________________
પરિશિષ્ટ – મહાવીર-ગોશાલકની અંતિમ સુલાકાત ૧૩૫ મારા બગાઈ કર્યા કરી મને છંછેડશે, તે મારા તપના તેજ વડે હું તેમને બાળીને ભસ્મ કરીશ. માટે જઈને તું તારા ધર્મચાર્યને એ પ્રમાણે કહે.'
આ સાંભળી ભય પામી આનંદ ઝટપટ પિતાને ઉતારે પાછા ગયા અને ત્યાં મહાવીરને એ બધી વાત કરીતથા ગે શાલક તેમને બાળી શકે કે કેમ તે પૂછયું. મહાવીરે જવાબ આપે કે, “ગોશાક પિતાના તપના તેજ વડે ગમે તેને એક ઘાએ પાષાણમય મારણ મહાયંત્રના આઘાતની પેઠે જલદી ભસ્મરાશિ કરવાને સમર્થ છે; પરંતુ મને બાળી ભસ્મ કરવા સમર્થ નથી; અલબત્ત તે મને પરિતાપ કે દુખ ઉત્પન્ન કરવા સમર્થ છે. મેંશાલકનું જેટલું તપસ્તેજ છે, તેનાથી અનગાર ભગવંતનું (સાધુનું) અનંતગણું વિશિષ્ટ તપસ્વેજ છે; કાર કે, અગાર ભગવંત ક્ષમા (ધનો નિગ્રહ) કરવામાં સમર્થ છે.” તો પણ મહાવીરે આનંદ મુનિ દ્વારા જ પિતાના સર્વ સાધુઓને તાકીદ આપી કે, ગોશાલક સાથે કોઈ પણ બાબતમાં વાદવિવાદમાં ન ઊતરવું; તેમ જ તેના સંપ્રદાયની વિરુદ્ધમાં કાંઈ કહેવું કરવું નહીં.
પરંતુ, હવે મોડું થઈ ગયું હતું; કારણ કે, હજુ તે આનંદ આવીને બધા સાધુઓને આ સંદેશે કહે છે, તેટલામાં તો ગેલિક શિષ્ય પરિવાર સાથે વીંટળાઈને મહાવીર હતા ત્યાં આવી પહોંચે, અને મહાવીરને કહેવા લાગ્યો, “હે આયુ માન કાશ્યપગોત્રીય! મંખલિપુત્ર ગોશાલક મારે ધર્મસંબંધી શિષ્ય છે” એમ તમે જે કહે છે, તે ઠીક છે; પરંતુ તે વાતને તે સાત-સાત ભવ વીતી ગયા છે. મેં તો હવે અતિ ઉત્તમ રહસ્ય પ્રાપ્ત કર્યું છે, અને તે રહસ્ય અનુસાર જે વર્તે છે, તે અવશ્ય મેક્ષ પામે છે.”
આ સાંભળી ટપાટપીના ભાવમાં આવી જઈ ભગવાન મહાવીરે કહ્યું, “હે ગોશાલક, જેમ ગામના લકથી ભાળ કે ચાર કઈ ખાડો ગુફા કે આડ ન મળવાથી એક મોટા ઉનના તાંતણાથી, કપાસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org