Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રકરણ પાંચમું
ચંદ્રલેખાની મનસિદ્ધિ જૈન કથાગ્રંથને વાચક સિંહલદ્વીપના નામથી ભાગ્યે જ અજાણ હશે. આ દ્વીપને વિષે લક્ષ્મીના સ્થાનરૂપ યથાર્થ અભિધાનવાળું શ્રી પુર નામનું એક નગર હતું, જ્યાં શત્રુસમૂહને દઈ દળી નાખનાર પ્રતાપી ચંદ્રગુપ્ત નામને રાજવી રાજ્ય કરતા હતા. રાજ્યનીતિ, રાજાની ત્રણ શક્તિ, યુદ્ધભૂત અને વિદ્વત્તામાં તે પૂરેપૂરે વિચક્ષણ હતું. તેનું પોતાનું હદય કેમળ હતું છતાં જેમ સિંહશિશુથી સર્વ જન ત્રાસ પામે તેમ તેના નામમાત્રથી શત્રુગણ ભયભીત બની જતો હતો. તેને ચંદ્રલેખા નામની સુંદરાકૃતિવાળી પટ્ટરાણી હતી. માત્ર તેના શરીર જ શીતળતા હતી એટલું જ નહિ પરંતુ તેની વાણીમાંથી પણ માધુર્ય જ કરત. ચંદ્રરેખા નામના એકત્વપણાથી તેની સ્પર્ધા કરતી પરન્ત અંતે તે તેમાં નિષ્ફળ જ નીવડતી કારણ કે ચંદ્રની રેખા વાંકી હોય છે જ્યારે ચંદ્રલેખામાં વકપણાને સદંતર અભાવ જ હતે અર્થાત તેણી સરલ સ્વભાવની હતી. ભેગવિલાસ માણતાં તેને એક પછી એક પરાક્રમશાળી સાત પુત્રો થયા. આ સંસારમાં ગમે તેટલી સુખપ્રાપ્તિ થાય છતાં કઈ પૂર્ણ સંતોષ પામ્યું છે? સ્ત્રાણ પવએ નિયમાનુસાર જેમ જેમ લાભ-સુખ પ્રાપ્ત થતું જાય તેમ તેમ લે-તૃષ્ણા
* આ સિંહલદ્વીપ તે હાલનું સીલન જ મનાય છે. રામ-રાવણના યુદ્ધ પછી આ હીપ વિશેષ પ્રખ્યાતિ પામ્યા. હિંદના દક્ષિણ કિનારે આ દીપ (બેટ) અાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com