________________
૧૬
ગોશાલને શિષ્ય બતાવ્યો છે. ત્યાં એક દેવ (આ દેવ સારે લાગે છે) એને ભગવાન મહાવીરને શરણે જવાનું સૂચવે છે. ભગવાને એની સાથે ચર્ચા કરતાં જે ચાતુર્યભરી દલીલ કરી છે, તે મહાવીરની વાદકુશલતા બતાવે છે. નિયતિવાદ તમામ પુરુષાર્થને કેમ હણે છે, જવાબદારીને નાશ કેમ કરે છે, એ એમણે ત્યાં ટૂંકામાં બતાવ્યું છે.
આ વાણિયા વેપારીઓ મહાવીર પાસેથી ઉદ્ધારનો રસ્તો મેળવ્યા પછી કૃતજ્ઞતાથી મહાવીરને જે વિશેષણો લગાવે છે તે પણ વિર્ય જીવનને અનુરૂપ જ છે. મહાવીર મહાગોપ છે, કેમકે સંસાર અટવીમાં ભમતા છનું તે રક્ષણ કરનાર છે. તે મહાસાર્થવાહ પણ છે, કેમકે તે જીવોનું ધર્મરૂપ પંથ વડે રક્ષણ કરી તેમને નિવણરૂ૫ મહાનગરમાં પહોંચાડનાર છે. તે મહાધર્મકથી પણ છે, કેમકે સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા અને અસત્યથી પરાજિત થયેલા જીવને ઘણું સમજૂતી અને બોધ આપીને સંસારકાંતારથી પાર ઉતારનાર છે. તે મહાનિર્ધામક છે, કેમકે તે સંસારરૂપ મહાસમુદ્રમાં નાશ પામતા, વિનાશ પામતા, ડૂબતા અને ગળકાં ખાતા અને ધર્મરૂપ નાવ દ્વારા પાર ઉતારીને નિર્વાણને કાંઠે પહોંચાડનાર છે. આ બધાં વિશેષણો વૈશ્ય જીવન સાથે સંબંધ ધરાવે છે. મહાવીરના ધર્મોપદેશની સિદ્ધિ આ વિશેષણે મારફતે વિશેષ રીતે વ્યક્ત થાય છે. આવા શ્રદ્ધાવાન ગૃહપતિઓ પિતાની સ્ત્રીઓને પણ એટલી જ છૂટ આપે છે. ભગવાન મહાવીરનો ઉપદેશ ગળે ઊતરે કે તરત પોતાની પત્નીઓને એ જ ઉપદેશ સ્વતંત્ર રીતે સાંભળવા મકલી દે છે જેથી તેઓ જે કાંઈ દીક્ષા લેવી હોય તે સ્વેચ્છાએ લે અને જ્યાં પિતાની મર્યાદા જડે ત્યાં થોભી જાય..
આવા સુંદર વાતાવરણમાં ગૃહસ્થ ઉપાસકોએ કેવાં કેવાં તો લેવાં જોઈએ, કઈ રીતે જીવન ગાળવું જોઈએ, એછામાં ઓછા ધર્મને કેટલે ભાગ એમણે પાળા જ જોઈએ, અને કઈ ઢબે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org