Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text ________________
દ્રવ્યથી એક ચેતન અલેશી, ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશી; ઉત્પાત-નાશ-પ્રુવ કાલ ધર્મ, શુદ્ધ ઉપયોગ ગુણ ભાવ શર્મ. ૪૧ | દ્રવ્યથી એક ચેતન લેક્ષારહિત છે. ક્ષેત્રથી આત્મા અસંખ્ય પ્રદેશવાળો છે. કાળથી ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત છે. ભાવથી શુદ્ધ ઉપયોગમાં ૨મણ કરનાર છે. પ્રશ્ન : આત્મામાં ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય શી રીતે ઘટે ?
ઉત્તર : આત્મામાં અભિનવ પર્યાયની ઉત્પત્તિ થાય છે. પૂર્વ પર્યાયનો નાશ થાય છે અને જ્ઞાનાદિથી ભરપૂર આત્મા ધ્રુવ (શાશ્વત છે).
નિશ્ચયથી આપણું રહેઠાણ આપણો આત્મા જ છે. સ્થાન માટે ઝગડા થવાની સંભાવના ઊભી થાય ત્યારે આ વાસ્તવિકતા યાદ કરજો.
સાદિ અનંત અવિનાશી અપ્રયાસી પરિણામ, ઉપાદાન-ગુણ તેહિજ કારણ-કાર્ય-ધામ; શુદ્ધ નિક્ષેપ ચતુષ્ટય જુત્તો રસ્તો પૂર્ણાનંદ, કેવલનાણી જાણે જેહના ગુણનો છંદ. || ૪૨ છે. એહવી શુદ્ધ સિદ્ધતા કરણ ઈહા, ઈન્દ્રિય સુખથકી જે નિરીહા; પગલી ભાવના જે અસંગી, તે મુનિ શુદ્ધ પરમાર્થ રંગી. || ૪૩ ..
આવી શુદ્ધ સિદ્ધતા મારી ક્યારે પ્રગટે ? એવી રુચિ જાગે, તો આપણી સાધના સાચી. એ રુચિ માટે જેમને ઈન્દ્રિયોના સુખ પર નિઃસ્પૃહતા અને, પૌગલિક ભાવોથી વેગળાપણું હોય, તે જ મુનિ સાચા અર્થમાં મુનિ છે.
સ્યાદાદ આતમસત્તા રુચિ સમકિત તેહ, આત્મ ધર્મનો ભાસન, નિર્મલ જ્ઞાની જેહ; આતમ રમણી ચરણી ધ્યાની આતમલીન, આતમ ધર્મ ૨મ્યો તેણે ભવ્ય સદા સુખ પીન. || ૪૪ છે.
૫૯૦
*
* *
*
*
*
* *
* *
* # કહે
Loading... Page Navigation 1 ... 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708