________________
ચિઠપ્રકારી પૂજા, સાતમે દિવસ
१०७
કહિ કારણ સુણજે દેવ, તુજ આગમરસ નવિ ભાવ્યા. ન કરી બહુશ્રુતકેરી સેવ, અરૂચિપણું અંતર લાવ્યા. ૨ ભણે ભણવે મુનિવર જેહ, નિંદા હતણી ભાખી; પરગુણ ઢાંકી અવગુણ લેહ, કુડી વાતતણે સાખી. ૩
વિણદીઠી અણસાંભળી વાત, લોક વચ્ચે ચલવે પાપી; ચાડી કરતાં પાડી જાતિ, વાડી ગુણતણી કાપી, ૪. ગુણ અવગુણ મેં સરખાં કીધ, અરિહાભક્તિ નવ કીધી; ઉત્તમ કુળ જાતિ પરસિદ્ધ, વાહ્યો મદ ગારવ ગિદ્ધિ, ૫
તેના કારણે હે પરમાત્મા તમે સાંભળે. મને તમારા આગમને રસ ગમ્યો નહિ, બહુશ્રુતની મેં સેવા ન કરી, અંતરમાં તેમના તરફ અરુચિભાવ લાવ્યા. ૨
જે મુનિવરને ભણે ભણાવે, તેની નિંદા કરી, પારકાના ગુણ ઢાંકી દીધા, અને અવગુણ પ્રગટ કર્યા, બેટી વાતને હું સાક્ષી થયે. ૩
વગરદીઠી અને વગરસાંભળી વાતે પાપી એવા મેં લેકની વચ્ચે વહેતી મૂકી, કેળની ચાડી કરીને મારી જાતને હલકી પાડી, તેમ જ મારા ગુણની વાડીને મેં કાપી નાંખી. ૪
ગુણ અને અવગુણને મેં સરખા કર્યા. અરિહંતની ભક્તિ ન કરી, પ્રસિદ્ધ એવા ઉત્તમકુળ અને ઉત્તમ જાતિ પામ્યા ત્યારે મદ કર્યો, ગારવ કર્યો અને તેમાં વૃદ્ધ-આસક્ત થયે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org