________________
પં. શ્રી વીરવિજયજી મહારાજ કૃત શ્રી પીસ્તાલીશ આગમની પૂજા
પ્રથમ જલપૂજા
દુહા
શ્રી શંખેશ્વર પાસજી, સાહિબ સુગુણ ગરી શુભ ગુરુ ચરણ પસાથથી, ચુતનિધિ નજરે દીક. ૧ શાસનનાયક વેદિયે, ત્રિશલામાત મહાર; જસ મુખથી ત્રિપદી લહી, સૂત્ર રચે ગણધાર સુધર્મા ગણધરતણું, રચના વરતે સેય; દ્વાદશ અંગ થકી અધિક, સૂત્ર નહી જગ કોય, ૩
દુહાને અર્થ–શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત કે જે પરમાત્મા ઉત્તમ ગુણવડે મહાન છે તેઓના અને મારા ગુરુ શ્રી શુભવિજયજી મહારાજના ચરણના પ્રસાદથી (પિસ્તાલીશ આગમરૂપ) આ શ્રુતને ભંડાર મેં નજરે જોયે. ૧
વર્તમાનશાસનના નાયક શ્રી ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીર પરમાત્માને વંદન કરીએ કે જેઓશ્રીના શ્રીમુખેથી vજે ૬ વા, વિરે ૬ વા, પુર્વ ૬ વા એ ત્રિપદી લહીને શ્રી ગણધર ભગવતે સૂત્રની રચના કરે છે. ૨
વર્તમાન શાસનમાં દ્વાદશાંગીની રચના શ્રી સુધમાં ગણધરની વતે છે. આ દ્વાદશાંગીથી વધારે જગતમાં કે સૂત્ર નથી.મતલબ કે બધાય સૂત્રોને સમાવેશ દ્વાદશાંગીમાં થઈ જાય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org