________________
૪૬૯
ચોસઠપ્રકારી પૂજા, બીજો દિવસ
ઢાળ પહેલી (રાગ–આશાવરી, નમો રે નમો શ્રી શેત્રુંજા ગિરિવર-એ દેશી)
માગહ ને વરદામ પ્રભાસ, ગંગા નીર વિવેક રે; દર્શનાવરણ નિવારણ કારણ, અરિહાને અભિષેક રે.
નમે રે નમે દર્શનદાયક. ૧ (એ આંકણી) દર્શનદાયક શ્રી જિનવર તું, લાયકતાને લાગ રે; પ્રીત પટંતર રાય ન છાજે, જે હેય સાચો રાગ રે. નમે ૨ રાગ વિના નવિ રી સાંઈ, નીરાગી વીતરાગ રે. જ્ઞાનનયન કરી દર્શન દેખે, તે પ્રાણી વડભાગ ૨. નમેo ૩ ઢાળને અથ–
માગધ, વરદામ ને પ્રભાતીર્થના તેમજ ગંગા આદિ નદીઓના પવિત્ર નીર લાવીને દર્શનાવરણ કર્મને નિવારવા માટે વિવેકપૂર્વક અરિહંતને અભિષેક કરીએ. હે દર્શનદાયક પ્રભુ! તમેને નમસ્કાર થાઓ. ૧
હે પ્રભુ ! તમે શુદ્ધદર્શન આપનાર છે, તેવા લાયકપણાને આપ જ એગ્ય છે, જે સાચે રાગ હોય તે પ્રીતિ અને પટાંતરપણું એ બને એક સાથે શેભે નહિ. અર્થાત્ જ્યાં સાચી પ્રીતિ હોય ત્યાં પડદે હેય નહિ. ૨ ' હે પ્રભુ! રાગ વિના કઈ રીઝી શકે નહિ, જ્યારે વીતરાગ પરમાત્મા તે રાગ વિનાના છે. જે પ્રાણ જ્ઞાનરૂપ નેત્રો વડે આપનું દર્શન જુએ છે, તે પ્રાણી મહાભાગ્યશાળી છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org