________________
ઉપવનના ફૂલો, સમુદ્રના તરંગો ને ગગનના સિતારાનું કદાચ માન કહી શકાય... પણ આ પુસ્તકનું કેમ કરૂં માન...? શે વર્ણવાય પૂજયશ્રીનું પ્રેરણાનું દાન ? સંપાદકશ્રીના કેટલા કરૂં ગુણગાન ?
- સા. કલ્પનંદિતાશ્રી
રાજકોટ
હું પાલીતાણા આવેલી નહિ, પરંતુ પૂ. ભુવનશ્રીજી મ. તથા ભદ્રંકરાશ્રીજી પૂ. આચાર્ય ભગવંતની વાતો કરે ત્યારે એમ જ થાય કે ગઈ હોત તો સારું થાત. ખેર ! ભાવિભાવ. પરંતુ પૂજ્યશ્રીના સ્વમુખે બોલેલા શબ્દો આપ પૂ. ભ્રાતા બેલડીએ અક્ષરશઃ ઝીલી ગ્રંથસ્થ કર્યા તે અમારા જેવા કમભાગીને ખૂબ ઉપકારક બન્યા છે.
- સા. ધર્મોદયાશ્રી
અમદાવાદ
આ પુસ્તકના વાંચન દ્વારા જીવનમાં દેવ - ગુરૂ - ધર્મનું સત્ય મૂલ્યાંકન થયું. પ્રતિસમય આવતા ક્રોધાદિ કષાયો ઉપર કાબૂ આવતો ગયો.
- સા. ભુવનકીર્તિશ્રી
અમદાવાદ
પૂજ્યશ્રી ભગવદ્ સ્વરૂપ હતા. ભગવાન જે રીતે અર્થથી વાણી પ્રકાશ તેવી જ રીતે પૂજયશ્રી પણ આગમોના અર્કને વાણીથી પ્રસારિત કરતા. તે આગમ વાણી પાલીતાણાની વાચનાઓમાં સાંભળવા મળી. પરંતુ દૂર બેઠેલા અમને એ વાણી ત્રુટક ત્રુટક સંભળાતી, તે ત્રુટિની પૂર્તિ આ પુસ્તકે કરી.
- સા. કલ્પજ્ઞાશ્રી
રાજકોટ
આ પુસ્તક દ્વારા પ્રભુકૃપા, ગુરુકૃપા તેમજ વિષયોની વિરક્તિ, વિનિયોગ વગેરે જાણવા મળ્યું.
- સા. વૈરાગ્યપૂર્ણાશ્રી
બોરડી
૬૦૬
*
*
*
*
*
* * * *
* * કહે