________________
કારણ બને છે. તથાભવ્યત્વના પરિપાકથી ગ્રંથિભેદ થતાં શુભ આજ્ઞાયોગ આવે છે.
તથાભવ્યતા પાકી નથી, ગ્રંથિભેદ થયો નથી, એમ ન બોલો, એ માટે, કોઈ પ્રયત્ન (દુષ્કૃતગહ, સુકૃત અનુમોદના, શરણાગતિરૂપ) નથી કર્યા, એમ બોલો.
• પ્રસ્તાવના કે અનુક્રમણિકામાં જેમ ગ્રંથનો પરિચય આવેલો હોય, તેમ નવકારમાં સંપૂર્ણ જિનશાસનનો પરિચય છે. નવકાર એટલે જિનશાસનની પ્રસ્તાવના...! અથવા અનુક્રમણિકા. આવું સમજ્યા પછી જે કાંઈ શાસ્ત્રો વાંચશો તેમાં નવકાર જ દેખાશે.
અધ્યાત્મ ગીતા :
આત્મલીનતા ભલે થોડા સમયની હોય, પણ એટલી ઝલકથી મુનિનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય. વ્યવહારમાં પણ એ ઝલકની છાંટ દેખાય.
પછી અવગુણો બધા ચાલતી પકડે. “ભગવાન હૃદયમાં આવી ગયા છે. એ આપણને હાંકી કાઢે એ પહેલા જ આપણે બિસ્ત્રા-પોટલા પેક કરીને ચાલવા માંડો,” એમ સમજીને દોષો રવાના થવા માંડે.
ચોવીસેય કલાક હૃદયમાં જ પ્રભુનામ અને પ્રભુ-મૂર્તિ રમે તો દોષોને ઘુસવાનો કોઈ સવાલ નથી.
પુણ્યપાપ બે પુગલ-દલ ભાસે પરભાવ, પરભાવે પરસંગત પામે દુષ્ટ વિભાવ; તે માટે નિજભોગી યોગીસર સુપ્રસન્ન, દેવ નરક તૃણ મણિ સમ ભાસે જેહને મ.’ | ૨૬ ||
પુણ્ય-પાપ પર પણ તે યોગીને સમભાવ હોય. સોનું હોય કે માટી બંને પુદ્ગલ છે, તેમ પુણ્ય-પાપ પણ પુદ્ગલ
પુણ્યથી મળેલા સુખોમાં આસક્તિથી આત્મા દુષ્ટ વિભાવદશાને પામશે, એવું તે યોગી જાણતા હોય છે.
અનિષ્ટ પર અણગમો નહિ, ઈષ્ટ પર રાજીપો નહિ,
કહે છે
*
ઝ
ઝ
ઝ
*
*
*
* *
*
* ૫૦૧