________________
૧૩૨
ભગવાન મહાવીરના દશ ઉપાસકે
ખીજા કાઈ તે જોતા નથી. સમુદ્રમાંની જાળ જેવી રીતે અનેક માછલીએ માટે દુ:ખદાયી અહિતકર અને ઘાતક નીવડે છે, તેવી રીતે આ સંસારસાગરમાં મેઘપુરુષ ગેશાલક અનેક વાને ભ્રમમાં નાખીને દુ:ખદાયી અને અહિતકર નીવડે છે.
“ હું ભિક્ષુએ ! જેવી રીતે વસ્ત્રની અંદર વાળને કામળે! નિકૃષ્ટતમ છે, કારણ કે તે ગરમીમાં ગરમ થઈ જાય છે, શરદીમાં ઠંડા થઈ જાય છે, તેને રંગ પણ સારા લાગતા નથી, તે સહેલાઈથી હાથમાં પણ રહેતા નથી; તેવી રીતે મલિ ગોશાલકના વાદ પણ બધા શ્રમણવાદામાં નિકૃષ્ટતમ છે.''
મલ્ઝિમનિકાયમાં ખુદ્દા શિષ્ય આનંદ એક પરિવ્રાજકને કહે છે: ‘ ભગવાન બુદ્ધે ચાર પ્રકારના આચાર્યોને અબ્રહ્મવાસ સેવનારા, તથા બીજા ચાર પ્રકારનાને અનાશ્વાસિક (અસ તેાષકારક ) બ્રહ્મચય સેવનારા કહ્યા છે.' આ ઠેકાણે પ્રથમના ચારમાં ગેાશાલકનું નામ છે, તથા બાકીના ચારમાં મહાવીરનું સ્થાન છે.
૩. મહાવીર અને ગેાશાલની મુલાકાત
મહાવીરે ૭૦ વર્ષની ઉમરે ગૃહત્યાગ કરીને દીક્ષા લીધી. એ વર્ષ બાદ રાજગૃહ નજીક નાદામાં તેમની ગેાશાલક સાથે પ્રથમ મુલાકાત થઈ. તે જ વર્ષમાં પાછળથી ગેાશાલક મહાવીરને શિષ્ય થયા અને એ બંને ભિક્ષુએ પછી (ભગવતીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે) છ વર્ષ પણિયભૂમિમાં સાથે રહ્યા. ત્યાર પછી ઘેાડે સમયે તે ભૂતે વચ્ચે કાંઈક સંદ્ધાંતિક મતભેદ ઉત્પન્ન થયા, અને તે સિદ્ધા ગ્રામ આગળથી છૂટા પડ્યા. ત્યાર બાદ તેઓ ઘણાં વર્ષો પછીની તેમની શ્રાવસ્તીની છેલ્લી મુલાકાત સુધી ભેગા મળ્યા નથી.
મહાવીરથી જુદા પડચા આદ ગેાશાલક શ્રાવસ્તી ગયા; ત્યાં હાલાહલા કુંભારણને ત્યાં છ મહિના તીવ્ર તપશ્ચર્યા સાધીતે તેણે પોતે જિન થયાનું જાહેર કર્યું". એ જિનપણામાં તેણે ૧૬વ પસાર કર્યાં. ત્યારબાદ મહાવીર પણુ શ્રાવસ્તીમાં આવ્યા અને તે એ વચ્ચે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International