Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પુણ્યયોગે મને પહેલેથી જ ભક્તિ પસંદ. જાણે કે સતત ભગવાન માર્ગદર્શન આપતા રહ્યા.
કોઈએ મને ગૃહસ્થાપણામાં (ખેરાગઢમાં) કાનજીનું પુસ્તક આપીને કહ્યું : આમાં ખરૂં અધ્યાત્મ છે. વાંચજો. પુસ્તક ખોલતાં જ અંદર જોવા મળ્યું : ઉપાદાન જ મુખ્ય છે. નિમિત્ત અકિંચિત્કર છે.'
આ
મેં તરત જ મૂકી દીધું ને પેલાને કહી દીધું : અધ્યાત્મ નથી.
હું બધા સાધુ-સાધ્વીજીને જણાવવા માંગું છું : જ્યાં દેવગુરુની ભક્તિ ન હોય તેવા કોઈ અનુષ્ઠાનમાં સાચું અધ્યાત્મ છે, એમ માનશો નહિ.
પૂ. દેવચન્દ્રજી મહારાજ કહે છે : કોઠીમાં હજાર વર્ષ બીજ પડ્યા રહેશે. એમને એમ જ રહેશે; પણ જમીનમાં વાવો તો ? બીજે વૃક્ષ અનંતતા રે, પ્રસરે ભૂ-જલ યોગ.’
- પૂ. દેવચન્દ્રજી તેમ આપણે પણ ભગવાનનો સંયોગ પામીને અનંત બની શકીએ. બીજને જમીન-પાણી વગેરે ન મળે તો પોતાની મેળે વૃક્ષ ન બની શકે તેમ જીવ એકલો જ શિવ ન બની શકે. આ વાત તરફ તમારા કોઈનું ધ્યાન નથી તેનું મને બહુ જ દુ:ખ છે. કેમ કોઈની નજર જતી નથી ?
છે.
પૂ. દેવચન્દ્રજી મ.એ પ્રથમ સ્તવનમાં પ્રીતિયોગ બતાવ્યો ષોડશક યોગવિંશિકા વગેરેમાં પ્રીતિયોગ બતાવ્યો છે, તે આ પ્રભુનો પ્રેમ સમજવો.
પ્રભુ પ્રેમના કારણે જ માર્ગ ભૂલાયો નથી. માટે જ ‘મુમુનાનો’ પ્રભુ પાસે આપણે રોજ માંગીએ છીએ.
-
જેના માથે ગુરુ હશે તે કદી માર્ગભ્રષ્ટ નહિ બને.
ગામ માટે ઘડા બનાવવાની જવાબદારી કુંભારની છે, તેમ જીવમાંથી શિવ બનાવવાની જવાબદારી ભગવાનની છે. માટીને કુંભાર ન મળે તો પોતાની મેળે ઘડો બની શકે નહિ. ભગવાન વિના આપણે પણ ભગવાન બની શકીએ નહિ.
કહે કલાપૂર્ણસૂરિ-૧
૨૩૧