Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 668
________________ ઉપવનના ફૂલો, સમુદ્રના તરંગો ને ગગનના સિતારાનું કદાચ માન કહી શકાય... પણ આ પુસ્તકનું કેમ કરૂં માન...? શે વર્ણવાય પૂજયશ્રીનું પ્રેરણાનું દાન ? સંપાદકશ્રીના કેટલા કરૂં ગુણગાન ? - સા. કલ્પનંદિતાશ્રી રાજકોટ હું પાલીતાણા આવેલી નહિ, પરંતુ પૂ. ભુવનશ્રીજી મ. તથા ભદ્રંકરાશ્રીજી પૂ. આચાર્ય ભગવંતની વાતો કરે ત્યારે એમ જ થાય કે ગઈ હોત તો સારું થાત. ખેર ! ભાવિભાવ. પરંતુ પૂજ્યશ્રીના સ્વમુખે બોલેલા શબ્દો આપ પૂ. ભ્રાતા બેલડીએ અક્ષરશઃ ઝીલી ગ્રંથસ્થ કર્યા તે અમારા જેવા કમભાગીને ખૂબ ઉપકારક બન્યા છે. - સા. ધર્મોદયાશ્રી અમદાવાદ આ પુસ્તકના વાંચન દ્વારા જીવનમાં દેવ - ગુરૂ - ધર્મનું સત્ય મૂલ્યાંકન થયું. પ્રતિસમય આવતા ક્રોધાદિ કષાયો ઉપર કાબૂ આવતો ગયો. - સા. ભુવનકીર્તિશ્રી અમદાવાદ પૂજ્યશ્રી ભગવદ્ સ્વરૂપ હતા. ભગવાન જે રીતે અર્થથી વાણી પ્રકાશ તેવી જ રીતે પૂજયશ્રી પણ આગમોના અર્કને વાણીથી પ્રસારિત કરતા. તે આગમ વાણી પાલીતાણાની વાચનાઓમાં સાંભળવા મળી. પરંતુ દૂર બેઠેલા અમને એ વાણી ત્રુટક ત્રુટક સંભળાતી, તે ત્રુટિની પૂર્તિ આ પુસ્તકે કરી. - સા. કલ્પજ્ઞાશ્રી રાજકોટ આ પુસ્તક દ્વારા પ્રભુકૃપા, ગુરુકૃપા તેમજ વિષયોની વિરક્તિ, વિનિયોગ વગેરે જાણવા મળ્યું. - સા. વૈરાગ્યપૂર્ણાશ્રી બોરડી ૬૦૬ * * * * * * * * * * * કહે

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708