Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 250
________________ કંટાકર્ણ મંત્રજાપ ] ૩૭ ૧૭. આ જાપ એકવીસ વખત જપી, પોતાના થુંકનું તિલક કરી રાજદરબારે જવાથી રાજા તથા પ્રધાનાદિક અધિકારીઓની મહેરબાની પ્રાપ્ત થાય છે. ૧૮. આ મંત્રજાપ જપી, પાઘડીને ગાંઠ વાળવી. અને તે ગાંઠવાળી પાઘડી પહેરીને જવાથી દરેક જાતને જશ મળે છે, એટલું જ નહિ પણ ભયાનક અટવીમાં મુસાફરી કરતાં હિંસક-ક્કર પ્રાણીઓના ઉપદ્રવમાંથી પણ બચાવ થાય છે. આ ઉપરાંત વ્યપારાર્થે બજારમાં જતાં વેપારમાં દ્રવ્યલાભ થાય છે. આ મંત્રના સાધકે એટલું સાવચેત રહેવું કે આ પવિત્ર મંત્રને ઉપગ કેઈને વશ કરવામાં કે ખોટી રીતે હેરાન કરવામાં ન કરો. આ જાપની સિદ્ધિ મેળવનાર મહાન આત્મા અપૂર્વ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. કદાચ કેઈને ફાંસીને હુકમ થયે હેય તે પણ બેંતાલીસ દિવસના એકનિષ્ઠાપૂર્વકના શુદ્ધ જાપથી તે ભયંકર હુકમ પણ રદ કરાવી તેને અભયદાતા બની શકે છે. તે જ પ્રમાણે ભયંકરમાં ભયંકર સર્પદંશથી કેઈને જીવ તાળવે ચઢી ગયો હોય અને મૃત્યુની ઘડીઓ ગણાઈ રહી હોય તેવા સમયે આ સિદ્ધપુરુષ મંત્રજાપ જપતે જાય અને મૃત્યુશય્યા પર પડેલ મનુષ્યને મુખદ્વારા કુંક મારતે જાય તે અલ્પ સમયમાં વિષધરનું વિષ ઉતરી જઈ તે મનુષ્ય જાણે ઊંઘમાંથી જાગૃત થયેલ હોય તે પ્રમાણે આળસ મારી ઊભે થાય છે. તે જ પ્રમાણે રાજ્ય તરફના ગમે તેવા ભયંકરમાં ભયંકર અપરાધથી સિદ્ધપુરુષના હાથે તેને બચાવ થાય છે. કોઈ પણ પરરાજ્ય તરફથી થએલ ભયંકરમાં ભયંકર હુમલા પ્રસંગે પણ પોતાની માતૃભૂમિનું રક્ષણ કરવા સમર્થ બને છે. એકંદર ગમે તેવા ભયંકરમાં ભયંકર જીવનમરણના પ્રસંગમાં આ મંત્રને જાપ મૃત્યુંજય જાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294