________________
કપડવણજની ગૌરવ ગાથા
ભૂખણદાસે લખેલા હયાત છે. તેમાં સંવત ૧૮૪૪ ના ગ્રંથ (હસ્તલિખિત) ઇડર પાસેના ઉઠા ગામના જૈન મંદિરમાં પૂજય લક્ષ્મીકુશળ ચામાસુ રહ્યા હતા, તેમનાજ અશીર્વાંઢ એ ગ્રંથ પુરા કરેલા, તેવા ઉલ્લેખ મળે છે.
૧૫૦
તે પછીના કેટલાક ગ્રંથો આ પેઢીમાંના જાણીતા વૈદ્ય વલ્લભરામના હસ્તે આંબલિયારા સ્ટેટમાં ઢાકાર સાહેબ અમરસીંહજીના સમયમાં દરબારગઢમાં એસી લખાએલાના ઉલ્લેખ છે. શ્રીવલ્લભરામ તે સમયમાં પ્રજાપ્રિય હતા. જેના ગરખા તે સમયે સુથારવાડાના ચકલે છેલ્લા કેટલાંક વર્ષો પહેલા ગવાતા
વલવબૈદ્ય ને સનમુખ જોશી, લક્ષ્મણુ મછવા પાછે વાળ. નથી જવું. દ્વારકા દેશે રે.”
હાલના જોષી કુટુબના પ્રખ્યાત વિદ્વાન જોષી સન્મુખ જોષી અને વલવવૈદ્ય દ્વારકા જતાં લક્ષ્મણ નામના ખલાસીના હાડકામાં જતાં તફાનમાં સપડાયા હતા. તે વખતના પ્રસગના આ ગમે નવરાત્રિમાં સુથારવાડાના ચકલે ગવાતા હતા.
ક સારવાડાના ચકલે, ગારવાડાના નાકે આ કુટુંબનાં દશ એક ઘરા હતા. જે સારાયે ગામમાં વૈદ્યકીય વ્યવસાય કરતા. તેમાંના કેટલાક જૈનાચાર્યાંના શિષ્યા તરીકે રહીને જ આયુર્વેદના અભ્યાસ કરેલા. નગરશેઠના કુટુંબમાંથી વર્ષાસન મળતું. આજ દિન સુધી આ કુટુ એમાંના કેટલાક વૈદ્યકીય વ્યવસાય ટકાવી રાખેલ છે.
ઈનામદાર કુટુંબ – વૈદ્યરાજ જીવણુજી ગોવિંદરામ ત્રિવેદીને સવંત ૧૮૧૮ના વર્ષે ભાદરવાવ ૮ શનિવારે શ્રીમાન ખંડેરાવ ગાયકવાડ સરકાર તરફથી આર્યુવેદ પદ્ધતિથી અસાધ્ય રોગ મટાડયાની ખુશાલીમાં મીરાંપરુ ભેટ આપવામાં આવેલું. તેઓ શ્રીભગવાન્ સોમનાથના મહાન ઉપાસક હોઇ પ્રથમ કઠલાલ ગામ આપવા વિચારેલ. ભગવાનની પુજા સેવાના લાભ મળે તેથી જ આ ગામની માંગણી કરેલ. ઈનામદાર કુટુંબના વારસદારોમાં પણ આર્યુવેદના ઉપાસકેા હતા. શ્રીમાન્ માધવલાલ ત્રિવેદી પણ એક વિદ્વાન્ જૈદ્ય હતા. અન્ય વારસદારોમાંના શ્રી હરિહરભાઇ જેએ કુટુંબના ગૌરવને જાળવી રહ્યા છે. આગળ પડતા વિદ્વાનેાના લીધે તેના બદલામાં મીરાંપરુ (સામનાથ મહાદેવ) ઈનામમાં મળેલું,
અંગ્રેજી શાસનની શરૂઆત : ૧૮પ૭નું ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ સજોગો અદલાતાં નિષ્ફળ ગયુ. સમય સમય પ્રમાણે કપડવણુજ શહેર સુધરાઇની સ્થાપના થઈ. સુધરાઈની સ્થાપના તા. ૭–૫-૧૯૬૩ના રાજ થઈ. સને ૧૮૬૬માં શરૂઆતની મુશ્કેલીએ છતાં સુધરાઈએ શેઠ શભુલાલ ગણેશજીના મકાનમાં (ભાડા પદ્ધતિએ મકાન રાખી) દવાખાનુ