Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 633
________________ કારણ બને છે. તથાભવ્યત્વના પરિપાકથી ગ્રંથિભેદ થતાં શુભ આજ્ઞાયોગ આવે છે. તથાભવ્યતા પાકી નથી, ગ્રંથિભેદ થયો નથી, એમ ન બોલો, એ માટે, કોઈ પ્રયત્ન (દુષ્કૃતગહ, સુકૃત અનુમોદના, શરણાગતિરૂપ) નથી કર્યા, એમ બોલો. • પ્રસ્તાવના કે અનુક્રમણિકામાં જેમ ગ્રંથનો પરિચય આવેલો હોય, તેમ નવકારમાં સંપૂર્ણ જિનશાસનનો પરિચય છે. નવકાર એટલે જિનશાસનની પ્રસ્તાવના...! અથવા અનુક્રમણિકા. આવું સમજ્યા પછી જે કાંઈ શાસ્ત્રો વાંચશો તેમાં નવકાર જ દેખાશે. અધ્યાત્મ ગીતા : આત્મલીનતા ભલે થોડા સમયની હોય, પણ એટલી ઝલકથી મુનિનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય. વ્યવહારમાં પણ એ ઝલકની છાંટ દેખાય. પછી અવગુણો બધા ચાલતી પકડે. “ભગવાન હૃદયમાં આવી ગયા છે. એ આપણને હાંકી કાઢે એ પહેલા જ આપણે બિસ્ત્રા-પોટલા પેક કરીને ચાલવા માંડો,” એમ સમજીને દોષો રવાના થવા માંડે. ચોવીસેય કલાક હૃદયમાં જ પ્રભુનામ અને પ્રભુ-મૂર્તિ રમે તો દોષોને ઘુસવાનો કોઈ સવાલ નથી. પુણ્યપાપ બે પુગલ-દલ ભાસે પરભાવ, પરભાવે પરસંગત પામે દુષ્ટ વિભાવ; તે માટે નિજભોગી યોગીસર સુપ્રસન્ન, દેવ નરક તૃણ મણિ સમ ભાસે જેહને મ.’ | ૨૬ || પુણ્ય-પાપ પર પણ તે યોગીને સમભાવ હોય. સોનું હોય કે માટી બંને પુદ્ગલ છે, તેમ પુણ્ય-પાપ પણ પુદ્ગલ પુણ્યથી મળેલા સુખોમાં આસક્તિથી આત્મા દુષ્ટ વિભાવદશાને પામશે, એવું તે યોગી જાણતા હોય છે. અનિષ્ટ પર અણગમો નહિ, ઈષ્ટ પર રાજીપો નહિ, કહે છે * ઝ ઝ ઝ * * * * * * * ૫૦૧

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708