________________
મહારાતક
રાજગૃહમા મહાશતક નામે ગૃહપતિ રેવતી વગેરે ૧૩ સ્ત્રીઓ સાથે રહેતું હતું. તેની પાસે આઠ કરેડ પાલી સોનું નિધિ તરીકે સંઘરામાં, આઠ વ્યાજે અને આઠ ઘરવાપરમાં હતી. ઉપરાંત દસહજાર ગાયોને એક એવા આઠ વ્ર હતા. [૨૩૧-૩)
મહાશતકની સ્ત્રી વતીને તેના પિયેરથી આઠ કરોડ (પાલી) સોનું અને આઠ વ્રજ મળ્યાં હતાં. બાકીની બાર સ્ત્રીઓને એક એક કરોડ (પાલી) સોનું અને એક એક વ્રજ કન્યાદાનમાં મળ્યાં હતાં. [૨૩]
એક વાર ફરતા ફરતા શ્રમણભગવાન મહાવીર ત્યાંના ગુણશિલ ચિત્યમાં આવીને ઊતર્યા. મહાશતકે તેમનું પ્રવચન સાંભળીને આનંદની પેઠે તેમની પાસે શ્રાવકધમને સ્વીકાર કર્યો તથા ભેગતૃષ્ણાની મર્યાદા માટે આઠ કરોડ (પાલી) સેનું વગેરે અને ૧૩ સ્ત્રીઓથી વધારેને સ્વીકાર ન કરવાનું વ્રત લીધું. ઉપરાંત તેણે એ નિયમ કર્યો કે
૧. આ અધ્યયનમાં જ પહેલી વાર કરોડ વગેરે સંખ્યા સિક્કાને કે કોઈ માપને લાગુ પડે છે એને ઉલ્લેખ આવે છે, આ ઉલ્લેખ પરથી જણાય છે કે, પાલી ભરીને સેનું માપીએ તો તેવી આઠ કરોડ પાલીઓ ભરીને સેનું – એવો અર્થ થાય,
૨ ઘોઘડિયા !
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org