Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હાર
:
नियम देते हुए पूज्यत्री, वढवाण, वि. सं. २०४७
શ્રાવણ સુદ ૫ ૧૬-૦૮-૧૯૯૯, સોમવાર
દેવવંદનાદિ સૂત્રોમાં એવી શક્તિ છે, અનાદિકાળના ચારિત્ર મોહનીયાદિ કર્મોનો ક્ષય કરી આપણામાં વિરતિના પરિણામો પેદા કરે. તીર્થકરો પણ જ્યારે હાથ જોડીને સામાયિકનો પાઠ ઉચ્ચરે છે ત્યારે તેમને વિરતિના પરિણામો પેદા થાય છે.
પરિણામો તો આપણી અંદર પડેલા જ છે, પણ આ સૂત્ર, ક્રિયા વગેરે પ્રગટ કરનારા પુષ્ટ કારણો છે.
જે તાકાત નવકાર, ઇરિયાવહિયં, લોગસ્સ વગેરેમાં છે, તે નૂતન રચનામાં ન આવે.
અંજારમાં ડૉ. યુ. પી. દેઢિયા કહે : બધા સૂત્રો પ્રાકૃતમાં છે. અમને સમજાતા નથી. ગુજરાતીમાં રચના થાય તો ઉપકારક ઘણા બને.
કાચ અને ચિંતામણિ જેટલો બંનેમાં ફરક આવે. એ પવિત્ર સૂત્રોના રહસ્યાર્થી, મંત્ર-ગર્ભિતતા વગેરે ગુજરાતીમાં શી રીતે ઉતારી શકાશે ? અર્થોને સમાવવાની જે શક્તિ
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * *
*
*
*
*
*
*
*
* *
*
* *
# ૧૬૦