Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રાકૃતમાં છે, તે ગુજરાતીમાં ક્યાંથી લાવવી ? સંસ્કૃતની ગરિમા ગુજરાતીમાં ક્યાંથી લાવવી ?
રાનાનો જો સૌરધ્યમ્ ' આ વાક્યના ૮ લાખ અર્થ થાય. પંજાબી યુવાનોને જવાબ આપવા સમયસુંદરજીએ ૮ લાખ અર્થ કરી બતાવ્યા હતા.
લોગસ્સનું નામ છે : નામસ્તવ ! નામસ્તવ એટલે નામ વડે ભગવાનની સ્તુતિ ! એક પ્રતિક્રમણમાં કેટલા લોગસ્સ આવે ? ગણી લેજો.
કાઉસ્સગમાં લોગસ્સના સ્થાને, આવડતો હોય તો લોગસ્સ જ ચાલે, નવકાર નહિ. આ વિધિ છે. ન આવડતો હોય તેમના માટે નવકાર ઠીક છે.
સૂર્ય-ચન્દ્રનો પ્રકાશ સૂર્ય-ચન્દ્રમાં જ સીમિત નથી રહેતો, ચારેબાજુ ફેલાય છે. રત્નાદિનો પ્રકાશ સ્વમાં જ સીમિત રહે છે. ભગવાનનો જ્ઞાનપ્રકાશ સ્વમાં જ સીમિત નથી રહેતો, સર્વત્ર ફેલાય છે. માટે જ પ્રભુને “નોક્સ ૩mોમ રે' (જ્ઞાનાતિશય) કહેવાય છે. લોકને ઉદ્યોત કરનારા પ્રભુ છે. આના કારણે જ ધર્મતીર્થની સ્થાપના કરી શક્યા છે. થપ્પતિસ્થરે' (વચનાતિશય) ‘' (અપાયા પગમાતિશય) ‘રિહંત' (પૂજાતિશય) અહીં ચાર અતિશયો પણ સમાવિષ્ટ
છે.
પંચવસ્તુક
પ્રશ્ન : અમારા માટે રહેવાને મકાન છે, સાધુને રહેવાનું સ્થાન કયું ?
ઉત્તર : તત્ત્વથી સાધુ આત્મામાં જ રહે. પરમ સમતામાં મગ્ન રહેવાથી ગમે તેવા સ્થાનોમાં રાગ-દ્વેષાદિ ન કરે.
ધર્મશાળામાં તમે, સારી હોય કે ખરાબ, રાગ-દ્વેષ કરતા નથી, તેમ સાધુ પણ ન કરે. સાધુ બીજાના બનાવેલા સ્થાનમાં ઊતરે, સ્વયં ન બનાવે. પોતાને માટે બનાવે તો “અમેટું સ્થાનમ્' આ મારું છે - એમ મમત્વ થાય.
પ્રશ્ન : ગૃહસ્થોની જેમ ભોજન-પાન નથી મળતા. તકલીફ પડે ને ?
૧૬૮
મ
મ
ઝ
=
=
=
=
= = =
= = = કહે