Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“જેઓ અનુકંપાદાનને પ્રશંસે છે...' ઇત્યાદિ “શ્રી સૂત્રકૃતાંગ' માં જે જણાવ્યું છે તે પણ પુષ્ટાલંબન સ્વરૂપ દશાવિશેષને છોડીને અન્ય વિષયમાં હોવાથી તેનો વિષય અન્યત્ર યુક્ત છે તે બુદ્ધિમાને વિચારવું જોઈએ.” આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે “શ્રી સૂત્રકૃતાંગ' સૂત્રમાં જણાવ્યું છે કે, “જે ૪ વાળ પસંસતિ વ ર્જીતિ ઘoni I ને આ vi દિક્ષેતિ વિચ્છેિ રંતિ તે ” અર્થાત્ જેઓ અનુકંપાદાનને; તે કરવું જોઈએ - ઇત્યાદિ રીતે પ્રશંસે છે તેઓ પ્રાણીઓના વધને ઈચ્છે છે. અને જેઓ અનુકંપાદાનનો, તે કરવું ના જોઇએ - ઈત્યાદિ રીતે નિષેધ કરે છે; તેઓ આજીવિકાનો વિચ્છેદ કરે છે. આથી પુષ્ટાલંબને જેઓ અનુકંપાનું દાન કરે છે, તેમને આ રીતે પ્રાણીવધનું પાપ લાગે છે – એમ સ્પષ્ટ રીતે ઉપર જણાવેલા વચનથી જણાય છે. તેથી સૂત્રકૃતાંગ સૂત્રનો વિરોધ આવે છે; પરંતુ એ વચન પણ અપુષ્ટાલંબને જેઓ અનુકંપાદાન કરે છે તેમને ઉદ્દેશીને છે. પુષ્ટાલંબને કરાતા અનુકંપાદાનની ત્યાં વાત નથી. આ પ્રમાણે “શ્રીસૂટતાં' સૂત્રનો વિષય દશાવિશેષને આશ્રયીને હોવાથી તેનાથી ભિન્ન વિષયમાં તે સૂત્રનો કોઈ વિરોધ નથી.. એ પ્રમાણે બુદ્ધિમાન આત્માએ સૂત્રના તાત્પર્યથી વિચારવું જોઇએ. પરંતુ પદાર્થમાત્રમાં મૂઢતા ધારણ કરવી ના જોઇએ. અપુણાલંબનના વિષયરૂપે જ એ સૂત્રને સંગત કર્યું છે. આથી જ અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે – જે 7 વાન પ્રાંન્તિ - ઇત્યાદિ જે સૂત્ર આ અનુકંપાદાનના વિષયમાં યાદ કરાય છે તે સૂત્રનો વિષય અવસ્થાવિશેષને આશ્રયીને મહાત્માઓએ જોવો જોઈએ. ૧-૧all
પુન: શક્ત
પૂ. સાધુભગવંતોને પુણ્યબંધ ઇષ્ટ-ઉપાદેય ન હોવાથી પુણ્યબંધના કારણભૂત એવા અનુકંપાદાનને તેઓ કઈ રીતે કરી શકે, આવી શંકા કરે છે–
नन्वेवं पुण्यबन्धः स्यात् साधो न च स इष्यते ।
पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते यतो यतिः ॥१-१४॥ नन्विति-नन्वेवमपवादतोऽपि साधोरनुकम्पादानेऽभ्युपगम्यमाने पुण्यबन्धः स्याद्, अनुकम्पायाः सातबन्धहेतुत्वात् । न च स पुण्यबन्ध इष्यते साधोः । यतो यस्माद्यतिः पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते II9-9૪||
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે આ રીતે અપવાદથી પણ પૂ. સાધુભગવંતો અનુકંપાદાન કરે તો તેમને પુણ્યબંધનો પ્રસંગ આવશે. કારણ કે અનુકંપાદાનથી પુણ્યબંધ થાય છે. એ પુણ્ય પૂ. સાધુભગવંતને ઈષ્ટ નથી. તેથી તેઓશ્રીએ અપવાદથી પણ અનુકંપાદાન કરવું ના જોઇએ. “પૂ. સાધુભગવંતોને પુણ્યબંધ ઈષ્ટ નથી એવું નથી.' - આ પ્રમાણે નહીં કહેવું
દાન બત્રીશી