Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [ શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર
-
-
-- • •-•
• ---
--
આપ્યું. સંન્યાસીએ કાતિક શેઠને સંકટમાં નાખવાની આ અમૂલી તક ઝડપી લઈ રાજાને જણાવ્યું કે “જે કાર્તિક શેઠ તમારે ત્યાં આવીને મને પીરસે તે હું તમારે ત્યાં પારણું કરવા આવું.” રાજાને આમાં સંન્યાસીના માયાભાવની ગંધ સરખી પણ ન આવી. તેણે નિદોષભાવે તે માગણી સ્વીકારી અને કાતિક શેઠને પણ કહેણ મોકલાવ્યું. કાતિક શ્રેષ્ઠી સંન્યાસીની ચાલબાજી સમજી ગયા, પરન્તુ રાજાજ્ઞાન અમલ કર્યા સિવાય છૂટકે ન હતા. ચોગ્ય સમયે રાજા પાસે આવી તેમણે નમ્રભાવે જણાવ્યું કે-“સંન્યાસીને પારણું કરાવવું તે મારે કુળધર્મ નથી. આપની આજ્ઞાને વશ થઈ આ કાર્ય મારે કરવું પડે છે.” બાદ પ્લાન વદને શ્રેષ્ઠી સંન્યાસીને એક પછી એક ખાદ્ય પદાર્થ પીરસવા લાગ્યા એટલે ઈર્ષ્યાગ્નિથી બળતે સંન્યાસી શ્રેષ્ઠીને તિરસ્કાર કરવા માટે વારંવાર પિતાની તજની આંગલીવડે નાક ઘસીને તેને દેખાડવા લાગે કે-તારું નાક કેવું કાપ્યું છે? કાતિક શેઠ તેને ગૂઢ ભાવ જાણી ગયા પરંતુ તે સમયે તેઓ નિરુપાય હતા. તેમણે મનમાં વિચાયુ” કે-જે મેં પૂવે સંયમ સ્વીકારી લીધું હોત તે આ નિર્ભત્સના સહન કરવાને પ્રસંગ ન પ્રાપ્ત થાત. પરંતુ હવે તો “જાગ્યા ત્યાંથી સવાર એ લેકેક્તિ મુજબ હું આ ઘડીએ જ નિર્ણય કરું છું કેપરમાત્મા આ બાજુ આવી ચઢે તે તેમના પાસે આ પરાધીનદશાથી મુક્ત કરાવનારી પારમેશ્વરી પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” કેવળજ્ઞાન દ્વારા કાત્તિક શ્રેષ્ઠીના મનભાવને જાણુને શ્રી મુનિસુવ્રતસ્વામી શીધ્ર હસ્તિનાપુર આવ્યા. પ્રભુને સમવસર્યા જાણીને કાર્તિક શ્રેષ્ઠીને કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા એટલે પરમાનંદ થયો. તેણે તરત જ તૈયારી કરી પોતાના એક હજાર વણિક કરે સાથે પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી અને સંયમધર્મનું એકનિષ્ઠાપૂર્વક આરાધન શરૂ કર્યું. બાર વર્ષ પયત નિર્મળ ચારિત્ર
પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામી કાર્તિક શ્રેષ્ઠી સૌધર્મેદ્ર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તુ તે “
ધ કરું છું કે
www.umaragyanbhandar.com