Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પહોંચી શકીશું.
રસ્તો જાણો પણ ડગલુંય તે તરફ ન ભરો તો તમે ઈષ્ટ સ્થાને પહોંચી શકો ? આપણે બધું જાણીએ, પણ કાંઈ જ કરવા તૈયાર ન થઈએ તો ઈષ્ટ સિદ્ધ થાય ?
૦ ભગવાન નામાદિ ચારથી સર્વત્ર (સર્વ ક્ષેત્ર) સર્વદા (સર્વકાળે) સર્વજન પર ઉપકાર કરી રહ્યા છે, એમ હેમચન્દ્રસૂરિજી કહે છે. કોઈ કાળ એવો નથી, કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં પ્રભુનામ, પ્રભુ-મૂર્તિ ન હોય.
અમુક કાળમાં જ હોત તો ‘ક્ષેત્રે વિશ્વને ચ સર્વામિન' એમ ન લખત. પણ તમે જુઓ, ચારેય ગતિમાં જીવો સમ્યત્વ પામે છે.
સમ્યક્ત કઈ રીતે પામતા હશે ? ત્યાં પ્રભુનો ઉપકાર નહિ ?
છે આજે જ ભગવતીમાં પાઠ આવ્યો : “ગર્ભસ્થ જીવ નરકે પણ જઈ શકે સ્વર્ગે પણ જઈ શકે. શુભ અને અશુભ બંનેમાં “શ્ચિત્તે, તને, તમ્મો, તવસ્તા તવMયવહરો' બની શકે.
ગર્ભમાં રહેલો જીવ વૈક્રિયશક્તિથી રૂપ વિદુર્વ સૈનિકો બનાવી લડાઈ કરી શકે, આયુષ્ય સમાપ્ત થાય તો મરીને નરકે પણ જાય. એ રીતે ધર્મના અધ્યવસાયથી સ્વર્ગે પણ જાય.
૦ સ્વયંભૂ રમણ સમુદ્રમાં માછલાઓ ને મૂર્તિના આકારમાં માછલા જોવા મળતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે, પછી સગતિએ જાય છે. અહીં આકારરૂપે ભગવાન આવ્યા.
- એક વાત પૂછું ? ગોચરી વખતે કેવા વિચાર આવે ?
સારા વિચાર ન કરો તો ખરાબ વિચાર આવશે જ. નાનકડા બાળકને માં ગમે ત્યાં રખડવા ન દે, તેમ મનને ગમે ત્યાં રખડવા ન દો. મન નાનું બાળક છે. દુકાનને તમે માલિક વગરની મૂકતા નથી તો મનને કેમ મૂકો છો ? એવી રીતે વાપરવું કે મન સ્વાદથી પર બની જાય.
બહેન કહેવા આવ્યા : મહારાજ ! ભૂલ થઈ ગઈ. ચામાં
કહે
*
*
*
*
*
*
*
*
* ૨૮૧