________________
૧૩૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકે અખત્યાર કર્યું છે. ૩. ધર્મશાળાઓમાં કે ઉદ્યાનગૃહોમાં ઘણા ચતુર તથા નાનામોટા તાર્કિક લોકે હશે એમ માની તે શ્રમણ ત્યાં રહેવા જતો નથી. તેને બીક લાગે છે કે, કદાચ તે બધા મેધાવી, શિક્ષિત, બુદ્ધિમાન તથા સૂત્ર અને તેમના અર્થનો નિર્ણય જાણનારા ભિક્ષુઓ કાંઈ પ્રશ્નો પૂછે, તે શો જવાબ દઈએ?
આ ત્રણમાંથી બીજા આક્ષેપમાં સ્ત્રીઓના સહવાસનો જે પ્રશ્ન છે, તે બાબત છેડો વધારે વિચાર કરવાનો રહે છે. શાલકે હાલાહલા કુંભારણને ત્યાં લાંબો સમય રહીને પોતાની સાધના પૂરી કરી હતી, એ વાત આગળ આવી ગઈ છે. મહાવીરના સિદ્ધાંત પ્રમાણે એક ઠેકાણે લાંબો સમય સ્થિર રહેવું અને તે પણ સ્ત્રીના સહવાસમાં – એ વસ્તુ કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. મઝિમનિકાયમાં જણાવ્યું છે કે, જે સ્ત્રીઓના પુત્ર મરી જાય છે, તેમના પુત્ર જેવા થઈને આજીવિક રડે છે. ગશાલકની વિચારસરણું એ બાબતમાં કાંઈક વેદાંતવાદી જેવી હતી. મહાવીર કર્મબદ્ધ અને કર્મમુક્ત એવી બે જ અવસ્થાઓ સ્વીકારે છે, ત્યારે ગોશાલ બદ્ધ, “ન બદ્ધ અને ન મુક્ત,” તથા મુક્ત એવી ત્રણ અવસ્થાઓ સ્વીકારે છે. સંસારી જીવો તે બદ્ધ, મહાવીર જેવા ગૃહત્યાગ કરનારા પણ હજુ મુક્તિથી દૂર એવા લોકે તે “ન-બદ્ધ અને ન–મુક્ત; અને પિતાના (ગશાલકના) જેવા કર્મના લેપથી કાયમને માટે મુક્ત થયેલા તે “મુક્ત'. એ મુકત પુરુષ સ્ત્રીઓનો સહવાસ કરે તો પણ તેને કશે ભય હોય નહીં. આવી દલીલની એથે સેવાવા લાગેલા અનાચારને વિરોધ કરીને જ મહાવીરે પાંચમું બ્રહ્મચર્ય વ્રત, પાર્શ્વનાથનાં ચાર વ્રત (ચાતુર્યામ)માં દાખલ કર્યું હશે, તથા સ્ત્રીઓના સહવાસને સદંતર વખોડી કાઢયો હશે.
સૂત્રકૃનાંગમાં (૧–૪) જણાવ્યું છેઃ “માતાપિતા વગેરે કુટુંબીનો તથા કામભોગોનો ત્યાગ કરી, પિતાના કલ્યાણ માટે તત્પર બની, નિર્જન સ્થાનમાં જ રહેવાનો સંકલ્પ કરનાર ભિક્ષુ, ભિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org