________________
કપડવણજની ગૌરવ ગાથા
આ સમયમાં આસપાસની ઠકરાતના જાગીરદાર (આંબલીયારા, માંડવા લવાશે, પુનાદરા, ખડાલ, રસ, વગેરે) પિતાના માણસે એકઠા કરી, આ ગામને લૂંટતા હતા. આપણુ ગામના શ્રીમંતોએ તેઓને રક્ષક તરીકે ઉચ્ચક રકમ આપવાની કરીને ભક્ષકે નહીં પણ રક્ષક ગણીને સ્વીકાર્યા. સંબંધ બાંધ્યા. પ્રજાને આ તેફાનીઓના હાથમાંથી બચાવી. આ આપણા ગામના શ્રેષ્ઠીઓની બુદ્ધિ શક્તિને પ્રભાવ હતો. નગર શેઠની પદવી પણ આ જૈન શ્રીમતેને જ હતી.
નદી દરવાજે “ચામુંડા માતાના દેવળ પાસે લુહાર (પંચાલ) કેમની વસતિ હતી. મહાર નદીના કાટડીયા આરા પાસે તેઓ ખાણમાં કામ કરતા. કંઈક વનસ્પતિને રસ ભળવાથી કહેવાય છે કે લોઢાની ચાંદી બનતી હોય, તેમ લાગવાથી અને રાજ્યને ડર લાગવાથી આ પ્રજાએ વતન છોડી દીધું. તેઓએ વઢવાણ, લીમડી, અમદાવાદ વગેરે સ્થળે વસવાટ કરેલો છે.
સિદ્ધ રાજયુગઃ વિ. સં. ૧૧૫૦-૧૧૯, ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩.
ગુજરાતનાં ભાલાં ન્યાયી રાજમાતા મલાદેવી (મીલનદેવી) બાળકુમાર સિદ્ધરાજ સાથે તીર્થયાત્રાએ નીકળ્યાં, ત્યારે રસ્તામાં કર્પટવાણિજ્ય આવતું. તે સમયે અર્ધગોળાકારે આ શહેર હતું. જે અર્ધગોળાકારે નદીના સામાકાંઠા ઉપર હતું એમ મનાય છે. અહીંના વનમાં તંબુ ઠેકાયા. રાજમાતાના સૈન્યમને એક અધરક્ષક વિભુદાસ જે કેઢ રેગથી પીડાતું હતું, તે બપરની અસહય ગરમીથી બચવા જળ શોધતા પાસેના તલવે ગયે. આ નાનકડી તલાવમાં સ્નાન કર્યા બાદ તેણે જોયું કે પિતે કેઢ રહીત બને છે. સર્વ
દ્ધાઓ તથા શ્રીરાજમાતા પણ આ ચમત્કાર જોઈ તાજુબ થયાં. પિતાના વિદ્વાન પંડિત કવિ ચંદ્રશર્માને પૂછયું કે આ ચમત્કાર શાથી? કવિ ચંદ્રશર્માએ જણાવ્યું કે “માતાજી આ જળના ભૂગર્ભમાં જરૂર ભગવાન પુરૂષોત્તમને વાસ હોવો જ જોઈએ.”
રાજમાતાએ તલાવ ખેદાવી ભગવાનની પ્રતિમાનાં દર્શન કરી દેવાલય બંધાવવા વિચાર કર્યો, પણ પાટણ પર માલવાની રાજ ખટપટ ચાલુ છે, તેવા સમાચાર મળતાં રાજમાતા તરત જ પાટણ ગયાં. થોડાક સમય બઢ રાજમાતાને વિદેહ થવાથી તલાવ
દાવવાનું કામ બંધ રહ્યું.
આ જળાશય ખેદતાં કહેવાય છે કે ઃ અનુક્રમે કંકુને સાથીઓ, બળતા ઘીનો દીવે, ભસ્મને ગળે, શંખ, ચક્ર, ગદા, પદ્મ અને કામધેનુ નિકળ્યાં. આ બધી વસ્તુઓ નિકળ્યા બાદ અદશ્ય થઈ ગઈ