Book Title: Kapadvanajni Gaurav Gatha
Author(s): Popatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 256
________________ ગૌરવ દશમું ১২৭ આ વિભાગમાં રહેતા. થોડાક મુસ્લીમ રંગરેજ તથા બ્રહ્મક્ષત્રિય ભાઈઓના કુટુંબ પણ છાપકામ કરતા હતા. હાલમાં આ કેમના ભાઈઓ અન્ય પ્રવૃત્તિમાં જોડાઈ ગયેલા છે. તાઈવાડે : ભાવસારવાડથી આગળ જતાં તાઈવાડી વિભાગ છે. આ મુસલમાન કેમના ભાઈઓ કપડાં તુણવાને બંધ કરતા હતાં. હાલમાં કેઈ અહીં આ ધંધે કરતું નથી, પણ તેમના વિભાગમાં તાઈઓની યાદમાં તાઈઓની મજીદ છે. લુહારાવાડે પહેલાં આ શહેરમાં કહેવાય છે કે આ કેમનાં ચારસો જેટલાં ઘરે હતાં. તેઓ લેતું ગાળવાને તથા ઘડવાને બંધ કરતા હતા. લટું ગાળવાની ભઠ્ઠીઓ મહેર નદીના કાંઠે હતી. જેના કાટના ટેકરા હાલ પણ મોજુદ છે. લોઢા સાથે . કેઈક વનસ્પતિનો રસ ભળવાથી રૂપા જેવું થતું પણ રાજયની બીકે આ પ્રજા ભાગી ગઈ અને વઢવાણ, લીમડી અને અમદાવાદ તરફ વસી. તેમના વંશજો હયાત છે. હાલમાં આ સ્થળે લુહાર (પંચાલ) કેમના ઘરે છે. તેઓ લોખંડ તથા એજીન્યરીંગ વિભાગના સારા એવા જાણકારે છે. જટવાડો –બાબી વંશના વખતમાં પ્રજાના રક્ષણ માટે જટ કેમના મુસલમાનોને મીઠા તલાવના દરવાજા પાસે વસાવેલા. હાલ આ લોકોની વસ્તી નથી. મોટા નાગરવાડાની હદ પુરી થતાં ત્યાંથી મીઠી તલાવના દરવાજા પાસેની હદ સુધીને જટવાડો કહે છે જોઈવાડ -હાલના નદી દરવાજા પાસે જઈઆવાડને વિભાગ છે. જ્યાં પહેલાં જોઈ આ જાતના મુસલમાન બાબીવંશના સમયમાં જ વસેલા. આ ગામ રક્ષકોએ પ્રજા પર જુલમ કરવા માંડે. એક માતેલે ઘેટે તેમના = મકાને પાસેના ચોરા પાસે બાંધતા અને આ રસ્તેથી જતા પ્રજાજનેને ફરજીયાત આ ઘેટાને સુંઘવાની ફરજ પાડતા. આ જુલ્મના પડઘારૂપી આ જુલ્મીઓને એજ બાબી વંશના લાડણ બેગમના સમયમાં જ સજા કરી, હદપાર કરી, તેમનાં મકાને જમીનદોસ્ત કર્યા. હાલમાં પણ તે સ્થળે ખેદકામ કરતાં જુની ઈમારતોના અવશેષો મળી આવે છે. (ગટર યેજના વખતે જુના અવશેષો દેખાયેલ) પાછળના ભાગમાં વણકર વગેરે રહે છે. - સૈયદવાડ મુસ્લીમ જગતમાં સન્માનિત હઝરત સૈયદ મુબારક સાહેબના પવિત્ર રૉયદ વંશના વારસદારનાં અહીં કુટુંબ વસે છે. અંતિસરીયા દરવાજા પાસેના કસ્બામાં આ વિભાગ આવેલ છે. હાલમાં પણ ત્યાં એક વિશાળ સૈયદની હવેલીના નામે ઓળખાતું મકાન છે. જે તેની જાહોજલાલીની યાદ આપે છે. શ્રીઅમૃતબાઈ શેઠાણીની ભવ્ય ભાવનાના પ્રતિકરૂપ શ્રીઅષ્ટાપદજીના દેરાસરના મહત્વના કાર્યકર શેઠાણીના નિમકહલાલ સેવકેમાંના વ્યક્તિ તરીકે હુસેનમીયાં દાદામીયાં સૈયદને ફાળો હતે. હરિજનવાસ –શહેરની સફાઈ કરી પ્રજાને તંદુરસ્તી માટે પ્રયત્ન કરનાર પ્રજાના સેવક જેવા હરિજન ભાઈઓને વસવાટ દરેક દરવાજા બહાર છે. આ રીતે અંતિસરીયા રીના દરવાજા બહાર, ૨-ગાંચી બારના દરવાજા બહાર, ૩–સરખલીયા દરવાજા બહાર,

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332