Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હરિભદ્રસૂરિજીએ ૪થી દષ્ટિમાં સમાપત્તિનું વર્ણન કર્યું છે.
આત્મશુદ્ધિ રોકનાર કર્મપ્રકૃતિ છે. એને હટાવો તો આત્મશુદ્ધિ પાસે જ છે. કર્મગ્રંથ ભણતાં કર્મપ્રકૃતિઓ ગણીએ છીએ, પણ હટાવતા નથી. કર્મપ્રકૃતિઓ માત્ર ગણવાની નથી, હટાવવાની પણ છે.
આપણે ક્રોધ - માન - માયા આદિને અકબંધ રાખીને કર્મ – પ્રકૃતિઓ માત્ર ગણ્યા કરીએ છીએ !
ધ્યાન વિના સમાપત્તિ ન થાય. સમાપત્તિ ધ્યાનનું ફળ છે.
પ્રશ્ન : મરુદેવીને સમાપત્તિ શી રીતે આવી ? તિર્યંચાદિ પણ સમ્યક્ત પામે છે, તેમને સમાપત્તિ ક્યાંથી આવી ?
ઉત્તર : કરણોની પ્રાપ્તિ બે રીતે થાય : જ્ઞાનપૂર્વક અને સહજતાથી. કરણ અને ભવન. થઈ જાય તે ભવન. કરવું પડે તે કરણ.
નિસ ટૂ ધમાર્ વા , નિસર્ગથી થાય તે ભવન. અધિગમથી થાય તે કરણ.
કરણમાં પ્રયત્ન છે. ભવનમાં સહજતા છે.
માનવ મરીને માછલું થયો. ત્યાં સમ્યક્ત થયું. જાતિસ્મરણથી પૂર્વભવના દુકૃતો બદલ પશ્ચાત્તાપ થયો. આ ભવન છે.
સંસ્કાર પાડો તે જન્માંતરમાં પણ સાથે આવે. કોઈ વાત, વાચના કે વ્યાખ્યાનમાં વારંવાર કરું તો સમજજો કે એના માટે સંસ્કાર પાડવા છે.
સમાપત્તિ કોને નથી ? T.V. જોનાર, વેપાર કરનાર, છાપા વાંચનાર - વગેરેમાં પણ સમાપત્તિ છે.
જે વિષયમાં રસ હોય ત્યાં સમાપત્તિ આવે. પણ એ આર્તધ્યાનજન્ય છે. અશુભનો અભ્યાસ અનાદિકાળનો છે. શુભ માટેના સંસ્કારો ક્યારેય નથી પડ્યા.
- યોગ કે ધ્યાન શિબિરોમાં – (વિપશ્યના શિબિરોમાં) માત્ર એકાગ્રતા પર ભાર મૂકવામાં આવે છે, નિર્મળતા પર
૧૨૬
=
=
=
=
=
=
=
=
=
=
=
= = કહે
* કહે કલાપૂર્ણસૂરિ-૧