શું છે ? તે સ્પષ્ટ કરે છે ઉત્તરોત્તરની ઉત્પત્તિ પ્રસાર છે. ૬. અભિગમરુચિ સમ્યક્ત્વ : અર્થથી=સૂત્રના અર્થને આશ્રયીને, સકલ સૂત્રવિષયક રુચિ અભિગમરુચિ છે અને કહે છે - - “જેને અગિયાર અંગ, પ્રકીર્ણક, અને દૃષ્ટિવાદરૂપ શ્રુતજ્ઞાન અર્થથી જોવાયું છે તે અભિગમરુચિ થાયતે પુરુષ અભિગમરુચિવાળો છે.” (પ્રવચનસારોદ્ધાર - ગા. ૯૫૬) ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ૫૭ ઉદ્ધરણમાં=‘પ્રકીર્ણક' શબ્દ જાતિમાં એકવચન છે. તેથી પ્રકીર્ણકનો અર્થ પ્રકીર્ણકો ઉત્તરાધ્યયન આદિ છે. અને દૃષ્ટિવાદ. ‘ચ' કારથી ઉપાંગ આદિનું ગ્રહણ છે=ઉદ્ધરણમાં રહેલા ‘અ' શબ્દથી ઉપાંગાદિનું ગ્રહણ છે. - 1 ‘નનુ’થી શંકા કરે છે • આ રીતે=અભિગમરુચિનો અર્થ કર્યો એ રીતે, આઅભિગમરુચિ સૂત્રરુચિથી જુદી પડતી નથી અને આ=અભિગમરુચિ અર્થથી અવચ્છિન્ન સૂત્ર વિષયવાળી છે=અર્થના બોધપૂર્વક સૂત્ર વિષયવાળી છે. અને તે=સૂત્રરુચિ, સૂત્ર વિષયવાળી કેવલ છે, એ પ્રકારે ભેદ નથી; કેમ કે કેવલ સૂત્રનું મૂકપણું હોવાથી તદ્વિષયવાળી રુચિનું=સૂત્રવિષયવાળી રુચિનું, અપ્રમાણપણું છે અને કહે ‘કેવલ સૂત્ર મૂક છે.' (ઉપદેશપદ ગા. ૮૫૬) છે છે કેવલ સૂત્રરુચિનું ‘વન’=ફક્ત, અપ્રમાણપણું નથી પરંતુ અજ્ઞાન અનુબંધીત્વ પણ છે. તે ઉપદેશમાલામાં કહેવાયું છે . - - “અપરિચ્છિન્ન શ્રુત નિકષવાળા, કેવલ અભિન્ન સૂત્રચારી એવા પુરુષનું સર્વ ઉદ્યમથી પણ કરાયેલું કૃત્ય અજ્ઞાનતપમાં બહુ પડે છે." (ઉપદેશમાલા – ગા. ૪૧૫) ઉપદેશમાલા ગ્રંથના ઉદ્ધરણમાં રહેલા ‘મિત્રસુત્તવારિસ્મ' શબ્દમાં રહેલા ‘અભિન્ન' શબ્દનો અર્થ કરે ‘અવિવૃત’. ‘નન્નુ' થી કરાયેલી શંકાથી એ પ્રાપ્ત થયું કે સૂત્રરુચિ અને અભિગમરુચિનો કોઈ ભેદ નથી એ પ્રકારે કોઈ કહે તેને ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આમ છતાં તે બેનો ભેદ કઈ અપેક્ષાએ છે ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – સૂત્રરુચિમા અર્થનો અને અર્થરુચિમાં સૂત્રનો પ્રવેશ હોવા છતાં પણ સૂત્રાર્થોધ્યયતજનિત જ્ઞાનવિશેષકૃત રુચિના ભેદથી ભેદ છેઃસૂત્રરુચિ કરતાં અર્થરુચિનો ભેદ છે, આથી જ અભિગમરુચિનો સૂત્રરુચિ કરતાં ભેદ છે. આથી જ, સૂત્ર અધ્યયન કરતાં અર્થ અધ્યયનમાં અધિક યત્ન “ઉપદેશપદમાં ઉપદિષ્ટ છે. તે આ પ્રમાણે – સૂત્રથી અર્થમાં અધિકતર યત્ન ખરેખર કર્તવ્ય છે. આનાથી=અર્થમાં ઉદ્યમ કરવાથી, ઉભયની વિશુદ્ધિ છે=સૂત્ર અને અર્થ ઉભયની વિશુદ્ધિ છે. કેવલ સૂત્ર મૂક છે.” (ઉપદેશપદ – ગા. ૮૫૬) પૂર્વમાં અભિગમરુચિથી સૂત્રરુચિનો ભેદ કઈ અપેક્ષાએ છે તે બતાવ્યું. હવે “અથવાથી અભિગમરુચિનો સૂત્રરુચિથી કઈ રીતે ભેદ છે ? તે અન્ય રીતે બતાવે છે – અથવા સૂત્રની નિર્યુક્તિ આદિ ગ્રંથ વિષયક રુચિના ભેદથી ભેદ છે=અભિગમરુચિનો સૂત્રરુચિથી ભેદ છે. આથી જ અભિગમરુચિ સૂત્રરુચિથી ભિન્ન નિયુક્તિ આદિ વિષયપણાથી ‘ઠાણાંગ' સૂત્રની વૃત્તિમાં પ્રતિપાદન કરાયેલી છે. ‘બત વાજ્ઞા' પાઠ છે ત્યાં “ગત વિમાનધિ' પાઠ હોવાની સંભાવના છે તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે. ૭. વિસ્તારરુચિ સમ્યક્ત ઃ સર્વ પ્રમાણ, સર્વ નયજવ્ય સર્વ દ્રવ્ય અને સર્વ ભાવ વિષયક રુચિ “વિસ્તારરુચિ” છે. ૮. ક્રિયારૂચિ સમ્યક્ત : દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વિજયાદિ અનુષ્ઠાન વિષયક રુચિ ‘ક્રિયારુચિ છે. અને આજ્ઞારુચિ પણ ધર્માનુષ્ઠાન વિષયક છે, આ પણ ક્રિયારુચિ પણ, તેવી છે ધર્માનુષ્ઠાન વિષયક છે, એથી આ બેનો=ક્રિયારૂચિ અને આજ્ઞારુચિ એ બેનો, શું ભેદ છે ? એ પ્રમાણે શંકા ન કરવી; કેમ કે તે આજ્ઞારુચિ, આજ્ઞાના સ્મરણથી નિયત છે. વળી, આ ક્રિયારુચિ અસંગા છેઅસંગાનુષ્ઠાનવાળી છે એ પ્રકારે ભેદ છે=આજ્ઞારુચિથી ક્રિયારુચિનો ભેદ છે. આથી જ=ક્રિયારુચિ અસંગાનુષ્ઠાનવાળાને છે આથી જ, સર્વ સાભ્યથી પરિણત ચારિત્ર ક્રિયાવાળા “રૂતો ચરિત્તાગો'= અસંગભાવથી જ ચારિત્રકાયાવાળા, એ પ્રકારના વચનથી પૂજ્ય હરિભદ્રસૂરિજી વડે ચારિત્રકાયાવાળા મહર્ષિઓ કહેવાયા છે. ૯. સંક્ષેપરુચિસમ્યક્ત અનભિગૃહીત કુદૃષ્ટિવાળા પ્રવચન અવિશારદની નિર્વાણપદ માત્ર વિષયવાળી રુચિ “સંક્ષેપરુચિસખ્યત્ત્વ છે. જે પ્રમાણે ઉપશમાદિ પદત્રય વિષયવાળી ચિલાતીપુત્રની રુચિ, અને વિશેષ્યભાગ રહિત=નિર્વાણપદ માત્ર વિષયની એ પ્રકારના વિશેષ્યભાગ રહિત, વિશેષણદ્વય માત્ર જ=અભિગૃહીત કુદૃષ્ટિવાળા એવા પ્રવચન અવિશારદને એ પ્રકારના વિશેષણદ્વય માત્ર જ, આનું સંક્ષેપરુચિનું, લક્ષણ યુક્ત નથી; કેમ કે મૂચ્છદિ દશાની સાથે સાધારણપણું છે. ૧૦. ધર્મરુચિસમ્યક્ત : ધર્મપદમાત્રના શ્રવણથી જનિત એવી પ્રીતિથી સહિત ધર્મપદવાણ્ય વિષયક રુચિ ધર્મરુચિસમ્યક્ત' છે અને કહે છે – Page #76 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ પ૯ જે જીવ જિન અભિહિત=ભગવાને કહેલા, અસ્તિકાયાદિ ઘર્મની, શ્રતધર્મની અને ચારિત્રધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ છે એ પ્રમાણે જાણવું." (પ્રવચનસારોદ્ધાર ગા. ૯૬૦) ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. (અને આ રીતે=ધર્મપદવાણ્ય વિષયવાળી રુચિ ધર્મરુચિસખ્યત્ત્વ છે એ પ્રમાણે કહ્યું એ રીતે, ગ્રામધર્માદિપદ વાચ્ય વિષયવાળી પણ રુચિ તે પ્રમાણે થાય=ધર્મરુચિસખ્યત્વ થાય, એ પ્રમાણે ન કહેવું; કેમ કે નિરુપપદ ધર્મપદવાણ્યનું જ ગ્રહણ છે વિશેષણ વગર ધર્મપદ વાચ્યનું જ ગ્રહણ છે. અને આ રીતે=વિશેષણ રહિત ધર્મપદ વાચ્ય વિષયવાળી રુચિને જ ગ્રહણ કરી એ રીતે, ચારિત્રધર્માદિપદ વાઓ વિષયવાળી રુચિમાં અવ્યાપ્તિ છે=ધર્મરુચિસખ્યત્ત્વના લક્ષણની અપ્રાપ્તિ છે એમ ન કહેવું; કેમ કે નિરુપપરત્વનું વાસ્તવધર્મમાં અતિપ્રસંજક એવા ઉપપદ રાહિત્યનું વિવક્ષિતપણું છે. એ પ્રમાણે દિશા છે.) ભાવાર્થ પૂર્વમાં સમ્યક્તના પાંચ પ્રકાર બતાવ્યા અને તેના વિષયક અન્ય વક્તવ્ય પણ અત્યાર સુધી બતાવ્યું. તે પૂરું કર્યા પછી હવે અન્ય શાસ્ત્રોમાં સમ્યક્તના પાંચ ભેદોના બદલે એક પ્રકાર આદિ અન્ય રીતે વિભાગો કર્યા છે તે બતાવવા અર્થે કહે છે – તેમાં “પ્રવચનસારોદ્ધાર' ગ્રંથની ગાથાનું ઉદ્ધરણ છે. તેના પ્રથમ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – ' સમ્યક્ત કોઈક દૃષ્ટિથી વિચારીએ તો એક પ્રકારે છે. અન્ય દૃષ્ટિથી વિચારીએ તો બે પ્રકારે છે. વળી તેનાથી અન્ય દૃષ્ટિથી વિચારીએ તો ત્રણ પ્રકારે છે. વળી તેનાથી અન્યદૃષ્ટિથી વિચારીએ તો ચાર પ્રકારે છે. વળી તેનાથી અન્યદૃષ્ટિથી વિચારીએ તો પાંચ પ્રકારે છે. વળી તેનાથી અન્યદૃષ્ટિથી વિચારીએ તો દસ પ્રકારે છે. સમ્યક્ત, સમ્યક્તરૂપે વિચારીએ તો તત્ત્વની રુચિરૂપે એક પ્રકારે છે. વળી, બે પ્રકારે કઈ રીતે છે ? તે બતાવતાં કહે છે – દ્રવ્યાદિથી બે પ્રકારે છે. અર્થાત્ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. જે જીવોને સંક્ષેપથી જિનવચનમાં રૂચિ છે તેઓને દ્રવ્યથી સમ્યક્ત છે, જેમ માપતુષ આદિ મુનિને કે અગીતાર્થ સાધુઓને જિનવચનમાં રૂચિ છે તે દ્રવ્યથી સમ્યક્ત છે. જેઓ સ્વદર્શન-પરદર્શનનાં શાસ્ત્રોને જાણીને ભગવાનના શાસનના સર્વ નયોની દૃષ્ટિના પરમાર્થને પામેલા છે તેવા ગીતાર્થ સાધુઓને ભાવથી સમ્યગ્દર્શન છે. વળી કારકાદિ ભેદથી સમ્યક્ત ત્રણ પ્રકારે છે – ૧. કારકસમ્યક્ત ૨. રોચકસમ્યક્ત ૩. દીપક સમ્યક્ત. Page #77 -------------------------------------------------------------------------- ________________ go ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧. કારકસમ્યક્ત : જે જીવો ભગવાનના વચનમાં રુચિવાળા છે અને સન્માર્ગના પરમાર્થને યથાર્થ જાણનારા છે, જિનવચનાનુસાર અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરનારા છે, તેઓની અપ્રમાદભાવની પ્રવૃત્તિ અન્ય જીવોને પણ આ જ જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ છે તેવો બોધ કરાવનાર હોવાથી અને પોતાના જીવનમાં પણ જે બોધ છે તે અનુસાર પ્રવૃત્તિ કરાવનાર હોવાથી “કારકસમ્યક્ત' છે. ૨. રોચકસભ્યત્ત્વ - જે જીવોને ભગવાનના વચનમાં સ્થિર રુચિ છે, તેથી ભગવાનનું વચન જ સર્વ કલ્યાણનું કારણ ભાસે છે માટે શક્તિ અનુસાર ભગવાનના વચનને જાણવા અને જીવનમાં સેવવા માટે યત્ન કરે છે તેવા જીવોને “રોચક સમ્યક્ત' છે. ૩. દીપકસમ્યક્ત - જે જીવો સ્વયં મિથ્યાદૃષ્ટિ છે. છતાં ભગવાનનાં વચનનો યથાર્થ ઉપદેશ આપીને યોગ્ય જીવોમાં સમ્યક્ત પ્રગટ કરે છે, તેવા અંગારમÉકાદિ આચાર્ય જેવા જીવોમાં દીપકસમ્યત્ત્વ છે. વળી, ઉપશમાદિના ભેદથી સમ્યક્ત ત્રણ પ્રકારે છે – ૧. ઉપશમ સમ્યક્ત. ૨. ક્ષયોપશમ સમ્યક્ત. ૩. ક્ષાયિક સમ્યક્ત. વળી, ઉપશમાદિના ભેદથી સમ્યક્ત ચાર પ્રકારે છે – ૧. ઉપશમ સમ્યક્ત. ૨. ક્ષયોપશમ સમ્યક્ત. ૩. ક્ષાયિક સમ્યક્ત. ૪. સાસ્વાદન સમ્યક્ત. વળી, ઉપશમાદિના ભેદથી સમ્યક્ત પાંચ પ્રકારે છે – ૧. ઉપશમ સમ્યક્ત. ૨. ક્ષયોપશમ સમ્યક્ત. ૩. ક્ષાયિક સમ્યક્ત. ૪. સાસ્વાદન સમ્યક્ત. ૫. વેદક સમ્યક્ત. વળી, ઉપદેશરુચિ આદિના ભેદથી સમ્યક્ત દસ પ્રકારે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ બીજા શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – એકવિધ સમ્યગ્દર્શન સમ્યક્તની રુચિરૂપ છે. તેથી જે જીવોને ઉપશમભાવની કે ક્ષયોપશમભાવની કે સાયિકભાવની ભગવાનના વચનાનુસાર તત્ત્વની રુચિ છે તે સર્વને તત્ત્વરુચિરૂપે ગ્રહણ કરીએ તો સમ્યક્ત એક પ્રકારનું છે. વળી, નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેથી નિસર્ગ અને અધિગમના ભેદથી સમ્યગ્દર્શન બે ભેદવાળું છે. વળી તે સમ્યગ્દર્શન ક્ષયાદિરૂપ ત્રણ પ્રકારનું છે. ૧. કર્મના ક્ષયથી થયેલું તે ક્ષાયિક સમ્યગ્દર્શન અને ૨. કર્મના ક્ષયોપશમથી થયેલું તે ક્ષયોપશમ સમ્યગ્દર્શન અને ૩. કર્મના ઉપશમથી થયેલું તે ઉપશમ સમ્યગ્દર્શન છે. અથવા કારકાદિ ભેદથી ત્રણ પ્રકારનું છે જેની સ્પષ્ટતા પ્રથમ ગાથાના ભાવાર્થમાં કરેલ છે. ત્રીજા શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – પૂર્વમાં ક્ષાયિકાદિ ત્રણ ભેદ બતાવ્યા. તે ત્રણ ભેદો “સાસ્વાદનથી યુક્ત ગ્રહણ કરીએ તો સમ્યક્ત ચાર ભેદવાળું પ્રાપ્ત થાય છે. વળી, તે ચાર ભેદોને “વેદક સમ્યક્ત' યુક્ત ગ્રહણ કરીએ તો પાંચ ભેદો પ્રાપ્ત થાય છે. આ રીતે, એકવિધથી માંડીને પંચવિધ સમ્યક્ત કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવ્યા પછી પાંચમા વેદકસમ્યક્તમાં વેદકસમ્યક્ત શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – વેદકસભ્યત્વ મિથ્યાત્વના ચરમપુદ્ગલના વેદનથી તે “વેદક સમ્યક્ત' પ્રાપ્ત થાય છે અર્થાત્ મિથ્યાત્વના ત્રણ પુંજોમાંથી મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયની ક્ષપણા કર્યા બાદ જે સમ્યક્ત મોહનીયરૂપે મિથ્યાત્વના પુદ્ગલો વર્તે છે તે સમ્યક્વમોહનીયરૂપે રહેલા મિથ્યાત્વના પુગલોના જે છેલ્લા ગ્રાસનું વેદન તે “વેદક સમ્યક્ત” છે. આ રીતે, એકવિધ આદિ ભેદ બતાવ્યા પછી છેલ્લા દસવિધ ભેદને બતાવવા અર્થે કહે છે કે આ દસ ભેદો આ પ્રકારે છે. તે દસ ભેદો આગળની ગાથામાં બતાવે છે – ચોથા શ્લોકનો અર્થ આ પ્રમાણે છે :૧. નિસર્ગરુચિસખ્યત્વઃ તત્ત્વના દર્શનમાં પ્રતિબંધક કર્મોનો નિસર્ગથી નિગમન થવાને કારણે જીવને નિસર્ગથી સમ્યક્ત પ્રગટે છે તે વખતે તત્ત્વની જે રુચિ પ્રગટે છે તે નિસર્ગરુચિસમ્યક્ત' છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ કર ૨. ઉપદેશરુચિસમ્યક્ત્વ : કોઈ મહાત્મા પાસેથી જિનવચનના પરમાર્થનો બોધ થાય અને તેનાથી સર્વજ્ઞએ કહેલા પદાર્થો પ્રત્યે રુચિ પ્રગટે તે ‘ઉપદેશરુચિસમ્યક્ત્વ’ છે. ૩. આજ્ઞારુચિસમ્યક્ત્વ - જિનવચનનો બોધ થયા પછી જે મહાત્માને ભગવાનની આજ્ઞાનું હંમેશાં સ્મરણ રહે છે અને તે આજ્ઞા અનુસા૨ સર્વશક્તિથી ઉદ્યમ કરે છે તેવા મહાત્માઓને ‘આજ્ઞારુચિસમ્યક્ત્વ' છે. ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૪. સૂત્રરુચિસમ્યક્ત્વ જે જીવોને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા થવાને કારણે ભગવાને બતાવેલા સૂત્રના અધ્યયનમાં અત્યંત રુચિ વર્તે છે, તેથી સદા નવાં-નવાં સૂત્ર ભણવાનો ઉદ્યમ કરે છે તેવા જીવોને ‘સૂત્રરુચિસમ્યક્ત્વ’ છે. : ૫. બીજરુચિસમ્યક્ત્વ : એક પદથી અનેક પદની સાથે તેના અર્થના પ્રતિસંધાન દ્વારા પાણીમાં તેલબિંદુની જેમ પ્રસ૨ણશીલ રુચિ ‘બીજરુચિસમ્યક્ત્વ’ છે. ૬. અભિગમરુચિસમ્યકત્વ : સૂત્રના અર્થને આશ્રયીને, સકલ સૂત્ર વિષયક રુચિ ‘અભિગમરુચિસમ્યક્ત્વ’ છે. ૭. વિસ્તારરુચિસમ્યક્ત્વ સર્વ પ્રમાણ, સર્વ નયજન્ય સર્વ દ્રવ્ય અને સર્વભાવવિષયક રુચિ ‘વિસ્તારરુચિસમ્યક્ત્વ' છે. - .. ક્રિયારુચિસમ્યક્ત્વ : : દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વિનયાદિ અનુષ્ઠાન વિષયક રુચિ ‘ક્રિયારુચિસમ્યક્ત્વ' છે અને તે અસંગાનુષ્ઠાનવાળા - મુનિમાં છે. ૯. સંક્ષેપચિસમ્યક્ત્વ : અનભિગૃહીત કુદૃષ્ટિવાળા પ્રવચન અવિશારદની નિર્વાણપદમાત્ર વિષયવાળી રુચિ ‘સંક્ષેપરુચિસમ્યક્ત્વ' છે. જે પ્રમાણે ઉપશમાદિ પદત્રય વિષયવાળી ચિલાતીપુત્રની રુચિ. ૧૦. ધર્મરુચિસમ્યક્ત્વ ધર્મપદમાત્રના શ્રવણથી જનિત એવી પ્રીતિથી સહિત ધર્મપદવાચ્ય વિષયક રુચિ ‘ધર્મરુચિસમ્યક્ત્વ’ છે. પ્રવચનસારોદ્વા૨ની ગાથા પૂર્વમાં બતાવી. હવે તેનો ભાવાર્થ ગ્રંથકારશ્રી બતાવે છે - એકવિધ સમ્યક્ત્વ કઈ રીતે પ્રાપ્ત થાય ? તે બતાવતાં કહે છે – ક્ષયોપશમભાવનું કે ઉપશમભાવનું કે ક્ષાયિકભાવનું સમ્યક્ત્વ કોઈક જીવને પ્રાપ્ત થયું હોય તે સર્વ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમ્યક્તમાં તત્ત્વનું શ્રદ્ધાનરૂપપણું સમાન છે. તેથી તત્ત્વશ્રદ્ધાનરૂપ તે સમ્યક્ત એક પ્રકારનું છે. વળી, તે સમ્યક્ત કેટલાક જીવોને નિસર્ગથી થાય છે અને કેટલાક જીવોને અધિગમથી થાય છે તે દૃષ્ટિથી સમ્યક્તનો વિભાગ કરવામાં આવે તો તે સમ્યગ્દર્શન બે પ્રકારનું છે અને નિસર્ગ-અધિગમનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં બતાવેલ છે, તેથી અહીં સ્પષ્ટ કરતા નથી. વળી, દ્રવ્ય અને ભાવના ભેદથી પણ સમ્યક્ત બે પ્રકારનું છે. તેમાં ભગવાને કહેલા તત્ત્વમાં સામાન્યથી રુચિ જે જીવોને છે તે જીવોને “દ્રવ્ય સમ્યક્ત' છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ દર્શનનાં શાસ્ત્ર ભણીને જેઓ ગીતાર્થ થયા નથી તોપણ સંસારથી વિમુખભાવવાળા થયા છે અને ભગવાને બતાવેલા મોક્ષમાર્ગ પ્રત્યે રુચિવાળા છે તે જીવોને સામાન્યથી ભગવાના વચનમાંસંગ્રહરૂપે ભગવાનના સર્વવચનોમાં ઉત્કટ રુચિ છે. તેઓને દ્રવ્યથી સમ્યત્ત્વ છે. જેમ માલતુષમુનિને, વળી, ન નિક્ષેપ પ્રમાણાદિ શાસ્ત્રના પદાર્થોના અધિગમના ઉપાયો છે બોધના ઉપાયો છે, તે ઉપાયો દ્વારા જીવાજીવાદિ નવતત્ત્વના પરિશોધનરૂપ જ્ઞાનાત્મક જે જીવનો પરિણામ છે તે ભાવસમ્યક્ત છે. તેથી સ્વદર્શન-પરદર્શનને જાણનારા અને સર્વ નયદૃષ્ટિથી ભગવાનના વચનના પરમાર્થને જાણનારા ગીતાર્થ સાધુને ભાવસભ્યત્ત્વ છે. આ ભાવસમ્યક્ત અન્યદર્શનના પદાર્થોની અને ભગવાને બતાવેલા પદાર્થોની પરીક્ષાથી જન્ય, ભગવાનનું વચન જે રીતે સંસ્થિત છે તે રીતે ભગવાનના વચનના યથાર્થ નિર્ણયરૂપ મતિજ્ઞાનના ત્રીજા અંશરૂપ અપાય સ્વરૂપે શાસ્ત્રમાં વ્યવસ્થાપિત છે. તેથી એ ફલિત થાય કે મતિજ્ઞાનમાં અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એમ ચાર ભેદો છે. તેમાંથી અપાયરૂપ બોધ છે તે સમ્યગ્દર્શન છે. અહીં અપાય એટલે સર્વદર્શનની પરીક્ષા કર્યા પછી ભગવાને જે પદાર્થો જે રીતે બતાવ્યા છે તે પદાર્થો તે પ્રમાણે છે, તે–પ્રકારના નિર્ણયરૂપ જે મતિજ્ઞાનનો બોધ તે સમ્યગ્દર્શન છે. તેથી સ્વ-પર દર્શનના અભ્યાસને કારણે ભગવાને જે નયોની દૃષ્ટિઓ બતાવી છે તે સર્વનયોની દૃષ્ટિઓથી ભગવાને બતાવેલા પદાર્થોનો નિર્ણય જેમને છે. તેઓને આવું સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન ભાવસમ્યગ્દર્શન છે. તેમાં “સંમતિતર્ક' ગ્રંથની સાક્ષી આપી તેનો અર્થ આ પ્રમાણે છે – આ રીતે જિનપ્રજ્ઞપ્ત ભાવોને ભાવથી શ્રદ્ધા કરતા પુરુષને આભિનિબોધિક જ્ઞાનમાં=મતિજ્ઞાનમાં, દર્શન શબ્દ યુક્ત થાય છે. તે વચનથી ફલિત થાય છે કે મતિજ્ઞાનના રુચિરૂપ અપાયઅંશ સ્વરૂપ સમ્યગ્દર્શન છે અને આ સમ્યગ્દર્શન સ્વ-પર દર્શનના અભ્યાસથી જન્ય છે. વળી, હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે “પંચવસ્તુ' ગ્રંથમાં કહ્યું છે કે જિનવચન જ તત્ત્વ છે, અન્ય નહિ. એ પ્રકારની સામાન્ય રુચિ છે તે દ્રવ્યસમ્યક્ટવ છે અને જે પ્રમાણે ભાવો રહેલા છે તે પ્રકારના જ્ઞાનથી યુક્ત શ્રદ્ધાથી પરિશુદ્ધ ભાવસભ્યત્ત્વ છે. તેથી પણ એ જ પ્રાપ્ત થાય કે સર્વ દર્શનનો અભ્યાસ કરીને નયનિક્ષેપ-પ્રમાણાદિથી જેની બુદ્ધિ પરિષ્કૃત થઈ છે તેવી વિસ્તારરુચિવાળા જીવને ભાવસમ્યક્ત છે. અહીં “પંચવસ્તુ' ગ્રંથના કથનમાં દ્રવ્યસમ્યક્ત અને ભાવસભ્યત્વમાં ‘દ્રવ્ય' શબ્દ કારણતા અર્થક છે અને “ભાવ” શબ્દ કાર્યની પ્રાપ્તિરૂપ છે. • Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ તેથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ ભૂમિકામાં જીવોને સામાન્યથી સંક્ષેપથી, સંસારનું સ્વરૂપ અસાર છે, મોક્ષનું સ્વરૂપ સાર છે તેવું જણાવવાથી મોક્ષની પ્રાપ્તિનો ઉપાય જિનવચનાનુસાર પ્રવૃત્તિ છે તેવું જણાય છે ત્યારે ભગવાનના વચનમાં ઉત્કટ રુચિ ઉત્પન્ન થાય છે તે “દ્રવ્ય સમ્યક્ત” છે. અને આ દ્રવ્યસમ્યક્ત, ભાવસભ્યત્ત્વનું કારણ છે; કેમ કે આવી રુચિ થયા પછી યોગ્ય જીવો અવશ્ય જિનવચનના પરમાર્થને જાણવા માટે શાસ્ત્ર અધ્યયન કરે છે અને શક્તિ અનુસાર સર્વ નયનો બોધ કરવા અર્થે સર્વ દર્શનનો અભ્યાસ કરે છે જેથી તે તે નયો ઉપર ચાલનારા તે તે દર્શનના નયનો બોધ થાય અને સર્વ નયાત્મક ભગવાનનું વચન કઈ રીતે સન્માર્ગ બતાવે છે તેનો યથાર્થ બોધ થાય. જે દ્રવ્યસમ્યક્તના ફળરૂપ ભાવસમ્યક્ત સ્વરૂપ છે. માટે ભાવ સમ્યક્તમાં “ભાવ” શબ્દ કાર્યની પ્રાપ્તિરૂપ છે. વળી, જેઓને એકાંતથી જ સામાન્ય રુચિ છે. જે સામાન્ય રુચિમાં ઓઘથી પણ અનેકાંતનો સ્પર્શ નથી= ભગવાને જે પ્રકારે અનેકાંતનું સ્થાપન કર્યું છે તે પ્રકારના અનેકાંતનો લેશ પણ સ્પર્શ નથી તેવા જીવોને ભગવાનના વચનના બોધથી થયેલું દ્રવ્યસમ્યક્ત તે અપ્રધાન દ્રવ્યસમ્યક્ત છે. અર્થાત્ ભાવસભ્યત્ત્વનું કારણ બને તેવું પ્રધાન દ્રવ્યસમ્યક્ત નથી પરંતુ ભગવાનના વચનને સ્વીકારીને ધર્મની પ્રવૃત્તિ કરે છે તોપણ એકાંતવાદથી અભિનિવિષ્ટ મતિવાળા હોવાને કારણે મિથ્યાદૃષ્ટિ જ છે. ફક્ત જિનવચનાનુસાર ધર્મની ક્રિયાઓ કરે છે તેથી સ્થૂલ વ્યવહારથી તેઓને સમ્યગ્દર્શન છે તેમ કહેવાય છે. આવું અપ્રધાન સમ્યગ્દર્શન કલ્યાણનું કારણ નથી પરંતુ નિષ્ફળ છે અને તેમાં “સંમતિતર્ક' ગ્રંથની સાક્ષી આપે છે. તેનો અર્થ આ પ્રમાણે છે - જેઓ ષજીવનિકાયની અવધારણરપૂર્વક શ્રદ્ધા કરે છે=આ આમ જ છે એવી એકાંતથી શ્રદ્ધા કરે છે તેઓને ભાવથી શ્રદ્ધા નથી. તેથી એ ફલિત થાય કે જેઓની શ્રદ્ધામાં એકાંતનો અભિનિવેશ છે અને તે નિવર્તન પામે તેવો નથી તેથી અનેકાંતને અભિમુખભાવ નથી અને તેઓની શ્રદ્ધા અપ્રધાન દ્રવ્યસમ્યસ્વરૂપ છે. તેથી અર્થથી ફલિત થાય કે જેઓને સંગ્રહરૂપે ભગવાનના વચનમાં રુચિ છે, તેથી ભગવાને કહ્યું છે તે પ્રમાણે અનેકાંતને જાણવાનો અભિમુખભાવ છે તેઓને પ્રધાન દ્રવ્યસમ્યક્ત છે. અને જેઓ ભગવાને કહ્યા પ્રમાણે અનેકાંતને જાણવાને અભિમુખભાવવાળા નથી પરંતુ સ્વમતિ અનુસાર એકાંત અભિનિવેશવાળા છે. તેઓની રુચિમાં અનેકાંતનો અસ્પર્શ છે માટે તેઓનું દ્રવ્યસમ્યક્ત અપ્રધાન છે. તેથી પરમાર્થથી તેઓ મિથ્યાષ્ટિ જ છે. વળી, જે જીવોને ભગવાને કહેલા અનેકાંતવાદમાં કોઈક સ્થાને સમ્યકુબોધનો અભાવ હોવા છતાં પણ ભગવાને કહેલું છે માટે તત્ત્વ છે તેવી રુચિ છે અને ભગવાનના વચનથી વિપરીત સ્વમતિ અનુસાર વિપરીત સ્વીકારવાનો અભિનિવેશ નથી. કેમ સ્વમતિ અનુસાર વિપરીત સ્વીકારવાનો અભિનિવેશ નથી ? તેમાં યુક્તિ બતાવે છે – તે જીવને કોઈક રીતે વિપરીત બોધ થયેલો હોય તોપણ ગીતાર્થ સાધુ તેને બતાવે કે ભગવાનના વચનથી આ વિપરીત છે તો તે ગીતાર્થના વચનથી તે વિપરીત વચનનો ત્યાગ કરીને જિનવચનને યથાર્થ ગ્રહણ કરે Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૬૫ છે. તેથી તેવા જીવોમાં ભગવાનના વચનથી વિપરીત વચનમાં અભિનિવેશ નથી. આમ છતાં અનાભોગને કારણે કે ગુરુ પારતંત્રના કારણે તેમને અન્યથા બોધ થાય તોપણ તેઓની રુચિ જિનવચનાનુસાર હોવાને કારણે તેઓમાં દ્રવ્યસમ્યત્ત્વ છે. આવા જીવો જિનવચનના પરમાર્થને જાણવાનો સમ્યફ પ્રયત્ન કરતા હોવા છતાં પણ શાસ્ત્રનો બોધ કરવાના વિષયમાં અપટુતાને કારણે કોઈક સ્થાનમાં શાસ્ત્રનો યથાર્થ બોધ કરી શકતા નથી. તેથી શાસ્ત્રના પદાર્થોનું કોઈક સ્થાનમાં અનાભોગથી વિપરીત યોજન થાય અથવા ઉપદેશક એવા ગુરુના પાતંત્ર્યથી તેઓ શાસ્ત્ર જાણવા યત્ન કરતા હોય અને તે ઉપદેશકના વિપરીત બોધને કારણે તે જીવોને કોઈક સ્થાને વિપરીત બોધ થાય તોપણ તે જીવોની જિનવચન પ્રત્યેની પક્ષપાતવાળી રુચિને કારણે તે જીવોમાં દ્રવ્યસમ્યક્ત છે. તેમાં ઉત્તરાધ્યયન ગ્રંથની નિયુક્તિનું સાક્ષી વચન બતાવે છે. જેનો અર્થ આ પ્રમાણે છે – ભગવાનના પ્રવચનથી ઉપદિષ્ટ સર્વવચનની શ્રદ્ધા સમ્યગ્દષ્ટિ જીવ કરે છે. તેથી તે જીવોને સ્થિર બોધ હોય છે કે જિનવચનાનુસાર સર્વ પદાર્થોનો યથાર્થ બોધ કરીને તે પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવાથી મારું એકાંતે કલ્યાણ છે. આવી સ્થિરરુચિ હોવા છતાં પણ તેવા સમ્યગ્દષ્ટિ જીવો અનાભોગથી કે ગુરુના નિયોગથી ભગવાનના વચનથી વિરુદ્ધ વચનમાં શ્રદ્ધા કરે છે. તેથી એ ફલિત થાય કે તેવા જીવોને ભગવાનના વચનમાં લેશ પણ સંદેહ નથી પરંતુ શાસ્ત્રવચનને યોજન કરવાની મંદમતિને કારણે કોઈક સ્થાને અનાભોગથી ભગવાને કહ્યું તેનાથી વિપરીત યોજન થાય છે અથવા જે ઉપદેશક પાસે તેઓ શાસ્ત્ર ભણે છે તે વખતે તે ઉપદેશકના તે પ્રકારના વિપરીત યોજનને કારણે તે સમ્યગ્દષ્ટિ જીવોને શાસ્ત્રના પદાર્થનો વિપરીત બોધ થાય છે. આમ છતાં, ભગવાનના વચનમાં સ્થિર રુચિ હોવાને કારણે તેઓને મિથ્યાત્વની પ્રાપ્તિ નથી; કેમ કે કોઈ ગીતાર્થ આદિ મળે અને તેમને યથાર્થ બોધ કરાવે તો ભગવાનના વચનથી વિપરીતમાં તેઓને અભિનિવેશ નહિ હોવાને કારણે તેઓનો તે અનાભોગથી થયેલો વિપરીત બોધ નિવર્તન પામે છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ ભગવાનના વચનમાં સ્થિરરુચિવાળા હોય આમ છતાં અનાભોગથી કે ગુરુપરતંત્રથી તેઓને કોઈક સ્થાનમાં વિપરીત બોધ થાય તોપણ તેઓને દ્રવ્યસમ્યક્ત છે અને તેમાં ઉત્તરાધ્યયન ગ્રંથની નિયુક્તિની સાક્ષી આપી. ત્યાં નથી કોઈ શંકા કરે છે – ઉત્તરાધ્યયનની નિયુકિતમાં સમ્યગ્દષ્ટિ જીવને અનાભોગથી કે ગુરુનિયોગથી વિપરીત શ્રદ્ધા થાય છે તેમ કહ્યું છે પરંતુ તે સમ્યગ્દષ્ટિ જીવને દ્રવ્યસમ્યક્ત છે કે ભાવસભ્યત્વ છે ? તે બેમાંથી એકતરનું પણ કથન કરેલું નથી છતાં તે કથન દ્રવ્યસમ્યક્ત માટે જ છે તેમ ગ્રંથકારશ્રીએ કહ્યું તે કઈ રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થાય નહિ; કેમ કે સામાન્ય વચન વિશેષપર સ્વીકારવામાં પ્રમાણ શું છે ? એ પ્રકારની શંકા થાય અર્થાત્ ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં દ્રવ્ય-ભાવ ઉભય સામાન્યને કહેનારું વચન છે આમ છતાં તે વચન દ્રવ્યસમ્યક્તને કહેનારું છે તેમ સ્વીકારવામાં પ્રમાણ શું Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ છે ? જેથી ઉત્તરાધ્યયનની નિયુક્તિના વચનથી ભાવસભ્યત્ત્વનો સ્વીકાર નથી પણ દ્રવ્યસમ્યત્વનો સ્વીકાર છે તેમ નિર્ણય થઈ શકે ? તેને ગ્રંથકારશ્રી કહે છે – શંકાકારની વાત સાચી છે તોપણ ઉત્તરાધ્યયનના અધિકૃત એવા સમ્યત્ત્વની દ્રવ્યરૂપતાને સ્વીકારવા માટે વિસ્તારરુચિવાળું ભાવસમ્યક્ત છે તે વચન જ પ્રમાણ છે. આશય એ છે કે સર્વદર્શનના અભ્યાસથી જેઓને વિસ્તારરુચિ થઈ છે તેઓને ભાવસમ્યક્ત હોય છે. અને તેવા જીવોને અનાભોગથી કે ગુરુનિયોગથી વિપરીત બોધ સંભવે નહિ. તેથી અર્થથી નક્કી થાય છે કે ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં સ્વીકારાયેલ સમ્યત્વ, દ્રવ્યસમ્યક્ત જ છે, ભાવસમ્યક્ત નથી વળી, દ્રવ્યસમ્યક્તને જોનારી નયદષ્ટિ છે. અને ભાવસમ્યક્તને જોનારી નદૃષ્ટિ છે. દ્રવ્ય અને ભાવને પરસ્પર અનુવિદ્ધ જોનારી પણ નયદૃષ્ટિ છે. તેથી દ્રવ્ય અને ભાવને પરસ્પર અનુવિદ્ધ જોનારી નયદૃષ્ટિથી વિચારીએ તો પ્રધાન એવા દ્રવ્યસમ્યક્તવાળા જીવોમાં જે સમ્યક્ત છે તે સમ્યક્તમાં કંઈક ભાવત્વને સ્વીકારવામાં વિરોધ નથી એ પ્રમાણે અન્યત્ર કહેલું છે. આશય એ છે કે જેઓને ભગવાનના વચનથી વિપરીત વચન પ્રત્યે અભિનિવેશ છે તેઓનું દ્રવ્યસમ્યક્ત ભાવથી અનનુવિદ્ધ છે અને જેઓને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે આમ છતાં વિસ્તારરુચિવાળું ભાવસમ્યક્ત થયું નથી તે જીવોમાં જે દ્રવ્યસમ્યક્ત છે તે સમ્યક્તમાં પણ ભાવત્વ અનુવિદ્ધ છે તેથી તે દ્રવ્યસમ્યક્ત કંઈક અંશથી ભાવસમ્યક્તથી અનુવિદ્ધ છે, તોપણ પ્રધાન રીતે દ્રવ્યસમ્યક્ત જ છે. અને જે જીવો સ્વ-પર દર્શનનો અભ્યાસ કરીને ભાવસમ્યક્તને પામ્યા છે તેઓમાં પ્રધાનરૂપે ભાવસમ્યક્ત છે. સમ્યક્તના, દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્ત એ બે ભેદો બતાવ્યા. તે સર્વકથનનું નિગમન કરતાં કહે છે – આ રીતે=અત્યાર સુધી દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્તનું વર્ણન કર્યું એ રીતે, નયવિશેષથી=સમ્યત્વના બે ભેદને કરનારી નથવિશેષની દૃષ્ટિથી, વિચિત્ર પ્રકારના સમ્યક્તનું વૈવિધ્ય ભાવન કરવું. પૂર્વમાં દ્રવ્ય-ભાવ દ્વારા બે પ્રકારનું સમ્યક્ત બતાવ્યું. હવે “અથવાથી નિશ્ચય-વ્યવહાર દ્વારા બે પ્રકારનું સમ્યક્ત બતાવે છે અને તેમાં નિશ્ચય-વ્યવહારથી સમ્યક્તના લક્ષણને કહેનારું ઉદ્ધરણ બતાવ્યું. તેનો અર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞાનાદિમય શુભ પરિણામ નિશ્ચયસમ્યક્ત છે. અર્થાત્ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકચારિત્રની પરિણતિરૂપ જે શુભ પરિણામ છે તે “ નિશ્ચય સમ્યક્ત” છે. અને સડસઠ ભેદના સ્વભાવવાળું વ્યવહાર સમ્યક્ત છે. તેથી એ ફલિત થાય કે રત્નત્રયીની એકતાની પરિણતિરૂપ “નિશ્ચય સમ્યક્ત' છે. અને વ્યવહાર સમ્યક્ત' સમ્યક્તના સડસઠ ભેદોથી પ્રાપ્ત થાય છે. આ રીતે, નિશ્ચયનયથી અને વ્યવહારનયથી સમ્યક્તનું વૈવિધ્ય બતાવ્યું. * ત્યાં નથી શંકા કરે છે – જ્ઞાનાદિમય શુભ પરિણામને સમ્યક્ત કહેવાથી જ્ઞાનાદિમાં “આદિ પદથી દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેથી જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત એવી જીવની પરિણતિ નિશ્ચયનયથી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમ્યગ્દર્શન છે તેવો અર્થ પ્રાપ્ત થાય અને જ્ઞાનાદિમય શુભ પરિણતિ એ તો ભાવચરિત્ર છે તેથી ભાવચારિત્રને નૈશ્ચયિક સમ્યક્ત કઈ રીતે કહી શકાય ? આ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી સમાધાન કરતાં કહે છે – ભાવચારિત્ર જ નૈશ્ચયિક સમ્મસ્વરૂપ છે માટે રત્નત્રયીની પરિણતિરૂપ નિશ્ચયસમ્યક્તને સ્વીકારવામાં કોઈ દોષ નથી. અહીં પ્રશ્ન થાય કે ભાવચારિત્રરૂપ જ નિશ્ચય સમ્યક્ત” કેમ છે ? તેથી કહે છે – નિશ્ચયનયને અભિમત એવા સમ્યક્તથી મિથ્યાચાર નિવૃત્તિરૂપ કાર્ય થાય છે. તેથી ભાવચારિત્રરૂપ જ નિશ્ચયસમ્યક્ત છે. અહીં પ્રશ્ન થાય કે “નિશ્ચય સમ્યક્તથી મિથ્યાચાર નિવૃત્તિરૂપ કાર્ય થાય છે તે ચારિત્રરૂપ છે તેને સમ્યક્તરૂપ કેમ કહેવાય છે? તેથી કહે છે – જે સમ્યક્તરૂપ કારણ મિથ્યાચાર નિવૃત્તિરૂપ કાર્ય ન કરતું હોય તેવા કારણને નિશ્ચયનય કારણરૂપે સ્વીકારતો નથી. તેથી એ ફલિત થાય કે જે જીવોને જિનવચનાનુસાર યથાર્થ બોધ હોય અને જિનવચન પ્રત્યે સ્થિર રુચિ હોય તેઓ અવશ્ય મિથ્યાચારના ત્યાગને કરે અને તેઓમાં જ નિશ્ચયનય સમ્યક્ત સ્વીકારે છે. અન્યમાં નિશ્ચયનય સમ્યક્ત સ્વીકારતો નથી. પૂર્વમાં રત્નત્રયીની પરિણતિરૂપ નિશ્ચય સમ્યક્ત કહ્યું તેમ સ્વીકારવાથી ચોથા ગુણસ્થાનકાદિવર્તી એવા શ્રેણિકાદિ જીવોને પણ સમ્યત્વ નથી તેમ માનવું પડશે. આ પ્રકારની કોઈ શંકા કરે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અપ્રમત્ત સાધુને જ નૈશ્ચયિક સમ્યક્ત છે. તેમાં “આચારાંગ” આગમનો સાક્ષીપાઠ આપે છે તેનો અર્થ આ પ્રમાણે છે – જે સમ્યક્ત છે તે મૌન છે અને મૌન છે તે સમ્યક્ત છે. એમ બતાવીને સમ્યક્ત અને મુનિભાવની નિયત વ્યાપ્તિ બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોને ભગવાનના વચનના પરમાર્થનો બોધ છે તેઓ અપ્રમોદભાવથી અવશ્ય મિથ્યાચારની નિવૃત્તિ કરે છે. તેઓમાં જ નૈશ્ચયિક સમ્યક્ત છે અને અન્યમાં નહિ. તેથી કહે છે કે જેઓ શિથિલ આચારવાળા છે, કોઈ પ્રત્યે સ્નેહના પરિણામવાળા છે, શબ્દાદિના સ્વાદને લેનારા છે, વક્ર સામાચારવાળા છે, ભગવાનના વચનાનુસાર દઢ પ્રવૃત્તિ કરવામાં પ્રમાદવાળા છે, ઘરમાં વસનારા છે એવા વડે મૌનના પાલનરૂપ સમ્યક્ત શક્ય નથી. મૌનના પાલનરૂપ સમ્યક્ત કોનાથી શક્ય છે ? તેથી કહે છે – જે મુનિ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવારૂપ મૌનને ધારણ કરીને કર્મ અને ઔદારિક શરીરનું ધુણન કરે, પ્રાંતરુક્ષ એવા આહારનું સેવન કરે તેવા વીર નિશ્ચયનયથી સમ્યગ્દષ્ટિ છે. અર્થાત્ જેઓ દેહ પ્રત્યે નિરપેક્ષ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮. ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ થઈને દેહના લોહી, માંસ આદિ પુષ્ટ ન થાય તેવા પ્રકારનો અંત:પ્રાંત-રુક્ષ આહાર ગ્રહણ કરે છે અને ચિત્ત સર્વથા નિર્લેપ રહે તે રીતે યત્ન કરીને કર્મોનો નાશ કરે છે તે દેહ અને કર્મનું ધુણન છે. અને દેહ અને કર્મનું ધુણન કરનારા વીર નિશ્ચયનયથી સમ્યગ્દર્શનવાળા છે. આ પ્રકારના નિશ્ચયનયના સમ્યક્તને જોનારી દૃષ્ટિથી શ્રેણિકાદિ જીવોમાં સમ્યગ્દર્શન નથી તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. પૂર્વમાં નૈશ્ચયિક સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું કે જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત એવો જીવનો પરિણામ તે નિશ્ચય સમ્યક્ત છે. ત્યાં શંકા કરતાં કહે છે કે એ રીતે કારકસમ્યક્ત અને નૈચયિક સમ્યત્ત્વનો ભેદ સિદ્ધ થશે નહિ; કેમ કે કારકસમ્યક્તનું લક્ષણ છે કે જે સમ્યક્ત પોતાના બોધ અનુસાર અવશ્ય અપ્રમાદથી ક્રિયા કરાવે. તેથી ક્રિયાથી ઉપહિત=ક્રિયારૂપ ઉપાધિથી યુક્ત એવું જે સમ્યક્ત છે તે કારકસમ્યક્ત છે અને તે ક્રિયા ચારિત્રરૂપ છે અને જ્ઞાનાદિમય પરિણામરૂપ જે નૈશ્ચયિક સમ્યત્ત્વ છે તે પણ રત્નત્રયીની પરિણતિરૂપ છે માટે ચારિત્રરૂપ છે તેથી તે બે સભ્યત્ત્વનો ભેદ સિદ્ધ થશે નહિ. અર્થાત્ કારકસમ્યક્ત અને નૈશ્ચયિક સમ્યત્વનો ભેદ સિદ્ધ થશે નહિ. તેના સમાધાનરૂપે કહે છે – ઉપધેયના સંકરમાં પણ ઉપાધિનો અસંકર હોવાથી તે બેનો ભેદ સ્વીકારવામાં દોષ નથી. આશય એ છે કે કારકસમ્યક્ત પણ ચારિત્રની પરિણતિરૂપ છે અને નૈશ્ચયિક સમ્યક્ત પણ ચારિત્રની પરિણતિરૂપ છે. તે અપેક્ષાએ તે બંને એક છે. તેથી તે બેનો સંકરભાવ છે; તોપણ ક્રિયારૂપ ઉપાધિથી યુક્ત હોય=ક્રિયારૂપ વિશેષણથી યુક્ત હોય, તેવું સમ્યક્ત કારકસમ્યક્ત છે. જ્ઞાનાદિમય જે સમ્યક્ત હોય તે નિશ્ચયિક સમ્યત્ત્વ છે. તેથી જ્ઞાનાદિમયત્વ ઉપાધિથી યુક્ત હોય=જ્ઞાનાદિયત્વ વિશેષણથી યુક્ત હોય, તેવું નૈશ્ચયિક સમ્યક્ત છે. તેથી તે બેના વિશેષણરૂપ ઉપાધિના ભેદથી તે બે સમ્યક્તનો ભેદ છે. માટે કારકસમ્યક્તનો અને નૈશ્ચયિક સમ્યક્તનો ભેદ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. આ રીતે, કારકસમ્યક્ત અને નૈશ્ચયિક સમ્યક્તનો ભેદ બતાવ્યા પછી પૂર્વમાં જે જ્ઞાનાદિમય પરિણામરૂપ નિશ્ચયિક સમ્યક્ત બતાવેલ, તે નૈશ્ચયિક સમ્યક્તને સ્વીકારીને જ શાસ્ત્રમાં સમ્યક્તનાં પ્રશમાદિ લક્ષણો કહ્યા છે તે સંગત થાય છે; કેમ કે નૈશ્ચયિક સમ્યક્ત અપ્રમત્ત મુનિને હોય છે. તેથી તે સમ્યક્તમાં પ્રશમાદિ પાંચેય લક્ષણોની પ્રાપ્તિ છે અને નૈશ્ચયિક સમ્યક્ત ન સ્વીકારીએ અને ચતુર્થ ગુણસ્થાનકવર્તી સમ્યક્તને સ્વીકારીએ તો ચતુર્થ ગુણસ્થાનકમાં રહેલા શ્રેણિકકૃષ્ણાદિ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોમાં તેનો અસંભવ હોવાથી સંસારના વિરક્તભાવરૂપ પ્રશમના પરિણામનો અસંભવ હોવાથી, શાસ્ત્રમાં કહેલાં સમ્યક્તનાં પ્રશમાદિ લક્ષણોનો વ્યાઘાત થાય. આશય એ છે કે જે જીવોને સંસારથી વિરક્તભાવ છે તેઓ અપ્રમાદથી સંયમની ક્રિયાઓ કરે છે તેઓમાં જ પ્રશમનો પરિણામ છે. અન્ય ભોગવિલાસ કરનારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં પ્રશમનો પરિણામ નથી. તેથી શાસ્ત્રમાં કહેલાં સમ્યક્તનાં પ્રશમાદિ લક્ષણો અવિરત સમ્યગ્દષ્ટિમાં સંગત થાય નહિ પરંતુ નૈશ્ચયિક સમ્યક્તવાળા અપ્રમત્ત મુનિમાં જ સંગત થાય. Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અથવાથી નિશ્ચયનયના સ્વરૂપને કહેનાર સમ્યક્તસ્તવ ગા-૧૧ના ઉદ્ધરણનો અર્થ અન્ય પ્રકારે કરે છે. જ્ઞાનાદિમય શુદ્ધ પરિણામ નિશ્ચય સમ્યક્ત છે એ પ્રમાણે જે ઉદ્ધરણમાં કહેલ તેનો અર્થ આ પ્રમાણે જ્ઞાનાદિમયથી જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણ ગ્રહણ કરવાના છે. તેમાં જ્ઞાનનયની દૃષ્ટિથી જે જીવો જ્ઞાનની દશાવિશેષને પામેલા હોય તેઓમાં જ સમ્યત્ત્વ છે તેથી જે મહાત્માઓ શાસ્ત્રાભ્યાસ કરીને વિશેષ પ્રકારના જ્ઞાનને ભણેલા છે અને તેના કારણે તદ્દન અસંગભાવની દશામાં વર્તે છે તેવા જીવોમાં સમ્યક્ત છે. ક્રિયાનયની દૃષ્ટિથી ચારિત્રરૂપ સમ્યત્ત્વ છે. અને દર્શનનયની દૃષ્ટિથી વિચારીએ તો ચારિત્રવાળા ન પણ હોય તથા ચતુર્થ ગુણસ્થાનકમાં રહેલા જીવોમાં પણ સમ્યક્ત વ્યવસ્થિત છે. આ રીતે રત્નત્રયીને આશ્રયીને સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યા પછી શુદ્ધાત્માના પરિણામગ્રાહી નિશ્ચયનયની દૃષ્ટિથી વિચારીએ તો “યોગશાસ્ત્ર' ગ્રંથના વચનાનુસાર સમ્યક્ત અપ્રમત્ત મુનિમાં જ પ્રાપ્ત થાય. જે મુનિનો આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામરૂપ છે તે મુનિ જ સમ્યગ્દર્શનવાળો છે; કેમ કે મુનિ રત્નત્રયી આત્મક જ છે. અને રત્નત્રયી આત્મક મુનિ જ શરીરનો આશ્રય કરે છે. આ પ્રકારના યોગશાસ્ત્રના વચનથી આત્મા જ કર્મની ઉપાધિથી રહિત શુદ્ધસ્વરૂપના પ્રકાશથી “જ્ઞાનરૂપ' છે. અને મુનિને તેવા શુદ્ધ સ્વરૂપની રુચિ હોવાથી “દર્શનરૂપ” છે. અને તે મુનિ પોતાના સ્વભાવનું આચરણ કરી રહ્યા છે માટે ચારિત્રરૂપ છે. તેથી શુદ્ધાત્માનો બોધ, શુદ્ધાત્માની આચરણા અને શુદ્ધાત્માની તૃપ્તિ તે નિશ્ચય સમ્યક્ત છે એ પ્રકારનો અર્થ જ્ઞાનાદિમય શુદ્ધ પરિણામ નિશ્ચય સમ્યક્ત છે તે કથનથી પ્રાપ્ત થાય છે. સમ્યક્ત અપેક્ષાએ ત્રણ પ્રકારનું છે – સાયિક સમ્યક્ત, લાયોપશમિક સમ્યક્ત અને ઔપશમિકે સમ્યક્ત. પૂર્વમાં સમ્યત્ત્વના પાંચ પ્રકારના ભેદો બતાવેલા. તેમાંથી “વેદક સમ્યક્ત” ક્ષાયોપથમિક સમ્યક્તમાં અંતર્ભાવ પામે છે. અને સાસ્વાદન સમ્યક્ત, સમ્યક્તથી પાત પામેલી બીજા ગુણસ્થાનકની અવસ્થા છે તેથી સમ્યક્તરૂપે તેની વિવક્ષા કરેલ નથી. તેને આશ્રયીને પૂર્વ બતાવેલ પાંચ સમ્યક્ત જ અન્ય પ્રકારે ત્રણ ભેદરૂપે પ્રાપ્ત થાય છે. વળી, ત્રણ પ્રકારના સમ્યક્તની અન્ય રીતે વિવક્ષા કરતાં “અથવાથી કહે છે – ૧. કારકસમ્યક્ત ૨. રોચકસમ્યક્ત ૩. દીપકસમ્યક્ત એમ ત્રણ પ્રકારના સમ્યત્ત્વ છે. ૧. કારકસભ્યત્વ : જે મહાત્માઓ સૂત્રાજ્ઞાથી શુદ્ધ એવી ચારિત્રની ક્રિયાઓ કરે છે તેઓમાં જ કારકસમ્ય છે; કેમ કે તેઓની સૂત્રાજ્ઞાશુદ્ધ ક્રિયા બીજા જીવોને સમ્યક્તની ઉત્પત્તિનું કારણ છે. તેથી તેઓના સમ્યક્તને કારકસમ્યક્ત' કહેવાય છે. આશય એ છે કે જે મહાત્મા સંયમ ગ્રહણ કર્યા પછી ભગવાનના વચનનું સ્મરણ કરીને અપ્રમાદભાવથી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સર્વ સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે તેઓની તે સંયમની ક્રિયા યોગ્ય જીવોને બોધ કરાવે છે કે આ પ્રકારે કરાયેલી સંયમની ક્રિયા મોક્ષનું કારણ છે. તેથી મહાત્માઓની અપ્રમાદથી કરાયેલી ક્રિયા યોગ્ય જીવોમાં સમ્યક્તની નિષ્પત્તિનું કારણ હોવાથી તે સમ્યક્તને “કારક સમ્યક્ત' કહેવાય છે. પૂર્વમાં કારકસમ્યક્તનું લક્ષણ કરતા કહ્યું કે “સૂત્રાજ્ઞાશુદ્ધ ક્રિયા કારકસમ્યક્ત છે.” “વા' કારથી બીજો અર્થ કરતાં કહે છે – “પરગતસમ્યક્ત ઉત્પાદકત્વ ધર્મ”થી યુક્ત જે હોય તે કારકસમ્યક્ત છે. આવું કારકસમ્યક્ત વિશુદ્ધ ચારિત્રવાળા જીવોને જ છે, અન્યને નહિ. આ કારકસમ્યક્તમાં ક્ષાયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક ત્રણેય ભેદોનો અંતર્ભાવ થાય છે; કેમ કે સૂત્રોનુસાર ક્રિયા કરનારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય કે ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ હોય કે ઉપશમશ્રેણી પર આરૂઢ થયેલા પથમિક સમ્યગ્દષ્ટિ જીવ હોય, તેઓને આ “કારકસમ્યક્ત” છે. ૨. રોચકસમ્યક્ત : ભગવાને સંસારથી નિસ્તાર પામવા માટે જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ સમ્યક અનુષ્ઠાન બતાવ્યું છે તે અનુષ્ઠાનની પ્રવૃત્તિ જે જીવોને રુચે છે પરંતુ બલવાન ચારિત્રમોહનીયના ઉદયને કારણે જે જીવો તે પ્રવૃત્તિ કરતા નથી તેવા જીવોમાં વર્તતું સમ્યક્ત “રોચકસમ્યત્વ' છે. આ રોચકસમ્યક્ત અવિરત સમ્યગ્દષ્ટિ એવા કૃષ્ણ-શ્રેણિકાદિ સર્વ જીવોને હોય છે. તેથી અવિરતિના ઉદયવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ કે પથમિક સમ્યગ્દષ્ટિ જીવોને આ રોચકસમ્યક્ત હોય છે. ૩. દીપકસમ્યક્ત : દીપકનો પર્યાયવાચી શબ્દ=બંજક છે. તેથી જે જીવોને શાસ્ત્રનો બોધ છે આમ છતાં તે શાસ્ત્રનો બોધ તેઓના મિથ્યાત્વને કાઢી શક્યો નથી. તેથી તે જીવો મિથ્યાદૃષ્ટિ છે, તોપણ યોગ્ય જીવોને જીવાજીવાદિ પદાર્થો જિનવચનાનુસાર યથાવસ્થિત બતાવે છે, જેથી તેઓના ઉપદેશથી તે યોગ્ય જીવોને સમ્યક્ત પ્રગટે છે. તેથી બીજામાં સમ્યક્તને પ્રગટ કરનાર એવું સમ્યક્ત વ્યંજક સમ્યક્ત છે અને તેને જ “દીપક સમ્યક્ત” કહેવાય છે અને આવું સમ્યગ્દર્શન અંગારમદકાદિ આચાર્યને હતું. વળી, ક્ષાયિકાદિ ભેદવાળું સમ્યક્ત, સાસ્વાદન સમ્યક્તને ગ્રહણ કરીને અને વેદક સમ્યક્તનો લાયોપથમિક સમ્યક્વમાં અંતર્ભાવ કરીને વિચારીએ તો ચાર પ્રકારનું પ્રાપ્ત થાય છે. અર્થાત્ ૧. ક્ષાયિક સમ્યક્ત ૨. ક્ષાયોપથમિક સમ્યક્ત ૩. પથમિક સમ્યક્ત ૪. સાસ્વાદન સમ્યક્ત. એમ ચાર પ્રકાર સમ્યત્વના થાય. વળી, વેદક સમ્યક્તને લાયોપથમિક સમ્યક્તથી પૃથ ગ્રહણ કરીએ તો તે ચાર પ્રકારનું સમ્યક્ત જ પાંચ ભેદવાળું થાય છે. આ રીતે ત્રણ ભેદવાળું સમ્યક્ત બતાવ્યા પછી ચાર પ્રકારે અને પાંચ પ્રકારે સમ્યક્ત બતાવીને હવે ઉત્તરાધ્યયનના વચનાનુસારથી દસ પ્રકારનું સમ્યક્ત બતાવે છે – Page #88 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧. નિસર્ગરુચિસખ્યત્વ : કોઈ જીવને જીવાજીવાદિ નવ પદાર્થની રુચિ ઉપદેશ નિરપેક્ષ થાય તો તે રુચિ “નિસર્ગરુચિસમ્યક્ત” છે. આમ, છતાં તે નવ પદાર્થોનો શબ્દબોધ કરીને વ્યવહારથી માત્ર જીવાજીવાદિ નવપદાર્થ વિષયક રુચિ હોય તો તે રૂચિ સમ્યગ્દર્શન નથી. પરંતુ જીવાજીવાદિ નવ પદાર્થો વિષયક શુદ્ધનય સાપેક્ષ વ્યવહારનયથી રુચિ હોય તો તે “નિસર્ગરુચિસમ્યક્ત' છે તે બતાવવા માટે ભૂતાર્થનો અર્થ “શુદ્ધનયથી” એમ કર્યો. તેથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધનયની દૃષ્ટિપૂર્વક ઉચિત આચરણા કરવારૂપ વ્યવહારનયની દૃષ્ટિથી જીવાજીવાદિ નવ પદાર્થોની રુચિ સમ્યગ્દર્શન છે. શુદ્ધનયની દૃષ્ટિથી વિચારીએ તો સર્વ જીવોનું સ્વરૂપ સિદ્ધ સદશ છે. તેથી શુદ્ધનયને અભિમત એવા સિદ્ધસ્વરૂપને લક્ષ્ય કરીને વ્યવહારનયને અભિમત ઉચિત આચરણાનું કારણ બને તે પ્રકારે જીવાજીવાદિ નવપદાર્થો વિષયક રુચિસમ્યક્ત છે તેમ પ્રાપ્ત થાય. પરમાથર્થી વિચારીએ તો જગતવર્તી સર્વ પદાર્થો જેમ કેવલજ્ઞાનનો વિષય છે તેમ સંસારી જીવોના જ્ઞાનનો પણ વિષય છે પરંતુ તે શેય પદાર્થો સાથે જીવ મોહને કારણે સંશ્લેષ પામે છે. તેથી આ પદાર્થ મને ઇષ્ટ છે અને આ પદાર્થ મને અનિષ્ટ છે તેવી બુદ્ધિ કરીને ક્લેશ પામે છે. આ સંશ્લેષની બુદ્ધિને કારણે જ કર્મબંધ કરે છે. પરમાર્થથી જીવનો સ્વભાવ પદાર્થ સાથે સંશ્લેષ પામવાનો નથી એ પ્રકારનો જેને નિર્ણય થયો છે તેને શુદ્ધનયથી પદાર્થના સ્વરૂપનો યથાર્થ બોધ છે. વળી, વ્યવહારનયથી જીવ કર્મ સાથે જોડાયેલો છે અને કર્મને કારણે દેહાદિના સંયોગો પ્રાપ્ત થયા છે. ઇન્દ્રિયોને અનુકૂળ વિષયો જીવને ઇષ્ટ જણાય છે અને ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયો જીવને અનિષ્ટ જણાય છે. તેથી જીવ કર્મબંધરૂપ આશ્રવ કરે છે. જીવ માટે આશ્રવ હેય છે. વિષયો પ્રત્યે સંશ્લેષ ન થાય તદર્થે વિષયોનો ત્યાગ કરીને સંવરમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, એ પ્રકારે વ્યવહારનય ઉપદેશ આપે છે. જેઓ શુદ્ધનયના ઉપદેશને સામે રાખીને શુદ્ધાત્માને પ્રગટ કરવાના ઉદ્દેશથી વ્યવહારનયની ઉચિત આચરણામાં પ્રયત્ન કરવાની રુચિ ધરાવે છે, તેઓમાં ભૂતાર્થ શ્રદ્ધાનપૂર્વક વ્યવહારનયની દૃષ્ટિ છે. અર્થાત્ શુદ્ધનયા સાપેક્ષ વ્યવહારનયની રુચિ છે અને તે સમ્યગ્દર્શન છે. શુદ્ધનયથી તત્ત્વનો યથાર્થ બોધ કરાવે તેવી માર્ગાનુસારી રુચિનું કારણ બને તે પ્રકારે જીવાજીવાદિ પદાર્થોની રુચિ જેઓને પરોપદેશ વિના થાય છે તેઓને “નિસર્ગરુચિસમ્યક્ત” છે. આ પરોપદેશ રહિત સમ્યક્ત ક્વચિત્ જાતિસ્મરણાદિથી થાય છે, ક્વચિત્ તે પ્રકારના કર્મના વિગમનને કારણે જીવની સહજ નિર્મળતા થવાથી થાય છે. તેથી ભગવાને જીવાજીવાદિ નવ પદાર્થો જે સ્વરૂપે બતાવીને સંસારની પરિણતિના ઉચ્છેદને અનુકૂળ ઉચિત ઉપદેશ આપ્યો છે તે પ્રકારે ઉચિત પ્રયત્ન કરવાની ઉત્કટ રુચિ કોઈક જીવોને નિસર્ગથી થાય છે. તેઓમાં નિસર્ગરુચિસમ્યક્ત” છે. ૨. ઉપદેશરુચિસમ્યક્ત : નિસર્ગરુચિસમ્યક્ત'માં જેમ શુદ્ધનયથી જીવાજીવાદિ પદાર્થના વિષયવાળી રુચિ અને વ્યવહારનયથી જીવાજીવાદિ પદાર્થના વિષયવાળી રુચિ એમ ઉભય નયની જે રુચિ છે તે સમ્યગ્દર્શન છે તેમ કહ્યું તેવી જ રુચિ કોઈ જીવને પરના ઉપદેશથી થાય તો તે “ઉપદેશરુચિસમ્યક્ત' છે. અને ત્યાં “પરોપદેશ' શબ્દમાં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨. ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ રહેલા “પર” શબ્દથી તીર્થકરને ગ્રહણ કરવાના છે અથવા તીર્થકરના વચનને અનુસરનાર એવા છબસ્થને ગ્રહણ કરવાના છે પરંતુ અન્ય કોઈને ગ્રહણ કરવાના નથી. તેથી એ પ્રાપ્ત થાય કે તીર્થકર કેવલજ્ઞાનમૂલક ઉપદેશ આપે છે અને તીર્થંકરના વચનને અનુસાર છદ્મસ્થ પણ કેવલજ્ઞાનમૂલક ઉપદેશ આપે છે પરંતુ સ્વમતિ અનુસાર ઉપદેશ આપતા નથી માટે “કેવલજ્ઞાનમૂલકત્વ પ્રયુક્ત” એવો જે ઉપદેશ, તે ઉપદેશ પ્રત્યે જેને રુચિ હોય છે તે ઉપદેશરુચિસમ્યક્ત છે. તેથી કોઈક જીવને વિશેષબોધ ન થયો હોય છતાં સંસારના સ્વરૂપને જાણીને સંસારથી ભય પામેલ હોય અને સંસારથી પર એવી મુક્ત અવસ્થાની રુચિ થયેલી હોય તેવા જીવને કેવલજ્ઞાનીના ઉપદેશાનુસાર પ્રવૃત્તિ મોક્ષનું કારણ છે, એવો બોધ થયેલો હોય તેથી તીર્થંકર વિદ્યમાન હોય તો તીર્થંકરના ઉપદેશના શ્રવણમાં ઉદ્યમ કરે અને તીર્થકરનો યોગ ન હોય તો તીર્થકરના વચનને અનુસરનારા એવા છબસ્થના વચનના ઉપદેશમાં ઉદ્યમ કરે. એવા જીવોને તત્ત્વનો યથાર્થ બોધ કરાવનારા ઉપદેશમાં રુચિ છે અને તે ઉપદેશની રુચિ સમ્યક્ત સ્વરૂપ છે અથવા તે ઉપદેશરુચિને કારણે ઉપદેશના શ્રવણથી જન્ય જે બોધ થયેલો છે તે બોધ સર્વશે જે પ્રકારે જીવાજીવાદિ પદાર્થો કહ્યા છે તે પ્રકારના યથાર્થ નિર્ણય સ્વરૂપ છે ને તે યથાર્થ નિર્ણયકાળમાં ઉચિત પ્રવૃત્તિ કરવાની જે ઉત્કટ રુચિ વર્તે છે તે “ઉપદેશરુચિસમ્યત્વ' છે. તેને દઢ કરવા માટે “સૂત્રકૃતાંગ” આગમગ્રંથની સાક્ષી આપે છે – “સૂત્રકૃતાંગ' આગમગ્રંથમાં કહ્યું છે કે અન્યદર્શનવાળા એવા ઉપદેશકો છબસ્થ છે, કેવલજ્ઞાનથી લોકને જાણતા નથી તેથી લોકવ્યવસ્થાના અજ્ઞાનને કારણે ધર્મના પરમાર્થનો બોધ તેઓને નથી અને નહિ જાણતા એવા પણ તેઓ ધર્મનો ઉપદેશ આપે છે. તેથી તેઓ આદિ અને અંત વગરના ઘોરસંસારમાં નાશ પામેલા છે; કેમ કે જે વસ્તુ પોતે જાણતા ન હોય તે વસ્તુનો ઉપદેશ આપીને વિપરીત માર્ગનું સ્થાપન કરે છે. જેથી તેઓ સંસારમાં નાશ પામેલા છે અને ઉપદેશ દ્વારા પોતાના આત્માનો અને ઉપદેશ સાંભળનારા જીવોનો નાશ કરે છે. વળી, એ કથનને દઢ કરવા માટે વ્યતિરેકથી કહે છે – કેવલજ્ઞાનથી કેવલી લોકને જાણે છે. પુણ્ય વડે, જ્ઞાન વડે અને સમાધિ વડે યુક્ત એવા કેવલી સંપૂર્ણ ધર્મને કહે છે અર્થાત્ શ્રુત-ચારિત્રરૂપ ધર્મને કહે છે. તેઓ સ્વયં લોકને જાણનારા હોવાથી યથાર્થ બોધવાળા છે તેથી તીર્ણ છે અને સન્માર્ગનું પ્રકાશન કરીને પોતાના આત્માને અને પરને તારે છે. આનાથી એ ફલિત થાય કે કેવલી કેવલજ્ઞાનના બળથી યથાર્થ જોનારા છે માટે તેઓ ઉપદેશ આપવાના અધિકારી છે. અન્ય છાસ્થ જીવો કેવલીના વચનના બળથી નિર્ણય થયેલા પદાર્થોનો ઉપદેશ આપે તો તે ઉપદેશ સર્વજ્ઞના વચનાનુસાર હોવાથી કલ્યાણનું કારણ છે પરંતુ જે છદ્મસ્થ જીવોને કેવલીના વચન દ્વારા ઉચિત પદાર્થોનો નિર્ણય થયો નથી છતાં સ્વમતિ અનુસાર કેવલીનાં વચનોનું યોજન કરીને ઉપદેશ આપે છે અથવા કેવલીના વચન નિરપેક્ષ સ્વમતિ અનુસાર ઉપદેશ આપે છે તેઓ ઘોર સંસારમાં નાશ પામેલા છે અને ઉપદેશ દ્વારા સ્વ-પરનો નાશ કરનારા છે. વળી, કેવલી અને કેવલીના વચનાનુસાર ઉપદેશ આપનારા જીવો જે ઉપદેશની પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિકાળમાં તેઓ પુણ્યથી, જ્ઞાનથી અને સમાધિથી યુક્ત છે; કેમ કે Page #90 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૭૩ તેઓની તે ઉપદેશની પ્રવૃત્તિ પુણ્યનો હેતુ છે. કેવલીને પૂર્ણ જ્ઞાન છે અને કેવલીના વચનાનુસાર ઉપદેશ આપનારમાં પણ કેવલીના વચનથી થયેલું સમ્યજ્ઞાન છે અને કેવલી રાગાદિથી આકુળ નહિ હોવાથી સમાધિથી યુક્ત છે અને કેવલીના વચનથી બોધ પામેલા છબસ્થ ગીતાર્થ સાધુ પણ કેવલીના ઉપદેશથી ભાવિત મતિવાળા હોવાથી સમાધિયુક્ત છે તેથી કેવલી કે કેવલીના વચનને અનુસરનારા ગીતાર્થ સાધુઓ શ્રુત ચારિત્રરૂપ સમસ્ત ધર્મનો ઉપદેશ યોગ્ય જીવોને આપે છે. તેઓ સંસારથી તરેલા છે અને તેઓ પોતાને અને અન્યને તારે છે તેથી કેવલી અને કેવલીના વચનને અનુસરનાર એવા છદ્મસ્થના ઉપદેશને સાંભળવાની તીવ્રરુચિ તે “ઉપદેશરુચિસમ્યક્ત' છે અથવા તેવા ઉપદેશને સાંભળવાથી થયેલા બોધમાં તીવ્રરુચિ તે ઉપદેશરુચિસમ્યક્ત છે. ઉપદેશમાં કે ઉપદેશજન્યબોધમાં રુચિ કહી તે રુચિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – તે રૂચિ “સંશયવ્યાવર્તકતાવચ્છેદક ધર્મવિશેષ છે. અર્થાત્ જેઓને સ્થિર નિર્ણય થયો છે કે કેવલીના વચનમાં લેશ પણ વિપરીતતા નથી. માટે કેવલીનું વચનએકાંતે શુદ્ધ છે. તેથી તેઓને કેવલીના વચનમાં રુચિ છે અને તે રુચિ કેવલીના વચનમાં નિઃસંદેહ બુદ્ધિવાળી છે. અથવા કેવલીના વચનથી થતા બોધમાં સંશય નથી કે “આ બોધ અનુસાર હું પ્રવૃત્તિ કરીશ તો મારું હિત થશે કે નહિ ?' પરંતુ સ્થિર નિર્ણય છે કે આ બોધ અનુસાર કરાયેલી ઉચિત પ્રવૃત્તિ સંસારની સર્વ કદર્થનાનો અંત કરીને કલ્યાણની પરંપરા દ્વારા પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિનું અવશ્ય કારણ છે. તેથી તેઓના બોધમાં વર્તતી રૂચિ સંશયનો વ્યાવર્તક એવો ધર્મ વિશેષ છે અર્થાત્ તે રુચિ નિઃસંદેહ બુદ્ધિનું કારણ છે. ૩. આજ્ઞારુચિસમ્યક્ત : જે જીવોમાં દેશથી રાગાદિ નાશ પામેલા છે તેથી સર્વશનો વચનાનુસાર ધર્માનુષ્ઠાન કરવાની રૂચિ છે તે જીવો આજ્ઞારુચિવાળા છે. અને આવા જીવો અસદ્ગહ વગરના હોવાથી દેશથી રાગાદિ દોષરહિત છે અને તેઓ સર્વજ્ઞના વચનાનુસાર ચાલનારા આચાર્યની આજ્ઞાથી ધર્માનુષ્ઠાન કરવાની રુચિવાળા છે તેથી તેઓ જે જે અનુષ્ઠાન કરે છે તે સર્વ અનુષ્ઠાનોને જિનવચનાનુસાર સંપાદન કરવાનું કારણ તેઓની ધર્માનુષ્ઠાનની રુચિ છે. જેમ માપતુષાદિ મુનિઓ ગુણવાન એવા ગુરુને પરતંત્ર થઈને ધર્માનુષ્ઠાન કરવાની રુચિવાળા હતા તેથી તેઓનું સેવાયેલું ધર્માનુષ્ઠાન સમ્યક સંપાદન થવામાં તેઓમાં વર્તતી આજ્ઞારુચિ કારણ હતી. અને આવા જીવોને ભગવાનનું વચન સર્વદોષરહિત છે તેવી બુદ્ધિ હોય છે તેથી સર્વ દોષ રહિત આજ્ઞા મૂલપણું ભગવાનના વચનમાં છે માટે ભગવાનના વચનમાં અપ્રામાણ્યની શંકા તેઓને થતી નથી તેથી સર્વ ઉચિત અનુષ્ઠાનમાં તેઓને જિનવચનાનુસાર કરવાની રુચિ થાય છે. ૪. સૂત્રરુચિસખ્યત્વ : કોઈ મહાત્મા સૂત્રનો અભ્યાસ ફરી ફરી કરતા હોય તેનાથી તે સ્ત્ર વિષયક વિશિષ્ટ કોટિનો સૂક્ષ્મબોધ થાય છે. જેના કારણે જીવાજીવાદિ પદાર્થના વિષયને સ્પર્શનારી સૂક્ષ્મરુચિ ઉત્પન્ન થાય છે તે સૂત્રરુચિસમ્યક્ત છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ જેમ ગોવિંદાચાર્ય બૌદ્ધ દર્શનના વિદ્વાન હતા અને જૈનાચાર્ય સાથે વાદમાં હારી જતા હતા તેથી સ્યાદ્વાદના મર્મને ભણવા અર્થે માયા કરીને જૈન સાધુ પાસે દીક્ષા ગ્રહણ કરી અને શાસ્ત્રનું અધ્યયન કરતાં કોઈક સૂત્રનો મર્મસ્પર્શી બોધ થવાને કારણે જૈનદર્શન જ શ્રેષ્ઠ દર્શન છે, બોદ્ધ દર્શન શ્રેષ્ઠ નથી તેવો સ્થિરે નિર્ણય થયો. તેથી ગુરુ આગળ પોતે જે આશયથી દીક્ષા ગ્રહણ કરી તેનું પ્રકાશન કરીને જિનવચનમાં સ્થિરરુચિવાળા થયા. તેમ કોઈ જીવ જૈનદર્શનના નવકાર આદિ સૂત્રોને કે આગમવચનોને ગ્રહણ કરીને વારંવાર તેના મર્મને જાણવા પ્રયત્ન કરે તો તે જીવને સૂત્રના ગંભીર ભાવોના સૂક્ષ્મબોધને કારણે સૂક્ષ્મરુચિ પ્રગટે છે. જેમ ફરી ફરી સ્મરણ કરવાથી આત્મામાં દઢતર સંસ્કાર થાય છે તેમ કોઈ સૂત્રનું ફરી ફરી અધ્યયન કરવાથી નિઃસંશય દૃઢતર જ્ઞાન થાય છે. તેથી તે સૂત્રના બળથી જૈનશાસનના પરમાર્થને જોનારી નિર્મળ દષ્ટિ પ્રગટે છે માટે સૂત્રના બળથી સમ્યક્તની પ્રાપ્તિનું કારણ બને તેવી રુચિ પ્રગટ થઈ શકે છે તેમ સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી. અહીં વિશેષ એ છે કે સંસારથી ભય પામેલા અને તત્ત્વના અર્થી જીવો ઉપયોગપૂર્વક “પંચિંદિય સૂત્રને ગ્રહણ કરીને તેના મર્મને અવગાહન કરવા અર્થે વારંવાર તે સૂત્રના પરમાર્થને જાણવા યત્ન કરે તો પાંચ ઇન્દ્રિયના સંવરમાં, બ્રહ્મચર્યની નવ ગુપ્તિના પાલનને કરનારા અને ચાર કષાયોના ઉચ્છેદ માટે ક્ષમાદિમાં ઉદ્યમ કરનારા મુનિ કેવા હોય છે ? તેના ભાવોને સ્પર્શનારો સૂક્ષ્મબોધ થાય. જ્ઞાનાચારાદિ પાંચ આચારોને પાળનારા મુનિ કેવા હોય છે ? તેના રહસ્યનો મર્મસ્પર્શી બોધ થાય અને પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિ પાળનારા તે મહાત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ થાય તો “ભાવસાધુ” કેવા હોય છે તેનો મર્મસ્પર્શી સૂક્ષ્મબોધ થઈ શકે છે. આ રીતે એક “પંચિંદિય સૂત્ર” ના બળથી પણ તેના હાર્દને સ્પર્શે તેવો બોધ કોઈ જીવને થાય તો તે જીવને નિર્મળકોટિનું સમ્યગ્દર્શન પ્રગટે છે. જે સૂત્રના પુનઃ પુનઃ અવલોકનથી પ્રગટેલું છે માટે તે સમ્યગ્દર્શનને “સૂત્રરુચિસમ્યક્ત' કહેવાય છે. આનાથી એ ફલિત થાય કે ભગવાને બતાવેલાં સર્વસૂત્રો મર્મસ્પર્શી બોધ કરાવીને સમ્યગ્દર્શનની નિષ્પત્તિનું કારણ બને છે. યાવતું સમ્મચારિત્રની પ્રાપ્તિનું પણ કારણ બને છે અને તે સૂત્રના પરિણામ સાથે તન્મયતાની પ્રાપ્તિ થાય તો તે સૂત્ર જ વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને છે. આથી જિનવચનમાં કહેલા કોઈ એક સૂત્રને આશ્રયીને અનંતા જીવો કેવલજ્ઞાનને પામ્યા છે માટે સર્વજ્ઞથી પ્રરૂપિત જિનવચનના સૂત્રમાં સ્થિરરુચિ કરીને તેનો પુનઃ પુનઃ અભ્યાસ કરવામાં આવે તો તેના દઢતર મર્મસ્પર્શી સંસ્કારો અવશ્ય થાય છે. માટે સૂત્રની રુચિથી સમ્યક્ત થાય છે તેમ સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી. ૫. બીજરુચિસખ્યત્ત્વ : ભગવાનના વચનના કોઈ એક પદને ગ્રહણ કરીને અન્ય-અન્ય પદોના અર્થોની સાથે પ્રતિસંધાન દ્વારા ઘણા અર્થને સ્પર્શનારો બોધ જેઓને થાય છે તેઓને બીજરુચિસમ્યક્ત” છે.. જેમ પાણીમાં તેલનું બિંદુ વિસ્તાર પામે છે તેમ બીજરુચિવાળા જીવોનો બોધ સૂક્ષ્મ-સૂક્ષ્મ ઊહ કરીને વિસ્તારને પામે છે. જેમ કોઈને “સામાયિક પદના અર્થનો બોધ થયો હોય અને તેવા જીવો શાસ્ત્રનાં અન્ય Page #92 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૭૫ અન્ય વચનો સાથે તે સામાયિક સૂત્રના અર્થનું પ્રતિસંધાન કરે તો તે એક પદના બળથી યાવત્ પૂર્વધર આદિ પણ બની શકે છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ કરી શકે છે. તેવા જીવોને ‘બીજરુચિસમ્યક્ત્વ' છે. ૬. અભિગમરુચિસમ્યક્ત્વ : અર્થને આશ્રયીને સકલ સૂત્રના વિષયવાળી રુચિ ‘અભિગમ રુચિ’ છે; કેમ કે અભિગમ શબ્દનો અર્થ ‘બોધ’ થાય છે. તેથી સકલ સૂત્રોના અર્થને સ્પર્શનારા બોધથી ઉત્પન્ન થયેલી જે રુચિ છે તે ‘અભિગમરુચિસમ્યક્ત્વ’ છે. તેમાં ‘પ્રવચનસારોદ્વાર' ગ્રંથનું ઉદ્ધરણ આપ્યું તેનો અર્થ એ છે કે જે પુરુષથી અગિયાર અંગ, પ્રકીર્ણકાદિ ગ્રંથો, દૃષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થથી જોવાયેલું છે=દૃષ્ટિવાદ આદિ સર્વ શ્રુતજ્ઞાનના અર્થનો બોધ થયેલો છે તેવો પુરુષ અભિગમરુચિસમ્યક્ત્વવાળો છે. ‘નનુ’થી શંકા કરે છે કે ‘સર્વ સૂત્ર વિષયક રુચિ ‘સૂત્રરુચિ’ છે એમ કહ્યું અને સર્વ સૂત્રોના અર્થના બોધથી થતી રુચિ ‘અભિગમરુચિ' છે એમ કહ્યું.' એ રીતે સૂત્રરુચિથી અભિગમરુચિનો ભેદ થશે નહિ; કેમ કે સૂત્રરુચિમાં પણ અર્થના બોધની અપેક્ષાથી જ થયેલી રુચિ સમ્યક્ત્વરૂપ છે; માત્ર સૂત્રની રુચિ સમ્યક્ત્વરૂપ નથી. અહીં કોઈ કહે કે ‘અર્થવાળી સૂત્રવિષયકરુચિ તે અભિગમરુચિ છે અને કેવલ સૂત્રવિષયક રુચિ તે સૂત્રરુચિ' છે. એ પ્રમાણે અભિગમરુચિ અને સૂત્રરુચિનો ભેદ કરી શકાશે. તેને શંકાકાર કહે છે કે એમ કહી શકાય નહિ; કેમ કે કેવલ સૂત્રનું મૂકપણું હોવાથી સૂત્રવિષયક રુચિનું અપ્રમાણપણું છે માટે કેવલ સૂત્રવિષયક રુચિને સમ્યગ્દર્શન રૂપે સ્વીકારી શકાય નહિ. તેથી સૂત્રરુચિમાં સૂત્રથી થતા અર્થના બોધથી રુચિ ગ્રહણ કરવી પડશે અને અભિગમરુચિમાં પણ સૂત્રથી થતા અર્થના બોધની રુચિ ગ્રહણ કરવી પડશે. માટે સૂત્રરુચિ અને અભિગમરુચિનો કોઈ ભેદ સિદ્ધ થશે નહિ. વળી, ‘સૂત્રરુચિ’ શબ્દથી અર્થના બોધ વગર કેવલ સૂત્રની રુચિ ગ્રહણ કરી શકાય નહિ. તેને દૃઢ ક૨વા માટે ‘નનુ’થી શંકા કરનાર કહે છે કે કેવલ સૂત્રરુચિ માત્ર અપ્રમાણ નથી પરંતુ અજ્ઞાન અનુબંધી પણ છે=અજ્ઞાન ફલવાળી પણ છે. તેથી માત્ર સૂત્રની રૂચિ અજ્ઞાનયુક્ત હોવાને કારણે સમ્યક્ત્વરૂપ કહી શકાય નહિ. વળી, માત્ર સૂત્રની રુચિ અજ્ઞાન અનુબંધી કેમ છે ? તેમાં ‘ઉપદેશમાલા' ગ્રંથની સાક્ષી આપે છે શ્રુતરૂપી કસોટી પથ્થર ઉપર જેણે સૂત્રનો પરિચ્છેદ કર્યો નથી અર્થાત્ સૂત્રના અર્થને શ્રુતના બળથી કસીને જાણવા યત્ન કર્યો નથી અને કેવલ અભિન્ન સૂત્રચારી છે–સૂત્રના શબ્દોથી પ્રાપ્ત થતા સામાન્ય અર્થને ગ્રહણ કરીને પ્રવૃત્તિ ક૨ના૨ છે. એવા જીવો સૂત્રોનું અવલંબન લઈ સર્વ ઉદ્યમથી પ્રયત્ન કરતા હોય તોપણ તેઓનો પ્રયત્ન અજ્ઞાનતપમાં ઘણો પડે છે. તેથી તેવા જીવો કઠોર આચરણાના ફળરૂપે નિર્જરાની પ્રાપ્તિ કરી શકતા નથી. તેથી ફલિત થયું કે કેવલ સૂત્રની રુચિ અજ્ઞાનના ફળવાળી છે માટે તેવી સૂત્રરુચિ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ “સમ્યક્ત' કહી શકાય નહિ. આ પ્રકારે “નથી શંકા કરનારે સ્થાપન કર્યું કે “અભિગમરુચિ અને સૂત્રરુચિનો ભેદ પ્રાપ્ત થશે નહિ.” તેને ગ્રંથકારશ્રી કહે છે – સ્થૂલથી તારું કથન સાચું છે. પરંતુ સૂત્રરુચિમાં અર્થરુચિનો પ્રવેશ છે અને અર્થરુચિમાં સૂત્રરુચિનો પ્રવેશ છે તેથી બંને એક છે. તોપણ અભિગમરુચિમાં સૂત્રના અર્થના અધ્યયનજનિત જ્ઞાનવિશેષકૃત રુચિ છે. અને સૂત્રરુચિમાં અર્થના અધ્યયનજનિત જ્ઞાનવિશેષ નથી પરંતુ અભિગમરુચિ જેવા વિશેષબોધથી રહિત સૂત્રોના યથાર્થ અર્થના બોધથી જનિત રુચિ છે. તેથી “અભિગમરુચિ' કરતાં સૂત્રરુચિનો ભેદ છે. આશય એ છે કે સૂત્રરુચિવાળા જીવો સૂત્રના અર્થને ઉચિત રીતે જોડીને યથાર્થ બોધવાળા છે. અને અભિગમરુચિવાળા જીવો પણ સૂત્રોના અર્થોને ઉચિત રીતે જોડીને યથાર્થ બોધવાળા છે. તોપણ જેઓ પ્રધાનરૂપે સૂત્રના અર્થોનું અધ્યયન કરે છે તેના કારણે સૂત્રરુચિવાળા જીવો કરતાં વિશેષ પ્રકારનું જ્ઞાન ધરાવે છે અને તેવા જ્ઞાનવિશેષને કારણે સૂત્રરુચિવાળા જીવો કરતા અભિગમરુચિવાળા જીવોની રુચિ વિશેષ પ્રકારના અર્થને સ્પર્શનારી હોય છે. મોટે-જતે બે રુચિનો ભેદ છે અને સૂત્રરુચિ કરતાં અભિગમરુચિમાં અધિક નિર્મળતા છે. આથી જ “ઉપદેશપદ ગ્રંથમાં સૂત્રના અધ્યયનથી અધિક ઉદ્યમ અર્થના અધ્યયનમાં કરવાનું કહેલું છે. તેમાં ઉપદેશપદ' ગ્રંથની સાક્ષી બતાવે છે - સૂત્રથી અર્થમાં અધિક યત્ન કરવો જોઈએ ! કેમ સૂત્રથી અર્થમાં અધિક યત્નો કરવો જોઈએ ? એથી કહે છે – અર્થમાં અધિક ઉદ્યમ કરવાથી ઉભયની વિશુદ્ધિ થાય છે. અર્થાત્ સૂત્રની અને અર્થની ઉભયની વિશુદ્ધિ થાય છે; કેમ કે કેવલ સૂત્ર મૂક છે. તેથી કંઈ બોધ કરાવતું નથી. અર્થમાં ઉદ્યમ કરવાથી સૂત્રના અર્થનો પારમાર્થિક બોધ થાય છે તેથી તે સૂત્ર પણ પારમાર્થિક રુચિપૂર્વકનું બને છે. માટે સૂત્રની વિશુદ્ધિ થાય છે. સૂત્રથી વાચ્ય પારમાર્થિક અર્થ પ્રત્યે રુચિ હોવાથી અર્થની પણ વિશુદ્ધિ થાય છે અને જો અર્થમાં વિશેષ યત્ન ન કરવામાં આવે તો તે સૂત્ર ખાલી શબ્દાત્મક હોવાથી રુચિનો વિષય પારમાર્થિક તત્ત્વ બનતું નથી માટે તે સૂત્રની રુચિ પણ આત્મકલ્યાણનું કારણ નથી. પૂર્વમાં સૂત્રરુચિથી અભિગમરુચિનો ભેદ સ્પષ્ટ કર્યો. હવે “અથવાથી અન્ય રીતે તે ભેદને સ્પષ્ટ કરે જેઓને સૂત્રના યથાર્થ અર્થોનો બોધ છે અને તે અર્થોના બોધપૂર્વક સૂત્રની રુચિ છે અથવા જેઓને સૂત્રોના પારમાર્થિક અર્થ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાની રુચિ છે તેઓ ‘સૂત્રરુચિસમ્યક્ત’ વાળા છે. અને જેઓને સૂત્ર ઉપર રચાયેલી નિયુક્તિ આદિ ગ્રંથ વિષયક રુચિ છે તેઓને “અભિગમરુચિસમ્યક્ત” છે. પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે કહે છે – આથી જ “ઠાણાંગ” આગમગ્રંથની વૃત્તિમાં “અભિગમરુચિને નિયુક્તિ આદિના વિષયપણાથી “સૂત્રરુચિ કરતાં જુદી બતાવેલી છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તેથી એ ફલિત થાય કે સૂત્રોના અર્થોનો વિસ્તાર કરનાર નિર્યુક્તિ આદિ ગ્રંથો ઉપર રુચિ છે તે અર્થની રુચિ છે. માટે “અભિગમરુચિસમ્યક્ત છે. અને સૂત્રોના પારમાર્થિક અર્થને જાણવા માટે રુચિ અને પારમાર્થિક અર્થોના બોધપૂર્વક સૂત્રની રુચિ તે “સૂત્રરુચિસમ્યક્ત” છે. ૭. વિસ્તારરુચિસખ્યત્વ સર્વ પ્રકારના પ્રમાણની દૃષ્ટિના, સર્વપ્રકારના નયની દૃષ્ટિના બોધથી જન્ય સર્વ દ્રવ્ય અને સર્વ દ્રવ્યમાં વર્તતા સર્વ ભાવ વિષયક રુચિ તે વિસ્તારરુચિસમ્યક્ત' છે. ૮. ક્રિયારુચિસખ્યત્વ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર, સમ્યકતપ અને સમ્યફ વિનયાદિ અનુષ્ઠાન વિષયક જે રુચિ તે “ક્રિયારુચિસમ્યક્ત' છે. આજ્ઞારુચિસમ્યક્ત'માં પણ ધર્માનુષ્ઠાન વિષયક રુચિ છે અને ક્રિયારુચિસમ્યક્તમાં પણ ધર્માનુષ્ઠાન વિષયક રુચિ છે તેથી એ બે વચ્ચેનો ભેદ નથી એ પ્રકારની શંકા ન કરવી; કેમ કે આજ્ઞારુચિવાળા મહાત્માઓ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને સંયમની સર્વ ક્રિયાઓ કરનાર છે, તેઓમાં “આજ્ઞારુચિસમ્યક્ત' છે. આ “આજ્ઞારુચિસમ્યક્ત” વચનાનુષ્ઠાનવાળા મુનિમાં છે અર્થાત્ ભગવાનના વચનના સ્મરણપૂર્વક અપ્રમાદથી દિવસ-રાત ચારિત્રની સર્વ ક્રિયાઓ કરે છે તેવા મુનિમાં આજ્ઞારુચિસમ્યક્ત છે. જ્યારે ક્રિયારુચિસમ્યત્વ અસંગાનુષ્ઠાનવાળા મુનિમાં છે જેઓ વચનાનુષ્ઠાન સેવીને સર્વ ક્રિયાઓ અપ્રમાદભાવથી આજ્ઞાનું સ્મરણ કર્યા વગર સહજતાથી જિનવચનાનુસાર કરી શકે તેવા મહાવીર્યવાળા છે. ક્રિયારુચિ અસંગઅનુષ્ઠાનવાળા મુનિમાં છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – આથી જ=અસંગભાવવાળા મુનિને ક્રિયારુચિસમ્પર્વ છે. આથી જ, સર્વભાવો પ્રત્યેના સામ્યભાવથી પરિણત ચારિત્રક્રિયા વાળા મહાત્માઓ પૂજ્ય હરિભદ્રસૂરિ વડે ચારિત્રકાયાવાળા કહેવાયા છે. તેથી એ ફલિત થયું કે જેઓનું ચિત્ત જગતના સર્વભાવો પ્રત્યે સામ્યભાવવાળું છે તેથી પોતાના શુદ્ધ સ્વભાવમાં સહજભાવથી વર્તે છે તેવા પરિણત ચારિત્રકાયવાળા મુનિઓ ક્રિયારુચિવાળા છે તેથી આજ્ઞારુચિ કરતાં ક્રિયારુચિનો ભેદ છે. ૯. સંક્ષેપરુચિસમ્યક્ત : મહાત્મા ચિલાતીપુત્ર ઉપશમ, વિવેક, સંવર એ ત્રણ પદની અતિશય રુચિના બળથી સામ્યભાવને પામીને ચારિત્રની પરિણતિવાળા થયેલા. તેઓને “સંક્ષેપરુચિ સમ્યગ્દર્શન' હતું તે બતાવવા માટે કહે છે - જેઓ અન્ય દર્શનની વાસનાથી અભિગૃહીત કુદૃષ્ટિવાળા નથી અને ભગવાનના પ્રવચન પ્રત્યે રુચિ હોવા છતાં પ્રવચનના અવિશારદ છે તેવા જીવોને નિર્વાણપદમાત્ર વિષયવાળી રુચિ છે તે ‘સંક્ષેપરુચિસમ્પર્વ' છે. તેથી એ ફલિત થાય કે જેઓને સંસારના કોઈ ભાવો પ્રત્યે રૂચિ નથી, માત્ર સંસારનો અંત કરીને નિર્વાણ અવસ્થા પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા છે તેથી ચિલાતીપુત્રની જેમ સર્વ સંગનો ત્યાગ કરીને સતત નિર્વાણપદના અર્થથી આત્માને ભાવિત કરીને નિર્વાણના ઉપાયભૂત સમભાવમાં મહાયત્ન કરે છે તેવા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ જીવોને “સંક્ષેપરુચિ સમ્યગ્દર્શન' છે; અને તે સમ્યગ્દષ્ટિ જીવો અન્ય દર્શનથી વાસિત મતિવાળા હોઈ શકે નહિ. કેમ કે અન્ય દર્શનની કુદૃષ્ટિની વાસનાને કારણે સમ્યત્વ સંભવે નહિ પરંતુ જેમ ચિલાતીપુત્રને કોઈ દર્શનની કુદૃષ્ટિની વાસના ન હતી અને તત્કાળ તત્ત્વની ઇચ્છા ઉત્પન્ન થઈ અને મહાત્માને “તત્ત્વ' શું છે ? તે પૂછે છે અને ભગવાનના પ્રવચનમાં વિશારદ નથી તોપણ પ્રવચનના અર્થને કરવાની રુચિ હોવાથી મહાત્માએ બતાવેલાં ત્રણ પદો સંસારના અંતનું કારણ છે તેવી સ્થિરબુદ્ધિ કરીને સતત એ ત્રણ પદોના બળથી નિર્વાણને અનુકૂળ સુદઢ યત્ન જેમ ચિલાતીપુત્રએ કર્યો તેમ જે મહાત્માઓ કરે છે તેમાં “સંક્ષેપરુચિ-સમ્યગ્દર્શન” છે. આ સમ્યક્ત નિર્લેપ એવા મુનિને જ સંભવે છે, અવિરત સમ્યગ્દષ્ટિને સંભવે નહિ. સંક્ષેપરુચિસમ્યક્તનું લક્ષણ કર્યું કે અનભિગૃહીત કુદષ્ટિવાળા એવા પ્રવચન અવિશારદની નિર્વાણપદ માત્ર વિષયવાળી રુચિ “સંક્ષેપરુચિસમ્યક્ત” છે. અહીં કોઈ શંકા કરે છે કે સંક્ષેપરુચિસમ્યક્તના ઉપર બતાવ્યા લક્ષણમાંથી વિશેષ્ય અંશને છોડીને વિશેષણદ્વય માત્ર અંશને રાખીને લક્ષણ કરીએ તો યુક્ત થશે. અર્થાત્ અનભિગૃહીત કુદષ્ટિ અને પ્રવચન અવિશારદ એ બે વિશેષણ અંશ છે અને નિર્વાણપદ માત્રની રુચિ એ વિશેષ્ય અંશ છે તે વિશેષ્ય અર્થને છોડીને વિશેષણદ્વય માત્ર સંક્ષેપરુચિનું લક્ષણ કરીએ તો યુક્ત થશે. આ પ્રકારની શંકા કરનારનો આશય એ છે કે જેઓ અન્ય દર્શનથી ગૃહીત નથી અને પ્રવચનના અવિશારદ છે તોપણ પ્રવચનના અર્થમાં રુચિવાળા છે તેવા જીવો “સંક્ષેપરુચિસમ્યક્તવાળા છે તેમ કહી શકાશે, નિર્વાણપદ માત્રની રુચિ તેમ કહેવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે તે બે વિશેષણવાળું સંક્ષેપરુચિનું લક્ષણ મૂર્છાદિ દશા સાથે સાધારણ છે માટે વિશેષ્ય અંશ વગર “સંક્ષેપરુચિસમ્યક્તનું લક્ષણ સંગત થાય નહિ. આશય એ છે કે કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ અન્ય દર્શનથી અનભિગૃહીત હોય અર્થાત્ અન્ય દર્શનની વાસનાથી વાસિત ન હોય અને પ્રવચનમાં અવિશારદ હોય તે સમ્યગ્દષ્ટિ સંક્ષેપરુચિસમ્યક્તવાળા નથી; કેમ કે તેને ધનાદિમાં મૂચ્છ છે અને મૂર્છાદિમાં રહેલા “આદિ પદથી પ્રાપ્ત અવિરતિ કે દેશવિરતિ છે તેથી તેવા જીવોમાં નિર્વાણપદ માત્ર વિષયવાળી રુચિ નથી. તેવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવમાં પણ “સંક્ષેપરુચિસમ્યક્ત'નું લક્ષણ અતિવ્યાપ્ત થાય અને નિર્વાણપદ માત્ર રુચિવાળા ચિલાતીપુત્રમાં પણ આ લક્ષણ પ્રાપ્ત થાય. તેથી બે વિશેષણવાળું લક્ષણ કરવાથી મૂર્છાદિદશાવાળા જીવોની સાથે લક્ષણનું સાધારણપણું હોવાથી તે લક્ષણ ઇષ્ટ નથી. પરંતુ ચિલાતીપુત્રની જેમ જેઓ સમ્યક્ત પામ્યા પછી માત્ર મોક્ષની એક રુચિના બળથી સર્વત્ર મૂચ્છ રહિત થઈને મોક્ષના ઉપાયભૂત સમભાવના પરિણામમાં અસ્મલિત યત્ન કરે છે તેઓમાં જ “સંક્ષેપરુચિસમ્યક્ત' છે. તે બતાવવા માટે બે વિશેષણથી યુક્ત વિશેષ્યપદની પણ આવશ્યકતા છે. ૧૦. ધર્મરુચિસખ્યા - ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોના જે ધર્મો છે તે ધર્મોના વાચક “ધર્મપદ છે. અને કોઈ યોગ્ય જીવને ધર્મપદ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ માત્ર શ્રવણથી જનિત એવી પ્રીતિથી યુક્ત ધર્મપદ વાગ્યના વિષયવાળી રુચિ ઉત્પન્ન થાય તે “ધર્મરુચિસમ્યક્ત' છે. તેમાં પ્રવચનસારોદ્ધારે' ગ્રંથની સાક્ષી આપે છે – કોઈ જીવને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના ધર્મ બતાવવામાં આવે અર્થાત્ ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક સ્વભાવવાળું છે. અધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદ્ગલને સ્થિતિમાં સહાયક સ્વભાવવાળું છે. તે રીતે જીવ દ્રવ્ય શ્રુત અને ચારિત્રના સ્વભાવવાળું છે અને તે સર્વ દ્રવ્યોની જિનવચનાનુસાર જે શ્રદ્ધા કરે છે તે “ધર્મરુચિસમ્યક્ત' છે. આનાથી એ ફલિત થાય કે દરેક પદાર્થોના વાસ્તવિક ધર્મો ભગવાને જે રીતે કહ્યા છે તે રીતે અવધારણ કરીને તે પદાર્થો પ્રત્યેની જે રુચિ, તે રુચિ જીવને ઉચિત પ્રવૃત્તિ કરવામાં પ્રેરણા કરે છે અને અનુચિત પ્રવૃત્તિમાંથી નિવર્તન કરાવે છે; કેમ કે જીવને શ્રુત-ચારિત્ર ધર્મમાં રુચિ થવાથી પોતાની શક્તિ અનુસાર તે ધર્મો પ્રગટ કરવા માટે બલવાની ઇચ્છા થાય છે તે “ધર્મરુચિસમ્યક્ત' છે. [ પૂર્વમાં “ધર્મરુચિસમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું કે ધર્મપદે વાચ્ય વિષયવાળી રુચિ ધર્મરુચિસમ્યક્ત' છે. એ રીતે ગ્રામધર્માદિપદ વાચ્ય વિષયવાળી રુચિને પણ સમ્યક્ત માનવાની આપત્તિ આવશે; કેમ કે કોઈ પુરુષને પોતે જે ગામમાં વસતો હોય તે ગામનો ધર્મ શું છે? તે જાણીને તે ગામના ધર્મમાં તે પ્રમાણે વર્તવાની રુચિ હોય તો તેવી રુચિવાળા પુરુષને પણ સમ્યગ્દષ્ટિ માનવાનો પ્રસંગ આવે. તેના નિવારણ માટે કહે છે – ધર્મરુચિપદ વિશેષણરહિત ગ્રહણ કરવાનું છે. તેથી ગ્રામધર્મની રુચિ સમ્યગ્દર્શન બને નહિ; કેમ કે ધર્મના વિશેષણરૂપે “ગ્રામ' શબ્દ છે. અને ધર્મરુચિ પદથી વિશેષણ વગરની ધર્મની રુચિ ગ્રહણ કરવાની છે. તેથી એ ફલિત થાય કે સર્વ પદાર્થોના પારમાર્થિક ધર્મ વિષયક રુચિ તે ધર્મરુચિસમ્યક્ત' છે. અહીં પ્રશ્ન થાય કે વિશેષણપદ વગરના ધર્મપદવાચ્ય રુચિને ધર્મરુચિસમ્યક્ત કહેવામાં આવે તો ચારિત્રધર્માદિપદ વાચ્ય વિષયવાળી રુચિમાં પણ ધર્મરુચિસમ્યક્તનું લક્ષણ અવ્યાપ્ત થશે અર્થાત્ લક્ષણ જશે નહિ; કેમ કે કોઈ જીવને ચારિત્રધર્મની રુચિ હોય કે શ્રુતધર્મની રુચિ હોય તેવા જીવોને “ધર્મરુચિસમ્યક્ત” છે છતાં ગ્રામધર્મરુચિના લક્ષણમાં જતી અતિવ્યાપ્તિના નિવારણ માટે ગ્રંથકારશ્રીએ વિશેષણ વગરના ધર્મપદથી વાચ્ય રુચિને ગ્રહણ કરેલ છે. અને ચારિત્રધર્મની રુચિમાં ધર્મનું વિશેષણ ચારિત્ર છે, માટે ચારિત્રધર્મરુચિવાળા સમ્યગ્દષ્ટિ જીવોના સમ્યક્તમાં “ધર્મરુચિસમ્યક્ત'ના લક્ષણની અવ્યાપ્તિ થશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે – વિશેષણ રહિત ધર્મપદથી “વાસ્તવિક ધર્મમાં અતિપ્રસંજક એવા વિશેષણથી રહિતપણાનું વિવક્ષિતપણું છે.” આશય એ છે કે ચારિત્ર ધર્મ, ધૃતધર્મ તે વાસ્તવિક ધર્મો છે અને ગ્રામધર્મ એ વાસ્તવિક ધર્મ નથી. આમ છતાં ગ્રામધર્મને ગ્રહણ કરીને ધર્મરુચિસમ્યક્ત કહેવામાં આવે તો તેવા ઉપપદ સાહિત્યની તેવા વિશેષણના રાહિત્યની, વિવક્ષા કરેલ છે. તેથી એ ફલિત થાય કે વાસ્તવિક ધર્મોને બતાવનારાં વિશેષણો સ્વીકારવામાં દોષ નથી. પરંતુ વાસ્તવિક ધર્મો ન હોય તેવા વિશેષણથી રહિત ધર્મપદની રુચિ “ધર્મરુચિસમ્યક્ત” છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ८० ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અહીં ચારિત્રધર્મ એ જીવદ્રવ્યનો વાસ્તવિક ધર્મ છે. શ્રુતધર્મ પણ એ જીવદ્રવ્યનો વાસ્તવિક ધર્મ છે. ગ્રામધર્મ એ કોઈ જીવદ્રવ્યનો કે કોઈપણ દ્રવ્યનો વાસ્તવિક ધર્મ નથી. પરંતુ તે તે ગામમાં વસનારા પુરુષો વડે પોતાના ગામની વ્યવસ્થા માટે કલ્પના કરાયેલો ધર્મ છે અને ધર્મરુચિપદથી દરેક પદાર્થોમાં વર્તતા વાસ્તવિક ધર્મોનું ગ્રહણ છે તેથી તેવા વાસ્તવિક ધર્મોની રુચિ તે સમ્યક્ત છે. માટે ચારિત્રધર્મની રુચિવાળા કે શ્રતધર્મની રુચિવાળા જીવોના સમ્યક્તમાં “ધર્મરુચિસમ્યક્ત'નું લક્ષણ સંગત થશે.] टी : "शिष्यव्युत्पादनार्थं चेत्थमुपाधिभेदेन सम्यक्त्वभेदनिर्देशः, तेन क्वचित्केषाञ्चिदन्तर्भावेऽपि न क्षतिः" [] इत्युत्तराध्ययनवृत्तौ यथा च नान्तर्भावस्तथोक्तमस्माभिः, तथापि नैतदन्यतरत्वं सम्यक्त्वलक्षणम्, रुचीनां तत्तद्विषयभेदेन परिगणनस्याशक्यत्वात्, रुचेः प्रीतिरूपत्वेन वीतरागसम्यक्त्वेऽव्याप्तेश्च, "दसविहे सरागसम्मत्तदंसणे पण्णत्ते" [सू. ७५१] इति स्थानाङ्गसूत्रस्य स्वारस्येन सरागसम्यक्त्वस्यैव लक्ष्यत्वेन च रागस्याननुगतत्वेन लक्ष्यभेदाल्लक्षणभेदोऽवश्यमनुसरणीय इति, वस्तुतो लक्षणमिह लिङ्गं व्यञ्जकमितियावत् व्यञ्जकस्य च वह्निव्यञ्जकधूमालोकवदननुगमेऽपि न दोषः, अत एव च “नाणं च दंसणं चेव" [नवतत्त्व प्र. गा. ५] इत्यादिना ज्ञानदर्शनचारित्रतपःप्रभृतीनामननुगतानामेव जीवस्वरूपव्यञ्जकत्वरूपजीवलक्षणत्वम्, उक्तं, लिंगं विनापि लैङ्गिकसद्भावेऽप्यविरोधश्च, यदाहुरध्यात्ममतपरीक्षायामुपाध्यायश्रीयशोविजयगणयः - "जं च जीयलक्खणं तं, उवइ8 तत्थ लक्खणं लिङ्गं । तेण विणा सो जुज्जइ, धूमेण विणा हुयासुव्व ।।१।।" [गा. १५२] त्ति । एवं च रुच्यभावेऽपि वीतरागसम्यक्त्वसद्भावान्न क्षतिः, व्यङ्ग्यं त्वेकमनाविलसकलज्ञानादिगुणैकरसस्वभावं शुद्धात्मपरिणामरूपं परमार्थतोऽनाख्येयमनुभवगम्यमेव सम्यक्त्वम् । तदुक्तं धर्मबीजमधिकृत्योपदेशपदे - "पायमणक्खेयमिणं, अणुहवगम्मं तु सुद्धभावाणं । भवखयकरंति गरुयं, बुहेहि सयमेव विण्णेयं ।।१।।" [गा. २३२] ति ।। स्वयमिति निजोपयोगतः, इक्षुक्षीरादिरसमाधुर्यविशेषाणामिवानुभवेऽप्यनाख्येयत्वात् । उक्तं च"इक्षुक्षीरगुडादीनां, माधुर्यस्यान्तरं महत् ।। तथापि न तदाख्यातुं, सरस्वत्याऽपि पार्यते ।।१।।" इति । यदि च धर्मबीजस्याप्येवमनुभवैकगम्यत्वम्, का वार्ता तर्हि भवशतसहस्रदुर्लभस्य साक्षान्मोक्षफलस्य चारित्रैकप्राणस्य सम्यक्त्वस्य? इति, शुद्धात्मपरिणतिस्वरूपे हि तत्र नातिरिक्तप्रमाणानां प्रवृत्तिः उक्तं च शुद्धात्मस्वरूपमधिकृत्याचारसूत्रे - Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ "सव्वे सरा णिअटुंति, तक्का जत्थ ण विज्जइ, मइ तत्थ ण गाहिआ" [५/६/१७०] इत्यादि । तदेतद् ज्ञानादिगुणसमुदायाभेदाभेदादिना विवेचयितुमशक्यमनुभवगम्यमेवेति स्थितम् । अत्र પદ્ય – "न भिन्नं नाभिन्नं धुभयमपि नो नाप्यनुभयं, न वा शाब्दन्यायाद् भवति भजनाभाजनमपि । गुणासीनं लीनं निरवधिविधिव्यञ्जनपदे, यदेतत्सम्यक्त्वं तदनुकुरुते पानकरसम् ।।१।। न केनाप्याख्यातं न च परिचितं नाप्यनुमितं, न चार्थादापनं क्वचिदुपमितं नापि विबुधैः । विशुद्धं सम्यक्त्वं न च हृदि न नालिङ्गितमपि, स्फुरत्यन्तोतिर्निरुपधिसमाधौ समुदितम् ।।२।।" [] इत्यलं प्रसङ्गेन, प्रकृतमनुसरामः । ટીકાર્ય : શિષ્યવ્યત્યાનાર્થ » પ્રવૃત્તમનુસરH: ‘શિષ્યના વ્યુત્પાદન માટે=શિષ્યમાં સમ્યફમતિની નિષ્પત્તિ અર્થે, આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ઉપાધિના ભેદથી=જુદા જુદા વિશેષણોના ભેદથી, સમ્યક્તના ભેદનો નિર્દેશ કર્યો. તેથી ક્વચિત્ કોઈક ભેદોના અંતર્ભાવમાં પણ=પરસ્પર અંતર્ભાવમાં પણ, ક્ષતિ નથી.' એ પ્રમાણે ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહ્યું છે. અને જે પ્રમાણે અંતર્ભાવ નથી તે પ્રમાણે અમારા વડે કહેવાયું. તોપણ આનું અવ્યતરપણું=સમ્યક્તના ભેદોનું અન્યતરપણું, સમ્યક્તનું લક્ષણ નથી; કેમ કે રુચિઓનું તે-તે વિષયના ભેદથી પરિગણનનું અશક્યપણું છે અને રુચિનું પ્રીતિરૂપપણું હોવાને કારણે=રાગરૂપપણું હોવાને કારણે, વીતરાગ સમ્યક્તમાં અવ્યાપ્તિ =સમ્યત્ત્વના લક્ષણની અપ્રાપ્તિ છે. દસ પ્રકારના સરાગ સમ્યક્ત કહેવાયા છે.' (સ્થાનાંગસૂત્ર - સૂત્ર ૭પ૧) એ પ્રમાણે ઠાણાંગસૂત્રનું સ્વરસપણું હોવાથી અને સરાગ સમ્યક્તનું જ લક્ષ્યપણું હોવાથી, રાગનું અનુગતપણું હોવાને કારણે લક્ષ્યના ભેદથી લક્ષણનો ભેદ અવશ્ય અનુસરણીય છે. વસ્તુતઃ લક્ષણ અહીં લિંગ છે અર્થાત્ વ્યંજક છે, એ પ્રમાણે અર્થ છે. અને વ્યંજકનું વહ્નિતા વ્યંજક એવા ધૂમની જેમ અને આલોકની જેમ અન_ગમમાં પણ દોષ નથી. અને આથી જ ‘જ્ઞાન અને દર્શન જ' (નવતત્વ પ્રકરણ, ગા. ૫) ઇત્યાદિ ગાથા દ્વારા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે અનાગતોનું જ જીવસ્વરૂપવંજકત્વ રૂપ જીવલક્ષણપણું કહેવાયું અને લિંગ વગર પણ લૈંગિકતા સદ્ભાવમાં પણ અવિરોધ છે=સમ્યક્તના જે ભેદો બતાવ્યા એ રૂપ લિંગ વગર પણ લૈંગિક એવા સખ્યત્વના સદ્ભાવમાં પણ અવિરોધ છે. જે કારણથી “અધ્યાત્મમત પરીક્ષા” ગ્રંથમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીર્ગણિ કહે છે – અને જે જીવલક્ષણ તે=ચારિત્ર, કહેવાયું છે. ત્યાં=જીવનું લક્ષણ ચારિત્ર કહેવાયું છે ત્યાં લક્ષણ લિગ છે. (તેથી) તેના વગર તેત્રસિદ્ધરૂપ જીવ, ધૂમ વગર અગ્નિની જેમ ઘટે છે." (અધ્યાત્મમત પરીક્ષા ગા. ૧૫૨) Page #99 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ અને આ રીતે લિંગરૂપ લક્ષણ વગર પણ લિંગીનો સદ્ભાવ છે એ રીતે, રુચિના અભાવમાં પણ વીતરાગ સમ્યક્તનો સદ્ભાવ હોવાથી ક્ષતિ નથી. વળી, વ્યંગ્ય રુચિથી વ્યંગ્ય, એક અનાવિલ=દોષ વિનાનું, સકલ જ્ઞાનાદિ ગુણો સાથે એકરસ સ્વભાવવાળું, શુદ્ધાત્મ પરિણામરૂપ પરમાર્થથી અનાખેય અનુભવગમ્ય જ સમ્યત્ત્વ છે. તે=પૂર્વમાં કહ્યું કે અનાખેય અનુભવગમ્ય સમ્યક્ત છે તે, ધર્મબીજને આશ્રયીને ઉપદેશપદમાં કહેવાયું છે. પ્રાયઃ આ=ધર્મબીજ અનાખેય છે=બીજાને કહી શકાય તેવું નથી, પરંતુ શુદ્ધભાવવાળા જીવોને અનુભવગમ્ય છે અને ભવના ક્ષયને કરનાર છે એથી ગરુ=મહાન એવું આ=ધર્મબીજ, બુધો વડે સ્વયં વિશેય છે.” (ઉપદેશપદ ગા. ૨૩૨) સ્વયં એટલે નિજ ઉપયોગથી; કેમ કે ઇક્ષક્ષીરાદિરસના માધુર્યવિશેષોની જેમ અનુભવ હોતે છતે પણ અનાખેયપણું છે અને કહેવાયું છે – ઇટ્સ, ક્ષીર, ગુડાદિના માધુર્યનું મહતું અંતર છે તો પણ વાણી વડે પણ તેનેeઇક્ષ, ક્ષીરાદિના માધુર્યને, કહેવા માટે શક્ય નથી.” ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને જો ધર્મબીજનું પણ આ રીતે અનુભવ એકગમ્યપણું છે તો ભવસતસહસ દુર્લભ સાક્ષાત્ મોક્ષફલવાળા ચારિત્રના એક પ્રાણરૂપ સમ્યક્તનું શું કહેવું ? એથી શુદ્ધાત્મ પરિણતિ સ્વરૂપ એવા તેમાં=સમ્યક્તમાં, અતિરિક્ત પ્રમાણોની પ્રવૃત્તિ નથી અનુભવથી અતિરિક્ત કોઈ પ્રમાણોની પ્રવૃત્તિ નથી. અને શુદ્ધાત્મસ્વરૂપને આશ્રયીને આચારસૂત્ર=આચારાંગસૂત્રમાં, કહેવાયું છે. “સર્વ સ્વરો નિવર્તનો પામે છે જ્યાં તર્કો વિદ્યમાન નથી. મતિ ત્યાં ગ્રહણ કરનારી નથી.” (આચારાંગસૂત્ર-૫/૬/૧૭૦) ઇત્યાદિ. તેથી આ સમ્યગ્દર્શન, જ્ઞાનાદિ ગુણના સમુદાયથી ભેદાભદાદિ દ્વારા વિવેચન કરવા માટે અશક્ય અનુભવગમ્ય જ છે એ પ્રમાણે સ્થિત છે. અહીં=સમ્યત્ત્વના વિષયમાં, બે પદ્ય છે – “ભિન્ન નથી, અભિન્ન નથી, ઉભય પણ નથી, અનુભય પણ નથી અથવા શાબ્દવ્યાયથી ભજનાનું ભાજન પણ નથી. ગુણને ગ્રહણ કરનાર છે. નિરવધિ વિધિ વ્યંજનપદોમાં લીન છે જે આ સમ્યક્ત છે તે પાનકાસને અનુસરણ કરે છે.” “કોઈના વડે પણ કહેવાયું નથી=સમ્યક્તનું સ્વરૂપ બતાવાયું નથી અને પરિચિત કરાયું નથી, અનુમિત પણ કરાયું નથી અને અર્થથી પ્રાપ્ત નથી, વિબુધો વડે ક્વચિત્ ઉપમિત પણ નથી અને વિશુદ્ધ એવું સમ્યક્ત હૃદયમાં આલિંગિત પણ નથી એમ નહીં અર્થાત્ કોઈ મહાત્મા દ્વારા હદયમાં આલિંગિત છે=અનુભવ કરાયેલું છે, અંતર્યોતિરૂપ નિરુપધિસમાધિ હોતે છતે સમુદિત એવું સમ્યગ્દર્શન સ્કરાયમાન થાય છે આત્માના અંતરંગ સ્વરૂપને જોનાર નિરુપધિ એવી સમાધિ પ્રગટ થાય છે, ત્યારે ઉદય પામેલું એવું સમ્યગ્દર્શન આત્મામાં સ્કુરાયમાન થાય છે." ). આ પ્રમાણે પ્રસંગથી સર્યું. પ્રકૃતિને અમે કહીએ છીએ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ = ભાવાર્થ : પૂર્વમાં ‘ઉત્તરાધ્યયન સૂત્રને આશ્રયીને સમ્યક્તના દસ ભેદો બતાવ્યા. શિષ્યને કઈ કઈ રીતે સમ્યક્ત થઈ શકે છે ? એ પ્રકારના વિશેષ બોધાર્થે તે તે વિશેષણોના ભેદથી સમ્યત્ત્વના દસ ભેદોનો નિર્દેશ કર્યો છે. વાસ્તવિક રીતે તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિરૂપ સમ્યક્ત એક સ્વરૂપ છે. ફક્ત, વ્યવહારનય યથાર્થ તત્ત્વના દર્શનને સમ્યગ્દર્શન સ્વીકારે છે. અને નિશ્ચયનય જેવો બોધ છે તેવી જ રુચિ અને તેવી જ પ્રવૃત્તિ જે જીવો કરે છે તેવા અપ્રમત્તમુનિમાં સમ્યત્વ સ્વીકારે છે. તે સિવાય નિસર્ગરુચિ, સંક્ષેપરુચિ, વિસ્તારરુચિ ઇત્યાદિ વિશેષણોના ભેદથી જે સત્ત્વના દસ ભેદો બતાવ્યા છે તે શિષ્યને કઈ કઈ રીતે તત્ત્વનું યથાર્થદર્શન થઈ શકે છે ? તેનો બોધ કરાવવાળું બતાવેલ છે. માટે કોઈક સ્થાને કોઈક સમ્યક્તનો પરસ્પર અંતર્ભાવ થતો હોય તો પણ કોઈ ક્ષતિ નથી. એ પ્રમાણે “ઉત્તરાધ્યયન ગ્રંથની વૃત્તિમાં કહેલ છે. વળી, જ્યાં-જ્યાં અંતર્ભાવની સંભાવના દેખાઈ ત્યાં ત્યાં તે તે સમ્યક્તનો અંતર્ભાવ નથી તે બતાવવા માટે ગ્રંથકારશ્રીએ સમ્યક યત્ન કર્યો છે. જેથી પરસ્પર અંતર્ભાવ હોવા છતાં તે તે ઉપાધિના ભેદથી સમ્યત્વનો પણ કંઈક ભેદ છે તેવો શિષ્યને બોધ થાય તોપણ આ ઉપાધિના ભેદોથી ભિન્ન-ભિન્ન પ્રકારનાં સમ્યગ્દર્શનો નથી. તેથી આ દસ ઉપાધિનું અન્યતરપણું સમ્યત્ત્વનું લક્ષણ છે એમ કહી શકાય નહિ; કેમ કે જો દસ પ્રકારનાં સમ્યક્ત જુદાં જુદાં પ્રાપ્ત થતા હોય તો એમ જ કહેવું પડે કે આ દસમાંથી અન્યતર સમ્યગ્દર્શન છે માટે તેમાં રહેલું અન્યતરત્વ સમ્યક્તનું લક્ષણ છે. કેમ પતતરત્વ' સમ્યક્તનું લક્ષણ નથી ? તેમાં હેતુ કહે છે – - તત્ત્વની રુચિરૂપ જે સમ્યગ્દર્શન છે તે રુચિ તે તે વિષયના ભેદથી જુદી જુદી છે તે પ્રકારની પરિગણના થઈ શકે નહિ. આશય એ છે કે અતત્ત્વની રુચિ “મિથ્યાત્વ' છે અને તત્ત્વની રુચિ સમ્યક્ત છે પરંતુ તે તત્ત્વની રુચિ સંક્ષેપથી થયેલી હોય, વિસ્તારથી થયેલી હોય, ધર્મપદના શ્રવણથી થયેલી હોય કે અન્ય રીતે થયેલી હોય તે સર્વરુચિમાં કોઈ ભેદ નથી; કેમ કે વિપર્યાસ આપાદક કર્મના વિગમનના કારણે આત્મામાં થયેલી નિર્મળતાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. તેથી વિપર્યાસકાળમાં શરીર સાથે અભેદબુદ્ધિ હોવાથી શરીરને ઉપષ્ટભક બાહ્ય પદાર્થોમાં રુચિ હતી અને તે વિપર્યાસ દૂર થવાથી આત્માના કલ્યાણના કારણરૂપ એવા તત્ત્વમાં રુચિ પ્રગટે છે તે રુચિનો ભેદ તે તે ઉપાધિના ભેદથી જુદો છે તેમ કહી શકાય નહિ. આમ છતાં તત્ત્વની રુચિ જીવમાં કઈ કઈ રીતે પ્રગટે છે તેનો બોધ કરાવવા અર્થે સમ્યત્ત્વના દસ ભેદો ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહ્યા છે. વળી, તત્ત્વની રુચિરૂ૫ સમ્યક્ત તત્ત્વ પ્રત્યેની પ્રીતિ સ્વરૂપ છે તેથી વીતરાગ સમ્યક્તમાં તે રુચિરૂપ લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થાય; કેમ કે વીતરાગને પણ તત્ત્વ યથાર્થ જ દેખાય છે તોપણ વીતરાગને રુચિરૂપ પ્રીતિ નથી. માટે તત્ત્વની રુચિને સમ્યક્ત કહીએ તો વીતરાગમાં વર્તતા સમ્યક્તમાં લક્ષણની અપ્રાપ્તિ થાય. તેના સમાધાનરૂપે કહે છે. “ઠાણાંગ' સૂત્રમાં દસ પ્રકારનું સરાગસમ્યક્ત કહેવાયું છે તે સૂત્રને Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સ્વરસથી ગ્રહણ કરીને સમ્યગ્દર્શનને રુચિરૂપે કહેલ છે. તેથી દસ પ્રકારની રુચિને સમ્યગ્દર્શન કહ્યું છે તે સરાગસમ્યત્વને લક્ષ્ય કરીને કહેલ છે. માટે વીતરાગ સમ્યક્તમાં સમ્યગ્દર્શનનું લક્ષણ ન હોય તોપણ કોઈ દોષ નથી. • વળી, દસ પ્રકારનું સરોગસમ્યક્ત કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે ભિન્ન ભિન્ન પ્રકારનાં પરિણામોથી જીવોને તત્ત્વનો રાગ થયેલો હોય છે. જેમ કોઈને ધર્મપદના શ્રવણથી તત્ત્વનો રાગ થયેલો હોય છે તો વળી કોઈ અન્યને નિર્વાણપદના શ્રવણથી તત્ત્વનો રાગ થયેલો હોય છે. માટે રાગ, વિષયના ભેદથી અનેક ભેદવાળો છે માટે તેને આશ્રયીને લક્ષ્ય એવા સમ્યગ્દર્શનના ભેદથી સમ્યક્તના લક્ષણનો ભેદ પણ અનુસરણ કરાય છે તેથી અપેક્ષાએ દસ ભેદોવાળું સમ્યત્વ છે એમ કહેવામાં પણ દોષ નથી. વાસ્તવિક રીતે તો આ દસ પ્રકારના સમ્યક્તનાં જે લક્ષણો કર્યા છે તે લક્ષણો અહીં સમ્યગ્દર્શનના લિંગરૂપ છે, પરંતુ સમ્યક્તના પરસ્પર ભેદોને બતાવનાર લક્ષણ નથી. લિંગ એટલે લક્ષ્યનું વ્યંજક. જેમ પર્વત ઉપર રહેલા વહ્નિનું વ્યંજક ધૂમ છે અથવા આલોક છે. તેથી ધૂમથી પણ પર્વત પર વહ્નિ છે તેમ નક્કી કરી શકાય છે અને ક્વચિત્ ધૂમ ન દેખાતો હોય તોપણ તે વહ્નિના કારણે આજુબાજુમાં પ્રકાશની આભારૂપ આલોક દેખાતો હોય તો તે લોકના બળથી પણ પર્વત પર વહ્નિ છે એમ નક્કી કરી શકાય છે, તોપણ ધૂમથી જણાતો વહ્નિ અને આલોકથી જણાતો વહ્નિ જુદો નથી પણ એક જ છે. આમ છતાં પર્વત પર વહ્નિ છે તેનો વ્યંજક ધૂમ છે અને આલોક પણ છે. તેમ આત્મામાં વિપર્યાસ આધાયક કર્મના વિગમનના કારણે થયેલી નિર્મળતા તે સમ્યગ્દર્શન છે અને તે સમ્યગ્દર્શનની વ્યંજક જુદી જુદી રુચિઓ છે તેથી તે જુદી જુદી રુચિઓને ગ્રહણ કરીને સમ્યક્તના દસ ભેદો કહ્યા છે. આનાથી ફલિત થાય કે દસ પ્રકારની રુચિથી અભિવ્યક્ત થનારું સમ્યગ્દર્શન એક છે, જુદુ જુદુ નથી. આ દસ પ્રકારની રુચિરૂપ ઉપાધિના ભેદથી સમ્યત્ત્વના દસ ભેદો બતાવીને શાસ્ત્રકારોએ એ પ્રકારનો બોધ કરાવ્યો છે કે આ રીતે કોઈપણ પ્રકારની રુચિથી જીવમાં વર્તતા સમ્યગ્દર્શનનો નિર્ણય થાય છે. જેમ ધૂમથી પર્વત પર રહેલો વહ્નિ જાણી શકાય છે અને આલોકથી પણ પર્વત પર રહેલો વહ્નિ જાણી શકાય છે તેમ આ દસ પ્રકારની જુદી જુદી રુચિના બળથી જીવમાં વર્તતા સમ્યગ્દર્શનને જાણી શકાય છે. માટે જેમ વહ્નિના વ્યંજક ધૂમ અને આલોક બંને જુદા હોવા છતાં વહ્નિનો ભેદ નથી તેમ દસ પ્રકારની રુચિનો પરસ્પર ભેદ હોવા છતાં સમ્યગ્દર્શન જુદું નથી એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી અને આની જ પુષ્ટિ કરવા માટે જીવના લક્ષણને કહેનાર નવતત્ત્વનો પાઠ આપે છે. નવતત્ત્વ પ્રકરણની ગાથા - પાંચમાં જીવનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ કરેલ છે. પરમાર્થથી તે સર્વ લક્ષણના ભેદથી જીવનો ભેદ નથી; કેમ કે તે સર્વ લક્ષણો જીવના સ્વરૂપના વ્યંજક છે. પરંતુ જ્ઞાનસ્વરૂપ જીવ જુદો, દર્શન સ્વરૂપ જીવ જુદો, ચારિત્ર સ્વરૂપ જીવ જુદો તેવા ભેદો નથી. તે રીતે, પ્રસ્તુતમાં પણ દસ પ્રકારના ભેદોથી સમ્યક્તના ભેદો બતાવ્યા ત્યાં સમ્યગ્દર્શનનાં તે દસ લક્ષણો લિંગો હોવાથી તે લિંગો દ્વારા જીવમાં વર્તતા સમ્યક્તનું અનુમાન થાય છે. જેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ભાવોને જોઈને અનુમાન થાય છે કે આ જીવ છે, અજીવ નથી. ' Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આથી, કોઈક વખતે લિંગ ન હોય તોપણ લિંગીનો સદ્ભાવ હોય છે. જેમ ધૂમરૂપ લિંગ ન હોય તોપણ અયોગોલકમાં વહ્નિનો સભાવ હોય છે તેમ દસ પ્રકારની રુચિરૂપ લિંગના અભાવમાં પણ લૈંગિક એવા સમ્યગ્દર્શનનો સદ્ભાવ ક્યાંક પ્રાપ્ત થાય તો વિરોધ નથી. આથી જ જન્માન્તરથી સમ્યત્વને લઈને આવનારા, ગર્ભાદિ અવસ્થામાં સમ્યક્તવાળા જીવોમાં અને મોહનો નાશ કરીને વીતરાગ થયેલા જીવોમાં દસ પ્રકારની રુચિઓમાંથી કોઈપણ રુચિ ન દેખાય તોપણ તત્ત્વના યથાર્થ દર્શનમાં પ્રતિબંધક એવા કર્મના -વિગમનથી થયેલી નિર્મળતારૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં કોઈ વિરોધ નથી. પૂર્વમાં કહ્યું કે દસ પ્રકારની રુચિ તે સમ્યત્ત્વનું લિંગ છે અને તે લિંગ વગર લૈંગિક એવા સમ્યક્તને સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. આથી વીતરાગમાં કોઈ લિંગો નહીં હોવા છતાં સમ્યગ્દર્શન સ્વીકારવામાં કોઈ વિરોધ નથી તેની પુષ્ટિ કરવાર્થે “અધ્યાત્મમત પરીક્ષા' ગ્રંથની સાક્ષી આપે છે – જે જીવનું લક્ષણ ચારિત્ર કહ્યું છે તે લક્ષણ જીવનું લિંગ છે. તેથી તે ચારિત્ર વગર પણ સિદ્ધના જીવો જીવ છે. જેમ ધૂમ વગર વહ્નિ હોય છે તેમ ચારિત્ર લિંગ વગર પણ સિદ્ધના જીવો જીવ છે. આ ચારિત્ર ચારિત્રાચારના પાલન સ્વરૂપ ગ્રહણ કરવાનું છે અને તેવું ચારિત્ર સિદ્ધમાં નથી તોપણ સિદ્ધના જીવો જીવ છે તેમ દસ પ્રકારનાં લિંગ વિતરાગમાં નથી તોપણ વીતરાગમાં સમ્યગ્દર્શન છે. આનાથી સમ્યક્ત કેવા પ્રકારનું ફલિત થાય છે ? તે બતાવતાં કહે છે – જુદા જુદા પ્રકારની રુચિઓથી એવું સમ્યક્ત “એક છે. વળી દર્શનમોહનીય કર્મના વિગમનથી થયેલું હોવાને કારણે “અનાવિલ” છે=મલરહિત છે. વળી, “શુદ્ધાત્માના જ્ઞાનાદિ બધા ગુણોમાં એકરસ સ્વભાવવાળું છે. અર્થાત્ આત્માના પારમાર્થિક સ્વરૂપમાં એકરસ સ્વભાવવાળું છે. તેથી દસે રુચિથી વ્યંગ્ય એવું સમ્યક્ત આત્માના સર્વ પારમાર્થિક ગુણોમાં રુચિને ધારણ કરનારું છે. વળી, “શુદ્ધાત્માના પરિણામરૂપ” છે; કેમ કે દર્શનમોહનીયકર્મના વિગમનથી થયેલી જીવની તથા પ્રકારની નિર્મળતા સ્વરૂપ છે. વળી, તેનું સ્વરૂપ પરમાર્થથી શબ્દ દ્વારા કહી શકાય તેવું નથી માટે “અનાખેય છે. વળી, જેને સમ્યગ્દર્શન થયું છે તે જીવને પોતાના અનુભવથી ગમ્ય છે. જેમ, જે જીવને શરીરની કોઈ પીડા થતી હોય તો તે પીડા તે જીવને સ્વાનુભવથી ગમ્ય છે. તેમ જે જીવને તત્ત્વના દર્શનનાં આવારક કર્મો નાશ પામ્યાં છે તે જીવોને, જીવના પારમાર્થિક સ્વરૂપનું યથાર્થ દર્શન થાય છે તે, તે જીવના અનુભવથી ગમ્ય છે. ફક્ત તેનો બોધ કરાવવાર્થે દસ પ્રકારની રુચિના ભેદો બતાવેલા છે. પૂર્વમાં કહ્યું કે સમ્યગ્દર્શન કેવા સ્વરૂપવાળું છે તે શબ્દોથી કહી શકાતું નથી પરંતુ સ્વઅનુભવગમ્ય છે. ફક્ત તેના સ્વરૂપનો બોધ કરાવવાર્થે સમ્યત્વને અભિવ્યંજક એવી રુચિઓના ભેદથી સમ્યત્ત્વના દસ ભેદોનું વર્ણન કર્યું તેથી હવે સમ્યક્તની જેમ ધર્મબીજો પણ અનાખેય અને અનુભવગમ્ય છે તેને આશ્રયીને ઉપદેશપદ' ગ્રંથમાં કહેવાયું છે તે બતાવે છે – યોગ્ય જીવોને કોઈની ઉચિત પ્રવૃત્તિ જોઈને તે પ્રવૃત્તિ પ્રત્યે રુચિ થાય છે. તે રુચિથી આત્મામાં ધર્મબીજ પડે છે. તે ધર્મબીજનું આધાન થાય ત્યારે જીવને કેવો પરિણામ છે તે શબ્દોથી કહી શકાતો નથી. છતાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ ધર્મબીજકાળમાં વર્તતા પરિણામને કારણે તે જીવ અન્યના ધર્મની પ્રશંસા કરે છે. તેના ઉપરથી અનુમાન કરાય છે કે આ જીવને ધર્મ પ્રત્યેના પક્ષપાતનો પરિણામ વર્તે છે. તેથી શાસ્ત્રમાં સતુપ્રશંસાદિને ધર્મબીજ કહ્યા છે. વસ્તુતઃ પ્રશંસાની ક્રિયાથી અભિવ્યંગ્ય એવો જીવનો વિશુદ્ધ કોટિનો મતિજ્ઞાનનો ઉપયોગ જ ધર્મબીજનો પરિણામ છે. જેનાથી ધર્મબીજ પડે છે અને તે પરિણામ કેવો છે ? તે શબ્દોથી કહી શકાતો નથી માટે અનાખે છે અને જે જીવોમાં કર્મના વિગમનથી થયેલો શુદ્ધભાવ=ગુણનો પક્ષપાત, વર્તે છે તે જીવને તે ધર્મબીજનો પરિણામ સ્વઅનુભવથી ગમ્ય છે; કેમ કે કોઈકની ધર્મની ઉચિત પ્રવૃત્તિ જોઈને તે પ્રવૃત્તિ પ્રત્યેના પક્ષપાતનો પરિણામ તે જીવને સ્વાનુભવથી જણાય છે અને ગુણના પક્ષપાત સ્વરૂપ તે અનુભવ ભવના ક્ષયને કરનાર છે. તેથી ગરુઅ છે=મહાન છે, અને બધો વડે સ્વયં જ વિશ્લેય છે. તેની જેમ સમ્યગ્દર્શનનો પરિણામ પણ કર્મના વિગમનથી થયેલો આત્માનો શુદ્ધ પરિણામ છે અને તે જીવને કેવા પ્રકારનો પરિણામ છે તે શબ્દોથી કહી શકાતો નથી પરંતુ જેઓમાં સમ્યગ્દર્શન વર્તે છે તેઓને સ્વઅનુભવથી જ ગમ્ય એવો સમ્યગ્દર્શનનો પરિણામ છે. અહીં ‘ઉપદેશપદ' ગ્રંથના ઉદ્ધરણમાં “સ્વયં” શબ્દ છે તેનો અર્થ કરતાં કહે છે – નિજ ઉપયોગથી' તેથી બુધપુરુષ પોતાના ઉપયોગથી જાણવા પ્રયત્ન કરે તો તેને ખ્યાલ આવે કે મને આ ગુણો પ્રત્યેનો પક્ષપાત વર્તે છે, તેવો તે ધર્મબીજોનો અનુભવ છે. જેમ ઇચ્છુક્ષીરાદિના રસમાં માધુર્યનો ભેદ હોય છે તે ઇક્ષુ-ક્ષીરાદિના રસનો ઉપયોગ કરનાર જીવ પોતાના અનુભવથી જાણે છે. આમ છતાં તે અનુભવ કરનાર પુરુષ ઇક્ષમાં કેવું માધુર્ય છે અને ક્ષીરાદિમાં કેવું માધુર્ય છે? તેનો ભેદ શબ્દોથી કહી શકે નહીં છતાં પોતાના ઉપયોગથી તે જીવ જાણવા પ્રયત્ન કરે તો નિર્ણય કરી શકે છે કે ઈશુના માધુર્યનો એને ક્ષીરાદિના માધુર્યનો આવા પ્રકારનો ભેદ છે. તેથી તે બેના માધુર્યનો ભેદ અનાખે છે અને અનુભવગમ્ય છે. ધર્મબીજ આધાન કરનાર જીવ ઉપયોગથી જાણવા યત્ન કરે તો ધર્મબીજના આધાનકાળના પરિણામથી પૂર્વનો પરિણામ અને ધર્મબીજના આધાનકાળનો પરિણામ જુદા પ્રકારનો છે તેમ નિર્ણય કરી શકે છે તેથી ગુણના પક્ષપાતનો પરિણામ પૂર્વના પરિણામ કરતાં વિલક્ષણ છે. તે જ રીતે મિથ્યાત્વ-અવસ્થામાં જીવને માત્ર બાહ્ય પદાર્થો સારભૂત જણાતા હતા અને તેમાં જ તેને તત્ત્વની બુદ્ધિ હતી અને સમ્યક્ત પ્રગટે છે ત્યારે દેહાદિથી ભિન્ન, મોહથી અનાકુળ એવા જ્ઞાનના પરિણામરૂપ આત્માની સુંદર અવસ્થા તેને સુંદર જણાય છે અને તેની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવામાં જ તેને જીવનનું સાફલ્ય જણાય છે. અને જે મહાત્માઓ તદ્દન સંગ વગરના થઈ ને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં ઉદ્યમ કરનારા છે તેઓ પ્રત્યે હૈયામાં પક્ષપાતની બુદ્ધિ થાય છે. તે સર્વ પરિણામો પૂર્વમાં મિથ્યાત્વકાળમાં ન હતા અને સમ્યક્તકાળમાં તે સર્વ પરિણામો વર્તે છે. તેથી ભગવાનના વચનના બળથી પોતાને અપૂર્વતત્ત્વની પ્રાપ્તિ થઈ છે તેવા પ્રકારના પરિણામ વિશેષરૂપ સમ્યગ્દર્શન તે જીવને સ્વઉપયોગના બળથી જણાય છે પરંતુ તે અનુભવાતો પરિણામ કેવા સ્વરૂપવાળો છે ? તે શબ્દ દ્વારા કોઈને કહી શકાતો નથી. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું એ રીતે જો ધર્મબીજનું પણ અનુભવ એકગમ્યપણું હોય તો ધર્મબીજ Page #104 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ કરતા ઘણી ઊંચી પરિણતિવાળા એવા સમ્યક્ત્વને અનુભવએકગમ્ય સ્વીકારવામાં શું કહેવું ? અર્થાત્ ધર્મબીજની જેમ સમ્યક્ત્વ પણ અનુભવએકગમ્ય છે. તે સમ્યક્ત્વ કેવું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે ૭ હજારો ભવોના શ્રમથી પણ જેને પ્રાપ્ત કરવું દુર્લભ છે તેવું સમ્યગ્દર્શન છે. વળી, તે સમ્યગ્દર્શનનું સાક્ષાત્ ફલ મોક્ષપ્રાપ્તિ છે; કેમ કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જીવને સર્વકર્મરહિત અવસ્થા જ એક સા૨ભૂત જણાય છે અને તેના ઉપાયભૂત અસંગપરિણતિ પ્રત્યે બલવાન રુચિ થાય છે. તેથી સમ્યગ્દર્શન સાક્ષાત્ મોક્ષફલમાં જ પર્યવસાન પામનાર છે. વળી સમ્યગ્દર્શન ચારિત્રનો એક પ્રાણ છે; કેમ કે જે જીવોને અસંગઅવસ્થા જ જીવની ૨મ્ય અવસ્થા દેખાય છે તે જીવો જ ચારિત્રના પાલન દ્વારા અસંગભાવની નિષ્પત્તિનું પરમ કારણ એવા સમભાવમાં ઉદ્યમ કરે છે. અને જેઓને સમ્યગ્દર્શન નથી તેવા જીવો ચારિત્રનું પાલન કરે છે તોપણ અસંગપરિણતિના પક્ષપાતવાળું સમ્યગ્દર્શન નહીં હોવાથી ચારિત્રાચારની ક્રિયા દ્વારા સમભાવના પરિણામને સ્પર્શી શકતા નથી. માટે ચારિત્રના એકપ્રાણભૂત સમ્યક્ત્વ છે, અને તેવા સમ્યગ્દર્શનનો પરિણામ જીવને સ્વ-અનુભવગમ્ય જ છે. તેમાં અનુભવથી અતિરિક્ત કોઈ પ્રમાણની પ્રવૃત્તિ નથી, અર્થાત્ અન્ય કોઈ પ્રમાણોથી પોતાનામાં સમ્યગ્દર્શન છે તેમ નક્કી થઈ શકતું નથી. અર્થાત્ પોતે દર્શનાચા૨ની ક્રિયા કરે છે માટે સમ્યગ્દર્શન છે તેમ પણ નક્કી કરી શકાતું નથી. પોતે ચારિત્રાચારની ક્રિયા કરે છે માટે સમ્યગ્દર્શન છે તેમ પણ નક્કી કરી શકાતું નથી. પરંતુ પોતાને અસંગપરિણતિ જ સર્વરુચિ કરતાં અતિશયરુચિનો વિષય છે તેવું સ્વસંવેદન વર્તતું હોય તો તે સંવેદનથી જ પોતાનામાં સમ્યગ્દર્શન છે તેવો નિર્ણય કરી શકાય છે. પૂર્વમાં કહ્યું કે સમ્યક્ત્વ શુદ્ધાત્માના પરિણામ સ્વરૂપ છે. અને ત્યાં અનુભવથી અતિરિક્ત પ્રમાણોની પ્રવૃત્તિ નથી. તેમાં શુદ્ધાત્માને આશ્રયીને ‘આચારાંગસૂત્ર'માં કહેલ વચનની સાક્ષી આપે છે — ‘આચારાંગસૂત્ર’માં શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે ? તેને બતાવતાં કહ્યું છે કે સર્વ સ્વરો નિવર્તન પામે છે=કોઈ શબ્દો આત્માના સ્વરૂપને બતાવવા સમર્થ નથી અને જેના સ્વરૂપને ગ્રહણ કરવા માટે કોઈ તર્કો વિદ્યમાન નથી અને મતિ પણ તેના સ્વરૂપને ગ્રહણ ક૨વામાં સમર્થ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધાત્માનું સ્વરૂપ શબ્દોનો વિષય નથી, તર્કોનો વિષય નથી અને તેના સ્વરૂપને મતિ ગ્રહણ કરવા માટે સમર્થ નથી. પરંતુ જેઓ શુદ્ધાત્માનો અનુભવ કરી રહ્યા છે તેવા સિદ્ધના જીવોને જ તે સ્વરૂપ કેવું છે તે અનુભવગમ્ય છે. તેની જેમ સમ્યક્ત્વ આંશિક કર્મના વિગમનથી થયેલ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તેથી તેના સ્વરૂપને બતાવવા માટે કોઈ શબ્દો શક્તિમાન નથી, કોઈ તર્કો વિદ્યમાન નથી કે કોઈ મતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકતી નથી. પરંતુ જે જીવમાં તે પ્રકારના કર્મનું વિગમન થયું છે તે જીવોને સ્વસંવેદન પરિણામરૂપ સમ્યગ્દર્શન છે. અત્યાર સુધી સમ્યગ્દર્શનના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે તેનો ફલિતાર્થ બતાવતાં કહે છે સમ્યક્ત્વ અનુભવ એકગમ્ય છે. તે કારણથી આત્માના જ્ઞાનાદિ ગુણોના સમુદાયથી કથંચિત્ ભેદ કથંચિત્ અભેદ આદિ દ્વારા આ સમ્યગ્દર્શનનું વિવેચન કરવું અશક્ય છે પરંતુ અનુભવગમ્ય છે તે પ્રમાણે Page #105 -------------------------------------------------------------------------- ________________ . ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સર્વ કથનથી ફલિત થાય છે. અને સમ્યગ્દર્શન આત્માના જ્ઞાનાદિ ગુણોના સમુદાયથી ભેદાભેદાદિ દ્વારા વિવેચન થઈ શકે તેમ નથી. તેને બતાવનાર પદ્ય બતાવે છે - & આ પઘથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ કોઈ રીતે વર્ણનનો વિષય નથી તેમ બતાવેલ છે. સમ્યગ્દર્શનનું વર્ણન ગ્રંથોમાં ક૨વામાં આવેલ છે તોપણ તે વર્ણનથી સમ્યગ્દર્શનનો સામાન્ય બોધ જ થાય છે પરંતુ તે વર્ણન સાંભળીને સમ્યક્ત્વ કેવા સ્વરૂપવાળું છે તેનો અનુભવ થતો નથી. ફક્ત જે જીવોમાં સમ્યગ્દર્શનનાં આવા૨ક કર્મોનું વિગમન થાય છે તે જીવોને સ્વ-સંવેદનરૂપ સમ્યગ્દર્શનનું વેદન થાય છે. આ રીતે સમ્યગ્દર્શનના એકવિધ, દ્વિવિધ આદિથી માંડીને દસવિધ ભેદોનું વર્ણન કર્યા પછી પ્રાસંગિક સમ્યગ્દર્શનને લગતું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે તેના વિસ્તારથી સર્યું તેમ કહીને સમ્યક્ત્વનું અવશેષ વર્ણન જે પ્રકૃત તેને કહે છે टीडा : निसर्गाऽधिगमयोरुभयोरप्येकमन्तरङ्गं कारणमाह - 'मिथ्यात्वपरिहाण्यैवे 'ति मिथ्यात्वं जिनप्रणीततत्त्वविपरीत श्रद्धानलक्षणम्, तस्य परिहाण्यैव सर्वथा त्यागे त्रिविधंत्रिविधेन प्रत्याख्यानेनेतियावत् । आह च-' -“मिच्छत्तपडिक्कमणं, तिविहंतिविहेण नायव्वं " [ आवश्यकनिर्युक्तौ गा. १२५१] त्ति । मिथ्यात्वं च लौकिकलोकोत्तरभेदाद् द्विधा, एकैकमपि देवविषयगुरुविषयभेदाद् द्विविधम्, तत्र लौकिकदेवगतं लौकिकदेवानां = हरिहरब्रह्मादीनाम्, प्रणामपूजादिना तद्भवनगमनादिना च तत्तद्देशप्रसिद्धमनेकविधं ज्ञेयम् १ । लौकिकगुरुगतमपि लौकिकगुरूणां ब्राह्मणतापसादीनां नमस्कृतिकरणं, तदग्रे पतनम्, तदग्रे नमः शिवायेत्यादिभणनम्, तत्कथाश्रवणम्, तदुक्तक्रियाकरणतः कथाश्रवणबहुमानकरणादिना च विविधम् २ । लोकोत्तरदेवगतं तु परतीर्थिकसंगृहीतजिनबिम्बार्चनादिना इहलोकार्थं जिनयात्रागमनमाननादिना च स्यात् ३ । लोकोत्तरगुरुगतं च पार्श्वस्थादिषु गुरुत्वबुद्ध्या वन्दनादिना गुरुस्तूपादावैहिकफलार्थं यात्रोपयाचितादिना चेति भेदचतुष्टयी, तदुक्तं दर्शनशुद्धिप्रकरणे "दुविहं लोइ अमिच्छं, देवगयं गुरुगयं मुणेअव्वं । लोउत्तरि अंपि दुविहं, देवगयं गुरुगयं चेव ।।१।। - चउभेअं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ । अकलंकं सम्मत्तं, होइ फुडं तस्स जीवस्स ॥२॥ | " [ सम्बोध प्र. सम्य. गा. ४४-४५ ] Page #106 -------------------------------------------------------------------------- ________________ ८८ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ त्रिविधं त्रिविधेनेत्यत्र भावनामेवमाहुः"एअं अणंतरुत्तं, मिच्छं मणसा न चिंतइ करेमि । सयमेव सो करेउ, अन्नण कए व सुटु कयं ।।१।। [सम्बोध प्र. सम्य. गा. ४६] एवं वाया न भणइ, करेइ अण्णं च न भणइ करेह । अन्नकयं न पसंसइ, न कुणइ सयमेव कारणं ।।२।। करसन्नभमुहखेवाइएहिं न य कारवेइ अन्नेणं । अन्नकयं न पसंसइ, अण्णेण कयं च सुटु कयं ।।३।।" [श्राद्धधर्मविधि प्र. ३२-३४] [ननु त्रिविधं त्रिविधेन प्रत्याख्यातमिथ्यात्वस्य मिथ्यादृष्टिसंसर्गे कथं नानुमतिरूपमिथ्यात्वप्रसङ्ग इतिचेन, तस्याप्यतिचाररूपस्य वजनीयत्वस्यैवोक्तत्वात्, स्वकुटुम्बादिसम्बन्धिनो मिथ्यादृशो वर्जनाशक्तौ संवासानुमतिः स्यादिति चेन, आरम्भिणा संवासे आरम्भक्रियाया बलात्प्रसङ्गात् संवासानुमतिसंभवेऽपि मिथ्यात्वस्य भावरूपत्वेन तदसम्भवात् । अन्यथा संयतस्यापि मिथ्यादृष्टिनिश्राया अपि संभवेन तत्संवासानुमतेर्दुरित्वादिति दिक्] . यद्यपि तत्त्ववृत्त्या अदेवादेर्देवत्वादिबुद्ध्याऽऽराधने एव मिथ्यात्वम्, तथाप्यहिकाद्यर्थमपि यक्षाद्याराधनमुत्सर्गतस्त्याज्यमेव, परम्परया मिथ्यात्ववृद्धिस्थिरीकरणादिप्रसङ्गेन प्रेत्य दुर्लभबोधित्वापत्तेः । यतः"अन्नेसिं सत्ताणं, मिच्छत्तं जो जणेइ मूढप्पा । सो तेण निमित्तेणं, न लहइ बोहिं जिणाभिहिअं ।।१।।" [सम्बोध प्र. सम्य. गा. ४२] रावणकृष्णाद्यालम्बनमपि नोचितमेव कालभेदात् यतस्तत्समयेऽर्हद्धर्मस्येतरधर्मेभ्योऽतिशायित्वेन न मिथ्यात्ववृद्धिस्तादृशी सम्प्रति च स्वभावतोऽपि मिथ्यात्वप्रवृत्तिर्दुर्निवारैवेति । टीमार्थ :निसर्गाऽधिगमयोः ..... दुर्निवारैवेति । जिसने मधिराम सेनेना से संतान શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – મિથ્યાત્વની પરિહાણિથી જ સત્ત્વ છે. મિથ્યાત્વ જિનપ્રણીત તત્વથી વિપરીત શ્રદ્ધાન સ્વરૂપ છે, તેની પરિહાણિથી જ=મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરાયે છતે, ત્રિવિધ ત્રિવિધતા પ્રત્યાખ્યાનથી, સમ્યક્ત છે એમ અત્રય છે અને કહે છે – "मिथ्यात्य प्रतिभा त्रिविध-विधथी ए.” (मावश्य नियुजित . १२५१) અને મિથ્યાત્વ લૌકિક-લોકોત્તરના ભેદથી બે પ્રકારનું છે. એક-એક પણ=લૌકિક અને લોકોત્તરના Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ બે ભેદમાંથી એક-એક પણ, દેવવિષયના અને ગુરૂવિષયના ભેદથી બે પ્રકારનું છે. તેમાં લૌકિક અને લોકોત્તર બે ભેદવાળા મિથ્યાત્વમાં, , ૧. લૌકિક દેવગત મિથ્યાત્વ : હરિ, હર, બ્રહ્માદિ લૌકિકદેવોને પ્રણામ-પૂજાદિ દ્વારા અને તેમના ભવનમાં ગમનાદિ દ્વારા તે-તે દેશમાં પ્રસિદ્ધ અનેકવિધ લૌકિકદેવગત મિથ્યાત્વ જાણવું. ૨. લૌકિક ગુરુગત મિથ્યાત્વઃ બ્રાહ્મણ, તાપસાદિ લૌકિક ગુરુઓને નમનાદિકરણ, તેની આગળ પતન પગમાં પડવું, તેની આગળ નમઃ શિવાય ઈત્યાદિ કહેવું, તેની કથાનું શ્રવણ, તેના વડે કહેવાયેલા ક્રિયાના કરણથી અને કથાશ્રવણ બહુમાનકરણાદિ દ્વારા લૌકિક ગુરુગત પણ મિથ્યાત્વ વિવિધ છે. ૩. લોકોત્તર દેવગત મિથ્યાત્વ : વળી, પરતીર્થિક સંગૃહીત જિનબિંબ-અર્ચનાદિ દ્વારા, અને ઈહલોક માટે જિનયાત્રાગમન માનન આદિ દ્વારા લોકોત્તર દેવગત મિથ્યાત્વ થાય. ૪. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ : વળી, પાર્થસ્થાદિમાં ગુરુત્વબુદ્ધિથી વંદનાદિ દ્વારા અને ગુરુતૂપ આદિમાં ઐહિક ફલ માટે યાત્રા-ઉપાચિતાદિ દ્વારા લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ છે. એ પ્રમાણે ભેદચતુષ્ટય છે=મિથ્યાત્વના ચાર ભેદો છે તે=મિથ્યાત્વની પરિહાણિથી સમ્યક્ત થાય છે તેમ પૂર્વમાં કહ્યું કે, “દર્શનશુદ્ધિ પ્રકરણમાં કહેવાયું છે – - “બે પ્રકારનું લૌકિક મિથ્યાત્વ દેવગત, ગુરુગત જાણવું. લોકોત્તર પણ બે પ્રકારનું છે દેવગત અને ગુરુગત. ચાર ભેદવાળા મિથ્યાત્વનો ત્રિવિધ-ત્રિવિધથી જે ત્યાગ કરે છે તે જીવને સ્પષ્ટ અકલંક સમ્યક્ત થાય છે.” (સંબોધ પ્રકરણ સમ્ય. ગા. ૪૪-૪૫) ત્રિવિધ-ત્રિવિધ એ પ્રકારના આમાંગકથનમાં, ભાવનાને આ પ્રમાણે કહે છે – “આ રીતે અનંતરમાં કહેવાયેલું મિથ્યાત્વ સ્વયં જ કરું, તે કરે, અન્ય વડે કરાયેલું સારું કરાયું (એ પ્રમાણે) મનથી વિચારે નહિ. (સંબોધ પ્રકરણ, સમ્ય. ગા. ૪૬) આ રીતે=જે રીતે મનથી કરણ, કરાવણ, અનુમોદનનો નિષેધ કર્યો એ રીતે, વાણીથી હું કરું, અન્ય કરે (એ પ્રમાણે) ન બોલે અને અન્યને તું કર (એ પ્રમાણે) ન બોલે, અન્ય વડે કરાયેલું પ્રશંસા કરે નહિ. કાયા વડે સ્વયં કરે નહિ. કરસંજ્ઞા, ભ્રમરપાદિ વડે અન્યને કરાવે નહીં અને અન્ય વડે કરાયેલું સારું કર્યું (એ પ્રમાણે) અચકૃત પ્રશંસા કરે નહિ.” (શ્રાદ્ધવિધિ પ્ર. ૩૨-૩૪) (ત્રિવિધ ત્રિવિધથી પ્રત્યાખ્યાત એવા મિથ્યાત્વનો મિથ્યાષ્ટિના સંસર્ગમાં કેવી રીતે અનુમતિરૂપ મિથ્યાત્વનો પ્રસંગ નથી ? એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે તારી વાત બરાબર નથી; કેમ કે અતિચારરૂપ તેનું પણ=મિથ્યાષ્ટિના સંસર્ગનું પણ, વર્જકીયપણા વડે કરીને ઉક્તપણું છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સ્વકુટુંબાદિ સંબંધી મિથ્યાદષ્ટિના વર્જનની અશક્તિમાં સંવાસની અનુમતિ થશે, એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી. આરંભીની સાથે સંવાસમાં આરંભક્રિયાનો બલથી પ્રસંગ હોવાને કારણે સંવાસાનુમતિનો સંભવ હોવા છતાં પણ મિથ્યાત્વનું ભાવરૂપપણું હોવાને કારણે તેનો અસંભવ છે=સંવાસાનુમતિનો અસંભવ છે. અન્યથા=સ્વકુટુંબ સંબંધી એવા મિથ્યાષ્ટિના સંવાસથી મિથ્યાત્વમાં સંવાસની અનુમતિ નથી એમ ન માનો તો, સંયતને પણ મિથ્યાષ્ટિની નિશ્રાનો સંભવ હોવાને કારણે તેને=સંયતને, સંવાસાનુમતિનું દુર્વારપણું છે. અર્થાત્ વારવું અશક્ય છે. એ પ્રમાણે દિશા છે.) જોકે તત્વવૃત્તિથીકતત્વદૃષ્ટિથી, અદેવાદિતા દેવત્વાદિ બુદ્ધિથી આરાધનમાં જ મિથ્યાત્વ છે. તોપણ એહિકાદિ માટે પણ યક્ષાદિનું આરાધન ઉત્સર્ગથી ત્યાજ્ય જ છે; કેમ કે પરંપરાથી મિથ્યાત્વની વૃદ્ધિના સ્થિરીકરણાદિનો પ્રસંગ હોવાને કારણે જન્માત્તરમાં દુર્લભબોધિપણાની આપત્તિ છે. જે કારણથી કહેવાયું છે – “જે મૂઢાત્મા અન્ય જીવોના મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે તે નિમિત્તથી, તે તે મૂઢાત્મા, જિનઅભિહિત બોધિને પ્રાપ્ત કરેતો નથી.” (સંબોધ પ્રકરણ, સમ્ય. ગા. ૪૨) રાવણ-કૃષ્ણાદિનું આલંબન પણ=રાવણે અને કૃષ્ણ મહારાજાએ એકિકાર્ય માટે દેવની આરાધના કરેલી તેનું આલંબન પણ, ઉચિત નથી જ; કેમ કે કાલનો ભેદ છે. કાલના ભેદના કારણે રાવણ-કૃષ્ણાદિને મિથ્યાત્વની પ્રાપ્તિ ન થઈ અને અત્યારે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય, તેમ કેમ કહ્યું? તેથી કહે છે – જે કારણથી તે સમયમાં=રાવણ-કૃષ્ણાદિના કાળમાં, અરિહંતના ધર્મનું ઈતર ધર્મથી અતિશયપણું હોવાને કારણે તેવા પ્રકારની મિથ્યાત્વની વૃદ્ધિ ન હતી=જેવા પ્રકારની મિથ્યાત્વની વૃદ્ધિ વર્તમાનમાં છે તેવા પ્રકારની મિથ્યાત્વની વૃદ્ધિ ન હતી અને વર્તમાનમાં પણ સ્વભાવથી પણ મિથ્યાત્વની પ્રવૃત્તિ દુર્તિવાર જ છે=વારણ થાય તેવી નથી. ભાવાર્થ : પૂર્વમાં સમ્યક્તના બે ભેદો બતાવતાં કહેલ કે નિસર્ગથી અને અધિગમથી સમ્યક્ત બે ભેદવાળું છે. હવે તે બંને ભેદોનું અંતરંગ કારણ શું છે ? તે બતાવતાં કહે છે – મિથ્યાત્વની પરિહાણિથી સમ્યક્ત થાય છે. આનાથી એ ફલિત થાય કે પૂર્વમાં વર્ણન કરાયેલ બે પ્રકારથી યાવત્ દસ પ્રકારના સમ્યક્તના ભેદોમાં મિથ્યાત્વના નાશથી સમ્યક્ત પ્રગટે છે અને મિથ્યાત્વ, ભગવાને બતાવેલા તત્ત્વથી વિપરીત રુચિ સ્વરૂપ છે અને તેનો સર્વથા ત્યાગ ત્રિવિધ-ત્રિવિધથી થાય છે. અર્થાત્ ભગવાનના વચનથી વિપરીત રુચિનું કારણ એવું મિથ્યાત્વ હું મનથી, વચનથી, કાયાથી, કરણથી, કરાવણથી અને અનુમોદનથી સર્વથા ત્યાગ કરું છું. એ પ્રકારના પ્રતિજ્ઞાપૂર્વકના સ્થિર અધ્યવસાયથી થાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ વર ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વળી તે મિથ્યાત્વ બે ભેદવાળું છે ૧. લૌકિક મિથ્યાત્વ ૨. લોકોત્તર મિથ્યાત્વ. વળી, તે લૌકિક અને લોકોત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરુગત એમ બે ભેદવાળાં છે. આ રીતે મિથ્યાત્વના ચા૨ભેદોની પ્રાપ્તિ થાય છે. ૧. લૌકિક દેવગત મિથ્યાત્વ. ૨. લૌકિક ગુરુગત મિથ્યાત્વ. ૩. લોકોત્તર દેવગત મિથ્યાત્વ. ૪. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ. ત્રિવિધ-ત્રિવિધથી ઉપર બતાવેલ ચારેય મિથ્યાત્વના ભેદોનો ત્યાગ કરવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. હવે ક્રમસ૨ ચારે મિથ્યાત્વના ભેદોનું સ્વરૂપ બતાવે છે ૧. લૌકિક દેવગત મિથ્યાત્વ ઃ હરિહરબ્રહ્માદિ લૌકિક દેવો છે. તેમને પ્રણામ કરવામાં આવે, તેમનું પૂજન કરવામાં આવે, તેમનાં સ્થાનોમાં જવામાં આવે તે સર્વ પ્રવૃત્તિ દ્વારા અનેક પ્રકારનું ‘લૌકિક દેવગત મિથ્યાત્વ’ પ્રાપ્ત થાય છે. આશય એ છે કે સમ્યક્ત્વના અર્થી જીવે ઉપાસ્ય દેવ કેવા સ્વરૂપવાળા હોવા જોઈએ તેના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરીને તેવા સ્વરૂપવાળા દેવની ભક્તિ ક૨વી જોઈએ. પરંતુ જેઓ તેવા સ્વરૂપવાળા નથી આમ છતાં લોકમાં દેવ તરીકે પૂજાય છે તેવા દેવોમાં દેવબુદ્ધિ થવાથી તેઓને પ્રણામાદિ કરે તો ‘લૌકિક દેવગત મિથ્યાત્વ' પ્રાપ્ત થાય છે. અર્થાત્ લૌકિક એવા કુદેવને આશ્રયીને સુદેવત્વની બુદ્ધિરૂપ વિપર્યાસ પ્રાપ્ત થાય છે. ૨. લૌકિક ગુરુગત મિથ્યાત્વ : બ્રાહ્મણ-તાપસાદિ લૌકિક ગુરુને નમસ્કાર કરવામાં આવે, તેમના પગમાં પડવામાં આવે અને તેઓની માન્યતા અનુસાર ‘નમઃ શિવાય' ઇત્યાદિ વચનપ્રયોગ કરવામાં આવે, તેઓની કથાનું શ્રવણ ક૨વામાં આવે, તેઓના આચારની ક્રિયા કરવામાં આવે તે સર્વ પ્રવૃત્તિ દ્વારા અનેક પ્રકારનું ‘લૌકિક ગુરુગત મિથ્યાત્વ’ પ્રાપ્ત થાય છે. આશય એ છે કે મોક્ષના કારણભૂત એવા યોગમાર્ગમાં જિનવચનાનુસાર પ્રવર્તતા પાંચ મહાવ્રતધારી ગુરુ, ગુરુ છે, અને તે સિવાયના અન્ય સર્વ ગુરુ નથી. તેવી સ્થિરબુદ્ધિ કરીને લૌકિક ગુરુ પ્રત્યે ગુરુબુદ્ધિ ન થાય તે રીતે યત્ન ન કરવામાં આવે તો તેવા લૌકિક ગુરુને પણ નમસ્કારાદિની પ્રવૃત્તિ થાય છે જેનાથી વિપરીત ગુરુમાં ગુરુત્વની બુદ્ધિરૂપ મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૩. લોકોત્તર દેવગત મિથ્યાત્વ : તીર્થકરોના ચારેય નિક્ષેપા પૂજ્ય છે તે પ્રકારે તીર્થંકરની પ્રતિમા પણ પૂજ્ય છે. આમ છતાં તીર્થંકરની પ્રતિમા અન્યદર્શનવાળા વડે ગ્રહણ કરાયેલ હોય તેવી જિનપ્રતિમાની અર્ચનાદિની પ્રવૃત્તિ કરવાથી લોકોત્તર દેવગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. વળી, આલોકના ફલાર્થે જિનયાત્રાગમનાદિની પ્રવૃત્તિ કરવામાં આવે તોપણ “લોકોત્તર દેવગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રમર્યાદા અનુસાર પરતીર્થિકથી ગ્રહણ થયેલ ન હોય તેવી જિનપ્રતિમાની પૂજા કરવી જોઈએ અને આલોકના ફળની આશંસા વગર તીર્થયાત્રાદિ કરવાં જોઈએ. તેથી લોકોત્તર દેવમાં દેવબુદ્ધિ સ્થિર રહે છે. અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરવાથી લોકોત્તર દેવગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.. ૪. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ - જેઓ ભગવાને બતાવેલ માર્ગને સ્વીકારવા છતાં જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરતા નથી તેવા પાસત્યાદિમાં ગુરુબુદ્ધિથી વંદન કરવામાં આવે, નમસ્કાર કરવામાં આવે તેનાથી લોકોત્તર ગુરુગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. વળી, ગુરુ સ્તૂપ આદિમાં આલોકના ફળ માટે યાત્રા, બાધા વગેરે કરવામાં આવે તેનાથી પણ લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. આશય એ છે કે ભગવાનના વચનાનુસાર સુસાધુ કોણ છે ? કુસાધુ કોણ છે ? તેના ભેદનો નિર્ણય કરીને સુસાધુને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરનારા પાસત્યાદિમાં ગુરુપણાની બુદ્ધિ કરવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. વળી સુગુરુનાં પણ પગલાં આદિ હોય તેની યાત્રા કરવાથી સમ્યક્તની નિર્મળતા થાય છે. આમ છતાં આલોકના ફલ અર્થે તેની યાત્રા કરવામાં આવે કે કોઈ બાધા રાખવામાં આવે તો તેનાથી લોકોત્તર ગુરુગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. આ ચારેય પ્રકારના મિથ્યાત્વના ત્યાગપૂર્વક વીતરાગદેવમાં દેવબુદ્ધિ, સુગુરુમાં ગુરુત્વની બુદ્ધિ અને જિનપ્રણીત ધર્મ જ તત્ત્વ છે તેવી સ્થિરબુદ્ધિ ધારણ કરીને જેઓ શક્તિના અતિશયથી દેવની ભક્તિ કરે છે, ગુરુની ઉપાસના કરે છે અને જિનપ્રણીત ધર્મને સેવે છે તેઓ ત્રિવિધ ત્રિવિધ મિથ્યાત્વના ત્યાગના બળથી સમ્યક્તને પ્રાપ્ત કરે છે. પૂર્વમાં કહ્યું એમ ત્રિવિધ-ત્રિવિધના પચ્ચખાણથી મિથ્યાત્વના ત્યાગથી સમ્યક્ત થાય છે તે “દર્શનશુદ્ધિ પ્રકરણ' ગ્રંથમાં કહ્યું છે અને તેનો અર્થ આ પ્રમાણે છે. લૌકિક દેવગત અને લૌકિક ગુરુગત બે પ્રકારનું મિથ્યાત્વ છે અને લોકોત્તર દેવગત અને લૌકોત્તર ગુરુગત બે પ્રકારનું મિથ્યાત્વ છે. આ ચારેય પ્રકારના મિથ્યાત્વના સ્વરૂપનું પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કરેલું છે તે મિથ્યાત્વનો જે જીવ ત્રિવિધ - ત્રિવિધથી ત્યાગ કરે છે તે જીવને સ્પષ્ટ કલંક વગરનું=અતિચાર વગરનું, સમ્યક્ત થાય છે. આનાથી એ ફલિત થાય કે સમ્યક્તના આચારની મર્યાદા અનુસાર લૌકિક અને લૌકોત્તર દેવગત અને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ગુરુગત મિથ્યાત્વનો ત્યાગ કરીને જેઓ લોકોત્તર એવા દેવ-ગુરુની ભક્તિ કરે છે અને સદા જિનવચનથી ભાવિત મતિવાળા છે તેમાં નિર્મળ કોટિનું સમ્યક્ત હોય છે. વળી, ત્રિવિધ-ત્રિવિધથી મિથ્યાત્વનો ત્યાગ શું છે ? તે સ્પષ્ટ કરવા માટે સાક્ષીપાઠ આપે છે. તેનો ભાવ એ છે કે મનથી મિથ્યાત્વ વિષયક કરણ, કરાવણ અને અનુમોદનનું ચિંતવન નથી. તેથી એ ફલિત થાય કે પૂર્વમાં વર્ણન કરાયેલા ચાર પ્રકારના મિથ્યાત્વને સેવવાનું મનથી કરણ, કરાવણ, અનુમોદનને આશ્રયીને ચિંતવન કરે નહિ. અર્થાત્ હું લૌકિક દેવ-ગુરુને નમસ્કાર કરું, નમસ્કાર કરાવું કે કોઈ કરતા હોય તેનું અનુમોદન કરું ઇત્યાદિ રૂપે મનથી ચિંતવન કરે નહિ. એ રીતે લોકોત્તર દેવગત મિથ્યાત્વનું અને લોકોત્તર ગુરુગત મિથ્યાત્વનું મનને આશ્રયીને કરણ, કરાવણ અને અનુમોદનના પરિહારથી ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય છે. આ રીતે ચારે પ્રકારના મિથ્યાત્વને સેવવાનું વચનથી કરણ કરાવણ અને અનુમોદનને આશ્રયીને બોલે નહિ. અર્થાત્ વચનથી સ્વયં કરું છું એમ ન બોલે, કોઈને ‘તું કરએમ ન બોલે અને કરતાની અનુમોદના કરે નહિ. તેથી વચનને આશ્રયીને કરણ, કવણ અને અનુમોદનના પરિહારથી ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય. એ રીતે ચારે પ્રકારના મિથ્યાત્વનું સેવન કાયાથી કરણ, કરાવણ અને અનુમોદનને આશ્રયીને કરે નહિ. અર્થાત્ કાયાથી સ્વયં કરે નહિ, ઇશારાદિથી અન્યને કરાવે નહીં અને કરતા એવા અન્યની કાયાની ચેષ્ટા આદિથી પ્રશંસા કરે નહિ. તેથી કાયાને આશ્રયીને કરણ, કરાવણ અને અનુમોદનાના પરિહારથી ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય. આ રીતે ચારે પ્રકારના મિથ્યાત્વને આશ્રયીને ત્રિવિધ-ત્રિવિધના પરિવારનું જેઓ પાલન કરે છે તેઓને સુદેવ અને સુગુરુ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત વર્તે છે. તેથી તે જીવમાં સમ્યક્ત વર્તે છે. કોઈ શ્રાવક ત્રિવિધ-ત્રિવિધથી મિથ્યાત્વનું પ્રત્યાખ્યાન કરે અને મનથી, વચનથી, કાયાથી; કરણ, કરાવણ, અનુમોદનનું વર્જન કરે આમ છતાં મિથ્યાષ્ટિનો તેને સંસર્ગ હોય તો તેને અનુમતિરૂપ મિથ્યાત્વનો પ્રસંગ કેમ નહીં થાય ? એ પ્રકારની કોઈ શંકા કરે છે તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં કહે છે – મિથ્યાદૃષ્ટિનો સંસર્ગ સમ્યત્વમાં અતિચારરૂપ છે તેથી તેનું વર્જન કરવું જોઈએ. કોઈ શ્રાવક મિથ્યાષ્ટિના સંસર્ગનું વર્જન ન કરે તો તે શ્રાવકને મિથ્યાત્વની અનુમતિનો પ્રસંગ આવે. અહીં કોઈને પ્રશ્ન થાય કે મિત્રાદિ મિથ્યાદૃષ્ટિ હોય તો તેનું વર્જન કરી શકાય પરંતુ સ્વકુટુંબ આદિ સંબંધી મિથ્યાદૃષ્ટિ હોય તો તેનું વર્જન કરવું અશક્ય બને. આ વખતે તે શ્રાવકને સંવાસ અનુમતિનો પ્રસંગ આવશે અને તેમ સ્વીકારીએ તો સ્વકુટુંબના મિથ્યાદૃષ્ટિ સાથે વસતા એવા શ્રાવકને સંવાસાનુમતિરૂપ મિથ્યાત્વની અનુમતિ હોવાને કારણે ત્રિવિધ-ત્રિવિધ મિથ્યાત્વનું વર્જન થશે નહીં અને એમ સ્વીકારવાથી તે શ્રાવકને મિથ્યાત્વની પ્રાપ્તિ થશે. આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આરંભીની સાથે સંવાસ કરવામાં આરંભની ક્રિયાનો બળથી સંભવ હોવાને કારણે સંવાસાનુમતિ Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આરંભની ક્રિયામાં પ્રાપ્ત થાય છે. પરંતુ મિથ્યાત્વ જીવના પરિણામરૂપ હોવાને કારણે મિથ્યાષ્ટિ એવા કુટુંબની સાથે સંવાસના ત્યાગનો અસંભવ હોય તે વખતે સંવાસ અનુમતિની પ્રાપ્તિ નથી; કેમ કે ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધારૂપ સમ્યક્તનો ભાવ તે શ્રાવકમાં વિદ્યમાન છે અને કુટુંબના કોઈ જીવથી લૌકિક કે લોકોત્તર મિથ્યાત્વનું સેવન થતું હોય તેમાં કોઈ પ્રકારે અનુમતિ પ્રાપ્ત ન થાય તે રીતે જે શ્રાવક યતના કરે છે તેને તે કુટુંબની સાથેના સંવાસ માત્રથી મિથ્યાત્વ સંબંધી સંવાસાનુમતિની પ્રાપ્તિ નથી. જો આવું ન સ્વીકારવામાં આવે અને સ્વીકારવામાં આવે કે મિથ્યાષ્ટિ એવા સ્વજન સાથે વસવાથી મિથ્યાત્વ વિષયક સંવાસાનુમતિની પ્રાપ્તિ છે માટે ત્રિવિધ-ત્રિવિધથી મિથ્યાત્વનું વર્જન નથી તો સંયત એવા સાધુને પણ મિથ્યાષ્ટિના સંવાસની અનુમતિનો પ્રસંગ છે; કેમ કે સાધુને પણ મિથ્યાષ્ટિની નિશ્રાથી રહેવાનો પ્રસંગ હોય છે અર્થાત્ કોઈ મિથ્યાદૃષ્ટિની વસતીમાં ઊતરવાનો પ્રસંગ હોય છે ત્યારે તે મિથ્યાદૃષ્ટિની સાથે સંવાસની અનુમતિ તે સાધુને પ્રાપ્ત થાય. માટે જે શ્રાવક પોતાના સમ્યક્તમાં કોઈ મલિનતા ન થાય તેની સમ્યક યતના કરે છે તેવા શ્રાવકને સ્વકુટુંબના મિથ્યાષ્ટિ સાથે વસતા સંવાસની અનુમતિનો પ્રસંગ નથી. જે શ્રાવક મિથ્યાષ્ટિ એવા સ્વકુટુંબ સાથે વસે છે અને તેના કારણે પોતાને ક્યાંય અનુમતિનો પ્રસંગ ન આવે તેની સમ્યફ યતના કરતા નથી તેવા શ્રાવકને તે મિથ્યાષ્ટિ સાથે વસવાથી-સમ્યક્તના અતિચારની પ્રાપ્તિ થાય અને મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થાય. માટે સમ્યફ યતનાપૂર્વક રહેનારા શ્રાવકને અનર્થનો સંભવ નથી. પૂર્વમાં લૌકિક અને લોકોત્તર દેવગત અને ગુરુગત મિથ્યાત્વના ભેદો બતાવ્યા. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે અદેવને આ દેવ છે અને અગુરુને આ સુગુરુ છે તેવી બુદ્ધિ થાય અને તેવી બુદ્ધિપૂર્વક તેમનું આરાધન કરવામાં આવે તો મિથ્યાત્વ પ્રાપ્ત થાય. પરંતુ જેઓને તેવી બુદ્ધિ નથી આમ છતાં કોઈક ઐહિક કાર્ય માટે લૌકિક દેવને પૂજે તો તેનાથી મિથ્યાત્વની પ્રાપ્તિ કેમ થાય ? અર્થાત્ મિથ્યાત્વની પ્રાપ્તિ થવી જોઈએ નહિ; કેમ કે વિવેકસંપન્ન પુરુષને ઉપાસ્યરૂપે અપાયાપગમાતિશયાદિ ચાર અતિશયવાળા તીર્થકરોની કર્મકાય અવસ્થા અને તીર્થકરોની સિદ્ધાવસ્થારૂપ તત્ત્વકાય અવસ્થા ઉપાસ્યરૂપે જણાય છે અને જિનવચનાનુસાર ચાલનારા પાંચ મહાવ્રતધારી સાધુ ગુરુ તરીકે જણાય છે. આમ છતાં જીવનમાં એવી કોઈ આપત્તિ આવે તો તેના નિવારણ અર્થે લૌકિક દેવને પૂજે તેટલા માત્રથી મિથ્યાત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ. એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – ઉત્સર્ગથી ઐહિક કાર્ય માટે યક્ષાદિનું આરાધન પણ ત્યાજ્ય છે; કેમ કે ઐહિક અર્થે યક્ષાદિનું આરાધન કરવાના કારણે પરંપરાથી મિથ્યાત્વની વૃદ્ધિના સ્થિરીકરણાદિનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેમાં નિમિત્ત બનવાથી જન્માત્તરમાં દુર્લભબોધિપણાની પ્રાપ્તિ થાય. આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્તના રક્ષણાર્થે વીતરાગ દેવ અને સુસાધુ ગુરુ સિવાય અન્ય યક્ષાદિનું આરાધન ઉત્સર્ગથી કરવું જોઈએ નહિ. ફક્ત તેવા આગાઢ કારણમાં અપવાદથી યક્ષાદિનું આરાધન કરે તો કોઈ દોષ નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અહીં પ્રશ્ન થાય કે ઐહિક આશયથી યક્ષાદિના આરાધનકાળમાં તે યક્ષમાં ઉપાસ્યદેવની બુદ્ધિ નથી પરંતુ પોતાને પ્રાપ્ત થયેલી આપત્તિના નિવારણની બુદ્ધિ છે, તોપણ સમ્યક્ત્વના રક્ષણાર્થે તમે ત્યાજ્ય કેમ કહ્યું ? તેમાં યુક્તિ આપતાં કહે છે – - * કોઈ ધર્મી શ્રાવક યક્ષાદિની આરાધના કરે તો તેની આરાધના જોઈને કોઈ અન્ય પણ તે યક્ષાદિને ઉપાસ્યરૂપે સ્વીકારીને તેની ભક્તિ કરે તો તે પ્રવૃત્તિથી અન્ય જીવોમાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે અને જે અન્ય જીવોમાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે અને જે અન્ય જીવો તે મિથ્યાત્વની વૃદ્ધિ કરતા હોય તેને સ્થિર કરવામાં તે શ્રાવક નિમિત્ત બને તેથી અન્યના મિથ્યાત્વની વૃદ્ધિના સ્થિરીકરણમાં પોતે નિમિત્ત બને તો તે શ્રાવકને જન્માન્તરમાં દુર્લભબોધિપણાની પ્રાપ્તિ થાય માટે શ્રાવકે આલોકના પ્રયોજનથી પણ યક્ષાદિની આરાધના કરવી જોઈએ નહિ. અન્ય જીવોના મિથ્યાત્વની વૃદ્ધિમાં નિમિત્ત બનનારને દુર્લભબોધિપણાની પ્રાપ્તિ થાય છે તેમાં સાક્ષીપાઠ આપે છે — ૯૬ જે મૂઢાત્મા અન્ય જીવોના મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે તે જીવ અન્ય જીવોમાં મિથ્યાત્વના ઉત્પાદનના નિમિત્તથી ભગવાને કહેલ બોધિને પ્રાપ્ત કરતો નથી. તેથી એ ફલિત થાય કે ઐહિક અર્થે યક્ષાદિની આરાધનામાં કુદેવમાં સુદેવપણાની બુદ્ધિરૂપે નથી. માટે મિથ્યાત્વ નથી તોપણ અન્યજીવોમાં જે મિથ્યાત્વ પ્રવર્તી રહ્યું છે તેની વૃદ્ધિ કરવામાં અને તેને સ્થિર કરવામાં તે યક્ષની આરાધના નિમિત્તકારણ બને છે માટે સમ્યગ્દષ્ટિ જીવે તેવી પ્રવૃત્તિનો પરિહાર કરવો જોઈએ. અહીં પ્રશ્ન થાય કે કૃષ્ણ મહારાજા અને રાવણ સમ્યગ્દષ્ટિ હતા. છતાં ઐહિકાદિ અર્થે તેઓએ લૌકિક દેવની આરાધના કરેલ. તેથી ઐહિકાદિ અર્થે યક્ષાદિની આરાધનામાં મિથ્યાત્વની પ્રાપ્તિ થતી હોય તો રાવણાદિને તેની પ્રાપ્તિ કેમ ન હતી ? આ પ્રકારનું કોઈ આલંબન ગ્રહણ કરે તો તેના નિવારણ માટે કહે છે - રાવણ-કૃષ્ણાદિનું આલંબન ગ્રહણ કરવું ઉચિત નથી; કેમ કે કાલનો ભેદ છે અર્થાત્ તે કાળમાં તે પ્રવૃત્તિ મિથ્યાત્વની વૃદ્ધિનું કારણ ન હતી. પરંતુ વર્તમાનકાળમાં ઐહિકાદિ અર્થે યક્ષાદિની આરાધના કરવાથી મિથ્યાત્વની વૃદ્ધિનું કારણ બને છે. અહીં પ્રશ્ન થાય કે ઐહિકાર્યે તે કાળમાં લૌકિક દેવોની આરાધનાથી મિથ્યાત્વની વૃદ્ધિ ન હતી અને આ કાળમાં ઐહિકાર્યે લૌકિક દેવની આરાધનાથી મિથ્યાત્વની વૃદ્ધિ કેમ છે ? તેથી કહે છે તે કાળમાં તીર્થંકરો અતિશયજ્ઞાની વિદ્યમાન હતા. તેથી અરિહંતનો ધર્મ અન્ય દર્શનો કરતાં અતિશયવાળો હતો તેથી તત્ત્વના અર્થી જીવો ભગવાનના દર્શનને સ્વીકારીને તત્ત્વબુદ્ધિથી આરાધના કરતા હતા. તેથી આલોકાર્થે કોઈ લૌકિક દેવની આરાધના કરે તે જોઈને લૌકિક દેવો પ્રત્યે ઉપાસ્યની બુદ્ધિ થવાનો પ્રસંગ ત્યારે ન હતો. જ્યારે વર્તમાનકાળમાં તો તીર્થંકરો કે તેવા અતિશય જ્ઞાનવાળા સાધુઓ વિદ્યમાન નથી જેથી ભગવાનનો ધર્મ અન્ય સર્વદર્શનો કરતાં અતિશયવાળો છે તેવી લોકમાં પ્રતીતિ થાય તેવા સંયોગો નથી. તેથી વર્તમાનકાળમાં ભગવાનના શાસનને પામેલા જીવો પણ આલોકના કાર્ય અર્થે યક્ષાદિની આરાધના કરે Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તો લોકમાં યક્ષાદિના આરાધનની પ્રવૃત્તિ થઈ રહી છે તે પ્રવૃત્તિને સ્થિર કરવામાં તે શ્રાવક નિમિત્ત બને છે. તેથી અન્ય દેવોમાં ઉપાસ્યદેવની બુદ્ધિ સ્થિર કરાવવામાં જે શ્રાવક નિમિત્તકારણ બને તેને પણ દુર્લભબોધિપણાની પ્રાપ્તિ છે. માટે સમ્યક્તના રક્ષણાર્થે શ્રાવકે ઐહિકાદિ અર્થે પણ યક્ષાદિની ભક્તિ કરવી જોઈએ નહિ; કેમ કે વર્તમાનમાં સ્વભાવથી જ મિથ્યાત્વની પ્રવૃત્તિ પ્રવર્તે છે અને તેમાં અતિશય કરવાનું નિમિત્ત કારણ ઐહિકાદિ અર્થે યક્ષની ઉપાસના કરનાર શ્રાવક બને તેવી સંભાવના છે. टी : अथ मिथ्यात्वं पञ्चविधं, यदाह“आभिग्गहिअमणभिग्गहं च तह अभिनिवेसिअं चेव । संसइअमणाभोगं, मिच्छत्तं पंचहा एअं ।।१।।" [पञ्चसंग्रहे गा. ८६/संबोधप्र. सम्य. गा. ४७] तत्राभिग्रहिकं पाखण्डिनां स्वशास्त्रनियन्त्रितविवेकालोकानां परपक्षप्रतिक्षेपदक्षाणाम्, जैनानां च धर्माऽधर्मवादेन परीक्षापूर्वं तत्त्वमाकलय्य स्वाभ्युपगतार्थं श्रद्धमानानां परपक्षप्रतिक्षेपणदक्षत्वेऽपि नाभिग्रहिकत्वम्, स्वशास्त्रानियन्त्रितत्वाद्विवेकालोकस्य, यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षां बाधते, तस्याभिग्राहिकत्वमेव, सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात् । तदुक्तं हरिभद्रसूरिभिः "पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।१।।" [लोकतत्त्वनिर्णये गा. ३८.] इति । गीतार्थनिश्रितानां माषतुषादिकल्पानां तु प्रज्ञापाटवाभावाद्विवेकरहितानामपि गुणवत्पारतन्त्र्यान दोष इति भावः तच्च नास्त्यात्मेत्यादि षड्विकल्पैः षड्विधम् १ । अनाभिग्रहिकं प्राकृतजनानाम्, सर्वे देवा वन्द्या न निन्दनीया, एवं सर्वे गुरवः सर्वे धर्मा इतीत्याद्यनेकविधम् २ । आभिनिवेशिकं जानतोऽपि यथास्थितं दुरभिनिवेशविप्लावितधियो गोष्ठामाहिलादेरिव ३ । [अभिनिवेशोऽनाभोगात्प्रज्ञापकदोषाद्वा वितथश्रद्धानवति सम्यग्दृष्टावपि स्याद् अनाभोगाद्गुरुनियोगाद्वा सम्यग्दृष्टेरपि वितथश्रद्धानभणनात् तथा चोक्तमुत्तराध्ययननिर्युक्तौ- . “सम्मद्दिट्ठी जीवो, उवइ8 पवयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं, अणभोगा गुरुणिओगा वा ।।१।।" [गा. १६३] इति । तद्वारणाय दुरिति विशेषणम्, सम्यग्वक्तृवचनानिवर्तनीयत्वं तदर्थः, अनाभोगादिजनितो मुग्धश्राद्धादीनां वितथश्रद्धानरूपोऽभिनिवेशस्तु सम्यग्वक्तृवचननिवर्तनीय इति न दोषः तथापि जिनभद्रसिद्धसेनादिप्रावचनिकप्रधानविप्रतिपत्तिविषयपक्षद्वयेऽप्यन्यतरस्य वस्तुनः शास्त्रबाधितत्वात्तदन्यतर Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ श्रद्धानवतोऽभिनिवेशित्वप्रसङ्ग इति तद्वारणार्थं 'जानतोऽपीति' शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानवत इत्यर्थः, सिद्धसेनादयश्च स्वाभ्युपगतमर्थं शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायापि पक्षपातेन न विप्रतिपन्नवन्तः किन्त्वविच्छिन्नप्रावचनिकपरम्परया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतार्थानुकूलत्वेन प्रतिसन्धायेति न तेऽभिनिवेशिनो गोष्ठामाहिलादयस्तु शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायैवान्यथा श्रद्दधत इति न दोषः । इदमपि मतिभेदाभिनिवेशादिमूलभेदादनेकविधम् जमालिगोष्ठामाहिलादीनाम् उक्तं च व्यवहारभाष्ये"मइभेएण जमाली, पुट्विं वुग्गाहिएण गोविंदो । संसग्गीए भिक्खू, गोट्ठामाहिल अहिणिवेसे ।।१।।" त्ति ३] सांशयिकं देव-गुरु-धर्मेष्वयमन्यो वेति संशयानस्य भवति । [सूक्ष्मार्थादिविषयस्तु संशयः साधूनामपि भवति, स च “तमेव सच्चं णीसंकं, जं जिणेहिं पवेइअं" [भगवतीसूत्रे इत्याद्यागमोदितभगवद्वचनप्रामाण्यपुरस्कारेण निवर्त्तते स्वरसवाहितया अनिवर्तमानश्च सः सांशयिकमिथ्यात्वरूपः सन्ननाचारापादक एव अत एवाकाङ्क्षामोहोदयादाकर्षप्रसिद्धिः । इदमपि सर्वदर्शनजैनदर्शनतदेकदेशपदवाक्यादिसंशयभेदेन बहुविधम्।] अनाभोगिकं विचारशून्यस्यैकेन्द्रियादेर्वा विशेषज्ञानविकलस्य भवति, इदमपि सर्वांशविषयाव्यक्तबोधस्वरूपं विवक्षितकिञ्चिदंशाव्यक्तबोधस्वरूपं चेत्यनेकविधम् । [एतेषु मध्ये आभिग्राहिकाऽऽभिनिवेशिके गुरुके, विपर्यासरूपत्वेन सानुबन्धक्लेशमूलत्वात् । शेषाणि च त्रीणि (न) विपरीतावधारणरूपविपर्यासव्यावृत्तत्वेन तेषां क्रूरानुबन्धफलकत्वाभावात्तदुक्तं चोपदेशपदे - .. "एसो अ एत्थ गुरुओ, णाणज्झवसायसंसया एवं ।। जम्हा असप्पवित्ती, एत्तो सव्वत्थणत्थफला ।।१।।" [गा. १९८] दुष्प्रतीकाराऽसत्प्रवृत्तिहेतुत्वेन एष विपर्यासोऽत्र गरीयान् दोषः, नत्वनध्यवसायसंशयावेवंभूतातत्त्वाभिनिवेशाभावात्, तयोः सुप्रतीकारत्वेनात्यन्तानर्थसम्पादकत्वाभावादित्येतत्तात्पर्यार्थः]. एवं सर्वथा सर्वप्रकारमिथ्यात्वपरिहारेण सम्यक्त्वं गुरुसमक्षमालापकोच्चारपूर्वं प्रतिपत्तव्यम्, तस्यानन्दादिश्रावकोपदर्शितविधिनैव प्रतिपत्त्यौचित्यात् तथा चोक्तमावश्यकनिर्युक्तौ । "तत्थ समणोवासओ पुव्वामेव मिच्छत्ताओ पडिक्कमइ, सम्मत्तं उवसंपज्जइ, नो से कप्पइ अज्जप्पभिई अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा अन्नउत्थिअपरिग्गहिअरिहंतचेइयाई वा वंदित्तए वा णमंसित्तए वा, पुट्विं अणालित्तएणं आलवित्तए वा संलवित्तए वा, तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पदाउं वा, णण्णत्थ रायाभिओगेणं गणाभिओगेणं बलाभिओगेणं देवयाभिओगेणं गुरुनिग्गहेणं वित्तीकंतारेणं" [आवश्यक सूत्रे ६/३६ हारिभद्री वृत्तिः पृ. ८११] ति । Page #116 -------------------------------------------------------------------------- ________________ ce ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ योगशास्त्रवृत्तावपि “एवंविधं च सम्यक्त्वं विशिष्टद्रव्यादिसामग्र्यां सत्यां गुरोः समीपे विधिना प्रतिपद्य , श्रावको यथावत्पालयति यतः "समणोवासओ तत्थ, मिच्छत्ताउ पडिक्कमे । दव्वओ भावओ पुट्विं, सम्मत्तं पडिवज्जए ।।१।। न कप्पई से परतित्थिआणं, तहेव तेसिं चिअ देवयाणं । परिग्गहेताण य चेइआणं, पहावणावंदणपूअणाई ।।२।। लोआण तित्थेसु सिणाणदाणं, पिंडप्पदाणं हुणणं तवं च । संकंतिसोमग्गहणाइएसुं, पभूअलोआण पवाहकिच्चं ।।३।।" [मूलशुद्धि प्र. ४-६, योगशास्त्रवृत्ति २/ १७] ति । · इत्थं च सम्यक्त्वाणुव्रतादिप्रतिपत्तिः सर्वाऽपि गुरुसाक्षिकैव फलवती, नान्यथा, यतः पञ्चाशके वधवजनविधिप्रस्तावे - "गुरुमूले सुअधम्मो, संविग्गो इत्तरं च इअरं वा । गिण्हइ वयाइ कोई, पालेइ तहा निरइआरं ।।१।।" [१/९] वृत्तिर्यथा-"गुरुः सम्यग्ज्ञानक्रियायुक्तः सम्यग् धर्मशास्त्रार्थदेशको । यदाहधर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरुरुच्यते ।।१।।" अथवा"जो जेण सुद्धधम्मे, निजोजिओ संजएण गिहिणा वा । सो चेव तस्स भण्णइ, धम्मगुरू धम्मदाणाओ ।।१।।" तस्य गुरोराचार्यस्य मूलमन्तिकं गुरुमूलं तत्र गुरुमूलेऽनेनान्यत्र धर्मश्रवणप्रतिषेधो दर्शितः, विपर्यस्तबोधसंभवात् । "श्रुतधर्मः" आकर्णिताणुव्रतादिप्रतिपादनपराप्तप्रवचनः, अनेन चाश्रुतागमस्य ज्ञानाभावेन व्रतप्रतिपत्तिर्न सम्यगिति तत्प्रतिषेधो दर्शितो, यदाह "जस्स नो इमं उवगयं भवइ, इमे जीवा इमे थावरा (इमे तसा) तस्स नो सुपच्चक्खायं भवइ, से दुप्पच्चक्खायं भवइ, से दुप्पच्चक्खाई मोसं भासइ, नो सच्चं भासइ" [ ] त्ति । तथा स्वयमुत्प्रेक्षितशास्त्रस्यापि प्रतिषेध उक्तः । स्वयमुत्प्रेक्षणे हि सम्यक्शास्त्रानवगमेन सम्यक्प्रवृत्त्यभावात् यदाह Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ .. "नहि भवति निर्विगोपकमनुपासितगुरुकुलस्य विज्ञानम् । પ્રતિપશ્વાત્મા, પશ્યત નૃત્ય મયૂરાણમ્ III" [] तथा श्रुतधर्मत्वादेव संविग्नो मोक्षाभिलाषी सन् संसारभीतो वा, अन्यथाविधस्य हि व्रतप्रतिपत्तिर्न मोक्षाय स्यात्, इत्वरमल्पकालम्, इतरं वा बहुकालं यावज्जीवमित्यर्थः, इति पूर्वगाथासूचितो वधवर्जनविधिः इत्यलं प्रासङ्गिकेन प्रकृतं प्रस्तुमः । ટીકાર્ય : ૩થ મિથ્યાત્વ ... પ્રસ્તુમ ! વળી મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. જેને કહે છે - “આભિગ્રહિક, અનભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ. આ મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે.” (પંચસંગ્રહ - ગા. ૮૬, સંબોધ પ્રકરણ, સમ્ય. ગા. ૪૭) ત્યાં પાંચ પ્રકારના મિથ્યાત્વમાં, ૧. આભિગ્રહિક મિથ્યાત્વઃ સ્વશાસ્ત્રથી નિયંત્રિત એવા વિવેક વડે પદાર્થને જોનારા અને પરપક્ષના પ્રતિક્ષેપમાં=પરપક્ષના ખંડનમાં, દક્ષ એવા પાખંડીઓને આભિગ્રહિક મિથ્યાત્વ છે. અને ધર્મ-અધર્મવાદથી પરીક્ષાપૂર્વક તત્ત્વને જાણીને સ્વ દ્વારા સ્વીકારાયેલા અર્થમાં શ્રદ્ધા કરનારા એવા જૈનોને પરપક્ષના પ્રતિક્ષેપણના દક્ષપણામાં પણ આભિગ્રહિતપણું નથી; કેમ કે વિવેક આલોકનું સ્વશાસ્ત્રથી અનિયંત્રિતપણું છે. વળી નામથી જૈન પણ સ્વ-કુલાચારથી જ આગમપરીક્ષાનો બાધ કરે છે. તેમને આભિગ્રહિકપણું જ છે; કેમ કે સમ્યગ્દષ્ટિના અપરીક્ષિત પક્ષપાતિત્વનો અયોગ છે. તે પૂજ્ય હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે – મને વર ભગવાનનો પક્ષપાત નથી, કપિલાદિમાં દ્વેષ નથી; યુક્તિવાળું વચન જેનું છે તેનો સ્વીકાર કરવો જોઈએ.” (લોકતત્વનિર્ણય, ગાથા-૩૮) વળી, ગીતાર્થ નિશ્ચિત માપતુષાદિ જેવા સાધુઓને પ્રજ્ઞાપાટવનો અભાવ હોવાથી, વિવેક રહિત પણ તેઓને ગુણવાનના પાતંત્રથી દોષ નથી–મિથ્યાત્વરૂપ દોષ નથી અને તે આભિગ્રહિક મિથ્યાત્વ, આત્મા નથી ઈત્યાદિ છ વિકલ્પ વડે જ પ્રકારનું છે – ૧. આત્મા નથી. ૨. આત્મા નિત્ય નથી. ૩. આત્મા કર્મનો કર્તા નથી. ૪. આત્મા કર્મફલનો ભોક્તા નથી. ૫. મોક્ષ નથી. ૬. મોક્ષનો ઉપાય નથી. ૨. અનાભિગ્રહિક મિથ્યાત્વ: પ્રાકૃત જીવોને-સામાન્ય જીવોને, અનાભિગ્રહિક મિથ્યાત્વ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અનાભિગ્રહિક મિથ્યાત્વવાળા જીવો શું માને છે ? તે કહે છે – સર્વ દેવો બંધ છે, નિંદનીય નથી. એ રીતે સર્વગુરુ અને સર્વ ધર્મ=જે રીતે સર્વ દેવો વંદ્ય છે તે રીતે, સર્વગુરુ પૂજ્ય છે અને સર્વ ધર્મ સુંદર છે ઇત્યાદિ અનેક પ્રકારનું છે. ૩. આભિનિવેશિક મિથ્યાત્વઃ ગોષ્ઠામાહિલાદિની જેમ યથાસ્થિત જાણવા છતાં પણ દુરભિનિવેશથી વિપ્લાવિત બુદ્ધિવાળાને આભિનિવેશિક મિથ્યાત્વ છે. [અનાભોગથી કે પ્રજ્ઞાપકના દોષથી વિતથ શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિમાં પણ અભિનિવેશ થાય; કેમ કે અનાભોગથી કે ગુરુના વિયોગથી સમ્યગ્દષ્ટિને પણ વિતથ શ્રદ્ધાનું કથન છે અને તે પ્રમાણે ‘ઉત્તરાધ્યયન ગ્રંથની નિયુક્તિમાં કહેવાયું છે – “સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા કરે છે. અનાભોગથી કે ગુરુના નિયોગથી અસદ્ભાવની=પ્રવચનના વિપરીત અર્થની, શ્રદ્ધા કરે છે.” (ઉત્તરાધ્યયન નિર્યુક્તિ - ગા. ૧૬૩) તેના વારણ માટે=સમ્યફ દૃષ્ટિના અભિનિવેશના વારણ માટે, ‘કુ' એ પ્રમાણે વિશેષણ છે=આભિલિયેશિક મિથ્યાત્વના લક્ષણમાં અભિનિવેશ વિપ્લાવિતબુદ્ધિવાળા એ પ્રકારના વચનમાં રહેલા અભિનિવેશ' શબ્દનું રૂ એ પ્રમાણે વિશેષણ છે. સમ્યગ્દફતૃના વચનથી અતિવર્તનીયપણું તેનો અર્થ છે="દુર અભિનિવેશશબ્દનો અર્થ છે. અનાભોગાદિ જડિત મુગ્ધ શ્રદ્ધાવાળા જીવોનો વિપરીતશ્રદ્ધાનરૂપ અભિનિવેશ વળી સમ્યગ્દફતૃના વચનથી નિવર્તનીય છે એથી દોષ નથી તેવા સમ્યગ્દષ્ટિ જીવોમાં અભિનિવેશ હોવા છતાં આભિનિવેશિક મિથ્યાત્વની પ્રાપ્તિરૂપ દોષ નથી. તોપણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ પ્રાવચતિક પ્રધાનની વિપ્રતિપત્તિના વિષય એવા પક્ષદ્વયમાં પણ અત્યતર વસ્તુનું શાસ્ત્રબાધિતપણું હોવાથી તદ્અત્યતર શ્રદ્ધાનવાળાને અભિનિવેશિત્વનો પ્રસંગ છે. એથી તેના વારણ માટે=જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ અન્યતરમાં આભિનિવેશિક મિથ્યાત્વના લક્ષણના વારણ માટે, નાનતોડજિ' એ પ્રકારે વિશેષણ છે શાસ્ત્રતાત્પર્યબાધના પ્રતિસંધાવવાળા એ પ્રકારનો “ગાનતોડ'િનો અર્થ છે અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ સ્વામ્યુપગત પોતે સ્વીકારેલા, અર્થને શાસ્ત્રના તાત્પર્યતા બાધતું પ્રતિસંધાન કરીને પણ પક્ષપાતથી વિપ્રતિપત્તિવાળા ન હતા પરંતુ અવિચ્છિન્ન પ્રવચનિક પરંપરાથી શાસ્ત્રના તાત્પર્યને જ પોતે સ્વીકારેલા અર્થતા અનુકૂલપણાથી પ્રતિસંધાન કરીને વિપ્રતિપત્તિવાળા હતા એમ અવય છે. એથી તેઓ=જિનભદ્રક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ, અભિનિવેશવાળા ન હતા. વળી ગોષ્ઠામાહિલાદિ શાસ્ત્રના તાત્પર્યના બાપનું પ્રતિસંધાન કરીને જ અન્યથા જિનવચનથી અન્યથા, શ્રદ્ધા કરતા હતા એથી દોષ નથી-ગોષ્ઠમાહિલાદિમાં આભિનિવેશિક મિથ્યાત્વ સ્વીકારવામાં દોષ નથી. આ પણ આભિનિવેશિક મિથ્યાત્વ પણ, મતિભેદના અભિનિવેશાદિ મૂલભેદથી અનેક પ્રકારનું જમાલી-ગોષ્ઠામાહિલાદિને હતું અને વ્યવહારભાષ્યમાં કહેવાયું છે – Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ મતિભેદથી જમાલીને આભિનિવેશિક મિથ્યાત્વ હતું. પૂર્વમાં વ્યસ્ત્રાહીતથી ગોવિંદ વાચકને આભિનિવેશિક મિથ્યાત્વ હતું. સંસર્ગથી ભિક્ષને આભિનિવેશિક મિથ્યાત્વ હતું અને ગોષ્ઠામાહિલને આભિનિવેષિક મિથ્યાત્વ હતું.” (વ્યવહારભાષ્ય-૩)] ૪. સાંશયિક મિથ્યાત્વ : દેવ-ગુરુ અને ધર્મના વિષયમાં આ દેવ છે આ ગુરુ છે આ ધર્મ છે અથવા અન્ય દેવ છે, અન્ય ગુરુ છે, અન્ય ધર્મ છે? એ પ્રકારના સંશયવાળા જીવને ‘સાંશયિક મિથ્યાત્વ' છે. [વળી, સૂક્ષ્માર્યાદિ વિષય સંશય સાધુને પણ થાય છે અને તે સાધુ “તે જ સત્ય છે, તે જ નિઃશંક છે જે ભગવાને કહ્યું છે.” (ભગવતીસૂત્ર) ઈત્યાદિ આગમથી કહેવાયેલા ભગવદ્યચનના પ્રામાણ્યતા પુરસ્કારથી તિવર્તન કરે છે અને સ્વરસવાહિતાથી અતિવર્તમાન એવો ત=સંશય, સાંશયિક મિથ્યાત્વરૂપ છતો અનાચાર આપાદક જ છે. આથી જ આકાંક્ષા-મોહના ઉદયથી આકર્ષતી પ્રસિદ્ધિ છે. આ પણ સાંશયિક મિથ્યાત્વ પણ, સર્વદર્શન, જૈનદર્શન, તકદેશ=જૈનદર્શનનો એક દેશ, પદ, વાક્યાદિ સંશયના ભેદથી બહુ પ્રકારનો છે.]. ૫. અનાભોગિક મિથ્યાત્વ વિશેષજ્ઞાનથી વિકલ એવા વિચારશૂન્ય જીવોને અથવા એકેન્દ્રિયાદિ જીવોને અનાભોગિક મિથ્યાત્વ છે. અને આ પણ અનાભોગિક મિથ્યાત્વ પણ, સર્વ અંશ વિષયક અવ્યક્તબોધ સ્વરૂપ અને વિવક્ષિત કિંચિત્ અંશતા અવ્યક્ત બોધ સ્વરૂપ અનેક પ્રકારનું છે. [આ બધામાં આ પાંચ પ્રકારના મિથ્યાત્વમાં, આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વ ગુરુક છે=અધિક અનર્થકારી છે; કેમ કે વિપર્યાસરૂપપણાથી સાનુબંધફ્લેશનું મૂલપણું છે અને શેષ ત્રણ= અનાભિગ્રહિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ અને અનાભોગિક મિથ્યાત્વ એ ત્રણે ગુરુક નથી; કેમ કે વિપરીત અવધારણરૂપ વિપર્યાસનું વ્યાવૃતપણું હોવાને કારણે તેઓના==ણે મિથ્યાત્વતા, ક્રૂર અનુબંધફલપણાનો અભાવ છે અને ઉપદેશપદમાં તે પૂર્વમાં કહ્યું કે આભિગ્રાહિક મિથ્યાત્વ અને આભિનિવેશિક મિથ્યાત્વ ગુરુક છે અન્ય નહીં તેવું કહેવાયું છે – “આ જ=વિપર્યાય જ. અહીં=બોધના દોષમાં, ગુરુક છે=મહાન દોષ છે. અનધ્યવસાય અને સંશય આ પ્રમાણે નથી=વિપર્યાસની જેમ મોટા દોષવાળા નથી, જે કારણથી આનાથી–વિપર્યાસથી, સર્વત્ર અનર્થ ફલવાળી=આલોકપરલોકમાં સર્વત્ર અનર્થફલવાળી અસત્ પ્રવૃત્તિ છે.” (ઉપદેશપદ ગાથા-૧૯૮). દુષ્પતિકાર એવી અસત્ પ્રવૃત્તિનું હેતુપણું હોવાને કારણે આ વિષયસ અહીં મોટો દોષ છે. પરંતુ અધ્યવસાય અને સંશય નહિ; કેમ કે આવા પ્રકારના અતત્વના અભિનિવેશનો અભાવ છે=વિપર્યાસમાં જેવા પ્રકારનો અતત્વનો અભિનિવેશ છે એવા પ્રકારનો અતત્વના અભિનિવેશનો અભાવ છે. કેમ અનધ્યવસાય અને સંશયમાં એવા પ્રકારના અતત્ત્વનો અભિનિવેશ નથી ? તેમાં હેતુ કહે છે – તે બેનું અધ્યવસાય અને સંશયનું, સુપ્રતિકારપણું હોવાને કારણે અત્યંત અનર્થ સંપાદકત્વનો અભાવ છે. એ પ્રમાણે આતો=ઉપદેશપદની ગાથાનો, તાત્પર્યાર્થ છે.] આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સર્વથા સર્વ પ્રકારના મિથ્યાત્વના પરિહારથી સમ્યક્ત ગુરુ Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમક્ષ આલાપકના ઉચ્ચારપૂર્વક સ્વીકારવું જોઈએ; કેમ કે તેનું=ગુરુ સમક્ષ સમ્યક્ત્વના સ્વીકારવું, આનંદાદિ શ્રાવકના વક્તવ્યમાં બતાવેલ વિધિથી જ પ્રતિપત્તિ દ્વારા ઉચિતપણું છે અને તે પ્રમાણે આવશ્યક નિર્યુક્તિમાં કહેવાયું છે - “ત્યાં=સમ્યક્ત્વના સ્વીકારના વિષયમાં, શ્રમણોપાસક=શ્રાવક, પૂર્વમાં જ મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરે છે. સમ્યક્ત્વનો સ્વીકાર કરે છે. સમ્યક્ત્વનો કઈ રીતે સ્વીકાર કરે છે ? તેને કહે છે સે તેને=સમ્યક્ત્વ સ્વીકારનારને, આજથી માંડીને અન્યતીર્થિકોને, અન્યતીર્થિકોના દેવતાઓને અને અન્ય તીર્થિકોથી પરિગૃહીત અરિહંતનાં ચૈત્યોને વંદન કરવા માટે અને નમસ્કાર કરવા માટે કલ્પતું નથી. પૂર્વમાં અનાલિત્ત એવા અન્યતીર્થિકોને=પૂર્વમાં જેમની સાથે આલાપ કરેલો નથી એવા અન્યતીથિંકોને, ‘ઞવિત્ત’ એવા અને ‘સંવિત્ત’ એવા અન્યતીર્થિકોને=પૂર્વમાં જેમની સાથે આલાપ કરેલો છે સંલાપ કરેલો છે એવા અન્યતીર્થિકોને વંદન કરવું - નમસ્કાર કરવો કલ્પતું નથી એમ અન્વય છે. તેઓને=અન્યતીર્થિકોને, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા માટે અને અનુપ્રદાન કરવા માટે ન=કલ્પતું નથી. રાજાભિયોગથી, ગણાભિયોગથી, બલાભિયોગથી, દેવતાના અભિયોગથી, ગુરુનિગ્રહથી, આજીવિકા નહીં થવાથી અન્યત્ર=રાજાભિયોગાદિ આગારને છોડીને, અન્ય તીર્થિકોને વંદન કરવું, નમસ્કાર કરવો આદિ કલ્પતુ નથી એમ અન્વય છે.” (આવશ્યક સૂત્ર-૬, ૩૬ હારિભદ્રી વૃત્તિ - પૃ. ૮૧૧) ‘યોગશાસ્ત્ર’ ગ્રંથની વૃત્તિમાં પણ તે પ્રમાણે કહેવાયું છે એમ આવશ્યક નિર્યુક્તિના સાક્ષીપાઠની પૂર્વેના કથન ‘તથાપોરું' સાથે સંબંધ છે - - ૧૦૩ “અને આવા પ્રકારનું સમ્યક્ત્વ વિશિષ્ટ દ્રવ્યાદિ સામગ્રી હોતે છતે ગુરુની સમીપમાં વિધિપૂર્વક સ્વીકારીને શ્રાવક યથાવત્ પાલન કરે છે જે કારણથી “શ્રમણોપાસક=શ્રાવક, ત્યાં=સમ્યક્ત્વના સ્વીકારના વિષયમાં, પૂર્વમાં દ્રવ્યથી અને ભાવથી મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરે છે. સમ્યક્ત્વને સ્વીકારે છે. (૧) સે–તેને=સમ્યક્ત્વ સ્વીકારનારને, પરતીર્થિકોને તે પ્રમાણે તેઓના જ દેવતાઓને=પરતીર્થિકોના જ દેવતાઓને, અને પરતીર્થિકો વડે પરિગૃહીત ચૈત્યોના પહાવણા=પ્રભાવના=પ્રશંસા, વંદન, પૂજનાદિ કરવાં કલ્પતાં નથી. (૨) લૌકિક તીર્થોમાં, સંક્રાતિમાં, ચંદ્રગ્રહણ આદિમાં સ્નાન, દાન, પિંડનું પ્રદાન, હવન, તપ પ્રભૃત લોકોના=ઘણા લોકોના, પ્રવાહને આશ્રયીને (કરવું કલ્પતું નથી.) (૩)" (મૂલશુદ્ધિ પ્રકરણ ગાથા ૪-૬, યોગશાસ્ત્રવૃત્તિ ૨, ૧૭ ટીકા) અને આ રીતે=પૂર્વમાં આવશ્યકનિર્યુક્તિ અને યોગશાસ્ત્રના ઉદ્ધરણથી કથત કર્યું એ રીતે, સમ્યક્ત્વાણુવ્રતાદિનો સ્વીકાર સર્વ પણ ગુરુસાક્ષીક જ ફલવાન છે, અન્યથા નહિ. જે કારણથી ‘પંચાશક’માં વધવર્જનવિધિ પ્રસ્તાવમાં (કહેવાયું છે) - “ગુરુમૂલમાં=ગુરુ પાસે, શ્રુતધર્મવાળો=સાંભળેલા ધર્મવાળો, સંવિગ્ન એવો કોઈ=શ્રાવક, ‘ત્તરં’=ઇત્વર=અલ્પકાલીન અથવા ‘મર’=ઇઅર=જાવજ્જીવ સુધી, વ્રતાદિ ગ્રહણ કરે છે અને નિરતિચાર પાલન કરે છે.” (પંચાશક, ૧/૯) વૃત્તિ=ઉપર્યુક્ત ઉદ્ધરણના શ્લોકની ટીકા, આ પ્રમાણે છે - Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ “ગુરુ=સમ્યફ જ્ઞાન-ક્રિયાથી યુક્ત સમ્યફ ધર્મશાસ્ત્રના અર્થના દેશકઃઉપદેશક છે. જેને કહે છે - ધર્મને જાણનારા અને ધર્મના કર્તા, સદા ધર્મપરાયણ, જીવોને ધર્મશાસ્ત્રના અર્થ બતાવનારા ગુરુ કહેવાય છે.” અથવા જે જીવ જે સંયમીથી કે જે ગૃહસ્થથી શુદ્ધધર્મમાં નિયોજિત કરાયો તે જ=શુદ્ધધર્મમાં નિયોજન કરનાર પુરુષ જ, તેનો તે જીવનો, ઘર્મના દાનને કારણે ધર્મગુરુ કહેવાય છે.” તે ગુરુના આચાર્યના, મૂલ=પાસે, તે ગુરુમૂલ ત્યાં=તે ગુરુમૂલમાં, આના દ્વારા=શ્લોકમાં ‘ગુરુમૂત્રે કહ્યું એના દ્વારા, અન્યત્ર ધર્મશ્રવણનો પ્રતિષેધ બતાવાયો; કેમ કે વિપરીત બોધનો સંભવ છે. શ્રતધર્મ-આકણિત અણુવ્રતાદિના પ્રતિપાદનમાં પર=તત્પર, એવા આપ્તવચનવાળો, અને આના વડે=શ્લોકમાં ‘સુધમ્પો' કહ્યું એના વડે, અશ્રુત આગમવાળા પુરુષને જ્ઞાનનો અભાવ હોવાને કારણે વ્રતનો સ્વીકાર સમ્યફ નથી એથી તેનો પ્રતિષેધ=વ્રતનો પ્રતિષેધ, બતાવાયો. જેને કહે છે – “જેને આ ઉપગત નથી=જે પુરુષને આ જ્ઞાત નથી, આ જીવો છે. આ સ્થાવર છે. આ ત્રસ છે તેને સુપચ્ચખાણ થતું નથી. તેને દુષ્પચ્ચખાણ થાય છે, તે દુષ્પચ્ચખાણવાળો પુરુષ મૃષાને બોલે છે. સત્યને બોલતો નથી.” () ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. - અને સ્વયં ઉન્મેક્ષિત શાસ્ત્રનો પણ પ્રતિષેધ કહેવાયો “મૂને સુગથી’ એ વચનથી સ્વયં ઉભેક્ષિત શાસ્ત્રનો પણ પ્રતિષેધ કહેવાયો; કેમ કે સ્વયં ઉલ્ટેક્ષણમાં સમ્યફશાસ્ત્રના બોધના અભાવને કારણે સમ્યફપ્રવૃત્તિનો અભાવ છે. જેને કહે છે – “અનુપાસિત ગુરુકુલવાળા પુરુષને નિકિંગોપક વિજ્ઞાન થતું નથી યથાર્થ જ્ઞાન થતું નથી, મયૂરોના નૃત્યને જોતો પુરુષ પ્રકટિત પશ્ચાત્ ભાગને જુએ છે." () અને શ્રતધર્મપણાથી જ સંવિજ્ઞ=મોક્ષાભિલાષી છતો અથવા સંસારથી ભય પામેલો, અન્યથા પ્રકારવાળા જીવને=સંવેગ વગરના જીવને, વ્રતની પ્રતિપત્તિ=વ્રતનો સ્વીકાર, મોક્ષ માટે ન થાય, ઈવર અલ્પકાલ અથવા ઇતર બહુકાલ=જાવજીવ. આ પ્રકારે પૂર્વગાથાથી સૂચિત વધવર્જનવિધિ છે. એથી પ્રાસંગિક કથનથી સર્યું, પ્રકૃતિને કહીએ છીએ. ભાવાર્થ : વળી, મિથ્યાત્વના પાંચ ભેદો છે અને તે પાંચ ભેદોને બતાવનાર સાક્ષીપાઠ આપે છે તેમાં પાંચ ભેદો આ પ્રકારે કહેલ છે. ૧. આભિગ્રહિક મિથ્યાત્વ. ૨. અનાભિગ્રહિક મિથ્યાત્વ. ૩. આભિનિવેશિક મિથ્યાત્વ. ૪. સાંશયિક મિથ્યાત્વ. . ૫. અનાભોગ મિથ્યાત્વ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૧૦૫ ૧. આભિગ્રહિક મિથ્યાત્વ : જેઓ પોતાના શાસ્ત્રથી નિયંત્રિત પદાર્થને જોનારા છે અને પોતાના પક્ષ કરતાં પરપક્ષના નિરાકરણમાં દક્ષ છે તેવા પાખંડીઓનેeતે તે દર્શનવાળાને “અભિગ્રહિક મિથ્યાત્વ' છે. તેથી જૈનદર્શનમાં પણ રહેલા, અવિચારક રીતે પરપક્ષના નિરાકરણમાં દક્ષ હોય તો તેઓને આભિગ્રહિક મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. કેવા જૈનોને આભિગ્રહિક મિથ્યાત્વ પ્રાપ્ત થતું નથી ? તે સ્પષ્ટ કરવાથું કહે છે – જેઓ ધર્મ-અધર્મવાદથી પરીક્ષાપૂર્વક તત્ત્વને જાણીને પોતે સ્વીકારેલા અર્થની શ્રદ્ધા કરનારા છે પરંતુ અવિચારક રીતે શ્રદ્ધા કરનારા નથી અને પરપક્ષ એકાંતવાદી હોવાથી પરપક્ષના પ્રતિક્ષેપમાં દક્ષ છે તેવા જૈનોને આભિગ્રહિક મિથ્યાત્વ નથી; કેમ કે પોતાના શાસ્ત્રથી અનિયંત્રિત વિવેકદૃષ્ટિ છે અર્થાત્ આ મારું, દર્શન છે તેના પક્ષપાતથી અન્યદર્શનનો પ્રતિક્ષેપ કરતા નથી પરંતુ તત્ત્વાતત્ત્વનો વિચાર કરીને સર્વજ્ઞ વિતરાગનું વચન તત્ત્વરૂપ છે તેવો સ્પષ્ટ નિર્ણય કરીને એકાંતવાદી જે સ્થાનમાં વિપરીતબોધવાના છે તે સ્થાનનું નિરાકરણ કરે છે. માટે તત્ત્વના પક્ષપાતી એવા જૈનોને આભિગ્રહિક મિથ્યાત્વ નથી. - વળી, જેઓ નામથી જૈન છે અને સ્વમુલાચારથી ધર્મ સ્વીકારીને આ ધર્મ સાચો છે તેમ માનીને આગમની પરીક્ષાનો બોધ કરે છેપરીક્ષા કરવાના વિમુખ ભાવવાળા છે. તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ જ છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો પરીક્ષા કર્યા વગર કોઈ પણ દર્શનના પક્ષપાતી હોય નહીં અને તેમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ સાહેબનું વચન સાક્ષીરૂપે બતાવે છે – પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ વીરભગવાનને ઉપાસ્યદેવ તરીકે સ્વીકારે છે, કપિલાદિને સ્વીકારતા નથી તોપણ કહે છે કે મને વીરભગવાન પ્રત્યે પક્ષપાત નથી કે કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી. પરંતુ શાસ્ત્રની પરીક્ષા કરીને વીર ભગવાનનું વચન યુક્તિવાળું જણાયું અર્થાત્ કષ-છેદ-તાપ પરીક્ષાથી શુદ્ધ જણાયું તેથી વીર ભગવાનનું વચન સ્વીકાર્યું છે. તેથી જેઓમાં પરીક્ષાની શક્તિ હોવા છતાં કુલાચારથી ધર્મ સ્વીકારે છે અને ધર્મની પરીક્ષા કરવાની ઉપેક્ષા કરે છે તેવા જીવો અભિગ્રાહિક મિથ્યાદૃષ્ટિ છે. અહીં પ્રશ્ન થાય કે જેઓની તેવી પ્રજ્ઞા નથી તેવા માણતુષાદિ જીવોને પણ આભિગ્રહિક મિથ્યાત્વની પ્રાપ્તિ થશે; કેમ કે તેઓ પરીક્ષા કરવામાં સમર્થ નથી. તેથી કહે છે – માષતુષાદિ જેવા જીવો પ્રજ્ઞાના અપાટવને કારણે અન્યદર્શન અને જૈનદર્શનની પરીક્ષા કરવામાં સમર્થ નથી તોપણ ગીતાર્થને નિશ્ચિત છે અને ગુણવાનના પારતંત્રને કારણે તેઓમાં મિથ્યાત્વનો દોષ નથી. આશય એ છે કે માપતુષ જેવા મંદબુદ્ધિવાળા જીવો દર્શનશાસ્ત્ર ભણીને આ દર્શન પરિપૂર્ણ શુદ્ધ છે અને આ દર્શન પરિપૂર્ણ શુદ્ધ નથી તેવો નિર્ણય કરવા અસમર્થ છે તોપણ ગુણવાન ગુરુ યથાર્થ માર્ગમાં પ્રવર્તે છે અને મને સન્માર્ગમાં પ્રવર્તાવે તેવા છે તેનો યથાર્થ નિર્ણય કરીને તેઓને સમર્પિત થયેલા છે અને ગુણવાન ગુરુની નિશ્રાના બળથી સન્માર્ગની માર્ગાનુસારી દિશા તેમને પ્રાપ્ત થયેલી હોવાથી તેમનામાં સમ્યક્ત સ્વીકારવામાં દોષ નથી. વળી, તે આભિગ્રહિક મિથ્યાત્વ ૧. આત્મા નથી. ૨. આત્મા નિત્ય નથી. ૩. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મસંગ્રહ ભાગ-૨ /દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આત્મા કર્તા નથી. ૪. આત્મા ભોક્તા નથી. ૫. મોક્ષ નથી. ૭. મોક્ષના ઉપાય નથી ઇત્યાદિ વિકલ્પો વડે છે પ્રકારનું છે. . ૨ અનાભિગ્રહિક મિથ્યાત્વ : જે જીવો મુગ્ધતાથી સર્વ દેવો વંદનીય છે, નિંદનીય નથી, એ રીતે સર્વ ગુરુઓ ભક્તિ કરવા યોગ્ય છે અને સર્વ ધર્મો સુંદર છે, એ પ્રમાણે જે માને છે તે સર્વજીવોને “અનાભિગ્રહિક મિથ્યાત્વ' છે. અર્થાત્ ધર્મની રુચિ હોવા છતાં કોઈ દર્શનના પક્ષપાત વગરની હોવા છતાં તત્ત્વ પ્રત્યેના પક્ષપાતથી વિપરીત રુચિ છે. આથી જ સર્વ દેવોને વંદનીય આદિરૂપે સ્વીકારે છે. ૩. આભિનિવેશિક મિથ્યાત્વ - જે જીવો યથાસ્થિત જાણવા છતાં પણ પોતાના પક્ષ પ્રત્યેના દુરભિનિવેશથી વિપ્લાવિત બુદ્ધિવાળા છે તેથી જિનવચનથી વિપરીત શ્રદ્ધાન કરે છે તેવા જીવોને ગોષ્ઠામાહિલાદિની જેમ આભિનિવેશિક મિથ્યાત્વ છે. (ગ્રંથકારશ્રીએ આભિનિવેશિક મિથ્યાત્વનું લક્ષણ કર્યું તે લક્ષણનો પરિષ્કાર કરતા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે કે જે જીવો સમ્યગ્દષ્ટિ છે તેઓને ભગવાનના વચનમાં સ્થિરરુચિ છે. આમ છતાં કોઈક સ્થાનમાં વિપરીતબોધ અનાભોગને કારણે થાય છે તેથી સમ્યગ્દષ્ટિ એવા પણ તે જીવોને તે વિપરીત બોધમાં અભિનિવેશ થાય છે અર્થાત્ આ જ તાત્પર્યમાં આ શાસ્ત્રવચન છે તેવો અભિનિવેશ થાય છે. વળી, પ્રજ્ઞાપક એવા ઉપદેશક દ્વારા કોઈક શાસ્ત્રવચનના તે પ્રકારના વિપરીત અર્થને કારણે કોઈક સમ્યગ્દષ્ટિ જીવને વિપરીત બોધ થાય છે. તેથી તે સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનના વચનથી વિપરીત અર્થમાં અભિનિવેશ= આગ્રહ હોવાને કારણે જિનવચનથી વિપરીત શ્રદ્ધાન છે તેવા સમ્યગ્દષ્ટિ જીવોમાં આભિનિવેશિક મિથ્યાત્વનું લક્ષણ ન જાય તે માટે આભિનિવેશિક મિથ્યાત્વના લક્ષણમાં “અભિનિવેશથી વિપ્લાવિત બુદ્ધિવાળા” એ પ્રકારના વચનમાં રહેલા અભિનિવેશ શબ્દનું વિશેષણ ' મૂકેલ છે. તેથી એ ફલિત થાય કે જેઓ દુરભિનિવેશવાળા છે તેઓ આભિનિવેશિક મિથ્યાષ્ટિ છે અને જેઓ દુરભિનિવેશવાળા નથી પરંતુ અનાભોગથી કે પ્રજ્ઞાપકના દોષથી ભગવાનના વચનથી વિપરીત અર્થમાં અભિનિવેશવાળા છે તેઓ પરમાર્થથી તો ભગવાનના વચન પ્રત્યેની રુચિવાળા છે માટે તેઓ સમ્યગ્દષ્ટિ છે. દુરભિનિવેશવાળા કહેવાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – સમ્યકુ વક્તાના વચનથી અનિવર્તનીયપણે તેનો અર્થ છે=દુરભિનિવેશનો અર્થ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનના વચનમાં જ સ્થિરરુચિ હોય છે અને ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારના પરમાર્થને જાણવા માટે શાસ્ત્ર-અધ્યયન કરતા હોય છે, આમ છતાં શાસ્ત્રવચનના કોઈક સ્થાનમાં ભગવાને જે તાત્પર્યમાં કહેલું હોય તેનાથી વિપરીતબોધ બુદ્ધિની મંદતાને કારણે તેઓને થાય અથવા જે ઉપદેશક પાસેથી તેઓ શાસ્ત્રો ભણતા હોય તે ઉપદેશક શાસ્ત્રવચનનો વિપરીત અર્થ કરે તેના કારણે સમ્યગ્દષ્ટિ જીવને વિપરીત બોધ થાય અને તે વિપરીતબોધમાં તેઓને અભિનિવેશ હોય કે આ શાસ્ત્રવચનનો Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અર્થ આ પ્રમાણે છે તો પણ કોઈ અન્ય સમ્યકૂવક્તા મળે અને તેમને સમજાવે કે આ શાસ્ત્રવચનનો આ અર્થ નથી તો તે સમ્યફવક્તાને વચનથી તેઓનો અભિનિવેશ નિવર્તન પામે છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોને દુરભિનિવેશ નથી અને જેઓનો ભગવાનના વચનથી વિપરીતબોધ સમ્યફવકતાના વચનથી અનિવર્તનીય છે તેવા જીવોમાં અભિનિવેશ નથી પરંતુ દુરભિનિવેશ છે અને દુરભિનિવેશ બુદ્ધિવાળા તેઓ હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. વળી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ પ્રવચનના પ્રભાવક પુરુષો હતા. ઘણા શાસ્ત્રના પરમાર્થને જાણનારા હતા. આમ છતાં તેઓના પરસ્પર વિપરીત સ્વીકારરૂપ બે પક્ષો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે બે પક્ષમાંથી કોઈ એક પક્ષ શાસ્ત્રથી બાધિત છે. કયો પક્ષ શાસ્ત્રબાધિત છે ? તે સર્વજ્ઞ જ જાણી શકે; આમ છતાં તે બંને પક્ષની માન્યતા પરસ્પર વિરોધી હોવાથી તે બેમાંથી કોઈ એક પક્ષ શાસ્ત્રથી બાધિત છે તેમ નક્કી થાય છે. આમ છતાં તે બંને પક્ષને સ્થાપનાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિમાં આભિનિવેશિક મિથ્યાત્વનું લક્ષણ નથી તે બતાવવા માટે આભિનિવેશિક મિથ્યાત્વના લક્ષણમાં નાનતોડપિ' વિશેષણ આપેલ છે અને નાનતોડજિ' વિશેષણથી એ ફલિત થાય કે પોતે જ્યાં આગ્રહ રાખે છે ત્યાં શાસ્ત્રતાત્પર્યનો બાધ છે એ પ્રકારનું પ્રતિસંધાન હોવા છતાં જેઓને પોતાના પક્ષનો રાગ છે તેઓને આભિનિવેશિક મિથ્યાત્વ છે. જ્યારે જિનભદ્રગણિક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ પોતે જે સ્વીકારે છે તેમાં તેઓ શાસ્ત્રતાત્પર્યનો બાધ છે તે પ્રકારનું પ્રતિસંધાન કરીને પોતાના પક્ષ પ્રત્યે પક્ષપાતવાળા ન હતા. પરંતુ અવિચ્છિન્ન પ્રવચનની પરંપરાથી શાસ્ત્રનું તાત્પર્ય જ પોતાના સ્વીકારાયેલા પદાર્થને અનુકૂળ છે તેવું પ્રતિસંધાન કરીને તેઓ પોતાના પક્ષમાં આગ્રહવાળા હતા તેથી તે બંનેમાં મિથ્યાત્વનો પ્રસંગ ન વળી, ગોષ્ઠામાહિલાદિ પોતાના પક્ષમાં શાસ્ત્રના તાત્પર્યનો બાધ છે તેવું જાણવા છતાં પોતાનાથી સ્થાપન કરાયેલા પક્ષ પ્રત્યેની રૂચિને કારણે વિપરીત શ્રદ્ધા કરતા હતા માટે તેઓમાં આભિનિવેશિક મિથ્યાત્વ સ્વીકારવામાં કોઈ દોષ નથી. વળી, આ અભિનિવેશિક મિથ્યાત્વ પણ મતિભેદના અભિનિવેશાદિ મૂલભેદથી અનેક પ્રકારનું છે. આથી જ જમાલી-ગોષ્ઠામાહિલાદિના જુદા જુદા પ્રકારના અભિનિવેશને કારણે જુદા જુદા પ્રકારનું આભિનિવેશિક મિથ્યાત્વ છે તે પ્રકારે વ્યવહાર ભાષ્ય'માં કહેલ છે. વ્યવહારભાષ્યની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – જમાલીને સંથારો પાથરવાના પ્રસંગે મતિભેદ થયો. અને તે મતિભેદને કારણે આભિનિવેશિક મિથ્યાત્વની પ્રાપ્તિ થઈ; કેમ કે સંથારા પાથરવાના પ્રસંગમાં અભિનિવેશ થયા પછી આ પોતાનું વચન શાસ્ત્રથી બાધિત છે તેવું જાણવા છતાં પણ સ્વવચનના આગ્રહથી જમાલી આભિનિવેશિક મિથ્યાત્વ પામે છે. વળી ગોવિંદ વાચક પૂર્વમાં વ્યર્ડ્સાહિત છે, તેથી તેઓને જૈનદર્શન સમ્યફ નથી પરંતુ બૌદ્ધદર્શન જ સમ્યક છે, તેવો વિપરીત બોધ હતો તેથી ત્યારે તેમનામાં આભિનિવેશિક મિથ્યાત્વ હતું. સંસર્ગથી ભિક્ષને આભિનિવેશિક Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ મિથ્યાત્વ પ્રાપ્ત થયું અને ગોષ્ઠામાહિલાદિને દુરભિનિવેશથી મિથ્યાત્વ પ્રાપ્ત થયું. આ રીતે જુદી જુદી રીતે અભિનિવેશ થવાથી આભિનિવેશિક મિથ્યાત્વના અવાતંરભેદો અનેક થાય છે.) ૪. સાંશયિક મિથ્યાત્વ : અપાયાપગમાતિશયાદિ ચાર અતિશયવાળા એવા દેવ ઉપાસ્ય છે. સર્વજ્ઞના વચનાનુસાર ચાલનારા પાંચ મહાવ્રતધારી સુસાધુ ગુરુ છે. અને સર્વજ્ઞપ્રણીત પાંચ સમિતિ ત્રણ ગુપ્તિરૂપ ધર્મ સુધર્મ છે. આમ છતાં કોઈ નિમિત્તથી આ દેવાદિ ઉપાસ્ય છે કે અન્ય દેવાદિ ઉપાય છે તેવો કોઈને સંશય થાય અથવા આ ગુરુ ગુરુ છે? કે અન્ય ગુરુ ગુરુ છે ? અથવા આ ધર્મ સુધર્મ છે કે અન્ય ધર્મ સુધર્મ છે? તેવો કોઈને સંશય થાય તો તેઓમાં સાંશયિક મિથ્યાત્વની પ્રાપ્તિ છે. (જિનવચનમાં સ્થિર શ્રદ્ધાવાળા એવાં સુસાધુને પણ શાસ્ત્રઅધ્યયનકાળમાં કે શાસ્ત્રીય પદાર્થના ચિંતનકાળમાં સૂક્ષ્મ અર્થાદિ વિષયક સંશય થાય અર્થાત્ ભગવાને કહેલ આ પદાર્થ આમ છે કે અન્ય પ્રકારે છે ? તે પ્રકારનો સંશય થાય, તે વખતે તે મહાત્માઓ તત્ત્વની જિજ્ઞાસાથી યથાર્થ પદાર્થનો નિર્ણય કરવા પ્રયત્ન કરે છે અને તથાવિધ સામગ્રીના અભાવને કારણે ચોક્કસ નિર્ણય ન થઈ શકે ત્યારે તે મહાત્મા વિચારે છે કે તે જ સત્ય છે અને નિઃશંક છે જે સર્વજ્ઞ વિતરાગે પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલા ભગવાનના વચન પ્રત્યેના પ્રામાણ્યને આગળ કરીને તે સંશયના સ્થાનના કોઈ સ્થાન પ્રત્યે પક્ષપાતવાળા થતા નથી પરંતુ તે સ્થાનોમાંથી જે સ્થાન સર્વજ્ઞ પ્રરૂપેલું છે તે જ સ્થાન સત્ય છે અન્ય નહિ, તેવી સામાન્યબુદ્ધિ ધારણ કરે છે તેથી સર્વજ્ઞના વચન પ્રત્યેના પક્ષપાતરૂપ સમ્યક્ત સ્થિર થાય છે તેવા સાધુમાં સાંશયિક મિથ્યાત્વ નથી. અને જો તે સાધુ તેવા સંશયનાં સ્થાનોમાં ‘તમેવ સંવં' ઇત્યાદિ સૂત્રના અવલંબનથી ભગવાનના વચન પ્રત્યેની રુચિના પક્ષપાતને ઉલ્લસિત ન કરે તો શાસ્ત્રીય પદાર્થોમાં તે સાધુને સંશય સ્વરસવાહી બને છે અર્થાત્ આ પદાર્થ આમ છે કે અન્ય પ્રકારે છે એ પ્રકારનો સંશય તે મહાત્મામાં વર્તે છે. અને તે સંશય કોઈ પદાર્થ નક્કી ન થાય તો અનિવર્તમાન રહે છે. આ રીતે અનિવર્તમાન એવો તે સંશય સાંશયિક મિથ્યાત્વરૂપ થતો સમ્યત્વના અનાચારનો જ આપાદક છે; કેમ કે સમ્યવનો આચાર છે કે જે સ્થાનમાં પદાર્થનો નિર્ણય ન થાય તે સ્થાનની ઉપેક્ષા કરવી જોઈએ નહીં પરંતુ સમ્યફ જાણવા યત્ન કરવો જોઈએ અને જ્યાં સુધી સમ્યક નિર્ણય ન થાય ત્યાં સુધી ‘તમેવ સર્વ” સૂત્ર દ્વારા ભગવાનના વચન પ્રત્યેની રુચિ દઢ કરવી જોઈએ જેથી શાસ્ત્રના દરેક વચનોનાં સ્થાનોમાં જિનવચનાનુસાર જ તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત અનિર્ણિતા સ્થાનમાં પણ ઓઘથી વિદ્યમાન રહે છે. અને તેમ ન કરવામાં આવે તો સમ્પર્વના અનાચારના સેવનથી તે સાધુને સાંશયિક મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. આથી જ આકાંક્ષા મોહના ઉદયથી આકર્ષની પ્રસિદ્ધિ શાસ્ત્રમાં કહી છે. અર્થાત્ વિપરીત બોધના સ્થાનવાળાં વચનોમાં તમેવ સર્વે' ઇત્યાદિ સૂત્ર દ્વારા જિનવચનની આકાંક્ષા સ્થિર કરવામાં ન આવે તો જિનવચનથી અન્ય વચન પ્રત્યે આકાંક્ષા રહે છે અને તે આકાંક્ષા મોહના ઉદયથી તે સાધુ આકર્ષ દ્વારા મિથ્યાત્વને પામે છે. વળી, આ સાંશયિક મિથ્યાત્વ પણ સર્વ દર્શન સાચાં છે કે જૈનદર્શન સાચું છે ? એ પ્રકારે થઈ શકે છે અથવા જૈનદર્શનના અવાંતર ભેદોમાં દિગંબર દર્શન સાચું છે ? કે શ્વેતાંબર દર્શન સાચું છે ? એ પ્રકારે Page #126 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૦૯ જૈનદર્શનના એક દેશને આશ્રયીને પણ સાંશયિક મિથ્યાત્વ થઈ શકે છે. અથવા શાસ્ત્રના કોઈક પદને કે કોઈક વાક્યને આશ્રયીને પણ થઈ શકે છે અર્થાત્ શાસ્ત્રના આ પદનો અર્થ આ પ્રમાણે છે ? કે અન્ય પ્રકારે છે ? એ રીતે પદને આશ્રયીને સાંશયિક મિથ્યાત્વ થઈ શકે છે. અને શાસ્ત્રના આ વચનનો અર્થ આ પ્રકારે છે કે અન્ય પ્રકારે છે ? એ રીતે વચનને આશ્રયીને સાંશયિક મિથ્યાત્વ થઈ શકે છે. માટે સાંશયિક મિથ્યાત્વના પરિવાર અર્થે તત્ત્વાતત્ત્વને જાણવા માટે સર્વ પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ અને જે સ્થાનમાં પોતાની મતિની દુર્બળતાના કારણે યથાર્થ નિર્ણય ન થઈ શકે, ત્યાં પણ સર્વજ્ઞ અને વીતરાગે આ સ્થાનનો જે અર્થ કર્યો છે તે જ સત્ય છે એ પ્રકારના તત્ત્વનો પક્ષપાત કરવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થતી નથી.) ૫. અનાભોગિક મિથ્યાત્વ : જેઓને પરલોક વિષયક કે આત્માદિ વિષયક વિશેષ જ્ઞાન નથી એવા વિશેષજ્ઞાન વિકલ વિચારશૂન્ય જીવોને અથવા એકેન્દ્રિયાદિ જીવોને “અનાભોગિક મિથ્યાત્વ છે. અર્થાત્ તત્ત્વના વિષયમાં સર્વથા વિચારના અભાવરૂપ અનાભોગિક મિથ્યાત્વ છે. વળી, આ અનાભોગિક મિથ્યાત્વ પણ સર્વ અંશ વિષયક અવ્યક્ત બોધસ્વરૂપ એકેન્દ્રિયાદિને છે અર્થાત્ આત્મા-પરલોકાદિના વિષયમાં કે યોગમાર્ગના વિષયમાં કોઈ જાતનો વ્યક્ત બોધ નથી. વળી, કેટલાક જીવોને આત્મા-પરલોકાદિ વિષયક સાંભળવા મળ્યું છે. વળી આત્મા-પરલોકાદિ વિષયક તેના કંઈક વિચાર પણ કરે છે. તોપણ તેના પરમાર્થને સ્પર્શે તેવા વિવક્ષિત કોઈ અંશમાં અવ્યક્ત બોધ વર્તે છે. તેથી અવ્યક્ત બોધને કારણે તેઓ કોઈક અંશમાં ભગવાનના વચનના પરમાર્થને પામેલા નથી અને તે વિવલિત કોઈક અંશ વિષયક અવ્યક્ત બોધ ભિન્ન-ભિન્ન વિષયને આશ્રયીને અનેક વિકલ્પવાળો બને છે તેથી અનાભોગિક મિથ્યાત્વ અનેક પ્રકારનું છે. (પૂર્વમાં આભિગ્રહિકાદિ પાંચ મિથ્યાત્વ બતાવ્યાં તે પાંચ મિથ્યાત્વમાંથી આભિગ્રહિક મિથ્યાત્વ અને આભિનિવેશિક મિથ્યાત્વ જીવ માટે મહા અનર્થકારી હોવાથી ગુરુ દોષવાળા છે; કેમ કે તે બંને મિથ્યાત્વમાં ક્રૂર વિપર્યાસ વર્તે છે તેથી તેઓમાં વર્તતો ક્લેશ સાનુબંધ છે અર્થાત્ ક્લેશની પરંપરા ચલાવે તેવો છે. આશય એ છે કે જીવમાં વર્તતો વિપર્યાસ તો ક્લેશરૂપ છે. આભિગ્રહિક મિથ્યાત્વ અને આભિનિવેશિક મિથ્યાત્વમાં વર્તતો વિપર્યાસ નિબિડ હોવાથી પરંપરા ચલાવે તેવો છે માટે આ બંને મિથ્યાત્વ અન્ય મિથ્યાત્વ કરતાં અધિક અનર્થકારી છે. અને શેષ ત્રણ મિથ્યાત્વ વિપરીત આગ્રહરૂપ વિપર્યાસથી વ્યાવૃત્ત=રહિત, હોવાને કારણે તેવા અનર્થકારી નથી; કેમ કે મિથ્યાત્વ, વિપર્યાસના સંસ્કાર દ્વારા પરંપરાને ચલાવનારું હોવા છતાં શેષ ત્રણ મિથ્યાત્વમાં દૂર પરંપરા લાવે તેવી શક્તિ નથી. કેમ ક્રૂર પરંપરા ચલાવે તેવી શક્તિ નથી ? તેથી કહે છે – જિનવચનથી વિપરીત આગ્રહરૂપ વિપર્યાસ નથી માટે વિપર્યસ હોવા છતાં ક્રૂર અનુબંધવાળા નથી. તેમાં “ઉપદેશપદ' ગ્રંથનો સાક્ષીપાઠ આપે છે – Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આભિગ્રહિક મિથ્યાત્વ અને આભિનિવેશિક મિથ્યાત્વમાં વર્તતો વિપર્યાસ દુષ્પતિકારવાળો છે અર્થાત્ તેનો પ્રતિકાર થઈ શકે તેમ નથી. તેથી અસત્ પ્રવૃત્તિનો હેતુ છે માટે ગુરુ દોષવાળો છે. જે જીવોને કોઈ અધ્યવસાય નથી કે જિનવચનમાં કોઈ સ્થાને સંશય છે તેવા અનાભોગવાળા કે સંશયવાળા મિથ્યાષ્ટિ જીવોને અતત્ત્વનો અભિનિવેશ હોવા છતાં દઢ વિપર્યાસવાળા જીવો જેવો અતત્ત્વનો અભિનિવેશ નથી. અનાભોગ કે સંશયવાળા જીવોને સામગ્રી મળે તો તે વિપર્યાસનો પ્રતિકાર થઈ શકે છે અર્થાત્ તે મિથ્યાત્વ નિવર્તન પામી શકે છે, માટે અનાભોગવાળા કે સંશયવાળા જીવોમાં વર્તતો વિપર્યાસ શિથિલમૂલવાળો છે. માટે દઢ વિપર્યાસવાળા મિથ્યાત્વ જેવા અત્યંત અનર્થના સંપાદક નથી.) પૂર્વમાં અનેક પ્રકારનું મિથ્યાત્વ બતાવ્યું. એ રીતે સર્વથા સર્વ પ્રકારે મિથ્યાત્વના પરિહારપૂર્વક ગુરુ સમક્ષ આલાવાના ઉચ્ચારણપૂર્વક સમ્યક્ત સ્વીકારવું જોઈએ, આ પ્રકારની શાસ્ત્રીય મર્યાદા છે. આ પ્રમાણે કહેવાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં જે-જે રીતે મિથ્યાત્વનું વર્ણન કર્યું તે સર્વ પ્રકારોથી મિથ્યાત્વના સ્વરૂપનું અવધારણ કરીને તેનો ત્યાગ કરવો જોઈએ અને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાને ધારણ કરીને ગુરુ સમક્ષ આલાવાના ઉચ્ચારણપૂર્વક સમ્યક્ત સ્વીકારવું જોઈએ. તે સમ્યત્વનો સ્વીકાર આનંદાદિ શ્રાવકના પ્રસંગે બતાવેલ વિધિથી કરવામાં આવે તો ઉચિત બને, પરંતુ યથાતથા રીતે સ્વીકારવામાં આવે તો ઉચિત બને નહીં. આવશ્યક નિર્યુક્તિમાં તે પ્રમાણે કહેવાયું છે અર્થાત્ સમ્યક્ત ઉચ્ચરાવતી વખતે કયા આલાવાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ ? તે કહેવાયું છે. સમ્યક્તના આલાવાનો અર્થ આ પ્રમાણે છે – સમ્યક્ત ઉચ્ચરાવનાર શ્રાવક પૂર્વમાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરે છે અર્થાતુ અત્યાર સુધી પોતે જે મિથ્યાત્વના આચારનું સેવન કર્યું હોય તે સર્વ મિથ્યાત્વના આચારનું નિંદા-ગર્તા દ્વારા પ્રતિક્રમણ કરે છે અને સમ્યક્તનો સ્વીકાર કરે છે અર્થાત્ સમ્યક્તના આચારનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરે છે. તે પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવે છે – “આજથી માંડીને અન્યતીર્થિક એવા સંન્યાસીઓને, અન્યતીર્થિક એવા દેવતાઓને કે અન્યતીર્થકોથી ગ્રહણ કરાયેલી જિનપ્રતિમાને વંદન કરવું, નમસ્કાર કરવો મને કહ્યું નહિ.” આ પ્રકારે પ્રતિજ્ઞા કરવાથી કુગુરુના અને કુદેવના ત્યાગની બુદ્ધિ સ્થિર થાય છે. વળી જે અન્યતીર્થિકો સાથે પૂર્વમાં આલાપ ન કરેલો હોય તેવા પણ અન્યતીર્થિકોને વંદન, નમન કરવું કલ્પતું નથી. કદાચ પૂર્વમાં તે અન્યતીર્થિકો સાથે આલાપ કરેલો હોય અથવા સંલાપ કરેલો હોય અર્થાત્ વારંવાર આલાપ કરેલો હોય તેવા અન્યતીર્થિકોને વંદન કરવું, નમન કરવું કલ્પતું નથી. વળી, તેવા અન્યતીર્થિકોને ચાર પ્રકારનો આહાર આપવો કલ્પતો નથી.” આ પ્રકારની પ્રતિજ્ઞાથી અન્યતીર્થિકોનો અત્યંત પરિહાર કરવાની પ્રતિજ્ઞા કરાય છે. જેથી તેઓના સંસર્ગથી મિથ્યાત્વની વાસના જાગે નહીં અને તેમના પ્રત્યેની પૂજ્યબુદ્ધિથી મિથ્યાગુરુની ઉપાસનાનો પરિણામ થાય નહિ. આ પ્રતિજ્ઞાના પાલનમાં “અન્યત્ર'થી “આગાર' બતાવે છે – Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ રાજાભિયોગાદિને છોડીને આ પ્રતિજ્ઞા છે. ૧. રાજાના આગ્રહથી અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ. ૨. ગણાભિયોગથી અર્થાતુ લોકોના આગ્રહથી અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ. - ૩. બભિયોગથી અર્થાત્ કોઈની બળજબરીથી (બલાત્કારથી) અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ. ૪. દેવાભિયોગથી અર્થાત્ દેવતાના અભિયોગથી=દેવતાના ઉપદ્રવથી, રક્ષણનો અન્ય ઉપાય ન હોય ત્યારે અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ. ૫. ગુરુના નિગ્રહથી અર્થાત્ વડીલોની આજ્ઞાથી અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રત ભંગ થાય નહિ. ૬. વૃત્તિકાંતારથી અર્થાત્ તેવા સંજોગોમાં આજીવિકા ન થાય ત્યારે અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ; કેમ કે તે વખતે અન્યતીર્થિકો ઉપાસ્યરૂપે બુદ્ધિમાં જણાતા નથી પરંતુ સંયોગથી તે પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે છે. - યોગશાસ્ત્રની વૃત્તિમાં પણ કહેવાયું છે. શું કહેવાયું છે ? તે બતાવે છે – આવા પ્રકારનું સમ્યક્ત વિશિષ્ટ દ્રવ્યાદિ સામગ્રી હોતે છતે ગુરુ સમીપ વિધિપૂર્વક સ્વીકારીને શ્રાવક સમ્યત્ત્વનું યથાવત પાલન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું તેવું સમ્યક્તનું સ્વરૂપ ધારણ કરીને મારે જિનવચનમાં સ્થિર શ્રદ્ધા કરવી છે તેવી બુદ્ધિને કરીને વિશિષ્ટ દ્રવ્ય ક્ષેત્ર-કાળભાવની સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે ઉચિત વિધિથી ગુરુ પાસે સમ્યક્તને ઉચ્ચરાવે અને સમ્યક્ત ગ્રહણ કર્યા પછી તે સમ્યક્તને સ્થિર કરવા માટે વિધિનું સમ્યક પાલન કરે. જો સમ્યક્ત ઉચ્ચરાવ્યા પછી સમ્યત્ત્વની શુદ્ધિ માટે, ભગવાનના વચનને જાણવા માટે, જાણીને જીવનમાં ઉતારવા માટે કોઈ યત્ન કરે નહીં તો તે ગ્રહણ કરાયેલા સમ્યક્તનું વિધિપૂર્વક પાલન થતું નથી; કેમ કે આ દેવ, આ ગુરુ, આ ધર્મ કલ્યાણને કરનારા છે તેવી બુદ્ધિ કર્યા પછી શક્તિ અનુસાર દેવની ઉપાસના કરવામાં ન આવે, શક્તિ અનુસાર ગુરુની ભક્તિ કરવામાં ન આવે અને શક્તિ અનુસાર જિનવચનને જાણવા માટે યત્ન કરવામાં ન આવે તો સમ્યત્વનું સમ્યફ પાલન થાય નહિ જે કારણથી “મૂલશુદ્ધિ પ્રકરણ' ગ્રંથમાં કહેવાયું છે તેનો અર્થ આ પ્રમાણે છે. શ્રમણોપાસક પ્રથમ દ્રવ્યથી અને ભાવથી મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરે છે અને સમ્યત્વને સ્વીકારે છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક પોતાના વ્રતોને ગ્રહણ કરવા અર્થે પ્રથમ કુદેવ-કુગુરુ-કુધર્મને નહીં સેવવારૂપ પ્રતિજ્ઞા કરીને મિથ્યાત્વનો ત્યાગ કરે છે. તેમાં મિથ્યાત્વના આચારો નહીં સેવવાની પ્રતિજ્ઞા કરે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ છે. તે દ્રવ્યથી મિથ્યાત્વનો ત્યાગ છે. કુદેવાદિમાં સુદેવાદિની બુદ્ધિ ન કરે પરંતુ તે સુદેવાદિ નથી તેવી સ્થિરબુદ્ધિ કરીને તેઓનો પરિહાર કરે છે. તે ભાવથી મિથ્યાત્વનો પરિત્યાગ છે. તે કર્યા પછી સમ્યક્તને સ્વીકારે છે. અર્થાત્ સુદેવ, સુગુરુ અને સુધર્મને જ તત્ત્વરૂપે સ્વીકારે છે અને મિથ્યાત્વના ત્યાગ અર્થે તે પ્રતિજ્ઞા કરે છે કે પરતીર્થિકોનો, પરતીર્થિકોના દેવોની અને પરતીર્થિકોથી ગૃહીત એવા અરિહંત ચૈત્યોની હું પ્રશંસા કરીશ નહિ, વંદન કરીશ નહિ, પૂજન કરીશ નહિ. આ રીતે, સંકલ્પ કરીને કુદેવમાં-કુગુરુમાં બહુમાનનો સર્વથા ત્યાગ કરે છે. વળી, લૌકિક તીર્થોમાં સ્નાન, દાન, પિંડપ્રદાન, હવન કરવા કે લૌકિક તીર્થમાં ગમન વખતે ઉપવાસાદિ તપ કરવો તે સર્વનો ત્યાગ કરે છે. વળી, સંક્રાંતિ વખતે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે ઘણા લોકો સ્નાનાદિ ક્રિયા કરે છે તેને અનુસરીને તેવા લૌકિક પર્વને શ્રાવક સેવતા નથી. તેથી એ ફલિત થાય કે લૌકિક તીર્થમાં સ્નાનાદિ કરવાથી કે લૌકિક પર્વને પર્વ રૂપે સ્વીકારવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. તે સર્વનો પરિહાર શ્રાવક કરે છે. આ રીતે સમ્યક્વાણુવ્રતાદિનો સ્વીકાર પણ ગુરૂસાક્ષીએ કરવાથી જ ફલવાન થાય છે. પરંતુ ગુરુસાક્ષી વિના સ્વયં વ્રતો ગ્રહણ કરવાથી ફલવાન થતા નથી. કેમ ગુરૂસાક્ષી વગર સ્વયં વ્રતો ગ્રહણ કરવાથી ફલવાન થતા નથી ? તેમાં સાક્ષીરૂપે વધવર્જનવિધિના પ્રસ્તાવમાં “પંચાશક' ગ્રંથમાં જે કહેવાયું છે તે બતાવે છે – “પંચાશક' ગ્રંથમાં કહ્યું છે કે ગુરુ પાસે શ્રુતધર્મવાળો સંવિગ્ન એવો કોઈ શ્રાવક ઇત્વર કે ઇતર વ્રતોને ગ્રહણ કરે છે. અર્થાત્ અલ્પકાલ કે જાવજીવ વ્રતોને ગ્રહણ કરે છે. અને તે પ્રમાણે નિરતિચાર પાળે છે. આ કથનથી ફલિત થાય કે સુગુરુ પાસે વ્રતોના મર્મને જાણવા જોઈએ, વ્રતોના મર્મને જાણીને સંવેગના પરિણામવાળો થયેલ તે શ્રાવક વ્રતો ગ્રહણ કરે તો સ્વીકારાયેલા વ્રતોનું ફળ મળે અન્યથા નહિ. ” વળી, “પંચાશક' ગ્રંથના શ્લોકનો અર્થ કરતાં પ્રથમ ગુરુ કોણ છે ? તે સ્પષ્ટ કરે છે – જેઓ જિનવચનના પરમાર્થને જાણનારા છે અને જિનવચનાનુસાર ક્રિયા કરે છે અને જીવોની યોગ્યતા અનુસાર ધર્મશાસ્ત્રોના સમ્યક અર્થો બતાવે છે તે ગુરુ છે. ટીકામાં “અથવાથી ગુરુનો અર્થ અન્ય સાક્ષીથી બતાવે છે – જે જીવ જે સાધુ પાસેથી અથવા જે ગૃહસ્થ પાસેથી ધર્મમાં નિયોજન કરાયેલો હોય તે તેનો ધર્મગુરુ કહેવાય છે; કેમ કે ધર્મને આપનાર છે. આનાથી એ ફલિત થાય કે જે સાધુ કે જે શ્રાવક શાસ્ત્રના પરમાર્થને જાણનારા હોય અને જે યોગ્ય જીવને શ્રુતધર્મના પરમાર્થને બતાવે છે તે જીવ માટે તે શ્રતધર્મ આપનાર સાધુ કે ગૃહસ્થ ગુરુ કહેવાય છે. આ રીતે “ગુરુ' શબ્દનો અર્થ કર્યા પછી તેવા ગુરુની પાસે વ્રત ગ્રહણ કરવું જોઈએ. આ પ્રકારે “ગુરુમૂ' શબ્દનો અર્થ કર્યો. આવા ગુરુ પાસે ધર્મશ્રવણ કરવું જોઈએ આમ કહેવાથી જેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા નથી, જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરનારા નથી તે પરમાર્થથી ગુરુ નથી અને તેવા ગુરુ પાસે ધર્મશ્રવણ કરવું જોઈએ નહિ; કેમ કે તેઓ શાસ્ત્રના પરમાર્થને જાણનારા નહીં હોવાથી તેઓના ઉપદેશથી વિપરીતબોધ થવાનો સંભવ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૧૩ ‘ગુરુમૂળે સુઅધો’ વળી, ગુરુ પાસેથી સાંભળેલા ધર્મવાળો એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે વ્રતના અર્થી એવા તે શ્રાવકે અણુવ્રતાદિનું પ્રતિપાદન કરનાર એવું આપ્તવચન ગુરુ પાસેથી સાંભળેલું છે અર્થાત્ ગુરુ પાસેથી વ્રતોના સ્વરૂપને સારી રીતે જાણ્યું છે, વ્રતોના અતિચારોને જાણ્યા છે તેવો શ્રાવક વ્રત ગ્રહણ કરવા માટે અધિકારી છે, અન્ય નહિ. આનાથી એ પ્રાપ્ત થાય કે સુગુરુ પાસેથી જેને અણુવ્રતાદિનો પારમાર્થિક બોધ થયો નથી તેથી વ્રતાદિના -મર્મને સમ્યક્ જાણતો નહીં હોવા છતાં વ્રત ગ્રહણ કરે તોપણ વ્રતનું ફલ મળે નહીં માટે તેવા જીવોને વ્રત સ્વીકારવાનો પ્રતિબંધ કરાયો છે. અને તેમાં સાક્ષી આપે છે કે જેણે સુગુરુ પાસેથી વ્રતમાં ઉપયોગી એવા જીવોનું જ્ઞાન કર્યું નથી તેનું પચ્ચક્ખાણ સુપચ્ચક્ખાણ થતું નથી પરંતુ દુષ્પચ્ચક્ખાણ થાય છે અને તેવું પચ્ચક્ખાણ કરનાર મૃષા બોલે છે અર્થાત્ પ્રતિજ્ઞા કરે છે કે ‘હું આ વ્રતને પાળીશ’ તેનું આ પ્રતિજ્ઞાવચન મૃષાવચનરૂપ છે. માટે તેવા પ્રકારના વ્રતગ્રહણનો શાસ્ત્રમાં નિષેધ છે. વળી, ‘પંચાશક ગ્રંથ’ના ઉદ્ધરણમાં કહ્યું કે ગુરુ પાસે શ્રુતધર્મવાળો અણુવ્રતાદિ ગ્રહણ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેણે સુગુરુ પાસેથી શાસ્ત્રનો અર્થ જાણ્યો નથી પરંતુ સ્વયં જ વાંચીને શાસ્ત્રનો બોધ કર્યો છે તેને વ્રત ગ્રહણ કરવાનો પ્રતિષેધ શાસ્ત્રકારો કરે છે; કેમ કે સ્વયં જેમણે શાસ્ત્ર વાંચ્યા હોય તેઓને શાસ્ત્રનો સમ્યક્ બોધ ન થાય અને તેથી સમ્યક્ પ્રવૃત્તિ પણ ન થાય. અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રને સ્વયં વાંચવાથી બોધ કેમ ન થાય ? તેમાં સાક્ષી બતાવે છે - જેઓએ ગુણવાન એવા ગુરુકુલવાસની ઉપાસના કરી નથી તેઓને સમ્યજ્ઞાન થતું નથી તેમાં દૃષ્ટાંત બતાવે છે. જેમ મોર નૃત્ય કરે ત્યારે તેને જોનારને તેનો પાછળનો ભાગ દેખાય છે તેમ સદ્ગુરુના આલંબન વગર શાસ્ત્રના શબ્દોથી પ્રાપ્ત થતો સ્થૂલભાવ દેખાય છે. અર્થાત્ શાસ્ત્રના વચનથી સ્થૂલબોધ થાય છે પરંતુ શાસ્ત્રોના ૫૨માર્થનો બોધ થતો નથી પરંતુ સુગુરુ વિદ્યમાન હોય અને સુગુરુ પાસેથી વ્રતોની મર્યાદાનો મર્મસ્પર્શી બોધ થઈ શકે તેમ હોય છતાં તેની ઉપેક્ષા કરીને જેઓ સ્વયં શાસ્ત્ર વાંચીને વ્રતો ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રના પરમાર્થને પ્રાપ્ત કરી શકતા નથી માટે તેઓનું વ્રતગ્રહણ ફલવાન થતું નથી. વળી, જેઓ ગુરુ પાસે ધર્મ સાંભળે છે તેઓને સદ્ગુરુ માત્ર વ્રતોનું સ્વરૂપ બતાવતા નથી પરંતુ આ વ્રતો કઈ રીતે સંસારના ઉચ્છેદની સાથે એકવાક્યતાથી જોડાયેલા છે ? અને કઈ રીતે પૂર્ણ સુખમય એવા મોક્ષ સાથે એકવાક્યતાથી જોડાયેલા છે ? તેનો મર્મસ્પર્શી બોધ કરાવે છે. તે પ્રકારે સમ્યબોધ થવાથી તે શ્રાવકને મોક્ષનો અભિલાષ પ્રગટ્યો છે અને સંસારનો ભય પ્રગટ્યો છે તેથી સંસારના પરિભ્રમણથી પોતાનું રક્ષણ ક૨વાર્થે અને મોક્ષપ્રાપ્તિના ઉપાયમાં સમ્યક્ યત્ન કરવાર્થે વ્રત ગ્રહણ કરવાનો પરિણામ થયો છે તે ઇચ્છાના વિષભૂત વ્રતના પારમાર્થિક પરિણામની નિષ્પત્તિના કા૨ણીભૂત સંવેગનો પરિણામ છે. વળી, ગુરુ પાસેથી વ્રતોનું સ્વરૂપ સાંભળવા છતાં આ વ્રતોને સ્વીકાર કરીને હું ગુણની વૃદ્ધિ દ્વા૨ા સંસારનો ઉચ્છેદ કરું તેવા સંવેગનો પરિણામ જેઓને થયો નથી તેઓ વ્રતનો સ્વીકાર કરે તોપણ તે સ્વીકારાયેલા વ્રતના Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ પાલનથી ગુણની વૃદ્ધિ થાય નહીં તેથી તે વ્રતોનું પાલન મોક્ષનું કારણ બને નહીં. માટે સંવેગના પરિણામવાળો જીવ જ વ્રતનો અધિકારી છે. અન્ય નહિ. વળી સંવેગના પરિણામવાળો જીવ પણ સ્વપરિણામને અનુરૂપ વ્રતો અલ્પકાલ માટે કે જાવજીવ માટે ગ્રહણ કરે છે અને તે પ્રમાણે નિરતિચાર પાળે છે. 'मी 'या' अंथन। उद्ध२९। 'गुरुमूलै' सोनी टीम दोन। पूर्वाधनो अर्थ यो छ. उत्तराधनो અર્થ કર્યો નથી અને પંચાશક ગ્રંથમાં શ્લોકના પૂર્વાર્ધની ટીકા પૂર્વમાં બતાવી તે પ્રમાણે જ છે. ગ્રંથકારશ્રી સમ્યક્તના ગ્રહણની વિધિનું વર્ણન કરતા હતા - ત્યાં પ્રાસંગિક રીતે સ્મરણ થયું કે જેમ સમ્યક્ત ગુરુસાફિક ગ્રહણ કરવાથી ફલવાન થાય છે તેમ અણુવ્રતાદિનો સ્વીકાર પણ ગુરુસાફિક ફલવાન થાય છે તેથી “પંચાશક' ગ્રંથના ઉદ્ધરણપૂર્વક પ્રાસંગિક રીતે તેનું કથન કર્યું. હવે કહે છે પ્રસંગથી સર્યુ. પ્રકૃત એવું જે સમ્યક્ત છે તેને અમે કહીએ છીએ. टी : तच्च सम्यक्त्वं शुभात्मपरिणामरूपमस्मदीयानामप्रत्यक्षं केवलं लिङ्गैर्लक्ष्यते, अत आह-सम्यक्त्वं कीदृशं भवति? 'पञ्चेति' पञ्चभिः शमसंवेगनिर्वेदाऽनुकम्पाऽऽस्तिक्यरूपैर्लक्षणैर्लिङ्गैर्लक्षितम् उपलक्षितं भवति, एभिलक्षणैः परस्थं परोक्षमपि सम्यक्त्वं लक्ष्यते इति भावः, तत्र शमः=प्रशमः= अनन्तानुबन्धिनां कषायाणामनुदयः, स च प्रकृत्या, कषायपरिणतेः कटुफलावलोकनाद्वा भवति । यदाह - “पयईए कम्माणं, नाऊणं वा विवागमसुहंति । अवरद्धेवि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ।।१।।" [श्रावकप्रज्ञप्ति ५५, विंशतिविंशिका ६/१०,. धर्मसंग्रहणी ८०८] त्ति ।। अन्ये तु क्रोधकण्डूविषयतृष्णोपशमः शम इत्याहुः, अधिगतसम्यग्दर्शनो हि साधूपासनावान् कथं क्रोधकण्ड्वा विषयतृष्णया च तरलीक्रियेत । ननु क्रोधकण्डूविषयतृष्णोपशमश्चेच्छमस्तर्हि श्रेणिक-कृष्णादीनां सापराधे निरपराधेऽपि च परे क्रोधवतां विषयतृष्णातरलितमनसां च कथं शमः? तदभावे च कथं सम्यक्त्वसंभवः? इति चेन्मैवम्, लिगिनि सम्यक्त्वे सति लिगैरवश्यं भाव्यमिति नायं नियमः, दृश्यते हि धूमरहितोऽप्ययस्कारगृहेषु वह्निः, भस्मच्छन्नस्य वा वढेर्न धूमलेशोऽपीति अयं तु नियमः, सुपरीक्षितेलिङ्गे सति लिङ्गी भवत्येव । यदाह“लिङ्गे लिङ्गी भवत्येव, लिङ्गिन्येवेतरत्पुनः । नियमस्य विपर्यासे, संबन्धो लिङ्गलिङ्गिनोः ।।१।।" [प्रमाणसमुच्चये स्वार्थानुमानपरिच्छेदे] इति । संज्वलन(संज्वलनादि)कषायोदयाद्वा कृष्णादीनां क्रोधकण्डूविषयतृष्णे संज्वलना(संज्वलनादि) अपि केचन कषायास्तीव्रतयाऽनन्तानुबन्धिसदृशविपाका इति सर्वमवदातम् १ । Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ धर्भसंग्रह भाग-२ | दितीय अधिकार | RI5-२२ * संज्वलनकषायोदयाद्वा स्थाने संज्वलनादिकषायोदयात् वा पा8 मे. संवेगो मोक्षाभिलाषः, सम्यग्दृष्टिर्हि नरेन्द्रसुरेन्द्राणां विषयसुखानि दुःखानुषङ्गादुःखतया मन्यमानो मोक्षसुखमेव सुखत्वेन मन्यतेऽभिलषति च । यदाह - "नरविबुहेसरसुक्खं, दुक्खं चिअ भावओ अ मन्नंतो । संवेगओ न मोक्खं, मोत्तूणं किंचि पत्थेइ ।।२।।" [धर्मसंग्रहणी ८०९, श्रावकप्रज्ञप्ति गा. ५६, विंशतिविंशिका ६/११] त्ति । निर्वेदो भववैराग्यम्, सम्यग्दर्शनी हि दुःखदौर्गत्यगहने भवकारागारे कर्मदण्डपाशिकैस्तथा कदर्थ्यमानः प्रतिकर्तुमक्षमो ममत्वरहितश्च दुःखेन निर्विण्णो भवति । यदाह - "नारयतिरिअनरामरभवेसु निव्वेअओ वसइ दुक्खं । अकयपरलोअमग्गो, ममत्तविसवेगरहिओ अ ।।१।।" [धर्मसंग्रहणी ८१०/विंशतिविंशिका ६/१२, श्रावक प्रज्ञप्ति ५७] अन्ये तु संवेगनिर्वेदयोरर्थविपर्यासमाहुः-संवेगो भवविरागः निर्वेदो मोक्षाभिलाष इति ३ । अनुकम्पा दुःखितेष्वपक्षपातेन दुःखप्रहाणेच्छा, पक्षपातेन तु करुणा पुत्रादौ व्याघ्रादीनामप्यस्त्येव सा चानुकम्पा द्रव्यतो भावतश्चेति द्विधा । द्रव्यतः सत्यां शक्तौ दुःखप्रतीकारेण, भावतश्चार्द्रहृदयत्वेन । यदाह - “दट्टण पाणिनिवहं, भीमे भवसागरंमि दुक्खत्तं । अविसेसओऽणुकंपं, दुहावि सामत्थओ कुणइ ।।४।।" [श्रावकप्रज्ञप्ति ५८, विंशतिविंशिका ६/१२, धर्मसंग्रहणी ८११] त्ति । अस्तीति मतिरस्येत्यास्तिकस्तस्य भावः कर्म वा आस्तिक्यम्, तत्त्वान्तरश्रवणेऽपि जिनोक्ततत्त्वविषये निराकाङ्क्षा प्रतिपत्तिः, तद्वान् हि आस्तिक इत्युच्यते । यदाह - "मण्णइ तमेव सच्चं, नीसंकं जं जिणेहि पण्णत्तं । सुहपरिणामो सम्मं, कंखाइविसुत्तिआरहिओ ।।५।।" [विंशतिविंशिका ६/१४, श्रावकप्रज्ञप्ति ५९, धर्मसंग्रहणी ८१२] त्ति । यत्राप्यस्य मोहवशात् क्वचन संशयो भवति, तत्राप्यप्रतिहतेयमर्गला श्रीजिनभद्रगणिक्षमाश्रमणोदिता । "कत्थय मइदुब्बलेणं, तब्विहआयरिअविरहओ वावि । नेअगहणत्तणेण य, नाणावरणोदएणं च ।।१।। Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ हेऊदाहरणासम्भवे अ सइ सुटु जं न बुज्झेज्जा । सव्वण्णुमयमवितह, तहावि तं चिंतए मइमं ।।२।। अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जगप्पवरा । जिअरागदोसमोहा य, नन्नहा वाइणो तेणं ।।३।।" [सम्बोधप्रकरणे ध्यानाधिकार ४८-५०, ध्यानशतक ४७-९] यथा वा - "सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरः । मिथ्यादृष्टिः सूत्रं, हि नः प्रमाणं जिनाभिहितम् ।।१।।" इति । अन्ये तु शमादिलिङ्गान्यन्यथा व्याचक्षते - सुपरीक्षितप्रवक्तृप्रवाद्यप्रवचनतत्त्वाभिनिवेशान्मिथ्याभिनिवेशोपशमः (शमः) । स सम्यग्दर्शनस्य लक्षणम् । यो ह्यतत्त्वं विहायात्मना तत्त्वं प्रतिपन्नः स लक्ष्यते सम्यग्दर्शनवानिति । संवेगो भयम्, जिनप्रवचनानुसारिणो नरकेषु शीतोष्णादिसहनं संक्लिष्टासुरादिनिर्मितं परस्परोदीरितं च, तिर्यक्षु भारारोपणाद्यनेकविधं, मनुजेषु दारिद्र्यदौर्भाग्यादि, देवेष्वपीर्ष्याविषादपरप्रेष्यत्वादि च दुःखमवलोकयतस्तद्भीरुतया तत्प्रशमोपायभूतं धर्ममनुष्ठाता लक्ष्यते-विद्यतेऽस्य सम्यग्दर्शनमिति । निर्वेदो विषयेष्वनभिष्वङ्गः यथा इहलोक एव प्राणिनां दुरन्तकामभोगाभिष्वङ्गोऽनेकोपद्रवफलः परलोकेऽप्यतिकटुकनरकतिर्यग्मनुष्यजन्मफलप्रदः, अतो न किञ्चिदनेन, उज्झितव्य एवायमिति, एवंविधनिदेनापि लक्ष्यतेऽस्त्यस्य सम्यग्दर्शनमिति । अनुकम्पा कृपा, यथा सर्व एव सत्त्वाः सुखार्थिनो, दुःखप्रहाणार्थिनश्च, ततो नैषामल्पाऽपि पीडा मया कार्येत्यनयाऽपि लक्ष्यतेऽस्त्यस्य सम्यक्त्वमिति । सन्ति खलु जिनेन्द्रोपदिष्टा अतीन्द्रिया जीवपरलोकादयो भावा इति परिणामः आस्तिक्यम् । अनेनापि लक्ष्यते सम्यग्दर्शनयुक्तोऽयमिति । शार्थ :___ तच्च ..... अयमिति । स ते शुम भामरएम३५ सभ्यत्य समा। कोरने प्रत्यक्ष पक्ष सिंगो 43 ०४९॥य छे. माथी छ - सभ्यय 34 st२ छ ? 'पञ्च' में प्रस्तुत ग्रंथना भूण શ્લોકનું પ્રતીક છે. શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસિક્યરૂપ પાંચ લક્ષણોથી લિંગોથી, લક્ષિત ઉપલક્ષિત છે=સમ્યત્ત્વ છે. આ લક્ષણો વડે બીજામાં રહેલું પરોક્ષ પણ સમ્યક્ત જણાય છે, એ પ્રકારનો ભાવ छ. त्यांसभ्ययन पांय लक्षोमi, Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૧૭ ૧. શમ:- શમ=પ્રશમ, અનંતાનુબંધી કષાયોનો અતુદય છે. અને તે પ્રકૃતિથી=સ્વભાવથી, અથવા કષાયની પરિણતિના કટફલના અવલોકનથી થાય છે. જેને કહે છે – “પ્રકૃતિથી=સમ્યક્તનું અનુવેદન કરાવે એવા જીવના સ્વભાવથી, અથવા કર્મોના અશુભ વિપાકને જાણીને અપરાધવાળા પુરુષમાં પણ કોપ કરતો નથી. સર્વકાલમાં પણ ઉપશમ વર્તે છે.” (શ્રાવકપ્રજ્ઞપ્તિ-પપ, વિંશતિવિંશિકા ૬/૧૦, ધર્મસંગ્રહણી ૮૦૮). ત્તિ-શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. વળી અન્ય ક્રોધની ખણજ અને વિષયની તૃષ્ણાનો ઉપશમ ‘શમ' કહે છે. જે કારણથી પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનવાળો, સાધુની ઉપાસનાવાળો જીવ ક્રોધની ખણજથી અને વિષયની તૃષ્ણાથી કેવી રીતે વિહવળ થાય ? અર્થાત્ થાય નહિ. 'નુ'થી શંકા કરે છે – ક્રોધની ખણજ અને વિષયની તૃષ્ણાનો ઉપશમ જો શમ હોય તો : અપરાધી કે નિરપરાધી એવા પરમાં ક્રોધવાળા અને વિષયની તૃષ્ણાથી વિહ્વળ મનવાળા શ્રેણિક અને કૃષ્ણાદિને કેવી રીતે શમ હોય ? અને તેના અભાવમાં='શમ'ના અભાવમાં, કેવી રીતે સખ્યત્વનો સંભવ હોય ? એમ જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ શંકા ન કરવી. “લિંગી એવું સમ્યક્ત હોતે છતે લિંગો અવશ્ય હોવાં જોઈએ' એ નિયમ નથી. જે કારણથી ધૂમરહિત પણ લુહારના ઘરમાં અગ્નિ દેખાય છે અથવા ભસ્મથી ઢંકાયેલા અગ્નિથી ધૂમ લેશ પણ નથી. વળી આ નિયમ છે – સુપરીક્ષિત લિંગ હોતે છતે= યથાર્થ નિર્મીત લિંગ હોતે છતે, લિંગી હોય જ છે. જેને કહે છે – લિગમાં લિગી હોય જ છે, લિગીમાં અન્ય પુનઃ હોય તે નિયમના વિપર્યાસમાં લિંગ-લિગીનો સંબંધ છે.” (પ્રમાણ સમુચ્ચય અંતર્ગત સ્વાર્થ અનુમાદ પરિચ્છેદ) તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. સંજવલનાદિ કષાયના ઉદયથી કૃષ્ણાદિને ક્રોધથી ખણજ અને વિષયોની તૃષ્ણા હતી. સંજવલનાદિ પણ કોઈક કષાયો તીવ્રપણાથી અનંતાનુબંધી કષાય સદશ વિપાકવાળા છે=અનંતાનુબંધી કષાય જેમ અવિવેકપૂર્વક ક્રોધ કરાવે કે વિષયની તૃષ્ણાથી વિહવળ બનાવે તેમ સંજવલનાદિ કેટલાક કષાયો અવિવેકવાળી પ્રવૃત્તિ કરાવે છે એથી સર્વ અવદાત છે=સર્વ સંગત છે. ૧૫ ૨. સંવેગ - સંવેગ મોક્ષનો અભિલાષ છે. સમ્યગ્દષ્ટિ જીવ નરેન્દ્ર ચક્રવર્તી, અને સુરેન્દ્રોનાં વિષયસુખ દુઃખના અનુષંગવાળાં હોવાથી દુખપણાથી માનતો મોક્ષસુખને જ સુખપણાથી માને છે અને ઇચ્છે છે. જે કારણથી કહે છે – નરના ઇન્દ્ર - ચક્રવર્તી અને ઇંદ્રોના સુખને ભાવથી દુઃખ જ માનતો સંવેગવાળો મોક્ષસુખને છોડીને કાંઈ પ્રાર્થના કરતો નથી.” (શ્રાવકપ્રજ્ઞપ્તિ-પ૬, વિંશતિવિંશિકા ૬/૧૧, ધર્મસંગ્રહણી ૮૦૯) ‘ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૩. નિર્વેદ - નિર્વેદ ભવવૈરાગ્ય છે. સમ્યગ્દર્શનવાળો જીવ દુઃખ અને દૌર્ગત્યથી ગહન ભવરૂપી કેદખાનામાં કર્મદંડરૂપ પાશિકો વડે તે પ્રકારે કર્થના કરાતો પ્રતિકાર કરવા માટે અસમર્થ ભાવમાં રાખનારાં કર્મોનો પ્રતિકાર કરવા માટે અસમર્થ અને મમત્વરહિત દુઃખથી નિર્વેદ પામેલો હોય છે. જેને કહે છે – અકૃત પરલોકના માર્ગવાળો=પરલોક માટે સંપૂર્ણ ઉદ્યમ થાય તેવા સર્વવિરતિરૂપ માર્ગને નહીં સેવનારો, મમતારૂપ વિષના વેગથી રહિત એવો સમ્યફદષ્ટિ જીવ નરક, તિર્યંચ, દેવ અને મનુષ્યભવોમાં નિર્વેદને કારણે દુ:ખે વસે છે.” (ધર્મસંગ્રહણી ૮૧૦, વિંશતિવિંશિકા ૬/૧૨, શ્રાવકપ્રજ્ઞપ્તિ - ૫૭). અન્ય વળી સંવેગ અને નિર્વેદનો વિપરીત અર્થ કરે છે અર્થાત્ સંવેગનો જે અર્થ કર્યો તે નિર્વેદનો અર્થ કરે છે અને નિર્વેદનો જે અર્થ કર્યો તે સંવેગનો અર્થ કરે છે. સંવેગ ભવતો વૈરાગ્ય છે, નિર્વેદ મોક્ષનો અભિલાષ છે. ૪. અનુકંપા :- અનુકંપા દુઃખિતોમાં દુખી જીવોમાં, અપક્ષપાતથી દુખના નાશની ઇચ્છા, વળી પક્ષપાતથી કરુણા વાઘ આદિને પણ પુત્રાદિમાં છે જ. તે અનુકંપા દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારની છે. દ્રવ્યથી શક્તિ હોતે છતે દુઃખના પ્રતિકારથી છે, ભાવથી આર્દ્ર હદયપણાથી છે. જેને કહે છે – ભયંકર એવા ભવસાગરમાં પ્રાણીના સમૂહને દુઃખાર્ત જોઈને=શારીરિક માનસિક દુઃખોથી પીડા પામતા જોઈને, સામર્થ્યથી=સ્વશક્તિ અનુસાર, બંને પ્રકારની પણ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની પણ, અનુકંપા અવિશેષથી કરે છે=પક્ષપાત વિના કરે છે.” (ધર્મસંગ્રહણી ૮૧૧, વિંશતિવિંશિકા ૬/૧૨, શ્રાવકપ્રજ્ઞપ્તિ ૫૮) ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૫. આસ્તિક્ય :- “છે એ પ્રકારની મતિ આવે છે એ આસ્તિક. તેનો ભાવ આસ્તિકનો ભાવ, અથવા આસ્તિક કર્મ તે આસ્તિક્ય. આ રીતે આસ્તિક્યની વ્યુત્પત્તિ બતાવ્યા પછી તેનો ફલિતાર્થ બતાવે છે – તત્વાન્તરના શ્રવણમાં પણ જિવોક્ત તત્વના વિષયમાં નિરાકાંક્ષા પ્રતિપતિ=નિઃસંદેહ રચિ, આસ્તિક્ય છે. “તદાન =આસ્તિક્યવાન, આસ્તિક એ પ્રમાણે કહેવાય છે. જેને કહે છે – “શુભ પરિણામવાળો કાંક્ષાદિ વિશ્રોતસિકા રહિત જીવ ‘તે જ સત્ય છે, નિઃશંક છે જે ભગવાને કહ્યું છે. (એમ) સર્વ માને છે (તે આસ્તિક છે).” (ધર્મસંગ્રહણી ૮૧૨, વિંશતિવિંશિકા ૬/૧૪, શ્રાવકપ્રજ્ઞપ્તિ - ૫૯) ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. જ્યાં પણ શાસ્ત્રના અધ્યયનકાળમાં જે સ્થાનમાં પણ, આને=સમ્યગ્દષ્ટિ જીવને, મોહના વશથી= ભગવાનના વચનના તાત્પર્યના નિર્ણયમાં મતિની દુર્બલતાના વશથી, ક્યાંક સંશય થાય છે=આ શાસ્ત્રવચનથી આ અર્થ છે કે અન્ય અર્થ છે ? એ પ્રકારનો સંશય થાય છે, ત્યાં પણ=સંશયના સ્થાનમાં પણ, “'=આ=‘તમેવ સર્ઘ' ઈત્યાદિ વચનરૂપ રુચિ, અપ્રતિહતા અર્ગલા છે=અખ્ખલિત અર્ગલા છે=સમ્યત્વનો નાશ ન કરે તેવી સખ્યત્ત્વના રક્ષણ કરનારી અર્ગલા છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર શ્લોક-૨૨ વળી, તે રુચિરૂપ અર્ગલા કેવી છે ? તે બતાવતાં કહે છે – શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણથી કહેવાયેલી છે – “કોઈક સ્થાનમાં મતિદુર્બલને કારણે અથવા તેવા પ્રકારના આચાર્યના વિરહને કારણે શાસ્ત્રના જે સ્થાનમાં પોતે નિર્ણય ન કરી શકે તે સ્થાનમાં પોતાને યથાર્થ અર્થ બતાવે તેવા આચાર્યના વિરહને કારણે, અને શેયનું ગહનપણું હોવાને કારણે=સર્વશે કહેલા સૂક્ષ્મપદાર્થરૂપ શેયનું ગહનપણું હોવાને કારણે, અને જ્ઞાનાવરણીયકર્મનો ઉદય હોવાને કારણે.” ૧. '=જે કારણથી, હેતુ-ઉદાહરણનો અસંભવ હોતે છતે, સઈ=કોઈક સ્થાનમાં, સુંદર બોઘ ન થાય તોપણ મતિમાન તેને અગિણિત સ્થાનને, સર્વજ્ઞનો મત અવિતથ છે એમ ચિતવન કરે. 1રા જં=જે કારણથી, અનુપકૃત પરાનુગ્રહપરાયણ જગતમાં પ્રવર એવા જિનો છે. તેમાં' તે કારણથી, તિરાગદ્વેષમોહવાળા અન્યથાવાદી નથી. ડા” (સંબોધ પ્રકરણ ધ્યાનાધિકાર – ૪૮-૪૯-૫૦, ધ્યાનશતક ૪૭-૪૮-૪૯) . અથવા સૂત્રમાં કહેલા એક પણ અક્ષરના અરોચનથી મનુષ્ય મિથ્યાદૃષ્ટિ થાય છે. જિન વડે કહેવાયેલું સૂત્ર અમને પ્રમાણ છે. I૧" () તિ ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. - આ રીતે, સમ્યક્તનાં સમાદિ લિંગો બતાવ્યા પછી તેનો અર્થ અન્ય આચાર્ય અન્ય પ્રકારે કરે છે તે બતાવે છે – વળી, અન્ય સમાદિ લિંગોને અન્ય પ્રકારે કહે છે – ૧. શમ - સુપરીક્ષિત પ્રવક્તાથી પ્રવાઘ=કહેવા યોગ્ય, જે પ્રવચન તેના તત્વમાં અભિનિવેશથી મિથ્યાઅભિનિવેશનો ઉપશમ તે શમ છે. તેeતત્વના અભિનિવેશથી મિથ્યાભિનિવેશનો ઉપશમ, સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જેણે અતત્વને છોડીને=કષાયના ઉદયરૂપ અતત્વને છોડીને પોતાના વડે તત્વને=શમરૂપ તત્વને સ્વીકાર્યું છે, તે સમ્યગ્દર્શનવાળો જણાય છે. ૨. સંવેગ :- નરકમાં શીત-ઉષ્ણાદિનું સહન, સંક્લિષ્ટ અસુરાદિથી નિર્મિત અને પરસ્પર ઉદીતિ દુઃખનું, તિર્યંચોમાં ભાર આરોપણાદિ અનેક પ્રકારના દુઃખનું, મનુષ્યોમાં દારિદ્રય, દર્ભાગ્યાદિ દુઃખનું અને દેવોમાં ઈર્ષ્યા, વિષાદ, પરમેષતાદિ દુઃખનું=સંવેગરૂપ ભયસ્વરૂપ દુઃખનું, અવલોકન કરતા જિનપ્રવચન અનુસારી જીવનું તત્ ભીરુપણાથી ચાર ગતિઓનાં દુઃખોના ભીરુપણાથી, તેના પ્રશમના ઉપાયભૂત=ચારગતિનાં દુઃખોના શમનના ઉપાયભૂત, ધર્મનો અનુષ્ઠાતા જણાય છે. શું જણાય છે ? તે કહે છે – આને સમ્યગ્દર્શન વિદ્યમાન છે એ પ્રમાણે જણાય છે. ૩. નિર્વેદ - વિષયોમાં અનભિવંગ-અનાસક્તિ, નિર્વેદ છે. જે પ્રમાણે આલોકમાં જ પ્રાણીઓને દુરન્ત કામભોગનો અભિળંગ=ખરાબ અંતવાળા કામભોગનો રાગ, અનેક ઉપદ્રવના ફલવાળો છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ પરલોકમાં પણ અતિકટુક એવા નરક, તિર્યંચ, મનુષ્યજન્મતા ફલને દેનારો છે. આથી આવા વડે કાંઈ પ્રયોજન નથી. આ=કામભોગનો અભિવંગ, ત્યાગ કરવો જ જોઈએ. એ પ્રમાણે નિર્વેદથી પણ જણાય છે. શું જણાય છે ? તે કહે છે – આને સમ્યગ્દર્શન છે એ પ્રમાણે જણાય છે. ૪. અનુકંપા - અનુકંપા કૃપા છે જે પ્રમાણે સર્વ જ જીવો સુખના અર્થી છે. અને દુઃખના નાશના અર્થી છે. તેથી આમને-જીવોને, અલ્પ પણ પીડા મારે કરવી જોઈએ નહિ. એ પ્રકારે આના વડે પણ=એ પ્રકારની મતિ વડે પણ જણાય છે. શું જણાય છે ? તે કહે છે – આને સમ્યગ્દર્શન છે એ પ્રમાણે જણાય છે. પ. આસ્તિક્ય :- ખરેખર જિતેન્દ્ર વડે કહેવાયેલા અતીન્દ્રિય જીવ-પરલોકાદિ ભાવો છે એ પ્રકારનો પરિણામ આસ્તિક્ય છે. આના વડે પણ આસ્તિક્ય વડે પણ, આ સમ્યગ્દર્શન યુક્ત છે એ પ્રમાણે જણાય છે. જ પ્રસ્તુત ટીકામાં “સંગ્વત્રનષાયો યાદ્રા Mવીના' સંજવલન કષાયના ઉદયથી કૃષ્ણાદિને ક્રોધથી ખણજ અને વિષયતૃષ્ણા છે એ પ્રકારના પાઠમાં “સંજ્વલનશાયાદિ ૩યાત....' પાઠ હોવાની સંભાવના છે અને “સંગ્વનના પિ વન ને સ્થાને ‘સંક્વનદિ પિ વન’ પાઠ હોવાની સંભાવના છે; કેમ કે માત્ર સંજ્વલન કષાયનો ઉદય મુનિને હોય છે અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવને સંજ્વલનાદિ બાર કષાયનો ઉદય હોય છે તેથી તે પ્રકારનો પાઠ હોવાની સંભાવના છે. ભાવાર્થ - પૂર્વમાં ગુરુ સન્મુખ સમ્યક્ત ઉચ્ચારવું જોઈએ તેનું વર્ણન કર્યું અને તે સમ્યક્ત ઉચ્ચારવાથી જીવમાં તથા પ્રકારના કર્મના વિગમનથી સમ્યક્ત ગુણ પ્રગટે છે. અને તે સમ્યક્ત શુભ આત્મપરિણામરૂપ છે અને તે પરિણામ છદ્મસ્થ જીવોને અપ્રત્યક્ષ છે. કેવલ લિગો દ્વારા છબસ્થ જીવો સમ્યક્તને જાણી શકે છે. આથી જ સમ્યક્ત કેવાં લિંગોવાળું છે ? તે બતાવવા માટે મૂળ શ્લોકમાં ‘પગ્યનક્ષીક્ષિત' કહેલ છે અને તે પાંચ લક્ષણો આ પ્રમાણે છે – ૧. શમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા, ૫. આસ્તિક્ય. બીજા જીવોમાં રહેલ પરોક્ષ પણ સમ્યક્ત આ લક્ષણો દ્વારા જણાય છે. ૧. શમ : આ પાંચ લક્ષણોમાં શમ તે પ્રશમ છે. તે પ્રશમ અનંતાનુબંધી કષાયના અનુદયરૂપ છે. અનંતાનુબંધી કષાયનો અનુદય જીવની પ્રકૃતિથી થાય છે અથવા કષાયોની પરિણતિના કટુફલના અવલોકનથી થાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તેથી એ ફલિત થાય કે જે જીવમાં તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટી છે તે નિર્મળદષ્ટિરૂપ પ્રકૃતિને કારણે અનંતાનુબંધી કષાયનો અનુદય થવાથી જીવને પ્રશમનો પરિણામ પ્રાપ્ત થાય છે. વળી, કેટલાક જીવોને શાસ્ત્રવચન દ્વારા કષાયોની પરિણતિનાં કેવાં કડવાં ફલો છે તેનો બોધ થવાથી તે પ્રકારના કષાયનો ઉપશમ વર્તે છે. તેમાં ઉદ્ધરણ આપેલ છે તેનો અર્થ આ પ્રમાણે છે – જીવને સમ્યક્તનું વેદન કરાવે તેવી જીવની પ્રકૃતિથી જીવને સર્વકાલ પણ કષાયનો ઉપશમ વર્તે છે. અહીં ‘સર્બાનંપિ' કહેવાથી એ પ્રાપ્ત થાય છે તથાવિધ નિમિત્તોનો અભાવ હોય તો તે-તે કષાયો વ્યક્ત થતા નથી, પરંતુ તથાવિધ નિમિત્ત મળે કે ન મળે તોપણ કષાયો વિપાકમાં ન આવે તેવી જીવની પ્રકૃતિ થઈ હોવાને કારણે જીવમાં કષાયોનો ઉપશમ સર્વકાલ વર્તે છે તે ઉપશમનો પરિણામ છે. અથવા કર્મોનો વિપાક અશુભ છે એ પ્રમાણે જાણીને કોઈ વિવેકી પુરુષ પોતાના અપરાધી ઉપર પણ કોપ ન કરે તે ઉપશમનો પરિણામ છે. : તેથી એ ફલિત થાય કે કેટલાક જીવોને પ્રકૃતિથી ઉપશમ થાય છે અને કેટલાક જીવોને કર્મના વિપાકનું ચિંતવન કરવાથી ઉપશમ થાય છે. તેથી તેવા જીવો કોઈ અપરાધ કરે તો પણ તેની ઉપર કોપ કરતા નથી પરંતુ સર્વકાલ ઉપશમભાવને ધારણ કરે છે. વળી, અન્ય માત્ર ક્રોધના અનુદયને પ્રશમ કહેતા નથી, પરંતુ ક્રોધ અને વિષયતૃષ્ણાના ઉપશમને “શમ' કહે છે. સમ્યગ્દષ્ટિ જીવને ક્રોધ અને વિષયની તૃષ્ણા ન હોય તે બતાવવા માટે કહે છે – પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનવાળો, સાધુની ઉપાસના કરનારો જીવ કેવી રીતે ક્રોધની ખણજથી કે વિષયની તૃષ્ણાથી વિહ્વળ થાય ? અર્થાત્ થાય નહિ. આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવ હંમેશાં સાધુની ઉપાસના કરે છે. સાધુની ઉપાસના કરનાર હોવાથી તેને “શ્રમણોપાસક' કહેવાય છે. શ્રમણોપાસક હોવાથી સ્વભૂમિકાનુસાર પોતાના ક્રોધને અને વિષયની તૃષ્ણાને ક્ષીણ-ક્ષીણતર કરવા માટે સદા ઉદ્યમવાળા હોય છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ ક્રોધને વશ થઈને કે વિષયની તૃષ્ણાને વશ થઈને વિવલતાનો અનુભવ કરતા નથી, પરંતુ વિદ્યમાન કષાયોને ક્ષીણ-ક્ષીણતર કરવા માટે સ્વભૂમિકાનુસાર સદા ઉદ્યમ કરનારા હોય છે. પૂર્વમાં કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવને ક્રોધ અને વિષયની તૃષ્ણાનો ઉપશમ હોય છે. ત્યાં કોઈ શંકા કરે છે કે જો ક્રોધની ખણજ અને વિષયની તૃષ્ણાનો ઉપશમ “શમ' હોય તો શ્રેણિક રાજા અને શ્રીકૃષ્ણ વાસુદેવ આદિ અપરાધી કે નિરપરાધી જીવો પર ક્રોધ કરતા હતા અને વિષયતૃષ્ણાથી વિહ્વળ થઈને ભોગોમાં પ્રવૃત્તિ કરતા હતા, તેઓમાં “શમનો પરિણામ” કેવી રીતે ઘટે ? અને જો તેઓમાં શમનો પરિણામ ન હોય તો તેઓમાં સમ્યક્તનો સંભવ કેવી રીતે થાય ? અર્થાત્ સમ્યક્તનો સંભવ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ લિંગી એવું સમ્યક્ત હોતે છતે લિંગો અવશ્ય હોવાં જોઈએ' એવો નિયમ નથી. જેમ લિંગી એવો વહ્નિ ધૂમરૂપ લિંગ વગર પણ પ્રાપ્ત થાય છે. તેથી એ ફલિત થાય છે કે શમનો પરિણામ હોય તો સમ્યક્ત છે તેવું અનુમાન કરી શકાય છે; પરંતુ શમનો પરિણામ ન હોય તેટલામાત્રથી સમ્યક્ત નથી તેમ કહી શકાય નહિ. તેથી શ્રેણિક-કૃષ્ણાદિમાં શમનો પરિણામ ન હતો; પરંતુ સમ્યક્ત હતું તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. સમ્યક્ત સાથે શમના પરિણામનો શું નિયમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સુપરીક્ષિત લિંગ હોતે છતે નિયમા લિંગી હોય છે એ પ્રકારનો નિયમ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં વિવેકવાળો ઉપશમભાવ છે કે નહીં તેની પરીક્ષા કરવામાં આવે અને નિર્ણય થાય કે આ જીવમાં વિવેકચક્ષુ પ્રગટેલ હોવાથી ઉપશમભાવ વર્તે છે તો નિયમા તે જીવમાં સમ્યગ્દર્શન છે એમ નક્કી કરી શકાય. અહીં “સુપરીક્ષિત' લિંગનું વિશેષણ આપવાથી એ પ્રાપ્ત થાય કે વિવેક વગરના જીવો પણ કેટલાક ક્રોધના ઉપશમવાળા દેખાય છે અને વિષયના ત્યાગવાળા છે તેવું પણ દેખાય છે. તેથી તેવા જીવોને જોઈને પણ આ સમ્યગ્દષ્ટિ છે તેવો ભ્રમ થાય. જેમ ધૂળના ગોટાને જોઈને અગ્નિનો ભ્રમ થાય પરંતુ સારી રીતે પરીક્ષા કરવામાં આવે તો ખ્યાલ આવે કે આ ધૂળના ગોટા છે ધૂમ નથી, માટે ત્યાં અગ્નિ નથી. તેથી જે જીવોને ભગવાનના વચન પ્રત્યેની માર્ગાનુસારી તીવ્ર રુચિ થયેલી છે અને તેના કારણે કષાયોનો ઉપશમ વર્તે છે, તેવા ઉપશમવાળા જીવોને જોઈને નિર્ણય કરી શકાય કે આ જીવમાં સમ્યત્ત્વ છે. પરંતુ માત્ર ક્રોધ નહીં કરનાર કે વિષયનો ત્યાગ કરનારા જીવોના ઉપશમભાવને જોઈને આ સમ્યગ્દષ્ટિ છે તેવો નિર્ણય થાય નહિ. અહીં વિશેષ એ છે કે જે જીવોમાં સૂક્ષ્મબોધ છે તેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણે છે અને તેઓને ભગવાનના વચનમાં સ્થિરરુચિ છે તેના કારણે જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવાથી કષાયોનો ઉચ્છેદ થાય છે અને તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવો સ્થિર નિર્ણય છે. આવા જીવો અવિરતિના ઉદયવાળા હોય તોપણ સદા સ્વભૂમિકાનુસાર અવિરતિને દૂર કરવા માટે ઉદ્યમ કરનારા હોય છે. આથી જ સુસાધુની ઉપાસના કરે છે તેવા જીવો અસમંજસ ક્રોધ કરે નહીં અને અસમંજસ વિષયની તૃષ્ણા તેઓને થાય નહીં આવો સામાન્યથી નિયમ છે. તેથી તેવા જીવોમાં તેવા પ્રકારના અનંતાનુબંધી કષાયનો ઉપશમ છે તેમ નક્કી થાય છે. પરંતુ શ્રેણિક-કૃષ્ણાદિ જીવોને કોઈક નિમિત્તથી અસમંજસ ક્રોધ થાય છે અને અસમંજસ વિષયોની તૃષ્ણા પણ થાય છે. તેમાં તેઓનું અવિરતિ આપાદકકર્મ અતિબલવાન છે. તેથી તત્ત્વને જોવાની નિર્મળદષ્ટિ પ્રગટ થઈ હોવા છતાં કર્મને વશ થઈને તેઓ ક્રોધને વશ થતા હતા કે વિષયની તૃષ્ણાને વશ થતા હતા. આથી જ તેઓમાં સંજ્વલનાદિ બાર કષાયોનો જે ઉદય વર્તતો હતો તે સંજ્વલનાદિ બાર કષાયો જ તીવ્ર ઉદયવાળા હોવાથી અનંતાનુબંધી સદશ વિપાકવાળા છે તેમ કહેલ છે. આશય એ છે કે અનુચિત ક્રોધ અને અનુચિત વિષયની તૃષ્ણા અનંતાનુબંધી કષાયના ઉદયથી થાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અને જેઓને અનંતાનુબંધી કષાયનો ઉપશમ વર્તે છે તે જીવો જિનવચનથી ભાવિત મતિવાળા છે તેથી પોતાનામાં વિદ્યમાન અવિરતિ આપાદક કષાયોને દૂર કરવા માટે ઉચિત યત્ન કરનારા હોય છે. માટે તેવા જીવો ભોગાદિ કરે તોપણ સદા તેવા પ્રકારનો યત્ન કરે છે જેથી તેઓની ભોગની તૃષ્ણા શાંત થાય અને યોગમાર્ગની પ્રવૃત્તિ નિરાબાધ કરી શકે. તેથી અનંતાનુબંધી કષાયના ઉપશમવાળા જીવોને અનુચિત ક્રોધ થાય નહીં અને અનુચિત વિષયની તૃષ્ણા થાય નહિ. અનંતાનુબંધી કષાયોના ઉપશમવાળા શ્રેણિક-કૃષ્ણાદિ જીવોને વિવેકચક્ષુ હોવા છતાં કષાયને વશ થઈને ક્યારેક અનુચિત ક્રોધ થતો હતો કે ક્યારેક અનુચિત વિષયોની તૃષ્ણા થતી હતી તેમાં, તેઓમાં વર્તતા સંજવલનાદિ બાર કષાયો કારણ હતા. આથી જ તેઓના તે સંજ્વલનાદિ બાર કષાયો અનંતાનુબંધી કષાયો સદશ અનુચિત પ્રવૃત્તિ કરાવે તેવા હતા તેમ ગ્રંથકારશ્રી કહે છે તો પણ સામાન્યથી સમ્યગ્દષ્ટિ જીવને પ્રાયઃ અસમંજસ કષાયો થાય નહીં એ પ્રકારનો નિયમ છે. ૨. સંવેગઃ - સંવેગ એટલે મોક્ષનો અભિલાષ. સમ્યગ્દષ્ટિ જીવ ચક્રવર્તીનાં કે ઇન્દ્રનાં વિષયસુખોને કષાયની વિહ્વળતારૂપ દુઃખના અનુષંગવાળાં હોવાથી દુઃખરૂપે જ માનતો હોય છે અને મોક્ષસુખને સુખરૂપે માને છે અને સદા મોક્ષની અભિલાષા કરે છે. આશય એ છે કે પદાર્થને યથાર્થ જોનારી નિર્મળદૃષ્ટિ જેઓને પ્રગટેલી છે તેવા સમ્યગ્દષ્ટિ જીવોને ભોગકાળમાં વર્તતા મોહના પરિણામની વ્યાકુળતા દુઃખરૂપ દેખાય છે અને ભોગની પ્રવૃત્તિથી બંધાયેલ કર્મ દુર્ગતિની પ્રાપ્તિનું કારણ દેખાય છે. તેથી જે સુખો, દુઃખોથી યુક્ત હોય અને દુઃખના ફલવાળાં હોય તેવાં સુખો પરમાર્થથી સુખ નથી તેમ સમ્યગ્દષ્ટિ જાણે છે અને મોહથી અનાકુલ અવસ્થા અને સર્વકર્મરહિત અવસ્થા જીવ માટે સુખરૂપ છે તેમ સમ્યગ્દષ્ટિ જાણે છે તેથી સદા મોક્ષસુખની અભિલાષા કરે છે. તે સમ્યગ્દષ્ટિ જીવનો સંવેગનો પરિણામ છે. ૩. નિર્વેદ : સમ્યગ્દષ્ટિ જીવો ભવના વાસ્તવિક સ્વરૂપને જોનારા હોય છે. ભવનું વાસ્તવિક સ્વરૂપ જીવની કદર્શનારૂપ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવને ભવ પ્રત્યે વિરકતભાવ હોય છે તે નિર્વેદ” છે. સમ્યગ્દષ્ટિ જીવન નિર્વેદનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – દુઃખો અને દૌર્ગત્યથી ગહન એવું આ ભવકારાગાર છે=જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ દુઃખોથી અને જીવની ખરાબ સ્થિતિરૂપ દૌર્ગત્યથી ગહન એવું આ ભવરૂપી કેદખાનું છે. તે ભવરૂપી કારાગારમાં કર્મનો દંડ આપનાર એવા પાલિકો વડે જીવ તે પ્રકારે કદર્થના કરાય છે, જેનો પ્રતિકાર કરવા માટે સંસારવ જીવ સમર્થ નથી. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવ પદાર્થને યથાર્થ જોનારા હોય છે. જેમ કદર્થનામાં કોઈને મમત્વ થાય નહિ, તેમ આત્માની ચાર ગતિની કદર્થનાવાળી અવસ્થામાં સમ્યગ્દષ્ટિ જીવને મમત્વ હોતું નથી. તેથી સંસારથી છૂટવાની બલવાન ઇચ્છા હોય છે છતાં સંસારથી છૂટી શકે તેમ નથી. તેથી ચારગતિના પરિભ્રમણરૂપ દુઃખથી નિર્વેદવાળો સંસારમાં રહેલો સમ્યગ્દષ્ટિ જીવ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તેમાં સાક્ષીપાઠ આપ્યો. તેમાં કહ્યું કે મમત્વના વિષના વેગથી રહિત છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે અવિરતિના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ જીવો ભોગાદિ કરે છે તોપણ ભવથી છૂટવાની બલવાન ઇચ્છાવાળા છે તેથી ભવ પ્રત્યેના મમત્વના વિષનો વેગ તેમનો રહ્યો નથી. પરંતુ સ્વભૂમિકાનુસાર સદા ભવના ઉચ્છેદના ઉપાયોને સેવે છે અને ભવના ઉચ્છેદનો ઉપાય સર્વવિરતિ જ છે તેવું સમ્યગ્દષ્ટિ જાણે છે છતાં પોતાની શક્તિ નહીં હોવાથી સર્વવિરતિને ગ્રહણ કરેલી નથી તે બતાવવા માટે ઉદ્ધરણમાં કહ્યું કે ‘અદ્વૈતપરોમો’ અકૃતપરલોકના માર્ગવાળા સમ્યગ્દષ્ટિ છે. આમ છતાં ચારગતિમાં દુઃખપૂર્વક વસે છે તે તેમનો ‘નિર્વેદ’નો પરિણામ છ. આ નિર્વેદના પરિણામથી આ જીવને સમ્યગ્દર્શન છે તેમ અનુમાન કરી શકાય છે. ૧૨૪ ૪. અનુકંપા : જીવોને આ મારા સંબંધી છે ઇત્યાદિ પક્ષપાત વગર દુઃખી જીવો પ્રત્યે અનુકંપા છે, તે અનુકંપા સમ્યક્ત્વનું લિંગ છે. તેથી એ ફલિત થાય કે જેઓને કોઈ જાતના સંબંધના પક્ષપાત વગર અન્યનાં દુઃખ દૂર કરવાનો અધ્યવસાય છે તેઓમાં જો વિવેક હોય તો છ કાયના જીવો પ્રત્યે દયાનો પરિણામ થાય છે. આવા જીવો સ્વશક્તિ અનુસાર તેઓનાં દુ:ખને દૂ૨ ક૨વા પ્રયત્ન કરે તે દ્રવ્યથી અનુકંપા છે અને ભાવથી બધા જીવોનાં દુઃખ પ્રત્યે આર્દ્રહૃદય છે તે ભાવથી અનુકંપા છે. અર્થાત્ સંસારનાં જીવો શારીરિક દુઃખો કે કષાયો કૃત માનસિક દુઃખો ન પામે તેવા પ્રકારનું આર્દ્ર હૃદય છે તે ભાવથી અનુકંપા છે. જેઓનું આવું દયાળુ ચિત્ત છે તેઓને સર્વવિરતિનું પાલન જ શ્રેય જણાય છે; કેમ કે સર્વવિરતિના પાલનમાં છકાયના જીવો પ્રત્યે દયા વર્તે છે. ફક્ત સર્વવિરતિની શક્તિ નહીં હોવાથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવો આવા અનુકંપાના પરિણામવાળા હોવા છતાં અવિરતિના ઉદયને કા૨ણે સંસારની પ્રવૃત્તિ કરે છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનની પૂજાકાળમાં પણ અન્ય યોગ્ય જીવોને ભગવાનનો માર્ગ પ્રાપ્ત થાય તેવી અનુકંપાબુદ્ધિ હોય છે તે અનુકંપા સમ્યક્ત્વનું લિંગ છે. ૫. આસ્તિક્ય : આસ્તિક્યની વ્યુત્પત્તિ કરે છે જીવાદિ પદાર્થો ભગવાને કહ્યા છે તે પ્રકારે છે એવી મતિ આને છે એ આસ્તિક અને તે આસ્તિકમાં રહેલો જે ભાવ તે આસ્તિક્ય અથવા તે આસ્તિકમાં ૨હેલ જે કર્મ=કૃત્ય, તે આસ્તિક્ય. 1 આ પ્રકારે આસ્તિક્યનો વ્યુત્પત્તિ અર્થ બતાવ્યા પછી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે આસ્તિક્યસંપન્ન જીવ અન્ય દર્શનના તત્ત્વને સાંભળે તોપણ ભગવાને કહેલા તત્ત્વના વિષયમાં નિરાકાંક્ષ રુચિવાળો હોય છે અને ભગવાનના વચનમાં નિઃસંદેહ રુચિવાળો જીવ આસ્તિક કહેવાય છે. તેમાં સાક્ષીપાઠ આપે છે - Page #142 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૨૫ જે જીવમાં તત્ત્વને જોવા માટે નિર્મળદષ્ટિ છે અને તેનામાં રહેલ નિર્મળ મતિને કારણે તે જીવ શુભ પરિણામવાળો છે તેથી અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે તેની રુચિ છે અને તેના કારણે તે જીવ અન્યદર્શનની કાક્ષા-આકાંક્ષા આદિ વિપરીત પરિણામથી રહિત છે અને સર્વ પદાર્થો ભગવાને જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે સત્ય અને નિઃશંક છે તેમ માને છે. આવા આસ્તિક્યસંપન્ન જીવને શાસ્ત્રઅધ્યયન કરતી વખતે કોઈ સ્થાનમાં પદાર્થનો નિર્ણય કરવા માટે મૂંઝવણ થાય અને તેથી આ શાસ્ત્રવચન આ પ્રમાણે છે કે અન્ય પ્રકારે છે તે પ્રમાણે સંશય થાય, તે સ્થાનમાં પણ તે મહાત્મા વિચારે કે આ શાસ્ત્રવચનનો અર્થ ભગવાને કહ્યો છે તે જ સત્ય છે, નિઃશંક છે; ફક્ત અત્યારે મારી પ્રજ્ઞા નથી કે ભગવાને શું કહ્યું છે તેના તાત્પર્યને ગ્રહણ કરી શકું. આ પ્રકારે સ્થિર બુદ્ધિ તે મહાત્મામાં વર્તે છે તે પરિણામ આત્મામાં મિથ્યાત્વને પ્રવેશ કરવા માટે અર્ગલારૂપ છે=મિથ્યાત્વના પ્રવેશને અટકાવનાર છે. તેથી મિથ્યાત્વના આગમન માટે આ પ્રકારની સ્થિર બુદ્ધિ અપ્રતિહત અર્ગલારૂપ છે, એ પ્રમાણે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે તેમાં સાક્ષીપાઠ આપે છે સમ્યગ્દષ્ટિ જીવને પણ શાસ્ત્રના કોઈક સ્થાનમાં મતિદુર્બલતાને કા૨ણે બોધ ન થાય અથવા તેવા પ્રકારના આચાર્યાદિના વિરહને કારણે શાસ્ત્રવચનનો યથાર્થ નિર્ણય ન થાય અને સૂક્ષ્મ જ્ઞેય પદાર્થ અતિગહન હોવાથી પણ કોઈક સ્થાને તેનો નિર્ણય ન થાય અને જીવમાં જ્ઞાનાવરણીયકર્મનો ઉદય હોવાને કા૨ણે શાસ્ત્રવચનના બળથી કોઈક સ્થાને નિર્ણય ન થાય અથવા શાસ્ત્રપદાર્થનો નિર્ણય ક૨વા માટે હેતુ, ઉદાહરણની અપ્રાપ્તિ હોવાને કારણે કોઈક સ્થાનમાં નિર્ણય ન થાય તેવા સ્થાનમાં જેઓની નિર્મળદષ્ટિ છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો વિચારે છે કે સર્વજ્ઞે કહેલું છે તે અવિતથ છે. આ પ્રકારે વિચારવાથી અનિર્ણીત સ્થાનમાં પણ તેઓની રુચિ જિનવચનમાં તત્ત્વને ગ્રહણ ક૨વાને અભિમુખ પરિણામવાળી રહે છે. કેમ સમ્યગ્દષ્ટિ આ પ્રમાણે વિચારે છે ? તેમાં યુક્તિ આપે છે જે કારણથી તીર્થંકર અનુપકૃત પ૨ાનુગ્રહપરાયણ છે અને પ્રકૃષ્ટ જ્ઞાનવાળા છે અને જેઓએ રાગ-દ્વેષ અને મોહને જીત્યો છે તેઓ ક્યારેય અન્યથાવાદી હોય નહીં માટે જિનવચન જ સત્ય છે, આ પ્રકારે સમ્યગ્દષ્ટિ જીવ વિચારે છે. વળી, સમ્યગ્દષ્ટિ જીવ વિચારે છે કે સૂત્રમાં કહેલા એક અક્ષરની પણ અરુચિ થાય તો તે મનુષ્ય મિથ્યાદૃષ્ટિ છે. માટે મારે મિથ્યાદૃષ્ટિ ન થવું હોય અને મારા સમ્યક્ત્વને સ્થિર રાખવું હોય તો ભગવાને કહેલું સૂત્ર જ મારા માટે પ્રમાણ છે. આમ વિચારીને પોતાના સમ્યક્ત્વને નિર્મલ રાખે છે. પૂર્વમાં સમ્યગ્દષ્ટિનાં શમાદિ પાંચ લિંગોનો અર્થ કર્યો. તેના કરતાં અન્ય રીતે અર્થ અન્ય આચાર્ય કરે છે. તે અર્થ પણ ગ્રંથકારશ્રીને ઇષ્ટ હોવાથી પ્રસ્તુતમાં બતાવે છે - ૧. શમ : સારી રીતે પરીક્ષા કરીને નિર્ણય કરાયેલા એવા પ્રવક્તાથી પ્રવાઘ=કહેવા યોગ્ય, પ્રવચન છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વજ્ઞે કેવલજ્ઞાનમાં અતીન્દ્રિય પદાર્થો જોયા છે. તે પદાર્થો તેમણે જગતના જીવોના ઉપકાર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ માટે બતાવેલા છે. તે વચનોની સુંદર રીતે પરીક્ષા કરીને જેમણે નિર્ણય કર્યો છે તેવા ગણધરાદિ પ્રવક્તાથી કહેવા યોગ્ય આ પ્રવચન છે. આવા પ્રવચનમાં કહેવાયેલા તત્ત્વ પ્રત્યેના અભિનિવેશથી મિથ્યા અભિનિવેશનો ઉપશમ થાય છે તે શમનો પરિણામ છે. તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જે જીવ અતત્ત્વનો ત્યાગ કરીને જિનેવચનાનુસાર તત્ત્વને સ્વીકારે છે તે જીવ સમ્યગ્દર્શનવાળો છે તે પ્રમાણે જણાય છે. ૨. સંવેગ : ભગવાનના વચનાનુસાર કોઈ મહાત્મા ચારગતિનો વિચાર કરે તો તેને નરકમાં શીત-ઉષ્ણાદિ પીડાઓ દેખાય છે, સંક્લિષ્ટ એવા પરમાધામી દેવોથી કરાતી પીડા દેખાય છે અને નારકીઓ પણ અતિક્લિષ્ટ પરિણામવાળા હોવાથી પરસ્પર એકબીજાને દુઃખ આપતા દેખાય છે. આ રીતે નરકની સ્થિતિ વિચાર્યા પછી તિર્યંચગતિને વિચારે તો ત્યાં પણ ભાર-આરોપણાદિ અનેક પ્રકારનાં દુઃખો દેખાય છે. વળી, મનુષ્યગતિનો વિચાર કરે તો મનુષ્યગતિમાં પણ દારિદ્રય, દૌર્બલ્ય, રોગ, શોક આદિ અનેક પ્રકારનાં દુઃખો દેખાય છે. દેવગતિનો વિચાર કરે તો ત્યાં પણ ઇર્ષ્યા, વિષાદ, બીજા દેવોનું દાસપણું આદિ દુઃખો દેખાય છે. આ સર્વ દુઃખોનું અવલોકન કરવાથી તે દુઃખોથી તે મહાત્માને ભય ઉત્પન્ન થાય છે અને ચાર ગતિનાં દુઃખોના શમનના ઉપાયભૂત ધર્મ જણાય છે, તેથી સ્વશક્તિ અનુસાર ધર્મને સેવે છે. આ ચાર ગતિનો ભય તે “સંગ'નો પરિણામ છે, જેનાથી જણાય છે કે આ મહાત્મામાં સમ્યગ્દર્શન છે. ૩. નિર્વેદ - વિષયોમાં રાગના પરિણામરૂપ અભિવૃંગનો અભાવ નિર્વેદ છે. નિર્મળદૃષ્ટિવાળા જીવોને વિષયોમાં અભિવૃંગનો અભાવ કેમ થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે - આલોકમાં પણ જેઓને અત્યંત કામભોગના વિકારો થાય છે તેથી જેઓ અતિ અનુચિત પ્રવૃત્તિઓ કરે છે અને તેના કારણે અનેક પ્રકારનાં બાહ્યદુઃખોને પ્રાપ્ત કરે છે. જેમ અત્યંત કામને વશ થઈને અનાચાર સેવે તો રાજદંડ આદિની પ્રાપ્તિ થાય છે, શરીરાદિનો નાશ થાય છે. તેથી જો કામભોગો અતિ તીવ્ર બને તો આલોકમાં જ વિનાશ કરનારા બને છે. માટે જણાય છે કે કામભોગોનું ફળ અનર્થકારી છે. વળી, પરલોકમાં પણ તેનાથી બંધાયેલા પાપના કારણે કટુરિપાકો મળે છે. જેથી નરકગતિની પ્રાપ્તિ, તિર્યંચગતિની વિડંબના અને ખરાબ મનુષ્યભવની પ્રાપ્તિ વગેરે થાય છે. આ પ્રકારે સમ્યફ અવલોકનને કારણે મહાત્માને વિચાર આવે છે કે આ વિષયોનું મારે કોઈ પ્રયોજન નથી, આ વિષયોનો ત્યાગ જ કરવો જોઈએ. આ પ્રકારનો જીવનો જે પરિણામ છે તે નિર્વેદનો પરિણામ છે અને તે નિર્વેદના પરિણામથી જણાય છે કે આ જીવને સમ્યગ્દર્શન છે. ૪. અનુકંપા : સમ્યગ્દષ્ટિ જીવો નિર્મળદૃષ્ટિ હોવાને કારણે વિચારે છે કે સર્વ જીવો સુખના અર્થી છે અને દુઃખના નાશના અર્થી છે, માટે કોઈપણ જીવને અલ્પ પણ પીડા મારે કરવી જોઈએ નહિ. આવો પરિણામ જેઓમાં Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વર્તે છે તેવા જીવો અન્ય જીવોની પીડાના પરિહારાર્થે શક્તિ હોય તો છકાયના જીવોના પાલનવાળા સંયમને સ્વીકારે છે અને શક્તિ ન હોય તો સ્વભૂમિકાનુસાર પરપીડાના પરિવારમાં ઉદ્યમ કરીને પકાયના પાલનની શક્તિનો સંચય કરે છે. તેનાથી જણાય છે કે આ જીવમાં સમ્યગ્દર્શન છે. ५. मास्तिज्य: તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવોને અતીન્દ્રિય એવા જીવ, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ આદિ સર્વ ભાવો ભગવાને જે પ્રમાણે બતાવ્યા છે તે સર્વ તે પ્રમાણે જ છે તેવી નિર્મળપ્રજ્ઞા વર્તે છે. તેથી તે જીવાદિ પદાર્થોની યથાર્થ રુચિને કારણે સ્વશક્તિ અનુસાર આશ્રવનો ત્યાગ કરીને સંવરમાં ઉદ્યમ કરે છે. તે વિચારે છે કે સર્વ સંવરના ફળભૂત મોક્ષ છે. માટે મારે સર્વ સંવરરૂપ યોગનિરોધ માટે શક્તિનો સંયમ થાય તેવો યત્ન કરવો જોઈએ. આ પ્રકારના તેના આસ્તિક્યને કારણે જણાય છે કે આ જીવમાં સમ્યગ્દર્શન વિદ્યમાન છે. टीs:-. अत्र च पञ्चलक्षणप्रदर्शनेन तत्सहचरिताः सप्तषष्टिरपि भेदाः सूचिताः, सम्यक्त्वं च तैर्विशुद्धं स्याद्यदाहुः"चउसद्दहण ४ तिलिंगं ३, दसविणय १० तिसुद्धि ३ पंचगयदोसं ५ । अट्ठपभावण ८ भूसण ५ लक्खण ५ पंचविहसंजुत्तं ।।१।। छव्विहजयणाऽऽगारं ६, छब्भावणभाविअंच ६ छट्ठाणं ६ । इअ सत्तसट्ठीदंसणभेअविसुद्धं तु सम्मत्तं ।।२।।" चउसद्दहणत्ति - “परमत्थसंथवो खलु १, सुमुणिअपरमत्थजइजणनिसेवा २ । वावन्न ३ कुद्दिट्ठीण य, वज्जणा य ४ सम्मत्तसद्दहणा ।।३।।" [प्रज्ञापना सू. ११०/गा. १३१] तिलिंगत्ति - "सुस्सूस १, धम्मराओ २, गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो ३, सम्मद्दिट्ठिस्स लिंगाई ।।४।।" दसविणयंति - "अरिहंत १ सिद्ध २ चेइअ ३ सुए अ ४ धम्मे अ५ साहुवग्गे अ६ आयरिअ १ उवज्झाए ८, पवयणे ९ दंसणे १० विणओ ।।५।।" "भत्तीपूआवनजणणं नासण(वज्जण?)मवन्नवायस्स । आसायणपरिहारो, दंसणविणओ समासेणं ।।६।।" Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ . तिसुद्धित्ति - "मुत्तूण जिणं मुत्तूण, जिणमयं जिणमयट्ठिए मुत्तुं । संसारकत्तवारं, चिंतिज्जतं जगं सेसं ।।७।।" पंचगयदोसंति - "संका १ कंख २ विगिच्छा ३ पसंस ४ तह संथवो ५ कुलिंगीसुं । सम्मत्तस्सइयारा, परिहरिअव्वा पयत्तेणं ।।८।।" अट्ठपभावणत्ति - "पावयणी १ धम्मकही २, वाई ३ नेमित्तिओ ४ तवस्सी अ५ । विज्जा ६ सिद्धो अ ७ कई ८, अढेव पभावगा भणिआ ।।९।।" [चेइअवंदणमहाभास गा. १२८] भूसणत्ति - "जिणसासणे कुसलया १, पभावणा २ तित्थसेवणा ३ थिरया ४ । भत्ती अ ५ गुणा सम्मत्तदीवया उत्तमा पंच ।।१०।।" लक्खणपंचविहसंजुत्तत्ति लक्षणान्युक्तान्येवात्र गाथापि - "संवेगो चिअ १ उवसम २ निव्वेओ ३ तह य होइ अणुकंपा ४ । अत्थिक्कं ५ चिअ एए, सम्मत्ते लक्खणा पंच ।।११।।" छविहजयणत्ति - "नो अन्नतिथिए अन्नतित्थिदेवे य तह सदेवाइं । गहिए कुतित्थिएहिं, वंदामि १ नवा नमसामि २ ।।१२।।" नेव अणालत्तो आलवेमि ३ नो संलवेमि ४ तह तेसिं । देमि न असणाईअं ५, पासेमि न गंधपुप्फाई ६।।१३।।" छआगारंति - "रायाभिओगो अ १ गणाभिओगो २, बलाभिओगो ३ अ सुराभिओगो ४ । कंतारवित्ती ५ गुरुनिग्गहो अ६, छ छिंडिआउ जिणसासणंमि ।।१४।।" छब्भावणभाविअंति - "मूलं १ दारं २ पइट्ठाणं ३, आहारो ४ भायणं ५ निही ६ । दुछक्कस्सावि धम्मस्स, संमत्तं परिकित्तिअं ।।१५।।" Page #146 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૨૯ छट्ठाणंति - "अत्थि अ १ णिच्चो २, कुणई ३, कयं च वेएइ ४ अस्थि णिव्वाणं ५ । अत्थि अ मुक्खोवाओ ६, छस्सम्मत्तस्स ठाणाई ।।१६।।" [प्रवचनसारोद्धारे गा.९२६-४१] अथैतासां विषमपदार्थो यथा-परमार्था जीवादयस्तेषां संस्तवः परिचयः १, सुमुनितपरमार्था यतिजना आचार्यादयः, तेषां सेवनम् २, व्यापन्नदर्शना निह्नवादयः ३, कुदर्शनाः शाक्यादयः ४, तेषां वर्जनं त्यागः 'सम्मत्तसद्दहणा' इति सम्यक्त्वं श्रद्धीयतेऽस्तीतिप्रतिपद्यतेऽनेनेति सम्यक्त्वश्रद्धानम् । न चाङ्गारमईकादेरपि परमार्थसंस्तवादिसम्भवाद् व्यभिचारिता शङ्क्या, तात्त्विकानामेतेषां इहाधिकृतत्वात् तस्य च तथाविधानामेषामसंभवादिति, इह प्राकृतत्वाल्लिङ्गमतन्त्रमिति स्त्रीत्वम् मूलद्वारगाथायां च चतुःश्रद्धानादिशब्दानां चतुर्विधं श्रद्धानं चतुःश्रद्धानम् । . त्रिविधं लिङ्गं त्रिलिङ्गम्-दशविधोविनयो दशविनयः । त्रिविधा शुद्धिस्त्रिशुद्धिरित्यादि व्युत्पत्तिज्ञेया । त्रिलिङ्गे-श्रोतुमिच्छा शुश्रूषा, सद्बोधावन्ध्यनिबन्धनधर्मशास्त्रश्रवणवाञ्छेत्यर्थः । सा च वैदग्ध्यादिगुणवत्तरुणनरकिन्नरगानश्रवणरागादप्यधिकतमा सम्यक्त्वे सति भवति । यदाह - "यूनो वैदग्ध्यवतः, कान्तायुक्तस्य कामिनोऽपि दृढम् । किन्नरगेयश्रवणादधिको धर्मश्रुतौ रागः ।।१।।" [षोडशके ११/३] इति १ । तथा धर्मे चारित्रलक्षणे रागः, श्रुतधर्मरागस्य तु शुश्रूषापदेनैवोक्तत्वात् स च कर्मदोषात्तदकरणेऽपि कान्तारातीतदुर्गतबुभुक्षाक्षामकुक्षिब्राह्मणघृतभोजनाभिलाषादप्यतिरिक्तो भवति २ । तथा गुरवो धर्मोपदेशका देवा अर्हन्तस्तेषां वैयावृत्त्ये तत्प्रतिपत्तिविश्रामणाभ्यर्चनादौ नियमोऽवश्यकर्त्तव्यतागीकारः स च सम्यक्त्वे सति भवतीति, तानि सम्यग्दृष्टेः धर्मधर्मिणोरभेदोपचारात् सम्यक्त्वस्य लिङ्गानि, एभिस्त्रिभिर्लिङ्गः सम्यक्त्वं समुत्पन्नमस्तीति निश्चीयत इति भावः । वैयावृत्त्यनियमस्य च तपोभेदत्वेन चारित्रांशरूपत्वेऽपि सम्यक्त्वसत्त्वे चावश्यंभावित्वेऽपि नाविरतसम्यग्दृष्टिगुणस्थानकाऽभावप्रयोजकतोद्भाव्या, एतद्रूपचारित्रस्याल्पतमत्वेनाचारित्रतया विवक्षितत्वात् संमूर्छनजानां संज्ञामात्रसद्भावेऽपि विशिष्टसंज्ञाऽभावादसंज्ञित्वव्यपदेशवदिति । उपशान्तमोहादिषु तु कृतकृत्यत्वादेषां साक्षादभावेऽपि फलतया सद्भावान तेष्वप्येतेषां व्यभिचारः, वैयावृत्त्यनियमश्चोपरिष्टात् श्राद्धविधिपाठेन दर्शयिष्यत इति ततोऽवसेयः । दशविनये चैत्यान्यर्हत्प्रतिमाः, प्रवचनं जीवादितत्त्वं, दर्शनम् सम्यक्त्वं तदभेदोपचारात्तद्वानपि दर्शनमुच्यते, एतेषु दशसु भक्तिरभिमुखागमनाऽऽसनप्रदान-पर्युपास्त्यञ्जलिबन्धाद्या, पूजा सत्काररूपा, वर्णः प्रशंसा, तज्जननमुद्भासनम्, अवर्णवादस्याश्लाघाया वर्ज़नं परिहारः, आशातना प्रतीपवर्त्तनं Page #147 -------------------------------------------------------------------------- ________________ १30 धर्मसंग्रह भाग-२ | दितीय अधिकार | Rो-२२ तस्याः परिहारः । एष दशस्थानविषयत्वाद्दशविधो दर्शनविनयः, सम्यक्त्वे सत्यस्य भावात् सम्यक्त्वविनयः । त्रिशुद्ध्यां जिनं वीतरागं, जिनमतं स्यात्पदलाञ्छितं, जिनमतस्थितांश्च साध्वादीन् मुक्त्वा शेषमेकान्तग्रस्तं जगदपि संसारमध्ये कत्तवारं-कचवरप्रायम् असारमित्यर्थः, इतिचिन्तया सम्यक्त्वस्य विशोध्यमानत्वादेतास्तिस्रः शुद्धय इति । पञ्च दोषा अग्रे मूल एव वक्ष्यमाणाः । अष्टप्रभावनायां - प्रभवति जैनेन्द्र शासनम्, तस्य प्रभवतः प्रयोजकत्वं प्रभावना, सा चाष्टधा प्रभावकभेदेन, तत्र प्रवचनं द्वादशाङ्गं गणिपिटकम्, तदस्यास्तीति प्रावचनी युगप्रधानागमः १ । धर्मकथा प्रशस्ताऽस्यास्तीति धर्मकथी, 'शिखादित्वादिन् आक्षेपणी १ विक्षेपणी २ संवेगजननी ३ निवेदनी ४ लक्षणां चतुर्विधां जनितजनमनःप्रमोदां धर्मकथां कथयति सः २ । वादिप्रतिवादिसभ्यसभापतिरूपायां चतुरङ्गायां परिषदि प्रतिपक्षक्षेपपूर्वकं स्वपक्षस्थापनार्थमवश्यं वदतीति वादी ३ । निमित्तं त्रैकालिकलाभाऽलाभप्रतिपादकं शास्त्रम्, तद्वेत्त्यधीते वा नैमित्तिकः ४ । तपो विकृष्टमष्टमाद्यस्यास्तीति तपस्वी ५ । विद्याः प्रज्ञप्त्यादयस्तद्वान् विद्यावान् ६ । सिद्धयोऽञ्जनपादलेपतिलकगुटिकाकर्षणवैक्रियत्वप्रभृतयस्ताभिः सिद्ध्यति स्म सिद्धः ७ । कवते गद्यपद्यादिभिः प्रबन्धैर्वर्णनामिति कविर्गद्यपद्यप्रबन्धरचकः ८ । एते प्रावचन्यादयोऽष्टौ प्रभवतो भगवच्छासनस्य यथायथं देशकालाद्यौचित्येन साहाय्यकरणात् प्रभावकाः, प्रभवन्तं स्वतः प्रकाशकस्वभावमेव प्रेरयन्तीति व्युत्पत्तेः, तेषां कर्म प्रभावना इत्थं च मूलद्वारगाथायाम् अष्टौ प्रभावना यत्रेति समासः । भूषणपञ्चके-जिनशासनेऽर्हद्दर्शनविषये कुशलता नैपुण्यं १, प्रभावना प्रभावनमित्यर्थः । सा च प्रागष्टधाऽभिहिता, यत्पुनरिहोपादानं तदस्याः स्वपरोपकारित्वेन तीर्थकरनामकर्मनिबन्धनत्वेन च प्राधान्यख्यापनार्थम् २, तथा तीर्थं द्रव्यतो जिनदीक्षाज्ञाननिर्वाणस्थानं यदाह "जम्मं दिक्खा नाणं, तित्थयराणं महाणुभावाणं । जत्थ य किर निव्वाणं, आगाढं दंसणं होइ ।।१।।" त्ति । भावतस्तु ज्ञानदर्शनचारित्राधारः, श्रमणसवः, प्रथमगणधरो वा, यदाह- . "तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? गोयमा! अरहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णे समणसंघे पढमगणहरे वा" [भगवती सूत्रे श.२० उ.८ / सू.६८२] इति । तस्य सेवनम् ३ । स्थिरता जिनधर्मं प्रति परस्य स्थिरताऽऽपादनम्, स्वस्य वा परतीर्थिकसमृद्धिदर्शनेऽपि जिनप्रवचनं प्रति निष्प्रकम्पता ४ । भक्तिः प्रवचने विनयवैयावृत्त्यरूपा प्रतिपत्तिः, एते गुणाः सम्यक्त्वस्य Page #148 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ ૧૩૧ दीपकाः प्रभासकाः, उत्तमाः प्रधानाः, भूषणानि एतैः सम्यक्त्वमलङ्क्रियत इति भावः । लक्षणानि पञ्च व्याख्यातानि । षड्विधयतनायाम्-अन्यतीर्थिकान् परदर्शनिनः परिव्राजकभिक्षुभौतिकादीन्, अन्यतीर्थिकदेवान् रुद्रविष्णुयक्षादीन् तथा स्वदेवान् अर्हत्प्रतिमालक्षणान् कुतीर्थिकैदिगम्बरादिभिर्गृहीतान् भौतिकादिभिः परिगृहीतान्महाकालादीन् नो-नैव, वन्दे वा १ । न नमस्यामि २, तद्भक्तानां मिथ्यात्वस्थिरीकरणात् । तत्र वन्दनं शिरसाऽभिवादनम्, नमस्करणं प्रमाणपूर्वं प्रशस्तध्वनिभिर्गुणोत्कीर्तनम् तथाऽन्यतीर्थिकैः पूर्वमनालप्तः सन्नवालपामि ३, नापि संलपामि, तत्रेषद्भाषणमालापः, मुहुर्भाषणं संलापः ४ । तत्संभाषणे हि तैः सह परिचयात् प्रतिक्रियाश्रवणदर्शनादिभिर्मिथ्यात्वप्रसक्तिरपि स्यादेव तथा तेषामन्यतीर्थिकाणां न ददामि अशनादिकम् अनुकम्पां विहाय, अनुकम्पायाश्च कुत्राप्यनिषेधात्, यत उक्तम्"सव्वेहिपि जिणेहिं, दुज्जयजिअरागदोसमोहेहिं । सत्ताणुकंपणट्ठा, दाणं न कहिं वि पडिसिद्धं ।।१।।" ५।। तथा तेषां परतीर्थिकदेवानां तत्प्रतिगृहीतजिनप्रतिमानां च पूजानिमित्तं नैव प्रेक्ष्यामि गन्धपुष्पादिकम्, आदिशब्दाद्विनयवैयावृत्त्ययात्रास्नानादिकम् ६, एताभिः षड्भिर्यतनाभिर्यतमानः सम्यक्त्वं नातिक्रामतीति । आकारषट्के-अभियोजनमभियोगोऽनिच्छतोऽपि व्यापारणम्, तत्र राज्ञो नृपादेरभियोगो राजाभियोगः १ । गणः स्वजनादिसमुदायस्तस्याभियोगो गणाभियोगः २ । बलं हठप्रयोगस्तेनाभियोगः ३ । सुरस्य कुलदेवतादेरभियोगः ४ । कान्तारमरण्यं तत्र वृत्तिवर्त्तनं निर्वाहः कान्तारवृत्तिर्यद्वा कान्तारमपि बाधाहेतुत्वादिह बाधात्वेन विवक्षितं तेन कारणेन बाधया वृत्तिः प्राणवर्त्तनरूपा कान्तारवृत्तिः कष्टेन निर्वाह इतियावत् ५ । गुरवो मातृपितृप्रभृतयः यदुक्तम् - "माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गस्सतां मतः ।।१।।" [योगबिन्दु ११०] तेषां निग्रहो निर्बन्धः ६ । तदेताः षट् छिण्डिका अपवादरूपा जिनशासने भवन्ति । . इदमत्र तात्पर्यम्-प्रतिपन्नसम्यक्त्वस्य परतीर्थिकवन्दनादिकं निषिद्धम्, तद्राजाभियोगादिभिरेभिः कारणैर्भक्तिवियुक्तो द्रव्यतः समाचरन्नपि सम्यक्त्वं नाभिचरतीति । षड्भावनायां-द्विषट्कस्यापि द्वादशभेदस्यापि पञ्चाणुव्रतत्रिगुणव्रतचतुःशिक्षाव्रतरूपधर्मस्य चारित्रविषयस्य इदं सम्यक्त्वं मूलमिव मूलं कारणमित्यर्थः, परिकीर्तितं जिनैरिति सर्वत्र संबन्धः । Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ यथा मूलरहितः पादपः पवनकम्पितस्तत्क्षणादेव निपतति, एवं धर्मतरुरपि सम्यक्त्वहीनः कुतीर्थिकमतान्दोलितः १ । द्वारमिव द्वारं प्रवेशमुखमितिभावः, यथा ह्यकृतद्वारं नगरं सन्ततप्राकारवलयवेष्टितमप्यनगरं भवति, जनप्रवेशनिर्गमाभावात्, एवं धर्मपुरमपि सम्यक्त्वद्वारशून्यमशक्याधिगमं स्यादिति २ । __पइट्ठाणं-प्रतिष्ठते प्रासादोऽस्मिन्निति प्रतिष्ठानं पीठम्, ततः प्रतिष्ठानमिव प्रतिष्ठानम्, यथा पृथ्वीतलगतगर्तापूरकरहितः प्रासादः सुदृढो न भवति । तथा धर्महर्म्यमपि सम्यक्त्वरूपप्रतिष्ठानं विना निश्चलं न भवेदिति ३ । आहारोत्ति आधारः यथा धरातलमन्तरा निरालम्बं जगदिदं न तिष्ठति, एवं धर्मजगदपि सम्यक्त्वलक्षणाधारव्यतिरेकेण न तिष्ठेदिति ४ । भायणंति भाजनं पात्रमित्यर्थः, यथा हि पात्रविशेषं विना क्षीरादि वस्तु विनश्यति, एवं धर्मवस्त्वपि सम्यक्त्वभाजनं विना ५ । निहित्ति निधिः यथा हि निधिव्यतिरेकेण महार्हमणिमौक्तिककनकादि द्रव्यं न प्राप्यते, तथा सम्यक्त्वनिधानमन्तरा चारित्रधर्मरत्नमपि ६ । इत्येताभिः षड्भिर्भावनाभिर्भाव्यमानमिदं सम्यक्त्वमविलम्बेन मोक्षसुखसाधकं भवतीति । . षट्स्थाने-अस्थित्ति-अस्ति विद्यते, चशब्दस्याऽवधारणार्थत्वाज्जीव इति गम्यते, एतेन नास्तिकमतं निरस्तम् १ । 'निच्चो'त्ति-स च जीवो नित्य उत्पत्तिविनाशरहितः, तदुत्पादककारणाभावादित्यादिना शौद्धोदनिमतमपध्वस्तम् २ । 'कुणइ' त्ति स च जीवः करोति मिथ्यात्वाऽविरतिकषायादिबन्धहेतुयुक्ततया तत्तत्कर्माणि निवर्तयति । एतेन कापिलकल्पनाप्रतिक्षेपः ३ । ‘कयमिति' कृतं कर्म च वेद्यते “सव्वं पएसतया भुज्जइ" [ ] तिवचनादनेन सर्वथाऽभोक्तृजीववादी दुर्नयो निराकृतः ४ । _ 'अत्थि निव्वाणं'ति अस्य च जीवस्यास्ति विद्यते, निर्वाणं मोक्षः, स च जीवस्य रागद्वेषमदमोहजन्मजरारोगादिदुःखक्षयरूपोऽवस्थाविशेष इतियावद् । एतेन प्रदीपनिर्वाणकल्पमभावरूपं निर्वाणमित्यादि सङ्गिरमाणाः सौगतविशेषाः व्युदस्ताः, ते च प्रदीपस्येवास्य सर्वथा ध्वंस एव निर्वाणमाहुस्तथा च तद्वचः - Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ "दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद्विदिशं ने काञ्चित्स्नेहक्षयात् केवलमेति शान्तिम् ।।१।। इति जीव [स्तथा निर्वृतिमभ्युपेतो नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद्विदिशं न काञ्चित्, क्लेशक्षयात्केवलमेति शान्तिम् ।। सौन्दरनन्दे १६।२८-९] तच्चायुक्तम्, दीक्षादिप्रयासवैयर्थ्यात्, प्रदीपदृष्टान्तस्याप्यसिद्धत्वादियुक्तिविस्तरस्तु ग्रन्थान्तराદવસેયઃ ૧ . 'अत्थि अ मोक्खोवाओ'त्ति मोक्षस्य निर्वृतेरुपायः सम्यक्साधनं विद्यते सम्यग्ज्ञानदर्शनचारित्राणां मुक्तिसाधकतया घटमानत्वात्, अनेनापि मोक्षोपायाभावप्रतिपादकदुर्नयतिरस्कारः कृतः ६ । एतान्यात्मास्तित्वादीनि षट् सम्यक्त्वस्य स्थानानि, सम्यक्त्वमेषु सत्स्वेव भवतीतिभावः, एषां च भेदानां यथासंभवं ज्ञानश्रद्धाचरणविधया सम्यक्त्व उपयोगित्वमिति ध्येयम् । ટીકાર્ય : સત્ર ૨ .... ધ્યેયમ્ અને અહીં-પૂર્વમાં વર્ણન કર્યું એમાં, પાંચ લક્ષણના પ્રદર્શનથી=સમ્યક્તના સમાદિ પાંચ લક્ષણના પ્રદર્શનથી, તત્ સહચરિત=સમ્યત્ત્વના પાંચ લક્ષણથી સહચરિત, સડસઠ ભેદો સૂચન કરાયા. અને તેઓના વડે તે સડસઠ ભેદો વડે, વિશુદ્ધ એવું સમ્યક્ત થાય. જેને કહે છે=સડસઠ ભેદોને કહે છે – “ચાર સદુહણા, ત્રણ લિંગ, દસ વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ-ગતદોષ, આઠ પ્રભાવક, ભૂષણ લક્ષણ પંચવિધથી સંયુક્ત=પાંચ પ્રકારના ભૂષણ અને પાંચ પ્રકારના લક્ષણથી સંયુક્ત ભૂષણ. III કવિધ જયણા અને આગારવાળું–છ પ્રકારની જયણા અને છ પ્રકારના આગારવાળું, છ ભાવનાથી ભાવિત અને છ સ્થાન એ પ્રમાણે સડસઠ દર્શનના ભેદથી વિશુદ્ધ સમ્યક્ત છે.” રા ચાર સહણા બતાવે છે – “૧. પરમાર્થનું સંસ્તવ. ૨. સુમુણિત પરમાર્થ છે જેમને એવા યતિજનની સેવા=સારી રીતે જાણ્યો છે પરમાર્થ જેમણે એવા યતિજનની સેવા. ૩-૪. વ્યાપન અને કુદષ્ટિઓનું વર્જન સમ્યગ્દર્શનની સહણા છે.” maiા (પ્રજ્ઞાપના સૂત્ર ૧૧૦, ગાથા૧૩૧) ત્રણ લિંગો બતાવે છે – યથાસમાધિથી ગુરદેવની વૈયાવચ્ચમાં નિયમ, સમ્યગ્દષ્ટિનાં લિગો છે.” I૪ દસ વિનય બતાવે છે – * Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ અરિહંત, સિદ્ધ, ચૈત્ય, ઋત, ધર્મ, સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન, દર્શન વિષયક વિનય. પા. ભક્તિ, પૂજા, વર્ણવાદનું જનન, અવર્ણવાદનું વર્જન, આશાતનાનો પરિહાર સંક્ષેપથી દર્શનવિનય છે.” બ્રા ત્રણ શુદ્ધિ બતાવે છે – જિનને છોડીને, જિનમતને છોડીને, જિનમતમાં રહેલા સુસાધુ આદિને છોડીને ચિતવન કરાતું શેષ જગત સંસારમાં કચરા તુલ્ય છે.” liા પાંચ ગતદોષ બતાવે છે – “શંકા, કાંક્ષા, વિવિગચ્છા, પ્રશંસા અને કુલિગીનો સંસ્તવ. સમ્યક્તના અતિચારો પ્રયત્નથી પરિહાર કરવા જોઈએ” II૮ આઠ પ્રભાવક બતાવે છે – “પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યા=વિદ્યાવાળા, સિદ્ધ, કવિ આઠ પ્રભાવકો કહ્યા છે.” TIટા ભૂષણ બતાવે છે – “જિનશાસનમાં કુશલતા, પ્રભાવના, તીર્થસેવના, સ્થિરતા, ભક્તિ પાંચ ગુણો ઉત્તમ સમ્યક્તની દીપના છે.” II૧૦. લક્ષણના પાંચ પ્રકારથી યુક્ત સમ્યગ્દર્શન છે એથી લક્ષણો કહેવાયાં જ છે=મૂળ શ્લોકમાં લક્ષણો કહેવાયાં જ છે. અહીં=લક્ષણના વિષયમાં, ગાથા પણ છે=ઉદ્ધરણની ગાથા પણ છે – “સંવેગ, ઉપશમ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણો સમ્યક્તમાં છે.” II૧૧ાા છ પ્રકારની જયણા બતાવે છે – અન્ય તીથિકોને, અન્યતીથિકદેવોને, કુતીથિક વડે ગૃહીત સ્વદેવતાને=જિનપ્રતિમાને, વંદન કરું નહીં અને નમસ્કાર કરું નહિ. I૧૨ાા નહિ બોલાવેલા કુતીથિકોને બોલાવવા નહિ, સંલાપ કરું નહિ, તેઓને અશનાદિ આપું નહિ, (પરતીર્થિક દેવોના અને પરતીથિકથી ગૃહીત જિનપ્રતિમાના પૂજન માટે) ગંધ-પુષ્પાદિક મોકલું નહિ.” I૧૩મા છ આગાર બતાવે છે – રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, સુરાભિયોગ, કતારવૃત્તિ આજીવિકાવૃત્તિ અને ગુરુનો નિગ્રહ છ છિડિકાછ આગાર, જિનશાસનમાં છે. ૧૪. છ ભાવનાથી ભાવિત સમ્યગ્દર્શન છે. તે છ ભાવનાઓ બતાવે છે – બે પ્રકારના પણ ઘર્મનું દેશવિરતિ અને સર્વવિરતિ બંને પ્રકારના ધર્મનું પણ, મૂળ=વ્રતરૂપી વૃક્ષનું મૂળ, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ દ્વાર=ધર્મરૂપી નગરનું દ્વાર, પ્રતિષ્ઠાન=પાયો=ધર્મરૂપી પ્રાસાદનો પાયો, આહાર=આધાર=ધર્મનો આધાર, ભાજન=પાત્ર=ધર્મરૂપી વસ્તુનું પાત્ર, નિધિ=ધન=ચારિત્રાદિ રત્નોની ખરીદી માટેનું ધન સમ્યગ્દર્શન કહેવાયું છે. છ સ્થાન બતાવે છે - અસ્તિ આત્મા છે. નિત્ય આત્મા નિત્ય છે. - કુણઈ=આત્મા કર્તા છે. કરેલું વેદન કરે છે =કરેલા કર્મનું વેદન કરે છે. નિર્વાણ છે=મોક્ષ છે. અને મોક્ષના ઉપાયો છે. આ છ સભ્યત્ત્વનાં સ્થાન છે. II૧૫-૧૬ હવે આ ગાથાઓના=ઉદ્ધરણની ગાથાઓના, વિષમ પદાર્થ કઠણ સ્થાનો, આ પ્રમાણે છે – ચાર સણામાં કહેલ “પરમથસંથવો' નો અર્થ સ્પષ્ટ કરે છે – પરમાર્થ જીવાદિ છે. તેઓનો સંસ્તવ=પરિચય-જીવાદિ પદાર્થોનું જ્ઞાન. સુમુળગામન્થનફનાઇનિસેવા'નો અર્થ કરે છે – સુમુનિત પરમાર્થવાળા એવા આચાર્યાદિ યતિજનો તેઓની સેવા. વાવિત્ર દિલ્હી'નો અર્થ કરે છે – વ્યાપન દર્શનવાળા નિધન આદિ છે અને કુદર્શનવાળા શાક્યાદિ છે. તેઓનું વર્જન ત્યાગ સમરસદા' સમ્યક્તની સહણા છે. આના દ્વારા=ચાર સદુહણા દ્વારા સત્ત્વનું શ્રદ્ધાન છે એ પ્રમાણે સ્વીકાર થાય છે. એ સમ્યક્ત શ્રદ્ધાન છે આ ચાર સદુહણા દ્વારા સખ્યત્ત્વ છે એ પ્રમાણે નક્કી થાય છે. અને અંગારમ“કાદિને પણ પરમાર્થસંતવાદિતો સંભવ હોવાને કારણે વ્યભિચારિતાની શંકા કરવી નહિ; કેમ કે તાત્વિક એવા આમનું પરમાર્થસંતવાદિનું, અહીં=સમ્યત્ત્વની સહણામાં, અધિકૃતપણું છે અને તેનું તાત્વિક શ્રદ્ધાનું, તેવા પ્રકારના એવા આમને અંગારમ“કાદિને, અસંભવ છે. અહીં=સમ્મતસહણા' શબ્દમાં પ્રાકૃતપણું હોવાને કારણે લિંગ અતંત્ર છે=અનિયામક છે, એથી સ્ત્રીપણું છે સ્ત્રીલિંગપણું છે. અને મૂલદ્વારગાથામાં=સમ્યક્તના સડસઠ બોલને બતાવવાનો પ્રારંભ કર્યો તેની પ્રથમ ગાથામાં, ચતુશ્રદ્ધાનાદિ શબ્દોનું ચતુર્વિધ શ્રદ્ધાન=ચતુશ્રદ્ધાન છે એ પ્રમાણે અર્થ કરવો, ત્રિવિધ લિંગ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / શ્લોક-૨૨ ત્રિલિંગ છે, એમ અર્થ કરવો, દશવિધ વિનય દસ વિનય છે એમ અર્થ કરવો, ત્રિવિધ શુદ્ધિ એ ત્રિશુદ્ધિ ઈત્યાદિ વ્યુત્પતિ જાણવી. ત્રિલિંગમાં :- (૧) સાંભળવાની ઈચ્છા શુશ્રુષા છે સબોધનું અવંધ્ય કારણ એવા ધર્મશાસ્ત્રના શ્રવણની વાંછા. એ પ્રકારનો શુશ્રષાનો અર્થ છે. અને - સમ્યક્ત હોતે છતે તે=શુશ્રષા, વૈદધ્યાદિ ગુણવાન તરુણતરના કિન્નરના ગામના શ્રવણના રાગથી પણ અધિકતમ છે. જેને કહે છે – સ્ત્રીથી યુક્ત, કામી પણ=સાંભળવાની કામનાવાળો પણ, વૈદધ્યવાળા યુવાનની=વિચક્ષણ એવા યુવાનની, દઢ કિન્નરના ગેયના શ્રવણથી અધિક ધર્મસ્મૃતિમાં રાગ.” શુશ્રષા છે. એમ અવય છે.” (ષોડષક-૧૧/૩) (૨) અને ચારિત્રલક્ષણ ધર્મમાં રાગ. અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને શ્રુત ચારિત્રધર્મમાં રાગ છે તેમ ન કહેતાં ચારિત્રધર્મમાં રાગ છે તેમ કેમ કહ્યું ? તેમાં હેત કહે છે – વળી, શ્રતધર્મરાગનું શુશ્રષાપદથી જ ઉક્તપણું છે અને તે=ચારિત્રધર્મનો રાગ, કર્મદોષને કારણે તેના અકરણમાં પણ ચારિત્રધર્મના અસ્વીકારમાં પણ, અટવીને ઓળંગીને આવેલ દરિદ્ર, ભૂખથી ક્ષીણ થયેલા કુક્ષિવાળા બ્રાહ્મણને ઘીના ભોજનના અભિલાષથી પણ અધિક હોય છે. (૩) અને ગુર=ધર્મ- ઉપદેશકો, દેવો=અરિહંતો, તેઓની વૈયાવચ્ચમાં તેમની પ્રતિપત્તિ વિશ્રામણાઅભ્યર્ચનાદિમાં, નિયમ=અવશ્ય કર્તવ્યતાનો અંગીકાર, અને તે=નિયમ, સમ્યક્ત હોતે છતે થાય છે એથી તે=શુશ્રુષાદિ ત્રણ ધર્મધર્મીના સમ્યગ્દષ્ટિના અભેદ ઉપચારથી સખ્યત્વનાં લિંગો છે. આ ત્રણ લિંગો વડે સખ્યત્ત્વ સમુત્પન્ન છે એ પ્રમાણે નિશ્ચય થાય છે એ પ્રકારનો ભાવ છે અને વૈયાવચ્ચના નિયમનું તપનું ભેદપણું હોવાને કારણે ચારિત્ર અંશરૂપપણું હોવા છતાં પણ અને સમ્યક્ત હોતે છતે અવશ્યભાવિપણું હોવાને કારણે પણ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકના અભાવની પ્રયોજકતા ઉભાવળ કરવી નહિ; કેમ કે આ રૂપ ચારિત્રનું દેવ અને ગુરુના વૈયાવચ્ચના નિયમરૂપ ચારિત્રનું, અલ્પતમપણું હોવાને કારણે અચારિત્રપણાથી વિવક્ષિતપણું છે તેમાં દષ્ટાંત કહે છે - સંમૂચ્છિમ જીવોને સંજ્ઞામાત્રના સદ્ભાવમાં પણ વિશિષ્ટ સંજ્ઞાના અભાવને કારણે અસંશીના વ્યપદેશની જેમ અચારિત્રી કહેવાય છે, એમ અત્રય છે. વળી, ઉપશાંતમોહાશિવાળા જીવોમાં= ઉપશાંતમોહ અને ક્ષીણમોહવાળા અગિયારમા અને બારમા ગુણસ્થાનકમાં રહેલા મહાત્માઓમાં, કૃતકૃત્યપણું હોવાથી આમતોત્રશુશ્રષાદિ ગુણોનો, સાક્ષાત્ અભાવ હોવા છતાં પણ ફલપણાથી સદ્ભાવ હોવાને કારણે તેઓમાં પણsઉપશાંત મોહાશિવાળા જીવોમાં પણ, આમતોત્રશુશ્રુષાદિનો, વ્યભિચાર નથી અને વૈયાવચ્ચનો નિયમ આગળમાં શ્રાદ્ધવિધિના પાઠથી બતાવાશે. એથી તેનાથી=આગળમાં બતાવાશે એ પાઠથી, જાણવું વૈયાવચ્ચના નિયમનું સ્વરૂપ જાણવું. દસ વિનય - વિનયના દસભેદો બતાવ્યા તેમાંથી કેટલાક શબ્દોના અર્થ કરે છે – “ચૈત્ય” શબ્દથી અરિહંત પ્રતિમાનું ગ્રહણ કરવાનું છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૩૭ પ્રવચન" શબ્દથી જીવાદિતત્ત્વનું ગ્રહણ કરવાનું છે. દર્શન” શબ્દથી સ ત્ત્વનું ગ્રહણ કરવાનું છે. અને તેના અભેદના ઉપચારથી સમ્યગ્દર્શનના અભેદના ઉપચારથી, તવાન પણ=સમ્યક્તવાળો જીવ પણ, દર્શન કહેવાય છે. આ દસમાં=અરિહંતાદિ દસમાં, અભિમુખ ગમન, આસનપ્રદાન, પર્યપાતિ અંજલિબંધાદિ રૂપ ભક્તિ, સત્કારરૂપ પૂજા, વર્ણ=પ્રશંસા, તેનું જતન=ભક્તિ આદિ ત્રણનું જતન=ઉદ્ભાસન, અવર્ણવાદનું અશ્લાઘાનું, વર્જન=પરિહાર, આશાતના=પ્રતીપવર્તવ=વિપરીત વર્તન, તેનો પરિવાર આ દસ સ્થાનનું વિષયપણું હોવાથી દશ પ્રકારનો દર્શન વિનય છે. સમ્યક્ત હોતે છતે આવો ભાવ હોવાથી=દસ પ્રકારના વિજયનો સદ્ભાવ હોવાથી, સમ્યક્ત વિનય છે–દસ પ્રકારનો વિજય તે સમ્યક્ત વિનય છે. ત્રણ શુદ્ધિ - ત્રણ શુદ્ધિમાં જિન=વીતરાગ, જિનમત=સ્યાસ્પદલાંછિત અને જિનમતમાં રહેલા સાધુ આદિને છોડીને શેષ એકાંતગ્રસ્ત એવું જગત પણ સંસારમાં કચરા જેવું અસાર છે એ પ્રમાણે ચિંતાથી=એ પ્રમાણે ચિંતવતથી, સત્ત્વનું વિશુદ્ધયમાતપણું હોવાને કારણે આ ત્રણ શુદ્ધિઓ છે. પાંચ દોષો :- પાંચ દોષો=ક્રમ પ્રાપ્ત સમ્યક્તના શંકાદિ પાંચ દોષો, આગળમાં મૂળમાં જ કહેવાશે તેથી અહીં ગ્રંથકારશ્રી કહેતા નથી. આઠ પ્રભાવના :- જિતેન્દ્રનું શાસન પ્રભાવ પામે છે=વિસ્તાર પામે છે, પ્રભવ પામતા એવા તેનું=જૈનેન્દ્ર શાસનનું, પ્રયોજકપણું પ્રભાવના છે. અને તે પ્રભાવના પ્રભાવકના ભેદથી આઠ પ્રકારની છે. ત્યાં=આઠ પ્રભાવકમાં, બાવચની : પ્રવચન દ્વાદશાંગ ગણિપિટક છે, તે જે છે તે પ્રવચનીયુગપ્રધાન આગમવાળા પુરુષ. ધર્મકથી પ્રશસ્ત ધર્મકથા આવે છે એ ધર્મકથી. શિખાદિપણું હોવાથી “ફન્' પ્રત્યય છે=ધર્મકથી શબ્દમાં “ફન' પ્રત્યય છે. ધર્મકથીનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – ઉત્પન્ન કર્યો છે લોકોના મનમાં પ્રમોદ જેણે એવી આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગજનની, નિર્વેદની લક્ષણવાળી ચાર પ્રકારની ધર્મકથાને તે કહે છે ધર્મકથી કહે છે. ૩. વાદી વાદી, પ્રતિવાદી, સભ્ય, સભાપતિરૂપ ચાર અંગવાળી પર્ષદામાં પ્રતિપક્ષના નિરાકરણપૂર્વક સ્વપક્ષની સ્થાપના માટે અવશ્ય બોલે છે એ વાદી. ૪. વૈમિત્તિક : નિમિત=સૈકાલિક લાભ-અલાભ પ્રતિપાદક શાસ્ત્ર, તેને જાણે છે અથવા ભણે છે એ નૈમિત્તિક. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૫. તપસ્વી વિકૃષ્ટ અટ્ટમાદિ તપ આવે છે એ તપસ્વી. ૬. વિદ્યાવાન : વિદ્યા પ્રજ્ઞપ્તિ આદિ, તદ્દવાન=વિદ્યાવાત. ૭. સિદ્ધઃ અંજન, પારલેપ, તિલક, ગુટિકાના કર્ષણથી=ઉપયોગથી, વૈક્રિયત્ન વગેરે સાધારણ જીવો ન કરી શકે તેવી ક્રિયા કરનાર સિદ્ધિઓ, તેના વડે સિદ્ધ થયેલ સિદ્ધ છે. ૮. કવિઃ ગદ્ય-પદ્ય આદિ પ્રબંધો વડે વર્ણતાને કરે છે એ કવિ ગદ્ય-પદ્ય પ્રબંધનો રચ=રચયિતા. આ પ્રવચની આદિ આઠ, પ્રભવ પામતા એવા ભગવાનના શાસનના યથાયોગ્ય દેશકાળાદિના ઔચિત્યથી સહાય કરનાર હોવાને કારણે પ્રભાવક છે; કેમ કે સ્વતઃ પ્રભાવ પામતા એવા શાસનના પ્રકાશક સ્વભાવને જ પ્રેરણા કરે છે એ પ્રકારની વ્યુત્પત્તિ છે. તેઓનું કર્મ=પ્રભાવકોનું કર્મ, પ્રભાવના છે અને આ રીતે મૂલદ્વાર ગાથામાંaઉદ્ધરણની પ્રથમ ગાથામાં ‘સર્વોપમાવ' શબ્દ છે ત્યાં આઠ પ્રભાવના છે જેમાં એ “વર્લ્ડમાવ' એ પ્રમાણે સમાસ છે. ભૂષણપંચકમાં ૧. જિનશાસનમાં કુશલતા : જિનશાસનમાં અરિહંતના દર્શનના વિષયમાં કુશલતા=સૈપુણ્ય. ૨. પ્રભાવના: પ્રભાવના=પ્રભાવત, એ અર્થ છે અને તે=પ્રભાવના, પૂર્વમાં આઠ પ્રકારની કહેવાઈ જે ફરી અહીં=ભૂષણ પંચકમાં, ગ્રહણ કરાયું તે આનું પ્રભાવનાનું, સ્વપરોપકારીપણું હોવાને કારણે અને તીર્થંકરનામકર્મનું કારણ પણું હોવાને કારણે પ્રાધાન્ય ખ્યાપન માટે છે. ૩. તીર્થસેવતા - અને તીર્થ દ્રવ્યથી જિતની દીક્ષાનું સ્થાન, જિનના કેવલજ્ઞાનનું સ્થાન અને જિતના નિર્વાણનું સ્થાન છે. જેને કહે છે – મહા અનુભવવાળા એવા તીર્થકરોની જ્યાં દીક્ષા અને કેવલજ્ઞાન છે અને જ્યાં નિર્વાણ છે ત્યાં ખરેખર આગાઢદર્શન થાય છે=દઢ સમ્યગ્દર્શન થાય છે.” વળી ભાવથી જ્ઞાન-દર્શન-ચારિત્રનો આધાર શ્રમણસંઘ તીર્થ છે અથવા પ્રથમ ગણધર તીર્થ છે. જેને કહે છે – “તીર્થ તીર્થ છે ? કે તીર્થકર તીર્થ છે ? હે ગૌતમ ! અરિહંત નિયમા તીર્થને કરનારા છે. તીર્થ વળી ચાર વર્ણવાળો શ્રમણસંઘ છે અથવા પ્રથમ ગણધર છે.” (ભગવતી સૂત્ર, શ.-૨૦, ઉ.-૮, સૂ. ૬૮૨) તેનું સેવન તીર્થનું સેવન, તીર્થસેવના નામનું ભૂષણ છે. ૪. સ્થિરતા જિનધર્મ પ્રત્યે પરતે સ્થિરતાનું આપાદન અથવા પરતીર્થિકની સમૃદ્ધિના દર્શનમાં પણ જિનપ્રવચન પ્રતિ પોતાની નિષ્પકમ્પતા સ્થિત છે, એમ અવય છે. ૫. ભક્તિ : પ્રવચનમાં વિનય વૈયાવચ્ચરૂપ પ્રતિપત્તિ ભક્તિ છે. આ ગુણો પાંચ પ્રકારના ભૂષણરૂપ ગુણો, સખ્યત્વતા દીપકો છે–પ્રભાસક છે. ઉત્તમ પ્રધાન, ભૂષણો છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આને ભૂષણ કેમ કહ્યાં ? તે સ્પષ્ટ કરે છે – આના દ્વારા સમ્યક્ત અલંકૃત કરાય છે એથી ભૂષણો છે એ પ્રકારનો ભાવ છે. પાંચ લક્ષણો વ્યાખ્યાન કરાયાં. છ પ્રકારની યતના:- ૬ પ્રકારી યતનામાં - પરદર્શની પરિવ્રાજક ભિક્ષ ભૌતિકાદિ અન્યતીર્થિકોને, રુદ્ર, વિષ્ણુ, યક્ષાદિરૂપ અન્ય તીર્થિકદેવોને અને કુતીર્થિક એવા દિગમ્બરાદિ વડે પરિગૃહીત એવી અરિહંત જિનપ્રતિમારૂપ સ્વદેવોને, ભૌતિકાદિ વડે પરિગૃહીત મહાકાલ આદિને હું વંદન કરું જ નહીં અથવા નમસ્કાર કરું નહીં; કેમ કે તેઓના ભક્તોના મિથ્યાત્વનું સ્થિરીકરણ થાય છે. ત્યાં વંદન મસ્તક દ્વારા અભિવાદન છે અને નમસ્કાર પ્રણામપૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણનું કીર્તન છે અને અન્યતીર્થિક સાથે પૂર્વમાં નહીં બોલાયેલો છતો એવો હું આલાપ કરીશ નહિ. સંલાપ પણ કરીશ નહિ. ત્યાં આલાપ અને સંલાપમાં ઇષભાષણ આલાપ છે. વારંવાર ભાષણ સંલાપ છે અને તેમની સાથે ભાષણમાં, તેઓની સાથે પરિચય થવાથી પ્રતિક્રિયાના શ્રવણથી અને દર્શનાદિથી=જૈનદર્શનથી વિપરીત ક્રિયાના શ્રવણ અને દર્શનથી મિથ્યાત્વની પ્રસક્તિ પણ થાય જ=મિથ્યાત્વની પ્રાપ્તિ પણ થાય જ અને તેઓને=અન્યતીર્થિકોને, અનુકંપાને છોડીને અનાદિ આપીશ નહિ; કેમ કે અનુકંપાનો ક્યાંય પણ નિષેધ નથી. જે કારણથી કહેવાયું છે – દુર્જય એવા રાગ-દ્વેષ-મોહ જીત્યા છે જેમણે એવા સર્વ પણ જિનો વડે જીવોની અનુકંપા માટે દાન ક્યાંય પ્રતિસિદ્ધ કરાયું નથી.” અને તે પરતીર્થિક દેવોની અને તેમનાથી પ્રતિગૃહીત જિનપ્રતિમાની=પરતીર્થિકો વડે ગ્રહણ કરાયેલી જિનપ્રતિમાની, પૂજા નિમિત્તે ગંધ-પુષ્પાદિક-હું મોકલીશ નહિ. “ગંધ-પુષ્પાદિમાં રહેલ આદિ' શબ્દથી વિનય, વૈયાવચ્ચ, યાત્રા, સ્નાનાદિનું ગ્રહણ કરવું. આ છ યતના વડે યત્ન કરતો સમ્યગ્દષ્ટિ જીવ સખ્યત્ત્વનું અતિક્રમણ કરતો નથી. છ આગાર : આગાર ષકમાં અભિયોગ શું છે ? તે બતાવે છે – અભિયોજન અભિયોગ છે=અનિચ્છા હોવા છતાં પણ વ્યાપાર અભિયોગ છે. ૧. રાજાભિયોગ :- ત્યાંaછ આગારમાં, રાજાનો=–પાદિનો, અભિયોગ રાજાભિયોગ છે. ૨. ગણભિયોગઃ ગણ સ્વજનાદિનો અભિયોગ તે ગણાભિયોગ છે. ૩. બલાભિયોગ : બલ=હઠ પ્રયોગ, તેનાથી અભિયોગ તે બલાભિયોગ છે. ૪. સુરાભિયોગઃ સુરનો કુલદેવતાદિનો, અભિયોગ સુરાભિયોગ છે. ૫. કાંતારવૃત્તિઃ કાંતાર=અરણ્ય, ત્યાં=જંગલમાં, વૃત્તિ=વર્તનઃનિર્વાહ, તે કાંતારવૃત્તિ છે. અથવા જંગલ પણ બાધાનું હેતુપણું હોવાથી અહીં-પાંચમા અભિયોગમાં, બાધાપણાથી વિવક્ષિત છે તે કારણથી બાધાથી વૃત્તિ પ્રાણવર્તનરૂપ વૃત્તિ કાન્તારવૃત્તિ છે અર્થાત્ કષ્ટથી નિર્વાહ છે એ પ્રકારનો અર્થ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૬. ગુરુઅભિયોગ : ગુરુઓ માતા-પિતા વગેરે છે, તેઓનો નિગ્રહ આગ્રહ, તે ગુરુ અભિયોગ છે. ગુરુ' શબ્દથી માતા-પિતા કેમ ગ્રહણ કરવા તેથી કહે છે – જે કારણથી કહેવાયું છે – “માતા-પિતા, કલાચાર્ય અને એમના જ્ઞાતિઓ=જ્ઞાતિજનો અને વૃદ્ધ ધર્મઉપદેશકો સંતોને ગુરુવર્ગ મનાયો છે.” (યોગબિંદુ - ૧૧૦) તેષાંeતેઓનો નિગ્રહ=માતાપિતાનો આગ્રહ. તે આ પૂર્વમાં વર્ણન કર્યા એ, છ આગારો=અપવાદરૂપ છિડિકા, જિનશાસનમાં છે. અહીંaછ આગારોના વિષયમાં, આ તાત્પર્ય છે – સ્વીકારાયેલા સમ્યક્તવાળા જીવને પરતીર્થિકના વંદનાદિનો નિષેધ છે તે કારણથી, રાજાભિયોગાદિ આ કારણો વડે ભક્તિથી રહિત દ્રવ્યથી આચરતો પણ સમ્યગ્દષ્ટિ જીવ સભ્યત્વનું અતિક્રમણ કરતો નથી. છ ભાવનાઃ છ ભાવનામાં, - - ૧. મૂળ:- દ્વિષકનો પણ=બાર ભેજવાળા પણ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત રૂપ ધર્મનું ચારિત્રવિષયક ધર્મનું, આ=સમ્યક્ત, મૂલવા જેવું મૂળ કારણ જિનો વડે કહેવાયું છે. “નિને ' એ પ્રકારનો શબ્દ સર્વત્ર=બધી ભાવનાઓમાં, સંબંધિત છે. જે પ્રમાણે મૂલરહિત વૃક્ષ પવનથી કંપિત તત્ક્ષણ જ પડે છે એ રીતે ધર્મવૃક્ષ પણ સમ્યક્તહીન કુતીર્થિકના મતથી આંદોલન કરાયેલું વિનાશ પામે છે. ૨. દ્વાર - દ્વારકા જેવું દ્વાર છે, પ્રવેશનું મુખ છે એ પ્રકારનો ભાવ છે. જે પ્રમાણે નહીં કરાયેલા દ્વારવાળું નગર ચારેબાજુ કિલ્લાના વલયથી વીંટળાયેલું પણ અવગર થાય છે; કેમ કે લોકોના પ્રવેશ અને નિર્ગમનનો અભાવ છે. એ રીતે ધર્મરૂપી નગર પણ સમ્યક્તદ્વારથી શૂન્ય અશક્ય પ્રાપ્તિવાળું થાય. અર્થાત્ સમ્યક્તદ્વાર વિના ધર્મરૂપી નગરની પ્રાપ્તિ ન થાય. ૩. પ્રતિષ્ઠાન : પ્રતિષ્ઠા પામે છે પ્રાસાદ જેમાં એ પ્રતિષ્ઠાત. પ્રાસાદનો પીઠ=પ્રાસાદનો પાયો, તેથી પ્રતિષ્ઠાનના જેવું પ્રતિષ્ઠાન છે=સમ્યક્ત એ પ્રતિષ્ઠાન છે, જે પ્રમાણે પૃથ્વીતતગત ગર્તાપૂરકરહિત પ્રાસાદ સુદઢ થતો નથી તે પ્રમાણે ધર્મરૂપી પ્રાસાદ પણ સમ્યક્ત રૂપ પ્રતિષ્ઠાન વગર નિશ્ચલ થતો નથી. ૪. આધાર ઃ આહાર - આધાર. જે પ્રમાણે ધરાતલ વગર નિરાલંબન આ જગત રહેતું નથી તે રીતે ધર્મજગત પણ સમ્યક્ત લક્ષણ આધાર વગર રહેતું નથી. ૫. ભાજન : ભાજન=પાત્ર. જે પ્રમાણે પાત્રવિશેષ વગર ક્ષીરાદિ વસ્તુ વિનાશ પામે છે એ રીતે ધર્મવસ્તુ પણ સમ્યક્ત ભાજન વગર વિનાશ પામે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૧૪૧ ૬. તિહિ : વિહિ=વિધિ. જે પ્રમાણે વિધિ વગર=ધન વગર, મહાન કીમતી એવાં મણિ, મોતી, સુવર્ણાદિ દ્રવ્ય પ્રાપ્ત કરાતું નથી તે પ્રમાણે સમ્યક્ત નિધાન વગર ચારિત્રધર્મરત્ન પણ પ્રાપ્ત કરાતું નથી. આ પ્રકારે છ ભાવતા વડે ભાવ્યમાન એવું આ સમ્યક્ત અવિલંબતથી મોક્ષસુખનું સાધક થાય છે. છ સ્થાન : છ સ્થાનમાં. ૧. છે:- અસ્તિ=વિદ્યમાન છે. શ્લોકમાં “' શબ્દ અવધારણ અર્તમાં છે. એથી વિદ્યમાન જ છે. કોણ વિદ્યમાન છે ? એથી કહે છે – જીવ એ પ્રમાણે શ્લોકમાં અધ્યાહાર છે. આના દ્વારા=જીવ છે જ એ પ્રકારના સ્વીકાર દ્વારા, નાસ્તિક મતનો નિરાસ થયો. . ૨. નિત્ય : નિત્ય છે અને તે જીવ નિત્ય છેઃઉત્પત્તિ-વિનાશ રહિત છે, કેમ કે તેના ઉત્પાદક કારણનો અભાવ છે. ઈત્યાદિ દ્વારા=જીવ છે જ અને નિત્ય છે ઈત્યાદિ દ્વારા, શૌદ્ધોદતિમત=બૌદ્ધમત, અપધ્વસ્ત છેઃનિરાકૃત છેઃનિરાકરણ કરાયેલ છે. ૩. કર્તા છે – અને તે જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાયાદિ બંધના હેતુથી યુક્તપણું હોવાને કારણે તે-તે કનું નિવર્તન કરે છે=નિષ્પાદન કરે છે. આના દ્વારા જીવને કર્મનો કર્તા સ્વીકારવા દ્વારા, કપિલની કલ્પનાનો પ્રતિક્ષેપ કરાયોકસાંખ્યમતનું નિરાકરણ કરાયું. -૪. કરાયેલાનું વેદન: અને કરાયેલું કર્મ વેદન કરે છેકેમ કે ‘સર્વકર્મ પ્રદેશપણાથી ભોગવે છેએ પ્રકારનું વચન છે. આના દ્વારા=કરાયેલા કર્મનું વેદન કરે છે એના દ્વારા, સર્વથા અભોક્તજીવવાદી રૂપ દુર્તય નિરાકૃત કરાયો. ૫. નિર્વાણ છે – અને આ જીવનું નિર્વાણ=મોક્ષ, વિદ્યમાન છે. અને તે જીવતા રાગ, દ્વેષ, મદ, મોહ, જન્મ, જરા, રોગાદિ દુઃખક્ષયરૂપ અવસ્થા વિશેષ છે. એ પ્રકારનો અર્થ છે. આના દ્વારા=નિર્વાણ છે એ પ્રકારના સ્વીકાર દ્વારા, પ્રદીપના બુઝાવા જેવું અભાવરૂપ નિર્વાણ છે ઈત્યાદિ બોલતા સૌગત વિશેષ=બૌદ્ધદર્શનનો કોઈક મત વિરાસ કરાયો. અને તેઓ=સૌગતમતવાળા, પ્રદીપની જેમ આતો જીવતો, સર્વથા ધ્વસ=કાશ, જ નિર્વાણ કહે છે અને તે પ્રકારે તેઓનું વચન છે. “જે પ્રમાણે દીવો નિવૃત્તિને પામેલો અવનીમાં જતો નથી અને અંતરિક્ષમાં જતો નથી. કોઈ દિશામાં જતો નથી, કોઈ વિદિશામાં જતો નથી. સ્નેહના ક્ષયથી-તેલના ક્ષયથી, કેવલ શાંતિને પામે છે કેવલ બુઝાઈ જાય છે. (૧) તે પ્રમાણે જીવ નિવૃત્તિને પામેલો અવનીમાં જતો નથી=પૃથ્વીમાં જતો નથી. અંતરિક્ષમાં જતો નથી=ઊર્ધ્વ આકાશમાં જતો નથી, કોઈ દિશામાં જતો નથી, કોઈ વિદિશામાં જતો નથી, ક્લેશના ક્ષયથી કેવલ શાંતિને પામે છે=કેવલ અભાવને પ્રાપ્ત કરે છે.” (સૌન્દરનન્દ-૧૬/૨૮-૯). Page #159 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અને તે=બૌદ્ધનો મત, અયુક્ત છે; કેમ કે દીક્ષાદિ પ્રયાસનું વૈયર્થ્ય છે=મોક્ષ ન હોય અને આત્માનો નાશ થતો હોય તો આત્માના નાશ માટે સંયમાદિનો પ્રયાસ કોઈ કરે નહીં માટે વ્યર્થ છે. પ્રદીપના દૃષ્ટાંતનું પણ અસિદ્ધપણું હોવાથી, વળી એની યુક્તિનો વિસ્તાર=પ્રદીપનું દૃષ્ટાંત અસિદ્ધ છે તેનો વિસ્તાર, ગ્રંથાન્તરથી જાણવો. ૧૪૨ કે ૬. મોક્ષનો ઉપાય છે – મોક્ષનો=તિવૃત્તિનો, ઉપાય=સમ્યક્ સાધન, વિદ્યમાન છે; કેમ કે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ ચારિત્રનું મુક્તિના સાધકપણાથી ઘટમાનપણું છે. આનાથી પણ=મોક્ષનો ઉપાય છે એમ સ્વીકારવાથી પણ, મોક્ષના ઉપાયના અભાવનું પ્રતિપાદન કરનાર દુર્રયનો તિરસ્કાર કરાયો=તે દુર્રયનું નિરાકરણ કરાયું. આ, આત્માના અસ્તિત્વ આદિ સમ્યક્ત્વનાં છ સ્થાનો છે; કેમ કે આ હોતે છતે જ સમ્યક્ત્વ થાય છે એ પ્રકારનો ભાવ છે અને આમના ભેદોનું=છ સ્થાનોના ભેદોનું, યથાસંભવ જ્ઞાન, શ્રદ્ધાન અને ચરણવિધયા=જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રકારથી સમ્યક્ત્વમાં ઉપયોગીપણું છે. એ પ્રમાણે જાણવું. E ભાવાર્થ: સમ્યક્ત્વના સડસઠ ભેદોના ઉદ્ધરણો આપ્યાં. તેમાં સૌ પ્રથમ ચાર સદ્દહણા બતાવેલ છે. (૧) ચાર સદ્દહણા ઃ ચાર સદ્દહણાનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે (i) પરમાર્થસંસ્તવસદ્દહણા : જીવાદિ નવ તત્ત્વો છે તે ૫૨માર્થ છે અને તેનો સંસ્તવ ક૨વો અર્થાત્ તેનો અર્થ જાણવો તે પરમાર્થ સંસ્તવરૂપ પ્રથમ સદ્દહણા છે. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવ હંમેશાં પરમાર્થના પક્ષપાતી હોય છે અને જીવને માટે પરમાર્થ મોક્ષ છે. અને મોક્ષના ઉપાયભૂત જીવાદિ પદાર્થનું જ્ઞાન છે તેથી મોક્ષના અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવો જીવાદિપદાર્થનું જ્ઞાન કરીને તેનાથી આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી તે જીવાદિ પદાર્થોનું જ્ઞાન તેઓના મોક્ષને અનુકૂળ સીર્યોલ્લાસનું કારણ બને એ ૫૨માર્થસંસ્તવરૂપ પ્રથમ સદ્દહણા છે. (ii) સુમુણિતપરમાર્થજ્ઞાનીસેવાસદ્દહણા : વળી, સારી રીતે જીવાદિ પદાર્થોનું સ્વરૂપ જેમણે જાણ્યું છે અને શક્તિના પ્રકર્ષથી તે બોધને અનુરૂપ સંયમમાં યત્ન કરે છે તેવા યતિજનો આચાર્યાદિ છે અને તેઓની ભક્તિ ક૨વી તે સમ્યક્ત્વનું બીજું શ્રદ્ધાન છે. અર્થાત્ સમ્યક્ત્વની બીજી સદ્દહણા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોને મોક્ષનો પક્ષપાત છે. તેથી મોક્ષના ઉપાયભૂત જીવાદિ પદાર્થોનો પક્ષપાત છે અને જીવાદિ પદાર્થોનું યથાર્થ પાલન કરીને શક્તિના પ્રકર્ષથી આશ્રવના રોધ કરી Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સંવરમાં યત્ન કરવાનો પક્ષપાત છે. પોતાનામાં તેવી શક્તિ નહીં હોવાથી જે આચાર્યાદિ આશ્રવના રોધથી સંવરમાં યત્ન કરે છે તેમની સેવા કરીને સંયમની શક્તિનો સંચય કરે છે તે સમ્યત્ત્વની બીજી સદુહણા છે. i-iv) વ્યાપન્નદર્શનવર્જનસહણા અને કુદર્શનવર્જનસાણા - વળી, જેઓ ચારિત્રને ગ્રહણ કરીને પણ જિનવચનથી વિપરીત રુચિવાળા થયા છે તેવા વ્યાપન્ન દર્શનવાળા નિર્નવાદિ છે અને કુદર્શનવાળા શાક્યાદિ છે=બૌદ્ધભિક્ષુકાદિ છે. તેઓના પરિચયનો ત્યાગ કરવો તે સમ્યક્તની ત્રીજી અને ચોથી સદુહણા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવો ઉપાય તરીકે જિનવચનાનુસાર ચાલનારા સુસાધુની ઉપાસના કરે છે અને જે સાધુઓ જિનવચનથી વિપરીત પ્રરૂપણા કરનારા છે અને જિનવચનથી વિપરીત રુચિવાળા છે તેથી સ્વઇચ્છાનુસાર ચારિત્ર પાળનારા છે તેઓને શિથિલ જાણીને સમ્યગ્દષ્ટિ જીવો તેઓથી દૂર રહે છે અને અન્ય દર્શનના સંન્યાસીઓ તત્ત્વને જાણનારા નથી, તેથી તેઓથી પણ દૂર રહે છે. જેના કારણે શિથિલ સાધુના કે અન્યદર્શનના સંન્યાસીઓના બાહ્ય ત્યાગથી ઉપાસ્યપણા રૂપે તેઓમાં ગુરુપણાની બુદ્ધિ થાય નહીં અને તેઓના પરિચયથી પોતાનામાં પણ જિનવચનથી વિપરીત રુચિ થાય નહીં તે માટે તેઓનો ત્યાગ કરે છે. એ સમ્યત્વની ત્રીજી અને ચોથી સદ્દતણા છે. અહીં પ્રશ્ન થાય કે અંગારમદકાદિ આચાર્યો જિનશાસનમાં મિથ્યાદૃષ્ટિ આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે. તેઓ પણ શાસ્ત્ર જાણતા હતા તેથી “પરમાર્થસંસ્તવ” નામની સદ્દતણા તેઓમાં પ્રાપ્ત થાય. વળી, શાસ્ત્રના પરમાર્થને જાણનારા હતા તેથી શિષ્યોને શાસ્ત્રાભ્યાસ કરાવતા હતા તેથી સુમુણિતપરમાર્થવાળા યતિજન છે તેમ પ્રાપ્ત થાય. માટે મિથ્યાષ્ટિમાં પણ સમ્પર્વની સદ્દતણાઓ પ્રાપ્ત થાય છે તેવી વ્યભિચારની શંકા કરવી નહિ; કેમ કે તાત્ત્વિક જ સદુહણાઓ સમ્યક્તનો આચાર છે. આશય એ છે કે જે જીવો સંસારથી ભય પામ્યા છે અને સંસારથી પર અવસ્થાના અર્થી છે અને તેના કારણે જીવાદિ પરમાર્થને જાણવા માટે ઉદ્યમ કરે છે તે જીવોમાં પરમાર્થ સંસ્તવાદિ તાત્ત્વિક સદુહણાઓ છે. જ્યારે અંગારમર્દક આચાર્યને જીવ વિષયક જ શ્રદ્ધા ન હતી. તેથી કોઈક નિમિત્તથી સંયમ ગ્રહણ કરીને અને શાસ્ત્રો ભણીને શાસ્ત્રનો વિશદ બોધ હોવા છતાં પણ જિનવચનાનુસાર સંવરભાવમાં ઉદ્યમ કરીને સંસારનો ઉચ્છેદ કરવો છે તેવો આશય નહીં હોવાથી તેઓની શાસ્ત્રાધ્યયનની પ્રવૃત્તિ તાત્ત્વિક પરમાર્થ સંસ્તવરૂપ ન હતી, માટે આ સદ્દતણા મિથ્યાષ્ટિમાં પણ પ્રાપ્ત થાય છે એ પ્રકારની વ્યભિચારિતાની શંકા કરવી નહિ. (૨) ત્રણ લિંગ : સમ્યક્તની ચાર સદુહણા બતાવ્યા પછી સમ્યક્તના ત્રણ લિંગોનું સ્વરૂપ બતાવે છે – (i) શુશ્રુષાલિંગ : ત્રણ લિંગમાં પ્રથમ લિંગ શુશ્રુષા છે. જે શુશ્રુષા સમ્યફ બોધનું અવંધ્ય કારણ બને તે રીતે ધર્મશાસ્ત્રના શ્રવણની ઇચ્છારૂપ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તેમાં દૃષ્ટાંત આપે છે – કોઈ પુરુષ સંગીતમાં વિચક્ષણ હોય, યુવાન હોય, સ્ત્રીથી યુક્ત હોય અને તેને સંગીત સાંભળવાની ઉત્કટ ઇચ્છા થઈ હોય તે વખતે શ્રેષ્ઠ એવું કિન્નરનું ગેય સાંભળવા મળે તો તે પુરુષ અતિઆદરપૂર્વક તેને શ્રવણ કરે છે. આના કરતાં પણ અધિક ધર્મ સાંભળવાનો રાગ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. તે ધર્મશ્રવણની ક્રિયા માત્ર ધર્મશ્રવણ કરીને શાંત થાય તેવી નથી પરંતુ અવશ્ય સદ્ધોધનું કારણ બને તેવા માર્ગાનુસારી ઊહથી યુક્ત હોય છે. આનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોને ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસાર અતિ વિષમ જણાય છે. તેમાંથી તરવાનો ઉપાય માત્ર ધર્મનું સેવન છે તેવી સ્થિરબુદ્ધિ હોય છે અને તે ધર્મનો પરમાર્થ શું છે ? તેને જાણવાની ઉત્કટ ઇચ્છા હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો પોતાના સંયોગ અનુસાર જે ધર્મશ્રવણની સામગ્રી મળે તેનાથી શક્ય યત્ન કરીને અવશ્ય ધર્મ સાંભળે છે અને તેઓની ધર્મશ્રવણની ક્રિયા માર્ગાનુસારી ઊહથી યુક્ત હોવાને કારણે અવશ્ય સમ્યગ્બોધનું કારણ બને છે. આવા શુશ્રુષા ગુણના લિંગથી જણાય છે કે આ જીવ સમ્યગ્દષ્ટિ છે. (ii) ધર્મરાગલિંગ - વળી, સમ્યગ્દષ્ટિ જીવોને જેમ ધર્મ સાંભળવાની ઉત્કટ ઇચ્છા હોય છે તેમ સમ્યગ્બોધ કરીને જીવનમાં સર્વવિરતિરૂપ ચારિત્રધર્મને સેવવાની પણ ઉત્કટ ઇચ્છા હોય છે તેથી કોઈક સમ્યગ્દષ્ટિ જીવનું ચારિત્રઆવારકકર્મ પ્રબળ હોય તો ચારિત્ર ગ્રહણ ન કરી શકે તોપણ પોતાની શક્તિના પ્રકર્ષથી ચારિત્રધર્મની નિષ્પત્તિને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. સમ્યગ્દષ્ટિ જીવોનો ચારિત્રનો રાગ કેવો છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે – જેમ કોઈ બ્રાહ્મણ દરિદ્ર હોય તેથી ઘીથી યુક્ત ભોજન તેને મળતું ન હોય, વળી લાંબી અટવી ઓળંગીને આવેલો હોય તેથી અત્યંત ભૂખ્યો હોય અને બ્રાહ્મણ જાતિને કારણે ઘીથી યુક્ત ભોજન તેને પ્રિય હોય તેવા બ્રાહ્મણને તેવા સંયોગોમાં ઘીથી યુક્ત ભોજન મળે તેમાં જેવો ઉત્કટ રાગ હોય તેનાથી પણ અધિક ઉત્કટ રાગ સમ્યગ્દષ્ટિ જીવોને ચારિત્રનો હોય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવોમાં સ્થિરબુદ્ધિ વર્તે છે કે સંસાર જીવની મહાવિડંબના છે અને આ વિડંબનામાંથી મુક્ત થવાનો ઉપાય ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળું ચારિત્રધર્મનું સેવન છે. આમ છતાં અનાદિના ભવના અભ્યાસને કારણે અને પૂર્વના બંધાયેલા પ્રબળ ચારિત્રમોહનીય કર્મના કારણે અચારિત્રની પ્રવૃત્તિ કરાવે તેવાં કર્મોના વિપાકને વશ થઈને સમ્યગ્દષ્ટિ જીવો ભોગાદિમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ ચારિત્ર પ્રત્યેના બલવાન રાગને કારણે ચારિત્રની પ્રાપ્તિની શક્તિનો સંચય સદા કરતા હોય છે. તેથી જણાય છે કે આ જીવમાં સમ્યગ્દર્શન છે માટે સમ્યક્તનું લિંગ ચારિત્રની ઉત્કટ ઇચ્છા છે. (iii) વૈયાવચ્ચલિંગ - વળી, સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રના અત્યંત અર્થી હોવાથી ચારિત્રની પરિણતિવાળા એવા સાધુ ભગવંતોની Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪પ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અને ચારિત્રની પરાકાષ્ઠાને પામેલા એવા અરિહંત ભગવંતોની શક્તિના પ્રકર્ષથી વૈયાવચ્ચ કરે છે અર્થાત્ તીર્થકરોના ગુણોનું સ્મરણ કરીને ઉત્તમ સામગ્રીથી તીર્થંકરની ભક્તિ કરીને સદા સર્વવિરતિની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે. સુસાધુના ગુણોના સ્મરણપૂર્વક તેઓના સંયમની વૃદ્ધિનું કારણ બને તે રીતે આહારાદિનું દાન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. જેના બળથી નક્કી થાય છે કે આ જીવમાં સમ્યગ્દર્શન છે. અહીં પ્રશ્ન થાય કે વૈયાવચ્ચ તપના ભેદરૂપ છે અને તપ ચારિત્રરૂપ છે. અવિરતસમ્યગ્દષ્ટિમાં ચારિત્ર હોય નહીં તેથી ચારિત્રના પરિણામરૂપ વૈયાવચ્ચ સમ્યગ્દષ્ટિને કઈ રીતે સંભવે ? તેથી કહે છે – અનંતાનુબંધી કષાયના વિગમનથી અલ્પચારિત્રનો પરિણામ સમ્યગ્દષ્ટિ જીવોમાં છે તોપણ તે ચારિત્ર દેશવિરતિધર શ્રાવકના ચારિત્રની અપેક્ષાએ અતિઅલ્પ હોવાને કારણે અચારિત્રપણાથી શાસ્ત્રકારોએ વિવક્ષા કરી છે. જેમ સંમૂર્છાિમ જીવોમાં સંજ્ઞા માત્રનો સદ્ભાવ હોવા છતાં પણ વિશિષ્ટ સંજ્ઞાનો અભાવ હોવાને કારણે સંમૂર્છાિમ જીવોને અસંજ્ઞી કહેવાય છે, તેમ અવિરત સમ્યગ્દષ્ટિને અચારિત્રી કહેવાય છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોમાં વૈયાવચ્ચનો નિયમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. - અહીં પ્રશ્ન થાય કે ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવો પણ સમ્યગ્દષ્ટિ છે. તેથી તેઓમાં શુશ્રુષાદિ ગુણો હોવા જોઈએ અને ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવો વીતરાગ હોવાથી સાક્ષાત્ શુશ્રુષાદિ ગુણોવાળા નથી તેથી સમ્યક્તના લિંગોનો વ્યભિચાર છે. તેના નિરાકરણ માટે કહે છે – ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવો કૃતકૃત્ય છે, તેથી સાક્ષાત્ શુશ્રુષાદિ લિંગો નહીં હોવા છતાં શુશ્રુષાદિ ગુણના ફલરૂપ વીતરાગતાનો સદ્ભાવ-હોવાથી તેઓમાં ફલથી શુશ્રુષાદિ ગુણો છે. માટે વ્યભિચાર નથી. આશય એ છે કે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરીને વીતરાગ થવાના ઉપાયનો સૂક્ષ્મબોધ પ્રાપ્ત કરવાનો છે. વીતરાગ થવાના સૂક્ષ્મબોધને પ્રાપ્ત કરીને વીતરાગતાના ઉપાયભૂત ચારિત્રધર્મ સેવવાનો છે. તે ચારિત્રધર્મનું સેવન કરીને વિતરાગતાની પ્રાપ્તિ કરવાની છે. ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવોએ વીતરાગતા પ્રાપ્ત કરી છે. તેથી ફલથી શુશ્રુષાદિ ગુણોની પ્રાપ્તિ હોવાને કારણે ફળની અપેક્ષાએ ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવોમાં શુશ્રુષાદિ ગુણો છે, જ્યારે જેઓને શુશ્રુષાદિ ગુણોનું ફળ પ્રાપ્ત થયું નથી તેઓમાં સ્વરૂપથી શુશ્રુષાદિ ગુણો છે. તેથી ઉપશાંતમોહગુણસ્થાનક આદિ જીવોને સમ્યક્ત સ્વીકારવામાં કોઈ દોષ નથી. (૩) દસવિધ વિનય : સમ્યગ્દષ્ટિ જીવોમાં દસ પ્રકારનો વિનય હોય છે તે સ્પષ્ટ કરે છે – (i) અરિહંતવિનય : સમ્યગ્દષ્ટિ જીવોને અરિહંત પ્રત્યે વિનય હોય છે, કેમ કે અરિહંત ભગવંતે શુદ્ધમાર્ગ બતાવ્યો છે અને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ શુદ્ધમાર્ગની પરાકાષ્ઠાને સેવીને અરિહંત થયા છે. માટે સર્વકલ્યાણનું કારણ છે તેથી આગળમાં બતાવશે તે પાંચ પ્રકારનો વિનય સમ્યગ્દષ્ટિ જીવો અરિહંત ભગવંત પ્રત્યે કરે છે. (i). સિદ્ધવિનય - સિદ્ધ ભગવંતો આત્માના શુદ્ધ સ્વરૂપને પામેલા છે અને તે જીવની સુંદર અવસ્થા છે તેથી તેના પ્રત્યે સમ્યગ્દષ્ટિ જીવોને અત્યંત બહુમાન છે માટે સમ્યગ્દષ્ટિ જીવો સિદ્ધભગવંતોનો પાંચ પ્રકારે વિનય કરે છે. (ii) ચૈત્યવિનય : ચૈત્ય અરિહંતની પ્રતિમા છે અને અરિહંતની પ્રતિમા અરિહંતભગવંતનો સ્થાપના નિક્ષેપો હોવાથી અરિહંતની ઉપાસના કરીને સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો ચૈત્યનો પાંચ પ્રકારે વિનય કરે છે. (iv) જ્ઞાનવિનય - જ્ઞાન પાંચ પ્રકારનાં છે. તેમાંથી શ્રુતજ્ઞાનું મોક્ષમાર્ગને બતાવનાર છે. તેથી મહાકલ્યાણનું કારણ છે માટે સમ્યગ્દષ્ટિ જીવોને શ્રુત પ્રત્યે બહુમાન હોય છે તેથી શ્રુતનો પાંચ પ્રકારે વિનય કરે છે. (v) ચારિત્રવિનય - ધર્મ ચારિત્રધર્મ છે અને ચારિત્રધર્મ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનું કારણ છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોને ચારિત્ર પ્રત્યે અત્યંત બહુમાન છે તેથી સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રધર્મનો પાંચ પ્રકારે વિનય કરે છે. (vi-vi-viii) આચાર્યવિનય, ઉપાધ્યાયવિનય, સાધુવિનય : ભગવાનના વચનાનુસાર ચાલનાર સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય આ ત્રણ મોક્ષમાર્ગમાં પ્રસ્થિત મહાયોગી. છે તેથી તેમના પ્રત્યે સમ્યગ્દષ્ટિ જીવોને બહુમાન વર્તે છે. માટે સમ્યગ્દષ્ટિ જીવો તેઓનો પાંચ પ્રકારે વિનય કરે છે. (ix) પ્રવચનવિનય - પ્રવચન તે જીવાદિ તત્ત્વરૂપ છે અને જીવાદિતત્ત્વનો બોધ સર્વ કલ્યાણનું કારણ છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોને પ્રવચનમાં બહુમાન વર્તે છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો પ્રવચનનો પાંચ પ્રકારે વિનય કરે છે. (x) સમ્યગ્દર્શનવિનય : સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે અને તેવા ગુણવાળા સમ્યગ્દષ્ટિ જીવો પ્રત્યે સમ્યગ્દષ્ટિ જીવોને બહુમાન હોય છે તેથી સમ્યગ્દષ્ટિ જીવોનો પણ સમ્યગ્દષ્ટિ જીવ પાંચ પ્રકારે વિનય કરે છે. સમ્યગ્દષ્ટિ જીવો અરિહંતાદિ દસનો વિયન પાંચ પ્રકારે કઈ રીતે કરે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ૧. ભક્તિ ૨. પૂજા ૩. વર્ણવાદ ૪. અવર્ણવાદનું વર્જન ૫. આશાતનાનો પરિહાર. આ પાંચ પ્રકારથી સમ્યગ્દષ્ટિ જીવ અરિહંતાદિ દસનો વિનય કરે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ ૧૪૭ (i) ભક્તિ . - અભિમુખગમન, આસનપ્રદાન, પર્યાપાસના, અંજલિને જોડવી ઇત્યાદિરૂપ ભક્તિ છે. અભિમુખગમનાદિમાંથી અરિહંતાદિ દસમાં જે પ્રકારની ભક્તિ સંભવે તે રીતે સમ્યગ્દષ્ટિ જીવો અરિહંતાદિ દસની ભક્તિ કરે છે. (ii) પૂજા : અરિહંતાદિ દસની સત્કાર કરવારૂપ પૂજા કરે છે અર્થાત્ ઉત્તમ દ્રવ્યોથી તેઓનો સત્કાર કરે છે. (ii) વર્ણવાદકરણ - અરિહંતાદિ દસનો વર્ણવાદ કરે છે–પ્રશંસા કરે છે. (iv) અવર્ણવાદઅકરણ - અરિહંતાદિ દસના અવર્ણવાદનો ત્યાગ કરે છે તેઓના વાસ્તવિક સ્વરૂપથી વિપરીતરૂપે બતાવીને સમ્યગ્દષ્ટિ જીવો ક્યારેય અવર્ણવાદ કરતા નથી. (૫) આશાતનાનો પરિહાર - અરિહંતાદિ દસની ભક્તિ કરતી વખતે સમ્યગ્દષ્ટિ જીવો કોઈપણ રીતે તેઓની આશાતના ન થાય તેવી ઉચિત યતના રાખીને આશાતનાનો પરિહાર કરે છે. આ દસ પ્રકારનો વિનય દર્શનવિનય છે; કેમ કે સમ્યક્ત હોય ત્યારે અવશ્ય સમ્યગ્દષ્ટિ જીવો અરિહંતાદિ દસનો વિનય કરે છે. (૪) ત્રણ શુદ્ધિઃ હવે ક્રમપ્રાપ્ત ત્રણ શુદ્ધિ બતાવે છે – (i-i-iii) મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયાશુદ્ધિ - સમ્યગ્દર્શન એ પદાર્થનું યથાર્થદર્શન છે અને પદાર્થના યથાર્થદર્શનને અતિશય કરવા અર્થે તેની પુષ્ટિ થાય તે પ્રકારે ચિંતન કરવું આવશ્યક છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો પોતાના સમ્યક્તની નિર્મળતાને અર્થે વારંવાર વિચારે છે કે વીતરાગ અને વીતરાગે બતાવેલો મત અને વીતરાગના મત પ્રમાણે ચાલનારા સુસાધુઓ જગતમાં શ્રેષ્ઠ વસ્તુ છે. શેષ એવા સર્વજીવો એકાંતગ્રસ્ત માનસવાળા છે તેથી અસાર છે. આ પ્રકારે વિચારવાથી તુચ્છ એવા પુદ્ગલનો રાગ દૂર થાય છે અને વીતરાગ, વીતરાગના મત પ્રત્યેનો અને વીતરાગના માર્ગ પર ચાલનારા સાધુ પ્રત્યેનો રાગ અતિશયિત થાય છે. જેથી પ્રગટ થયેલું સમ્યક્ત નિર્મળ બને છે. (૫) આઠ પ્રભાવક : ભગવાનનું શાસન પ્રભાવ પામે છે અને પ્રભાવ પામતા એવા ભગવાનના શાસનનું પ્રયોજકપણું પ્રભાવના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ છે. આ પ્રકારે પ્રભાવના શબ્દનો અર્થ કરવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનું શાસન યથાર્થ તત્ત્વને બતાવનારું હોવાથી સ્વાભાવિક વિસ્તાર પામે છે. આમ છતાં વિસ્તાર પામતા એવા ભગવાનના શાસનને વિસ્તાર કરવામાં કોઈ વ્યક્તિ પ્રયોજક બને અર્થાત્ નિમિત્ત બને તે વ્યક્તિમાં ભગવાનના શાસનનું પ્રયોજકપણું હોવાને કારણે તેની પ્રવૃત્તિ પ્રભાવના છે. આ પ્રભાવના પ્રભાવકના ભેદથી આઠ પ્રકારની છે. (i) પ્રવચનિકપ્રભાવક : તે પ્રભાવકોમાં પ્રથમ પ્રભાવક પ્રાવચનિક છે. જે સાધુ તે કાળમાં વર્તતાં સર્વ શાસ્ત્રોને જાણનારા હોય અને તેના કારણે વિસ્તાર પામતા એવા ભગવાનના શાસનને વિસ્તાર કરવામાં તે નિમિત્ત બનતા હોય તે સાધુ પ્રવચનિક પ્રભાવક છે. (i) ધર્મકથી પ્રભાવક - પ્રશસ્ત ધર્મકથા જે મહાત્મા કરતા હોય તે ધર્મકથી કહેવાય. ધર્મકથા ચાર પ્રકારની છે –. આપણીકથા - જેના દ્વારા ભગવાનનો શાસન પ્રત્યે શ્રોતા આક્ષેપ પામે. વિક્ષેપણીકથા - જેના દ્વારા શ્રોતા અન્યદર્શનથી વિક્ષેપ પામે. સંવેગજનની કથા – જેના દ્વારા શ્રોતાને તીવ્ર સંગેવ પેદા થાય. નિર્વેદનીકથા - જે કથાથી શ્રોતાને સંસાર પ્રત્યે તીવ્ર નિર્વેદ થાય. આ ચાર પ્રકારની કથામાંથી શ્રોતાને અનુરૂપ જે ઉચિત કથા હોય તે કરીને લોકોના મનમાં પ્રમોદ પેદા કરે અને જેના કારણે યોગ્ય શ્રોતાને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાય છે તે ઉપદેશક ધર્મકથી નામના બીજા પ્રભાવક છે. (iii) વાદીપ્રભાવક : વાદી, પ્રતિવાદી, સભ્ય-શ્રોતાઓ, અને સભાપતિ વાદી-પ્રતિવાદીના કથનને સાંભળનાર અને ઉચિત નિર્ણય આપનાર, જેમાં હોય તે ચાર અંગવાળી પર્ષદા કહેવાય. આવી પર્ષદામાં જૈનદર્શનના મતથી વિપરીત મતરૂપ પ્રતિપક્ષ તેના પપૂર્વક જૈનદર્શનના મતરૂપ સ્વપક્ષના સ્થાપન માટે જે અવશ્ય બોલે તે - વાદી કહેવાય. આવા સમર્થ વાદી ભગવાનના શાસનની પ્રભાવના કરે છે. (iv) નૈમિત્તિકપ્રભાવક : વર્તમાન, ભૂત અને ભવિષ્યના લાભાલાભનું પ્રતિપાદક એવું શાસ્ત્ર તે નિમિત્તશાસ્ત્ર કહેવાય. તેને જાણનાર કે તેને ભણનાર નૈમિત્તિક કહેવાય. આવા નિમિત્તોને જાણનારા કોઈ મહાત્મા શાસનની પ્રભાવના થાય તે રીતે વિશિષ્ટ પ્રયોજનોમાં નિમિત્તનું પ્રકાશન કરીને શાસનની પ્રભાવના કરે તે નૈમિત્તિકપ્રભાવક કહેવાય. Page #166 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૪૯ (v) તપસ્વીપ્રભાવક :| વિકૃષ્ટ એવો અક્રમાદિ તપ જેઓ કરે છે અર્થાત્ અઠમના પારણે અટ્ટમ કે તેનાથી અધિક ઉત્કૃષ્ટ તપ કરે છે તે તપસ્વી કહેવાય અને તેની તપસ્યા કરીને શાસનની પ્રભાવના કરતા હોય તે તપસ્વી પ્રભાવક કહેવાય. (vi) વિદ્યાપ્રભાવક : પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓ જેઓ પાસે છે અને તે વિદ્યાના બળથી જે મહાત્માઓ શાસનની પ્રભાવના કરતા હોય તે વિદ્યાપ્રભાવક કહેવાય. (vi) સિદ્ધપ્રભાવક : વિશિષ્ટ પ્રકારના અંજન, પાદલેપ, તિલક, ગુટિકા આ બધાના કર્ષણથી=ઉપયોગથી, વૈક્રિયપણું વિવિધ પ્રકારની ક્રિયા કરવાપણું, વગેરે જેઓએ પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધિઓ કહેવાય. અર્થાત્ પાદલપાદિ દ્વારા વિશિષ્ટ ક્રિયાઓ જેઓ કરી શકે છે તેઓની તે વિક્રિયાઓ સિદ્ધિઓ છે અને તે સિદ્ધિઓ દ્વારા જેઓ સંપન્ન છે અને તેના દ્વારા શાસનની પ્રભાવના કરે છે તે સિદ્ધ પ્રભાવક છે. (vi) કવિપ્રભાવક : ગદ્ય અને પદ્યાદિની રચના વડે જેઓ વર્ણન કરે છે તેઓ કવિ કહેવાય અને જેઓ ગદ્ય-પદ્યાદિ રચનાઓ દ્વારા શાસનની પ્રભાવના કરે છે તે કવિ પ્રભાવક છે. આ આઠ પ્રભાવકો યથાયોગ્ય દેશકાલના ઔચિત્યથી ભગવાનના શાસનની વૃદ્ધિમાં સહાયક થાય છે તેથી પ્રભાવક છે અને તેઓની ક્રિયા=શાસનના વિસ્તારની ક્રિયા, પ્રભાવના છે. (૬) પાંચ ભૂષણ : સમ્યક્તને વિશેષ પ્રકારે શોભાવે તે સમ્યક્તનાં ભૂષણો છે અને તે ભૂષણો પાંચ છે : (i) જિનશાસનમાં કુશલતા ભૂષણ : જે જીવોને સમ્યક્ત પ્રાપ્ત થાય છે તે જીવોને તીવ્ર શુશ્રુષાગુણ પ્રગટે છે તેથી તેવા જીવો શક્તિના પ્રકર્ષથી ભગવાનના શાસનના પરમાર્થને જાણવા માટે સંયોગ અનુસાર અવશ્ય ઉદ્યમ કરે છે અને જેઓમાં નિર્મળ ગતિ છે તેઓ શાસ્ત્ર જાણીને જિનશાસનમાં નિપુણ બને છે. તેઓની શાસ્ત્રની નિપુણતા તે સમ્યક્તનું ભૂષણ છે. (i) પ્રભાવનાભૂષણ : પૂર્વમાં આઠ પ્રકારના પ્રભાવકો દ્વારા પ્રભાવના કહી છે. પાંચ પ્રકારનાં ભૂષણમાં પ્રભાવના કેમ કહી ? તે સ્પષ્ટ કરતાં કહે છે – Page #167 -------------------------------------------------------------------------- ________________ ASા છે ૧૫૦ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આઠ પ્રકારના પ્રભાવક મહાત્માઓ સ્વ-પરનો ઉપકાર કરે છે અને વિવેકપૂર્વકની શાસનની પ્રભાવના કરીને તીર્થંકરનામકર્મ બાંધે છે. તેથી આવા મહાત્માઓમાં વર્તતી પ્રભાવના તે સમ્યક્તમાં અતિપ્રધાન છે અર્થાત્ તેની મહત્તા વધુ બતાવવા માટે આઠ પ્રભાવક બતાવ્યા પછી ફરી આ પ્રભાવના સમ્યક્તનું ભૂષણ છે તેમ બતાવેલ છે. તેથી એ ફલિત થાય કે જે જીવો સમ્યક્ત પામ્યા પછી આઠ પ્રકારના પ્રભાવકોમાંથી કોઈપણ પ્રકારના પ્રભાવક થાય તો તેઓમાં રહેલી પ્રભાવકતા સમ્યક્તનું ભૂષણ છે; કેમ કે તેના દ્વારા તેઓમાં વર્તતું સમ્યક્ત વિશેષ પ્રકારે શોભાને પામે છે. (ii) તીર્થસેવાભૂષણ : તીર્થંકરભગવંતની દીક્ષાનું સ્થાન, તીર્થંકરભગવંતના કેવલજ્ઞાનનું સ્થાન અને તીર્થંકરભગવાનના નિર્વાણનું સ્થાન – આ ત્રણ દ્રવ્યથી તીર્થ છે. ભાવથી જે જીવોમાં રત્નત્રયી વર્તે છે તેવો શ્રમણસંઘ કે પ્રથમ ગણધર તીર્થ છે. તે તીર્થની સેવા કરવી તે સમ્યક્તનું ભૂષણ છે. આશય એ છે કે સમ્યક્ત પામ્યા પછી જીવોને તીર્થંકર પ્રત્યે અત્યંત બહુમાન થાય છે, તેના કારણે જે ક્ષેત્રોમાં તીર્થકરોએ દીક્ષા લીધી હોય તે ક્ષેત્રોમેં તેઓ જાય ત્યારે તેઓને સ્મરણ થાય છે કે મહાન ઉત્તમ એવા તીર્થકરો આ ભૂમિમાં દીક્ષા ગ્રહણ કરીને મહાયોગી બન્યા છે તેથી આ ભૂમિ અત્યંત પવિત્ર છે. આ પ્રકારની પૂજ્યબુદ્ધિથી તે ભૂમિની ભક્તિ કરે તે ભક્તિ પરમાર્થથી દીક્ષા ગ્રહણ કરનાર તીર્થંકરની ભક્તિ બને છે. માટે તીર્થકરથી પાલન થયેલું તે સ્થળ તારનાર એવું તીર્થ કહેવાય છે. વળી, તીર્થકરોની કેવલજ્ઞાનની ભૂમિને જોઈને સમ્યગ્દષ્ટિ જીવોને ઉપસ્થિતિ થાય છે કે આ ભૂમિમાં મહાનુભાવ એવા તીર્થકરે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને તીર્થની સ્થાપના કરી છે, તેથી તેઓના સ્પર્શથી પવિત્ર થયેલી ભૂમિ છે. એ પ્રકારની ભક્તિથી પૂજાતી ભૂમિ સંસારથી તરવાનું કારણ બને છે માટે તીર્થ છે. વળી તીર્થંકર પરમાત્માની નિર્વાણભૂમિનાં દર્શન કરતા સમ્યગ્દષ્ટિ જીવોને ઉપસ્થિતિ થાય છે કે આ પવિત્ર ભૂમિ ઉપર તીર્થકરોએ સંસારનો અંત કર્યો છે, માટે આ ભૂમિ પૂજનીય છે. એ પ્રકારની બુદ્ધિથી પૂજાયેલી તે ભૂમિ સંસારસાગરથી તરવાનું કારણ છે માટે તીર્થ છે. આ પ્રકારના સ્મરણપૂર્વક તીર્થની સેવા કરવાથી જીવમાં પ્રગટ થયેલું સમ્યગ્દર્શન નિર્મળ બને છે. માટે જિનની દીક્ષાનું સ્થળ, જિનના કેવલજ્ઞાનનું સ્થળ અને જિનનું નિર્વાણ સ્થળ દ્રવ્યથી તીર્થ છે. વળી, પારમાર્થિક જ્ઞાન-દર્શન-ચારિત્રના પરિણામથી યુક્ત એવો શ્રમણસંઘ કે પ્રથમ ગણધર તીર્થ છે; કેમ કે શ્રમણસંઘમાં રહેલા કે પ્રથમ ગણધરમાં રહેલા રત્નત્રયી પ્રત્યે જેમને બહુમાન થાય છે અને તેના કારણે તેઓની સેવા કરે છે તેઓનું સમ્યગ્દર્શન નિર્મળ બને છે. માટે તીર્થનું સેવન તે સમ્યક્તનું ભૂષણ છે. (iv) સ્થિરતાભૂષણ : સમ્યગ્દષ્ટિ જીવો સ્વશક્તિ અનુસાર શાસ્ત્રો ભણીને શાસ્ત્રના મર્મને જાણનારા હોય છે. તેથી યોગ્ય જીવોને સ્વશક્તિ અનુસાર જિનધર્મમાં સ્થિર કરે છે. આ રીતે અન્ય યોગ્યજીવોને ભગવાનના શાસનમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૫૧ સ્થિરતા કરાવવી તે સમ્યક્તનું ભૂષણ છે અથવા પરતીર્થિકોની સમૃદ્ધિ દેખાય તોપણ ભગવાનના વચનના રહસ્યને જાણનારા સમ્યગ્દષ્ટિ જીવો જિનપ્રવચન પ્રત્યે નિષ્પકંપતાવાળા હોય છે અર્થાત્ આ ભગવાનનું શાસન જ યથાર્થવાદી હોવાને કારણે તેમના વચનાનુસાર સેવાયેલો ધર્મ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે તેવી સ્થિરબુદ્ધિવાળા હોય છે. તેઓની તે સ્થિરતા સમ્યક્તનું ભૂષણ છે. (v) ભક્તિભૂષણ : પ્રવચનમાં વિનય વૈયાવચ્ચદિરૂપ ઉચિત પ્રવૃત્તિ ભક્તિ છે. સમ્યગ્દષ્ટિ જીવો શક્તિ અનુસાર ભગવાનના શાસનના પરમાર્થને જાણવા માટે યત્ન કરતા હોય છે તેમ ભગવાનના શાસનના મર્મને બતાવનારા પ્રવચનમાં ભક્તિવાળા હોય છે. તેથી પ્રવચનનો વિનય, પૂજા કરે તે સર્વ કૃત્યો સમ્યક્તની શુદ્ધિનાં કારણો હોવાથી સમ્યક્તનાં ભૂષણો છે. (૭) પાંચ લક્ષણઃ- પાંચ ભૂષણો પછી સમ્યત્વના ક૭ ભેદોમાં પાંચ લક્ષણો છે પરંતુ તે લક્ષણો પ્રસ્તુત ગ્રંથમાં પૂર્વમાં વ્યાખ્યાન કરાયેલાં છે તેથી ગ્રંથકારશ્રી ફરી અહીં બતાવતા નથી. (૮) છ ચતના - ક્રમ પ્રાપ્ત છ પ્રકારની યતના બતાવે છે – શ્રાવકે સમ્યક્તના રક્ષણ માટે છ પ્રકારની યતના કરવી જોઈએ. જેના કારણે તે પ્રકારના નિમિત્તોથી ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા ચલાયમાન ન થાય તે યતના બતાવે છે – (ii) વંદનત્યાગજયણા અને નમસ્કારત્યાગજયણા - - અન્યદર્શનવાળા પરિવ્રાજકાદિ કે અન્યતીર્થિકદેવો આદિ કે દિગંબરાદિથી ગ્રહણ કરાયેલી જિનપ્રતિમા કે ભૌત આદિ વડે પરિગૃહીત મહાકાલાદિ દેવો હોય તેઓને શ્રાવક વંદન કરે નહીં કે નમસ્કાર કરે નહિ; કેમ કે અન્યદર્શનવાળાથી ગૃહીત જિનપ્રતિમાને વંદન કરવાથી તે અન્યદર્શનવાળાને પોતાના દર્શન પ્રત્યે સ્થિર વિશ્વાસ થાય છે કે જૈનો પણ આ પ્રતિમાને પૂછે છે માટે આપણો મત સુંદર છે. આવું કરવાથી અન્યના મિથ્યાત્વની વૃદ્ધિમાં પોતાને નિમિત્ત ભાવની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે સમ્યક્તમાં મલિનતા ન થાય તે અર્થે તેવાં નિમિત્તોના પરિહારની યતના કરવી જોઈએ. (ii-iv) આલાપત્યાગજયણા અને સંલાપત્યાગજયણા - આ રીતે વંદન અને નમસ્કાર નહીં કરવારૂપ બે યતના બતાવ્યા પછી અન્યતીર્થિકો સાથે આલાપનો પરિહાર કરવો અને સંલાપનો પરિહાર કરવો એ પ્રકારની બે યતના શ્રાવકે કરવી જોઈએ. જેથી આલાપસંલાપને કારણે તેઓનો પરિચય થવાથી તેઓના આચારોને જોવાના પ્રસંગ પ્રાપ્ત થાય અને તેના મિથ્યાચાર પ્રત્યે પ્રીતિ થાય તો મિથ્યાત્વની પ્રાપ્તિ થાય માટે મિથ્યાત્વથી આત્માનું રક્ષણ કરવા માટે આલાપ-સંતાપના વર્ષનરૂપ બે યતના છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ (v) ભક્તિથી આહારત્યાગજયણા : વળી, અન્યતીર્થિક એવા સાધુની અનુકંપાને છોડીને ગુરુબુદ્ધિથી આહારાદિ શ્રાવક આપે નહિ; કેમ કે ગુરુબુદ્ધિથી આપવામાં મિથ્યાત્વની પ્રાપ્તિ થાય તે રૂપ પાંચમી યતના છે. (vi) પૂજા અર્થે ગંધ-પુષ્પ આદિ પ્રદાન ત્યાગજયણા - વળી, અન્યતીર્થિક દેવોની પૂજા અર્થે ગંધ-પુષ્પાદિક કોઈને આપે નહિ; કેમ કે અન્યતીર્થિકોના દેવોની ભક્તિ અર્થે અપાયેલાં પુષ્પોથી પોતાનામાં અન્યતીર્થિકદેવો પ્રત્યે કંઈ દેવબુદ્ધિ થવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. આ પ્રકારે છ યતનાનું પાલન કરવાથી કુદેવ અને કુગુરુ પ્રત્યે સુદેવ અને સુગુરુની બુદ્ધિ નહીં થવાથી મિથ્યાત્વથી આત્માનું રક્ષણ થાય છે. (૯) છ આગાર : જે શ્રાવકે સમ્યક્ત ઉચ્ચરાવ્યું છે તે શ્રાવકને પરતીર્થિકાદિના વંદનનો શાસ્ત્રમાં નિષેધ છે. અને તે શ્રાવકને પરતીર્થિકને વંદન કરવાની લેશ પણ ઇચ્છા ન હોય તોપણ રાજાદિ દ્વારા અનિચ્છાથી પણ તેને અન્યદર્શનના દેવ અને અન્યદર્શનના ગુરુને વંદનાદિ માટે વ્યાપારવાળો કરવામાં આવે તો તે રાજાભિયોગાદિથી પરતીર્થિકોને ભક્તિ રહિત દ્રવ્યથી વંદનાદિ કરે તો તેના સમ્યક્તનું ઉલ્લંઘન થતું નથી. અહીં ‘કાન્તારવૃત્તિ રૂ૫” અભિગ્રહ ગ્રહણ કર્યો તેનો અર્થ એ છે કે જંગલમાં હોય અને આજીવિકાનો બાધ થતો હોય તે વખતે જીવનનિર્વાહ અર્થે પરતીર્થિકોને અર્થાત્ પરતીર્થિકાદિ એવા તાપસાદિને વંદેનું કરવું પડે તો દોષ નથી. જેમ કલાવતી આદિ તાપસ આશ્રમમાં રહે છે ત્યારે તે તાપસાદિને વંદન કરે તો તે દોષરૂપ નથી. અથવા . બીજો અર્થ કાન્તારનો એ કર્યો કે આજીવિકાના બાધનો હેતુ છે તેથી જંગલમાં ન હોય આમ છતાં પોતાના પ્રાણના રક્ષણ કરવારૂપ આજીવિકાનો બાધ થતો હોય અર્થાત્ કષ્ટથી જીવનનિર્વાહ થતો હોય તે વખતે અન્યતીર્થિકની સહાયથી જીવનનિર્વાહ થાય તેમ હોય તો દ્રવ્યથી અન્યતીર્થિકાદિને વંદન કરે તો સમ્યક્તનું અતિક્રમણ થાય નહિ. તે માટે સમ્યક્ત ઉચ્ચરાવતી વખતે સમ્યક્તમાં છ આગારો રાખવામાં આવ્યા છે. (૧૦) છ ભાવના : સમ્યત્ત્વ સ્વીકાર્યા પછી સમ્યક્ત પ્રત્યે અત્યંત પક્ષપાત નિષ્પન્ન કરવાર્થે છ ભાવનાથી સમ્યક્તનું મહત્ત્વ ઉપસ્થિત કરવામાં આવે છે. જેથી સ્તિરબુદ્ધિ થાય કે મોક્ષને અનુકૂળ ધર્મની નિષ્પત્તિ સમ્યક્ત વગર થઈ શકે નહીં માટે દેશવિરતિ કે સર્વવિરતિની ક્રિયા કરવા માત્રથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહીં પરંતુ Page #170 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૫૩ જિનવચનમાં સ્થિર ુચિ ધારણ કરીને જિનવચનાનુસાર સર્વ ઉચિત ક્રિયાઆ ક૨વામાં આવે તો જ સેવાયેલો ધર્મ, કલ્યાણનું કારણ બને. (i) મૂળભૂત ભાવના : સમ્યક્ત્વને સ્થિર કરવા માટે પ્રથમ વિચારાય છે કે સમ્યક્ત્વ મૂલ છે. જેમ વૃક્ષનું મૂળ જમીનમાં હોય તો વૃક્ષ સુરક્ષિત રહે છે તેમ દેશવિરતિરૂપ ધર્મનું મૂળ સમ્યક્ત્વ હોય તો દેશવિરતિરૂપ ધર્મ સુરક્ષિત રહે છે. આથી દેશિવરિત પાળનાર શ્રાવકે વારંવાર ચિંતવન કરીને સ્થિર કરવું જોઈએ કે ભગવાનના વચનમાં મારી શ્રદ્ધા સ્થિર નહીં હોય તો મારો દેશવિરતિરૂપ શ્રાવકધર્મ પણ ફલવાન થશે નહિ. જેઓ આ રીતે ભાવના કરીને સમ્યક્ત્વને સ્થિર કરતા નથી તેઓ દેશિવરતિ ગ્રહણ કર્યા પછી ભગવાનના વચનના ૫રમાર્થને જાણવા યત્ન કરતા નથી અને દેશવિરતિની ક્રિયા યથાતથા કરીને સેવાયેલા ધર્મના ફળથી વંચિત થાય છે. જેઓ દેશવિરતિના ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે તેનું સૂક્ષ્મ ઉપયોગપૂર્વક ભાવન કરે છે તેઓ જિનવચન પ્રત્યેની શ્રદ્ધાને દૃઢ કરીને સદા જિનવચનના સૂક્ષ્મ પરમાર્થને જાણવા યત્ન કરે છે. તેનાથી તેઓએ સ્વીકારેલ દેશવિરતિ ધર્મ જિનવચનથી નિયંત્રિત બનીને ક્રમસર સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને છે. માટે શ્રાવકે વારંવાર ભાવન ક૨વું જોઈએ કે ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે. (ii) દ્વારભૂત ભાવના : નગરની સુરક્ષા માટે ચારેબાજુ કિલ્લો કરવામાં આવે છે. આમ છતાં કિલ્લાવાળા તે નગરમાં પ્રવેશ માટેનું કોઈ દ્વાર ન હોય તો તે નગર બનતું નથી; કેમ કે દ્વાર વગર તે નગરમાં લોકોનો પ્રવેશ કે નિર્ગમન થાય નહિ. એ રીતે સમ્યક્ત્વ દ્વારશૂન્ય ધર્મરૂપી નગરમાં પણ પ્રવેશ થાય નહીં આ પ્રકારે ભાવન કરવાથી બોધ થાય છે કે ભગવાનના વચનની સ્થિર ુચિ હોય તો જ જીવમાં ધર્મ નિષ્પન્ન થાય છે. તેથી ધર્મનિષ્પત્તિનો અર્થી જીવ પ્રથમ જિનવચનાનુસાર ધર્મના સ્વરૂપને જાણવા યત્ન કરે છે. ધર્મના સ્વરૂપને જાણીને ભગવાને જે પ્રમાણે ધર્મ અને ધર્માનુષ્ઠાન અંતરંગ-બહિરંગ રીતે સેવવાના કહ્યા છે તે પ્રમાણે જ તે ધર્મને અને ધર્માનુષ્ઠાનને સેવવા યત્ન કરે છે જેથી જિનવચનાનુસાર સેવાયેલો ધર્મ ઉત્તરોત્તર ધર્મની નિષ્પત્તિ દ્વારા ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે. જેઓ આ પ્રકારની ભાવના કરતા નથી તેઓને જિનવચન પ્રત્યે તીવ્ર પક્ષપાત પૂર્વમાં હોય તોપણ તેઓનું સમ્યક્ત્વ શિથિલ થાય છે અને તેથી સમ્યક્ત્વ રૂપ દ્વાર વગરનું થયેલું તેમનું ધર્મરૂપી નગર કલ્યાણનું કારણ બનતું નથી. (iii) પ્રતિષ્ઠાનભૂત ભાવના : પ્રતિષ્ઠાન પ્રાસાદનો પાયો છે અને પ્રાસાદના પાયાની જેમ ધર્મનો પાયો સમ્યક્ત્વ છે. તેથી જેમ કોઈ વ્યક્તિ પ્રાસાદ બનાવે પરંતુ પૃથ્વીમાં ઉચિત ખાડો કરીને મજબૂત રીતે તે પ્રાસાદના પાયાને દઢ કર્યો ન હોય તો તે પ્રાસાદ સુદૃઢ થતો નથી તેમ દેશિવતિ રૂપ ધર્મરૂપી પ્રાસાદ પણ સમ્યક્ત્વરૂપ પાયા વગર નિશ્ચલ થતો નથી. આ પ્રકારે ઉપયોગપૂર્વક ભાવન ક૨વાનું આવે તો જેમ પ્રાસાદ ક૨ના૨ા ગૃહસ્થો પાયાને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ મજબૂત કરીને જ પ્રાસાદ કરે છે તે પ્રકારે વિવેકી શ્રાવક પણ આ પ્રકારની ભાવનાના બળથી વારંવાર સમ્યવરૂપી પાયાને મજબૂત કરે છે અને વિચારે છે કે ભગવાનના વચનની સ્થિરરુચિ મારામાં નહીં હોય તો સ્વીકારાયેલો દેશવિરતિધર્મ પણ ધર્મના ફળને આપશે નહીં. તેથી ભગવાનના વચનની સ્થિરરુચિ કરવાંર્થે ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે શક્તિ અનુસાર યત્ન કરે છે. જાણ્યા પછી તેના સૂક્ષ્મભાવોથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે અને પોતે સ્વીકારેલી દેશવિરતિ કઈ રીતે જિનવચનાનુસાર સેવીને સર્વવિરતિ આદિ ઉત્તરોત્તર ગુણસ્થાનકની નિષ્પત્તિ દ્વારા યોગનિરોધનું કારણ બનશે તેના પરમાર્થને જાણવા સદા યત્ન કરે છે અને તે રીતે સ્વીકારાયેલા ધર્મને સેવવા માટે શક્તિ અનુસાર યત્ન કરે છે તેથી સમ્યક્ત રૂપી પાયાના બળથી દેશવિરતિરૂપ ધર્મપ્રાસાદ સુરક્ષિત બને છે. (iv) આધારભૂત ભાવના : જગતવર્તી જીવો કે જગતવર્તી પ્રાસાદ આદિ વસ્તુઓ ધરાતલરૂપ આધાર વગર રહી શકે નહિ. તેની જેમ દેશવિરતિ કે સર્વવિરતિધર્મ પણ સમ્યક્ત રૂપ આધાર વગર રહી શકે નહીં. આ પ્રકારે ભાવન કરવાથી બુદ્ધિમાં સ્થિર થાય કે સર્વધર્મનો એક-આધાર સભ્યત્ત્વ છે. માટે જિનવચનાનુસાર પદાર્થનું યથાર્થ દર્શન મારે કરવું જોઈએ કે જેથી પદાર્થના પરમાર્થને જોનારી મારી નિર્મળદૃષ્ટિ ક્યારેય પણ પ્લાન થાય નહીં અને પદાર્થને યથાર્થ જોનારી નિર્મળદૃષ્ટિ વિદ્યમાન હશે તો સમ્યક્ત રૂપી આધાર ઉપર ટકી રહેલ દેશવિરતિ આદિ ધર્મ ઉત્તરોત્તર ધર્મની નિષ્પત્તિ દ્વારા અવશ્ય સર્વ કલ્યાણની પરંપરાનું કારણ બનશે. (v) ભાજનભૂત ભાવના : ક્ષીરાદિ ભોજનનું ભાજન પાત્રવિશેષ છે. તે પાત્રવિશેષ વગર ક્ષીરાદિ ભોજન વિનાશ પામે છે તેમ સમ્યક્ત ભાજન વગર ધર્મ પણ વિનાશ પામે છે. આ પ્રકારે ભાવવાથી સમ્યક્ત પ્રત્યે અત્યંત પક્ષપાત થાય છે અને સમ્યક્તની શુદ્ધિ માટે સદા ઉચિત ઉદ્યમ થાય છે. જેના બળથી ધર્મરૂપ વસ્તુ પણ સુરક્ષિત બને છે. (vi) નિધિભૂત ભાવના : નિધિ=ધન. જેમ ધન વગર મહા કીમતી મણી, મોતી, માણિક્યાદિ દ્રવ્યની ખરીદી થતી નથી તેમ સમ્યક્ત રૂપી ધન વગર મહા કીમતી એવું ચારિત્રરત્ન પણ પ્રાપ્ત થતું નથી. આ પ્રકારે ભાવન કરવાથી સ્થિરબુદ્ધિ થાય છે કે ભગવાનના વચન પ્રત્યેના તીવ્ર પક્ષપાતવાળા જીવો જે દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ધર્મ સ્વીકારે તે જિનવચનના પરમાર્થના બોધપૂર્વક અને જિનવચનના નિયંત્રણથી નિયંત્રિત હોવાથી મહામૂલ્યવાન રત્નતુલ્ય દેશવિરતિધર્મને પ્રાપ્ત કરે છે. જો સમ્યક્ત વગર દેશવિરતિ વગેરે સ્વીકારવામાં આવે અને સ્કૂલથી તેના આચારો પાળવામાં આવે તોપણ જિનવચન પ્રત્યેની સ્થિરરુચિ નહીં હોવાથી પરમાર્થથી તે દેશવિરતિ નથી પરંતુ દેશવિરતિ આદિ તુલ્ય ભાસતો એવો ધર્મ, રત્નના જેવા ભાસતા કાચના ટુકડા જેવો છે; કેમ કે ધનવ્યય વગર ઉત્તમ રત્નો મળે નહીં અને ધનની મૂડી Page #172 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૫૫ વગર કોઈ કાચના કટકાને રત્ન માનીને સસ્તામાં ખરીદે તેટલા માત્રથી તે કાચના કટકા રત્ન બને નહિ. એમ સમ્યક્ત્વરૂપી ધન વગર સ્વીકારાયેલ દેશવિરતિ આદિ ધર્મ રત્નતુલ્ય શ્રેષ્ઠ ધર્મ બને નહિ. (૧૧) છ સ્થાન : સમ્યક્ત્વનાં છ સ્થાનો છે. જે જીવ છ સ્થાનોને સ્થિર કરવા પ્રયત્ન કરે છે તે જીવોમાં સમ્યક્ત્વ સ્થિર થાય છે. (i) આત્મા છે: દેહથી ભિન્ન એવું આત્મા નામનું દ્રવ્ય છે. જેથી આત્માના હિત માટે વિચારણા થાય છે. (ii) આત્મા નિત્ય છે ઃ વળી, તે આત્મા નિત્ય છે તેમ વિચારવાથી આપણો આત્મા આ દેહને છોડીને પરલોકમાં જવાનો છે - પરંતુ ક્યારેય નાશ પામવાનો નથી તેથી નિત્ય એવા આત્માના હિતની વિચારણા થાય છે. (ifi-iv) આત્મા કર્મનો કર્તા છે અને સ્વકૃત કર્મનો ભોકતા છે ઃ વળી, નિત્ય એવો આત્મા પણ વર્તમાનમાં જે-જે કૃત્યો કરે છે તેને અનુરૂપ પુણ્ય કે પાપ બાંધે છે અને તે પુણ્ય-પાપનાં ફળ પોતાનો આત્મા જ ભોગવે છે. આ પ્રકારે વિચારણા કરવાથી ભાવિના અહિતના નિવારણ અર્થે અનુચિત પ્રવૃત્તિ ન થાય તે પ્રકારનો ઉત્સાહ થાય છે અને ભાવિના હિત અર્થે ઉચિત પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ થાય છે; કેમ કે અનુચિત પ્રવૃત્તિ કરીશ તો તેના બંધાયેલા પાપના ફળને મારે ભોગવવું પડશે અને ઉચિત પ્રવૃત્તિ કરીશ તો તેના ફળ રૂપે પરલોકમાં સુખી થઈશ. આ પ્રકારનો દૃઢ વિશ્વાસ ઉત્પન્ન થાય છે. (v) મોક્ષ છે ઃ વળી, મોક્ષ છે તેમ વિચારવાથી સ્થિર નિર્ણય થાય છે કે સંસારવર્તી જીવો કર્મ બાંધીને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે તેઓને સંસા૨ની સર્વ કદર્થનાઓથી મુક્તિ મળે છે. જીવોની સુંદર અવસ્થા મુક્ત અવસ્થા છે, જ્યારે અસુંદર અવસ્થા કર્મોની પરતંત્રતાયુક્ત અવસ્થા છે. (vi) મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે ઃ વળી, આ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે અર્થાત્ જેમ અનંતા સિદ્ધના આત્માઓ જિનવચનને સેવીને મુક્ત થયા તેમ જે-જે જીવો જિનવચનને સેવે છે તેઓ મોક્ષના ઉપાયરૂપ જિનવચનના બળથી મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે મારે મોક્ષમાં જવું હોય અને સુખી થવું હોય તો અપ્રમાદભાવથી જિનવચનને જાણવું જોઈએ. જાણ્યા પછી આ જિનવચન એકાંતે મારું હિત ક૨ના૨ છે અને આ જિનવચનાનુસાર યત્ન કરીને હું પણ મોક્ષને પામીશ. તે પ્રકારનો સ્થિર નિર્ણય થાય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તેથી આ છ સ્થાન સમ્યત્ત્વનાં છે. આ છ સ્થાનોનું સૂક્ષ્મબુદ્ધિથી અવલોકન કરવામાં આવે તો વિપર્યાસરૂપ મિથ્યાત્વનો નાશ થાય છે અને સમ્યક્ત પ્રગટે છે તથા પ્રગટ થયેલ સમ્યત્વ નિર્મળનિર્મળતર થાય છે. માટે કલ્યાણના અર્થી જીવોએ શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર આ સમ્યત્ત્વનાં છ સ્થાનોનું વારંવાર સમાલોચન કરવું જોઈએ. જેના બળથી મિથ્યાત્વનો નાશ થાય, સમ્યક્ત પ્રગટે અને પ્રગટ થયેલું સમ્યક્ત ઉત્તરોત્તર અધિક-અધિક ક્ષયોપશમભાવ પામીને વિશુદ્ધ બને. टी :__इत्थं च देवादितत्त्वश्रद्धानविकलत्वे तथाविधाजीविकादिहेतोः श्रावकाकारधरणे द्रव्यश्रावकत्वमेव च पर्यवसन्नम्, भावश्रावकत्वं तु यथोक्तविधिप्रतिपन्नसम्यक्त्वादिर्यतिभ्यः सकाशान्नित्यं धर्मश्रवणादेव । यदुक्तं आवश्यकवृत्तौ - “यो ह्यभ्युपेतसम्यक्त्वो, यतिभ्यः प्रत्यहं कथाम् । शृणोति धर्मसम्बद्धामसौ श्रावक उच्यते ।।१।।" [१५५६ गाथा टीका प. ८०५] अभ्युपेतसम्यक्त्व इत्यत्राभ्युपेताणुव्रतोऽपीति व्याख्यालेश इति, तच्चेहाधिकृतम्, भावस्यैवमुख्यत्वात्, भावश्रावकोऽपि दर्शनव्रतोत्तरगुणश्रावकभेदात्रिविधः, तद्विस्तरस्तु व्रतभङ्गाधिकारे दर्शयिष्यते, आगमे चान्यथाऽपि श्रावकभेदाः श्रूयन्ते तथा च स्थानाङ्गसूत्रम् "चउव्विहा समणोवासगा पण्णत्ता, तंजहा-अम्मापिइसमाणे भाइसमाणे, मित्तसमाणे, सवत्तिसमाणे, अहवा चउव्विहा समणोवासगा पण्णत्ता, तंजहा-आयंससमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरंटसमाणे" [४/३/ ३२१] इति । परमेते साधूनाश्रित्य द्रष्टव्या इति न पार्थक्यशकालेशः, एषामपि नामश्रावकादिष्ववतारणविचारे व्यवहारनयमते भावश्रावका एवैते, श्रावकपदव्युत्पत्तिनिमित्तमात्रयोगेन तथाव्यवह्रियमाणत्वात् निश्चयनयमते पुनः सपत्नीखरण्टसमानौ मिथ्यादृष्टिप्रायौ द्रव्यश्रावको, शेषास्तु भावश्रावकाः । यतस्तेषां स्वरूपमेवमागमे व्याख्यायते - "चिंतिज्जइ कज्जाई, न दिट्ठखलिओवि होइ निन्नेहो । एगंतवच्छलो जइजणस्स जणणीसमो सड्ढो ।।१।। हिअए ससिणेहो च्चिअ, मुणीण मंदायरो विणयकम्मे । भाइसमो साहूणं, पराभवे होइ सुसहाओ ।।२।। मित्तसमाणो माणा, ईसिं रूसइ अपुच्छिओ कज्जे । मन्नंतो अप्पाणं, मुणीण सयणाउ अब्भहिअं ।।३।। Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ थद्धो छिद्दप्पेही, पमायखलिआणि निच्चमुच्चरइ । सदो सवत्तिकप्पो, साहुजणं तणसमं गणइ ।।४।।" तथा द्वितीयचतुष्के "गुरुभणिओ सुत्तत्थो, बिंबिज्जइ अवितहो मणे जस्स । सो आयंससमाणो, सुसावओ वनिओ समए ।।५।। पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेणं । अविणिच्छिअगुरुवयणो, सो होइ पडाइआतुल्लो ।।६।। पडिवन्नमसग्गाहो न मुणइ गीअत्थसमणुसट्ठोवि । खाणुसमाणो एसो, अप्पउसी मुणिजणे नवरं ।।७।। उम्मग्गदेसओ णिण्हवोऽसि मूढोऽसि मन्दधम्मोऽसि । इअ सम्मंपि कहतं, खरंटए सो खरंटसमो ।।८।। जह सिढिलमसुइदव्वं, लुप्पंतंपि हु नरं खरंटेइ । एवमणुसासगंपिहु, दूसंतो भन्नइ खरंटो ।।९।। निच्छयओ मिच्छत्ती, खरंटतुल्लो सवत्तितुल्लोवि । ववहारओ उ सड्ढा, जयंति जं जिणगिहाईसुं ।।१०।।" इत्यलं प्रसङ्गेन । ટીકાર્ય : ફર્થ પ્રસના અને આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, દેવાદિ તત્વના શ્રદ્ધાનના વિકલપણામાં તથાવિધ આજીવિકાદિ હેતુથી શ્રાવકના આકારના ધરણમાં દ્રવ્યશ્રાવકપણું જ પર્યવસાન થાય છે. વળી, સાધુ પાસેથી નિત્ય ધર્મશ્રવણથી જ પૂર્વમાં કહેલ વિધિથી સ્વીકારાયેલા સમજ્યાદિ ભાવશ્રાવકપણું છે જે કારણથી આવશ્યકનિર્યુક્તિમાં કહેવાયેલું છે. સ્વીકારાયેલ સમ્યક્તવાળો જે જીવ સાધુઓ પાસેથી પ્રતિદિન ધર્મસંબદ્ધ કથાને સાંભળે છે. આ શ્રાવક કહેવાય છે.” (આવશ્યક નિર્યુક્તિ, ગાથા-૧૫૫૬, ટીકા પૃ. ૮૦૫) અમ્યુવેર સીત્વ' એ પ્રકારના ઉદ્ધરણના કથનમાં અભ્યપેત અણુવ્રતવાળો પણ વ્યાખ્યાનનો લેશ છે=વ્યાખ્યાનનો અંશ છે અને તે= સ્વીકારાયેલ અણુવ્રતવાળો શ્રાવક છે કે, અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, અધિકૃત છે; કેમ કે ભાવતું જ મુખ્યપણું છે. ભાવશ્રાવક પણ દર્શન, વ્રત અને ઉત્તરગુણવાળા શ્રાવકના ભેદથી ત્રણ પ્રકારનો છે. વળી તેનો વિસ્તાર=ભાવશ્રાવકનો વિસ્તાર, વ્રતના ભાંગાના અધિકારમાં બતાવાશે અને આગમમાં અન્ય પ્રકારે પણ શ્રાવકના ભેદો સંભળાય છે અને તે પ્રકારે અન્ય પ્રકારે શ્રાવકના ભેદો છે તેમ પૂર્વમાં કહ્યું તે પ્રકારે, સ્થાનાંગ સૂત્ર છે – Page #175 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ “ચાર પ્રકારના શ્રમણોપાસક કહેવાયા છે તે આ પ્રમાણે – ૧. માતાપિતા સમાન ૨. ભાઈ સમાન ૩. મિત્ર સમાન ૪. શોક્ય સમાન. ૧૫૮ અથવા ચાર પ્રકારના શ્રમણોપાસક કહેવાયા છે. તે આ પ્રમાણે – ૧. આયંસ સમાન=અરીસા સમાન ૨. પડાગ સમાન=ધજા સમાન ૩. સ્થાણુ સમાન=થાંભલા સમાન ૪. ખરંટ સમાન." (૪/૩/૩૨૧ ઇતિ) પરંતુ આ ભેદો=સ્થાનાંગમાં કહ્યા છે તે ભેદો, સાધુને આશ્રયીને જાણવા=સાધુ પ્રત્યેના શ્રાવકના વર્તનને આશ્રયીને જાણવા. એથી પૃથક્ ભેદોની આશંકાનો લેશ નથી અને આમનો પણ=ઠાણાંગ સૂત્રમાં કહેવાયેલા ૪ ભેદવાળા શ્રાવકોનો પણ, નામશ્રાવકાદિમાં અવતારનો વિચાર કરાયે છતે વ્યવહારનયના મતે ભાવશ્રાવક જ આ છે; કેમ કે શ્રાવકપદની વ્યુત્પત્તિ નિમિત્ત માત્રનો યોગ હોવાને કારણે=શ્રાવકપદની વ્યુત્પત્તિનું નિમિત્ત ચારે પ્રકારના ભેદોમાં યોજન થતું હોવાને કારણે, તે પ્રકારે વ્યવહિયમાણપણું છે=ભાવશ્રાવક તરીકે વ્યવહાર થાય છે. વળી, નિશ્ચયનયના મતે, સપત્ની=શોક્ય અને ખરંટ સમાન એવા છેલ્લા બે ભેદો મિથ્યાદષ્ટિપ્રાયઃ દ્રવ્યશ્રાવક છે, વળી, શેષ=પૂર્વના બંને પ્રકારના ભેદોમાં બતાવેલા ત્રણ-ત્રણ પ્રકારના શ્રાવકો ભાવશ્રાવકો છે જે કારણથી તેઓનું સ્વરૂપ જ=ચાર-ચાર ભેદવાળા શ્રાવકોનું સ્વરૂપ જ, આગમમાં આ પ્રમાણે વ્યાખ્યાન કરાય છે. “કાર્યોને ચિંતવન કરે=સાધુનાં કાર્યોની ચિંતા કરે, જોયેલી સ્ખલનાવાળો પણ=સાધુની જોયેલી સ્ખલનાવાળો પણ, નિ:સ્નેહ થાય નહિ=સાધુ પ્રત્યે સ્નેહ રહિત થાય નહિ. એકાંતવત્સલ=સાધુ પ્રત્યે એકાંત પ્રીતિવાળો, શ્રાવક યતિજનનો માતા તુલ્ય જાણવો. ।।૧।। હૃદયમાં સ્નેહવાળો જ હોય=સાધુ પ્રત્યે હૃદયથી પ્રીતિવાળો જ હોય, મુનિના વિનયકર્મમાં=સાધુ પ્રત્યેના વિનયકૃત્યમાં, મંદ આદરવાળો હોય, સાધુના પરાભવમાં=સાધુને કોઈ દ્વારા આપત્તિ આવે ત્યારે, સુસહાયવાળો હોય તે શ્રાવક ભાઈ જેવો છે. ।।૨।। * મુનિઓના સ્વજન કરતાં પોતાને અધિક માનતો, માનના કારણે કોઈ કાર્યમાં નહીં પૂછાયેલો થોડો ગુસ્સે થાય તે શ્રાવક મિત્ર સમાન છે. ।।૩।। સ્તબ્ધ=અભિમાની, છિદ્રોને જોનારો=સાધુનાં દૂષણોને જોનારો, પ્રમાદસ્ખલિત=પ્રમાદથી સ્ખલના કરનારા સાધુઓ પ્રત્યે નિત્ય રોષ કરે છે, સાધુજનને તૃણ સમાન ગણે છે એવો શ્રાવક સપત્નીકલ્પ છે=શોક્ય સમાન છે." ।૪।। અને બીજા ચતુષ્કમાં=બીજા ચાર ભેદમાં, આ ગાથાઓ છે - “ગુરુથી કહેવાયેલાં સૂત્રો અને અર્થો જેના મનમાં અવિતથયથાર્થ, પ્રતિબિંબિત થાય છે—નિર્ણીત થાય છે, તે સુશ્રાવક શાસ્ત્રમાં આયંસ સમાન=આરીસા સમાન જાણવો. પા પવનથી ધજાની જેમ જે=શ્રાવક, મૂઢ જન વડે ભ્રમણ કરાય છે, અવિનિશ્ચિંત ગુરુવચનવાળો=ગુરુના ઉચિત ઉપદેશનો, સ્પષ્ટબોધ નથી તેવો, તે=શ્રાવક, પતાકા તુલ્ય છે. ।।૬।। પ્રતિપા=સ્વીકારાયેલાં શ્રાવકનાં વ્રતોવાળો, અસગ્રહવાળો=વિપરીત બોધવાળો, ગીતાર્થ વડે અનુશાસન અપાયેલો પણ જાણતો નથી=યથાર્થ બોધ પામતો નથી ફક્ત સાધુજનમાં અપ્રદ્વેષવાળો છે=સાધુનો દ્વેષી નથી એવો શ્રાવક થાંભલા જેવો છે. ।।૭।। - Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ઉન્માર્ગદશક છો, નિદ્ભવ છો, મૂઢ છો, મંદધર્મ છો એ પ્રમાણે સમ્યફ ઉપદેશ આપતા સાધુની ખરંટના કરતો આ=શ્રાવક, ખરંટ સમાન છે. ૫૮ જે પ્રમાણે સ્પર્શ કરતા નરને નરમ અશુચિ-દ્રવ્ય ખરડે છે એ રીતે અનુશાસક પણ ગુરુને દૂષણ કરતો ખરંટક કહેવાય છે. II . નિશ્ચયથી નિશ્ચય નયથી ખરંટતુલ્ય અને સપત્ની તુલ્ય પણ મિથ્યાત્વી છે. વળી, વ્યવહારથી=વ્યવહારનયથી તેઓ શ્રાવકો છે. જે કારણથી જિનગૃહાદિમાં=જિનાલયાદિમાં, જાય છે.” I૧૦. આ પ્રસંગથી સર્યુ. ભાવાર્થ - ભાવશ્રાવકના ભેદો : અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે જેઓને આ દેવ છે, આ ગુરુ છે અને આ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ છે એવો સૂક્ષ્મબોધ નથી અને તેના કારણે દેવાદિતત્ત્વનું સૂક્ષ્મબોધપૂર્વક શ્રદ્ધાન નથી પરંતુ તેવા પ્રકારના આજીવિકાના હેતુથી કે તેવી મુગ્ધતાથી શ્રાવક આકારને ધારણ કરતા હોય તેઓ દ્રવ્યશ્રાવક જ જાણવા. વળી, જેઓ પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે વિધિપૂર્વક સાધુ પાસેથી ધર્મશ્રવણ કરે છે અને તે પૂર્વક વ્રતો સ્વીકાર્યા છે તે ભાવશ્રાવક છે; કેમ કે “આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે જેણે શાસ્ત્રમર્યાદા અનુસાર સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે અને સાધુ પાસેથી પ્રતિદિન ધર્મકથા સાંભળે છે તે ભાવશ્રાવક છે. તેથી જેણે સમ્યક્ત અને દેશવિરતિ વ્રતો સ્વીકાર્યા છે અને પ્રતિદિન સાધુ પાસેથી શાસ્ત્ર ભણતો હોય તેવા શ્રાવક ભાવશ્રાવક છે અને તે ભાવશ્રાવક પણ ત્રણ ભેટવાળા છે. ૧. અવિરત સમ્યગ્દષ્ટિ. ૨. પાંચ અણુવ્રતને ધરનારા. ૩. ગુણવ્રત અને શિક્ષાવ્રત ધરનારા ઉત્તર ગુણધારી. જે ત્રણ ભેદોનું વર્ણન ગ્રંથકારશ્રી વ્રતના ભાગાના અધિકારમાં આગળમાં બતાવશે. વળી, આગમમાં, ૪-૪ પ્રકારના શ્રાવકના ભેદો કહ્યા છે તે ૪ ભેદો સાધુની સાથે તેઓના વર્તનને આશ્રયીને બતાવ્યા છે. તેથી પ્રસ્તુત શ્રાવક કરતાં તેઓ જુદા છે તેમ માનવાની આવશ્યકતા નથી પરંતુ પ્રસ્તુતમાં રહેલા ભાવશ્રાવકના ભેદોમાં તે સર્વભેદોનો અવતાર છે; કેમ કે વ્યવહારનય શ્રાવકપદની વ્યુત્પત્તિ જે પ્રકારે કરે છે તે પ્રકારની આચરણા કરનારા આ સર્વ ભેદોવાળા શ્રાવકો હોય છે. વળી, નિશ્ચયનય શોક્ય જેવા અને ખરંટના કરનારા શ્રાવકોને ભાવશ્રાવક તરીકે સ્વીકારતો નથી; કેમ કે શ્રાવકના સર્વ આચારો તેઓ પાળે છે તોપણ વિવેક વગરના હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. આથી જ સાધુ સાથે વિવેક વગરનું વર્તન કરે છે તેથી તેઓને નિશ્ચયનય દ્રવ્યશ્રાવક કહે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧. માતા-પિતા સમાન શ્રાવક : જેમ માતા-પિતા પુત્રના હિતની ચિંતા કરે છે અને પુત્રની કોઈ પ્રમાદી પ્રવૃત્તિ હોય તોપણ પુત્ર પ્રત્યે સ્નેહ ધારણ કરે છે તેમ જે શ્રાવક ગુણવાન સાધુના હિતની ચિંતા કરનારો હોય છે અને ગુણવાન સાધુ પણ કોઈક વખત પ્રમાદથી સ્કૂલના પામે તોપણ તે શ્રાવકને તે સાધુ પ્રત્યે સ્નેહ રહે છે. તેથી વિચારે છે કે આ મહાત્મા આરાધક છે છતાં કર્મદોષને કારણે અત્યારે પ્રમાદમાં પડ્યા છે માટે હું શું કરું ? કે જેથી તેમનો પ્રમાદ દૂર થાય તે પ્રમાણે વિચારીને શક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને તેમના પ્રમાદનું નિવારણ કરે છે અને ગુણવાન સાધુ પ્રત્યે એકાંત ભક્તિવાળો હોય છે તેવો શ્રાવક સાધુ માટે માતાતુલ્ય છે અને ઉપલક્ષણથી પિતાતુલ્ય છે. ૨. ભાઈસમાન શ્રાવક : જેમ ભાઈને ભાઈ પ્રત્યે સ્નેહ હોય છે તેમ જે શ્રાવકને હૈયામાં ગુણવાન સાધુ પ્રત્યે સ્નેહ વર્તે છે અને ભાઈ તુલ્ય બુદ્ધિ હોવાને કારણે વિનય કરવામાં મંદ આદર હોય છે અને જેમ ભાઈનો કોઈ પરાભવ કરે તો તે ભાઈ તેને સહાય કરે તેમ તે શ્રાવક પણ સાધુનો કોઈ પરાભવ કરે તો તેના ઉપદ્રવના નિવારણ માટે સહાયક બને છે તે શ્રાવક ભાઈ જેવો છે. પ્રથમ શ્રાવક કરતાં આ બીજા પ્રકારના શ્રાવકમાં વિનયકર્મમાં મંદ આદર હોવાને કારણે કંઈક ભક્તિમાં ન્યૂનતા છે તોપણ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે, ગુણવાન ગુરુ પ્રત્યે રાગ છે અને તીર્થકરો પ્રત્યે ભક્તિ છે અને પોતાના શ્રાવકાચારમાં સમ્યક ઉદ્યમ કરનાર છે માટે ભાવશ્રાવક છે. ૩. મિત્ર સમાન શ્રાવક જેમ મિત્રને પૂછ્યા વગર કોઈ કાર્ય કરે તો મિત્રને માનકષાયને કારણે કંઈક રોષ થાય છે અને પોતાના મિત્ર કરતાં પોતે કંઈક અધિક છે તેમ માનનારા હંમેશાં અપેક્ષા રાખે છે કે આ મારા મિત્રે મને પૂછીને કાર્ય કરવું જોઈએ. તેમ કોઈ શ્રાવક શાસ્ત્ર ભણેલો હોય, બુદ્ધિમાન હોય અને કોઈ અન્ય આરાધક સાધુને જોઈને તે એમ માને કે આ સાધુ મારા કરતાં ઊંચા છે તોપણ હું શાસ્ત્રનો ઘણો જાણકાર છું. માટે મિત્ર તુલ્ય એવા આ સાધુએ ઉચિતસ્થાને મને પૂછીને જ કરવું જોઈએ તેમ માનતો અને કોઈક સ્થાનમાં મહાત્મા તેને પૂછ્યા વગર કરે તો માનને કારણે થોડો તેમના પ્રત્યે રોષ કરે છે. આમ છતાં મિત્રની જેમ સાધુની સદા હિતચિંતા કરે છે તેવો શ્રાવક મિત્રતુલ્ય છે; કેમ કે ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાપૂર્વક વ્રતો પાળે છે. સાધુ પ્રત્યે ભક્તિવાળા પણ છે છતાં કંઈક સાધુ પ્રત્યે રોષ કરે છે તેથી ભાઈ સમાન શ્રાવક કરતાં પણ કંઈક ન્યૂન આરાધક છે છતાં ભાવશ્રાવક છે; કેમ કે ભાવશ્રાવકના સર્વ ઉચિત આચારો સેવે છે. ૪. શોક્ય સમાન શ્રાવક : જેમ શોક્ય સ્ત્રી પોતાની શોક્યનાં છિદ્રો જ જુએ છે અને પોતે હંમેશાં તે સ્ત્રી પાસેથી માનની આકાંક્ષા રાખે છે અને તે પત્નીની કોઈ પ્રમાદથી સ્કૂલના થાય તો હંમેશાં રોષ કરે છે અને તેને તૃણની જેમ ગણે છે તેમ જે શ્રાવક માની હોય તે શ્રાવક, તેને હંમેશાં સાધુ આદરપૂર્વક બોલાવે તેવી અપેક્ષા રાખે છે. સાધુનાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૬૧ છિદ્ર જોનાર છે અને ક્યારેક પ્રમાદવશ સાધુ સ્કૂલના કરે તો હંમેશાં ગુસ્સે થઈને કહે છે કે સાધુપણું લઈને આ પ્રમાણે તમે અનુચિત કરો છો. સાધુની સાથે તુચ્છતાથી વર્તન કરવારૂપ સાધુને તૃણ સમાન ગણે છે તેવો શ્રાવક શોક્ય જેવો છે. આમ છતાં, શ્રાવકનાં વ્રતો ગુરુ પાસેથી લીધેલાં છે તે પ્રમાણે પાળે છે, ભગવાનની ભક્તિ આદિ કરે છે તેથી વ્યવહારનયથી તે ભાવશ્રાવક છે; કેમ કે શ્રાવકનું લક્ષણ તેમાં સંગત થાય છે. નિશ્ચયનયથી સાધુની હીલના કરનાર હોવાથી ભાવશ્રાવક નથી પરંતુ દ્રવ્યશ્રાવક છે. પૂર્વમાં સાધુ સાથેના વર્તનને આશ્રયીને શ્રાવકના ચાર ભેદો બતાવ્યા. હવે સાધુ પાસેથી ધર્મશ્રવણાદિ કરે છે તેને આશ્રયીને શ્રાવકના ચાર ભેદો બતાવે છે – ૧. આયંસ-અરીસા સમાન શ્રાવક : જેમ દર્પણમાં વસ્તુ જેવી હોય તેવી પ્રતિબિંબિત થાય છે તેમ ગુરુ પાસેથી જે શ્રાવક ધર્મશ્રવણ કરે છે અને જે પ્રકારે શાસ્ત્રના પદાર્થો ગુરુ બતાવે છે તે પ્રકારે જ તેના ચિત્તમાં યથાર્થ પ્રતિબિંબિત થાય છે તેથી ગુરુ પાસેથી શાસ્ત્રશ્રવણ કરીને શાસ્ત્રના પરમાર્થને જાણે છે તેવો શ્રાવક દર્પણ સમાન છે; કેમ કે સ્વભૂમિકાનુસાર વ્રતોને ગ્રહણ કરીને શ્રાવકાચાર પાળે છે. ચિત્ત નિર્મળ હોવાથી ગુરુવચન પણ સમ્યક પરિણમન પામે છે માટે શ્રેષ્ઠ એવો ભાવશ્રાવક છે. ૨. પતાકા સમાન શ્રાવક : જેમ ધજા પવનથી ફર્યા કરે છે તેમ જે શ્રાવક ગુરુ પાસેથી ધર્મશ્રવણ કરે છે તો પણ તે સાંભળેલાં વચનોના પરમાર્થનો સૂક્ષ્મબોધ પ્રાપ્ત કરી શકતો નથી તેથી મૂઢજનોથી વારંવાર ભમ્યા કરે છે, અને ગુરુના વચનના પરમાર્થનો યથાર્થ નિર્ણય કરી શકતો નથી તે “પતાકા તુલ્ય શ્રાવક છે; કેમ કે શ્રાવકના આચારો પાળે છે, તત્ત્વનો અર્થી છે, તેથી ગુરુપાસેથી ધર્મ સાંભળવા યત્ન કરે છે માટે ભાવશ્રાવક છે છતાં બુદ્ધિની મંદતાને કારણે ગુરુના ઉપદેશના પરમાર્થને સ્પષ્ટ જાણી શકતો નથી તેથી વારંવાર સ્કૂલના પામે છે. ૩. સ્થાણુથાંભલા સમાન શ્રાવક : જેમ થાંભલો જડ હોય છે અને એક સ્થાને સ્થિર હોય છે તેમ સ્વીકારાયેલાં વ્રતોવાળો છે છતાં જે શ્રાવક અસદ્ગહવાળો છે=વિપરીત બોધવાળો છે, તે જડ છે. તેથી ગીતાર્થથી અનુશાસન અપાયેલો પણ તત્ત્વને જાણી શકતો નથી. આમ છતાં સાધુ પ્રત્યે અપ્રષવાળો છે અર્થાત્ સાધુ પ્રત્યે દ્વેષી નથી તેથી સાધુ પાસેથી તત્ત્વ જાણવા માટે યત્ન પણ કરે છે તે શ્રાવક સ્થાણુ સમાન છે; કેમ કે વિધિપૂર્વક શ્રાવકાચાર સ્વીકારીને પાલન કરે છે અને કલ્યાણનો અર્થ છે. ફક્ત “પતાકાતુલ્ય શ્રાવક' કરતા પણ કંઈક મંદબુદ્ધિ હોવાથી અજ્ઞાનને કારણે વિપરીત બોધવાળો છે. ગીતાર્થના ઉપદેશથી પણ શીધ્ર તત્ત્વને ગ્રહણ કરી શકતો નથી તોપણ આરાધક હોવાથી ભાવશ્રાવક છે. ૪. ખરંટ સમાન શ્રાવક : જશ્રાવક શ્રાવકાચાર પાળવા છતાં તુચ્છ સ્વભાવવાળો છે તેથી સમ્યક ઉપદેશ આપનાર સાધુને પોતાના Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ તુચ્છ સ્વભાવને કારણે કહે છે કે તમે ઉન્માર્ગની દેશના આપનારા છો, ભગવાનના વચનનો અપલાપ કરનારા છો, શાસ્ત્રના પદાર્થોને સારી રીતે જાણનારા નહીં હોવાથી મૂઢ છો, સંયમના આચાર સારા પાળનારા નહીં હોવાથી મંદધર્મવાળા છો. ઇત્યાદિ પ્રકારે સુસાધુની પણ ખરંટના કરે છે તે ખરંટ સમાન શ્રાવક છે. આ શ્રાવક પણ કલ્યાણનો અર્થી હોવાથી શ્રાવકાચાર પાળે છે તેથી વ્યવહારનય તેને ભાવશ્રાવક કહે છે, છતાં અતિતુચ્છ સ્વભાવને કારણે સુસાધુની હલના કરનાર હોવાથી નિશ્ચયનય તેને ભાવશ્રાવક તરીકે સ્વીકારતો નથી. '५२2' शनी अर्थ स्पष्ट ४२ छ - જેમ નરમ (ઢીલું) અશુચિદ્રવ્ય સ્પર્શ થાય તો પુરુષને ખરડે છે એ રીતે સન્માર્ગમાં અનુશાસન આપનાર ગુરુને પણ જે શ્રાવક તુચ્છ સ્વભાવને કારણે દૂષણ આપે છે તે ખરંટ જેવો છે અને નિશ્ચય ખરંટતુલ્ય અને સપત્નીતુલ્ય=શોક્યતુલ્ય શ્રાવક મિથ્યાષ્ટિ છે; કેમ કે સુગુરુની આશાતના કરનાર છે. વ્યવહારનયથી ભગવાનની ભક્તિ આદિ કરે છે માટે શ્રાવક કહેવાય છે. टीs: अनोपयोगित्वात् पूर्वसूरिप्रणीतानि भावश्रावकस्य लिङ्गानि धर्मरत्नप्रकरणे यथोपदिष्टानि तथोपदर्श्यन्ते । तथाहि- . "कयवयकम्मो १ तह सीलवं च २ गुणवं च ३ उज्जुववहारी ४ । गुरुसुस्सूसो ५ पवयणकुसलो ६ खलु सावगो भावे ।।१।।" [गा. ३३] कृतमनुष्ठितं व्रतविषयं कर्म=कृत्यं, येन स कृतव्रतकर्मा १ । अथैनमेव सप्रभेदमाह"तत्थायण्णण १ जाणण २ गिग्रहण ३ पडिसेवणेसु ४ उज्जुत्तो । कयवयकम्मो चउहा, भावत्थो तस्सिमो होइ ।।२।।" [गा.३४] तत्राकर्णनं विनयबहुमानाभ्यां व्रतस्य श्रवणम् १ । ज्ञानं व्रतभङ्गभेदातिचाराणां सम्यगवबोधः २ । ग्रहणं गुरुसमीपे इत्वरं यावत्कालं वा व्रतप्रतिपत्तिः ३ । आसेवनं सम्यक्पालनम् ४ । अथ शीलवत्स्वरूपं द्वितीयलक्षणं यथा"आययणं खु निसेवइ १, वज्जइ परगेहपविसणमकज्जे २ । निच्चमणुब्भडवेसो ३, न भणइ सविआरवयणाई ४ ।।३।। परिहरइ बालकीलं ५, साहइ कज्जाइँ महुरनीईए ६ । इअ छव्विहसीलजुओ, विन्नेओ सीलवंतोऽत्थ ४।।४।।" [गा. ३७-८] आयतनं धर्मिजनमीलनस्थानम् । उक्तं च Page #180 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ " जत्थ साहम्मिआ बहवे, सीलवंता बहुस्सुआ । चरित्तायारसंपन्ना, आययणं तं विआणाहि ।। १ ।। " तत्सेवते भावश्रावको नत्वनायतनमितिभावः १ । १५३ शेषपदानि सुगमानि, बालक्रीडां द्यूतादिकम् ५ । मधुरनीत्या सामवचनेन स्वकार्यं साधयति, न परुषवचनेनेति षट् शीलानि ६ । तु अधुना तृतीयं भाव श्रावकलक्षणं गुणवत्स्वरूपं यथा "जवि गुणा बहुरुवा, तहावि पंचहिं गुणेहिं गुणवंता । इअ मुणिवरेहिं भणिओ, सरूवमेसि निसामेहि ||५|| सज्झाए १ करणंमि अ २, विणयंमि अ ३ निच्चमेव उज्जुत्तो सव्वत्थऽणभिनिवेसो ४, वहइ रुई सुठु जिणवयणे ५ । । ६ । । " [गा. ४२ - ३] स्वाध्याये पञ्चविधे १, करणे तपोनियमवन्दनाद्यनुष्ठाने २, विनये गुर्वाद्यभ्युत्थानादिरूपे, नित्यमुद्युक्तः प्रयत्नवान् भवति ३ । सर्वत्र प्रयोजनेषु अनभिनिवेशः = प्रज्ञापनीयो भवति ४, तथा वहति धारयति, रुचिमिच्छां श्रद्धानमित्यर्थः । सुष्ठु बाढं जिनवचने ५, इति पञ्च गुणाः । अधुना ऋजुव्यवहारीति चतुर्थं भावश्रावकलक्षणं यथा उजुववहारो चउहा, जहत्थभणणं १ अवंचिगा किरिआ २ हुंतावायपगासण ३, मित्तीभावो अ सब्भावा ४ । । १ । । " [गा. ४७ ] ऋजु=प्रगुणं व्यवहरणं ऋजुव्यवहारः । स चतुर्द्धा - यथार्थभणनमविसंवादिवचनम् १ | वञ्चि पराव्यसनहेतुक्रिया मनोवाक्कायव्यापाररूपा २ । 'हुंतावायपगासण 'त्ति 'हुंत 'त्ति प्राकृतशैल्या भाविनोऽशुद्धव्यवहारकृतो येऽपायास्तेषां प्रकाशनं प्रकटनं करोति । 'भद्र मा कृथाः पापानि चौर्यादीनि, इह परत्र चानर्थकारीणि' इत्याश्रितं शिक्षयति ३ । मैत्रीभावः सद्भावान्निष्कपटतया ४ । साम्प्रतं गुरुशुश्रूषक इति पञ्चमं लक्षणं यथा “सेवाइ १ कारणेण य २, संपायण ३ भावओ गुरुजणस्स ४ । सुस्सूसणं कुणंतो, गुरुसुस्सूसो हवइ चउहा ।।८।। " [गा. ४९ ] सेवया पर्युपासनेन १, कारणेन गुरुजनवर्णवादकरणादन्यजनप्रवर्त्तनेन २, सम्पादनं गुरोरौषधादीनां प्रदानम् ३, भावो गुरुजनचेतोऽनुवर्त्तनम् ४, एतैश्चतुर्भिः प्रकारैः गुरुजनस्याराध्यवर्गस्य शुश्रूषां Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ कुर्वन् गुरुशुश्रूषको भवतीति । यद्यपि गुरवो मातृपित्रादयोऽपि भण्यन्ते तथाऽप्यत्र धर्माधिकाराद्धर्माचार्यादय एव प्रस्तुता इति हाईम् । अथ प्रवचनकुशल इति षष्ठं भावश्रावकलक्षणं चेत्थम् - "सुत्ते १ अत्थे अ २ तहा, उस्सग्ग ३ ववाय ४ भाव ५ ववहारे ६ । जो कुसलत्तं पत्तो, पवयणकुसलो तओ छद्धा ।।९।।" [गा. ५२] सूत्रे सूत्रविषये यः कुशलत्वम्, प्राप्त इति प्रत्येकं योजनीयम्, श्रावकपर्यायोचितसूत्राध्येतेत्यर्थः १। तथाऽर्थे सूत्राभिधेये संविग्नगीतार्थसमीपे सूत्रार्थश्रवणेन कुशलत्वं प्राप्त इत्यर्थः २ । उत्सर्गे सामान्योक्तौ ३ अपवादे विशेषभणिते कुशलः, अयं भावः-केवलं नोत्सर्गमेवावलम्बते, नापि केवलमपवादम्, किन्तूभयमपि यथायोगमालम्बत इत्यर्थः ४, भावे विधिसारे धर्मानुष्ठाने करणस्वरूपे कुशलः । इदमुक्तं भवति-विधिकारिणमन्यं बहु मन्यते, स्वयमपि सामग्रीसद्भावे यथाशक्ति विधिपूर्वकं धर्मानुष्ठाने प्रवर्त्तते, सामग्र्या अभावे पुनर्विध्याराधनमनोरथान मुञ्चत्येवेति ५ । व्यवहारे गीतार्थाचरितरूपे कुशलः देशकालाद्यपेक्षयोत्सर्गापवादवेदिगुरुलाघवपरिज्ञाननिपुणगीतार्थाचरितं व्यवहारं न दूषयतीतिभावः६। "एसो पवयणकुसलो, छब्भेओ मुणिवरेहिं निद्दिवो । किरियागयाइं छव्विह-लिंगाई भावसड्डस्स ।।१०।।" [गा. ५५] एतानि भावश्रावकस्य क्रियोपलक्षणानि षडेव लिङ्गानि । अथ भावगतानि तान्याह"भावगयाइं सतरस, मुणिणो एअस्स बिंति लिंगाइं । जाणिअजिणमयसारा, पुव्वायरिआ जओ आहु ।।११।। इत्थिं १, दिअत्थसंसार ४ विसय ५ आरंभ ६ गेह ७ दंसणओ ८ । गड्डरिगाइपवाहे ९, पुरस्सरं आगमपवित्ती १०।।१२।। दाणाइ जहासत्ती, पवत्तणं ११ विहि १२ अरत्तदुढे अ १३ । मज्झत्थ १४ मसंबद्धो १५, परत्थकामोवभागी अ १६ ।।१३।। वेसा इव गिहवासं, पालइ १७ सत्तरसपयनिबद्धं तु । भावगयभावसावगलक्खणमेअं समासेणं ।।१४।।" [गा. ५६-९] आसां काचिद्व्याख्या-स्त्रियादिदर्शनान्तपदाष्टकानां द्वन्द्वे सप्तम्यर्थे तसिल । अयं भावःस्त्रीवशवर्ती न भवेत् १ । इन्द्रियाणि विषयेभ्यो निरुणद्धि २ । नानर्थमूलेऽर्थे लुभ्यति ३ । संसारे Page #182 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૬૫ रतिं न करोति ४ । विषयेषु न गृद्धिं कुर्यात् ५ । तीव्रारम्भं न करोति करोति चेदनिच्छन्नेव ६ । गृहवासे पाशमिव मन्यमानो वसेत् ७ । सम्यक्त्वान्न चलति ८ । गड्डरिकप्रवाहं त्यजति ९ । आगमपुरस्सरं सर्वाः क्रियाः करोति १० । यथाशक्ति दानादौ प्रवर्त्तते ९१ । विह्नीको निरवद्यक्रियां कुर्वाणो न लज्जते १२ । संसारगतपदार्थेषु अरक्तद्विष्टो निवसति १३ । धर्मादिस्वरूपविचारे मध्यस्थ: स्यात्, न तु मया अयं पक्षोऽङ्गीकृत इत्यभिनिवेशी १४ । धनस्वजनादिषु सम्बद्धोऽपि क्षणभङ्गुरतां भावयन्नसम्बद्ध इवास्ते १५ । परार्थम् अन्यजनदाक्षिण्यादिना भोगोपभोगेषु प्रवर्त्तते, तु स्वतीवरसेन १६ । वेश्येव निराशंसो गृहवासं पालयतीति १७ । कृतं प्रासङ्गिकलक्षणप्ररूपणया । ટીકાર્ય : अनोपयोगित्वात् નક્ષળપ્રરૂપળવા । અહીં=ભાવશ્રાવકના જ્ઞાનમાં, ઉપયોગીપણું હોવાથી પૂર્વસૂરિપ્રણીત ભાવશ્રાવકનાં લિંગો ‘ધર્મરત્ન પ્રકરણ' માં જે પ્રમાણે બતાવાયાં છે તે પ્રમાણે બતાવે છે=પ્રસ્તુત ગ્રંથમાં બતાવે છે, તે આ પ્રમાણે – “૧. કૃતવ્રત કર્મવાળો અને ૨. શીલવાન ૩. ગુણવાન ૪. ઋજુવ્યવહારી ૫. ગુરુ પાસેથી ધર્મશ્રવણ કરનારો ૬. પ્રવચનમાં કુશલ ભાવશ્રાવક છે.” (ધર્મરત્ન પ્રકરણ ગા. ૩૩) કૃતવ્રત કર્મનો અર્થ કહે છે 1 કરાયેલું=સેવાયેલું, વ્રત વિષયક કર્મ=કૃત્ય, જેના વડે તે કૃતવ્રતકર્મવાળો છે. હવે એને જ કૃતવ્રતકર્મવાળાને જ, સપ્રભેદ કહે છે. “ત્યાં આકર્ણન - જાનન - ગ્રહણ - પ્રતિસેવનમાં ઉદ્યુત કૃતવ્રતકર્મવાળો ચાર પ્રકારનો છે તેનો=કૃતવ્રતકર્મવાળાનો આ ભાવાર્થ છે.” (ધર્મરત્ન પ્રકરણ, ગાથા-૩૪) ત્યાં=વ્રતના વિષયમાં, આકર્ણન=વિનય-બહુમાન દ્વારા વ્રતનું શ્રવણ છે. જ્ઞાન=વ્રતના ભંગના ભેદો અને અતિચારોનો સમ્યગ્બોધ છે. ગ્રહણ=ગુરુની સમીપમાં ઇત્વરકાલ માટે કે યાવત્કાલ માટે વ્રતનો સ્વીકાર છે. આસેવન=સમ્યક્પાલન છે. હવે શીલવાનનું સ્વરૂપ બીજું લક્ષણ=ભાવશ્રાવકનું બીજું લક્ષણ, ‘યથા’થી બતાવે છે “૧. આયતન=ધર્મીજનની સાથે મળવાનું સ્થાન, સેવે છે, ૨. અકાર્યમાં પરગૃહના પ્રવેશનું વર્જન કરે છે. ૩. નિત્ય અનુગ્ભટવેશવાળો હોય, ૪. સવિકારવાળાં વચનો બોલે નહીં, ૫. બાલક્રીડાનો પરિહાર કરે, ૬. મધુરનીતિથી કાર્યોને સાધે. આ છ પ્રકારના શીલયુક્ત અહીં=ભાવશ્રાવકના લક્ષણમાં, શીલવાળો જાણવો.” (ધર્મરત્ન પ્રકરણ, ગાથા-૩૭-૩૮) આયતનનો અર્થ કહે છે - ધર્મીજનના મિલનનું સ્થાન આયતન છે અને કહેવાયું છે “જ્યાં ઘણા સાધર્મિકો શીલવાળા, બહુશ્રુત ચારિત્રાચારથી સંપન્ન છે તે આયતન જાણવું:" – - Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ભાવશ્રાવક તેને સેવે છે=આયતનને સેવે છે. પરંતુ અનાયતનને સેવતો નથી એ પ્રકારનો ભાવ છે. શેષપદો શ્લોકમાં રહેલાં શેષપદો, સુગમ છે. બાલક્રીડા=જુગાર આદિની ક્રિયા, મધુરનીતિથી=સામ વચનથી=સુંદરવચનથી, સ્વકાર્યને સાધે છે. પરંતુ કઠોરવચનથી સ્વીકાર્યને સાધતો નથી. એ પ્રમાણે છ શીલો છેઃછ શીલની આચરણા છે. હવે ત્રીજું ભાવશ્રાવકનું લક્ષણ ગુણવાળું સ્વરૂપ યથાથી બતાવે છે – “જો કે ગુણો ઘણા પ્રકારના છે=ભાવશ્રાવકના ઘણા પ્રકારના ગુણો છે. તોપણ પાંચ ગુણોથી ગુણવાળા છે એ પ્રમાણે મુનિઓ વડે કહેવાયા છે. તેના સ્વરૂપને સાંભળો." “સ્વાધ્યાયમાં, કરણમાં, વિનયમાં નિત્ય જ ઉઘુક્ત હોય છે. સર્વત્ર અનભિનિવેસવાળો જિનવચનમાં સુંદર રુચિને વહન કરે છે.” (ધર્મરત્વ પ્રકરણ, ગાથા ૪૨-૪૩) પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં, તપ-નિયમ-વંદનાદિ અનુષ્ઠાનના કરણમાં, ગુરુ આદિના અભ્યત્થાનાદિરૂપ વિનયમાં, નિત્ય ઉદ્યમવાળો=પ્રયત્નવાળો, હોય છે. સર્વત્ર પ્રયોજનોમાં અનભિનિવેશવાળો-પ્રજ્ઞાપતીય, હોય છે. અને રુચિ=ઈચ્છા=શ્રદ્ધાને વહન કરે છે=ધારણ કરે છે. ક્યાં શ્રદ્ધા ધારણ કરે છે ? તેથી કહે છે – જિતવચનમાં અત્યંત રુચિને વહન કરે છે. એમ અવય છે. એ પ્રકારના પાંચ ગુણો ભાવશ્રાવકના છે. હવે ‘ઋજુવ્યવહારી“ એ પ્રમાણે ચોથું ભાવશ્રાવકનું લક્ષણ યથાથી બતાવે છે – ઋજુવ્યવહાર ચાર પ્રકારનો છે. ૧. યથાર્થ કહેવું. ૨. અવંચક ક્રિયા ૩. ભાવિના અશુદ્ધ વ્યવહારકુત અનર્થનું પ્રકાશન ૪. સદ્ભાવથી મૈત્રી ભાવ.” (ધર્મરત્વ પ્રકરણ, ગાથા-૪૭) ઋજુ=પ્રગુણ વ્યવહરણ ઋજુ વ્યવહાર છે, તે ચાર પ્રકારનો છે. ૧. યથાર્થ કહેવું=અવિસંવાદી . વચન છે. ૨. મનોવાકાયવ્યાપારરૂપ અવંચિકા=પરના અવ્યસનના હેતુ એવી ક્રિયા છે. ૩. હુંતાવાય/સ'નો અર્થ કરે છે – હુંત એ પ્રાકૃત શૈલીથી ભાવિના અર્થમાં છે. તેથી ભાવિના અશુદ્ધ વ્યવહારકૃત જે અપાયો તેનું પ્રકાશન=પ્રકટ કરે છે–પુત્રાદિને કહે છે. કઈ રીતે કહે છે ? તે સ્પષ્ટ કરે છે – હે ભદ્ર ! આ ચોરી આદિ પાપો કરીશ નહિ. જે આ ભવ-પરભવમાં અનર્થકારી છે. એ પ્રકારે આશ્રિતને સમજાવે છે. ૪. સદ્ભાવથી નિષ્કપટપણાથી, મૈત્રીભાવ=બધા જીવોની હિતચિંતા. હવે ગુરુશમૂષક એ પાંચમું લક્ષણ યથા'થી બતાવે છે – સેવાથી, કારણથી, સંપાદન અને ભાવથી, ગુરુજનની શુશ્રષાને કરતસેવાને કરતો, ગુરુશ્રષાવાળો ચાર પ્રકારનો છે.” (ધર્મરત્વ પ્રકરણ, ગા. ૪૯) ૧. સેવાથી=પર્યાપાસનાથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૬૭ ૨. કારણથી ગુરુજનના વર્ણવાદના કરણથી અચજનના પ્રવર્તન વડે. ૩. સંપાદન ગુરુને ઔષધાદિનું પ્રદાન. ૪. ભાવ-ગુરુજતના ચિત્તનું અનુવર્તન-અનુસરણ, આ ચાર પ્રકારે ગુરુજનની=આરાધ્યવર્ગની, શુશ્રષાને કરતો ગુરુશમૂષક થાય છે. જોકે ગુરુ માતા-પિતાદિ પણ કહેવાય છે. તોપણ અહીં=ભાવશ્રાવકના વિષયમાં, ધર્મનો અધિકાર હોવાથી ધર્માચાર્યાદિ જ પ્રસ્તુત છે. એ પ્રકારનો હાર્દ છે. હવે પ્રવચનકુશલ એ છઠું ભાવશ્રાવકનું લક્ષણ આ પ્રકારનું છે. “સૂત્રમાં, અર્થમાં, ઉત્સર્ગ, અપવાદ, ભાવ અને વ્યવહારમાં જે કુશલપણાને પ્રાપ્ત છે તેથી પ્રવચનકુશલ છ પ્રકારનો છે.” (ધર્મરત્વ પ્રકરણ, ગા. પ૨) (૧) સૂત્રમાં=સૂત્રના વિષયમાં, જે કુશલપણાને પ્રાપ્ત છે. પ્રાપ્ત' શબ્દ પ્રત્યેકની સાથે જોડવો. સૂત્રવિષયક કુશલપણું સ્પષ્ટ કરે છે – શ્રાવકપર્યાયને ઉચિત સૂત્રઅધ્યેતા તે સૂત્રવિષયક-કુશલપણું છે. (૨) અને અર્થમાં=સૂત્રથી વાંચ્ય=કહેવાતા, અર્થમાં સંવિજ્ઞગીતાર્થ પાસે સૂત્રાર્થશ્રવણથી કુશલપણાને પ્રાપ્ત છે. (૩) ઉત્સર્ગમાં=સામાન્ય કથનમાં (૪) અપવાદ=વિશેષ કથનમાં, કુશલ છે. આ ભાવ છેઃઉત્સર્ગ-અપવાદના કુશલનો આ ભાવ છે. કેવલ ઉત્સર્ગનું જ અવલંબન કરતો નથી. વળી, કેવલ અપવાદનું અવલંબન કરતો નથી. પરંતુ ઉભય પણsઉત્સર્ગ-અપવાદનું પણ, યથાયોગ યથાસ્થાન આલંબન કરે છે. (૫) ભાવમાં=વિધિસાર ધર્માનુષ્ઠાનના કરણરૂપ ભાવમાં, કુશલ છે. આ કહેવાયેલું થાય=ભાવમાં કુશલ શબ્દથી આ કહેવાયેલું થાય – વિધિકારી એવા અચજનને બહુ માને છે. સ્વયં પણ સામગ્રીનો સદ્ભાવ હોતે છતે યથાશક્તિ વિધિપૂર્વક ધર્માનુષ્ઠાનમાં પ્રયત્ન કરે છે. સામગ્રીના અભાવમાં=વિધિપૂર્વક કરવાને અનુકૂળ સામગ્રીના અભાવમાં, વળી વિધિઆરાધનાના મનોરથને મૂકતો નથી જ. વ્યવહારમાંeગીતાર્થ આચરિતરૂપ વ્યવહારમાં, કુશલ-દેશકાળાદિ અપેક્ષાએ ઉત્સર્ગ-અપવાદના જાણનાર, ગુરુ-લાઘવ પરિક્ષાનથી નિપુણ એવા ગીતાર્થ આચરિત વ્યવહારને દૂષિત કરતો નથી એ પ્રકારનો ભાવ છે. “આ પ્રવચનકુશલ છ ભેટવાળો ભગવાન વડે નિર્દિષ્ટ છે. ભાવશ્રાવકના ક્રિયાગત છ પ્રકારના લિગો છે. (ધર્મરત્વ પ્રકરણ, ગાથા-૫૫) ભાવશ્રાવકનાં ક્રિયાથી ઉપલક્ષણ એવાં ક્રિયાથી જણાય એવાં, આ છ જ લિંગો છે. હવે ભાવગત એવા તેને કહે છેઃલિંગોને કહે છે – આના=ભાવશ્રાવકનાં, ભાવગત સત્તર લિગો મુનિઓ કહે છે. જે કારણથી જાગ્યો છે જિનમતનો સાર એવા પૂર્વાચાર્યો કહે છે. સ્ત્રી, દિ ઇંદ્રિય, અર્થ, સંસાર, વિષય, આરંભ, ગૃહ, દર્શનમાં, ગાડરિયા પ્રવાહને, પુરસ્સર આગમ પ્રવૃત્તિ, દાનાદિ યથાશક્તિ પ્રવર્તન, વિહિ-વિહિક, અરડૂદ્ધિ, મધ્યસ્થ, અસંબદ્ધ, પરાર્થકામ ઉપભોગી, વેશ્યાની જેમ ગૃહવાસનું Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ પાલન કરે છે. વળી, સત્તર સ્વપદથી નિબદ્ધ ભાવગત ભાવશ્રાવકનું આ લક્ષણ સમાસથી છે.” (ધર્મરત્વ પ્રકરણ, ગાથા-૫૬થી ૫૯). આમની આ શ્લોકોની, કંઈક વ્યાખ્યા કરે છે – સ્ત્રી આદિથી માંડીને દર્શન' અંતવાળા પદઅષ્ટકના દ્વન્દ સમાસમાં સપ્તમી અર્થમાં “ત' પ્રત્યય છે આ ભાવ છે. ૧. સ્ત્રી વશવર્તી ન થાય, અર્થાત ઇત્યિ' શબ્દ સપ્તમી અર્થમાં છે તેનો અર્થ સ્ત્રી વશવર્તી ન થાય. ૨. ઇંદ્રિયોને વિષયોથી વિરુદ્ધ કરે છે="હિ’ શબ્દ શ્લોકમાં ઇંદ્રિયોનો વાચક છે તેથી ઇંદ્રિયોને વિષયોથી વિરોધ કરે છે, એ અર્થ પ્રાપ્ત થાય છે. ૩. અનર્થ મૂળવાળા અર્થમાં લોભ કરતો નથી. “અર્થ’ શબ્દ સપ્તમી અર્થમાં છે. તેનો અર્થ અનર્થમૂલવાળા અર્થમાં લોભ કરતો નથી તે પ્રાપ્ત થાય છે. ૪. સંસારમાં રતિ કરતો નથી. સપ્તમી અર્થવાળા “સંસાર' શબ્દનો આ અર્થ છે. ૫. વિષયોમાં વૃદ્ધિ કરતો નથી=સપ્તમી અર્થવાળા 'વિષય' શબ્દનો આ અર્થ છે. ૬. તીવ્ર આરંભને કરતો નથી. અને અનિચ્છતો જ=નહિ ઈચ્છતો જ, એવો શ્રાવક આને–તીવ્ર આરંભને, કરે છે. સપ્તમી અર્થવાળા “આરંભ' શબ્દનો આ અર્થ છે. ૭. ગૃહવાસમાં બંધનની જેમ માનતો વસે છે. સપ્તમી અર્થવાળા ગેહ' શબ્દનો આ અર્થ છે. ૮. સમ્યક્તથી ચલાયમાન થતો નથી=સપ્તમી અર્થવાળા દર્શન' શબ્દનો આ અર્થ છે. ૯. ગાડરિક પ્રવાહને ત્યાગે છે. ૧૦. આગમપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે. ૧૧. યથાશક્તિ દાતાશિમાં પ્રવર્તે છે. ૧૨. બ્રિહિત=લજ્જા વગરનો=નિરવદ્ય ક્રિયા કરતો લજ્જા પામતો નથી. ૧૩. સંસારગત પદાર્થોમાં રાગ-દ્વેષ રહિત વસે છે. ૧૪. ધમદિના સ્વરૂપના વિચારમાં મધ્યસ્થ થાય, પરંતુ મારા વડે આ પક્ષ સ્વીકાર કરાયો છે એ પ્રકારના અભિનિવેશવાળો ન થાય. ૧૫. ધન-સ્વજનાદિમાં સંબંધવાળો પણ ક્ષણભંગુરતાને ભાવન કરતો અસંબદ્ધની જેમ રહે છે. ૧૬. પર માટે અત્યજન-દાક્ષિણ્યાદિથી ભોગ-ઉપભોગમાં પ્રવર્તે છે પરંતુ સ્વ-તીવ્રરસથી ભોગઉપભોગમાં પ્રવર્તતો નથી. ૧૭. વેશ્યાની જેમ નિરાશસ એવો તે ગૃહવાસનું પાલન કરે છે. પ્રાસંગિક લક્ષણ પ્રરૂપણાથી સર્યું. Page #186 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૬૯ ભાવાર્થ : અહીં ગ્રંથકારશ્રીએ ભાવશ્રાવકનું સ્વરૂપ બતાવ્યું. વળી આગમમાં શ્રાવકના ૪-૪ ભેદો બે પ્રકારે બતાવ્યા છે તેના તાત્પર્યનું સ્પષ્ટીકરણ કર્યું. હવે “ધર્મરત્ન પ્રકરણમાં ભાવશ્રાવકનાં લિંગો બતાવાયાં છે તે ભાવશ્રાવકના જ્ઞાનમાં ઉપયોગી છે તેથી તે લિંગો ગ્રંથકારશ્રી અહીં બતાવે છે. તે ભાવશ્રાવકનાં છ લિંગો આચરણા વિષયક છે. તેમાંથી પ્રથમ લિંગ “કૃતવ્રતકર્મવાળો” ભાવશ્રાવક છે તેનું સ્વરૂપ બતાવે છે – ૧. કૃતવ્રતકર્મા - શ્રાવક ગુરુ પાસેથી વિનય-બહુમાન દ્વારા વ્રતના સ્વરૂપને સાંભળે અને સાંભળ્યા પછી વ્રતના ભાંગાઓના ભેદોનું અને વ્રતના અતિચારોનું યથાર્થ જ્ઞાન થાય તે રીતે અવધારણ કરે. ત્યારપછી પોતાની શક્તિનું સમાલોચન કરીને જે વ્રતો પોતે સમ્યકુપાલન કરી શકે તેમ જણાય તેવાં વ્રતો ગુરુ પાસે ગ્રહણ કરે અને તેમાંથી જે વ્રતો જાવજીવ સુધી પાલન કરી શકે તેમ છે તે વ્રતો જાવજીવ સુધી ગ્રહણ કરે છે. કેટલાંક વતો શક્તિનું સમાલોચન કરીને ઇત્વરકાળ માટે ગ્રહણ કરે છે અને તે ગ્રહણ કરાયેલાં વ્રતોનું વિધિપૂર્વકપાલન કરે છે તે શ્રાવક કરાયેલાં વ્રતકર્મવાળો કહેવાય છે. ૨. શીલવાન - વળી, તે શ્રાવક શીલવાળો હોય છે. તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – જે શ્રાવક જ્યાં ધર્માજનો એકઠા થતા હોય, તત્ત્વની વિચારણા કરતા હોય જેનાથી આત્મકલ્યાણ માટે સૂક્ષ્મતત્ત્વની પ્રાપ્તિ થતી હોય તેવા ધર્મીજનના મિલનના સ્થાનરૂપ આયતનનું સેવન કરે છે. વળી, કોઈ કાર્ય ન હોય તો પરનાં ઘરોમાં જતો નથી. જેનાથી નિપ્રયોજન પ્રવૃત્તિનું નિવારણ થાય છે. વળી હંમેશાં અનુક્મટ વેશને ધારણ કરે છે અને વિકાર પેદા કરાવે તેવા વચનો બોલતો નથી. વળી, બાલ જેવી જુગારાદિની ક્રિયા કરતો નથી, વળી મધુરનીતિથી પોતાના ધર્મ-અર્થ-કામનાં સર્વ કાર્યો સાધે છે. આ રીતે છ પ્રકારના ગુણો જે શ્રાવક ધારણ કરે છે તે શીલગુણવાળો છે. ૩. ગુણવાન : વળી, શ્રાવક ગુણવાળો હોય છે. જોકે શ્રાવકમાં ઘણા ગુણો હોય છે તોપણ તે ગુણોનો બોધ કરાવવા માટે શ્રાવકના પ્રધાન પાંચ ગુણોને મહાત્માઓ કહે છે. શ્રાવક નવું નવું શાસ્ત્ર-અધ્યયન કરે છે તેથી પોતાની શક્તિ અનુસાર વાચના, પૃચ્છના આદિ દ્વારા પોતાના આત્માને વાસિત કરે છે જેના કારણે પ્રતિદિન શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થોનો જાણકાર બને છે. શાસ્ત્રથી આત્માને અત્યંત ભાવિત કરવાને કારણે શ્રાવક પ્રતિદિન નિર્મળ-નિર્મળતર થાય છે જેનાથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે. વળી, પોતાની શક્તિ અનુસાર તપ-નિયમ-ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોને સેવીને પોતાના શ્રાવક-જીવનને સમૃદ્ધ કરે છે. વળી, ગુણવાન એવા ગુરુ આદિના વિનયમાં હંમેશાં ઉદ્યમવાળો હોય છે જેના બળથી પોતાનામાં પણ સદા ગુણોની વૃદ્ધિ થાય છે. વળી, કોઈ કૃત્યમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અભિનિવેશ રહિત હોવાને કારણે ઉચિત જાણવા માટે યત્ન કરનારો હોય છે તેથી હિતને અનુકૂળ અને અહિતના નિવારણની ઉચિત પ્રવૃત્તિ તે કરી શકે છે. વળી, શ્રાવકને સ્થિર શ્રદ્ધા હોય છે કે આ સંસારસમુદ્રથી તરવાનું પ્રબળ કારણ એક જિનવચન જ છે, અન્ય કંઈ નથી તેથી સદા સ્થિર શ્રદ્ધાપૂર્વક સ્વાધ્યાયાદિ દ્વારા જિનપંચનના સૂક્ષ્મ-સૂક્ષ્મતર પદાર્થ જાણવા ઉદ્યમ કરે છે. ૪. ઋજુવ્યવહારી : વળી, ભાવશ્રાવકનું ચોથું લક્ષણ ઋજુવ્યવહારી છે. જે શ્રાવક ઋજુવ્યવહારવાળો હોય તે હંમેશાં વ્યાપારાદિ ક્રિયામાં યથાર્થ કથન કરે પરંતુ મૃષાવાદ કરે નહિ. વળી, એવો શ્રાવક કોઈને ઠગવાની ક્રિયા કરે નહીં પરંતુ મનની ક્રિયા, વાણીની ક્રિયા કે કાયિક ક્રિયા સરળ ભાવથી કોઈને ઠગવાનું કારણ ન બને તે રીતે જ પ્રવર્તાવે. જેમ મનમાં કોઈને ઠગવાનો વિચાર ન કરે, વચન પણ કોઈને ઠગવાનું કારણ બને તે પ્રકારે ન પ્રવર્તાવે અને ઇશારાદિ રૂપે કાયિક ચેષ્ટા પણ કોઈને ઠગવાનું કારણ ન બને તે રીતે પ્રવર્તાવે. વળી, પોતાના સ્વજનાદિને હંમેશાં કહે કે અશુદ્ધ વ્યવહાર કરવાથી ભાવિમાં ઘણા અનર્થો થાય છે. જેમ વેપારમાં ખોટું-સારું કરવાથી લોકોમાં અવિશ્વાસ પેદા થાય છે. તેથી વર્તમાનભવમાં પણ ઉચિત વ્યાપાર તૂટે છે અને તેવી ખોટી પ્રવૃત્તિ કરવાથી પરલોકમાં પણ અહિત થાય છે. માટે વ્યાપારાદિ કૃત્યોમાં ખોટુંસાચું કરવાથી આ ભવમાં અને પરભવમાં અહિત થાય છે. આ પ્રકારનો ઉચિત ઉપદેશ ઋજુવ્યવહારી શ્રાવક આપે. વળી નિષ્કપટપણાથી બધા સાથે મિત્રભાવને ધારણ કરે તેથી પોતાના હિતને અનુકૂળ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા શ્રાવકને શાસ્ત્રકારો ઋજુવ્યવહારી કહે છે. ૫. ગુરુશુશ્રુષક : શ્રાવક ગુરુની ઉચિત સેવા કરનારા હોય. કેવી રીતે ગુરુની સેવા કરે ? તે સ્પષ્ટ કરે છે – ગુરુની હંમેશાં પર્યુપાસના કરે, અર્થાત્ ગુરુ પાસે ઉચિત વિનયથી બેસે અને ગુરુનાં ઉચિત કૃત્યો કરવામાં સહાયક થાય તે પ્રકારે ગુરુની પર્યાપાસના કરે. વળી, ગુરુજનનાં ગુણગાન કરીને અન્યજનને પણ ગુરુની પર્યાપાસનામાં પ્રવર્તાવે અર્થાત્ અન્ય યોગ્ય જીવોને હંમેશાં કહે કે આ મહાત્માનો સદા પરિચય કરશો તો તમને હિતની પ્રાપ્તિ થશે; કેમ કે નિઃસ્પૃહી મુનિ હંમેશાં યોગ્ય જીવોને સન્માર્ગ બતાવીને હિતમાં પ્રવર્તાવે છે. આ પ્રકારે શ્રાવક પણ યોગ્ય જીવને ગુરુની શુશ્રષામાં તત્પર કરે. વળી, ગુરુ પ્રત્યેની ભક્તિને કારણે તેમના ઔષધાદિનું સંપાદન કરે. વળી ગુરુ પ્રત્યેની ભક્તિને કારણે ગુરુજનના ચિત્તને જાણીને તે પ્રમાણે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે, આ પ્રમાણે ગુરુજનની શુશ્રષામાં શ્રાવક તત્પર રહે. અહીં “ગુરુ” શબ્દથી માતા-પિતાનું ગ્રહણ નથી પરંતુ સન્માર્ગના દેશક એવા ધર્માચાર્યાદિ જ ગુરુજનથી પ્રસ્તુત છે. ૬. પ્રવચનકુશલ :વળી ભાવશ્રાવક પ્રવચનકુશલ હોય. કઈ રીતે પ્રવચનકુશલ હોય તે સ્પષ્ટ કરે છે. ગુરુની ભક્તિ કરીને Page #188 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૧૭૧ ગુરુ પાસેથી પોતાની શક્તિ અનુસાર સૂત્રો ગ્રહણ કરે. તે સૂત્રોને સ્થિર પરિચિત કરે તેથી શ્રાવકજીવનને ઉચિત એવાં સૂત્રોના વિષયમાં તે કુશળ બને. વળી, સૂત્રોને ગ્રહણ કરીને સ્થિર પરિચિત કર્યા પછી સંવિજ્ઞગીતાર્થ સાધુ પાસે સૂત્રના અર્થોનું શ્રવણ કરે અને તેના અર્થોનો યથાર્થ નિર્ણય કરીને તેમાં પણ કુશળ બને. સૂત્ર-અર્થમાં જેમ કુશળ બને તેમ ક્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિ કરવી ઉચિત છે અને ક્યારે અપવાદથી પ્રવૃત્તિ કરવી ઉચિત છે તેનું યથાર્થ જ્ઞાન પણ ગુરુ પાસેથી મેળવીને તેમાં કુશળ બને. વળી, સ્વભૂમિકાનુસાર જે અનુષ્ઠાન સેવે છે તે અનુષ્ઠાનોમાં ઉચિત ભાવોમાં શ્રાવક કુશળ હોય. જેમ ષડૂઆવશ્યકમાં પ્રતિક્રમણની ક્રિયા કરે ત્યારે તે છ આવશ્યક કઈ રીતે સમ્યફ નિષ્પન્ન થાય તેના પરમાર્થને જાણીને તે રીતે જ કરવામાં કુશલ હોવાથી ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરે ત્યારે આ ભગવાનની પૂજા કઈ રીતે ૧૮૦૦૦ શીલાંગ સ્વરૂપ ભાવચારિત્રનું કારણ બને તેને અનુરૂપ નિપુણભાવ કરવામાં કુશલ હોય. ભાવમાં કુશલ થવા માટે શ્રાવક વિધિપૂર્વક શ્રાવકાચાર પાળનારા અન્ય શ્રાવકોનું બહુમાન કરે છે અને સ્વયં પણ ઉત્તમભાવ નિષ્પત્તિને અનુકૂળ બોધાદિની સામગ્રી વિદ્યમાન હોય તો શ્રાવક યથાશક્તિ તે અનુષ્ઠાનોને વિધિપૂર્વક સેવવા પ્રયત્ન કરે છે. કોઈ કારણે તે પ્રકારનો સૂક્ષ્મ બોધ કરાવવા માટેની સામગ્રી વિદ્યમાન ન હોય તોપણ હિંમેશાં ભાવથી વિધિના પરમાર્થને જાણીને વિધિપૂર્વક સેવવાના મનોરથ કરે છે. જેની ઉચિત સામગ્રી થાય તો દરેક અનુષ્ઠાનોના ઉચિત પરમાર્થને પ્રાપ્ત કરીને અવશ્ય તે ભાવોની નિષ્પત્તિનું કારણ બને તે રીતે જ ધર્માનુષ્ઠાન કરે છે. વળી, વ્યવહારમાં પણ શ્રાવક કુશળ હોય તેથી દેશકાળાદિને અનુકૂળ ગીતાર્થ પુરુષથી આચરિત એવા ઉચિત વ્યવહારને ક્યારેય દૂષિત કરે નહીં પરંતુ વિચારે કે ગીતાર્થ પુરુષો ગુરુ-લાઘવના પર્યાલોચનપૂર્વક જે કૃત્યમાં અધિક લાભ હોય તેવું ઉચિત કૃત્ય કરનારા છે. આ પ્રકારના ઉચિત વ્યવહાર પ્રત્યેના નિર્ણયમાં જે શ્રાવક કુશલ હોય તે શ્રાવક પ્રવચનકુશલ' કહેવાય અને જે ભાવશ્રાવક છે તે હંમેશાં ગીતાર્થના પરિચયથી અલ્પકાળમાં પ્રવચનકુશલ બને છે. પૂર્વમાં ભાવશ્રાવકનાં જે છ લિંગો બતાવ્યાં તે ક્રિયાને આશ્રયીને હતા, હવે શ્રાવકના નિર્લેપભાવને આશ્રયીને કેવાં લિંગો હોય છે તે સત્તર ભેદથી બતાવે છે – શ્રાવકને ભોગની ઇચ્છા હોવા છતાં સ્ત્રીને અત્યંત વશવર્તી હોય નહીં જેથી પોતાના શ્રાવકાચારની ઉચિત પ્રવૃત્તિ કરવામાં સ્ત્રીની આધીનતા બાધક બને નહિ. વળી, શ્રાવક સંસારના પારમાર્થિક સ્વરૂપને જોનાર છે માટે પોતાનામાં જે વિષયોની મનોવૃત્તિ છે તેના નાશ અર્થે હંમેશાં તત્ત્વનું ભાવન કરીને વિષયોથી ઇંદ્રિયોનો વિરોધ કરે છે. વળી, શ્રાવક સંસારમાં છે તેથી અર્થની આવશ્યકતા રહે છે તો પણ જાણે છે કે આ અર્થ સર્વ અનર્થોનું મૂળ છે; કેમ કે ધન પ્રત્યેના મમત્વના કારણે ઉપાર્જન-સંરક્ષણાદિના શો પ્રાપ્ત થાય છે અને તેના નિમિત્તે અનેક પ્રકારના આરંભ-સમારંભ થાય છે. માટે અનેક પ્રકારના અનર્થના કારણરૂપ એવા અર્થનું ઉપાર્જન કરતો હોય તો પણ તેમાં અતિ લોભને ધારણ કરે નહીં જેથી અનુચિત રીતે પણ અર્થ ઉપાર્જન કરવાનો અધ્યવસાય શ્રાવકને થતો નથી. Page #189 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વળી, સંસારની સર્વ પ્રવૃત્તિ કર્મબંધનું કારણ છે અને જે કર્મબંધ આત્મા માટે દુઃખની પરંપરાનું કારણ છે તેવી સંસારની પ્રવૃત્તિમાં શ્રાવક ૨તિ કરતો નથી પરંતુ સંયમમાં જ રતિને કરે છે તેથી સ્વભૂમિકાનુસા૨ સંયમની શક્તિ સંચય કરવા માટે સદા યત્ન કરે છે. ૧૭૨ વળી, શ્રાવક ગૃહસ્થવાસમાં છે તેથી વિષયોમાં પ્રવૃત્તિ કરે છે તોપણ વિષયોમાં વૃદ્ધિને કરતો નથી. વળી, સંસારની પ્રવૃત્તિ આરંભ-સમારંભરૂપ છે તોપણ જે પ્રવૃત્તિમાં ઘણો આરંભ હોય તેવી પ્રવૃત્તિ કરતો નથી. ક્વચિત્ આજીવિકાનો પ્રશ્ન થાય તો આ તીવ્ર આરંભવાળી પ્રવૃત્તિ કરવી પડે તોપણ તેવા આરંભની અનિચ્છાને ધા૨ણ ક૨તો જ કરે છે. વળી, શ્રાવક તત્ત્વનું ભાવન કરે છે કે ગૃહવાસ એ પાશના બંધન જેવો છે; કેમ કે ઘર, કુટુંબ સ્વજન બધા પ્રત્યેના સ્નેહના પરિણામો જીવને સંસારમાં બાંધી રાખે છે. માટે આ બંધનથી મુક્ત થવાને અનુકૂળ શક્તિ સંચય ક૨વામાં સદા યત્ન કરે છે. વળી, શ્રાવક વારંવાર વિચાર છે કે ભગવાને જે કહ્યું છે તે જ તત્ત્વ છે તેમાં કોઈ સંદેહ નથી અને ભગવાને સર્વ ઉદ્યમથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ ભાવમલને દૂર કરવાનો માર્ગાનુસા૨ી ઉપદેશ આપેલ છે તે જ ‘તત્ત્વ' છે. તેમ વિચારીને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધારૂપ સમ્યક્ત્વથી ચલાયમાન થતો નથી. વળી, શ્રાવક ગતાનુગતિકરૂપ ગાડરિયા પ્રવાહનો ત્યાગ કરે છે અને જીવનની જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વમાં આગમને આગળ કરીને ક્રિયાઓ કરે છે. આથી જ જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ઉચિત ધર્માનુષ્ઠાન કરે છે તેમાં પણ આગમને આગળ કરીને સર્વ ક્રિયાઓ કરે છે. એટલું જ નહિ, પણ ભોગાદિની ઇચ્છા થાય ત્યારે પણ ભગવાનના વચનનું સ્મરણ કરે છે. ભગવાને ‘સલ્લું કામા વિષે કામા...' ઇત્યાદિ કહેલ છે અને તે વચનના સ્મરણથી ભોગાદિની ઇચ્છાના શમન માટે ઉદ્યમ કરવા છતાં ઇચ્છા શાંત ન થાય તો જિનવચનના સ્મરણપૂર્વક યતનાથી તે રીતે ભોગાદિની પ્રવૃત્તિ કરે કે જેથી ધર્મથી નિયંત્રિત થયેલી ભોગાદિની પ્રવૃત્તિ પણ ક્લેશનું કારણ ન બને. વળી, પોતાની શક્તિનું સમાલોચન કરીને જિનવચનાનુસાર દાનાદિક ઉચિત કૃત્યોમાં પ્રવર્તે છે. વળી, શ્રાવક ભગવાનની ભક્તિ કે શીલાદિની ઉચિત એવી નિરવઘ ક્રિયાને કરતો લોકોથી લજ્જા પામતો નથી. વળી, શ્રાવક પ્રતિદિન આત્માને જિનવચનથી ભાવિત કરે છે તેથી સંસારગત પદાર્થોમાં તેના રાગ-દ્વેષ ક્ષીણ-ક્ષીણતર થતા હોય છે તેથી સંસારગત પદાર્થોમાં રાગ-દ્વેષ વગરના વર્તે છે. વળી, ધર્માદિના સ્વરૂપના વિચારમાં મધ્યસ્થ હોય છે પરંતુ મેં આ પક્ષ સ્વીકાર્યો છે માટે મારે એ પક્ષ અનુસા૨ જ ધર્મ ક૨વો જોઈએ એવો મિથ્યા અભિનિવેશ ધારણ કરતો નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ १७३ વળી, શ્રાવક ગૃહવાસમાં છે. તેથી ધન, સ્વજનાદિ સાથે સંબંધવાળો છે. છતાં વારંવાર સંસારની ક્ષણભંગુરતાનું ભાવન કરે છે તેથી ધનાદિમાં સંબંધની બુદ્ધિ નષ્ટ-નષ્ટતર જેવી હોય છે માટે ધનસ્વજનાદિ સાથે અસંબદ્ધ જેવો જ રહે છે. વળી, શ્રાવક સંસારનું સ્વરૂપ વારંવાર ભાવન કરે છે. તેથી તેની ભોગ-ઉપભોગની વૃત્તિ અતિક્ષીણ થયેલી હોય છે છતાં કુટુંબજનાદિ દાક્ષિણ્યથી ભોગોમાં પ્રવર્તે છે પરંતુ સ્વ-તીવરસથી પ્રવર્તતો નથી. વળી, વેશ્યાને કોઈ પુરુષ પ્રત્યે રાગ હોતો નથી, કેવલ ધન અર્થે તેનો સ્વીકાર કરે છે. તેથી જેમ તે વેશ્યા પુરુષ પ્રત્યે નિરાશંસ હોય છે, તે રીતે શ્રાવક ગૃહવાસનું પાલન કરે છે; કેમ કે જિનવચનથી પ્રતિદિન ભાવિત થવાને કારણે શ્રાવકનું ચિત્ત સદા સર્વવિરતિના સ્વીકારને અનુકૂળ ઉત્તમ ભાવોથી વાસિત હોય છે. આ રીતે પ્રાસંગિક “ધર્મરત્ન પ્રકરણમાં બતાવેલાં શ્રાવકનાં લક્ષણોનું પ્રતિપાદન ગ્રંથકારશ્રીએ કર્યું. હવે ते. प्रसंगथी. सयु. टी :- अत्र च प्रतिपन्नसम्यक्त्वेनादित एव नियमपूर्वं तथाऽभ्यासः कार्यः, यथोक्तं श्राद्धविधिवृत्तौ, “तथाहि - पूर्वं तावन्मिथ्यात्वं त्याज्यम्, ततो नित्यं यथाशक्ति त्रिर्द्विः सकृद्वा जिनपूजा जिनदर्शनं संपूर्णदेववन्दनं चैत्यवन्दना च कार्येति । एवं सामग्र्यां गुरौ बृहल्लघु वा वन्दनम्, सामग्र्यभावे नामग्रहणेन वन्दनं नित्यम्, वर्षाचतुर्मास्यां पञ्चपादौ वाऽष्टप्रकारीपूजा, यावज्जीवं नव्यान्नपक्वान्नफलादेर्देवस्य ढौकनं विनाऽग्रहणम्, नित्यं नैवेद्यपूगादेौंकनम्, नित्यं चतुर्मासीत्रयवार्षिकदीपोत्सवादौ वाऽष्टमङ्गलढौकनम्, नित्यं पर्वसु वा वर्षमध्ये कियद्वारं वा खाद्यस्वाद्यादिसर्ववस्तूनां देवस्य गुरोश्च प्रदानपूर्वं भोजनम्, प्रतिमासं प्रतिवर्ष वा महाध्वजप्रदानादिविस्तरेण स्नात्रमहापूजारात्रिजागरणादि, नित्यं वर्षादौ कियद्वारं वा चैत्यशालाप्रमार्जनसमारचनादि, प्रतिवर्ष प्रतिमासं वा चैत्येऽगरूत्क्षेपणदीपार्थपुम्भिकाकियद्दीपघृतचन्दनखण्डादेः शालायां मुखवस्त्रजपमालाप्रोञ्छनकचरवलकाद्यर्थं कियद्वस्त्रसूत्रकम्बलोर्णादेश्च मोचनम्,वर्षासु श्राद्धादीनामुपवेशनार्थं कियत्पट्टिकादेः कारणम्, प्रतिवर्षं सूत्रादिनापि सङ्घपूजा कियत्साधर्मिकवात्सल्यादि च, प्रत्यहं कियान् कायोत्सर्गः स्वाध्यायः त्रिशत्यादिगुणनं च, नित्यं दिवा नमस्कारसहितादेः रात्रौ दिवसचरमस्य च प्रत्याख्यानस्य करणम्, द्विः सकृद्वा प्रतिक्रमणादि चादौ नियमनीयानि" [प.८४-५] नन्वेवमविरतावस्थायां विरतिपरिणामाभावे प्रत्याख्यानप्रतिक्रमणादिविरतिधर्मस्य कर्त्तव्यत्वाङ्गीकारे तात्त्विकगुणस्थानावस्था लुप्येत, नहि तुर्यगुणस्थाने पञ्चमगुणस्थानादिक्रियाकरणं युक्तियुक्तम्, अविरतसम्यग्दृष्टिगुणस्थानहानिप्रसक्तेः, नापि च क्षयोपशमादिभावभाव्यानि गुणस्थानानि अस्मदादिबाह्यौदयिकभावोद्भूतक्रियाकृष्टान्यायान्ति इति चेन्मैवम्, शास्त्रार्थापरिज्ञानात्, नहि तुर्यगुणस्थाने Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ विरतिक्रियाकरणं शास्त्रे निषिद्धम्, किन्तु पारमार्थिकाध्यवसायरूपो विरतिपरिणामः स हि असनपि विशुद्धव्रतग्रहणादिक्रियाकारिणां तन्माहात्म्यादेव तद्ग्रहणानन्तरं जायते, सँश्च परिवर्द्धते, नतु प्रतिपातशीलो भवति । अत एव क्षायोपशमिकानि गुणस्थानानि नास्मदादिबाह्यौदयिकक्रियाकृष्टान्यायान्तीतिबुद्ध्या सम्यग् क्रियायां नोदासितव्यम्, प्रयत्नेन तेषामपि सुलभत्वाद्, उपायाधीनत्वादुपेयस्य च न चैतत् स्वमनीषिकाविजृम्भितम्, यदाहुः श्रीहरिभद्रसूरिवराः पञ्चाशकप्रकरणे सम्यक्त्वव्रतपरिणामस्थैर्यार्थं विधेयगतोपदेशप्रस्तावे - "गहणादुवरि पयत्ता, होइ असन्तोऽवि विरइपरिणामो । अकुसलकम्मोदयओ, पडइ अवण्णाइं लिंगमिह ।।१।। तम्हा णिच्चसईए, बहुमाणेणं च अहिगयगुणम्मी । पडिवक्खदुगंछाए, परिणइआलोअणेणं च ।।२।। तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए अ । उत्तरगुणसद्धाए, एत्थ सया होइ जइअव्वं ।।३।। एवमसंतोवि इमो, जायइ जाओवि पडइ न कयावि । ता इत्थं बुद्धिमया, अपमाओ होइ कायव्वो ।।४।।" [१/३५-८] आसां व्याख्या-“ग्रहणाद्="गुरुमूले श्रुतधर्मे"त्यादिविधिना सम्यक्त्वव्रतोपादानादुपरि उत्तरकाले प्रयत्नादुद्यमविशेषाद्धेतोर्भवति जायते, असन्नपि कर्मदोषादविद्यमानोऽपि, संस्तु भूत एवेत्यपिशब्दार्थः कोऽसावित्याह"विरतिपरिणामः" प्राणातिपातादिनिवर्त्तने पारमार्थिकाध्यवसायः, उपलक्षणत्वात् सम्यक्त्वपरिग्रहणम्, सोपक्रमत्वाद्विरत्याद्यावारककर्मणाम्, तथाविधप्रयत्नस्य च तदुपक्रमणस्वभावत्वादिति । अथोक्तविपर्ययमाहअकुशलकर्मोदयतोऽशुभकर्मोपायादिकर्मानुभावात्पतति सन्नपि व्रतग्रहणस्योपरि प्रयत्नं विना अपयाति विरतिपरिणाम इति प्रकृतम् । तत्प्रतिपातश्च लिङ्गेनावसीयते तदेवाह-अवर्णो व्रतानां व्रतदेशकानां व्रतवतां वा अश्लाघा अवज्ञा वा अनादर आदिर्यस्य तदवर्णादि अवज्ञादि वा आदिशब्दात्तद्रक्षणोपायाऽप्रवृत्त्यादि च लिङ्गं लक्षणमिह व्रतपरिणामपरिपात इति । न च वाच्यं-"विरतिपरिणामाभावे कथं व्रतग्रहणम् ? इति, उपरोधादिना तस्य सम्भवात् श्रूयन्ते ह्यनन्तानि द्रव्यतः श्रमणत्वश्रावकत्वोपादानानीति प्रथमगाथार्थः । प्रस्तावितोपदेशमेवाह-"तम्हा"गाहा “तित्थंकर"गाहा । यस्मादसन्नपि विरतिपरिणामः प्रयत्नाज्जायते, प्रयत्न विना चाऽकुशलकर्मोदयात् सन्नपि प्रतिपतति, तस्मात्कारणात् नित्यस्मृत्या सार्वदिकस्मरणेन भवति सम्बन्धः Page #192 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ ૧૭૫ यतितव्यमिति । तथा बहुमानेन भावप्रतिबन्धेन, चशब्दः समुच्चये, अधिकृतगुणेऽङ्गीकृतगुणे सम्यक्त्वाणुव्रतादौ, इदं च पदं पूर्वपदाभ्यामुत्तरपदेन च सह प्रत्येकं योज्यते । तथा “प्रतिपक्षजुगुप्सया" मिथ्यात्वप्राणिवधायुद्वेगेन तथा “परिणत्यालोचनेन" अधिकृतगुणविपक्षभूता मिथ्यात्वप्राणातिपातादयो दारुणफलाः, अधिकृतगुणा वा सम्यक्त्वाऽणुव्रतादयः परमार्थहेतव एव इत्येवं विपाकपर्यालोचनेन, चशब्दः समुच्चय एव । तथा “तीर्थकरभक्त्या" परमगुरुविनयेन तथा “सुसाधुजनपर्युपासनया" भावयतिलोकसेवया, चशब्दः समुच्चय एव तथा “उत्तरगुणश्रद्धया" प्रधानतरगुणाभिलाषेण, सम्यक्त्वे सति अणुव्रताभिलाषेण, अणुव्रतेषु सत्सु महाव्रताभिलाषेणेतिभावः, चशब्दः समुच्चय एव, “अत्र" सम्यक्त्वाऽणुव्रतादिव्यतिकरे तत्प्रतिपत्त्युत्तरकालं “सदा" सर्वकालं "भवति" युज्यते, यतितव्यमुद्यमः कर्त्तव्यः, इति गाथात्रयार्थः । "एवमसन्तो” गाहा, एवमसन्नपि व्रतग्रहणकाले "इमो"त्ति अयं व्रतपरिणामो जायते । जातोऽपि व्रतग्रहणकाले न पतति कदापि, तस्मादत्र व्रतग्रहणादिविधावप्रमादः कर्त्तव्यो भवतीति चतुर्थगाथार्थः । एवं च विरतेरभ्यासेनाविरतिर्जीयते, अभ्यासादेव हि सर्वक्रियासु कौशलमुन्मीलति, अनुभवसिद्धं चेदं लिखनपठनसङ्ख्यानगाननृत्यादिसर्वकलाविज्ञानेषु सर्वेषाम्, उक्तमपि - "अभ्यासेन क्रियाः सर्वा, अभ्यासात्सकलाः कलाः । अभ्यासाद्ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ? ।।१।।" निरन्तरं विरतिपरिणामाभ्यासे च प्रेत्यापि तदनुवृत्तिः स्यात् । यत उक्तम्"जं अब्भसेइ जीवो, गुणं च दोसं च एत्थ जम्ममी । तं पावइ परलोए, तेण य अब्भासजोएणं ।।१।।" तस्मादभ्यासेन तत्परिणामदाढये यथाशक्ति द्वादशव्रतस्वीकारः, तथा सति सर्वागीणविरतेः संभवाद्, विरतेश्च महाफलत्वात् अन्येऽपि च नियमाः सम्यक्त्वयुक्तद्वादशान्यतरव्रतसंबद्धा एव देशविरतित्वाभिव्यञ्जकाः अन्यथा तु प्रत्युत पार्श्वस्थत्वादिभावाविर्भावकाः । यत उपदेशरत्नाकरे__ "सम्यक्त्वाणुव्रतादिश्राद्धधर्मरहिता नमस्कारगुणनजिनार्चनवन्दनाद्यभिग्रहभृतः श्रावकाभासाः श्राद्धधर्मस्य पार्श्वस्थाः" इति ।।२२।। टोडार्थ : अत्र च ..... पार्श्वस्थाः' इति ।। मने सही श्रा494मां, स्वीयेला सम्यवाणा पुरुष 43 આદિથી જ નિયમપૂર્વક તે પ્રકારે અભ્યાસ કરવો જોઈએ. જે પ્રકારે ‘શ્રાદ્ધવિધિ વૃત્તિમાં કહેવાયું છે ते मा प्रमाणे - પૂર્વમાં મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ=સમ્યક્ત સ્વીકારીને શ્રાવકાચાર પાળતી વખતે ક્યારેય પણ જિનવચનમાં Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ સંદેહ કર્યા વગર જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિ કરવાનો પક્ષપાત કરવો જોઈએ. ત્યારપછી નિત્ય પોતાની શક્તિ અનુસાર ત્રણ વખત, બે વખત અથવા એક વખત જિનપૂજા, જિનદર્શન, સંપૂર્ણ દેવવંદન અને ચૈત્યવંદન કરવું જોઈએ. ગુરુવંદનને અનુકૂળ સામગ્રીના અભાવમાં નામ ગ્રહણપૂર્વક નિત્ય ગુરુને વંદન કરવું જોઈએ. એ રીતે=જે રીતે જિનપૂજાદિ કરવી જોઈએ એ રીતે, સામગ્રી હોતે છતે ગુરુ વિષયક બૃહદ્ અથવા લઘુવંદન કરવું જોઈએ. ગુરુવંદનને અનુકૂળ સામગ્રીના અભાવમાં નામગ્રહણપૂર્વક નિત્ય ગુરુને વંદન કરવું જોઈએ. વર્ષમાં અને ચાતુર્માસમાં અથવા પાંચ પર્વાદિમાં અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. માવજજીવ નવું અન્ન, પકવાન, ફલાદિનું દેવને સમર્પણ કર્યા વગર ગ્રહણ કરવું જોઈએ નહિ. નિત્ય નૈવેદ્ય-પકવાન આદિનું દેવને સમર્પણ કરવું જોઈએ. નિત્ય ચાતુર્માસિક ત્રય અથવા વાર્ષિક દીપોત્સવાદિમાં અષ્ટમંગલ આલેખન કરવાં જોઈએ. નિત્ય અથવા પર્વદિવસોમાં અથવા વર્ષમાં કેટલીક વાર ખાદ્ય સ્વાઘાદિ સર્વ વસ્તુઓનું દેવને અને ગુરુને પ્રદાનપૂર્વક ભોજન કરવું જોઈએ. પ્રતિમાસ અથવા પ્રતિવર્ષ મહાધ્વજપ્રદાનાદિના વિસ્તારથી સ્નાત્ર, મહાપૂજા, રાત્રિજાગરણ કરવું જોઈએ. નિત્ય વર્ષાદિમાં અથવા કેટલીકવાર ચૈત્યશાલાનું પ્રમાર્જન અને સમારચનાદિ=સમારકામ, વગેરે કરવાં જોઈએ. પ્રતિવર્ષ અથવા પ્રતિમાસ ચૈત્યમાં અગરુનું ઉત્તેપણ=ચૈત્યમાં અગરુનો ધૂપ કરવો જોઈએ, દીપક માટે પુમિકા, કેટલાક દીવાનું ઘી, ચંદનના ટુકડાદિનું અર્પણ કરવું જોઈએ. શાલામાં=પૌષધશાલામાં, મુખવસ્ત્ર=મુહપત્તિ, જપમાલા, પૂજણી, કચરો કાઢવા માટે કેટલાંક વસ્ત્ર, સૂત્ર, કંબલ આદિ મૂકવાં જોઈએ. વર્ષાઋતુમાં શ્રાવક આદિને બેસવા માટે કેટલીક પટ્ટકાદિ કરાવવી જોઈએ. પ્રતિવર્ષ સૂત્રાદિથી પણ સંઘપૂજા અને કેટલાંક સાધર્મિક-વાત્સલ્યાદિ કરવાં જોઈએ. દરરોજ કેટલાક કાયોત્સર્ગ, સ્વાધ્યાય અને ત્રિશત્યાદિનું ગુણન કરવું જોઈએ. નિત્ય દિવસે નમસ્કાર સહિત આદિનું પચ્ચખાણ=નવકારશી આદિનું પચ્ચખ્ખાણ, કરવું જોઈએ. અને રાત્રે દિવસચરિમ પચ્ચખ્ખાણ કરવું જોઈએ. બે વખત અથવા એક વખત પ્રતિક્રમણાદિ કરવાં જોઈએ. આદિમાં=શ્રાવકધર્મની આદિમાં, નિયમો છે આ સર્વ કર્તવ્યો છે.' (. ૮૪-૮૫) નr'થી શંકા કરે છે – આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે. અવિરતિ અવસ્થામાં વિરતિના પરિણામનો અભાવ હોતે છતે પ્રત્યાખ્યાન-પ્રતિક્રમણાદિ વિરતિધર્મના કર્તવ્યત્વના અંગીકારમાં તાત્વિક ગુણસ્થાનક અવસ્થાનો લોપ થશે. કેમ લોપ થશે ? તેથી કહે છે – ચોથા ગુણસ્થાનકમાં પાંચમા ગુણસ્થાનક આદિની ક્રિયાનું કરણ યુક્તિયુક્ત નથી જ; કેમ કે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકની હાતિની પ્રસક્તિ છે. અને વળી, “અમારા આદિની બાહ્ય ઔદયિકભાવની ઉદ્ભૂત એવી ક્રિયાથી આકૃષ્ટ એવા ક્ષાયોપશમાદિભાવમાં થનારાં ગુણસ્થાનકો આવતાં નથી.' એ પ્રમાણે કોઈ કહે તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે શાસ્ત્રાર્થનું અપરિજ્ઞાન છે. કેમ અપરિજ્ઞાન છે ? તે સ્પષ્ટ કરે છે – ચોથા ગુણસ્થાનકમાં વિરતિની ક્રિયાનું કરણ શાસ્ત્રમાં નિષિદ્ધ નથી પરંતુ પારમાર્થિક અધ્યવસાયરૂપ વિરતિનો પરિણામ નિષિદ્ધ છે તે=વિરતિનો પરિણામ, અવિદ્યમાન પણ વિશુદ્ધ વ્રતગ્રહણ આદિની Page #194 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૭૭ ક્રિયા કરનારા જીવોને તેના માહાભ્યથી જ=ક્રિયાના માહાભ્યથી જ, તેના ગ્રહણ અનન્તર=વ્રતગ્રહણ પછી, થાય છે અને થયો છતો=વિરતિનો પરિણામ થયો હતો, વૃદ્ધિ પામે છે. પરંતુ પ્રતિપાતશીલ થતો નથી. આથી જ=વિશુદ્ધ ક્રિયાથી વિરતિનો પરિણામ થાય છે આથી જ, અમારા આદિની બાહ્ય ઔદયિક-ક્રિયાથી આકૃષ્ટ ક્ષાયોપથમિક એવાં ગુણસ્થાનકો આવતા નથી એ પ્રકારની બુદ્ધિથી સમ્યફ ક્રિયામાં ઉદાસીન થવું જોઈએ નહિ; કેમ કે પ્રયત્નથી તેઓનું પણ=ક્ષાયોપથમિક ગુણસ્થાનકોનું પણ, સુલભપણું છે. અને ઉપેયનું પ્રાપ્તવ્ય એવા ગુણસ્થાનકનું, ઉપાયને આધીનપણું છે અને આત્રક્રિયાઓ કરવાથી ગુણસ્થાનકની પ્રાપ્તિ છે એ, સ્વવિચારોથી વિભૂમિમત નથી. જે કારણથી પંચાશક પ્રકરણમાં સમ્યક્ત અને વ્રતના પરિણામના સ્વૈર્ય માટે વિધેયગત ઉપદેશના પ્રસ્તાવમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે – ગ્રહણ પછી પ્રયત્નથી અવિદ્યમાન પણ વિરતિનો પરિણામ થાય છે. અકુશલ કર્મના ઉદયથી પડે છે–પ્રયત્ન વગર વિરતિનો પરિણામ પાત પામે છે. અહીં=વિરતિના પરિણામના પાતમાં, અવર્ણાદિ લિગો છે. 'તે કારણથી નિત્ય સ્મૃતિથી=સદા વ્રતોના સ્મરણથી, અને અધિકૃત ગુણમાં બહુમાનથી, પ્રતિપક્ષની જુગુપ્સાથી=વ્રતોથી વિરુદ્ધ પ્રવૃત્તિની જુગુપ્સાથી અને પરિણતિના આલોચનથી=વિપરીત પ્રવૃત્તિના અને સમ્યફ પ્રવૃત્તિના ફલના આલોચનથી, તીર્થકરની ભક્તિથી અને સુસાધુની પર્યાપાસનાથી, ઉત્તરગુણની શ્રદ્ધાથી અહીં=સ્વીકારાયેલા વ્રતમાં, સદા યત્ન કરવો જોઈએ. એ રીતે અવિદ્યમાન પણ આવરતિનો પરિણામ, થાય છે. થયેલો પણ=આત્મામાં પ્રગટ થયેલો વિરતિનો પરિણામ પણ ક્યારેય પણ પડતો નથી. ‘તા' તે કારણથી, અહીં ઉપરમાં બતાવેલા ઉપાયોમાં (શ્લોક-૨/૩માં બતાવાયેલા ઉપાયોમાં) બુદ્ધિમાને અપ્રમાદ કરવો જોઈએ.” (પંચાશક ૧/૩૫-૮) આની વ્યાખ્યા=શ્લોકોની વ્યાખ્યા આ પ્રમાણે છે – “ગ્રહણથી= ગુરુ પાસે શ્રતધર્મ' ઈત્યાદિ વિધિથી સમ્યક્વના અને વ્રતના ગ્રહણથી, ઉપરમાંઉત્તરકાલમાં, પ્રયત્નથી=ઉદ્યમ વિશેષરૂપ હેતુથી, થાય છે=વિરતિનો પરિણામ થાય છે. અવિદ્યમાન પણ કર્મના દોષથી અવિદ્યમાન પણ, છતો જ વિરતિનો પરિણામ=પ્રાણાતિપાતાદિ રિવર્તનનો પારમાર્થિક અધ્યવસાય થાય છે એમ અવય છે. ઉપલક્ષણપણું હોવાથી વિરતિના પરિણામનું ઉપલક્ષણપણું હોવાથી, સમ્યક્તનું ગ્રહણ છે. વિરતિ આદિ આવારકકર્મોનું સોપક્રમપણું હોવાથી અને તથાવિધ પ્રયત્નનું વિરતિને અનુકૂળ કે સમ્યક્તને અનુકૂળ પ્રયત્નનું, તદ્ ઉપક્રમણ સ્વભાવપણું હોવાથી–ઉપક્રમ સ્વભાવવાળા કર્મને ઉપક્રમણ કરે તેવું સ્વભાવપણું હોવાથી, વિરતિનો પરિણામ થાય છે, એમ અન્વય છે. હવે ઉક્તથી વિપર્યયને કહે છે=જેમ વિરતિનો પરિણામ થાય છે તેમ પૂર્વમાં કહ્યું તેનાથી વિપર્યયને કહે છે, અકુશલકર્મના ઉદયથી=અશુભ એવા કષાયાદિ કર્મના અનુભાવથી=વિપાકથી, પડે છે=વિદ્યમાન પણ વિરતિનો પરિણામ વ્રતગ્રહણના ઉપરમાં પ્રયત્ન વગર અપનયન થાય છે=દૂર થાય છે. વિરતિનો પરિણામ એ પ્રકૃતિ છે. એથી શ્લોકના ઉત્તરાર્ધ સાથે ફરી તેનું યોજન છે તે બતાવવા માટે ‘વિરતિપરિણામ તિ પ્રવૃતમ્' એમ કહેલ છે. અને તેનો=વિરતિના પરિણામનો, પ્રતિપાત લિંગથી જણાય છે. તેને જ=લિગોને કહે છે, વ્રતોનો, વ્રતદેશકોનો અને વ્રતવાળાઓનો અવર્ણ અશ્લાઘા અથવા અવજ્ઞા અનાદર આદિ છે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ જેને તે અવર્ણાદિ અથવા અવજ્ઞાદિ અને ‘આદિ’ શબ્દથી તેના—વ્રતના, રક્ષણના ઉપાયની અપ્રવૃત્તિ આદિ, અહીં=વ્રત પરિણામના પરિપાતમાં, લિંગ છે—લક્ષણ છે. ‘રૂતિ' શબ્દ શ્લોકસ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે. અને વિરતિના પરિણામના અભાવમાં કેવી રીતે વ્રતનું ગ્રહણ છે ? એમ ન કહેવું; કેમ કે ઉપરોધાદિથી=કોઈકના આગ્રહ આદિથી, તેનો=વ્રતગ્રહણનો, સંભવ છે. =િજે કારણથી, દ્રવ્યથી શ્રમણપણાના અને શ્રાવકપણાના અનંતા ગ્રહણો સંભળાય છે. એ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે. પ્રસ્તાવિતના=પ્રથમ ગાથામાં પ્રસ્તાવિતના ઉપદેશને જ કહે છે. તે કારણથી=જે કારણથી આ વિદ્યમાન પણ વિરતિનો પરિણામ પ્રયત્નથી થાય છે અને પ્રયત્ન વગર અકુશલકર્મના ઉદયથી વિદ્યમાન પણ વિરતિનો પરિણામ પ્રતિપાતને પામે છે તે કારણથી, નિત્ય સ્મૃત્યાદિથી=સાર્વદિક, સ્મરણથી=સદા સ્મરણથી, થાય છે એ પ્રમાણે ગાથા૩માં રહેલા ‘પતિતવ્યમ્'ની સાથે સંબંધ છે. અને અધિકૃત ગુણમાં=સમ્યક્ત્વ અણુવ્રતાદિ સ્વીકારાયેલા ગુણોમાં, બહુમાનથી=ભાવપ્રતિબંધથી=વિરતિ પ્રત્યેના રાગના પરિણામથી, વિરતિનો પરિણામ થાય છે એમ અન્વય છે. ‘T’ શબ્દ સમુચ્ચયમાં છે. અને આ પદ=‘અધિકૃત ગુણોમાં' એ પદ, પૂર્વપદોથી અને ઉત્તરપદથી પ્રત્યેકની સાથે યોજવું, તેથી અધિકૃતગુણમાં નિત્ય સ્મૃતિ, અધિકૃતગુણમાં નિત્ય બહુમાન આદિનું યોજન છે. અને પ્રતિપક્ષ જુગુપ્સાથી=મિથ્યાત્વ, પ્રાણીવધાદિમાં ઉદ્વેગથી અને પરિણતિના આલોચનથી=અધિકૃતગુણના વિપક્ષભૂત મિથ્યાત્વ પ્રાણતિપાતાદિ દારુણફલવાળા અથવા સમ્યક્ત્વ અણુવ્રતાદિ અધિકૃત ગુણો પરમાર્થના હેતુ જ છે, એ પ્રકારના વિપાકના પર્યાલોચનથી, વિરતિનો પરિણામ થાય છે એમ અન્વય છે. ‘વ' શબ્દ સમુચ્ચયમાં જ છે. અને તીર્થકરની ભક્તિથી=પરમગુરુના વિનયથી, અને સુસાધુજનની પર્વપાસનાથી=ભાવસાધુની સેવાથી, ‘વ' શબ્દ સમુચ્ચયમાં જ છે. અને ઉત્તરગુણની શ્રદ્ધાથી=પ્રધાનતર ગુણના અભિલાષથી=સમ્યક્ત્વ થયે છતે અણુવ્રતના અભિલાષથી, અણુવ્રત હોતે છતે મહાવ્રતના અભિલાષથી એ પ્રકારનો ભાવ છે. ‘વ્’ શબ્દ સમુચ્ચયમાં જ છે, અહીં=સમ્યક્ત્વ અણુવ્રતાદિના વ્યતિકરમાં, તેના સ્વીકારના ઉત્તરકાલમાં સદા=સર્વકાલ, ઉદ્યમ કર્તવ્ય થાય છે. આ પ્રમાણે ત્રણ ગાથાનો અર્થ છે. આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વ્રતગ્રહણકાળમાં અવિદ્યમાન પણ આવ્રતનો પરિણામ, થાય છે. વ્રતગ્રહણકાલમાં થયેલો પણ વિરતિનો પરિણામ ક્યારે પણ પડતો નથી. તે કારણથી આમાં=વ્રતગ્રહણાદિ વિધિમાં, અપ્રમાદ કરવો જોઈએ. એ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે.” અને આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, વિરતિના અભ્યાસથી અવિરતિ જીતાય છે. ‘દ્દિ'=જે કારણથી, અભ્યાસથી જ સર્વક્રિયામાં કુશલપણું પ્રગટ થાય છે. અને લેખન-પઠન-ગણનગાન-નૃત્યાદિ સર્વકલા વિજ્ઞાનમાં સર્વ જીવોને આ=અભ્યાસથી થતું કુશલપણું, અનુભવસિદ્ધ છે. કહેવાયું પણ છે “અભ્યાસથી સર્વ ક્રિયાઓ થાય છે. અભ્યાસથી સર્વ કલાઓ થાય છે. અભ્યાસથી ધ્યાન-મૌનાદિ થાય છે. અભ્યાસને દુષ્કર શું છે ? અર્થાત્ કંઈ દુષ્કર નથી.” ।।૧।। અને નિરંતર વિરતિના પરિણામના અભ્યાસમાં જન્માન્તરમાં પણ તેની અનુવૃત્તિ છે=જન્માન્તરમાં પણ વિરતિના પરિણામોના સંસ્કારો સાથે જાય છે. જે કારણથી કહેવાયું છે Page #196 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ “જીવ જે ગુણનો કે દોષનો પરલોકમાં પ્રાપ્ત કરે છે.” ||૧|| ૧૭૯ આ જન્મમાં અભ્યાસ કરે છે તેના જ અભ્યાસના યોગથી તેને—તે ગુણને કે દોષને, તે કારણથી અભ્યાસ દ્વારા તેનો પરિણામ દૃઢ થયે છતે=સમ્યક્ત્વનો પરિણામ દૃઢ થયે છતે, યથાશક્તિ બાર વ્રતો સ્વીકારવા જોઈએ; કેમ કે તે પ્રમાણે સ્વીકારાયે છતે=સમ્યક્ત્વનો પરિણામ સ્થિર થયા પછી યથાશક્તિ બાર વ્રતો સ્વીકારાયે છતે, સર્વ અંગવાળી વિરતિનો સંભવ છે=દ્રવ્ય અને -ભાવ સર્વ અંગવાળી વિરતિનો સંભવ છે અને વિરતિનું મહાલપણું છે અને અન્ય પણ નિયમો સમ્યક્ત્વયુક્ત બાર વ્રત અત્યંતર વ્રત સાથે સંબંધવાળા જ દેશવિરતપણાના અભિવ્યંજક છે. વળી, અન્યથા=સમ્યક્ત્વયુક્ત બાર વ્રતો અને તેની સાથે સંબંધવાળાં વ્રતો ગ્રહણ કરવામાં ન આવે તો ઊલટા પાર્શ્વસ્થ આદિ ભાવતાં આવિર્ભાવક છે=પાર્શ્વસ્થ શ્રાવક બનવાનાં કારણ છે. જે કારણથી “ઉપદેશ રત્નાકર”માં કહ્યું છે • “સમ્યક્ત્વ, અણુવ્રતાદિ શ્રાદ્ધધર્મથી રહિત નમસ્કાર, ગુણન, જિનઅર્ચન, વંદનાદિ અભિગ્રહને ધારણ કરનારા, શ્રાવકના આભાસવાળા શ્રાદ્ધધર્મના પાર્શ્વસ્થ છે.” ‘કૃતિ’ શબ્દ ઉપદેશ રત્નાકરના શ્લોકની સમાપ્તિ અર્થે છે. ।।૨૨। ભાવાર્થ: શ્રાવકધર્મના પ્રારંભમાં માત્ર સમ્યક્ત્વ સ્વીકારવામાં આવે છે. કોઈ યોગ્ય શ્રાવક પ્રથમ ભૂમિકામાં હોય તો ગુરુમુખથી સમ્યક્ત્વનું સ્વરૂપ જાણીને જિનવચન પ્રત્યે સ્થિર શ્રદ્ધાવાળો થાય અને દેશિવરિત આદિ વ્રતો ન સ્વીકારાયાં હોય તોપણ સમ્યક્ત્વનો સ્વીકાર કરીને તેણે શું શું ઉચિત કૃત્યો કરવાં જોઈએ ? તે શ્રાદ્ધવિધિ વૃત્તિમાં બતાવેલાં છે. તેને ગ્રંથકારશ્રી અહીં સ્પષ્ટ કરે છે - સમ્યક્ત્વ સ્વીકાર્યા પછી શ્રાવકે પ્રથમ જિનવચનમાં સંદેહ ક૨વો જોઈએ નહિ, પરંતુ સ્થિરબુદ્ધિ કરવી જોઈએ કે આત્માના કલ્યાણનું એક કારણ ભગવાનનું વચન છે; કેમ કે સર્વજ્ઞ વીતરાગ થયા પછી ભગવાને પોતાના તુલ્ય થવા અર્થે આ સન્માર્ગ બતાવેલ છે. માટે સંસારમાં રહેલા જીવોને એકાંતે હિતકારી ભગવાનનું વચન છે. આ પ્રકારે વારંવાર ભાવન કરીને મિથ્યાત્વનો ત્યાગ ક૨વો જોઈએ. ત્યારપછી પોતાની શક્તિ અનુસાર નિત્ય ત્રિકાળ જિનપૂજા, ભગવાનનું દર્શન, સંપૂર્ણ દેવવંદન અને ચૈત્યવંદન કરવું જોઈએ. આ પ્રકારે ક૨વાથી વીતરાગ અને વીતરાગના ગુણો પ્રત્યેનો બહુમાનભાવ વધે છે. તેના કા૨ણે સ્વીકારાયેલું સમ્યક્ત્વ વિશુદ્ધ વિશુદ્ધતર બને છે. વળી, ગુરુ આદિ વિદ્યમાન હોય તો બૃહદ્વંદન કે લઘુવંદન ક૨વું જોઈએ અને ગુર્વાદિનો અભાવ હોય’ તો ગુરુનું નામ ગ્રહણ કરીને ભાવથી નિત્યવંદન કરવું જોઈએ. આ પ્રકારે ક૨વાથી પાંચ મહાવ્રતધારી ૧૮,૦૦૦ શીલાંગવાળા અર્થાત્ મોહની સામે સુભટની જેમ સ્વશક્તિઅનુસાર ક્ષમાદિભાવો વૃદ્ધિ પામે તે રીતે મોહનાશ માટે ઉદ્યમ કરનારા ગુરુની ઉપસ્થિતિ થાય છે અને તેવા ગુરુ પ્રત્યેનો પોતાનો બહુમાનભાવ વધે છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમ્યગ્દષ્ટિ હંમેશાં દેવ અને ગુરુના પારમાર્થિક સૂક્ષ્મ સ્વરૂપને જાણનારા હોય છે તેથી જેમ ભગવાનની પૂજામાં દેવનું પારમાર્થિક સ્વરૂપ વારંવાર ઉપસ્થિત થાય છે તેમ ગુરુના વંદન-વ્યવહારની ક્રિયામાં ગુરુના પારમાર્થિક સ્વરૂપની ઉપસ્થિતિ થાય છે. તેથી ૧૮૦૦૦ શીલાંગરૂપ ચારિત્ર પ્રત્યેનો પક્ષપાત અધિકઅધિકતર થાય છે. માટે ગુરુના અભાવમાં પણ નામ ગ્રહણપૂર્વક ગુણવાન એવા ગુરુને નિત્ય વંદન કરવાથી સમ્યક્તની શુદ્ધિ થાય છે. વળી, સમ્યત્વ સ્વીકાર્યા પછી શ્રાવકે વર્ષની ચતુર્માસીમાં અથવા પાંચ પર્વ દિવસોમાં અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. તેથી ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ પર્વદિવસોમાં વિશેષ પ્રકારનો થાય જેના કારણે સમ્યક્તની શુદ્ધિ અધિક થાય. સામાન્યથી શ્રાવક પ્રતિદિન અષ્ટપ્રકારી પૂજા કરી શકે તો શ્રેષ્ઠ પરંતુ સમય અને સામગ્રી દુર્લભ હોય તેથી પ્રતિદિન અશક્ય જણાય તોપણ ત્રણ ચોમાસામાં અથવા તો દર મહિનામાં પાંચ પર્વતિથિમાં શ્રાવક પ્રાયઃ અષ્ટપ્રકારી પૂજા કરી શકે તેથી તે પ્રકારનો પ્રયત્ન કરવાથી વિશેષ પ્રકારની શુદ્ધિ થાય. વળી, શ્રાવક કોઈ નવાં ફળ કે નવાં પક્વાન્ન કે નવું અન્ન પોતાને પ્રાપ્ત થયું હોય તો પ્રથમ દેવને અર્પણ કર્યા વગર ગ્રહણ કરે નહીં. તેનાથી ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ વૃદ્ધિ પામે છે અને પરિણામ થાય છે કે સુંદર ફળ, પકવાન્ન, અન્ન આદિનું ભોગ એ પ્રધાન ફળ નથી પરંતુ લોકોત્તમ એવા ભગવાનની ભક્તિ આ ઉત્તમદ્રવ્યોથી કરવામાં આવે તેમાં જ તે દ્રવ્યોનું સાફલ્ય છે. વળી શ્રાવક પોતાની શક્તિ અનુસાર હંમેશાં ભગવાનની પૂજા કરે ત્યારે સુંદર નૈવેદ્ય અને સોપારી આદિ ફળને ભગવાન આગળ ધરે જેથી ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય. વળી, શ્રાવકે દિવાળી આદિ પર્વોમાં ભગવાનની સન્મુખ અષ્ટમંગલનું આલેખન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી પણ ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય છે જેથી સમ્યત્વ નિર્મળ થાય છે. વળી, શક્તિ હોય તો નિત્ય અથવા પર્વ દિવસોમાં અથવા વર્ષના કેટલાક દિવસોમાં સ્વાદ્ય કે ખાદ્ય આદિ સર્વવસ્તુઓ દેવ-ગુરુને આપ્યા પછી જ તે વસ્તુ પોતે વાપરે, જેથી દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ વધે છે. દેવ-ગુરુ પ્રત્યેનો વધતો બહુમાનભાવ સમ્યક્તની શુદ્ધિનું કારણ છે. પ્રતિદિન શક્ય ન હોય તોપણ ક્યારેક ક્યારેક પણ તે પ્રકારની પ્રવૃત્તિ કરીને શ્રાવક સમ્યત્વને નિર્મળ કરે. વળી, શ્રાવક શક્તિ અનુસાર પ્રતિમાસ કે પ્રતિવર્ષ મોટી ધજાના પ્રદાન આદિના વિસ્તારથી સ્નાત્ર, મહાપૂજા અર્થાત્ ઘણા વૈભવપૂર્વકની પૂજા, રાત્રિજાગરણ આદિ કૃત્યો કરે, જેથી તે દિવસે વિશેષ પ્રકારની ભગવાનની ભક્તિ થવાથી અને રાત્રિજાગરણમાં ભગવાનના વચનથી આત્મા ભાવિત થાય તે પ્રકારે ધર્મનું ચિંતવન કરે જેથી ભગવાનના વચન પ્રત્યેનો પક્ષપાત વિશેષ વિશેષતર થાય. વળી, પ્રતિદિન અથવા વર્ષાદિમાં કેટલીક વખત જિનાલયનું પ્રમાર્જન, સમાર્ચનાદિ કરે અને ધર્મ કરવાનું જે સ્થાન હોય અર્થાત્ ઉપાશ્રયાદિ હોય તેનું પણ પ્રમાર્જન અને સમાચ્ચેનાદિનું કાર્ય કરે તેથી ધર્મનાં સાધનો પ્રત્યે અને ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય છે. વળી, પ્રત્યેક વર્ષે અથવા પ્રત્યેક માસે ચૈત્યમાં ઉત્તમ ધૂપાદિની સામગ્રી ભગવાનની ભક્તિ અર્થે મૂકે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૮૧ જેથી પોતાની સામગ્રીનું સાફલ્ય ભગવાનની ભક્તિમાં થાય. વળી, ધર્મના સ્થાનરૂપ ઉપાશ્રયમાં મુહપત્તિ, જપમાળા, આદિ ઉચિત સામગ્રીઓ મૂકે, જેથી ધર્મ ક૨વા આવનારા અન્ય શ્રાવકોને પણ ધર્મારાધના ક૨વામાં તે ઉપકારક બને. વળી વર્ષાઋતુમાં શ્રાવકાદિને બેસવા માટે કેટલાક પટ્ટકાદિ કરાવે જેથી વર્ષાકાળમાં જમીન ઉપર જીવોત્પત્તિ વગેરેની સંભાવનાને કારણે તે પટ્ટકાદિ પર બેસીને શ્રાવકો ઉચિત ધર્મ પ્રવૃત્તિ કરી શકે. વળી, પ્રતિવર્ષ સૂત્રાદિથી પણ=વસ્ત્રાદિની સામગ્રીથી પણ, સંઘપૂજા કરે. કેટલાક સાધર્મિકવાત્સલ્યાદિ કરે જેનાથી સમાનધર્મીઓ પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય અને ધર્મનો પક્ષપાત વિશુદ્ધ-વિશુદ્ધતર બને, જેથી દર્શનશુદ્ધિ થાય. વળી, પ્રતિદિવસ કેટલાક કાઉસગ્ગ, સ્વાધ્યાય, જપ આદિ કરે, જેથી દેશવિરતિની વિશેષ પ્રકારની શક્તિનો સંચય થાય. વળી, દિવસે નવકારશી આદિનું પચ્ચક્ખાણ કરે અને રાત્રે દિવસચરિમરૂપ ચઉવિહારનું પચ્ચક્ખાણ કરે. દિવસમાં બે વખત અથવા એક વખત પ્રતિક્રમણાદિ કરે. આ પ્રકારની શ્રાદ્ધવિધિની વૃત્તિમાં બતાવેલી પ્રવૃત્તિ કરવાથી સમ્યક્ત્વકાળમાં પણ કંઈક દેશવિરતિની શક્તિનો સંચય થાય છે. અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે ‘આ રીતે શ્રાદ્ધવિધિમાં બતાવ્યું તે પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવ અવિરત અવસ્થામાં હોય ત્યારે વિરતિના પરિણામનો અભાવ હોવાથી પચ્ચક્ખાણ પ્રતિક્રમણાદિ વિરતિધર્મને સ્વીકારે તો તાત્ત્વિક દેશવિરતિગુણસ્થાનકનો લોપ થાય; કેમ કે પાંચમું ગુણસ્થાનક તેણે સ્વીકાર્યું નથી અને પાંચમા ગુણસ્થાનકની ક્રિયા કરે તે કઈ રીતે યુક્ત ગણાય ? અને તેમ સ્વીકારીએ તો તે ક્રિયા ક૨ના૨ જીવ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકમાં છે તેમ કહી શકાય નહિ; કેમ કે પાંચમા ગુણસ્થાનકની ક્રિયા તે કરે છે. વળી, પાંચમું ગુણસ્થાનક તે ક્ષયોપશમભાવથી થનારું છે. તેને યત્નપૂર્વક પ્રગટ કર્યા વગર માત્ર પાંચમા ગુણસ્થાનકની પ્રતિક્રમણાદિ બાહ્યક્રિયાઓ કરવાથી પાંચમું ગુણસ્થાનક આવે નહિ. માટે પાંચમા ગુણસ્થાનકના મર્મને જાણીને પાંચમા ગુણસ્થાનકને અનુરૂપ ક્ષયોપશમભાવ પ્રગટે તે પ્રમાણે યત્ન કરીને પાંચમા ગુણસ્થાનકની ક્રિયા ક૨વી જોઈએ. પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી શ્રાદ્ધવિધિની વૃત્તિમાં કહ્યું તેમ પચ્ચક્ખાણની ક્રિયા અને પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઈએ, તેને ઉચિત કેમ કહી શકાય ? આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે. શાસ્ત્રાર્થનું અપરિજ્ઞાન છે; કેમ કે શાસ્ત્ર ચોથા ગુણસ્થાનકમાં વિરતિની ક્રિયા કરવાનો નિષેધ કરતું નથી. પરંતુ શાસ્ત્ર કહે છે કે આ ગુણસ્થાનકે પારમાર્થિક અધ્યવસાયરૂપ વિરતિનો પરિણામ આવતો નથી. તેથી અવિરત સમ્યગ્દષ્ટિ પણ પ્રતિદિન પચ્ચક્ખાણ કે પ્રતિક્રમણ કરે તો તે દોષરૂપ નથી. પરંતુ દ્રવ્યથી કરાયેલ તે દેશવિરતિની ક્રિયા પણ ગુણના પક્ષપાતરૂપ હોવાથી હિતનું કારણ છે. વળી, પારમાર્થિક વિરતિનો પરિણામ આત્મામાં પ્રગટ થયેલો ન હોય તોપણ વૃતોના સૂક્ષ્મબોધપૂર્વક અને ઉચિત વિધિપૂર્વક વ્રતગ્રહણાદિ ક્રિયા કરે તો તે વ્રતગ્રહણના માહાત્મ્યથી જ વ્રતગ્રહણ કર્યા પછી વિરતિનો પરિણામ પ્રગટ થાય છે અને પ્રગટ થયેલો તે વિરતિનો પરિણામ પ્રતિદિન ઉચિત ક્રિયાઓ કરવાથી વૃદ્ધિ પામે છે પરંતુ તે પાત પામતો નથી. તેથી અવિરતસમ્યગ્દષ્ટિ જીવ પણ પચ્ચક્ખાણની ક્રિયા કે પ્રતિક્રમણની ક્રિયા કરે તે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ઉચિત છે. છતાં ભાવથી પ્રતિક્રમણની ક્રિયાના અર્થીએ વિશુદ્ધ વ્રતગ્રહણ આદિની ક્રિયા કરીને દેશવિરતિનો પરિણામ પેદા થાય તેવો યત્ન કરવો જોઈએ. જેથી તેના પચ્ચખ્ખાણ અને પ્રતિક્રમણની ક્રિયા વિશેષ ફલવાળી થાય. વળી, ક્ષયોપશમભાવવાળાં ગુણસ્થાનકો આપણી બાહ્ય ઔદયિકભાવોની ક્રિયાથી પ્રગટ થતાં નથી એવી બુદ્ધિ કરીને સમ્યક્રક્રિયામાં ઉપેક્ષા કરી જોઈએ નહીં પરંતુ વિશુદ્ધભાવથી વ્રતો ગ્રહણ કરીને તે વ્રતપાલનમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી ક્ષયોપશમભાવવાળું દેશવિરતિ ગુણસ્થાનક પ્રગટ થયું ન હોય તોપણ તેને અનુરૂપ ઉચિત ક્રિયાથી દેશવિરતિ ગુણસ્થાનક પ્રગટ થાય છે. વળી “પંચાશક ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મ.સા.એ કહ્યું છે તે બતાવે છે – કોઈ જીવ વિરતિનું ગુણસ્થાનક સ્વીકારે ત્યારપછી તે ગુણસ્થાનકને અનુરૂપ પ્રયત્ન કરે તો અવિદ્યમાન પણ વિરતિનો પરિણામ પ્રગટ થાય છે અને કોઈ રીતે પ્રગટ થયેલી વિરતિનો પરિણામ અકુશલ કર્મના ઉદયથી પાત પામે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવે પોતાની ભૂમિકાનુસાર સમ્યત્વ સ્વીકારેલું હોય અને સમ્યક્તને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરે તો પારમાર્થિક સમ્યત્વનો પરિણામ પ્રગટ ન થયો હોય તોપણ તે સમ્યત્ત્વની ક્રિયાથી પ્રગટ થાય છે. માટે ભગવાનની ભક્તિ, સુસાધુની ભક્તિ, સ્વશક્તિ અનુસાર તત્ત્વ જાણવા માટે ઉદ્યમ કરવામાં આવે તો સમ્યક્ત પ્રગટ ન થયું હોય તોપણ તે પ્રકારની ક્રિયાથી પ્રગટ થાય છે. તેમ દેશવિરતિ સ્વીકાર્યા પછી દેશવિરતિને અનુકૂળ ક્રિયાઓ કરવાથી અવિદ્યમાન પણ દેશવિરતિનો પરિણામ પ્રગટ થાય છે અને પ્રયત્નથી સમ્યક્તનો કે દેશવિરતિનો પરિણામ પ્રગટ થયો હોય ત્યારપછી તે ગુણસ્થાનકની ઉચિત ક્રિયામાં જીવ પ્રમાદ કરે તો અકુશલકર્મના ઉદયથી તે જીવનો તે ગુણસ્થાનકથી પાત થાય છે. જેનાથી પ્રગટ થયેલું ગુણસ્થાનક પણ નાશ પામે છે. પ્રગટ થયેલું ગુણસ્થાનક નાશ પામે છે તેનાં લિંગો બતાવે છે – વ્રત સ્વીકાર્યા પછી વ્રતવાળાનો અવર્ણવાદ કરે, વ્રતના ઉપદેશકોનો અવર્ણવાદ કરે અથવા તો તે વ્રતનો અવર્ણવાદ કરે અથવા તે ત્રણેયની અવજ્ઞા કરે અથવા વ્રતના રક્ષણના ઉપાયમાં અપ્રવૃત્તિ કરે તેનાથી નક્કી થાય છે કે તેનો વિદ્યમાન વ્રતનો પરિણામ નાશ પામ્યો છે. જેમ કોઈએ સમ્યત્વ સ્વીકાર્યું હોય પરંતુ તે સમ્યક્ત પ્રત્યે અનાદરભાવ હોય, સમ્યક્તના ઉપદેશક પ્રત્યે અનાદરભાવ હોય કે સમ્યદૃષ્ટિ જીવો પ્રત્યે અનાદરભાવ હોય અથવા તેઓની નિંદા આદિ કરે તો સમ્યક્ત નાશ પામે છે અને તેવું કંઈ ન કરે આમ છતાં સમ્યત્વના રક્ષણના ઉપાયોમાં ઉચિત યત્ન ન કરે તોપણ નક્કી થાય છે કે પ્રગટ થયેલું સમ્યક્ત નાશ પામ્યું છે. માટે સમ્યક્ત સ્વીકાર્યા પછી સમ્યક્ત પ્રત્યે તીવ્ર પક્ષપાત થાય અને તેના રક્ષણના ઉપાયમાં સદા યત્ન થાય તે પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. તે રીતે દેશવિરતિ આદિ ગુણસ્થાનક સ્વીકાર્યા પછી પણ તે ગુણસ્થાનકને ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી પ્રાપ્ત થયેલ ગુણસ્થાનક અકુશલકર્મોના ઉદયથી નાશ પામે નહિ. તે ગુણસ્થાનકના રક્ષણના ઉપાયોને જ ગ્રંથકારશ્રી બતાવે છે – Page #200 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ ૧૮૩ જે ગુણસ્થાનક પોતે સ્વીકાર્યું છે તે ગુણસ્થાનકનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. જેમ કોઈએ સમ્યક્ત સ્વીકાર્યું હોય તો વિચારવું જોઈએ કે ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા હશે તો જ મારું સમ્યક્ત સુરક્ષિત રહેશે. તેથી વારંવાર આ સંસારની ચાર ગતિના પરિભ્રમણનો વિચાર કરીને તેમાંથી વિસ્તારનો એક ઉપાય ભગવાનનું વચન છે, તેમ ભાવન કરવું જોઈએ. વળી, શક્તિ અનુસાર જિનવચનના પરમાર્થને જાણવા ઉદ્યમ કરવો જોઈએ અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે સ્થિર શ્રદ્ધા થાય તે રીતે ઉચિત યત્ન કરવો જોઈએ જેથી પ્રગટ થયેલ ગુણસ્થાનક નાશ પામે નહિ. તે જ રીતે દેશવિરતિ સ્વીકારી હોય તો દેશવિરતિ ગુણસ્થાનક વિષયક પણ ઉચિત કૃત્યોની નિત્ય સ્મૃતિ કરવી જોઈએ. જેમ પોતે કોઈ દેશવિરતિનાં વ્રતો સ્વીકાર્યા હોય તો તે વ્રતોના સ્વરૂપનું સમ્યફ આલોચન કરવું જોઈએ. તેના અતિચારોનું સમ્યક આલોચન કરવું જોઈએ. અને પોતાનાં વ્રતો જે પ્રકારે સ્વીકાર્યા છે તે પ્રમાણે પાલન થાય છે કે નહીં તેની ચિંતા કરવી જોઈએ જેથી ગુણસ્થાનકનો પાત થાય નહિ. વળી, જે ગુણસ્થાનક પોતે સ્વીકાર્યું હોય તેના પ્રત્યે અત્યંત રાગભાવ ધારણ કરવા રૂપ બહુમાન ધારણ કરવું જોઈએ. જેથી ગુણસ્થાનકના રાગને કારણે પણ તે ગુણસ્થાનકથી પાત થાય નહિ. વળી, સ્વીકારાયેલા ગુણસ્થાનકના પ્રતિપક્ષરૂપ મિથ્યાત્વ કે પ્રાણાતિપાતાદિ ભાવો પ્રત્યે હંમેશાં જુગુપ્સા કરવી જોઈએ અને વિચારવું જોઈએ કે પ્રમાદને વશ અનાદિના સંસ્કારોથી મિથ્યાત્વાદિ ભાવો પ્રગટ થશે તો મારાં સુંદર વ્રતો નાશ પામશે. માટે સતત મિથ્યાત્વાદિ ભાવો પ્રત્યે અત્યંત જુગુપ્સા થાય તેવો યત્ન કરવો જોઈશે. વળી, પરિણતિનું આલોચન કરવું જોઈએ. કઈ રીતે પરિણતિનું આલોચન કરવું જોઈએ ? તે સ્પષ્ટ કરે છે – સ્વીકારાયેલાં વ્રતોથી વિપરીત એવી મિથ્યાત્વની કે પ્રાણાતિપાતની પરિણતિ આત્મા માટે અત્યંત દારુણ ફળવાળી છે અને સ્વીકારાયેલા સમ્યક્ત આદિની પરિણતિ જીવ માટે અત્યંત હિતકારી છે. માટે સ્વીકારાયેલા ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તેવો હું અપ્રમાદભાવથી યત્ન કરું જેથી એકાંતે મારું હિત થાય તે પ્રમાણે વ્રતોના સમ્યક્ સેવનનું અને વિપરીત સેવનના ફળનું આલોચન કરવું જોઈએ. વળી, તીર્થંકરની ભક્તિ કરવી જોઈએ; કેમ કે તીર્થંકરે આ યોગમાર્ગ બતાવ્યો છે અને તેમના પ્રત્યેના બહુમાનભાવથી તેમણે બતાવેલ યોગમાર્ગ મને સમ્યફ પરિણમન પામે તેવા વિશુદ્ધ આશયથી તીર્થંકરની ભક્તિ કરવાથી સ્વીકારેલું ગુણસ્થાનક પ્રગટ થાય છે અને સ્થિર થાય છે. વળી, સુસાધુજનની ઉપાસના કરવાથી સ્વીકારેલું ગુણસ્થાનક સ્થિર થાય છે; કેમ કે ભાવસાધુ પ્રત્યેના બહુમાનભાવથી સમ્યક્ત નિર્મળ થાય છે. અને સ્વીકારેલા દેશવિરતિ ગુણસ્થાનક પ્રત્યેનો પક્ષપાત વધે છે. સ્વીકારેલું દેશવિરતિ ગુણસ્થાનક સર્વવિરતિનું કારણ કઈ રીતે બને તેવી ઉચિત ચિંતા થાય છે; કેમ કે ભાવસાધુ પ્રત્યેના બહુમાનભાવને કારણે તેમના જેવા થવાનો અભિલાષ ઉલ્લસિત થાય છે, તેથી શક્તિ અનુસાર ભાવસાધુની ભક્તિ કરવી જોઈએ. વળી, સ્વીકારાયેલા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકમાં જવા સદા અભ્યાસ કરવો જોઈએ જેથી સ્વીકારેલું ગુણસ્થાનક ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકમાં પરિણમન પામે. આ રીતે, જેઓ ગુણસ્થાનક સ્વીકાર્યા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨-૨૩ પછી સદા યત્ન કરે છે તેઓને વ્રતગ્રહણ કાલમાં કદાચ વ્રતનો પરિણામ ભાવથી પ્રગટ ન થતો હોય તોપણ નિત્ય સ્મૃત્યાદિમાં યત્ન કરવાથી પાછળથી વ્રતનો પરિણામ ભાવથી પ્રગટ થાય છે. વળી કોઈ યોગ્ય જીવને વ્રતગ્રહણકાળમાં વ્રતનો પરિણામ પ્રગટ થયો હોય અને સદા જેઓ નિત્ય નૃત્યાદિમાં યત્ન કરે છે, તેઓનો વ્રતનો પરિણામ ક્યારેય નાશ પામતો નથી. માટે કલ્યાણના અર્થી જીવે પોતાની ભૂમિકાનુસાર વ્રતગ્રહણાદિ ક્રિયામાં અપ્રમાદ કરવો જોઈએ. અને વ્રત સ્વીકાર્યા પછી નિત્ય મૃત્યાદિમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી સ્વીકારાયેલું વ્રત સુરક્ષિત રહે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. આ પ્રકારે યત્ન કરવાથી અવિરતિનો નાશ થાય છે; કેમ કે સર્વ ક્રિયામાં અભ્યાસથી જ કુશલપણું આવે છે. તેથી જેમ સંસારની ક્રિયામાં પણ અભ્યાસથી કુશલપણું આવે છે તેમ જે જીવો સ્વીકારાયેલા ગુણસ્થાનકને અનુરૂપ ઉચિત ક્રિયાઓમાં યત્ન કરે છે તેઓને તે ક્રિયાઓના બળથી તે ગુણસ્થાનકમાં કુશલતા આવે છે. વળી, આ રીતે નિરંતર વિરતિના પરિણામનો અભ્યાસ કરવામાં આવે તો તે વિરતિનો પરિણામ જન્માન્તરમાં સાથે આવે છે. માટે વિવેકી શ્રાવકે પોતાની શક્તિ અનુસાર સમ્યક્ત સ્વીકાર્યા પછી શક્તિ અનુસાર પચ્ચખાણ પ્રતિક્રમણાદિ વિરતિની ક્રિયા કરવી જોઈએ અને શક્તિસંચય થાય તો બાર વ્રતો સ્વીકારવા જોઈએ. અને સ્વીકાર્યા પછી નિત્ય સ્મૃત્યાદિમાં યત્ન કરીને તે વ્રતોનું સમ્યફ પાલન કરવું જોઈએ. વળી, સ્વીકારાયેલા ગુણસ્થાનકની પુષ્ટિ કરે તેવા અન્ય પણ નિયમો ગ્રહણ કરવા જોઈએ જેથી ઉત્તર ઉત્તર ગુણસ્થાનકની વૃદ્ધિ થાય. જો તેમાં યત્ન ન કરવામાં આવે અને માત્ર શ્રાવકાચારની જેમ ભગવાનની ભક્તિ કે પ્રતિક્રમણ આદિની ક્રિયા કરવામાં આવે તો પાસત્થા શ્રાવકની પ્રાપ્તિ થાય. માટે ભાવથી ગુણસ્થાનકના અર્થીએ શક્તિનું સમાલોચન કરીને ઉચિત ગુણસ્થાનકનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. રિશી. અવતારણિકા - इत्थं च विधिग्रहणस्यैव कर्त्तव्यत्वात्, 'संग्रहेऽस्य प्रवर्त्तते' इत्यत्र धर्मस्य सम्यग्विधिना प्रतिपत्तौ प्रवर्तत इत्येव पूर्व प्रतिज्ञातत्वाच्च तद्ग्रहणविधिमेव दर्शयति - અવતરણિકાર્ચ - અને આ રીતે ગાથા-૨૨માં કહ્યું એ રીતે, વિધિથી ગ્રહણનું જ કર્તવ્યપણું હોવાથી, અને આવા સંગ્રહમાં પ્રવર્તે છે=ધર્મના સંગ્રહમાં પ્રવર્તે છે, એ પ્રકારની વીસમી ગાથાના વચનમાં, ધર્મને સમ્યફવિધિથી સ્વીકારવામાં પ્રવર્તે છે, એ રીતે જ પૂર્વમાંeગાથા-૨૦માં પ્રતિજ્ઞાપણું હોવાને કારણે, તેના ગ્રહણની વિધિને જ=ધર્મના ગ્રહણની વિધિ જ, બતાવે છે – બ્લોક : योगवन्दननिमित्तदिगाकारविशुद्धयः । યોગ્યોપથર્ષેતિ વિધિરણુવ્રતમુહપ્રદે પારરૂ Page #202 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ ૧૮૫ અન્વયાર્થ : કબુતમુદે અણુવ્રત આદિ ગ્રહણમાં, યોવિન્દનિમિત્તતિવિરવિશુદ્ધ =યોગવિશુદ્ધિ, વંદનવિશુદ્ધિ, નિમિત્તવિશુદ્ધિ, ફિવિશુદ્ધિ, આકારવિશુદ્ધિ, (અ) યોગોપચ=યોગ્યની ઉપચર્યા=યોગ્ય એવા દેવ-ગુરુ આદિની ઉપચય, તિ વિથ =એ વિધિ છે. ર૩. શ્લોકાર્ચ - અણુવત આદિ ગ્રહણમાં યોગવિશુદ્ધિ, વંદનવિશુદ્ધિ, નિમિતવિશુદ્ધિ, દિફવિશુદ્ધિ, આકારવિશુદ્ધિ અને યોગ્ય એવા દેવ-ગુરુ આદિની ઉપચર્યા એ વિધિ છે. ll૨૩ ટીકા : इह विशुद्धिशब्दः प्रत्येकमभिसंबध्यते, द्वन्द्वान्ते श्रूयमाणत्वात्, ततो योगशुद्धिर्वन्दनशुद्धिनिमित्तशुद्धिर्दिक्शुद्धिराकारशुद्धिश्चेत्यर्थः, तत्र योगाः कायवाङ्मनोव्यापारलक्षणास्तेषां शुद्धिः सौपयोगान्तरगमननिरवद्यभाषणशुभचिन्तनादिरूपा । वन्दनशुद्धिरस्खलितप्रणिपातादिदण्डकसमुच्चारणाऽसंभ्रान्तकायोत्सर्गादिकरणलक्षणा । निमित्तशुद्धिस्तत्कालोच्छलितशङ्खपणवादिनिनादश्रवणपूर्णकुम्भभृङ्गारच्छत्रध्वजचामराद्यवलोकनशुभगन्धाघ्राणादिस्वभावा । दिक्शुद्धिः प्राच्युदीचीजिनजिनचैत्याद्यधिष्ठिताशासमाश्रयणस्वरूपा । आकारशुद्धिस्तु राजाभियोगादिप्रत्याख्यानापवादमुत्कलीकरणात्मिकेति । तथा योग्यानां देवगुरुसार्मिकस्वजनदीनानाथादीनामुचिता उपचर्या धूपपुष्पवस्त्रविलेपनासनदानादि गौरवात्मिका चेति विधिः । स च कुत्र भवतीत्याह-'अणुव्रतेति' अणुव्रतानि मुखे आदौ येषां तानि अणुव्रतमुखानि साधुश्रावकविशेषधर्माचरणानि तेषां ग्रहे=प्रतिपत्तौ भवतीति सद्धर्मग्रहणविधिः । ટીકાર્ય : રૂદ .સિદ્ધર્મવિધિ ! અહીં=શ્લોકમાં, વિશુદ્ધિ શબ્દ પ્રત્યેકમાં યોગાદિ' પ્રત્યેક શબ્દમાં સંબંધ કરાય છે; કેમ કે હૃદ્ધ અંતમાં-દ્વ સમાસના અંતમાં, શ્રયમાનપણું છે=વિશુદ્ધિ' શબ્દનું કથન છે. તેથી યોગશુદ્ધિ, વંદનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, ફિશુદ્ધિ, આકારશુદ્ધિ એ પ્રકારનો અર્થ છે. ત્યાં=યોગશુદ્ધિ આદિમાં, યોગો કાયા, વાણી અને મનના વ્યાપારરૂપ છે, તેઓની શુદ્ધિ છે=સોપયોગપૂર્વક અનંતર ગમન કાયાની શુદ્ધિ છે, નિરવ ભાષણ વાણીની શુદ્ધિ છે. શુભચિંતન આદિ મનની શુદ્ધિ છે. વંદનશુદ્ધિ અખ્ખલિત પ્રણિપાતાદિ દંડકના સમુચ્ચારણ અંસંભ્રાન્ત કાયોત્સર્ગાદિ કરણરૂપ છે. નિમિત્તશુદ્ધિ તત્કાલમાં વ્રતગ્રહણકાળમાં, ઉત્પન્ન થયેલ શંખ, પણવ આદિના ધ્વનિનું શ્રવણ, પૂર્ણકુંભ, ભંગાર, છત્ર, ધ્વજ, આમરાદિનું અવલોકન, શુભ ગંધના આઘાણ આદિ સ્વભાવવાળી છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ દિફશુદ્ધિ પૂર્વ અને ઉત્તરમાં રહેલા જિન, જિનચૈત્યાદિ અધિષ્ઠિત દિશાના આશ્રયણ સ્વરૂપ છે. વળી, આકારશુદ્ધિ રાજાભિયોગાદિ પ્રત્યાખ્યાનના અપવાદની મુલ્કલીકરણાત્મિકા છે=અપવાદને છોડીને, પચ્ચકખાણના ગ્રહણરૂપ છે. અને યોગ્યની દેવ, ગુરુ, સાધર્મિક, સ્વજન, દીન, અનાથ આદિની, ઉચિત ઉપચર્યા અને ધૂપ, પુષ્પ, વસ્ત્ર, વિલેપન આસનદાનાદિ ગૌરવાત્મિકા એ પ્રકારની વિધિ છે. અને તે=પૂર્વમાં કહી તે વિધિ, ક્યાં થાય છે? એથી કહે છે – “માવતિ' અણુવ્રત, મુખમાં=આદિમાં, છે જેઓને તે અણુવ્રતમુખાદિ=સાધુની અને શ્રાવકની વિશેષ ધર્મ-આચરણાઓ, તેઓના ગ્રહણમાં=સ્વીકારમાં, થાય છે, એ સદ્ધર્મગ્રહણવિધિ છે. ભાવાર્થ : અણુવ્રતાદિના ગ્રહણમાં શું વિધિ છે ? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે – તેમાં યોગાદિ પાંચ શુદ્ધિ તે વિધિનું અંગ છે. તે યોગશુદ્ધિ જે વ્રતો સ્વીકારવાનાં હોય તેને અનુરૂપ મનવચન-કાયાની શુદ્ધિ વર્તતી હોય તો “યોગશુદ્ધિ” કહેવાય. જેમ અણુવ્રતગ્રહણ કરવા માટે તત્પર થયેલા શ્રાવકની કાયાનો વ્યાપાર યતનાપૂર્વક ગમનરૂપ હોય તો જીવરક્ષાને અનુકૂલ યતનાવાળો તેનો કાયયોગ છે, માટે કાયયોગની શુદ્ધિ છે. વળી, દેશવિરતિને અનુરૂપ નિરવદ્ય ભાષણ જે પુરુષ કરે છે તેથી એ પ્રાપ્ત થાય કે પ્રયોજન વગરની સાવદ્ય ભાષાનો જે પરિહાર કરે છે અને જે વ્રતો ગ્રહણ કરવાના છે તેને અનુરૂપ બોલવાની જેની પ્રકૃતિ છે તે પુરુષના વચનયોગની શુદ્ધિ વર્તે છે. વળી, જે દેશવિરતિ સ્વીકારવી છે તેને અનુરૂપ જેનું સુંદર ચિંતન ચાલે છે અને તેથી દેશવિરતિને પુષ્ટિ કરે તેવું જ ચિંતવન, મનન, વાંચનાદિ જે શ્રાવક પ્રવૃત્તિરૂપે કરે છે તેની વ્રતગ્રહણને અનુકૂળ મનની શુદ્ધિ છે. તેથી તેવા યોગશુદ્ધિવાળા શ્રાવક વ્રતગ્રહણના અધિકારી બને છે. વળી, વ્રતગ્રહણ કરવા માટે તત્પર થયેલ શ્રાવક ક્રિયાકાળમાં અમ્બલિંત નમુત્થણ આદિ સૂત્રનું ઉચ્ચારણ કરતો હોય અને સંભ્રમ વગર કાયોત્સર્ગાદિ ક્રિયા કરતો હોય તો વ્રતગ્રહણના વિષયમાં વંદનની શુદ્ધિ પ્રાપ્ત થાય, તેથી વ્રતગ્રહણ કરવા માટે તત્પર થયેલા શ્રાવકે વ્રતગ્રહણ પૂર્વે “નમુત્થણ' આદિ સૂત્રોનો એ રીતે સૂત્ર-અર્થના પ્રતિસંધાનપૂર્વક અખ્ખલિત પાઠ કરવાનો અભ્યાસ કરવો જોઈએ. અને જે-જે કાયોત્સર્ગાદિ ક્રિયાઓ કરે છે તે-તે કાયોત્સર્ગાદિ ક્રિયાઓ કયા પ્રકારના પ્રતિસંધાનપૂર્વક કરવાની છે તેનો બોધ કરીને તે પ્રકારે અસંભ્રાન્ત કાયોત્સર્ગ કરવાનો અભ્યાસ કરવો જોઈએ. જેથી વ્રતગ્રહણના ક્રિયાકાળમાં વંદનશુદ્ધિની પ્રાપ્તિ થાય. જેમ ચૈત્યવંદનમાં “અરિહંત ચેઇઆણં' સૂત્ર દ્વારા અરિહંત પ્રતિમાનાં વંદન, પૂજન, સત્કાર, સન્માનના ફળના પ્રયોજનથી વધતી જતી શ્રદ્ધા, મેધા આદિપૂર્વક કાયોત્સર્ગ કરવાનું પ્રતિસંધાન કરાય છે. તે પ્રકારે અસંભ્રાન્ત પ્રતિસંધાન કરીને સર્વકાયોત્સર્ગાદિ કૃત્યો કરવાનો અભ્યાસ કરવો જોઈએ. તેથી વ્રતગ્રહણકાળમાં જે વંદનની ક્રિયા કરવામાં આવે તે ક્રિયાકાળમાં બોલાતા પ્રણિપાતાદિ દંડક સૂત્રોનો અસ્મલિત ઉચ્ચારણ પોતે કરી શકે. જે કાયોત્સર્ગાદિ કરાય છે તે કાયોત્સર્ગાદિ અસંભ્રાન્તપણે પોતે કરી શકે. તેના કારણે ઉલ્લસિત થયેલ શુભભાવ સ્વીકારાતા વ્રતને સમ્યક્ પરિણમન પમાડવામાં કારણ બને છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ ૧૮૭ વળી, નિમિત્તશુદ્ધિમાં પણ શ્રાવકે, પોતે વ્રતગ્રહણમાં તત્પર થાય ત્યારે શંખપણવ આદિના ધ્વનિનું શ્રવણ થાય કે તેવા અન્ય કોઈ નિમિત્તની પ્રાપ્તિ થાય તેવો યત્ન કરવો જોઈએ. તેથી તે નિમિત્તશુદ્ધિને કારણે પણ વિઘ્નરહિત વ્રતપાલન થઈ શકશે તેનો નિર્ણય થાય. વળી વ્રતગ્રહણ કરતી વખતે પૂર્વ દિશા અને ઉત્તર દિશાનું આશ્રયણ ક૨વું જોઈએ; કેમ કે તે દિશામાં જિન અને જિનચૈત્ય અધિષ્ઠિત છે તેથી દિશાશુદ્ધિને કા૨ણે પણ સ્વીકારાતા વ્રતને અતિશય કરવામાં શુભભાવની પ્રાપ્તિ થાય. વળી, સમ્યક્ત્વનું વ્રતગ્રહણ કરતી વખતે સ્વીકારાયેલાં વ્રતોમાં મલિનતા ન આવે તે અર્થે રાજાભિયોગાદિ પ્રત્યાખ્યાનના અપવાદોને રાખીને પચ્ચક્ખાણ ગ્રહણ કરવું જોઈએ. જેથી તેવા સંયોગોમાં વ્રતભંગની પ્રાપ્તિ ન થાય. આ રાજાભિયોગાદિ આગારો સમ્યક્ત્વના વ્રતમાં રખાય છે. દેશવિરતિ અને સર્વવિરતિના પાલનમાં આગારો નથી; કેમ કે સમ્યક્ત્વના આચારો બહિરંગ આચરણારૂપ છે. તેથી આગારોપૂર્વક કરાય છે. દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર અંતરંગ પરિણામરૂપ છે. તેથી તેમાં આગારો=અપવાદો નથી. આ રીતે યોગશુદ્ધિ આદિ બતાવ્યા પછી યોગ્ય જીવોની સાથે ઉચિત ઉપચારપૂર્વક વ્રત ગ્રહણ કરવાં જોઈએ તે બતાવે છે - પોતાની શક્તિ અનુસાર દેવ અને ગુરુની ભક્તિ કરવી જોઈએ અને સાધર્મિકની ભક્તિ કરવી જોઈએ. પોતાના સ્વજનનો પણ તે પ્રસંગને અનુરૂપ સત્કાર કરવો જોઈએ. દીન-અનાથ આદિને પણ ઉચિત દાન આપવું જોઈએ, જેથી સર્વ પ્રકારનો બધાને ઉત્સાહ વધે અને જેના કારણે ગ્રહણ કરાતાં વ્રતો સમ્યક્ પરિણમન પામે અને આ વિધિ સાધુનાં અને શ્રાવકનાં અણુવ્રતાદિ વિશેષ વ્રતો ગ્રહણ કરતી વખતે પાલન ક૨વાની છે. અર્થાત્ સમ્યક્ત્વના સ્વીકારની આ વિધિ નથી પરંતુ અણુવ્રતો-મહાવ્રતો સ્વીકારતી વખતે આ વિધિનું પાલન કરવાનું છે. ટીકા ઃ विशेषविधिस्तु सामाचारीतोऽवसेयस्तत्पाठश्चायम् चिइ १ संति सत्तवीसा २ बारस ३ सुअ ४ सासणा ५ ऽखिलसुराणं ६ । नवकारो ७ सक्कथओ ८ परिमिट्टिथओ अ ९ वंदणयं १० ||४ | सामन्नमिणं तत्तो, आरोवणुस्सग्गु ११ दंडउच्चारो १२ सत्तखमासमणं १३ पसत्थे खित्ते जिणभवणाइए पसत्थेसु तिहिकरणनक्खत्तमुहुत्तचंदबलेसु परिक्खि अगुणं सीसं सूरी अग्गओ काउं खमासमणदाणपुव्वं भणावेइ “इच्छकारि भगवन् ! तुम्हे अम्हं सम्यक्त्वसामायिक श्रुतसामायिकदेशविरतिसामायिकआरोवावणिअं नंदिकरावणिअं देवे वंदावेह" तओ सूरी सेहं वामपासे ठवित्ता- वद्धंति आहि थुईहिं संघेण समं देवे वंदेइ, जाव मम दिसंतु । તતઃ “श्रीशान्तिनाथ आराधनार्थं करेमि काउस्सग्गं वंदणवत्तिआए०" इत्यादि, सत्तावीसुस्सासं काउस्सग्गं करेइ, श्रीशान्ति इत्यादिस्तुतिं च भणति, ततो “ द्वादशाङ्गी आराधनार्थं करेमि काउस्सग्गं वंदणवत्तिआए०" Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ धर्मसंग्रह भाग-२ | द्वितीय अधिकार | RIS-23 इत्यादि, कायोत्सर्गे नमस्कारचिन्तनम्, ततः स्तुतिः, तओ "सुअदेवयाए करेमि काउस्सग्गं अन्नत्थ ऊससिएणं." इत्यादि, ततः स्तुतिः, एवं शासनदेवयाए करेमि काउस्सग्गं अन्न० । "या पाति शासनं जैनं, सद्यः प्रत्यूहनाशिनी । साऽभिप्रेतसमृद्ध्यर्थं, भूयाच्छासनदेवता ।।१।।" इति स्तुतिः । समस्तवैयावृत्त्यकराणां कायोत्सर्गः, ततः स्तुतिः, नमस्कारं पठित्वोपविश्य च शक्रस्तवपाठः, परमेष्ठिस्तवः, "जयवीयराय" इत्यादि । इयं प्रक्रिया सर्वविधिषु तुल्या, तत्तन्नामोच्चारकृतो विशेषः । तओ वंदणयपुव्वं सीसो भणइ “इच्छकारि भगवन् तुम्हे अम्हं सम्यक्त्वसामायिक ३ आरोवावणि नंदिकरावणिअं काउस्सग्गं कारेह" तओ सीससहिओ गुरू सम्यक्त्वसामायिक ३ आरोवावणिअं करेमि काउस्सग्गं" इच्चाइ भणइ सत्तावीसुस्सासचिंतणं चउवीसत्थयभणनं क्षमा नमस्कारत्रयरूपनन्दिश्रावणम् ततः पृथग् २ नमस्कारपूर्वं वारत्रयं सम्यक्त्वदण्डकपाठः, स चायम् “अहन्नं भंते तुम्हाणं समीवे मिच्छत्ताओ पडिक्कमामि संमत्तं उवसंपज्जामि, तंजहा-दव्वओ खित्तओ कालओ भावओ, दव्वओ णं मिच्छत्तकारणाई पच्चक्खामि, संमत्तकारणाई उवसंपज्जामि, नो मे कप्पइ अज्जप्पभिइ अनउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा, अन्नउत्थिअपरिग्गहिआणि वा अरिहंतचेइआणि वंदित्तए वा नमसित्तए वा पुट्विं अणालत्तेणं आलवित्तए वा संलवित्तए वा, तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पयाउं वा, खित्तओ णं इत्थ वा अन्नत्थ वा, कालओ णं जावजीवाए, भावओ णं जाव गहेणं न गहिज्जामि, जाव छलेणं न छलिज्जामि, जाव सन्निवाएणं नाभिभविज्जामि, जाव अन्नेण वा केणइ रोगायंकाइणा एस :परिणामो न परिवडइ, ताव मे एअंसम्मइंसणं, नन्नत्थ रायाभिओगेणं, गणाभिओगेणं, बलाभिओगेणं, देवयाभिओगेणं, गुरुनिग्गहेणं, वित्तीकंतारेणं वोसिरामि ।" ततश्च "अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ समत्तं मए गहिअं" ।।१।।" इति गाथाया वारत्रयं पाठः । यस्तु सम्यक्त्वप्रतिपत्त्यनन्तरं देशविरतिं प्रतिपद्यते, तस्यात्रैव व्रतोच्चारः । "तओ वंदित्ता सीसो भणइ-“इच्छकारि तुम्हे अम्हं सम्यक्त्वसामायिक ३ आरोवेउ", गुरुराह-“आरोवेमि" १ पुणो वंदित्ता भणइ-“संदिसह किं भणामि ?" गुरू भणइ-"वंदित्ता पवेअह" २, पुणो वंदित्ता भणइ-"तुम्हे अहं संमत्तसामाइअं ३ आरोविअं, इच्छामि अणुसडिं" गुरू भणइ-“आरोविअं, आरोवियं खमासमणाणं हत्थेणं, सुत्तेणं अत्थेणं तदुभएणसंमं धारिज्जाहि (अण्णेसिंपवेज्जाहि) गुरुगुणेहिं वुड्डाहिं, नित्थारगपारगा होह," सीसो भणइ-“इच्छं" ३ तओ वंदित्ता भणइ-"तुम्हाणं पवेइअं, संदिसह साहूणं पवेएमि," गुरू भणइ-"पवेअह" ४ तओ वंदित्ता एगनमुक्कारमुच्चरंतो समोसरणं गुरुं च पयक्खिणेइ एवं तिन्निवेला, तओ गुरू निसिज्जाए उवविसइ ५। Page #206 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ ૧૮૯ खमासमणपुव्वं सीसो भणइ-“तुम्हाणं पवेइअं, साहूणं पवेइअं, संदिसह काउस्सग्गं करेमि" गुरू भणइ"करेह" ६ । तओ वंदित्ता भणइ ७ “सम्यक्त्वसामायिक स्थिरीकरणार्थं करेमि काउस्सग्गं इत्यादि" सत्तावीसुस्सासचिंतणं चउवीसत्थयभणनं । ततः सूरिस्तस्य पञ्चोदुम्बर्यादीन् यथायोग्यमभिग्रहान् ददाति । तद्दण्डकश्चैवम् - "अहन्नं भंते ! तुम्हाणं समीवे अभिग्गहे गिह्णामि तंजहा-दव्वओ, खित्तओ, कालओ, भावओ, दव्वओ णं इमे अभिग्गहे, खित्तओ णं इत्थ वा अन्नत्थ वा, कालओ णं जावज्जीवाए, भावओ णं अहागहिअभंगएणं, अरिहंतसक्खिअं, सिद्धसक्खिअं, साहुसक्खिअं, देवसक्खिअं, अप्पसक्खिअं, अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरामि" १४ । तत एकासनादि विशेषतपः कारयति । सम्यक्त्वादिदुर्लभताविषयां देशनां च विधत्ते दारम् १ । ટીકાર્ચ - વિશેષવિધિસ્તુ ... રારમ્ ૨ વળી વિશેષવિધિ ‘સામાચારી'થી જાણવી અને તેનો પાઠ આ છે– “વિ ચૈત્યવંદન, ૧. સંતિ સત્તવીસા-શાંતિનાથ ભગવાનની આરાધના માટે સત્તાવીશ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ગ, ૨. વીરસસુરાલીસાવિત્રસુર, વીર=દ્વાદશાંગીનો, ૩. સુગ=શ્રુત-દેવતાનો, ૪. સાસણા શાસનદેવતાનો, અને ૫. વિન સુરા=સર્વ દેવતાઓનો કાઉસગ્ગ, ૬. નવકાર, ૭. શક્રસ્તવ, ૮. પરમેષ્ઠિસ્તવ અને ૯. વાંદણાં. ૧૦.” સમન્નમí આ સામાન્ય છે ત્યાર પછી, મારવગુરૂ આરોપણનો કાઉસગ્ગ, ૧૧. રંડારો દંડનો ઉચ્ચાર વ્રતગ્રહણ વિષયક દંડનો ઉચ્ચાર, ૧૨. સાત ખમાસમણ. ૧૩.” પ્રશસ્ત ક્ષેત્ર જિનભવનાદિ હોતે છત, તિથિકરણ-નક્ષત્રમુહૂર્ત, ચંદ્રબલ પ્રશસ્ત હોતે છતે, પરીક્ષિતગુણવાળા શિષ્યને સૂરિ સન્મુખ કરીને ખમાસમણાના દાનપૂર્વક બોલાવે “રૂછવારિ ભવન ! તુ મë સર્વસામાયિકશ્રુતસામયિવિરતિસામયિકારોવાળ નવિરાવળ દેવે વંદાવેદ =હે ભગવન ! ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્તસામાયિકશ્રુતસામાયિક-દેશવિરતિ સામાયિક આરોપણ માટે નંદિકરાવણ માટે દેવને વંદાવો. ત્યારપછી સૂરિ શિષ્યને ડાબી બાજુ સ્થાપન કરીને વધતી સ્તુતિથી સંઘની સાથે દેવને વંદાવે છે. યાવતું મને આપો. ત્યારપછી શ્રી શાંતિનાથ આરાધનાર્થ હું કાઉસગ્ન કરું છું. ‘વંદણવરિઆએ' ઈત્યાદિ બોલીને સત્તાવીસ શ્વાસોચ્છવાસ કાઉસગ્ગ કરે છે અને ‘શ્રી શક્તિ ઈત્યાદિ સ્તુતિ બોલે છે. ત્યારપછી દ્વાદશાંગીની આરાધના માટે હું કાઉસગ્ન કરું છું. ‘વંદણવરિઆએ.' ઇત્યાદિ બોલીને કાઉસગ્નમાં નવકારનું ચિંતવન કરે છે. ત્યારપછી સ્તુતિ બોલે છે. ત્યારપછી મૃતદેવતા માટે કાઉસગ્ન કરું . અન્નત્ય ઉસસિએણ. ઇત્યાદિ કહીને ત્યારપછી સ્તુતિ બોલે છે. એ રીતે શાસનદેવતાના માટે હું કાઉસગ્ન કરું છું. અન્નત્ય બોલે છે. જે સ્તુતિ બોલે છે તે સ્તુતિ સ્પષ્ટ કરે છે – “જે જૈનશાસનનું રક્ષણ કરે છે, સદ્ય વિદ્ગોના નાશ કરનારી છે તે શાસનદેવતા અભિપ્રેતની સમૃદ્ધિ માટે થાવ=ઈચ્છિત એવા સ્વીકારેલા વ્રતની સમૃદ્ધિ માટે થાઓ.” એ પ્રમાણે સ્તુતિ બોલે. પછી બધા વૈયાવચ્ચ કરનારા Page #207 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ દેવતાઓનો કાઉસગ્ગ કરે. ત્યારપછી સ્તુતિ બોલે. નમસ્કાર કરીને અને બેસીને શક્રસ્તવનો પાઠ કરે. પરમેષ્ઠિસ્તવ બોલે. ‘જયવીયરાય’ ઇત્યાદિ બોલે. આ પ્રક્રિયા સર્વવિધિમાં સમાન છે. તે-તે નામ ઉચ્ચારકૃત વિશેષ છે. ત્યારપછી વંદનપૂર્વક શિષ્ય કહે છે ‘હે ભગવન ! ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકના આરોપણ માટે નંદી કરાવણ માટે કાઉસગ્ગ કરાવો.' ત્યારપછી શિષ્ય સહિત ગુરુ સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકના આરોપણ માટે હું કાઉસગ્ગ કરું છું. ઇત્યાદિ બોલે. સત્તાવીશ ઉચ્છ્વાસ ચિંતનરૂપ લોગસ્સ બોલે. ક્ષમા॰=ખમાસમણ, પૂર્વક નમસ્કારત્રયરૂપ નંદિસૂત્ર સંભળાવે. ત્યારપછી પૃથક્ પૃથક્ નમસ્કારપૂર્વક ત્રણવાર સમ્યક્ત્વ દંડકનો પાઠ કરે અને તે આ છે 1 ‘હે ભદા ! આજથી તમારી સમીપમાં મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરું છું, સમ્યક્ત્વ સ્વીકારું છું. તે આ પ્રમાણે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. દ્રવ્યથી મિથ્યાત્વનાં કારણોનું પચ્ચક્ખાણ કરું છું. સમ્યક્ત્વનાં કારણોનો સ્વીકાર કરું છું. આજથી માંડીને અન્ય ઉત્થિત, અન્યઉત્થિત દેવતા અથવા અન્ય ઉત્થિતથી પરિગૃહીત અરિહંત ચૈત્યોને વંદન કરવા અને નમસ્કાર કરવા મને કલ્પે નહીં એમ અન્વય છે. પૂર્વમાં નહીં બોલાવેલા અન્યતીર્થિકને આલાપ કરવા માટે, સંલાપ કરવા માટે, તેઓને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા માટે કે અનુપ્રદાન કરવા માટે=વારંવાર આપવા માટે, મને કલ્પે નહીં એમ અન્વય છે. ક્ષેત્રથી- અહીં અથવા અન્યત્ર કાલથી જાવજ્જીવ સુધી ભાવથી જ્યાં સુધી ગ્રહથી ગૃહીત ન થાઉં, જ્યાં સુધી છલથી છલિત ન થાઉં, જ્યાં સુધી સંનિપાતથી અભિભવ ન પામું, જ્યાં સુધી અન્ય કોઈ રોગ આતંક આદિથી આ પરિણામ=સમ્યક્ત્વની પ્રતિજ્ઞાનો પરિણામ, ન પરિવર્તન પામે ત્યાં સુધી મને આ સમ્યગ્દર્શન છે. રાજાભિયોગથી, ગણાભિયોગથી, બલાભિયોગથી, દેવતાભિયોગથી, ગુરુના નિગ્રહથી, વૃત્તિકાંતારથી= આજીવિકાનાં કારણોથી, અન્યત્ર વોસિરાવું છું=પૂર્વમાં બતાવેલ પ્રતિજ્ઞા અનુસાર હું ત્યાગ કરું છું. અને ત્યારપછી ૧૯૦ “અરિહંત મારા દેવ છે, જ્યાં સુધી જીવું ત્યાં સુધી સુસાધુ મારા ગુરુ છે, જિનપ્રજ્ઞપ્ત તત્ત્વ છે. એ સમ્યક્ત્વ મારા વડે ગૃહીત છે.” આ ગાથાનો ત્રણવાર પાઠ કરે. વળી, જે સમ્યક્ત્વના સ્વીકારની સાથે દેશવિરતિ સ્વીકારે છે. તેને અહીં જ=સમ્યક્ત્વના ઉચ્ચારણ પછી અહીં તરત જ, વ્રતનો ઉચ્ચાર છે. - “ત્યારપછી વંદન કરીને શિષ્ય કહે છે “ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકનું આરોપણ કરો.” ગુરુ કહે - ‘આરોપણ કરું છું.' ૧. ફરી વંદન કરીને શિષ્ય કહે છે - ‘આજ્ઞા આપો હું કંઈક કહું' ગુરુ કહે - ‘વંદન કરીને પ્રવેદન કર.’ ૨. વળી, વંદન કરીને કહે છે – ‘તમે મને સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકનું આરોપણ કર્યું. હું અનુશાસન ઇચ્છું છું.' ગુરુ કહે - ‘આરોપણ કર્યું, ક્ષમાશ્રમણના હાથથી આરોપણ કર્યું. સૂત્રથી, અર્થથી, તદુભયથી સમ્યક્ ધારણ કરજે. ગુરુ ગુણો વડે=ઘણા ગુણો વડે, વૃદ્ધિને પામજે, વિસ્તારના પારને થનારો થજે=સ્વીકારેલાં વ્રતોનું પૂર્ણ પાલન કરનારો થજે.' શિષ્ય કહે છે - ‘ઇચ્છું છું’ ૩. ત્યારપછી વંદન કરીને શિષ્ય કહે છે. ‘તમને પ્રવેદન કર્યું. આજ્ઞા આપો સાધુઓને પ્રવેદન કરું.' ગુરુ કહે છે - ‘પ્રવેદન કર.' ૪. ત્યારપછી વંદન કરીને એક નવકારને ઉચ્ચારતો સમવસરણ અને ગુરુને પ્રદક્ષિણા આપે છે. આ રીતે ત્રણવાર કહે. ત્યારપછી ગુરુ નિસઘામાં બેસે છે. ૫. ખમાસમણપૂર્વક શિષ્ય હે છે - ‘તમને પ્રવેદન કરાયું, સાધુઓને પ્રવેદન કરાયું આજ્ઞા આપો હું કાઉસસગ્ગ કરું.' ગુરુ કહે - ‘કરેહ'=તું કર, ૬. ત્યારપછી વંદન કરીને કહે છે. ૭. ‘સમ્યક્ત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિકને સ્થિર કરવા માટે હું કાઉસગ્ગ કરું છું.' ઇત્યાદિ બોલીને સત્તાવીસ ઉચ્છ્વાસના ચિંતનરૂપ લોગસ્સ બોલે. ત્યારપછી સૂરિ તેને પાંચ ઉદુમ્બર આદિના યથાયોગ્ય અભિગ્રહોને Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ • ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ આપે છે=શિષ્યની યોગ્યતા અનુસાર તે-તે અભક્ષ્યાદિના અભિગ્રહોને આપે છે. અને તેનું દંડક અભિગ્રહનું દંડક, આ પ્રમાણે છે – “હે ભગવન્ તમારા સમીપે આજે હું અભિગ્રહને ગ્રહણ કરું છું. તે આ પ્રમાણે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. દ્રવ્યથી આ અભિગ્રહ છે=જે વસ્તુનો પોતે ત્યાગ કરવા ઈચ્છે છે તે અભિગ્રહ છે. ક્ષેત્રથી અહીં કે અન્યત્ર અભિગ્રહ છે. કાલથી જાવજીવ સુધીનો અભિગ્રહ છે. ભાવથી જે પ્રમાણે ગ્રહણ કર્યું છે તે પ્રમાણે અભંગથી અભિગ્રહ છે. અરિહંતની સાક્ષીએ, સિદ્ધ સાક્ષીએ, સાધુની સાક્ષીએ, દેવની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ અનાભોગ, સહસાત્કાર, મહત્તરાગાર, સવ્વસમાહિત્તિ આગારને છોડીને વોસિરાવું છે=સંકલ્પ કરેલા ઉદ્દેબરાદિનો હું ત્યાગ કરું છું.” ત્યારપછી એકાસણાદિ વિશેષ તપ કરાવે. અને સમ્યક્ત આદિની દુર્લભતાના વિષયવાળી દેશના આપે છે.” ભાવાર્થ : પૂર્વમાં સમ્યક્ત આદિના ગ્રહણ પૂર્વની વિધિ બતાવી. હવે વિશેષવિધિ બતાવે છે – વિશેષવિધિનાં ૧૩ દ્વારો છે તે ક્રમસર બતાવે છે – પ્રશસ્ત ક્ષેત્ર હોય અને તે ક્ષેત્ર જિનભવનાદિરૂપ કે અન્ય કોઈ સુંદર ક્ષેત્ર હોય ત્યાં પ્રશસ્ત તિથિ આદિના દિવસે ગુરુ શિષ્યને સમ્યક્ત આદિ ઉચ્ચરાવે. કઈ રીતે ઉચ્ચરાવે તે સ્પષ્ટ કરે છે. શિષ્યના ગુણની પરીક્ષા કરીને તે-તે ગુણને માટે શિષ્ય યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય કરીને ત્યારપછી ઉચ્ચરાવે. જેમ સમ્યક્ત ઉચ્ચરાવવું હોય તો સમ્યક્તની પ્રાપ્તિને અનુકૂળ પ્રાથમિક કક્ષાનો બોધ થયો છે કે નહીં અને તે બોધ ન થયો હોય તો ગુરુ તેને બોધ કરાવે કે સંસારમાં જીવો ચાર ગતિમાં ભ્રમણ કરીને જે કંઈ વિડંબના પામે છે તે સર્વ કર્મકૃત કર્થના છે અને કર્મથી જીવ મુક્ત થાય ત્યારે આ સર્વ વિડંબના દૂર થાય છે માટે જીવની મુક્ત અવસ્થા સુંદર છે, સંસારઅવસ્થા અસુંદર છે અને જીવ કર્મ સાથે કઈ રીતે સંબંધિત થાય છે તેનો માર્ગાનુસારી બોધ શિષ્યની બુદ્ધિ અનુસાર કરાવે છે અને કહે છે કે આ કર્મની વિડંબનાથી મુક્ત થવાનો ઉપાય જિનવચનનો બોધ, જિનવચન પ્રત્યેની સ્થિરરુચિ અને જિનવચન અનુસાર અપ્રમાદભાવથી કરાયેલો યત્ન છે. અને તે પ્રકારનો સંક્ષેપથી કે વિસ્તારથી બોધ કરાવીને જ્યારે ગુરુને જણાય કે આ શિષ્ય સમ્યક્તને બરાબર ધારણ કરશે અને તેના ઉચિત આચારોમાં પ્રતિજ્ઞા અનુસાર પ્રયત્ન કરીને પાલન કરશે અને સમ્યક્તનું રક્ષણ કરશે, તેની પરીક્ષા કરીને તે શિષ્યને સૂરિ સખ્યત્વે આદિ ઉચ્ચરાવે છે ત્યારે પ્રથમ પોતાની સન્મુખ કરીને ખમાસમણાના દાનપૂર્વક બોલાવે=શિષ્યને કહે કે તું આ પ્રમાણે બોલ. શું બોલાવે ? તે સ્પષ્ટ કરે છે – “હે ભગવન્! ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક આરોપણ કરવા અર્થે અને નંદી કરાવવા માટે દેવને વંદાવો.” આનાથી એ પ્રાપ્ત થાય કે શિષ્ય ગુરુને વિજ્ઞપ્તિ કરે છે કે તમને હું વ્રત આપવાને માટે યોગ્ય લાગું તો તમારી ઇચ્છા પ્રમાણે તમે મને સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિકના આરોપણ માટે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ મંગલરૂપ નંદીસૂત્ર કરાવવા માટે તેની પૂર્વભૂમિકારૂપે દેવને વંદન કરાવો જેથી દેવને વંદન કરીને હું નંદીસૂત્ર” સાંભળું અને ત્યારપછી તમે મારામાં યથાઉચિત ત્રણ સામાયિક આરોપણ કરો. આ રીતે શિષ્ય ગુરુને વિનંતી કરે ત્યારે સૂરિ શિષ્યને પોતાની ડાબી બાજુએ સ્થાપન કરીને વધતી જતી સ્તુતિઓથી=પૂર્વ-પૂર્વની સ્તુતિ કરતાં ઉત્તર-ઉત્તરની સ્તુતિ આલાવા વગેરેથી વધતી હોય, ઉચ્ચારણથી વધતી હોય અને ભાવથી વધતી હોય તે રીતે સંઘની સાથે દેવને વંદન કરાવે અને વંદન કરાવીને સર્વ ક્રિયા કરાવીને યાવતું મને આપો, ત્યાં સુધી ક્રિયા કરાવે શિષ્ય પાસે વ્રતગ્રહણની સર્વ ઉચિત ક્રિયાઓ કરાવીને યાવતું મને વ્રત આપો ત્યાં સુધીની ક્રિયા કરાવે. તેર દ્વારમાંથી વિટ્ટ' “ચૈત્યવંદન' રૂપ પ્રથમદ્વાર સમાપ્ત થયું. ત્યારપછી દેવને વંદન કરાવ્યા પછી આચાર્ય શ્રી શાંતિનાથ ભગવાનની આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ ઇત્યાદિ સૂત્ર બોલીને સત્તાવીશ ઉચ્છવાસનો કાઉસગ્ન કરાવે અને શ્રી શાન્તિ ઇત્યાદિ સ્તુતિ બોલે. આનાથી એ પ્રાપ્ત થાય કે શાંતિનાથ ભગવાન તેમના નામ પ્રમાણેના ગુણવાળા હોવાથી વિદ્ગોની શાંતિમાં પ્રબળ કારણ છે. તેથી તેમની આરાધનાપૂર્વક વ્રત ગ્રહણ કરવામાં આવે તો અંતરંગ મોહ આપાદક વિઘ્નો તેમના પ્રત્યેની ભક્તિથી કરાયેલા કાઉસગ્ગથી શાંત થાય છે. તેથી તે પ્રકારના શાંતિનાથ ભગવાનના ગુણગાનપૂર્વક અને વધતી જતી શ્રદ્ધાદિથી જો તે શિષ્ય કાઉસગ્ગ કરે અને પછી ગુરુમુખે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ સાંભળે તો શાંત થયેલું ચિત્ત સુખપૂર્વક વ્રતના પરિણામ પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. અહીં સંતિ સત્તાવીસા' બીજું દ્વાર પૂરું થાય છે, ત્યારપછી દ્વાદશાંગીની આરાધના માટે હું કાઉસગ્ન કરું . વંદણવત્તિયાએ ઇત્યાદિ આલાવો બોલીને શિષ્ય ઉપયોગપૂર્વક એક નવકારનો કાઉસગ્ગ કરે. ત્યારપછી દ્વાદશાંગીની સ્તુતિ બોલે. આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનરૂપ દ્વાદશાંગી છે અને તે દ્વાદશાંગીને સમ્યક્ત આદિ ઉચ્ચરાવ્યા પછી પોતાની શક્તિ અનુસાર પરિણમન પમાડવાની છે તેથી દ્વાદશાંગી પ્રત્યેના વધતા જતા બહુમાનપૂર્વક તેનો કાઉસગ્ગ કરે અને તેના ગુણગાનરૂપ સ્તુતિ સાંભળે તેથી યોગ્ય જીવને શ્રુત પ્રત્યેની ભક્તિની બુદ્ધિ થાય અને સમ્યક્ત આદિ ઉચ્ચરાવ્યા પછી અપ્રમાદથી શ્રુત ભણવા માટે યત્ન કરીને શક્તિ અનુસાર અવશ્ય શ્રુતના રહસ્યનો જાણકાર બને તેવો નિર્મળ પરિણામ પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રગટે છે. આથી ઉપયોગપૂર્વક દ્વાદશાંગીના આરાધનાના કાઉસગ્ગથી વ્રત સમ્યક્ પરિણમન પમાડવામાં તે કાઉસગ્ગ પ્રબળ નિમિત્ત બને છે. અહીં વારસ' રૂપ ત્રીજું દ્વાર પૂર્ણ થયું. ત્યારપછી શ્રુતદેવતાના કાઉસગ્ગને હું કરું છું, અન્નત્થ, ઇત્યાદિ કહીને કાઉસગ્ગ કરે. ત્યારપછી શ્રુતદેવતાની સ્તુતિ સાંભળે. આ પ્રકારની સ્તુતિ કરવાથી ભગવાનનું શ્રુત, વ્રત ઉચ્ચરાવ્યા પછી પોતાને પ્રાપ્ત કરવું છે અને તેની પ્રાપ્તિમાં શ્રુતદેવતા પોતાને સહાયક થાય તેવો અભિલાષ વર્તે છે. તેથી તેઓના નિમિત્તે કાઉસગ્ન કરીને પોતે વ્રત ગ્રહણ કર્યા પછી શ્રુતઅધ્યયન સારી રીતે કરી શકે તેને અનુકૂળ દૃઢ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ પરિણામ પ્રસ્તુત કાઉસગ્ગથી થાય છે. અહીં ‘સુન'=શ્રુતદેવતા રૂપ ચોથું દ્વાર પૂરું થયું. એ રીતે=શ્રુતદેવતાનો કાઉસગ્ન કર્યો એ રીતે, શાસનદેવતાનો હું કાઉસગ્ન કરું ત્યારપછી અન્નત્થ ઇત્યાદિ બોલી એક નવકારનો કાઉસગ્ન કરે અને શાસનદેવતાની સ્તુતિ કરે. “જે શાસનદેવતા જૈનશાસનનું રક્ષણ કરે છે અને વિક્નોનો નાશ કરનાર છે તે શાસનદેવતા મારા અભિપ્રેતની સમૃદ્ધિ માટે થાઓ આ પ્રકારે શાસનદેવતાનો કાઉસગ્ન કરીને સ્તુતિ કરવાથી થયેલા સુંદર અધ્યવસાયને કારણે પોતાને અભિપ્રેત એવું સમ્યક્ત કે દેશવિરતિ આદિ વ્રતના સભ્યપાલન માટે બલાધાન થાય છે અને શાસનદેવતા તરફથી સહાય મળે તેવો સુંદર આશય હોવાથી કદાચ શાસનદેવતા જાગ્રત ન હોય તો તેમના તરફથી કોઈ સહાયતા ન થાય તો પણ પોતાના શુભ અધ્યવસાયથી તે પ્રકારનાં કર્મ નાશ પામે છે. જેથી સુખપૂર્વક સ્વીકારાયેલા વતની આરાધના કરી શકે. અહીં “સાસણ' નામનું પાંચમું દ્વાર પૂરું થાય છે. ત્યારપછી સમસ્ત વૈયાવચ્ચ કરનારા દેવોનો કાઉસગ્ગ કરાય છે અને ત્યારપછી તેની સ્તુતિ કરાય છે. . આનાથી એ પ્રાપ્ત થાય કે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની વૈયાવચ્ચ કરનારા દેવો વિષયક કાયોત્સર્ગ કસ્વાથી પોતાને વ્રતપાલનમાં તેઓ તરફથી ઉચિત સહાયતા પ્રાપ્ત થાય તેવો અભિલાષ વર્તે છે. અને તે કાયોત્સર્ગના બળથી થયેલા શુભ અધ્યવસાયથી પણ ઘણાં વિજ્ઞભૂત કર્મો નાશ પામે છે જેથી સ્વીકારાયેલાં વ્રતોનું સમ્યક્ પાલન થઈ શકે છે. અહીં ‘વિત્નસુરા' નામનું છઠું દ્વાર પૂરું થાય છે. ત્યારપછી નવકાર બોલીને વ્રત ગ્રહણ કરનાર પુરુષ બેસીને શક્રસ્તવ કરે. પછી પરમેષ્ઠિસ્તવ કરે અને જયવયરાય ઇત્યાદિ બોલે. આ રીતે કરવાથી ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય છે. તે ભક્તિની વૃદ્ધિને કારણે આગળમાં સ્વીકારાશે તે વ્રતો સમ્યક પરિણમન પામશે તેને અનુરૂપ અધ્યવસાય થાય છે. અહીં નવકાર, શક્રસ્તવ અને પરમેષ્ઠિતવરૂપ સાત-આઠ-નવ ત્રણ દ્વારે પૂરાં થાય છે. આ નવ દ્વારની પ્રક્રિયા સર્વવિધિમાં સમાન છે. ફક્ત તે-તે નામના ઉચ્ચારકૃત ભેદ છે. આશય એ છે કે આ નવ દ્વારોની વિધિ સમ્યત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક કે અન્ય પણ વ્રત ઉચ્ચારમાં સમાન છે. ફક્ત જે જે સામાયિક ઉચ્ચરાવવાની હોય તે-તે નામકૃત ભેદ છે. આથી જ સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવવાની હોય તો “સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક, સર્વવિરતિ સામાયિક આરોપણ અર્થે નંદી કરાવવા માટે દેવને વંદન કરાવો' તે પ્રકારનું વિશેષ ઉચ્ચારણ થાય છે. ત્યારપછી વંદનપૂર્વક શિષ્ય ગુરુને કહે છે. “હે ભગવન્! ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્ત સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક આરોપણ માટે નંદી કરાવણ અર્થે કાઉસગ્ન કરાવો.' આ પ્રકારે ગુરુ પાસેથી વિનયપૂર્વક કાઉસગ્ન કરાવવાથી વ્રતને અનુકૂળ મંગલ અર્થે નંદીસૂત્ર સાંભળવાને અનુરૂપ શુદ્ધિ થાય છે. તેમ નંદીસૂત્ર અર્થે કાઉસગ્ગ કરીને શુદ્ધ થયેલું ચિત્ત અત્યંત ઉપયોગપૂર્વક નંદીસૂત્ર સાંભળે તો તે નંદીસૂત્રનું શ્રવણ સમ્યફ પરિણમન પામે જે મંગલરૂપ હોવાથી વ્રતના સમ્યક પરિણમનમાં નિમિત્ત બને. અહીં ‘વંગ' નામનું ૧૦મું દ્વાર પૂરું થયું. ત્યાર પછી=નંદીસૂત્રનો કાઉસગ્ન કર્યા પછી, શિષ્ય સહિત ગુરુ સમ્યક્ત સામાયિક, શ્રુત સામાયિક Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ અને દેશવિરતિ સામાયિકના આરોપણ માટે કરેમિ કાઉસગ્ગ ઇત્યાદિ બોલે છે. અને સત્તાવીસ ઉવાસના ચિંતનરૂપ લોગસ્સ બોલે છે અને ખમાસમણપૂર્વક નમસ્કારત્રયરૂપ નંદીનું શ્રાવણ કરે છે–ત્રણ નવકાર રૂપ નંદીસૂત્ર ગુરુ શિષ્યને સંભળાવે છે. અહીં વ્રતના આરોપણનું ઉસ્સગ્ન=કાયોત્સર્ગ નામનું અગિયારમું દ્વાર પૂરું થાય છે. ત્યારપછી પૃથક પૃથક્ નમસ્કારપૂર્વક ત્રણવાર સમ્યક્તદંડકનો પાઠ કરે અર્થાત્ એક નવકાર બોલે અને તે રીતે નવકાર બોલીને બીજી વખત અને ત્રીજી વખત સમ્યક્ત દંડકનો પાઠ બોલે. અને તે સમ્યક્તદંડકના પાઠનો અર્થ આ પ્રમાણે છે – શિષ્ય ગુરુને કહે છે હે ભગવન્! તમારી સમીપે આજથી મિથ્યાત્વનો ત્યાગ કરું છું અને સમ્યક્તનો સ્વીકાર કરું છું. આ પ્રકારના ઉચ્ચારણથી એ પ્રકારનો અધ્યવસાય થાય છે કે અરિહંતદેવ, સુસાધુગુરુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ આ ત્રણ જ પોતાને એકાંતે કલ્યાણ કરનાર છે. તેનાથી અન્ય કોઈ કલ્યાણ કરનાર નથી તે પ્રકારનો સ્થિર અધ્યવસાય કરવા અર્થે ગુરુ સમક્ષ તે પ્રકારની પ્રતિજ્ઞા કરે છે. વળી સમ્યક્તને દૃઢ કરવા અર્થે મિથ્યાત્વનાં કારણોનો ત્યાગ કરવા માટે અને સમ્યક્તનાં કારણોનો સ્વીકાર કરવા માટે પોતે પ્રતિજ્ઞા કરે છે અને તે પ્રતિજ્ઞા જ ‘તંગથી સ્પષ્ટ કરે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી હું મિથ્યાત્વનાં કારણોનો ત્યાગ કરું છું અને સભ્યત્વનાં કારણોનો સ્વીકાર કરું છું, જેથી જિનવચનમાં મારી શ્રદ્ધા દૃઢ થાય. તેમાં પ્રથમ દ્રવ્યથી મિથ્યાત્વનાં કારણોનું પચ્ચખ્ખાણ કરે છે અને સમ્યક્તનાં કારણોનો સ્વીકાર કરે છે. કયા પ્રકારના મિથ્યાત્વનાં કારણોનો ત્યાગ કરે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – - આજથી માંડીને અન્યતીર્થિક, અન્યતીર્થિકદેવો કે અન્યતીર્થિકથી પરિગૃહીત અરિહંતચૈત્યોને નમસ્કાર કરવા કે વંદન કરવાં મને કહ્યું નહિ. આ રીતે પ્રતિજ્ઞા કરવાથી અધ્યવસાય થાય છે કે જિનવચન પ્રમાણે ચાલનારા પાંચ મહાવ્રતધારી સુસાધુઓથી અન્ય ત્યાગીઓને પોતે ગુરુબુદ્ધિથી વંદન-નમસ્કાર કરશે નહીં અને અન્યતીર્થિકના દેવોને કે અન્યતીર્થિકોએ ગ્રહણ કરેલી જિનપ્રતિમાને પોતે દેવબુદ્ધિથી વંદન-નમસ્કાર કરશે નહિ. આ પ્રકારની દ્રવ્યથી પ્રતિજ્ઞા કરવાને કારણે કુગુરુ પ્રત્યે સુગુરુની બુદ્ધિ થાય નહીં અને કુદેવ પ્રત્યે સુદેવની બુદ્ધિ થાય નહીં તેથી મિથ્યાત્વની પ્રાપ્તિ થવાનો પ્રસંગ આવે નહિ. વળી, અન્યતીર્થિકો વડે ગ્રહણ કરાયેલી જિનપ્રતિમા જોકે અરિહંતની પ્રતિમા છે તોપણ અન્યદર્શની દ્વારા તે અરિહંત પ્રતિમા પોતાના દેવ તરીકે પૂજાય છે અને તે અરિહંત પ્રતિમાને વંદન-નમસ્કાર કરવાથી અન્યદર્શનના દેવોનું માહાસ્ય વૃદ્ધિ પામે છે. તેથી અન્યદર્શનના દેવોની માહાત્મની વૃદ્ધિમાં પોતે નિમિત્ત બને તો મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. માટે તેવી જિનપ્રતિમાને પણ વંદન-નમસ્કાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ વળી, અન્યતીર્થિક એવા ગુરુઓ સાથે પોતાને પૂર્વમાં પરિચય ન હોય તેવા ગુરુની સાથે બોલવા દ્વારા પરિચય નહીં કરવાનો સંલાપ નહીં કરવાની પ્રતિજ્ઞા કરાય છે. જેથી તેઓના પરિચયને કારણે મિથ્યાત્વની પ્રાપ્તિના પ્રસંગનો પરિહાર થાય છે. વળી, અન્યતીર્થિકોને ગુરુબુદ્ધિથી ચાર પ્રકારના આહારાદિ આપવા માટે કે વારંવાર આપવા માટે હું પ્રયત્ન કરીશ નહીં એ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે જેથી મિથ્યા આચારને સેવનારા કે તેમના ત્યાગને જોઈને તેઓ પ્રત્યે ગુરુબુદ્ધિ થાય નહિ. જેથી તે ગુરુમાં સુગુરુની બુદ્ધિરૂપ મિથ્યાત્વના પ્રસંગનો પરિહાર થાય છે. આ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવ્યા પછી તે પ્રતિજ્ઞા ક્ષેત્રને આશ્રયીને જ્યાં પ્રતિજ્ઞા કરી છે તે ક્ષેત્રમાં અને અન્ય સર્વ ક્ષેત્રોમાં પણ પોતાની પ્રતિજ્ઞા રહેશે એવો સંકલ્પ કરે છે. જેથી એવો વિકલ્પ ઊઠે નહીં કે મેં તો અમુક ક્ષેત્રની પ્રતિજ્ઞા કરી છે પરંતુ સર્વક્ષેત્રમાં તે પ્રકારે વંદન-પૂજન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી નથી. તેથી સર્વ ક્ષેત્રની પ્રતિજ્ઞાના જેના કારણે અન્ય ક્ષેત્રમાં અન્યતીર્થિક દેવ કે અન્યતીર્થિક ગુરુને વંદનાદિનો પરિણામ થાય નહિ. વળી, કાલથી આ પ્રતિજ્ઞા જ્યાં સુધી પોતે જીવે છે ત્યાં સુધી છે. જેથી સદા માટે મિથ્યાત્વનાં કારણોના ત્યાંગનો અધ્યવસાય થાય છે. વળી, ભાવથી પોતે આ પ્રતિજ્ઞાને સદા પાળવા ઇચ્છે છે, તો પણ કોઈક વ્યંતરાદિના ગ્રહથી ગૃહીત થાય, કોઈક દેવતાના છલથી છલિત થાય, કોઈક સંનિપાતના રોગથી મન ઉપરનો કાબૂ ન રહે કે કોઈ અન્ય પ્રકારના રોગને કારણે પોતાને પ્રતિજ્ઞાનું સ્મરણ ન રહે તો પોતાની પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે અર્થે વિકલ્પ કરે છે કે “જ્યાં સુધી હું ગ્રહથી ગૃહીત ન થાઉં, છલથી છલિત ન થાઉં, સંનિપાતથી પરિભવ ન પામું અને રોગ આતંકાદિના કારણે મારો આ પરિણામ પ્રતિપતિત ન થાય ત્યાં સુધી મારો આ સમ્યગ્દર્શનનો પરિણામ છે.” અર્થાત્ સમ્યગ્દર્શનમાં વિઘ્નરૂપ મિથ્યાત્વનાં કારણોના ત્યાગપૂર્વક સુદેવમાં સુદેવની બુદ્ધિ અને સુગુરુમાં સુગુરુની બુદ્ધિ છે. તેમાં અપવાદ બતાવે છે – રાજાભિયોગાદિનાં કારણોથી ક્યારેક અનિચ્છાએ પણ અન્યદર્શનના દેવોને નમસ્કાર કરવા પડે કે અન્ય કુગુરુઓને આહારાદિ આપવા પડે તોપણ મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય જે અર્થે છ આગારપૂર્વક આ સર્વ પ્રવૃત્તિઓને હું વોસિરાવું છું. અર્થાત્ કુદેવને અને કુગુરુને વોસિરાવું છું અને આ વોસિરાવ્યા પછી સમ્યક્ત ગ્રહણ કરવા અર્થે જાવજીવ અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનપ્રજ્ઞપ્ત તત્ત્વ જિનપ્રજ્ઞપ્ત ધર્મ છે તેવી સ્થિરબુદ્ધિ કરવા અર્થે ત્રણ વખત તે ગાથા બોલીને તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત ઉત્પન્ન કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અરિહંતના પારમાર્થિક સ્વરૂપના બોધપૂર્વક અરિહંત તુલ્ય સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ અર્થે તેઓની ઉપાસના કરવામાં આવે અને જિનવચનાનુસાર ચાલનારા ૧૮૦૦૦ શીલાંગવાળા સુસાધુના પારમાર્થિક સ્વરૂપને જાણીને તેમની ગુરુબુદ્ધિએ ઉપાસના કરવામાં આવે અને સર્વજ્ઞપ્રણીત Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ ૧૮૦૦૦ શીલાંગ સ્વરૂપ જ ધર્મ પારમાર્થિક ધર્મ છે તેવી સ્થિરબુદ્ધિ કરવામાં આવે તો સમ્યક્ત અવશ્ય પ્રગટ થાય છે. વળી, જે પુરુષ સમ્યક્ત ઉચ્ચરાવ્યા પછી દેશવિરતિ સામાયિક ઉચ્ચરાવે છે તે વ્રત ઉચ્ચરાવવાનો પાઠ આના પછી તરત જ બોલાય છે જે પાઠ અહીં ગ્રંથકારશ્રીએ આપેલ નથી. પરંતુ આગળમાં ગ્રંથકારશ્રી સ્વયં બતાવશે. અહીં “દંડ ઉચ્ચાર' રૂ૫ બારમું દ્વાર પૂરું થાય છે. ત્યાર પછી સમ્યક્ત સામાયિક ઉચ્ચરાવ્યા પછી કે સમ્યક્ત સામાયિક દેશવિરતિ સામાયિક ઉચ્ચરાવ્યા પછી, ગુરુને વંદન કરીને શિષ્ય કહે છે – “ઇચ્છાપૂર્વક તમે મારામાં સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક અને દેશવિરતિ સામાયિકનું આરોપણ કરો.' ગુરુ કહે છે. “હું આરોપણ કરું છું.” આ પ્રકારે કહીને ગુરુ શિષ્યમાં તે સામાયિકનું આરોપણ કરે છે. (૧) ફરી વંદન કરીને શિષ્ય કહે છે – “મને અનુજ્ઞા આપો. હું કંઈક કહેવાને ઇચ્છું છું.' ગુરુ કહે છે “વંદન કરીને કહે.” આ પ્રકારે કહેવાથી ગુરુને કંઈક કહેવાનો શિષ્યને અભિલાષ છે તે અભિલાષ પ્રગટ કરવા માટે પણ વિનયપૂર્વક અનુજ્ઞા માંગે છે. તેથી ઉચિત વિનય થાય છે અને ગુણવાનનું પાતંત્ર્ય થાય છે. પછી ગુરુ શિષ્યને કહેવાની અનુજ્ઞા આપે. (૨) ત્યારપછી ફરી વંદન કરીને કહે છે – “તમે મારામાં સમ્યક્ત સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકનું આરોપણ કર્યું. હવે હું તમારું અનુશાસન ઇચ્છું છું.” આમ કહેવાથી શિષ્યને એ અધ્યવસાય છે કે “ગુણવાન એવા ગુરુના પારતંત્રના બળથી આ સંસારસાગર હું તરીશ માટે હું દરેક પ્રવૃત્તિ જિનવચનનાનુસાર કરું. તેના માટે ગુરુ મને સતત ઉચિત અનુશાસન આપે જેના બળથી હું જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરી સંસારસાગરથી તરું.” આ પ્રકારના શિષ્યના કંઈક કથનને સાંભળીને ગુરુ કહે છે – “અમે તારામાં સમ્યક્ત સામાયિક આદિ જે ત્રણ આરોપણ કર્યા છે તે ક્ષમાશ્રમણના હાથથી આરોપણ કર્યા છે. આ પ્રકારે કહેવાથી ગુણવાન એવા ગુરુ પણ એ કહે છે કે “અમે પણ ગુણવાન એવા સુસાધુને પરતંત્ર થઈને તારામાં સમ્યક્ત સામાયિક આદિ ત્રણ સામાયિકનું આરોપણ કર્યું છે, સ્વઇચ્છાથી કર્યું નથી. માટે કલ્યાણના અર્થીએ ગુણવાન ગુરુને પરતંત્ર થઈને જ જિનવચનાનુસાર સર્વપ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રકારે ગુરુનું વચન સાંભળીને શિષ્યને પણ ગુણવાન ગુરુ જેમ ક્ષમાશ્રમણને પરતંત્ર થયા છે તેમ મારે પણ ગુણવાન ગુરુને પરતંત્ર થવું જોઈએ તેવો અધ્યવસાય થાય છે. ત્યારપછી ગુરુ આશીર્વચન આપતાં કહે છે તે સૂત્રથી, અર્થથી અને સૂત્ર-અર્થ ઉભયથી સમ્યકુધારણ કરજે શ્રુતજ્ઞાનનું સમ્યકુધારણ કરજે અને ગુરુગુણથી વૃદ્ધિને પામ=ગંભીરતાદિ ઘણા ગુણોથી વૃદ્ધિને પામજે. નિસ્તારગ-પારગ થજે=ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાના નિસ્તારને અને પારને કરનાર થજે. શિષ્ય કહે છે હું ઇચ્છું છું.” અર્થાત્ જે પ્રકારે ગુરુએ આશીર્વાદ આપેલ છે તે પ્રકારે કરવાને હું ઇચ્છું છું. આનાથી એ પ્રાપ્ત થાય કે વ્રત આરોપણ કર્યા પછી ગુરુ શિષ્યના એક કલ્યાણની કામનાવાળા છે અને તે કામનારૂપે જ શિષ્યને આશીર્વચન આપે છે કે વ્રતગ્રહણ કર્યા પછી તારી શક્તિને ગોપવ્યા વગર Page #214 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ ૧૯૭ ભગવાના વચનના સૂત્રને, અર્થને અને સૂત્ર-અર્થ ઉભયને તુ સમ્યક્ ધારણ કરજે. તું નવું-નવું ભણજે. જેથી સ્વીકારેલું સમ્યક્ત્વ શ્રુતની વૃદ્ધિ દ્વારા નિર્મળ થાય છે અને સ્વીકારેલ દેશવિરતિ પણ શ્રુતની વૃદ્ધિ દ્વારા નિર્મળ થાય. વળી, ગુરુએ કહેલ કે ઘણા ગુણોથી વૃદ્ધિ પામજે, તેથી તે વચનને ધારણ કરીને શિષ્ય હંમેશાં જેમ શ્રુતઅધ્યયનમાં ઉદ્યમ કરે છે તેમ સ્વીકારાયેલાં વ્રતોના પાલનથી પોતાનામાં સર્વવિરતિને અનુકૂળ ગુણોની વૃદ્ધિ થાય તે પ્રકારે ઉચિત યત્ન કરે છે. માત્ર દેશવિરતિનાં વ્રતોની બાહ્યક્રિયા કરીને સંતોષ પામતો નથી અને આ પ્રકા૨ના પરિણામ થવામાં ગુણવાન ગુરુનો અપાયેલો આશીર્વાદ સદા નિમિત્ત બને છે. વળી, ગુરુએ કહેલ કે સ્વીકારાયેલા વ્રતના નિસ્તા૨ને ક૨ના૨ અને પા૨ને પામનાર થજે, તેથી એ પ્રાપ્ત થાય કે પોતે જે વ્રતો ગ્રહણ કર્યાં છે તે વ્રતોને સ્ખલના વગર મારે પાળવાં જોઈએ જેથી સ્વીકારાયેલાં વ્રતોના નિસ્તા૨ને ક૨ના૨ો હું થાઉં તેવો અધ્યવસાય થાય છે. તે વ્રતોની ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને તે વ્રતોના બળથી હું સંસારસાગરના પા૨ને પ્રાપ્ત કરનાર થાઉં એવો અધ્યવસાય શિષ્યને ઉત્પન્ન થાય છે અને તે અધ્યવસાય અનુસાર ઉચિત યત્ન કરીને શિષ્ય પણ વ્રતનું ઉચિત પાલન કરનાર બને છે અને ક્રમે ક૨ીને સંસારસાગરથી પાર ઊતરે છે. (૩) - ત્યાર પછી વંદન કરીને શિષ્ય કહે છે, ‘તમને મેં પ્રવેદિત કર્યું, આજ્ઞા આપો. સાધુઓને હું પ્રવેદન કરું.’ ગુરુ કહે છે – ‘પ્રવેદન કર.’ આ પ્રકારે કહેવાથી એ અધ્યવસાય થાય છે કે શિષ્યએ ગુરુના અનુશાસન માટે પોતાની ઇચ્છાનું પ્રવેદન કર્યું અને ગુરુએ આશીર્વાદ આપ્યા તેમ અન્ય સાધુઓના પણ ઉચિત અનુશાસન માટે પ્રવેદન કરવાની અનુજ્ઞા શિષ્ય માંગે છે અને ગુરુની અનુજ્ઞા માંગ્યા પછી અન્ય સાધુઓને પણ અનુશાસન આપવાની ઇચ્છારૂપ તે શિષ્ય પ્રવેદન કરે છે. તે પ્રમાણે ઉચિત અભિલાપપૂર્વક અન્ય સાધુઓ પણ તેને આશીર્વચન આપે છે જે આશીર્વચનના બળથી તે વ્રત ગ્રહણ કરનારને વ્રતની વૃદ્ધિ અર્થે શ્રુત અધ્યયનમાં, વ્રત પરિણમન પમાડવામાં ઉત્સાહ વધે છે; કેમ કે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત અન્ય સાધુઓ પણ યોગ્ય એવા તે જીવને સા૨ણાદિ દ્વારા અનુશાસન આપે એવી ઇચ્છા વ્રતગ્રહણ કરનારને થાય છે. (૪) ત્યારપછી વંદન કરીને એક નવકા૨ને બોલતો સમવસરણ અને ગુરુને પ્રદક્ષિણા આપે છે. આ પ્રમાણે ત્રણ વખત કરે છે. ત્યારપછી ગુરુ નિષદ્યામાં બેસે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અન્ય સાધુઓને પોતાની ઇચ્છાનું પ્રવેદન કર્યા પછી પોતે સ્વીકારેલા વ્રતને સ્થિર ક૨વાર્થે ગુરુને વંદન કરે છે અને ત્રણ વખત એકએક નવકા૨ બોલીને ગુરુને અને સમવસરણને પ્રદક્ષિણા આપે છે જે ઉચિત વિનય સ્વરૂપ છે. અને આ રીતે શિષ્ય ત્રણ પ્રદક્ષિણા કરી લે પછી ગુરુ પોતાના આસન પરે બેસે છે. (૫) ખમાસમણપૂર્વક શિષ્ય ગુરુને કહે છે – “તમને મેં પ્રવેદન કર્યુંતમને મેં અનુશાસનની ઇચ્છા વ્યક્ત કરી અને તમે આશીર્વચન આપ્યું. સાધુઓને મેં પ્રવેદન કર્યું અને તેઓએ પણ આશીર્વાદ આપ્યા. તમે મને અનુજ્ઞા આપો હું કાઉસગ્ગ કરું.” ગુરુ કાઉસગ્ગની અનુજ્ઞા આપે છે. આ પ્રકારે કરવાથી આગળમાં જે કાઉસગ્ગ ક૨વાનો છે તે પણ ગુરુની અનુજ્ઞાપૂર્વક કરવાનો અધ્યવસાય થાય છે તેથી ઉચિત વિનય થાય છે. (૬) Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ ત્યારપછી વંદન કરીને કહે છે – “સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિકને સ્થિર કરવા માટે હું કાઉસગ્ન કરું છું.' ઇત્યાદિ બોલીને ૨૭ ઉચ્છવાસના ચિંતનરૂપ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. આ પ્રકારે કરવાથી પોતે સ્વીકારેલાં વ્રતોને મારે સ્થિર કરવાં છે તે નિમિત્તે હું આ કાઉસગ્ન કરું , તેવો અધ્યવસાય થવાથી વ્રતમાં દઢ યત્ન કરવાની શક્તિનો સંચય થાય છે. (૭) આ રીતે ‘સત્તવમાસમ' રૂપ તેરમું દ્વાર પુરું થાય છે. ત્યારપછી સૂરિ તેને પાંચ ઉદુમ્બરાદિ અભક્ષ્યના ત્યાગ માટે યથાયોગ્ય અભિગ્રહ આપે છે. અને તે દંડકતે અભિગ્રહગ્રહણનું દંડક આ પ્રમાણે છે – “હે ભગવન્! આજથી તમારી સમીપે હું અભિગ્રહને ગ્રહણ કરું છું અર્થાત્ ઉદુમ્બરાદિમાંથી જેનો ત્યાગ કરવાનો પોતે સંકલ્પ કરેલો છે તેનો અભિગ્રહ ગ્રહણ કરું છું. કઈ રીતે અભિગ્રહ ગ્રહણ કરે છે. તે “તંગહા'થી સ્પષ્ટ કરે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી હું અભિગ્રહ ગ્રહણ કરું છું. દ્રવ્યથી આ મારા અભિગ્રહ છે અર્થાત્ જેનો ત્યાગ કરવાનો પોતે સંકલ્પ કર્યો છે તે મારા અભિગ્રહ છે. ક્ષેત્રથી આ ક્ષેત્રમાં કે અન્ય ક્ષેત્રમાં પોતે જાય ત્યાં પણ મારો આ અભિગ્રહ છે. કાલથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારો આ અભિગ્રહ છે. ભાવથી જે પ્રમાણે મેં ગ્રહણ કર્યું છે તેના અભંગના પરિણામથી મારો આ અભિગ્રહ છે. અને તે અભિગ્રહ કોની સાક્ષીએ ગ્રહણ કરે છે તે બતાવે છે. અરિહંતની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, સાધુની સાક્ષીએ, દેવની સાક્ષીએ, આત્માની સાક્ષીએ આ અભિગ્રહ ગ્રહણ કરું છું. તેથી પાંચની સાક્ષીએ પોતે આઆ અભિગ્રહ ગ્રહણ કર્યો છે તેવો દઢ સંકલ્પ થવાથી તેનું ક્યારેય ઉલ્લંઘન ન થાય તેવો પરિણામ વિશેષ થાય છે. વળી, અભિગ્રહનો ભંગ ન થાય તેના માટે ઉચિત આગારો બતાવે છે. અનાભોગને છોડીને, સહસાત્કારને છોડીને મોટા પુરુષોના આગ્રહને છોડીને કે સર્વપ્રકારની સમાધિનાં કારણોને છોડીને વોસિરાવું છું-હું સંકલ્પ કરાયેલા ઉદુમ્બરાદિનો ત્યાગ કરું છું. આ પ્રકારે આગાર રાખવાથી પૂર્ણ વ્રતપાલન પ્રત્યેનો બદ્ધરાગ થાય છે; કેમ કે અનાભોગાદિથી કંઈક વિપરીત થાય તોપણ ભાવથી મારું વ્રત સુરક્ષિત રહે માટે વિપરીત થવાની સંભાવનાનાં સ્થાનોને છોડીને પ્રતિજ્ઞા કરે છે. જેથી ગ્રહણ અનુસાર વ્રતનું સમ્યક્ષાલન કરીને વ્રતનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય. ત્યારપછી વ્રત આપ્યા પછી, ગુરુ એકાસણાદિ વિશેષ તપ કરાવે છે અને જે વ્રતો તેણે પ્રાપ્ત કર્યા છે તેવા સમ્યક્ત આદિની દુર્લભતાના વિષયવાળી દેશના આપે છે જેથી વ્રત પ્રત્યેનો દઢ પક્ષપાત વૃદ્ધિ પામે; કેમ કે સમ્યક્ત આદિની પ્રાપ્તિની દુર્લભતા છે તેનું જ્ઞાન થવાથી પ્રાપ્ત થયેલા વ્રત આદિના પાલન અને રક્ષણ માટે દઢ યત્ન થાય છે. ટીકા : देशविरत्यारोपणविधिरप्येवमेव, व्रताभिलापस्त्वेवम्"अहन्नं भंते! तुम्हाणं समीवे थूलगं पाणाइवायं संकप्पओ निरवराहं पच्चक्खामि जावज्जीवाए दुविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं વોસિરામિ IST Page #216 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ acc अहन्नं भंते! तुम्हाणं समीवे थूलगं मुसावायं जीहाछे आइहेउं कन्नाली आइ पंचविहं पच्चक्खामि दक्खिण्णाइ अविसए जावज्जीवाए दुविहमित्यादि ||२|| अहन्नं भंते! तुम्हाणं समीवे थूलगं अदत्तादाणं खत्तखणणाइअं चोरंकारकरं रायनिग्गहकरं सचित्ताचित्ताइवत्थुविसयं पच्चक्खामि जावज्जीवाए दुविहमित्यादि । । ३ ।। अहन्नं भंते! तुम्हाणं समीवे ओरालिअवेडव्विअभेअं थूलगं मेहुणं पंच्चक्खामि जावज्जीवाए, तत्थ दिव्वं दुविहं तिविहेणं, तेरिच्छं एगविहं तिविहेणं, मणुअं अहागहिअभंगएणं, तस्स भंते! पडिक्कमामि निंदामीत्यादि । । ४ । । अहन्नं भंते! तुम्हाणं समीवे अपरिमिअपरिग्गहं पच्चक्खामि, धणधन्नाइनवविहवत्थुविसयं इच्छापरिमाणं उवसंपज्जामि जावज्जीवाए अहागहिअभंगएणं तस्स भंते! पडिक्कमामि निंदामीत्यादि ।।५।। एतानि प्रत्येकं प्रत्येकं वारत्रयं नमस्कारपूर्वमुच्चारणीयानि । अहन्नं भंते! तुम्हाणं समीवे गुणव्वयतिए उड्डाहोतिरि अगमणविसयं दिसिपरिमाणं पडिवज्जामि । उवभोगपरिभोगवए भोअंणओ अणंतकायबहुबी अराईभोअणाइं परिहरामि, कम्मओ णं पनरसकम्मादाणाई इंगालकम्माइआई बहुसावज्जाई, खरकम्माई रायनिओगं च परिहरामि । अणत्थदंडे अवज्झाणाइअं चउव्विहं अणत्थदंडं जहासत्तीए परिहरामि जावज्जीवाए अहागहिअभंगएणं तस्स भंते! पडिक्कमामीत्यादि ६-७-८ ।। त्रीण्यपि समुदितानि वार ३ । अहन्नं भंते! तुम्हाणं समीवे सामाइअं, देसावगासिअं, पोसहोववासं, अतिहिसंविभागवयं च जहासत्तीए पडिवज्जामि जावज्जीवाए अहागहिअभंगएणं तस्स भंते पडिक्कमामी "त्यादि ९-१०-११-१२ । । चत्वार्यपि समुदितानि वार ३ । इच्चेइअं संमत्तमूलं पंचाणुव्वइअं सत्तसिक्खावइअं दुवालसविहं सावगधम्मं उवसंपज्जित्ता णं विहरामि । " वार ३ ।।२३ ॥ टीडार्थ : देशविरत्यारोपण वार ३ ।। देशविरतिना आरोपपुरानी विधि भए खा प्रभागे ४ छे े પ્રમાણે સમ્યક્ત્વના આરોપણની વિધિ છે એ પ્રમાણે જ છે વળી, વ્રતનો અભિલાપ=કથન, આ પ્રમાણે છે “હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે સંકલ્પથી નિરપરાધ સ્થૂલ-પ્રાણાતિપાતનું પચ્ચક્ખાણ કરું છું, જાવજ્જીવ સુધી દુવિધ-ત્રિવિધથી મનથી-વચનથી-કાયાથી હું સ્થૂલ પ્રાણાતિપાતને કરીશ નહીં કરાવીશ નહિ. હે ભગવન્ ! તેનું=સ્થૂલ પ્રાણાતિપાતનું, હું પ્રતિક્રમણ કરું છું. નિંદા કરું છું, ગર્હા કરું છું અને આત્માને વોસિરાવું છું=સ્થૂલ પ્રાણાતિપાત પૂર્વમાં મેં જે કર્યું છે તેવા મારા આત્માને હું वोसिरापुं छं. (१) ***** - હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે દાક્ષિણ્ય આદિના અવિષયમાં જિહ્વાછેદાદિ હેતુ કન્યાલીકાદિ પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનું પચ્ચક્ખાણ કરું છું. જાવજ્જીવ સુધી ‘દુવિહં’ ઇત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ भागवो. (२) Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે સચિત્ત-અચિત્તાદિ વસ્તુ વિષયવાળું રાજનિગ્રહને કરનાર ચોરંકારકર ખાત્ર-ખનન આદિ સ્થૂલ અદત્તાદાનનું હું પચ્ચખાણ કરું છું. જાવજીવ સુધી દુવિહે ઈત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો. હે ભગવન્! આજથી તમારી સમીપે માંડીને ઔદારિક-વૈક્રિય ભેદવાળું સ્થૂલ મૈથુનનું હું પચ્ચખાણ કરું છું. જાવજીવ સુધી ત્યાં=દુવિધ-ત્રિવિધથી મૈથુનના પચ્ચખ્ખાણમાં, દુવિધ-ત્રિવિધથી દિવ્ય સંબંધી–દેવસંબંધી, એકવિધ ત્રિવિધથી તિર્યંચ સંબંધી, યથાગૃહીત અભંગથી મનુષ્ય સંબંધી મૈથુનનું હું પચ્ચખાણ કરું છું એમ અવય છે, તે ભગવન્! તેનું સ્થૂલ મૈથુનનું, હું પ્રતિક્રમણ કરું છું. નિંદા કરું છું. ઈત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો. (૪) હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે ધન-ધાન્યાદિ અપરિમિત પરિગ્રહનું હું પચ્ચખાણ કરું છું. નવવિધ વસ્તુ વિષયવાળું ઇચ્છાના પરિમાણને સ્વીકારું છું. જ્યાં સુધી જીવું ત્યાં સુધી યથાગૃહીત અભંગથી હે ભગવન્! તેનું= અપરિમિત પરિગ્રહનું, હું પચ્ચખ્ખાણ કરું છું. નિંદા કરું છું ઇત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો. (૫) આ=પૂર્વમાં કહેવાયેલા અણુવ્રતના આલાવા પ્રત્યેક નમસ્કારપૂર્વક ત્રણવાર ઉચ્ચારણ કરવા. હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે ગુણવ્રત માટે ઊર્ધ્વ-અધો-તિર્યફગમન વિષયક દિશિ પરિમાણ હું સ્વીકારું છું. ઉપભોગ-પરિભોગ માટે ભોજનથી અનંતકાય, બહુબીજ, રાત્રિભોજનાદિનો હું પરિહાર કરું છું. કર્મથી કૃત્યથી, અંગારકર્માદિ, બહુસાવઘાદિ, ખરકર્માદિ પંદર કર્માદાનાદિનો અને રાજાના નિયોગનો હું પરિહાર કરું છું. અનર્થદંડમાં અવઘધ્યાનાદિ ચાર પ્રકારના અનર્થદંડનો યથાશક્તિથી હું પરિહાર કરું છું. જાવજીવ સુધી યથાગૃહીત અભંગથી હું પરિહાર કરું છું એમ અન્વય છે. હે ભગવન્! તેનું દિશિપરિમાણ, ઉપભોગ-પરિભોગ, ૧૫ કર્માદાનાદિ અનર્થદંડનું પ્રતિક્રમણ કરું છું. ઇત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો. ૬-૭-૮ ત્રણે પાઠ સમુદિત ત્રણવાર બોલવા–ત્રણેય ગુણવ્રતો એક સાથે ત્રણવાર બોલે. હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ અને અતિથિ સંવિભાગે વ્રત યથાશક્તિથી હું સ્વીકારું છું. જાવજીવ સુધી યથાગૃહીત અભંગથી હું સ્વીકારું છું. એમ અવય છે. હે ભગવન્! તેનું હું પ્રતિક્રમણ કરું છું ઇત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો. ૯-૧૦-૧૧-૧૨ ચારે પણ સમુદિત ત્રણ વાર બોલવા. ઈત્યાદિ ‘આ સમ્યક્ત મૂલ પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત, બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકારીને હું વિહરું .' ત્રણ વાર આ પાઠ બોલવો. ૨૩ ભાવાર્થ : સપ્ત ખમાસમણા પૂર્વક સમ્યત્વની સાથે દેશવિરતિ પણ ગ્રહણ થાય છે તે વખતે દેશવિરતિ આરોપણની વિધિ પણ સમ્યક્તની જેમ જ સર્વ ક્રિયાપૂર્વક થાય છે અને તે વખતે બાર વ્રતોનો અભિશાપ આ પ્રમાણે કરવામાં આવે છે. (૧) શૂલપ્રાણાતિપાતવિરમણવ્રત - વ્રત ગ્રહણ કરનાર કહે છે કે “હે ભગવન્! આજથી માંડીને તમારી પાસે જાવજીવ સુધી શૂલપ્રાણાતિપાતનું હું પચ્ચખ્ખાણ કરું છું. તે સ્થૂલ પ્રાણાતિપાતનો વિષય સંકલ્પથી નિરપરાધી ત્રસજીવોની હિંસાના પરિવારનો Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ છે. તેથી સંકલ્પપૂર્વક નિરપરાધી એવા સ્થૂલ બેઈન્ડિયાદિ જીવોનો હું વધ કરીશ નહીં તેથી અર્થથી ફલિત થાય કે પૃથ્વીકાયાદિમાં હું શક્ય યતના કરીશ; કેમ કે પચ્ચખાણ લેનાર શ્રાવકથી પણ યુદ્ધાદિના પ્રસંગમાં સંકલ્પપૂર્વક સાપરાધી ત્રસ પ્રાણીઓની હિંસા થાય છે તેથી શ્રાવક માટે તેવી હિંસાનો સર્વથા પરિહાર અશક્ય છે. વળી, આ પ્રતિજ્ઞા મન-વચન-કાયાના ત્રણ યોગોથી હું કરીશ નહીં અને કરાવીશ નહીં એ પ્રકારે દુવિધ-ત્રિવિધથી છે. તેથી પોતે જે ભોગાદિ પ્રવૃત્તિ કરે છે તે ભોગસામગ્રીની નિષ્પત્તિ માટે થતી હિંસાની અનુમોદનાનો પરિહાર શ્રાવક કરી શકતો નથી; કેમ કે શાતા અર્થે તે વસ્તુનો ભોગ કરે ત્યારે તેમાં થયેલ હિંસાની અનુમતિની પ્રાપ્તિ છે. આ રીતે પ્રતિજ્ઞા કર્યા પછી તેને દૃઢ કરવા અર્થે કહે છે કે તેવા સ્કૂલ પ્રાણાતિપાતનું “હે ભગવન્! હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ તે પાપોથી હું નિવર્તન પામું છું. ભૂતકાળમાં જે પ્રકારનાં પાપો મેં કર્યા છે તેની નિંદા, ગહ કરું જેથી તે પાપો પ્રત્યે અત્યંત જુગુપ્સા ઉત્પન્ન થાય અને તેવાં પાપો કરનારા મારા આત્માને હું વોસિરાવું છું=તેવાં પાપોથી યુક્ત એવા મારા આત્માનો હું ત્યાગ કરું છું. જેથી હવે તે પ્રકારનાં પાપોથી રહિત એવો મારો આત્મા થાય. . આ પ્રકારનો પાઠ ત્રણ વખત બોલાય છે જેથી પોતે જે પ્રતિજ્ઞા કરી છે તેનું અત્યંત દઢીકરણ થાય; કેમ કે ઉપયોગપૂર્વક વ્રતની મર્યાદાનું સ્મરણ કરીને પ્રતિજ્ઞા કરાય છે ત્યારે તે પ્રતિજ્ઞા શ્રતના સંકલ્પરૂપ હોય છે અને તે શ્રુતના સંકલ્પથી ઉત્તરમાં તે પ્રકારની પ્રવૃત્તિ કરીને તે વ્રતનો નિર્વાહ થાય છે. (૧) (૨) સ્કૂલમૃષાવાદવિરમણવ્રત: બીજા અણુવ્રતનો અભિલાપ કહે છે – “હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે હું સ્થૂલ મૃષાવાદનું પચ્ચખાણ કરું છું. તે સ્થૂલ મૃષાવાદ કેવો અનર્થકારી છે તે સ્પષ્ટ કરતાં કહે છે. જિદ્વાછેદાદિનો હેતુ છે; કેમ કે તેવો મૃષાવાદ બોલ્યા પછી રાજા આદિ પાસે કોઈ ફરિયાદ કરે તો તે મૃષાવાદ બોલનારને રાજાદિ દ્વારા જિવાછેદાદિનો દંડ આપવામાં આવે છે. તેથી આ પ્રકારે ઉપસ્થિતિ કરવાથી આ સ્થૂલ મૃષાવાદ પરલોકમાં તો અનર્થકારી છે પરંતુ આ લોકમાં પણ જિલ્લાછેદાદિ દંડનો હેતુ છે એ પ્રકારે ઉપસ્થિત થવાથી આ લોકના પણ ભયથી સ્થૂલ મૃષાવાદના પરિવારનું પાલન કરવાનો દઢ પરિણામ થાય છે. વળી, આ સ્થૂલ મૃષાવાદ કન્યાલીકાદિ પાંચ પ્રકારનો છે. જેનો યથાર્થ બોધ કરીને વ્રત ગ્રહણ કરનાર પુરુષ તે પ્રકારના સ્થૂલ મૃષાવાદના પરિવાર માટે યત્ન કરે. વળી, કોઈક વખત દાક્ષિણ્યાદિને કારણે એવો મૃષાવાદ કરવો પડે તો વ્રત ભંગ ન થાય તે અર્થે પ્રતિજ્ઞામાં વિકલ્પ કરાય છે કે દાક્ષિણ્યાદિના અવિષયરૂપ એવું સ્થૂલ મૃષાવાદનું જાવજીવ સુધી દુવિધ-ત્રિવિધથી હું પચ્ચખાણ કરું છું. અવશેષ આલાવો પ્રથમ અણુવ્રતની જેમ જ છે તેમ બતાવવા માટે દુવિહં પછી ઇત્યાદિ શબ્દ છે. તેથી મન-વચન-કાયાના ત્રણેય યોગથી સ્થૂલ મૃષાવાદ હું કરીશ નહીં અને કરાવીશ નહીં એ પ્રકારની પ્રતિજ્ઞા પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રતિજ્ઞા કર્યા પછી તેને દૃઢ કરવાથું કહે છે કે તેવા સ્થૂલ મૃષાવાદનું હે ભગવન્! હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ તે સ્થૂલ મૃષાવાદથી હું નિવર્તન પામું છું. ભૂતકાળમાં જે પ્રકારનો સ્થૂલ મૃષાવાદ મેં કર્યો છે તેની નિંદા-ગહ કરું છું જેથી તે સ્થૂલ મૃષાવાદ પ્રત્યે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ અત્યંત જુગુપ્સા ઉત્પન્ન થાય અને તેવા સ્થૂલ મૃષાવાદ કરનારા મારા આત્માને હું વોસિરાવું છું=તેવા સ્થૂલ મૃષાવાદથી યુક્ત એવા મારા આત્માનો હું ત્યાગ કરું છું જેથી હવે તેવા પ્રકારના સ્થૂલ મૃષાવાદથી રહિત એવો મારો આત્મા થાય. આ પ્રકારનો પાઠ ત્રણ વખત બોલાય છે જેથી પોતે જે પ્રતિજ્ઞા કરી છે તેનું અત્યંત દઢીકરણ થાય; કેમ કે ઉપયોગપૂર્વક વ્રતની મર્યાદાનું સ્મરણ કરીને પ્રતિજ્ઞા કરાય છે ત્યારે તે પ્રતિજ્ઞા શ્રુતના સંકલ્પરૂપ હોય છે અને તે શ્રુતના સંકલ્પથી ઉત્તરમાં તે પ્રકારની પ્રવૃત્તિ કરીને તે વ્રતનો નિર્વાહ થાય છે. (૩) સ્થૂલઅદત્તાદાનવિરમણવ્રત ઃ ત્રીજા અણુવ્રતનો અભિલાપ કહે છે હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે હું સ્થૂલ અદત્તાદાનનું પચ્ચક્ખાણ કરું છું. જે અદત્તાદાન સચિત્ત-અચિત્ત વિષયની વસ્તુવાળું છે. વળી તેવું સ્થૂલ અદત્તાદાન ક૨ના૨ને આ લોકમાં ૨ાજા તરફથી દંડ આપવામાં આવે છે. તેથી રાજનિગ્રહકર સ્થૂલ અદત્તાદાન છે તેવી ઉપસ્થિતિ કરવાથી આ લોકમાં પણ સ્થૂલ અદત્તાદાન અનર્થકારી છે એવી બુદ્ધિ સ્થિર થાય છે. વળી, લોકોમાં આ ચોર છે એ પ્રકારે તે અદત્તાદાન ક૨ના૨ને કહેવાય છે માટે તે અદત્તાદાન અત્યંત નીંદનીય છે તેવી ઉપસ્થિતિ થાય છે. વળી, આ અદત્તાદાન ખાત્ર-ખનનાદિરૂપ છે. જે કહેવાથી તે અદત્તાદાનનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. આવા સ્થૂલ અદત્તાદાનનું પચ્ચક્ખાણ દુવિધ-ત્રિવિધથી જાવજ્જીવ કરવાથી તે પ્રકારના ક્લિષ્ટ ભાવોને કરનાર પાપવૃત્તિથી ચિત્ત નિવર્તન પામે છે. ત્યારપછી સ્થૂલ અદત્તાદાનના પચ્ચક્ખાણની લીધેલી પ્રતિજ્ઞાને દૃઢ ક૨વા અર્થે કહે છે કે ‘હે ભગવન્ ! સ્થૂલ અદત્તાદાનનું હું પ્રતિક્રમણ કરું છું.' જેથી પૂર્વમાં બીજાની કોઈ તેવા પ્રકારની વસ્તુ પોતે ગ્રહણ કરી હોય તો તેવાં પાપોથી નિવર્તનનો પરિણામ થાય છે અને ભૂતકાળમાં તેવા સ્થૂલ અદત્તાદાનનાં કોઈ પાપો પોતે કર્યાં હોય તેના પ્રત્યે જુગુપ્સા અર્થે તેની નિંદા ગહ કરેછે અને તેવા સ્થૂલ અદત્તાદાનના સેવનવાળા પોતાના આત્માનો પોતે ત્યાગ કરે છે. જેથી તેવા અશુભ અધ્યવસાયથી ચિત્ત નિવર્તન પામે છે. અહીં ખાત્ર-ખનનાદિમાં ‘આદિ’ પદથી બીજાની માલિકીની કોઈ સચિત્ત-અચિત્ત વસ્તુ હોય અને તેના માલિકની અનુજ્ઞા વગર તે વસ્તુ પોતે ગ્રહણ કરે તે સર્વનો સંગ્રહ ‘સ્થૂલ અદત્તાદાન'થી થાય છે. માટે માત્ર ખાત્ર-ખનન કરવાની ક્રિયા જ અદત્તાદાનરૂપ છે તેમ નથી પરંતુ સામાન્ય વસ્તુ પણ બીજાની માલિકીની હોય તો તેના માલિકને પૂછ્યા વગર ગ્રહણ ક૨વામાં અદત્તાદાનની પ્રાપ્તિ છે. અને તે પાપોને નહીં ક૨વાનો અધ્યવસાય પ્રસ્તુત પ્રતિજ્ઞાથી થાય છે. C (૪) સ્થૂલ સ્વદારાસંતોષપરસ્ત્રીગમનવિરમણવ્રત ઃ ચોથા અણુવ્રતનો અભિલાપ કહે છે - “હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે હું સ્થૂલ મૈથુનનું પચ્ચક્ખાણ કરું છું. તે સ્થૂલ મૈથુન ઔદારિક શરી૨ અને વૈક્રિયશ૨ી૨ને આશ્રયીને બે ભેદવાળું છે. એમ કહેવાથી દેવલોકના અને મનુષ્યલોકના મૈથુનની ઉપસ્થિતિ થાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ આ જાવજીવ સુધી મૈથુનનું પચ્ચખ્ખાણ શ્રાવક કઈ રીતે ગ્રહણ કરે છે તે સ્પષ્ટ કરતાં કહે છે. દેવલોક સંબંધી મૈથુન દુવિધ-ત્રિવિધથી કરે છે.” તેથી એ પ્રાપ્ત થાય કે મનથી-વચનથી-કાયાથી પોતે વૈક્રિયશરીરવાળાં દેવ-દેવીઓ સાથે ભોગાદિ કરશે નહીં અને કરાવશે નહિ. તિર્યંચ સંબંધી એકવિધ-ત્રિવિધથી પચ્ચખાણ કરે છે; કેમ કે પશુપાલનાદિ કરે. તો પશુઓના ઉછેરમાં મૈથુન કરાવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. પરંતુ સ્વયં પશુ સાથે કામની ચેષ્ટા કરશે નહીં તે પ્રકારે મન-વચન-કાયાથી એકવિધ પચ્ચખાણ કરે છે અને મનુષ્ય સંબંધી જે પ્રમાણે પોતે મૈથુનની મર્યાદા રાખી હોય તે પ્રમાણેના અભંગથી વ્રત પાલન કરવાના અધ્યવસાયપૂર્વક અવશેષનું પચ્ચખ્ખાણ કરે છે. આ પ્રકારે પચ્ચખ્ખાણ કરવાથી શ્રાવકને સંપૂર્ણ મૈથુન વ્રતની બલવાન ઇચ્છા હોવા છતાં પોતાની અશક્તિને કારણે મનુષ્ય સંબંધી કંઈક મર્યાદા રાખીને અને તિર્યંચ સંબંધી નહીં કરવાની મર્યાદા રાખીને અને દેવસંબંધી દુવિધ-ત્રિવિધના ત્યાગની મર્યાદા રાખીને મૈથુનના ત્યાગનો પરિણામ થાય છે. શ્રાવક સંપૂર્ણ નિર્લેપ ચિત્તવાળા નથી તેથી અનુમોદનાનો પરિહાર અશક્ય છે; કેમ કે જ્યાં સુધી સંગનો સંબંધ છે ત્યાં સુધી અનુમોદનના પરિણામનો પરિહાર થઈ શકે નહીં. તેથી શ્રાવક દુવિધ-ત્રિવિધથી મૈથુનનું પચ્ચખ્ખાણ કરે છે. વળી, તેને દઢ કરવા માટે કહે છે કે તે સ્થૂલ મૈથુનનું હું પ્રતિક્રમણ કરું છું. અર્થાત્ પૂર્વે મેં જે મૈથુનનો ત્યાગ કરેલો નહીં તે મૈથુનની પ્રવૃત્તિથી નિવર્તન પામું છું અને પૂર્વમાં જે કંઈ તેવા પ્રકારના મૈથુનની મેં પ્રવૃત્તિ કરી છે તેની હું નિંદા, ગહ કરું અને તેવા પ્રકારના મૈથુન સેવનારા મારા આત્માનો હું ત્યાગ કરું છું. આ પ્રકારે પ્રતિજ્ઞા કરવાથી સ્થૂલ મૈથુનના ત્યાગનો પરિણામ અતિ દૃઢ થાય છે અને તે દઢ કરવા અર્થે શ્રાવક અત્યંત ઉપયોગપૂર્વક પ્રસ્તુત આલાવો ત્રણ વખત બોલે છે જેથી તે પરિણામ અતિશયથી સ્થિર થાય. (૫) સ્થૂલ પરિગ્રહપરિમાણવ્રત: પાંચમા અણુવ્રતનો અભિલાપ કરે છે – “હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે અપરિમિત પરિગ્રહનું હું પચ્ચખાણ કરું છું.” તેથી સ્વીકારાયેલા પરિમાણથી અધિક પરિગ્રહ નહીં રાખવાનો પરિણામ થાય છે અને પરિગ્રહ તે જીવ માટે બંધનરૂપ છે તેવી સ્થિરબુદ્ધિ થાય છે. અને તે બંધનના નિવર્તનના અભિલાષથી અપરિમિત પરિગ્રહનું પચ્ચખાણ કરે છે. જેની વૃદ્ધિ દ્વારા સર્વથા પરિગ્રહ રહિત થવાને અનુકૂળ શક્તિનો સંચય થાય છે. તે અપરિમિત પરિગ્રહનું પચ્ચખાણ ધનધાન્યાદિ નવવિધ વસ્તુ વિષયક છે. વળી, બોલે છે કે ઇચ્છાના પરિમાણને હું સ્વીકારું છું અર્થાત્ પોતે સંકલ્પ કરેલ પરિગ્રહના પરિમાણને સ્વીકારે છે અને જાવજીવ સુધી ગ્રહણને અનુરૂપ અભંગથી હું પાલન કરીશ એવો સંકલ્પ કરે છે. વળી, પચ્ચખાણને અતિશય કરવા અર્થે કહે છે કે હે ભગવન્! અપરિમિત પરિગ્રહનું હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગર્તા કરું છું અને તેવા આત્માનો હું ત્યાગ કરું છું. તેથી અત્યાર સુધી જે અપરિમિત પરિગ્રહનો અધ્યવસાય હતો તેનું નિવર્તન થાય છે અને પૂર્વમાં જે અપરિમિત પરિગ્રહ ગ્રહણ કરવાની વૃત્તિ હતી તેની નિંદા, ગહ કરે છે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ જેનાથી તે અપરિમિત પરિગ્રહ ગ્રહણ કરવાની વૃત્તિ પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થાય છે અને ત્યારપછી તે અપરિમિત પરિગ્રહવાળા આત્માને વોસિરાવે છે જેનાથી પરિમિત પરિગ્રહથી અધિક પરિગ્રહ પ્રત્યેનો સ્નેહસંબંધ તૂટે છે. જેથી પાંચમાં અણુવ્રતની પ્રાપ્તિ થાય છે. તે દઢ કરવા અર્થે શ્રાવક અત્યંત ઉપયોગપૂર્વક પ્રસ્તુત આલાવો ત્રણ વખત બોલે છે જેથી તે પરિણામ અતિશયથી સ્થિર થાય. વળી, વ્રતગ્રહણકાળમાં આ પાંચે અણુવ્રતોના દરેક વ્રતનું પચ્ચખ્ખાણ નમસ્કારના પાઠપૂર્વક ત્રણ વખત બોલાય છે. એ પ્રકારની શાસ્ત્રીય મર્યાદા છે જેનાથી સ્વીકારાયેલી પ્રતિજ્ઞાનો પરિણામ અત્યંત સ્થિર થાય છે. ત્રણ ગુણવ્રત :(૬-૭-૮) દિકપરિમાણવ્રત, ભોગોપભોગપરિમાણવ્રત, અનર્થદંડવિરમણવ્રત: ત્યારપછી ત્રણ ગુણવ્રતોનો સમુદિત આલાવો બોલાય છે તે આ પ્રમાણે છે – “હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે ગુણવ્રત માટે હું ઊર્ધ્વ, અધો અને તિર્યકુ ગમન વિષયક દિશાનું પરિમાણ સ્વીકારું છું.” આ પ્રકારે પ્રતિજ્ઞા કરવાથી શ્રાવકને સંપૂર્ણ નિર્ચાપાર અવસ્થા ઇષ્ટ છે તેવો પરિણામ થાય છે પરંતુ હજી ભોગાદિની ઇચ્છા છે તેથી સંપૂર્ણ નિર્ચાપાર જીવન જીવી શકે તેમ નથી અને વ્યાપાર અવસ્થામાં તપાવેલા ગોળાની જેમ પોતાની પ્રવૃત્તિ છકાયની હિંસાનું કારણ બને છે. તે હિંસાની પ્રવૃત્તિ અપરિમિત ક્ષેત્રમાં જવાનો પરિણામ હોવાથી ઘણી અતિશયવાળી છે. તેના સંકોચ અર્થે શ્રાવક ઊર્ધ્વ-અધો અને તિર્યકુ ગમન વિષયક દિશાનું પરિમાણ કરે છે. જેથી તે ક્ષેત્રથી અધિક ક્ષેત્રમાં ગમનાદિકૃત આરંભની નિવૃત્તિ થાય છે. આ પ્રકારના યત્નના બળથી સંપૂર્ણ નિરારંભ જીવન જીવવાને અનુકૂળ કંઈક-કંઈક શક્તિનો સંચય થાય છે. તેથી સ્વીકારાયેલાં પાંચ અણુવ્રતને ગુણ કરનાર આ દિપરિમાણવ્રત છે જેનાથી તે પાંચ અણુવ્રતમાં કંઈક અતિશયતા આવે છે. જે વૃદ્ધિ પામીને મહાવ્રતનું કારણ બનશે માટે “દિક્પરિમાણવ્રત'ને ગુણવ્રત કહેવાય છે. ત્યારપછી “ભોગોપભોગ પરિમાણના વિષયમાં ભોજનથી અનંતકાય, બહુબીજ, રાત્રિભોજન આદિનો હું પરિહાર કરું છું, એ પ્રકારની પ્રતિજ્ઞા કરાય છે અને કર્મથી પંદર કર્માદાન અને રાજનિયોગનો હું પરિહાર કરું છું, એમ પ્રતિજ્ઞા કરાય છે. એથી એ પ્રાપ્ત થાય છે કે ભોજનને આશ્રયીને ઘણા જીવોની હિંસાના કારણ એવા અનંતકાય આદિનો ત્યાગ કરીને સંપૂર્ણ ભોગ-ઉપભોગના ત્યાગ અર્થે શક્તિનો સંચય થાય એવું આ વ્રત છે. તેથી ગુણવ્રત છે; કેમ કે આ ગુણવ્રતના પાલનથી જ સંપૂર્ણ ભોગોપભોગના ત્યાગરૂપ ક્રમસર સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. વળી, કૃત્યને આશ્રયીને પંદર કર્માદાનનો ત્યાગ કરે છે. જે પંદર કર્માદાનમાંથી પાંચ કર્માદાન અંગારકર્મ આદિ છે, ૫ કર્માદાન બહુસાવદ્ય છે અને પાંચ કર્માદાન ખરકર્માદિ છે, જેનાથી શ્રાવકજીવનમાં ઘણી મલિનતા થાય છે. આ વ્રતના પાલનથી ઘણા આરંભ-સમારંભની નિવૃત્તિ થાય છે. વળી રાજનિયોગનો પરિહાર કરાય છે જેથી સ્વામીદ્રોહના પરિણામરૂપ કર્માદાનનો ત્યાગ થાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ વળી, અનર્થદંડનું પચ્ચક્ખાણ ક૨વા અર્થે આલાવો બોલે છે “અવાધ્યાનાદિરૂપ ચાર પ્રકારના અનર્થદંડનો હું યથાશક્તિ પરિહાર કરું છું અને જાવજ્જીવ સુધી યથાગૃહીત અભંગથી હું પાલન કરીશ.” આ પ્રકારની પ્રતિજ્ઞા કરવાથી તુચ્છવૃત્તિને કા૨ણે જે વસ્તુ જીવનમાં ઉપયોગી ન હોય તેના અવદ્ય ધ્યાનરૂપ અનર્થદંડની પ્રાપ્તિ થાય છે તેવા પાપનો પોતાની શક્તિ અનુસાર પરિહાર કરાય છે. આ ત્રણેય વ્રતો (૬-૭-૮) સર્વવિરતિને અનુકૂળ શક્તિ સંચય કરવાનું કારણ હોવાથી ગુણવ્રત કહેવાય છે અને આ ત્રણેય વ્રતોનો અભિલાપ ત્રણ વાર બોલાય છે. જેથી સ્વીકારાયેલી પ્રતિજ્ઞામાં દૃઢતા આવે છે. ચાર શિક્ષા વ્રત ઃ ત્યારપછી ચાર પ્રકારના શિક્ષાવ્રતની પ્રતિજ્ઞા કરે છે. ૨૦૫ (૯-૧૦–૧૧–૧૨) સામાયિકવ્રત, દેશાવગાસિકવ્રત, પૌષધોપવાસવ્રત અને અતિથિસંવિભાગવ્રત ઃ શ્રાવક કહે છે કે “હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે હું મારી શક્તિ અનુસાર સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ, અને અતિથિસંવિભાગ વ્રતને સ્વીકારું છું.” આ ચાર વ્રતો સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ વિશેષ પ્રકા૨ના વ્યાપારરૂપ હોવાથી ‘શિક્ષાવ્રત’ કહેવાય છે. અર્થાત્ સર્વવિરતિને અનુકૂળ આ શિક્ષા છે, જેથી જે શ્રાવકે સામાયિકના પરિણામને યથાર્થ જાણીને સ્વશક્તિ અનુસાર પ્રતિવર્ષ કે પ્રતિમાસ અમુક સામાયિક કરવાની પ્રતિજ્ઞા કરી હોય તેને અનુસાર સામાયિક કરીને સંપૂર્ણ નિ૨વદ્ય જીવન જીવવાને અનુકૂળ સમભાવના પરિણામને પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. જેથી સુખ-દુઃખ, શત્રુ-મિત્રજીવન-મૃત્યુ એવા સર્વભાવો પ્રત્યે સમાન પરિણામ વર્તે અને તે ભાવોને પોષક બને તેવી સ્વાધ્યાયાદિની ક્રિયા સામાયિક દરમ્યાન કરવાની પ્રતિજ્ઞા કરે છે. ‘પૌષધોપવાસ વ્રત’માં ચાર પ્રકારના પૌષધનું વ્રત ગ્રહણ કરીને પૌષધના દિવસે સર્વ વ્યાપારનો ત્યાગ ક૨ીને સંપૂર્ણ વ્યાપાર રહિત ચારિત્રમાં આત્માનું પ્રતિષ્ઠાન થાય તેવી ક્રિયામાં શ્રાવક યત્ન કરે છે. જેથી જાવજીવ સુધી મન-વચન-કાયાના સર્વવ્યાપારનો ત્યાગ કરીને ત્રણ ગુપ્તિના બળથી આત્મામાં વિશ્રાંતિને માટે યત્ન કરનારા સાધુની જેમ પોતે પણ સદા આત્મભાવમાં વિશ્રાંતિના સામર્થ્યવાળા થાય તેવી શક્તિનો સંચય શ્રાવક કરે છે. ‘અતિથિ સંવિભાગ’ વ્રતનો અભિલાપ કરે છે ' અતિથિ સાધુ છે અને તેઓને નિર્દોષ આહારાદિનો વિભાગ કરીને વિવેકપૂર્વક વહોરાવીને શ્રાવક પોતે તે આહારાદિનો ઉપભોગ કરે છે જેના બળથી સાધુના સંયમ પ્રત્યેના વધતા જતા રાગને કારણે સાધુ તુલ્ય નિરારંભ જીવન જીવવાની શક્તિનો સંચય થાય છે. આ ચાર શિક્ષાવ્રતના આલાપા સમુદિત ત્રણ વા૨ બોલાય છે, જેના કારણે સ્વીકારેલી પ્રતિજ્ઞામાં દૃઢતા આવે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩-૨૪ ત્યારપછી શ્રાવક પ્રતિજ્ઞા કરે છે કે આ સમ્યક્ત્વ મૂલ પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તેમ બાર પ્રકારના શ્રાવકધર્મને સ્વીકારીને હું વિહરું છું તેથી સમ્યક્ત્વ સહિત શ્રાવકધર્મનાં બાર વ્રતોને સ્વીકારવાનો પરિણામ અત્યંત દૃઢ થાય છે અને તેને જ દૃઢ કરવા અર્થે આ અભિલાપ પણ ત્રણ વખત जोसाय छे. 112311 अवतरशिडा : अथाणुव्रतादीन्येव क्रमेण दर्शयन्नाह - ૨૦૬ अवतरशिद्धार्थ : હવે અણુવ્રતોને ક્રમસર બતાવતાં કહે છે – श्लोक : स्थूलहिंसादिविरतिं, व्रतभङ्गेन केनचित् । अणुव्रतानि पञ्चाहुर हिंसादीनि शम्भवः ।। २४ । अन्वयार्थ : केनचित् व्रतभङ्गेन=32लाई व्रतना लांगाथी, स्थूलहिंसादिविरतिं = स्थूल हिंसाहि विरतिने, अहिंसादीनि पञ्च अणुव्रतानि=अहिंसाहि पांय अगुव्रतो, शम्भवः आहुः = तीर्थ रोखे ह्यां छे. ॥२४॥ श्लोकार्थ : કેટલાક વ્રતના ભાંગાથી સ્થૂલ હિંસાદિ વિરતિને અહિંસાદિ પાંચ અણુવ્રતો તીર્થંકરોએ કહ્યાં 9. 112811 टीडा : इह हिंसा प्रमादयोगात्प्राणव्यपरोपणरूपा सा च स्थूला सूक्ष्मा च तत्र- सूक्ष्मा पृथिव्यादिविषया, स्थूला मिथ्यादृष्टीनामपि हिंसात्वेन प्रसिद्धा या सा, स्थूलानां वा त्रसानां हिंसा स्थूलहिंसा, आदिशब्दात् स्थूलमृषावादाऽदत्तादानाऽब्रह्मपरिग्रहाणां परिग्रहः, एभ्यः स्थूलहिंसादिभ्यो या विरतिर्निवृत्तिस्तां, 'अहिंसादीनी’ति, अहिंसासुनृताऽस्तेयब्रह्मचर्याऽपरिग्रहान् अणूनि साधुव्रतेभ्यः सकाशाल्लघूनि व्रतानि नियमरूपाणि अणुव्रतानि, अणोर्वा यत्यपेक्षया लघोर्लघुगुणस्थानिनो व्रतान्यणुव्रतानि अथवाऽनु पश्चान्महाव्रतप्ररूपणापेक्षया प्ररूपणीयत्वात् व्रतान्यनुव्रतानि, पूर्वं हि महाव्रतानि प्ररूप्यन्ते, ततस्तत्प्रतिपत्त्यसमर्थस्यानुव्रतानि यदाह -, “जइधम्मस्सऽ समत्थे, जुज्जइ तद्देसणंपि साहूणं" [ ] ति तानि, कियन्तीत्याह—'पञ्चे'ति, पञ्चसङ्ख्यानि पञ्चाणुव्रतानीति, बहुवचननिर्देशेऽपि यद्विरतिमित्येक Page #224 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ वचननिर्देशः, स सर्वत्र विरतिसामान्यापेक्षयेति, 'शम्भवः' तीर्थकराः 'आहुः' प्रतिपादितवन्तः, किमविशेषण विरतिः ? नेत्याह 'व्रतभङ्गेने 'त्यादि 'केनचित् ' द्विविधत्रिविधादीनामन्यतमेन 'व्रतभङ्गेन' व्रतप्रकारेण, बाहुल्येन हि श्रावकाणां द्विविधत्रिविधादयः षडेव भङ्गाः संभवन्तीति तदादिभङ्गजालग्रहणमुचितमितिभावः ते च भङ्गा एवम् - श्राद्धा विरता अविरताश्चेति सामान्येन द्विविधा अपि विशेषतोऽष्टविधा भवन्ति । यत् आवश्यके “साभिग्गहा य णिरभिग्गहा य ओहेण सावया दुविहा । ते पुण विभज्जमाणा, अट्ठविहा हुंति णायव्वा । । १ । । " [ आवश्यक निर्युक्तिः १५५७] साभिग्रहा विरता आनन्दादयः, अनभिग्रहा अविरताः कृष्णसत्यकिश्रेणिकादय इति, अष्टविधा द्विविधत्रिविधादिभङ्गभेदेन भवन्ति । तथाहि “दुविहं तिविहेण पढमो, दुविहंदुविहेण बीअओ होइ । दुविहं एगविहेणं, एगविहं चेव तिविहेणं ॥ १ ।। ૨૦૭ एगविहं दुविहेणं, एगेगविहेण छट्ठओ होइ । उत्तरगुण सत्तमओ, अविरओ चेव अट्ठमओ ।।२।। " [ आव. नि. १५५८- ९] द्विविधं कृतं कारितम्, त्रिविधेन मनसा वचसा कायेन, यथा-स्थूलहिंसादिकं न करोत्यात्मना न कारयत्यन्यैर्मनसा वचसा कायेनेत्यभिग्रहवान् प्रथमः; अस्य चानुमतिरप्रतिषिद्धा, अपत्यादिपरिग्रहसद्भावात्, तैहिंसादिकरणे तस्यानुमतिप्राप्तेः, अन्यथा - परिग्रहाऽपरिग्रहयोरविशेषेण प्रव्रजिताप्रव्रजितयोरभेदापत्तेः । त्रिविधत्रिविधादयस्तु भङ्गा गृहिणमाश्रित्य भगवत्युक्ता अपि क्वाचित्कत्त्वान्नेहाधिकृताः, बाहुल्येन षड्भिरेव विकल्पैस्तेषां प्रत्याख्यानग्रहणात् बाहुल्यापेक्षया चास्य सूत्रस्य प्रवृत्तेः, क्वाचित्कत्वं तु तेषां विशेषविषयत्वात्, तथाहि - यः किल प्रविव्रजिषुः पुत्रादिसन्ततिपालनाय प्रतिमाः प्रतिपद्यते, यो वा विशेषं स्वयम्भूरमणादिगतं मत्स्यादिमांसं दन्तिदन्तचित्रकचर्मादिकं स्थूलहिंसादिकं वा क्वचिदवस्थाविशेषे प्रत्याख्याति, स एव त्रिविधंत्रिविधादिना करोतीत्यल्पविषयत्वान्नोच्यते । तथा द्विविधं द्विविधेनेति द्वितीयो भङ्गः अत्र चोत्तरभङ्गास्त्रयः, तत्र द्विविधं स्थूलहिंसादिकं न करोति न कारयति द्विविधेन मनसा वचसा १, यद्वा मनसा कायेन २, यद्वा वाचा कायेनेति ३ । तत्र यदा मनसा वचसा न करोति न कारयति, तदा मनसाऽभिसन्धिरहित एव वाचाऽपि हिंसादिकमब्रुवन्नेव कायेन दुश्चेष्टितादि असंज्ञिवत्करोति १ यदा तु मनसा कायेन न करोति न कारयति, तदा मनसाऽभिसन्धिरहित एव कायेन दुश्चेष्टितादि परिहरन्नेवानाभोगाद्वा ( द्वा वा ) चैव हन्मि घातयामि Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ चेति ब्रूते २ यदा तु वाचा कायेन न करोति न कारयति; तदा मनसैवाभिसन्धिमधिकृत्य करोति कारयति च ३ अनुमतिस्तु त्रिभिः सर्वत्रैवास्ति, एवं शेषविकल्पा अपि भावनीयाः । द्विविधमेकविधेनेति तृतीयः, अत्राप्युत्तरभङ्गास्त्रयः द्विविधं करणं कारणं च, एकविधेन मनसा, यद्वा वचसा, यद्वा कायेन । एकविधं त्रिविधेनेति चतुर्थः अत्र च द्वौ भङ्गौ, एकविधं करणम्, यद्वा कारणम्, त्रिविधेन मनसा वाचा कायेन । एकविधं द्विविधेनेति पञ्चमः । अत्रोत्तरभेदाः षट्, एकविधं करणं यद्वा कारणं, द्विविधेन मनसा वाचा, यद्वा मनसा कायेन, यद्वा वाचा कायेन । एकविधमेकविधेनेति षष्ठः, अत्रापि प्रतिभङ्गाः षट्, एकविधं करणं यद्वा कारणम्, एकविधेन मनसा यद्वा वाचा यद्वा कायेन । तदेवं मूलभङ्गाः षट्, षण्णामपि च मूलभङ्गानामुत्तरभङ्गाः सर्वसङ्ख्ययैकविंशतिः तथा चोक्तम् - - “दुविहतिविहा २ २ २ १११ य छच्चि, तेसिं भेआ कमेणि हुंति । पढमिक्को दुन्नि तिआ, दुगेग दो छक्क इगवीसं ३ २१३२१ । । १ । ।" [ श्रावकव्रतभंग प्र. गा. ९, प्रवचनसारोद्धारे १३२९] स्थापना चेयम् एवं च षड्भिर्भङ्गैः कृताभिग्रहः षड्विधः श्राद्धः १३३२६६, सप्तमश्चोत्तरगुणःप्रतिपन्नगुणव्रतशिक्षाव्रताद्युत्तरगुणः अत्र च सामान्येनोत्तरगुणानाश्रित्यैक एव भेदो विवक्षितः, अविरतश्चाष्टमः । तथा पञ्चस्वप्यणुव्रतेसु प्रत्येकं षड्भङ्गीसम्भवेन उत्तरगुणाविरतमीलनेन च द्वात्रिंशभेदा अपि श्राद्धानां भवन्ति । यदुक्तम् - - “दुविहा विरयाविरया, दुविह तिविहाइणट्ठहा हुंति । वयमेगेगं छ च्चिय, गुणिअं दुगमिलिअ बत्तीसं ॥ | १ || " [ श्रावकव्रतभङ्ग प्र. ३, प्रवचनसारोद्धारे १३२३] ति । अत्र च द्विविधत्रिविधादिना भङ्गनिकुरम्बेण श्रावकार्हपञ्चाणुव्रतादिव्रतसंहतिभङ्गकदेवकुलिकाः सूचिताः ताश्चैकैकव्रतं प्रत्यभिहितया षड्भङ्ग्या निष्पद्यन्ते तासु च प्रत्येकं त्रयो राशयो भवन्ति तद्यथा - आदौ गुण्यराशिर्मध्ये गुणकराशिरन्ते चागतराशिरिति तत्र पूर्वमेतासामेव देवकुलिकानां षड्भङ्ग्या विवक्षितव्रतभङ्गकसर्वसङ्ख्यारूपा एवंकारराशयश्चैवम् “एगवए छब्भङ्गा, निद्दिट्ठा सावयाण जे सुत्ते । ते च्चिअ पयवुड्डीए, सत्तगुणा छज्जुआ कसो || १ ||" [ श्रावकव्रतभङ्ग प्र. १०, प्रवचनसारोद्धारे १३३०] सर्वभङ्गराशिं जनयन्तीति शेषः । Page #226 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૦૯ ટીકાર્ચ - રૂ .. શેષઃ | અહીં=પ્રથમ અણુવ્રતમાં, હિંસા પ્રમાદયોગથી પ્રાણવ્યપરોપણરૂપ છે અને તે સ્કૂલ અને સૂક્ષ્મ છે, ત્યાં=બે પ્રકારની હિંસામાં, સૂક્ષ્મ પૃથ્વી આદિ વિષયવાળી છે. સ્થૂલ=મિથ્યાષ્ટિને પણ હિંસાપણાથી પ્રસિદ્ધ જે છે તે છે અથવા પૂલ એવા ત્રસજીવોની હિંસા સ્થૂલ હિંસા છે, “આદિ' શબ્દથી સ્થૂલ મૃષાવાદ-અદત્તાદાન-અબ્રહ્મ-પરિગ્રહનું ગ્રહણ છે. આનાથી=સ્થૂલ હિંસાદિથી, જે વિરતિ–નિવૃત્તિ, તેને તીર્થકરો અણુવ્રતો કહે છે એમ અવાય છે. અહિંસા આદિને અહિંસા-સુવ્રતઅસ્તેય-બ્રહ્મચર્ય-અપરિગ્રહને, અણુ-સાધુનાં વ્રતોથી લઘુ, નિયમરૂપ વ્રતો=અણુવ્રતો અથવા યતિની અપેક્ષાએ અણુનાં=લઘુનાં=લઘુ ગુણસ્થાનકવાળા જીવનાં વ્રતો અણુવ્રતો અથવા મહાવ્રતની પ્રરૂપણાની અપેક્ષાએ અનુ=પશ્ચાત્, પ્રરૂપણીયપણું હોવાથી વ્રતો અણુવ્રતો, દિ=જે કારણથી, પૂર્વમાં મહાવ્રતોની પ્રરૂપણા કરાય છે ત્યારપછી તેના સ્વીકારવા અસમર્થd=મહાવ્રત સ્વીકારવા માટે અસમર્થ પુરુષને, અણુવ્રતો બતાવાય છે. જેને કહે છે- “યતિધર્મના અસમર્થમાં તેનો ઉપદેશ પણ સાધુને ઘટે છે.” () તે=આણુવ્રતો, કેટલાં છે તેથી કહે છે, પાંચ સંખ્યાવાળાં પાંચ અણુવ્રતો છે. બહુવચનના નિર્દેશમાં પણ અણુવ્રતોનો બહુવચનમાં નિર્દેશ હોવા છતાં પણ, જે ‘વિરતિમ્' એ પ્રમાણે એકવચનનો નિર્દેશ તે સર્વત્ર સર્વ અણુવ્રતોમાં, વિરતિ સામાન્ય અપેક્ષાએ છે. શંભુઓ તીર્થકરો કહે છે–પ્રતિપાદન કરે છેઃસ્થલ હિંસાદિની વિરતિને પાંચ અણુવ્રતો તીર્થકર કહે છે એમ અવય છે. શું અવિશેષથી વિરતિને કહે છે ? ના, એથી કહે છે - કેટલાક વ્રતના ભાંગાથી દ્વિવિધ-ત્રિવિધ આદિ અવ્યતમરૂપ વ્રતના કેટલાક પ્રકારથી સ્થૂલ હિંસાની વિરતિને અણુવ્રતો કહ્યાં છે એમ અત્રય છે. “દિ'=જે કારણથી, બહુલતાએ શ્રોવકોને દ્વિવિધ ત્રિવિધ આદિ, છ જ ભાંગા સંભવે છે. એથી તે આદિ દ્વિવિધ ત્રિવિધ આદિ ભાંગાના સમુદાયથી ગ્રહણ ઉચિત છે=વ્રતગ્રહણ ઉચિત છે, એ પ્રકારનો ભાવ છે. અને તે ભાંગાઓ આ પ્રમાણે છે – શ્રાવકો વિરત અને અવિરત એ પ્રમાણે સામાન્યથી બે પ્રકારના પણ વિશેષથી આઠ પ્રકારના હોય છે. જેને “આવશ્યક'માં કહે - “ઓઘથી શ્રાવક સાભિગ્રહ અને નિરભિગ્રહા બે પ્રકારના છે. તે વળી વિભાગ કરતાં આઠ પ્રકારના જ્ઞાતવ્ય થાય છે.” (આવશ્યકનિર્યુક્તિ - ૧૫૫૭). સાભિગ્રહ=વિરતિવાળા આનંદ આદિ છે. અનભિગ્રહા=અવિરતિવાળા, કૃષ્ણ-સત્યકી-શ્રેણિકાદિ છે. વળી, આઠ પ્રકારના દ્વિવિધ-ત્રિવિધ આદિતા ભંગના ભેદથી થાય છે. તે આ પ્રમાણે – દુવિધ-ત્રિવિધથી પ્રથમ ભાંગો છે. દુવિધ-દુવિધથી બીજો ભાંગો છે. દુવિધ-એકવિધથી (ત્રીજો) અને એકવિધ ત્રિવિધથી (ચોથો). II૧ એકવિધ-દુવિધથી (પાંચમો). એક-એકવિધથી છઠ્ઠો થાય છે. ઉત્તરગુણ સાતમો અને અવિરત આઠમો ભાંગો છે.” પરા (આવશ્યકતિક્તિ – ૧૫૫૮-૧૫૫૯) Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ બે પ્રકારનું=કૃત અને કારિત, ત્રિવિધથી=મનથી વચનથી, કાયાથી જે પ્રમાણે મન-વચનકાયાથી સ્થૂલ હિંસાદિને પોતાનાથી હું કરું નહીં, બીજા વડે હું કરાવું નહીં એ પ્રકારના અભિગ્રહવાળો પ્રથમ ભાંગો છે અને આને=શ્રાવકને, અનુમતિ=સ્થૂલ હિંસાદિની અનુમતિ, અપ્રતિસિદ્ધ છે; કેમ કે પુત્રાદિ રૂપ પરિગ્રહનો સદ્ભાવ છે. 1 અહીં પ્રશ્ન થાય કે પુત્રાદિના સદ્ભાવથી હિંસાદિની અનુમતિની પ્રાપ્તિ કેમ છે ? તેમાં હેતુ કહે છે - તેઓ વડે=પુત્રાદિ વડે, હિંસાદિના કરણમાં તેને=શ્રાવકને, અનુમતિની પ્રાપ્તિ છે. અન્યથા=પુત્રાદિના હિંસાદિના કરણમાં શ્રાવકને અનુમતિ સ્વીકારવામાં ન આવે તો, પરિગ્રહ અને અપરિગ્રહનું અવિશેષ હોવાથી=પરિગ્રહધારી શ્રાવક અને અપરિગ્રહધારી સાધુનો અભેદ હોવાથી, પ્રવર્જિત એવા સાધુ અને અપ્રવર્જિત એવા શ્રાવકના અભેદની આપત્તિ છે=સાધુ અને શ્રાવકના સમાનપણાની આપત્તિ છે. વળી, ગૃહસ્થને આશ્રયીને ભગવતી સૂત્રમાં કહેલા પણ ત્રિવિધ-ત્રિવિધ આદિ ભાંગાઓ ક્યારેક થતા હોવાને કારણે અહીં=પ્રસ્તુત દેશવિરતિની પ્રતિજ્ઞાના આલાવામાં, અધિકૃત નથી=કહેવાયા નથી; કેમ કે બહુલતાએ તેઓને=શ્રાવકોને, છ જ વિકલ્પોથી પ્રત્યાખ્યાનનું ગ્રહણ છે. અહીં પ્રશ્ન થાય કે બહુલતાએ શ્રાવકને છ જ વિકલ્પથી પ્રત્યાખ્યાનનું ગ્રહણ હોવા છતાં ક્વચિત્ નવ વિકલ્પોથી પ્રત્યાખ્યાન સંભવે છે. તેથી પ્રત્યાખ્યાનના સૂત્રમાં ત્રિવિધ-ત્રિવિધનું ગ્રહણ કેમ નથી ? તેમાં હેતુ કહે છે – અને બહુલતાની અપેક્ષાએ આ સૂત્રની પ્રવૃત્તિ છે=અણુવ્રત ઉચ્ચરાવવાના સૂત્રની પ્રવૃત્તિ છે. વળી તેઓનું=ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણનું કાદાચિતપણું, વિશેષ વિષયપણું હોવાથી, અલ્પવિષયપણું હોવાને કારણે પચ્ચક્ખાણના આલાવામાં કહેવાતું નથી, તેમ આગળ સાથે સંબંધ છે. વિશેષ વિષયપણું કેમ છે ? તે ‘તાહિ’થી સ્પષ્ટ કરે છે તે આ પ્રમાણે – જે શ્રાવક પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ઇચ્છાવાળો પુત્રાદિ સંતતિના પાલન માટે પ્રતિમા સ્વીકારે છે અથવા જે શ્રાવક સ્વંયભૂરમણ આદિગત વિશેષમસ્ત્યાદિનાં માંસ, હાથીના દાંત, ચિત્તાના ચર્મ આદિ અથવા સ્થૂલ હિંસાદિનું ક્યારેક અવસ્થાવિશેષમાં પ્રત્યાખ્યાન કરે છે તે જ=તે જ શ્રાવક, ત્રિવિધ-ત્રિવિધ આદિથી પચ્ચક્ખાણ કરે છે. એથી અલ્પવિષયપણું હોવાથી કહેવાતું નથી=પ્રત્યાખ્યાન ગ્રહણના આલાવામાં ત્રિવિધ-ત્રિવિધના પચ્ચક્ખાણના આલાવાનું ઉચ્ચારણ કરાતું નથી. અને ‘દ્વિવિધ-દ્વિવિધ'થી એ પ્રમાણે બીજો ભાંગો છે. અહીં=દ્વિવિધ-દ્વિવિધતા ભાંગામાં, ઉત્તરના ભાંગા ત્રણ છે. ત્યાં=ઉત્તરના ત્રણ ભાંગામાં, સ્થૂલ હિંસાદિ બે પ્રકારના એવા મનથી-વચનથી, અથવા મનથી-કાયાથી અથવા વચનથી-કાયાથી હું કરું નહિ, હું કરાવું નહીં એમ ત્રણ ભાંગા પ્રાપ્ત થાય છે. ત્યાં દ્વિવિધ-દ્વિવિધતા ઉત્તરના ત્રણ ભાંગામાં જ્યારે મનથી અને વચનથી કરતો નથી અને કરાવતો નથી ત્યારે મતથી અભિસંધિ રહિત જ અને વાણીથી પણ હિંસાદિને નહીં કહેતો કાયાથી Page #228 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૧૧ અસંજ્ઞીની જેમ દુષ્યાદિ કરે છે=હિંસાદિને અનુકૂળ એવી કાયાની દુષ્યષ્ટિતાદિની ક્રિયાઓ કરે છે. વળી જ્યારે મનથી અને કાયાથી કરતો નથી અને કરાવતો નથી એવો બીજો વિકલ્પ પ્રાપ્ત થાય ત્યારે મનથી અભિસંધિ રહિત જ કાયાથી દુષ્યષ્ટિતાદિનો પરિહાર કરતો અનાભોગથી વાણી દ્વારા જ હણું છું હણાવું છું એ પ્રમાણે બોલે છે. વળી, જ્યારે વચનથી કાયાથી હું કરતો નથી કરાવતો નથી એ પ્રમાણે ત્રીજો વિકલ્પ કરે છે ત્યારે મનથી અભિસંધિને આશ્રયીને કરે છે અને કરાવે છે. વળી અનુમતિ ત્રણથીeત્રણેય વિકલ્પોથી, સર્વત્ર છે. એ રીતે દ્વિવિધ-દ્વિવિધમાં, ત્રણ વિકલ્પો કઈ રીતે થાય છે તેનું સ્વરૂપ ભાવન કર્યું તે રીતે, આગળમાં દ્વિવિધ-એકવિધ આદિ વિકલ્પો બતાવે છે તે પણ કઈ રીતે થાય છે ? તેનું સ્વયં ભાવન કરવું=શેષ વિકલ્પ પણ ભાવ કરવા. દ્વિવિધ એકવિધ'થી એ પ્રમાણે ત્રીજો ભાંગો છે. આમાં પણ =દ્વિવિધ-એકવિધ ત્રીજા ભાગમાં પણ, ઉત્તરના ભાંગા ત્રણ છે. દ્વિવિધ=કરણ અને કારણ=કરાવણ, રૂપ છે. એકવિધથી=મનથી અથવા વચનથી અથવા કાયાથી છે. એકવિધ-ત્રિવિધથી એ ચોથો ભાંગો છે અને આમાં=ચોથા ભાંગામાં, બે ભાંગા છે. એકવિધ કરણ અથવા કારણ છે. ત્રિવિધથી=મનથી, વચનથી, કાયાથી છે. એકવિધ-દ્વિવિધ થી એ પાંચમો ભાગો છે. અહીં પાંચમા ભાંગામાં, ઉત્તરભેદો છ છે. એકવિધ=કરણ અથવા કારણ છે. દ્વિવિધથી=મનથી-વચનથી અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. એકવિધ-એકવિધથી એ પ્રમાણે છઠ્ઠો ભાંગો છે. અહીં પણ=છઠ્ઠા ભાંગામાં પણ, પ્રતિભાંગા=અવાંતર વિકલ્પો છ છે, એકવિધ કરણ અથવા કારણ છે. એકવિધથી=મનથી અથવા વચનથી અથવા કાયાથી છે. આ રીતે મૂલભાંગા છ છે અને છ પણ મૂલભાંગાના ઉત્તરભાગા સર્વસંખ્યાથી એકવીશ છે અને તે પ્રમાણે કહેવાયું છે. “દુવિધ ત્રિવિધ ૨ ૨ ૨ ૧ ૧ ૧ એમ છ જ વિકલ્પ થાય છે. તેઓના આ ક્રમથી ભેદો થાય છે પમવો'=પ્રથમ ભાંગાનો ઉત્તરભાંગો ‘ત્રિ તિગા'=બે ભાંગાના ત્રણ ઉત્તર ભેદોકબીજા ભાંગાના ત્રણ ઉત્તરભેદો અને ત્રીજા ભાંગાના ત્રણ ઉત્તરભેદો “યુગો'=એક ભાંગાના બે ચોથા ભાંગાતા ઉત્તરભેદો ૨ “રો છ'=બે ભાંગાતા છ=પાંચમા ભાંગાના છ ઉત્તરભેદો અને છઠ્ઠા ભાંગાના છ ઉત્તરભેદો ‘વી =એકવીસ=કુલ ઉત્તરભાગા ૨૧ અને આ સ્થાપના છે. અને આ રીતે છ ભાંગા વડે કરાયેલા અભિગ્રહવાળા છ પ્રકારના શ્રાવક છે. ૧, ૩, ૩, ૨, ૬, ૬=પ્રથમ છ ભાંગામાંથી પ્રથમ ભાંગાનો એક ઉત્તરભેદ છે. બીજા અને ત્રીજા ભાંગાના ૩-૩ ઉત્તરભેદ છે. ચોથા ભાંગાના બે ઉત્તરભેદ છે અને પાંચમા ભાંગાના અને છઠ્ઠા ભાંગાના ૬-૬ ઉત્તરભેદો છે. અને સાતમો પ્રકાર ઉત્તરગુણવાળા શ્રાવકનો છે= સ્વીકારાયેલા ગુણવ્રત અને શિક્ષાવ્રતાદિ ઉત્તરગુણવાળો શ્રાવક છે અને આમાં સાતમા શ્રાવકના ભેદમાં, સામાન્યથી ઉત્તરગુણોને આશ્રયીને એક જ ભેદ વિવક્ષિત છે શ્રાવકનો એક જ ભેદ વિવક્ષિત છે અને અવિરત સમ્યગ્દષ્ટિ આઠમો ભેદ છે. અને પાંચે પણ અણુવ્રતોમાં પ્રત્યેકને આશ્રયીને=દરેક અણુવ્રતોને આશ્રયીને, ખભંગીનો સંભવ હોવાથી અને ઉત્તરગુણવાળા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ શ્રાવક અને અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવકના મિલનથી શ્રાવકોના બત્રીસ ભેદો પણ થાય છે. જે કહેવાયું છે - વિદ્યાવિયા=વિરત-અવિરત, રુવિજ્ઞા=બે પ્રકારના શ્રાવકો હોય છે, ુવિદ્દ તિવાઃફળદ્ઘ ા=દુવિધ-ત્રિવિધ છે આદિમાં જેને એવા ભંગજાલથી આઠ પ્રકારના શ્રાવકો, દુતિ=હોય છે. વયમેળેાં છ વ્વિય શુ[િf=એક-એક વ્રત છ વડે ગુણાયેલું=અહિંસાદિ પાંચેય અણુવ્રતો પૂર્વમાં બતાવેલા છ ભાંગાથી ગુણિત (૫ અણુવ્રત x ૬ ભાંગા=૩૦ થાય છે), ૩મિતિબં=પ્રતિપન્ન ઉત્તરગુણ અને અવિરતસમ્યગ્દષ્ટિરૂપ બેથી મિલિત, બત્રીસ=બત્રીસ ભેદવાળું થાય છે. *વિરત-અવિરત બે પ્રકારના શ્રાવકો હોય છે. દુવિધ-ત્રિવિધ છે આદિમાં જેને એવા ભંગજાલથી આઠ પ્રકારના શ્રાવકો હોય છે. અહિંસાદિ એક-એક વ્રત પૂર્વમાં બતાવેલા છ ભાંગાથી ગુણાયેલું=પાંચ અણુવ્રતના ૩૦ ભેદ અને સ્વીકારેલા ઉત્તરગુણ અને અવિરત સમ્યગ્દષ્ટિરૂપ બેથી મિલિત બત્રીસ ભેદવાળા શ્રાવક હોય છે.' (શ્રાવકવ્રતભંગ પ્રકરણ ૩, પ્રવચનસારોદ્ધાર-૧૩૨૩) અને અહીં=પ્રસ્તુત ગાથામાં, દ્વિવિધ-ત્રિવિધ આદિ ભંગસમૂહથી શ્રાવક યોગ્ય પાંચ અણુવ્રતાદિ વ્રતની સંહતિના ભંગક એવી દેવકુલિકા સૂચિત કરાઈ અને તે એક-એક વ્રત પ્રત્યે અભિહિત એવા છ ભાંગાથી નિષ્પન્ન થાય છે. અને તેમાં=દેવકુલિકામાં પ્રત્યેક ત્રણ રાશિઓ હોય છે તે આ પ્રમાણેઆદિમાં ગુણ્યરાશિ હોય છે=ગુણવા યોગ્ય રાશિ હોય છે મધ્યમાં ગુણકર રાશિ હોય છે=ગુણાકાર કરવાની રાશિ હોય છે અને અંતમાં આગતરાશિ હોય છે=ગુણ્યરાશિને ગુણકરરાશિ વડે ગુણવાથી પ્રાપ્ત થયેલી રાશિ હોય છે. ત્યાં પૂર્વ=પ્રથમ, આ જ દેવકુલિકાની છ ભંગીથી વિવક્ષિત વ્રતભંગક સર્વસંખ્યારૂપ એવંકાર રાશિ આ પ્રમાણે છે. (પાના નં. ૨૨૧ થી ૨૨૭ ઉપર દેવકુલિકા છે.) “સૂત્રમાં શ્રાવકના એકવ્રતના છ ભાંગા જે નિર્દિષ્ટ છે તે જ પદવૃદ્ધિથી=મૃષાવાદ આદિ એક-એક પદની વૃદ્ધિથી, સાત ગુણા છ પ્રકારના ક્રમની વૃદ્ધિથી.” (શ્રાવકવ્રતભંગ પ્રકરણ ૧૦, પ્રવચનસારોદ્ધાર-૧૩૩૦) સર્વભંગરાશિને ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે શ્લોકમાં અધ્યાહાર છે. II ભાવાર્થ: સ્થૂલ હિંસાદિ વિરતિનું સ્વરૂપ બતાવવા અર્થે પ્રથમ હિંસા શું છે ? તે બતાવતાં કહે છે પ્રમાદના યોગથી પ્રાણ વ્યપરોપણ હિંસા છે અને તે હિંસા સ્થૂલ અને સૂક્ષ્મના ભેદથી બે પ્રકારની છે. તેમાં સૂક્ષ્મ હિંસા પૃથ્વીકાયાદિ વિષયવાળી છે. અને સ્થૂલ હિંસા અન્ય દર્શનવાળા મિથ્યાદૃષ્ટિ જીવોને પણ બેઇન્દ્રિય આદિ વિષયક હોવાથી હિંસારૂપે પ્રસિદ્ધ છે. - આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે પૃથ્વીકાયાદિમાં જીવ છે તેવો બોધ અન્યદર્શનવાળાને નથી અને તેવી હિંસાની નિવૃત્તિ સુસાધુ કરે છે તેથી સુસાધુને સૂક્ષ્મહિંસાની નિવૃત્તિ છે અને શ્રાવક પૃથ્વીકાય આદિ જીવમાં જીવ છે તેમ જાણે છે તોપણ સંપૂર્ણ અહિંસક જીવન જીવવા માટે સમર્થ નથી તેથી શ્રાવક સ્થૂલથી હિંસાની નિવૃત્તિ કરે છે. તે સ્થૂલ હિંસા ‘સ્થૂલ’ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ જેઓને જિનવચનથી હિંસા-અહિંસાનો બોધ નથી તેવા અન્ય દર્શનના મિથ્યાત્વી જીવો ત્રસાદિ જીવોની કોઈ હિંસા કરતું હોય તો આ હિંસા છે તેમ જાણી શકે છે માટે સ્કૂલબુદ્ધિવાળા જીવોથી જણાતી હિંસાની નિવૃત્તિ શ્રાવક કરે છે. તેથી શ્રાવકે ત્યાગ કરેલી હિંસાને સ્થૂલ હિંસાનો ત્યાગ કહેવાય છે. અથવા પૂલનો અર્થ સૂક્ષ્મ એવા એકેન્દ્રિયાદિથી ભિન્ન ત્રસ જીવો, તેઓની હિંસા છે તેને સ્થૂલ હિંસા કહેવાય અને શ્લોકમાં સ્થૂલ હિંસાદિમાં પહેલા “આદિ' શબ્દથી મૃષાવાદ આદિ પાંચનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક સ્કૂલ હિંસાની, સ્થૂલ મૃષાવાદની, સ્થૂલ અદત્તાદાનની, સ્થૂલ અબ્રહ્મની, સ્થૂલ પરિગ્રહની વિરતિને કરે છે. અર્થાત્ પાંચેય અણુવ્રતોમાં ભૂલથી હિંસાદિનો ત્યાગ કરે છે. તેથી શ્રાવકનાં સ્થૂલ અહિંસાદિ પાંચ અણુવ્રતો છે. અહીં પ્રશ્ન થાય કે અણુવ્રતો કેમ છે ? તેથી કહે છે કે સાધુને પાંચ મહાવ્રતો છે તેની અપેક્ષાએ શ્રાવકનાં વ્રતોમાં અલ્પમાત્રામાં હિંસાદિની નિવૃત્તિ છે. તેથી અણુવ્રતો છે. અથવા યતિની અપેક્ષાએ શ્રાવક લઘુ ગુણસ્થાનકમાં રહેનાર છે=નીચેના ગુણસ્થાનકમાં રહેનાર છે. તેથી નીચેના ગુણસ્થાનકવાળાનાં જે વ્રતો હોય તેને અણુવ્રતો કહેવાય અથવા અણુ=અનુ” અને “અનુ’નો અર્થ પશ્ચાતુ થાય છે તે અપેક્ષાએ વિચારીએ તો મહાવ્રતો પછી જેની પ્રરૂપણા કરાય તે અણુવ્રતો છે. આ રીતે એણુવ્રતનો અર્થ ત્રણ પ્રકારે પ્રાપ્ત થયો. ૧. મહાવ્રતોની અપેક્ષાએ અલ્પ છે, માટે અણુવ્રત છે. ૨. વિરતિની અપેક્ષાએ નીચેના ગુણસ્થાનકવાળા એવા શ્રાવકનાં વ્રતો છે માટે અણુવ્રતો છે. ૩. ઉપદેશક વડે મહાવ્રતોની પ્રરૂપણા પછી ઉપદેશ આપવા યોગ્ય છે તેથી પશ્ચાત્ વ્રતો છે માટે અણુવ્રતો છે. આ અણુવ્રતો સંખ્યાથી પાંચ શંભુએ=તીર્થકરે, પ્રતિપાદન કર્યા છે. કંઈ રીતે પ્રતિપાદન કર્યાં છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – દુવિધ-ત્રિવિધ આદિ અન્યતમ વિકલ્પ વડે ભગવાને પ્રતિપાદન કર્યા છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ શ્રાવક પાંચ અણુવ્રતમાંથી એક અણુવ્રત પણ ગ્રહણ કરે અથવા પાંચ અણુવ્રત પણ ગ્રહણ કરે અને તે પાંચે પણ વિવિધ-ત્રિવિધથી ગ્રહણ કરે કે દ્વિવિધ-દ્વિવિધથી ગ્રહણ કરે કે દ્વિવિધ-એકવિધથી પણ ગ્રહણ કરે, જે પ્રમાણે જેની શક્તિ હોય તે પ્રમાણે ગ્રહણ કરે અને “દ્વિવિધત્રિવિધ આદિના કુલ છ વિકલ્પો થાય છે. તેથી તે છ વિકલ્પની અપેક્ષાએ શ્રાવકના છ ભેદ અને બીજા બે શ્રાવકના ભેદ એમ શ્રાવકના આઠ ભેદ પ્રાપ્ત થાય છે. તે આ રીતે – દ્વિવિધ-ત્રિવિધના છ વિકલ્પો ગ્રહણ કરીએ તો છ પ્રકારના શ્રાવક પ્રાપ્ત થાય અને ત્યારપછી કોઈ શ્રાવક ગુણવ્રત અને શિક્ષાવ્રત સ્વીકાર કરે તેનો એક વિકલ્પ પ્રાપ્ત થાય અને કોઈ શ્રાવક વિરતિ ગ્રહણ ન કરે પરંતુ માત્ર સમ્યક્ત ગ્રહણ કરે તો અવિરત સમ્યગ્દષ્ટિ રૂપ એક વિકલ્પ પ્રાપ્ત થાય. તેથી કુલ આઠ પ્રકારના શ્રાવકના ભેદો થાય. વળી તે આઠ ભેદોમાં વિરતિવાળા શ્રાવકો અભિગ્રહવાળા આનંદ આદિ છે અને અવિરતિવાળા અભિગ્રહ વગરના કૃષ્ણ, સત્યકી, શ્રેણિકાદિ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ * ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ આ રીતે શ્રાવકના આઠ ભેદો બતાવ્યા પછી દ્વિવિધ-ત્રિવિધ આદિના છ વિકલ્પો કઈ રીતે પ્રાપ્ત થાય? તે સ્પષ્ટ કરે છે – (૧) કોઈ શ્રાવક દ્વિવિધ-ત્રિવિધથી પચ્ચખ્ખાણ કરે છે ત્યારે પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. દ્વિવિધ શબ્દથી કૃત-કારિતનું ગ્રહણ છે અને ત્રિવિધ શબ્દથી મન-વચન-કાયાના ત્રણેય યોગોનું ગ્રહણ છે. તેથી સ્થૂલ હિંસાદિનું પચ્ચખાણ ગ્રહણ કરનાર શ્રાવક પચ્ચખ્ખાણ ગ્રહણ કરે છે કે સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને સ્થૂલ હિંસાદિ બીજા પાસે કરાવું નહીં અને આ સ્થૂલ હિંસાદિ કરવા અને કરાવવાનો નિષેધ મન-વચન-કાયાથી કરે છે તેથી વિવિધ-ત્રિવિધથી હિંસાદિના પાપની નિવૃત્તિ છે. અહીં પ્રશ્ન થાય કે શ્રાવક સ્કૂલ હિંસાદિની પ્રવૃત્તિ દ્વિવિધ-ત્રિવિધ કેમ કરે છે ? ત્રિવિધ-ત્રિવિધ કેમ કરતા નથી તેથી ટીકાકારશ્રી કહે છે – શ્રાવક પૂલ હિંસાદિની અનુમતિનો પરિહાર કરી શકતા નથી; કેમ કે પુત્રાદિ પરિગ્રહ હોય, ધન પરિગ્રહ હોય કે ગૃહરૂપ પરિગ્રહ હોય કે દેહરૂપ પરિગ્રહ હોય તો તે દેહના પાલન માટે, ગૃહના રક્ષણ માટે જે કંઈ હિંસા થાય તેની અનુમતિનો પરિહાર થઈ શકે નહીં અને પુત્રાદિ પરિવાર જે હિંસા કરે તેની અનુમતિ શ્રાવકને પ્રાપ્ત થાય છે. કદાચ પુત્રાદિ પરિવાર ન હોય તોપણ ગૃહના રક્ષણાદિમાં જે આરંભ-સમારંભ થાય છે તેની અનુમતિ શ્રાવકને પ્રાપ્ત થાય છે. શ્રાવક પોતાના દેહનું પાલન કરે છે અને તે પાલન માટે જે કંઈ વસ્તુ ગ્રહણ કરે છે તે વસ્તુની નિષ્પત્તિમાં જે હિંસાદિ થાય છે તે સર્વની અનુમતિની પ્રાપ્તિ શ્રાવકને હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ સર્વથા પરિગ્રહ વગરના છે તેવા સાધુ ગૃહ આદિના પરિગ્રહવાળા નથી, દેહના પરિગ્રહવાળા નથી પરંતુ ધર્મના ઉપકરણ અર્થે દેહને ધારણ કરે છે અને દેહનું પાલન પણ ધર્મના ઉપકરણરૂપે કરે છે. શાતા અર્થે કરતા નથી. તેથી તેવા સુસાધુથી હિંસાદિ દોષોની અનુમતિનો પરિહાર થઈ શકે માટે સાધુને ત્રિવિધ-ત્રિવિધનું પચ્ચખ્ખાણ હોય છે. જ્યારે અન્ય એવા શ્રાવકાદિથી હિંસાદિ દોષોની અનુમતિનો પરિહાર થઈ શકે નહિ. માટે શ્રાવકને ત્રિવિધ-ત્રિવિધનું પચ્ચખ્ખાણ નથી. વળી, “ભગવતી સૂત્રમાં ગૃહસ્થના ત્રિવિધ-ત્રિવિધના ભાંગાઓ ક્યારેક કોઈ શ્રાવકને હોય છે તેમ કહેલ છે તોપણ તે અલ્પ માત્રામાં હોય છે. તેથી અહીં ગ્રહણ કરેલા નથી; કેમ કે બહુલતાએ શ્રાવક દુવિધત્રિવિધથી જે પચ્ચખ્ખાણ કરે છે. તેને આશ્રયીને સૂત્રની પ્રવૃત્તિ છે. ત્રિવિધ-ત્રિવિધનો ભાંગો કોને આશ્રયીને છે તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે. જે શ્રાવક દીક્ષા લેવાની ઇચ્છાવાળા છે પરંતુ પુત્રાદિ પોતાની ગૃહવ્યવસ્થા સંભાળી શકે તેવા સમર્થ થયા નથી તેથી પુત્રાદિ સમર્થ થાય ત્યાં સુધી દીક્ષા લેવાની ઉક્ટ ઇચ્છા હોવા છતાં દીક્ષા ગ્રહણ કરવાને બદલે શ્રાવકની પ્રતિમા સ્વીકારે છે. તેઓને દેહ પ્રત્યે પણ મૂચ્છ નથી, પુત્રાદિ પ્રત્યે પણ મૂર્છા નથી પરંતુ સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાની ઉત્કટ ઇચ્છા છે છતાં શ્રાવક દીક્ષા ગ્રહણ કરે તો પુત્રાદિ સંતતિ પોતાના બળથી જીવી શકે તેમ નથી તેથી તે પુત્રાદિ સંપન્ન થાય ત્યાં સુધી ગૃહકાર્યનો ભાર કોઈકને સોંપીને પ્રતિમા સ્વીકારીને જીવે છે તેવા શ્રાવકોને ત્રિવિધ-ત્રિવિધથી પૂલ Page #232 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૧૫ હિંસાદિનું પચ્ચખાણ છે. અથવા કોઈ શ્રાવક સ્વયંભૂરમણસમુદ્રાદિગત મસ્યાદિના માંસ આદિ વિષયક ત્રિવિધ-ત્રિવિધથી પચ્ચખાણ કરે તો તે કરી શકે છે; કેમ કે પોતાના ઉપભોગમાં આવતી કોઈપણ વસ્તુની નિષ્પત્તિમાં સ્વયંભૂસ્મણ સમુદ્રના મસ્યાદિ જીવોની હિંસાનો સંભવ નથી અને તે સિવાય પોતે જે ક્ષેત્રમાં વર્તે છે તે ક્ષેત્રમાં જે વસ્તુ બને છે તેમાં જે હિંસા થાય તેની અનુમતિનો પરિહાર શ્રાવક કરી શકે નહીં. તેથી સ્વયંભૂરમણ સમુદ્રના મસ્યાદિના માંસ આદિ વિષયક અનુમતિનો પરિહાર કોઈ શ્રાવક કરે છે તેને આશ્રયીને ત્રિવિધ-ત્રિવિધનો વિષય અલ્પ હોવાથી તેનો ભાંગો અહીં ગ્રહણ કરેલ નથી. આ રીતે ઢિવિધત્રિવિધનો એક ભાંગો બતાવ્યા પછી દ્વિવિધ-દ્વિવિધ આદિ અન્ય પાંચ ભાંગાઓ બતાવે છે. જેથી દ્વિવિધત્રિવિધ આદિ છ ભાંગાઓનો યથાર્થ બોધ થાય. (૨) કોઈ શ્રાવક દ્વિવિધ-ત્રિવિધના બદલે “દ્વિવિધ-દ્વિવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે તો બીજો ભાંગો પ્રાપ્ત થાય. સ્થૂલ હિંસાદિ સ્વયં કરે નહીં અને કરાવે નહીં એ રૂપ દ્વિવિધની પ્રાપ્તિ છે અને દ્વિવિધથી=મનથી અને વચનથી ૧. અથવા મનથી અને કાયાથી ૨, અથવા વચનથી અને કાયાથી ૩. આ બીજી ભાંગામાં ત્રણ વિકલ્પની પ્રાપ્તિ છે. તે આ રીતે – ૧. મનથી અને વચનથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં. ૨. મનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં. ૩. વાણીથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં. હવે દ્વિવિધ-દ્વિવિધના ત્રણ વિકલ્પો કેવા પ્રકારના પરિણામવાળા હોય છે તે ભાવન કરે છે – ૧. મનથી અને વચનથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરે નહીં અને કરાવે નહીં. તે આ રીતે – જ્યાર શ્રાવક મનથી અને વચનથી સ્વયં સ્થૂલ હિંસાદિ કરતો નથી અને કરાવતો નથી ત્યારે હું હિંસા કરું તેવી મનની અભિસંધિ વગર જ=મનના પરિણામ વગર જ અને વાણીથી હું હિંસા કરું છું ઇત્યાદિને નહીં બોલતો જ કાયાથી હિંસાદિની અભિવ્યક્તિ થાય તેવી દુષ્યષ્ટાદિ અસંજ્ઞીની જેમ કરે છે. આશય એ છે કે કોઈક શત્રુ આદિ પ્રત્યે હિંસાદિ કરવાનો પરિણામ ન હોય તેથી તને હું મારીશ' ઇત્યાદિ બોલે પણ નહીં તોપણ શત્રુ આદિને ભય પેદા કરવા અર્થે કાયાથી એવી ચેષ્ટા કરે છે કે તેને લાગે કે મને મારશે. આ પ્રકારની કાયાથી હિંસાદિની પ્રવૃત્તિ હોવાથી તે શ્રાવકના વ્રતમાં “દ્વિવિધ-દ્વિવિધ'નો પહેલો ભાગો પ્રાપ્ત થાય છે; કેમ કે કાયાથી હિંસા કરવાના નિષેધની પ્રતિજ્ઞા કરી નથી અને પ્રસંગે કાયાથી તેવી હિંસાની પ્રવૃત્તિ કરે છે. ૨. મનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં. હવે કોઈ શ્રાવક દ્વિવિધ-દ્વિવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે અને તે હિંસાદિની નિવૃત્તિ મનથી અને કાયાથી કરે પરંતુ વચનથી કરે નહીં ત્યારે એ પ્રાપ્ત થાય કે તે શ્રાવક મનથી અને કાયાથી સ્કૂલ હિંસાદિ કરતો નથી અને કરાવતો નથી તે વખતે મન દ્વારા હિંસા કરવાના પરિણામ વગરનો હોય છે અને કાયાથી તેવી દુષ્યષ્ટાદિનો પરિહાર કરે છે છતાં તેવા પ્રકારનાં નિમિત્તોને પામીને વાણીથી હું તને હણીશ, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ હું તારો ઘાત કરાવીશ ઇત્યાદિ અનાભોગથી બોલ છે તેથી વાણીકૃત હિંસાની પ્રાપ્તિ છે. તોપણ મનથી અને કાયાથી હિંસાદિના કરણ અને કરાવણનો નિષેધ છે. આ વિકલ્પ તે શ્રાવક કરે છે કે જેના હૈયામાં દયાનો પરિણામ છે તોપણ નિમિત્તને પામીને તેવા પ્રકારની બોલવાની ટેવ પડી છે. તેથી ક્યારેક નિમિત્તને પામીને તેવા પ્રકારના વચનપ્રયોગો પોતાનાથી થઈ શકે તેવી સંભાવનાને જાણીને વાણીથી કરણ અને કરાવણના નિષેધની પ્રતિજ્ઞા કરતો નથી. આ રીતે ‘દ્વિવિધ-દ્વિવિધ'નો બીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે. ૩. વાણીથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં. કોઈ શ્રાવક સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે છે ત્યારે વિકલ્પ રાખે છે કે હું સ્થૂલ હિંસાદિ વાણીથી અને કાયાથી કરીશ નહીં અને સ્થૂલ હિંસાદિ વાણીથી અને કાયાથી કરાવીશ નહિ. આ પ્રતિજ્ઞાકાળમાં શ્રાવક હું હિંસા કરું છું, હું હિંસા કરાવું છું તેવો વાણીપ્રયોગ કરતો નથી અને કાયાથી હિંસાદિ ક૨વાની ચેષ્ટા કરતો નથી અને હિંસાદિ કરાવવાની ચેષ્ટા કરતો નથી. પરંતુ કોઈકના તેવા પ્રકારના વર્તનને જોઈને સહસા મનમાં હિંસાના પરિણામ થાય છે. તેનું તે નિવર્તન કરી શકતો નથી તેથી નિમિત્તને પામીને તે શ્રાવકની, મનમાં તેવા પ્રકારની પરિણતિ થાય છે તેને ખ્યાલમાં રાખીને વાણીથી અને કાયાથી જ તે શ્રાવક પ્રતિજ્ઞા કરે છે, મનથી હિંસાદિના પરિહારની પ્રતિજ્ઞા કરતો નથી. આ રીતે ‘દ્વિવિધ-દ્વિવિધ’નો ત્રીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે. આ ત્રણેય વિકલ્પોમાં અનુમતિનો પરિહાર શ્રાવકને નથી. તેનાથી એ પ્રાપ્ત થાય કે પચ્ચક્ખાણ લેનાર શ્રાવક પોતાની પ્રકૃતિને આશ્રયીને વિચારે કે હું મનની અભિસંધિનો પરિહાર કરી શકું છું. પરંતુ તેવા સંયોગોમાં કાયાથી સ્થૂલ હિંસાદિનો પરિહાર કરી શકું તેમ નથી તે શ્રાવક દ્વિવિધ દ્વિવિધથી પ્રથમ વિકલ્પાનુસા૨ પ્રતિજ્ઞા કરે છે. જે શ્રાવકને એમ જણાય છે કે મનથી હું હિંસાનો પરિહાર કરી શકું છું પણ તેવા સંજોગોમાં હિંસાદિનાં વચનો સહસા મારાથી બોલાઈ જાય તેમ છે માટે વચનથી હિંસાદિનો પરિહાર કરતો નથી અને કાયાથી તેવી દુષ્યેષ્ટાદિનો પરિહાર કરે છે તેવો શ્રાવક બીજા વિકલ્પ અનુસા૨ પ્રતિજ્ઞા કરે છે. જે શ્રાવકને વાણીથી હિંસાદિના પરિહારની શક્તિ છે, કાયાથી તેવા પ્રકારની દુષ્યષ્ટાદિના પરિહારની શક્તિ છે તોપણ તેવા પ્રકારના નિમિત્તને પામીને મનમાં હિંસાદિના પરિણામો થાય છે તેવો શ્રાવક મનથી હિંસાદિના પરિહારની પ્રતિજ્ઞા કરતો નથી. આથી જ કોઈ શ્રાવકથી મનથી કામાદિના વિકારોનો પરિહાર ન થઈ શકે અને કાયાથી અને વચનથી પરિહાર કરી શકે તેમ હોય તેવા શ્રાવકો તે વ્રત મનનાં વિકલ્પને છોડીને વચનથી અને કાયાથી ગ્રહણ કરે છે. (૩) વળી કોઈ શ્રાવક ‘દ્વિવિધ-એકવિધ’થી પચ્ચક્ખાણ કરે છે ત્યારે ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે. કરણ-કરાવણને આશ્રયીને દ્વિવિધ અને મનથી એકવિધ અથવા વચનથી એકવિધ અથવા કાયાથી એકવિધ એમ ત્રમ ભાંગા પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે - ૧. મનથી હું સ્થૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં. ૨. વચનથી હું સ્થૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં. ૩. કાયાથી હું સ્થૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૧. મનથી શ્રાવક પૂલ હિંસાદિ કરે નહીં અને કરાવે નહીં. તે આ રીતે – શ્રાવક પોતાની શક્તિ અનુસાર હું હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં તે કેવલ મનથી જ પ્રતિજ્ઞા કરે છે ત્યારે તે શ્રાવકને હિંસાદિ કરવાનો અને કરાવવાનો પરિહાર મનથી જ થાય છે. તેવો શ્રાવક નિમિત્તને પામીને સહસા હિંસાદિના વચનનો પ્રયોગ કરે છે અને અનાભોગથી હિંસાદિને અભિવ્યક્ત કરે તેવી કાયાની ચેષ્ટા તેનાથી થઈ જાય છે. તેને ખ્યાલમાં રાખીને વચનથી અને કાયાથી હિંસાદિના પરિહારની પ્રતિજ્ઞા તે શ્રાવક કરતો નથી પરંતુ માત્ર મનથી જ હિંસાદિના પરિહારની પ્રતિજ્ઞા કરે છે. ૨. વચનથી હું સ્કૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં. જે શ્રાવક કેવલ વાણીથી સ્થૂલ હિંસાદિનો પરિહાર કરે છે તેવા શ્રાવકથી નિમિત્તને પામીને સહસા મનથી હિંસાદિના પરિણામો થઈ જાય છે અને અનાભોગથી કાયાથી હિંસાદિને અભિવ્યક્ત કરતી દુચેષ્ટાદિ પણ થઈ જાય છે. છતાં વાણી ઉપર પોતાનું પ્રભુત્વ હોવાથી વાણીને આશ્રયીને સ્થૂલ હિંસાદિના પરિવારની પ્રતિજ્ઞા કરે છે. ૩. કાયાથી હું પૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં. જે શ્રાવક કેવલ કાયાથી સ્થૂલ હિંસાદિનો પરિહાર કરે છે તેવા શ્રાવકથી નિમિત્તને પામીને સહસા મનથી હિંસાદિના પરિણામો થઈ જાય છે અને સહસા હિંસાદિના વચનપ્રયોગો ક્યારેક થાય છે તોપણ કાયાની ચેષ્ટા ઉપર પોતાનું પ્રભુત્વ હોવાથી કાયાને આશ્રયીને સ્થૂલ હિંસાદિના પરિવારની પ્રતિજ્ઞા કરે છે. આ રીતે “દ્વિવિધ-એકવિધ'ના ત્રણ વિકલ્પોમાંથી પોતાની શક્તિ અનુસાર શ્રાવક પ્રતિજ્ઞા કરે છે. (૪) વળી કોઈ શ્રાવક “એકવિધ-ત્રિવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે તો ચોથો ભાંગો પ્રાપ્ત થાય છે. તેમાં એકવિધને આશ્રયીને કરણથી અથવા કરાવણથી અને ત્રિવિધથી=મનથી વચનથી કાયાથી, એમ બે ભાંગા પ્રાપ્ત થાય. તે આ પ્રમાણે – ૧. મન-વચન-કાયાથી હું સ્કૂલ હિંસાદિ કરીશ નહીં. ૨. મન-વચન-કાયાથી હું સ્કૂલ હિંસાદિ કરાવીશ નહીં. ૧. મન-વચન-કાયાથી હું સ્કૂલ હિંસાદિ કરીશ નહીં. તે આ રીતે – કોઈ શ્રાવક મન-વચન-કાયાથી સ્થૂલ હિંસાદિ કરવાનો પરિહાર કરી શકે છે. આમ છતાં નિમિત્તને પામીને હિંસાદિનાં તેવાં કૃત્યો બીજા પાસેથી કરાવવાનો પરિહાર કરી શકતો નથી તેવો શ્રાવક માત્ર કરણને આશ્રયીને ત્રિવિધથી પ્રતિજ્ઞા કરે છે. ૨.મન-વચન-કાયાથી હું પૂલ હિંસાદિ કરાવીશ નહીં. કોઈ શ્રાવક મન-વચન-કાયાથી સ્થૂલ હિંસાદિ કરાવવાનો પરિહાર કરી શકે છે. આમ છતાં નિમિત્તને પામીને હિંસાદિનાં તેવાં કૃત્યો સ્વયં કરવાનો પરિહાર કરી શકતો નથી. તેવો શ્રાવક માત્ર કરાવણને આશ્રયીને ત્રિવિધથી પ્રતિજ્ઞા કરે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૮ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ આ રીતે “એકવિધ-ત્રિવિધ'ના બે વિકલ્પમાંથી શ્રાવક પોતાની શક્તિ અનુસાર પ્રતિજ્ઞા કરે છે. (૫) વળી કોઈ શ્રાવક “એકવિધ-દ્વિવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે છે ત્યારે પાંચમો ભાગો પ્રાપ્ત થાય છે. તેમાં એકવિધથી કરણ અથવા કરાવણ અને દ્વિવિધથી=મનથી અને વચનથી ૧. અથવા મનથી અને કાયાથી ૨. અથવા વચનથી અને કાયાથી ૩. પાંચમા ભાંગામાં છ વિકલ્પોની પ્રાપ્તિ છે. તે આ પ્રમાણે – ૧. મનથી અને વચનથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૨. મનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૩. વચનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૪. મનથી અને વચનથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં. ૫. મનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં. . વચનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ હું-કરાવું નહીં. તેથી એ પ્રાપ્ત થાય કે આ પાંચમા ભાંગામાં જે શ્રાવકની કરણને આશ્રયીને શક્તિ હોય અથવા કરાવણને આશ્રયીને શક્તિ હોય તે શ્રાવક કરણનો કે કરાવણનો જે બે યોગથી પરિહાર કરી શકે તેમ હોય તે બે યોગને સામે રાખીને તે પ્રકારની પ્રતિજ્ઞા કરે છે જેથી પ્રતિજ્ઞા અનુસાર સમ્યક્ પાલન કરીને સ્વીકારેલા વ્રતના ફળને પ્રાપ્ત કરે છે. (૯) વળી, કોઈ શ્રાવક “એકવિધ-એકવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે છે ત્યારે છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય છે. તેમાં એકવિધથી કરણ અથવા કરાવણ અને એકવિધથી=મનથી અથવા વચનથી અથવા કાયાથી. આ છઠ્ઠા ભાંગામાં છ વિકલ્પોની પ્રાપ્તિ છે. તે આ પ્રમાણે – ૧. મનથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૨. વચનથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૩. કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૪. મનથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં. ' ૫. વચનથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં. ૬. કાયાથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં. આ છઠ્ઠા ભાંગામાં જે શ્રાવકની કરણને આશ્રયીને શક્તિ હોય અથવા કરાવણને આશ્રયીને શક્તિ હોય તે શ્રાવક કરણનો કે કરાવણનો જે એક યોગથી પરિહાર કરી શકે તેમ હોય તે એક યોગને સામે રાખીને તે પ્રકારની પ્રતિજ્ઞા કરે છે જેથી પ્રતિજ્ઞા અનુસાર સમ્યક પાલન કરીને સ્વીકારેલા વ્રતના ફળને પ્રાપ્ત કરે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૧૯ વળી પાંચ અણુવ્રતને આશ્રયીને જે છ ભાંગા પ્રાપ્ત થાય છે તે છ ભાંગાના ઉત્તરભાંગા ૨૧ થાય છે. પ્રથમ ભાંગો ‘દ્વિવિધ-ત્રિવિધ'ના ઉત્તરભાંગા-૧ બીજો ભાંગો ‘દ્વિવિધ-દ્વિવિધ'ના ઉત્તરભાંગા-૩ ત્રીજો ભાંગો ‘દ્વિવિધ-એકવિધ’ના ઉત્તરભાંગા-૩ ચોથો ભાંગો ‘એકવિધ-ત્રિવિધ'ના ઉત્તરભાંગા-૨ - પાંચમો ભાંગો ‘એકવિધ-દ્વિવિધ’ના ઉત્તરભાંગા-૬ છઠ્ઠો ભાંગો ‘એકવિધ-એકવિધ'ના ઉત્તરભાંગા-૬ ૧ ૩ ૩ ૨ ૬ ૦=૨૧ ઉત્તરભાંગા થાય. પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે દ્વિવિધ-ત્રિવિધના છ ભાંગાઓથી કરાયેલા અભિગ્રહવાળા છ પ્રકારના શ્રાવક થાય છે. અને સાતમો ભેદ શ્રાવકનો ઉત્તરગુણવાળો થાય છે=સ્વીકારાયેલા ગુણવ્રત શિક્ષાવ્રત આદિ ઉત્તરગુણવાળો શ્રાવક થાય છે. શ્રાવકના આઠ ભેદ કરતી વખતે જેમ પાંચ અણુવ્રતોમાં વિકલ્પો પાડવા તેમ ઉત્તરગુણમાં શિક્ષાવ્રતમાં અને શ્રાવકની અગિયાર પ્રતિમામાં વિકલ્પો પાડ્યા વગર તે સર્વનો એક ભેદ ગ્રહણ કરેલ છે. તેથી પાંચ અણુવ્રતને આશ્રયીને છ પ્રકા૨ના શ્રાવકની પ્રાપ્તિ થઈ. અને બાકીના ગુણવ્રત આદિને આશ્રયીને એક પ્રકારના શ્રાવકની પ્રાપ્તિ થઈ. તેથી કુલ સાત પ્રકારના શ્રાવક થયા અને અવિરતસમ્યગ્દષ્ટિ ગ્રહણ કરવાથી કુલ શ્રાવકના આઠ ભેદોની પ્રાપ્તિ થાય છે. વળી, ૫ અણુવ્રતને આશ્રયીને છ ભાંગા પ્રાપ્ત થયા. તે ૫ અણુવ્રતોમાંથી પ્રત્યેક અણુવ્રતને આશ્રયીને જુદા જુદા શ્રાવકના ભેદો સ્વીકારવામાં આવે તો ૬ ગુણાકાર ૫ બરાબર ૩૦. માટે પાંચ અણુવ્રતને આશ્રયીને ત્રીસ પ્રકારના શ્રાવકોની પ્રાપ્તિ થાય. તે આ રીતે – પ્રથમ અણુવ્રતને આશ્રયીને શ્રાવકના છ ભેદ પ્રાપ્ત થાય તેમ બીજા, ત્રીજા આદિ અણુવ્રતને આશ્રયીને ૬-૬ પ્રકારના શ્રાવકો પ્રાપ્ત થાય. તેથી કુલ શ્રાવકના ૩૦ ભેદની પ્રાપ્તિ થાય; કેમ કે કોઈ શ્રાવક માત્ર એકવ્રત પણ સ્વીકારે છે અને એક વ્રત પણ દ્વિવિધ-ત્રિવિધ આદિ છ ભાંગામાંથી પોતે જે પાળી શકે તે ભાંગાથી સ્વીકારે છે તેથી પ્રથમ અણુવ્રતને આશ્રયીને શ્રાવકના છ ભેદોની પ્રાપ્તિ છે તેમ બીજા-ત્રીજા આદિ અણુવ્રતને આશ્રયીને શ્રાવકના ૬-૬ ભેદોની પ્રાપ્તિ થાય છે. આ રીતે પાંચ અણુવ્રતોને આશ્રયીને શ્રાવકના ૩૦ ભેદોની પ્રાપ્તિ થયા પછી ઉત્તરગુણવ્રતનો એક ભેદ સ્વીકારીએ તો ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને શ્રાવકની અગિયાર પ્રતિમા, તેમાંથી કોઈપણ ગુણવ્રતને, શિક્ષાવ્રતને કે પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક ઉત્તરગુણના આ એકત્રીસમા ભેદમાં અંતર્ભાવ પામે છે અને અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવકનો બત્રીસનો ભેદ પ્રાપ્ત થાય છે. પૂર્વમાં શ્રાવકોના ભેદો બતાવ્યા તે સર્વભેદોના સંગ્રહને ક૨ના૨ સાક્ષીપાઠ બતાવે છે. ૧. વિ૨ત શ્રાવક, ૨. અવિરત શ્રાવક, જે શ્રાવકે બાર વ્રતોમાંથી એક પણ વ્રત ગ્રહણ કરેલ હોય તે વિરત શ્રાવક કહેવાય અને જે શ્રાવકે માત્ર સમ્યક્ત્વ ઉચ્ચરારેવેલું છે તે અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક કહેવાય. આ રીતે બે પ્રકારના Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ શ્રાવકના ભેદ બતાવ્યા પછી દુવિધ-ત્રિવિધ આદિને આશ્રયીને આઠ પ્રકારના શ્રાવકો છે. જેમ દુવિધત્રિવિધ આદિને આશ્રયીને ૫ અણુવ્રતવાળા ૬ પ્રકારના શ્રાવકો પ્રાપ્ત થયા, એક ઉત્તરગુણવાળો ૭મો શ્રાવક પ્રાપ્ત થયો અને એક અવિરત સમ્યફદષ્ટિ ૮મો શ્રાવક પ્રાપ્ત થયો. એમ કુલ શ્રાવકના ૮ ભેદ પ્રાપ્ત થાય છે. વળી પાંચ અણુવ્રતમાંથી એક-એક અણુવ્રતને આશ્રયીને છ પ્રકારના શ્રાવકને જુદા કરવાથી ૫ અણુવ્રતોને આશ્રયીને ૩૦ પ્રકારના શ્રાવકો પ્રાપ્ત થાય છે. ઉત્તરગુણવાળો એક શ્રાવક અને અવિરત સમ્યગ્દષ્ટિરૂપ એક શ્રાવક એમ કુલ બત્રીસ શ્રાવકના ભેદો પ્રાપ્ત થાય છે. टी : कथं पुनः षड्भङ्गाः सप्तभिर्गुण्यन्ते? इत्याह-पदवृद्ध्या मृषावादाचेकैकव्रतवृद्ध्या, एकव्रतभङ्गराशेरवधौ व्यवस्थापितत्वाद्विवक्षितव्रतेभ्य एकेन हीना वारा इत्यर्थः । तथाहि-एकव्रते षड्भङ्गा सप्तभिर्गुणिता जाता द्विचत्वारिंशत्तत्र षट् क्षिप्यन्ते जाता अष्टचत्वारिंशद्, एषाऽपि सप्तभिर्गुण्यते, षट् च क्षिप्यन्ते जातं ३४२-। एवं सप्तगुणनषट्प्रक्षेपक्रमेण तावत्कार्यं यावदेकादश्यां वेलायामागतम् १३८४१२८७२०० । एते च षट्अष्टचत्वारिंशदादयो द्वादशाप्यागतराशय उपर्यधोभागेन व्यवस्थाप्यमाना अर्द्धदेवकुलिकाकारां भूमिमावृण्वन्तीति खण्डदेवकुलिकेत्युच्यते । स्थापना (१) । संपूर्णदेवकुलिकास्तु प्रतिव्रतमेकैकदेवकुलिकासद्भावेन षड्भङ्ग्यां द्वादश देवकुलिकाः सम्भवन्ति । तत्र द्वादश्यां देवकुलिकायामेकद्विकादिसंयोगा गुणक(ण्य)रूपाश्चैवं ६-३६-२१६-१२९६-७७७६-. ४६६५६-२७९९३६-१६७९६१६-१००७७६९६-६०४६६१७६-३६२७९७०५६-२१७६७८२३३६ । तत्र च गुणकराशयस्त्वमी १२-६६-२२०-४९५-७९२-९२४-७९२-४९५-२२०-६६-१२-१ । एतेषां च पूर्वस्य षड्गुणनेऽग्रेतनो गुण्यराशिरायातीत्यानयने बीजम्, एते च षट्षट्त्रिंशदादयो द्वादशापि गुण्यराशयः क्रमशो द्वादश-षट्षष्टिप्रभृतिभिर्गुणकराशिभिर्गुणिता आगतराशयः ७२आदयो भवन्ति । ते देवकुलिकागततृतीयराशितो ज्ञेयाः । स्थापना चाग्रे (२)। अत्राप्युत्तरगुणाऽविरतसंयुक्ताः १३८४१२८७२०२ भवन्ति । उत्तरगुणाश्चात्र प्रतिमादयोंऽभिग्रहविशेषा ज्ञेयाः । यदुक्तम् - “तेरसकोडिसयाई, चुलसीइजुआई बारस य लक्खा । सत्तासीअ सहस्सा, दो अ सया तह दुरग्गा य ।।१।।" [श्रावकव्रतभंग प्र.४०] 'दुरग्गत्ति' प्रतिमाधुत्तरगुणाऽविरतरूपभेदद्वयाधिकाः, एतावन्तश्च द्वादश व्रतान्याश्रित्य प्रोक्ताः, पञ्चाणुव्रतान्याश्रित्य तु १६८०६ भवन्ति, तत्राप्युत्तरगुणाऽविरतमीलने १६८०८ भवन्ति । अत्र चैकद्विकादिसंयोगा गुणकाः, षट्षट्त्रिंशदादयो गुण्याः, त्रिंशदादयश्चागतराशयो यन्त्रकादवसेयाः । Page #238 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૨૧ इयमत्र भावना-कश्चित् पञ्चाणुव्रतानि प्रतिपद्यते, तथा किल पञ्चैकसंयोगाः, एकैकस्मिंश्च संयोगे द्विविधत्रिविधादयः षड् भङ्गाः स्युः, तेन षट् पञ्चभिर्गुण्यन्ते जाताः ३०, एतावन्तः पञ्चानां व्रतानामेकैकसंयोगे भङ्गाः, तथा एकैकस्मिन् द्विकसंयोगे ३६ भङ्गास्तथाहिआद्यव्रतसम्बन्ध्याद्यो भङ्गकोऽवस्थितो मृषावादसत्कान् षड् भङ्गान् लभते । एवमाद्यव्रतसम्बन्धी द्वितीयोऽपि यावत्षष्ठोऽपि भङ्गोऽवस्थित एव मृषावादसत्कान् षड् भगान् लभते, ततश्च षड् षड्भिर्गुणिताः ३६, दश चात्र विकसंयोगाः, अतः ३६ दशगुणिताः ३६० । एतावन्तः पञ्चानां व्रतानां द्विकसंयोगे भङ्गाः, एवं त्रिकसंयोगादिष्वपि भङ्गसङ्ख्याभावना कार्या । पञ्चमदेवकुलिकास्थापना ६ ५ ३० । ३६ १० ३६० । २१६ १० २१६० । १२९६ ५ ६४८० । ७७७६ १ ७७७६ । एवं सर्वासामपि देव कुलिकानां निष्पत्तिः स्वयमेवावसेया इयं च प्ररूपणाऽऽवश्यकनियुक्त्यभिप्रायेण कृता भगवत्यभिप्रायेण तु नवभगी । साऽपि प्रसङ्गतः प्रदर्श्यते । तथाहि-हिंसां न करोति मनसा १, वाचा २, कायेन ३ । मनसा वाचा ४, मनसा कायेन ५, वाचा कायेन ६ । मनसा वाचा कायेन ७, एते करणेन सप्त भङ्गाः १, एवं कारणेन २, अनुमत्या ३, करणकारणाभ्यां ४, कारणानुमतिभ्यां ५, करणानुमतिभ्यां ६, करणकारणानुमतिभिरपि ७ सप्त । एवं सर्वे मिलिता एकोनपञ्चाशद्भवन्ति एते च त्रिकालविषयत्वात् प्रत्याख्यानस्य कालत्रयेण गुणिताः सप्तचत्वारिंशं शतं भवन्ति । यदाह ३३३ २२२ १११ ३२१ ३२१ ३२१ १३३ ३९९ ३९९ । "मणवयकाइयजोगे, करणे कारावणे अणुमई अ । इक्कगदुगतिगजोगे, सत्ता सत्तेव गुणवन्ना ।।१।। Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ पढमिक्को तिन्नि तिआ, दुन्नि नवा तिन्नि दो नवा चेव । कालतिगेण य सहिया, सीआलं होइ भंगसयं ।।२।। सीआलं भंगसयं, पच्चक्खाणंमि जस्स उवलद्धं । सो खलु पच्चक्खाणे, कुसलो सेसा अकुसला उ ।।३।।" [श्रावकव्रतभङ्ग प्र. ५, ६, ८] त्ति, त्रिकालविषयता चातीतस्य निन्दया, साम्प्रतिकस्य संवरणेन अनागतस्य प्रत्याख्यानेनेति, यदाह“अईयं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पच्चक्खामि" [पाक्षिकसूत्रे] त्ति एते च भङ्गा अहिंसामाश्रित्य प्रदर्शिता व्रतान्तरेष्वपि ज्ञेयाः । तत्र पञ्चाणुव्रतेषु प्रत्येकं १४७ भङ्गकभावात् ७३५ भेदाः श्रावकाणां भवन्ति । उक्तं च"दुविहा अट्ठविहा वा, बत्तीसविहा व सत्तपणतीसा । सोलस य सहस्स भवे, अट्ठसयदुत्तरा वइणो ।।१।।" [श्रावकव्रतभङ्ग प्र. २] त्ति । इदं तु ज्ञेयं-षड्भगीवदुत्तरभङ्गरूपैकविंशतिभङ्ग्या २, तथा नवभङ्ग्या ३, तथैकोनपञ्चाशद्भङ्ग्या ४, तथा सप्तचत्वारिंशत्(दधिकशत)भङ्ग्या ५, द्वादश द्वादश देवकुलिका निष्पद्यन्ते । यदुक्तम् - "इगवीसं खलु भङ्गा, निद्दिट्ठा सावयाण जे सुत्ते । ते च्चिअ बावीसगुणा, इगवीसं पक्खिवेअव्वा ।।१।। एगवए नव भङ्गा, निद्दिट्ठा सावयाण जे सुत्ते । ते च्चिअ दसगुण काउं, नव पक्खेवंमि कायव्वा ।।२।। इगुवन्नं खलु भङ्गा, निद्दिट्ठा सावयाण जे सुत्ते । ते च्चिअ पंचासगुणा, इगुणवन्नं पक्खिवेअव्वा ।।३।। सीआलं भङ्गसयं, ते च्चिअ अडयालसयगुणं काउं । सीयालसएण जुअं, सव्वग्गं जाण भङ्गाणं ।।४।।" [श्रावकव्रतभङ्ग प्र. ११-१३] एकादश्यां वेलायां द्वादशव्रतभङ्गकसर्वसंख्यायामागतं क्रमेण खण्डदेवकुलिकातो ज्ञेयम् । तत्स्थापनाश्चेमाः (३) । एवं संपूर्णदेवकुलिका अपि एकविंशत्यादिभङ्ग्यादिषु द्वादश द्वादश भावनीयाः । स्थापनाः क्रमेण यथा (४-५-६-७) इति प्रसङ्गतः प्रदर्शिता भङ्गप्ररूपणा बाहुल्येन च द्विविधत्रिविधादिषड्भङ्ग्येवोपयोगिनीत्युक्तमेवावसेयमित्यलं विस्तरेण ॥२४॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૨૩ स्थापना (२) स्थापना (१). ६ ४८ ६ ३६ ३४२ २१६ rorlmmarlour ३६ २४०० १२ ३६ १८ १०८ २१६ २४ २१६ ८६४ १२९६ ३० ३६० २१६० ६४८० ७७७६ २१६ १२९६ ३६ १६८०६ २१६ १२९६ ७७७६ ३६ १५ ११७६४८ ३६ २१६ १२९६ ७७७६ ४६६५६ १५ ८२३५४२ २१६ १२९६ ७७७६ ४६६५६ २७९९३६ ५४० ४३२० १९४४० ४६६५६. ४६६५६ ४२ ७५६ ७५६० ४५३६० १६३२९६ ३२६५९२ २७९९३६ ४८ १००८ १२०९६ ९०७२० ४३५४५६ १३०६३६८ २२३९४८८ १६७९६१६ ६ ५७६४८०० ३६ २१६ १२९६ ७७७६ ४६६५६ २७९९३६ १६७९६१६ ७० ५६ २८ . Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ m ८४ १२६ १२६ ४०३५३६०६ २१६ १२९६ ৩৩৬৪ ४६६५६ २७९९३६ १६७१६१६ १००७७६९६ १२९६ १८१४४ १६३२९६ ९७९७७६ ३९१९१०४ १००७७६९६ १५११६५४४ १००७७६९६ ८४ ६ १० ६० १२० २१० २८२४७५२४८ २१६ १२९६ ওওও ४६६५६ २७९९३६ १६७९६१६ १००७७६९६ ६०४६६१७६ २५२ १० १२० १६२० २५९२० २७२१६० १९५९५५२ ९७९७७६० ३३५९२३२० ७५५८२७२० १००७७६९६० ६०४६६१७६ . ६६ १९८० ३५६४० ४२७६८० ३५९२५१२ २१५५५०७२ ९२३७८८८० २७७१६६६४० ५५४२७३२८० ६६५१२७९३६ ३६३७९७०५७ ३६ mmmm १९७७३२६७४२ २१६ १२९६ ওওও ४६६५६ २७९९३६ १६७९६१६ १००७७६९६ ६०४६६१७६ ३६२७९७०५६ ३३० १६५ १२ ७२ ३६ २१६ १२९६ ওওও ४६६५६ २७९९३६ १६७९६१६ १००७७६९६ ६०४६६१७६ ३६२७९७०५६ २१७६७८२३३६ २२० ४९५ ७९२ ९२४ ७९२ ४९५ २२० २३७६ ४७५२० ६४१५२० ६१५८५९२ ४३११०१४४ २२१७०९३१२ ८३१४०९९२० २२१७०९३१२० ३९९०७६७६१६ ४३५३५६४६७२ २१७६७८२३३६ १३८४१२८७२०० १२ Page #242 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૨૫ स्थापना (३) २१ ४८३३ १०६४७ ९९९९ २३४२५५ ५१५३६३१ ९९९९९ ९९९९९९ ११३३७९९०३ ९९९९९९९ २४९४३५७८८७ ९९९९९९९९ ५४८७५८७३५३५ ९९९९९९९९९ १२०७२६९२१७७९१ ९९९९९९९९९९ ९९९९९९९९९९९ ९९९९९९९९९९९९ २६५५९९२२७९१४२३ ५८४३१८३०१४११३२७ १२८५५००२६३१०४९२१५ ४९ १४७---.. २१९०३ २४९९ १२४९९९ ३२४१७९१ ६२४९९९९ ३१२४९९९९९ १५६२४९९९९९९ ७८१२४९९९९९९९ ३९०६२४९९९९९९९९ १९५३१२४९९९९९९९९९ ४७९७८५२१५ ७१००८२११९६७ १०५०९२१५३७१२६३ १५५५३६३८७४९४७०७१ २३०१९३८५३४९२१६६५५ ३४०६८६९०३१६८४०६६५०८७ ९७६५६२४९९९९९९९९९९ ४८८२८१२४९९९९९९९९९९९ २४४१४०६२४९९९९९९९९९९९९ ५०४२१६६१६६८९२४१८४३३०२३ ७४६२४०५९२७०००७७९२८०८७५५१ ११०४४३६०७७१९६११६३३५६९५७६९५ Page #243 -------------------------------------------------------------------------- ________________ २२७ . ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ स्थापना (४). ९ २४३ ७२९ ७२९ ७२९ ६५६१ ४८६ २९१६ ६५६१ ८१ ७२९ ६५६१ ५९०४९ १५ ८१ ७२९ ६५६१ ५९०४९ ५३१४४१ ७ २१ ८१ ७२९ ६५६१ ५९०४९ ५३१४४१ ४७८२९६९ ८१० ७२९० ३२८०५ ५९०४९ ५४ १२१५ १४५८० ९८४१५ ३५४२९४ ५३१४४१ ६३ १७०१ २५५१५ २२९६३५ १२४००२९ ३७२००८७ ४७८२९६९ ७२ २२६८ ४०८२४ ४५९२७० ३३०६७४४ १४८८०३४८ ३८२६३७५२ ४३०४६७२१ २८ ६ ५६ ७२९ ६५६१ ५९०४९ ५३१४४१ ४७८२९६९ ४३०४६७२१ २८ Page #244 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૨૭ ७२९ ६५६१ ५९०४९ ५३१४४१ ४७८२९६९ ४३०४६७२१ ३८७४२०४८९ جس سہولن २९१६ ६१२३६ ८२६६८६ ७४४०१७४ ४४६४१०४४ १७२१८६८८४ ३८७४२०४८९ ३८७४२०४८९ ९० ३६४५ ८७४८० १३७७८१० १४८८०३४८ १११६०२६१० ५७३९५६२८० १९३७१०२४४५ ३८७४२०४८९० ३४८६७८४४०१ ४५ १२० २१० ७२९ ६५६१ ५९०४९ ५३१४४१ ४७८२९६९ ४३०४६७२१ ३८७४२०४८९ ३४८६७८४४०१ २५२ २१० १२० ४५ १० ९९ ५५ ७२९ ६५६१ ५९०४९ ५३१४४१ ४७८२९६९ ४३०४६७२१ ३८७४२०४८९ ३४८६७८४४०१ ३१३८१०५९६०९ १६५ ३३० |४६२ ४६२ ३३० ६५ ११ १२ ८१ ४४५५ १२०२८५ २१६५१३० २७२८०६३८ २४५५२५७४२ १५७८३७९७७० ७१०२७०८९६५ २१३०८१२६८९५ ३८३५४६२८४११ ३१३८१०५९६०९ १०८ ५३४६ १६०३८० ३२४७६९५ ४६७६६८०८ ४९१०५१४८४ ३७८८१११४४८ २१३०८१२६८९५ ८५२३२५०७५८० २३०१२७७७०४६६ ३७६५७२७१५३०८ २८२४२९५३६४८१ ६६ २२० ४९५ ७९२ ९२४ ७२९ ६५६१ ५९०४९ ५३१४४१ ४७८२९६९ ४३०४६७२१ ३८७४२०४८९ ३४८६७८४४०१ ३१३८१०५९६०९ २८२४२९५३६४८१ ७९२ ४९५ २२० १२ १ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ २१ स्थापना (५). २१ ४२ ४४१ ४४१ २१ ४४१ १३२३ ९२६१ ९२६१ ६३ Emamm » » » | २१ ८४ ४४१ ९२६१ १९४४८१ २१ ४४१ ९२६१ १९४४८१ ४०८४१०१ २१ ४४१ | 48 ** २६४६ ३७०४४ १९४४८१ १०५ ४४१० ९२६१० ९७२४०५ ४०८४१०१ १२६ ६६१५ १८५२२० २९१७२१५ २४५०४६०६ ८५७६६१२१ १४७ ९२६१ ३२४१३५ ६८०६८३५ ८५७६६१२१ ६००३६२८४७ १८०१०८८५४१ १६८ १२३४८ ५१८६१६ १३६१३६७० २२८७०९६५६ २४०१४५१३८८ १४४०८७०८३२८ ३७८२२८५९३६१ ९२६१ १९४४८१ ४०८४१०१ ८५७६६१२१ २१ ४४१ ९२६१ १९४४८१ ४०८४१०१ ८५७६६१२१ १८०१०८८५४१ २१ ४४१ ९२६१ १९४४८१ ४०८४१०१ ८५७६६१२१ १८०१०८८५४१ ३७८२२८५९३६१ २१ ७० ५६ Page #246 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૨૯ ३६ १२६ ६ - ४४१ ९२६१ १९४४८१ ४०८४१०१ ८५७६६१२१ १८०१०८८५४१ ३७८२२८५९३६१ ७९४२८००४६५८१ २१ ४४१ ९२६१ १९४४८१ ४०८४१०१ ८५७६६१२१ १८०१०८८५४१ ३७८२२८५९३६१ ७९४२८००४६५८१ १६६७९८८०९७८२०१ ४५ १२० २१० २५२ २१ १८९ १५८७६ ७७७९२४ २४५०४६०६ ५१४५९६७२६ ७२०४३५४१६४ ६४८३९१८७४७६ ३४०४०५७३४२४९ ७९४२८००४६५८१ २१० १९८४५ ११११३२० ४०८४१०१० १०२९१९३४५२ १८०१०८८५४१० २१६१३०६२४९२० १७०२०२८६७१२४५ ७९४२८००४६५८१० १६६७९८८०९७८२०१ २३१ २४२५५ १५२८०६५ ६४१७८७३० ----१८८६८५४६६२ ३९६२३९४७९०२ ५९४३५९२१८५३० ६२४०७७१७९४५६५ ४३६८५४०२५६१९५५ १८३४७८६९०७६०२११ ३५०२७७५००५४२२२१ २५२ २९१०६ २०३७४२० ९६२६८०९५ ३२३४६०७९९२ ७९२४७८९५८०४ १४२६४६२१२४४७२ १८७२२३१५३८३६९५ १७४७४१६१०२४७८२० ११००८७२१४४५६१२६६ ४२०३३३०००६५०६६५२ ७३५५८२७५११३८६६४१ ४४१ ९२६१ १९४४८१ ४०८४१०१ ८५७६६१२१ १८०१०८८५४१ ३७८२२८५९३६१ ७९४२८००४६५८१ १६६७९८८०९७८२०१ ३५०२७७५००५४२२२१ १६५ 20 WC60 ४६२ ३३० १६५ ५५ ६ २२ ७९२ |९२४ ४११ ९२६१ १९४४८१ ४०८४१०१ ८५७६६१२१ १८०१०८८५४१ ३७८२२८५९३६१ ७९४२८००४६५८१ १६६७९८८०९७८२०१ ३५०२७७५००५४२२२१ ७३५५८२७५११३८६६४१ ७९२ ४९५ " १ Page #247 -------------------------------------------------------------------------- ________________ २30 ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૪ स्थापना (६). ४९ २४०१ ४९ २४०१ 10cwwww ११७६४९ ४९ २४०१ ११७६४९ ५७६४८०१ ४९ २४०१११७६४९ ५७६४८०१ २८२४७५२४९ ४९ २४०१ ११७६४९ ५७६४८०१ २८२४७५२४९ १३८४१२८७२०१. १५ ९८ २४०१ १४७. ७२०३ ११७६४९ १९६ १४४०६ ४७०५९६ ५७६४८०१ २४५ २४०१० ११७६४९० २८८२४००५ २८२४७५२४९ २९४ ३६०१५ २३५२९८० ८६४७२०१५ १६९४८५१४९४ १३८४१२८७२०१ ३४३ ५०४२१ ४११७७१५ २०१७६८०३५ ५९३१९८०२२९ ९६८८९०१०४०७ ६७८२२३०७२८४९ ३९२ ६७२२८ ६५८८३४४ ४०३५३६०७० १५८१८६१३९४४ ३८७५५६०४१६२८ ५४२५७८४५८२२७९२ ३३२३२९३०५६९६०१ ४९ ३५ २४०१ ११७६४९ ५७६४८०१ २८२४७५२४९ १३८४१२८७२०१ ६७८२२३०७२८४९ ४९ २४०१ ११७६४९ ५७६४८०१ २८२४७५२४९ १३८४१२८७२०१ ६७८२२३०७२८४९ ३३२३२९३०५६९६०१ Page #248 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૩૧ ३६ ८४ ४९ २४०१ ११७६४९ ५७६४८०१ २८२४७५२४९ १३८४१२८७२०१ ६७८२२३०७२८४९ ३३२३२९३०५६९६०१ १६२८४१३५९७९१०४४९ १२६ |१२६ ८४ ४९ १२० २१० २५२ |२१० १२० १० २४०१ ११७६४९ ५७६४८०१ २८२४७५२४९ १३८४१२८७२०१ ६७८२२३०७२८४९ ३३२३२९३०५६९६०१ १६२८४१३५९७९१०४४९ ७९७९२२६६२९७६१२००१ ४९ २४०१ ११७६४९ ५७६४८०१ २८२४७५२४९ १३८४१२८७२०१ ६७८२२३०७२८४९ ३३२३२९३०५६९६०१ १६२८४१३५९७९१०४४९ ७९७९२२६६२९७६१२००१ ३९०९८२१०४८५८२९८८०४९ ४९ २४०१ ११७६४९ ५७६४८०१ २८२४७५२४९ १३८४१२८७२०१ ६७८२२३०७२८४९ ३३२३२९३०५६९६०१ १६२८४१३५९७९१०४४९ ७९७९२२६६२९७६१२००१ ३९०९८२१०४८५८२९८८०४९ १९१५८१२३१३८०५६६४१४४०१ ४४१ ८६४३६ ९८८२५१६ ७२६३६४९२६ ३५५९१८८१३७४ ११६२६६८१२४८८४ २४४१६०३०६२२५६४ २९९०९६३७५१२६४०९ १६२८४१३५९७९१०४४९ ४९० १०८०४५ १४११७८८० १२१०६०८२१० ७११८३७६२७४८ २९०६६७०३१२२१०. ८१३८६७६८७४१८८० १४९५४८१८७५६३२०४५ १६२८४१३५९७९१०४४९० ७९७९२२६६२९७६१२००१ ५३९ १३२०५५ १९४१२०८५ १९०२३८४३३० --१३०५०३५६५०३८ ६३९४६७४६८६८६२ २२३८१३६१४०४०१७० ५४८३४३३५४३९८४१६५ ८९५६२७४७८८५०७४६९५ ८७७७१४९२९२७३७३२०११ ३९०९८२१०४८५८२९८८०४९ ५८८ १५८४६६ २५८८२७८० २८५३५७६४९५ २२३७२०३९७२०८ १२७८९३४९३७३७२४ ५३७१५२६७३६९६४०८ १६४५०३००६३१९५२४९५ ३५८२५०९९१५४०२९८७८० ५२६६२८९५७५६४२३९२०६६ ४६९१७८५२५८२९९५८५६५८८ १९१५८१२३१३८०५६६४१४४०१ १६५ |३३० ४६२ |४६२ ३३० १६५ १२ २२० ४९५ ७९२ ९२४ ७९२ ४९५ २२० Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ स्थापना (७). १४७ भङ्ग्यां द्वादशव्रतदेवकुलिकाः । ११०४४३. १ २ १ ३ १४७ १४७ २१६०९ १४७ २१६०९ ३१७६५२३ १४७ २१६०९ ३१७६५२३ ४६६९४८८८१ १४७ २१६०९ ३१७६५२३ ४६६९४८८८१ ६८६४१४८५५०७ १४७ २१६०९ ३१७६५२३ ४६६९४८८८१ ६८६४१४८५५०७ १००९०२९८३६९५२९ १४७ २१६०९ ३१७६५२३ ४६६९४८८८९ ६८६४१४८५५०७ १००९०२९८३६९५२९ १४८३२७३८६०३२०७६३ १४७ २१६०९ ३१७६५२३ ४६६९४८८८९ ६८६४१४८५५०७ १००१०२९८३६९५२९ १४८३२७३८६०३२०७६३ २१८०४१२५७४६७१५२१६१ १ ४ ६ ४ १ ५ १० १० ५ १ ६ १५ २० १५ ६ १ ७ २.१ ३५ ३५ २१ ७ १ ८ २८ ५६ ७० ५६ २८ ८ १ १४७ २९४ २१६०९ ४४१ ६४८२७ ३१७६५२३ ५८८ १२९६५४ १२७०६०९२ ४६६९४८८८९ ७३५ २१६०९० ३१७६५२३० २३३४७४४४०५ ६८६४१४८५५०७ ८८२ ३२४१३५ ६३५३०४६० ७००४२३३२१५ ४११८४९१३०४२ १००९०२९८३६९५२९ १०२९ ४५३७८९ ११११७८३०५ १६३४३२१०८३५ १४४१४७११९५६४७ ७०६३२०८८५८६७०३ १४८३२७३८६०३२०७६३ ११७६ ६०५०५२ १७७८८५२८८ ३२६८६४२१६७० ३८४३९२३१८८३९२ २८२५२८३५४३४६८१२ ११८६६१९०८८२५६६१०४ २१८०४१२५७४६७१५२१६१ Page #250 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ९ १३२३ १४७ २१६०९ ३६ ७७७९२४ ३१७६५२३ ८४ २६६८२७९३२ ४६६९४८८८१ १२६ ५८८३५५५९००६ ६८६४१४८५५०७ १२६ ८६४८८२७१७३८८२ १००९०२९८३६९५२९ १४८३२७३८६०३२०७६३ २१८०४१२५७४६७१५२१६१ ३२०५२०६४८४७६७१३६७६६७ ८४ ८४७५८५०६३०४०४३६ ३६ ५३३९७८५८९७१५४७४६८ ९ | १९६२३७१३१७२०४३६९४४९ १ ३२०५२०६४८४७६७९३६७६६७ १४७ १० १४७० २१६०९ ४५ ९७२४०५ ३१७६५२३ १२० ३८११८२७६० ४६६९४८८८१ २१० ६८६४१४८५५०७ २५२ १७२९७६५४३४७७६४ ९८०५९२६५०१० १००९०२९८३६९५२९ २१० २११८९६२६५७६०१०१० १४८३२७३८६०३२०७६३ १२० १७७९९२८६३२३८४९१५६० २१८०४१२५७४६७१५२१६१ ४५ ९८११८५६५८६०२१८४७२४५ १०३२०५२०६४८४७६७१३६७६६७० ३२०५२०६४८४७६७१३६७६६७ ४७११६५३५३२६०७६९१०४७०४९ १४७११६५३५३२६०७६९१०४७०४९ १४७ ११ १६१७ २१६०९ ५५ १९८८४९५ ३१७६५२३ १६५ ५२४१२६२९५ ४६६९४८८८१ ३३० १५४०९३१३०७३० ३२०५२०६४८४७६७१३६७६६७ ४७११६५३५३२६०७६९१०४७०४९ ६९२६१३०६९२९३३३०५८३९१६२०३ ६८६४१४८५५०७ ४६२ ३१७१२३६६३०४२३४ १००९०२९८३६९५२९ ४६२ ४६६१७१७८४६७२२३९८ १४८३२७३८६०३२०७६३ ३३० ४८९४८०३७३९०५८५१७९० २१८०४१२५७४६७१५२९६१ १६५ ३५९७६८०७४८२०८०१०६५६५ ५५ १७६२८६३५६६६२१९२५२२१६८५ ११ ५१८२८१८८८५८६८४६०१५१७५३९ १ ६९२६१३०६९२९३३३०५८३९१६२०३ १४७ १२ १७६४ २१६०९ ६६ १४२६१९४ ३१७६५२३ २२० ६९८८३५०६० ४६६९४८८८१ ४९५ २३११३९६९६०९५ ६८६४१४८५५०७ ७९२ ५४३६४०५६५२१५४४ १००९०२९८३६९५२९ ९२४ ९३२३४३५६९३४४४७९६ १४८३२७३८६०३२०७६३ ७९२ ११७४७५२८९७३७४०४४२९६ २१८०४१२५७४६७१५२१६१ ४९५ १०७९३०४२२४४६२४०३११६९५ ३२०५२०६४८४७६७१३६७६६७ २२० ७०५१४५४२६६४८७७००८८६७४० ४७११६५३५३२६०७६९१०४७०४९ ६९२६१३०६९२९३३३०५८३९१६२०३ १०१८१४१२११८६११९५९५८३५६८१८४१ ६६ ३१०९६९१३३१५२१०७६०९१०५२३४ १२ ८३११३५६८३१५१९९६७००६९९४४३६ १ १०१८९४१२११८६११९५९५८३५६८१८४१ 233 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ટીકાર્ય : कथं पुनः વિસ્તરે ।। વળી કેવી રીતે છ ભાંગા સાતથી ગુણાય છે ? એથી કહે છે પદવૃદ્ધિથી=મૃષાવાદ આદિ એક-એક પદની વૃદ્ધિથી, એક વ્રત ભંગરાશિની અવધિમાં વ્યવસ્થાપિતપણું હોવાથી વિવક્ષિત વ્રતોથી એક વડે હીન પ્રકારવાળા થાય છે, તે આ પ્રમાણે – એક વ્રતમાં છ ભાંગા, સાત વડે ગુણિત ૪૨ થયા. ત્યાં=તે ૪૨ ભેદમાં, ૬નો પ્રક્ષેપ કરાય છે તેથી ૪૮ ભેદ થયા. આ પણ ૭ વડે ગુણાય છે અને ૬નો પ્રક્ષેપ કરાય છે. એ રીતે ૩૪૨ ભેદ થયા. આ રીતે ૭ના ગુણન અને ૬ના પ્રક્ષેપના ક્રમથી ત્યાં સુધી કરાયું જ્યાં સુધી અગિયારમી વેલા પ્રાપ્ત થાય=અગિયાર વખત ૭નું ગુણન અને ૬નું પ્રક્ષેપન કરવું. જેથી ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૦ ઉપર ભાંગા પ્રાપ્ત થાય અને આ ૬, ૮, ૪૦ આદિ ૧૨ પણ પ્રાપ્ત થયેલ રાશિઓ, ઉપર અને અધોભાગથી વ્યવસ્થાપન કરાતી અર્ધદેવકુલિકાના આકારવાળી ભૂમિને પ્રાપ્ત કરે છે. એથી ‘ખંડદેવકુલિકા' કહેવાય છે. સ્થાપના (૧) પાના નં. ૨૨૩૭-૨૨૪ જુઓ. ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ***** વળી, સંપૂર્ણ દેવકુલિકા પ્રતિ વ્રતના એક-એક દેવકુલિકાના સદ્ભાવથી ૬ ભંગીમાં બાર દેવકુલિકા સંભવે છે. ત્યાં ૧૨મી દેવકુલિકામાં એક-બે આદિ સંયોગોવાળા ગુણરૂપ રાશિ આ પ્રકારે છે – ૬૩૬-૨૧૬-૧૨૯૬-૭૭૭૬-૪૬૬૫૬-૨૭૯૯૩૬-૧૬૭૯૬૧૬-૧૦૦૭૭૬૯૬-૬૦૪૬૬૧૭૬૩૬૨૭૯૭૦૫૬-૨૧૭૬૭૮૨૩૩૬. અને ત્યાં વળી ગુણક રાશિ આ છે. ૧૨-૬૬-૨૨૦-૪૯૫૭૯૨-૯૨૪-૭૯૨-૪૯૫-૨૨૦-૬૬-૧૨-૧ અને આમના=ગુણક રાશિના, પૂર્વના ષડ્ગણનમાં અગ્રેતન ગુણ્યરાશિ આવે છે. તે આનયનમાં બીજ છે. અને આ છ છ ત્રીશ આદિ ૧૨ પણ ગુણ્યરાશિ ક્રમસર ૧૨-૬૬ વગેરે ગુણકર રાશિથી ગુણિત આગત રાશિ ૭૨ આદિ આવે છે. (૧૨x૬=૭૨) તે દેવકુલિકાગત ત્રીજી રાશિ જાણવી અને સ્થાપના આગળમાં છે. સ્થાપના (૨) પાના નં. ૨૨૩-૨૨૪ જુઓ. અહીં પણ ઉત્તરગુણ અને અવિરત સંયુક્ત ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨ થાય છે અને ઉત્તરગુણો અહીં પ્રતિમાદિ અભિગ્રહ વિશેષ જાણવા, જે કારણથી કહેવાયું છે “તેરસો ચોર્યાશી ક્રોડ બાર લાખ સત્તાસી હજાર બસો બે.” (શ્રાવકભંગ, પ્ર. ૪૦) – પ્રતિમાદિ ઉત્તરગુણ અને અવિરતરૂપ ભેદ ક્રમથી અધિક અને આટલા=ઉપરમાં બતાવ્યા એટલા, બાર વ્રતોને આશ્રયીને કહેવાયા=ભેદો કહેવાયા. વળી, પાંચ અણુવ્રતોને આશ્રયીને ૧૬૮૦૬ થાય છે. ત્યાં પણ ઉત્તરગુણ અને અવિરતના મિલનથી ૧૬, ૮૦૮ થાય છે. અહીં એક-બે આદિ સંયોગો ગુણક છે અને ૬-૩૬ આદિ ગુણ્ય છે અને ૩૦ આદિ આગત રાશિ યંત્રકથી જાણવી. અહીં આ ભાવના છે – કોઈક પાંચ અણુવ્રતને સ્વીકારે છે ત્યાં ખરેખર ૫ ભાંગા એક સંયોગવાળા થાય છે અને એક એક સંયોગના દ્વિવિધ-ત્રિવિધ આદિ છ ભાંગા થાય છે તેથી ૬ ને ૫ વડે ગુણવાથી ૩૦ થયા. આટલા=૩૦, ૫ વ્રતોના એક-એક સંયોગમાં ભાંગા થયા. અને એક એક વ્રતમાં દ્વિકસંયોગમાં ૩૬ ભાંગા થાય, તે આ પ્રમાણે આદ્યવ્રત સંબંધી આદ્યભંગ અવસ્થિત છે. - Page #252 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ- ૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૩૫ મૃષાવાદ સંબંધી ૬ ભાંગા પ્રાપ્ત થાય છે. આ રીતે આદ્ય વ્રતસંબંધી બીજા પણ યાવત્ છઠો પણ ભાંગો અવસ્થિત જ મૃષાવાદ સંબંધી છ ભાંગાને પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી “છ'તે છ વડે ગુણવાથી ૩૬ થાય. અને અહીં ૧૦ દ્વિકસંયોગ છે. આથી દસથી ગુણિત ૩૬=૧૦ ગુણ્યા ૩૬=૩૬૦ થાય છે. આટલા પાંચ વ્રતોના દ્વિકસંયોગના ભાંગા, એ રીતે ત્રિકસંયોગાદિમાં પણ ભંગ સંખ્યાનું ભાવત કરવું. પંચમદેવકુલિકાની સ્થાપના જાણવી. (અહીં ચાર્ટ જોવો. પાના નં. ૨૨૩) એ રીતે સર્વ પણ દેવકુલિકાની નિષ્પત્તિ સ્વયં જાણવી અને આ પ્રરૂપણા આવશ્યકનિયુક્તિ ગ્રંથના અભિપ્રાયથી કરાઈ છે. વળી, ભગવતી સૂત્રના અભિપ્રાયથી નવભંગી છે. તે પણ પ્રસંગથી બતાવાય છે. તે આ પ્રમાણે - ૧. મતથી હિંસા કરતો નથી. ૨. વચનથી હિંસા કરતો નથી. ૩. કાયાથી હિંસા કરતો નથી. ૪. મતથી વાચાથી હિંસા કરતો નથી. ૫. મતથી કાયાથી હિંસા કરતો નથી. ૬. વચનથી કાયાથી હિંસા કરતો નથી. ૭. મન-વચન-કાયાથી હિંસા કરતો નથી. આ કરણ વડે સાત ભાંગાનો એક વિકલ્પ છે. એ રીતે કારણથી=નરાવણથી ૭ ભાંગાનો બીજો વિકલ્પ છે. અનુમતિથી ત્રીજો, કરણ-કરાવણથી ચોથો, કરાવણ અનુમતિથી પાંચમો, કરણ-અનુમતિથી છઠ્ઠો અને કરણ-કરાવણ-અનુમતિથી ૭મો. ૭ ભાંગાનો વિકલ્પ છે. આ પ્રમાણે=મન, વચન, કાયાના ૭ વિકલ્પ અને કરણ-કરાવણ-અનુમોદનના ૭ વિકલ્પ, બધા મળીને ૪૯ થાય છે. (૭x૭=૪૯) પ્રત્યાખ્યાનનું ત્રિકાલ વિષયપણું હોવાથી આ=૪૯ ભાંગા કાલત્રયથી ગુણિત ૧૪૭ ભેદો થાય છે. જેને કહે છે. (પાના નં. ૨૨૧ ઉપર દેવકુલિકાનો ચાર્ટ છે.) મન-વચન-કાયાના યોગમાં, કરણમાં કરાવણમાં અને અનુમતિમાં એક, બે, ત્રણના યોગમાં સાત સાત જ વિકલ્પ થાય છે. ગુણવત્તાત્રગુણાકારને પામ્યા=૭ને ૭ વડે ગુણવાથી ૪૯ પ્રાપ્ત થયા. પ્રથમનો એક, ત્રણના ત્રણ, બેના નવ, ત્રણના બે અને નવ, કાલ ત્રણની સાથે ગુણવાથી ૧૪૭ ભાંગા થાય છે. પચ્ચકખાણમાં ૧૪૭ ભાંગા જેને ઉપલબ્ધ છે જેને જ્ઞાન છે તે જ પચ્ચખાણમાં કુશલ છે. સેસ જેને જ્ઞાન નથી તે, અકુશલ છે. (શ્રાવકવ્રતભંગ, પ્ર. ૫, ૬, ૮) અને ત્રિકાલવિષયતા અતીતની નિંદાથી=પચ્ચકખાણમાં વિષયભૂત અતીતમાં સેવાયેલા પાપની નિંદાથી, વર્તમાનતા સંવરથી=વર્તમાનમાં સ્વીકારેલા ભાંગાને અનુસાર સંવરના પરિણામથી અને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ અનાગતના પચ્ચકખાણથી છે=ભાવિના તે પ્રકારના પાપને નહીં કરવાના સંકલ્પરૂપ પચ્ચકખાણ છે. જેને કહે છે – “અતીતની નિંદા કરું છું. વર્તમાનમાં સંવર કરું છું અને અનાગતનું પચ્ચખાણ કરું છું.” (પફખીસૂત્ર) અને આ ભાંગા અહિંસાને આશ્રયીને બતાવ્યા. બીજાં વ્રતોમાં પણ જાણવા. ત્યાં પાંચ અણુવ્રતોમાં, પ્રત્યેકને આશ્રયીને ૧૪૭ ભાંગાનો ભાવ હોવાથી ૭૩૫ ભેદો શ્રાવકના થાય છે. અને કહેવાયું છે. બે પ્રકારના, આઠ પ્રકારના, બત્રીસ પ્રકારના, ૭૩૫ પ્રકારના, ૧૬૮૦૨ વ્રતી થાય છે.” (શ્રાવકવ્રતભંગ પ્રકરણ-૨) વળી, આ જાણવું – ષડભંગીવાળા ઉત્તરભંગરૂપ એકવીશની ભંગીથી બે, નવની ભંગીથી ૩ તથા ૪૯તી ભેગીથી ૪ તથા ૧૪૭ની ભંગીથી ૫, ૧૨-૧૨ દેવલિકાઓ થાય છે. જે કારણથી કહેવાયું છે. “સૂત્રમાં જે શ્રાવકના ખરેખર ૨૧ ભાંગા બતાવાયા છે, તે જ બાવીસથી ગુણીને તેમાં ૨૧નો પ્રક્ષેપ કરવો. એક વ્રતમાં નવ ભાંગા શ્રાવકના સૂત્રમાં જે બતાવાયા છે તે જ ૧૦થી ગુણીને તેમાં તેનો પ્રક્ષેપ કરવો.” “૪૮ ભાંગા શ્રાવકના સૂત્રમાં જે બતાવાયા છે તે જ ૫૦થી ગુણીને તેમાં ૪૯નો પ્રક્ષેપ કરવો, ૧૪૭ ભાંગા - તે જ ૧૪૮થી ગુણાકાર કરીને ૧૪૭ યુક્ત ભાંગાઓનું સંપૂર્ણ જાણવું.” (શ્રાવકવ્રતભંગ પ્રકરણ ૧૧-૧૩). અગિયારમી વેળામાં ૧૨ વ્રતના ભાંગા સર્વ સંખ્યામાં આગતક્રમથી ખંડ દેવકુલિકાથી જાણવા. તેની સ્થાપના આ છે. (૩) એ રીતે સંપૂર્ણ દેવકુલિકા પણ એકવીશ આદિ ભાંગાદિમાં ૧૨-૧૨ ભાવન કરવી. સ્થાપના ક્રમથી જે પ્રમાણે (૪-૫-૬-૭) એ પ્રમાણે પ્રસંગથી ભંગ પ્રરૂપણા પ્રદર્શિત છે. અને બહુલતાથી દ્વિવિધ-ત્રિવિધ આદિ ષડ્રભંગીથી જ ઉપયોગિની છે, એ પ્રમાણે કહેવાયેલું જ જાણવું. એથી પ્રસંગથી સર્યું. ૨૪ ભાવાર્થ ટીકાકારશ્રી ભગવતીસૂત્રના અભિપ્રાયથી નવભંગી બતાવે છે. તે નવભંગી હિંસાદિ દરેક વ્રતમાં મનવચન-કાયાને આશ્રયીને ૩, કરણ-કરાવણ-અનુમોદનને આશ્રયીને ૩ અને અતીત-અનાગત-વર્તમાન કાલને આશ્રયીને ૩ એમ નવભંગી પ્રાપ્ત થાય છે. તેમાં મન-વચન-કાયાને આશ્રયીને ૭ વિકલ્પોની પ્રાપ્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકનાં ૧૨ વ્રતોમાંથી સ્થૂલ હિંસાની નિવૃત્તિરૂપ એક વ્રતને આશ્રયીને વિચારવામાં આવે તો મન-વચન અને કાયાને આશ્રયીને ૭ વિકલ્પો પ્રાપ્ત થાય છે. હું મનથી હિંસા કરતો નથી. હું વચનથી હિંસા કરતો નથી. હું કાયાથી હિંસા કરતો નથી. વળી, કોઈ શ્રાવક મન-વચનથી હિંસાનો ત્યાગ કરે તો હું મન-વચનથી હિંસા કરતો નથી એ પ્રકારનો વિકલ્પ કરે છે. વળી, કોઈ શ્રાવક મન-કાયાથી હિંસાનો ત્યાગ કરે તો હું મન-કાયાથી હિંસા કરતો નથી એ પ્રકારનો વિકલ્પ કરે છે. વળી, Page #254 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૪ ૨૩૭ કોઈ શ્રાવક વચન-કાયાથી હિંસાનો ત્યાગ કરે તો હું વચન-કાયાથી હિંસા કરતો નથી એ પ્રકારનો વિકલ્પ કરે છે. વળી, કોઈ શ્રાવક મન-વચન-કાયાથી હિંસાનો ત્યાગ કરે તો હું મન-વચન-કાયાથી સ્થૂલ હિંસાદિ કરતો નથી એ પ્રકારનો વિકલ્પ કરે છે. તેથી મન-વચન-કાયાના ૭ વિકલ્પો આ પ્રમાણે થશે. ૧. હું મનથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૨. હું વચનથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૩. હું કાયાથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૪. હું મન-વચનથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૫. હું મન-કાયાથી સ્થૂલ હિસાદ કરતો નથી. ૭. હું વચન કાયાથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૭. હું મન-વચન-કાયાથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. આ રીતે સ્થૂલ હિંસાના ત્યાગના વિષયમાં ૭ વિકલ્પમાંથી જે વિકલ્પથી પોતે ત્યાગ કરી શકે તેમ હોય તેનો નિર્ણય કરીને તે પ્રકારની પ્રતિજ્ઞા કરે છે તેથી મન-વચન-કાયા ત્રણને આશ્રયીને ૭ ભાંગાની પ્રાપ્તિ થાય છે. તે રીતે સ્થૂલ હિંસાના કરણ-કરાવણ અને અનુમોદનને આશ્રયીને ત્યાગના ૭ ભાંગાની પ્રાપ્તિ થાય છે. તેથી તે ૭ ભાંગા કરણને આશ્રયીને કઈ રીતે થાય છે ? કરાવણને આશ્રયીને કઈ રીતે થાય છે? અને અનુમોદનને આશ્રયીને કઈ રીતે થાય છે? તેનો યથાર્થ બોધ કરીને સ્વશક્તિ અનુસાર જે વિકલ્પનો પોતે ત્યાગ કરી શકે તેમ હોય તેનો નિર્ણય કરીને તે પ્રકારે શ્રાવક પ્રતિજ્ઞા કરે છે. જો કે શ્રાવકને હિંસાના વિષયભૂત અનુમતિના નિષેધની પ્રાપ્તિ નથી તોપણ કઈ રીતે પોતાને અનુમતિ પ્રાપ્ત થઈ શકે છે ? તેનો નિર્ણય કરીને જે સ્થાનમાં જેટલી અનુમતિનો નિષેધ પોતે કરી શકે તેમ હોય તેટલો અનુમોદનના પરિવાર માટે યત્ન કરે છે. જેમ સ્વયંભૂરમણસમુદ્ર આદિના મત્સ્ય આદિને આશ્રયીને અનુમોદનનો પરિહાર કેટલાક શ્રાવકો કરે છે. આ રીતે મન-વચન-કાયાને આશ્રયીને અને કરણ-કરાવણઅનુમોદનને આશ્રયીને ૪૯ ભાંગાની પ્રાપ્તિ છે. આ ૪૯ ભાંગા અતીતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને આશ્રયીને વિચારીએ તો ત્રણે કાળના ૪૯-૪૯ ભાંગાની પ્રાપ્તિ થાય તેથી કુલ ભાંગા ૧૪૭ પ્રાપ્ત થાય. અતીતકાલને આશ્રયીને પોતે જે હિંસા કરી હોય તે હિંસાની નિંદા કરવાથી અતીકાલને આશ્રયીને હિંસાના ત્યાગના ભાંગાની પ્રાપ્તિ થાય છે. વર્તમાનમાં સ્વીકારેલા ભાંગા અનુસાર સંવર કરવાથી વર્તમાનના ભાંગાની પ્રાપ્તિ થાય છે. અને અનાગતમાં નહીં કરવાની પ્રતિજ્ઞા કરવાથી અનાગતના ભાંગાની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે હિંસાની વિરતિને આશ્રયીને ૧૪૭ ભાંગાની પ્રાપ્તિ છે. તેમ મૃષાવાદની વિરતિ આદિને આશ્રયીને ૧૪૭ ભાંગાની પ્રાપ્તિ છે. તેથી સ્થૂલ હિંસાદિની વિરતિરૂપ ૫ અણુવ્રતમાં કુલ ૭૩૫ ભાંગાની પ્રાપ્તિ થાય છે. તેથી પાંચ અણુવ્રતને આશ્રયીને ૭૩પ ભેદવાળા શ્રાવકો પ્રાપ્ત થાય છે. તેમાં સાક્ષીપાઠ બતાવે છે તેનો અર્થ આ પ્રમાણે છે. શ્રાવકના બે ભેદોની પ્રાપ્તિ છે : ૧. વિરતશ્રાવક અને ૨. અવિરતશ્રાવક. અથવા શ્રાવકના આઠ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૪-૨૫ ભેદોની પ્રાપ્તિ છે : જેમ અહિંસાદિ ૫ અણુવ્રતના દ્વિવિધ-ત્રિવિધને આશ્રયીને હું ભાંગા પ્રાપ્ત થયા તે પ્રકારના શ્રાવક અને ઉત્તરગુણવાળા શ્રાવકનો એક ભેદ અને અવિરત સમ્યગ્દષ્ટિનો એક ભેદ એમ ૮ પ્રકારના શ્રાવક પ્રાપ્ત થયા. વળી ૩૨ પ્રકારના શ્રાવક પ્રાપ્ત થાય છે. જેમ સ્થૂલ હિંસાની નિવૃત્તિમાં દ્વિવિધ-ત્રિવિધના ભાંગા થયા તેમ મૃષાવાદ આદિની નિવૃત્તિમાં પણ ૬-૬ ભાંગા ગ્રહણ કરીએ તો પાંચ અણુવ્રતના ૩૦ ભાંગા અને ઉત્તરગુણનો એક ભાગો અને અવિરત સમ્યગ્દષ્ટિનો એક ભાગો એમ ૩૨ પ્રકારના શ્રાવકો પ્રાપ્ત થાય. વળી, ૭૩૫ શ્રાવકોના ભેદો પ્રાપ્ત થાય છે. જેમ સ્થૂલ હિંસાની નિવૃત્તિને આશ્રયીને ૧૪૭ શ્રાવકના ભેદની પ્રાપ્તિ છે તેમ સ્થૂલ મૃષાવાદ આદિની નિવૃત્તિને આશ્રયીને ૧૪૭-૧૪૭ ભેદોની પ્રાપ્તિ છે. તેથી ૫ અણુવ્રતને આશ્રયીને શ્રાવકના ૭૩૫ ભેદો પ્રાપ્ત થાય છે. વળી, અન્ય રીતે ૧૯૮૦૨ શ્રાવકના ભેદો પ્રાપ્ત થાય છે. રજા અવતરણિકા : एवं सामान्येन पञ्चाप्यणुव्रतान्युपदयॆ नामग्राहं तानि पञ्चभिः श्लोकैर्विवरीषुः प्रथमं प्रथमाणुव्रतमाह - અવતરણિકાર્ય : આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સામાન્યથી પાંચ અણુવ્રતોને બતાવીને નામગ્રહણપૂર્વક તેને=પાંચ અણુવ્રતોને, પાંચ શ્લોકોથી વિવરણ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ પ્રથમ અણુવ્રતને કહે છે – બ્લોક - निरागोद्वीन्द्रियादीनां, संकल्पाच्चानपेक्षया । हिंसाया विरतिर्या सा, स्यादणुव्रतमादिमम् ।।२५।। અન્વયાર્થઃસં ગ્રાનપેક્ષા=સંકલ્પથી અને અપેક્ષાથી, નિરાજિયાવીના=નિરપરાધી બેઇંદ્રિયાદિ જીવોની, હિંસાયા વિરતિ સા=હિંસાની જે વિરતિ તે, માલિમખ્વપ્રથમ, અણુવ્રતઅણુવ્રત, ચા–થાય. IIરપા શ્લોકાર્ચ - સંકલ્પથી અને અનપેક્ષાથી નિરપરાધી બેઇંદ્રિયાદિ જીવોની હિંસાની જે વિરતિ તે પ્રથમ અણુવ્રત થાય. ||રપા!' ટીકા - निरागसो निरपराधा ये द्वीन्द्रियादयो द्वित्रिचतुष्पञ्चेन्द्रियजीवास्तेषां 'संकल्पाद्' अस्थिचर्मदन्त Page #256 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૫ ૨૩૯ मांसाद्यर्थममुं जन्तुं हन्मीति संकल्पपूर्वकं 'च' पुनः 'अनपेक्षया' अपेक्षामन्तरा या हिंसा प्राणव्यपरोपणं तस्या या 'विरतिः' निवृत्तिः सा 'आदिम, प्रथमम् 'अणुव्रतं' 'स्याद्' भवेत् । 'निराग' इति पदेन निरपराधजन्तुविषयां हिंसां प्रत्याख्याति, सापराधस्य तु न नियम इति व्यज्यते, द्वीन्द्रियादिग्रहणेन त्वेकेन्द्रियविषयां हिंसां नियमितुं न क्षम इत्याचष्टे, 'संकल्पादि'त्यनेन चानुबन्धहिंसा वा, आरम्भजा तु हिंसाऽशक्यप्रत्याख्यानेति तत्र यतनां कुर्यादिति ज्ञेयम् । यतः सूत्रम् - "थूलगपाणाइवायं समणोवासओ पच्चक्खाइ, से पाणाइवाए दुविहे पण्णत्ते, तंजहा-संकप्पओ आरम्भओ अ, तत्थ समणोवासओ संकप्पओ जावज्जीवाए पच्चक्खाइ, णो आरम्भ ओ" त्ति । [प्रत्याख्यानावश्यक सू. १, हारिभद्रीवृत्तौ प. ८१८] । अत्र च यद्यपि आरम्भजहिंसाऽप्रत्याख्याता, तथापि श्रावकेण त्रसादिरहितं सखारकसत्यापनादिविधिना निश्छिद्रदृढवस्त्रगालितं जलमिन्धनानि च शुष्कान्यजीर्णान्यशुषिराण्यकीटजग्धानि धान्यपक्वान्नसुखाशिकाशाकस्वादिमपत्रपुष्पफलादीन्यप्यसंसक्तान्यगर्भितानि सर्वाण्यपि च जलादीनि 'परिमितानि सम्यक् शोधितान्येव च व्यापार्याणि, अन्यथा निर्दयत्वादिना शमसंवेगादिलक्षणसम्यक्त्वलक्षणपञ्चकान्तर्गताया अनुकम्पाया व्यभिचारापत्तेः । तदुच्यते - "परिसुद्धजलग्गहणं, दारुअधन्नाइआण य तहेव । गहिआण य परिभोगो, विहीइ तसरक्खणट्ठाए ।।१।।" [प्रत्याख्यानावश्यक चूर्णि भा. २ प. २८४] त्ति । विवेकः कार्यः । एवं चात्र विशेषणत्रयेण श्रावकस्य सपादविशोपकप्रमितजीवदयात्मकं प्रायः प्रथममणुव्रतमिति सूचितम्, यत् उक्तम् - "जीवा थूला सुहुमा, संकप्पारम्भओ भवे दुविहा । सवराह निरवराहा, साविक्खा चेव निरविक्खा ।।१।।" [सम्बोध प्र. श्रा. व्रता. २] अस्या व्याख्या-प्राणिवधो द्विविधः, स्थूलसूक्ष्मजीवविषयभेदात्, तत्र-स्थूला द्वीन्द्रियादयः, सूक्ष्माश्चात्रैकेन्द्रियाः पृथिव्यादयः पञ्चापि बादराः, न तु सूक्ष्मनामकर्मोदयवर्तिनः सर्वलोकव्यापिनः, तेषां वधाभावात्, स्वयमायुः क्षयेणैव मरणात् । अत्र च साधूनां द्विविधादपि वधानिवृत्तत्वाविंशतिविशोपका जीवदया, गृहस्थानां तु स्थूलप्राणिवधानिवृत्तिर्न तु सूक्ष्मवधात्, पृथ्वीजलादिषु सततमारम्भप्रवृत्तत्वाद्, इति दशविशोपकरूपमर्द्धं गतम्, स्थूलप्राणिवधोऽपि द्विधा, सङ्कल्पज आरम्भजश्च तत्र सङ्कल्पान्मारयाम्येनमिति मनःसङ्कल्परूपाद्यो जायते तस्माद्गृही निवृत्तो, न त्वारम्भजात्, कृष्याद्यारम्भे द्वीन्द्रियादिव्यापादनसम्भवाद्, अन्यथा च शरीरकुटुम्बनिर्वाहाद्यभावात्, एवं पुनरर्द्धं गतं जाताः पञ्च विशोपकाः, सङ्कल्पजोऽपि द्विधा, सापराधविषयो निरपराधविषयश्च तत्र निरपराधविषया Page #257 -------------------------------------------------------------------------- ________________ २४० ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૫ निवृत्तिः, सापराधे तु गुरुलाघवचिन्तनम्, यथा गुरुरपराधो लघुर्वेति । एवं पुनरर्द्ध गते सार्द्धा विशोपकौ जातौ । निरपराधोऽपि द्विधा, सापेक्षो निरपेक्षश्च । तत्र निरपेक्षान्निवृत्तिर्नतु सापेक्षाद्, निरपराधेऽपि वाह्यमानमहिषवृषहयादौ पाठादिप्रमत्तपुत्रादौ च सापेक्षतया वधबन्धादिकरणात्, ततः पुनरर्द्ध गते सपादो विशोपकः स्थित इति । इत्थं च देशतः प्राणिवधः श्रावकेन प्रत्याख्यातो भवति, प्राणिवधो हि त्रयश्चत्वारिंशदधिकशतद्वयविधः । यतः - “भूजलजलणानिलवणबितिचउपंचिदिएहिं नव जीवा । मणवयणकायगुणिया, हवंति ते सत्तवीसत्ति ।।१।। इक्कासीई ते करणकारणाणुमइताडिआ होइ । ते च्चिअ तिकालगुणिआ, दुन्नि सया हुंति तेआला ।।२।। " [ सम्बोधप्र. श्री. व्रता. ८-९ ] इति । तेषां मध्ये त्रैकालिकमनोवाक्कायकरणकद्वित्रिचतुष्पञ्चेन्द्रियविषयकहिंसाकरणकारणस्यैव प्रायः प्रत्याख्यानसंभवात्, एतद्व्रतफलं चैवमाहु: “जं आरुग्गमुदग्गमप्पडिहयं आणेसरत्तं फुडं, रूवं अप्पडिरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं । हं आउं अवंचो परिणो पुत्ता सुपुत्तासया, तं सव्वं सचराचरंमि वि जए नूणं दयाए फलं ।।१।।” [ सम्बोधप्र. श्री. व्रता. १२ ] । एतदनङ्गीकारे च पङ्गुताकुणिताकुष्ठादिमहारोगवियोगशोकापूर्णायुर्दुःखदौर्गत्यादि फलम्, यतः " पाणिवहे वट्टंता, भमन्ति भीमासु गब्भवसहीसुं । संसारमंडलगया, नरयतिरिक्खासु जोणीसुं । । २ । ।" [ सम्बोधप्र. श्रा व्रता. १०] ।। २५ ।। टीडार्थ : निरागसो. . जोणीसुं । 'निरागस ' = निरपराधी सेवा, ने जेद्रियाहि=जेद्रिय, तेहेंद्रिय, यरिंद्रिय पंथेंद्रिय भुवो तेस्रोने संस्पथी = अस्थि-यर्भ-ांत - मांसाहि माटे 'आा नंतुने गुं छं' से प्रभाएगे संस्यपूर्व, जने वजी अनपेक्षाथी = अपेक्षा वगर के प्रागव्यपरोपाइप हिंसा, तेनी ने विरति निवृत्ति, ते खाहिभ=प्रथम, अगुव्रत छे. 'निराग' से प्रभारना पहथी निरपराध नंतु विषय हिंसानुं प्रत्याभ्यान થાય છે. વળી સાપરાધ જીવોની હિંસામાં નિયમ નથી એ પ્રમાણે વ્યક્ત થાય છે. વળી બેઇંદ્રિયાદિના ગ્રહણ દ્વારા એકેન્દ્રિય વિષયક હિંસાનું નિયમન કરવા માટે સમર્થ નથી એ પ્રમાણે કહે છે. અને ‘સંકલ્પથી’ એ વચન દ્વારા અનુબંધ હિંસા=જીવરક્ષાને અનુકૂળ દયાળુ સ્વભાવના અભાવરૂપ અનુબંધ હિંસા, વર્જ્ય છે. વળી, આરંભથી થનારી હિંસા અશક્ય પ્રત્યાખ્યાનવાળી છે. એથી તેમાં યતનાને કરવી જોઈએ એ પ્રમાણે જાણવું. જે કારણથી સૂત્ર છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨પ “સ્થૂલ પ્રાણાતિપાતનું શ્રમણોપાસક પચ્ચખાણ કરે છે. તે પ્રાણાતિપાત બે પ્રકારનું કહેવાયું છે. તે આ પ્રમાણેસંકલ્પથી અને આરંભથી, ત્યાં શ્રમણોપાસક સંકલ્પથી જાવજીવ સુધી પચ્ચખ્ખાણ કરે છે. આરંભથી નહિ.” (પ્રત્યાખ્યાનાવશ્યક સૂ. ૧, હારિભદ્રીવૃત્તિ પત્ર -૮૧૮) અને અહીં પ્રથમ અણુવ્રતમાં, જોકે આરંભથી થયેલી હિંસા અપ્રત્યાખ્યાત છે. તોપણ શ્રાવકે ત્રસાદિ રહિત સંખારક સત્યાપનાદિ વિધિથી પાણીના સંખારને યતતાપૂર્વક પરઠવવાની વિધિથી, લિછિદ્ર દઢવસ્ત્રગાલિત જલનો ઉપયોગ કરવો અને શુષ્ક, અજીર્ણ, અશુષિર ઇંધતાદિનો ઉપયોગ કરવો, કીડાઓનો નાશ ન થાય તેવાં ધાન્ય, પક્વાશ, સુખાશિકા, શાક, સ્વાદિમ, પત્ર, પુષ્પ, ફલોનો પણ અસંસક્ત અગર્ભિત અને સર્વ પણ જલાદિનો પરિમિત સમ્યફ શોધિત જ ઉપયોગ કરવો * જોઈએ. અન્યથા=શ્રાવક એ રીતે યતના ન કરે તો, નિર્દયપણા આદિથી શમ-સંવેગાદિ સ્વરૂપ સમ્યક્ત લક્ષણ પંચક અંતર્ગત અનુકંપાના વ્યભિચારતી આપત્તિ છે=અનુકંપાના અભાવની પ્રાપ્તિ છે. તે કહેવાયું છે – ત્રસજીવોના રક્ષણ માટે પરિશુદ્ધ જલનું ગ્રહણ, દારૂ ઈંદનાદિકલાકંડારૂપી ઇંધનાદિનું, તે પ્રમાણે જ ગ્રહણ કરીને પરિભોગ કરવો જોઈએ." (પ્રત્યાખ્યાતાવશ્યક ચૂણિ ભા. ૨, પા. ૨૮૪) એ પ્રમાણે વિવેક કરવો જોઈએ અને આ રીતે અહીં પ્રથમ અણુવ્રતમાં, વિશેષણત્રય દ્વારા શ્રાવકનું સંપાદ વિશોપક પ્રમિત જીવદયાત્મક પ્રાયઃ પ્રથમ અણુવ્રત છે એ પ્રમાણે સૂચિત છે. જે કારણથી કહેવાયું છે – “જીવો પૂલ અને સૂક્ષ્મ છે. (તેઓનો વધ) સંકલ્પ અને આરંભથી બે પ્રકારનો છે અને તે સાપરાધ નિરપરાધ સાપેક્ષ અને નિરપેક્ષ છે." (સંબોધ પ્રકરણ શ્રા. વ્રતા. ૨) આની વ્યાખ્યા=ઉદ્ધરણની વ્યાખ્યા, સ્થૂલ અને સૂક્ષ્મ જીવના વિષયના ભેદથી પ્રાણીનો વધ બે પ્રકારનો છે. ત્યાં=બે પ્રકારના પ્રાણીવધમાં, પૂલ બેઈન્દ્રિયાદિ છે અને સૂક્ષ્મ અહીં=પ્રાણીવધતા વિષયમાં, એકેન્દ્રિયાદિ પૃથ્વી આદિ પાંચ પણ બાદર છે. પરંતુ સૂક્ષ્મતામકર્મના ઉદયવર્તી સર્વલોકવ્યાપી જીવો નથી; કેમ કે તેઓના વધનો અભાવ છે. તેઓના વધનો અભાવ કેમ છે ? તેમાં હેતુ કહે છે – સ્વયં આયુષ્યના ક્ષયથી જ મરણ થાય છે અને અહીં હિંસાની નિવૃત્તિમાં, સાધુઓનું બંને પણ વધથી નિવૃત્તપણું હોવાથી વિંશતિ વિશોપકા=૨૦ વીસા જીવદયા છે. વળી ગૃહસ્થોને સ્થૂલ પ્રાણાતિપાતથી નિવૃત્તિ છે પરંતુ સૂક્ષ્મવધથી નહિ; કેમ કે પૃથ્વી જલાદિમાં સતત આરંભ પ્રવૃત્તપણું છે. એથી દશ વિશોપકરૂપ અડધું ગયું. અર્થાત્ દશવીશા ઓછી થઈ. સ્થૂલ પ્રાણીવધ પણ બે પ્રકારનો છે. સંકલ્પથી થતારો અને આરંભથી થનારો. ત્યાં સંકલ્પથી આને મારું છું એ પ્રમાણે મત સંકલ્પરૂપ આદ્ય થાય છે=આધ હિંસા થાય છે. તેનાથી ગૃહસ્થ નિવૃત છે. પરંતુ આરંભથી થનારી હિંસાથી નિવૃત્ત નથી; કેમ કે કૃષિ આદિના આરંભમાં બેઇક્રિયાદિની હિંસાનો સંભવ છે. અને અન્યથા કૃષિ આદિ ન કરે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨૪ ધર્મસંગ્રહ ભાગ- ૨ | દ્વિતીય અધિકારી શ્લોક ૨પ તો શરીરમાં અને કુટુંબના નિર્વાહ આદિનો અભાવ છે. આ રીતે ફરી. અડધું ગયું. પાંચ વિશોપકા રહી પ વીશ૨હીં. સંકલ્પથી થંíારી હિંસા પણ બે પ્રકારે છે. સાપરાધ વિષયવાળી નિરપરાધક વિષયવાળી. ત્યાં=બે પ્રકારની હિંસામાં નિરપરાધ વિષયવાળી નિવૃત્તિ છે હિંસાલી નિવૃત્તિ છે. વળી, સાપરાધમાં ગુરુ-લાઘવનું ચિંતન છે=જે પ્રમાણે મોટો અપરાધ છે કે નાનો અપરાધ છે? તે પ્રમાણે વિચારણો છે. આ રીતે થાળી અર્ધ ગયે છતે અઢી વિશોપકા થઈ=અઢી વીશા થઈ, નિરપરાધ જીવો પણ બે પ્રકારના છે. સાપેક્ષતે નિરપેક્ષ ત્યાં નિરપેક્ષથી નિવૃત્તિ છે. સાપેક્ષથી નહિ; કેમ કે નિરપરાધ પણ વહન કરાતામહિષબળદધોડા આદિમાં અને ભણવામાં પ્રમત્ત પુત્રાદિમાં સાપેક્ષપણાથી વધંબંધન આદિનું કરણી છે. તેથી ફરી અંધ ગયે છી સપાદ વિશોપક-સવા વીશા હિંસાની નિવૃત્તિ સ્થિત છે અને આ રીતે દેશથી પ્રાણીવધ શ્રાવકોને પ્રત્યાખ્યાન કરાયેલો થાય છે. પ્રાણીવધ ર૪૩. પ્રકારેવાળી છેજે કારણથી ભૂમિ, જલ, અગ્નિ, પવન, વનસ્પતિ, બેઇંદ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેદ્રિયથી નવ જીવો છે=નવ પ્રકારના જીવો છે મન-વચન-કાયાથી ગુણિત તે સત્તાવીશ થાય છે. [૧] . . . . તે સત્તાવીસ ભેદો, કરણ-કરાવણ અને અનુમોદનથી ત્તાડિત=ગુણિત, એક્યાસી થાય છે. તે જ=૮૧ જ ભેદો, ત્રિકાલુથી ગુણિત ૨૪૩ થાય છે." પરા (સંબોધ પ્રકરણ શ્રાવકવ્રતા. ૮-૯) જોઓની મધ્યે ર૪૩જીવ હિંસાના ભેદોમાં, વૈકાલિક, મન-વચન-કાયાથી, કરણ=બેઇંદ્રિય ઈંદ્રિય ચઉરિંદ્રિય પંચંદ્રિય વિષયક હિંસાના કરણ, અને કારણના જ=કરાવણના જ, પ્રાયઃ પ્રત્યાખ્યાનનો સંભવ છે અને આ વ્રતતાફળને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણરૂપ વ્રતના ફળને, આ પ્રમાણે કહે છે. - “સચરાચર જગતમાં પણ ખરેખર જે ઉદગ્ર આરોગ્ધ=શ્રેષ્ઠ કોટિનું આરોગ્ય, અપ્રતિહત સ્પષ્ટ આક્ષેશ્વરપણું=જેની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન ન કરે તેવી આજ્ઞાનું અક્ષયપણું, અપ્રતિહતરૂપ બધા કરતાં, શ્રેષ્ઠ કોટિનું રૂપ, ઉજ્વલતરકીતિ, ઘન થવીવનકાળમાં લાંબા સમય સુધી રહી શકે તેવું શ્રેષ્ઠ યૌવન, દીર્ઘ આયુષ્ય, અંચન કરનારો પરિવાર તેની અનુસરનાર અરિવાર પુત્ર, સુપુત્રની ઘણી ખ્યા તે સર્વ દયાનું ફલન છે."(સંબોધ શ્રાવકવ્રતા. ૧૨) છે 3-3 ૧૫ es : 6 - - અને આવા અસંગીકારમાં=પહેલા અણુવ્રતના અગીકારમાં, પંગુતા-કુણિતા-કુષ્ઠાદિ મહારોગવિયોગ-શોકાપૂર્ણ આયુષ્યદુઃખ-દીર્ગત્યાદિ ફલ પ્રાપ્ત થાય છે. જે કારણથી કહેવાયું છે – CT S S S S = = . ! = હ હa S !s c : ' . ' , " . છે . . કિકાણીવમાં વતા સંસારમંડેલાએ કોરકચિયોનિયંકરતી માં ભમે છે. (સંબોધ પ્રકરણ શ્રા તા. 1 phક્ક fi૭ & sઈ : 3 Miss sl: - 3 ભાવાર્થ કે .37 san 9 ક 19 Jિ 1995.3 : ઇ . ; (ness શ્રાવક પ્રથમ અણુવ્રત સ્વીકારે છે તેનો કઈક બીઘા ક્રરવા માટે તેનું સ્વરૂપ બતાવે છે - 19 શ્રાવક નિરપરાધ એવબદ્રિય જીવન હિલ્સની વિરતિ કરે છે તે હિંસાના વિરતિ પણ સંકલ્પથી હિંસા નહીં કરવાની વિરતિ કરે છે, અને એનપેક્ષાથી હિંસોની વિરતિબકરે છે તેં પ્રથમ અણુવ્રત છે. ! ત્ર ઘણા '. Page #260 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર શ્લોક ૨૫ ૨૩. આ પ્રકારના શ્લોકના અર્થને સ્પષ્ટ કરતાં કહે છે !!! j ! jy j જે બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચેરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો છે, તેમાં જેઓએ પોતાનો કોઈ અપરાધ કર્યો નથી તે જીવોને સંકલ્પથી હું હણીશ નહીં અર્થાત્ તેઓનાં અસ્થિ, ધર્મ, દાંત આદિ વસ્તુ પ્રાપ્ત કરવા માટે હુકણું છું તે પ્રકા૨ના સંકલ્પપૂર્વક તેઓની હિંસા કરે નહિ!57pE 8Z SIF &1$$ !53S !Y ' તેથી એ પ્રાપ્ત થાય કે જેમ સંસારી જીવા ધનાદિ અર્થ બેઇંદ્રિયાદિ જીવોની હોડકા આદિ પ્રાપ્ત કરવા અર્થે તેઓનો વધ કરે છે તે રીતે તેવા સંકલ્પપૂર્વક હિસ્સ કરી નહીં તે પ્રકારના શ્રાવકંની પ્રતિજ્ઞા છે; પરંતુ પોતાને તે જીવો તરફથી કોઈ ઉપદ્રવ થતો હોય તોતિ અપરાધવાળા જીવીને દૂર કરવી પ્રયત્ન ક અને તેમાં તેઓને કંઈક પીડા થાય કે કોઈકનું મૃત્યુ થાય તોપણ તે વ્રતનો ભંગ ધતો નથી કેમ કંપોતામાં સ્વાર્થ ખાતર નિરપરાધ જીવોની સંકલ્પપૂર્વક હિંસા કરવાનો નિષેધ કર્યો છે. આથી જ મચ્છ૨ાજીિવોનો ઉપદ્રવ દૂર કરવાર્થે કંઈક તિનાપૂર્વક પાન કરે ત્યારે તે જીવોને જપ્પીડા થાય છે તેમાં પ્રતિજ્ઞાની ભગ થતો નથી, ફક્ત દા નિરપેક્ષ તે પ્રકાર મચ્છરાદિનો ઉપદ્રવ દૂર કરતા વ્રતનો ભંગ થાય છે. 9@vLAID વળી, અપેક્ષા વ્યાપેક્ષા રાખ્યા વગર હિંસાની વિરતિનું પચ્ચક્ખાણ કરે છે અર્થાત્ બેઇતિયાદિ અપરાધી જવાની પણ દયાના પરિણામની ખ્યા વગેર હિંસો કરવાની નિવૃત્તિ પ્રેરે છે ?, joys S SMS JEST PIPPO JEEP JUDY FIS FISIP યુવાનો યા #fekjcy {}}} {{ >j&k ! ETLE તેથી એ પ્રાપ્ત થાય કે જે સાપરાધી એવા બેઇંદ્રિયાદિ છે, તેઓને પણ બચાવવાની કે તેમને પીડા ન થાય તેવી અપેક્ષાપૂર્વક તેઓને દૂર કરવા યતના કરે ત્યારે હિંસા દયાના પરિણામ વર્તે છે. આથી જ મચ્છરાદિના ઉપદ્રવકાળમાં તેના નિવારણ માટે જે કાંઈ તેમાં પણ તેઓને બહુ પીડા ન થાય, કોઈ મરે નહીં ઇત્યાદિ અપેક્ષા રાખીને પ્રયત્ન કરે છે. જેથી સ્થૂલથી હિંસાની વિરતિ પ્રાપ્ત થાય છે અને જેઓ તેવી કોઈ અપેક્ષા રાખ્યા વગર હિંસા કરે છે તેઓને પ્રથમ અણુવ્રતની પ્રાપ્તિ નથી. અહીં બેઇંદ્રિયાદિ 7] ગ્રહણ કરવાથી એકેન્દ્રિય વિષયક હિંસાની ! નિવૃત્તિ કરવા માટે શ્રાવક સમર્થ નથી તેમ બતાવેલ છે; કેમ કે શ્રાવકની સંસારની જીવનવ્યવસ્થા આરંભપૂર્વક થાય છે. તેથી આરંભથી થનારી એકેન્દ્રિય જીવોની હિંસાનું તેઓ પ્રત્યાખ્યાન કરી શકતા નથી અને સંકલ્પથી બેઇંદ્રિયાદિ થાય સીવેર્જન કરે છે. જીવોની હિંસાની વિરતિ કરે છે. એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક અનુબંધથી હિંસાનું વર્જન Bjp કરી આશય એ છે કે શ્રાવકને સંપૂર્ણ હિંસાની નિવૃત્તિની ઇચ્છા છે પરંતુ સંપૂર્ણ હિંસાની નિવૃત્તિ પોત શકે તેમ નથી તેથી સંપૂર્ણ હિંસાની નિવૃત્તિ માટે શક્તિસંચય થાય તેના ઉપાયરૂપે પોતાના શે શક્તિ અનુસાર સંકલ્પથી બેઇંદ્રિયાદિ જીવોની હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા કરી છે. તેથી જે દેશથી હિંસાની નિવૃત્તિ કરી તેં ફળથી સર્વ હિંસાની નિવૃત્તિની પ્રયોજનવાળી છે. માટે શ્રાવકની હિંસામાં અનુબંધથી હિંસાનું વર્જન છે. આથી જ પોતાના તુચ્છ સ્વાર્થ ખાતર બેઇંદ્રિયાદિ જીવીને હું હણું એ પ્રકારના સંકલ્પપૂર્વક હિંસાનો પરિહાર કરે છે.' જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પ્રથમ મહાવ્રતનું કારણ બનશે - "> . શ્લોકમાં અણુવ્રત બતાવ્યું તેમાં સાક્ષીપાઠ બતાવે છે – Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીચ અધિકાર | શ્લોક-૨૫ શ્રાવક શૂલપ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે છે અને તે પ્રાણાતિપાત બે પ્રકારનું કહેવાયું છે. ૧. સંકલ્પથી અને ૨. આરંભથી. તે બે પ્રકારના પ્રાણાતિપાતમાં શ્રાવક જાવજીવ સુધી સંકલ્પથી પ્રાણાતિપાતનું પચ્ચખ્ખાણ કરે છે. આરંભથી પચ્ચખ્ખાણ કરતો નથી. આ પ્રકારના સાક્ષીપાઠ અનુસાર શ્રાવક જીવનવ્યવસ્થા માટે કરાતા આરંભથી થનારી હિંસાનું પ્રત્યાખ્યાન કરતા નથી તોપણ શ્રાવકે જીવનવ્યવસ્થા માટે કરાતા આરંભમાં કેવી હિંસા કરવી જોઈએ તે બતાવે છે. ૧. શ્રાવકે સંખારાને પાણીમાંથી કાઢવા માટે નિછિદ્ર દઢ વસ્ત્રથી પાણીને ગાળવું જોઈએ અને તે ગાળેલા પાણીનો જ પરિમિત ઉપયોગ કરવો જોઈએ. તેથી ગૃહકાર્ય માટે થતા આરંભમાં થતા પાણીના વપરાશમાં પણ યતનાપરાયણ રહેવું જોઈએ. ૨. વળી અગ્નિ આદિ માટે જે ઇંધનનો ઉપયોગ કરે તે પણ શુષ્ક હોય, અજીર્ણ હોય જેથી લાકડામાં અંદર જીવાત રહેવાનો સંભવ ન રહે. વળી, અશુષિર અર્થાત્ વચમાં પોલાણવાળું ન હોય તેવા કીડા રહિત લાકડાનો ઉપયોગ કરવો જોઈએ જેથી અગ્નિકાયની વિરાધનાથી પણ કોઈ ત્રસજીવની વિરાધના ન થાય તેની યતના રહે અને પરિમિત અગ્નિથી જીવનનિર્વાહ કરવો જોઈએ. ૩. વળી, ધાન્ય, પક્વાન્ન, શાક આદિ ગૃહમાં વપરાતી જે પણ વસ્તુ હોય તે સર્વમાં પણ જીવો સંક્રાતઃ ચઢેલા, ન હોય અને જીવોથી અસંસક્ત હોય=જીવો ઉત્પન્ન થયા ન હોય, તેવી ગ્રહણ કરવી જોઈએ. વળી પરિમિત અને સમ્યફશોધિત એવા જલાદિ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જો શ્રાવક તેવી યતના ન કરે તો શ્રાવકનું હૈયું જીવરક્ષા પ્રત્યે ઉપેક્ષાવાળું બને, તેથી હૈયામાં નિર્દયતા આવે અને સમ્યક્તનાં જે શમ, સંવેગાદિ લક્ષણો છે તદ્અંતર્ગત જે અનુકંપા સભ્યત્વનું લિંગ છે તે અનુકંપા રહે નહીં. અને અનુકંપા ન હોય તો સમ્યક્ત પણ રહે નહીં. તેથી શ્રાવકનું વ્રત પણ નિષ્ફળ બને. માટે શ્રાવકે સર્વત્ર અનુકંપાપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. શ્લોકમાં પ્રથમ અણુવ્રતનું સ્વરૂપ બતાવ્યું તેમાં હિંસાની નિવૃત્તિનાં ત્રણ વિશેષણો આપેલાં છે. ૧. સંકલ્પથી હિંસા કરીશ નહિ. ૨. અનપેક્ષાથી હિંસા કરીશ નહિ. ૩. નિરપરાધી બેઇંદ્રિયાદિ જીવોની હિંસા કરીશ નહિ. તે ત્રણ વિશેષણથી સવાવીશાથી પ્રમિત જીવદયાત્મક પ્રથમ અણુવ્રત છે, એ પ્રમાણે સૂચિત થયું. તે સવાવીશા કઈ રીતે છે ? તેમાં સાક્ષીપાઠ બતાવે છે – જીવો સ્થૂલ અને સૂક્ષ્મના ભેદથી બે પ્રકારના છે અને તેઓની હિંસા સંકલ્પથી અને આરંભથી બે પ્રકારની થાય છે અને તેમાં સાપરાધ, નિરપરાધ, સાપેક્ષ, નિરપેક્ષના વિકલ્પથી હિંસાનું વર્જન થાય છે. તેથી સાધુને વશ વસારૂપ પૂર્ણ હિંસાનું વર્જન પ્રાપ્ત થાય છે અને શ્રાવકને સવાવસારૂપ હિંસાનું વર્જન પ્રાપ્ત થાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૫ ૨૪૫ સાધુ સ્થૂલ અને સૂક્ષ્મ એવા સર્વ જીવોની હિંસાથી વિરતિ કરે છે. તેથી સાધુ કોઈ આરંભવાળી પ્રવૃત્તિ ક૨તા નથી કેવલ સમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત ક્રિયાઓ કરે છે અને તેની પુષ્ટિ થાય તે રીતે દેહનો નિર્વાહ કરે છે. તેથી સાધુને સંપૂર્ણ હિંસાની નિવૃત્તિ હોવાથી વીશ વસા જીવદયા છે. શ્રાવકને સવા વસારૂપ હિંસાનું વર્જન કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે ગૃહસ્થ સ્થૂલપ્રાણાતિપાતરૂપ સ્થૂલ બેઇંદ્રિયાદિ જીવોની હિંસાની નિવૃત્તિ કરે છે. સૂક્ષ્મ પૃથ્વી આદિ જીવોની હિંસાની નિવૃત્તિ કરતા નથી તે અપેક્ષાએ સાધુને જે સંપૂર્ણ હિંસાની નિવૃત્તિ વીશ વસા છે તેના કરતાં શ્રાવકને જીવહિંસાની નિવૃત્તિ અડધી પ્રાપ્ત થાય છે. માટે ૧૦ વસાની પ્રાપ્તિ થઈ. વળી, સ્થૂલપ્રાણાતિપાતનું વ્રત પણ બે પ્રકારનું છે – સંકલ્પથી અને આરંભથી. તેમાં શ્રાવક સંકલ્પથી સ્થૂલ હિંસાનો ત્યાગ કરે છે, આરંભથી સ્થૂલ હિંસાનો ત્યાગ કરતો નથી. આથી જ પોતાની જીવનવ્યવસ્થા અર્થે વાહન આદિમાં જાય છે ત્યારે ત્રસાદિ જીવોની પણ હિંસા થાય છે. તેથી ત્રસાદિ જીવોની હિંસામાં પણ આરંભથી થના૨ી હિંસાનું વર્જન નહીં થવાથી ૧૦ વસામાંથી અડધી હિંસાની નિવૃત્તિની પ્રાપ્તિ થઈ માટે ૫ વસાની પ્રાપ્તિ થઈ. વળી શ્રાવક જે સંકલ્પથી હિંસાની નિવૃત્તિ કરે છે તેમાં પણ બે વિકલ્પો છે સાપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ અને નિરપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ. શ્રાવક નિરપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ કરે છે, સાપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ કરી શકતો નથી. પરંતુ સાપરાધ જીવોની હિંસામાં ગુરુ-લાઘવનું આલોચન કરે છે. તેથી સાપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ નથી, માત્ર નિરપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ છે. માટે ૫ વસામાંથી અડધી=૨ (અઢી) વસાની હિંસાની નિવૃત્તિની પ્રાપ્તિ થઈ. વળી, નિરપરાધ જીવોની હિંસામાં પણ બે વિકલ્પો છે ૧. સાપેક્ષ અને ૨. નિરપેક્ષ. ત્યાં નિરપેક્ષપણાથી હિંસાની શ્રાવક નિવૃત્તિ કરે છે, સાપેક્ષપણાથી હિંસાની નિવૃત્તિ કરી શકતો નથી; કેમ કે પુત્રાદિ પ્રત્યે રાગ હોવાથી પુત્રાદિ સંસારની કોઈ પ્રવૃત્તિ બરાબર ન કરતા હોય ત્યારે તેને દોરડાથી બાંધે કે તેને કોઈ પીડા થાય તેવા વચનપ્રયોગ કરે કે માર મારે તે સર્વમાં તે પુત્રાદિને જે પીડા થાય છે તે હિંસાનું વર્જન શ્રાવક કરી શકતો નથી. માટે ૨ (અઢી) વસામાંથી અડધી હિંસાની નિવૃત્તિની પ્રાપ્તિ થઈ. માટે શ્રાવકને હિંસાની નિવૃત્તિ સવા વસાની છે. આ રીતે શ્રાવકને પ્રાણીવધનું પ્રત્યાખ્યાન દેશથી પ્રાપ્ત થાય છે. તે પ્રાણીવધ પણ ૨૪૩ ભેદથી પ્રાપ્ત થાય છે. તે આ રીતે – પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇંદ્રિય તેઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિયથી જીવના નવ ભેદો છે. તે ભેદોની હિંસા સાધુ મનથી કરે નહિ, વચનથી કરે નહિ, કાયાથી કરે નહિ. તેથી જીવના ૯ ભેદોને મનવચન-કાયાના ત્રણ ભંગોથી ગુણીએ તો ૯ × ૩=૨૭ ભેદોની પ્રાપ્તિ થાય. અર્થાત્ ૯ પ્રકારના જીવોની હિંસા મનથી કરે નહીં માટે ૯ ભેદ, ૯ પ્રકારના જીવોની હિંસા વચનથી કરે નહીં માટે ૯ ભેદ અને ૯ પ્રકારના જીવોની હિંસા કાયાથી કરે નહીં માટે ૯ ભેદ; એમ કુલ ૨૭ ભેદોની પ્રાપ્તિ થાય. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધર્મસંગ્રહ ભાગરી/ દ્વિતીચ અધિકાર / શ્લોક ૨૫ વીઘળી સાધુ છે. રંટ ભેદોથી થતી હિંસાનું વર્ઝની સ્વયં કરણને આશ્રયીમે કરાવણને આશ્રયીને અને અનુમોદનને આશ્રયીને કરે છે અર્થાત્ સાધુ સ્વયં હિંસા કેરેતીનુથી; કોઈની પાસે કરાવતા નથી અને અન્ય દ્વારા કરાયેલી હિંસાની અનુમોદના કરતા નથી તેથી કુકરણ કરાવણે અને એનુમોદનને આશ્રયીને ૨૭ ભેદોના વિકલ્પો કરીએ તો ર૭ X ૭=૦૧ ભેદોની પ્રાપ્તિ થાય. વળી તે ૮૧ભેદો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને આશ્રયીને વિચારીએ તો ૩૩ ૨૪૩,ભેદોની પ્રાપ્તિ થાય તેથી સાધુ ભૂતકાળમાં કરેલી હિંસાની નિંદા રાહુ દ્વારા નિવૃત્તિ કરે છે. વર્તમાનકાળમાં તે સર્વ ભેદોથી હિંસાનું વર્જન કરે છેઅને ભાવિમાં જાવજુવ, સુધી તે હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા કરે છે, માટે ૨૪૩ ભેદોથી હિંસાની નિવૃત્તિની સાધુને પ્રાપ્તિ થાય છે તેથી હિંસાની વૃત્તિના વિષય પ્રાણીના ૬૩ ભેદો મ છે 3%ા આ લુ હિંસા નિવૃત્તિનાં ફળ ગ્રંથકારશ્રી બતાવે છે અર્થાત્ સાધુને સર્વથા હિંસાની નિવૃત્તિનું ફળ અને શ્રાવકને વિવેકપૂર્વક કરાયેલી હદેશથી હિંસાની નિવૃત્તિનું ફળ બતાવે છે; 50= w?!! - | = sc $J જે જીવોને સર્વ ચરાચર જીવો પ્રત્યે દયા છે તેનાથી તેઓ જે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે તેના ફળ રૂપે તેઓને ઉત્કટ આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને અપ્રતિહત આજ્ઞાના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, વિશિષ્ટ પ્રકારનું રૂપમાપ્ત થાય છે, ઉજ્જવલ કીર્તિ પ્રાપ્ત થાય છે અને બીજા ભવમાં યુનીવન પ્રાપ્ત થાય છે. અર્થાતુ રોચાદિ વારનો લાંબો સૌનુકળ પ્રાપ્ત થાય છે દીર્ઘ આયુષ્યકાળ પ્રાપ્ત થાય છે પોતાનો નહીં તેવી પરિણતિવાળાં પુત્ર-પુત્રાદિ સંતાનો પ્રાપ્ત થાય છે. 8િ flી J560 viege BJ૬as R] તેથી જે સુખાજીવો સંસારમાં ઇચ્છે તેવા સર્વ સુખદયાના પરિણામથી પ્રાપ્ત થાય છે. સાધુ જેવી ઉત્કટ દયા કરે છે, તેથી તેમને સંસારમાં તેવું સુખ ઉત્કટ મળે છે. અને શ્રાવકે પ્રીસાધુ જેવી જ દયા પાળવાનું અર્થ છે તોપણ સ્વભૂમિકાનુસાર દુલાના પરિણામ ધારણ કરીને ગૃહસ્થ કાર્ય કરે છે તેથી દયાના પરિણામને અનુસાર, શ્રાવકને પણ તેનું પુણ્ય બંધાયું છે કે જેથી શારમાં સર્વપ્રકારની અનુકૂળતાની Allage de Bijos isns13 f5 Sljs, fy S8 to sposgje Alpx 312 Susig 3]Nsypsy વળી જેઓ આ પ્રકાસ્નાદિયાના પરિણામને ધારણ કરતા નથી અને પોતાની શક્તિ અનુસાર કોઈમ્બતો ગ્રહણ કરતા નથી પરંતુ નિઃશુકપણાથી સંસારના આરંભન્સમારંભ કરે છે)તેઓને સંસારની તેવી પ્રવૃત્તિથી એવા કર્મો બંધાય છે કે જેથી જન્માંતરમાં પંગુતા, શરીરના અવયવોની ખામી, કુષ્ઠાદિ મહારોગો ઘણા પ્રકારના સ્વજનનો વિયોગ, શોકથી પૂર્ણ આયુ રિકતાદિ ફળોની મુક્તિ થાય છે. દિ Jyo તેમાં સાક્ષીપાઠ આપે છે – – 60% 1 $ જે જીવો પ્રાણીવધમાં વર્તે છે તે સંસારમાં પ્રવૃતી] ભયંકણર્ભવસતિવાળી જ્ઞાકયોનિમાં અને -તિર્યંચયોનિમાં ભમે છે. 1s 5 થી ૬ !]s]]ટે ફી ૪ [bs] > ડી- ૬૪ 1% 5ષ્ઠ 3 - તેથી પ્રાપ્ત થાયકેહિંસાકરનારા જીવોનકમાં અને તિર્લિંચમાં ઘણીકિદઈના પામે છે. અને કોઈક રીતે મનુષ્યભવડપાર્મેતો તેંમનુષ્યભવામી અનેક પ્રકારના ક્લેશના ફળવાળો હોય છે. માટે સંસારમાં પ્રાપ્ત થતા ક્લેશનનિવરણને અર્થીએ હિંસાની નિવૃત્તિમાં ઉદ્યમ કરવો જોઈએise 13 Page #264 -------------------------------------------------------------------------- ________________ २४७ ધર્મસંગ્રહ ભાગ- ૨ | દ્વિતીય અધિકારણ શ્લોક ૨૬ अवतरजि : MISSAT TSITET IHSFF jusys juanico:5" इत्युक्तमहिंसाव्रतं प्रथमम्। अथा द्वितीयमणुव्रतं दर्शयति espriym iगाळा , गागा विशsi: FF for wrip TUFASPZTIMEIPEDil Bih pisr tra . fpp प्रथा वाया जाताच छ_FFEpinीटर - PGESSETTE 65 STJ Song :1515 दोड:ISTERE S TERNATA STERESTETRY द्वतीय कन्यागोभूम्यलीकानि न्यासनिनवः । बाल ति काITE IS THE - कूटसाक्ष्यं चेति पञ्चासत्येभ्यो विरतिर्मतम् ।।२६ Tes.fr पया ints RS : STF R fEETSTRATE FITS TI95 की कन्यागोभूभ्यलीकानि न्याsilsmplatells fightens,न्यासनिह्नवनव्या सEिAFEgal REALLY EAT, कूटसाक्ष्यसामी, इतिHAI, पञ्चासत्येभ्यो- योथी, विरति-रिति, द्वितीय की द्वितीय :PATMAm शुद्धतमतम् मतायुं छे. ॥२॥ rivshami TTEFASTE ETE PATTE SE S SH दोार्थ: मागी न्याली,गोमतीs, भि.सदीs,.थापनोमपलाप,इसाक्षी વિરતિ બીજું અણુવ્રત મનાયું છે. રા, ૮. S atiseptiSTSPTEf Fish Frias टीs: ___- : PRESHEETairs द्वन्द्वान्ते श्रूयमाणालीकशब्दस्य प्रत्येकं संयोजनात् कन्यालीकम्, गवालीकम, भूम्यलीकं चेति, नहनवः कूटसा क्लिष्टाशयसमुत्थत्वात् स्थूलासत्यानि, तेभ्यो विरतिः विरमणं द्वितीयम' अधिकारादणुव्रतं 'मत' जिनैरिति शेषः । ... FITS E :Rasra :htrain तत्र कन्याविषयमलीकं कन्याऽलीकं-द्वेषादिभिरविषकन्यां विषकन्याम, विषकन्यामविषकन्यां • वा, सुशीलां वा दुःशीलाम्, दुःशीलां वा सुशीलामित्यादि वदतो भवति इदं च सर्वस्य कुमारादिद्विपद विषयस्यालीकस्योपुलक्षणाम् -१ गवालीकम्-अल्पक्षीरां बहुक्षीरां, बहुक्षीरां वाऽल्पक्षीरामित्यादि गावदतः, इदमपि सर्वचतुष्पदविषयालीकस्योपलक्षणम् २ । भूम्यलीकंपरसत्कामण्यात्मादिसत्कामात्मादि सत्कां वा परसत्काम, ऊपरंवा क्षेत्रमनूषरम् अनूषरं बोषरमित्यादि वदतः, इदं चाशेषापदद्रव्यविषयालीकस्योपलक्षणम् यदाह - UTUHसत्याया। . . पञ्च पञ्चसङख्याकानिअसत्यानि 3 AsparePMSTEPhणाजी Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૬ “कण्णागहणं दुपयाण, सूअगं चउपयाण गोवयणं । अपयाणं दव्वाणं, सव्वाणं भूमिवयणं तु ।।१।।" [सम्बोधप्र. श्रा. व्रता. १८] ननु यद्येवं तर्हि द्विपदचतुष्पदाऽपदग्रहणं सर्वसंग्राहकं कुतो न कृतम् ? सत्यम् कन्याद्यलीकानां लोकेऽतिगर्हितत्वेन रूढत्वाद्विशेषेण वर्जनार्थमुपादानम्, कन्यालीकादौ च भोगान्तरायद्वेषवृद्ध्यादयो दोषाः स्फुटा एव, यत आवश्यकचूर्णी - __ "मुसावाए के दोसा? अकज्जन्ते वा के गुणा? तत्थ दोसा कण्णगं चेव अकण्णगं भणंतो भोगंतरायदोसा य, दुट्ठा वा आतघातं करेज्ज, कारवेज्जा वा, एवं सेसेसु भाणिअव्वा" [पच्चक्खाणावश्यकसूत्रे हारिभद्र्यां वृत्तौ प. ८२१] इत्यादि । तथा न्यस्यते रक्षणायान्यस्मै समर्प्यते इति न्यासः सुवर्णादिस्तस्य निह्नवोऽपलापस्तद्वचनं स्थूलमृषावादः, इदं चानेनैव विशेषेण पूर्वालीकेभ्यो भेदेनोपात्तम्, अस्य चादत्तादाने(नत्वे) सत्यपि वचनस्यैव प्राधान्यविवक्षणान्मृषावादत्वम् ४ । कूटसाक्ष्यं लभ्यदेयविषये प्रमाणीकृतस्य लञ्चामत्सरादिना कूटं वदतः 'यथाऽहमत्र साक्षी'ति अस्य च परकीयपापसमर्थकत्वलक्षणविशेषमाश्रित्य पूर्वेभ्यो भेदेनोपन्यासः ५ इति । अत्रायं भावार्थ:-मृषावादः क्रोधमानमायालोभत्रिविधरागद्वेषहास्यभयव्रीडाक्रीडारत्यरतिदाक्षिण्यमौखर्यविषादादिभिः संभवति, पीडाहेतुश्च सत्यवादोऽपि मृषावादः, सद्भ्यो हितं सत्यमिति व्युत्पत्त्या परपीडाकरमसत्यमेव यतः - “अलिअं न भासिअव्वं, अत्थि हु सच्चंपि जं न वत्तव्वं । सच्चंपि तं न सच्चं, जं परपीडाकरं वयणं ।।१।।" [सम्बोधप्र. श्रा. व्रता. १६] . स च द्विविधः, स्थूलः सूक्ष्मश्च तत्र परिस्थूलवस्तुविषयोऽतिदुष्टविवक्षासमुद्भवश्च स्थूलः, तद्विपरीतः सूक्ष्मः । आह हि - "दुविहो अ मुसावाओ, सुहुमो थूलो अ तत्थ इह सुहुमो । परिहासाइप्पभवो, थूलो पुण तिव्वसंकेसा ।।१।।" [सम्बोधप्र. श्रा. व्रता. १७] श्रावकस्य सूक्ष्ममृषावादे यतना, स्थूलस्तु परिहार्य एव । तथा चावश्यकसूत्रम्"थूलगमुसावादं समणोवासओ पच्चक्खाइ, से अ मुसावाए पञ्चविहे पण्णत्ते, तंजहा-कण्णालिए १, गवालिए २, भोमालिए ३, णासावहारे ४, कुडसक्खे य ५” इति । [प्रत्याख्यानावश्यक सू. २, हारिभद्रीयवृत्ती प. ८२०] Page #266 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૬ तच्चूर्णावपि " जेण भासिएण अप्पणो परस्स वा अतीव वाघाओ अहिसंकिलेसो अ जायते, तं अट्ठाए वा अणट्ठाए वाण वएज्ज” त्ति । [आवश्यकचूर्णो भा. २ प. २८५ ] एतच्चासत्यं चतुर्द्धा-भूतनिह्नवो १ ऽभूतोद्भावनम् २ अर्थान्तरं ३ गर्हा च ४ । तत्र भूतनिह्नवो यथा - नास्त्यात्मा नास्ति पुण्यं नास्ति पापमित्यादि १ । अभूतोद्भावनं यथाऽत्मा श्यामाकतन्दुलमात्रोऽथवा सर्वगत आत्मेत्यादि २ । अर्थान्तरं यथा - गामश्वमभिवदतः ३ । गर्हा तु त्रिधा, एका सावद्यव्यापारप्रवर्त्तिनी, यथा क्षेत्रं कृषेत्यादि १, द्वितीया अप्रिया काणं काणं वदतः २, तृतीया आक्रोशरूपा यथा अरे ! बान्धकिनेय इत्यादि । - एतद्व्रतफलं विश्वासयशः स्वार्थसिद्धिप्रियाऽऽदेयाऽमोघवचनतादि । यथा " सव्वा उ मंतजोगा, सिज्झती धम्म अत्थकामा य । .. सच्चेण परिग्गहिआ, रोगा सोगा य नस्संति ।।१।। - ***** ૨૪૯ सच्चं जसस्स मूलं, सच्चं विस्सासकारणं परमं । सच्चं सग्गद्दारं, सच्चं सिद्धीइ सोपाणं ।।२।। " एतदग्रहणेऽतिचरणे च वैपरीत्येन फलम् - "जं जं वच्चइ जाई, अप्पिअवाई तहिं तहिं होइ । न सुइ सुहे सुसद्दे, सुणइ असो अव्वए सद्दे ।।१।। दुगंध पूइमुहो, अणिट्ठवयणो अ फरुसवयणो अ । जलएडमूअमम्मण, अलिअवयणजंपणे दोसा ।।२।। इहलोए च्चि जीवा, जीहाछेअं वहं च बंधं वा । अयसं धणनासं वा, पावंती अलिअवयणाओ ।। ३ ।। " [सम्बोधप्र. श्राद्धव्रता. २३ - ५ ] इत्यादि । । २६ ।। टीडार्थ : द्वन्द्वान्ते अवणाओ ।।' द्वन्द्व अंतमां संजाता 'खली' शब्दनुं प्रत्येऽमां संयोनन હોવાથી કન્યાલીક, ગોઅલીક, અને ભૂમિ અલીક એવા તે અને ન્યાસનિક્ળવ=થાપણ અપલાપ અને કૂટસાક્ષી એ પ્રમાણે પાંચ=પાંચ સંખ્યાવાળા, અસત્યો અર્થાત્ કિલષ્ટ આશય સમુત્થપણું હોવાથી=ક્લિષ્ટ આશયથી પાંચ અલીકો થતા હોવાથી સ્થૂલ અસત્યો છે. તેનાથી વિરતિ=વિરમણ, जीं=अधिकारथी आगुव्रत, भगवान वडे हेवायुं छे. श्लोमा 'जिनैः' शब्द अध्याहार छे. ते जताववा भाटे 'जिनैरिति शेष:' हेल छे. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ BEE 136 બાલિત ભાબહુ થવાળા ગવન અલ્પ દૂધવાળી ઇત્યાદિ યક S થાય છે અલાર્કને ઉપવા ધર્મસંગ્રહ ભાગ-૨ા દ્વિતીય અધિકાર / શ્લોકંદ૨૬ ત્યાં=પાંચ અસત્યમાં, કન્યા વિષયક અલીક તે કન્યાલીક છે. દ્વેષાદિથી અવિધવાળી કલ્યાને વિષકશ્યા વિષવાળી કન્યાને અવિષકન્યા, સુશીલ કલ્યાને દુશીલ કન્યા અથવા દુશીલ કન્યાને સુશીલ કન્યા ઈત્યાદિ બોલતા પુરુષને થાય છે કલ્યાણીક થાય છે. અને આ કુમાર આદિ ક્રિષદ જંગ વિષયક અલીકનું ઉપલક્ષણ છે.. " અવતાર ય યાયાલ ' ગોલીક - અલ્પ દૂધંવાળી ગાયને બહું દૂધવાળી, બહુ દૂધવાળી : કઇન્સિTS; .19ભૂમિ ઝલક પરની ભૂમિકા ભૂભ કરવી. અંથી પોતાની મૂર્તિ પરની ભૂમિ કેવી, ઉપરોઢનેધરલે થધાનપરક્ષેત્રઉરક્ષેત્ર કહે ઈચિદિ બોલતા પૂરપતભૂમિ અલીક થાય છે અને અશેષઅપદદ્રવ્યવિષયક એલીકે ઉપલેક્ષા છે. જેનેકહે છે. Topyrige કન્યાનું ગ્રહણ દ્વિપદોનું સૂચક છે,ગોનું ઘચન:ચતુષ્પદનું સૂચક છેvળી ભૂમિનું વચનસઅપ વાળાંદ્રવ્યોનું સૂચક છે." (સંબોધ પ્રકરણ, શ્રા. વ્રતા. ૧૮) TE TIRSTદ " - Tips Tar" જો આ રીતે છેકકલ્યાલીક આદિ તદ્ સદશ અત્યતા ઉપલક્ષણ રૂપ છે. તો દ્ધિપચતુષ્પદ, અપદનું ગ્રહણ સર્વસંગ્રાહક કેમ ન કર્યું ? તેથી કહે છે. ઝાઝી કw , 25 yey is તારી વાત સાચી છે. કન્યાદિ અલીકોનું લોકમાં અતિરહિતપણારૂપે રૂઢપણું હોવાથી વિશેષથી વર્જન માટે ગ્રહણ છે. અને કન્યાલીકાદિમાં ભોગાન્તરાય અને દ્વેષવૃદ્ધિ આદિ દોષ સ્પષ્ટ જ છે. જે કારણથી આવશ્યકચૂણિમાં કહેવાયું છે – ID for his f )befogy for ‘મૃષાવાદમાં કયા દોષો છે. નહીં કરવામાં કયા ગુણો છે?ચામૃષાવાદનો કથનમાં દોષ કન્યાને અન્યો બોલતો ભોગાન્તરાય દોષો છે. અથવા દુષ્ટ એવી કન્યા આપઘાત કરે અથવા આત્મઘાત કરાવે એ રીતે રોષમાં શેષઅલકમાં જાણવું. (પચ્ચકખાણ આવશ્યક સૂત્ર હારિભદ્રીવૃત્તિ-૯ર૧) ઇત્યાઝિ531s fદn its try અને સ્થાપત કરાય છે=રક્ષણ માટે અન્યને સમર્પણ કરાય છે. એકસુવાણદિન્યાસ છેતેનો નિહનવ=અપલાપ, તે વચન સ્થૂલ મૃષાવાદ છે. અને આ જ વિશેષથી પૂર્વ અલીકોથી આને જ= ન્યાસને જ, ભેદથી કહેવાયું. અને આનું અદત્તાદાનપણું હોવા છતાં પણ વ્યાસના અપલાપનું } } { SUB - € € . 576 . m tr) | | | | . . ! E 15 ETV GSES, 'અદતાદાતપણું હોવા છતાં પણ, વચનના જ પ્રાધાન્યથી વિવલાથી મૃષાવાદપણું છે." " ફૂટસાક્ષી લભ્ય-દેય વિષયમાં=બીજા પાસેથી મેળવવાના અને બીજાને આપવાના વિષયમાં, કમાણીકૃતનુંબ્રિાંચમંત્સરાંદિધીજૂઠુંબોલનારને હું અહીં સાક્ષી છું એ પ્રમાણે જૂઠું બોલનારને, થાય છે. પરકીયપોપલાસંમર્થકપણરૂપ વિશેષ આશ્રયીને પૂર્વના મૃષાવાદથી આનો નફૂટસાક્ષીતો, ઇંદપૂર્વનામૃષાવાદથી ભેદરૂપે ઉપચીસંછે .11.11 : છi = win gn: Bહ fuss s વૃ આત્માર્થ છે ક્રિોધમાલ મચારલોભ, ત્રિવિધ રાગ કામરગઈસ્નેહરગિરૅિષ્ટિરાંગ, ઢ, હાસ્યાબંધ ગજ્જડાફલિઅરતિ, દક્ષિણ્ય મોબઈ: વિષાદ-આદિથી પાદશંભવ છે. અને પીડાનો હેતુ એવો સત્યવાદ પણ મૃષાવાદ છે; કેમ કે વિદ્યમાન એવો જીવોને હિત સત્ય છે એ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ધર્મસંગ્રહ ભાગ-૨. દ્વિતીય અધિકારી શ્લોક-૨૬ પ્રકારની વ્યુત્પતિથી.પરપીડાર્કરાન્વચઅસત્યજીછે. જે કારણથી કહ્યું છે kinjy, Tissip “અલીક=જૂઠું, બોલવું જોઈએ નહિ. સત્ય પણ જે વક્તવ્ય નથી. જે પરપીડાકર વચન છે તે સૈર્યપણાચ નથી." (સંબોધ પ્રકરણ-શ્રા. વ્રતા. ૧૬) .ઉં !-3s $$1$ 1Ú3s 3gp '' jfiઝ કfઅને સેકઅસત્યર્ધચના બે પ્રકારનું છે. સ્થૂલ અને સૂક્ષ્મ, ત્યાં બે પ્રકારનાઅસત્યમાં પરિસ્થવસ્તુ વિષયવાળો અને અતિદુષ્ટ વિવેક્ષાથી સમુર્ભાવવાળો સ્થૂલા છે અને તેનાથી વિપરીત સૂક્ષ્મ-છે અને કહે છે – --- liાવાળાકી=ઈર છy fly 6 5.35 બે પ્રકારનો. મૃષાવાઇ છે? સૂક્ષ્મઅધૂલા અને ત્યાં બે પ્રકારના-મૃષાવાદમાં અસૂર્મ પરિહાસાદિ પ્રભવ છે. સ્થૂલ વળી તીવ્ર સંક્લેશથી છે." (સંબોધ પ્રકરણ-શ્રા. વ્રતા. ૧૭) 11 9 fuse is 19૪શ્રાવકને સૂક્ષ્મ-મૃષાવાદમાંડ્યા છે!વળી થૂલ મૃષાયાંઈ પરિહાર્ય છે. અમે પ્રમાણે અચંયક છે - fishઈ (IB1) isleill fbidy IjJJછોબાઝ .(!...11cjf) sr BJP સ્થૂલ મૃષાવાદનું શ્રમણોપાસક પચ્ચખાણ કરે છે. તે મૃષાવાદ પાંચ પ્રકારના કહેવાયા છે. તે આ પ્રમાણે'. ચાલક- કાલીળું ભૂઝિક ફાર્સ ઉપહાર્ટસી!' પ્રખ્યાતાય. ૨, હારિભદ્રવૃત્તિ ૫.૮૨89 10 .(૬ ૪૬ ઇ૬ 948131112118 1984 1913sis) 1દા ".8 તેની ચૂણિમાં પણ આવશ્યક સૂત્રની ચૂણિમાં પણ કહેવાયું છે – -: sites? જેના બોલવાથી પોતાને કે બીજાને અત્યંત બોધ અને અતિસંકલેશથાયછે.ગતપીતનમાંકે અન્ચ માટે ન બોલવું જોઈએ.” (આવશ્યકચૂણિ ભાગ-૨, ૫,૨૮૫) -: ૩ણs a cers (Se . 5.અને આ અસત્ય પ્રકારનું છે JC 5 j$ .૩ ૩.૪ ૩.pJ5 26] Jઝ 589૧ ભૂતતિસ્તવભૂતનો અપલાપ અભૂતનું ઉદ્દભાવ ૩. અર્થાન્તરાજ ગહ૩ 9] 19 .; ત્યાં પ્રકારના અસત્યમાં ભૂતલિઈવ"આપ્રમણા છે. આત્મા માંથી પુણ્ય તિથી, પાપ"તથી Skil 2 SSFS { Psics ŚRUJE DHE SE Jjs vi ses fond 1984:3 loss FOIS IPISHG G2 Movie $ માંયોમકે તદુલમાં છે. ઇત્યાદિ. Je plager F319 3jk }} Bojs 6 Eljes ju]Pales ૩. અર્થાન્તર આ પ્રમાણે છે – ગાયને અશ્વ એ પ્રમાણે કહેવાથી અર્થાન્તર થી છે. ડા૦ ૬ કાજ.અગહખ્રિણ પ્રકારની છે. (૧જ્ઞાવિધ વ્યાપાર પ્રવર્તન કરનારી જે પ્રમાણ ક્ષેત્રને ખેડEખેતી કિર ઇત્યાદિ.!!• ? Sિar! ke Bરું છુ !! !* *} a sje ! IS +૯ ઇંટ JિJFvJe J૧૩ ૭/ in! () અપ્રિય છે. જે પ્રમાણે કાર્ય કોણ છે એમ કહેવાથી પ્રj BJછે !! !!*}, gિs18 (૩) આક્રોશરૂપ છે. જે પ્રમાણે – અરે ! બાંધકીય=ઘાતક ઈર્ચાઈ:31.!!" 5 8 52 53395 આ વ્રતનું ફળ=સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું ફલ વિશ્વાસ, યશ, સ્વાર્થસિદ્ધિ પ્રત્યે આદું, અમોઘ વચનાદિ છે. જે પ્રમાણે કર્યું છે... ૪° Jyo 1$ $* Foj 1 9 513, Jv s= [} ] ગદ ૪ = 2 રાઈ, ઈ ડર છે ૧ ઉદભાવન આ પ્રમાણ છે $ 311319 ૨૨ કે સવંગત આત્મા Page #269 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૬ “સત્યથી સર્વમંત્ર અને યોગો સિદ્ધ થાય છે. સત્યથી ધર્મ, અર્થ-કામ પરિગૃહીત થાય છે. સત્યથી રોગ અને શોક નાશ પામે છે. ।।૧|| ૨૫૨ * શ્લોકમાં રહેલ ‘સત્ત્વે’ શબ્દનું ત્રણેય સાથે યોજન છે. સત્ય યશનું મૂળ છે. સત્ય પરમ વિશ્વાસનું કારણ છે. સત્ય સ્વર્ગનું દ્વાર છે. સત્ય સિદ્ધિનું સોપાન છે. ।।૨।। આવા અગ્રહણમાં=સત્યવ્રતના અગ્રહણમાં, અને અતિચરણમાં=ગ્રહણ કર્યા પછી વ્રતના ઉલ્લંઘનમાં વૈપરીત્યથી ફળ છે=વિપરીતપણાથી ફળ છે “અપ્રિયવાદી જે-જે જાતિ બોલે છે. ત્યાં-ત્યાં ઉત્પન્ન થાય છે. સુખને-સુશબ્દને સાંભળતો નથી. અશોભન શબ્દને સાંભળે છે. ।।૧।। દુર્ગંધવાળો, પૂતિમુખવાળો=ગંધાતા મુખવાળો, અનિષ્ટ વચનવાળો અને કઠોર વચનવાળો, જડ, એડમુખ=બકરા જેવું બોલનારો (મૂંગો-બહેરો), મમ્મણ=સ્ખલના પામતો બોલનારો (આ બધા) અલીક-વચન બોલવામાં દોષો છે. IIRII જિહ્વાછેદને અને વધને અથવા બંધને, અયશને અથવા ધનનાશને અલીકવચનથી આલોકમાં જ જીવો પ્રાપ્ત કરે છે.” ।।૩। (સંબોધ પ્રકરણ શ્રાદ્ધવ્રતાધિકાર ૨૩, ૨૪, ૨૫) ઇત્યાદિ. ॥૨॥ ભાવાર્થ: શ્રાવકના સ્થૂલ મૂષાવાદ વિરમણ વ્રતના પાંચ ભેદો છે ૧. કન્યા વિષયક મૃષાવાદ : કન્યા વિષયક મૃષાવાદ કન્યાલીક છે. કોઈ દ્વેષને કારણે આ વિષકન્યા છે એ પ્રમાણે કહે તે કન્યાલીક છે. વાસ્તવિક રીતે તે વિષકન્યા નહીં હોવા છતાં તે કન્યા પ્રત્યેના દ્વેષના કા૨ણે વિપરીત કથન કરે અથવા વિષકન્યા હોવા છતાં રાગને કા૨ણે અવિષકન્યા છે તેમ કહે અથવા સુશીલ કન્યાને દ્વેષને કા૨ણે દુઃશીલ કન્યા કહે અથવા રાગને કા૨ણે દુઃશીલ કન્યાને સુશીલ કન્યા કહે આ પ્રકારે રાગથી કે દ્વેષથી કન્યાવિષયક જે મૃષાવચન તે કન્યાલીક છે. ઉપલક્ષણથી પુત્ર વિષયક અન્ય કોઈ બે પગવાળા મનુષ્ય વિષયક અલીકવચન બોલવામાં આવે તે સર્વ આ પ્રથમ ભેદમાં અંતર્ભાવ પામે છે. - ૨. ગાય વિષયક મૃષાવાદ : ગાય વિષયક મિથ્યાવચન ગોઅલીક છે. જેમ પોતાની ગાયને વેચવા માટે અલ્પ દૂધ આપનારી ગાયને બહુ દૂધ આપનારી કહે અથવા કોઈક અન્યની ગાય બહુ દૂધ આપનારી હોય છતાં તેના પ્રત્યેના દ્વેષને કા૨ણે તેની ગાય અલ્પ દૂધ આપનારી છે તેમ કહે તે ‘ગોઅલીક’ છે. આ ગોઅલીકમાં ચાર પગવાળા પશુવિષયક સર્વ મૃષાવાદનો સંગ્રહ છે. ૩. ભૂમિઅલીક બીજાની જમીન હોય અને લોભવશ આ જમીન મારી છે તેમ મૃષાવચન કહે; પોતાની જમીન હોય -- Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૬ છતાં કોઈને આપવાની ઇચ્છા ન હોય ત્યારે કહે કે આ મારી જમીન નથી, બીજાની છે; તો તે ભૂમિવિષયક મૃષાવચન છે. વળી, કોઈ ખેતર ખેતી માટે ઊખર હોય અર્થાતુ ખેતી માટે અયોગ્ય હોય છતાં વેચવા માટે તે ખેતર ખેતીને યોગ્ય છે તેમ કહે અથવા કોઈનું ખેતર અનૂખર હોય તો પણ તેની પ્રત્યેના દ્વેષને કારણે તે ખેતર ઊખર છે તેમ કહે તે ભૂમિ વિષયક મિથ્યાવચન છે. ઉપલક્ષણથી સર્વ દ્રવ્ય વિષયક અલીકવચન ભૂમિઅલીકમાં સંગૃહીત થાય છે. તેથી ધન ધાન્ય આદિ સર્વ વિષયનું મૃષાવચન ભૂમિઅલીકમાં સમાવેશ પામે છે. અહીં પ્રશ્ન થાય કે આ ત્રણ પ્રકારના મૃષાવચનને સ્થૂલ મૃષાવાદ કેમ કહ્યો ? તેથી કહે છે – ક્લિષ્ટ આશયથી આ પ્રકારનો મૃષાવાદ થાય છે, માટે સ્થૂલ મૃષાવાદ છે; કેમ કે રાગ કે દ્વેષના વશથી આ પ્રકારનાં મૃષાવચનો થાય છે. અહીં પ્રશ્ન થાય કે દ્વિપદ, ચતુષ્પદ અને અપદનું ગ્રહણ કરવાને બદલે કન્યાવિષયક ઇત્યાદિ કેમ કહ્યું? .તેથી ટીકાકારશ્રી કહે છે – કન્યાવિષયક, ગોવિષયક અને ભૂમિવિષયક મૃષાવચન છે તે લોકમાં અતિ ગહિત છે અને તે પ્રકારે જ તે મૃષાવચનરૂપે રૂઢ છે. તેથી વિશેષથી તેના વર્જન માટે દ્વિપદ, ચતુષ્પદ અને અપદ એમ કહેવાને બદલે કન્યાલીક આદિ કહેલ છે. વળી, કન્યાલીક આદિમાં ભોગાન્તરાય, વૈષની વૃદ્ધિ આદિ દોષો સ્પષ્ટ જ છે; કેમ કે દ્વેષથી અવિષકન્યાને વિષકન્યા કહેવાથી તે કન્યાને ભોગમાં અંતરાયની પ્રાપ્તિ થાય છે અને પોતાને તે કન્યા પ્રત્યે જે દ્વેષ છે તેની પોતાનામાં વૃદ્ધિ થાય છે. વળી, રાગથી દુઃશીલ કન્યાને સુશીલ કન્યા કહેવામાં પોતાને તે કન્યા પ્રત્યે જે રાગ છે તે મૃષાવચન બોલાવીને વૃદ્ધિ પામે છે. વળી, તેમ કહીને તેનાં લગ્ન આદિ થવાથી સામેની વ્યક્તિને જે અનર્થો થાય છે તેમાં પોતે પ્રબળ કારણ બને છે. માટે કન્યાલીકાદિમાં આવા અનેક દોષો છે. વળી, કન્યાલીકાદિમાં ક્યા દોષો થાય છે ? તે બતાવવા માટે “આવશ્યકચૂર્ણિ'નો પાઠ આપે છે – ત્યાં “આવશ્યકચૂર્ણિમાં મૃષાવાદ કરવાથી કયા દોષો થાય છે અને મૃષાવાદ નહીં કરવાથી ક્યા દોષો થાય છે તે બતાવેલ છે. કન્યાને અકન્યા કહેવાથી ભોગાન્તરાય દોષ થાય છે. અર્થાત્ સુશીલ કન્યાને દુ:શીલ કન્યા કહેવાથી તે કન્યાને લગ્નની પ્રાપ્તિમાં વિઘ્ન કરવાથી ભોગાન્તરાય દોષની પ્રાપ્તિ થાય છે. વળી, તે પ્રકારનું જ્ઞાન કરવામાં પોતાને તે કન્યા પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામે છે અને આ પ્રકારનું કોઈની કન્યા વિષયક કહેવાથી તે વચન સાંભળીને ખેદને પામેલી તે કન્યા આત્મઘાત કરે તેથી તેને આત્મઘાત કરાવવામાં તે વચન બોલનારને દોષની પ્રાપ્તિ થાય છે. અથવા તે કન્યાને દુઃશીલ કહેવાને કારણે તે કન્યાનું લગ્ન ન થાય તેના કારણે કંટાળીને તેનાં કુટુંબીજનો તેને આપઘાત કરાવે તેમાં મૃષાવાદ બોલનાર પ્રબળ કારણ બને છે. આ પ્રકારે મૃષાવાદ બોલવામાં દોષો થાય છે. કન્યાલીકમાં બતાવ્યું તેમ ગોએલીક, ભૂમિઅલીકમાં સંભવિત દોષોનો વિચાર કરી લેવો. તે પ્રમાણે “આવશ્યકચૂર્ણિ'માં કહેલ છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ રy૪૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૬ ૪. ન્યાસ અપહાર :- , “ . કોઈ વ્યક્તિએ રક્ષણ માટે સુવર્ણાદિ ધન આપ્યું હોય અને લોભને વશ કહે કે “તેં મને આપ્યું નથી,' તે ન્યાસઅપહારરૂપ સ્થૂલ મૃષાવાદ છે. જોકે “અપદ'માં તેનો અંતર્ભાવ થઈ શકે તોપણ લોકમાં બીજાની થાપણનો અપલાપ કરવો તે અતિઅનુચિત છે, તેમ પ્રસિદ્ધ છે. તેનો વિશેષથી બોધ કરાવવા અર્થે પૂર્વના મૃષાવાદોથી ન્યાસ અપહારને પૃથક્ કહેલ છે. વળી, આ થાપણના અપલાપમાં અદત્તાદાનવ્રતના ભંગની પ્રાપ્તિ છે; તોપણ “તેં મને ધન આપ્યું નથી.” તે પ્રકારના મૃષાવચનને પ્રધાન કરીને વિવક્ષા કરેલ હોવાથી ન્યાસઅપહાર” મૃષાવાદ છે. ૫. ફૂટસાક્ષી :- . કોઈની પાસેથી પોતાને લભ્ય વસ્તુ હોય અથવા કોઈને પોતાને માટે દેય વસ્તુ હોય તેના વિષયમાં લાંચથી-મત્સર આદિથી ખોટી સાક્ષી પૂરવામાં આવે તે “કૂટસાક્ષી' કહેવાય. જેમ કોઈની પાસેથી કોઈકને કોઈ ધન લેવાનું હોય અને સામી વ્યક્તિ આપતો ન હોય ત્યારે તેમાં સાક્ષી આપવામાં આવે કે આ વ્યક્તિએ તેની પાસેથી ધન લીધું જ નથી અથવા કોઈકને કોઈનું ધન આપવાનું હોય અને તે ધન તે આપવા તૈયાર ન હોય અને તેમાં પોતે સાક્ષી બને કે આ ધન તેને આપવાનું બાકી નથી, તેને પૂર્વે અપાઈ ચૂકેલું છે. આ રીતે લાંચથી કે સામી વ્યક્તિ પ્રત્યેના મત્સરથી કે અન્ય કોઈ સ્વાર્થસંબંધને કારણે ખોટી સાક્ષી ભરવામાં આવે તે કૂટસાક્ષી મૃષાવાદ છે અને આ પ્રકારના મૃષાવાદમાં પારકાના પાપના સમર્થકત્વરૂપ વિશેષ છે. તેથી અન્ય અલકમાં તેનો અંતર્ભાવ થવા છતાં પૃથક ગ્રહણ કરેલ છે. અને આ ન્યાસ અપહાર અને કૂટસાક્ષી બે અલીક પણ ક્લિષ્ટ આશયથી બોલાય છે તેથી સ્થૂલ અસત્ય છે. અર્થાત્ સામાન્ય રીતે કોઈનું અહિત ન થાય તેવું મૃષાવચન સૂક્ષ્મ અસત્ય છે અને આ અલીકોમાં વિશેષ પ્રકારના રાગાદિભાવો વર્તે છે. તેથી સ્થૂલ અસત્ય છે. વળી, આ સ્થૂલ મૃષાવાદ કઈ રીતે સંભવે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જીવ ક્રોધને વશ, માનને વશ, માયાને વશ, લોભને વશ, કામરાગ-સ્નેહરાગ કે દૃષ્ટિરાગને વશ, દ્વેષને વશ, ભયને વશ, લજ્જાને વશ, કીડાને વશ, રતિ-અરતિને વશ, દાક્ષિણ્યને વશ, મુખરપણાને વશ વધારે પડતા બોલવાની ટેવને કારણે કે વિષાદ આદિને વશ અસત્ય બોલે છે. વળી, કોઈ વ્યક્તિ વિષકન્યાને જ વિષકન્યા કહે, દુઃશીલ કન્યાને દુઃશીલ કન્યા કહે તે વચન સત્ય છે. છતાં પણ અન્યને પીડાનો હેતુ હોવાથી મૃષાવાદરૂપ જ છે. તેથી કોઈપણ સત્ય વચન અન્યને પીડાકાર, હોય તો પાંચ મૃષાવાદમાંથી યથાયોગ્ય કોઈપણ મૃષાવાદમાં અંતર્ભાવ પામે છે; કેમ કે “સતુ એવા જીવોનું હિત તે સત્ય' એ પ્રકારના “સત્ય' શબ્દની વ્યુત્પત્તિથી પરને પીડા કરનાર વચન અસત્ય જ વચન છે. ૩ આનાથી એ ફલિત થાય કે શ્રાવકને મૃષાવચન બોલવાનો નિષેધ જ છે, છતાં પણ કોઈને પીડા થાય તેવું કે કોઈને અહિત થાય તેવું વચન પણ બોલવું જોઈએ નહિ. ફક્ત કોઈને પીડાકારી ન હોય અને રાગ-દ્વેષથી બોલાયેલું ન હોય છતાં અનાભોગાદિથી ગાયને બળદ કહેવામાં આવે તેવા સૂક્ષ્મ મૃષાવાદનો શ્રાવકને Page #272 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૬ ૨પપ. પરિહાર નથી. જ્યારે સાધુ તો અનાભોગથી ગાયને બળદ કહે તો તેમને મૃષાવાદની પ્રાપ્તિ છે; કેમકે સૂક્ષ્મમૃષાવાદનો પરિવાર તેમણે કર્યો છે. આથી દૂરવર્તી બળદ છે કે ગાય છે તેવો નિર્ણય ન હોય તેવા સ્થાનમાં માર્ગ બતાવતી વખતે સાધુ કહે કે ગૌ જાતીય પ્રાણી દેખાય છે તે માર્ગે જવાનું છે તેને બદલે જો સાધુ કહે કે ગાય ઊભી છે તે માર્ગે જવાનું છે તો બળદને ગાય કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેથી સાધુને” મૃષાવાદની પ્રાપ્તિ થાય તેના પરિવાર અર્થે સાધુ ગોજાતીય શબ્દનો પ્રયોગ કરે છે. જેથી સોધુને મૃષાવાદની પ્રાપ્તિ થાય નહીં. આવા પ્રકારના સૂક્ષ્મ મૃષાવાદનો પરિહાર શ્રાવકોના વ્રતમાં નથી તેથી શ્રાધકોને આશ્રયીને ક્લિષ્ટ આશયથી થતા સ્થૂલ મૃષાવાદનું પચ્ચખ્ખાણ છે. વળી, તે મૃષાવાદ બે પ્રકારનો છે. સ્કૂલ અને સૂક્ષ્મ. જે પરિસ્થૂલ વસ્તુ વિષયક અને અતિ દુષ્ટ, વિવફાથી ઉદ્ભવ થયેલ હોય તે સ્થૂલ મૃષાવાદ છે અને તેનાથી વિપરીત સૂક્ષ્મ મૃષાવાદ છે અને શ્રાવકને સૂક્ષ્મ મૃષાવાદમાં યતના હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી શ્રાવક સૂક્ષ્મ પણ મૃષાવાદ કરે નહીં અને સ્કૂલ મૃષાવાદનો ત્યાગ શ્રાવકે કરવો જોઈએ. જેથી ક્લિષ્ટ આશય થાય નહિ. વળી ‘આવશ્યક ચૂર્ણિ'માં કહ્યું છે કે જે બોલવાથી પોતાને કે પરને અતિબાધા થાય છે અને અધિક સંકેલેશ થાય છે તેવો મૃષાવાદ પોતાના માટે કે અન્ય માટે વર્જન કરવો જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે કન્યાલીક આદિમાં પૂર્વ વર્ણન કર્યા તેવા મૃષાવાદ બોલવાથી પોતાને પણ તીવ્ર રાગ-દ્વેષ થાય છે માટે પોતાને બાધા ઉત્પન્ન થાય છે અને અન્યને પણ ઘણા સંકલેશો થાય છે. માટે તેવો મૃષાવાદ પોતાના સંકલેશના વર્જન માટે અને અન્યના સંકલેશના વર્જન માટે શ્રાવકે કરવો જોઈએ નહિ. વળી, આ મૃષાવાદ અન્ય રીતે ચાર પ્રકારનો છે. ૧. સદ્ભુત વસ્તુના અપલોપરૂપ. ૨. અંસભૂતનો ઉભાવનરૂપ. ૩. અર્થાન્તરરૂપ !! . ૪. ગોંરૂપ. . . . . . ૧. સદ્ભુત વસ્તુના આપલાપરૂપ - - આત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી ઇત્યાદિ સ્વમતિ અનુસાર બોલનારા જીવોને સદ્ભૂત એવી આત્માદિ વસ્તુના ઉપલાપરૂપ મૃષાવાદની પ્રાપ્તિ છે. ૨. અસભૂતના ઉભાવનરૂપ : આત્માનું સ્વરૂપ સ્વમતિ અનુસાર કોઈ કહે કે શ્યામક તંદુલ માત્ર આત્મા છે. આ પ્રકારના વચનમાં વસ્તુનું એવું સ્વરૂપ નથી તેવું વિકૃત સ્વરૂપ કહેવામાં આવે તે અસભૂતના ઉભાવનરૂપ છે. તે રીતે કોઈપણ પદાર્થ વિષયક પૂર્ણ બોધ હોય નહીં અને સ્વમતિ અનુસાર તે પદાર્થનું કથન કરવામાં આવે તો અસંભૂત ઉદ્દભાવનરૂપ મૃષાવાદ પ્રાપ્ત થાય. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨પ૬ ધર્મસંગ્રહ ભાગ- ૨ | દ્વિતીય અધિકાર | બ્લોક-૨૬ ૩. અર્થાન્તરરૂપ - કોઈ ગાયને અશ્વ કહે તે રીતે જે વસ્તુ જેવી નથી તે વસ્તુને અન્ય સ્વરૂપે કહે તે અર્થાન્તર છે. ૪. ગહરૂપ : ગહરૂપ મૃષાવાદ ત્રણ પ્રકારનો છે. (i) સાવધ વ્યાપારરૂપ ગર્તા - જેમ કોઈ કહે “ખેતીને કર’ તે સાવદ્ય વ્યાપારરૂપ હોવાથી મૃષાવાદ છે. (ii) અપ્રિયવાક્યરૂપ ગહ - કોઈ કાણાને કાણો કહે તે અપ્રિય વચન હોવાથી મૃષાવાદ છે. (ii) આક્રોશરૂપ ગહ - જેમ કોઈ કહે કે આ ઘાતકી છે તે આક્રોશરૂપ મૃષાવાદ છે. સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતના પાલનથી આલોકમાં શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – લોકોમાં વિશ્વાસ પેદા થાય છે, સત્યવાદી છે તે પ્રકારે યશ થાય છે, સ્વાર્થની સિદ્ધિ થાય છે; કેમ કે મૃષા નહીં બોલનાર પ્રત્યે લોકો વિશ્વાસ રાખે છે. તેથી ધન-અર્જન આદિ સ્વાર્થની સિદ્ધિ થાય છે, લોકોમાં પ્રિય બને છે, આદેય બને છે=લોકો તેની વાત સ્વીકારે છે. અમોઘવચનવાળો થાય છે=નિષ્ફળ ન જાય તેવા વચનવાળો થાય છે, કેમ કે તેના વચનનો બધા વિશ્વાસ કરે છે. વળી, સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતના ફલને બતાવવા માટે સાક્ષીપાઠ આપે છે – સર્વ મંત્રના યોગો સિદ્ધ થાય છે, ધર્મ-અર્થ-કામ સિદ્ધ થાય છે. સત્યથી પરિગૃહીત જીવના રોગ-શોક નાશ પામે છે. આ સર્વ ફળો સત્ય વચન બોલવાને કારણે પ્રગટ થયેલા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. વળી, સત્ય યશનું મૂળ છે. સત્ય વિશ્વાસનું પરમ કારણ છે. તે કથન આલોકમાં પ્રત્યક્ષ છે. વળી, સત્ય સ્વર્ગનું દ્વાર છે; કેમ કે સત્ય બોલનારને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે તેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વળી સત્ય મોક્ષનું સોપાન છે; કેમ કે સત્યભાષી શ્રાવક ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી, જેઓ બીજા વ્રતને ગ્રહણ કર્યા પછી તેમાં અતિચારો લગાડે છે કે વ્રત ગ્રહણ કરતા નથી, તેઓને શું-શું અનર્થો પ્રાપ્ત થાય છે તે બતાવે છે – અસત્ય બોલનાર જે-જે પ્રકારનાં વચન બોલે છે તે-તે પ્રકારની ખરાબ જાતિમાં જાય છે. તે સુખને પ્રાપ્ત કરતો નથી. સુંદર શબ્દો સાંભળતો નથી. અને બધે ઠેકાણે તેને ન સાંભળવાયોગ્ય શબ્દ સાંભળવા મળે છે; કેમ કે પૂર્વભવમાં અસત્ય બોલીને તે પ્રકારનું પાપ કર્યું છે કે જેથી સર્વત્ર તેને દુઃખોની જ પ્રાપ્તિ થાય છે. વળી, અસત્ય બોલનાર જીવોને દુર્ગંધવાળું શરીર, દુર્ગધવાળું મુખ, અનિષ્ટ વચનવાળો=જેનાં વચન લોકને ન ગમે તેવા વચનવાળો, કઠોર વચનવાળો થાય છે. વળી, મૃષાવાદ બોલનાર જડ પ્રકૃતિવાળો, બકરાની Page #274 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૬૨૭ ૨૫૭ જેમ મેં એં કરનારો અથવા તૂટક-ફૂટક શબ્દ બોલનારો બને છે. આ સર્વ દોષો મૃષાવાદને કારણે પ્રાપ્ત थाय छे. वणी, भृषावाह जोसनार वोने खासोङमां पा निड्वाछेह, वध, बंधन, जयश, धननाश वगेरे प्राप्त थाय छे ॥२५॥ अवतरशिडा : उक्तं द्वितीयमणुव्रतम्, अथ तृतीयं तदा अवतरशिद्धार्थ : બીજું અણુવ્રત કહેવાયું. હવે ત્રીજા એવા તેને=અણુવ્રતને, કહે છે श्लोड : - परस्वग्रहणाच्चीर्यव्यपदेशनिबन्धनात् । या निवृत्तिस्तृतीयं तत्प्रोचे सार्वैरणुव्रतम् ।। २७ ।। अन्वयार्थ : चौर्यव्यपदेशनिबन्धनात् परस्वग्रहणात्=यौर्थना व्यपदेशनुं अराग सेवा परना घनना ग्रहाथी, या = निवृत्तिः = निवृत्ति, तत्-ते, तृतीयं अणुव्रतम् = त्रीं अगुव्रत, सार्वैः सर्वज्ञये प्रोचे =ऽधुं छे. ॥२७॥ श्लोकार्थ : ચૌર્યના વ્યપદેશનું કારણ એવા પરના ધનના ગ્રહણથી જે નિવૃત્તિ તે ત્રીજું અણુવ્રત સર્વજ્ઞએ ह्युं छे. ॥२७॥ टीडा : परस्या=अन्यस्य, स्वं द्रव्यं, तस्य ग्रहणमादानं तस्मात् कीदृशात् ? 'चौर्येति' चौर्यं चोरिका तस्य व्यपदेशो = व्यवहारस्तस्य निबन्धनं = निमित्तं तस्मात् येन कृतेनायं चौर इति व्यपदिश्यते इतिभावः । तस्माद्या निवृत्तिर्विरतिः तत्तृतीयमणुव्रतं 'सार्वै: ' = अर्हद्भिः, 'प्रोचे ' = प्रोक्तम् इत्यक्षरार्थः । भावार्थस्त्वयम् – अदत्तं चतुर्द्धा, यदाहुः “सामीजीवादत्तं, तित्थयरेणं तहेव य गुरूहिं । एअमदत्तसरूवं, परूविअं आगमधरेहिं ।। १ ।। " [ सम्बोधप्र. श्राद्धव्रता. २६] यद्वस्तु कनकादिकं स्वामिनाऽदत्तं तत्स्वाम्यदत्तम् १ । यत्फलादि सचित्तं स्वकीयं भिनत्ति तज्जीवादत्तम्, यतस्तेन फलादिजीवेन न निजप्राणास्तस्य दत्ताः २ । गृहस्थेन दत्तमाधाकर्मादिकं तीर्थकराननुज्ञातत्वात् Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૭ साधोस्तीर्थकरादत्तम् । एवं श्राद्धस्य प्रासुकमनन्तकायाभक्ष्यादि तीर्थकरादत्तम् ३ । सर्वदोषमुक्तमपि यद् गुरूननिमन्त्र्य भुज्यते तद्गुर्वदत्तम् ४ ।। अत्र स्वाम्यदत्तेनाधिकारः तच्च द्विविधम्, स्थूल सूक्ष्मं च तत्र परिस्थूलविषयं चौर्यव्यपदेशकारणत्वेन निषिद्धमिति दुष्टाध्यवसायपूर्वकं स्थूलम् चौर्यबुद्ध्या क्षेत्रखलादावल्पस्यापि ग्रहणं स्थूलमेवादत्तादानम्, तद्विपरीतं सूक्ष्मम् स्वामिनमननुज्ञाप्य तृणलेष्ट्वादिग्रहणरूपम् तत्र श्राद्धस्य सूक्ष्मे यतना कर्त्तव्या, स्थूलात्तु निवृत्तिः । यतः सूत्रम् - "थूलगादत्तादाणं समणोवासओ पच्चक्खाइ, से अ अदत्तादाणे दुविहे पण्णत्ते, तंजहा-सचित्तादत्तादाणे अचित्तादत्तादाणे अ" [प्रत्याख्यानावश्यकसू० ३, हारिभद्रीवृत्तौ प० ८२२] त्ति । एतव्रतस्य च फलं सर्वजनविश्वाससाधुवादसमृद्धिवृद्धिस्थैर्यैश्वर्यस्वर्गादि, यदवादि - “खित्ते खले अरण्णे, दिआ य राओ व सत्थ्घाए वा । अत्थो से न विणस्सइ, अचोरिआए फलं एअं ।।१।। गामागरनगराणं, दोणमुहमडंबपट्टणाणं च । सुइरं हवंति सामी, अचोरिआए फलं एअं ।।२।।" [सम्बोधप्र. श्राद्ध. ३३-४] एतव्रतानुपादाने मालिन्योत्पादने वा दौर्भाग्यदास्याङ्गच्छेददारिद्र्यादि, उक्तमपि - "इह चेव खरारोहणगरिहा धिक्कार मरणपज्जंतं । दुक्खं तक्करपुरिसा, लहंति नरयं परभवंमी ।।१।। नरयाओ उव्वट्टा, केवट्टा कुंटमंटबहिरंधा । चोरिक्कवसणनिहया, हुंति नरा भवसहस्सेसुं ।।२।।" [सम्बोधप्र. श्रा. ३५-६] इति ॥२७॥ टीमार्थ :परस्यान्यस्य ..... इति ।। ५२jसय, स्व-द्रव्य, dj L तनाथी Egle मेम सत्यय छे. કેવા પ્રકારના ધનનું ગ્રહણ છે ? એથી કહે છે – ચૌર્ય ચરિકા, તેનો વ્યપદેશ=વ્યવહાર, તેનું કારણ =નિમિત્ત, તે રૂપ પરના ગ્રહણથી નિવૃત્તિ એ પ્રમાણે અવય છે. જે કરવાથી=જે પરના ધનને ગ્રહણ કરવાથી, આ ચોર છે એ પ્રકારનો વ્યપદેશ કરાય છે, એ પ્રકારનો ભાવ છે. તેનાથી=પરના ધનના ગ્રહણથી, જે નિવૃત્તિ=વિરતિ, તે ત્રીજું અણુવ્રત સર્વજ્ઞએ=અરિહંતોએ, કહ્યું છે. એ પ્રમાણે અક્ષરાર્થ છે શ્લોકના અક્ષરોનો અર્થ છે. वजी, भावार्थ मा छे - महत्तयार प्रहार छे. हेने छ - Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૭ “સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થકર વડે અદા અને ગુરુ વડે અદત્ત આ પ્રકારનું અદત્તનું સ્વરૂપ આગમધર વડે પ્રરૂપિત છે." (સંબોધપ્રકરણ શ્રાદ્ધવ્રતાધિકાર – ૨૬) (૧) જે કનકાદિ વસ્તુ સ્વામીએ આપી ન હોય તે સ્વામીઅદત્ત' કહેવાય. (૨) જે સ્વકીય સચિત ફલાદિ ભેદે છે. તે જીવથી અદત્ત છે. જે કારણથી, તે ફલાદિ જીવ વડે પોતાના પ્રાણ તેને અપાયા નથી માટે જીવઅદત્તછે. (૩) ગૃહસ્થ વડે અપાયેલું આધાકદિ તીર્થકર વડે સાધુને અનુજ્ઞાત હોવાથી તીર્થકરઅદત્ત છે. એ રીતે શ્રાવકોને પ્રાસક, અનંતકાય, અભક્ષ્યાદિ તીર્થકરઅદત છે. (૪) સર્વદોષોથી રહિત પણ ગુરુને નિમંત્રણ કર્યા વગર જે વપરાય છે તે ગુરુઅદત્ત છે. અહીં-ત્રીજા સ્થૂલ અણુવ્રતમાં, સ્વામીઅદત વડે અધિકાર છે, તે બે પ્રકારનો છે – સ્કૂલ અને સૂક્ષ્મ. ત્યાં બે પ્રકારના સ્વામીઅદત્તમાં, ચૌર્યના વ્યપદેશના કારણપણાથી પરિસ્થલ વિષયવાળું અદત્તાદાન નિષિદ્ધ છે. એથી દુષ્ટ અધ્યવસાયપૂર્વક પૂલ છે. ચોર્ય બુદ્ધિથી ક્ષેત્રમાં ખેતરમાં, ખલ આદિમાં=ખલ પુરુષોમાં અલ્પનું પણ ગ્રહણ પૂલ જ અદત્તાદાન છે. તેનાથી વિપરીત સૂક્ષ્મ છે. સ્વામીને અનાજ્ઞાપન કરીને તૃણ-ઢેડું આદિ ગ્રહણરૂપ સૂક્ષ્મ છે. ત્યાં=સ્થૂલ અને સૂક્ષ્મ અદત્તાદાનના બે ભેદમાં, શ્રાવકે સૂક્ષ્મમાં યતના કરવી જોઈએ, વળી પૂલથી નિવૃત્તિ કરવી જોઈએ. જે કારણથી સૂત્ર છે – સ્થૂલ અદત્તાદાનનું શ્રમણોપાસક પચ્ચકખાણ કરે છે. અને તે અદત્તાદાન બે પ્રકારનું કહેવાયું છે. તે આ પ્રમાણે સચિત્ત અદત્તાદાન અને અચિત્ત અદત્તાદાન.” (પ્રત્યાખ્યાતાવશ્યક સૂ. ૩, હારિભદ્રવૃત્તિ ૫. ૮૨૨) આ વ્રતનું અદત્તાદાન વિરમણવ્રતનું, ફલ સર્વજનનો વિશ્વાસ, સાધુવાદ, સમૃદ્ધિની વૃદ્ધિ, ધૈર્ય એવું ઐશ્વર્ય અને સ્વર્ગાદિ છે. જે કારણથી કહેવાયું છે – “ક્ષેત્રમાં, ખલમાં=ખલપુરુષોમાં, અરણ્યમાં, દિવસે કે રાત્રે કે શસ્ત્રઘાતમાં તેનો=ત્રીજા વ્રતને ગ્રહણ કરનારનો, અર્થ નાશ પામતો નથી=ધન નાશ પામતું નથી, અચોરીનું આ ફલ છે. ૧] ગામ-આગરઆકર=ખાણનગરનો અને દ્રોણમુખ, મંડપ, પટ્ટણોનો સુદીર્ઘ સ્વામી થાય છે. અચોરીનું આ ફલ છે.” રાા (સંબોધ પ્રકરણ શ્રા. ૩૩-૪) આ વ્રતના અગ્રહણમાંeત્રીજા વ્રતના અગ્રહણમાં, અથવા માલિત્યના ઉત્પાદનમાં, દૌભાંગ્ય, દાસીપણુ, અંગછેદ, દરિદ્રતાદિ પ્રાપ્ત થાય છે. કહેવાયું પણ છે – “અહીં જ આ ભવમાં જ, ગધેડા ઉપર આરોપણ, ગહ, ધિક્કાર, મરણપર્યંત દુઃખ તેના કરનારા પુરુષો કચોરી કરનારા પુરુષો, પ્રાપ્ત કરે છે. પરભવમાં નરકને પ્રાપ્ત કરે છે. ૧] નરકમાંથી ઉદ્વર્તન પામેલા મનુષ્યો ચોરીના વ્યસનથી વિહત થયેલા હજારો ભવોમાં કેવટ્ટા=માછીમાર, કુંટ=ટૂંઠા હાથવાળા, મંટ=હીન અંગવાળા, બહેરા, આંધળા થાય છે.” iારા (સંબોધ પ્રકરણ શ્રા. ૩૫-૩૬). તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૭ ભાવાર્થ શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે સૂક્ષ્મ અદત્તાદાનના સ્વરૂપને સ્મરણમાં રાખીને ચૂલા અદત્તાદાનવિરમણ વ્રત સ્વીકારે છે. અને સૂક્ષ્મ અદત્તાદાનના પરિવાર માટે શક્ય એટલી યતના કરે છે. તે સ્થૂલ અદત્તાદાનનું સ્વરૂપ બતાવતાં કહે છે – આણે ચોરી કરી છે તે પ્રકારનો વ્યપદેશ=વ્યવહાર થઈ શકે તેવી પરની વસ્તુનું ગ્રહણ તેનાથી નિવૃત્તિeતેને નહીં ગ્રહણ કરવાનું પચ્ચખ્ખાણ, તે ત્રીજું અણુવ્રત છે તેમ ભગવાને કહ્યું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેની કોઈ કિંમત નથી તેવી તૃણાદિ વસ્તુને કોઈ ગ્રહણ કરે તેનું સ્થૂલ અદત્તાદાનમાં ગ્રહણ નથી પરંતુ બીજાની માલિકીની વસ્તુને તેમની અનુજ્ઞા વગર ગ્રહણ કરવામાં આવે ત્યારે “આણે ચોરી કરી છે તે પ્રકારનો વ્યવહાર થઈ શકે તેવી વસ્તુનું ગ્રહણ, એ સ્થૂલ અદત્તાદાન છે, જેની શ્રાવક નિવૃત્તિ કરે છે. વળી, આ અદત્તાદાન ચાર પ્રકારનું છે. જે ચારે પ્રકારના અદત્તાદાનની વિરતિ સાધુ જ કરી શકે છે. ૧. સ્વામીઅદત્ત - . સુવર્ણાદિ કોઈ વસ્તુ અન્યની માલિકીની હોય અને તેને પૂછ્યા વગર તેને ગ્રહણ કરવામાં આવે તો તે “સ્વામીઅદત્ત' કહેવાય. ૨. જીવઅદત્તઃ પોતે ખરીદીને લાવેલા હોય છતાં તે ફળ વગેરે જીવોનું શરીર તે જીવોએ બીજાને આપ્યું નથી તેથી તેવી સચિત્ત વસ્તુને ગ્રહણ કરવાથી જીવઅદત્તની પ્રાપ્તિ થાય. આથી જ જીવસંસક્ત વસ્તુ સાધુ ગ્રહણ કરતા નથી. ૩. તીર્થકરઅદત્ત : વળી, ગૃહસ્થ આપેલું હોય તેવું અન્ન સ્વામીઅદત્ત નથી, સચિત્ત નથી માટે “જીવઅદત્ત' નથી. તોપણ આધાકર્માદિ જે ભગવાન વડે અનુજ્ઞાત નથી તેવું અન્ન કોઈ સાધુ ગ્રહણ કરે તો સાધુને “તીર્થકરઅદત્ત' પ્રાપ્ત થાય. આથી જ સાધુ ભગવાનના વચનનું સ્મરણ કરીને તે-તે સંયોગમાં ભગવાનની આજ્ઞા અનુસાર સંયમના અંગ રૂપે જે ઉપયોગી હોય તેને જ ગ્રહણ કરે છે. તે સિવાયનું જે કંઈ ગ્રહણ કરે તે “તીર્થકરઅદત્ત' કહેવાય. વળી, શ્રાવકને જીવસંસક્ત અનંતકાય, અભક્ષ્યાદિ ગ્રહણ કરવાનો ભગવાને નિષેધ કર્યો છે, છતાં જે શ્રાવક તેને ગ્રહણ કરે તેને “તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય. ૪. ગુરુઅદત્ત : કોઈ સાધુ ગૃહસ્થ વહોરાવેલું અન્ન ગ્રહણ કરે તો સ્વામીઅદત્તની પ્રાપ્તિ નથી અને સચિત્ત ન હોય તો જીવઅદત્તની પ્રાપ્તિ નથી. તીર્થકર દ્વારા વર્જ્ય અન્ન ન હોય તો તીર્થકરઅદત્તની પણ પ્રાપ્તિ નથી; આમ છતાં ગુરુને તે આહાર બતાવ્યા વગર વાપરે તો “ગુરુઅદત્ત' દોષની પ્રાપ્તિ થાય. . Page #278 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૭ ૨૬૧ શ્રાવકને આ ચાર પ્રકારના અદત્તમાંથી ત્રીજા વ્રતમાં સ્વામીઅદત્ત વિષયક જ પ્રતિજ્ઞા છે અને તે સ્વામીઅદત્ત સ્થૂલ અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકારનું છે. જે વસ્તુ તૃણ, ઢેફા જેવી અર્થાત્ મૂલ્ય વગરની નથી, પરંતુ મૂલ્યવાન છે તેવી પૂલ-વસ્તુ કોઈની ગ્રહણ કરવામાં આવે તો આણે ચોરી કરી છે તેવો વ્યવહાર થાય છે. તેવા અદત્તનું ગ્રહણ ક્લિષ્ટ અધ્યવસાયપૂર્વક થાય છે તે સ્થૂલ અદત્તાદાન છે, જેનું શ્રાવક વિરમણ કરે છે. વળી, કોઈકના ઘર પાસે તૃણ, ઢેકું આદિ પડેલું હોય અને તેના માલિકને પૂછ્યા વગર કોઈ ગ્રહણ કરે ત્યારે લોકમાં “આણે ચોરી કરી છે તેવો વ્યવહાર થતો નથી. તેથી સ્થૂલ અદત્તાદાન નથી પરંતુ સૂક્ષ્મ અદત્તાદાન છે. શ્રાવક બને ત્યાં સુધી તેવી સૂક્ષ્મઅદત્ત વસ્તુ પણ ગ્રહણ કરે નહીં અને કોઈક પ્રસંગે તેવી વસ્તુ ગ્રહણ કરવાની આવશ્યકતા જણાય તો તેના માલિકને પૂછીને ગ્રહણ કરે અને ત્યાં કોઈ માલિક વિદ્યમાન ન હોય અને અતિ આવશ્યક જણાય અને તે વસ્તુ ગ્રહણ કરે તોપણ સૂક્ષ્મ વિષયક તેણે યતના કરી હોવાથી શ્રાવકને દોષની પ્રાપ્તિ થાય નહિ. વળી, શ્રાવક જે સ્થૂલ અદત્તાદાનનું પચ્ચખાણ કરે છે તે સચિત્ત અને અચિત્ત બે ભેદથી છે. તેથી સચિત્ત એવાં ફળ-ફૂલ આદિ અન્યના બગીચામાં રહેલા હોય અથવા અન્યની માલિકીના હોય તે તેના સ્વામીને પૂછ્યા વગર ગ્રહણ કરે નહીં અને અચિત્ત સુવર્ણ અલંકાર કે અન્ય કોઈ ગૃહને ઉપયોગી વસ્તુ હોય તે પણ તેના માલિકને પૂછ્યા વગર ગ્રહણ કરે નહિ. અદત્તાદાનનું પચ્ચખ્ખાણ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – સર્વ લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે આ માણસ કોઈની વસ્તુને તેના માલિકને પૂછ્યા વગર ક્યારેય ગ્રહણ કરતો નથી. વળી, આ માણસ સજ્જન છે તેવો સાધુવાદ લોકમાં પ્રવર્તે છે. વળી, જેઓ અદત્તાદાન વ્રતનું સમ્યફ પાલન કરે છે તેનાથી બંધાયેલા પુણ્યને કારણે તેની સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. વળી, દીર્ઘકાળ સુધી સ્થિર રહે તેવા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. વળી, આ વ્રત પાળીને શ્રાવક સ્વર્ગમાં જાય છે અને પરંપરાએ સર્વવિરતિ ગ્રહણ કરીને મોક્ષમાં જાય છે. તે સર્વ આ ત્રીજા વ્રતનું ફળ છે. તેમાં સાક્ષી આપે છે – જે વ્યક્તિ અદત્તાદાનનું પચ્ચખ્ખાણ કરે છે અને વ્રતનું સમ્યફ પાલન કરે છે તેનું ધન ક્ષેત્રમાં, ખલમાં, અરણ્યમાં, દિવસે કે રાત્રે, કોઈકના વડે કરાયેલા શસ્ત્રઘાત આદિમાં નાશ પામતું નથી. આ અચોરીનું ફળ છે. વળી, જે શ્રાવક ત્રીજા વ્રતને ગ્રહણ કરે છે તેના કારણે બંધાયેલા પુણ્યથી ગામ, આકર ખાણો, નગરોનું સુંદર સ્વામીપણું પ્રાપ્ત થાય છે. વળી, દ્રોણમુખ મંડપ અને શહેરોનું સુંદર સ્વામીપણું પ્રાપ્ત થાય છે. આ સર્વ અચોરીનું ફલ છે. વળી, જેઓ આ વ્રતને ગ્રહણ કરતા નથી કે ગ્રહણ કરીને ત્રીજા વ્રતને મલિન કરે છે તેઓને દુર્ભાગ્ય, દાસપણું, અંગછેદ, દરિદ્રતાદિ અનર્થોની પ્રાપ્તિ થાય છે. તેમાં સાક્ષીપાઠ આપે છે – Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૭-૨૮ ચોરી કરનાર પુરુષને આ ભવમાં જ ગધેડા ઉપર આરોપણ કરાય છે. લોકો તેની નિંદા કરે છે, તેને ધિક્કાર આપે છે અને તેને મરણ પર્યત દુઃખો પ્રાપ્ત થાય છે. ચોરીને કરનારા પુરુષો પરભવમાં નરકને પામે છે. અને નરકમાંથી નીકળીને હજારો ભવો સુધી ખરાબ મનુષ્યના ભવો પ્રાપ્ત કરે છે. માછીમાર થાય છે. ટૂંઠા, હીન અંગવાળા, બહેરા-મૂંગા થાય છે. તેથી સંસારના અનર્થોથી ભય પામેલા શ્રાવકો જિનવચનાનુસાર ત્રીજા વ્રતના સ્વરૂપને જાણીને તેની વિરતિને કરે છે. IIળા અવતારણિકા : प्रतिपादितं तृतीयमणुव्रतम्, अथ चतुर्थं तदाह - અવતરણિતાર્થ - ત્રીજું અણુવ્રત પ્રતિપાદન કરાયું. હવે ચોથા એવા તેને અણુવ્રતને, કહે છે – શ્લોક : स्वकीयदारसन्तोषो, वजनं वाऽन्ययोषिताम् । श्रमणोपासकानां तच्चतुर्थाणुव्रतं मतम् ।।२८ ।। અન્વયાર્થ સ્વશીયારસન્તોષો=પોતાની સ્ત્રીઓમાં સંતોષ, વા=અથવા, ગોષિતામ્ વનં=અન્યની સ્ત્રીઓતો. ત્યાગ, ત–તે, શ્રમણોપાસનાં=શ્રમણોપાસકોનું શ્રાવકોનું, ચતુર્થીનુવ્રતં ચોથું અણુવ્રત, મતમતાર્યું છે. ૨૮ શ્લોકાર્ચ - પોતાની સ્ત્રીઓમાં સંતોષ અથવા અન્યની સ્ત્રીઓનું વર્જન તે શ્રાવકોનું ચોથું અણુવ્રત મનાયું છે. Il૨૮II. ટીકા - स्वकीयदाराः स्वकलत्राणि, तैस्तेषु वा संतोषस्तन्मात्रनिष्ठता, 'वा' अथवा 'अन्ययोषितां' परकीयकलत्राणां 'वर्जनं' त्यागः, अन्येषामात्मव्यतिरिक्तानां मनुष्याणां देवानां तिरश्चां च योषितः परिणीतसंगृहीतभेदभिन्नानि कलत्राणि तेषां वर्जनमित्यर्थः, यद्यप्यपरिगृहीता देव्यस्तिरश्च्यश्च काश्चित्संग्रहीतुः परिणेतुश्च कस्यचिदभावाद्वेश्याकल्पा एव भवन्ति, तथापि प्रायः परजातीयभोग्यत्वात्परदारा एव ता इति वर्जनीयाः 'तत्' स्वदारसंतोषोऽन्ययोषिद्वर्जनं वा 'श्रमणोपासकानां' श्रावकाणां संबन्धि 'चतुर्थाणुव्रतं' 'मतं' प्रतिपादितं जिनवरैरित्यन्वयः । Page #280 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ इयमत्र भावना - -मैथुनं द्विविधं, सूक्ष्मं स्थूलं च तत्र कामोदयेन यदिन्द्रियाणामीषद्विकारस्तत्सूक्ष्मम्, मनोवाक्कायैरौदारिकादिस्त्रीणां यः सम्भोगस्तत्स्थूलम् अथवा मैथुनविरतिरूपं ब्रह्मचर्यं द्विधा, सर्वतो देशतश्च तत्र सर्वथा सर्वस्त्रीणां मनोवाक्कायैः सङ्गत्यागः सर्वतो ब्रह्मचर्यम्, तच्चाष्टादशधा । यतो योगशास्त्रे २५३ “दिव्यौदारिककामानां, कृतानुमतिकारितैः । मनोवाक्कायतस्त्यागो, ब्रह्माष्टादशधा मतम् ।।१।। " [१ / २३] इति । तदितरद्देशतः तत्रोपासकः सर्वतोऽशक्तौ देशतस्तत्स्वदारसंतोषरूपं परदारवर्जनरूपं वा प्रतिपद्यते । तथा च सूत्रम् - “परदारगमणं समणोवासओ पच्चक्खाइ, सदारसंतोसं वा पडिवज्जइ, से अ परदारगमणे दुविहे पण्णत्ते, ओरालिय़परदारगमणे वेउव्विअपरदारगमणे" [प्रत्याख्यानावश्यके सू० ४, हारिभद्रीवृत्तिः प. ८२३ ] त्ति । 7 तत्र च परदारगमनप्रत्याख्याता यास्वेव परदारशब्दः प्रवर्त्तते ताभ्य एव निवर्त्तते, नतु साधारणाङ्गनादिभ्यः, स्वदारसंतुष्टस्त्वेकानेकस्वदारव्यतिरिक्ताभ्यः सर्वाभ्य एवेति विवेकः । इदानीं चैतद्व्रतप्रतिपत्तिर्वृद्धपरम्परया प्रायो न सामान्यतोऽन्यचतुरणुव्रतवत् द्विविधत्रिविधेन भङ्गेन दृश्यते, किन्तु विशेषतो मानुषमेकविधैकविधेन, तैरश्चमेकविधत्रिविधेन, दिव्यं च द्विविधत्रिविधेनेति । दारशब्दस्योपलक्षणत्वात्स्त्रियं प्रति स्वपतिव्यतिरिक्तसर्वपुरुषवर्जनमपि द्रष्टव्यम् (ग्रन्थाग्रम् २०००) एतद्व्रतं च महाफलाय यतः " जो देइ कणयकोडिं, अहवा कारेइ कणयजिणभवणं । तस्स न तत्तं पुण्णं, जत्तिअ बंभव्वए धरिए || १ || " [ सम्बोधप्र. गुरु. ६९ ] “देवदाणवगंधव्वा, जक्खरक्खसकिन्नरा । बंभयारिं नमसंति, दुक्करं जे करिंति तं ॥ २ ॥ | " [ उत्तराध्ययन १६ / १६ ] "आणाईसरिअं वा, इड्डी रज्जं च कामभोगा य । कित्ती बलं च सग्गो, आसन्ना सिद्धि बंभाओ || ३ || कलिकार ओवि जणमार ओवि सावज्जजोगनिर ओवि । जं नारओवि सिज्झइ, तं खलु सीलस्स माहप्पं || ४ ||" [ सम्बोधप्र. श्रा. ४२ - ३ ] Page #281 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ गृहिणो हि स्वदार संतोषे ब्रह्मचारिकल्पत्वमेव, परदारगमने च वधबन्धादयो दोषाः स्फुटा एव । उक्तमपि - २५४ 2 "वहबंधणउब्बंधणनासिंदि अच्छे अधणखयाइआ । परदारओ उ बहुआ, कयत्थणाओ इहभवेवि ।।१।। परलोए सिंबलितिक्खकंटगालिंगणाइ बहुरूवं । नरयंमि दुहं दुसहं, परदाररया लहंति नरा ॥२॥ छिन्निंदिआ नपुंसा, दुरूवदोहग्गिणो भगंदरिणो । रंडकुरंडा वंझा, निंदुअविसकन्न हुँति दुस्सीला || ३ || " [ सम्बोधप्र. श्रा. ४४-६] तथा “भक्खणे देवदव्वस्स, परित्थीगमणेण य । — सत्तमं नरयं जंति, सत्तवाराउ गोअमा ! ।।४।।" मैथुनेच हिंसादोषोऽपि भूयानेव यतः . “मेहुणसन्नारूढो, हणेइ नवलक्खसुहुमजीवाणं" [ ] इत्यादि शास्त्रान्तरादवसेयम्, तथाऽऽवश्यकचूर्णावपि दोषगुणप्रदर्शनम्, यथा “चउत्थे अणुव्वए सामण्णेण अणिअत्तस्स दोसा-मातरमपि गच्छेज्जा, विदियं धूयाएवि समं वसेज्जा" [प. २८९] इत्यादि । “णियत्तस्स इहलोए परलोए गुणा - इहलोए कत्थे कुलपुत्तगाणि सड्ढाणि" इत्यादि । “परलोए पहाणपुरिसेत्तं, देवत्ते पहाणाउ अच्छराओ मणुअत्ते पहाणाओ माणुसीओ विउला य पंचलक्खणा भोगा पिअसंपओगा य आसण्णसिद्धिगमणं च " [ ] ।।२८।। टीडार्थ : स्वकीयदाराः सिद्धिगमणं च । पोतानी पत्नीसो तेखोथी अथवा तेखमां संतोष तेना માત્રમાં નિષ્ઠતા અથવા અન્યની સ્ત્રીઓનું=પરકીય સ્ત્રીઓનું, વર્જન=ત્યાગ, અર્થાત્ પોતાનાથી વ્યતિરિક્ત એવા મનુષ્યો, દેવો કે તિર્યંચની સ્ત્રીઓ=પરણેલી અથવા સંગ્રહ કરાયેલા ભેદથી ભિન્ન એવી સ્ત્રીઓ તેઓનું વર્જન. જોકે, કોઈક અપરિગૃહીતા દેવીઓ અને તિર્યંચો કોઈકની સંગ્રહ કરાયેલી કે પરણાયેલીનો અભાવ હોવાથી વેશ્યા જેવી છે. તોપણ પ્રાયઃ પરજાતીયભોગ્યપણું હોવાથી તે પરસ્ત્રી જ છે. એથી વર્જનીય છે. સ્વદારાસંતોષ અથવા અન્ય સ્ત્રીનું વર્જન શ્રમણોપાસકનું= શ્રાવકોના સંબંધી તે ચતુર્થ અણુવ્રત ભગવાન વડે પ્રતિપાદન કરાયું છે. આ અહીં ભાવના છે – મૈથુન બે પ્રકારનું છે. સૂક્ષ્મ અને સ્થૂલ, ત્યાં=બે પ્રકારના ભેદમાં, કામના ઉદયથી ઇંદ્રિયોનો જે થોડો વિકાર છે તે સૂક્ષ્મ છે. મન-વચન-કાયા વડે ઔદારિક આદિ સ્ત્રીઓનો જે સંભોગ તે સ્થૂલ છે. અથવા મૈથુનવિરતિરૂપ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે. સર્વથી અને દેશથી. ત્યાં=બે Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ પ્રકારના ભેદમાં મન-વચન-કાયા વડે સર્વ સ્ત્રીઓના સંગનો ત્યાગ સર્વથી બ્રહ્મચર્ય છે. તે ૧૮ પ્રકારનું છે. જે કારણથી “યોગશાસ્ત્રમાં કહેવાયું છે – “કૃત-અનુમતિ અને કારિત વડે, મન-વચન-કાયાથી દિવ્ય ઔદારિક કામોનો ત્યાગ અઢાર પ્રકારનું બ્રહા=બ્રહ્મચર્ય મનાયું છે.” (યોગશાસ્ત્ર-૧/૨૩) તેનાથી ઈતર-પૂર્વમાં સર્વથી બ્રહ્મચર્ય બતાવ્યું તેનાથી ઈતર, દેશથી છે. ત્યાં=દેશથી બ્રહ્મચર્યમાં, ઉપાસક=શ્રાવક, સર્વથી અશક્તિ હોતે છતે દેશથી તે બ્રહ્મચર્ય, સ્વદારાસંતોષરૂપ અથવા પદારાવર્ષનરૂપ સ્વીકારે છે અને તે પ્રકારે સૂત્ર છે – “પરદારાગમનનું શ્રમણોપાસક પચ્ચષ્માણ કરે છે. અથવા સ્વદારાસંતોષ સ્વીકારે છે. તે પરદા રાગમન બે પ્રકારનું કહેવાયું છે – ઔદારિકપરદારાગમન અને વૈક્રિયપદારાગમન.” (પ્રત્યાખ્યાનઆવશ્યક સૂ. ૪, હારિભદ્રીવૃત્તિ ૫. ૮૨૩). અને ત્યાં=બે પ્રકારના પદારાગમનમાં, પરદારાગમનનું પ્રત્યાખ્યાન કરનારા શ્રાવક જે સ્ત્રીઓમાં પરબારા' શબ્દ પ્રવર્તે છે તેનાથી જન્નતે સ્ત્રીઓથી જ, તિવર્તન પામે છે. પરંતુ સાધારણ સ્ત્રીઓ આદિથી નહિ સર્વ પુરુષોને સાધારણ એવી વેશ્યા અને પોતાની સ્ત્રીથી નહિ. વળી, સ્વદારાસંતુષ્ટ એક અથવા અનેક પોતાની પત્નીઓથી વ્યતિરિક્ત એવી સર્વ સ્ત્રીઓથી રિવર્તન પામે છે એ પ્રમાણેનો વિવેક છે=ભેદ છે. હમણાં આ વ્રતનો સ્વીકાર વૃદ્ધ પરંપરાથી પ્રાયઃ સામાન્યથી અન્ય ચાર અણુવ્રતની જેમ દ્વિવિધત્રિવિધતા ભંગથી દેખાતો નથી. પરંતુ વિશેષથી મનુષ્ય સંબંધી એકવિધ એકવિધથી, તિર્યંચ સંબંધી એકવિધ-ત્રિવિધથી અને દિવ્ય સંબંધી દ્વિવિધ-ત્રિવિધથી છે. ‘દાર' શબ્દનું ઉપલક્ષણપણું હોવાથી સ્ત્રીના પ્રત્યે સ્વપતિ વ્યતિરિક્ત સર્વ પુરુષના વર્જનનું પણ જાણવું અને આ વ્રત મહાકલને માટે છે. જે કારણથી કહેવાયું છે – જે પુરુષ કનકકોડીને આપે છે અથવા સુવર્ણનું જિનમંદિર કરાવે છે તેને તેટલું પુણ્ય નથી જેટલું બ્રહ્મવ્રત ધારણ કરાયે છતે છે.' ૧II (સંબોધપ્રકરણ ગુરુસ્વરૂપ અધિકાર – ૬૯). દેવ, દાનવ, ગંધર્વ, જક્ષ, રાક્ષસ, કિન્નરો બ્રહ્મચારીને નમસ્કાર કરે છે. જે દુષ્કર એવા તેને બ્રહ્મચર્યને, કરે છે.” રા (ઉત્તરાધ્યયનસૂત્ર – ૧૬/૧૬) “આજ્ઞાનું ઐશ્વર્યપણું, ઋદ્ધિ, રાજ્ય, કામભોગો, કીર્તિ, બળ અને સ્વર્ગ બ્રહ્મચર્યથી આસન સિદ્ધિ અલ્પકાળમાં મોક્ષ છે. [૩] કલહને કરનાર પણ, લોકોને મારનાર પણ, સાવઘયોગમાં નિરત પણ, જે નારદ પણ સિદ્ધ થાય છે. તે ખરેખર શીલનું માહાભ્ય છે." iા (સંબોધ પ્રકરણ, શ્રા. ૪૨-૩). ગૃહસ્થો પણ સ્વદારાસંતોષમાં બ્રહ્મચારી તુલ્ય જ છે. અને પરદારાગમનમાં વધ-બંધ આદિ દોષો સ્પષ્ટ જ છે. કહેવાયું પણ છે – Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ : “વધ, બંધન, ઉબંધન=ગળે ફાંસી, નાસિકાનો છેદ, ધનક્ષયાદિ પરદારાથી પરદારાગમનથી, આ ભવમાં પણ બહુ પ્રકારની કદર્થનાઓ છે. [૧] પરલોકમાં નરકની પ્રાપ્તિ થયે છતે શાલ્મલી વૃક્ષના તીવ્ર કંટકના આલિંગન આદિ બહુરૂપવાળા દુઃસહ દુઃખને પરદારારત મનુષ્ય પ્રાપ્ત કરે છે. પુરા. છિન્નઇંદ્રિયવાળા નપુંસક, દુરૂપ કુરૂપ, દોહગ્નિહોત્રદુર્ભાગ્યવાળા, ભગંદરિણા=ભગંદર રોગવાળા, રંડકુરંડા=લગ્ન વખતે રડે તેવી સ્ત્રી, વંધ્યા, બિંદુએ=મરેલા બાળકને જન્મ આપનારી, વિષકન્યા, દુઃશીલ કન્યા થાય છે.” li૩ાા (સંબોધ પ્રકરણ, શ્રા. ૪૪-૬) અને દેવદ્રવ્યના ભક્ષણમાં અને પરસ્ત્રીના ગમનથી છે ગૌતમ ! સાત વાર સાતમી નરકમાં જાય છે." જા અને મૈથુનમાં હિંસાદોષ પણ ઘણો જ છે. જે કારણથી – “મૈથુન સંજ્ઞાથી આરૂઢ એવો જીવ ૯ (નવ) લાખ સૂક્ષ્મજીવોને હણે છે.” () ઈત્યાદિ શાસ્ત્રાન્તરથી જાણવું. અને “આવશ્યકચૂણિર્મમાં પણ દોષગુણનું પ્રદર્શન છે=મૈથુનના સેવનના દોષનું અને બ્રહ્મચર્યના ગુણનું પ્રદર્શન છે. જે પ્રમાણે – ચોથા અણુવ્રતમાં સામાન્યથી અનિવૃત્તને દોષો-વિદિત એવી માતાને પણ=આ મારી મા છે તેમ જાણવા છતાં પણ, ભોગવે, પુત્રીની સાથે પણ વસે” (પ. ૨૮૯) ઈત્યાદિ. . “નિવૃત્તને મૈથુનથી નિવૃત્તને, આ લોકમાં અને પરલોકમાં ગુણો છે. આ લોકમાં કચ્છદેશમાં કુલપત્રક શ્રાવકોનાં દષ્ટાંતો છે.” ઈત્યાદિ. “પરલોકમાં પ્રધાન પુરુષપણું, દેવપણામાં પ્રધાનથી અપ્સરાઓ, મનુષ્યપણામાં પ્રધાનથી મનુષ્ય સ્ત્રીઓ અને વિપુલ પાંચલક્ષણવાળા ભોગો, પાંચ ઇંદ્રિયોના ભોગો, પ્રિયના સંપ્રયોગો=પ્રિય વસ્તુના સંયોગો અને આસન સિદ્ધિગમન.” li૨૮II ભાવાર્થ શ્રાવક પોતાની કામની વૃત્તિ કેવી છે? તેનું સમ્યફ સમાલોચન કરીને પોતાની શક્તિ અનુસાર પોતાની પત્નીમાં સંતોષરૂપ ચોથું વ્રત સ્વીકારે છે અથવા પોતાની પત્નીથી અન્ય સ્ત્રીઓના વર્જનરૂપ ચોથું વ્રત સ્વીકારે છે. અન્ય સ્ત્રીના વર્જનમાં કેવા પ્રકારનું પચ્ચકખાણ પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – પોતાની સ્ત્રીઓથી વ્યતિરિક્ત મનુષ્યની સ્ત્રી, દેવોની સ્ત્રી કે તિર્યંચોની સ્ત્રી જે પરણેલી હોય કે કેટલાક કાળ માટે સંગૃહીત હોય તેવી સ્ત્રીઓનું વર્જન શ્રાવક કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે અન્ય સ્ત્રીઓનું વર્જન કરનાર શ્રાવક કામની ઇચ્છાથી અતિવ્યાકુળ થાય ત્યારે વેશ્યાગમન કરે છતાં જે વેશ્યા કેટલાક કાળ માટે ધન આપીને કોઈએ સ્વીકારેલી હોય તેનું વર્જન કરે. વળી, અપરિગૃહીત દેવીઓ અને તિર્યંચની સ્ત્રીઓ કોઈનાથી સંગૃહીત હોતી નથી કે કોઈને પરણેલી હોતી નથી તેથી વેશ્યાકલ્પ જ છે. તોપણ તે દેવીઓ કે તિર્યંચજાતિની સ્ત્રીઓ પરજાતીય ભોગ્ય હોવાને કારણે=અપરિગૃહીત દેવીઓ દેવોથી ભોગ્ય હોવાને કારણે અને તિર્યંચની સ્ત્રીઓ તિર્યચોથી ભોગ્ય હોવાને Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ કારણે શ્રાવક માટે પરદાના છે. તેથી શ્રાવક તેઓનું વર્જન જ કરે છે. ફક્ત પદારાવર્જન કરનારા શ્રાવક કામની ઉત્કટ ઇચ્છા થાય ત્યારે બીજાથી ધન આપીને કેટલાક કાળ માટે સંગૃહીત ન હોય તેવી વેશ્યાનું સેવન કરે છે અને સ્વદારાસંતોષવાળા શ્રાવકો પોતાની સ્ત્રીઓને છોડીને અન્ય સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરે છે, તેથી વેશ્યાનું પણ વર્જન કરે છે. વળી, મૈથુન બે પ્રકારનું છે. સ્કૂલ અને સૂક્ષ્મ. ત્યાં કામના ઉદયથી ઇંદ્રિયોનો અલ્પ પણ વિકાર થાય તે સૂક્ષ્મ મૈથુન છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિજાતીય વ્યક્તિને જોઈને તેનો કંઠ મધુર લાગે, તેની સાથે વાર્તાલાપમાં આનંદ આવે, જોવાથી પ્રીતિ થાય, જોવાની ઇચ્છા થાય આમ છતાં ભોગાદિની કોઈ વિકારી ચેષ્ટા ન કરી હોય તોપણ “સૂક્ષ્મ મૈથુન' છે. વળી, મનથી, વચનથી કે કાયાથી દારિક શરીરવાળી સ્ત્રી કે વૈક્રિય શરીરવાળી સ્ત્રીનો જે સંભોગ છે તે સ્થૂલથી મૈથુન' છે. તેથી કોઈને મનથી પણ તે પ્રકારની ભોગક્રિયાની પરિણતિ થાય, વચન અને કાયાથી ન થાય તો પણ તે “સ્થૂલ મૈથુન છે. વળી, વચનથી તે પ્રકારની ભોગક્રિયાની વાતો કરે તો પણ તે સ્થૂલથી મૈથુન છે અને કાયાથી પણ તેવી ક્રિયા કરે તો તે સ્થૂલથી મૈથુન છે. વળી, મૈથુનવિરતિરૂપ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે. સર્વથી અને દેશથી, સર્વથી મૈથુનવિરતિ સાધુને હોય છે અને તેના ૧૮ ભેદ છે તે આ રીતે – દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી સર્વસ્ત્રીઓને મનથી, વચનથી અને કાયાથી સર્વ પ્રકારે સાધુ ત્યાગ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વૈક્રિય અને ઔદારિક શરીરવાળી સ્ત્રીઓનો મનથી, વચનથી અને કાયાથી ભોગ કરે નહિ, ભોગ કરાવે નહીં અને ભોગની અનુમોદના પણ કરે નહીં તેથી કરણ-કરાવણ અને અનુમોદન અને મન-વચન-કાયાના ત્રણ યોગોથી મૈથુનનો ત્યાગ નવ પ્રકારનો થાય અને તે નવ દિવ્ય એવા વૈક્રિય ભોગોના ત્યાગથી અને દારિક શરીરવાળી સ્ત્રીઓના ભોગોના ત્યાગથી એમ મળીને ૧૮ ભેદોવાળું સાધુનું બ્રહ્મચર્ય થાય. સાધુ કોઈપણ સ્ત્રી આદિને જોઈને સૂક્ષ્મ પણ વિકાર ન થાય તે રીતે મૈથુનનો પરિહાર કરે છે. તેથી સાધુને બ્રહ્મચર્યના ૧૮ ભેદોની પ્રાપ્તિ થાય છે." જો કોઈ સ્ત્રીને જોઈને સહેજ રાગનો પરિણામ થાય, તેનો કંઠ મધુર લાગે કે તેની સાથે વાર્તાલાપ કરવાની ઇચ્છા થાય તો સૂક્ષ્મમૈથુનની “કરણ” રૂપે પ્રાપ્તિ થાય. કોઈક તેવી પ્રવૃત્તિ કરતા હોય તેને જોઈને સાધુને પ્રીતિ થાય તો “અનુમોદન'ની પ્રાપ્તિ થાય. વળી, કોઈક સ્ત્રી આદિ સાથે પ્રીતિ આદિથી વાતો કરે તેના નિમિત્તમાં સાધુ કોઈક રીતે પ્રવર્તક બને તો સાધુને “કારિત' મૈથુનની પ્રાપ્તિ થાય. તેથી સર્વ પ્રકારે મૈથુનનું વર્જન કરનાર સાધુએ અત્યંત સંવૃત થઈને ભગવાનના વચનના જ સ્મરણ નીચે મન-વચનકાયાના યોગોને પ્રવર્તાવવા જોઈએ. અન્યથા નિમિત્તને પામીને તે-તે ઇંદ્રિયોની સાથે વિજાતીયના સંબંધને કારણે વિકારો થવાનો સંભવ રહે છે. વળી, શ્રાવક સર્વથી મૈથુનની વિરતિ માટે સમર્થ નહીં હોવાથી પોતાની શક્તિ અનુસાર સ્વદારાસંતોષરૂપ અથવા પદારાના વર્જનરૂપ મૈથુનની વિરતિ સ્વીકારે છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૮ તેમાં પરદારાગમન બે પ્રકારનું કહેવાયું છે – ૧. ઔદારિક પરદા રાગમન ૨. વૈક્રિય પદારાગમન. તેથી એ પ્રાપ્ત થાય કે ઔદારિક શરીરવાળી મનુષ્યની પરસ્ત્રી કે તિર્યંચની સ્ત્રી તે પરદાર કહેવાય. તેની વિરતિ શ્રાવક કરે છે અને વૈક્રિય શરીરવાળી દેવીઓ તે પરદારા કહેવાય. તેની વિરતિ શ્રાવક કરે છે. વળી, વર્તમાનમાં ચોથા વ્રતના સ્વીકારમાં વૃદ્ધ પરંપરા આ પ્રમાણે છે – વર્તમાનમાં સામાન્યથી અન્ય ચાર વ્રતોની જેમ ચોથા વ્રતમાં દ્વિવિધ-ત્રિવિધના સંગથી શ્રાવકો પચ્ચખ્ખાણ કરતા નથી, પરંતુ વિશેષથી પચ્ચખાણ કરે છે. તે આ પ્રમાણે – મનુષ્યસ્ત્રી વિષયક એકવિધ – એકવિધથી પચ્ચખાણ કરે છે. અર્થાત્ મન-વચન-કાયાથી ત્રણથી નહીં પરંતુ માત્ર કાયાથી અને કરણકરાવણ-અનુમોદનથી નહીં પરંતુ માત્ર કરણથી પચ્ચખાણ કરે છે; કેમ કે જો તેવું દૃઢ સત્ત્વ ન હોય તો મનમાં કોઈ સ્ત્રી પ્રત્યે રાગ થાય અથવા વાર્તાલાપ આદિ દ્વારા વચનથી કોઈ સ્ત્રી પ્રત્યે રાગભાવ ઉલ્લસિત થાય અને વ્રતનો ભંગ ન થાય માટે માત્ર કાયાથી જ મૈથુનનું વર્જન કરે છે અને મન-વચન વિષયક યતના રાખે છે. વળી, સ્વયં મૈથુનસેવનનો નિષેધ કરે છે પરંતુ પુત્રાદિને પરણાવવાનો પ્રસંગ આવે તેથી કરાવણને આશ્રયીને શ્રાવક મૈથુનનું પચ્ચખાણ કરતા નથી. વળી, કોઈક લગ્ન આદિ પ્રસંગમાં અનુમોદનનો પણ પ્રસંગ આવે તેથી મૈથુનના અનુમોદનનું પણ પચ્ચખાણ કરતા નથી. પરંતુ કરાવણ અને અનુમોદનમાં શક્ય એટલી યતના કરે છે. આ રીતે મનુષ્યસ્ત્રી વિષયક એકવિધ-એકવિધ પચ્ચન્માણ થાય છે. તિર્યંચ સ્ત્રીઓનું વિષયક એકવિધ ત્રિવિધથી કરે છે, કેમ કે પશુપાલનાદિમાં કરાવણનો પ્રસંગ અને અનુમોદનનો પ્રસંગ પ્રાપ્ત થાય અને - શ્રાવક બ્રહ્મચર્ય પ્રત્યેના પક્ષપાતવાળા હોવાથી તિર્યંચ સંબંધી મૈથુનનું વર્જન મન-વચન-કાયાથી કરી શકે છે. તેથી તિર્યંચ સંબંધી એકવિધ-ત્રિવિધથી ગ્રહણ કરે છે. વળી દેવસંબંધી દ્વિવિધ-ત્રિવિધથી પચ્ચખ્ખાણ કરે છે. તેથી અનુમોદનને છોડીને દેવ સંબંધી દ્વિવિધત્રિવિધથી મૈથુનનું પચ્ચખાણ છે; કેમ કે તેવા દિવ્યભોગોને જોઈને રાગ થાય તો અનુમોદન થવાનો સંભવ રહે માટે શ્રાવક અનુમોદનને છોડીને દિવ્ય સંબંધી મૈથુનનું પચ્ચખાણ કરે છે. વળી, શ્લોકમાં ચોથા વ્રતનું લક્ષણ બતાવ્યું તેમાં સ્વકીય દાર' શબ્દમાં જે સ્ત્રીવાચક દાર” શબ્દ છે તે ઉપલક્ષણરૂપ છે. તેથી સ્ત્રીને આશ્રયીને ચોથા વતનો વિચાર હોય ત્યારે સ્ત્રી માટે પોતાના પતિથી અતિરિક્ત સર્વ પુરુષનું વર્જન તે શ્રાવિકાનું ચોથું અણુવ્રત છે, એ પ્રમાણે જાણવું. ચોથા વ્રતનું મહાફળ છે તે બતાવે છે – કોઈ પુરુષ ક્રોડ સુવર્ણમુદ્રા આપે અથવા સુવર્ણનું જિનમંદિર બંધાવે તેને તેટલું પુણ્ય થતું નથી જેટલું બ્રહ્મચર્યના પાલનથી થાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ ૨૬૯ આનાથી એ ફલિત થાય કે દાનધર્મ કરતાં શીલધર્મ અધિક છે. અને બ્રહ્મચર્યનું પાલન તે શીલધર્મ છે. તેથી જે સાધુ કે શ્રાવક પોતાની શક્તિ અનુસાર ચોથું વ્રત ગ્રહણ કરે અને જે પ્રમાણે ગ્રહણ કરે છે તે પ્રમાણ જ શુદ્ધ પાલન કરે તો તેનું ફળ દાનધર્મ કરતાં ઘણું અધિક છે. વળી, જેઓ દુષ્કર એવા બ્રહ્મચર્યને કરે છે તેઓને દેવો પણ નમે છે તેથી શીલ જગતપૂજ્ય છે, તેમ સિદ્ધ થાય છે. વળી, શીલના પાલનથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – શીલના પાલનના કારણે તે મહાત્માને આજ્ઞાનું ઐશ્વર્ય મળે છે. આથી જ શીલસંપન્ન શ્રાવકો કે સાધુઓ વૈમાનિક દેવ થાય છે ત્યારે આજ્ઞાનું ઐશ્વર્ય તેઓને પ્રાપ્ત થાય છે. વળી, મનુષ્યભવમાં આવે છે ત્યારે ઋદ્ધિ, રાજ્ય, સુંદર કામભોગો, શીલના પ્રભાવથી બંધાયેલા પુણ્યના કારણે મળે છે. વળી, શીલસંપન્ન મહાત્માઓની જગતમાં ઘણી કીર્તિ વિસ્તાર પામે છે. શીલપાલનને કારણે જન્માન્તરમાં શરીરબળ ઘણું મળે છે, સ્વર્ગ મળે છે અને ક્રમસર મોક્ષની સિદ્ધિ આસન્ન બને છે. વળી, શીલનું માહાભ્ય બતાવતાં કહે છે – નારદઋષિ પ્રકૃતિથી કજિયો કરાવનારા હતા, લોકોને અનર્થ કરાવનારા હતા, વળી, સાવદ્યયોગોમાં હંમેશાં નિરત રહેનારા હતા તોપણ તેઓનું ચોથું વ્રત સુવિશુદ્ધ હોવાને કારણે મોક્ષમાં જાય છે. વળી, જે ગૃહસ્થો સ્વદારાસંતોષવાળા છે તેઓ બ્રહ્મચારી જેવા છે; કેમ કે સ્વસ્ત્રીમાં સંતોષ રાખીને પૂર્ણ બ્રહ્મચર્યની શક્તિનો સંચય ક્રમસર કરતા હોય છે. વળી, પરસ્ત્રીના ગમનમાં આ લોકમાં પણ વધ-બંધનાદિ સ્પષ્ટ દોષો છે. વળી, પરલોકમાં નરકની પ્રાપ્તિ થાય છે ત્યારે પરમાધામી દેવો શાલ્મલીવૃક્ષના કાંટાઓનું આલિંગન આપીને અનેક દુઃખો આપે છે. વળી, પદારાગમન કરનારા જીવો મનુષ્યભવમાં આવે ત્યારે છિન્ન ઇંદ્રિયવાળા અર્થાત્ ખામીવાળી ઇંદ્રિયવાળા થાય છે. નપુંસક થાય છે. વળી, કદરૂપા થાય છે. દુર્ભાગ્યવાળા થાય છે. ભગંદર રોગ પણ તેને કારણે જ થાય છે. વળી, પરસ્ત્રીગમન કરનારા સ્ત્રીભવમાં જાય તો લગ્નની ચોરીમાં જ રંડાપો પ્રાપ્ત કરે છે. અથવા વંધ્યા સ્ત્રી થાય છે. વળી, મરેલા બાળકોને જન્મ આપનારી થાય છે. વળી, કોઈક સ્ત્રી વિષકન્યા થાય છે તો વળી કોઈક દુઃશીલવાળી થાય છે. આ સર્વ પદારાગમનના અનર્થો છે. વળી, આગમમાં કહ્યું છે કે કોઈ દેવદ્રવ્યનું ભક્ષણ કરે અથવા પરસ્ત્રીનું સેવન કરે તો તે જીવ સાતવાર સાતમી નરકે જાય છે તેથી પરસ્ત્રીગમનના અનર્થો જાણીને પણ ચોથા વ્રતના પાલનમાં દૃઢયત્નવાળા શ્રાવકો થાય છે. વળી, મૈથુનના સેવનમાં હિંસા દોષ પણ છે, મૈથુન સેવનાર પુરુષ એક વખતના ભોગકાળમાં ૯ લાખ સૂક્ષ્મજીવોને હણે છે. વળી, આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે જેઓને કામનો અતિશય વિકાર છે તેવા જીવો આ મારી માતા છે તેમ જાણવા છતાં તેની સાથે સંબંધ કરે છે. દીકરી સાથે પણ લગ્ન કરે છે. જે અત્યંત વ્યવહાર વિરુદ્ધ છે. છતાં કામને વશ જીવ અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરે છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮-૨૯ વળી, જે લોકો મૈથુનની નિવૃત્તિ કરે છે તેઓ આલોકમાં ઘણા ગુણો પ્રાપ્ત કરે છે. જેમ વિજયશેઠ અને વિજયા શેઠાણીને ઘણા ગુણોની પ્રાપ્તિ થઈ. વળી, પરલોકમાં મથુનની વિરતિ કરનારા જીવો પ્રધાન પુરુષપણું પ્રાપ્ત કરે છે. જ્યાં ઘણાં ગુણોની પ્રાપ્તિ થાય છે. વળી, દેવભવમાં પ્રધાન અપ્સરાની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યભવમાં શ્રેષ્ઠ મનુષ્ય સ્ત્રીઓની પ્રાપ્તિ થાય છે અને વિપુલ પાંચ ઇંદ્રિયોના ભોગ પ્રાપ્ત થાય છે, પ્રિય પદાર્થોનો સંયોગ પ્રાપ્ત થાય છે. અને અંતે શીલનું પાલન કરી કરીને મહાસત્ત્વવાળા તે જીવો મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી મૈથુનની વિરતિ મહાફલવાળી છે તે પ્રકારે વારંવાર ભાવન કરવાથી શ્રાવકો ચોથા અણુવ્રતના પાલનમાં મહા પરાક્રમવાળા બને છે. I૨૮ અવતરણિકા - इत्युक्तं चतुर्थाणुव्रतम्, अथ पञ्चमं तदाह - અવતરણિકાર્ચ - આ પ્રમાણે ચોથું અણુવ્રત કહેવાયું. હવે પાંચમા તેને અણુવ્રતને, કહે છે – શ્લોક : परिग्रहस्य कृत्स्नस्यामितस्य परिवर्जनात् । રૂછાપરિમાળવૃતિં, ગાવું પડ્યેમં વ્રતમ્ પારા અન્વયાર્થ: ગમત =અપરિમિત કૃસ્તતા=અપરિમિત નવ પ્રકારના, પરિપ્રદય પરિવર્નના—પરિગ્રહના પરિવર્જનથી, રૂછાપરમાવૃતિ=ઈચ્છાના પરિમાણના કૃત્યને, પશ્વમં વ્રતપાંચમું વ્રત, નવું =જિનોએ કહ્યું છે. ll૨૯ો. શ્લોકાઈ અપરિમિત નવપ્રકારના પરિગ્રહના પરિવર્જનથી ઈચ્છાના પરિમાણના કૃત્યને પાંચમું વ્રત જિનોએ કહ્યું છે. ૨૯II ટીકા - परिगृह्यत इति परिग्रहस्तस्य, कीदृशस्य ? 'कृत्स्नस्य' नवविधस्येत्यर्थः, स चायम्-धनं १ धान्यं २ क्षेत्रं ३ वास्तु ४ रूप्यं ५ सुवर्णं ६ कुप्यं ७ द्विपदः ८ चतुष्पद ९ श्चेति अतिचाराधिकारे व्याख्यास्यमानः, श्रीभद्रबाहुस्वामिकृतदशवैकालिकनियुक्तौ तु-गृहिणामर्थपरिग्रहो धान्यरत्नस्थावरद्विपद Page #288 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ ૨૦૧ चतुष्पदकुप्यभेदात् सामान्येन षड्विधोऽपि तत्प्रभेदैश्चतुःषष्टिविधः प्रोक्तः, तथाहि - धान्यानि चतुर्विंशतिर्यथा - “धन्नाइँ चउव्वीसं, जव १ गोहुम २ सालि ३ वीहि ४ सट्ठी अ५ । कुद्दव ६ अणुआ ७ कंगू ८, रालग ९ तिल १० मुग्ग १९ मासा य १२ । । १ । । असि १३ हरिमंथ १४ तिउडय १५ निप्फाव १६ सिलिंद १७ रायमासा य १८ । इक्खू १९ मसूर २० तुवरी २१, कुलत्थ २२ तह धन्नय २३ कलाया २४ ।। २ ।। " [दशवैकालिकनिर्युक्तिः २५२-३, सम्बोधप्र. श्राद्ध. ५४-५, प्रवचनसारोद्वारे १००४ - ५ ] एतानि प्रायः प्रसिद्धानि, नवरं षष्टिका शालिभेदः ५, अणवो मिणचवाख्या धान्यभेदा इति हैमद्वयाश्रयवृत्तौ यद्वाऽणुका युगन्धरी इत्यपि क्वापि दृश्यते ७, अतसी प्रतीता १३, हरिमन्थाः कृष्णचनकाः १४, त्रिपुटको मालवकप्रसिद्धो धान्यविशेषः १५, निष्पावा वल्लाः १६, सिलिन्दा मुंकुष्टाः १७, राजमाषाश्चपलकाः १८, इखुर्वरट्टिका सम्भाव्यते १९, मसूरतुवरी धान्यद्वयं मालवकादौ प्रसिद्धम् २०-२१, कलापका वृत्तचनकाः २४ । रत्नानि चतुर्विंशतिर्यथा “रयणाइँ चडव्वीसं, सुवण्ण १ तउ २ तंब ३ रयय ४ लोहाई ५ । सीसग ६ हिरण ७ पासाण ८, वइर ९ मणि १० मोत्तिअ ११ पवाल १२ । । १ । । संखो १३ तिणिसा १४ गुरू १५ चंदणाणि १६ वत्था १७ मिलाणि १८ कट्ठाई १९ । तह चम्म २० दंत २१ वाला २२, गंधा २३ दव्वोसहाई २४ च ।। २ ।। " [ सम्बोधप्र. श्राद्ध. । ५७-८ ] प्रसिद्धान्यमूनि, नवरं रजतं रूप्यम्, हिरण्यं रूपकादि, पाषाणा विजातिरत्नानि, मणयो जात्यानि, तिनिसो वृक्षविशेषः, अमिलान्यूर्णावस्त्राणि, काष्ठानि श्रीपर्णादिफलकादीनि, चर्माणि सिंहादीनां, दन्ता गजादीनां वाला श्चमर्यादीनाम्, द्रव्यौषधानि पिप्पलादीनि । स्थावरं त्रिधा, द्विपदं च द्विधा, यथा "भूमी घरा य तरुगण, तिविहं पुण थावरं मुणेअव्वं । चक्कारबद्ध माणुस दुविहं पुण होइ दुपयं तु ।।१।।” [दशवै. नि. २५६, सम्बोधप्र. श्राद्ध. ५८] भूमिः क्षेत्रम् गृहाणि प्रासादाः, तरुगणा नालिकेर्याद्यारामा इति त्रिधा स्थावरम्, चक्रारबद्धं गन्त्र्यादि, मानुषं दासादीति द्विधा द्विपदम् । : चतुष्पदं दशधा यथा - Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ " गावी महिसी उट्टी, अयएलग आस आसतरगा य । घोडग गद्दह हत्थी, चउप्पयं होइ दसहा उ ।। १ ।। ” [दशवैकालिकनिर्युक्ति २५७, सम्बोधप्र. श्राद्ध. ५९] · एते प्रतीताः, नवरमस्यां वाह्लीकादिदेशोत्पन्ना जात्या, अश्वतरा वेसराः, अजात्या घोटकाः । ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ नानाविधमपि कुप्यमेकमेव यथा " नाणाविहोवगरणं, णेगविहं कुप्पलक्खणं होइ । एसो अत्थो भणिओ, छव्विह चउसट्टिभेओ उ ।।१।। " [ दशवे. नियुक्ति गा. २५८, सम्बोधप्र. श्राद्ध. ६०] - चतुःषष्टिभेदोऽप्येष नवविधपरिग्रहेऽन्तर्भवतीति न कोऽपि विरोधः । पुनः कीदृशस्य तस्य ? 'अमितस्य' परिमाणरहितस्य 'परिवर्जनात् ' त्यागात् त्यागनिमित्तभूतेनेत्यर्थः । 'इच्छायाः' अभिलाषस्य यत्परिमाणमियत्ता तस्य कृतिः करणम्, तां पञ्चमं 'व्रतम्' अधिकारादणुव्रतं 'जगदुः ' ऊचुर्जिना इति सण्टङ्कः । इदमत्र तात्पर्यम्-परिग्रहविरतिर्द्विधा, सर्वतो देशतश्च तत्र सर्वथा सर्वभावेषु मूर्छात्यागः सर्वतः, तदितरद्देशतः । तत्र श्रावकाणां सर्वतः तत्प्रतिपत्तेरशक्तौ देशतस्तामिच्छापरिमाणरूपां प्रतिपद्यते, यतः सूत्रम् “अपरिमिअपरिग्गहं समणोवासओं पच्चक्खाइ, इच्छापरिमाणं उवसंपज्जइ, से अ परिग्गहे दुविहे पण्णत्ते, तंजहा-सचित्तपरिग्गहे अचित्तपरिग्गहे अ" [ प्रत्याख्यानावश्यक सू. ५ / हारिभद्रीवृत्तिः प. ८२५ ] ति । ननु गृहे स्वपद्रव्येऽपि सति परिग्रहपरिमाणे तु द्रव्यसहस्त्रलक्षादिप्रतिपत्त्या इच्छावृद्धिसम्भवात् को नाम गुणः इति चेन्मैवम्, इच्छावृद्धिस्तु संसारिणां सर्वदा विद्यमानैव । यतो नमिराजर्षिवचनमिन्द्रं प्रति, “सुवण्णरूप्पस्स य पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अनंतया ||१|| " [ उत्तराध्ययन ९ / ४८ ] एवं चेच्छाया अनन्तत्वे तदियत्ताकरणं महते गुणाय । यतः - "जह जह अप्पो लोहो, जह जह अप्पो परिग्गहारंभो । तह तह सुहं पवट्टइ, धम्मस्स य होइ संसिद्धी ॥ १ ॥ । [ सम्बोधप्र. श्राद्ध. ६२] तस्मादिच्छाप्रसरं निरुध्य संतोषे यतितव्यम्, सुखस्य संतोषमूलत्वात् । यदाह - Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ "आरोग्गसारिअं माणुसत्तणं सच्चसारिओ धम्मो । विज्जा निच्छयसारा, सुहाइ संतोससाराई ।।१।।" [सम्बोधप्र. श्राद्ध. ६३] तदेवमेतद्वतस्यात्रापि संतोषसौख्यलक्ष्मीस्थैर्यजनप्रशंसादि फलम्, परत्र तु नराऽमरसमृद्धिसिद्ध्यादि, अतिलोभाभिभूततया चैतव्रतस्यास्वीकृतौ विराधनायां वा दारिद्र्यदास्यदौर्भाग्यदुर्गत्यादि, यतः"महारंभयाए महापरिग्गहाए कुणिमाहारेणं पञ्चिदिअवहेणं जीवा नरयाउअं अज्जेइ' 'त्ति । मूर्छावान् हि उत्तरोत्तराशाकदर्थितो दुःखमेवानुभवति । यदाह - "उक्खणइ खणइ निहणइ, रत्तिं न सुअइ दिआवि अ ससंको । लिंपइ ठएइ सययं, लंछिअपडिलंछिअं कुणइ ।।१।।" परिग्रहित्वमपि मूर्छयैव, मूर्जामन्तरेण धनधान्यादेरपरिग्रहत्वात् । यदाह - "अपरिग्रह एव भवेद्वस्त्राभरणाद्यलङ्कृतोऽपि पुमान् । ममकारविरहितः सति, ममकारे सङ्गवान्नग्नः ।।१।।" [स्त्रीमुक्ति प्र.१३] तथा - "जंपि वत्थं च पायं वा, कंबलं पायपुंछणं । तंपि. संजमलज्जट्ठा, धरंति परिहरंति अ ।।१।। न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्तं महेसिणा ।।२।।" [दशवकालिक ६/२०-१] इति । तेन मूर्छानियमनार्थं सर्वमूर्छापरित्यागाशक्तस्यैतत्पञ्चममणुव्रतमुक्तम् ।।२९।। टीमार्थ : परिगृह्यत ..... मणुव्रतमुक्तम् । परिव राय छ में परि. dat=PAL, परिवहनथी, એમ અવય છે. वा प्रानो परिय छ ? मेथी ४ छ - 'कृत्स्न'=14 Astो सतत मा छ - १. धन २. धान्य 3. क्षेत्र ४. वास्तु ५. ३प्य . सुपए७. दुध्य ८. ५६ सने ८ यतुष्प६. से પ્રકારે અતિચારના અધિકારમાં વ્યાખ્યાન કરાનારો નવ પ્રકારનો પરિગ્રહ છે. વળી, શ્રી ભદ્રબાહુસ્વામીકૃત દશવૈકાલિકની નિયુક્તિમાં ગૃહસ્થનો અર્થપરિગ્રહ ૧. ધાન્ય, ૨. रत्न, 3. स्थावर, ४. Cau६, ५. यतुष्प, ६. ३यना मेथी सामान्यथी 9 मारतो. ५ तेना પ્રભેદથી ૬૪ પ્રકારનો કહેવાયો છે. તે આ પ્રમાણે – Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૯ ધાન્ય ૨૪ પ્રકારનાં છે. જે આ પ્રમાણે – * “ધાન્ય ૨૪ છે – ૧. જવ ૨. ગોધૂમ=ઘઉં ૩. સાલિ=ચોખા ૪. વીહિ પ. સઠી ૬. કોદ્રવ ૭. અણઆ ૮. કંગૂ ૯. રાલગ ૧૦. તલ ૧૧. મગ ૧૨. માસા અડદ. ||૧|| ૧૩. અયસિ=અળસી, ૧૪. હરિમંથ ૧૫. તિઉડય ૧૬. નિફાવ ૧૭. સિલિંદ ૧૮. રાયમાસા ૧૯. ઈફખુ ૨૦ મસૂર ૨૧. તુવેર ૨૨. કુલ– ૨૩ ધન્વય ૨૪ કલાયા.” રાા (દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા ૨૫૨-૨૫૩, સંબોધ પ્રકરણ શ્રાદ્ધવ્રતાધિકાર ૫૪-૫૫, પ્રવચનસારોદ્ધાર ૧૦૦૪-૧૦૦૫) આ પ્રાયઃ પ્રસિદ્ધ છે. ફક્ત ષષ્ટિકા=સઠી, નામનો પાંચમો ભેદ શાલિભેદ છેઃચોખાનો ભેદ છે. અણવ=અણુઆ નામનો ૭મો ભેદ મિણચવ નામના ધાન્યના ભેદો છે. એ પ્રમાણે હેમસ્યાશ્રયવૃત્તિમાં કહેલ છે. અથવા અણુકા યુગધરી છે એ પણ કોઈક ઠેકાણે દેખાય છે=કોઈક ગ્રંથોમાં દેખાય છે. અતસી પ્રતીત છે. હરિમળ્યા હરિમંથ નામનો ચૌદમો ભેદ કૃષ્ણચનકા છે. ત્રિપુટક=તિઉડય નામનો પંદરમો ભેદ માલવક દેશપ્રસિદ્ધ ધાવ્યવિશેષ છે. નિષ્પાવાગનિષ્કાવ નામનો ૧૬ મો ભેદ વાલ છે. સિલિન્દા સિલિંદ નામનો ૧૭મો ભેદ મુકુષ્ટા છે. રાજમાસા રાજમાષા નામનો ૧૮મો ભેદ ચપલકા છે. ઈખુર્વરદ્દિકા=ઈફખુ નામનો ૧૯મો ભેદ ઈખુવરટ્ટિકા સંભાવન કરાય છે. મસૂર-તુવેર ધાન્ય દ્વય માલવકાદિકમાળવાદિ દેશમાં પ્રસિદ્ધ છે. કલાપકા=કલાયા નામનો ૨૪મો ભેદ વૃત્તજનક છે. રત્નો ૨૪ પ્રકારનાં છે. જે આ પ્રમાણે – રત્નાદિ ચોવીસ છે. ૧. સુવર્ણ ૨. તઉ ૩. તંબ ૪. રયય-ચાંદી ૫. લોહાઈ ૬. સીસગ=સીસું ૭. હિરણે ૮. પાષાણ ૯. વઈર ૧૦. મણિ ૧૧. મોતી ૧૨. પ્રવાલ. ૧II ૧૩. સંરવો શંખ ૧૪. તિણિસા ૧૫. અગુરુ ૧૬. ચંદન ૧૭. વત્થા ૧૮. અમિલાણિ ૧૯. કઠાઈ ૨૦. ચર્મ ૨૧. દાંત ૨૨. વાલા ૨૩ ગંધ ૨૪. ડબ્બોહાઈ.” રા (સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ ૫૭-૮). આ પ્રસિદ્ધ છે=ઉપરના ચોવીસ ભેદો પ્રસિદ્ધ છે. ફક્ત રજત નામનો ૪થો ભેદ રૂપ્ય છે. હિરણ્ય નામનો ૭મો ભેદ રૂપકાદિ છે. પાષાણ નામનો ૮મો ભેદ વિજાતીય રત્ન છે. મણિ જાત્ય છે. તિનિસ-તિનિસ નામનો ૧૪મો ભેદ વૃક્ષવિશેષ છે. અમિલાણિ નામનો ૧૮મો ભેદ ઊનનાં વસ્ત્રો છે. કાષ્ઠા=કઠાઈ નામનો ૧૯મો ભેદ શ્રીપણદિ ફલકાદિ છે. ચર્મ કામનો ૨૦મો ભેદ સિંહાદિનાં ચામડાં છે. દત્ત નામનો ૨૧મો ભેદ હાથી આદિના દાંતો છે. વાલા નામનો ૨૨મો ભેદ ચમરી આદિ ગાયોના વાળો છે. દ્રવ્ય ઔષધ નામનો ૨૪મો ભેદ પિપ્પલાદિ છે. સ્થાવર ત્રણ પ્રકારના છે અને દ્વિપદ બે પ્રકારના છે. જે આ પ્રમાણે – “ભૂમિ, ધરા અને તરુગણ વળી ત્રણ પ્રકારનો સ્થાવર જાણવો. વલી, ચક્કારબદ્ધ ગાડું આદિ, માણસ=દાસ આદિ બે પ્રકારનો દ્વિપદ છે." ૧ (દશવૈકાલિક નિર્યુક્તિ - ૨૫૬, સમ્બોધપ્ર. શ્રાદ્ધ - ૫૮) ભૂમિ ક્ષેત્ર છે. ગૃહ શ્લોકમાં રહેલ ‘ધરા' શબ્દ પ્રાસાદના અર્થમાં છે. તરુગણ=શ્લોકમાં રહેલ તરુગણ નામનો ત્રીજો ભેદ નાળિયેર આદિના બગીચા છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના સ્થાવર છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ ચક્રારબદ્ધ=મંત્રી આદિગાડાં આદિ છે. માનુષ=દાસ આદિ છે એમ બે પ્રકારનું દ્વિપદ છે. ચતુષ્પદ દસ પ્રકારનાં છે જે આ પ્રમાણે – “૧. ગાય ૨. ભેંસ ૩. ઊંટ ૪. અય=બકરી ૫. એલગ=ઘેટી ૬. આસ=ઘોડો ૭. આસંતરગ=ખચ્ચર, ૮. ઘોડગ= ઘોટક ૯. ગધેડા ૧૦. હાથી. ચતુષ્પદ ૧૦ પ્રકારનાં છે.” ।।૧।। (દશવૈકાલિક નિર્યુક્તિ ૨૫૭, સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ પ૯) આ ભેદો પ્રતીત છે. ફક્ત આમાં વાલીકા દેશ ઉત્પન્ન જાતિથી અશ્વતર=આસતરગ નામનો ભેદ વેસરા છે=ખચ્ચર છે. અજાતિવાળા ઘોટક છે=ઘોડગ નામનો ભેદ છે. ૨૭૫ જુદા જુદા પ્રકારના પણ કુષ્ય એક જ છે. જે આ પ્રમાણે – “જુદા જુદા પ્રકારનું ઉપકરણ એકવિધ કુષ્ય લક્ષણ છે. આ અર્થ=પરિગ્રહ નામનો અર્થ, ૬ પ્રકારનો અને ૬૪ ભેદવાળો કહેવાયો છે.” ।।૧।। (દશવૈકાલિક નિર્યુક્તિ ગા. ૨૫૮, સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ - ૬૦) : ૬૪ ભેદવાળો પણ આ=પરિગ્રહ, નવ પ્રકારના પરિગ્રહમાં અંતર્ભાવ પામે છે. એથી કોઈ પણ વિરોધ નથી=ગ્રંથકારશ્રીએ પરિગ્રહના ૯ ભેદ કર્યા અને ભદ્રબાહુ સ્વામીએ દશવૈકાલિકની નિર્યુક્તિમાં ૬૪ ભેદો કર્યા એમાં કોઈપણ વિરોધ નથી. વળી, કેવા પ્રકારનો તવવિધ પરિગ્રહ છે તેને કહે છે અમિત=પરિમાણરહિત તેવા તવવિધ પરિગ્રહના પરિવર્જનથી=ત્યાગના નિમિત્તભૂત એવી પ્રતિજ્ઞા વડે ત્યાગથી, ઇચ્છાની=અભિલાષની, જે પરિમાણરૂપ ઇયત્તા=મર્યાદા, તેની કૃતિ=કરવું, તેને પાંચમું વ્રત=અણુવ્રતના અધિકારથી અણુવ્રત, જિનોએ કહ્યું છે એ પ્રકારે સંટંક છે=જોડાણ છે. આ=આગળમાં કહે છે એ, અહીં=પાંચમા અણુવ્રતના લક્ષણમાં તાત્પર્ય છે. પરિગ્રહની વિરતિ બે પ્રકારની છે. સર્વથી અને દેશથી. ત્યાં=પરિગ્રહ વિરતિના બે ભેદમાં, સર્વ પ્રકારથી સર્વ ભાવોમાં મૂર્છાનો ત્યાગ સર્વથી વિરતિ છે. તેનાથી ઇતર=સર્વ મૂર્છાના ત્યાગરૂપ સર્વ પરિગ્રહની વિરતિથી ઇતર, દેશથી વિરતિ છે. ત્યાં=પરિગ્રહની વિરતિમાં શ્રાવકોને સર્વથી તેની પ્રતિપત્તિની અશક્તિ હોતે છતે=સર્વથા પરિગ્રહની વિરતિને ગ્રહણ કરવાનું અસામર્થ્ય હોતે છતે, દેશથી ઇચ્છાના પરિમાણરૂપ તેને=પરિગ્રહની વિરતિને, સ્વીકારે છે. જે કારણથી સૂત્ર છે – “અપરિમિત પરિગ્રહનું શ્રમણોપાસક પચ્ચક્ખાણ કરે છે. ઇચ્છા પરિમાણને સ્વીકારે છે. અને તે પરિગ્રહ બે પ્રકારનો કહેવાયો છે. તે આ પ્રમાણે - સચિત્ત પરિગ્રહ અને અચિત્ત પરિગ્રહ.” (પ્રત્યાખ્યાનાવશ્યક સૂ. ૫, હારિભદ્રીવૃત્તિ : ૫. ૮૨૫) ‘નનુ’થી શંકા કરે છે = ઘરમાં અલ્પ દ્રવ્ય હોતે છતે પણ પરિગ્રહ પરિમાણમાં હજાર દ્રવ્ય કે લાખ આદિ દ્રવ્યનો સ્વીકાર હોવાથી ઇચ્છાવૃદ્ધિના સંભવને કારણે=પોતાની પાસે ધન છે તેના કરતાં અધિક ધનને મેળવવાની Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ ઈચ્છાવૃદ્ધિના સંભવને કારણે કયો ગુણ છે=પરિગ્રહ પરિમાણમાં કોઈ ગુણ નથી, એ પ્રમાણે કોઈ કહે, તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે સંસારી જીવોને સર્વદા ઇચ્છાવૃદ્ધિ વિદ્યમાન છે. (તેથી જે ઇચ્છાવૃદ્ધિ વિદ્યમાન છે તેમાં વ્રતગ્રહણથી પરિમિત પરિમાણનું નિયંત્રણ થાય છે માટે ગુણ છે.) સંસારી જીવોની સદા ઈચ્છાવૃદ્ધિ છે તેમાં દાંત બતાવતાં કહે છે – જે કારણથી ઇજ પ્રત્યે તમિરાજર્ષિનું વચન છે – “લોભવાળા પુરુષને સિયા કદાચિત્, કૈલાસ જેટલા અસંખ્ય સુવર્ણ-રૂપ્યના પર્વતો થાય તેનાથીeતેટલા સુવર્ણરૂપ્યના પર્વતોથી તેને કાંઈ થતું નથી તેને સ્વલ્પ પણ પરિતોષ થતો નથી; કેમ કે ઇચ્છા આકાશ સમાન અનંતી છે.” II૧il (ઉત્તરાધ્યયન ૯/૪૮) અને આ રીતે ઇચ્છાના અનંતપણામાં તેનું ઇયત્તાકરણ=ઈચ્છાનું પરિમિતકરણ, મહાન ગુણ માટે છે. જે કારણથી કહેવાયું છે – જે જે પ્રમાણે અલ્પલોભ થાય છે, જે જે પ્રમાણે અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ થાય છે તે તે પ્રમાણે સુખ પ્રવર્તે છે અને ધર્મની સંસિદ્ધિ થાય છે.” In૧u (સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ - ૬૨) તે કારણથી ઇચ્છાના પ્રસરનો વિરોધ કરીને સંતોષમાં યત્ન કરવો જોઈએ; કેમ કે સુખનું સંતોષ મૂલપણું છે. જે કારણથી કહે છે – “આરોગ્યસાર મનુષ્યપણું છે. સત્યસાર ધર્મ છે. નિશ્ચયસાર વિદ્યા છે અને સંતોષસાર સુખાદિ છે.” II૧|| , (સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ - ૬૩) તે કારણથી આ વ્રતના=પરિગ્રહ પરિમાણ વ્રતતા, અહીં પણ =આ લોકમાં પણ, સંતોષનું સુખ, લક્ષ્મીનું ધૈર્ય, જનપ્રશંસાદિ ફલ છે. વળી પરત્ર=અત્યભવમાં, નર-અમરની સમૃદ્ધિ=મનુષ્ય અને દેવભવની સમૃદ્ધિ અને સિદ્ધિ આદિ છે. અને અતિલોભથી અભિભૂતપણાને કારણે આ વ્રતના અસ્વીકારમાં ઇચ્છા પરિમાણરૂપ પાંચમા અણુવ્રતના અસ્વીકારમાં અથવા વિરાધનામાં=સ્વીકારેલા પાંચમા અણુવ્રતની વિરાધનામાં દરિદ્રપણું, દાસપણું, દૌર્ભાગ્ય અને દુર્ગતિ આદિ પ્રાપ્ત થાય છે જે કારણથી કહેવાયું છે – “મહારંભથી, મહાપરિગ્રહથી અને કુણિમ આહારથી=માંસાહારથી અને પંચેદ્રિયવધથી જીવો નરકાયુષ્યનું અર્જન કરે છે.” III (). ‘ત્તિ' શ્લોકની સમાપ્તિ અર્થે છે. મૂર્છાવાળો ઉત્તરોત્તર આશાથી કદર્ધિત જીવ દુઃખને જ અનુભવે છે. જેને કહે છે – ઉખન્ન કરે છે–પોતાનું ધન ભૂમિમાં સ્થાપેલું છે તેનું ઉખનન કરે છે. ખનન કરે છે અન્યત્ર ખનન કરે છે. સ્થાપન કરે છે=અન્યત્ર ખનન કરેલા સ્થાનમાં સ્થાપન કરે છે. શાંતિપૂર્વક સૂતો નથી. દિવસમાં પણ સશક છે. લિપે છે–પોતે સ્થાપન કરેલ નિધાન ઉપર લીંપણ કરે છે. સતત લાંછન સ્થાપન કરે છે=જ્યાં નિધાન સ્થાપન કર્યું છે ત્યાં Page #294 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ ૨૭૭ સતત ચિહ્ન કરે છે. પ્રતિબંછન કરે છે=જમીનમાં દાટેલ પોતાનું નિધાન કયા સ્થાનમાં છે તે ભુલાય નહીં તેના માટે પ્રતિચિહ્નો કરે છે.” II૧II (). પરિગ્રહપણું પણ મૂચ્છથી જ છે; કેમ કે મૂચ્છ વગર ધન-ધાત્યાદિનું અપરિગ્રહપણું છે. જેને કહે વસ્ત્ર આભરણાદિથી અલંકૃત પણ પુરુષ મેમકારથી વિરહિત અપરિગ્રહવાળો જ છે. મમકાર હોતે છતે નગ્નપુરુષ સંગવાળો જ છે.” I૧ (સ્ત્રીમુક્તિ પ્ર.૧૩) અને જે પણ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપૂંછન તે પણ સંયમ અને લજ્જા માટે ધારણ કરે છે. અને પરિહાર કરે છે તે પરિગ્રહ તાઈ એવા જ્ઞાતપુત્ર વ=તારનારા એવા વીરભગવાન વડે, કહેવાયો નથી. મૂચ્છ પરિગ્રહ કહેવાયો છે એ પ્રમાણે મહર્ષિઓ વડે કહેવાયું છે.” (દશવૈકાલિક-૬/૨૦-૧) તેથી મૂચ્છના નિયમન અર્થે સર્વ મૂચ્છના પરિત્યાગ માટે અશક્તને આ પાંચમું અણુવ્રત કહેવાયું છે. ૨૯ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ ધન-ધાન્યાદિ નવ ભેદમાં બાહ્ય સર્વ પરિગ્રહનો સંગ્રહ કર્યો છે. તે નવ પ્રકારનો પરિગ્રહ વ્રત લેવા પૂર્વે અમર્યાદિત હોય છે. તે અમર્યાદિત પરિગ્રહના પરિવર્જનથી જે ઇચ્છાનું પરિમાણ કરવામાં આવે છે તે આ ૯ પ્રકારના પરિગ્રહમાંથી પોતે સ્વીકારેલા પ્રમાણથી અધિક પરિગ્રહ હવે પછી ગ્રહણ કરીશ નહીં એ પ્રકારની ઇચ્છાના પરિમાણથી નિયંત્રિત એવું પાંચમું અણુવ્રત છે, એ પ્રમાણે ભગવાન કહે છે. તે નવ પ્રકારના પરિગ્રહના સ્થાને ભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિક નિર્યુક્તિમાં ભેદો કહ્યા છે અને તેના ઉત્તર ૯૪ ભેદો કહ્યા છે, તેમાં પણ સર્વ બાહ્ય પરિગ્રહનો સંગ્રહ છે. તેથી ગ્રંથકારશ્રીએ કરેલા ૯ ભેદ અને ભદ્રબાહુસ્વામીએ કરેલા ભેદમાં કોઈ ભેદ નથી. જેમ જીવના ભેદ કરતી વખતે કોઈ કહે કે પૃથ્વીકાયાદિ ૯ પ્રકારના જીવો છે અને તે ૩ ભેદોને જ વિવક્ષાના ભેદથી જ કોઈ કહે કે ત્રસ અને સ્થાવર એમ જીવના બે ભેદ છે તે બંને પ્રકારના ભેદમાં સર્વ જીવોનો સંગ્રહ છે તેમ ગ્રંથકારશ્રીએ કહેલ ૯ ભેદ અને ભદ્રબાહુસ્વામીએ કરેલ ભેદ તેમાં કોઈ ભેદ નથી. પરંતુ તે બંને કથનમાં વિવાથી સર્વ બાહ્ય પરિગ્રહનો જુદી રીતે સંગ્રહ થયેલો છે. આ રીતે બાહ્ય પરિગ્રહને આશ્રયીને પરિગ્રહ પરિમાણનું સ્વરૂપ બતાવ્યા પછી તેનું તાત્પર્ય સ્પષ્ટ કરવા અર્થે કહે છે – પરિગ્રહની વિરતિ બે પ્રકારે થાય છે. સર્વથી અને દેશથી. સર્વથી પરિગ્રહની વિરતિ ભાવસાધુને સંભવે છે; કેમ કે ભાવસાધુ સર્વથા સર્વ ભાવોમાં મૂચ્છ વગરના હોય છે. તેથી આત્માથી અતિરિક્ત દેહનો પણ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ પરિગ્રહ તેઓને નથી. ફક્ત સર્વવિરતિ-ધર્મને સ્વીકારીને તેને અતિશય કરવા અર્થે સદા અપ્રમાદભાવે ઉદ્યમ કરે છે અને તેના સાધનરૂપે દેહને ધારણ કરે છે. વસ્ત્ર-પાત્રને ધારણ કરે છે. તેથી સાધુને દેહ પ્રત્યે પણ મૂર્છા નથી. વસ્ત્ર-પાત્ર પ્રત્યે પણ મૂચ્છ નથી માટે સંપૂર્ણ પરિગ્રહ વગરના છે. શ્રાવકને દેશથી પરિગ્રહની વિરતિ છે; કેમ કે દેહ પ્રત્યે મમત્વ છે તેથી દેહની શાતા અર્થે તેના સાધનભૂત ધન-ધાન્યાદિ રાખે છે અને દેહની શાતાના ઉપાયભૂત જે નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ રાખે છે તે પરિગ્રહને ઇચ્છાના પરિમાણ દ્વારા પરિમિત કરે છે અને અધિકનો ત્યાગ કરે છે. તેથી શ્રાવકને દેશથી પરિગ્રહની વિરતિરૂપ અણુવ્રત છે અને શ્રાવકના પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ બતાવનાર સૂત્ર આ પ્રમાણે છે. શ્રાવક અપરિમિત પરિગ્રહનું પચ્ચખાણ કરે છે અને ઇચ્છાના પરિમાણને સ્વીકારે છે તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકને બોધ થયેલ છે કે પરિગ્રહના ભારથી ભારે થયેલો જીવ દુર્ગતિમાં જાય છે માટે સંપૂર્ણ પરિગ્રહ વગરના મારે થવું જોઈએ. પરંતુ તેવો બોધ હોવા છતાં દેહ પ્રત્યેની મૂચ્છ છે અને દેહ પ્રત્યે શાતાની અર્થિતા છે તેથી શ્રાવક સર્વથા પરિગ્રહ ત્યાગ કરી શકતો નથી તોપણ પરિગ્રહના પાપથી આત્માનું રક્ષણ કરવા અર્થે અપરિમિત પરિગ્રહનું પચ્ચખ્ખાણ કરીને અર્થાતુ અપરિમિત પરિગ્રહ નહીં રાખવાની પ્રતિજ્ઞા કરીને ઇચ્છાના પરિમાણને સ્વીકારે છે અર્થાત્ આટલી મર્યાદાથી અધિક પરિગ્રહ હું રાખીશ નહીં આ પ્રકારના ઇચ્છાના પરિમાણને સ્વીકારે છે અને તે પરિગ્રહ બે પ્રકારનો છે. સચિત્ત પરિગ્રહ અને અચિત્ત પરિગ્રહ. સચિત્ત પરિગ્રહ દાસ-દાસી આદિ છે. અને અચિત્ત પરિગ્રહ ધન-ધાન્યાદિ છે. તે સર્વનો ગ્રંથકારશ્રીએ નવ ભેદમાં સંગ્રહ કરેલો છે. આ રીતે, પરિગ્રહ પરિમાણનું સ્વરૂપ બતાવ્યા પછી ત્યાં કોઈ શંકા કરે છે કે ગૃહસ્થ જે પરિગ્રહ, પરિમાણ વ્રત ગ્રહણ કરે છે તેમજ પોતાની પાસે જે પરિગ્રહ છે તેના કરતાં અધિક પરિગ્રહ રાખવાની મર્યાદા કરે છે, તેથી વિદ્યમાન દ્રવ્યની મર્યાદા કરતાં અધિક દ્રવ્યની મર્યાદા સ્વીકારવાથી ઇચ્છાની વૃદ્ધિનો સંભવ છે તેથી પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકારવાથી કોઈ ગુણ થતો નથી. આ પ્રકારની સ્થૂલદૃષ્ટિથી પર વડે કરેલ શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – સંસારી જીવોને પોતાની પાસે વિદ્યમાન દ્રવ્ય કરતાં અધિક દ્રવ્યની ઇચ્છાની વૃદ્ધિ સર્વદા વિદ્યમાન છે અને તે ઇચ્છાની વૃદ્ધિમાં કોઈ મર્યાદા નથી. તેથી શ્રાવક પાસે જે અલ્પ પરિગ્રહ છે તેના કરતાં અમર્યાદિત પરિગ્રહ સ્વીકારવાનો પરિણામ સદા વિદ્યમાન છે અને તે પરિણામને સીમિત કરવા અર્થે શ્રાવક ઇચ્છાનું પરિમાણ કરે છે. માટે આ મર્યાદાથી અધિક હું કોઈ પરિગ્રહ રાખીશ નહિ.” એ પ્રકારનો અભિગ્રહ કરે છે. તેથી પરિગ્રહ પાપરૂપ છે. સંપૂર્ણ નિષ્પરિગ્રહી થવા જેવું છે અને સંપૂર્ણ નિષ્પરિગ્રહી થવાની પોતાની શક્તિ નથી તેવું શ્રાવકને જણાવાથી ઇચ્છાના પરિમાણ દ્વારા અપરિમિત ઇચ્છાને શ્રાવક સીમિત કરે છે. જેથી અપરિમિત દ્રવ્ય વિષયક મૂચ્છરૂપ જે ઇચ્છા હતી તે સીમિત થવાથી દેશથી મૂચ્છની નિવૃત્તિ થાય છે. તેથી પરિગ્રહ પરિમાણ વ્રત કરવા પૂર્વે અમર્યાદિત ઇચ્છારૂપ મૂર્છાને કારણે જે કર્મબંધની પ્રાપ્તિ હતી તે મર્યાદિત ઇચ્છા સ્વરૂપ પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકારવાને કારણે મર્યાદિત ઇચ્છા થવાથી અલ્પ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | ોક-૨૯ કર્મબંધની પ્રાપ્તિ થાય છે. માટે પોતાની પાસે વિદ્યમાન પરિગ્રહથી અધિક પરિગ્રહ રાખવાની ઇચ્છા સ્વરૂપ પ્રતિજ્ઞા હોવા છતાં તે પ્રતિજ્ઞાથી શ્રાવકને અલ્પ કર્મબંધરૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. સંસારી જીવોને સર્વદા અપરિમિત ઇચ્છા છે તેમાં ઉત્તરાધ્યયન ગ્રંથ'નું ઉદ્ધરણ બતાવે છે – પરિગ્રહમાં લુબ્ધ એવા મનુષ્યને કૈલાસ જેટલા મોટા અસંખ્યાતા સુવર્ણ અને રૂપાના પર્વતોની પ્રાપ્તિ થાય તોપણ તેઓને સંતોષ થતો નથી; કેમ કે જેમ જેમ પરિગ્રહની વૃદ્ધિ થાય છે તેમ તેમ અધિક-અધિકની પ્રાપ્તિની ઇચ્છા થાય છે. અને તે ઇચ્છા આકાશ જેટલી અમર્યાદિત છે. આ રીતે અમર્યાદિત પરિગ્રહની ઇચ્છા વિદ્યમાન હોય છે. તેને શ્રાવક મર્યાદિત કરે છે. માટે ઇચ્છાના પરિમાણરૂપ પાંચમું અણુવ્રત શ્રાવકને મહાન ગુણ માટે થાય છે. કઈ રીતે મહાન ગુણ માટે થાય છે ? તેમાં સાક્ષી બતાવે છે – જેમ જેમ અલ્પ લોભ થાય છે અને તેને કારણે અલ્પ પરિગ્રહ અને અલ્પ આરંભ થાય છે તેમ તેમ જીવમાં સુખ વર્તે છે અને જીવમાં ધર્મની સંસિદ્ધિ થાય છે. આશય એ છે કે વિવેકસંપન્ન શ્રાવક પરિગ્રહનું પરિમાણ કરે છે તેનાથી તેમને સંપૂર્ણ નિષ્પરિગ્રહી પ્રત્યે પક્ષપાત થાય છે અને પોતાની પરિગ્રહવાની અવસ્થા અસાર જણાય છે. તેથી પરિગ્રહમાં ઇચ્છાના પરિમાણ દ્વારા તે પોતાના લોભને નિયંત્રિત કરે છે અને આ રીતે પોતાના લોભને નિયંત્રિત કરવાને કારણે જેમ જેમ તેનો લોભ ઘટે છે તેમ તેમ તેના જીવનમાં બાહ્ય પરિગ્રહને મર્યાદિત કરવા યત્ન થાય છે અને તેના કારણે તે પરિગ્રહકૃત આરંભ પણ અલ્પ થાય છે અને અલ્પ પરિગ્રહ અને અલ્પ આરંભ થવાને કારણે તે શ્રાવકમાં સંતોષના પરિણામરૂપ સુખ વર્તે છે અને તેના કારણે તે શ્રાવક વિશેષ રીતે ધર્મની નિષ્પત્તિ કરવા અર્થે ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે. તેથી તેનામાં ધર્મની સિદ્ધિ થાય છે. માટે શ્રાવકે ઇચ્છાના વિસ્તારનો નિરોધ કરીને સંતોષમાં યત્ન કરવો જોઈએ; કેમ કે સંતોષમૂલ જ સુખ છે. સંતોષમૂલ જ સુખ કેમ છે ? તેમાં સાક્ષી બતાવે છે – આરોગ્યસાર મનુષ્યપણું છે અર્થાત્ રોગથી આક્રાંત મનુષ્યપણું હોય તો તે મનુષ્યપણું નિષ્ફળ છે. પરંતુ જેનું મનુષ્યપણું આરોગ્યપ્રધાન છે તે મનુષ્ય પોતાના મનુષ્યભવને હિતમાં પ્રવર્તાવી શકે છે. માટે આરોગ્યસાર મનુષ્યપણું છે. વળી, સત્યસાર ધર્મ છે. અર્થાત્ જીવનમાં સર્વ ઉચિત પ્રવૃત્તિઓ સત્યપૂર્વક થાય છે. તેથી જે મનુષ્ય ક્યારેય મૃષાવાદ બોલે નહીં, ક્યારેય ખોટું કરે નહીં, ક્યારેય ખોટું વિચારે નહીં તે જીવમાં ધર્મ પ્રગટી શકે. માટે સત્યસાર ધર્મ છે. નિશ્ચયસાર વિદ્યા છે.” સર્વ વિદ્યાઓનું તાત્પર્ય એ છે કે જીવને અસંગભાવની પ્રાપ્તિ કરાવીને વીતરાગતુલ્ય બનાવે તેવા પરમાર્થનો બોધ છે જેમાં તેવી વિદ્યા અથવા તેવું જ્ઞાન તે જ જ્ઞાન છે અને અન્ય સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ અજ્ઞાન સ્વરૂપ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ સંતોષસાર સુખાદિ છે. અર્થાત્ જેમ જેમ જીવને સંતોષ થાય છે તેમ તેમ સુખ થાય છે. જેમ તૃષા લાગી હોય અને જલપાનથી તૃષા શમે તો સુખ થઈ શકે પરંતુ જલપાનથી તૃષાની વૃદ્ધિ જ થતી હોય તો સુખ થઈ શકે નહીં, તેમ સંસારમાં જીવોને જે કંઈ સુખાદિનો અનુભવ થાય છે તેમાં સંતોષ જ પ્રધાન છે. જો સંતોષ ન હોય તો ધનાદિની વૃદ્ધિ થવા છતાં ઇચ્છાની વૃદ્ધિ દ્વારા સદા તે અધિક-અધિકની પ્રાપ્તિના શ્રમમાં જ વ્યગ્ર રહે છે. પરંતુ કોઈ પ્રકારના સુખને મેળવી શકતો નથી. તેથી સંતોષ પ્રધાન સુખ છે. આ રીતે પાંચમા અણુવ્રતને સ્વીકારવાથી આલોકમાં અને પરલોકમાં શું ફળ મળે છે ? તે બતાવે છે – પાંચમા અણુવ્રતને સ્વીકારનાર શ્રાવકને કંઈક અંશથી સંતોષસુખ પ્રગટે છે તેથી ધનવૃદ્ધિની તીવ્રલાલસાની પીડાથી તે રહિત થાય છે. વળી, ઇચ્છાના પરિમાણરૂપ વ્રતના પાલનના બળથી પુણ્યની વૃદ્ધિ થવાને કારણે લક્ષ્મીના સ્વૈર્યની પ્રાપ્તિ થાય છે; કેમ કે સંતોષી શ્રાવક અનુચિત રીતે ધન સંચય કરવા માટે યત્ન કરતા નથી તેથી લોકમાં તેની પ્રતિષ્ઠા થવાને કારણે ધન-અર્જનનો વ્યવહાર તે સુખપૂર્વક કરી શકે છે. તેથી લક્ષ્મી ધૈર્યને પામે છે અને તેના સંતોષગુણને કારણે લોકમાં તેની પ્રશંસા થાય છે. આ સર્વ આ લોકનાં જ ફળ છે. વળી પરલોકમાં મનુષ્યની અને દેવલોકની સમૃદ્ધિની સિદ્ધિ આદિ થાય છે; કેમ કે ઇચ્છાના પરિમાણને કારણે બંધાયેલા પુણ્યના બળથી ઉત્તરના ભાવોમાં અનેક પ્રકારની બાહ્ય સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વળી, જેઓ અતિલોભથી અભિભૂત છે તેથી પાંચમું અણુવ્રત સ્વીકારતા નથી અથવા સ્વીકારેલું હોવા છતાં લોભને વશ તેની વિરાધના કરે છે. તેઓને તે વિરાધનાને કારણે દારિદ્રપણું, દાસપણું, દુર્ભાગ્યપણું અને દુર્ગતિ આદિ ફળો પ્રાપ્ત થાય છે. તેમાં સાક્ષી આપે છે – જે જીવો અતિલોભથી અભિભૂત છે તેઓ પાંચમું અણુવ્રત સ્વીકારતા નથી કે સ્વીકારીને વિરાધના કરે છે તેઓ મહારંભ અને મહાપરિગ્રહ કરે છે. જેનાથી તેઓ નરકાયુષ્ય બાંધે છે; કેમ કે નરકાયુષ્ય બંધનાં ૪ કારણો બતાવ્યાં છે :- ૧. મહારંભ, ૨. મહાપરિગ્રહ, ૩. માંસાહાર, ૪. પંચેંદ્રિયવધ. વળી, જેઓ પાંચમું અણુવ્રત સ્વીકારતા નથી તેઓ મૂર્છાવાળા છે. તેથી જે ધનાદિ પોતાને પ્રાપ્ત થયું છે તેનાથી અધિકઅધિક આશાથી કદર્શિત થયેલા દુઃખને જ અનુભવે છે. જેમાં સાક્ષી આપે છે – મૂર્છાવાળા જીવો ધનસંચય કર્યા પછી અધિક ધનને સુરક્ષિત રાખવા માટે કોઈક અજ્ઞાત સ્થાનમાં ખાડો ખોદીને દાટે છે અને તેઓને હંમેશાં શંકા થાય છે કે મેં દાટેલું ધન કોઈ લઈ ગયું છે કે નહીં. તેથી તે સ્થાન તે કેટલાક સમય પછી ફરી ખોદે છે અને ત્યાંથી ધન કાઢીને કોઈ નવા સ્થાને દાટે છે. જેથી પોતાનું ધન કોઈ લઈ ન જાય. આ રીતે શાંતિથી તે સૂઈ પણ શકતો નથી પરંતુ દિવસના પણ પોતાના ધન વિષયક શંકા કરે છે કે મારું દાટેલું ધન કોઈક જોઈ જશે તો ચાલ્યું જશે. વળી, પોતે દાટેલા ધનને તે રીતે લીંપીને મજબૂત કરે છે. જેથી કોઈને શંકા ન થાય અને સતત તેનાં ચિહ્ન સ્થાપે છે કે આ સ્થાને આ વૃક્ષ નીચે મેં ધન દાટેલું છે. વળી, પોતે ભૂલી ન જાય તેથી તેના પ્રતિચિહ્નો કરે છે અર્થાત્ ફલાણા-ફલાણા કોઈ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ વૃક્ષાદિની સન્મુખ તે ભૂમિમાં મેં ધન દાટેલું છે તે પ્રકારે તે સ્થાનનાં ચિહ્નો કરે છે જેથી પોતાને સ્થાનનું વિસ્મરણ ન થાય. આ પ્રકારે સદા ધનની સુરક્ષાની ચિંતાથી તે પુરુષ કદર્શિત થાય છે. વળી, જીવ જે પરિગ્રહ ગ્રહણ કરે છે તે મૂર્છાથી જ ગ્રહણ કરે છે. જો જીવને મૂર્છા ન હોય તો ધનધાન્યાદિને ગ્રહણ કરે નહીં. તેથી મૂર્છાના પરિણામથી જ જીવ સર્વ કદર્થનાઓ પ્રાપ્ત કરે છે. તેમાં સાક્ષી આપે છે – કોઈ પુરુષ વસ્ત્ર-આભરણ-અલંકારોથી પણ અલંકૃત હોય છતાં કોઈ નિમિત્તને પામીને મમકારથી વિરહિત થાય છે તો તે અપરિગ્રહવાળો જ છે. આથી બાહ્ય પરિગ્રહધારી એવા પણ ભરત મહારાજા અપરિગ્રહના પરિણામથી જ કેવલજ્ઞાનને પામ્યા. વળી, કોઈ વ્યક્તિ પાસે કોઈ જ બાહ્ય પરિગ્રહ ન હોય, તદ્દન નગ્ન હોય છતાં બાહ્ય પદાર્થો પ્રત્યે મમકાર હોય તો=બાહ્ય પદાર્થો મેળવવાની ઇચ્છા અને વૃદ્ધિની ઇચ્છારૂપે મમકાર હોય તો, તે સંગવાળો છે. માટે પરમાર્થથી મૂચ્છ જ પરિગ્રહ છે તેને અલ્પ કરવાથું પરિગ્રહ પરિમાણવ્રત છે. આથી જ દશવૈકાલિકમાં કહ્યું છે કે સાધુઓ સંયમની વૃદ્ધિ માટે અને નગ્ન રહેવાથી લોકમાં લજ્જાસ્પદ બને છે તેના નિવારણ માટે જે કંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ આદિ ધારણ કરે છે અને સંયમને ઉપકારક ન હોય તેનો પરિહાર કરે છે. તેઓને વીર ભગવાને અપરિગ્રહવાળા કહ્યા છે અને મૂચ્છને જ પરિગ્રહ કહ્યો છે. માટે મૂચ્છના નિયમન માટે સર્વ મૂચ્છના પરિત્યાગની અશક્તિવાળા શ્રાવકને આ પાંચમું અણુવ્રત કહેવાયું છે. ર૯ll અનુસંધાનઃ ધર્મસંગ્રહ ભાગ-૩ Page #299 --------------------------------------------------------------------------  Page #300 -------------------------------------------------------------------------- ________________ न्याय्यश्च सति सम्यक्त्वेऽणुव्रतप्रमुखग्रहः / जिनोक्ततत्त्वेषु रुचिः, शुद्धा सम्यक्त्वमुच्यते / / સમ્યક્ત હોતે છતે જ અણુવ્રત વગેરેનું ગ્રહણ ન્યાપ્ય છેઃઉચિત છે, જિનોક્ત તત્ત્વોમાં શુદ્ધ રુચિ સમ્યવ કહેવાય છે.. : પ્રકાશક : કાતાથી - મૃતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, સ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in